Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૧
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૫૧
જ્ઞાનસ્વભાવનો નિર્ણય
તાજેતરમાં ૧૪૪ મી ગાથાના પ્રવચનમાં ગુરુદેવના શ્રીમુખે
જ્ઞાનસ્વભાવના અપૂર્વ નિર્ણયની વાત સાંભળતા મુમુક્ષુઓ ડોલી
ઊઠતા હતા કે વાહ! આત્મા અનુભવની એકદમ સરસ વાત છે.
ગુરુદેવે કહ્યું કે – અહો! નિર્ણયમાં કેટલી તાકાત છે!
વિકલ્પથી લાભ માને તે નિર્ણય સાચો નહીં. ‘જ્ઞાનસ્વભાવ’ જ ત્યારે
નકકી થાય કે વિકલ્પથી જુદો પડે ત્યારે; કેમકે જ્ઞાનસ્વભાવમાં
વિકલ્પની તો નાસ્તિ છે ભાઈ! આત્માના અનુભવની રમતું જુદી છે. –
જેનો નિર્ણય કરતાં આખી દુનિયાનો રસ ઊડી જાય; આખી દુનિયા ફરે
તોય એનો નિર્ણય ન ફરે. – કેમકે તે નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનું જ
અવલંબન છે, બીજા કોઈનું અવલંબન એમાં નથી. ભાઈ, એકવાર હૈયું
સરખું રાખીને આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. તો તને અનુભવનો
અવસર આવશે.
‘જ્ઞાનસ્વભાવ છું’ એમ નિર્ણય કરવા જાય ત્યાં રાગની –
પુણ્યની કે સંયોગની હોંશ રહે નહિ, કેમકે તેનાથી જુદા
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો છે; તે નિર્ણય કરવા માટે અંર્તસ્વભાવ
તરફ જ્ઞાન ઝુકે છે. (વિશેષ માટે અંદરનાં પ્રવચનો વાંચો.)

PDF/HTML Page 3 of 45
single page version

background image
અજોડ શાસન– પ્રભાવી સંત
અહો, કુંદુકંદપ્રભુ! વિદેહક્ષેત્રની યાત્રા કરીને આપ
સીમંધરપરમાત્મા પાસેથી અમારા માટે ઊંચી – ઊંચી વસ્તુ લાવ્યા...
શું લાવ્યા? ચૈતન્યની અનુભૂતિ લાવ્યા, આત્માનો વૈભવ લાવ્યા...
ભૂત – ભવિષ્યના મહાન સંદેશા લાવ્યા.... પ્રભો! આ ભરતક્ષેત્રના
જીવો ઉપર આપનો અજોડ ઉપકાર છે. આજે કહાનગુરુ આપના
શાસનનો મહાન પ્રભાવ ભરતક્ષેત્રમાં ફેલાવી રહ્યા છે... તેઓશ્રીનો
પણ અમારા ઉપર મહાન ઉપકાર છે. તેમના પ્રતાપે મુમુક્ષુ હૃદયોમાં
આપનું ભાવશ્રુત ટંકોત્કીર્ણ થયું છે, ને આરસમાં આપનું દ્રવ્યશ્રુત પણ
ટંકોત્કીર્ણ થઈ રહ્યું છે.
અજોડ શાસન– પ્રભાવી સંત
અહો, કુંદુકંદપ્રભુ! વિદેહક્ષેત્રની યાત્રા કરીને આપ
સીમંધરપરમાત્મા પાસેથી અમારા માટે ઊંચી – ઊંચી વસ્તુ લાવ્યા...
શું લાવ્યા? ચૈતન્યની અનુભૂતિ લાવ્યા, આત્માનો વૈભવ લાવ્યા...
ભૂત – ભવિષ્યના મહાન સંદેશા લાવ્યા.... પ્રભો! આ ભરતક્ષેત્રના
જીવો ઉપર આપનો અજોડ ઉપકાર છે. આજે કહાનગુરુ આપના
શાસનનો મહાન પ્રભાવ ભરતક્ષેત્રમાં ફેલાવી રહ્યા છે... તેઓશ્રીનો
પણ અમારા ઉપર મહાન ઉપકાર છે. તેમના પ્રતાપે મુમુક્ષુ હૃદયોમાં
આપનું ભાવશ્રુત ટંકોત્કીર્ણ થયું છે, ને આરસમાં આપનું દ્રવ્યશ્રુત પણ
ટંકોત્કીર્ણ થઈ રહ્યું છે.

PDF/HTML Page 4 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૯
લવાજમ પોષ
ચાર રૂપિયા જાન્યુઆરી 1973
વર્ષ: ૩૦ અંક ૩
ધર્માત્માની અનુભૂતિનું વર્ણન
ધર્મીના અંતરમાં સમયસાર કોતરાયેલું છે
માગશર વદ આઠમે આચાર્યશ્રી કુંદકુંદપ્રભુની
આચાર્યપદ પ્રતિષ્ઠાનો મંગલ દિવસ આનંદ આનંદથી ઉજવાયો.
તે દિવસે પૂ. ગુરુદેવના સુહસ્તે ઈટાલીના મશીન દ્વારા
સમયસાર કોતરવાનો પ્રારંભ થયો, અને અજિત પ્રેસના
પ્રાંગણનાં બંધાયેલ મંડપમાં પૂ. ગુરુદેવનું ભાવભીનું પ્રવચન
થયું. તે વાંચતાં મુમુક્ષુઓને આનંદ થશે.

આજે કુંદકુંદાચાર્યદેવની આચાર્યપદવીનો મહાન દિવસ છે. આત્માના આનંદમાં
ઝુલતા તેઓ મહાન સંત હતા. બે હજાર વર્ષ પહેલાંં તેઓ અહીં મદ્રાસ પાસે પોન્નૂર
પર્વત પર બિરાજતા હતા; ત્યાંથી વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા પાસે તેઓ ગયા
હતા, ને આઠ દિવસ રહીને ભગવાનની વાણી સાંભળી હતી; તેમની આચાર્યપદે
પ્રતિષ્ઠાનો આજે દિવસ છે. તેમણે સમયસારાદિ મહાન પરમાગમ રચીને ઉપકાર કર્યો
છે. મંગલના શ્લોકમાં મહાવીર ભગવાન અને ગૌતમ ગણધર પછી

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
ત્રીજું નામ કુંદકુંદાચાર્યદેવનું આવે છે, मंगलं कुंदकुंदार्यो – આવા મંગળરૂપ આચાર્ય
દેવની આચાર્યપદવીનો આજે મહાન દિવસ છે, ને આપણે અહીં પણ આજે (મશીનથી
આરસમાં) સમયસાર કોતરવાની મંગલ શરૂઆત થઈ છે.
