Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૮
સળંગ અંક ૩૨૫
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૨પ
णमो अरिहंताणं।
णमो सिद्धाणं।
णमो आइरियाणं।
णमो उवज्झायाणं।
णमो लोए सव्वसाहूणं।
અહો, જગતમાં સર્વોત્કૃષ્ટ મંગલરૂપ પંચપરમેષ્ઠી
ભગવંતો! આપની ઉત્પત્તિ આત્મામાંથી જ થઈ છે, તેથી
આપ સ્વયંભૂ છો. આપના સ્વરૂપનું ચિંતન કરતાં મારું
આત્મરૂપ દેખાય છે, ને મારા આત્મામાં જ પંચપરમેષ્ઠીનો
વાસ છે–એમ સ્વસન્મુખવૃત્તિ વળે છે. આ રીતે
સ્વસન્મુખવૃત્તિના હેતુભૂત એવા હે ભગવંતો! આપના
ધ્યાનવડે મારું આજનું પ્રભાત હું મંગલરૂપ બનાવું છું....ને
આપને ઓળખાવનારા સંતોને નમસ્કાર કરું છું.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ કારતક (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ : ૨૮ અંક ૧

PDF/HTML Page 3 of 45
single page version

background image
ઉપકાર શ્રીગુરુ આપનો
જેમના પ્રતાપે આપણું આ
‘આત્મધર્મ’ હજારો મુમુક્ષુઓનો પ્રેમ ઝીલતું
આજે ૨૭ વર્ષ પૂરા કરીને ૨૮ મા વર્ષમાં
આગેકદમ કરી રહ્યું તે પૂજ્ય શ્રી કહાનગુરુનો
પરમ ઉપકાર છે.
હે ગુરુદેવ! આત્માનું સત્ય સ્વરૂપ
શું છે, તેની મુક્તિનો માર્ગ કેવો છે, અને એ
વીતરાગમાર્ગમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં છે?
તે બધુંય આપે જ અમને સમજાવ્યું છે. આપના
જ પ્રતાપે અમને જિનમાર્ગની પ્રાપ્તિ થઈ છે.
આપના જ પ્રતાપે હજારો મુમુક્ષુજીવો જાગ્યા છે ને પોતાનું આત્મહિત સાધવા ઉદ્યમી
બની રહ્યા છે. અમારા સૌના હૃદયમાં આપના પવિત્ર ઉપકારનું ઝરણું વહી રહ્યું છે–આ
ભવના અંત સુધી જ નહીં પણ આવતા ભવમાંય અમારા આત્મપ્રદેશોની વીણા
આપના ઉપકારના રણકાર વડે ઝણઝણ્યા કરશે.
ગુરુદેવ! અમે માત્ર આપનો ઉપકાર જ માનીને નહીં અટકીએ,
આત્માનો જે માર્ગ બતાવીને આપે ઉપકાર કર્યો છે તે માર્ગને અનુસરીને આપની જ
સાથે આનંદનગરીમાં આવીશું.
અહા, આ બાળકના જીવનમાં ૨૮ વર્ષથી આપ આત્મહિતની જે પ્રેરણા ને
ઉત્સાહ આપી રહ્યા છો, મંગલ આશીષપૂર્વક આત્મસાધનાના માર્ગમાં જોડી રહ્યા છો તે
સંબંધી આપના પ્રત્યેની ભક્તિ કઈ રીતે વ્યક્ત કરું? આ આત્માના પ્રદેશોમાં
કોતરાયેલો આપનો અને સર્વે સંતોનો પવિત્ર ઉપકાર મને રત્નત્રયરૂપ બનાવો એ જ
એક બેસતા વર્ષની બોણીરૂપે મંગલ પ્રાર્થના છે.
–આપનો બાળક : હરિ.

PDF/HTML Page 4 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ કારતક
ચાર રૂપિયા
1970 NOV.
* વર્ષ ૨૮ : અંક ૧ *
* મંગલ દીવાળી...
ને અપૂર્વ બેસતું વર્ષ *

હે મોક્ષપુરીના પથિક! અપૂર્વ આત્મસ્વભાવ સાંભળીને હવે તો તું તેની ભાવના
વડે સમ્યક્ત્વાદિ ભાવો પ્રગટ કર......જેથી તારા આત્મામાં મંગલ દીવાળી પ્રગટે, અને
અપૂર્વ આનંદરૂપ નવું વર્ષ બેસે.
શિવપુરીના પંથમાં સમ્યક્ત્વાદિ ભાવની પ્રધાનતા છે; એવા શિવપુરીના માર્ગને
જાણીને, હે મોક્ષના પથિક! તું જિનભાવના વડે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવને પ્રગટ કર, એમ
ઉપદેશ કરે છે–
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण।
पंथिय सिवपुरीपंथं जिणउवइठ्ठं पयत्तेण।।६।।
‘ભાવ’ મુખ્ય છે માર્ગમાં, વણભાવ લિંગથી સાધ્ય ના;
જિનકથિત શિવપુરી પંથ આ, હે પથિક! યત્નથી જાણ તું. (૬)
આચાર્યદેવ કહે છે કે હે મોક્ષમાર્ગના પથિક! હે સાધક! મોક્ષના માર્ગમાં તું
ભાવની મુખ્યતા જાણ; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે ભાવ તેના વડે જ મોક્ષમાર્ગ
સધાય છે, માટે તેને તું પ્રથમ જાણ. આવા ભાવ વગરના લિંગથી તને શું સાધ્ય છે?
સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ વગર દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યા ને પંચમહાવ્રતાદિ
પાળ્‌યા પણ તારા હાથમાં મોક્ષમાર્ગ ન આવ્યો. માટે હે ભવ્ય! જિનવરભગવાને કહેલા
મોક્ષના માર્ગને તું પ્રયત્ન વડે જાણ. ભગવાને કહેલો શિવપુરીનો પંથ સમ્યગ્દર્શનાદિ
ભાવ વડે જ સધાય છે, ભાવ વગરના દ્રવ્યલિંગથી તે સધાતો નથી. માટે હે પથિક! જો
તું શિવપુરીના પંથને ચાહતો હો તો પ્રયત્ન

