Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૩૩
શુદ્ધપર્યાયવડે શુદ્ધદ્રવ્યનો સ્વીકાર
જ્ઞાનરૂપ થઈને જ જ્ઞાનસ્વરૂપ આત્માનો સ્વીકાર થાય છે.
નિર્મોહપરિણતિપૂર્વક નિર્મોહ આત્માનો સ્વીકાર થાય છે.
દોષરહિત પરિણતિ વડે નિર્દોષ સ્વભાવનો સ્વીકાર થાય છે.
નિઃશલ્યપરિણતિ વડે નિઃશલ્ય આત્માનો સ્વીકાર થાય છે.
‘આત્મા જ્ઞાયકભાવ છે’ એમ સ્વીકાર કરનાર પરિણતિ જ્ઞાનરૂપ થઈ છે.
આત્મા નિર્મોહ છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિર્મોહ થઈ છે.
આત્મા નિર્દોષ છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિર્દોષ થઈ છે.
આત્મા નિઃશલ્ય છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિઃશલ્ય થઈ છે.
જ્ઞાનપરિણતિ વગર જ્ઞાયકભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિર્મોહ પરિણતિ વગર નિર્મોહસ્વભવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિર્દોષ પરિણતિ વગર નિર્દોષસ્વભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિઃશલ્યપરિણતિ વગર નિઃશલ્યસ્વભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
– આમ શુદ્ધદ્રવ્ય ને શુદ્ધપર્યાયની અલૌકિક સંધિ છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ અષાઢ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૮: અંક ૯

PDF/HTML Page 2 of 44
single page version

background image
વીસ દિવસ સુધી અધ્યાત્મરસની વર્ષા કરીને
આપે અમારાજીવનમાં ધર્મનું સીંચન કર્યું
જયપુરમાં ગુરુદેવનો ઉપકાર માનતાં શેઠશ્રી પૂરણચંદજી ગોદિકા
ભાવભીના ચિત્તે કહે છે કે–
હે ગુરુદેવ! જયપુર શહેરમાં અમારા આંગણે આપ ૨૦ દિવસ
બિરાજ્યા અને ટોડરમલ – સ્મારક ભવનમાં પ્રવચનો દ્વારા અધ્યાત્મરસની
વર્ષા કરીને રાજસ્થાનમાં અધ્યાત્મનું ક્રાંતિકારી આંદોલન ફેલાવી દીધું. વીસ
દિવસ સુધી નિરંતર આપના સત્સંગથી અમે જાણે સંસારને તો ભૂલી ગયા
હતા ને આત્માની મધુરી ચૈતન્યછાયામાં આવીને વસ્યા હતા. એ
ચૈતન્યછાયાના મધુરા દિવસો જીવનમાં કદી નહિ ભૂલાય, ને સદાય શીતળાનું
સીંચન કરીને સંસારના તીવ્ર આતાપમાંથી રક્ષા કરશે.
હે ગુરુદેવ! અમારા પરિવાર ઉપર, તેમજ જયપુર અને રાજસ્થાનના
મુમુક્ષુસમાજ ઉપર આપે મહાન ઉપકાર કર્યો છે. આત્માનું મહિમાવંત સ્વરૂપ
બતાવીને આપે અમને મોક્ષમાર્ગમાં પ્રેર્યા છે – ને વિદ્વાનોની આ ભૂમિ
(જયપુર) ને ફરીને જયવંત બનાવી છે. આપના પ્રતાપે જયપુરમાં જૈનધર્મનો
જયજયકાર થયો છે, ને મુમુક્ષુઓના અંતરમાં આનંદનાં પૂર આવ્યા છે.
હે ગુરુદેવ! ફરીફરીને આપના સત્સંગ વડે અમારા આત્મામાં આનંદના પૂર
વહે ને તેનો પ્રવાહ કેવળજ્ઞાન–સમુદ્રમાં જઈને ભળે – એવી પ્રાર્થના કરીએ છીએ

PDF/HTML Page 3 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ર૪૯૭
લવાજમ અષાઢ
ચાર રૂપિયા JULY, 1971
વર્ષ : ૨૮ અંક : ૯
જયપુરમાં મેં જોયો–સાધર્મીઓનો સુંદર મેળો
n વીતરાગવિદ્યાના પ્રચારનો મહાન ઉત્સવ n
દેશોદેશના સાધર્મીઓના મિલનનું ઉમંગભર્યું વાતાવરણ

જૈનનગરી જયપુર એટલે ભારતદેશની રમણીયનગરી, રાજસ્થાનની
રાજધાની, જૈનવિદ્વાનોની ખાણ, પચીસ હજાર જેટલા જૈનો અને એનાથી લગભગ
દશગણા જિનભગવંતોથી જે શોભે છે, એવી એ જયપુરનગરીમાં પૂજ્ય શ્રી
કાનજીસ્વામી વીસદિવસ પધાર્યા અને ધર્મપ્રભાવનાનો તથા વીતરાગી વિદ્યાના
પ્રચારનો જે મહાન ઉત્સવ થયો, તેનો પ્રારંભિક સચિત્ર અહેવાલ ગતાંકમાં આપેલ,
તે વાંચીને જિજ્ઞાસુઓ પ્રસન્ન થયા હતા. અને ત્યારપછીના અહેવાલ માટે ઇંતેજાર
હતા. તે અહીં આપવામાં આવે છે.
(–બ્ર. હ. જૈન)
૦૦૦
અમદાવાદથી વિમાનમાં ગુરુદેવ જયપુર પધાર્યાં; વૈશાખ વદ છઠ્ઠે જયપુરમાં
સ્વાગત થયું. ટોડરમલ – સ્મારકભવનમાં પ્રવચનસાર તથા સમયસાર ઉપર પ્રવચનો
શરૂ થયા. શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહુની અધ્યક્ષતામાં સંમેલન થયું, જેમાં ગુરુદેવે

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ર : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
આશીર્વાદપૂર્વક અઢીહજારમા વીરનિર્વાણમહોત્સવ માટે પ્રોત્સાહન આપ્યું. જૈનધર્મની
વીતરાગવિદ્યાના પ્રચાર માટે શિક્ષણવર્ગો ચાલ્યા, ને ગામેગામના જિજ્ઞાસુઓએ
ઉત્સાહથી તેમાં ભાગ લીધો. આ પ્રસંગે લાભ લેવા ભારતની ચારે દિશામાંથી જુદા
જુદા ૧પ૨ ગામના બે હજાર જેટલા મુમુક્ષુ ભાઈ – બહેનો જયપુર આવ્યા હતા.
અહા, કહાનગુરુની મંગલ છાયામાં ધાર્મિક–મુમુક્ષુઓનું કેવું સુંદર સંમેલન!
અધ્યાત્મપ્રેમી સજ્જનોના એ સંમેલનમાં અનુભવી – જ્ઞાનીઓ, ત્યાગી – વ્રતીઓ,
વિદ્વાન સાહિત્યકારો–પંડિતો, શ્રીમંતો – આગેવાનો, તેમજ અધ્યાત્મરસિક હજારો
મુમુક્ષુઓ ઉલ્લાસથી ભાગ લઈને બધા કાર્યક્રમોને શોભાવતા હતા... જૈનધર્મનો
આવો સુંદર પ્રભાવ અને અધ્યાત્મમય વાતાવરણ દેખીને હૃદય પ્રસન્નતા અનુભવતું
હતું..... સાધર્મીઓને દેખી–દેખીને હૃદયમાં આનંદ અને વાત્સલ્ય ઊભરાતા હતા.
વાહ! ટોડરમલ – સ્મારકભવનમાં ૨૦ દિવસ સાધર્મીઓનો સુંદર મેળો
ભરાયો હતો. કેવું મજાનું ધર્મનું વાતાવરણ હતું! સાધર્મીઓ પરસ્પર અધ્યાત્મરસની
ચર્ચા કરતા; સૌ પોતપોતાની રીતે સાધનામાં મસ્ત હતા. કોઈ સામાયિકમાં, તો કોઈ
સ્વાધ્યાયમાં, કોઈ શ્રવણમાં તો કોઈ ચર્ચામાં, કોઈ લેખનમાં તો કોઈ પ્રભુસન્મુખ
ભક્તિપૂજનમાં પ્રવૃત્ત રહેતા. કોઈ નજીકના જિનેન્દ્રધામોનાં દર્શન કરવા જતા, તો
કોઈ દર્શન કર્યાં પછી તેના આનંદકારી વર્ણન દ્વારા બીજાને પણ દર્શન કરવાની
પ્રેરણા જગાડતા હતા. ચારેકોર બસ, ધાર્મિક વાતાવરણ જ દેખાતું હતું... સૌ
જૈનધર્મની સાધનામાં જ રત હતા... ચર્ચા પણ એની જ! બધાયના મનમાં એક જ
ધ્યેય હતું કે આત્માની મુમુક્ષુતા પોષાય; આત્માના સ્વભાવને અનેક પડખેથી
જાણીજાણીને અધ્યાત્મભાવો ખીલે ને આનંદમય સ્વાનુભવ થાય. કોઈ દક્ષિણ
પ્રદેશના, તો કોઈ ઉત્તરના, કોઈ પૂર્વના તો કોઈ પશ્ચિમના, ને કોઈ મધ્યપ્રદેશના,
એમ ચારેકોરથી મુમુક્ષુ – સાધર્મીજનો એકઠા થયા હતા. ભિન્નભિન્ન દેશ, ભિન્ન
ભિન્ન વેશ, ભિન્નભિન્ન ભાષા, છતાં સૌનું ધ્યેય એક જ હતું.
અહા, આવા ઉત્તમ ધ્યેયવાળા હજારો સાધર્મીઓના મિલનનું વાતાવરણ
મુમુક્ષુને ખૂબ જ ગમી જાય તેવું હતું. સવારમાં સાડાસાત વાગે પ્રવચન શરૂ થાય, પણ
ત્યાર પહેલાંં અડધી કલાક અધ્યાત્મિક ભજનો ચાલે; તથા જિનમંદિરમાં પૂજનની ભારે
ભીડ જામી હોય. પ્રવચન પછી શિક્ષણવર્ગોની જોશદાર પ્રવૃત્તિ ચાલે, બીજા મુમુક્ષુઓ
સ્વાધ્યાય – મનન કરે. ભોજનની વ્યવસ્થા પણ સાદી અને સુંદર હતી. બપોરે પણ

