Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 55
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૪
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 55
single page version

background image
૩૪૪
અહા ગુરુદેવ! આપની મંગલ બીજે અમારામાં ભેદજ્ઞાનીબીજ
ઊગાડી..... આપ જ્ઞાનબીજ વડે કેવળજ્ઞાનપૂર્ણિમાને
બોલાવી રહ્યા છો...... માત્ર ચાર ભવમાં અનંત
આનંદસહિત એ પૂનજ ઊગશે ને જગતના
જીવોને જ્ઞાનપ્રકાશથી પાવન કરશે.
વીર સં. ૨૪૯૮ જેઠ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૯: અંક ૮

PDF/HTML Page 3 of 55
single page version

background image
સત્સમાગમ એટલે મુમુક્ષુતાની પુષ્ટિ
આત્મસ્વભાવની આરાધના એ મુમુક્ષુ ધ્યેય છે..... તે ધ્યેયની
સફળતા માટે આરાધક ધર્માત્માઓનો સત્સમાગમ કરીને તે પોતાની
આત્માર્થિતા પુષ્ટ કરે છે.
એવા આરાધક જીવોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે
કેમકે જગતના જીવોમાં આરાધકજીવો અનંતમાં ભાગના જછે. આમ
છતાં આત્માને સાધવા માટે જાગેલા મુમુક્ષુને કોઈને કોઈ પ્રકરે તેનો
માર્ગ બતાવનાર જ્ઞાની મળી જ જાય છે.
‘સત્સમાગમ’ એટલે, રાગાદિથી ભિન્ન જ્ઞાનચેતનારૂપે
પરિણમેલા જ્ઞાનીને ઓળખીને તેનો સમાગમ; જ્ઞાનીના જ્ઞાનભાવોની
ઓળખાણ થતાં મુમુક્ષુના પરિણમવા આત્મસ્વભાવ તરફ ઝૂકે છે, તેની
આ આત્માર્થીતા પુષ્ટ થાય છે ને રાગનો રસ તૂટતો જાય છે. એમ થતાં,
કદી નહિ અનુભવાયેલી એવી કોઈ અપૂર્વ શાંતિના ભાવો તેને પોતામાં
જાગે છે. જ્ઞાનીના સાચા સત્સમાગમનું આવું ફળ જરૂર આવે જ છે.
હે બંધુ, આવા મોંઘા સત્સમાગમની પ્રાપ્તિનો અને આત્માર્થની
પુષ્ટિ કરીને શાંતિના વેદનનો આ સોનેરી અવસર છે. હવે તારું કામ
એક જ છે કે બીજા બધામાંથી રસ છોડીને, સમયે–સમયે સ્વની રાગથી
જુદા કરીને, બધા પ્રકારથી આત્મવસ્તુનો મહિમા ઘૂંટીઘૂટીને, રાગથી
જુદા ચૈતન્યભાવનું અંતરમાં વેદન કરવું. હવે તું એના જ પ્રયત્નમાં ઊંડો
ઊંતર..... બસ! તારો બેડો પાર છે...... શાંતિ અપાર છે.

PDF/HTML Page 4 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવાજમ જેઠ
ચાર રૂપિયા
June. 1972
* વર્ષ ૨૯ : અંક ૮ *
* અધ્યાત્મધામમાં
અનુભવનાં માંગળિક *
(જેઠસુદ ત્રીજે સ. કળશ ૨૩ ના પ્રવચનમાંથી)
ચાર માસ ઉપરાંતના પ્રવાસમાંથી પુન: સોનગઢ આવ્યા બાદ સુવર્ણના
અધ્યાત્મધામમાં પ્રથમ પ્રવચનમાં જ આત્મ–અનુભવની જોસદાર પ્રેરણા આપતા, કળશ
૨૩ ના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
અહો, આ ચૈતન્યભગવાન–રાગથી જુદો વિલસી રહ્યો છે–તેને હે જીવો! તમે
દેખો! ‘મરીને પણ’ આવા ચૈતન્યતત્ત્વનો અનુભવ કરો.
હવે પોતે મરીને તો કાંઈ થઈ ન શકે; પણ ‘મરીને’ એટલે કે મરણ જેટલી
પ્રતિકૂળતા બહારમાં આવે તોપણ આત્માનો અનુભવ કર...... તીવ્ર પ્રયત્ન કરીને
કૂતુહુલપૂર્વક–આર્શ્ચય–પૂર્વક–મહિમાપૂર્વક અંતરમાં જો તો ખરો કે અનંતજ્ઞાન અનંતસુખ
ને અનંત આનંદવાળું મારું સ્વરૂપ કેવું છે? –એમ ઊંડા ગંભીર તત્ત્વમાં ઊંડો ઊતરીને
તેનો અનુભવ કર......
જુઓ, આ માંગળિકમાં આત્માના અનુભવની વાત આવી. આત્માનો અનુભવ
કરવો તે અપૂર્વ મંગળ છે.
અહા, આત્મા અનંત શાંતિસ્વરૂપ છે. અનંત તીર્થંકરો જેનાં વખાણ કરે છે, સંતો
બાદ પાડીપાડીને તને જે તત્ત્વ જોવા માટે જગાડે છે, તો એવું તત્ત્વ અંદર છે કેવું? તેને
શોધ!

