Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 56

background image
૩૩૨
• जयपुर •
એક જ્ઞાયકભાવ તે આત્મા છે. આવા
જ્ઞાયકસ્વભાવપણે જે પોતે પોતાને અનુભવે તેને
‘શુદ્ધ’ કહીએ છીએ. આવું શુદ્ધતત્ત્વ જ બધા
તત્ત્વોમાં સર્વોપરી શ્રેષ્ઠ સારરૂપ છે. અને તે
શુદ્ધતત્ત્વ ધર્મીના અંતરમાં ધ્યેયપણે જયવંત
વર્તે છે.
‘जयति समयसारं सर्व तत्त्वैक सारं।’
सुखजलनिधि पूरः क्लेशवाराशि पारः।।
જુઓ, જયપુરના મંગલમાં આત્માના
જયની અને સુખના પૂરની વાત આવી. સર્વે
તત્ત્વોમાં ઉત્તમ એવો એક આત્મા તેનો जय છે,
અને તે સુખજલનિધિનું पूर છે. આવું ચૈતન્યતત્ત્વ
તે સારમાં સાર છે, તે મંગળ છે.