Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૩૫
અહો, આત્મઅનુભૂતિ!
સમ્યકત્વભાવે પરિણમેલો હું જાણું છું કે મારા
સમ્યકત્વાદિમાં હું જ છું; મારો આત્મા જ સમ્યક્ત્વરૂપ છે.–
आदा खु मज्झ णाणे आदा मे दसणे चरित्ते य
મારા જ્ઞાન–દર્શન–ચારિત્રમાં મારો આત્મા જ છે; બીજું કોઈ
નહીં. મારા જ્ઞાન–દર્શન–ચારિત્રમાં જ હું છું, એનાથી બહાર કાંઈ હું
નથી.
–આવી જેને આત્મઅનુભૂતિ છે તે જીવ ધર્મી છે. તેના
સમ્યકત્વાદિ સર્વ ભાવોમાં આત્મા જ ઉપાદેય છે. સમ્યક્ત્વાદિમાં
આત્મા જ નજીક છે, ને પરભાવો દૂર છે–બહાર છે.
વિકલ્પો મારા સમ્યકત્વ–જ્ઞાનાદિમાં નિકટ નથી પણ દૂર છે. મારો
પરમ આત્મા જ મારા સમ્યક્ત્વ–જ્ઞાનાદિમાં નિકટ છે, જરાય દૂર નથી.
આ રીતે સર્વત્ર પોતાનો આત્મા જ ઉપાદેય છે. જ્ઞાની જાણે
છે કે સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે હું પરિણમેલો છું ને મારી આ
ચેતનામાં હું જ તન્મય છું. વાહ, આત્મઅનુભૂતિ!

PDF/HTML Page 2 of 44
single page version

background image
“चक्षुरुन्मिलीतं येन तस्मै श्रीगुरुवे नमः”
(જયપુર ફોટો: જેઠ સુદ પાંચમ: ૨૪૯૭)

PDF/HTML Page 3 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ ભાદ્રપદ
ચાર રૂપિયા
Sept¸ 1971
* વર્ષ ૨૮ : અંક ૧૧ *
ધર્માત્માની ગંભીર પરિણતિનું સ્વરૂપ સમજાવતું
આત્મ–અનુભૂતિપ્રેરક આનંદમય પ્રવચન
શ્રાવણ વદ બીજનું આ મંગલપ્રવચન છે. ધર્માત્માની
ગંભીર ચેતનાપરિણતિ–કે જે રાગાદિ સમસ્ત પરભાવોથી
અત્યંત જુદી, ચૈતન્યમાં એકત્વભાવે નિરંતર વર્તે છે–તે
પરિણતિને ઓળખતાં ચૈતન્યનું અને રાગનું પોતામાં
ભેદજ્ઞાન થઈને આત્મસાક્ષાત્કાર થાય છે,–તે જ ધર્માત્માની
પરમાર્થ ભક્તિ છે; આવી ભક્તિવડે અવશ્ય મુક્તિ થાય છે.
તે ચેતનાપરિણતિની સાચી ઓળખાણ અને આત્મઅનુભૂતિ
કેમ થાય તેનું અદ્ભુતવર્ણન ગુરુદેવે આ પ્રવચનમાં કર્યું છે;
અને ગુરુદેવ કહે છે કે આ તો મંગલ બીજના નિમિત્તે
અધ્યાત્મના બદામપાક પીરસાય છે. આત્મજિજ્ઞાસુ જીવો આ
પ્રવચનના ભાવોનું મનન કરીને આત્મલાભ પામો.
(સં.)
આ નિયમસારમાં નિશ્ચયપ્રત્યાખ્યાનની વાત ચાલે છે. પ્રત્યાખ્યાન કરનાર
જીવને પ્રથમ તો પરભાવથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય અને અનુભવ
હોય છે.

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
૨ જે પરભાવને છોડવાના છે તેને પોતાથી ભિન્ન જાણ્યા વગર તે પરભાવને છોડશે
કઈ રીતે?
૩ અંતર્મુખ થઈને પોતાના જ્ઞાનસ્વભાવને અનુભવતાં જ્ઞાનમાંથી પરભાવનો ત્યાગ
સહેજે થઈ જાય છે, કેમકે જ્ઞાન પરભાવના ત્યાગસ્વરૂપ જ છે.
૪ પરભાવોથી ભિન્ન, હું પોતે આનંદસ્વરૂપ છું; આવા પોતાના આનંદસ્વરૂપમાં રહું
તે જ સુખ છે, ને તે જ પરભાવનો ત્યાગ છે.
૫ પહેલાં આત્માના સ્વભાવમાં ઊતરીને આવી પ્રતીત કરતાં ઈન્દ્રિયાતીત આનંદનો
અનુભવ થાય છે, ને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધામાં સમસ્ત
પરભાવોનું અત્યંત પ્રત્યાખ્યાન થઈ જાય છે.
૬ સમ્યગ્દ્રષ્ટિ પોતાને કેવળજ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ અનુભવે છે. તેમાં પરભાવનો
એક અંશ પણ નથી. આવા આત્માના શ્રદ્ધા–જ્ઞાનના જોરે પછી નિજસ્વરૂપમાં
એકાગ્ર થતાં પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે.
૭ સ્વરૂપમાં ઠરેલું જ્ઞાન પોતે પરભાવના ત્યાગસ્વરૂપ હોવાથી પ્રત્યાખ્યાન છે.
જ્ઞાનભાવની જે અસ્તિ છે તેમાં રાગાદિ વિરૂદ્ધ ભાવોની નાસ્તિ છે.
૮ પહેલાંં જ્ઞાનનું અને રાગાદિનું અત્યંત સ્પષ્ટ ભેદજ્ઞાન કરવું જોઈએ. સાચું ભેદજ્ઞાન
કરતાં સમ્યગ્દર્શન થાય છે.
૯ અહો, આત્માનું આવું સ્વરૂપ પોતાના અનુભવમાં આવ્યું ત્યાં બીજાને પૂછવાપણું
રહેતું નથી. સમયસાર ૨૦૬ ગાથામાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! બીજાને ન
પૂછ...જ્ઞાનસ્વરૂપ આત્મા અનુભવમાં આવતાં તને પોતાને બધા સમાધાન થઈ
જશે. સંદેહ નહીં રહે, પૂછવું નહીં પડે.
૧૦ અહા, જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરાવનારું આ સમયસારશાસ્ત્ર જગતનું
અદ્ધિતીય ચક્ષુ છે; આત્માને પ્રકાશનારૂં અજોડ પરમાગમ છે. કુંદકુંદસ્વામી જેવા
મહાન આચાર્યદેવે ભગવાનની વાણી સાંભળીને, પોતાના આત્માના પ્રચૂર
સ્વસંવેદનરૂપ આત્મવૈભવ વડે આ પરમાગમની રચના કરીને, જગતના
મુમુક્ષુજીવોને આત્માનો અદ્ભુત વૈભવ દેખાડ્યો છે.