PDF/HTML Page 5 of 55
single page version

background image
: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
આત્મા આનંદમૂર્તિ છે; શરીર ભવમૂર્તિ છે. તું મૂર્તશરીર અને રાગાદિમાં લીન
થયો છે તેને બદલે તેનાથી જુદાપણું જાણીને તેનો પાડોશી થઈ જા.... ને અંદર સ્વઘરમાં
આવીને ચૈતન્યતત્ત્વને દેખ. આવા તત્ત્વને અનુભવમાં લેતાં તારો શરીરાદિ સાથે
એકત્વબુદ્ધિ મોહ તરત છૂટી જશે. મોહને છૂટતાં વાર નહિ લાગે,......... અદ્ભૂત
ચૈતન્યદેખતાંવેંત તરત જ તારો મોહ છૂટી જશે.
ભાઈ, અત્યારે તો અંદર શાંત થઈને આવા આત્માનો અનુભવ કરવાનો
અવસર છે. બાપુ! જગતના કોલાહલમાં પડવા જેવું નથી. અરે, આ શરીર સાથે ને રાગ
સાથે ય તારા ચૈતન્યનો એકતાનો સંબંધ નથી. ત્યાં બીજાની તો શી વાત! શરીર અને
રાગાદિ તરફનું લક્ષ છોડી, તેનાથી ભિન્ન ચેતન્યતત્ત્વને લક્ષમાં લેતાં તને કોઈ મહા
આનંદ થશે..... ને તારો મોહ ઝડપથી તૂટી જશે. બે ઘડના પ્રયત્નથી થઈ શકે એવું આ
કાર્ય છે. અહા, એકવાર રાગનું પડખું છોડીને અંદર ચૈતન્યને છુટું દેખ..... એકવાર એને
દેખતાંજ્ઞાન પરભાવોથી એવું છુટું પડી જશે કે સદા છુટૂં ને છુંટુ રહેશે, ફરી રાગ સાથે
એકપણું કદી તને નહિ ભાસે. તને ભગવાન તારામાં જ દેખાશે. આ ચૈતન્યવસ્તુ કોઈ
સાધારણ નથી, એ તો અતીન્દ્રિય આનંદથી ભરેલ મહાન પદાર્થ છે, એની સન્મુખ થતાં
મહા આનંદનું વેદન થાય છે. આવો અનુભવ કરવા જે જાગ્યો તે જગતના કોઈ
પરિષહથી મરણ જેટલા પરિષહથી પણ ડગે નહિ.
આનંદનો મહા સાગર, તેમાં ડુબકી મારીને તેના એક ટીપાંનો સ્વાદ લેતાં પણ
રાગાદિ સમસ્ત પરભાવનો સ્વાદ છૂટીને ચૈતન્યનો કોઈ અપૂર્વ સ્વાદ વેદાય છે. અહા!
જેના એક ટીપામાં આવી તાકાત, તે આખા આનંદના સાગરની શી વાત! આવ તો
અનંત ગુણનો સાગર તું છો..... આવડો તારો આત્મા..... તેને એકવાર તું જગતને
ભૂલીને દેખ! તને આનંદના વિલાસરૂપ તારો દેખાશે...... ને મોહનો વિલાસ તરત નષ્ટ
થઈ જશે.
આવો અનુભવ અંતરના મહાન ઉધમ વડે કરવો તે અપૂર્વ આનંદ–મંગળ છે.
ઉપયોગસ્વરૂપ સ્વદ્રવ્યને પરથી જુદું અનુભવમાં લઈને આનંદસહિત તું પ્રસન્ન થા. તારું
સ્વદ્રવ્ય રાગાદિ વગરનું ચૈતન્યભાવથી એવું ને અવું શોભી રહ્યું છે તેને સાવધાન
થઈને, પ્રસન્ન થઈને તું અનુભવમાં લે. અનુભવ તે મહા આનંદનો સમુદ્ર છે; તે જ
મોક્ષનો માર્ગ છે.

PDF/HTML Page 6 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
ફત્તેપુરમાં સમાચાર
(લેખાંક: ૨)
ફત્તેપુર (ગુજરાતમાં) ગત પ્રથમ વૈશાખ વદ ૪ થી દ્ધિ. વૈ.
સુદ ૪ સુધી પંચકલ્યાણક–પ્રતિષ્ઠા વગેરેનો જે ભવ્ય મહોત્સવ
ઉજવાયો–તેના પ્રારંભિક સમાચાર આપે ગતાંકમાં વાચ્યા. બાકીનાં
સમાચારો અહીં રજું થાય છે. ગતાંકના સમાચારો, પ્રવચનો તેમ જ
૮૩ પુષ્પોની મંગળમાળા વગેરે વાંચીને ઘણા જિજ્ઞાસુઓએ
પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ અંક વાંચીને પણ સૌને પ્રસન્નતા થશે.
ફત્તેપુરમાં–સ્વાગત; શિક્ષણ શિબિર, પ્રતિષ્ઠા–મંડત વીતરાગ–વિજ્ઞાન નગરીની
શોભા, ફત્તેપુરમાં વર્ણન, પ્રવચનસભાનું ગૌરવ, ગર્ભકલ્યાણક વખતની ચર્ચા વગેરેનું
વર્ણન આપણે ગતાંકમાં વાંચ્યું. આ નેમપ્રભુના પંચકલ્યાણક ચાલી રહ્યા છે.
દિગ્કુમારીદેવીઓ શિવાદેવી માતાની સેવા કરે છે, ને તેમની સાથે તત્ત્વચર્ચા પણ કરે છે.
કેવી મજાની હશે તીર્થંકરની જનેતા સાથેની એ ધર્મચર્ચા! ચાલો પાઠક! તમને પણ તેનું
રસાસ્વાદન કરાવું:–
એક દેવી પૂછે છે : હે માતા! અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તમારા અંતરમાં બિરાજે
છે, તો એવી અનુભૂતિ કેમ થાય? તે સમજાવો.
માતા જવાબ આપે છે–હે દેવી! અનુભૂતિનો મહિમા ઘણો ગંભીર છે. આત્મા પોતે
જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે. તે જ્ઞાનની અનુભૂતિમાં રાગની અનુભૂતિ નથી;
આવું ભેદજ્ઞાન થાય ત્યારે અપૂર્વ અનુભૂતિ પ્રગટે છે.
બીજી દેવી પૂછે છે કે હે માતા! આત્માની અનુભૂતિ થતાં શું થાય!
માતા કહે છે–સાંભળ, દેવી! અનુભૂતિ થતાં આખો આત્મા પોતે પોતામાં ઠરી જાય છે.
એમા અનંતગુણના ચૈતન્યરસનું એવું ગંભીર વેદન થાય છે કે જેના મહાન
આનંદને આત્મા જ જાણે છે. એ વેદન વાણીમાં આવતું નથી.
ત્રીજી દેવી પૂછે છે–માતા! વાણીમાં આવ્યા વગર એ વેદનની ખબર કેમ પડે?