આજે ‘પોષ વદ આઠમ’ ને બુધવાર છે. બુધ એટલે જ્ઞાન, જ્ઞાનનો વાર, એટલે
જ્ઞાનની પરિણતિનો અવસર, તે જ્ઞાનને દેખાડનારું આ સમયસાર– શાસ્ત્ર છે. આત્માની
અનુભવદશામાં ઝુલતાં ઝુલતાં શાસ્ત્ર–રચનાનો વિકલ્પ આવ્યો ને આ સમયસારાદિ
શાસ્ત્રોની રચના થઈ ગઈ; તેમાં વિકલ્પનું કે વાણીનું કર્તૃત્વ તેમના જ્ઞાનમાં નથી,
જ્ઞાનના સ્વ–પરપ્રકાશક સામર્થ્યમાં વિકલ્પ અને વાણી પરજ્ઞેયપણે જણાઈ જાય છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાનરૂપે પરિણમે છે, તેમાં વિકલ્પનું કે વચનનું કર્તૃત્વ નથી;
સમ્યગ્દ્રર્શનમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદસ્વાદનું વેદન હોય છે, ને તે અંશ દ્વારા ‘મારો
આખો આત્મા આવો આનંદમૂર્તિ – ચૈતન્મૂર્તિ છે’ એવું ધર્મીને ભાન થાય છે. આ રીતે
સ્વભાવમાં એકતા ને રાગથી ભિન્નતાના અનુભવ સહિત આત્માની જે પ્રતીત થઈ તે
સમ્યગ્દ્રર્શન છે. એવું સ્વરૂપ આચાર્યદેવે આત્માના વૈભવથી આ સમયસારમાં દેખાડ્યું
છે. ધર્મીને રાગના કાળે તે રાગનું જ્ઞાન વર્તે છે, એટલે ધર્મી જીવ સ્વ. પરપ્રકાશક
જ્ઞાનપણે વર્તે છે. તેના જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માનો અનુભવ વર્તે છે,
અહા, ચૈતન્યભગવાન પૂર્ણાનંદપણે જેને અનુભવમાં આવ્યો તે સમ્યગ્દ્રર્શનની શી વાત!
લોકોને સમ્યગ્દ્રર્શન શું ચીજ છે તેની ખબર નથી.
રાગના કાળે જ ધર્મી તો સ્વપરપ્રકાશક જ્ઞાનપણે જ વર્તે છે; વિકલ્પપણે નથી
વર્તતા. વિકલ્પની અપેક્ષા રાખ્યા વગર પોતે જ્ઞાનપણે વર્તે છે. વિકલ્પ જણાય ત્યાં
‘વિકલ્પનું જ્ઞાન’ કહેવું તે વ્યવહાર છે, ખરેખર જ્ઞાનમાં વિકલ્પની અપેક્ષા નથી. જ્ઞાની
વિકલ્પનો કર્તા નથી. એ વાત ૯પ માં કળશમાં આચાર્યદેવ કહે છે–
विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम् ।
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।। ९५ ।।
જ્ઞાન અને વિકલ્પની ભિન્નતાને જે જાણતો નથી એવો અજ્ઞાની જીવ જ
વિકલ્પનો કર્તા છે અને વિકલ્પ તેનું કર્મ છે. આત્માને વિકલ્પવાળો જ અનુભવનાર
જીવને તે વિકલ્પનું કર્તાકર્મપણું કદી નાશ થતું નથી. અને જ્ઞાન થયા પછી વિકલ્પનું

PDF/HTML Page 6 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
કર્તૃત્વ રહેતું નથી. જ્ઞાનસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી, વિકલ્પ કરવા ઉપર જ જેની દ્રષ્ટિ
છે તે જ જીવ વિકલ્પનો કર્તા છે. જ્ઞાનના અનુભવપણે પરિણમનાર જીવ વિકલ્પનો કર્તા
કદી થતો નથી. અજ્ઞાનભાવથી જ જીવને વિકલ્પનું કર્તાપણું છે, અને વિકલ્પ જ
અજ્ઞાનીનું કર્મ છે. જ્ઞાનમાં વિકલ્પ સાથે કર્તાકર્મપણું છૂટી જાય છે. આવા જ્ઞાન
સ્વભાવનો જેણે અનુભવ કર્યો તેણે પરમાગમને પોતાના આત્મામાં કોતર્યા. આત્માના
આનંદનો સ્વાદ જેણે ચાખ્યો નથી તે જ વિકલ્પનો કર્તા થઈને તેને કરે છે. પણ
વિકલ્પનું તે કર્તૃત્વ અજ્ઞાનીને તે અજ્ઞાનપર્યાયમાં જ છે. દ્રવ્ય – ગુણસ્વભાવમાં
વિકલ્પનું કર્તૃત્વ નથી, કે કર્મ વગેરે બીજી ચીજ તે વિકલ્પની કર્તા નથી. અને
દ્રવ્યસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેને તો જ્ઞાનપર્યાયમાં વિકલ્પનું ય કર્તૃત્વ નથી, તેને
તો જ્ઞાનભાવનું જ કર્તૃત્વ છે.
શુભાશુભભાવના કાળે, અજ્ઞાની તે ભાવરૂપે જ પોતાને અનુભવતો થકો તેનો
જ કર્તા થાય છે; પણ તે સિવાય બહારમાં શરીરાદિની ક્રિયાંમાં તો તેનું કાંઈ કર્તૃત્વ
નથી. અને જ્ઞાનીને તો તે શુભાશુભભાવના કાળે જ તેનાથી ભિન્ન જ્ઞાનનું વેદન વર્તે છે,
તેમાં તે જ્ઞાન–આનંદના સ્વાદને જ વેદે છે, શુભાશુભરાગનું કર્તૃત્વ તેને નથી, ને
બહારથી ક્રિયાનું કર્તૃત્વ પણ નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્માના વેદન વગર અનંતવાર
શુભક્રિયાઓ કરીને સ્વર્ગમાં જવા છતાં જીવ દુઃખને જ પામ્યો; શુભરાગવડે પણ તે
લેશમાત્ર સુખ ન પામ્યો, કેમકે આત્માના આનંદની તેને ખબર નથી. શુભના પરિણામ
તો દુઃખરૂપ છે, જીવમાં ક્ષોભ ઉત્પન્ન કરનારાં છે, ને તેનાથી પાર જ્ઞાનસ્વરૂપ આત્મા
આનંદરૂપ છે, અરે, આવા આત્માને લક્ષમાં તો લ્યો, વીતરાગદેવે કહેલા આત્મતત્ત્વને
ઓળખ્યા વગર ભવના આરા આવે તેમ નથી.
શુભાશુભ – વિકલ્પને જ પોતાનું સ્વરૂપ માનીને જે અટકી ગયો છે તે જીવ
વિકલ્પસહિત છે અને તેને જ વિકલ્પ સાથે કર્તાકર્મપણું છે, અજ્ઞાનમાં વિકલ્પનું
કર્તાકર્મપણું કદી છૂટતું નથી. અહીં તો જ્ઞાનસ્વભાવના અનુભવવડે તે કર્તાકર્મપણું કેમ
છૂટી જાય – તે વાત આચાર્યભગવાને આ સમયસારમાં સમજાવી છે. જ્ઞાનમાં વિકલ્પનું
કર્તૃત્વ જરાપણ ભાસતું નથી. વિકલ્પનો કોઈ અંશ જ્ઞાનમાં નથી, તેથી જ્ઞાનીને વિકલ્પનું
કર્તાપણું જરાપણ નથી. જ્ઞાનની પરિણતિ અને વિકલ્પને કરવારૂપ પરિણતિ બન્ને
એકસાથે કદી હોય નહીં. વિકલ્પને કરવારૂપ અજ્ઞાનક્રિયામાં જ્ઞાનક્રિયા કદી હોતી નથી,
ને જ્ઞાનના અનુભવરૂપ જ્ઞાનક્રિયામાં વિકલ્પને કરવારૂપ કરોતિ ક્રિયા

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
કદી હોતી નથી. અહો! ધર્મીને જ્યાં આનંદમૂર્તિ આત્માનો અનુભવ અંતરમાં થયો છે
ત્યાં હવે રાગનું કર્તૃત્વ કેવું? સમ્યગદ્રર્શન થયું ત્યાં આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ,
આત્મા આનંદનો સ્વાદ લઈને જ્ઞાનરૂપ થયો, ત્યાં હવે રાગ રહી શકે નહીં. તેથી દ્રષ્ટિમાં
તો આનંદમય આત્મા બિરાજે છે.