PDF/HTML Page 5 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
૧૧ આત્મા તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનસ્વરૂપ જ સત્ય છે, તે જ અનુભવવા જેવું
છે, તે જ કલ્યાણરૂપ છે.–આમ પોતાના સત્ય જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરીને હે
જીવ! તું તારા જ્ઞાનના જ અનુભવથી સંતુષ્ટ થા...તૃપ્ત થા...તેમાં તને પોતાને
પરમ સુખનો અનુભવ થશે; પછી તારે બીજાને પૂછવું નહીં પડે. વચનઅગોચર
એવા અપૂર્વ આત્મિક સુખનો તને અનુભવ થશે; તે સુખ તને સ્વયમેવ પોતાના
સ્વાદમાં આવશે. તું પોતે જ તે સુખ છો,–પછી બીજાને શું પૂછવું પડે?
૧૨ મારી ચીજ મારામાં મેં દેખી, સાક્ષાત્ અનુભવી, ત્યાં સંદેહ શો? જ્ઞાન–સ્વરૂપ હું
પોતે સત્ય છું, હું જ સ્વયં કલ્યાણ છું, હું જ અનુભવનીય છું ને હું જ સુખસ્વરૂપ–
છું આવો પહેલાં દ્રઢ નિર્ણય કરીને સ્વ–સંવેદન–પ્રત્યક્ષથી સ્વાનુભવ કર્યો, ત્યાં હવે
પૂછવાપણું કોને રહ્યું?
૧૩ મારી પાસે જ મારું તત્ત્વ મેં દેખ્યું, ને મારો મોહ નષ્ટ થઈ ગયો; હું હવે સર્વે
કર્મોથી અત્યંત રહિત, ચૈતન્યસ્વરૂપ મારા આત્મામાં જ આત્માપણે વર્તું છું.
મારી નિર્વિકલ્પ–વીતરાગી પરિણતિ વડે હું મારામાં વર્તું છું–આમ ધર્મી
પોતાને અનુભવે છે; તેને સંવર–નિર્જરા છે, તેને પ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન છે.
તેને સુખ અને ધર્મ છે.
૧૪ ધર્મીને નિઃશંક ભાન છે કે હું રાગમાં નથી વર્તતો, નિર્વિકલ્પ ભાવવડે હું મારા
ચૈતનસ્વરૂપમાં જ વર્તું છું.
૧૫ પહેલાંં રાગમાં–વિકલ્પમાં એકત્વબુદ્ધિને લીધે ચૈતન્યના નિધાનને તાળાં દીધા
હતા. હવે ભાન થયું કે રાગથી મારું ચૈતન્યતત્ત્વ અત્યંત જુદું છે, ત્યાં અપૂર્વ
આનંદના અનુભવ વડે ચૈતન્યના નિધાન ખુલ્યા, આત્મામાં આનંદનો અવતાર
થયો.
૧૬ આવા સમ્યગ્દ્રષ્ટિ–સમ્યગ્જ્ઞાની–સત્ ચારિત્રવંત ધર્માત્માને હું નમસ્કાર કરું છું.
આહા! એ તો જગતનાં ધર્મરત્ન છે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગનું રત્ન છે, તેને
ધારણ કરનારા ધર્માત્મા તે ધર્મરત્ન છે. ભવભવના કલેશનો નાશ કરવા માટે હું
તેને નિત્ય વંદું છું.
૧૭ કઈ રીતે વંદું છું?–કે નિર્વિકલ્પ ભાવવડે તેમના જેવા જ્ઞાનાનંદસ્વરૂપ

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
આત્મામાં વર્તતો થકો હું તેમને નમસ્કાર કરુું છું. એકલા રાગમાં વર્તીને સાચા
નમસ્કાર કે સાચી ભક્તિ થતી નથી. પંચપરમેષ્ઠી–જ્ઞાની–ધર્માત્માને સાચા
નમસ્કાર કરનારને પોતામાં જ્ઞાન અને રાગની ભિન્નતા થઈ ગઈ છે. ‘આવા
ભાવવડે હું જ્ઞાનીને નમસ્કાર કરું છું.’
૧૮ સિદ્ધભગવાન વગેરે પંચપરમેષ્ઠી ભગવંતો પોતાના શુદ્ધઆત્મામાં જ સ્થિર છે,
તેથી તેમને નમસ્કાર કરનાર જીવ શુદ્ધઆત્મા તરફ નમે છે–તેમાં વળે છે–તેમાં
તન્મય થાય છે, ને રાગથી જુદો પડે છે. આ રીતે પોતાનો શુદ્ધ આત્મા જ સાચું
શરણ છે; બહારમાં પંચપરમેષ્ઠીનું શરણ વ્યવહારથી છે.
૧૯ કેવળજ્ઞાન–કેવળદર્શન–કેવળસુખ સ્વભાવી પરમ ચૈતન્યતેજ હું છું–એમ જેણે
અંતર્મુખ થઈને પોતે પોતાને જાણ્યો તેણે શું ન જાણ્યું? પોતે પોતાને દેખ્યો તેણે શું
ન દેખ્યું? અને તેનું શ્રવણ કરતાં શું શ્રવણ ન કર્યું?–એટલે કે પોતાનો આવો
શુદ્ધઆત્મા જ શ્રવણ કરવા યોગ્ય તથા શ્રદ્ધા–જ્ઞાનમાં લેવાયોગ્ય સૌથી શ્રેષ્ઠ છે;
તેનાથી ઊંચું બીજું કાંઈ નથી.
૨૦ અરે, જીવોએ વ્યવહારની–રાગની વાત તો અનંતવાર સાંભળી છે ને આચરી પણ
છે, પણ પોતાનું પરમતત્ત્વ અંતરમાં કેવું છે તે પરમાર્થસ્વરૂપને પ્રેમથી કદી
સાંભળ્‌યું નથી.
૨૧ ‘પ્રેમથી સાંભળ્‌યું નથી’ એમ કહ્યું;–‘પ્રેમથી સાંભળ્‌યું’ ત્યારે કહેવાય કે અંતરમાં
ઊંડો ઊતરીને પોતે તેનો સાક્ષાત્ અનુભવ કરે. વક્તાએ જેવો સ્વભાવ કહ્યો તેવો
પોતે લક્ષમાં લઈને અનુભવ કરે તો જ સાચું શ્રવણ કર્યું કહેવાય.
૨૨ હે જીવ! તારા આવા સ્વરૂપને તું અનુભવમાં લે. અંતરમાં અમૃતનો સાગર
ભગવાન આત્મા છે તેમાં ડુબકી માર...તે જ આનંદ છે. તેનાથી બહાર જવું તે તો
આકુળતા છે, પાપ છે, કેમકે પવિત્રતાથી વિરૂદ્ધ હોવાથી અધ્યાત્મમાં તેને પાપ કહે
છે. રાગ વગરનો ચૈતન્યનો અનુભવ તે જ પવિત્ર સુખરૂપ છે.
૨૩ આવો અનુભવ કરનાર ધર્માત્માના હૃદયમાં ચૈતન્યહંસ બિરાજે છે; સહજ
ચૈતન્યશક્તિસંપન્ન આનંદમય પરમાત્મા તેના અંતરમાં જયવંત વર્તે છે.

