Atmadharma magazine - Ank 034
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૪
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું સંપાદક શ્રાવણ
રામજી માણેકચંદ દોશી
અંક દસ વકીલ ૨૪૭૨
• સાચી સમજણનું ફળ •
(સમયસારજી ગાથા ૨૯૫ ના વ્યાખ્યાનમાંથી)
પ્રશ્ન:– પર વસ્તુઓ આત્માથી જુદી છે એમ સમજવાથી
શું લાભ?
ઉત્તર:– હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું અને પરવસ્તુઓ
મારાથી જુદી જ છે–એટલે મારામાં પરને સુખ–દુઃખ કરવાની
તાકાત ત્રણકાળ ત્રણલોકમાં નથી અને મારું સુખ કે દુઃખ
પરવસ્તુને આધીન નથી–આવું ભાન થતાં પુણ્ય–પાપ રહિત
આત્મસ્વભાવ છે એમ ખ્યાલમાં આવે છે; કેમ કે પુણ્ય–પાપના
ભાવ પરલક્ષે જ થાય છે. જ્યાં પરના સંબંધનો જ પોતે નકાર
કર્યો ત્યાં પરના લક્ષે થતા ભાવોનો પણ નિષેધ થયો એટલે
એકલો જ્ઞાનસ્વભાવ જ રહ્યો. પરથી જુદો એટલે કે પોતાના
જ્ઞાનસ્વરૂપમાં પૂરો. પોતાના જ્ઞાનસ્વભાવના ભાન વગર
યથાર્થપણે પરથી અને વિકારથી જુદાપણું માની શકે નહિ.
સ્વને અને પરને કાંઈ સંબંધ નથી–એમ નક્કી થતાં પર
તરફના વલણવાળી કોઈ શુભ કે અશુભ વૃત્તિ તે મારું સ્વરૂપ
નથી–એમ જાણીને એકત્વ સ્વભાવમાં સ્થિરતા કરવી તે જ
બંધન છોડીને મુક્ત થવાનો ઉપાય છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
[સમયસારજી – મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી]
– ગાથા – ૨૯૬ –
: ૧૭૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
મિથ્યાદ્રષ્ટિના ચિન્હ
‘સ્વરૂપનો અનુભવ કઠણ છે’ એમ માનનાર બહિરાત્મા છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે, પુણ્ય–પાપ
રહિત છે–તેનો અનુભવ કઠણ છે એમ વૃત્તિમાં લીધું ત્યાં શુદ્ધસ્વરૂપમાં ઢળવાનો નકાર આવ્યો અને બંધન તરફ
ઢળવાનું જોર આવ્યું. અરે ભાઈ! પોતાના આત્માનું સ્વરૂપ તે કઠણ હોય!!! જ્યારે નવરાશ મળે ત્યારે પરની
વાત હોંશથી કરે છે પણ તે વખતે સ્વભાવની વાત કરે તો કોણ રોકે છે? પણ પોતાને પોતાના સ્વરૂપની રુચિ
નથી અને જન્મ–મરણનો ભય નથી તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને શલ્ય મારીને સ્વરૂપને જ
કઠણ માને છે. પોતાના સ્વભાવની સમજણ અને અનુભવને કઠણ માનીને તે તરફનો ઉત્સાહ છોડી દીધો અને
શુભ–અશુભભાવનો ઉત્સાહ આવે છે, તેણે વિકારને સહેલો માન્યો અને સ્વભાવને કઠણ માન્યો. તે સ્વભાવનો
અનાદર કરનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
પોતાના સ્વભાવની રુચિ છૂટયા વગર અને વિકારની રુચિ થયા વગર ‘સ્વભાવ કઠણ અને વિકાર
સહેલો’ એમ અંતરથી મનાય જ નહિ. અંતરથી એટલે કે રુચિથી, હોંશથી. બોધિદુર્લભ ભાવના ભાવતાં ધર્મની
દુર્લભતા વિચારે, ત્યાં સ્વરૂપની અરુચિ નથી પણ ધર્મ પ્રત્યેની પોતાની રુચિ અને પુરુષાર્થને વધારવા માટે તે
ભાવના કરે છે. ‘ધર્મ અત્યંત દુર્લભ છે’ એમ ધર્મનો પ્રયત્ન છોડી દેવા માટે કહ્યું નથી પરંતુ દુર્લભ છે માટે તે
તરફના પુરુષાર્થમાં વિશેષ જાગૃતિ રાખવા માટે તે કથન છે. જે ખરેખર સ્વભાવને કઠણ માનીને સ્વભાવનો
પુરુષાર્થ છોડે છે તે સ્વભાવનો અનાદર કરનાર અને વિકારનો આદર કરનાર મિથ્યાદ્રષ્ટિ છે.
કોઈ એમ કહે કે બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં નડે છે, તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. સ્વરૂપનું સાધન
પોતાને કરવું નથી તેથી બહિરદ્રષ્ટિ વડે બહારના દોષ કાઢે છે. પરંતુ કોઈ બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં રોકતા
નથી. ભરત ચક્રવર્તી વગેરેને તો ઘણો બાહ્ય સંયોગ હતો છતાં તેઓને સ્વભાવસાધન નિત્ય વર્તતું હતું. અત્યારે
તો તેટલો સંયોગ કોઈને છે નહિ. જેની રુચિ–વૃત્તિ બહારમાં જ ઘોલાયા કરે છે તે જ સ્વરૂપને કઠણ માને છે,
પણ જો આત્માની રુચિ કરીને પોતે સ્વરૂપ સમજવા માગે તો સ્વરૂપ અવશ્ય સમજાય તેવું છે. સમજવું તે તો
આત્માનો સ્વભાવ છે; જડને કાંઈ જ ન સમજાય; પરંતુ ચૈતન્યને તો બધું જ સમજાય, એવો તેનો સ્વભાવ છે.
પોતાનું સ્વરૂપ સમજવું તે પોતાનો સ્વભાવ જ છે અને તેથી તે જરૂર થઈ શકે છે.
વળી કોઈ બહિરદ્રષ્ટિ એમ કહે છે કે પ્રતિકૂળ સંયોગો સ્વરૂપ સમજવામાં નડે છે. તેની વાત પણ જુઠ્ઠી છે.
કોઈ સંયોગો આત્માને પ્રતિકૂળ છે જ નહિ. અરે ભાઈ! સ્વરૂપની ઊંધી સમજણ કરીને ઊંધા ભવ કરી રહ્યો છો તે
ભાવમાં તને પ્રતિકૂળ સંયોગો નથી નડતા, અને સ્વરૂપની સમજણના–સવળા ભાવ કરવામાં તને પ્રતિકૂળ સંયોગો
નડે છે? વાહ! પોતાને જે કરવું નથી તેમાં સંયોગોનો વાંક કાઢે છે, અને પોતાને જે રુચે છે તે કરે છે, તેમાં તો
સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. આત્માની રુચિ કરવામાં સંયોગ નડે અને સંસારની રુચિ કરવામાં સંયોગ
ન નડે–એ વાત ક્યાંની? સાતમી નરકમાં અનંત પ્રતિકૂળતાના ગંજ બાહ્યમાં હોવા છતાં ત્યાંના જીવ પણ
સ્વરૂપની રુચિ કરીને ધર્મ પામી શકે છે. અહીં તો તેના અનંતમાં ભાગે પ્રતિકૂળતા પણ નથી. પરંતુ પોતાને
આત્માની દરકાર નથી તેથી સંયોગનો દોષ કાઢે છે. જો પોતે સમજવા માગે તો ગમે ત્યારે સમજી શકાય છે.
પર વસ્તુઓનો સંયોગ વિયોગ થવો તે તો પૂર્વના પુણ્ય–પાપ અનુસાર છે, તેનો કર્તા આત્મા નથી, પણ
સંયોગની અને વિકારની રુચિનો નાશ કરીને પોતાના સ્વભાવમાં વાળવું તે તો પોતાના પુરુષાર્થને આધીન છે.
પોતાને પુરુષાર્થ કરવામાં કોઈ નિમિત્ત કે સંયોગ નડતા નથી. પોતે સત્ સમજવાની રુચિ કરે ત્યારે સત્ને
અનુકૂળ નિમિત્ત સ્વયં હોય જ છે.
આત્મધર્મ અંક ૩ સુધારો
૧. પાનું ૧૬૨ માં બોલ નં. ૮૨ થી ૮૬ માં ‘સ. પા. ૩૦૪–૩૦૫ ફ્રુટનોટ’ એમ લખેલ છે તેને
બદલે ‘સ. પા. ૩૬૯ ફ્રુટનોટ’ એમ વાંચવું.
૨. પાનું ૧૬૮ કોલમ. ૩ લાઈન ૯–૧૦ માં “દેવ તે સમકિતી ન હોવાથી દુઃખી જ છે વ્યવહારે
કારણકે...” એમ લખેલ છે તેને બદલે “દેવ તે સમકિતી ન હોવાથી દુઃખી જ છે, કારણકે...” એમ વાંચવું.

PDF/HTML Page 4 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૭૫ :

વર્ષ ત્રીજું : સળંગ અંક : શ્રાવણ
અંક દસ : ૩૪ : ૨૪૭૨
શુદ્ધભાવ અને શુભાવ
(સમયસાર – મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી)
– ગાથા – ૨૯૬ –
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને માનવાથી મિથ્યાત્વ મંદ પડે, પરંતુ મંદ
મિથ્યાત્વ તે પણ બંધભાવ છે. પરલક્ષે બંધભાવમાં મંદતા કરી પરંતુ સ્વલક્ષ વગર
બંધભાવથી છૂટીને મુક્તિમાર્ગમાં પ્રવેશ જરાપણ થતો નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું
લક્ષ તે અશુભબંધને અંશે રોકે છે પણ શુભબંધને તે રોકતું નથી અને
આત્મસ્વભાવની સાચી ઓળખાણ તો અશુભ તેમ જ શુભ બંને પ્રકારના બંધન
ભાવને રોકે છે. આથી સિદ્ધ થાય છે કે આત્માની સાચી ઓળખાણ તે જ ધર્મ છે અને
શુભરાગ તે પણ બંધન છે.
પ્રશ્ન:– સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે શુભરાગ થાય છે અને શુભરાગ પણ બંધન
જ છે, અને તે રાગ આત્માને નુકશાન કરે છે–એમ કહ્યું, તો હવે અમારે દેવ–ગુરુ–શાસ્ત્રનું
લક્ષ ન કરવું ને?
ઉત્તર:– (૧) હે ભાઈ! જો તને આત્માના અબંધસ્વભાવનું ભાન થયું હોય,
અને શુભ તથા શુદ્ધભાવ વચ્ચેના તફાવતની ઓળખાણપૂર્વક શુભભાવને છેદીને તું
શુદ્ધસ્વભાવમાં ઠરી શકતો હો તો તારે શુભભાવ કે દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ કરવાની
પણ જરૂર નથી.–
(૨) –જો તને શુભ અને શુદ્ધના તફાવતનું ભાન હોય પણ શુદ્ધસ્વભાવમાં
સ્થિરતા ન ટકાવી શકતો હો તો, તે વખતે અશુભભાવથી બચવા માટે શુભભાવ
આવ્યા વગર રહેશે નહિ અને શુભભાવ વખતે મુખ્યપણે દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ લક્ષ
હોય છે, કેમ કે આત્માના લક્ષે શુભરાગ થતો નથી. પરંતુ ધ્યાન રાખજે કે તે શુભરાગ
માત્ર અશુભથી બચવા પૂરતો જ છે; અને તે છોડીને શુદ્ધભાવમાં ટકવાની ભાવના
કરજે.
(૩) –અને જો તને શુભ અને શુદ્ધના તફાવતનું ભાન ન હોય તો પ્રથમ તે
ઓળખવાનો પ્રયત્ન કરજે. જ્યાંસુધી આત્માનું ભાન ન હોય ત્યાંસુધી શુભ–અશુભ ભાવ
હોય જ. હવે જો તું શુભરાગ છોડી દઈશ તો તને અશુભરાગ થશે, કેમકે શુભભાવ રહિત
આત્માના શુદ્ધસ્વભાવની તો તને ખબર નથી. માટે પહેલી ભૂમિકામાં અસત્ નિમિત્તોનું
લક્ષ છોડીને સત્ નિમિત્તોનું લક્ષ મુમુક્ષુ જીવ કરે અને શુભરાગ પણ થાય ખરો, પરંતુ
શ્રદ્ધામાં તે શુભરાગને ધર્મ ન માનવો, પણ બંધન માનવું. અને શુભભાવથી રહિત
આત્માનું સ્વરૂપ છે તેની ઓળખાણ કરવી. દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે પોતાના ભાવથી
પોતાને જે સાચી સમજણ થાય છે તે ધર્મનું કારણ છે અને જે રાગ છે તે બંધનું કારણ છે–
એમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન કરવું. એવું ભેદજ્ઞાન કર્યા પછી જ્યારે પોતે જ્ઞાનમાં
એકાગ્ર થાય ત્યારે શુભરાગ અને દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ છૂટી જાય છે.