PDF/HTML Page 7 of 55
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
માતા ઉપર આપે છે–હે દેવી! પોતે પોતાના સ્વસંવેદનથી આત્માને તેની ખબર પડ છે
જેમ થાંભલો નજરે દેખાય છે તેમ અનુભૂતિમાં આત્મા તેનાથી પણ વધુ સ્પષ્ટ
જણાય છે.
ચોથી દેવી પૂછે છે–હે માતા! આંખ વડે થાંભલો જણાય તેના કરતાંય આત્માના જ્ઞાનને
વધુ સ્પષ્ટ કેમ કહ્યું?
માતા જવાબ આપે છે–હે દેવી! થાંભલાનું જ્ઞાન તો ઈદ્રિંયજ્ઞાન છે, તે પરોક્ષ છે, ને
આત્માને જાણનારું જ્ઞાન તો અતીન્દ્રિય છે અને પ્રત્યક્ષ છે, માટે તે વધારે સ્પષ્ટ છે.
પાંચમી દેવી પૂછે છે કે–અનુભૂતિ વખતે તો મતિ–શ્રુતજ્ઞાન છે છતાં તેને પ્રત્યક્ષ અને
અતીન્દ્રિય કેમ કહ્યા?
માતાજી જવાબ આપે છે–કેમકે અનુભૂતિ વખતે ઉપયોગ આત્મામાં એવો લીન થયો છે
કે તેમાં ઈંદ્રિયનું કે મનનું અવલંબન છૂટી ગયું, તેથી તે વખતે પ્રત્યક્ષપણું છે.
‘અહા, એ વખતના અદ્ભૂત નિર્વિકલ્પ આનંદની શી વાત! ’
છઠ્ઠી દેવી કહે છે કે–હે માતા! તમે અનુભૂતિની અદ્ભૂત વાત સમજાવી. આજે તો જાણે
તમારા અંતરમાંથી કોઈ અલૌકિક ચૈતન્યરસ ઝરી રહ્યો છે!
માતા કહે છે–દેવી! અંતરમાં બિરાજમાન તીર્થંકરના આત્માનો એ પ્રતાપ છે. પ્રભુ
પધાર્યા ત્યારથી મારા આત્મપ્રદેશોમાં અતીન્દ્રિય આનંદરસ છવાઈ ગયો છે.
સાતમી દેવી કહે છે કે– અહા માતા! અમને તો લાગે છે કે પંદર માસ આપીને સેવા
કરતાં–કરતાં અમને પણ અનુભૂતિનો મહાન લાભ થશે. આપના પુત્રને દેખીને
અને ગોદમાં લઈને અમે ધન્ય બનશું.
માતા કહે છે–હા દેવીઓ! જગતના જીવોને અનુભૂતિનો માર્ગ બતાવવા માટે જ મારા
પુત્રનો અવતાર છે. તમે પણ મહા ભાગ્યશાળી છો કે તીર્થંકરની સેવા કરવાનો
અવસર પ્રાપ્ત થયો છે.
આઠમી દેવી પૂછે છે– હે મા! છ–છ માસથી અહીં રાજમહેલમાં કરોડો રત્નો વરસી રહ્યા
છે, રસ્તામાં એ રત્નોનાં ઢગલા પડ્યા છે, છતાં કોઈ તેને લેતું કેમ નથી?
માતા કહે છે–દેવી! એ રત્નો તો જડ છે. મારો પુત્ર જન્મીને જગતને સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્રનાં ચૈતન્યરત્નો આપવાનો છે. તો એ અલૌકિક ચૈતન્યરત્નો છોડીને

PDF/HTML Page 8 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
આ જડ રત્નો કોણ લ્યે? જગતના જીવો તો મારા પુત્ર પાસેથી સમ્યગ્દર્શનાદિ
રત્નો ગ્રહણ કરશે.
દેવીઓ આનંદથી કહે છે–“ધન્ય રત્નકૂંખધારિણી માતા! તમારો જય હોય...... તમારા
પુત્રનો જય હો”
આ પ્રમાણે આત્મહિતની ચર્ચાસહિત આનંદ–મંગલપૂર્વક દિવસો વીતી રહ્યા છે.
હવે પ્ર. વૈ વદ ૧૪ ની સવારમાં ઈન્દ્રસભામાં એકાએક મંગલચિહ્નો પ્રગટ થતાં
નેમિનાથ તીર્થંકરના જન્મની ખબર પડી, ઈન્દ્રોએ આનંદમંગલ વ્યક્ત કર્યાં. ભગવાન
જન્મ વખતે ચારેકોર આનંદનો કોલાહલ ફેલાઈ રહ્યો હતો. સૌધર્મ ઈન્દ્ર અને
શચીઈન્દ્રાણી ઐરાવત ઉપર આવીને દ્વારીકાનગરીની (પ્રતિષ્ઠામંડપની) પ્રદક્ષિણા કરવા
લાગ્યા.
આ બાજુ દ્વારિકાનગરીમાં પણ સમુદ્રવિજય મહારાજનો રાજદરબાર ભરાયો છે
ને આનંદમય ધર્મચર્ચા ચાલી રહી છે. એવામાં એકાએક તીર્થંકર ભગવાનના જન્મની
મંગલ વધાઈ આવે છે ને ચારેકોર હર્ષ છવાઈ જાય છે......
ઈન્દ્ર એરાવત હાથી લઈને આવી પહોંચ્યા; શચીદેવી ભગવાન બાલતીર્થં કરને
તેડી લાવ્યા. ને ઈન્દ્રને આપ્યા. ભગવાનને ગોદીમાં લઈને ઈન્દ્ર–ઈન્દ્રાણી ધન્ય બન્યા.....
ને પ્રભુની સવારી મેરૂપર્વત તરફ ચાલી. ફત્તેપુર જેવા નાના ધૂળિયા ગામમાં બાલ
તીર્થંકરની આવડી મોટી સવારી–હાથી–ઘોડા–ગાડી–રથ એ બધું કેમ સમાય? ગામ નાનું
ને સવારી મોટી! પણ, ના; આજે ફત્તેપુર ન હતું, એ તો આજે સોનાનું મહાન
દ્વારકાનગર બની ગયું હતું. હજારો નગરજનોને હર્ષ પમાડતી ને આર્શ્ચયમાં ડુબાડતી એ
સવારી મેરુ પાસે આવી પહોંચી. દશ હજારથી વધુ લોકો પ્રભુનો જન્માભિષેક જોવા
આતુર બન્યા હતા. ખુલ્લા મેદાનમાં ધોમધખતા તડકા નીચે ઊભા હતા ને! એટલે
પ્રભુની મંગલછાયામાં આતાપ કેવો? જેમની છાયામાં સંસારનો આતાપ પણ મટી જાય
ને ચૈતન્યની અપૂર્વ શીતળતા મળે, ત્યાં આ સૂર્યના આતાપને કોણ ગણકારે?
જન્માભિષેકની ઉમંગભરી ભક્તિમાં સૌ મશગુલ હતા. આનંદ ઉલ્લાસ પૂર્વક
જન્માભિષેક કરી, ઈન્દ્રાણીએ સ્વર્ગનાં દેવી અભૂષણોથી બાલપ્રભુને શણગર્યા અને નામ
રાખ્યું નેમિકુમાર.