PDF/HTML Page 5 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩ :
સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ જ હોય. બપોરે પાછા અઢી વાગ્યાથી ભજન, અને ત્રણ
વાગતાં પ્રવચન શરૂ થાય. પ્રવચનની અખંડ ધોધમાર ધારામાં, જયપુરના જોરદાર
વાવાઝોડાં પણ કદી નડયા ન હતા. પ્રવચન પછી શિક્ષણવર્ગો ચાલતા. રાત્રે
અધ્યાત્મચર્ચા વગેરે વિવિધ કાર્યક્રમો રહેતા. યાત્રિકોની અવરજવર માટે તેમ જ
શહેરના શ્રોતાજનોને પ્રવચનનો લાભ લેવા માટે અનેક બસો તથા મોટરોની
દોડધામ હરરોજ સવારથી રાત સુધી સતત ચાલુ રહેતી. ચારેકોરની
અધ્યાત્મપ્રવૃત્તિથી જયપુરનો આ વિસ્તાર એક જ્ઞાનનગરી જેવો જ બની ગયો હતો.
જ્ઞાનનો મહાયજ્ઞ મંડાયો હતો. ગુરુદેવ પણ મુમુક્ષુઓને વિવિધ પુસ્તકોની ભેટ
આપીને જ્ઞાનની લાણી કરતા હતા.
ગુરુદેવના સાન્નિધ્યમાં વૈશાખ વદ દશમે શેઠ શાંતિપ્રસાદજી શાહુના
અધ્યક્ષપદે, મહાવીર નિર્વાણના અઢીહજાર વર્ષના ઉત્સવ સંબંધી સંમેલન હતું;
જિનશાસન પ્રભાવના માટે સૌએ ઉત્સાહ બતાવીને પોતાના વિચારો વ્યક્ત કર્યાં
હતા; ને ગુરુદેવે આ મહાનકાર્યમાં અનુમોદના આપી હતી. મહાવીર ભગવાનના
મોક્ષના આ મહાન ઉત્સવ માટે મોટા પાયા પર રૂપરેખા બની રહી છે, ત્યારે આ
પ્રસંગે આપણા સમાજનાં નાનકડા બાળકોને આપણે ન ભૂલીએ, ને એ લાખો
બાળકોમાં વીરશાસનના સંસ્કાર રેડાય એવું સુંદર આયોજન કરીએ, તથા દરેક
બાળકને કે નાનામાં નાના જૈનગૃહસ્થને પણ એમ થાય કે અમારા મહાવીર પ્રભુના
ઉત્સવમાં અમે પણ ભાગ લઈ રહ્યા છીએ – એવી યોજનાઓ કરીએ. જૈનસમાજમાં
પરસ્પર પ્રેમ–વાત્સલ્ય ને સંપ વધે તે પણ ઘણું જરૂરી છે.
શ્રી મનોહરલાલજી વર્ણી બે દિવસ પૂ. કાનજીસ્વામીને મળવા માટે
ગોદિકાભવનમાં આવ્યા હતા, પ્રેમપૂર્વક કેટલીક ચર્ચાવાર્તા કરી હતી, ને પ્રસન્નતાથી
તેમણે કહ્યું હતું કે મને આપના પ્રત્યે નૈસર્ગિક વાત્સલ્ય આવે છે; વાત્સલ્યથી હું
આપને મળવા આવ્યો છું. ઘણા વખતથી મળવાની ઉત્કંઠા હતી; લોકો આપને માટે
અનેક ચર્ચા કરે છે પણ વિરોધની ચર્ચા હું સાંભળતો નથી. અધ્યાત્મજ્ઞાનની
પ્રભાવના થાય તે ઉત્તમ છે. – આ રીતે તેમણે પ્રેમ અને પ્રસન્નતા વ્યક્ત કર્યાં હતા.
જેઠ સુદ ત્રીજના રોજ ભોપાલના ભાઈ શ્રી હેમચંદજીએ ગુરુદેવ સમક્ષ
આજીવન–બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. અનેક સુશિક્ષિત યુવાનો પણ વૈરાગ્યપૂર્વક
અધ્યાત્મધર્મમાં કેવો રસ લઈ રહ્યા છે તે દેખીને સમાજ પ્રભાવિત થતો હતો. ગુરુદેવના

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
પ્રતાપે અનેક યુવાનો પોતાના જીવનને આત્મસાધનામાં જોડી રહ્યા છે.
જેઠ સુદ પાંચમે શ્રુતપંચમીનો દિવસ પણ આનંદથી ઉજવાયો હતો. વહેલી
સવારમાં જિનવાણી – શ્રુતદેવતાની ભાવભીની રથયાત્રા નીકળી હતી. જ્ઞાનનો
દિવસ અને જ્ઞાનપ્રભાવનો ઉત્સવ એ બંનેનો મેળ થઈ ગયો હતો. પ્રવચનમાં ગુરુદેવે
શ્રુતપંચમીનો ઈતિહાસ કહીને, ધરસેનસ્વામી વગેરે દિગંબર જૈન મુનિવરોનો તથા
વીતરાગી શ્રુતજ્ઞાનનો ઘણો મહિમા કર્યો હતો, અને કહ્યું હતું કે જિનવાણી મહાપૂજ્ય
છે. એક તરફ સમયસારાદિ અધ્યાત્મ–શ્રુતજ્ઞાન અખંડ રહ્યા છે. –જે આત્માનું
શુદ્ધસ્વરૂપ દેખાડે છે; બીજી તરફ ષટ્ખંડાગમ જેવા સિદ્ધાંત –શ્રુતજ્ઞાન પણ અખંડ
રહી ગયા. આત્મ નિશ્ચય ને વ્યવહાર બંને પ્રકારનાં પરમાગમદ્વારા વીતરાગીશ્રુતની
અખંડ ધારા ચાલી રહી છે. તેના બહુમાનપૂર્વક અભ્યાસ કરવા જેવો છે. તથા આવા
જ્ઞાનનો પ્રચાર કરવા જેવો છે. અહા, મુનિઓ તો સર્વજ્ઞ જેવા છે. –એમ કહીને
તેમનો ઘણો જ મહિમા કર્યો હતો.
પ્રવચન બાદ શ્રુતજ્ઞાન–જિનવાણીના પૂજા થઈ હતી, હજારો ભક્તોએ ભેટ
ધરીને જિનવાણીમાતાનું બહુમાન કર્યું હતું. જયપુરમાં વીતરાગશ્રુતનો મહાન પ્રભાવ
દેખીને હૃદય ઠરતું હતું કે વાહ! જિનવાણીમાતા! તારા જયજયકાર વર્તી રહ્યા છે......
હજાર બાળકો તારા શરણે નિજહિતને સાધી રહ્યા છે... ગુરુકહાન દ્વારા તારો પ્રભાવ
ભારતભરમાં ફેલાઈ રહ્યો છે.
જયપુરમાં અધ્યાત્મરસિક સાધર્મીઓના મેળાનું એ વાતાવરણ જેમણે માણ્યું
છે. તેઓ વારંવાર તેને યાદ કરીને મુમુક્ષુતાને પુષ્ટ કરે છે. ધાર્મિકમેળા કે ધાર્મિક
સંમેલન કેવા હોય તેનો આ એક આદર્શ હતો. જ્યાં રોજ સ્વાધ્યાય માટે હજારો
શાસ્ત્રો ઉઘડતા હતા ને અધ્યાત્મચર્ચાનો ધોધ વહેતો હતો.
આખાય સંમેલનમાં આયોજક એકલા શેઠશ્રી પૂરનચંદજી ગોદિકા હતા; વીસે
– વીસ દિવસો મોટા–નાના દરેક કાર્યક્રમોમાં સતત હાજરી પૂર્વક તન–મન–ધનથી
તેમણે ઉત્સવને સફળ બનાવ્યો. અને શિક્ષણવર્ગોના આયોજનમાં પહેલેથી છેલ્લે
સુધી પંડિત શ્રી હુકમીચંદજીએ પરિશ્રમ લઈને આખા કાર્યક્રમને સફળ બનાવ્યો.
જયપુર નગરીના નગરજનોએ જે ઉમદા સાથ આપ્યો તે પણ પ્રશંસાપાત્ર હતો, અને
ઉત્સવની સફળતામાં સૌથી મુખ્ય કારણ હજારો મુમુક્ષુઓનો ધાર્મિક ઉત્સાહ હતો.
એક સાથે હજારો