આ રીતે ત્રણ ભૂમિકાનું સ્વરૂપ સમજીને ભૂમિકા અનુસાર પ્રવર્તવું જોઈએ.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૭૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
દર્શન આચાર
અને ચારિત્ર આચાર
ફાગણ વદ ૧ તા. ૨૯ – ૩ – ૪૬ પ્રવચનસારજી ગાથા. ૧૦૬ ના વ્યાખ્યાનો
– ટૂંક સાર. –

વસ્તુ અને સત્તામાં કથંચિત્ અન્યપણું છે; આખી વસ્તુ એક જ ગુણ જેટલી નથી, તેમ જ એક ગુણ તે
આખી વસ્તુરૂપ નથી. વસ્તુમાં કથંચિત્ ગુણગુણી ભેદ છે; આથી વસ્તુના દરેક ગુણ સ્વતંત્ર છે. શ્રદ્ધા અને
ચારિત્રગુણ જુદા જુદા છે. ચારિત્રગુણમાં કષાય મંદ પાડે તેથી શ્રદ્ધા ગુણમાં કાંઈ લાભ થાય–એમ બનતું નથી.
કેમ કે શ્રદ્ધા ગુણને અને ચારિત્રગુણને અન્યત્વ ભેદ છે. કષાયની ઘણી મંદતા કરવી તે ચારિત્ર–ગુણની વિકારી
ક્રિયા છે; શ્રદ્ધા અને ચારિત્રગુણમાં અન્યત્વ ભેદ છે તેથી ચારિત્રના વિકારની મંદતા તે સમ્યક્શ્રદ્ધાનો ઉપાય
થતો નથી; પણ પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવની રુચિ કરવી તે જ શ્રદ્ધાનું કારણ છે.
શ્રદ્ધા ગુણ સુધરવા છતાં ચારિત્ર ગુણ ન સુધરે, કેમ કે શ્રદ્ધા અને ચારિત્રગુણ જુદા છે. રાગના ઘટાડા
ઉપરથી કે ચારિત્રગુણના આચાર ઉપરથી જે જીવ સમ્યક્શ્રદ્ધાનું માપ કાઢવા માગે છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને
વસ્તુસ્વરૂપના ગુણભેદની ખબર નથી, કેમ કે સમ્યગ્દર્શનના આચાર અને સમ્યક્ચારિત્રના આચાર જુદા જુદા છે.
ઘણો કષાય હોવા છતાં સમ્યગ્દર્શન હોય અને એકાવતારી હોય. વળી ઘણો મંદ કષાય હોવા છતાં
સમ્યગ્દર્શન હોય નહિ અને અનંત સંસારી હોય છે. અજ્ઞાનીએ ચારિત્રના વિકારની મંદતા કરી પણ તેને શ્રદ્ધાના
સ્વરૂપનું ભાન નથી. પહેલાંં સાચી શ્રદ્ધાની ખીલવટ વગર કદાપિ ભવનો અંત આવે નહિ. સાચી શ્રદ્ધા વગર
ચારિત્રનો અંશ પણ ખીલે નહિ.
જ્ઞાનીને વિશેષ ચારિત્ર ન હોવા છતાં વસ્તુસ્વરૂપનું ભાન હોવાથી દર્શન આચારમાં તે નિઃશંક હોય છે.
મારા સ્વભાવમાં રાગનો અંશ પણ નથી, હું જ્ઞાનસ્વભાવી જ્ઞાતા જ છું–આવી જેણે પ્રતીત કરી છે તેને
ચારિત્રદશા ન હોવા છતાં તેના દર્શનઆચાર સુધરી ગયા છે, શ્રદ્ધામાં તેને કદાપિ શંકા પડતી નથી. ‘રાગ થવાને
લીધે મારા સમ્યગ્દર્શનમાં દોષ આવી જતો હશે! ’ એવી શંકા જ્ઞાનીને હોય નહિ; કેમ કે તે જાણે છે કે રાગ થાય
તે ચારિત્રનો દોષ છે, પણ ચારિત્રના દોષવડે શ્રદ્ધાગુણમાં મલિનતા આવી જતી નથી. હા, જો રાગ થાય તેને
પોતાનું સ્વરૂપ માને અથવા પરમાં સુખબુદ્ધિ માને તો તેને શ્રદ્ધામાં દોષ આવે. સાચી પ્રતીતની ભૂમિકામાં
અશુભરાગ થઈ જાય તો તેનો પણ નકાર કરે છે અને જાણે છે કે આ દોષ ચારિત્રનો છે, તે મારી શ્રદ્ધાને
નુકશાન કરવા સમર્થ નથી. –આવું દર્શનઆચારનું અપૂર્વ સામર્થ્ય છે.
દર્શનઆચાર (સમ્યગ્દર્શન) જ સૌથી પહેલો પવિત્ર ધર્મ છે. અનંત પર દ્રવ્યોના કામમાં હું કાંઈ નિમિત્ત
પણ થઈ શકતો નથી, એટલે પરથી તો ભિન્ન, જ્ઞાતા જ છું; અને આસક્તિના જે રાગ–દ્વેષ છે તે પણ મારું સ્વરૂપ
નથી, તે મારા શ્રદ્ધાસ્વરૂપને નુકશાન કરવા સમર્થ નથી–આવું દર્શનાચારની પ્રતીતિનું જે જોર છે તે અલ્પકાળે
મોક્ષ આપવાનું છે; અનંત ભવનો નાશ કરીને એકાવતારીપણું કરી દેવાની દર્શનાચારની તાકાત છે. અને
દર્શનાચારની પ્રતીત પ્રગટ કર્યા વગર રાગ ઘટાડીને અનંતવાર બાહ્યમાં ચારિત્રાચારનું ચાલન કરવા છતાં
દર્શનાચારના અભાવે તેના અનંત ભવ ટળે નહિ. પહેલાંં દર્શનાચાર વગર કદાપિ ધર્મ હોય નહિ.
પરથી ભિન્ન નિવૃત્તસ્વરૂપ શ્રદ્ધામાં માન્યું એટલે તરત જ બધી રાગાદિની પ્રવૃત્તિ અને સંયોગ છૂટી જ
જાય–એમ નથી, કેમકે શ્રદ્ધા ગુણ અને ચારિત્રગુણને જુદાપણું છે તેથી શ્રદ્ધાગુણની નિર્મળતા પ્રગટ થવા છતાં
ચારિત્રગુણમાં અશુદ્ધતા પણ રહે છે. જો સર્વથા એક શ્રદ્ધા ગુણરૂપ જ દ્રવ્યને માનવામાં આવે તો શ્રદ્ધાગુણ
નિર્મળ થતાં આખું દ્રવ્ય સંપૂર્ણ શુદ્ધ જ થઈ જવું જોઈએ; પણ શ્રદ્ધાગુણને અને આત્માને સર્વથા એકત્વ–
અભેદપણું નથી તેથી શ્રદ્ધાગુણના અને ચારિત્રગુણના વિકાસમાં ક્રમ પડે છે. આમ હોવા છતાં ગુણને અને
દ્રવ્યને પ્રદેશ ભેદ ન માનવા; શ્રદ્ધા અને આત્મા પ્રદેશ અપેક્ષાએ તો એક જ છે. ગુણને અને દ્રવ્યને અન્યત્વભેદ
હોવા છતાં પ્રદેશભેદ નથી. વસ્તુમાં એક જ ગુણ નથી પણ અનંત ગુણ છે અને તેમનામાં અન્યત્વ નામનો ભેદ
છે, તેથી જ શ્રદ્ધા થતાં તત્ક્ષણે કેવળજ્ઞાન થતું નથી. જો શ્રદ્ધા થતાં જ તે જ ક્ષણે સંપૂર્ણ કેવળજ્ઞાન થઈ જાય તો
વસ્તુના અનંત ગુણો જ સિદ્ધ થતાં નથી.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૭૭ :
કેરીના દ્રષ્ટાંતે અન્યત્વભેદનું સ્વરૂપ સમજાવે છે–કેરીમાં રંગ અને રસ ગુણ જુદા છે, રંગ ગુણ લીલી–દશા
પલટીને પીળીદશારૂપ થાય છતાં રસ તો ખાટો ને ખાટો જ રહે; તેમજ રસગુણ પલટીને મીઠો થાય છતાં કેરીનો
રંગ તો લીલો જ રહે–કેમકે રંગ અને રસગુણ જુદા છે. (આ દ્રષ્ટાંત સમજવું.) તેમ વસ્તુમાં દર્શનગુણ ખીલે
છતાં ચારિત્રગુણ ન ખીલે. પરંતુ એમ તો ન જ બને કે ચારિત્રગુણ ખીલે અને દર્શનગુણ ન ખીલે. એ ખાસ
ધ્યાન રાખવું કે સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યક્ચારિત્ર હોઈ જ ન શકે.
પ્રશ્ન:– એમ શા માટે બને છે? શ્રદ્ધા અને ચારિત્ર બંને ગુણ તો સ્વતંત્ર છે.
ઉત્તર:– ગુણો સ્વતંત્ર છે એ વાત ખરી છે, પરંતુ શ્રદ્ધા ગુણ કરતાં ચારિત્રગુણ ઊંચી જાતનો છે, શ્રદ્ધા
કરતાં ચારિત્રમાં વિશેષ પુરુષાર્થની જરુરિયાત છે અને શ્રદ્ધા કરતાં ચારિત્ર વિશેષ પૂજનીક છે, તેથી પહેલાંં શ્રદ્ધા
ખીલ્યા વગર ચારિત્રગુણ ખીલી જ ન શકે. જેનામાં શ્રદ્ધાગુણ માટેનો અલ્પ પુરુષાર્થ ન હોય તેનામાં
ચારિત્રગુણનો ઘણો જ પુરુષાર્થ તો ક્યાંથી હોય? પ્રથમ સમ્યક્શ્રદ્ધા પ્રગટવાનો પુરુષાર્થ કર્યા પછી વિશેષ
પુરુષાર્થ કરતાં ચારિત્રદશા પ્રગટે છે. શ્રદ્ધા કરતાં ચારિત્રનો પુરુષાર્થ વિશેષ છે તેથી પહેલાંં શ્રદ્ધા થાય છે અને
પછી ચારિત્ર થાય છે. માટે પહેલાંં શ્રદ્ધા પ્રગટ થાય અને પછી ચારિત્ર ખીલે. શ્રદ્ધા ગુણની ક્ષાયિક શ્રદ્ધારૂપ
પર્યાય હોવા છતાં જ્ઞાન અને ચારિત્રમાં અપૂર્ણતા હોય. આથી સિદ્ધ થાય છે કે વસ્તુમાં અનંત ગુણો છે અને તે
બધા સ્વતંત્ર છે; આ જ અન્યત્વ ભેદ છે.
જ્ઞાનીને ચારિત્રના દોષને લીધે રાગ–દ્વેષ થાય છતાં તેને અંતરથી નિરંતર સમાધાન વર્તે છે કે–આ રાગ–
દ્વેષ મને પરવસ્તુના પરિણમનના કારણે નથી, તે મારા દોષથી થાય છે, છતાં તે મારું સ્વરૂપ નથી; મારી
પર્યાયમાં રાગદ્વેષ થાય તેને લીધે પરમાં કાંઈ જ ફેરફાર થતો નથી. –આવી પ્રતીતિમાં જ્ઞાનીને રાગ–દ્વેષનું
સ્વામીત્વ ઊડી ગયું છે અને જ્ઞાતાપણાનો અપૂર્વ નિરાકુળ સંતોષ વર્તે છે. કેવળજ્ઞાન થવા છતાં અરિહંતપ્રભુના
પ્રદેશત્વ ગુણની અને ઊર્ધ્વગમનસ્વભાવની નિર્મળતા નથી તેથી જ સંસારમાં છે; અઘાતિ કર્મની સત્તાને લીધે
પ્રભુને સંસાર છે–એમ નથી; અન્યત્વ નામનો ભેદ હોવાને લીધે હજી પ્રદેશત્વ વગેરે ગુણનો વિકાર છે તેથી જ
સંસારમાં છે.
જેમ–સમ્યગ્દર્શન થતાં ચારિત્ર ન થયું ત્યાં પોતાના ચારિત્રગુણની પર્યાયમાં દોષ છે, પણ શ્રદ્ધામાં દોષ
નથી. ચારિત્રનો દોષ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે છે પણ કર્મના કારણે તે દોષ નથી; તેમ–કેવળજ્ઞાન
થવા છતાં પ્રદેશત્વસત્તા અને જોગસત્તામાં વિકાર રહે છે તેનું કારણ એ છે કે બધા ગુણોમાં અન્યત્વ નામનો ભેદ
છે. પર્યાયે પર્યાયની સત્તા સ્વતંત્ર છે. આ ગાથા દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્ર સત્તાને જેમ છે તેમ બતાવે છે. જ્ઞેય
અધિકાર છે તેથી દરેક પદાર્થોની અને ગુણની સત્તાની સ્વતંત્રતાનું ભાન કરાવે છે. જો દરેક ગુણસત્તા અને
પર્યાયસત્તાની હૈયાતિને જેમ છે તેમ જાણે તો જ્ઞાન સાચું છે. નિર્વિકારી પર્યાય કે વિકારી પર્યાય તે પણ સ્વતંત્ર
પર્યાયસત્તા છે. તેને જેમ છે તેમ જાણવા જોઈએ. વિકાર પણ પર્યાયમાં સ્વતંત્રપણે જીવ કરે છે, તે પોતાની
પર્યાયના દોષના કારણે છે. દરેક દ્રવ્ય–ગુણ–પર્યાયસત્તા સ્વતંત્ર છે પછી કર્મસત્તા આત્માની સત્તામાં શું કરે? કર્મ
અને આત્મા એ બંનેની સત્તામાં તો પ્રદેશભેદ જ છે; બે વસ્તુઓને તો સર્વથા પૃથકત્વ ભેદ છે.