જુઓ, આજે તો સમયસાર કોતરવાની શરૂઆત થઈ.... અને અંદરમાં
સમયસારની પ્રતિષ્ઠા કરવાની વાત છે. ધર્મીની પરિણતિમાં રાગનું કર્તૃત્વ નથી, રાગનું
જ્ઞાન ભલે હો, પણ તે જ્ઞાન રાગથી જુદું પૃથક વર્તે છે. આવો મોક્ષનો માર્ગ છે. ભાઈ!
ચોરાશીલાખ યોનિમાં અવતાર કરી કરીને અજ્ઞાનથી તું દુઃખી થયો, તેનાથી છૂટકારો
કેમ થાય તેની આ વાત છે.
ચૈતન્યપ્રભુ ઉપર જેની દ્રષ્ટિ છે તેને વીતરાગી આનંદનું વેદન થાય છે, ને તેનો
જ તે કર્તા છે. વચ્ચે રાગ હોય તેનો તે કર્તા નથી. ભલે દશમા ગુણસ્થાન સુધી રાગ હોય
– પણ સમકિતીની જ્ઞાનપર્યાયમાં તે રાગ નથી, જ્ઞાનથી તો તે જુદો જ છે. જેમ જગતમાં
છ દ્રવ્યો છે તે બધા પૃથક્ – પૃથક્ છે, તેમ ધર્મીને જ્ઞાન અને રાગ પણ પૃથક્ – પૃથક્
વર્તે છે. તેમાં જ્ઞાનના કર્તાપણે ધર્મી વર્તે છે. રાગ તેના જ્ઞાનપણે વર્તતો નથી પણ
જ્ઞાનથી જુદો જ વર્તે છે. અજ્ઞાની તો જ્ઞાન ને રાગ બધું એકમેક અનુભવે છે, રાગથી
જુદા જ્ઞાનની તેને ખબર નથી, જ્ઞાનના સ્વાદને તે જાણતો નથી, તેથી અજ્ઞાનમાં તેને
વિકલ્પનું કર્તાકર્મપણું કદી છૂટતું નથી. ને જ્ઞાનીને જ્ઞાનભાવમાં વિકલ્પનું કર્તાકર્મપણું
કદી થતું નથી. અહો, સમ્યગ્દ્રર્શન એટલે તો આત્મા, સમ્યગ્દર્શન એટલે તો સમયસાર, –
તેમાં રાગનું કર્તૃત્વ કેમ હોય? ચોથા ગુણસ્થાને જે રાગ છે તે રાગનું કર્તૃત્વ સમકિતીની
જ્ઞાનપર્યાયમાં નથી; ચોથા ગુણસ્થાને પણ ધર્મીજીવ પોતાના જ્ઞાનભાવને જ કરે છે. છ
દ્રવ્યો જેમ જુદાં છે તેમ જ્ઞાન અને રાગ જુદાં છે. રાગ રાગના ઘરે રહ્યો, સમકિતીની
જ્ઞાન–આનંદપર્યાયમાં તે નથી. સમયસારની તો રચના જ કોઈ અલૌકિક છે, તેમાં બધુંય
આવી જાય છે.
અહો, આ સમયસારમાં તો આત્માના અનુભવના રહસ્યો ખોલ્યાં છે. સમયસાર
એટલે તો અજોડ જગતચક્ષુ! સમયસાર તે તો કેવળીપ્રભુનાં કહેણ છે.
અહા, ચૈતન્યના વીતરાગી આનંદના અનુભવનું કાર્ય કરનાર ધર્મી જીવ રાગનાં
કાર્ય કેમ કરે? નિજાત્મસ્વરૂપ જે ભગવાન છે, તેના પરમ મહિમાને અનુભવતો

PDF/HTML Page 8 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : પ :
જીવ રાગથી જુદો જ છે. ધર્મીના દ્રવ્ય – ગુણ – પર્યાય ત્રણે ચૈતન્યમય છે, તેમાં ક્્યાંય
વ્યવહારના વિકલ્પો કે રાગ નથી. સ્વભાવનો આશ્રય કરીને ધર્મી જ્ઞાન–આનંદરૂપે
પરિણમ્યો તેમાં કોઈ રાગની – વિકલ્પની અપેક્ષા નથી. બીજા કોઈ કારકની અપેક્ષા
રાખ્યા વગર ધર્મી પોતાના સ્વાધીન ષટ્કારથી જ્ઞાન–આનંદરૂપે પરિણમે છે. અહો,
આવું નિરપેક્ષપણું વસ્તુસ્વરૂપમાં છે.
ભગવાન! તારી બલિહારી છે. આવા આત્માની વાત વિદેહમાંથી કુંદકુંદાચાર્ય દેવ
લાવ્યા.... ને ભરતક્ષેત્રના ભવ્ય જીવોને આ સમયસાર દ્વારા આપી. સમયસારમાં કેવળ
પ્રભુની વાણી છે, તેની એકેક ગાથામાં જ્ઞાનનો મોટો દરિયો ભર્યો છે.
જ્ઞાન સ્વસન્મુખ થઈને રાગથી ભિન્નપણે વર્ત્યું, તે જ જ્ઞાનીનું કામ છે. વિકલ્પ કે
શાસ્ત્રની શબ્દ રચના – તે જ્ઞાનીનું કામ નથી. જ્ઞાનમાં રાગનું કાર્ય હોય નહીં. જ્ઞાનમાં
રાગનું કાર્ય છે જ નહીં તો તે રાગ જ્ઞાનનું કારણકેમ થાય? જ્ઞાનનું કારણ–કાર્ય જ્ઞાનરૂપ
જ હોય. એકલા જ્ઞાન–દર્શન–આનંદરૂપ નિર્મળભાવ તે જ ધર્મીનું કાર્ય છે; બીજું તેનું
કાર્ય નથી. અને અજ્ઞાનીને વિકલ્પનું કાર્ય છે, બીજું કોઈ કાર્ય તેને નથી. વિકલ્પને જેણે
પોતાનું કાર્ય માન્યું, વિકલ્પને જ્ઞાનનું સાધન માન્યું, વિકલ્પવાળો આત્મા છે એમ જે
અનુભવે છે – તે જીવને રાગનું કર્તાકર્મપણું ક્્યાંથી છૂટે? રાગ સહિત જ તે પોતાને
અનુભવે છે, ને રાગથી ભિન્ન ચેતનસ્વભાવને જે અનુભવતો નથી તેને કદી રાગાદિનું
કર્તાપણું છૂટતું નથી એટલે સંસારભ્રમણ છૂટતું નથી, કેમકે આત્માને રાગાદિસ્વરૂપ
માનવો તે જ સંસારનું બીજ છે. ધર્મીને રાગાદિથી ભિન્ન જ્ઞાનના અનુભવવડે સંસારનું
બીજ છેદાઈ ગયું છે. રાગ તો દશમાં ગુણસ્થાન સુધી હોય છે પણ ધર્મીનું જ્ઞાન તે
રાગસહિત નથી; રાગથી જાદા જ જ્ઞાનસ્વરૂપપણે ધર્મી પોતાને અનુભવે છે. આવો
અનુભવ તે જ સમ્યગ્દ્રર્શનને સમ્યજ્ઞાન છે, તે ધર્મીનું કાર્ય છે.