PDF/HTML Page 7 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૫ :
ભાઈ – બહેનો, બીજું બધું ભૂલીને સવારથી રાત સુધી અધ્યાત્મજ્ઞાનના અભ્યાસમાં
લાગી ગયા હતા. તે દેખીને હૃદયમાંથી એવા ઉદ્ગાર નીકળતા કે વાહ! ધન્ય છે મારા
આ બધા સાધર્મીઓને! –
‘સંગ સાધર્મીનકો નિત દીજે.... ’
શ્રુતપંચમીની રાત્રે પૂ. બેનશ્રીબેને શ્રુતભક્તિ કરાવી હતી.
જેઠ સુદ છઠ્ઠે જયપુરના એક ભાવ ‘આદર્શનગર’ માં (જ્યાં મુખ્યપણે
મુલતાનથી આવેલા સાધર્મીઓ રહે છે અને અત્યંત મનોહર જિનમંદિર તૈયાર થઈ
રહ્યું છે – ત્યાં) બપોરે ભક્તિ–પૂજન તથા પ્રવચન થયા હતા. અહીંના જિનમંદિરમાં
મૂલતાન (પાકિસ્તાન) થી સાથે લાવેલા ૧૦૦ જેટલા જિનભગવંતો બિરાજમાન છે.
ગુરુદેવ બપોરે દોઢ વાગે ત્યાં પધાર્યા, અને ઉમંગભર્યું વાતાવરણ જોયું. અહા, ખરે
બપોરે સામુહિક જિનેન્દ્રપૂજનનું હર્ષમય વાતાવરણ અદ્ભુત હતું; ત્યાં નહોતું માઈક
કે ન હતી ચોપડીઓ, છતાં હજાર – હજાર ગળાં એકસાથે એકતાને ગાજતા હતા, ને
આનંદોલ્લાસકારી પૂજન ચાલતું હતું. પચીસ વર્ષ પહેલાંં પાકિસ્તાન ના અતિ
ત્રાસથી ત્રાસીને ભારત આવેલા એ ભક્તો, ભગવંતોને પણ સાથે જ લાવ્યા હતા.
કહે છે કે કાંઈ પણ સામાન સાથે લાવવાનું જ્યારે મુશ્કેલ હતું ત્યારે પણ સેંકડો
જિનપ્રતિમાઓ ચમત્કારિક રીતે વિમાનમાં સાથે આવી ગયા. તે પ્રસંગના સ્મરણથી
જાણે ભક્તોનાં હૃદયો ભક્તિથી ઉછળતા હતા. અદ્ભુત હતું એ પૂજન– ભક્તિનું
દ્રશ્ય! નાના ને મોટા, ભાઈઓ ને બહેનો – એમ હજાર જેટલા જિનભક્તો અત્યંત
ભાવથી એ પૂજનમહોત્સવમાં ભાગ લેતા હતા. કહાનગુરુ પણ પૂજનમાં બેઠા હતા.
પૂજન બાદ ત્યાં જ ગુરુદેવનું પ્રવચન થયું હતું. નગરના હજારો શ્રોતાઓએ
ઉત્સાહપૂર્વક પ્રવચનમાં ભાગ લીધો હતો; પ્રવચનમાં સમયસારની ૧૧મી ગાથા દ્વારા
સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવ્યું હતું. જયપુરમાં રાત્રે તત્ત્વચર્ચા પણ સુંદર ચાલતી
હતી.... વિદ્વાનોની અધ્યાત્મગોષ્ઠીનો મધુર ગૂંજારવ મુમુક્ષુઓને બહુ પ્રિય લાગતો હતો.
જેઠ સુદ સાતમની સાંજે ગુરુદેવ સાથે સો જેટલા યાત્રિકો (જયપુરથી વીસેક
માઈલ દૂર) પદ્મપુરી પદ્મપ્રભુના દર્શને ગયા હતા. સં. ૨૦૦૧ માં એક ખેતરમાંથી
પદ્મપ્રભુની પ્રતિમા પ્રગટ થઈ અને ત્યારથી આ ભૂમિમાં પુણ્યભાવ શરૂ થયો; એક
વિશાળ ઉન્નત જિનમંદિર તૈયાર થયું–જેનું કામ હજી ચાલી રહ્યું છે. મંદિરનું વાતા

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
વરણ રમ્ય છે ને વિશાળ શિખરસહિત શોભી રહ્યું છે. અંદરથી ઘૂમ્મટનું દ્રશ્ય ભવ્ય છે.
સુંદર ગંધફૂટી પર બિરાજમાન પદ્મપ્રભુની ગુલાબી પ્રતિમા અતિ ઉપશાંત – મનોજ્ઞ ને
શાંતભાવપ્રેરક છે. તે ઉપરાંત બીજા અનેક જિનબિંબો, બાહુબલી ભગવાન વગેરે પણ
બિરાજે છે. ગુરુદેવ સાથે આનંદોલ્લાસપૂર્વક દર્શન કરી અર્ધપૂજા કરી, ને પુ. બેનશ્રી –
બેને પદ્મપ્રભુના મનોહરદરબારમાં વીતરાગી પદ્મપ્રભુની અદ્ભુત ભક્તિ કરાવી.
ખરેખર, વીતરાગ ભગવાનની ખરી ભક્તિ વીતરાગતાના ધ્યેય વડે જ થાય છે,
સંસારના ધ્યેય વડે ભગવાનની ભક્તિ થઈ શકતી નથી. દરેક જૈનનું કર્તવ્ય છે કે
શુદ્ધાત્માના પ્રતિબિંબરૂપ આપણા વીતરાગ અરિહંતદેવના દર્શનપૂજનમાં માત્ર
વીતરાગભાવનાના પોષણનો જ હેતુ રાખે. સંસારના લાભનો હેતુ (– પુત્રપ્રાપ્તિ,
ધનપ્રાપ્તિ, નીરોગતા – પ્રાપ્તિ વગેરે પાપનો હેતુ) જરાપણ ન રાખે.... અને ભગવાન
અરિહંતદેવ સિવાય બીજા કોઈ સરાગ દેવ–દેવીને તો સ્વપ્નેયય પૂજ્ય ન માને.
–આવા ભાવની સ્પષ્ટતાપૂર્વક પદ્મપ્રભુના દર્શન – પૂજન – ભક્તિ કર્યાં બાદ
મંદિરના ચોકમાં બેસીને ગુરુદેવે કહ્યું કે આ જિનપ્રતિમા તો શુભરાગનું નિમિત્ત છે;
ખરેખર તો અંદર આત્મા પોતે શાશ્વત ચૈતન્યપ્રતિમા છે, તેના દર્શન વિના અને
તેના આશ્રય વિના બીજી કોઈ રીતે કલ્યાણ થતું નથી. આ બહારની જિનપ્રતિમા તો
અંદરની ચૈતન્યપ્રતિમાના સ્મરણનું નિમિત્ત છે, તેને બદલે પ્રતિમાના દર્શનથી ધન –
પુત્રાદિની ઈચ્છા કરવી કે રોગાદિ મટવાની ઈચ્છા કરવી તે તો પાપ છે; ને એવી
ઈચ્છા વગર ભગવાનના દર્શન–પૂજન કરે તો તે શુભભાવ છે; પણ આત્માનું કલ્યાણ
અને ધર્મ તો અંદર આત્મા પોતે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યપ્રતિમા શાશ્વત – ટંકોત્કીર્ણ છે
તેને લક્ષમાં લઈને તેના જ આશ્રયે થાય છે; એના આશ્રય વગર બીજી કોઈ રીતે
જીવનું કલ્યાણ નથી કોતર્યા વગરની શાશ્વત જ્ઞાયકમૂર્તિ–જિનપ્રતિમા આત્મા પોતે છે
તે જ પોતાનો દેવ છે અને તે જ ચૈતન્ય ચિંતામણિ છે, તેનાં દર્શન કરતાં ને તેનું
ચિંતન કરતાં મિથ્યાત્વાદિ પાપોનો નાશ થાય છે ને ઈષ્ટપદની સિદ્ધિ થાય છે. બાકી
પોતાને ભૂલીને પરને ભજે તેથી કલ્યાણ થાય તેમ નથી.
ગુરુદેવ સાથે પદ્મપ્રભુના દર્શનથી અને આવી અધ્યાત્મચર્ચાના શ્રવણથી
સૌને હર્ષ થયો, ને જયજયકારપૂર્વક સૌ જયપુર આવ્યા. ગુરુદેવના પધારવાથી અને
ભક્તિ વગેરે દેખીને પદ્મપુરીના વ્યવસ્થાપકો પણ ખુશી થયા.
જયપુરથી પદ્મપુરી જતાં વચ્ચે સાંગાનેર આવે છે, તે ત્રણસો – ચારસો વર્ષ પહેલાંં