અહીં તો એ બતાવે છે કે, એક ગુણ સાથે બીજા ગુણને પૃથકત્વ ભેદ (પ્રદેશ ભિન્નતા) ન હોવા છતાં પણ
તેમને અન્યત્વ ભેદ છે, તેથી એકગુણની સત્તામાં બીજા ગુણની સત્તા નથી. આ રીતે સ્વમાં જ અભેદપણું અને
ભેદપણું આ ગાથા બતાવે છે. પ્રદેશભેદ નથી માટે અભેદ છે અને ગુણ–ગુણી અપેક્ષાએ ભેદ છે.
કોઈ પણ બે વસ્તુ લ્યો તો તે બે વસ્તુને પ્રદેશત્વ ભેદ છે; પણ એક વસ્તુમાં જે અનંતગુણો છે તે ગુણોને
એક બીજા સાથે અન્યપણું છે–અન્યત્વ ભેદ છે, પણ પૃથકત્વ ભેદ નથી.
આ બે પ્રકારના ભેદનું સ્વરૂપ સમજતાં અનંત પર દ્રવ્યનો અહંકાર ટળ્‌યો અને પરાશ્રયબુદ્ધિ ટળીને
સ્વભાવની દ્રઢતા થઈ; તથા સાચી શ્રદ્ધા થતાં બધા ગુણોને સ્વતંત્ર માન્યા અને બધા જ ગુણો શુદ્ધ છે એવી
પ્રતીતિપૂર્વક, હવે જે વિકાર થાય તેનો પણ જ્ઞાતા જ રહ્યો, એટલે તે જીવને વિકારના અને ભવના નાશની જ પ્રતીતિ
થઈ ગઈ. આ જ સમજણનો અપૂર્વ લાભ છે. જ્ઞેયઅધિકારમાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું વર્ણન છે, દરેક ગુણ–પર્યાય જ્ઞેયરૂપ
છે એટલે પોતાના બધાય ગુણ–પર્યાયનો અને અભેદ દ્રવ્યનો જ્ઞાતા થઈ ગયો, આ જ સમ્યગ્દર્શન ધર્મ છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૭૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
આત્મહિત માટે કોઈ પણ પ્રકારનો રાગ લાભદાયક નથી
પ. પૂ. સદ્ગુરુદેવશ્રીના સમયસાર મોક્ષ અધિકાર
ગાથા ૨૯૬ ઉપરના વ્યાખ્યાનમાંથી
ઈન્દ્રની સુખ સામગ્રી કે તીર્થંકરોના સમવસરણના વૈભવનું વર્ણન સાંભળીને જો તેની રુચિ જીવને થઈ
જાય તો તેને સંયોગની અને રાગની રુચિ છે; તે રાગ વડે નથી આત્માને લાભ, કે નથી પરને લાભ! સંયોગ તે
રાગનું ફળ છે, જેને સંયોગની અને રાગની રુચિ છે તેને સંયોગ અને રાગરહિત એવા અસંયોગી વીતરાગ
આત્મસ્વભાવની રુચિ નથી.
અહીં ક્યાં રાગની અને કયા સંયોગની વાત કરી? જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તથા ઈન્દ્ર પદ મળે તે
રાગભાવ અને સમવસરણ તથા ઈન્દ્રપદની સામગ્રી–તેમાં આત્માનું સુખ નથી અને તેના વડે સ્વને કે પરને
ખરેખર લાભ નથી.
તે કેમ લાભદાયક નથી? કેમ કે શુભરાગ પણ વિકાર છે, તે રાગવડે વર્તમાનમાં પોતાની અવસ્થાની
શુદ્ધતા અટકે છે તેથી વર્તમાનમાં રાગથી લાભ નથી, અને તે રાગના ફળમાં જે બાહ્ય સંયોગ મળશે તે સંયોગ
ઉપર જ્યાં સુધી લક્ષ હશે ત્યાં સુધી વીતરાગતા નહિ પ્રગટે પણ રાગનો અભાવ કરવાથી જ વીતરાગતા પ્રગટે
છે, માટે તે રાગ વડે ભવિષ્યમાં પણ લાભ નથી.
પ્રશ્ન:– જે જીવ તીર્થંકરગોત્ર બાંધે તે તીર્થંકર–કેવળીપદ પામે જ એમ નક્કી થઈ જાય છે, માટે તે રાગથી
એટલો તો લાભ થયો કે નહિ?
ઉત્તર:– ના, ભવિષ્યમાં કેવળજ્ઞાન થશે–એવો નિર્ણય તે રાગ વડે થયો નથી, પરંતુ સમ્યગ્દર્શનના જોરે તે
રાગનો નકાર વર્તે છે તેથી તે રાગ ટાળીને અલ્પકાળે કેવળજ્ઞાન થશે–એવો નિર્ણય થયો છે. ત્યાં સમ્યગ્દર્શનનું
માહાત્મ્ય છે, પણ રાગનું માહાત્મ્ય નથી.
જે રાગભાવે તીર્થંકરગોત્ર બાંધે તે ભાવે તીર્થંકર–કેવળીદશા પમાય નહિ; પણ, શુભાશુભરાગ થાય તેને
જાણનારૂં જ્ઞાન તે હું અને રાગ હું નહિ એમ પ્રજ્ઞાવડે આત્માને અને રાગને છેદીને ભિન્ન પાડ્યા છે તે પ્રજ્ઞા જ
કેવળજ્ઞાનનું કારણ છે. પ્રજ્ઞા અર્થાત્ સમ્યગ્જ્ઞાન પ્રગટ્યા પછી જે તીર્થંકરગોત્રનો રાગ આવ્યો તે રાગને આત્મા
તરીકે જ્ઞાનીઓ સ્વીકારતા નથી પણ બંધ તરીકે સ્વીકારે છે; જ્યારે તે બંધભાવને છેદશે ત્યારે કેવળજ્ઞાન
પ્રગટશે. પ્રથમ ‘રાગ તે મારું સ્વરૂપ નહિ’ એમ શ્રદ્ધામાં રાગનો છેદ કર્યો, ત્યાર પછી આત્મામાં સ્થિરતા વડે
ચારિત્રમાંથી પણ તે રાગને છેદી નાખવો તે જ મુક્તિનું કારણ છે. આ રીતે નક્કી થયું કે કોઈ પણ જાતનો
રાગભાવ પોતાને વર્તમાનમાં કે પરંપરાએ ભવિષ્યમાં લાભદાયક નથી.
ભાઈ! ચૈતન્યસ્વરૂપનો મહિમા તો ચૈતન્યમાં જ છે, પણ કોઈ રાગવડે ચૈતન્યનો મહિમા નથી. ચૈતન્યના
મહિમાને જાણ્યા વગર ગમે તેટલાં શાસ્ત્રો વાંચે તોપણ તે રાગ અને ચૈતન્યના ભેદનું ભાન ન હોવાથી ગોટા જ વાળશે.
તીર્થંકરગોત્રનો શુભરાગ પરંપરા મોક્ષનું કારણ થાય એમ જ્યાં કહ્યું હોય ત્યાં તેનો આશય આ પ્રમાણે
સમજવો–જે રાગ છે તે તો બંધનું જ કારણ છે પણ વર્તમાન સમ્યક્દ્રષ્ટિમાં તે રાગનો સ્વીકાર કરતા નથી અને
તે દ્રષ્ટિના જોરે ક્રમેક્રમે સ્થિરતા કરીને તે રાગને અવશ્ય ટાળશે અને તે રાગભાવ ટાળીને અવશ્ય કેવળજ્ઞાન
પ્રગટાવી મોક્ષ પામશે–આવું સાચી દ્રષ્ટિનું માહાત્મ્ય બતાવવા માટે ઉપચારથી તે રાગને મોક્ષનું કારણ કહી દીધું
છે. પણ રાગને ખરેખર મોક્ષનું કારણ ન માનવું, રાગ તો બંધનું જ કારણ છે.
‘હું અમુક ભાવ કરીને તીર્થંકર ગોત્ર બાંધુ’ એવી ભાવના વડે કદી તીર્થંકરગોત્ર બંધાય નહિ. કેમકે જેણે
તીર્થંકરગોત્રની ભાવના કરી તેણે રાગની ભાવના કરી તેને બંધભાવની રુચિ છે પણ સ્વભાવની રુચિ નથી તેથી
તે મિથ્યાદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિને તીર્થંકરગોત્ર બંધાય જ નહિ. પૂર્ણ–સ્વભાવની ઓળખાણ પછી પૂર્ણતાની
ભાવનાના વિકલ્પથી સમ્યગ્દ્રષ્ટિને તે સહેજે (–ઈચ્છા વગર, આદર વગર) બંધાય છે. પણ પ્રભુ! તે તીર્થંકર
ગોત્રની રુચિમાં તારા ચૈતન્યની રુચિનો અનાદર થઈ જાય છે, માટે નકાર કર કે પુણ્ય–પાપની કોઈ લાગણી
મારી નથી, મારા ચૈતન્ય સ્વભાવની ભાવના વડે સર્વ શુભાશુભને છેદીને હું કેવળજ્ઞાન લેવાનો છું.
તીર્થંકર થનાર જીવ સ્વર્ગ કે નરકમાંથી ચ્યવન કરીને મનુષ્ય થાય છે અને પછી ચારિત્રદશા વડે રાગને

PDF/HTML Page 8 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૭૯ :
છેદીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે તીર્થંકરગોત્રના પરમાણુઓના નિમિત્તે બહારમાં સમવસરણની રચના થાય
છે અને ઈચ્છા વગર દિવ્યધ્વનિ છૂટે છે. તીર્થંકરનો પૂર્વનો રાગ કે તે રાગના બાહ્ય ફળરૂપ સમવસરણ અને
દિવ્યધ્વનિ તે પર જીવોને પણ પરમાર્થે લાભનું કારણ નથી. કેમકે તીર્થંકર, સમવસરણ અને દિવ્યધ્વનિ એ ત્રણે
પરવસ્તુ છે; જીવને જ્યાંસુધી પર ઉપર લક્ષ રહે ત્યાં સુધી રાગ જ હોય. અને પર લક્ષે આત્મસ્વભાવ સમજાય
નહિ. માટે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે રાગભાવથી પરને પણ લાભ નથી. પણ જીવ જ્યારે તીર્થંકર,
સમોસરણ અને દિવ્યધ્વનિ–એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જ તે
સમ્યગ્દર્શન પામે છે અને ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે. જ્યારે જીવ પોતે સ્વભાવના લક્ષે સાચી સમજણ વડે
લાભ પામે ત્યારે દિવ્યધ્વનિ વગેરેને નિમિત્ત કહેવાય છે; અને દિવ્યધ્વનિથી લાભ થયો અથવા તો તીર્થંકરપ્રભુએ
ઘણા જીવોને તાર્યા–એમ ઉપચારથી બોલાય છે, પણ ખરું સ્વરૂપ તો ઉપર જણાવ્યા મુજબ જ સમજવું.
જે રાગ પોતાને લાભદાયક નથી તે રાગ પરને પણ લાભદાયક નથી.
પ્રશ્ન:– શુભરાગવડે તીર્થંકરગોત્ર બંધાય અને તેનો ઉદય થતાં દિવ્યવાણી છૂટે, તે વાણી સાંભળીને ઘણા
જીવો ધર્મ સમજે અને લાભ પામે–એ રીતે શુભરાગવડે પરને તો લાભ થાયને?
ઉત્તર:– ના. જે જીવો ધર્મ સમજ્યા તેઓ વાણીના લક્ષે નથી સમજ્યા, પણ ભગવાન અને ભગવાનની
વાણી તરફની લાગણી એ બંને મારું સ્વરૂપ નથી, હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું–એમ પ્રજ્ઞાવડે સ્વલક્ષ કરીને
જ્યારે ભગવાનનું લક્ષ છોડ્યું ત્યારે જ તેઓ સમજ્યા છે, તેથી સ્વ પ્રજ્ઞાવડે જ લાભ થયો છે અને ત્યારે
નિમિત્ત તરીકે ભગવાનની વાણીની હાજરી હતી તેથી, ભગવાનની વાણી સાંભળીને સમજ્યા એમ ઉપચારથી
કહેવામાં આવે છે. અને સ્વભાવ સમજ્યા પછી પણ જ્યાંસુધી ભગવાનની વાણી તરફ લક્ષ હોય છે ત્યાંસુધી
રાગ ટળતો નથી, પણ પ્રજ્ઞાના જ અભ્યાસ વડે જ્યારે સ્વભાવનું ગ્રહણ અને રાગનો ત્યાગ કરે છે ત્યારે જ
ચારિત્રદશા પ્રગટે છે, ત્યાં વાણીનું લક્ષ હોતું નથી. આ રીતે ભગવાનનો પૂર્વદશાનો રાગ કે તેના ફળરૂપ દિવ્ય
વાણી તે પર જીવને પણ ખરી રીતે લાભ કર્તા નથી......... આમ હોવા છતાં પ્રથમ ભૂમિકામાં જ્યાં સુધી રાગ
હોય ત્યાં સુધી અશુભ રાગથી બચવા માટે અને જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે ભગવાનની દિવ્ય વાણીનું
શ્રવણ–મનનરૂપે અવલંબન હોય છે. સમ્યગ્દ્રષ્ટિઓ અને ગણધરો પણ શુભ વિકલ્પ વખતે ભગવાનની
દિવ્યવાણીનું શ્રવણ કરે છે, પરંતુ તે રાગ વખતેય આત્માના સ્વભાવમાં પ્રજ્ઞા રહેલી છે તે પ્રજ્ઞા રાગનો અને
પરનો નકાર કરીને સ્વભાવમાં ઢળે છે, તે પ્રજ્ઞા જ સર્વત્ર લાભદાયક છે, પરંતુ રાગ ક્યારેય પણ ખરેખર
લાભદાયક નથી.