PDF/HTML Page 9 of 55
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
પછી નેમિતીર્થંકરકુમારની સવારી પુન: દ્વારિકા આવી પહોંચી. માતા–પિતાનું
મહાન સન્માન કરીને ઈન્દ્રોએ તાંડવનૃત્ય વડે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અહા!
પોતાના પુત્રનો આવો અદ્ભૂત મહિમા દેખી–દેખીને શિવાદેવીમાતાનું હદય પ્રસન્નતા
અનુભવનું હતું. માતાના હદયનું વાત્સલ્ય અદ્ભૂત હતું. માતાને પુત્ર પ્રત્યે વાત્સલ્ય તો
હોય જ, તેમાં ય અ તો તીર્થંકર થનાર પુત્ર. પછી માતાના હેતમાં શું બાકી રહે! મીઠી
નજરે એ પોતાના પુત્રને અને જગતના નાથને નીહાળતી હતી. બાલ–તીર્થંકરના પ્રભાવે
ચારેકોર આનંદ–ઉલ્લાસ–ભક્તિ અને જિનમહિમાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
બપોરે નેમકુંવરના પારણાઝુલનું સુંદર દ્રશ્ય થયું. ઈન્દ્રાણીઓ અને દેવીઓ પણ
બાલતીર્થંકરનું પારણું ઝુલાવતી હતી. પૂ. બેનશ્રી–બેને પણ ભક્તિપૂર્વક નેમકુંવરને
હીંચોળ્‌યા હતા. શિવાદેવી માતા પોતાના લાડીલા પુત્રને હેતથી પારણીએ ઝુલાવતાં
ઝુલાવતાં નીચેનું મંગલ ગીત ગાતી હતી–
(અરિહંત તારા પિતા, જિનવાણી તારી માતા–એ રાગ)
તું શુદ્ધ છો....... તું બુદ્વ.... તુ નિર્વિકલ્પ ઉદાસી.
નેમિકુંવર! ઝુલો રે ચૈતન્યપારણે.....
ચેતનરાજા! ઝુલો રે ચૈતન્યપારણે....
તું સ્વાનુભૂતિ–પ્રકાશી, ને અનંત ગુણ વિલાસી....
વીરા મારા! આપોને સમ્યગ્જ્ઞાનને...
તમે છો ચૈતન્યસાધક, નિજ મોક્ષતણા આરાધક...
ઝુલો, ઝુલો, તમે તો ચૈતન્યયપારણે..
બેટા! ઝટઝટ મોટો થાજે ને મુનિ થઈ વિચરજે,
દેજ, દેજે, તું રત્નત્રયનાં દાનને.
પ્રભુ! તારા કહેણ છે મોટા, એના જગમાં છે નહિ જોટા,
ભવ્યજીવો સ્વીકારે તારા કહેણને.
તું જૈનશાસન અજવાળી ને કેવળજ્ઞાન પ્રગટાવી,
ભવથી છૂટી, પરમપદને પામજે.
પારણીયે ઝુલતા નાનકડા પરમાત્માને દેખીને આનંદ થતો હતો... ને એમ થતું હતું કે
વાહ! ભારતની માતાઓ પણ પોતાનાં પણ બાળકોને પારણીયામાંથી જ પરમાત્મા થવાનાં
ગાણાં સંભળાવીને ધર્મના ઉચ્ચ સંસ્કાર આપે તો નેમપ્રભુનો યુગ સમજાઈ જાય.

PDF/HTML Page 10 of 55
single page version

background image
વાહ રે વાહ! માતાનાં હેત! નામ રાખ્યું નેમિકુમાર.
– પારણાઝુલન –
शुद्धोसि..... बुद्धोसि..... निर्विकल्पोसि
તું શુદ્ધ છો.... તું બુદ્વ..... તું નિર્વિકલ્પ ઉદાસી....
ચેતનરાજા! ઝુલો રે ચૈતન્યપારણે....
નેમિકુંવર! ઝુલો રે ચૈતન્યપારણે....

PDF/HTML Page 11 of 55
single page version

background image
જન્માભિષેક વખતે..... ધોમ તડકામાં પણ શીતળતા લાગતી હતી
પ્રતિષ્ઠા વેદી પર બિરાજમાન ભગવંતો અંકન્યાસ વિધિનું દ્રશ્ય



સહસ્ત્રામ્રવનમાં ધ્યાનસ્થ નેમિમુનિરાજ હે સારથિ! રથને રોકો... રોકો... રોકો...

PDF/HTML Page 12 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
ભારતની મહિલાઓને આવી પ્રેરણા આપવા માટે પારણાઝુલન પછી તરત
મહિમાસમ્મેલન યોજાયું હતું. હજારો બહેનોએ તેમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં
પૂ. બેનશ્રી–બેન (ચંપાબેન તથા શાંતાબેન) પણ પધાર્યા હતા, ભારતની મહિલાઓએ
તેમનું સન્માન કર્યું હતું, અને તેઓશ્રીએ ભારતની મહિલાઓને માટે આત્મહિતનો
મંગલસન્દેશ આપ્યો હતો.
રાત્રે સમુદ્રવિજયમહારાજનો રાજદરબાર ભરાયો હતો. રાજદરબારમાં સુંદર
તત્ત્વચચાૃ થતી હતી ત્યાં જુનાગઢના ઉગ્રસેન મહારાજાનાદૂત આવીને નેમકુંવર સાથે
રાજીમતિના વિવાહનું નકકી કરે છે. દેશોદેશના રાજાઓ આવીને નેમકુમારને વિવિધ
ભેટ ઘરે છે ને ભાવના ભાવે છે કે–હે મહારાજ! જગતકો સમ્યક્ રત્નત્રયકી ભેટ દેને
વાલે આપકો હમ કયા ભેટ ઘરેં? જૈસે જગતમેં સબસે શ્રેષ્ટ જ્ઞાયકમહારાજાકો મિલનેકે
લિયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભેટ દેના પડતી હૈ, વૈસે આપ તીર્થંકર મહારાજકો
મિલકર પ્રસન્નતાસે હમ યહ ભેટ ધર રહે હૈ ઔર ભાવના કરતે હૈ કિ આપકે
સમવસરણમેં હમેં સમ્યક્ત્તત્રયકી ઉત્તમ ભેટ પ્રાપ્ત હો. ’
ત્યારબાદ નેમિકુંવરના વિવાહ માટે જાન જુનાગઢ તરફ રવાના થાય છે. રથમાં
નેમકુમાર શોભી રહ્યા છે. શિવમાતા હોંશેહોંશે કુંવરને વિદાય આપે છે ને બીજી તરફ
રાજુલદેવી ઉત્સુકતાથી નેમકુંવરની વાટજોઈ રહી છે....
વૈ. વદ અમાસે સવારમાં દીક્ષાકલ્યાણકનો પ્રસંગ રજુ થયો.
દીક્ષાકલ્યાણક પ્રસંગે સારથી સાથે નેમપ્રભુનો સંવાદ
(નેમકુમારની જાન જુનાગઢ પહોંચી છે; રાજલદેવી નેમદર્શનની રાહ જોઈ રહી
છે. એવામાં એકાએક પાંજરે પુરાયેલા પશુઓનો કરૂણ ચિત્કાર સાંભળતા નેમકુમાર
સારથિને કહે છે:–)
હે સારથી! રથને રોકો.... રોકો.... રોકો.... પશુઓનો આ કરુણા ચિત્કાર કેમ
સંભળાય છે? આવા નિર્દોષ પશુઓને અહીં કોણ કોણે પૂર્યા છે? આવા મંગલ પ્રસંગ
પર કરુણતાનો આ કોલાહલ કેમ થઈ રહ્યો છે? વિવાહ વખતે વૈરાગ્યનું આ દ્રશ્ય કેમ
ઉપસ્થિત થયું?
સારથી:– મહારાજ! આબધું આપના વિવાહના ઉપલક્ષમાં જ થઈ રહ્યું છે. જાતના
રસ્તામાં આ નિર્દોષ પશુઓને શ્રીકૃષ્ણે જ પુરાવ્યા છે. આપ જેવા કરુણાવંતને