PDF/HTML Page 7 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
૨૪ અહો, આવો અનુભવ કરવો તેમાં અતીન્દ્રિય આનંદનો પરમ સ્વાદ છે.
૨૫ લોકોમાં બદામની પૂરી ઊંચી સ્વાદિષ્ટ કહેવાય છે, પણ તે સ્વાદ તો જડ છે; અહીં
સંતો આનંદના સ્વાદથી ભરેલો વીતરાગી બદામપાક વીરસે છે.
૨૬ આજે બીજના મંગલ દિવસે આ બદામની પૂરી પીરસાય છે. અંતરમાં પરમાત્માના
અનુભવરૂપ આવા બદામપાકને સમ્યગ્દ્રષ્ટિ જ પચાવે છે.
૨૭ જ્ઞાની પોતાને આવો અનુભવે છે કે–
કેવલદરશ–કેવલવીરજ–કૈવલ્યજ્ઞાન સ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું એમ જ્ઞાની ચિંતવે.
(નિયમસાર : ૯૬)
૨૮ આત્મા કેવળજ્ઞાનાદિ સહજ ચતુષ્ટયસ્વરૂપ છે. કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય છે તે
પ્રગટ કાર્ય છે; અને તેના આધારરૂપ સહજ જ્ઞાન–દર્શનાદિ ચતુષ્ટય ત્રિકાળ છે.–
આવા ચતુષ્ટય સ્વરૂપે આત્માને જાણીને ધર્મી તેને જ ભાવે છે.
૨૯ –કઈ રીતે ભાવે છે?
સમસ્ત બાહ્યપ્રપંચની વાસનાથી વિમુક્ત થઈને, અને પોતાના સ્વરૂપમાં
અત્યંતપણે અંતર્મુખ થઈને, પોતાના આવા આત્માને તે ધ્યાવે છે. મુમુક્ષુ જીવે
એની જ ભાવના કરવી–એમ ઉપદેશ છે.
૩૦ ‘સમસ્ત બાહ્યપ્રપંચની વાસનાથી રહિત, કહ્યું–તેમાં અશુભ કે શુભ કોઈ પણ
રાગની રચના તે બધોય બાહ્યપ્રપંચ છે; બાહ્યવલણથી જ રાગની ઉત્પતિ થાય છે,
તેથી તે સમસ્ત બાહ્યભાવોથી અત્યંત ભિન્ન થઈને, નિર્વિકલ્પ ચૈતન્યપરિણતિ
દ્વારા ધર્મી અંતરમાં પોતાના પરમાત્મતત્ત્વને ભાવે છે.
૩૧ અહો, આત્મતત્ત્વની આ કોઈ અલૌકિક વાત છે, તેને જાણીને અંતર્મુખપણે તેની
જ ભાવના કરવા જેવી છે.
૩૨ રાગ છે ને?–તો ધર્મી કહે છે કે ભલે હો; પણ તે રાગ કાંઈ હું નથી, રાગપણે હું
મારા સ્વભાવને નથી અનુભવતો, પણ પરિણતિને રાગથી ભિન્ન કરીને, તે
પરિણતિ વડે કેવળજ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવું છું,–તે જ હું છું.

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
૩૩ રાગ હોવા છતાં તેને હું ભાવતો નથી, તેને મારાપણે દેખતો નથી, તે તરફ મારો
ઝુકાવ નથી મારો ઝુકાવ મારા ચૈતન્ય પરમાત્મતત્ત્વમાં છે, તેમાં ઝુકેલી
પરિણતિમાં રાગાદિ નથી; એટલે તે પરિણતિ સ્વયં પ્રત્યાખ્યાનસ્વરૂપ છે.
૩૪ આવા આત્માને જાણીને તેની નિરંતર ભાવના કરવી–એમ વીતરાગી સંતોની
શિખામણ છે.
૩૫ અહા, ચૈતન્યતત્ત્વ તો કોઈ પરમ ગંભીર છે તેમાં પરિણતિ અંતર્મુખ થાય ત્યારે જ
તેનું ખરું ચિંતન અને ભાવના થાય છે.
૩૬ જીવ દ્રવ્યસ્વભાવે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ તો છે જ,–પણ હું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું–
એમ જાણે છે તો તે તરફ એકાગ્ર થયેલી પર્યાય; ત્રિકાળ સન્મુખ એકાગ્ર થયેલી
પર્યાય જ જાણે છે કે ‘હું આવો છું. ’
૩૭ આવી સ્વસન્મુખ પરિણતિરૂપે પરિણમે ત્યારે આત્માએ પોતાના સહજ
સ્વભાવનો સ્વીકાર અને અનુભવ કર્યો કહેવાય. પોતે તે ભાવરૂપ પરિણમ્યા
વગર તેનો સાચો સ્વીકાર કે અનુભવ ન થાય.
૩૮ આમ સ્વમાં અંતર્મુખ થઈને મેં મારા પરમ આત્માને દેખ્યો–જાણ્યો–અનુભવ્યો.
પોતામાં જાતે જ અનુભવેલી પોતાની વસ્તુમાં સંદેહ શો? સ્વ વસ્તુની અનુભૂતિ
થતાં સંદેહ ટળ્‌યો, ભય ટળ્‌યો; પોતે પોતાથી જ તૃપ્ત થયો, નિઃસંદેહ થયો.
૩૯ સબ વિકલ્પ–જંજાલકો છોડકર ચૈતન્યકા નિર્વિકલ્પ અમૃતરસ પીઓ.
૪૦ જ્ઞાની સદા એમ ભાવના કરે છે કે હું કારણ–પરમાત્મા છું. જ્ઞાનીઓના
હૃદયસરોવરનો હંસલો તો આનંદરૂપ સહજ ચૈતન્ય પરમાત્મા છે.
૪૧ પરભાવોને પોતાથી સદા જુદા રાખનાર, એટલે પરભાવોથી સદાય રહિત એવો
ચૈતન્ય–હંસ, તેને જ્ઞાની પોતાના હૃદયમાં ધ્યાવે છે.
૪૨ આ ચૈતન્ય–હંસ કારણપરમાત્મા, સહજ ચતુષ્ટય–સ્વરૂપ ત્રિકાળ છે, તે પોતે
કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયનો આધાર છે; પણ તેને આધાર–આધેયના ભેદ
નથી. આધાર–આધેય સંબંધી વિકલ્પો રહિત અનુભૂતિ વડે જે પરમસુખ ઉત્પન્ન
થાય છે તેનું સ્થાન આ સહજ પરમાત્મતત્ત્વ છે.

PDF/HTML Page 9 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
૪૩ કેવળજ્ઞાન વગેરેના આધારરૂપ આવા પોતાના તત્ત્વનું અવલોકન કરીને (શ્રદ્ધા–
જ્ઞાન કરીને) જ્ઞાની તેની જ ભાવના કરે છે. આવા તત્ત્વની દ્રષ્ટિ કરીને ધર્મી કહે
છે કે આવા સહજ સ્વરૂપે હું સદાય જયવંત છું.
૪૪ આ જયવંત તત્ત્વની સન્મુખતાથી જે સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–સુખની અનુભૂતિ પ્રગટી
તે પણ જયવંત છે.
૪૫ પરિણતિ પરભાવથી છૂટીને અંતર્મુખ થઈ ત્યારે ભાન થયું કે અહો, આવા
સ્વભાવે મારો આત્મા જયવંત છે.
૪૬ આ કોઈ વિકલ્પની વાત નથી પણ ધર્મીને પોતાને અંદર તેવા વેદનરૂપ પરિણતિ
થઈ ગઈ છે.
૪૭ ધર્મીને રાગથી નિરપેક્ષ, ઇંદ્રિયોથી નિરપેક્ષ એવા સમ્યક્ મતિશ્રુતજ્ઞાન સ્વસંવેદન–
પ્રત્યક્ષરૂપ છે, અંતર્મુખ થઈને પોતાના સહજ જ્ઞાનાદિ સ્વરૂપ આત્માને પોતે જાણે
છે.
૪૮ આત્માના સહજ સ્વભાવરૂપ નિજભાવને જ્ઞાની કદી છોડતો નથી; ને રાગાદિ
પરભાવને કદી પોતાના કરતો નથી; સહજ જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપે જ તે
પોતાને ચિંતવે છે.–
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે;
જાણે–જુએ જે સર્વ તે હું, – એમ જ્ઞાની ચિંતવે. (૯૭)
૪૯ આત્માનો સહજ સ્વભાવ તે પરમ ભાવ છે; તે પરમ ભાવની સન્મુખ થઈને
જ્ઞાની પોતાના આત્માને કેવો ભાવે છે તેનું આ વર્ણન છે. આવા સ્વભાવની
ભાવના, એટલે કે તેમાં તન્મયભાવરૂપ પરિણતિ, તે પરમ આનંદરૂપ છે, તે
મોક્ષનું કારણ છે.
૫૦ નિજભાવ એટલે આત્માનો પરમ ભાવ; આત્માના સહજ જ્ઞાન–દર્શન–સુખ–
વીર્યસ્વભાવરૂપ નિજભાવ, તેને આત્મા કદી છોડતો નથી. સ્વભાવ અને
સ્વભાવવાન જુદા નથી કે તેને આત્મા છોડે! ચૈતન્યના આવા એકત્વ–સ્વભાવમાં
સંસાર–પરભાવનો પ્રવેશ કદી નથી.