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થતાં ધર્મીને નિર્મળપર્યાય થઈ, તે નિર્મળપર્યાયને, અને
તે કાળના રાગાદિને ધર્મી જાણે છે, – પણ ત્યાં તે નિર્મળજ્ઞાનભાવ અને રાગભાવ એ
બંને બે–પણે વર્તે છે એટલે જુદાપણે વર્તે છે, એટલે તેમને કર્તાકર્મપણું નથી. આ રીતે
ધર્મીનું જ્ઞાન વિકલ્પસહિત નથી, વિકલ્પનું કર્તા નથી, જ્ઞાનસત્તા વિકલ્પથી જુદી છે.
રાગ કાળે રાગવાળો જ આત્મા જેને ભાસે છે ને રાગથી જુદું જ્ઞાનસ્વરૂપ

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
જેને ભાસતું નથી તે જીવ વિકલ્પસહિત છે, તે જ વિકલ્પનો કર્તા છે. વિકલ્પ તો દોષ છે,
દોષવાળો પોતાને અનુભવવો તે સંસારનું મૂળ છે. દોષથી ભિન્ન, રાગથી ભિન્ન
જ્ઞાનસ્વરૂપે આત્માને અનુભવવો તે મોક્ષનું મૂળ છે. ભગવાનપણું અંદર ભર્યું છે તેમાંથી
તે પ્રગટે છે. રાગમાંથી ભગવાનપણું નથી આવતું.
જે કરે છે તે કેવળ કરે જ છે, એટલે કે જે રાગાદિને અજ્ઞાનભાવે કરે છે તે તો
રાગાદિને કરે જ છે, તેને રાગથી ભિન્ન જ્ઞાનભાવનું પરિણમન નથી. અને જે જાણે છે,
એટલે કે જાણવારૂપ પરિણમે છે તે કેવળ જ્ઞાનભાવને જ કરે છે, તે રાગને કરતો નથી.
આ રીતે રાગક્રિયાને અને જ્ઞાનક્રિયાને અત્યંત જુદાઈ છે.
અહો, આત્માનો પોતાનો જાણકસ્વભાવ છે, તેમાં રાગને કરવાનો સ્વભાવ
નથી. છતાં રાગમાં એકતા માનીને તેનો જે કર્તા થાય છે તે જ્ઞાનસ્વભાવને જાણતો
નથી. અરે, જ્ઞાનસ્વભાવી પદાર્થ રાગને કેમ કરે? જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈને
આનંદરૂપે જે પરિણમ્યો તેની જ્ઞાન–આનંદમય પરિણતિમાં રાગનું કર્તૃત્વ રહેતું નથી.
અનંતકાળે નહિ કરેલ એવું સમ્યગ્દ્રર્શન જેણે કર્યું છે – તેની આવી દશા હોય છે – તે
જાણે છે એટલે જ્ઞાનભાવરૂપે જ પોતાને વેદે છે, તે વિકલ્પરૂપે પોતાને અનુભવતો નથી.
મારું હોવાપણું તો જ્ઞાનસત્તારૂપ છે એમ ધર્મી અનુભવે છે. બાપુ! ભવરોગને
મટાડવાની દવા તો આ છે. રાગના કર્તાપણારૂપ રોગ છે તે આત્માના અનુભવવડે મટે
છે. સમ્યગ્દ્રર્શનમાં ધર્મીને અખંડ આત્માનું ભાન થતાં જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો તે કર્તા
છે, પણ તે કાળે રાગાદિ હોય તે ખરેખર ધર્મીનું કાર્ય નથી. તેથી કહે છે કે
કરે કરમ સોહી કરતારા,
જો જાને સો જાનનહારા.
જાને સો કરતા નહીં હોઈ,
કરતા સો જાને નહીં કોઈ,
ચૈતન્યના આનંદના વેદન પાસે ધર્મીને વિકલ્પમાં આકુળતા દેખાય છે, અહા,
ચૈતન્યની શાંતિનું જ્યાં વેદન થયું ત્યાં રાગાદિને તે શાંતિ સાથે મેળવતાં ધર્મીને તે
રાગાદિમાં આકુળતા જ ભાસે છે, તેથી ધર્મી તેનો કર્તા થતો નથી. રાગનો કર્તા થાય તે
ચૈતન્યની શાંતિને જાણી શકે નહીં. ચૈતન્યનો વીતરાગ અકષાય શાંતરસ જેણે ચાખ્યો
નથી તેને શુભરાગમાં શાંતિ લાગે છે. પણ ધર્મી તો ચૈતન્યની શાંતિ પાસે શુભરાગનેય
દુઃખ અને આકુળતા જ જાણે છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
જેટલો વીતરાગ – અકષાય – શાંતરસ તેટલો આત્મા; આવો વસ્તુનો સ્વભાવ
છે, ને આ જ જૈનધર્મ છે. જૈનધર્મ એ કાંઈ વાડો કે કૂળ નથી, એ તો વસ્તુનો સ્વભાવ
છે. શાંત – ચૈતન્યસ્વભાવ આત્મા છે તેના આશ્રયે જે અકષાય – વીતરાગદશા પ્રગટી
તેનું નામ જૈનધર્મ, ને તે મોક્ષનો માર્ગ. આ આત્મા, અને આ રાગ એમ બંનેનું જ્ઞાન
ધર્મીને વર્તે છે; બે ભાવ જુદા છે તેને બે–પણે જાણે તો જ સાચું જ્ઞાન છે. જે રાગ અને
જ્ઞાનને ભિન્ન જાણે તે રાગનો કર્તા થાય નહીં. અને જે રાગનો કર્તા થઈને રોકાણો છે
તે જીવ જ્ઞાન અને રાગની ભિન્નતાને જાણતો નથી. રાગથી જુદો ચૈતન્યભાવ ધર્મીને
દ્રષ્ટિમાં તરવરે છે; ત્યાં રાગના વેદનને તે ચૈતન્યથી જુદું જાણે છે; એટલે પોતે
ચૈતન્યસ્વભાવપણે જ રહેતો થકો રાગાદિ ભાવોનો જાણનાર જ રહે છે – પણ કર્તા થતો
નથી. માટે જે જ્ઞાતા છે તે કર્તા નથી.