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
વડે સમ્યગ્દર્શનાદિ ભાવોને પ્રગટ કર. સમ્યગ્દર્શન વગરના નિર્ગ્રંથરૂપને તેં અનંતવાર
ગ્રહ્યાં ને છોડયા પણ તારા સંસારનો અંત ન આવ્યો;– ક્ષણે ક્ષણે તું ભાવમરણે દુઃખી છે;
માટે હવે તો તે ભાવમરણથી બચવા તું જિનભાવના ભાવ; જિનભાવના વડે
સમ્યક્ત્વાદિ પ્રગટ કર. ‘જિનભાવના’ કહેતાં પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈને
તેમાં એકાગ્રતા; તેના વડે શિવપુરીનો પંથ સધાય છે.
મોક્ષને માટે જિનભાવનાનો ઉપદેશ આપતાં આચાર્યદેવ કહે છે કે અરે–
જીવ! તારા આનંદધામને જોયા વગર, એટલે કે જિનભાવના ભાવ્યા વગર
સંસારમાં તે ઘણાં તીવ્ર દુઃખો ભોગવ્યાં. તેમાં પણ સાત નરકમાં દારુણ–ભીષણ ને
અસહ્ય દુઃખો ઘણા લાંબાકાળ સુધી તેં ભોગવ્યા. ભાઈ! હવે વિચાર તો કર કે
આવા દુઃખોથી આત્માનો છૂટકારો કેમ થાય? ‘ભાવ’ એટલે સમ્યગ્દર્શનાદિ, તેના
વગર આવા દુઃખો જીવ પામે છે; માટે હે જીવ! હવે તું જિનભાવના વડે
સમ્યગ્દર્શનાદિ ભાવને પ્રગટ કર.
જેણે આત્માનું જ્ઞાન કર્યું નથી, તેની ભાવના ભાવી નથી ને બેદરકારપણે
પાપમાં જ જીવન ગાળ્‌યું છે તે નરકમાં જાય છે. નરકમાં ઓછામાં ઓછા દસ હજાર
વર્ષથી માંડીને તેત્રીસ સાગરોપમ જેટલા અસંખ્યાત વર્ષો સુધી જીવ તીવ્ર દુઃખ પામે
છે. આનંદધામ તો પોતામાં છે–પણ એની સામે પોતે જોતા નથી. આત્માને ભૂલીને
અનંતકાળ કેવા દુઃખમાં ગુમાવ્યો, ને હવે તેનાથી છુટવા શું કરવું તેનો આ ઈતિહાસ
છે. જિનભાવના વગર દુઃખ પામ્યો, માટે હવે અત્યંત ઉદ્યમ વડે જિનવર જેવો
પોતાનો શુદ્ધ આત્મા ઓળખીને તેની ભાવના કર. આવી જિનભાવના વડે તું
જિનપદને પામીશ.
‘હે ચેતન! તું જિનપ્રતિમા થા.......જિનપ્રતિમા થા’ –એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ
કહ્યું છે તેમાં આ રહસ્ય છે. અહો, જિનભાવના એટલે વીતરાગ સ્વભાવની ભાવના
જીવે પૂર્વે એકક્ષણ પણ નથી ભાવી; મિથ્યાત્વાદિ ભાવોને જ ભાવ્યા છે, સમ્યક્ત્વાદિરૂપ
પરિણતિ કરીને તે ભાવને કદી ભાવ્યા નથી. માટે હે જીવ! હે મોક્ષનગરના પથિક! હવે
તો તું આવો અપૂર્વ આત્મસ્વભાવ સાંભળીને તેની ભાવના કર; ભાવના એટલે તેમાં
એકાગ્રતારૂપ ભાવ પ્રગટ કર જેથી તારા આત્મામાં અપૂર્વ આનંદરૂપ નવું વર્ષ બેસે, ને
અનંતકાળમાં નહિ પ્રગટેલું પરમ સુખ તને પ્રાપ્ત થાય. આનું નામ મંગલ દીવાળી ને
આ અપૂર્વ બેસતું વર્ષ.

PDF/HTML Page 6 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
આત્માનું જ્ઞાન તે વીતરાગ–વિજ્ઞાન
વીતરાગ–વિજ્ઞાન છે સુખની ખાણ
દેહથી ભિન્ન આત્મા આનંદનું ધામ છે. આવા આત્માનું જ્ઞાન કરવું તે વીતરાગ
વિજ્ઞાન છે, અને જે વીતરાગવિજ્ઞાન છે તે સુખની ખાણ છે.
શરીર સુંદર–રૂપાળું હોય કે કદરૂપું હોય, તે બંનેથી આત્મા જુદો છે. ખરેખર
તો આત્માનું ચેતન–રૂપ છે તે જ સુંદર છે; પણ પોતાના સુંદર નિજરૂપને ન દેખતાં
અજ્ઞાની શરીરની સુંદરતા વડે પોતાની શોભા માને છે, અને શરીર કદરૂપ હોય ત્યાં
પોતાને હલકો માને છે. પણ ભાઈ, કદરૂપું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં વિઘ્ન
નથી કરતું, અને સુંદર રૂપાળું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં મદદ નથી કરતું.
અનેક જીવો સુંદર રૂપવાળા હોવા છતાં પણ પાપ કરીને નરકે ગયા છે, અને કુરૂપ
શરીરવાળા પણ અનેક જીવો આત્મજ્ઞાન કરીને મોક્ષ પામ્યા છે. જોકે તીર્થંકરાદિ
ઉત્તમ પુરુષોને તો દેહ પણ લોકોત્તર હોય છે, પરંતુ તે પણ આત્માથી તો જુદો જ
છે. દેહ કાંઈ આત્માની વસ્તુ નથી. દેહથી ભિન્ન આત્માને જે ઓળખે તેણે જ
ભગવાનના સાચારૂપને ઓળખ્યું છે. દેહ છે તે કાંઈ ભગવાન નથી; ભગવાન તો
અંદરમાં જે ચૈતન્યમૂર્તિ કેવળજ્ઞાનાદિ ગુણસહિત બિરાજમાન છે–તે જ છે. દરેક
આત્મા આવો ચેતનરૂપ છે; શરીર સુરૂપ હો કે કુરૂપ, –તે તો જડનું રૂપ છે, આત્મા
તે જડ રૂપપણે કદી થયો નથી. જડ ત્રણેકાળ જડ રહે છે, ને ચેતન ત્રણેકાળ ચેતન
રહે છે; જડ અને ચેતન કદીપણ એક થતા નથી; શરીર અને જીવ સદાય જુદા જ છે.
આવા આત્માને અનુભવમાં લેતાં સમ્યક્દર્શન અને અપૂર્વ શાંતિ થાય છે. આવા
આત્માની ધર્મદ્રષ્ટિ વગર કદી દુઃખ મટે નહીં ને શાંતિ થાય નહીં.
હે જીવ! શરીરના શણગાર વડે તારી શોભા નથી, તારી શોભા તો તારા
નિજગુણ વડે છે. સમ્યગ્દર્શનાદિ અપૂર્વ રત્નોવડે જ આત્માની શોભા છે. શરીર તો
ચેતના વગરનું મૃતકકલેવર છે, –શું તેની સજાવટથી આત્મા શોભે છે? ના;
ચેતનભગવાનની શોભા જડ શરીર વડે હોય નહીં. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
રત્નત્રય વડે જ આત્મા શોભે છે. માટે દેહદ્રષ્ટિ છોડીને આત્માને ઓળખો.
આત્માની આવી ઓળખાણ તે વીતરાગવિજ્ઞાન છે, અને વીતરાગવિજ્ઞાન તે જ
સુખની ખાણ છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
મોક્ષને સાધવાની રીત
મારા સમ્યક્ત્વાદિ ભાવનું કારણ મારો આત્મા જ છે
પોતાના મોક્ષને સાધવાની રીત જાણીને મુમુક્ષુ
મહા આનંદિત થાય છે. અહા, મહાવીર ભગવાને જે
માર્ગથી મોક્ષને સાધ્યો તે જ માર્ગ ‘આજે’ મને પ્રાપ્ત
થયો...... મારા મોક્ષનું કારણ મારામાં જ છે–એમ
અંતર્મુખ અવલોકનવડે ધર્મી જીવ આનંદથી મોક્ષ
સાધે છે, તેનું આ વર્ણન છે.
(આસો વદ ચોથના પ્રવચનમાંથી : ભાવપ્રાભૃત ગાથા પ૬ થી ૬૦)
* * * * *
આત્માના શુદ્ધભાવરૂપ જે ભાવલિંગ તે મોક્ષનું કારણ છે; તે ભાવલિંગના ધારક
સાધુ કેવા હોય? તેમને આત્માનો અનુભવ કેવો હોય? તેની આ વાત છે. પ્રથમ તો
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને જેમણે દેહનું મમત્વ છોડી દીધું છે, અને
અંતરમાં ક્રોધ–માનાદિ કષાયો છોડીને આત્માના સ્વરૂપમાં જે એકાગ્ર છે તે ભાવલિંગી
સાધુ છે. આ રીતે મોહાદિ રહિત આત્માના શુદ્ધપરિણામ, સ્વાભાવિક જ્ઞાનચેતનારૂપ
ભાવ, તે મોક્ષનું સાધન છે.
સર્વત્ર મમત્વને છોડીને નિર્મોહ થઈને ધર્મીજીવ પોતાના આત્માનું જ અવલંબન
લ્યે છે.–
પરિવર્જું છું હું મમત્વને, નિર્મમપણે સ્થિત હું રહું,
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વે પરિહરું.
(ભાવપાહુડ ગાથા ૫૭; નિયમસાર ગાથા.૯૯)
આ રીતે પોતાના આત્માના જ અવલંબને જે નિર્મોહરૂપ સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ
પ્રગટે તે મુનિનું ભાવલિંગ છે. આવા શુદ્ધસ્વભાવ વગર સાધુપણું હોતું નથી.
શુદ્ધભાવમાં પોતાના આત્મા સિવાય કોઈ બીજાનું અવલંબન નથી.