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
૫૧ ત્રણેકાળે હું મારા આવા પરમ ભાવરૂપ જ છું–આમ જે પર્યાયે અંતર્મુખ થઈને
સ્વીકાર્યું તે પર્યાય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–સુખરૂપ થયેલી છે. પર્યાય અંતર્મુખ
થઈને, અને રાગાદિથી જુદી પડીને, ‘પરમ ભાવસ્વરૂપ કારણ–પરમાત્મા હું છું’
એમ પોતાને અનુભવે છે–જાણે છે–દેખે છે–ભાવે છે. આવા કારણપરમાત્મામાં
ઉદયાદિ પરભાવોનું કદી ગ્રહણ નથી.
૫૨ અહો જીવો! આવો પરમસ્વભાવ લક્ષમાં લઈને તેની જ ભાવના કરવા જેવું છે.
આવા સ્વભાવની વાત સાંભળવાનું પણ મહા ભાગ્યે મળે છે. જેની પર્યાય
અંતર્મુખ પરિણમી છે તે ધર્માત્મા એમ જાણે છે કે હું ત્રિકાળ સહજ સ્વભાવથી
પરિપૂર્ણ પરમ આત્મા છું. મારા સ્વભાવનો કદી નાશ નથી. અરે, આવો હું
ત્રિકાળ છું–ત્યાં કોણ મને મારે? ને કોણ મારી રક્ષા કરે?
૫૩ મારો સ્વભાવ જ કેવળજ્ઞાનાદિ સ્વભાવથી સદા ભરપૂર છે, તેનો સ્વીકાર કરતાં
હવે પર્યાયમાં અભૂતપૂર્વ કેવળજ્ઞાનાદિ પ્રગટયે જ છૂટકો. પર્યાયમાં કેવળજ્ઞાનાદિ
ભાવો નવા પ્રગટયા, તેથી તે અભૂતપૂર્વ છે, પણ સહજ સ્વભાવથી તો હું સદાય
કેવળજ્ઞાનાદિસ્વરૂપ જ છું, એનાથી કદી જુદો પડ્યો જ નથી. –આમ ધર્મી પોતાને
ચિંતવે છે, જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે. આનું નામ ભાવના છે. ને આ ભાવના
મોક્ષનો ઉપાય છે. માટે આવી પરમતત્ત્વની ભાવના નિરંતર કરો. રાગ વડે એવી
ભાવના નથી ભવાતિ, રાગાદિ પરભાવોને પરિહરીને ચૈતન્યની સન્મુખતાથી
એવી ભાવના ભવાય છે.
૫૪ અરે જીવ! અંદરના સ્વરૂપમાં ઊંડે જા... ઊંડે જા... ઊંડે ઊંડે તેરા આત્મા રહા છે.
રત્ન માટે દરિયામાં ઊંડે ડૂબકી મારવી પડે છે તેમ ચૈતન્યરસના સમુદ્રમાંથી
સમ્યગ્દર્શનાદિ પરમ રત્નોની પ્રાપ્તિ કરવા તું અંદર ઊંડે ઊતર; સમસ્ત પરભાવોને
અત્યંત પરિહરીને ચૈતન્યચમત્કારથી ભરેલા ચૈતન્યસમુદ્રમાં ઊંડો ઊતરી જા.
૫૫ ચૈતન્યતત્ત્વમાં ઊંડી ઊતરેલી એટલે કે તેમાં સન્મુખ થઈને પરિણમેલી પરિણતિ
વાળો જીવ–‘આ હું’ એમ પોતાને પરમાત્મસ્વરૂપે દેખે છે–અનુભવે છે. અહો,
અંતરમાં ઊંડે ઊતરીને આવા સ્વતત્ત્વરૂપે પોતાનો અનુભવો. એકાવતારી ઈન્દ્રો
પણ જેની વાત પરમ આદરથી સાંભળે છે એવા આ પરમતત્ત્વને લક્ષમાં લઈને
તેની ભાવના કરો...તેની સન્મુખ પરિણતિ કરો.

PDF/HTML Page 11 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
૫૬ એક ઈન્દ્ર પોતાના બે સાગરોપમના આયુકાળમાં અસંખ્યાતા તીર્થંકર ભગવંતોના
પંચકલ્યાણક ઊજવે છે; અસંખ્યાત તીર્થંકરોના શ્રીમુખેથી આવા પરમતત્ત્વની
વાત બહુમાનપૂર્વક સાંભળે છે. –એવું આ પરમાત્મતત્ત્વ મહાન ભાગ્યે જીવોને
સાંભળવા મળે છે.
૫૭ –અને આવા તત્ત્વનું સમ્યક્ભાન તથા અનુભવ કરે તે તો કૃતકૃત્ય થઈ જાય છે.
માટે હે જીવો! અંતર્મુખ થઈને તમે તમારા આવા તત્ત્વને અનુભવમાં લ્યો–એવો
ઉપદેશ છે.
૫૮ અંતરમાં ચૈતન્યરસને ચાખ્યા પછી હવે અમારું ચિત્ત બીજે ક્યાંય લાગતું નથી...
ચિત્ત ચૈતન્યમાં જ સંલગ્ન છે. નિજસ્વરૂપમાં લાગેલા ચિત્તને પરની ચિંતા કરવાની
નવરાશ જ ક્યાં છે!
આ ૫૮ મંગલરત્નોના મનનવડે મુમુક્ષુઓ ભગવતી ચેતનાને પ્રાપ્ત કરો.
[ચૈતન્યઅનુભૂતિવંત...જ્ઞાનચેતનાપરિણત...ધર્માત્માઓને તદાકાર નમસ્કાર.]
(બ્ર. હ. જૈન)
* * * * *
* ‘મને સમતા છે’ *
સૌ જીવમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની.
* જેણે સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદ–વિજ્ઞાનીઓ
તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે.
* મિત્ર કે શત્રુરૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી.
* સહજ વૈરાગ્ય પરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી.
* પરમ સમરસી ભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું.

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
પર્યુષણના પ્રવચનોમાંથી
દશલક્ષણી પર્યુષણ પર્વના પ્રવચનમાંથી
સ્વાનુભૂતિસૂચક દોહન અહીં આપવામાં આવ્યું
છે; જિજ્ઞાસુઓને તે અત્યંત મનનીય છે.
[ભાદ્ર. સુદ ૭: વીર સં. ૨૪૯૭ : સમયસાર નાટક : સર્વવિશુદ્ધજ્ઞાન દ્વારા ૧૨૪–૧૨૫–૧૨૬]
આત્માની અનુભૂતિ વચનાતીત છે;
તેમાં મોક્ષમાર્ગ સમાય છે
જ્ઞાની તથા અજ્ઞાનીને બહારમાં મુનિવેશ એક સરખો દેખાય છતાં બંનેની
અંતરંગ પરિણતિમાં ઘણો ફેર છે. જ્ઞાનીને તો સ્વ–પરની ભિન્નતાના ભાનવડે અંદર
સમ્યગ્જ્ઞાન–કિરણનો પ્રકાશ પ્રગટ્યો છે; તે પોતાના જ્ઞાનકિરણથી દેહાદિની ક્રિયાને
અત્યંત જુદી જાણે છે. દેહની દશાને આત્માની માનતા નથી. છતાં મુનિદશા હોય ત્યાં
દેહની દિગમ્બર–દશા જ હોય છે, તે જ પ્રમાણ છે. જ્ઞાનીના અંતરમાં મોક્ષની કણિકા
જાગી છે, શાંતભાવ જાગ્યો છે, તેના વડે તે મોક્ષમાર્ગસન્મુખ વર્તી રહ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ
ગૃહસ્થ હોય ને બાહ્યમાં ત્યાગી ન હોય, મુનિદશા ન હોય તોપણ તે પોતાને જ્ઞાનમય
અનુભવતો થકો મોક્ષમાર્ગની સન્મુખ જ છે.
અને અજ્ઞાનીને અંતરમાં જ્ઞાનકિરણ તો જાગ્યું નથી, અજ્ઞાનથી તેનું હૃદય અંધ
છે તેથી તે બંધ ભાવને જ કરે છે, તથા દેહની દશારૂપે પોતાને અનુભવે છે. દેહથી ને
બંધભાવથી ભિન્ન એવા પોતાના ચિદાનન્દ–તત્ત્વને તે ઓળખતો નથી. બાહ્યચારિત્ર
તથા શુભરાગ હોય તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે, તેને જ મોક્ષનું સાધન માને છે,
પણ પોતાના સાચા સ્વરૂપને અને મોક્ષના સાચા કારણને તે જાણતો નથી. અહા,
મોક્ષનો માર્ગ તો અંતરમાં આત્માની અનુભૂતિરૂપ છે. આવી આત્મઅનુભૂતિ થઈ તે
વચનાતીત છે, તે સમયસાર છે, તેનાથી બીજું ઊંચું કાંઈ નથી. અહા, અધિક શું કહેવું?
અનુભૂતિ તે વચનમાં આવતી નથી, માટે વચનવિકલ્પોથી બસ થાઓ! એ તો બધા
દુર્વિકલ્પ છે. આત્માનો