PDF/HTML Page 13 of 55
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
દેખીને આ પશુંડા છૂટવા માટે ચીસ પાડી રહ્યા છે કે હે પ્રભો! અમને છોડાવો,
છોડાવો, છોડાવો.
નેમકુમાર:– અરે સારથિ, સારથિ! એ બધી વાત જૂઠી છે. ખરેખર આ પશુડા મારા
વિવાહ માટે નહિ પરંતુ મને વૈરાગ્ય ઉપજાવવા માટે જ શ્રીકૃષ્ણભૈયાએ અહીં
બંધાવ્યા છે. અરે, પૃથ્વીના એક નાના ટુકડા માટે આવો માયાચાર! સારથિ
વૈરાગ્યનું નિમિત્ત ઉપસ્થિત કરીને શ્રીકૃષ્ણે તો મારા ઉપર ઉપકાર જ કર્યો છે; ને
મને વિવાહના બંધનથી છોડાવ્યો છે. સારથિ! હવે રથને પાછો ફરવો. હવે હું
રાજુલ સાથે વિવાહ કરવા નથી ઈચ્છતો, હું તો મુક્તિસુંદરી સાથે વિવાહ કરવા
માટે ગીરનાર જવા ઈચ્છું છું.
સારથી:– પ્રભો, પ્રભો! આપ આ શું કહો છો?
નેમકુમાર: સારથિ! હું સત્ય કહું છું. મારું ચિત્ત આ સંસાર ઉપરથી ઉઠી ગયું છે. અને
સંસારથી વિરકત થઈને હું હવે આત્મસાધનાને પૂરી કરવા ચાહું છું. રથનો પાછો
વાળો. હવે દિગંબરી મુનિદીક્ષા ધારણ કરીને હું મુનિ થવા માંગું છું, ને નિર્વિકલ્પ
શુદ્ધોપયોગમાં લીન થવા માંગું છું.
સારથી:– પ્રભો! આ બાજું રાજુલદેવી આપની રાહ જોઈ રહી છે, અને શૌરીપુરમાં
(દ્વારકામાં) શિવાદેવીમાતા આપને પોંખવા ઉત્સુક થઈ રહ્યા છે; ત્યારે આપ
કહો છો કે મારે નથી પરણવું. પ્રભો! શિવાદેવી માતાને હું શો જવાબ આપીશ?
રાજુલદેવી આ કેમ સહન કરી શકશે? પ્રભો! પાછા ન ફરો...... પાછા ન ફરો.
નેમકુમાર:– અરે સારથિ, મારો નિર્ણય અફર છે. મારો અવતાર આ સંસારના ભોગ
ખાતર નથી, પણ આત્માના મોક્ષને સાધવા માટે મારો અવતાર છે. અરે, આ
સંસારની સ્થિતિ તો જુઓ! એક પૃથ્વીના ટુકડા માટે ભાઈ સાથે માયાચાર કરવો
પડે! નિર્દોષ પશુઓને પાંજરે પૂરવા પડે...... અરે, આ હિંસા શોભતી નથી.
સારથી, આ પશુઓને છોડી મૂકો.... એને મુક્ત કરો..... ને રથને પાછો વાળી
ગીરનાર તરફ લઈ જાઓ અમારું ચિત્ત આ સંસારથી વિરકત છે. આ સંસારના
માર્ગ પર મારો રથ નહિ ચાલે, મારો રથ હવે મોક્ષના માર્ગ પર ચાલશે.
મને લાગ્યો સંસાર અસાર..... મને લાગ્યો સંસાર અસાર.
એ રે સંસારમાં નહીં જાઉં.... નહીં. જાઉ..... નહીં જાઉં રે.

PDF/HTML Page 14 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
મને લાગે જ્ઞાયકભાવ સાર.... મને લાગે ચૈતન્યપદ સાર....
એ રે જ્ઞાયકમાં હું લીન થા.... લીન થાઉં.... લીન થાઉં રે.
સારથિ:– પ્રભો! પ્રભો! ધન્ય છે આપનું જીવન! આપના વૈરાગ્યજીવનને હું પહેલેથી જાણું
છું..... આપ જગતથી ઉદાસ છો..... આપ માત્ર પશુઓને નહિ પણ આપના
આત્માને આ સંસારનાં બંધનથી મુક્ત કરી રહ્યા છો. પ્રભો! આપ જે માર્ગને
અંગીકાર કરી રહ્યા છો તે સત્ય માર્ગ છે. હું પણ આપના જ માર્ગે આવીશ. દેવી
રાજુલ પણ આપના જ માર્ગે આવશે. શિવાદેવી માતા પણ આપના જ માર્ગે
આવશે, ને શ્રીકૃષ્ણ પણ અંતે આપના જ માર્ગે આવીને મુક્તિ પામશે. આપનો
માર્ગ એ અનંત તીર્થંકરોનો માર્ગ છે. જગતને પણ એ માર્ગે આવ્યે જ કલ્યાણ છે.
એ રીતે નેમપ્રભુએ દીક્ષાનો નિર્ણય કરતાં વૈરાગ્યમય મંગલ વાતાવરણ છવાઈ
જાય છે. અને લૌકાંતિકદેવો આવીને મંગલ સ્તુતિપૂર્વક પ્રભુના વૈરાગ્યનું
અનુમોદન કરે છે–
૧. પ્રભો, આપ મુનિ હોકર આત્માકે ધ્યાનસે કેવલજ્ઞાની બનેંગે ઔર દિવ્યધ્વનિકે દ્ધારા
મોક્ષકા માર્ગ ખોલેંગે; ઉસકો પાકર જગતકે જીવ ધન્ય બનેંગે!
૨. અહા, જગતથી વિરકિત એ જ અનંત તીર્થંકરોનો પંથ છે, આપ પણ એ જ માર્ગે
જઈ રહ્યા છો...... જગત પણ એ જ માર્ગે આવશે.
૩. અહા, પ્રભો! આપ જન્મથી જ વૈરાગી છો. ને આજે રત્નત્રયમાર્ગમાં જઈ રહ્યા છો.
તે જગતને માટે કલ્યાણનું કારણ છે.
૪. અહા પ્રભો! આપકો વીતરાગી દિગંબર અવસ્થામેં દેખકર હમેં બહુત પ્રસન્નતા
હોગી. આપકી આત્મા મહાન હૈ; ઔર મુનિદશા ભી મહાન હૌ
૫. જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને,
જો રાગ–દ્ધેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. (૮૧)
નેમપ્રભુ આજે એવા ઉત્કૃષ્ટ સુખના માર્ગે જઈ રહ્યા છે, તેને અમારી અનુમોદના છે.
૬. આત્માનો આનંદ કહો, જ્ઞાનચેતના કહો, પરમ સામાયિક કહો, નિર્વિકલ્પ અનુભૂતિ
કહો, નિર્ગ્રંથી માર્ગ કહો, તે માર્ગે નેમપ્રભુ આજે જઈ રહ્યા છે. ધન્ય છે પ્રભો!
આપનો વૈરાગ્ય! અમે તેને અનુમોદીએ છીએ.