PDF/HTML Page 9 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૭ :
રાજસ્થાનની રાજધાની હતું ને ત્યારબાદ જયપુર શહેર રચાયું છે. તે સાંગાનેરમાં છ
સાત પ્રાચીન વિશાળ જિનમંદિરો છે ને તેમાં સેંકડો મૂર્તિઓ બિરાજમાન છે; તે પણ
દર્શનીય છે. આ ઉપરાંત જુની રાજધાની આમેરમાં પણ પ્રાચીન જિનમંદિરો દર્શનીય છે.
જેઠ સુદ આઠમની રાત્રે ટોડરમલ – સ્મારક ભવનમાં વિદ્વાનોનું તેમજ ગામે
ગામના મુમુક્ષુ– સાધર્મીઓનું એક સંમેલન પૂ. ગુરુદેવની મંગલ છાયામાં થયું હતું;
ભાઈ શ્રી ખીમચંદભાઈ જે. શેઠની અધ્યક્ષતામાં ૧પ૨ ગામના મુમુક્ષુઓએ અધ્યાત્મ
તત્ત્વજ્ઞાનના ખૂબજ પ્રચાર માટે ક્રાંતિકારી આંદોલનના સુંદર વિચારો રજુ કર્યાં હતા.
બધા જ વકતાઓએ ‘આત્મધર્મ’ માસિક દ્વારા પૂ. ગુરુદેવનો અધ્યાત્મસન્દેશ મળે છે
તેની પ્રશંસા કરી હતી, અને ‘આત્મધર્મ’ પ્રત્યે પણ ખૂબ જ લાગણી બતાવીને તેના
વધારે વિકાસની ભાવના વ્યક્ત કરી હતી. આત્મધર્મ પ્રત્યે ભારતના જિજ્ઞાસુઓને
કેટલો આદર તથા કેટલી ઊંડી લાગણી છે, અને તેના દ્વારા ભારતમાં કેટલો મહાન
પ્રચાર થઈ રહ્યો છે તે દેખીને આશ્ચર્ય થતું હતું. સોનગઢમાં બેઠા બેઠા આપણને
ખ્યાલ પણ ન હતો કે ગુરુદેવનો કેટલો બધો અધ્યાત્મપ્રભાવ ભારતમાં ફેલાઈ રહ્યો
છે, – તે અહીં જયપુરમાં નજરે જોવા મળ્‌યું છે.
આ પ્રસંગે રાજસ્થાન જાગી ઊઠયું; મધ્યપ્રદેશ તો જાગેલો જ હતો, ત્યાં તો
સાગરવાળા શેઠ શ્રી ભગવાનદાસજીની અધ્યક્ષતામાં મધ્યપ્રદેશીમુમુક્ષુમંડળ દ્વારા
સુવ્યવસ્થિત સુંદર પ્રચારકાર્ય ચાલી રહ્યું છે; આ પ્રસંગે ઉત્તર પ્રદેશ પણ જાગૃત બન્યો ને
ઉત્તર પ્રદેશીય મુમુક્ષુમંડળની સ્થાપના કરીને સંગઠિત પ્રચાર માટે યોજના વિચારવામાં
આવી; દક્ષિણ પ્રદેશમાંથી પણ ઉત્સાહી યુવાન તત્ત્વપ્રેમી કાર્યકરો જાગ્યા છે, છ ભાઈઓ
જયપુર આવેલા, ને કન્નડ ભાષામાં પ્રચાર માટે તમન્ના બતાવી હતી. જૈનબાળપોથી
વગેરે સાહિત્ય કન્નડ ભાષામાં પ્રકાશિત કરીને શેઠ શ્રી જાગુરાજજી તરફથી પ્રચાર
કરવામાં આવ્યો છે. (જિજ્ઞાસુઓને જાણીને આનંદ થશે કે કન્નડ – આવૃત્તિના પ્રકાશનની
સાથેસાથે જૈનબાળપોથીની કુલ પ્રત ‘એકલાખ’ નો આંકડો વટાવી ગઈ છે; જૈન
સાહિત્યમાં અત્યારે કદાચ આ પહેલું જ પુસ્તક છે કે જેની એકલાખ ઉપરાંત પ્રતો પ્રકાશિત
થઈ હોય.) આમ ભારતની ચારે દિશામાં ગુરુદેવના પ્રતાપે વીતરાગી તત્ત્વ જ્ઞાનનું
જોરદાર આંદોલન પ્રસરી રહ્યું છે... જ્ઞાન પ્રચારની મોટી ભરતી આવી છે. સાથે સાથે
આપણા સુયોગ્ય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી પણ જ્ઞાનપ્રચારની ખૂબ ભાવના
ધરાવે છે, અને માત્ર સોનગઢ – સંસ્થામાં જ નહિ પરંતુ ભારતના બધા ભાગોમાં

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
જ્યાં જ્યાં મુમુક્ષુમંડળ હોય ત્યાં સર્વત્ર ધ્યાન આપીને પ્રેરણા અને પ્રોત્સાહન આપી
રહ્યા છે.
આપણે જેઠ સુદ આઠમ સુધી આવ્યા.... અઢાર દિવસ વીત્યા, હવે બે જ
દિવસ બાકી રહ્યા... શિક્ષણવર્ગોની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ... બહારથી આવેલા
મુમુક્ષુઓ હવે જવાની તૈયારી કરતાં કરતાં જયપુરની યાદી માટે ચીજવસ્તુની ખરીદી
કરવા લાગ્યા. જૈનપુરી જયપુરમાં જેમ અનેક જિનબિંબો બિરાજે છે તેમ, ભારતમાં
નવા પ્રતિષ્ઠિત થતા જિનબિંબોનો મોટો ભાગ પણ જયપુરમાં જ બને છે; એ
વીતરાગી જિન મૂર્તિઓનો મોટો સંગ્રહ પણ જોવા લાયક છે.... એક સાથે સેંકડો –
હજારો જિનબિંબો જોતાં પ્રસન્નતા થાય છે. જયપુરના ઘણા મંદિરો ઝવેરી બજારની
આસપાસ આવેલાં છે. બડા મંદિર, દીવાનજીકા મંદિર, ઢોલિયાનમંદિર,
ચોવીસીમંદિર, ખાનીયામંદિર વગેરે અનેક મંદિરો દર્શનીય છે. ગુરુદેવ સાથે એ
મંદિરોનાં દર્શન કરતાં આનંદ થતો હતો.
૧પ૨ ગામના સાધર્મી મુમુક્ષુઓએ ઉત્સાહથી મંદિરો જોયા, ઉત્સાહથી
પ્રવચનો સાંભળ્‌યા, ઉત્સાહથી એકબીજાને મળ્‌યા, ઉત્સાહથી શિક્ષણવર્ગમાં ભણ્યા, ને
ઉત્સાહથી પરીક્ષાઓ પણ આપી; હવે શિક્ષણવર્ગમાં પાસ થવાનું પ્રમાણપત્ર તથા
ઈનામ લેવાના પ્રસંગે તો ઉત્સાહ હોય જ.... અને તે પણ ગુરુદેવના સુહસ્તે લેવાનો
પ્રસંગ એટલે વિશેષ ઉલ્લાસ હતો.
જેઠ સુદ નોમની રાત્રે શિક્ષણવર્ગના પ્રમાણપત્રોની વહેંચણી થઈ; કોઈ B.A.
કોઈ M.A. કોઈ એન્જીનીયર, કોઈ ન્યાયાધીશ – એમ અનેકવિધ લૌકિક વિદ્યાની
ઊંચી પદવી ધરાવનારા યુવાન ભાઈ – બહેનો જ્યારે પ્રમાણપત્ર લેવા ઊભા થતા
ત્યારે તેમના મુખ પર એવો અહોભાવ દેખાતો હતો કે અમારા લૌકિકભણતર કરતાં
આ અલૌકિક વીતરાગી તત્ત્વજ્ઞાન જ જીવનમાં ખરૂં ઉપયોગી છે. ભાઈઓને
પ્રમાણપત્રો તથા ઈનામના પુસ્તકો પૂ. ગુરુદેવના સુહસ્તે અપાતા હતા; ને બહેનોને
પ્રમાણપત્રો તથા પુસ્તકો પૂ. બેનશ્રી –બેનના સુહસ્તે અપાતા હતા.
ગામેગામના યુવા સુશિક્ષિત ઉત્સાહી જિજ્ઞાસુઓએ જે રીતે ઉત્તમ સંસ્કારથી
ધાર્મિક શિક્ષણમાં ભાગ લીધો એટલું જ નહિ, પોતપોતાના ગામમાં આવા વીતરાગ
વિજ્ઞાનનો પ્રચાર કરવા માટે જે તમન્ના ધરાવી રહ્યા છે, તે જૈનશાસનને માટે મહાન
ઉન્નતિની નિશાની છે; ને તે દેખીને આનંદ થાય છે, સર્વત્ર તાત્ત્વિક વિચારની
એકતાનું સુંદર વાતાવરણ હતું, સૌ પોત પોતાની જ્ઞાનસાધનામાં જ મશગુલ હતા,