PDF/HTML Page 8 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
આત્માના અવલંબને પ્રગટેલા જે જ્ઞાન–દર્શન–ચારિત્ર વગેરે શુદ્ધભાવ, તેમાં
આત્મા જ છે; એટલે તે શુદ્ધભાવથી અભેદપણે પોતાને ધર્મીજીવ અનુભવે છે.–
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्तेय।
आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।।५८।।
(આવી જ ગાથા નિયમસારમાં ૧૦૦ મી, તથા સમયસારમાં ૨૭૭ મી છે.)
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન–ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર–યોગમાં પણ આતમા.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો, કે પ્રત્યાખ્યાન–સંવર વગેરે શુદ્ધભાવનો આશ્રય
મારો આત્મા જ છે; તેમાં આત્મા સિવાય બીજું કોઈ કારણ નથી; દેહના આધારે કે
શાસ્ત્રની વાણીના આધારે, કે વિકલ્પોના આધારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવો થતા નથી.
ચેતનામય જે શુદ્ધ સહજ ભાવો છે તેનો હેતુ પોતાનો આત્મા જ છે. અને તે નિર્મળ
ભાવોમાં ચેતનમય આત્મા જ પ્રસરેલો છે, તેમાં રાગ નથી, તેમાં પરચીજ નથી, એટલે
બીજું કોઈ તેનું કારણ નથી.
–આવા આત્માનો અનુભવ જેને હોય તેને જ ભાવલિંગ પ્રગટે ને તેને જ
સાધુપણું હોય. સમ્યક્ત્વાદિ જે શુદ્ધભાવો છે તે બધાય અભેદપણે આત્મા જ છે; આત્મા
સિવાય બીજા કોઈ રાગાદિ ભાવો સાથે તેને એકતા નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં
રાગ નથી, રાગ તો તેનાથી દૂર છે, ને આત્મા તેમાં નજીક છે; આત્મા નજીક છે એટલે
આત્મામાં એકાગ્રતાથી તે ભાવો પ્રગટ્યા છે, ને આ જ મોક્ષનું કારણ છે.
મોક્ષનું કારણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે; ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું
કારણ પોતાનો શુદ્ધ આત્મા જ છે; શુદ્ધઆત્માના જ અવલંબને શુદ્ધભાવરૂપ પરિણમન
થાય છે. આ રીતે પોતાની નિર્મળપર્યાયનું કારણ અભેદપણે પોતાનું દ્રવ્ય જ છે. બીજા
સાથે તેને જરાય સંબંધ નથી. માટે ધર્મી કહે છે કે પરનું અવલંબન તો હું સર્વથા છોડું છું
ને મારા આત્માનું અવલંબન કરું છું.
પરદ્રવ્યના અવલંબને તો રાગાદિભાવ જ થાય છે. પોતાના આત્મા સિવાયનું જે
કોઈ પરદ્રવ્ય હોય તેના અવલંબને રાગાદિ અશુદ્ધભાવ જ થાય છે, તેથી તે શુદ્ધતાનું
કારણ નથી. પરદ્રવ્યના આશ્રયે તો સંસાર છે, ને સ્વદ્રવ્યના જ આશ્રયે મુક્તિ છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
અરે જીવ! પહેલાંં આવા આત્માને ઓળખ તો ખરો, આવા માર્ગને ઓળખ તો
ખરો. પોતાનું કલ્યાણ કયા પ્રકારે થાય છે? પોતાના કલ્યાણનું કારણ કોણ છે? તેને
ઓળખ્યા વગર જીવ પોતાનું કલ્યાણ કઈ રીતે સાધશે? આત્માના જ્ઞાન–આનંદમય
નિર્મળ ભાવ આત્માના જ આશ્રયે થાય છે, તે કાંઈ આત્માથી જુદાં નથી, કે કોઈ જુદા
પદાર્થના આધારે તે થતા નથી. પર્યાયને અંતર્મુખ કરીને અનુભવ કર્યો તે અભેદ
અનુભવમાં ‘આ દ્રવ્યને આ પર્યાય’ એવો ભેદ નથી, વિકલ્પ નથી. જ્ઞાન–આનંદ
વગેરેનો અભેદ અનુભવ છે; આવા અનુભવમાં શાસ્ત્રના ભણતરનુંય આલંબન નથી.
અનુભવમાં એક પરમભાવરૂપ આત્મા જ પ્રકાશે છે; અને આવા અનુભવથી જ સિદ્ધિ
છે. –આવો અનુભવ થતાં ભાવલિંગ પ્રગટે છે ને તેને જ મુનિદશા થાય છે. આવી
ભાવશુદ્ધિ વગર મુનિદશા કે મુક્તિ નથી. વિકલ્પ વગરનો જે નિર્વિકલ્પ અભેદ અનુભવ
તેના વડે સમ્યગ્દર્શનની, જ્ઞાનની, ચારિત્રની સિદ્ધિ થાય છે–આમ જાણવું.
વળી એ જ વાત વધુ દ્રઢ કરે છે–
एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो।
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।५९।।
નિયમસારમાં પણ આ ગાથા (૧૦૨મી) છે–
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે,
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
આવા આત્મારૂપે ધર્મી પોતાને અનુભવે છે. જ્ઞાનદર્શનલક્ષણ સિવાય બીજા જે કોઈ
સંયોગાશ્રિત રાગાદિભાવો છે તે મારાથી બહાર છે, મારામાં તે નથી, ને તેનામાં હું નથી; હું
તો તેનાથી જુદો જ્ઞાનદર્શનમય છું; મારું જ્ઞાનદર્શનલક્ષણ શાશ્વત છે; ને રાગ–દ્વેષાદિ તો
ક્ષણિકભાવો છે, તે કાંઈ મારા શાશ્વત આત્મામાંથી ઉત્પન્ન થયેલા નથી, તે તો સંયોગાશ્રિત
ભાવો છે. મારો સ્વભાવ તો એક છે, ને રાગાદિભાવો તો અનેક પ્રકારનાં ક્ષણિક છે. આમ
ભેદજ્ઞાન કરીને પોતાના આત્માને અનુભવમાં લે. હે ભાઈ! આ જન્મ–મરણનાં દુઃખડા
ટાળવા માટે તું આવા આત્માને જાણ, ને તેની ભાવના વડે તેમાં જ એકાગ્ર થા.–
ચાર ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની–ક્ષીર.
(યોગસાર)