PDF/HTML Page 15 of 55
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
૭. અહા, જગતપૂજય પરમેષ્ઠીપદ ધારણ કરીને, ચિદાનંદ સ્વરૂપમાં ઝુલતાં–ઝુલતાં
આપ ગીરનાર સહેસાવનમાં કેવળજ્ઞાન પામશો અને ત્યાંથી જગતને મોક્ષનો સંદેશ
સંભળાવશો.
૮. પ્રભો! આપ શુદ્ધોપયોગરૂપ મુનિદશાને અંગીકાર કરી રહ્યા છો. મુનિમાર્ગ અંતરમાં
સમાય છે; મુનિમાર્ગ એ કાંઈ રાગનો માર્ગ નથી, એ તો વીતરાગતાનો માર્ગ છે.
– તે માર્ગને અમારી અનુમોદના છે.
લૌકાંતિકદેવોની અનુમોદના બાદ, ઈંદ્રો પાલખી લઈને આવે છે. પ્રભુની પાલખીને
લેવાનો પહેલો અધિકારર ઈંદ્રોનો નહિ પણ મનુષ્યોનો છે; પ્રભુને ઠેઠ મુનિદશા સુધી જે
સાથ આપી શકે ને પ્રભુ સાથે સંયમ ધારણ કરે તે પ્રભુની પાલખીને પહેલાંં ઉઠાવે. એ રીતે
મનુષ્યરાજાઓ પાલખી લઈને પ્રથમ સાત પગલાં ચાલે છે; પછી વિધાધર રાજાઓ સાત
પગલાં ચાલે છે, ને છેલ્લે ઈંદ્રો પાલખી થઈને દીક્ષાવનમાં આવે છે.
સુંદર દીક્ષાવગનમાં આંબાના વૃક્ષ નીચે પ્રભુના દીક્ષાકલ્યાણકની વિધિ થઈ તે
જોતાં જાણે ગીરનારના સહેસાવનની વચ્ચ જ બેઠા હોઈએ–એવી સુંદર ભાવનાઓ
જાગતી હતી. દીક્ષા પછી નેમમુનિરાજનું પૂજન થયું. મુનિરાજની ભક્તિ થઈ; પણ એ
પૂજા–ભક્તિ વખતે પ્રભો તો નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્ર થઈને સાતમા ગુણસ્થાનના
નિર્વિકલ્પ મહા આનંદને અનુભવતા હતા, ચોથું જ્ઞાન તથા અનેક લબ્ધિઓ તેમને
પ્રગટી હતી. પૂજા–ભક્તિમાં એકાગ્ર ભક્તજનોને ખબર પણ ન પડી કે નેમમુનિરાજ
ક્્યારે ક્્યાં વિહાર કરી ગયા!
દીક્ષાવનમાં હજારો માણસોની સભામાં ગુરુદેવે વૈરાગ્યપ્રવચન કરીને મુનિ
દશાનો પરમ મહિમા પ્રસિદ્ધ કર્યો..... એ ધન્ય ચારિત્રદશાની ભાવના ભાવી. આખો દિવસ
મુનિભક્તિ ચાલુ જ રહી. બપોરે પચીસ જેટલા જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ થઈ.
બપોરે મધ્યપ્રદેશ–મુમુક્ષુમંડલનું અધિવેશન શેઠશ્રી ભગવાનદાસજી (સાગર) ની
અધ્યક્ષતામાં થયું; તત્ત્વપ્રચાર માટે અનેક વિચારો વ્યક્ત થયા; મધ્યપ્રદેશના
મહામુમુક્ષુમંડળ દ્ધારા ઠેરઠેર ધાર્મિક પ્રચાર વૃદ્ધિગત થઈ રહ્યો છે. રાજસ્થાન અને ઉત્તર
પ્રદેશમાં પણ વિશેષ જાગૃતી આવી રહી છે. આ વખતે આગ્રામાં શિક્ષણશિબિરનું મોટું
આયોજન થયું જેમાં હજારો જિજ્ઞાસુઓએ ભાગ લીધો હતો. સાંજે વીતરાગ

PDF/HTML Page 16 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
વિજ્ઞાન વિધાપિઠની ગુજરાત શાખાનું ઉદ્ઘાટન થયું હતું. ગુજરાત ઘણે ઠેઠાણે
પાઠશાળાઓ ખુલતી જાય છે. એકએક ગામમાં બાળકો માટે પાઠશાળા હોય તે અત્યંત
જરૂરી છે.
રાત્રે વિદ્ધાનોનું સંમેલન હતું. અહા, જૈનધર્મની સેવામાં તત્પર આટલા બધા
વિદ્ધાનો એક સાથે, એક ધ્યેયપૂર્વક હળીમળીને ચર્ચા કરી રહ્યા હતા, તે દેખીને આનંદ
થતો હતો. સામાન્ય રીતે વિદ્ધાનો ભેગા થાય એટલે વાદવિવાદ કરે; અહીં ભારતના
ચારેખુણેથી સેંકડો વિદ્ધાનો એકઠા થયા હતા ક્્યાંય વાદવિવાદ ન હતો, આનંદભરી
વીતરાગી ગોષ્ઠી ચાલતી હતી. ‘આત્મધર્મ’ દ્ધારા જે પ્રચાર થઈ રહ્યો છે તે બધા
વિદ્ધાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી, ને હજી વધુ પ્રચાર માટે ભાવનાઓ વ્યક્ત કરી
હતી. અહીં, દેશભરના હજારો જિજ્ઞાસુ પાઠકોએ આત્મધર્મ પ્રત્યે અને આત્મધર્મના
સંપાદક પ્રત્યે જે પ્રેમ–આદર અને વાત્સલ્યની ઉર્મિઓ વ્યક્ત કરી છે. તે આર્શ્ચય
પમાડતી હતી. હજારો તત્ત્વજિજ્ઞાસુ અધ્યાત્મપ્રેમી સજ્જનોનો આવો પ્રેમ–એ
આત્મધર્મનું મહાન ગૌરવ છે. અને આત્મધર્મના સંપાદક પણ પ્રસન્ન ચિત્તથી પોતાના
હજારો સાધર્મી– પાઠકજનો પ્રત્યે હાર્દિક વાત્સલ્યની ઉર્મિઓ ધરાવે છે. આત્મધર્મ પ્રત્યે
ભારતના જિજ્ઞાસુઓનો પ્રેમ જોઈએ એમ થતું હતું કે અહા, જેમની વાણીનો થોડોક
અંશ જ જે આત્મધર્મમાં આવે છે તે આત્મધર્મમાં પ્રત્યે પણ જિજ્ઞાસુઓને આટલો પ્રેમ,
તો એ ગુરુદેવ પ્રત્યેના પ્રેમની તો શી વાત! અહીં ભેગા થયેલા ભારતના સેંકડો
વિદ્ધાનએ એકી અવાજે ગુરુદેવને પ્રશંસ્યા..... કવિઓએ સેંકડો કવિતા વડે મહિમા
ગાયો...... કવિજનોનાં પંદર દિવસ કાવ્યો ભેગા કરીએ તો સેંંકડો કાવ્યોનો ઢગલો થાય.
આ બધું આત્મધર્મમાં આપી શકતા નથી તે માટે કવિજનો તેમજ વિદ્ધાનો ક્ષમા કરે.
વિદ્વત્ સંમેલનના પ્રારંભમા આર્શીવાદરૂપે ગુરુદેવે કહ્યું કે–આનંદસ્વરૂપ આત્મા
પોતે છે–તેનું અનાદિથી વિસ્મરણ, અને રાગાદિરૂપે પોતાને માનીને તેનું સ્મરણ–તે
અનાદિથી અવિધા છે; તેનું ફળ સંસાર છે. આનંદસ્વરૂપમાં આત્મા હું અને રાગાદિ તે
પર–એમ ભેદજ્ઞાન કરીને મોક્ષનો માર્ગ સાધવો તે સાચી વિધા છે. આવી વીતરાગી વિધાને
જે જાણે તે સાચો વિદ્ધાન્ છે. અને વિદ્ધાનોએ આવી વિધાનો પ્રચાર કરવા જેવું છે.
ત્યારબાદ પં. ફૂલચંદંજી સિદ્ધાંતશાસ્ત્રી (બનારસ) અધ્યક્ષતામાં જ્ઞાન પ્રચારની
ભાવના સંબંધી કેટલાક ઠરાવો રજુ થયા હતા. અનેક વિદ્ધાનોએ પોતાના

