PDF/HTML Page 1 of 69
single page version
PDF/HTML Page 2 of 69
single page version
ગંભીરતા કોઈ અજબ છે! આ ચૈતન્યદરિયાના
કિનારે આવતાં, એટલે કે એની સન્મુખ થઈને એનો
વિચાર કરતાં પણ અંદરથી શાંતિની કોઈ અનેરી
હવા આવે છે. અહા, આનંદમય રત્નોથી ભરેલો આ
દરિયો, –કેવો મહાન! જેને દેખતાં મન તૃપ્તિ પામે,
ને દીર્ઘકાળ સુધી દેખ્યા કરીએ તોપણ થાક ન લાગે.
ઊંડે ઊંડે આનંદતરંગથી ઉલ્લસી રહેલા આ
જ્ઞાનસમુદ્રમાં મગ્ન થાઓ.
PDF/HTML Page 3 of 69
single page version
આત્માની સાધનાનો ઉત્સવ.
કે પરમગંભીર ચૈતન્યસમુદ્રના કિનારે જ બેઠા હોઈએ–એવા શીતળ આનંદના વાયરા
આવે છે. ઠેઠ કિનારા સુધી લાવીને ગુરુદેવ આપણને કહે છે કે–જો ભાઈ! આ
ચૈતન્યદરિયો તારી સામે જ ઉલ્લસી રહ્યો છે, હવે તેમાં તું મગ્ન થા! એની ગંભીરતાનું
માપ તું જાતે અંદર ઊતરીને કર.
ઊંડા સમુદ્ર સિવાય કાંઠાનાં કાદવમાં ચેન પડતું નથી. અહા! ગુરુદેવ! આપ પોતે તો
દરિયા જેવા ગંભીર છો, ને આપ જે તત્ત્વ બતાવી રહ્યા છો તે પણ દરિયા જેવું પરમ
ગંભીર છે. દરિયામાં મેલ સમાય નહિ, દરિયો સ્વયં ઉલ્લસીને મેલને બહાર ફેંકી દે છે,
તેમ આ ચૈતન્ય દરિયામાં પરભાવરૂપી મેલ પ્રવેશી શકતા નથી. આનંદથી ઉલ્લસતો
ચૈતન્યદરિયો પરભાવોના મેલને બહાર ફેંકી દે છે. આનંદના આવડા મોટા નિર્મળ
દરિયાને આત્મામાં જ સમાવી દેનાર, અને એ દરિયાનું મથન કરી કરીને સમ્યક્ત્વાદિ
અનંત રત્નોને પ્રાપ્ત કરાવનાર હે ગુરુદેવ! આપે દરિયાથી પણ મહાન એવો ચૈતન્યદેવ
અમને દેખાડયો. આપના અવતારથી આ ભરતક્ષેત્રના જીવોને પોતામાં જ પરમાત્માની
પ્રાપ્તિ થઈ. આજે અમને અપાર આનંદ છે...અપાર ઉલ્લાસ છે....આપના મંગલ–
આશીષથી વીતરાગ માર્ગમાં સદાકાળ આપની સાથે જ રહેશું, –એવા આનંદ–
ઉલ્લાસપૂર્વક આપશ્રીને અભિનંદીએ છીએ–અભિવંદીએ છીએ.
PDF/HTML Page 4 of 69
single page version
લવાજમ વૈશાખ
ચાર રૂપિયા
ગુરુદેવે વીતરાગમાર્ગની પ્રસિદ્ધિ કરી. –ત્યાં પ્રવચન
કરતાં ગુરુદેવ કહ્યું કે–આત્માની અનુભવદશા વડે
મોક્ષ સધાય છે. આ મહાવીરનો માર્ગ છે ને આજ
મહાવીરનો ઉપદેશ છે. જે જીવ આવો માર્ગ
સમજીને પોતામાં પ્રગટ કરે તેનો અવતાર સફળ
છે...તેણે મહાવીર ભગવાનને ખરેખર ઓળખીને
તેમનો મહોત્સવ ઉજવ્યો, અને તેણે પોતામાં
મહાવીરના વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કર્યો.
મંગલરૂપ હતો, તેઓ જન્મથી જ અતીન્દ્રિય આત્માના જ્ઞાનસહિત હતા. પહેલાંં
અનાદિથી સંસારમાં રહેલા તે જીવે સિંહના ભવમાં મુનિઓના ઉપદેશથી સમ્યક્ત્વ
PDF/HTML Page 5 of 69
single page version
આત્માની ઉન્નતિ કરતાં કરતાં આ છેલ્લા ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને
પાવાપુરીથી મોક્ષ પધાર્યા; ત્રણ વર્ષ પછી તેને અઢી હજાર વર્ષ પૂરા થશે ને તેનો
મોટો ઉત્સવ ઉજવાશે.