આ રીતે મોક્ષના સાધન તરીકે એક પ્રજ્ઞાનું જ–ભેદવિજ્ઞાનનું જ–સ્થાપન કર્યું અને પ્રજ્ઞા સિવાયના બધા
ભાવોને બંધમાર્ગ તરીકે સ્થાપ્યા.
સમ્યગ્દ્રષ્ટિને શુભભાવ થાય ખરા, પણ તેઓ તેને મોક્ષમાર્ગ તરીકે માનતા નથી, અશુભથી બચવા માટે
શુભભાવ આવે છે. અભિપ્રાય વડે જ્ઞાન સ્વભાવમાંથી શુભ–અશુભ બંનેને છેદવા તે સમ્યગ્દર્શન છે અને
સ્થિરતાવડે શુભ–અશુભ બંનેને છેદવા તે સમ્યક્ચારિત્ર છે. આ જ મુક્તિનો ઉપાય છે. શુભભાવમાં ધર્મ નથી
માટે શુભને છોડીને અશુભભાવ કરવા એવો અર્થ તો સમજવો જ નહિ. જો તેવો અર્થ માનીને શુભ છોડીને
અશુભ કરે તો તે જીવ ધર્મ સમજવાની પાત્રતાવાળો પણ નથી. જ્યાં મંદકષાય પણ લાભદાયક હોવાની ના
પાડી તો પછી તીવ્ર કષાય તો લાભદાયક હોય જ કેમ?
સુવર્ણપુરીમાં પર્યુષણ દર સાલ મુજબ ઉજવવામાં આવશે. શ્રી જૈન અતિથિ સેવા
સમિતિની બેઠક ભાદરવા સુદ ર ના રોજ સાંજે પાંચ વાગે ભરવામાં આવશે. રા.મા.દોશી
૧. રાગમાં ધર્મ માને તે મિથ્યાદ્રષ્ટિ–બહિરાત્મા.
૨. પ્રજ્ઞાછીણી વડે જ્ઞાનને અને રાગને ભિન્નપણે સમજે અને રાગમાં ધર્મ ન માને, છતાં રાગ હોય, તે સાધક–
અંતરાત્મા.
૩. પ્રજ્ઞાછીણી વડે જ્ઞાનને અને રાગને ભિન્નપણે સમજે અને પછી જ્ઞાન સ્વભાવની પૂર્ણ સ્થિરતા વડે રાગનો
સર્વથા ક્ષય કરે તે સાધ્ય–પરમાત્મા.
જ્ઞાન અને રાગને ભિન્નપણે ઓળખીને એક અંશ પણ રાગને પોતાનો માનવો નહિ, પણ પ્રજ્ઞાવડે જ્ઞાનની
અધિકતા અને રાગની હિનતા રાખીને મોક્ષમાર્ગમાં નિઃશંક ચાલ્યા જવું, એ જ મુક્તિનું કારણ છે. આજ માર્ગથી ચૈતન્ય
ભગવાનનું જેનશાસન અનાદિ અનંત વર્તે છે, અને સાધક સંતોની મંડળી–મુક્તિની મંડળી આ જ માર્ગે ચાલી જાય છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૮૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
ભેદજ્ઞાન
[પરમ પૂજ્ય કાનજી સ્વામીના શ્રી સમયપ્રાભૃત ગાથા – ૨૯૪ – ઉપરના વ્યાખ્યાનોનો ટૂંક સાર]
– ભગવતી પ્રજ્ઞા –
આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે? એમ પૂછવામાં આવતાં તેનો ઉત્તર કહે છે–
જીવ બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
જીવ અને બંધભાવને જુદા કરવા તે આત્માનું કાર્ય છે અને તેનો કરનારો આત્મા છે. મોક્ષ તે આત્માની
પવિત્ર દશા છે અને તે દશારૂપે થનાર આત્મા છે. પરંતુ તે રૂપે થવાનું સાધન શું, ઉપાય શું? તેના ઉત્તરમાં કહે
છે કે આ ભગવતી પ્રજ્ઞા વડે જ આત્માના સ્વભાવને અને બંધભાવને જુદા જાણીને છેદવામાં આવતાં મોક્ષ થાય
છે. આત્માનો સ્વભાવ બંધનથી રહિત છે એમ જાણનારૂં સમ્યગ્જ્ઞાન તે જ બંધ અને આત્માને જુદા પાડવાનું
સાધન છે, અહીં ‘ભગવતી’ વિશેષણ વડે તે સમ્યગ્જ્ઞાનનો આચાર્યદેવે મહિમા કર્યો છે.
– ચેતક – ચેત્યપણું –
આત્મા અને બંધના ચોક્કસ લક્ષણો જુદા છે, તે વડે તેમને જુદા જુદા ઓળખવા. આત્માને અને બંધને
ચેતક–ચેત્ય સંબંધ છે, અર્થાત્ આત્મા જાણનાર–ચેતક છે અને બંધભાવ તેના જ્ઞાનમાં જણાય છે તેથી ચેત્ય છે.
બંધભાવમાં ચેતકપણું નથી અને ચેતકપણામાં બંધભાવ નથી. બંધભાવ પોતે કાંઈ જાણતા નથી, પણ આત્મા
પોતાના ચેતક સ્વભાવ વડે જાણે છે. આત્માનો ચેતક સ્વભાવ હોવાથી અને બંધ ભાવોનો ચેત્યસ્વભાવ
હોવાથી, આત્માનાં જ્ઞાનમાં બંધભાવ જણાય છે ખરા; ત્યાં બંધભાવને જાણતાં અજ્ઞાનીને ભેદજ્ઞાનના અભાવને
લીધે જ્ઞાન અને બંધભાવ એક જેવા ભાસે છે; ચેતક–ચેત્યપણાને લીધે તેમને અત્યંત નિકટપણું હોવા છતાં
બંનેના લક્ષણ જુદા જુદા છે. ‘અત્યંત નિકટ’ કહેતાં જ જુદાપણું આવી જાય છે.
ચેતક–ચેત્યપણાને લીધે અત્યંત નિકટપણું હોવાથી આત્મા અને બંધના ભેદજ્ઞાનના અભાવને લીધે
તેમનામાં એકપણાનો વ્યવહાર કરવામાં આવે છે, પરંતુ ભેદજ્ઞાન વડે તે બંનેનું ભિન્નપણું સ્પષ્ટ જણાય છે.
પર્યાયમાં જોતાં બંધ અને જ્ઞાન એક સાથે હોય તેમ દેખાય છે પરંતુ દ્રવ્યસ્વભાવથી જોતાં બંધ અને જ્ઞાન જુદાં
દેખાય છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે અને બંધ તે બહાર જતી વિકારી લાગણી છે.
– બંધભાવ અને જ્ઞાની ભિન્નતા –
બંધભાવ આત્માની અવસ્થામાં થાય છે, તે કાંઈ પરમાં થતા નથી. તે બંધભાવની લાગણી આત્માના
સ્વભાવ સાથે એકમેક હોય તેમ અજ્ઞાનીને લાગે છે. અંતર સ્વરૂપ શું અને બહાર જતી લાગણી શું–તેના
સૂક્ષ્મભેદના અભાનને લીધે જ્ઞાનના ઘોલનમાં તે લાગણી જાણે કે એકમેક થઈ જતી હોય તેમ અજ્ઞાનીને દેખાય
છે અને તેથી બંધભાવથી જુદું જ્ઞાન અનુભવમાં આવતું નથી અને બંધનો છેદ થતો નથી. જો બંધ અને જ્ઞાનને
જુદા જાણે તો જ્ઞાનની એકાગ્રતાવડે બંધનનો છેદ કરે.
રાગ અનેક પ્રકારનો છે અને સ્વભાવ એક પ્રકારનો છે. પ્રજ્ઞાવડે બધાય પ્રકારના રાગથી આત્માને જુદો
પાડવો. આ મોક્ષનો ઉપાય છે.
રાગ અને આત્મા જુદા છે એમ કહ્યું, ‘જુદા’ એટલે શું? આત્મા અહીં અને રાગ તેનાથી દસ ફૂટ દૂર
એમ ક્ષેત્રથી જુદાપણું નથી, પરંતુ ભાવથી જુદાપણું છે. રાગાદિ બંધભાવો આત્માની ઉપર ઉપર તરે છે પરંતુ
અંદર પ્રવેશતા નથી એટલે કે ક્ષણિક રાગભાવ હોવા છતાં તે ત્રિકાળ સ્વભાવ રાગરૂપ નથી તેથી વિકાર તે
સ્વભાવની ઉપર તરે છે એમ કહ્યું છે. વિકાર અને સ્વભાવને ભિન્ન જાણવાથી જ મોક્ષ થાય છે, અને તે માટે
પ્રજ્ઞા જ સાધન છે. પ્રજ્ઞા એટલે સમ્યગ્જ્ઞાન.
– પ્રજ્ઞાછીણી –
સમયસાર–સ્તુતિમાં પણ કહ્યું છે કે– ‘તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા’ જ્ઞાન એટલે
આત્માનો સ્વભાવ અને ઉદય એટલે બંધભાવ. સ્વભાવ અને બંધભાવની બધી સંધિને છેદવા માટે આત્માની
પ્રજ્ઞાછીણી તે જ સાધન છે. જ્ઞાન અને. રાગ બંને એક પર્યાયમાં વર્તતા હોવા છતાં બંનેના લક્ષણ કદી એક થયા
નથી, બન્ને પોતપોતાના સ્વ લક્ષણોમાં ભિન્ન ભિન્ન છે–એમ લક્ષણભેદ વડે તેમને જુદા ઓળખીને તેમની સૂક્ષ્મ
અંતરસંધિમાં પ્રજ્ઞારૂપી છીણીને પટકવાથી તેઓ અવશ્ય જુદા પડે છે.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૮૧ :
જેમ પત્થરની સાંધને લક્ષમાં લઈને તે સાંધમાં સુરંગ ફોડતા ફડાક
કટકા થઈ જાય છે તેમ અહીં સમ્યગ્જ્ઞાનરૂપી સુરંગ છે તથા આત્મા અને બંધ
વચ્ચેની સૂક્ષ્મ સાંધને લક્ષમાં લઈને સાવધાનપણે તેમાં તે સુરંગ પટકવાની છે–
એમ કરવાથી આત્મા અને બંધ જુદા થાય છે.
‘સાવધાન થઈને’ અટકવાનું કહ્યં છે એટલે કે ગમે તે પ્રકારનો રાગ હોય
તે બધોય મારા જ્ઞાનથી ભિન્ન છે, જ્ઞાનસ્વભાવ વડે રાગનો જાણનાર જ છું
પણ રાગનો કરનાર નથી–એમ બધી તરફથી ભિન્નપણું જાણીને અર્થાત્
મોહનો અભાવ કરીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું.
‘પ્રજ્ઞાછીણી પટકવી’ એટલે કાંઈ હાથમાં પકડીને મારવી એમ નથી,
પ્રજ્ઞા અને આત્મા કાંઈ જુદા નથી; તીવ્ર પુરુષાર્થ વડે જ્ઞાનને આત્માના
સ્વભાવમાં એકાગ્ર કરતાં રાગનું લક્ષ છૂટી જાય છે તે જ પ્રજ્ઞાછીણીનો ઘા છે.
‘સૂક્ષ્મઅંતરસંધિમાં પટકવી’ એટલે કે શરીર વગેરે પરદ્રવ્યો તો જુદા
છે જ, કર્મો વગેરે પણ જુદાં જ છે, પરંતુ પર્યાયમાં જે રાગદ્વેષ થાય છે તેઓ સ્થુળપણે આત્મા સાથે એક જેવા
દેખાય છે, પરંતુ તે સ્થુળ દ્રષ્ટિ છોડીને સૂક્ષ્મપણે જોતાં આત્માના સ્વભાવને અને રાગને સૂક્ષ્મ ભેદ છે તે જણાય
છે. સ્વભાવ દ્રષ્ટિ વડે જ રાગ અને આત્મા જુદા જણાય છે તેથી સૂક્ષ્મઅંતર દ્રષ્ટિ વડે જ્ઞાન અને રાગનું
ભિન્નપણું ઓળખીને જ્ઞાનમાં એકાગ્ર થતાં રાગ ટળી જાય છે એટલે કે મુક્તિ થાય છે. આ રીતે મોક્ષનો ઉપાય
સમ્યગ્જ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણી જ છે.
– જ્ઞાન જ મોક્ષનું સાધન છે –
ત્રિકાળી જ્ઞાતા સ્વભાવ અને વર્તમાન વિકાર વચ્ચે સૂક્ષ્મઅંતરસંધિ જાણીને આત્માની અને બંધની
અંતર સાંધને તોડવાનું જ કહ્યું છે. આત્માને બંધનભાવથી જુદો પાડતાં ન આવડે તો આત્માને શું લાભ? જેણે
આત્મા અને બંધ વચ્ચેના ભેદને જાણ્યો નથી તે અજ્ઞાનપણે બંધભાવોને મોક્ષનું કારણ માને છે અને
બંધભાવોનો આદર કરી સંસાર જ વધારે છે. તેથી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! એક પ્રજ્ઞાછીણી જ મોક્ષનું
સાધન છે, આ ભગવતી પ્રજ્ઞા સિવાયના અન્ય કોઈ પણ ભાવો મોક્ષનું સાધન નથી.