PDF/HTML Page 17 of 55
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
વિચારો રજું કર્યાં હતા. આ કાળે જીવન થોડું ને શક્તિ થોડી, તેમાં સાચી વિધાવડે
આત્મહિત સાધી લેવા જેવું છે. આવી વિધાના ઉપાસકોનું આ વિદ્ધત્–સંમેલન છે. પણ
કોઈ અમુક ભણતરની ડીગ્રી ધરાવે તે જ વિદ્ધાન–એવું આ સંમેલન નથી. બીજે તો
સામાન્યપણે અત્યારે જેટલા વિદ્ધાન્ એટલા મત–એવી પરિસ્થિતિ છે ને વિદ્ધાનોમાં
ખેંચાતાણી ચાલે છે, આપણે તો અહીં ગુરુદેવની છાયામાં વીતરાગી વિધાના જિજ્ઞાસુ
સેંકડો વિદ્ધાનો ભેગા થાય છે ને બધા વિદ્ધાનો એકમત છે..... કે અમે તો તત્ત્વના
જિજ્ઞાસુ અને જ્ઞાનના પ્યાસી છીએ.... જૈનશાસનની સેવા માટે બંધુ સમર્પી દેવા અમે
તૈયાર છીએ. આવા દ્રષ્ટિકોણનું આ વિદ્ધત્ સંમેલન છે. વિદ્ધાનોની બે પાર્ટીમાંથી કોઈ
પાર્ટીના પોષણ માટે આ સંમેલન નથી; પણ પાર્ટી–મતભેદ મટાડીને, વીતરાગવિધામાં
એકતા માટેનું આ સંમેલન છે. આવા વિચારો વિદ્ધત્ સંમેલનમાં વિદ્ધાનોએ વ્યક્ત કર્યાં
હતા. તે ઉપરાંત ‘આત્મધર્મ’ દ્ધારા જે પ્રભાવના થઈ રહી છે તેની પ્રશંસાપૂર્વક તેના
વધુ ને વધુ પ્રચારની ભાવના ભાવી હતી.
વૈશાખ સુદ બીજ: ૮૩ મી જન્મજયંતિ

જેમના પ્રતાપે ભેદજ્ઞાનરૂપી મંગલ બીજ ઊગી છે એવા મંગલમૂર્તિ ગુરુદેવનો
આજ ૮૩ મો જન્મોત્સવ ઊજવાઈ રહ્યા છે, ત્યારે સર્વપ્રથમ ‘અષ્ટ’ મહાગુણના કારણરૂપ
ત્રણ રત્નના ઉપાસક ગુરુદેવને નમસ્કાર કરું છું.
ધન્ય બન્યું આ ફત્તેપુર, કે જ્યાં કહાનગુરુનો ૮૩ મો જન્મોત્સવ આનંદથી ઉજવવા
ભારતના દશ હજારથી વધુ મુમુક્ષુજનો ઉભરાઈ રહ્યા છે. સવારમાં ચાર વાગતાં પહેલાંં તો
આનંદવધાઈ માટે સૌ તૈયાર થઈ યા છે. હજારો બત્તીના ચિત્રવિચિત્ર ઝગમગાટથી
વીતરાગવિજ્ઞાનગર અને ફતેપુર શહેર અદ્ભૂત શોભી રહ્યું છે. દરવાજે બે હાથી
મહાપુરુષને સત્કારવા આતુર થઈનેઊભા છે. હજારો ભક્તો જૈનધર્મના જયજયકાર કરતા
ને મંગલ વધાઈ ગાતાં ગાતાં પ્રભાતફેરીફેરીરૂપે આવી રહ્યા છે. ગુરુદેવ વહેલી સવારમાં
પ્રતિષ્ઠામંડપમાં પધાર્યા ને ભક્તિચિત્તે જિનેન્દ્ર ભગવંતોના દર્શન કર્યાં. ત્યારબાદ જેમના
પ્રતાપે આપણને સાચો જૈનધર્મ અને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો છે એવા