PDF/HTML Page 11 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૯ :
ન હતો ક્યાંય, વિખવાદ, કે ન હતો કોઈ વાદવિવાદ, ન હતી કોઈ શંકા – કુશંકા, –
સૌને હતું એક જ ધ્યેય કે કેમ આત્માનું હિત થાય! જ્યાં જુઓ ત્યાં પરસ્પર પ્રેમ
અને અનુમોદના હતા. ભિન્નભિન્ન દેશના સાધર્મીઓને દેખી દેખીને સૌ પ્રસન્ન
થતા હતા ને ધર્મ પ્રેમ માટે એકબીજાને ધન્યવાદ આપતા હતા. આ વાતાવરણ જોતાં
પૂજાની નીચેની કડી યાદ આવતી હતી –
તિસ થાન ધર્મ દૂજો ન કોય, જિનરાજ તણો ઈક ધર્મ હોય.
વળી અહીંનું વાતાવરણ જોઈને સૌરાષ્ટ્રના ઘણા જિજ્ઞાસુઓને એમ પણ થતું
કે અરે, સૌરાષ્ટ્રની આ મહાન અધ્યાત્મવિભૂતિ વડે જ્યારેે આખું ભારત જાગૃત બની
રહ્યું છે – ત્યારે સૌરાષ્ટ્ર તો જાણે ઊંધી રહ્યું છે! બે ત્રણ સ્થાનો સિવાય પાઠશાળા
પણ ક્્યાંય નિયમિત ચાલતી નથી, સ્વાધ્યાય – વાંચનમાં પણ ઢીલાશ દેખાય છે;
સૌરાષ્ટ્રના બંધુઓ – બહેનો! મુમુક્ષુ સાધર્મીઓ! સૌ જાગો... આપણા અમૂલ્ય
અધ્યાત્મ નિધાનનો લાભ લેવાના આ અવસરમાં ઊંઘો નહીં. બીજાઓ કરતાં
સૌરાષ્ટ્રની વધારે જવાબદારી છે. જયપુર–સંમેલનમાં જોયેલ મહાન સાધર્મીપ્રેમ,
જ્ઞાનની ઉત્કંઠા, જૈનધર્મના પરમ મહિમાપૂર્વક તેના પ્રચારની ભાવના – એ બધાયનું
અનુકરણ કરીને સૌરાષ્ટ્રમાં જૈનશાસનનો એવો મહાન જયજયકાર ગજાવો – કે
ભારતની ધાર્મિક રાજધાની તરીકે કે વધુ ઝળકી ઊઠે.
જયપુરમાં જેઠ સુદ દશમ આવી... વીસ દિવસનો જ્ઞાનયજ્ઞ આનંદ સાથે
સમાપ્ત થયો. ૨૦ દિવસના આ જ્ઞાન –મહોત્સવની ખુશાલીમાં જૈનધર્મપ્રભાવક
મહાન રથયાત્રા નીકળી હતી.
આગલી રાત્રે તો બે થી પાંચ વાગ્યા સુધી સખ્ત વાવાઝોડા સાથે ધોધમાર
વરસાદ વરસ્યો. છ વાગે તો ધામધૂમપૂર્વક રથયાત્રાની તૈયાર કરવાની હતી. વરસાદ
દેખીને જરાક ચિંતા પણ થતી હતી કે રથયાત્રાનું શું થશે? – પણ આ તો જૈન શાસનનો
પ્રભાવ! કુદરત જૈનશાસનને અનુકૂળ હતી... રાત્રે ધોધમાર વરસાદે જયપુરના ગંદા
રસ્તાઓ ધોઈને સાફ કરી નાંખ્યા, અને સવારમાં જયપુરની સખ્ત ગરમીને બદલે
શીતલમધુર વાતાવરણ સર્જી દીધું. આમ ઋતુ પોતે આશ્ચર્યકારી રીતે જિનેન્દ્ર ભગવાનની
સેવામાં અનુકૂળ થઈ ગઈ. ન વરસાદ.. ન ગરમી.. એવા શાંત સ્વચ્છ મધુર વાતાવરણ
વચ્ચે મહાન રથયાત્રામાં યાત્રિઓએ આનંદથી ભાગ લીધો. જાણે કે

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
ધર્મવૃષ્ટિ પ્રત્યે પોતાના હર્ષ બતાવવા માટે જ આકાશે જલવૃષ્ટિ કરી હોય, – એમ મધુર
વાતાવરણ સર્જીને તે વરસાદ બરાબર સમયસર અટકી ગયો. અને આનંદમય મધુર
વાતાવરણ વચ્ચે સવારમાં સાડા છ વાગતાં તો આખી નગરીમાં હર્ષોલ્લાસ ફેલાવતી ને
જૈનધર્મના જયજયકાર ગજાવતી રથયાત્રા શરૂ થઈ. શી ભવ્ય એ રથયાત્રા! અજમેરનો
ઐરાવત હાથી ને સફેદ ઘોડાવાળો સુંદર સોનેરી રથ આ રથયાત્રાની શોભા વધારવા
આવી પહોંચ્યા હતા. સોએક વર્ષ પહેલાંં બનેલો અજમેરનો આ રથ રાજસ્થાનમાં
પ્રસિદ્ધ છે, તેની શોભા સુંદર છે. તે રથમાં બેઠા ભગવાન.... ને તેને હાંકવા બેઠા
ગુરુકહાન! જિનરથના એ સારથી ખુશખુશાલ હતા... ને જૈનધર્મનો આવો મહાન
પ્રભાવ દેખીને હજારો હૈયા આનંદિત થતા હતા. અનેક બેન્ડવાજાં ને એકવીસ હાથી વડે
શોભતા એ ભવ્ય જુલુસમાં સૌથી મોખરે હાથીપર ગોદિકાજીના સુપુત્રો સુધીરભાઈ
અને સુશીલભાઈ ધર્મધ્વજ ફરકાવતા હતા. અજમેરી ગેઈટ પાસે મહાવીરપાર્કથી શરૂ
થઈને ત્રિપોલિયા બજાર, ઝવેરીબજાર અને બાપુબજાર તથા સાંગાનેરી દરવાજા –
રામલીલા મેદાન પાસે થઈને મ્યુઝીયમના વિશાળ પટાંગણમાં રથયાત્રા પૂરી થઈ, ત્યારે
એકસાથે એકવીસ હાથીઓ સૂંઢ વડે સલામી આપતા હતા. પચાસહજાર જેટલા દર્શકોની
ભીડથી મેદાન તો ઉભરાતું હતું, ને અદ્ભુત જયજયકારથી વાતાવરણ ગાજતું હતું.
ભક્તોની અપાર ભીડ આનંદથી રથયાત્રા ભાગ લેતી હતી, તો દર્શકોની મોટી ભીડથી
મોટામોટા મકાનોની અગાશીઓ ને અટારીઓ ચિકકાર હતી. પહોળા રસ્તાઓ માટે
જેની પ્રસિદ્ધિ છે એવા જયપુરના રસ્તાઓ પણ આજની રથયાત્રા માટે તો સાંકડા
પડતા હતા. તેમાંય ઝવેરીબજારમાંથી જ્યારે ભગવાનનો રથ પસાર થયો ત્યારે તો
અદ્ભુત દ્રશ્ય હતું. જાણે આખી જયપુરનગરી જૈનધર્મનો પ્રભાત જોવા ઉમટી પડી હતી.
જૈનશાસનના મહાન ઝગમગાટ પાસે ઝવેરીબજારનું ઝવેરાત પણ ઝાંખુ લાગતું હતું.
તેથી બિચારું ક્્યાંક સંતાઈને બેઠું હતું! અને કદાચ ખુલ્લું બેઠું હોત તોપણ ભગવાનના
રથની શોભા જોવામાં ને ભજન–ભક્તિમાં! મશગુલ ભક્તોને એ ઝવેરાત સામે
જોવાની ફૂરસદે ક્્યાં હતી? જૈનશાસનનો અને ગુરુદેવનો આવો અદ્ભુત પ્રભાવ
દેખીને પૂ. બેનશ્રી – બેન પણ ઘણો જ હર્ષોલ્લાસ વ્યક્ત કરતા હતા.....
રથયાત્રા પૂરી થઈ... બપોરે પ્રવચન તથા આભારવિધિ સહિત વીસ દિવસનો
આ ભવ્ય જ્ઞાનમહોત્સવ પણ પૂરો થયો... તે વીતરાગવિજ્ઞાન જગતનું કલ્યાણ કરો.