ધ્યાન કરતાં પ્રથમ ચૈતન્ય તરફનો વિકલ્પ આવે છે તે નિર્વિકલ્પ ધ્યાનનું સાધન છે–એ વાત પણ યથાર્થ
નથી. વિકલ્પ તે તો બંધભાવ છે અને નિર્વિકલ્પપણું તે શુદ્ધ ભાવ છે. પહેલાંં અનિહતવૃત્તિએ (–ભાવના વગર,
ઈચ્છા વગર) વિકલ્પ આવે છે પરંતુ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી તે વિકલ્પને મોક્ષમાર્ગ તરીકે સ્વીકારતી નથી પણ તેને
બંધમાર્ગ તરીકે જાણીને છોડી દે છે. આ રીતે વિકલ્પને છોડીને જ્ઞાન રહી જાય છે. આવું વિકલ્પને પણ જાણી લેનારૂં
જ્ઞાન તે જ મોક્ષનું સાધન છે પરંતુ કોઈ વિકલ્પ તે મોક્ષનું સાધન નથી. જેઓ શુભવિકલ્પોને મોક્ષના સાધન તરીકે
સ્વીકારે છે તેઓને ભગવતી પ્રજ્ઞા પ્રગટી નથી તેથી તેઓ બંધભાવ અને મોક્ષભાવને જુદા જુદા ઓળખતા નથી,
અને અજ્ઞાનને લીધે બંધભાવને જ આત્માપણે અંગીકાર કરીને તેઓ નિરંતર બંધાય જ છે. જ્યારે જ્ઞાનીને તો
આત્મા અને બંધભાવનું બરાબર ભેદજ્ઞાન હોવાથી મોક્ષમાર્ગમાં વચ્ચે આવી પડતા બંધ–ભાવોને બંધ તરીકે
નિઃશંકપણે જાણીને તેને છોડતા જાય છે અને જ્ઞાનમાં એકાગ્ર થાય છે તેથી જ્ઞાની ક્ષણે ક્ષણે બુધભાવોથી મુકાય છે.
– ભેદવિજ્ઞાનો મહિમા –
આમાં તો ભેદજ્ઞાનને જ મલાવ્યું છે, ભેદજ્ઞાનનું અપાર માહાત્મ્ય છે. પુર્વે શ્લોક ૧૩૧ માં ભેદજ્ઞાનનો
મહિમા બતાવ્યો છે કે–
ભેદવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે કિલકેચન
અસ્યૈવાભાવતો બદ્ધા બદ્ધા યે કિલકેચન।। ૧૩૧।।
અર્થ:– જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી જ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના
જ) અભાવથી બંધાયા છે.
ભાવાર્થ:– અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે બંધાયા જ કરે છે–
સંસારમાં રઝળ્‌યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે–મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
સંસારનું–મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ
સિદ્ધિ પામી શકતું નથી.
– આત્મા અને બંધભાવ વચ્ચે ભેદ –
આત્માના બધા ગુણોમાં અને બધી ક્રમવર્તી પર્યાયોમાં ચેતના વ્યાપીને પ્રવર્તે છે તેથી ચેતના જ આત્મા
છે. ક્રમવર્તી પર્યાયો કહેતાં રાગાદિ વિકાર તેમાં ન લેવો પણ શુદ્ધ પર્યાય જ લેવી, કેમકે રાગ બધી પર્યાયોમાં
વ્યાપીને પ્રવર્તતો નથી. રાગ વગરની પર્યાય તો હોઈ શકે પરંતુ ચેતના વગરની કોઈ પર્યાય હોય નહિ, ચેતના
તો દરેક પર્યાયમાં હોય જ. માટે રાગ તે આત્મા નથી પણ ચેતના તે જ આત્મા છે. બંધભાવો તરફ ન ઢળતાં
અંતર સ્વભાવ તરફ ઢળીને જે ચૈતન્ય સાથે એકમેક થાય છે એવી નિર્મળ પર્યાયો તે જ આત્મા છે. આ રીતે
નિર્મળ પર્યાયોને આત્મા સાથે અભેદ કરીને તેને જ આત્મા કહ્યો અને વિકારભાવને બંધભાવ કહીને તેને
આત્માથી જુદો પાડયો. આ ભેદજ્ઞાન થયું.
બંધરહિત પોતાના શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર બંધભાવને પણ યથાર્થપણે જાણી શકાય નહિ. પુણ્ય–પાપ
બંને વિકાર છે, તેઓ આત્મા નથી; આ ચૈતન્યસ્વભાવ તે જ આત્મા છે. જેટલા દયા–દાન–ભક્તિ વગેરેના
શુભભાવો છે તેઓનો મેળ આત્મા સાથે નથી પણ બંધ સાથે છે.
પ્રશ્ન:– પુણ્ય તે આત્મા નથી તો પછી પરજીવની દયા ન કરવી ને?
ઉત્તર:– અરે, ભાઈ! કોઈ આત્મા પરજીવોની દયા પાળી શકતો જ નથી કેમકે પરજીવને મારવા કે
બચાવવાની ક્રિયા આત્માની છે જ નહિ; આત્મા તો ફક્ત તે પ્રત્યે દયાની શુભ લાગણી કરે; પરંતુ જો શુભદયાની
લાગણીને પોતાનું સ્વરૂપ માને તો તેને મિથ્યાત્વનું મોટું પાપ લાગે. શુભ કે અશુભ કોઈ પણ લાગણી
આત્મકલ્યાણમાં કિંચિત્ મદદગાર નથી કેમકે તે લાગણીઓ આત્માના સ્વભાવથી વિપરીત લક્ષણવાળી છે,
પુણ્ય–પાપ ભાવ તે અનાત્મા છે.
– જ્ઞાનું કાર્ય –
સાધકદશામાં રાગ થાય છતાં જ્ઞાન તેનાથી જુદું છે. રાગ વખતે રાગને રાગ તરીકે જાણી લીધો ત્યાં તે
જાણનારૂં જ્ઞાન રાગથી જુદું રહ્યું છે. જો જ્ઞાન અને રાગ એકમેક થઈ ગયા હોય તો રાગને રાગ તરીકે જાણી
શકાય નહિ. રાગને જાણનારૂં જ્ઞાન આત્મા સાથે એકતા કરે છે અને રાગ સાથે અનેકતા (–ભિન્નતા) કરે છે.
જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે તે રાગને પણ જાણે છે. જ્ઞાનમાં રાગ જણાય છે તે તો જ્ઞાનની સ્વ–પર પ્રકાશક
શક્તિનો વિકાસ છે, પરંતુ અજ્ઞાનીને પોતાના સ્વતત્ત્વની શ્રદ્ધા નહિ હોવાથી તે રાગને અને જ્ઞાનને જુદા પાડી
શકતો નથી તેથી તે રાગને પોતાનું જ સ્વરૂપ માને છે, તે જ સ્વતત્ત્વનો વિરોધ છે. ભેદજ્ઞાન થતાં જ જ્ઞાન અને
રાગ જુદા જણાય છે તેથી ભેદવિજ્ઞાની જીવ જ્ઞાનને પોતાપણે અંગીકાર કરે છે અને રાગને બંધપણે જાણીને તેને
છોડી દે છે. આ ભેદજ્ઞાનનો જ મહિમા છે.
રાગ વખતે હું રાગપણે જ થઈ ગયો છું એમ માનવું તે એકાંત છે, પરંતુ રાગ વખતે પણ હું તો જ્ઞાનપણે
જ છું, હું રાગપણે થતો જ નથી–એમ ભિન્નપણાની પ્રતીત કરવી તે અનેકાંત છે. રાગને જાણતાં જ્ઞાન એમ જાણે
છે કે ‘આ રાગ છે;’ પરંતુ “આ રાગ હું છું” એમ જ્ઞાન જાણતું નથી, કેમકે જ્ઞાન પોતાનું કાર્ય રાગથી જુદું રહીને
કરે છે. દ્રષ્ટિનું જોર જ્ઞાન સ્વભાવ તરફ વળવું જોઈએ, તેને બદલે રાગ તરફ વળે છે તે જ અજ્ઞાન છે. જેનું
વજન જ્ઞાન તરફ ઢળે છે તે રાગને નિઃશંકપણે જાણે છે પણ તેને જ્ઞાનસ્વભાવમાં શંકા પડતી નથી. અને જેને
જ્ઞાન તરફ વજન નથી તેને રાગને જાણતાં ભ્રમ પડે છે કે આ રાગ કેમ? પણ ભાઈ! તારી દ્રષ્ટિ જ્ઞાન ઉપરથી
ખસીને રાગ ઉપર કેમ જાય છે? આ રાગ જણાય છે તે તો જ્ઞાનની જાણવાની તાકાત ખીલી છે તે જ જણાય છે
એમ જ્ઞાન અને રાગને જુદા કરીને તારા જ્ઞાન ઉપર જોર દે, એ જ મુક્તિનો ઉપાય છે. જ્ઞાન ઉપર જોર દેતાં
જ્ઞાન સંપૂર્ણ ખીલી જશે અને રાગ સર્વથા તૂટી જશે–એટલે મુક્તિ થશે. ભેદજ્ઞાનનું જ તે ફળ છે.
રાગ વખતે, ‘આ રાગ જણાય છે તે મારું જ્ઞાન સામર્થ્ય છે પણ રાગનું સામર્થ્ય નથી, ’ આમ જેણે ભિન્નપણે
પ્રતીત કરી તેને એકલું જ્ઞાતાપણું રહી ગયું અને જ્ઞાતાપણાના જોરે બધાય વિકારનો કર્તા ભાવ ઉડાડી દીધો.
– જ્ઞાનું સામર્થ્ય; ચારિત્રનું સાધન –
કોઈ એમ માને કે મહાવ્રતના શુભવિકલ્પથી ચારિત્ર દશા પ્રગટે, તો તે મિથ્યાદ્રષ્ટિ છે. કેમ કે વ્રતનો
વિકલ્પ તે તો રાગ હોવાથી બંધનું લક્ષણ છે અને ચારિત્ર તે

PDF/HTML Page 12 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૮૩ :
તો આત્મા છે. શુભરાગને ચારિત્રનું સાધન માન્યું તેણે બંધને અને આત્માને એક માન્યાં પણ જુદા જાણ્યા નહિ
તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેણે રાગરહિત આત્માના જ્ઞાન–સામર્થ્યને ઓળખ્યું નથી. વ્રતનો શુભ વિકલ્પ ઉઠયો તે
વખતે આત્માના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ એવું ખીલ્યું છે કે તે જ્ઞાન આત્માના સ્વભાવને પણ જાણે અને
વિકલ્પને પણ જાણે. તે પર્યાયમાં વિકલ્પનું જ જ્ઞાન હોય, બીજું હોય જ નહિ; પરંતુ ત્યાં જે વિકલ્પ છે તે
ચારિત્રનું સાધન નથી પણ જે જ્ઞાન સામર્થ્ય ખીલ્યું છે તે જ્ઞાન જ પોતે ચારિત્રનું સાધન છે. તારી જ્ઞાયક પર્યાય
તે જ તારી શુદ્ધતાનું સાધન છે અને વ્રતનો રાગ તે તો તારી જ્ઞાયકપર્યાયનું તે સમયનું જ્ઞેય છે. મહાવ્રતનો
વિકલ્પ ઉઠયો માટે ચારિત્ર પ્રગટ્યું એમ નથી પરંતુ જ્ઞાન તે વૃત્તિને અને સ્વભાવને બંનેને ભિન્ન જાણીને
સ્વભાવ તરફ ઢળ્‌યું તેથી જ ચારિત્ર પ્રગટ્યું છે. વૃત્તિ તો બંધભાવ છે અને હું તો જ્ઞાયક છું એમ જ્ઞાયકભાવની
દ્રઢતાના જોરે વૃત્તિને તોડીને જ્ઞાન પોતાના સ્વરૂપમાં લીન થાય છે અને ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન અને મોક્ષ
પામે છે. આથી પ્રજ્ઞારૂપી છીણી તે જ મોક્ષનું સાધન છે.
– જ્ઞાન વિકારનું નાશક છે –
જ્ઞાનમાં વિકાર જણાય છે તે તો જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ તેવું ખીલ્યું છે–એમ કહીને જ્ઞાન અને
વિકાર વચ્ચે ભેદ પાડયો છે; તેને બદલે કોઈ એમ માની બેસે કે “ભલે વિકાર થયા કરે, તે તો જ્ઞાનનું જ્ઞેય છે
ને! ” તો તે જ્ઞાનનું સ્વરૂપ જ સમજ્યો નથી. ભાઈ, જેના પુરુષાર્થનો પ્રવાહ જ્ઞાન પ્રત્યે ઢળ્‌યો તેના પુરુષાર્થનો
પ્રવાહ વિકાર પ્રત્યેથી અટકી ગયો એટલે તેને ક્ષણે ક્ષણે વિકારનો નાશ જ થાય છે. સાધકદશામાં જે જે વિકારની
લાગણી ઊઠે છે તે તે જ્ઞાનમાં જણાઈને છૂટી જાય છે, પણ રહેતી નથી. આ રીતે ક્રમબદ્ધ દરેક પર્યાયમાં જ્ઞાનનું
વલણ સ્વભાવમાં વળતું જાય છે અને વિકારથી છૂટતું જાય છે. “વિકાર ભલે થાય” એ ભાવના મિથ્યાદ્રષ્ટિની જ
છે. જ્ઞાની તો જાણે છે કે કોઈ વિકાર મારું સ્વરૂપ જ નથી તેથી તે જ્ઞાનની જ ભાવના કરે છે અને વિકાર તરફથી
તેનો પુરુષાર્થ પાછો ખેંચાઈ ગયો છે. જ્ઞાનની અસ્તિમાં વિકારની નાસ્તિ છે.