અહો, જ્ઞાનીના મારગડા જગતથી જુદા છે. એનાં માપ બહારથી આવે તેવા
નથી. વિકલ્પવાળો જીવ ધર્મીની અંતરની નિર્વિકલ્પ ચૈતન્યપ્રતીતનું માપ કરી શકે તેમ
નથી. ધર્મીએ સ્વસંવેદન વડે ચૈતન્યના નિધાન ખોલીને જે જ્ઞાનપર્યાય પ્રગટ કરી, તે
જ્ઞાન રાગાદિને પણ જાણે જ છે – પણ રાગરૂપે થઈને તેને કરતું નથી. રાગને જાણતાં
જ્ઞાન તો જ્ઞાનરૂપે જ રહે છે, ને પોતે જ્ઞાનરૂપે જે પોતાને અનુભવે છે. આનું નામ
ધર્માત્માની ‘જ્ઞપ્તિક્રિયા’ છે. – તે ધર્મ છે.
જ્ઞાનમાં રાગનો કણ સમાય નહીં, ત્યાં બહારનાં બીજા કામની શી વાત? સ્વમાં
પરની નાસ્તિ છે, તેમ જ્ઞાનમાં રાગની નાસ્તિ છે, જીવનો ચેતનસ્વભાવ; રાગનો કણ
પણ જીવનો નથી. – અંદર ભગવાનના દરવાજામાં પેસવાનો આ માર્ગ છે. અહો, આવો
સુંદર અંદરનો માર્ગ! તેની કોઈ પશુ જેવા અજ્ઞાની જનો નિંદા કરે તોપણ હે જીવ! તે
સાંભળીને તું ખેદખિન્ન થઈશ મા... ને આવા સુંદર માર્ગને છોડીશ નહીં. તું તારા
અંતરમાં આવા માર્ગને સાધી લેજે. અરે, રાગનો જ અનુભવ કરનારા, રાગને જ
ખાનારા પશુ જેવા જીવો આવા વીતરાગમાર્ગને ક્્યાંથી જાણે? એટલે એવા જીવો નિંદા
કરે તોપણ તું આવા અપૂર્વ માર્ગને ભક્તિથી આદરજે. અંદર ચૈતન્ય પરમેશ્વર બિરાજે
છે; દરેક આત્મા પરમેશ્વરસ્વરૂપ છે; પણ તેનું ભાન નથી, અભ્યાસ નથી એટલે રાગના
કર્તૃત્વમાં રોકાઈ ગયા છે. ધર્મી તો જ્ઞાનસ્વભાવને અનુભવતો થકો કેવળ જાણનાર છે.
સમ્યગદ્રષ્ટિની પદવી કોઈ અલૌકિક છે, તેની કિંમતની જગતને ખબર નથી. અને
સમ્યગ્દ્રર્શન પછી ચારિત્રદશાના મહિમાની તો શી વાત? ચારિત્ર

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
વંતમુનિ તો પરમેશ્વર છે – પંચપરમેષ્ઠીપદમાં તે ભળ્‌યા છે. णमो लोए सव्व
त्रिकालवर्ती साहूणं એમ ધવલમાં ‘ત્રિકાળવર્તી સર્વે સાધુઓને નમસ્કાર કર્યાં છે. શું
એકલા રાગવાળા સાધુને વંદન કરે છે? ના; અંદર જે રાગથી ભિન્ન વીતરાગી
ચેતનપર્યાય પ્રગટી છે તેને નમન કરીને તેનો આદર કર્યો છે. પાંચે પરમેષ્ઠીમાં
વીતરાગ–વિજ્ઞાનને નમસ્કાર કર્યાં છે. કેવળી ભગવાન જાણનાર છે, તે સમકિતીનો
આત્મા પણ જાણનાર જ છે; તેને રાગ છે પણ તે જ્ઞાનથી જુદાપણે છે. આવા
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે અરિહંતનો માર્ગ છે.
રાગ તો અંધ છે, તે કાંઈ સ્વ–પરને દેખતો નથી. જ્ઞાન જ ચેતતું – જાગતું છે તે
સ્વ–પરને જાણે છે. જાણવારૂપ જ્ઞાનમાં રાગનું કર્તૃત્વ નથી. જમ કેવળીપ્રભુના કેવળ
જ્ઞાનમાં રાગનું કર્તૃત્વ નથી. તેમ સમકિતીના જ્ઞાનમાં પણ રાગનું કર્તૃત્વ નથી. જેમ
કેવળીપ્રભુને જગતનો રાગ પરજ્ઞેયપણે છે, તેમ ધર્મીને જે રાગ છે તે પણ જ્ઞાનથી
ભિન્ન પરજ્ઞેયપણે જ છે, તે જ્ઞાનમાં તન્મયપણે નથી. જ્ઞાનનું તો ક્રોધાદિનું પરિણમન
અત્યંત જુદું છે. જ્ઞાનપરિણમનમાં ક્રોધ નથી, ને ક્રોધપરિણમનમાં જ્ઞાન નથી; બંને તદ્ન
જુદા છે.
અરે જીવ! તારામાં ભગવાનપણું છે; જ્ઞાનલક્ષ્મીવાળો ભગવાન તું પોતે છો.
‘ભગવાન’ કહેતા તું સંકોચ પામીશ નહીં. સમકિતી પોતાના આત્માને ચૈતન્ય
ભગવાનપણે અનુભવે છે. રાગ છે તેને જાણે છે – પણ જ્ઞાનથી ભિન્નપણે જાણે છે. માટે
જાણનાર તે રાગનો કર્તા નથી.
અહો, સમયસાર તો સમયસાર છે. આ અસાર સંસારમાં ‘સમયસાર’ એક જ
સાર છે. સમયસાર એટલે એકલા શબ્દો નહિ પણ તેના વાચ્યરૂપ શુદ્ધઆત્મા તે
સમયસાર છે. રાગથી ભિન્ન જ્ઞાનભાવરૂપે પરિણમેલો આત્મા તે પોતે સમયસાર છે, તે
દ્રવ્યકર્મ – ભાવકર્મ – નોકર્મથી રહિત છે. દ્રવ્યકર્મ ભાવકર્મ–નોકર્મ ત્રણેય જ્ઞાનથી બહાર
છે. સ્વાનુભૂતિ વડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરનાર જીવ પોતે સમયસાર
છે.
जय कुंदकुंददेव... जय समयसार... जय गुरुदेव!

PDF/HTML Page 12 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
ચૈતન્યભાવને વિકલ્પ સાથે કર્તાકર્મપણું નથી
ધર્માત્મા સમસ્ત રાગ–વિકલ્પોથી ભિન્ન એવા
ચૈતન્યભાવરૂપ થઈને પોતાને ચૈતન્યભાવરૂપે જ અનુભવે છે.
રાગથી ભિન્ન એવા તે ચૈતન્યભાવને રાગાદિ સાથે કાંઈ સંબંધ
રહ્યો નથી. જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નાતાના આવા
ભાનપૂર્વક ધર્મીજીવ પોતામાં અપાર સમયસારને અનુભવે છે –
તેનું આનંદકારી વર્ણન છે.... અનુભૂતિનાં ગંભીર રહસ્યોને તે
પ્રસિદ્ધ કરે છે.
આ સમ્યગ્દ્રર્શનનો અધિકાર છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માને કેવો અનુભવે છે તે
અહીં બતાવે છે. ૧૪૪ મી ગાથા પહેલાંંનો કળશ ૯૨ મો વંચાય છે.
આત્મા ચિત્સ્વભાવ છે; તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે ચિત્સ્વભાવથી જ થાય છે.