PDF/HTML Page 13 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૧ :
ઉપસંહારમાં એટલું કહેવાનું કે – વીતરાગી તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે થયેલા
આ મહાન સંમેલનમાં બહારની પણ જે મોટી ધામધૂમ થઈ, – તેનો ખરો મહિમા
નથી, પણ જે તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે આ બધું આયોજન કરવામાં આવે છે તે
તત્ત્વજ્ઞાનનો ખરો મહિમા છે.... અને એ તત્ત્વજ્ઞાનનો લાભ ગુરુદેવ પાસે સોનગઢમાં
નિરંતર પ્રાપ્ત થાય છે; માટે જે જિજ્ઞાસુઓ જયપુરની ધામધૂમ જોવામાં રહી ગયા
હોય તેઓ પણ તત્ત્વજ્ઞાનનો લાભ લઈને પોતાનું પ્રયોજન સફળ કરી શકે છે; અને
જેઓને જયપુરની ધામધૂમ નજરે જોઈ હોય તેઓએ પણ તત્ત્વજ્ઞાનનો મહિમા
લાવીને તેની ભાવના કરવા જેવું છે. વીતરાગી તત્ત્વજ્ઞાન આત્મામાં પરિણમીને
સ્વાનુભૂતિ થાય તે જ પરમ આનંદકારી અપૂર્વ મહોત્સવ છે.
જય હો....... આત્મહિતકારી વીતરાગી તત્ત્વજ્ઞાનનો.
જય હો.... એ તત્ત્વજ્ઞાનનો બોધ દેનારા ગુરુકહાનનો.
(ઈતિ શ્રી જયપુર–મહોત્સવ વર્ણન)
જેઠ સુદ ૧૧ની સવારમાં જયપુરમાં સીમંધર ભગવાનના દર્શન કરીને
ભાવભીની વિદાયપૂર્વક ગુરુદેવ ત્રીસ યાત્રિકો સહિત વિમાનમાં જયપુરથી અમદાવાદ
આવ્યા; અમદાવાદના ભવ્ય જિનાલયમાં બપોરે સમયસાર ગાથા ૧પ ઉપર પ્રવચન
તથા ભક્તિ કરીને સાંજે બગોદરા ગામે આવ્યા. ને બીજે દિવસે જેઠ સુદ ૧૨ ના
રોજ ભાવનગર પધાર્યા. ત્યાં ચાર દિવસ રહ્યા છે સમયસાર ગાથા ૭૨ ના
પ્રવચનમાં હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો. જુના દિગંબર મંદિરમાં ઉપર
ખડ્ગાસન ચંદ્રપ્રભુના શ્યામ પ્રતિમાજીની ભાવભીની મુદ્રા દેખીને ગુરુદેવ પ્રસન્ન
થયા.... જેઠ વદ બીજના રોજ ગુરુદેવ પુન: સોનગઢ પધાર્યા... સોનગઢમાં ગુરુદેવ
સુખ – શાંતિમાં બિરાજે છે; ને સવારે નિયમસાર શુદ્ધભાવઅધિકાર ઉપર તથા
બપોરે નાટક – સમયસારનાં નિર્જરાઅધિકાર ઉપર શાંત રસઝરતા પ્રવચનો ચાલે
છે... મધુર અધ્યાત્મ વાતાવરણમાં મુમુક્ષુઓ લાભ લઈ રહ્યા છે... આપ પણ લાભ
લેવા વેલા સોનગઢ પધારજો. – જય જિનેન્દ્ર!
[જયપુર–રથયાત્રાના ફોટા તારથી મંગાવેલ, પણ વખતસર આવી શક્્યા નથી.]

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧ર : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
જયપુર શહેરમાં વૈશાખ વદ છઠ્ઠથી જેઠ સુદ દશમ
વીસ દિવસ સુધી અધ્યાત્મ–જ્ઞાનપ્રચારનો મહાન ઉત્સવ થયો,
તે દરમિયાન ટોડરમલ–સ્મારકભવનમાં પૂ. શ્રી કાનજી
સ્વામીનાં પ્રવચનનો હજારો શ્રોતાજનોએ લાભ લીધો;
સમયસાર ગાથા ૬ થી ૧પ તથા પ્રવચનસાર ગાથા ૧ થી ૧૬
સુધીનાં તે પ્રવચનોમાંથી દોહાન કરીને કેટલોક ભાગ
ગતાંકમાં આપ્યો હતો; બીજો ભાગ અહીં આપી છીએ.
હે પંચપરમેષ્ઠી ભગવંતો!
વીતરાગતાના આ આનન્દ–ઉત્સવમાં પધારો... પધારો... પધારો...
શ્રી કુંદકુંદસ્વામી શુદ્ધોપયોગ વડે મોક્ષલક્ષ્મીને સાધતાં–સાધતાં તેના મંગલરૂપે કહે
છે કે–અહો, આ મોક્ષલક્ષ્મીના સ્વયંરમાં હું પંચપરમેષ્ઠી ભગવંતોને મારા આંગણે બોલાવું
છું: હે પંચપરમેષ્ઠી ભગવંતો! હે વિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવંતો! ગણધર
ભગવંતો! આપ સૌ વીતરાગતાના આ આનંદઉત્સવમાં પધારો... પધારો...પધારો...મારી
શુદ્ધ ચૈતન્યસત્તાનો નિર્ણય કરીને તેમાં હું આપને પધરાવું છું, ને સમસ્ત રાગાદિ
પરભાવોને જુદા કરું છું. આવા મંગલપૂર્વક મોક્ષને સાધવાનો આ મંગલસ્થંભ રોપાય છે.
શુદ્ધપયોગરૂપ ધર્મ તે મોક્ષમાર્ગ છે, તેને અલૌકિક વર્ણન આ પ્રવચન સારમાં
છે. જૈનમુનિઓ આવા શુદ્ધોપયોગરૂપે પરિણમેલા છે. અહા, ધન્ય એમનો અવતાર!
ધન્ય એમની દશા! મોક્ષ તેમને અત્યંત નજીક છે. ચૈતન્યના કેવળજ્ઞાનના કપાટ
ખોલવા માટે તેઓ કટિબદ્ધ થયા છે. – આવી મુનિદશા હોય છે. આવા મુનિને તો
અમે ‘ભગવાન’ ગણીએ છીએ. સમસ્ત પરિગ્રહ છોડીને, આત્મજ્ઞાન ઉપરાંત
શુદ્ધોપયોગરૂપ મુનિધર્મને અંગીકાર કર્યો છે, કદાચિત શુભઉપયોગ થાય છે પણ
તેનાથી ઉદાસીન છે, અશુભપરિણતિ તો તેમને થતી જ નથી; દેહની ક્રિયા સહજપણે

PDF/HTML Page 15 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૩ :
અનેકપ્રકારે થાય છે તેમાં ખેંચતાણ કરતા નથી. બહારમાં સંપૂર્ણ દિગંબર સૌમ્ય
મુદ્રાના ધારક, અને અંતરમાં શુદ્ધોપયોગરૂપ પરમ સમતાના ધારક, આવા વીતરાગ
સંત–મુનિઓનાં ચરણોમાં નમસ્કાર હો... નમસ્કાર હો
णमो लोए सव्वसाहूणं।
અહો, પંચપરમેષ્ઠી – પરમપદને પામેલા ભગવંતો..... તેમને નમસ્કાર કર્યાં
તેમાં શુદ્ધાત્માનો જ આદર છે. મુનિઓને નમસ્કાર કર્યાં, તે મુનિઓને શુદ્ધોપયોગ છે
અને સાથે હજી વિકલ્પ પણ છે, પરંતુ તે વિકલ્પ કાંઈ વંદનીય નથી, વંદનીય તો
શુદ્ધોપયોગ જ છે. – આવા વિવેકપૂર્વક નમસ્કાર કર્યાં છે.
નમસ્કાર કરતી વખતે, નમસ્કાર કરનાર પોતાને જે શુભવિકલ્પ છે તેને તે
આદરણીય નથી માનતા; નમસ્કાર કરવાયોગ્ય જે શુદ્ધોપયોગ તેને જ આદરણીય
માને છે. જો રાગને આદરણીય માને તો સાચા નમસ્કાર થતા નથી, કેમકે તે તો રાગ
તરફ નમી ગયો!
પંચપરમેષ્ઠી – તેમાં અનેક તીર્થંકરો, લાખો અરિહંતો, અનંત સિદ્ધભગવંતો
શુદ્ધ ચૈતન્યસત્તાવાળા તથા કરોડો મુનિવરો – શુદ્ધોપયોગરૂપે પરિણમેલા, તેમને
ઓળખીને જે જ્ઞાને તેમની શુદ્ધસત્તાનો સ્વીકાર કર્યો તે જ્ઞાનની તાકાત કેટલી? તે
જ્ઞાન રાગમાં નથી ઊભું; તેણે તો રાગથી પાર થઈને પોતાના સર્વજ્ઞસ્વભાવને
સ્વસંવેદન – પ્રત્યક્ષરૂપ કર્યો છે. આમ પોતાના શુદ્ધઆત્મતત્ત્વના નિર્ણયપૂર્વક પંચ
પરમેષ્ઠીને સાચા નમસ્કાર થાય છે; ને તે મોક્ષના ઉત્સવનું અપૂર્વ મંગલાચરણ છે.
સમ્યગ્દર્શન તે પણ અતીન્દ્રિય આનંદના ઉત્સવનો પ્રસંગ છે, ને મુનિદશા તે તો ઘણા
જ અતીન્દ્રિય આનંદના ઉત્સવનો પ્રસંગ છે. તેનું આ મંગલમુહૂર્ત થાય છે.
(હવે સમયસાર ગાથા ૬: વૈશાખ વદ આઠમ –) જુઓ, અહીં આત્માનું
શુદ્ધસ્વરૂપ દેખાડે છે. ‘આત્મા શુદ્ધ છે’ એમ ક્્યારે કહેવાય? – કે જ્યારે તેની
સન્મુખ થઈને તેની ઉપાસના કરે ત્યારે આત્માને શુદ્ધ જાણ્યો કહેવાય.
કોઈ કહે – તમે આત્માને શુદ્ધ કહ્યો તે અમે સ્વીકારી લીધો!
તો આચાર્યદેવ કહે છે કે –ભાઈ! કોની સામે જોઈને તેં સ્વીકાર કર્યો? એકલા
શબ્દો સાંભળીને ‘હા’ પાડે એ તો વિકલ્પ છે, તેને ખરો સ્વીકાર કહેતા નથી.
શબ્દોના વાચ્ચરૂપ સ્વવસ્તુ અંતરમાં કેવી છે તેના લક્ષપૂર્વક જ તેનો સાચો સ્વીકાર