પહેલાંં રાગાદિ કાંઈ ઓળખાતું ન હતું, અને હવે સૂક્ષ્મ રાગાદિને પણ જ્ઞાન જાણી લે છે તે જ્ઞાનનું
સામર્થ્ય ખીલી ગયું છે. સૂક્ષ્મ વિકલ્પને પણ બંધભાવ તરીકે જ્ઞાન જાણી લે છે, ત્યાં રાગનું સામર્થ્ય ન રહ્યું પણ
જ્ઞાનનું જ સામર્થ્ય છે. આવા સ્વાશ્રય જ્ઞાનની પ્રતીત, રુચિ, શ્રદ્ધા અને સ્થિરતા સિવાયના બીજા બધાય ઉપાય
આત્મહિત માટે નકામા છે. અહો! પોતાના પરિપૂર્ણ સ્વાધીન સ્વતત્ત્વના સામર્થ્યની પ્રતીત વગર જીવ પોતાની
સ્વાધીનદશા ક્યાંથી લાવશે? સ્વની પ્રતીતવાળો સ્વમાં ઢળશે અને મુક્તિ પામશે, અને જેને સ્વની પ્રતીત નથી
તે વિકારમાં ઢળશે અને સંસારમાં રખડશે.
જ્ઞાન ચેતનાર છે એટલે કે સદાય ચેતતું–જાગતું રહે છે. જે વૃત્તિ આવે તેને જ્ઞાનવડે પકડીને ફડાક તોડી
નાખે છે, અને પર્યાયે પર્યાયે જ્ઞાન સામર્થ્ય વધતું જ જાય છે. એકપણ વૃત્તિને કદી પણ મોક્ષમાર્ગ તરીકે જે
સ્વીકાર કરતું નથી એવું ભેદજ્ઞાન વૃત્તિઓને તોડતું તોડતું, સ્વરૂપની એકાગ્રતા વધારતું વધારતું, મોક્ષમાર્ગ પૂર્ણ
કરીને મોક્ષરૂપે પરિણમી જય છે. આવા પૂરા જ્ઞાન સ્વભાવ સામર્થ્યનું જોર જેને પ્રતીતમાં બેઠું તેને અલ્પકાળમાં
મોક્ષ જ છે. મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન જ છે. રાગને જાણીને રાગથી જુદું રહેનાર જ્ઞાન મોક્ષ પામે છે, અને રાગને
જાણતાં રાગમાં અટકી જનારૂં જ્ઞાન બંધાય છે. જ્ઞાનીને પ્રજ્ઞાછીણીનું જોર છે કે–આ લાગણીઓ તો ક્ષણે ક્ષણે
ચાલી જ જાય છે અને લાગણી રહિત મારું જ્ઞાન વધતું જ જાય છે. અજ્ઞાનીને એમ થાય છે કે–અરે મારા જ્ઞાનમાં
આ લાગણી થઈ, અને લાગણી સાથે મારું જ્ઞાન પણ ચાલ્યું જાય છે. અજ્ઞાનીને રાગ અને જ્ઞાન વચ્ચે
અભેદબુદ્ધિ (એકત્વબુદ્ધિ) છે તે મિથ્યાજ્ઞાન છે, જ્ઞાનીએ પ્રજ્ઞાછીણીવડે રાગ અને જ્ઞાનને જુદા ઓળખ્યા છે–તે
સમ્યગ્જ્ઞાન છે. જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે અને જ્ઞાન જ મોક્ષ છે. જે સમ્યગ્જ્ઞાન સાધકદશાપણે હતું તે જ
સમ્યગ્જ્ઞાન વધીને સાધ્યદશારૂપે થાય છે. આ રીતે જ્ઞાન જ સાધક–સાધ્ય છે. આત્માને પોતાના મોક્ષ માટે
પોતાના ગુણ સાથે સંબંધ હોય કે પરદ્રવ્યો સાથે હોય? આત્માને પોતાના જ્ઞાન સાથે જ સંબંધ છે, પરદ્રવ્ય સાથે
આત્માના મોક્ષનો સંબંધ નથી. આત્મા પરથી તો છૂટો છે જ, પણ અહીં તો વિકારથી પણ છૂટો–એમ અંતરમાં
ભેદજ્ઞાન કરાવે છે. વિકારથી આત્માનો ભેદ પાડવો તે જ વિકારના નાશનો ઉપાય છે. રાગની ક્રિયા મારા
સ્વભાવમાં નથી એમ સ્વભાવ સામર્થ્યનો સમ્યગ્જ્ઞાનવડે સ્વીકાર કર્યો ત્યાં વિકારનો જ્ઞાતા જ થઈ ગયો. જેમ
પર્વતમાં વીજળી પડતા ત્રિરાળ પડી જાય તેમ પ્રજ્ઞારૂપી છીણી પડતાં

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૮૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
સ્વભાવ અને વિકાર વચ્ચે ત્રિરાળ પાડીને જ્ઞાન સ્વમાં વળ્‌યું, અનાદિનું ઊંધુંં પરિણમન હતું તે અટકીને હવે
સ્વભાવ તરફનું પરિણમન શરૂ થયું. અહો! આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે.
– મંદ કષાય તે બંધભાવ જ છે –
રાગદ્વેષ વખતે અજ્ઞાનીને જ્ઞાન જુદું નહિ દેખાતું હોવાથી તેણે આત્મા અને બંધ વચ્ચે ભેદ જાણ્યો નથી.
આત્મા અને બંધ વચ્ચે ભેદ જાણ્યા વગર દ્રવ્યલીંગી સાધુ થઈને નવમી ગ્રૈવેયકે જાય તેવા ચારિત્ર પાળ્‌યાં, અને
એવા મંદ કષાય કર્યા કે બાળી મૂકે તોય ક્રોધ ન કરે, છ છ માસ આહાર ન કરે–છતાં ભેદજ્ઞાનના અભાવને લીધે
અનંત સંસારમાં જ રખડે. તેણે આત્માનું કાંઈ જ કર્યું નથી, માત્ર બંધભાવનો પ્રકાર ફેરવ્યો છે.
પ્રશ્ન:– આટલું બધું કર્યું તોય કાંઈ નહિ?
ઉત્તર:– આટલું બધું કર્યું એમ જેને લાગે છે તેને મિથ્યાત્વનું જોર છે. બહારથી શરીરની ક્રિયા વગેરે
ઉપરની દ્રષ્ટિથી જોનારને ‘આટલું બધું કર્યું’ એમ લાગે છે; પણ જ્ઞાનીઓ કહે છે કે તેણે કાંઈ જ અપૂર્વ કર્યું નથી,
માત્ર બંધભાવ જ કર્યા છે, શરીરની ક્રિયાનો અને શુભરાગનો અહંકાર કર્યો છે. વ્યવહારે કહો તો પુણ્યભાવ કર્યા
છે અને પરમાર્થથી તો તેણે પાપ જ કર્યું છે. રાગ કે વિકલ્પથી આત્માને લાભ માનવો તે મહા મિથ્યાત્વ છે તેને
ભગવાન પાપ જ કહે છે. એક પ્રકારનો બંધભાવ છોડીને બીજા પ્રકારનો બંધ ભાવ કર્યો, પરંતુ બંધભાવની દ્રષ્ટિ
છોડીને અબંધ આત્મસ્વભાવને જ્યાંસુધી ન ઓળખે ત્યાંસુધી આત્મદ્રષ્ટિએ તેણે કાંઈ કર્યું નથી. ખરેખર તો
બંધભાવનો પ્રકાર પણ ફર્યો નથી. કેમકે સર્વ બંધભાવોનું મૂળ એવું મિથ્યાત્વ ટાળ્‌યું નથી.
– બાહ્ય ત્યાગી – પણ – અધર્મી –
અજ્ઞાની પોતે ખાવા–પીવાનો, વસ્ત્રનો, પૈસાનો ઈત્યાદિ રાગ છોડી શકતો નથી તેથી બીજા કોઈ
અજ્ઞાનીને બહારમાં વસ્ત્ર, પૈસા વગેરેનો ત્યાગ દેખીને ‘તેણે ઘણું કર્યું અને તે મારા કરતાં ઊંચો છે’ એમ માની
બેસે છે; પરંતુ તે જીવ પણ બહારમાં ત્યાગી હોવા છતાં અંતરમાં અજ્ઞાનનું મહાપાપ સેવી રહ્યો છે, તે પણ તેની
જ જાતનો છે. અંતરની ઓળખાણ વગર બહારથી માપ કાઢે તે સાચાં ન આવે.
– બાહ્ય અત્યાગી – પણ – ધર્માત્મા –
ઉપર જેમ ત્યાગી અજ્ઞાનીનું દ્રષ્ટાંત કહ્યું, તેમ તેનાથી ઊલટું અત્યાગી જ્ઞાની વિષે સમજવું. જ્ઞાની
ગૃહસ્થદશામાં હોય અને રાગ પણ હોય છતાં અંતરમાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે ઉદાસ ભાવ વર્તે છે, રાગનું પણ
સ્વામીત્વ માનતા નથી, તે ધર્માત્મા છે. આવા ધર્માત્માને અંતર ઓળખાણ વડે ઓળખે નહિ અને બહારથી
માપ કાઢે તો તે આત્માને સમજ્યા નથી. જેઓ અંતરમાં આત્માની પવિત્રદશા સમજતા નથી તેઓ એકલા
જડના સંયોગ ઉપરથી માપ કાઢે છે. સંયોગ ઉપરથી તો ધર્મી–અધર્મીનું માપ નથી પરંતુ રાગની મંદતા ઉપરથી
પણ ધર્મી–અધર્મીનું માપ નથી. ધર્મી–અધર્મીનું માપ તો અંતર અભિપ્રાય ઉપરથી છે.
બાહ્ય ત્યાગી અને મંદરાગી હોવા છતાં જે બંધભાવને પોતાનું સ્વરૂપ માને છે તે અધર્મી છે. અને
બાહ્યમાં રાજપાટના સંયોગ હોય અને રાગ વિશેષ ટળ્‌યો ન હોય છતાં અંતરમાં બંધભાવથી ભિન્ન પોતાના
સ્વરૂપનું ભાન છે તે ધર્મી છે. શરીરની ક્રિયાથી, બહારના ત્યાગથી કે રાગની મંદતાથી જેણે આત્માની મહત્તા
માની તેણે શરીરથી ભિન્ન, સંયોગથી રહિત અને વિકાર રહિત એવા આત્મ સ્વભાવનું ખૂન કર્યું છે, તે મહાપાપી
છે, સ્વભવાની હિંસાનું પાપ સૌથી મોટું છે.
બહારનો ઘણો ત્યાગ અને ઘણો શુભરાગ કરીને એમ માને કે હવે આનાથી મુક્ત થઈ જશે. પણ ભાઈ
રે!! તેં આત્માના ધર્મનો રસ્તો જ હજી જાણ્યો નથી, તો પછી મુક્તિ તો ક્યાંથી થાય? અંતર સ્વભાવના જ્ઞાન
વગર અંતરની શાંતિ નહિ આવે અને વિકારભાવની આકૂળતા નહિ ટળે.
– સમ્યગ્જ્ઞાન એજ સરળ માર્ગ છે –
આત્માનો સ્વભાવ સમજવાનો પંથ સીધો–સરળ છે. સાચો માર્ગ જાણીને ધીમે ધીમે ચાલવા માંડે તોપણ માર્ગ
કપાય, પરંતુ માર્ગ જાણ્યા વગર આંખે પાટા બાંધી ઘાંચીના બળદની જેમ ગમે તેટલું ચાલે તોપણ ફરી ફરીને હતો ત્યાં
ને ત્યાં જ ઊભો રહે. તેમ સ્વભાવનો સરળ માર્ગ છે તે જાણ્યા વિના જ્ઞાનચક્ષુઓ બંધ કરીને ગમે તે આડું અવળું
કર્યા કરે અને મેં ઘણું કર્યું એમ માને, પણ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ તેં કાંઈ નથી કર્યું, તું સંસારમાં ને સંસારમાં જ
ઊભો છો, જરાય આગળ વધ્યો નથી. વિકાર રહિત તારા જ્ઞાન સ્વરૂપને તેં જાણ્યું નથી એટલે તારું ગાડું દોડાવીને બહુ
તો અશુભભાંથી શુભ કરીને તેમાં ધર્મ માની લે છે, પરંતુ એ તો ફરી ફરીને પાછો ત્યાં ને ત્યાં વિકારમાં

PDF/HTML Page 14 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૮૫ :
જ ઊભો રહ્યો; વિકારચક્રમાં આટા માર્યા પરંતુ વિકારથી છૂટીને જ્ઞાનમાં આવ્યો નહિ, તો તેં શું કર્યું?