ભવોથી હતું; અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ હતો; એવી અનુભવદશા
ઉપરાંત અવધિજ્ઞાનસહિત ભગવાન મહાવીરનો આત્મા ત્રિશલારાણીની કૂંખે
સવાનવ માસ રહ્યા, તે વખતે પોતે પોતાને દેહથી ભિન્ન જાણતા હતા. ત્રીસ વર્ષ
સુધી કુમાર અવસ્થામાં રહ્યા. લગ્ન તો તેમણે કર્યું ન હતું. ત્રીસવર્ષની વયે
જાતિસ્મરણ થતાં તેઓ વૈરાગ્ય પામ્યા ને આત્મધ્યાન સહિત વનજંગલમાં વિચરવા
લાગ્યા. બાર વર્ષ સુધી મુનિઅવસ્થામાં જ્ઞાન–ધ્યાન સહિત વિચર્યા; ને વૈશાખ સુદ
દશમના રોજ સમ્મેદશિખરની નજીક ઋજુવાલિકા નદીના તીરે ક્ષપકશ્રેણી માંડીને
લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંત પરમાત્મા થયા. અને પછી
રાજગૃહીમાં વિપુલાચલ પર અષાડ વદ એકમથી દિવ્યધ્વનિવડે જગતને
મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. તે ઉપદેશ ગણધરોએ ઝીલીને શાસ્ત્રોની રચના કરી, ને
વીતરાગ માર્ગી સંતોની પરંપરાથી તે શાસ્ત્રો ચાલ્યા આવે છે. તેમાંથી એક આ
નિયમસાર છે; તેમાં આ ૪૦ મી ગાથાઓ શ્લોક વંચાય છે. તેમાં કહે છે કે–
સ્વરૂપને ભૂલીને મોહ કર્યો. હવે તે મોહને છોડવા માટે આ ઉપદેશ છે.
મોજુદ છે. જેમ કાલે આત્મા ક્્યાં હતો તેનું જ્ઞાન થાય છે તેમ આ ભવ પહેલાંં
પૂર્વના ભવોમાં આત્મા ક્્યાં હતો તેનું પણ જ્ઞાન થઈ શકે છે. આત્માના જ્ઞાનની
અચિંત્ય તાકાત છે.
PDF/HTML Page 6 of 69
single page version
આનંદસ્વભાવ છે તેનો કાંઈ નાશ થયો નથી. જ્યારે જાગે ને જ્ઞાનચેતનારૂપ
થઈને અંતરમાં દેખે ત્યારે પોતાના આનંદનો અનુભવ થાય છે. –આવો અનુભવ
હે જીવ! તું આજે જ કર.
અનુભવમાં લે. જ્ઞાન જ આત્માનો સમ્યક્ સ્વભાવ છે; રાગ કાંઈ આત્માનો
સ્વભાવ નથી; તે તો પરભાવ છે, ને દેહ તો જડ છે. બાપુ! હવે તે પરભાવોના
વેદનને રહેવા દે, ને તારા આનંદસ્વભાવના સ્વાદને ચાખ. આવા આત્માને
દેખતાંવેંત તારો અનાદિનો મોહ છૂટી જશે, ને આત્માની અનુભવદશા વડે
મોક્ષપંથ પ્રગટ થશે. આ મહાવીરનો માર્ગ છે, ને આ જ મહાવીરનો ઉપદેશ છે.
ભગવાન મહાવીર આવા માર્ગે મોક્ષ પધાર્યા ને જગતને માટે પણ આવો જ
મોક્ષમાર્ગ બતાવ્યો. જે જીવ આવો માર્ગ સમજીને પોતામાં પ્રગટ કરે તેનો અવતાર
સફળ છે; તેણે મહાવીર ભગવાનને ખરેખર ઓળખીને તેમનો મહોત્સવ ઉજવ્યો.
અને તેણે પોતામાં મહાવીરના વીતરાગ માર્ગને પ્રસિદ્ધ કર્યો.
ને બહાર રહે છે; અંતરના ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેતાં પરમ આનંદરૂપ
આત્મા અનુભવમાં આવે છે. આવો અનુભવ તે ભવચક્રથી છૂટવાનો ઉપાય છે.