ચિત્સ્વભાવવડે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવ કરાય છે, એટલે ચૈતન્યના ઉત્પાદમાં – વ્યયમાં કે
ધ્રુવમાં ક્્યાંય પરદ્રવ્ય કે વિકલ્પ નથી, પર વડે કે વિકલ્પ વડે કાંઈ ચૈતન્યના ઉત્પાદ
વ્યય– ધ્રુવ કરાતા નથી; ચૈતન્યભાવના ઉત્પાદ– વ્યય– ધ્રુવને રાગાદિ સાથે કર્તા –
કર્મનો સંબંધ નથી; એટલે ધર્મીજીવ કર્તા થઈે પોતાના ચૈતન્યના ઉત્પાદ – વ્યય – ધ્રુવને
કરે છે પણ રાગાદિને તે કરતો નથી.
ભાઈ, ચૈતન્યભાવથી ભરેલો ભગવાન તું છો; તેની દ્રષ્ટિ કર. બાકી બીજા
બધાને ભૂલી જા. શરીર–મકાન વગેરેને તો તું કરતો નથી, રાગાદિને પણ કરવાનું તારા
ચૈતન્ય ભાવમાં નથી. ચ્ૈતન્યસ્વભાવને અનુભવનાર ધર્મીજીવને ‘હું શુદ્ધ છું’ એવા
વિકલ્પનોય પક્ષ નથી એટલે તેનું કર્તાપણું નથી. મારી ચૈતન્યવસ્તુ પુણ્ય – પાપ
વિનાની ચીજ છે, એવા ચૈતન્યસ્વભાવપણે પોતાને લક્ષમાં લીધો ત્યાં ઉત્પાદ–વ્યય –
ધ્રુવ ત્રણે ચૈતન્યરૂપ થયા, રાગ – વિકલ્પ તેમાં ન આવ્યા. જે પર્યાયે ચૈતન્યસ્વભાવનો
નિર્ણય કર્યો તે પર્યાય પણ ચૈતન્યરૂપ થઈ, ને રાગથી જુદી થઈ ગઈ.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
પર્યાય જ્યારે અંતર્મુખ થઈ ત્યારે તેને દ્રવ્ય – પર્યાય બંનેનો અનુભવ એકસાથે
થાય છે – એમ કહ્યું. પર્યાય અંતર્મુખ થઈ ત્યાં ધ્રુવસ્વભાવનું પણ ભાન થયું. પર્યાય
અંતરમાં વળ્‌યા વગર ધ્રુવસ્વભાવને જ્ઞેય કર્યો કોણે? પર્યાય અંતર્મુખ થઈ ત્યારે મારા
ઉત્પાદ– વ્યય– ધ્રુવ ત્રણેમાં મારો ચૈતન્યસ્વભાવ વ્યાપે છે એમ ભાન થયું; એણે
સ્વઘરને જોયું. આ દ્રવ્ય ને આ પર્યાય એવા ભેદ કે વિકલ્પ અનુભૂતિમાં નથી. આવી
અભેદ નિર્વિકલ્પ અનુભૂતિસહિત સમ્યગ્દ્રર્શન થાય છે.
અહો, આચાર્યભગવંતો તો હાલતા–ચાલતા સિદ્ધ જેવા હતા; તેમની વાણીમાં
અમૃત ભર્યું છે; તેમણે અનુભવનું અલૌકિક વર્ણન કર્યું છે. ભાઈ, અત્યારે આ
સમજવાનો અવસર છે. આ તારી વસ્તુને નહીં સમજ તો જન્મ–મરણના ક્્યાં આરા
આવશે? તારા ચૈતન્યના ઉત્પાદ–વ્યય ધ્રુવ તો તારા ચૈતન્યભાવવડે કરાય કે રાગવડે
કરાય? ભાઈ, આ સમજવા માટે બહારની પૈસા – શરીર વગેરેની ક્યાં જરૂર છે? પૈસા
હોય, શરીર નીરોગ હોય તો જ આ સમજાય એવું કાંઈ નથી. પોતાની પર્યાય અંતરમાં
લઈ જતાં, પોતાના ચૈતન્યભાવવડે જ આત્મા સમજાય છે. ઉત્પાદ– વ્યય – ધ્રુવ ત્રણેરૂપ
એક વસ્તુ છે, ઉત્પાદ– વ્યય જુદા ને ધ્રુવ જુદી વસ્તુ – એમ અહીં નથી કહેવું; ઉત્પાદ–
વ્યય – ધ્રુવ ત્રણેથી ભાવિત ચૈતન્યવસ્તુ એક છે. પર્યાય ધ્રુવમાં લીન થયેલી છે. આવા
સ્વઘરમાં આવ્યા વગર જીવને શાંતિ નહિ આવે. પરઘરમાં શાંતિ માની છે, પણ તેમાં
એકલું દુઃખ છે. તેમાં દુઃખ અને અશાંતિ લાગે તો સ્વઘર તરફ વળે ચૈતન્યની વીતરાગી
શાંતિને વેદે તો તે શાંતિ પાસે તેને પુણ્ય – પાપ અગ્નિીની ભઠ્ઠી જેવા લાગે. ચૈતન્યની
શાંતિના વેદન વગર શુભરાગની અશાંતિનો ખરો ખ્યાલ ન આવે.
કેવળીભગવાન ચૈતન્યસ્વભાવપણે રહીને પોતાના ઉત્પાદ– વ્યય––ધ્રુવને કરે છે;
તેમ સાધકધર્મી પણ ચૈતન્યભાવપણે જ પોતાના ઉત્પાદ – વ્યય – ધ્રુવને કરે છે.
રાગાદિભાવોથી ચૈતન્યભાવ જુદો જ છે, તે રાગ સાથે ધર્મીના ચૈતન્યભાવને
કર્તાકર્મપણું નથી. એક શુદ્ધનયના વિકલ્પનુંય કર્તાપણું જ્ઞાનમાં જેને રહે તે તેણે
શુદ્ધાત્મારૂપ સમયસારને અનુભવ્યો નથી. શુદ્ધઆત્મા નયોના વિકલ્પોથી પાર, તેમાં
વિકલ્પનું કર્તાકર્મપણું કેવું?
‘ચૈતન્યસ્વભાવ હું છું” એમ સ્વસન્મુખ થઈને પર્યાય નકકી કરે છે. પર્યાય
સ્વસન્મુખ થયા વગર સ્વભાવનો નિર્ણય કર્યો કોણે? અહો, ચૈતન્યસ્વભાવ અપાર છે–
જેના ગુણોનો પાર નથી, જેના મહિમાનો પાર નથી, – આવો ‘સમયસાર’ હું છું એમ
ધર્મી અનુભવે છે. સમસ્ત બંધપદ્ધત્તિને છોડીને હું આત્માને અનુભવું છું, – એટલે

PDF/HTML Page 14 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
પર્યાયે જ્યાં અંતર્મુખ થઈને શુદ્ધઆત્માને અનુભવ્યો ત્યાં તેમાં બંધપદ્ધત્તિ (શુભા શુભ
વિકલ્પો) રહેતા જ નથી; જ્ઞાન તેનાથી જુદું પડી ગયું એટલે તેણે બંધપદ્ધત્તિને છોડી
દીધી એમ કહેવાય છે.