જ્ઞાન વગર ગમે તેટલો રાગ ઘટાડે કે ત્યાગ કરે પરંતુ સાચી સમજણ વગર તેને સમ્યગ્દર્શન તો થશે નહિ
અને મુક્તિમાર્ગ તરફ તો નહિ જાય પરંતુ વિકારમાં અને જડની ક્રિયામાં કર્તૃત્વના અહંકાર કરીને સંસારમાર્ગમાં
દુર્ગતિમાં ધસી પડશે. સાચા જ્ઞાન વગર કોઈ પણ રીતે આત્માની મુક્તદશાનો માર્ગ આવે નહિ. જેમણે
આત્મભાન કર્યું તેઓ ત્યાગ કે વ્રત કર્યા વગર એકાવતારી થઈ ગયા.
– સંસારનું મૂળ –
આત્માના સ્વભાવનો માર્ગ સરળ હોવા છતાં કેમ નથી સમજાતો? તેનું કારણ એ છે કે અજ્ઞાનીને
અનાદિથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, ભ્રમ છે, ગાંડપણ છે. જેને અંતરમાં રાગરહિત
સ્વભાવની દ્રષ્ટિનું જોર છે તે આત્માના અનુભવની સાચી પ્રતીતને લીધે એક ભવે મોક્ષ જશે, અને જેને
આત્માની સાચી પ્રતીત નથી એવો અજ્ઞાની છ છ માસ તપ કરીને મરી જાય તોય આત્માના ભાન વગર એક
પણ ભવ ઘટે નહિ કેમકે તેને આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, તે વ્યામોહ જ સંસારનું મૂળ છે.
– અજ્ઞાન ટાળવાનો ઉપાય –
હવે પૂછે છે કે અજ્ઞાનીનો તે વ્યામોહ કોઈ રીતે છેદી શકાય કે નહિ? ઉત્તરમાં કહે છે કે હા, પ્રજ્ઞારૂપી
છીણી વડે તે જરૂર છેદી શકાય છે. જેમ અંધકાર ટાળવાનો ઉપાય પ્રકાશ જ છે તેમ અજ્ઞાન ટાળવાનો ઉપાય
સમ્યગ્જ્ઞાન જ છે.
[વ્યામોહ=અજ્ઞાન. પ્રજ્ઞાછીણી=સમ્યગ્જ્ઞાન.] હજારો ઉપવાસ કરવા, લાખો રૂ. નું દાન
કરવું–એ વગેરે કોઈ ઉપાય આત્માસંબંધી અજ્ઞાન ટાળવા માટેના નથી પણ આત્મા અને રાગના જુદાપણાનું
સમ્યગ્જ્ઞાન તે જ એકમાત્ર વ્યામોહ છેદવાનો ઉપાય છે. આ જ ઉપાયથી વ્યામોહ છેદીને આત્મા મુક્તિને પંથે
પ્રયાણ કરે છે–એમ જ્ઞાનીઓ જાણે છે.
પ્રજ્ઞાછીણી કેવી રીતે થાય અર્થાત્ સમ્યગ્જ્ઞાન કેમ પ્રગટે? જ્ઞાન માટે તો કાંઈક બીજા સાધનની જરૂર
પડતી હશે ને? –તો કહે છે કે ના. જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ છે. જ્ઞાનનો અભ્યાસ તે જ પ્રજ્ઞાછીણી પ્રગટવાનું
કારણ છે. ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસ, ત્યાગ વગેરેનો શુભરાગ તે પ્રજ્ઞાનો ઉપાય નથી. સ્વભાવની રુચિપૂર્વક
સ્વભાવનો અભ્યાસ કરવો તે જ સ્વભાવનું જ્ઞાન પ્રગટવાનો ઉપાય છે.
હવે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ આ ગાથાના આશયને શ્લોક દ્વારા કહે છે:–
[સ્રગ્ધરા: ક્યારે એ માનસ્થંભે. એ રાગ.]
प्रज्ञत्र ि ि ि ि क्ष्न् ि िि त्ोर्स्
आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती मिन्नभिन्नौ। १८१।
(આ શ્લોકમાં ધીમી શાંત હલક છે અને એમાં ભાવ એવો છે કે તારા ચૈતન્યસ્વભાવને અંતરમાં
અવલોકવામાં ધીરો થા ધીરો; થા!)
અર્થ:– આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે–યત્નપૂર્વક સાવધાનપણે (–
નિષ્પ્રમાદપણે) પટકવામાં આવી થકી, આત્મા અને કર્મ–બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં (–અંદરની
સાંધના જોડાણમાં) શીઘ્ર પડે છે. કેવી રીતે પડે છે? આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે
દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (–ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી અને બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (–
નિયત) કરતી–એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્નભિન્ન કરતી પડે છે.
આ કળશમાં આત્મસ્વભાવનો પુરુષાર્થ વર્ણવ્યો છે, ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવ્યો છે. આ કળશના ભાવ
ખાસ પરિણમાવવા યોગ્ય છે. ૧. તીક્ષ્ણછીણી, ૨. કોઈ પણ રીતે, ૩. નિપુણપુરુષોદ્વારા, ૪. સાવધાન થઈને
પટકવામાં આવી થકી ૫. શીઘ્ર પડે છે–આ રીતે, પુરુષાર્થ બતાવનારાં પાંચ વિશેષણો વાપર્યા છે.
૧. તીક્ષ્ણ છીણી–જડ શરીરમાંથી વિકારીરોગનું ઓપરેશન કરવા માટે તીખાં ઝીણાં ચમકતા શસ્ત્રો આવે
છે તેમ અહીં તો ચૈતન્યઆત્મા અને રાગાદિ વિકાર વચ્ચે ઓપરેશન કરીને તે બંનેને જુદાં પાડવા છે, તે માટે
તીક્ષ્ણ ઊગ્ર પ્રજ્ઞારૂપી છીણી છે, અર્થાત્ સમ્યગ્જ્ઞાનરૂપી પર્યાય અંતર ઢળીને સ્વભાવમાં મગ્ન થાય છે અને રાગ
છૂટો પડી જાય છે, તે જ ભેદવિજ્ઞાન છે.
૨. કોઈ પણ રીતે–પૂર્વે કલશ ૨૩માં કહ્યું હતું કે તું કોઈ પણ રીતે–મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થા! તેમ
અહીં પણ કહે છે કે કોઈ પણ રીતે, આખા જગતની દરકાર છોડી દઈને પણ સમ્યગ્જ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણીને આત્મા
અને બંધ વચ્ચે પટકવી. ‘કોઈ પણ રીતે’

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૮૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
કહેતાં કર્મ વગેરે નડે એ વાત ઉડાડી દીધી. કોઈ પણ રીતે એટલે તું તારામાં પુરુષાર્થ કરીને પ્રજ્ઞાછીણી વડે
ભેદજ્ઞાન કર. શરીરનું ગમે તેમ થાય પણ આત્મા જ પ્રાપ્ત કરવો છે–એ જ એક કર્તવ્ય છે એમ તીવ્ર ઝંખના અને
રુચિ કરીને સમ્યગ્જ્ઞાન કર. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો તેમાં કેટલી એકાગ્રતા જોઈએ?
વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, ત્યાં એક સેકંડ માત્રનો પ્રમાદ ન કરે, તેમ ચૈતન્યમાં સમ્યગ્જ્ઞાનરૂપી
દોરો પરોવવા માટે ચૈતન્યની એકાગ્રતા અને ઝંખના જોઈએ. અહો! આ ચૈતન્ય–ભગવાનને ઓળખવાનાં ટાણાં
મળ્‌યાં છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો ક્યાંય આરો નથી માટે અત્યારે જ કોઈ પણ
પ્રકારે આત્મભાન કરવું છે. એમ સ્વભાવની રુચિ પ્રગટ કરતાં વિકારનો મહિમા ટળે છે. આ વિકાર તે મારા
ચૈતન્યની શોભા નથી પણ કલંક છે, મારું ચૈતન્ય તત્ત્વ તેનાથી ભિન્ન અસંગી છે–આ પ્રમાણે નિરંતર સ્વભાવની
રુચિ અને પુરુષાર્થના અભ્યાસ વડે પ્રજ્ઞાછીણીને પટકવી.
૩. નિપુણ પુરુષોદ્વારા–અહીં લૌકિક નિપુણની વાત નથી, પણ સ્વભાવનો પુરુષાર્થ કરવામાં નિપુણતાની
વાત છે. લૌકિક બુદ્ધિમાં નિપુણ હોવા છતાં તેને પોતાને શંકા રહ્યા કરે કે મારું શું થશે? તેમ “તીવ્રકર્મો ઉદયમાં
આવશે તો મારું શું થશે? મારે હજી ઘણા ભવ હશે તો? મને પ્રતિકૂળતા આવી પડશે તો? ” એમ જેને શંકા
રહ્યા કરે છે તે નિપુણ નથી પણ નમાલો–પુરુષાર્થહીન છે; જે આવી પુરુષાર્થહીનતાની વાતો કરે છે તેઓ
પ્રજ્ઞાછીણીનો ઘા મારી શકશે નહિ, તેથી કહ્યું છે કે ‘નિપુણપુરુષોદ્વારા પટકવામાં આવી થકી’ એટલે જેને કર્મોના
ઉદયનું લક્ષ નથી પણ એકલા સ્વભાવની પ્રાપ્તિનું જ લક્ષ છે અને પોતાના સ્વભાવની પ્રાપ્તિના પુરુષાર્થના જોરે
જેને મુક્તિની નિઃસંદેહતા છે એવા નિપુણ પુરુષો જ તીવ્ર પુરુષાર્થવડે પ્રજ્ઞાછીણી પટકીને ભેદવિજ્ઞાન કરે છે.
૪. સાવધાન થઈને–એટલે પ્રમાદ અને મોહને દૂર કરીને પટકવી. જો એક ક્ષણ પણ ચૈતન્યનો સાવધાન
થઈને અભ્યાસ કરે તો અવશ્ય ભેદજ્ઞાન અને મોક્ષ પામે જ. જે ચૈતન્યમાં સાવધાન છે તેને કર્મના ઉદયની શંકા
હોતી જ નથી. અનાદિથી વિકારને પોતાનું સ્વરૂપ માનીને અસાવધાન થયો હતો તેને બદલે હવે ચૈતન્ય
સ્વરૂપના લક્ષે સાવધાન થઈને વિકારનું લક્ષ છોડી દીધું;–એટલે હવે વિકાર થાય તોપણ ‘તે મારા ચૈતન્ય
સ્વરૂપથી ભિન્ન છે’ એમ સાવધાન થઈને આત્મા અને બંધની વચ્ચે પ્રજ્ઞાછીણીને પટકવી.
‘પ્રજ્ઞાછીણી પટકવી’ એટલે શું? કે સમ્યગ્જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું. આ ચૈતન્ય સ્વરૂપ હું આત્મા
અને આ પર તરફ જતી લાગણી તે રાગ–એમ આત્મા અને બંધની જુદાપણાની સાંધ જાણીને, જ્ઞાનને ચૈતન્ય
સ્વભાવી આત્મામાં એકાગ્ર કરતાં રાગનું લક્ષ છૂટી જાય છે–તે જ પ્રજ્ઞાછીણીનું પટકવું છે.
૫. પ્રજ્ઞાછીણી શીઘ્ર પડે છે–પ્રજ્ઞાછીણી પડતાં વાર લાગતી નથી પણ જે ક્ષણે ચૈતન્યમાં એકાગ્ર થયો તે જ
ક્ષણે રાગ અને આત્મા ભિન્નપણે અનુભવાય છે. અત્યારે ન થઈ શકે–એ વાત જ નથી, આ તો દરેક ક્ષણે થઈ
શકે છે.
પ્રજ્ઞાછીણી પડતાં શું થાય છે અર્થાત્ પ્રજ્ઞાછીણી કેવી રીતે પડે છે? અંતરમાં જેનું ચૈતન્ય તે જ સ્થિર છે
એવા જ્ઞાયકભાવને જ્ઞાયકપણે પ્રકાશમાન કરે છે. ‘હું જ્ઞાન છું’ એવો વિકલ્પ પણ અસ્થિર છે, તે વિકલ્પને
તોડીને સમ્યગ્જ્ઞાન એકલા ચૈતન્યમાં મગ્ન થાય છે; રાગથી છૂટું પડીને જ્ઞાન ચૈતન્યમાં સ્થિર થાય છે, એ રીતે
ચૈતન્યમાં મગ્ન થતી નિર્મળપણે પડે છે–અને જેટલી પુણ્ય–પાપની વૃત્તિઓનું ઉત્થાન તે સર્વેને બંધભાવમાં
નિશ્ચળ કરે છે. આ રીતે આત્માને આત્મામાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાનભાવમાં નિયત કરતી પ્રજ્ઞાછીણી પડે
છે–આ જ પવિત્ર સમ્યગ્દર્શન છે.
પ્રજ્ઞાછીણી પડે છે–એ સંબંધી અહીં ક્રમથી વાત કરી છે, સમજાવવા માટે ક્રમથી કથન કર્યું છે પરંતુ
ખરેખર અંતરમાં ક્રમ પડતા નથી, પણ એક સાથે જ વિકલ્પ તૂટીને જ્ઞાન સ્વમાં એકાગ્ર થાય છે. જે સમયે જ્ઞાન
સ્વમાં એકાગ્ર થયું તે જ સમયે રાગથી જુદું પડ્યું. પરંતુ પહેલાંં જ્ઞાન સ્વમાં ઢળ્‌યું અને પછી રાગ જુદો પડ્યો–
એમ ક્રમ પડતા નથી.
