Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 64

background image
૩૪૩
બીજ અને પૂનમ
વૈશાખ સુદ બીજના દિવસે ફત્તેપુરમાં બીજ અને
પૂનમની ભવ્ય રચના વચ્ચે બેઠેલા ગુરુદેવે અત્યંત ધીર–
ગંભીર ધ્વનિથી મંગળ સંભળાવતાં કહ્યું કે
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गइं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलि भणियं।।
१।।
–આ અપૂર્વ મંગળ દ્ધારા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યાં છે.
અનંત સિદ્ધ ભગવંતોને લક્ષમાં લઈને તેમનું સન્માન કરતાં, બહુમાન
કરતાં, તેમને આત્મામાં સ્થાપીને નમસ્કાર કરતાં, રાગથી હટીને
પોતાના શુદ્ધ આત્મા ઉપર લક્ષ જાય છે, એટલે સ્વસન્મુખતા થતાં
ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે છે, અને પછી તેમાં એકાગ્રતા વડે
કેવળજ્ઞાનની પૂર્ણિમા ઊગે છે. આ રીતે બીજ ઊગીને આત્મા પૂર્ણતાને
પામે તે અપૂર્વ મંગળ છે.
[બીજ પછી બીજે દિવસે જોયું તો, બીજ અને પૂનમ
વચ્ચેતનું અંતર એકદમ ઘટી ગયું હતું, બને નજીક આવી ગયા
હતા!
]
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ દ્વિતીય વૈશાખ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૯: અંક ૭