આવો મોંઘો મનુષ્યભવ મળ્યો તો ભવના અભાવનો ભાવ પ્રગટ કર. તું
અનાદિથી અજ્ઞાનને લીધે ક્ષણેક્ષણે ભયંકર ભાવમરણ કરી રહ્યો છે ને દુઃખી થઈ
રહ્યો છે, તો હવે અંતરમાં વિચાર તો કર કે આત્માનું ખરૂં સ્વરૂપ શું છે? આ
દેહની તો રાખ થશે, તે રાખથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતે કોણ છે તેને જરાક
લક્ષમાં તો લે! શીઘ્ર–ત્વરાથી આત્માને ઓળખ, તેમાં પ્રમાદ ન કર. પ્રમાદ કરીશ
તો આ મોંઘો અવસર ચાલ્યો જશે.
PDF/HTML Page 7 of 69
single page version
તારા ભવના અંત આવશે. માટે હે જીવ! આજે જ ત્વરાથી તારી ચૈતન્યસંપદાને
અનુભવમાં લે.
જગતમાં સોના–રૂપા–હીરાની ખાણ થાય છે તે કાંઈ ઉત્કૃષ્ટ નથી, તે તો જડ
પુદ્ગલની રચના છે; આત્મા ચૈતન્યરત્નોની ઉત્કૃષ્ટ ખાણ છે; આત્માની
ચૈતન્યસંપદામાં કોઈ ઉપાધિ નથી, તેમાં વિપદા નથી. આવા આત્માને જ અમે
નિજપદ તરીકે અનુભવીએ છીએ, બીજા તો બધા અપદ છે, અપદ છે.
પ્રાપ્તિ છે. ભગવાન મહાવીરે આવા આત્માની સાધના પૂર્વ ભવોમાં શરૂ કરી હતી
તેમાં આગળ વધતાં વધતાં આ ભવમાં આનંદની પૂર્ણતા કરીને સાક્ષાત્ પરમાત્મા
થયા. તેમનું સ્મરણ કરીને તેમના માર્ગને સાધવો તે સાચો મહોત્સવ છે.
વિપદા નથી. માન–અપમાનના વિકલ્પો કે નિંદા–પ્રશંસાના શબ્દો તેમાં પ્રવેશી
શકતા નથી. માન મળતાં ફૂલાઈ જાય, કે અપમાન થતાં કરમાઈ જાય–એવું આ
ચૈતન્યતત્ત્વ નથી; ચૈતન્યતત્ત્વ તો સદાય આનંદમય છે, જેમાં કદી વિપદા આવતી
જ નથી.
અપૂર્વ ટાણાં મળ્યા છે, જ્ઞાની સંતો તને તારી મહાન ચૈતન્યસંપદા બતાવે છે, તો
તે સાંભળીને બહુમાનપૂર્વક તેનું મનન કર, અંદર વિચાર કર, ને અંતરના
પ્રયત્નવડે તારી આનંદ સંપદાને દેખ. અરે, એકવાર તો અમે કહીએ તેવો નિર્ણય
કર. સુખની આ મૌસમ છે; આનંદનો પાક પાકે ને અનંતકાળનું સુખ મળે એવું
તારું અતીન્દ્રિય ચૈતન્યધામ છે. સંતો આવા આનંદધામને અનુભવે છે ને તમે પણ
આજે જ તેનો અનુભવ કરો.
PDF/HTML Page 8 of 69
single page version
અનુભવ થઈ શકે છે, માટે તમે તેવો અનુભવ પ્રગટ કરીને તમારી ચૈતન્યસંપદાને
પામો.
સહજ ચૈતન્યઅમૃતને હમણાં જ ભોગવો. વિલંબ ન કરો–આળસ ન કરો, હમણાં જ
અંતર્મુખ થઈને તેને અનુભવો. પોતાનું તત્ત્વ પોતામાં જ છે, –પોતે પોતાના અનુભવમાં
વિલંબ શો? જે જીવ હમણાં જ આવા આત્મતત્ત્વને અનુભવે છે તે અલ્પકાળમાં
મુક્તિને પામે છે, –તેમાં કોઈ સંશય નથી.
થયો ત્યાં મોક્ષના આનંદનો નમૂનો આવી ગયો; ને અલ્પકાળમાં સાક્ષાત્ મોક્ષદશા
પ્રગટ કરીને તે પોતે સિદ્ધપરમાત્મા થઈ જશે.
અને આવી નિઃશંકતા ન થાય એમ બને નહીં.