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
થાય છે. વસ્તુ પોતાના જ્ઞાનમાં આવે ત્યારે જ તેનો સાચો સ્વીકાર થાય. જ્ઞાન વગર
અજ્ઞાનમાં સ્વીકાર કોનો? આ રીતે સ્વસન્મુખ થઈને જ શુદ્ધઆત્માનો સ્વીકાર થાય
છે. માટે કહ્યું કે સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા જ્ઞાયકભાવને
‘શુદ્ધ’ કહેવાય છે. શુદ્ધઆત્માની ઉપાસનામાં અનંત ગુણોની નિર્મળપર્યાય સમાય છે.
પ્રશ્ન:– વસ્ત્ર પહેર્યાં હોય ને આવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય?
ઉત્તર: – હા; આવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ સવસ્ત્રદશામાં પણ થઈ
શકે છે; અને આવો અનુભવ કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. પછી મુનિદશામાં તો
ઘણો ઉગ્ર નિર્વિકલ્પ અનુભવ વારંવાર થાય છે. ગૃહસ્થને તો કોઈ કોઈ વાર જ
નિર્વિકલ્પ અનુભવ થાય છે. પણ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે જ ધર્મની શરૂઆત
થાય છે, એના વગર ધર્મ હોતો નથી.
આત્મા ‘જ્ઞાયકભાવ’ છે.
‘જ્ઞાયક’ પરને જાણે છે –એવો જ્ઞેયજ્ઞાયકપણાનો વ્યવહાર છે; તોપણ જ્ઞેયની
ઉપાધિ તેને નથી, જ્ઞેયો છે માટે આને જ્ઞાયકપણું છે. એમ નથી, જ્ઞેયકૃત અશુદ્ધતા
તેને નથી; પરજ્ઞેય તરફ ન જુએ ને પોતે પોતાના સ્વરૂપને જ સ્વસન્મુખપણે પ્રકાશે
ત્યારે પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. – પરજ્ઞેયની અપેક્ષા જ્ઞાયકને નથી. પરસન્મુખ
થઈને જાણે એવો તેનો સ્વભાવ નથી; માટે જ્ઞાનમાં પરની ઉપાધિ નથી.
અહો, જ્ઞાયકનું જ્ઞાયકપણું રવત: પોતાથી જ છે. પરજ્ઞેયને જાણતી વખતે પણ
તે પોતાથી જ જ્ઞાયક છે; ને પરજ્ઞેયને ન જાણે ત્યારે સ્વજ્ઞેયને પોતાને સ્વયં પ્રકાશતો
થકો તે પોતે ‘જ્ઞાયક’ જ છે. સ્વ–પરપ્રકાશકશક્તિ સ્વયં પોતાથી છે, તેમાં પરજ્ઞેયની
ઉપાધિ કે આલંબન નથી.
આત્મામાં વીતરાગતાને જે રચે તે જ સાચું આત્મવીર્ય છે. બાકી રાગાદિ
વિકારને રચીને સંસારમાં રખડે તેને સાચું આત્મવીર્ય કહેતા નથી. અહીં તો ચારે
ગતિનાં દુઃખથી ડરીને જે મુમુક્ષુ આત્માનું હિત કરવા માંગે છે તેની વાત છે. ચારે ગતિ
દુઃખ છે. ચાર ગતિનો જેને ભય હોય તે તેના કારણરૂપ પુણ્યને કેમ ઈચ્છે છે? જેને
પુણ્યમાં મીઠાશ લાગે છે, પુણ્યનો આદર છે તેને ચારે ગતિનો ભય નથી લાગ્યો, તેને
નરકનો ભય છે પણ સ્વર્ગની તો ઈચ્છા છે. જે પુણ્યને ઈચ્છે છે તે સ્વર્ગની ગતિને
ઈચ્છે છે ને જે સ્વર્ગને ઈચ્છે છે તે સંસારને જ ઈચ્છે છે. આત્માના મોક્ષને જે ઈચ્છે તે

PDF/HTML Page 17 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૫ :
સંસારના કારણરૂપ પુણ્યરાગને કદી ભલો ન માને; તે તો ચૈતન્યસ્વભાવના આશ્રયે
વીતરાગભાવને જ ભલો માને છે. શુભરાગનો કણ પણ ધર્મીને કષાયની અગ્નિ જેવો
લાગે છે. ક્્યાં વીતરાગતાની શાંતિ! ને ક્યાં રાગની આકુળતા! જેમ શીતળ પાણીમાં
પોષાયેલું માછલું, તે અગ્નિમાં તો દાઝે ને ઉની રેતીમાં પણ તે દાઝે તેમ ચૈતન્યના
શુદ્ધોપયોગની જે વીતરાગી શીતળશાંતિ, – તેમાં પોષાયેલા સંતોને અશુભની તો શી
વાત, પણ શુભમાંયે આકુળતાની કષાયઅગ્નિ જેવી બળતરા થાય છે. ધર્મી તેને પણ
છોડીને શુદ્ધોપયોગરૂપ સમભાવને પ્રાપ્ત કરવા માંગે છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
કુંદકુંદાચાર્યદવે કષાયકણરૂપ શુભને છોડીને અંતરમાં શુદ્ધોપયોગરૂપ
સામ્યભાવને અંગીકાર કર્યો, એટલે આત્મામાં સાક્ષાત્ મોક્ષમાર્ગ પરિણમાવ્યો. જુઓ
મોક્ષમાર્ગ પ્રગટે ત્યાં જીવને પોતાને તેની ખબર પડે છે. પહેલાંં નિર્વિકલ્પ અનુભૂતિ
સહિત સમ્યગ્દર્શન થાય છે ત્યારે મોક્ષમાર્ગ શરૂ થાય છે. અહીં તો તે સમ્યગ્દર્શન
ઉપરાંત ચારિત્રદશાની, અને તેમાં પણ શુદ્ધોપયોગની વાત છે. શુદ્ધોપયોગ જ સાક્ષાત્
મોક્ષમાર્ગ છે.
(– જયપુર – પ્રવચનો: ચાલુ: વિશેષ માટે જુઓ પાનું ૩૧)
અડોલ સાધક
જગતમાં પ્રતિકૂળતાના ડુંગરા તૂટી પડતા હોય, અજ્ઞાનીઓ
સત્યધર્મનો વિરોધ કરતા હોય, અન્યાય થતો હોય, છતાં જ્ઞાનમાં
વિકલ્પ કરવાનો કે આકુળતા કરવાનો સ્વભાવ નથી; શું સિદ્ધ
ભગવંતો આકુળતા કરે છે? ના; પ્રતિકૂળતાના વાયરામાં એવી
તાકાત નથી કે જ્ઞાનના પહાડને ડગાવી દ્યે, અનાકુળપણે રહેવાનો
જ્ઞાનનો સ્વભાવ છે. આવા બેહદ વીતરાગ શાંતસ્વભાવથી આત્મા
ભરેલો છે. અહા, આત્મસ્વભાવ તો વીતરાગી નિર્મળ કાર્યને જ
કરનારો ને આનંદનો જ દેનારો છે. – આવી આત્મ સાધનાના પંથે
ચડેલા સાધકને જગતની કોઈ પ્રતિકૂળતા ડગાવી શકતી નથી કે
મુંઝવી શકતી નથી. (આત્મવૈભવ)