PDF/HTML Page 10 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
પોતાના સ્વભાવની એકત્વભાવનારૂપે પરિણમેલા જ્ઞાની ધર્માત્મા એમ અનુભવે
છે કે હું તો મારા એકત્વ સ્વરૂપમાં જ છું; સઘળાય પરભાવો મારાથી બાહ્ય છે.
ચૈતન્યચિંતામણિ એવો હું પોતે મારા અનંત દિવ્ય જ્ઞાન–આનંદથી સમૃદ્ધ છું; પછી અનેક
પ્રકારનાં બાહ્ય ભાવોનું મારે શું કામ છે?
–આવા આત્માના અનુભવરૂપ શુદ્ધભાવ વડે ભગવાને મોક્ષને સાધ્યો, ને ધર્મી
જીવો પણ આત્માના એવા જ અનુભવ વડે તે જ માર્ગે મોક્ષને સાધે છે. મોક્ષને
સાધવાની આ રીત જાણીને મુમુક્ષુ મહા આનંદિત થાય છે. વાહ! જે માર્ગે ભગવાન
મોક્ષ પધાર્યા તે જ માર્ગ મને પ્રાપ્ત થયો.
શ્રમણો જિનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.
* * * * *
સાધક પોતાના સિદ્ધપદને
કઈ રીતે સાધે છે?
જેણે આત્મા સાધવો હોય તેણે તે કેવી રીતે સાધવો? તે વાત છે.
જડ દેહાદિથી આત્મા જુદો છે, ને પોતાના જ્ઞાનાદિ સ્વભાવોથી અભિન્ન છે.
જ્ઞાન વગરનો કોઈ જીવ હોતો નથી; અને જીવ સિવાય બીજામાં ક્્યાંય
જ્ઞાન હોતું નથી. –આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરીને પર દ્રવ્યથી
અત્યંત ભિન્નપણે તેને સાધવો.
દેહની ચીજમાં આત્મા નથી, ને આત્મામાં દેહ નથી. જ્ઞાનમાં
આત્મા છે ને આત્મામાં જ્ઞાન છે. દેહ તો દૂર રહ્યો, વિકલ્પ ઊઠે તે પણ
આત્માની ચીજ નથી. વિકલ્પમાં એકતા કરતાં આત્મા અનુભવમાં નહીં
આવે. વિભ્રમથી જ વિકલ્પો પોતાના સ્વરૂપે ભાસે છે. પણ જ્ઞાન કદી પણ
વિકલ્પરૂપ થતું નથી. આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે.
આ રીતે ભેદજ્ઞાન વડે પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ
કરીને ધર્મી જીવ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણમાવે છે. રાગને પોતામાં
તન્મય નથી કરતો, તેનાથી તો જુદો પડીને આત્મસ્વભાવમાં તન્મયતા વડે
મોક્ષમાર્ગ પ્રગટ કરે છે; આ રીતે સાધક પોતાના સિદ્ધપદને સાધે છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
અચિંત્ય શક્તિવાળો સર્વજ્ઞસ્વભાવી દેવ
આત્મા અચિંત્ય શક્તિવાળો સર્વજ્ઞસ્વભાવી દેવ છે. તેની આરાધના
વડે સમ્યક્ત્વથી માંડીને સિદ્ધપદ સુધીનાં સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
(સમયસાર કળશ ૧૪૪ના પ્રવચનમાંથી)
અનંત સિદ્ધ ભગવંતો સર્વજ્ઞપણે બિરાજે છે. લાખો અરિહંત ભગવંતો સર્વજ્ઞપણે
બિરાજે છે. કરોડો જીવો મુનિદશામાં સર્વજ્ઞપદને સાધી રહ્યા છે. અસંખ્ય જીવો
પંચમગુણસ્થાને સર્વજ્ઞપદને સાધી રહ્યા છે. અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો સર્વજ્ઞપદને સાધી
રહ્યા છે. ને શક્તિપણે અનંતાનંત જીવોમાં સર્વજ્ઞતા ભરેલી છે. સર્વજ્ઞસ્વભાવી આવો
આત્મા અચિંત્ય શક્તિવાળો દેવ હું પોતે છું–એમ જેણે સ્વ વસ્તુનો પરિગ્રહ કર્યો (શ્રદ્ધા
જ્ઞાનમાં તેની પક્કડ કરી) તેને રાગનો પરિગ્રહ ન રહ્યો, ‘રાગ હું’ એવી પક્કડ ન રહી.
અહા, હું જ સર્વજ્ઞસ્વભાવી, અચિંત્ય શક્તિવાળો દેવ, પછી પરભાવના બીજા પરિગ્રહનું
શું કામ છે? –કેમકે સર્વજ્ઞતામાં જ સર્વ અર્થની સિદ્ધિ છે.–સર્વજ્ઞતા થઈ ત્યાં
આત્મસ્વરૂપનાં સર્વકાર્ય સિદ્ધ થઈ ગયા, જ્ઞાન પૂરું થયું, આનંદ પૂરો થયો, સર્વે ગુણો
પૂરા થયા, પછી હવે બીજું કોઈ પ્રયોજન બાકી નથી રહ્યું. પૂર્ણ અતીન્દ્રિય સુખસહિત
સર્વજ્ઞતા જ્યાં સિદ્ધ થઈ પછી બીજા પદાર્થના સંગ્રહને તે શું કરે? માટે સર્વજ્ઞસ્વરૂપને
અનુભવનાર જ્ઞાનીને અન્ય કોઈ પરવસ્તુનો પરિગ્રહ નથી. જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનપદના
ચિન્તનથી–અનુભવનથી જ્યાં પરમ સુખરૂપ કાર્યસિદ્ધિ થાય છે ત્યાં, શુદ્ધ સ્વરૂપના
અનુભવથી બાહ્ય એવા રાગાદિ વિકલ્પોનું શું કામ છે? શુદ્ધ ચૈતન્યપદનો જ્યાં અનુભવ
છે ત્યાં અન્ય પદાર્થનું સ્મરણ કોણ કરે? અહા! પોતામાં શુદ્ધ જીવવસ્તુ જ્ઞાનમાત્ર
અનુભવ ચિંતામણિ–રત્ન છે, એ અનુભવ–ચિંતામણિરત્ન વડે પરમાત્મપદ ને અતીન્દ્રિય
સુખ પ્રાપ્ત થાય છે, –પછી ત્યાં શુભ–અશુભ વિકલ્પોના સંગ્રહનું શું પ્રયોજન છે?
એનાથી તો કોઈ કાર્યસિદ્ધિ થતી નથી. સર્વજ્ઞભાવથી ભરેલો અચિંત્ય મહિમાવાળો
આત્મા પોતે પરમ પૂજ્ય દેવ છે, એ દેવ જેને પ્રસન્ન થયા તે પછી બીજાને કેમ સેવે?
ભગવાન જેને ભેટયા તે ભીખારીને કેમ સેવે?
જુઓ, આ સર્વજ્ઞનો ધર્મ!! આત્માની સર્વજ્ઞતા બતાવે એવો આ સર્વજ્ઞનો ધર્મ
છે.....તેને ઉત્સાહથી આરાધો......
(અનુસંધાન માટે જુઓ પાનું ૨૬)