PDF/HTML Page 9 of 69
single page version
દર્શન કરવા પધાર્યા; આ પ્રસંગે પૂ. બેનશ્રી–બેન, તેમજ બીજા સેંકડો મુમુક્ષુ ભાઈ–
બહેનો પણ આવ્યા હતા; ગુરુદેવે નેમપ્રભુની ભક્તિ કરી હતી, ને ગીરનાર સન્મુખ
ભક્તિથી સૌને હર્ષ થયો હતો. આ રીતે ગીરનારતીર્થની નાનકડી યાત્રામાં પણ મોટો
આનંદ આવ્યો હતો. આ પ્રસંગે ગીરનાર તળેટીમાં બિરાજમાન સંઘના શ્રી
મલ્લિસાગરજી મહારાજને કાનમાં ત્રણવાર નમસ્કારમંત્ર કાનજીસ્વામીએ સંભળાવ્યા
હતા; અને તે જ રાત્રે શ્રી મલ્લિસાગરજી સ્વર્ગવાસ પામ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી
તેમને આહાર–પાણીનો સંપૂર્ણ ત્યાગ હતો.
અધ્યાત્મ ઉપદેશ હોંશથી સાંભળ્યો. ત્યારબાદ ચૈત્ર વદ છઠ્ઠે પૂ. ગુરુદેવ પોરબંદર તરફ
પધાર્યા.
‘સમયસાર’ એટલે શું? આ દેહથી ભિન્ન અંદર જે આત્મા છે તેને ‘સમયસાર’
જ પરમાત્મપણું પ્રગટ થયું છે.
ભગવાન છે, તેનું ભાન કરતાં તે પ્રગટે છે.
PDF/HTML Page 10 of 69
single page version
આમ કરવાથી પરમ સુખ થાય છે. જેમ ધનનો અભિલાષી જીવ પ્રથમ તો લક્ષણ વડે
રાજાને ઓળખે છે ને શ્રદ્ધાપૂર્વક તેની સેવા કરે છે, અને રાજા પ્રસન્ન થઈને તેને ધન
આપે છે. તેમ ચૈતન્ય રાજા એવો આ આત્મા અનંત ચૈતન્ય વૈભવસંપન્ન છે; તેનો
ઈચ્છુક મુમુક્ષુ જીવ ઉપયોગલક્ષણવડે બરાબર ઓળખીને તેની શ્રદ્ધા કરે છે અને તેમાં
એકાગ્ર થઈને તેને સેવે છે; ત્યાં ચૈતન્યરાજા પોતે પ્રસન્ન થઈને પોતાને જ્ઞાન–આનંદનો
વૈભવ આપે છે.
કરવી જોઈએ. આત્માને તો ઓળખે નહી ને શરીરને કે રાગને સેવે તો કાંઈ મળે નહીં.
જ્યાં હોય ત્યાંથી મળેને? શરીરમાં ને રાગમાં કાંઈ તારું સુખ નથી કે તેની સેવાથી તને
સુખ મળે! સુખનો ભંડોર તો તારો આત્મા પોતે છે; તેનું સાચું સ્વરૂપ ઓળખતાં તે
સુખ અનુભવાય છે. ધર્મ અને સુખ તેને કહેવાય કે જેમાં આત્માનો સ્પર્શ થાય–
અનુભવ થાય–સાક્ષાત્કાર થાય; પરમાત્મા પોતામાં જ દેખાય.
કરવાથી આ મનુષ્ય અવતાર મળ્યો છે, તેમાં આત્માનું હિત કેમ થાય તેનો વિચાર કર.
૧૬ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–હે જીવ! બહારમાં લક્ષ્મી–કુટુંબ વગેરેમાં તારું
સુખ નથી, તેની મમતાથી તો તું મનુષ્યભવ હારી જઈશ; પરમાં સુખ માનતાં તારા
આત્માનું સુખ ભુલાઈ જશે. માટે તું વિચાર તો કરે કે આત્માને સાચું સુખ કેમ થાય?
ને ક્ષણક્ષણનું ભયંકર ભાવમરણ કેમ મટે?
વિચાર કર, તો અંતરમાં તને તારા આત્માનો અનુભવ થશે. આત્માના
PDF/HTML Page 11 of 69
single page version
ગયો. હવે આ મનુષ્યપણામાં એવો ઉપાય કર કે જેથી ભવભ્રમણનું દુઃખ ન રહે, ને
આત્માનું સાચું સુખ પ્રગટે. સુખને માટે, ધર્મને માટે પહેલામાં પહેલું શું કરવું? કે અંદર
પોતાના આત્માને અનુભૂતિવડે ઓળખવો. અનુભૂતિ એટલે ઉપયોગસ્વરૂપ આત્મા,
ઓળખવો.