PDF/HTML Page 18 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
ગુરુકહાન પ્રત્યે પરમ ઉપકારભાવે સૌએ શ્રીફળ લઈને અભિવંદન કર્યુ. વીતરાગ
વિજ્ઞાનનગરમાં ઊભરાયેલા દશ હજારથી વધુ મુમુક્ષુ જીવો એમ પ્રસિદ્ધિ કરી રહ્યા હતા કે
હે ગુરુદેવ! વીતરાગપરમાત્મા તીર્થંકર ભગવંતોએ અને કુંદકુંદચાર્ય વગેરે સન્તોએ
બતાવેલો જે આત્મસન્મુખી વીતરાગી મોક્ષમાર્ગ આપે અમને દેખાડયો છે તે સુંદર માર્ગ
અમને ગમ્યો છે, તે માર્ગ અમે સ્વીકાર્યો છે ને તે માર્ગે અમે આવી રહ્યા છીએ. આવા
માર્ગની પ્રાપ્તિ આપના જ પ્રતાપે અમને થઈ છે તેથી આપનો અવતાર અમારા માટે
કલ્યાણનું કારણ છે; એટલે આપનો જન્મોત્સવ ઊજવતાં ખરેખર અમે અમારા
આત્મહિતનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ. આવી ભાવનાથી સૌએ ગુરુદેવને અભિનંધા.
એક મોટી બીજની રચના ઉપર બિરાજમાન કહાનગુરુ ગંભીરપણે શોભતા હતા.
અહા, વૈશાખસુદ બીજ એ તો જાણે જ્ઞાનની ઉજવળ બીજ ઊગી છે... ને ઉપર પૂનમનું દશ્ય
એવું હતું કે જાણે ગુરુદેવ બીજ દ્ધારા કેવળજ્ઞાન–પૂર્ણિમાને બોલાવી રહ્યા હોય! આમ બીજ
અને પૂનમની વચ્ચે કહાનગુરુનું દશ્ય સરસ લાગતું હતું. એક બાજું હજારો શ્રીફળનો ઢગલો
હતો; બીજી બાજુ શરણાઈના મંગલસૂર ગાજી રહ્યા હતા. દેશભરના હજારો મુમુક્ષુઓની
લાંબી કતાર લાગી હતી, ને જયજયકારના મોટા કોલાહલથી મંડપ ગાજી રહ્યો હતો.
એકાએક બધો શોરબકોર બંધ થઈ ગયો.... કેમ? કારણકે ગુરુદેવે
ગંભીરધ્વનિથી સિદ્ધપ્રભુનું સ્મરણ કરીને મંગલાચરણ સંભળાવવું શરૂ કર્યું. સમય
સારની પહેલી ગાથા દ્ધારા અનંત સિદ્ધભગવંતોનું સ્મરણ કરીને કહ્યું કે આવા સિદ્ધ
ભગવંતોને આત્મામાં સ્થાપીને તેમનો આદર કરતાં, તેમના જેવો પોતાનો શુદ્ધઆત્મા
લક્ષમાં લાવે છે, ને રાગથી ભિન્ન ચૈતન્યનું ભાન થતાં ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે છે તે
અપૂર્વ મંગળ છે. ને આવી બીજ ઉગી છે તે આગળ વધીને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા
થશે.... થશે ને થશે તે ઉત્કૃંષ્ટ મંગળ છે.
આવું માંગળિક સાંભળીને સૌને ઘણી પ્રસન્નતા થઈ. ઉમંગભર્યા વાતાવરણમાં
પૂજનાદિ બાદ ગુરુદેવે સુંદર પ્રવચન દ્ધારા આનંદમય ભેદજ્ઞાનબીજનો મહિમા
સમજાવીને કહ્યું કે અરે જીવ! એકવાર આવી જ્ઞાનીબીજ ઉગાડ...... (ત્યારે એમ થતું કે
વાહ ગુરુદેવ! આપની વૈશાખસુદ બીજે તો અમને ભેદજ્ઞાનરૂપી બીજ આપી.)
પ્રવચન બાદ આજના આનંદપ્રસંગે સૌએ પોતાનો હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો.... ને
૮૩ જન્મજયંતિની ખુશાલીમાં ૮૩ ની રકમો લગભગ એક હજાર લખાણી.

PDF/HTML Page 19 of 55
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
આ પ્રસંગે ભારતભરમાંથી આવેલા અગ્રગણ્ય વિદ્ધાનો, પ્રમુખ આગેવાનો,
કાર્યકરો, હજારો મુમુક્ષુઓ, અને આરાધક જીવોથી સભા શોભી રહી હતી. સૌ ગુરુદેવને
અભિનંદવા આતૂર હતા. સમય ઘણો થોડો હોવાથી પાંચ–સાત વકતાઓ જ બોલી
શક્્યા હતા.
* શરૂઆતમાં ભાઈશ્રી ખીમચંદભાઈએ પોતાની વિશિષ્ટ શૈલિથી ઉપસ્થિત
સમાજની વતી ગુરુદેવપ્રત્યે શ્રદ્ધાંજલિ આપી; અને સાથે સોનગઢ–સંસ્થાના
આઘપ્રમુખ મુરબ્બીશ્રી રામજીભાઈની વતી એમ જાહેર કર્યું કે અહીં ફત્તેપુરમાં આ
૮૩ મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ને ફત્તેહ થઈ ગઈ છે; હવે આગામી વર્ષે ૮૪
મી જન્મજયંતિ સોનગઢમાં ઉજવાશે ત્યારે આપ સૌ જરૂર પધારશો. ને ગુરુદેવના
ઉપદેશવડે આપણે સૌ ચોરાસીના ફેરા ટાળવાનો માર્ગ પામીએ. એવી ભાવના
સાથે બધા મુમુક્ષુઓને સોનગઢ પધારવાનું આમત્રણ અત્યારથી આપીએ છીએ.
અખિલ ભારત જૈનસમાન પ્રસિદ્ધ નેતા શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ–જેઓ આ
ઉત્સવમાં ફત્તેપુર આવ્યા હતા, તેમણે પોતાના તરફથી તેમજ ભારતના સમગ્ર
જૈનસમાન વતી સરસ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી, અને સાથે ગુરુદેવ દ્ધારા
સમ્યક્ત્વપ્રાપ્તિની ભાવના ભાવી હતી. તે જ ૮૩ મી જન્મજયંતિના ઉપલક્ષમાં
રૂા. ૮૩૦૦ સોનગઢસંસ્થાને અર્પણ કર્યાં હતા. તેમનું લાગણીભીનું ભાષણ આ
અંકમાં આપ વાંચશો.
અજમેરના શેઠશ્રી ભાગચંદજી સોનીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે–ફત્તેપુરમાં
ભગવાનના પંચકલ્યાણક થઈ રહ્યા છે ને સાથે કાનજી સ્વામીની જન્મજયંતિ પણ
માનવાનો પ્રસંગ મળ્‌યો છે. કુંદકુંદચાર્ય આદિ નિર્ગં્રથ મુનિવરોએ જે માર્ગ કહ્યો તે
માર્ગ આજ કાનજીસ્વામીના મુખથી આપણને સાંભળવા મળે છે..... તેમના પ્રત્યે
હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ઈન્દોરના ભૈયાસાહબ શ્રી રાજકુમારસિંહજીએ ઉમંગભરી અંજલિ આપતાં કહ્યું કે–
આત્માકે કલ્યાણકા માર્ગ દિખાકર આજ પૂ. કાનજીસ્વામીને આપણા ઉપર જે
મહાન ઉપકાર કર્યો છે–ઈસસે બડા કોઈ ઉપકાર નહીં કિયા જા સકતા. હમ
મહાવીર ભગવાનકી પરંપરામેં આયે, અપનેકો મહાવીરકે અનુયાયી સમજે, કિન્તુ
ભગવાનકે માંગકો હમ ભૂલ રહે થે ઔર વિપરીત માર્ગમેં જા રહે થે, તબ

PDF/HTML Page 20 of 55
single page version

background image







બીજી અને પૂનમની વચ્ચે પૂનમ નજીક આવી ગઈ...
શાહુજી પં. ફૂલચંદજી, શેઠ ભાગચંદજી અને રાજકુમારસિંહજી અંજલિ આપી રહ્યા