PDF/HTML Page 12 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
તું સ્થાપ નિજને મોક્ષપંથે
(સમયસાર ગા. ૪૧૨)
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ તે મોક્ષમાર્ગ છે; તેમાં આત્માને સ્થાપ!
અનાદિથી પરભાવમાં એકત્વબુદ્ધિ કરીને તેમાં આત્માને સ્થાપ્યો હતો, તેને બદલે હવે
તેમાંથી પાછો વાળીને સ્વદ્રવ્યની સન્મુખતાથી પ્રગટેલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં
તારા આત્માને સ્થાપ! તેમાં તન્મય થઈને પરિણમ. –તે પરમાર્થ મોક્ષમાર્ગ છે.
બીજી ગાથામાં કહ્યું હતું કે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં સ્થિત જીવ સ્વસમય છે.
અહીં હવે શાસ્ત્ર પૂરું કરતાં ૪૧૨ મી ગાથામાં કહે છે કે હે ભવ્ય! તારા આત્માને
દર્શન–જ્ઞાન–ચારિત્રમાં નિશ્ચળપણે સ્થાપ, નિરંતર સ્થાપ. એકાગ્ર થઈને દર્શન–જ્ઞાન–
ચારિત્રને જ ધ્યાવ; જ્ઞાનચેતનામય થઈને તેનો જ અનુભવ કર. નિર્મળપર્યાયને
ધ્યાવવાનું–અનુભવવાનું કહ્યું તેનો અર્થ, તે પર્યાયમાં અભેદ થઈને પરિણમેલા શુદ્ધ
આત્માને જ ધ્યાવ–અનુભવ, તેમાં સ્થિર થા! ત્યાં આનંદ છે......ત્યાં જ વિશ્રાંતિ–પરમ
શાંતિ છે. –આવો જ મોક્ષમાર્ગ અરિહંતોએ ઉપદેશ્યો છે.
શુદ્ધઆત્માના આશ્રયે થયેલા જે નિશ્ચય દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે જ એક
નિયમરૂપ મોક્ષમાર્ગ છે. આવા મોક્ષમાર્ગમાં જે પુરુષો સ્થિત થાય છે તેઓ શીઘ્ર
સમયના સારને પામે છે. ભાઈ, આ મોક્ષના મારગમાં આવવાની વાત છે.
જ્યાં આત્મા છે ત્યાં તું શોધ; જ્યાં આત્મા નથી તેના મમકાર વડે આત્મા નહીં
મળે, દ્રવ્યલિંગમાં કે રાગમાં ભગવાન આત્મા નથી, તેથી જેઓ દ્રવ્યલિંગને કે રાગને
પોતાપણે અનુભવે છે તેઓ શુદ્ધઆત્માને દેખતા નથી, અનુભવતા નથી. એટલે
મોક્ષમાર્ગને પામતા નથી. તેઓ તો રાગને જ અનુભવતા થકા અશુદ્ધ આત્માને દેખે
છે.
કોઈ કહે કે સમ્યગ્દર્શન સહિતનો શુભરાગ–વ્યવહાર તે મોક્ષનું કારણ થાય. –
તો તેમ પણ નથી. જેને સમ્યગ્દર્શન થયું ને શુદ્ધઆત્મા અનુભવમાં આવ્યો તે તો
રાગથી આત્માને જુદો જાણે છે. જેને જુદો જાણ્યો તે મોક્ષનું કારણ કેમ થાય?
શુદ્ધઆત્માના અનુભવથી મોક્ષ થાય છે, ને તે અનુભવમાં રાગનો અભાવ છે. માટે કહે
છે કે હે જીવ! રાગ વગરના નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે પરમાર્થ મોક્ષમાર્ગ
તેમાં તું તારા આત્માને સ્થાપિત કર.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
જિનભાવના
(ભાવપ્રવચન)
* * * * *
આ ભાવપ્રાભૃતમાં આચાર્યદેવ વારંવાર કહે છે
કે હે જીવ! તું ‘જિનભાવના’ ભાવ! જિનભાવના
એટલે શુદ્ધઆત્માની ભાવના; આત્માના સ્વભાવની
સન્મુખ થઈને તેની ભાવના કરવી તેનું નામ
જિનભાવના છે, આવી જિનભાવના વડે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. માટે હે જીવો! પૂર્વે નહિ
ભાવેલી એવી અપૂર્વ જિનભાવનાને તમે ભાવો.
જિનભાવના વગર જીવ ચાર ગતિનાં ભીષણ દુઃખ
પામ્યો, માટે હવે તેનાથી છૂટવા ને મોક્ષસુખ પામવા
તમે જિનભાવના ભાવો.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલા અષ્ટપ્રાભૃતમાં આ પાંચમું ભાવપ્રાભૃત
છે; તેમાં ભાવશુદ્ધિનો ઉપદેશ છે. ભાવશુદ્ધિ એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
શુદ્ધભાવ. વીતરાગી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આવો શુદ્ધભાવ આત્માના
આશ્રયે જ પ્રગટે છે. આવા શુદ્ધભાવવડે જે પરમાત્મા થયા તે અરિહંતાદિ
પરમાત્માને નમસ્કાર કરું છું. તે પરમાત્મા આવા શુદ્ધભાવરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનો ઉપદેશ દેનારા છે ને તેવા શુદ્ધભાવના કરનાર છે. તેમણે પોતાના
આત્મામાં એવો શુદ્ધભાવ કર્યો છે ને બીજા જીવોને પણ તેવો શુદ્ધભાવ કરવામાં
નિમિત્ત છે. શુદ્ધભાવ એટલે વીતરાગભાવ અથવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
ભાવ; તે પોતાના સ્વભાવના આશ્રયે જ પ્રગટે છે; તેથી આત્માને જાણ્યા વગર
શુદ્ધભાવ પ્રગટે નહીં. આવા આત્માની ઓળખાણ કરીને શુદ્ધભાવ પ્રગટ કરવામાં
અરિહંતપરમાત્મા વગેરે પંચપરમેષ્ઠી નિમિત્ત છે, તેથી મંગલાચરણમાં તેમને
નમસ્કાર કરીને આ ભાવપ્રાભૃત શરૂ થાય છે.–