ઉત્પાદ–વ્યય ને ધ્રુવ ત્રણ ભેદ અનુભવમાં રહેતા નથી; ત્રણરૂપ એક ચૈતન્યવસ્તુ
છે, તેના અનુભવમાં વિકલ્પની જાળ ઉત્પન્ન થતી નથી. અપાર એવા સમયસારને
સ્વસંવેદનમાં સાક્ષાત્ કરીને ધર્મી કહે છે કે અમે અમારા અપાર ચૈતન્યતત્ત્વને બંધ
ભાવોથી જુદું જ અનુભવીએ છીએ તે અનુભવમાં ‘ધ્રુવ છું – એક છું’ એવા પણ વિકલ્પ
રહેતા નથી. શુદ્ધાત્માને હું વિકલ્પવડે નથી અનુભવતો, પણ ચૈતન્યભાવ વડે જ
અનુભવું છે.
નિર્વિકલ્પ અનુભવ થતાં, કેવળજ્ઞાનાદિ અપાર ગુણવાળા સમયસારરૂપી
પરમાત્માનો અનુભવ જ વર્તે છે; તેમાં પર્યાય પણ ભેગી જ છે. પણ આ પર્યાય છે ને હું
અનુભવ કરું છું એવા કોઈ ભેદ–વિકલ્પ ત્યાં રહેતા નથી. ‘આ દ્રવ્ય, આ પર્યાય’ એવા
ભેદના વિકલ્પ અનુભવમાં રહેતાં નથી. વિકલ્પમાં તો આકુળતા છે; અનુભવમાં
નિર્વિકલ્પ આનંદનું વેદન છે. જુઓ, આ સમયગ્દ્રર્શન થવાની દશાનું વર્ણન છે. મુનિપણું
વગેરે તો સમ્યગ્દ્રર્શનપૂર્વકની ઘણી ઊંચી વીતરાગદશા છે; પણ સમ્યગ્દ્રર્શનના
અનુભવની દશા પણ અલૌકિક છે.
આવું સમ્યગ્દ્રર્શન કેમ થાય તેની અપૂર્વ વાત આ ૧૪૪ મી ગાથામાં આચાર્યદેવે
સમજાવી છે. જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત થતો નથી એટલે જેની
અનુભૂતિમાં સમસ્ત વિકલ્પ – વ્યાપાર અટકી ગયો છે, એવી અનુભૂતિરૂપે પરિણમેલા
આત્માને ‘સમયસાર’ કહેવામાં આવે છે. જુઓ, શુદ્ધ પરિણતિરૂપે પરિણમેલા આત્માને
‘સમયસાર’ કહેવાય છે; તેને જ સમ્યગ્દ્રર્શન, સમ્યગ્જ્ઞાન, અનુભૂતિ વગેરે નામથી
કહેવાય છે. એકલા દ્રવ્યને સમયસાર ન કહ્યો, પણ શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા આત્માને
જ ‘સમયસાર’ કહ્યો છે.
વિકલ્પાતીત, જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ આત્મા
તે જ સમ્યગ્દ્રર્શન છે, તે જ સમયસાર છે
જ્ઞાનની અનુભૂતિરૂપ થયેલો આત્મા વિકલ્પોથી જુદો છે, તે સમયસાર છે. સ્વ–

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
ભાવથી તો સદા શુદ્ધ છે, પર્યાયમાં શુદ્ધ થઈને અનુભવ કર્યો ત્યારે તેને ‘સમયસાર’
કહ્યો. તે નયપક્ષના વિકલ્પવડે ખંડિત થતો નથી, કેમકે તે વિકલ્પથી જુદો જ છે,
વિકલ્પનો તેમાં પ્રવેશ જ નથી. આવા સમયસારને એકને જ સમ્યગ્દ્રર્શન વગેરે નામ
અપાય છે. તે અલૌકિક ચીજ છે, બીજા કોઈ વડે તેનું મૂલ્યાંકન થઈ શકે નહીં. સંયોગ
વડે કે શુભરાગ વડે સમ્યગ્દ્રર્શનની કિંમત ટાંકી શકાય નહીં.
સમ્યગ્દર્શન માટે પ્રથમ તો પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો; તે નિર્ણય
કોઈ વિકલ્પના અવલંબને નહિ પણ શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ થાય છે.
જ્ઞાનસ્વભાવ વિકલ્પથી પાર છે તેને નિર્ણયમાં લેતાં, મતિ – શ્રુતજ્ઞાન ઈન્દ્રિય – મનથી
છૂટીને અંતરમાં સ્વભાવસન્મુખ થઈને આત્માને અનુભવે છે, – સમ્યક્પણે દેખે છે અને
શ્રદ્ધે છે, તે જ સમ્યગ્દ્રર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આવા ભાવસ્વરૂપ થયેલા આત્માને
સમ્યગ્દ્રર્શન અને સમ્યગ્જ્ઞાન નામ મળે છે. તેણે જ્ઞાનની જાતરૂપ થઈને જ્ઞાનનો
અનુભવ કર્યો, આનંદના વેદન સહિત જ્ઞાનની અનુભૂતિ થઈ, તે જ સમ્યગ્દ્રર્શન ને
સમ્યગ્જ્ઞાન છે.
શુદ્ધ કે અશુદ્ધ, એક કે અનેક એવા નયોના વિકલ્પો તે તો દુઃખ છે, આકુળતા છે,
આત્માની અનુભૂતિ કરનાર જીવ અંતર્મુખ જ્ઞાનવડે તે સમસ્ત નયપક્ષોને ઓળંગી ગયો
છે. જેણે આવી અનુભૂતિ કરી તે જીવ સિદ્ધના પાટલે બેઠો, એને હવે આત્માના હિતનો
ધંધો કરતાં આવડશે, એટલે સમ્યગ્દ્રર્શન ઉપરાંત ચારિત્ર – વીતરાગતાને કેવળજ્ઞાનને તે
સાધશે. આ તો સંતોના અંતરની વાતું છે.
અહો! સમયસાર એટલે તો ભરતક્ષેત્રમાં કેવળજ્ઞાનનો દીવડો છે.... જેના
ભાવનું ભાસન આત્માની અનુભૂતિ આપે છે. આ સમયસાર તો આત્માના અનુભવને
પ્રકાશનારો અદ્વિતીય દીવડો છે. જગત માને – ન માને તેની સાથે ધર્મીને શું સંબંધ છે?
ફૂલ પોતે સ્વભાવથી સુગંધી છે, તે જંગલમાં હો કે ગામની વચ્ચે હો, કોઈ તેની સુગંધને
સૂંઘે ને ન સૂંઘે, તેની સાથે ફૂલને સંબંધ નથી, તે તો પોતાના સ્વભાવથી સુંગધપણે
ખીલે છે; સુગંધપણે ખીલવું એ તેનો સ્વભાવ જ છે, તેમ ધર્મી જીવ પોતાની શાંતિને
પોતામાં વેદે છે. બહારમાં પુણ્યના ઠાઠ હો કે ન હો, લોકો એને માને કે ન માને, તેની
સાથે ધર્મીની શાંતિનો સંબંધ નથી, તે તો પોતાના આત્માને માટે જ પોતાના
સ્વભાવથી શાંતભાવરૂપ પરિણામે છે, ને પોતે પોતાની શાંતિને વેદીને તૃપ્ત થાય છે.