અનંતકાળથી મોહમૂર્છામાં તું સૂતો પણ હવે તો આ
જિનવચનરૂપી અમૃતવડે તું જાગ. અહા,
જિનવાણીમાતાજી પ્રેમથી જગાડે છે, સન્તો કરુણાથી
જગાડે છે, તો હે ભાઈ! હવે તો તું જાગ....હવે તારી
શક્તિના નિજવૈભવને દેખ. અનાદિથી મોહનિદ્રામાં સૂતો
વડે તું જાગ..... જાગીને તારા આત્મવૈભવને દેખ. હવે
જાગીને મોક્ષમાં જવાનાં ટાણાં આવ્યા છે. ૧૬ વર્ષ
કરતાંય નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે ‘રાત્રિ
વ્યતિક્રમી ગઈ; પ્રભાત થયો; નિદ્રાથી મુક્ત થયા, હવે
ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.
PDF/HTML Page 12 of 69
single page version
કેમ વાંછે છે? આકાશ જેવો જે મહાન અને નિર્મળ છે, અતીન્દ્રિય સુખ સહિત જે પ્રગટ
પ્રકાશમાન છે–એવા તારા આત્મામાં તું પ્રીતિ કર. આવો આત્મા વિચારવાન ડાહ્યા
પુરુષોને પોતાના અંતરમાં અનુભવગોચર થાય છે.
ઉપયોગ જોડવો તે જ ડાહ્યા–વિચારવંત પુરુષોનું કર્તવ્ય છે. જે બુદ્ધિ અંતરમાં આવા
આત્માને પકડે તે જ તીક્ષ્ણ બુદ્ધિ છે. આવા તીક્ષ્ણ બુદ્ધિવંત જીવો અંતરમાં પોતાના
સુખસાગરને દેખે છે, –જેમાં કોઈ કલેશ નથી, જે આનંદથી જ ભરેલો છે, અને
શુદ્ધજ્ઞાનનો જ જે અવતાર છે. રાગનો અવતાર કે રાગની ઉત્પત્તિ થાય એવો આત્માનો
સ્વભાવ નથી. આત્મા તો શુદ્ધજ્ઞાનનો અવતાર છે ને આનંદરૂપ અકૃત છે. તેના
આનંદને બનાવવો નથી પડતો, સ્વયં આનંદસ્વરૂપ જ છે. અરે જીવ! તું ડાહ્યો હો તો
આવા તારા આત્માને જાણ. બહારનાં બહુ ડહાપણ કર્યા પણ જો પોતાના આત્માને ન
જાણ્યો, તો જ્ઞાની કહે છે કે તું ડાહ્યો નથી, તારી બુદ્ધિ તીક્ષ્ણ નથી; તીક્ષ્ણબુદ્ધિ અને
ડહાપણ તો એ જ છે કે અંતરમાં પરભાવોથી ખાલી, અને સુખથી ભરેલ એવા
ચૈતન્યનિધાનને દેખે.
આત્મામાં ઉલ્લસે છે. અરે, આવા આત્માને મુકીને સંસારના કલેશને કોણ વાંછે? એવો
મૂરખ કોણ હોય કે પોતાના સુખના ખજાનાને છોડીને સંસારનાં કલેશમય દુઃખને વાંછે?
અહા, અંતરના ચૈતન્યનિધાનને ખોલીને સંતોએ બતાવ્યા,
PDF/HTML Page 13 of 69
single page version
કર. તારું ચૈતન્યપદ આનંદમય છે તે રાગ–દ્વેષથી રહિત છે. અંતર્મુખ થઈને આવા
નિજપદને નીહાળે તે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે, ભગવાને તો જગતને આવા
આનંદમય તત્ત્વની ભેટ આપી છે, ને જ્ઞાની સંતો તે બતાવે છે.
તેઓ તીર્થંકર ભગવાનના એલચી (દૂત) છે, તીર્થંકર ભગવાનની પેઢીમાંથી લાવેલો
ચોકખો માલ (એટલે કે વીતરાગી મોક્ષમાર્ગ) તેઓ જગતને આપે છે કે હે જીવો!
સુખનું ધામ એવો જે તમારો શુદ્ધ આત્મા છે તેમાં અંતર્મુખ ઉપયોગને જોડતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આનંદમાર્ગ પ્રગટે છે. મોક્ષમાર્ગ કહો કે આનંદમાર્ગ કહો,
તે આત્મામાં સમાય છે.
અંતરમાં છે–તે તને બતાવ્યું; તેનો અંતરમાં વિચાર કર તો તેની પ્રાપ્તિ થાય.