PDF/HTML Page 13 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
પરમાર્થ તો સ્વાનુભવમાં જ સમાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે–
અરે, જિનવચનનો વિસ્તાર તો અગાધ અપાર છે, તે વાણીથી તો કેટલું કહેવાય?
અનુભવમાં આવે તેટલું વચનમાં આવે પણ નહીં. સ્વાનુભવગમ્ય વસ્તુનો પાર વચનના
વિકલ્પથી કેમ આવે? માટે વચનવિકલ્પ છોડીને અમે તો સ્વાનુભવમાં જ રહેવા ઈચ્છીએ
છીએ. આત્માનું શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘન સ્વરૂપ વર્ણવીને છેવટે શ્રીમદ્ રાજચન્દ્ર કહે છે કે–
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય,
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય.
બહુ બોલવાથી, બહુ વિકલ્પોથી કાંઈ ઈષ્ટસિદ્ધિ નથી, માટે ચૂપ રહેવું જ ભલું છે,
એટલે અંદર પણ વિકલ્પથી પાર થવાનો અભ્યાસ કરીને સ્વાનુભવ કરવો તે જ તાત્પર્ય
છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં પણ પ્રથમ આત્માનો અનુભવ છે; તે અનુભવ કરે ત્યારે જ
સમ્યગ્દર્શન થાય છે. બાકી વચન વડે કે વિકલ્પો વડે આત્માનો પાર પમાય તેવું નથી.
બહુ બોલવાથી શું ઈષ્ટ છે? માટે ચૂપ રહેવું જ ભલું છે. જેટલું પ્રયોજન હોય
એટલા જ ઉત્તમવચન બોલવા; શાસ્ત્ર તરફના અનેક અભ્યાસમાં પણ જે વિકલ્પ છે
તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી. માટે વચનનો બકવાદ ને વિકલ્પોની જાળ છોડીને,
વિકલ્પથી જુદી એવી જ્ઞાચેતનાવડે શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરવો તે જ
ઈષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થં છે. આત્માનો જેટલો અનુભવ છે તેટલો જ
પરમાર્થ છે, બીજું કાંઈ પરમાર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી.
શુદ્ધાતમ–અનુભવ ક્રિયા, શુદ્ધ જ્ઞાન–દ્રગ દૌર;
મુક્તિપંથ સાધન યહૈ વાગજાલ સબ ઔર.
શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન–દર્શન અને ચારિત્ર છે, તે
જ મોક્ષપંથ છે, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય બધી વિકલ્પજાળ છે. જેણે આવા
આત્માનો અનુભવ કરતાં આવડયું તેને બધું આવડી ગયું.
અરે, તિર્યંચાદિક જીવોને શાસ્ત્રનું જાણપણું ન હોય છતાં અંતરના વેદનમાં રાગ અને
આત્માના ચૈતન્યસ્વાદની ભિન્નતા ઓળખીને, ‘આ મારો આત્મા જ આનંદસ્વરૂપ છે’ એવું
અંતરમાં વેદન કર્યું તેમાં બધાય શાસ્ત્રોનો સાર આવી ગયો, તેમાં મોક્ષમાર્ગ આવી ગયો. આવો
આત્મા અનુભવમાં આવ્યો તે પોતે આનંદમય જગતચક્ષુ છે.–આવા આત્માના અનુભવમાં જ
મોક્ષમાર્ગ સમાય છે. આવા આત્માનો અનુભવ અમે કરીએ છીએ, તમે પણ કરો.

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
કોલાહલથી દૂર અને યોગીઓને
[મારા આ અદ્ભુત તત્ત્વને અતિ અપૂર્વ રીતે હું ભાવું છું]
[ભાદ્ર. સુદ. ૮ નિયમસાર શ્લોક ૧૫૫–૧૫૬–૧૫૭]
પરમ પુરુષ એવો ચૈતન્યમૂર્તિ આત્મા કેવો છે? મન અને વચનના માર્ગથી તે
દૂર છે, મન–વચનથી અગોચર છે, પણ જ્ઞાનજ્યોતિ વડે ધર્માત્માઓના ચિત્તમાં તે સ્પષ્ટ
છે, ધર્માત્માઓ મન–વચનથી પર થઈને સ્પષ્ટ સ્વસંવેદનથી તેને અનુભવે છે. આવી
અનુભૂતિમાં વિધિ–નિષેધના કોઈ વિકલ્પો નથી; કેમકે ત્યાં ગ્રહવાયોગ્ય એવા
શુદ્ધતત્ત્વનું સાક્ષાત્ ગ્રહણ છે, ને નિષેધરૂપ સમસ્ત પર ભાવોનો અભાવ જ છે.
ધર્માત્મા પોતાની અનુભૂતિવડે આવા સહજ ચૈતન્યતત્ત્વને પોતામાં અનુભવે છે;
તેમાં ઈન્દ્રિયજનિત કોઈ કોલાહલ નથી, તે પરમ શાંત છે. ઈન્દ્રિયજ્ઞાન તો પરવલણવાળું
હોવાથી કોલાહલવાળું છે. મારું સહજ તત્ત્વ કોલાહલ વગરનું છે કેમકે ઈન્દ્રિયોથી તો પાર
છે. નયના વિકલ્પોથી દૂર હોવા છતાં કાંઈ તે અગોચર નથી, ઉપયોગને અંતરમાં જોડનારા
સાક્ષાત્ જણાય છે, અનુભવાય છે. મનથી ને કોલાહલથી દૂર હોવા છતાં ધર્મીની
સ્વસન્મુખ પર્યાયમાં તે સમીપ છે, દૂર નથી. આવું તત્ત્વ જ જગતમાં ઉત્કૃષ્ટ છે, તે
નિજઅનુભૂતિની સમૃદ્ધિથી શોભિત છે. મારા સમ્યગ્દર્શનાદિ ભાવોમાં મારો આત્મા અભેદ
છે તેથી તે જ સમીપ છે, ને પરભાવોનો કોલાહલ તેમાં નથી, તેનાથી તે દૂર છે, જુદો છે.
અજ્ઞાની જીવોની અનુભૂતિમાં રાગાદિ પરભાવો જ દેખાય છે, તેથી તેને
પરભાવો નજીક લાગે છે ને સહજ ચૈતન્યતત્ત્વ દૂર છે. જ્ઞાનીઓને સ્વાનુભૂતિમાં પોતાનું
પરમ તત્ત્વ નજીક છે, ને પરભાવો દૂર છે. અહો! સમ્યગ્દ્રષ્ટિને પોતાનો આત્મા ગમ્ય છે,
પોતામાં જ અનુભવગોચર છે, નજીક છે. અજ્ઞાની ઈન્દ્રિય–મનથી ને સંકલ્પ–વિકલ્પના
કોલાહલથી જુદો પડતો નથી તેથી તેને પરમતત્ત્વ દૂર છે. શુભના વિકલ્પથી દૂર
ચૈતન્યતત્ત્વ છે, ચૈતન્યની જ્યોતિ રાગથી જુદી પ્રકાશે છે તેમાં જ આત્મા છે. ચૈતન્યના
દીવડાની નજીક જ આત્માનું ઘર છે, અર્થાત્ તે જ આત્મા છે.
લોકોમાં કહેવાય છે કે ‘મામાનું ઘર કેટલે?.....દીવો બળે એટલે’. તેમ આત્માનું