PDF/HTML Page 14 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
ગાથા : ૧
(પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર)



णमिऊण जिणवरिंदे णरसुरभवणिंदवंदिए सिद्धे।
वोच्छामि भावपाहुडम् अवसेसे संजदे सिरसा।।१।।
નિર–ઈન્દ્રથી વંદિત અહો! અરિહંતને વળી સિદ્ધને
શિરસા નમી, કહું ભાવપ્રાભૃત; વંદું સંયત સર્વને. (૧)
નરેન્દ્ર સુરેન્દ્ર અને ભવનેન્દ્રથી વંદિત એવા જિનવરેન્દ્રોને, સિદ્ધોને તથા બાકીના
આચાર્યદેવ ભાવપ્રાભૃતના મંગલમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે; તેમને
ભાવશુદ્ધિ પ્રગટી છે; ભાવશુદ્ધી અર્થાત્ શુદ્ધભાવ તેને લીધે જ તેઓ મહિમાવંત છે.
શુદ્ધભાવ જ સંવર–નિર્જરા–મોક્ષનું કારણ છે. શુભરાગથી પુણ્ય છે, તે તો પાપની જેમ
ભાવબંધ છે, તે કાંઈ નિર્જરાનું કારણ નથી. નિર્જરાનું કારણ તો શુદ્ધભાવ છે.
શુદ્ધઆત્માની દ્રષ્ટિથી થયેલો જે રાગ–દ્વેષ વગરનો શુદ્ધભાવ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે જ નિર્જરાનું ને મોક્ષનું કારણ છે. ૧૪૮ પ્રકૃતિમાંથી તીર્થંકરાદિ કોઈ પણ
કર્મપ્રકૃતિ જે ભાવથી બંધાય તે અશુદ્ધભાવ સંસારનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
તીર્થંકરને કેવળજ્ઞાન થયું તે શુદ્ધ ભાવથી જ થયું છે, તે કાંઈ રાગથી કે તીર્થંકરપ્રકૃતિથી
થયું નથી. શુદ્ધઆત્માના અનુભવમાં લીનતારૂપ શુદ્ધભાવ, તેનું ફળ કેવળજ્ઞાન છે. વચ્ચે
રાગ આવ્યો ને તીર્થંકર પ્રકૃતિ બંધાણી તેનું ફળ

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
પ્રશ્ન:– જેને તીર્થંકરપ્રકૃતિ બંધાણી તે તો નિયમથી કેવળજ્ઞાન પામશે?
ઉત્તર:– તે કેવળજ્ઞાન પામશે એ ખરું– પણ કોના કારણે પામશે! જે ભાવથી
રાગાદિ અશુદ્ધભાવને જ અજ્ઞાની ઓળખે છે, ને તેને જ તે ધર્મ માને છે,
પણ આત્માના આશ્રયે થતો જે રાગ વગરનો શુદ્ધભાવ છે (–સમ્યગ્દર્શન પણ રાગ
વગરનો શુદ્ધભાવ છે) તે ધર્મ છે ને તે મોક્ષનું કારણ છે, તેને અજ્ઞાની ઓળખતો
નથી. વીતરાગી શુદ્ધભાવને લીધે જ પંચપરમેષ્ઠીનું પૂજ્યપણું છે, રાગને લીધે કે
સંયોગને લીધે પૂજ્યપણું નથી. આવા વીતરાગભાવની ઓળખાણ વડે જ
અરિહંતાદિની સાચી ઓળખાણ થાય છે. મોક્ષમાર્ગપ્રકાશકના મંગલાચરણમાં પં.
ટોડરમલજી લખે છે કે–
મંગલમય મંગલકરણ વીતરાગ–વિજ્ઞાન;
નમું તેહ, જેથી થયા અરિહંતાદિ મહાન.
આ વીતરાગવિજ્ઞાન કહો કે શુદ્ધભાવ કહો, તેના વડે જ જીવો પંચપરમેષ્ઠી થાય
અરિહંત–સિદ્ધ આચાર્ય–ઉપાધ્યાય–સાધુ એ પાંચે પરમેષ્ઠીને શુદ્ધભાવના
માહાત્મ્ય વડે પૂજ્યપણું થયું છે; તેમાં અરિહંત અને સિદ્ધભગવાનને તો પૂર્ણ શુદ્ધભાવ
થઈ ગયો છે, ને આચાર્ય–ઉપાધ્યાય સાધુને એકદેશ શુદ્ધભાવ થયો છે. ચોથા
ગુણસ્થાનથી સમ્યગ્દ્રષ્ટિને પણ શુદ્ધભાવ શરૂ થઈ ગયો.

PDF/HTML Page 16 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
છે, તે શુદ્ધભાવરૂપ સાધનવડે સિદ્ધપદને સાધે છે. રાગના સાધનવડે સિદ્ધપદ સધાતું
નથી. જે રાગને સિદ્ધપદનું સાધન માને તેને રાગ વગરના શુદ્ધભાવની ખબર પણ
નથી, અને શુદ્ધભાવવાળા પંચપરમેષ્ઠીને પણ તે ઓળખતો નથી; તે તો સંસારના
સાધનને જ મોક્ષનું સાધન માની રહ્યો છે. મુનિ વગેરેને રત્નત્રયની સાથે વ્રતાદિનો
જે શુભરાગ છે તે રાગવડે કાંઈ તેઓ મોક્ષને નથી સાધતા, પણ રત્નત્રયરૂપ જે
શુદ્ધતાના અંશો છે તેના વડે જ પૂર્ણ શુદ્ધતાને તેઓ સાધે છે. એ જ રીતે ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શનાદિ જેટલી ભાવશુદ્ધિ છે તેના વડે તે પૂર્ણશુદ્ધતારૂપ મોક્ષને
સાધે છે, પણ જે રાગ છે તેને મોક્ષનું સાધન માનતા નથી. શુદ્ધતાનું સાધન તો
શુદ્ધતારૂપ જ હોય, રાગરૂપ ન હોય.
મુનિ વગેરે ગુરુઓ વીતરાગતાને સાધે છે ને વીતરાગતાનો જ વારંવાર ઉપદેશ
આપે છે; પોતે જે સાધે છે તેનો જ ઉપદેશ આપે છે, અને તેઓ જ ગુરુપદે શોભે છે.
રાગની પુષ્ટિનો જે ઉપદેશ આપે તે ગુરુપદે શોભતા નથી, તે તો કુગુરુ છે.
વીતરાગતાના સાધક ગુરુ તો વારંવાર એવો ઉપદેશ આપે છે કે તારો સ્વભાવ
વીતરાગી છે, વીતરાગભાવ જ ધર્મ છે, વીતરાગભાવ જ મોક્ષનું સાધન છે,
વીતરાગભાવમાં જ સુખ છે, શુદ્ધઆત્માના આશ્રયે વીતરાગભાવ જ કર્તવ્ય છે; –એમ
વારંવાર વીતરાગતાનો પોષક ઉપદેશ આપે છે. રાગથી ધર્મ થશે એમ તેઓ કહેતા નથી.
બધા જૈનશાસ્ત્રોનો સાર વીતરાગભાવ જ છે અને તે વીતરાગતા શુદ્ધઆત્મસ્વભાવના
અનુભવથી થાય છે. આત્માની સન્મુખ થઈને શુદ્ધભાવ પ્રગટ કરવો તે જ ધર્મની
શરૂઆત છે, તે જ મોક્ષનો માર્ગ છે ને તેમાં જ સંવર–નિર્જરા છે. આવા શુદ્ધભાવને
પામેલા ને તેનો ઉપદેશ દેનારા એવા પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને
ભાવપ્રાભૃતનું મંગલાચરણ કર્યું છે.
આ ભાવપ્રાભૃતમાં આચાર્યદેવ વારંવાર કહે છે કે હે જીવ! તું ‘જિનભાવના’
ભાવ! જિનભાવના એટલે શુદ્ધઆત્માની ભાવના; આત્માના સ્વભાવની સન્મુખ થઈને
તેની ભાવના કરવી તેનું નામ જિનભાવના છે, આવી જિનભાવના વડે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. માટે હે જીવો! પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ જિનભાવનાને
તમે ભાવો જિનભાવના વગર જીવ ચાર