તો સુખના સાગરમાં જ મગ્ન થાય છે, ને દુઃખરૂપ સંસારની પ્રીતિ અત્યંતપણે છોડે છે.
પરનો પ્રેમ કરતાં તો પોતાના આનંદનિધાન લૂંટાઈ જાય છે; માટે ડાહ્યા–વિચારવંત
જીવો સર્વ પરભાવોનો પ્રેમ છોડીને પોતાના સહજ પરમ ચૈતન્યતત્ત્વમાં જ પ્રીતિ કરે છે.
જગતની સ્પૃહા છોડીને પોતાના નિજતત્ત્વની જ મસ્તીમાં મશગુલ રહે છે. એવા સંતો
કહે છે કે–
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો, ઉત્તમ થશે
એવી નથી કે ભિન્ન આત્માનું ભાન ભૂલાઈ જાય–તેથી પૂજ્યપાદ સ્વામી કહે છે કે–
PDF/HTML Page 14 of 69
single page version
કરતા નથી; એ બાહ્યભાવો તો ક્ષણભંગુર છે, એની પ્રીતિ જ્ઞાનીને નથી. અને આત્માનું
જે સહજ શુદ્ધસ્વરૂપ તેમાં કોઈપણ પરભાવ ન હોવાથી, તે શુદ્ધસ્વરૂપના અનુભવમાં
પરભાવને ટાળવાની ચિંતા પણ નથી રહેતી; સ્વતત્ત્વના પરમ આનંદનો જ અનુભવ
છે. આવા આનંદરૂપ ચેતનભગવાન આત્મા પોતે જ સદા પોતાના અંતરમાં બિરાજી
રહ્યો છે.
અંદરના ચૈતન્યભગવાનની સાથે વાત કરવા નવરો ન થયો? ભગવાન અંદર છે ને તું
તે ભગવાનની સામે નથી જોતો? –તો તને ડાહ્યો કોણ કહે? તને વિચારવાન કોણ કહે?
આત્માની રુચિ છોડીને પરભાવની રુચિ કરે તેમાં તો કલેશ છે.
બુદ્ધિમાન ડાહ્યા પુરુષોનું કામ છે.
તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિષે.
ક્્યાં રહ્યો? આત્માના વૈભવમાં વિભાવ નથી. આવા
સ્વભાવવાળો જ્ઞાનમાત્ર આત્મા તે ખરો આત્મા છે. આવા
તે મોક્ષમાર્ગ છે. ભવથી થાકેલા આત્માર્થીને આરામનું સ્થાન છે.
PDF/HTML Page 15 of 69
single page version
સમયસારમાં કહેશું. શુદ્ધ નિશ્ચયની કથની કહેશું અને તેની સાથે શુદ્ધ વ્યવહારરૂપ જે
વીતરાગીદશા–મોક્ષમાર્ગ તે પણ કહેશું.
શાંતરસમાં જ્ઞાન એકાગ્ર થાય છે, અને તે શાંતરસના સ્વાદથી પરમ અતીન્દ્રિય સુખ
થાય છે, તેનું નામ અનુભવ છે.
PDF/HTML Page 16 of 69
single page version
આત્માના અનુભવમાં મોક્ષનો આનંદ અનુભવાય છે. આત્માનો જે પરમ નીરાકુળ
શાંતરસ, તેનો સમુદ્ર સ્વાનુભવમાં ઉલ્લસે છે, તેથી અનુભવને રસકૂપ કહ્યો છે.
આત્માના અનુભવમાં જે શાંતિ છે–તેવી શાંતિ જગતમાં બીજે ક્્યાંય નથી.
પરિણમવું તેનું નામ અનુભવ, આવો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે.
આનંદ છે માટે હે જીવ! તું આત્મામાં ગમાડ. ’
આ અનુભવ ચિંતામણિરત્ન સમાન છે; તે અનુભવ પોતે શાંતરસથી ભરેલો કુવો છે.
શાંતરસનું ઝરણું આત્માના અનુભવમાં વહે છે. અનુભવદશામાં ચૈતન્યના આનંદનો
દરિયો ઉલ્લસે છે. –એ આનંદની શી વાત! એ શાંતરસની શી વાત! જેમાં આવો
અનુભવ છે તે જ મોક્ષમાર્ગ છે; રાગાદિ કોઈ ભાવો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગનો આવો
અનુભવ કહો કે નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કહો; આત્માના આવા અનુભવ વગર
મોક્ષનાં ફાટક ખુલે નહીં. મોક્ષનાં ફાટક આત્માના અનુભવ વડે જ ખુલે છે; અને એવો
અનુભવ આ સમયસાર નાટક બતાવે છે. તેથી કહ્યું કે
આવા અનુભવનો અધિકાર આ શાસ્ત્રમાં છે.