PDF/HTML Page 15 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
ઘર કેટલે? તો કહે છે કે ‘દીવો બળે એટલે’ અર્થાત્ ચૈતન્યની જ્યોતિ જ્યાં ઝળહળ
ઝળકે છે તે આત્માનું ઘર છે. સ્વાનુભવરૂપી ચૈતન્યદીવા વડે આત્મા પ્રત્યક્ષગોચર થાય
છે. આવું નિર્દોષ સહજ ચૈતન્યતત્ત્વ અત્યંત જયવંત છે.
ચૈતન્યતત્ત્વ પોતાના સુખરૂપી સુધાસાગરમાં સદા લીન છે. અહો, આત્મામાં
સુખનો સમુદ્ર સદાય ભરપૂર છે, જેની સામે નજર કરતાં જ પોતામાં અપૂર્વ સમ્યકત્વનો
અમૃતસાગર પ્રગટે છે ને મિથ્યાત્વનું ઝેર ઊતરી જાય છે. પરમ ગુરુ દ્વારા ભવ્યજીવોએ
આવા શુદ્ધઆત્માને જાણ્યો છે, ને શાશ્વત સુખને અનુભવ્યું છે. અહો! એકલા સુખથી જ
ભરેલા કોઈ અદ્ભુત સહજ તત્ત્વને હું પણ અતિ અપૂર્વ રીતે સદાય ભાવું છું. મારા
તત્ત્વને અનુભવીને તેને જ હું ભાવું છું.
અહા, જગતમાં આવા સહજ ચૈતન્યતત્ત્વને ભાવનારા–અનુભવનારા સંત–
ધર્માત્માઓ તો શ્રેષ્ઠ છે, જગતની સ્પૃહા તેમને નથી, ઈન્દ્ર અને ચક્રવર્તીની વિભૂતિની
પણ જેની પાસે કાંઈ જ ગણતરી નથી, એવી સાચી ચૈતન્યવિભૂતિ તેમણે પ્રાપ્ત કરી છે.
પૈસા વગેરે પરિગ્રહ ન હોવા છતાં એ વીતરાગી સંતો ગરીબ નથી, એ તો પરમેષ્ઠી
પરમેશ્વર ભગવાન છે. સહજ ચૈતન્યતત્ત્વથી ઊંચો વૈભવ જગતમાં બીજો કોઈ નથી.
એવા તત્ત્વની ભાવનાવાળા સંતોને અમે પ્રણમીએ છીએ, અને અમે પણ એવા જ
સહજ તત્ત્વને ભાવીએ છીએ, અનુભવીએ છીએ. આવી અનુભૂતિ તે માર્ગ છે. ઉત્તમ
ક્ષમાદિ બધા વીતરાગી ધર્મો આવા અનુભવમાં જ સમાય છે. એમાં કોઈ કોલાહલ નથી,
કોઈ કલેશ નથી, એ જ અભેદ મુક્તિમાર્ગ છે. તેથી–‘નિજભાવથી ભિન્ન એવા સકળ
વિભાવને છોડીને એક નિર્મલ ચૈતન્યમાત્ર તત્ત્વને હું ભાવું છું,–તેના શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવમાં એકાગ્ર થાઉં છું. સંસારસાગરને તરી જવા માટે આવા અભેદ મુક્તિમાર્ગને
હું નિત્ય નમું છું...એટલે કે ચૈતન્યભાવના વડે હું પણ એ જ માર્ગે જાઉં છું.
* ગુણમાં દોષ નથી *
રાગ તે દોષ છે, જ્ઞાન લક્ષણથી લક્ષિત આત્મામાં તેનો સમાવેશ
થતો નથી; રાગ ભલે શુભ હો–પણ તેનો સમાવેશ જ્ઞાનમાં થતો નથી,
જ્ઞાનની પર્યાયમાં પણ રાગ નથી. જ્ઞાનના પરિણમનમાં અનંત ગુણની
નિર્મળપર્યાયો સમાય, પણ જ્ઞાનના પરિણમનમાં રાગ ન સમાય.
આવા જ્ઞાન પરિણમનને આત્મા કહીએ છીએ, રાગને આત્મા કહેતા
નથી. આવા આત્માને જાણે–માને–અનુભવે તે મોક્ષનો માર્ગ છે. *

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
આત્માના નવ રસ
આત્મા અરસી હોવા છતાં તેનામાં અચિંત્ય વીતરાગી
નવરસ છે, તેનું આ વર્ણન છે. ચૈતન્યનો આ અનુભવરસ ચાખ્યા
પછી આખું જગત નીરસ લાગે છે. આત્માના અનુભવનો રસ એ
જ એક સાચો રસ છે. અનંતગુણનો રસ તેમાં સમાઈ જાય છે.
* * * * * *
લૌકિક નવરસનો અનુભવ તો જીવોને સંસારમાં અનાદિથી છે, પણ આત્મા
અને રાગની ભિન્નતાને જ્યારે જાણે ત્યારે જીવને ચૈતન્યના સ્વાદરૂપ અલૌકિક શાંતરસ
સહિત લોકોત્તર નવરસ પ્રગટે છે. સ્વાનુભૂતિરૂપ સમયસારના રસમાં ચૈતન્યના બધા
રસ સમાય છે; બધા રસ જ્ઞાનમાં ગર્ભિત છે. ઉપયોગ જેમાં એકાગ્ર થાય તેનો રસ
લીધો કહેવાય છે. જ્ઞાનમાં ગર્ભિત નવ રસનું અહીં વર્ણન કરે છે.
(૧) શૃંગારરસ–ચૈતન્યના સમ્યક્ત્વાદિ ગુણનો વિચાર તે આત્માનો શૃંગારરસ
છે. ચૈતન્યની શોભા આવા નિજગુણ વડે જ છે–એમ જ્ઞાનમાં નિજગુણની શોભાનો
વિચાર કરવો તે અધ્યાત્મ–શૃંગારરસ છે. દેહના શણગાર વડે કાંઈ આત્માની શોભા
નથી.
(૨) વીરરસ–ચૈતન્ય તરફ ઝુકાવ કરીને વીતરાગી વીરતાવડે કર્મોને ઝાડી
નાંખવા તેમા આત્માનો વીરરસ છે. શરીરના બળમાં કાંઈ આત્માની વીરતા નથી.
આત્માની વીરતા તો પુણ્ય–પાપથી પાર એવા ચૈતન્યસ્વરૂપને રચે–અનુભવે તેમાં જ છે;
તે જ વીરરસ છે.
(૩) કરુણારસ–આત્માનો અનુભવ થતાં એવો વીતરાગભાવ થાય કે સર્વે
જીવો પ્રત્યે રાગરહિત સમતાભાવ રહે–તે સાચો કરુણારસ છે. હું જ્ઞાયક ચિદાનંદ છું ને
બધા જીવો પણ મારા જેવા ચિદાનંદ છે–એમ દેખતાં સર્વે જીવો પ્રત્યે સમભાવ રહે તે
સમતારૂપ કરુણારસ છે. આ વીતરાગી કરૂણા છે. ભગવંતો પણ આવી કરૂણાવાળા છે.
આવો વીતરાગી કરૂણાભાવ જીવે કદી પ્રગટ કર્યો નથી. બહારમાં દુઃખી જીવોને દેખીને
કરૂણાનો શુભરાગ આવે તે તો લૌકિક કરૂણા છે. સર્વે જીવોને જ્ઞાનમય દેખતાં