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
“नाटक सुनत हिये फाटक खुलत है”
સમયસાર નાટક દ્વારા શુદ્ધાત્માનું શ્રવણ કરતાં
હૈયાનાં ફાટ ખુલ્લી જાય છે
(સમયસાર – નાટકનાં અધ્યાત્મરસઝરતાં પ્રવચનોમાંથી (લેખાંક: ૬)
જિનશાસ્ત્રોમાં છ દ્રવ્યોનું વર્ણન કર્યું છે, તેમાં જીવનું સ્વરૂપ જાણીને તેનો
અનુભવ કરવો. જીવાદિ નવતત્ત્વોનું સાચું જ્ઞાન તે પણ ભેદજ્ઞાનનું અને આત્મ
અનુભવનું કારણ છે. તેમાં પ્રથમ જીવતત્ત્વ કેવું છે? –
समता रमता ऊरधता ज्ञायकता सुखभास।
वेदकता चैतन्यता ए सब जीव विलास।। २६।।
પહેલાંં ૨૦ મા શ્લોકમાં છ દ્રવ્યમાંથી જીવદ્રવ્યનું વર્ણન હતું; અને આ
શ્લોકમાં નવતત્ત્વમાંથી જીવતત્ત્વનું વર્ણન છે.
સમતા એટલે વીતરાગભાવ તેમાં રમણતારૂપ લીનતા, તે જીવનો સ્વભાવ
છે. રાગમાં રમે એવો જીવનો સ્વભાવ નથી, વીતરાગી સમભાવમાં રમે એવો જીવનો
સ્વભાવ છે; વળી ઊર્ધ્વગમન તેનો સ્વભાવ છે, મોક્ષ થતાં ઊર્ધ્વગમન કરીને
સિદ્ધાલયમાં વસે છે. વળી જીવ જ્ઞાયકસ્વભાવ છે; જ્ઞાયકપણું જ એનો સ્વભાવ છે.
‘રમતા’ એટલે રમ્યપણું; જગતમાં આત્મા જ રમ્યવસ્તુ છે, તેનાથી જ બધું
શોભે છે. અને આત્માને સ્વભાવનું એવું ઊર્ધ્વપણું એટલે કે મુખ્યપણું છે કે તેની
વિદ્યામનતામાં જ જગતના પદાર્થો જણાય છે, એટલે જગતના પદાર્થોમાં સૌથી
આગળ સૌથી મુખ્ય સૌથી પ્રધાન વસ્તુ આત્મા જ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ આ સમયસાર–નાટક વાંચીને આ ૨૬ અને ૨૭ મા
શ્લોકનો સરસ અધ્યાત્મઅર્થ લખ્યો છે, તે નીચે પ્રમાણે છે –
‘જીવ’ નામનો પદાર્થ જેવો છે તેવો શ્રી તીર્થંકર પરમદેવે સ્પષ્ટ જાણ્યો

PDF/HTML Page 19 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૭ :
છે, અનુભવ્યો છે, અને તે જ પ્રકારે પ્રગટ કહ્યો છે. અમે પોતે સ્પષ્ટ પ્રગટણે આવા
આત્મા છીએ, ને તમારા આત્માને તમે પણ આવો જ સમજો.
આત્મા કેવો છે? પ્રથમ તો ‘સમતા’ લક્ષણથી યુક્ત છે. વર્તમાનમાં જેવી
અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ છે તેવી જ ત્રણેકાળ તેની સ્થિતિ છે. તેનું
અસંખ્યપ્રદેશીપણું, ચૈતન્યપણું, અરૂપીપણું વગેરે સમસ્ત સ્વભાવો કોઈપણ
કાળે છૂટતા નથી, સદા એવાને એવા રહે છે એવું ‘સમણપું’ એટલે કે ‘સમતા’
આત્માનું લક્ષણ છે.
વળી આત્મામાં ‘રમતા’ છે, રમતા એટલે રમ્યપણું, રમણીયતા, સુંદરતા,
શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આવો રમ્ય જે આત્મા, તેમાં હે જીવ! તું રમક થા.
ત્વરાથી તેમાં રમણ કર, ને બીજામાં રમણ છોડ. રમતા એટલે રમણીયપણું
(રમ્યસ્થાન) તો આત્મામાં છે, બીજું કોઈ રમ્ય સ્થાન નથી.
પશુ–પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કાંઈ રમણીયપણું જણાય
છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફુર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત
લાગે છે, તે રમણીયપણું એટલે કે રમતા – રમ્યતા જીવને લીધે છે; જેના વિના આખું
જગત શૂન્યવત્ ભાસે છે એવું રમ્યપણું જેનું લક્ષણ છે તે જીવ છે. જીવ ન હોય તો
આ શરીર કેવું લાગે? જીવ વગરનું શરીર–મડદું તો જોવુંય ન ગમે. જીવના
અસ્તિત્વથી જ બધી શોભા છે. આ રીતે જીવમાં જ રમ્યપણું છે. આવા રમ્ય
આત્માને જાણીને તેમાં ત્વરાથી રમક થાઓ, ને પરભાવોમાં રમણતા છોડો.
હવે ‘ઊર્ધ્વતા’ ના અર્થમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે – ‘કોઈ પણ જાણનાર,
ક્્યારે પણ, કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા
યોગ્ય નથી; પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈપણ પદાર્થનું ગ્રહણ
ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે; બીજા પદાર્થના
અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે (જીવ) હોય તો જ
(જ્ઞાન) થઈ શકે, – એવો સર્વથી પ્રથમ રહેનારો (એટલે કે સર્વથી મુખ્ય) જે
પદાર્થ છે તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કાંઈ પણ
જાણવા ઈચ્છે – તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું
કંઈ જાણી શકાય. આવો પ્રગટ ‘ઊર્ધ્વતા–ધર્મ’ જેને વિષે છે તે પદાર્થને શ્રી
તીર્થંકર ‘જીવ’ કહે છે. ’

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
જુઓ, અંતરની અધ્યાત્મદ્રષ્ટિથી જીવના સ્વરૂપની આ અલૌકિક વ્યાખ્યા છે.
શ્રીમદ્ને અંતરની અધ્યાત્મદ્રષ્ટિ હતી, તેથી અંદરના સૂક્ષ્મ અધ્યાત્મભાવો ખોલીને
અર્થ લખ્યા છે. જાણનારો એવો જીવ પોતે ન હોય તો પદાર્થોને જાણે કોણ? ‘આ
શરીર – મકાન બધાને હું જાણું છું, – પણ મારો આત્મા છે કે નહીં – તેની મને ખબર
નથી’ – એમ જીવ પોતાના અસ્તિત્વને જ ભૂલી રહ્યો છે. અરે, પોતે જ કહે કે હું મને
દેખાતો નથી – એ તે કેવી મુર્ખાઈ? કેવું અજ્ઞાન?
ઘટ–પટ આદિ જાણ તું તેથી તેને માન;
પણ જાણનારને માન નહીં, – કહિયે કેવું જ્ઞાન?
દેહ ન જાણે દેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.
બાપુ! આ બધા પદાર્થો છે – તે જણાય છે ને? .... હા; તો કોની સત્તામાં તે
બધું જણાય છે? જેના અસ્તિત્વમાં બધું જાણે છે તે તું જ છો; તું જ બધાને જાણનારો
જ્ઞાનસ્વરૂપ છો દેહને કાંઈ ખબર નથી કે ‘હું દેહ છું. ’ ‘આ દેહ છે, આ ઈંદ્રિયો છે’
એવું જે જાણે છે તે જાણનારો પોતે દેહાદિરૂપ થયો નથી, પણ દેહથી ભિન્ન રહીને તેને
જાણે છે. આવો જાણનારો પદાર્થ તે પોતે જીવ છે. તેથી જ્ઞાની કહે છે કે –
‘જાણનારનો જાણ્યા વગર ધર્મ થાય નહીં.’
‘જેણે આત્મા જાણ્યો તે સર્વ જાણ્યું.’
–જુઓ, આ આત્માના જ્ઞાનસ્વભાવની મુખ્યતા. મુખ્યતા એટલે ઊર્ધ્વતા.
‘પ્રથમ જીવ હોય તો જ પદાર્થો જણાય. ’ – અહીં પ્રથમ પહેલાંં આત્મા હતો ને પછી
જ્ઞેયો થયા–એવો તેનો અર્થ નથી. પણ પ્રથમ એટલે મુખ્ય, ઊર્ધ્વ; પોતે પોતામાં
રહીને બધાને જાણી લ્યે, બધાયને જાણવા છતાં બધાથી જુદો રહે – અધિક રહે,
રાગાદિને જાણવા છતાં પોતે રાગરૂપ ન થાય, પોતે જ્ઞાનરૂપ જ રહે – આવું
અચિંત્યજ્ઞાનસામર્થ્ય જીવમાં એકલામાં જ છે, તેથી તેનામાં ઊર્ધ્વતા છે. આવા
આત્માને જાણતાં જીવ ઊર્ધ્વ એવી સિદ્ધગતિને પામે છે. આત્મા જ્યારે મોક્ષ પામે
ત્યારે એક સમયમાં સ્વાભાવિ ઊર્ધ્વગમન કરીને તે સિદ્ધક્ષેત્રમાં સાદિઅનંતકાળ સુધી
સ્થિર રહે છે ને અનંત આનંદ સહિત સદાકાળ નિજસ્વરૂપમાં બિરાજે છે. –
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊધ્વર્ગગમન સિદ્ધાલય–પ્રાપ્ત સુસ્થિત જો;