PDF/HTML Page 17 of 69
single page version
મહિમા કદી જાણ્યો નથી, તે મહિમા ઓળખાવીને આત્માનો અનુભવ કરાવે છે. આવા
અનુભવમાં શું–શું સમાય છે? તે બતાવીને કહે છે કે અહો! આત્માના અનુભવ સમાન
બીજો કોઈ ધર્મ નથી.
કે જે છાંટતાં આત્મા પામરમાંથી પરમાત્મા બની જાય છે. અજ્ઞાનીઓ જડ–રસાયણનો
મહિમા દેખે છે, જ્ઞાનીઓ તો ચૈતન્યના અનુભવરૂપી રસાયણ પાસે જડ–રસાયણને ધૂળ
સમાન જ દેખે છે.
રસાયણ જ એવું છે કે જેના વડે તરત જ ભવરોગ મટી જાય છે ને પરમ મોક્ષસુખ
પમાય છે. અહો! આવા અનુભવરસનું હે જીવો! તમે સેવન કરો. આત્માના
પોતે આવો અનુભવ કરવો તે જ સાર છે.
નથી; કેમકે વિકાર અને શરીર તે આત્માના સ્વભાવની ચીજ નથી એટલે તે
તો શુદ્ધાત્માના અનુભવમાં સાથે રહેતા નથી, પણ જ્ઞાન ને આનંદ તો
આત્માના સ્વભાવની ચીજ છે એટલે તે તો શુદ્ધાત્માના અનુભવમાં સાથે જ
રહે છે.
PDF/HTML Page 18 of 69
single page version
આપશે. તે બહેન લખે છે કે–ગુરુપ્રતાપે આજે આત્મધર્મ દ્વારા ભારતના બાળકોને તો
જાગૃત કર્યા છે ને ભારતની બહેનોને પણ જગાડેલ છે. ગુરુદેવ જે તત્ત્વનો ઉપદેશ આપે
છે તે વૃદ્ધ કે બાળક, ભાઈ કે બહેન, સૌને માટે સરખો જ ઉપયોગી છે; લાયક જીવો
તેના વાંચન મનન વડે જરૂર આત્મહિત સાધશે.
જેવા નિર્દોષ બાળકોને પણ તેના સંસ્કાર મળશે. તીર્થંકરોને જન્મ આપનારી પણ
માતાઓ જ હતીને!
વાંચવામાં મન લાગતું નથી આ કોઈ અતિશયોક્તિ નથી પણ તટસ્થભાવે સત્ય હકીકત
છે. અહા, નિજઘરમાં આવવાની વાત કોને ન ગમે? સુખી થવાની કોણ ના પાડે? ગમે
તેટલા દેશ–પરદેશ ફરે પણ અંતે તો સ્વ–ઘરમાં આવે ત્યારે જ જીવોને શાંતિ થાય છે.
ચૈતન્યમય આત્મા જ પોતાનું નિજઘર છે, તે જ ધ્યેય છે ને તે જ વિસામાનું ધામ છે.–
તેનું લક્ષ ‘આત્મધર્મ’ કરાવે છે. અજ્ઞાનના ગંધાતા ખાડામાંથી બહાર કાઢીને જ્ઞાનીઓ
સુખના ધામમાં લઈ જાય છે. જેનાથી મોતી પાકે એવા સ્વાતી નક્ષત્રનાં પાણી
સોનગઢમાં ગુરુમુખેથી બારેમાસ વરસે છે; લાયક જીવો તે મેધબિંદુ ઝીલીને સમ્યક્ત્વરૂપ
મોતી પકાવશે. અમે પણ આત્મધર્મ મારફત તેની પ્રસાદી ચાખીને કૃતાર્થ થઈએ છીએ.
ગુરુદેવની જન્મજયંતી પ્રસંગે ભાવના ભાવીએ છીએ કે જુગજુગ જીવો ભવ્યોના
તારણહાર....અમર રહો એમની શીતલ છત્રછાયા.
ભારતીય નારીનાં શીલ–સંયમ વડે ઈતિહાસનાં પાનાં શોભી રહ્યા છે.