પ્રશ્ન:– આ તો સમજવું અઘરૂં લાગે છે, આ સિવાય બીજો કોઈ માર્ગ છે?
ઉત્તર:– અરે ભાઈ, બહારમાં તો મોટા પગાર અને ઘણી બુદ્ધિ ચલાવે છે, ત્યાં બધુંય સમજાય છે અને
બુદ્ધિ ચાલે છે, અને આ પોતાના આત્માની વાત સમજવામાં બુદ્ધિ ન ચાલે એ કેમ બને? પોતાને આત્માની
દરકાર નથી અને સમજવાની રુચિ નથી

PDF/HTML Page 16 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૮૭ :
તેથી જ નથી સમજાતું. આ સમજ્યા વગર અન્ય કોઈ પણ ઉપાય મુક્તિ માટેનો નથી.
સંસારના કામમાં ડહાપણ કરીને રાગને પોષે, અને આત્માની સમજણનો પ્રયત્ન કરવાની વાત આવે
ત્યાં કહે કે ન સમજાય; પણ ન સમજાય તે કોના ઘરની વાત? તું આત્મા છો કે જડ? જો આત્માને નહિ
સમજાય તો શું જડ સમજશે? ચૈંતન્યના જ્ઞાનમાં ન સમજાય એવું કાંઈ છે જ નહિ. ચૈતન્યમાં બધું સમજવાની
તાકાત છે. ‘ન સમજાય’ એ વાત જડના ઘરની છે, ‘આત્મા ન સમજાય’ એમ કહેનારને આત્માની રુચિ જ
નથી પણ જડની રુચિ છે. મુક્તિનો રસ્તો એક સમ્યગ્જ્ઞાન જ છે. અને સંસારનો રસ્તો પણ એક અજ્ઞાન જ છે.
પ્રશ્ન:– આવા કપરા સંજોગો વખતે જો આત્માનું સમજવામાં રોકાય તો પછી આજીવિકા અને ધંધો કેમ
ચલાવવો?
ઉત્તર:– જેને આત્માની રુચિ નથી પણ સંયોગની રુચિ છે તેને જ આ પ્રશ્ન ઊઠે છે. આજીવિકા વગેરેનો
સંયોગ તો પૂર્વના પુણ્યના કારણે મળે છે, તેમાં વર્તમાન પુરુષાર્થ–ડહાપણ કાર્યકારી નથી. પણ આત્માની
સમજણમાં પૂર્વના પુણ્ય કામ ન આવે, અને વર્તમાન પુણ્ય પણ કામ ન આવે, એ તો પુરુષાર્થ વડે અપૂર્વ અંતર
સંશોધનોથી પ્રાપ્ત થાય છે, બાહ્ય સંશોધનથી તે મળે તેમ નથી. જો તને આત્માની રુચિ હોય તો પહેલાંં તું એ
નક્કી કર કે કોઈ પણ પર વસ્તુ મારી નથી, પર વસ્તુ મને સુખ–દુઃખ કરતી નથી, હું પરનું કાંઈ કરતો નથી. આમ
બધા પરની દ્રષ્ટિ છોડીને સ્વને જો. પોતાની પર્યાયમાં રાગ હોય તે રાગને કારણે પણ પરવસ્તુ મળતી નથી માટે
રાગ નિરર્થક છે–આમ માન્યતા થતાં રાગ પ્રત્યેનો પુરુષાર્થ લૂલો થઈ જાય છે. પરની ક્રિયાથી જુદો તો જાણ્યો તેથી
હવે અંતરમાં રાગથી જુદો જાણીને તે રાગથી જુદો પડવાની ક્રિયા કરવાનું રહ્યું. આ રીતે એક જ્ઞાનક્રિયા તે જ
આત્માનું કર્તવ્ય છે. પરની ક્રિયા તો આત્મા કરી જ શકતો નથી. પણ પરથી જુદાપણાનું ભાન કરનાર આત્મા છે,
અને પ્રજ્ઞાછીણી વડે જ આત્મા બંધથી ભિન્નપણે ઓળખાય છે અને આ પ્રજ્ઞાછીણી જ મોક્ષનો ઉપાય છે.
– અનાદિથી જીવે શું કર્યું? અને હવે શું કરવું? –
અનાદિથી આજ સુધી કોઈ પણ ક્ષણમાં કોઈ જીવે પરનું કાંઈ કર્યું જ નથી, માત્ર સ્વનું લક્ષ ચૂકીને પરની
ચિંતા જ કરી છે. હે ભાઈ! જેટલી તું તારા તત્ત્વની ભાવના છોડીને પર તત્ત્વની ચિંતા કર તે ચિંતાનો બોજો
તારા ઉપર છે, તે ચિંતાનું તને દુઃખ છે, પણ તારી તે ચિંતાને લીધે પરનાં કોઈ કાર્ય થતાં નથી અને તારું સ્વકાર્ય
બગડે છે. માટે હે ભાઈ! અનાદિથી આજ સુધીની તારી પર સંબંધીની સર્વ ચિંતા ખોટી થઈ–નિષ્ફળ ગઈ... માટે
હવે પ્રજ્ઞાવડે તારું ભિન્ન સ્વરૂપ જાણીને તેમાં એકાગ્ર થા. પરની ચિંતા કરવી તે તારું સ્વરૂપ નથી.
તું પરવસ્તુને ભેગી માનીને તેની ચિંતા કર તોપણ પરવસ્તુઓનું તો જે પરિણમન થવાનું છે તે જ થશે.
અને તું પરવસ્તુને ભિન્ન જાણીને તેનું લક્ષ છોડી દે તોપણ તેઓ તો સ્વયં પરિણમ્યા જ કરશે. તારી ચિંતા હો કે
ન હો તેની સાથે પર દ્રવ્યોના પરિણમનને કાંઈ સંબંધ નથી.
અનાદિથી આત્માએ પરનું કાંઈ કર્યું નથી, માત્ર પરની ચિંતા પોતાને ભૂલીને કરી છે. પણ હે આત્મા!
શરૂઆતથી છેડા સુધીની તારી ચિંતા નિષ્ફળ ગઈ, માટે હવે તો સ્વરૂપની ભાવના કર, હવે શરીરાદિ પરવસ્તુની
ચિંતા છોડી સ્વને જો. સ્વને ઓળખતાં પરની ચિંતા છુટી જશે અને આત્માની શાંતિ અનુભવાશે. તારે તારા
ધર્મનો સંબંધ આત્મા સાથે રાખવો છે કે પર સાથે? આત્માના ધર્મનો સંબંધ કોની સાથે છે તે અહીં સમજાવ્યું છે.
ગમે ત્યાં હોઉં પણ મારી પર્યાયનો સંબંધ મારા દ્રવ્ય સાથે છે, બહારના સંયોગ સાથે નથી. ગમે તે ક્ષેત્રે
પણ આત્માનો ધર્મ તો આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. શરીરમાંથી–સંયોગમાંથી ધર્મની ઉત્પત્તિ થતી નથી.
આવી સ્વાધીનતાની શ્રદ્ધા અને જ્ઞાન કરે તેને કયે ઠેકાણે આત્મા સાથે સંબંધ ન હોય? અને આવી શ્રદ્ધા જ્ઞાન
હોય તે કયા ઠેકાણે શરીરાદિનો સંબંધ માને? સ્વભાવનો સંબંધ તૂટે નહિ અને પરનો સંબંધ ક્યાંય માને નહિ–
બસ, આ જ ધર્મ છે.
એક સેકંડ માત્રનું ભેદજ્ઞાન અનંત
ભવનો નાશ કરીને મુક્તિ પમાડે છે.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૨૮ – ૭ – ૪૬

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
• સસુવર્ણપુરી – સમાચાર •
(૧) પૂ. શ્રી સદ્ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે.
(૨) અષાઢ સુદ ૮ થી ૧૫ સુધી શ્રી નંદિશ્વરદ્વીપ–
અષ્ટાહ્નિકા–મહોત્સવ યથાયોગ્ય ઉજવવામાં આવ્યો હતો.
આ આઠ દિવસો દરમ્યાન, શ્રી નંદિશ્વરદ્વીપે રહેલી
શાશ્વત્ જિનપ્રતિમાઓનું પૂજન વગેરે કરવા માટે દેવો
ત્યાં જાય છે અને આઠ દિવસ મહોત્સવ કરે છે.
(૩) અષાઢ વદ ૧ ના રોજ શ્રી વીરશાસન જયંતિ
મહોત્સવ–દિન ઉજવવામાં આવ્યો હતો. તે દિવસનો
કાર્યક્રમ નીચે મુજબ હતો–
સવારે પ થી ૫
।। શ્રી સદ્ગુરુવંદન–સ્તુતિ.
।। થી ૬।। શ્રી વીર–પૂજન તથા દિવ્યધ્વનિ પૂજન.
થી ૭।।। શ્રી પરમાગમ શાસ્ત્રોની રથયાત્રા.
૮ થી ૯ શ્રી સદ્ગુરુદેવનું વ્યાખ્યાન.
(અષ્ટપ્રાભૃત–બોધપ્રાભૃત–ગાથા–૧૬–૧૭)
૯ થી ૯।। શ્રી જ્ઞાનપૂજા
બપોરે ૧।। થી ૨।। બૃહત્દ્રવ્ય સંગ્રહનું વાંચન.
૩ થી ૪ પૂ. સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન.
(શ્રી સમયપ્રાભૃત ગાથા–૭)
૪ થી ૫ જિનમંદિરમાં ભક્તિ.
સ્તવન–૧. જિનેંન્દ્રસ્તવનાવલી પા. ૬.
સ્તવન–૨. જિનેંદ્રસ્તવનાવલી પા. ૨૨.
સાંજે ૬।।। થી ૭ આરતી.
૭ થી ૮ મોક્ષમાર્ગ પ્રકાશકનું વાંચન.
૮ થી ૯ રાત્રિચર્ચા.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત
પુસ્તકો નીચેના સ્થાનોએથી પણ મળી શકશે:–
૧. મુંબઈ:– શ્રી “કુંદકુંદ સ્ટોર્સ” સ્વદેશી મારકેટ,
કાલબાદેવી.
૨. કરાંચી:– શેઠ મોહનલાલ વાઘજી, સુતાર સ્ટ્રીટ,
રણછોડલાઈન
૩. મોરબી:– મહેતા જગજીવન કાસીદાસ
૪. ગોંડલ:– ખત્રી વનમાળી કરસનજી, કાપડના
વેપારી.
આ ઉપરાંત વઢવાણ કેમ્પ, વઢવાણ શહેર, વીંછીયા
તથા લાઠીના ‘શ્રી જૈન સ્વાધ્યાય મંદિર’ માંથી મળશે.
આફ્રિકામાં સત્ધર્મ પ્રચાર
ચાલુ માસમાં આફ્રિકામાં ગુજરાતી આત્મધર્મ
માસિકના ૨૩૦–ગ્રાહકો થયા છે.
હાલમાં ‘આત્મધર્મ’ માસિક ગુજરાતી અને હિંદી
ભાષામાં પ્રગટ થાય છે, ગુજરાતી–આત્મધર્મના
અત્યારે ૧૯૬૩ ગ્રાહકો છે અને હિંદી આત્મધર્મના
૮૪૩ ગ્રાહકો છે.
. ગ્રાહકોને.
* કોઈ આકસ્મિક કારણે અંક મોડો ન થયો હોય
તો ‘આત્મધર્મ’ દર માસની સુદ બીજે નિયમિત
બહાર પડે છે. એટલે તે અરસામાં અંક ન મળે તો
તરત એકાદ અઠવાડિયામાં તેની ફરિયાદ કરવી.
* બધા અંકો બે વખત ચેક કરીને ખૂબ તકેદારી
પૂર્વક પોસ્ટ કરવામાં આવે છે; છતાં અકસ્માતે ગુમ
થયેલા અંકોની ફરિયાદોને અમારી પાસે નકલો હોય
છે ત્યાંસુધી તો પહોંચી વળવાનો અમે હમેશાં પ્રયત્ન
કરીએ છીએ પરંતુ એવા ગુમ થયેલા કોઈ પણ અંકો
ભરપાઈ કરી આપવાનું કાયદેસરનું કશું બંધન
અમારે માથે રહેતું નથી તેની ગ્રાહકોએ કૃપા કરી
નોંધ લેવી.
* લવાજમ તથા વ્યવસ્થા સંબંધીનો પત્ર
વ્યવહાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર લખવા
ખાસ વિનતિ છે. વ્યવસ્થાપક
ચાલુ વર્ષથી શરૂ થયેલા નવા ગ્રાહકેને
આપ આ વર્ષથી જ આત્મધર્મના ગ્રાહક થયા છો
એથી આપને ભલામણ કરુ છું કે આપ ખરેખર
આત્મધર્મ માસિકનું અભ્યાસ અને મનનપૂર્વક
વાંચન કરવા ઈચ્છતા હો તો પહેલાં તથા બીજા
વર્ષની ફાઈલ જરૂર વસાવો; કારણકે વાંચકની કક્ષા
અને જિજ્ઞાસાને અનુરૂપ એવું ક્રમબદ્ધ સાહિત્ય
આત્મધર્મની શરૂઆતથી આજ સુધીમાં અપાયું છે.
જમુ રવાણી