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
જિનભાવના એટલે સમ્યગ્દર્શન; સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ હોય ત્યાં જ સાચી
મુનિદશા પ્રગટે છે, માટે સમ્યક્ત્વાદિરૂપ ભાવશુદ્ધિની મુખ્યતા છે–એ વાત બીજી
ગાથામાં સમજાવે છે.
ગાથા : ૨
(ભાવલિંગની પ્રધાનતા)
પ્રથમ તો સમ્યગ્દર્શનરૂપ જે ભાવ છે તે મુખ્ય છે, તેના વગરનું દ્રવ્યલિંગ કાંઈ
પરમાર્થરૂપ નથી. સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ હોય ત્યાં દ્રવ્યલિંગ–મહાવ્રતાદિ હોય છે, તેમાં
પણ તે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ જ પરમાર્થ છે: માટે હે જીવ!
ભાવશુદ્ધિને જ તું પરમાર્થ મોક્ષકારણ જાણ–એમ કહે છે–
भावो हि पढमलिंगं ण दव्वलिंगं न जाण परमत्थं।
भावो कारणभूदो गुणदोसाणां जिणा विंति।।२।।
છે ભાવલિંગ જ મુખ્ય, પણ નહીં દ્રવ્યલિંગ પરમાર્થ છે;
ગુણદોષનું કારણ કહે ભગવંત જીવના ભાવને. (૨)
ભાવલિંગ જ મુખ્ય છે, તેને પરમાર્થરૂપ જાણ; દ્રવ્યલિંગને પરમાર્થ ન જાણ.
મોક્ષનું કારણ સમ્યગ્દર્શનાદિ ભાવ છે. મોક્ષના સાધક મુનિવરોને ભાવલિંગ
અને દ્રવ્યલિંગ બંને હોય છે, પણ તેમાં મોક્ષનું કારણ તો ભાવલિંગ છે તેથી તે જ
પરમાર્થ છે. ત્યાં દ્રવ્યલિંગ હોય છે ખરૂં પણ તે મોક્ષનું ખરૂં કારણ નથી એટલે તે
પરમાર્થ નથી. પરમાર્થરૂપ હોવાથી ભાવલિંગને મુખ્ય કહ્યું એટલે કે ‘પ્રથમ’ કહ્યું. પહેલાંં
ભાવલિંગ પ્રગટે ને પછી દ્રવ્યલિંગ થાય–એમ ‘પ્રથમ’ નો અર્થ નથી; પણ ભાવલિંગ
મુખ્ય છે–એવા અર્થમાં તેને ‘પ્રથમ’ કહ્યું છે. અથવા મુનિ થનારને પહેલાંં
સમ્યગ્દર્શનરૂપી શુદ્ધભાવ હોય છે. તે જીવ પહેલાંં તો વૈરાગ્યથી ગુરુ પાસે જઈને
દ્રવ્યલિંગ