PDF/HTML Page 19 of 69
single page version
પણ સ્ત્રીઓ જ હતી કે જેઓએ જગતના કોઈ પણ પ્રલોભનમાં ફસાયા વગર
બળવાનપણે ધર્મની આરાધના કરી, –અને માત્ર પોતાના જીવનને નહિ અપિતુ
ભારતને અને જૈનશાસનને શોભાવ્યું. દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્મદેવને
વનમાંથી સીતાજીએ મોકલેલો પુરાણ–પ્રસિદ્ધ ધર્મસન્દેશ આજેય ભારતની નારીને માટે
મહાન પ્રેરક છે કે–લોકનિંદાના ભયથી મને તો છોડી, પણ મૂર્ખ લોકો કદાચ ધર્મની પણ
નિંદા કરે તો તે સાંભળીને ધર્મને કદી ન છોડશો. અયોધ્યાના સામ્રાજ્ય કરતાં પણ ધર્મ
મહાન છે. વનજંગલ વચ્ચે પણ ધર્મની કેટલી નીડરતા! ધર્મનું કેટલું ગૌરવ!
છે–કૂવે પડે છે–આપઘાત કરે છે. અરે! કેટલી નિર્બળતા! કેટલું અજ્ઞાન? કેટલી
અસહિષ્ણુતા!! શું ભારતીય નારીને આ શોભે છે? નહીં; ઉચ્ચ સંસ્કાર વડે જીવનની
શોભા છે. બહેનો, આ જીવન વેડફી નાંખવા માટે નથી, ઘણું મોંઘું જીવન, અને તેમાં
સદ્ગુરુની દેશના, એ તો સોના સાથે સુગંધના મેળનો અવસર છે. ભૌતિક સુખ પાછળ
દોડવાનું છોડીને આપણે આધ્યાત્મિકસુખ– કે જે આત્મામાં જ છે–તેને શોધવાનું છે. સુખ
અંતરમાં છે. આપણામાં રહેલો સુખનો ખજાનો જ્ઞાનીઓ બતાવે છે....એનો વિશ્વાસ
કરતાં સુખનો અનુભવ સ્વયમેવ થશે.
પણ અલ્પ દેખાય છે, તો શુદ્ધભાવ અને સમ્યક્ત્વાદિની તો શી વાત? એવા ગુણો વડે
જીવન શોભે છે. માટે બહેનો! મૂર્છા છોડીને તમે જાગૃત થાઓ ને ભાનમાં
આવો.....સારા ભારતમાં જ્ઞાનપ્રકાશ ફેલાવનાર આવા જ્ઞાની–ગુરુ મળ્યા છે; અને
આત્માની સમજણનો અપૂર્વ અવસર આવ્યો છે. વીજળીના આ ઝબકારામાં સમ્યગ્જ્ઞાન
સમજો....(અંતમાં લેખિકા બહેન પ્રમોદ પૂર્વક લખે છે કે–) ધન્ય છે આપણા ભગવતી
માતાઓને......તેમજ ધન્ય છે તે બહેનોને–કે જેઓ સંસારની મમતા તજીને મુક્તિના
માર્ગને અપનાવી રહ્યા છે. ભારતની બહેનો! આપણે પણ એ જ સુંદર માર્ગે
જઈએેેે.........(સૌ. ભાનુમતીબેન પારેખ, રાજકોટ)
PDF/HTML Page 20 of 69
single page version
નામની વાર્તારૂપે લખી મોકલ્યા છે–જેનો ઉલ્લેખ આપણે
ગતાંકમાં વાંચ્યો હતો, તે વાર્તા યોગ્ય સંશોધન સહિત અહીં
આપવામાં આવે છે; કોલેજની પરીક્ષાઓ જ્યારે અત્યંત નજીક
હતી ત્યારે પણ કોલેજના અભ્યાસ સાથે ધાર્મિક વાંચન ચાલુ
રાખીને લખાયેલી આ વાર્તા આપણા યુવાનબંધુઓને તેમજ
માતાઓને ઉત્તમ પ્રેરણા આપશે, અને ચૈતન્યવિદ્યા માટે
પ્રોત્સાહન પણ આપશે.(–સં.)
ઘરમાં ધર્મના ઉત્તમ સંસ્કારોથી તેમનું જીવન શોભતું હતું. ગરીબ હોવા છતાં
ધર્મસંસ્કારને લીધે તેઓ સંતોષી અને સુખી હતા.
દુઃખી હતા.
જન્મદિવસની ખુશાલીમાં લક્ષ્મીનંદનના પિતા ધનજી શેઠે તેને અનેક જાતની મીઠાઈ
ખવડાવી, કિંમતી વસ્ત્રો પહેરાવ્યાં અને એક સુંદર વીંટી પહેરાવી–જેની વચ્ચે એક સુંદર
હીરો ઝગઝગાટ કરતો હતો.