PDF/HTML Page 17 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
જે વીતરાગી સમરસ થાય છે તે પરમાર્થ વીતરાગી કરૂણારસ છે.
(૪) હાસ્યરસ–લૌકિકમાં કોઈ વિચિત્ર વસ્તુને દેખીને આનંદનો ઉલ્લાસ ને
હાસ્ય આવે તે લૌકિક હાસ્યરસ છે. અને ચૈતન્યના સ્વભાવ પ્રત્યે વીર્યનો અપૂર્વ
ઉલ્લાસ આવે, અનુભવની અપૂર્વતાનો આનંદ આવે, એવો જે અનુભવના ઉત્સાહરૂપ
રસ છે તે પરમાર્થ હાસ્યરસ છે, તેમાં આત્માનો સાચો આનંદ છે.
(૫) રૌદ્રરસ–સ્વાનુભવના બળવડે આત્માની ચૈતન્યદશા એવી ઉગ્ર થાય કે આઠ
કર્મોનો ભૂક્કો બોલાવી દ્યે–તેનું નામ રૌદ્રરસ છે. લૌકિકમાં લડાઈ વગેરેમાં તીવ્ર ક્રોધથી
દુશ્મનને મારી નાંખે તેવા ભાવને લોકો રૌદ્રરસ કહે છે, તે તો પાપ છે. આ ચૈતન્યનો
વીતરાગી રૌદ્રરસ તો એવો છે કે કર્મોને નષ્ટ કરીને, આત્માને પરમ શાંતરસમાં લીન કરે.
(૬) બીભત્સરસ–લોકમાં અપવિત્ર ગ્લાની ઉપજાવે તેવા પદાર્થને બીભત્સ કહે
છે, તેને જોતાં અણગમો ઉપજે છે, તે બીભત્સરસ કહેવાય છે. અહીં કહે છે કે શરીરની
અશુચિતાનો વિચાર કરવો, તે બીભત્સરસ છે. એકલા શરીરના વિચારની વાત નથી,
પણ શરીર તો માંસાદિનું ઘર છે એમ તેનું સ્વરૂપ વિચારી, તેનાથી વિરક્ત થઈ, તેનાથી
ભિન્ન એવા ચિદાનંદ સ્વરૂપમાં વળવું, તે શરીરને બીભત્સ જાણવાનું ફળ છે. એકલું
બીભત્સપણું વિચારીને દ્વેષ કરવા માટે વાત નથી, પણ તેનાથી ભિન્ન એવા પવિત્રધામ
આત્મામાં વળીને વીતરાગરસનું વેદન કરવાની વાત છે.
(૭) ભયાનકરસ–લોકો તો સિંહ–વાઘ–સર્પ–રાક્ષસ–ચોર વગેરેને જોતાં ભય
પામે છે. તેની અહીં વાત નથી. અહીં તો કહે છે કે તારે ભયભીત થવું હોય તો જન્મ–
મરણથી ભયભીત થા...ને તેનાથી છૂટવા ચૈતન્યનું શરણ લે. જન્મ–મરણાદિના કે
નરકાદિના ભયંકર દુઃખોનું ચિંતન કરીને તેનાથી છૂટવાનો ઉપાય કરવો. તે નરકાદિના
દુઃખોની ભયાનકતાનું ચિંતન તે ભયાનકરસ છે. અરે, આવા ભયંકર દુઃખો મેં
ભોગવ્યા. હવે તેનાથી છૂટવા ચૈતન્યના શાંતરસનો અનુભવ કરૂં. –એમ ધર્મી આત્માના
સ્વભાવમાં વળે છે. તેથી યોગસારમાં કહ્યું છે કે–
ચાર ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
(૮) અદ્ભુતરસ–આત્માની અનંત શક્તિનું ચિંતન કરવું તે અદ્ભુતરસ છે.
અહો! મારા આત્માની અનંત શક્તિનો વૈભવ કોઈ અદ્ભુત છે; અદ્ભુતથી પણ

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
અદ્ભુત તેનો મહિમા છે – આમ નિજશક્તિના અદ્ભુત મહિમાના ચિંતનમાં આત્માનો
અદ્ભુતરસ છે. બહારમાં કાંઈક નવી ચીજ દેખે ત્યાં લોકોને તેમાં અદ્ભુતતા લાગે છે ને
તે આશ્ચર્ય પામે છે.–બાપુ! તારા ચૈતન્યની અદ્ભુતતાને જાણ્યા પછી તને બીજા કોઈની
અદ્ભુતતા નહીં લાગે. અરે ચૈતન્યની અદ્ભુતતા તો દેખ! એક પર્યાયમાં રાગ–દ્વેષ
વગર અનંત પદાર્થોને એક સાથે જાણી લ્યે–એવી એની તાકાત છે. ત્રણકાળ ત્રણલોકને
જાણવા છતાં કેવળીને ક્યાંય આશ્ચર્ય થતું નથી; આશ્ચર્યકારી એવા ચૈતન્યના મહિમામાં
એવા લીન છે કે હવે જગત સંબંધી કાંઈ આશ્ચર્ય રહ્યું નથી. આવા આશ્ચર્યકારી
ચૈતન્યના અદ્ભુતરસને ચાખ તો ખરો! અરે, આત્માની અનંત શક્તિનું ચિંતન કર..
તેમાં પણ તને અદ્ભુતતા લાગશે. અનંતશક્તિના સ્વાદથી ભરપૂર અદ્ભૂત ચૈતન્યરસ
જેણે ચાખ્યો તેને જગતના કોઈ રસમાં આશ્ચર્ય કે અદ્ભુતતા લાગતી નથી. અહો,
ચૈતન્યની અનુભૂતિમા જે અદ્ભુત રસ છે તેનું શું કહેવું! એ તો ઈન્દ્રિયાતીત છે.
(૯) શાંતરસ–દ્રઢ વૈરાગ્ય પરિણામમાં એકાગ્રતા તે શાંતરસ છે. પરભાવોથી
વિરક્ત થઈને ચૈતન્યની સ્વસન્મુખ થતાં સ્વાનુભવમાં જે રસ આવે તે અપૂર્વ શાંતરસ
છે. તે શાંતરસમાં બધા ગુણોનો વીતરાગી રસ સમાય છે. આવો શાંતરસ અનુભવમાં
આવે તે જ આ સમયસારનું ફળ છે.–
‘વચનામૃત વીતરાગનાં પરમશાંતરસ–મૂળ. ’
અહો, આત્માનો શાંતરસ! જગતના કોઈ વિષયમાં એવો શાંતરસ નથી. જેમાં
રાગ–દ્વેષની આકુળતા નથી; પરથી અત્યંત પરાંગ્મુખ થઈને દ્રઢ વૈરાગ્યપરિણામથી
અંતરમાં એકાગ્ર થતાં ચૈતન્યના અચિંત્ય શાંતરસનું વેદન થાય છે.
–આ પ્રમાણે સંસારના રસથી જુદા એવા અધ્યાત્મ નવરસ કહ્યા. જ્યારે હૃદયમાં
સમ્યગ્જ્ઞાન થાય છે ત્યારે આ પ્રકારે નવે રસનો વિલાસ તેમાં પ્રકાશે છે. અરે, અનંત
ગુણના રસનો અત્યંત મધુર સ્વાદ તેમાં સમાય છે. બધા ગુણોનો સ્વાદ
સ્વાનુભવરસમાં સમાય છે. –આ રીતે જ્ઞાનીનું જ્ઞાન નવરસથી ભરપૂર છે, એટલે કે
રસવાળું છે–સરસ છે.
प्रगटरूप संसारमे नव रस नाटक होइ।
नवरस गर्भित ज्ञानमें विरला जाने कोई।।
(અનુસંધાન પૃષ્ઠ ૩૪ ઉપર)