PDF/HTML Page 18 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
ધારણ કરે છે, અને પછી અંતરના ધ્યાનવડે શુદ્ધોપયોગ થતાં ભાવલિંગ પ્રગટે છે, ત્યારે
સાચું મુનિપણું થાય છે.
દ્રવ્યલિંગ બે પ્રકારે–
(૧) એક તો જેને સમ્યગ્દર્શનાદિ નથી ને બહારમાં પંચમહાવ્રતના પાલન સહિત
નગ્નદિગંબર દ્રવ્યલિંગ ધારણ કર્યું છે, તો તે મિથ્યાત્વસહિત દ્રવ્યલિંગી છે;
તે નવમી ગ્રૈવેયક સુધી જાય, પણ તેને ભવકટ્ટી ન થાય, –માટે દ્રવ્યલિંગ
પરમાર્થ નથી, તે મોક્ષનું કારણ નથી. દ્રવ્યલિંગથી તેને ધર્મનો કાંઈ લાભ
નથી.
(૨) બીજું–જે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, આત્માનું ભાન છે, અને વૈરાગ્યપૂર્વક
મુનિદશાની ભાવનાથી દ્રવ્યલિંગને ધારણ કરે છે; દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી
અંદર મુનિદશાને યોગ્ય શુદ્ધતા ન થઈ, સાતમું ગુણસ્થાન ન પ્રગટ્યું, –તો તે
સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ દ્રવ્યલિંગી છે. તેને સમ્યગ્દર્શનના પ્રતાપે ભવકટ્ટી તો
થઈ ગઈ છે, પણ મુનિદશા હજી થઈ નથી. દ્રવ્યલિંગ હોવા છતાં તેને
ભાવલિંગ ન થયું, માટે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, તે મોક્ષનું કારણ નથી.
દ્રવ્યલિંગને કારણે તેને ભવકટ્ટી નથી થઈ પણ સમ્યગ્દર્શનરૂપ ભાવશુદ્ધિને
કારણે જ ભવકટ્ટી થઈ છે.
(દ્રવ્યલિંગ ધારણ કરે એટલે ભાવલિંગ પ્રગટે જ–એવો કાંઈ નિયમ નથી; પણ
જ્યાં ભાવલિંગ પ્રગટે ત્યાં દ્રવ્યલિંગ હોય જ–એવો નિયમ છે.)
(૩) ત્રીજા પ્રકારમાં, ભાવલિંગ સહિત દ્રવ્યલિંગવાળા મુનિ છે. મુનિ થનાર તે જીવને
આત્માનું જ્ઞાન તો પહેલાંં હતું ને પછી પરિણામની ઉગ્રતા દેખીને મુનિદશાની
ભાવનાથી પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કર્યું; પછી અંદરમાં શુદ્ધોપયોગના પ્રયોગથી
નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટયું, એટલે ભાવલિંગ થયું, સાચી
મુનિદશા થઈ. હવે તેને પણ જે દ્રવ્યલિંગ છે તે કાંઈ મોક્ષનું કારણ નથી એટલે તે
પરમાર્થ નથી, જે ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ છે તે જ પરમાર્થ છે, તે જ મોક્ષનું
કારણ છે.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
ભાવલિંગવાળા મુનિને દ્રવ્યલિંગ નગ્નદિગંબરરૂપ જ હોય છે. વસ્ત્રાદિ સહિત
દશા હોય ને મુનિદશા થઈ જાય એમ બનતું નથી. પહેલાંં અંદરમાં સાતમું
ગુણસ્થાન પ્રગટી જાય ને પછી વસ્ત્રાદિ છોડીને મુનિ થાય–એમ નથી. વસ્ત્રાદિ
સહિત દશામાં જ્ઞાનીને આત્માનો અનુભવ હોય. સમ્યગ્દર્શન હોય, પણ મુનિદશા ન
હોય. પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કરીને અંતરના પ્રયોગપૂર્વક ભાવલિંગ પ્રગટ કરે છે.
ભાવશુદ્ધિ સહિતના દ્રવ્યલિંગમાં પણ તે દ્રવ્યલિંગ કાંઈ પરમાર્થ નથી, તે જીવનું
સ્વરૂપ નથી. શુદ્ધભાવ જ પરમાર્થ છે, તે જીવનું સ્વરૂપ છે. મુનિને સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય છે ખરૂં; ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ
ગમે તેવું વિપરીત હોય–એમ ન બને. દ્રવ્યલિંગ યોગ્ય જ હોય છે, પણ મહત્તા
ભાવલિંગની છે–એમ બતાવવું છે. મોક્ષનું કારણ ભાવલિંગ છે; દ્રવ્યલિંગ નહીં.
દ્રવ્યલિંગ તો પરદ્રવ્ય–આશ્રિત છે, તેનું તો મમત્વ છોડીને અરિહંતો મુક્તિ પામ્યા
છે. સમયસાર ગા. ૪૦૯–૪૦૧ માં કહે છે કે –અજ્ઞાની લોકો દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ
માનીને તેનું મમત્વ કરે છે, પણ બધાય અરિહંત ભગવંતોએ તો શરીરાશ્રિત એવા
દ્રવ્યલિંગનું મમત્વ છોડ્યું, ને શુદ્ધજ્ઞાનમય થઈને, આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર
વડે મોક્ષની ઉપાસના કરી. જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવો
તેનું મમત્વ છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રને શા માટે સેવત? માટે જિનભગવંતો એમ
કહે છે કે દ્રવ્યલિંગ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તેમજ તેના આશ્રયે મોક્ષમાર્ગ
પ્રગટતો નથી, તે તો શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે, તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. માટે હે જીવ! તું સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ પરમાર્થમોક્ષમાર્ગમાં તારા આત્માને જોડ. મોક્ષાર્થી જીવોએ આવો
એક જ મોક્ષમાર્ગ સદા સેવવાયોગ્ય છે.
અહીં કહ્યું કે હે જીવ! તું ભાવને મુખ્ય જાણ, તેને જ પરમાર્થ જાણતો
‘ભાવ’ એટલે શું? તે કહે છે. સામાન્યપણે તો વસ્તુના પરિણામને ‘ભાવ’ કહેવાય
છે, દરેક વસ્તુમાં પોતાનો ભાવ હોય છે. પણ અહીં મોક્ષમાર્ગમાં ‘ભાવ’ એટલે
જીવના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સ્વભાવભાવની મુખ્યતા છે, તે જ મોક્ષનું
પરમાર્થ કારણ છે. આવી ભાવશુદ્ધિ વગરનું બધુંય

PDF/HTML Page 20 of 45
single page version

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
આ જગતમાં જીવ–પુદ્ગલ–ધર્માસ્તિ–અધર્માસ્તિ–આકાશ–કાળ એ છ દ્રવ્યો
છે; તેમાંથી જીવ–પુદ્ગલના પરિણામ પ્રગટ લક્ષમાં આવે છે. જીવ તો ચેતનાસ્વરૂપ
છે અને પુદ્ગલ સ્પર્શાદિરૂપ જડ છે. તેનું એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ થવું
તેને ભાવ કહે છે. હવે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ તે તો જીવના
સ્વભાવરૂપ ભાવ છે, શુદ્ધભાવ છે, તે સુખનું ને મોક્ષનું કારણ છે; તથા રાગ–દ્વેષ–
મોહરૂપ પરિણામ તે જીવના વિભાવરૂપ ભાવ છે; તે અશુદ્ધભાવ છે, તે દુઃખનું અને
સંસારનું કારણ છે. પરમાણુમાં વર્ણ–ગંધ–રસ–સ્પર્શ તે તેનો સ્વભાવભાવ છે, અને
તેમાં સ્કંધરૂપ કર્મ વગેરે અવસ્થા થાય તે વિભાવભાવ છે; જડમાં સ્વભાવ હો કે
વિભાવભાવ હો, તેને કાંઈ સુખ–દુઃખ નથી. સુખ–દુઃખ જીવને હોય, જડને સુખ–
દુઃખ ન હોય.
સમ્યક્ત્વાદિ સ્વભાવ–ભાવથી જીવને સુખ છે, અને મિથ્યાત્વાદિ વિભાવ–
ભાવથી જીવને દુઃખ છે; માટે સ્વભાવરૂપ થવું ને વિભાવરૂપ ન થવું એમ જીવને
ઉપદેશ છે. વિભાવભાવ જીવને કદી સુખનું કે મોક્ષનું કારણ થઈ શકે નહીં. પોતાના
સ્વભાવને ઓળખતાં સમ્યક્ત્વાદિ જે શુદ્ધભાવ પ્રગટે છે તે સુખમય છે ને તે જ
મોક્ષનું કારણ છે. માટે હે જીવ! તું જિનભાવના વડે એટલે કે શુદ્ધઆત્માની ભાવના
વડે ભાવશુદ્ધિ પ્રગટ કર.
ધર્માત્માનું અનુકરણ
દેહથી ભિન્ન આત્મા છે; તે આત્માને મરણ જ નથી પછી
મૃત્યુનો ભય કેવો? આત્માને શરીર નથી પછી રોગ કેવો?
આત્માને રોગ નથી પછી વેદના કેવી? હે બંધુ! આ જરાક
જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને તું પ્રતિજ્ઞાથી જરાપણ
ચ્યુત થઈશ નહીં, આત્મિક ભાવથી જરાપણ ડગીશ નહીં, દ્રઢ
ચિત્ત થઈને આરાધનાને ઉગ્ર કરજે. પાંડવ–મુનિરાજ, સુકુમાર
વગેરે ધીરવીર ધર્માત્માઓનું ઉત્તમ ચારિત્ર યાદ કરીને તેમનું
અનુકરણ કરજે.