PDF/HTML Page 19 of 44
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
સમ્યક્ત્વધારક જીવની દશાનો અદ્ભુત મહિમા;
તેને આઠ મદના અભાવનું ભાવભીનું વર્ણન
સમ્યગ્દ્રષ્ટિ જીવની પરિણતિ કોઈ અચિંત્ય છે;
તેને આઠ ગુણનું પાલન હોય છે; તે આઠ અંગ સંબંધી
કથાઓ આપ હાલમાં આત્મધર્મમાં વાંચી જ રહ્યા છો,
આવતા અંકે તે કથાઓ પૂરી થતાં, દીવાળીથી તે આઠ
અંગનું ભાવભીનું વર્ણન પણ (ગુરુદેવના પ્રવચનમાંથી)
આપીશું. તે ઉપરાંત, સમ્યગ્દ્રષ્ટિને પચ્ચીસ દોષ હોતાં
નથી; તેમાંથી આઠમદ–કૂળમદ, જાતિમદ, રૂપમદ,
વિદ્યામદ, ધન અથવા ઋદ્ધિમદ, બળમદ, તપમદ અને
ઐશ્વર્યમદ ધર્મીને હોતાં નથી. તેનું ભાવભીનું વર્ણન અહીં
આપવામાં આવે છે. આ વર્ણન છહઢાળાની ત્રીજી ઢાળના
પ્રવચનમાંથી લીધું છે.
સમ્યગ્દ્રષ્ટિને પોતાના અચિંત્ય ચૈતન્યવૈભવ પાસે જગતમાં બીજા કોઈની મહત્તા
ભાસતી નથી, તેથી તેને ક્યાંય મદ હોતો નથી; એ રીતે તેને આઠમદનો અભાવ હોય
છે, તેનું અહીં વર્ણન કરે છે.–
૧–૨ કૂળમદ તથા જાતિમદ : પિતાના પક્ષને કૂળ, અને માતાના પક્ષને જાતિ
કહેવાય છે; પણ માતા–પિતા એ તો જડ શરીરનો સંબંધ છે, તેની મોટાઈનાં અભિમાન
શા? હું તો શરીરથી જુદો ચૈતન્યમૂર્તિ છું; માતા–પિતાને કારણે કાંઈ મારી મોટાઈ નથી.
માતા કોઈ મોટા ઘરની હોય કે પિતા કોઈ મોટા રાજા–મહારાજા હોય તેને કારણે ધર્મી
પોતાની મોટાઈ માનતા નથી, એટલે તેને જાતિમદ કે કુળમદ હોતો નથી. અરે, અમારી
જાતિ તો ચૈતન્યજાતિ છે, દેહની જાતિ અમારી છે જ નહીં, પછી તેનો મદ કેવો? હું
જ્ઞાનસ્વરૂપ છું; જ્ઞાનસ્વરૂપ મારા આત્માને કોઈએ ઉપજાવ્યો નથી, પછી મારે જાતિ–કૂળ
કેવા? ચૈતન્ય મારી જાતિ, અને જ્ઞાન–દર્શન સ્વભાવ જ મારું કૂળ છે. આ રીતે ધર્મીને
પિતા કે પુત્રાદિ કોઈ મહાન હોય તો

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
તેનું અભિમાન થતું નથી; તેમ જ પિતા વગેરે દરિદ્ર હોય તો તેથી દીનતા પણ થતી
નથી. એ બધા સંયોગથી અત્યંત ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાને દેખ્યો છે. અરે, મારા
ચૈતન્યની અધિકતાથી બીજું કોણ અધિક છે–કે જેનો હું મદ કરૂં? મારા ચૈતન્યના તેજ
પાસે ચક્રવર્તીપદ પણ ઝાંખું લાગે છે, તેમાં મારી મોટાઈ નથી. ચક્રવર્તી પદ તો રાગનું
ફળ છે. ક્યાં અનંતગુણમય ચૈતન્યપદ, અને ક્યાં વિકારનું ફળ! જેણે પરમેશ્વરની
જાતિરૂપે પોતાને દેખ્યો તેને હવે એવી કઈ ખામી રહી કે બહારમાં દેહની જાતિ વગેરેમાં
પોતાપણું માને? ચૈતન્યજાતિ પાસે જડ–દેહની જાતિનાં અભિમાન કેવા? દેહ હું છું જ
નહીં, હું તો ચૈતન્ય જ છું–આવા સમ્યક્ ભાનમાં ધર્મીને શરીરાદિ સંબંધી મદ હોતા નથી.
મિથ્યાત્વરૂપ દોષ તો ધર્મીને હોય જ નહિ, અને સમ્યક્ત્વના અતિચારરૂપ દોષને પણ તે
દૂર કરે છે, તેનો આ ઉપદેશ છે. નિશ્ચય સમ્યગ્દર્શન સાથે આવો ચોક્ખો વ્યવહાર હોય
છે. તેમાં સહેજ પણ અતિચાર લાગે તો તે દોષ છે–એમ સમજીને તેનો ત્યાગ કરવો
જોઈએ. ધર્મનાં સ્થાન તો વીતરાગી અરિહંતદેવ, નિર્ગ્રંથ મુનિગુરુ અને વીતરાગી શાસ્ત્ર
છે, તેમાં ધર્મીજીવ શંકા કરે નહિ અને તેનાથી વિરુદ્ધ હોય તેને કોઈ પ્રકારે આદરે નહીં.
પ્રાણ જાય કે ગમે તેટલી પ્રતિકૂળતા આવે તોપણ વીતરાગી દેવ–ગુરુની શ્રદ્ધા છોડે નહિ,
એટલે તેને સમ્યક્ત્વમાં શંકાદિક દોષ હોતાં નથી.
સંસારમાં ભ્રમણ કરતો જીવ શુભાશુભ કર્મવશ ઊંચકૂળમાં તેમજ નીચકૂળમાં
અનંતવાર અવતરી ચુક્યો છે, એ તો ક્ષણિક સંયોગ છે. શાશ્વત આત્માને આ
અવતારનાં અભિમાન શા? અવતાર ધારણ કરવો તે તો શરમ છે. ઊચ્ચકૂળ પામ્યાનું
ફળ તો એ છે કે રત્નત્રયનાં ઉત્તમ આચરણવડે આત્માને મોક્ષમાર્ગમાં જોડવો, ને
મિથ્યાત્વાદિ પાપનાં અધમ આચરણને છોડવા. બાકી ઉત્તમકૂળમાં અવતરીને પણ જો
અભક્ષ્યભક્ષણ વગેરે નિંદ્ય કાર્ય કરે તો તે નરકમાં જ જાય; ઊંચુંકૂળ કાંઈ નરકમાં જતાં
રોકે નહીં.–આમ વિચારી ધર્મીજીવ કૂળ કે જાતિના મદને છોડે છે.
* એક વૈરાગી બાળક માતા પાસે દીક્ષાની રજા માંગે છે.
* ત્યારે માતા કહે છે–બેટા! તને દીક્ષાની રજા તો આપું, પણ એક શરતે!
* પુત્ર કહે છે–કહો માતા, કઈ શરત?
* માતા કહે છે–દીક્ષા લીધા પછી એવી આત્મસાધના કર કે ફરીને બીજી માતા
ન કરવી પડે; એટલે હું તારી છેલ્લી જ માતા હોઉં! –આ શરતે હું તને
દીક્ષાની રજા આપું છું.