બીજા માને તો જ અહીં શાંતિ થાય – એવું કાંઈ નથી.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
જીવે પોતાના હિતને માટે પ્રથમ શું કરવું? કે હું જ્ઞાનસ્વભાવ છું એમ નકકી
કરીને તેનો અનુભવ કરવો. સંતોએ શ્રુતમાં જેવો કહ્યો છે તેવો જ્ઞાનસ્વભાવ
શ્રુતજ્ઞાનના અવલંબનથી નકકી કરવો. પુણ્ય – પાપના વિકલ્પો હું નહીં, હું તો
જ્ઞાનસ્વભાવ છું – એમ પહેલેથી નકકી કરવું. ભાઈ! આ દેહનો ડોલો તો ડોલી રહ્યો છે
– ક્ષણમાં તે પડી જશે. તો તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવ આત્મા તું છો – એમ નકકી કર.
જ્ઞાનસ્વભાવના નિર્ણયની તાકાત વિકલ્પથી પાર છે
આહા! આવા સ્વરૂપને સાંભળીને તેનો નિર્ણય કરવાની ક્ષણ તે પણ કોઈ જુદી
જાતની છે. નિર્ણય કરવા ટાણે વિકલ્પ હોય પણ તે જ વખતે વિકલ્પને ઓળંગવાનું
નિર્ણયમાં લ્યે છે. આ વિકલ્પ રાખવા જેવો છે – એવો નિર્ણય નથી કર્યો, પણ આ
વિકલ્પ છોડવા જેવો છે, –એમ નિર્ણયમાં લીધું છે, એટલે વિકલ્પથી જુદું જ્ઞાન નિર્ણયમાં
લીધું છે. સંતોનો જે ઉપદેશ છે તે પણ જ્ઞાન અને વિકલ્પની ભિન્નતા બતાવીને વિકલ્પ
છોડાવવા માટે છે. પહેલેથી જ વિકલ્પથી જુદા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને ઉપડ્યો છે,
તે જીવ વિકલ્પને ઓળંગીને, જ્ઞાનને અંતર્મુખ કરીને સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ કરે છે.
સંતોનો અભિપ્રાય વિકલ્પ છોડવાનો છે, ને શ્રોતા પણ તેવો અભિપ્રાય સમજીને
સાંભળે છે, એટલે શ્રવણના કાળે પણ શ્રવણના વિકલ્પ ઉપર તેનું જોર નથી, પણ
‘વિકલ્પથી પાર ચૈતન્યતત્ત્વ સંતો કહે છે’ તે ધ્યેય ઉપર તેનું જોર જાય છે. આ રીતે
જ્ઞાન અને વિકલ્પની ભિન્નતાના લક્ષે ઉપડેલો જીવ વિકલ્પ તોડીને જ્ઞાનસ્વભાવનો
અનુભવ કરે છે.
અનુભવી સંતોની વાણી તે આગમ છે; તેમાં જ્ઞાનસ્વભાવ વિકલ્પથી ભિન્ન
બતાવ્યો છે. આવા શ્રુતના શ્રવણ વખતે વિકલ્પ છે, પણ તે વિકલ્પ રાખવા માટે નથી,
છોડવા માટે છે – એવો તેનો નિર્ણય છે; એટલે નિર્ણયમાં વિકલ્પના અવલંબનનો
અભિપ્રાય નથી પણ વિકલ્પ છોડીને જ્ઞાનસ્વભાવના અવલંબનનો જ અભિપ્રાય છે.
વિકલ્પ હતો તે કાંઈ નિર્વિકલ્પ અનુભવનું કારણ નથી; જ્ઞાનસ્વભાવનું અવલંબન
કરતાં આ વિકલ્પ તૂટી જશે – એમ તેણે લક્ષમાં લીધું છે. ‘જ્ઞાનસ્વભાવ છું’ એવો
નિર્ણય ક્યારે થાય? કે વિકલ્પ તે મારા સ્વભાવનું કાર્ય નથી – એમ નકકી કર્યું ત્યારે
જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
અહો, નિર્ણયમાં કેટલી તાકાત છે! વિકલ્પથી લાભ માને તે નિર્ણય સાચો નહિ.
‘જ્ઞાનસ્વભાવ’ જ ત્યારે નકકી થાય કે વિકલ્પથી જુદો પડે ત્યારે; કેમકે જ્ઞાનસ્વભાવમાં
વિકલ્પની તો નાસ્તિ જ છે. ભાઈ! આત્માના અનુભવની રમતું જુદી છે. – જેનો
નિર્ણય કરતાં આખી દુનિયાનો રસ ઊડી જાય; આખી દુનિયા ફરે તોય એનો નિર્ણય ન
ફરે. કેમકે તે નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનું જ અવલંબન છે, બીજા કોઈનું અવલંબન એમાં
નથી. ભાઈ! એકવાર હૈયું સરખું રાખીને આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. ‘જ્ઞાન
સ્વભાવ છું’ એમ નિર્ણય કરવા જાય ત્યાં રાગની – પુણ્યની – સંયોગની હોંશ રહે નહીં,
કેમકે તેનાથી જુદા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો છે, તે નિર્ણય કરવા માટે
અંતરસ્વભાવ તરફ જ્ઞાન ઢળે છે. વચ્ચે વિકલ્પ હોય છે પણ જ્ઞાનનો ઝુકાવ તે વિકલ્પ
તરફ નથી, જ્ઞાનનો ઝુકાવ જ્ઞાનસ્વભાવ તરફ જ છે; તે જ્ઞાન કાંઈ વિકલ્પને રચતું નથી,
જુદું રહે છે. (જ્ઞાનસ્વભાવના અપૂર્વ નિર્ણયની વાત સાંભળતા મુમુક્ષુઓ ડોલી ઊઠે છે
ને કહે છે કે અહો! (આત્માના અનુભવની એકદમ સરસ વાત છે!)
ભગવાન! તારા સ્વભાવના નિર્ણયની વાત પણ અપૂર્વ છે જ્ઞાનસ્વભાવનો
નિર્ણય કરનારને બીજા કોઈનો મહિમા રહેતો નથી, કે તેના વડે પોતાની મોટાઈ
ભાસતી નથી. અહો, આવો જ્ઞાનસ્વભાવ પ્રસિદ્ધ કરીને ‘આત્મખ્યાતિ’ માં આચાર્યદેવે
કમાલ કરી છે! ભાઈ, જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવા જઈશ ત્યાં વિકલ્પમાંથી તારી બુદ્ધિ
હટી જશે. આવો નિર્ણય કરે તે જ્ઞાનસ્વભાવ તરફ ઝુકીને નિર્વિકલ્પ અનુભવ કરે છે.
અહો, ચૈતન્યના અનંત કિરણોનો પ્રકાશ અનુભવમાં ઝળકી ઊઠે છે.... અનંત ગુણનાં
કિરણો એક સાથે ફૂટે છે. જે અનુભૂતિમાં ભગવાન પ્રગટ્યા તેની શી વાત! બાપુ, તારી
અનુભૂતિમાં તારો ચૈતન્ય ભગવાન ન આવે ને એકલી પામરતારૂપે જ તું તને દેખ તો
તારો સાચો આત્મા તેં દેખ્યો નથી, ભગવાને કહેલા જ્ઞાનસ્વભાવને તેં નિર્ણયમાં પણ
લીધો નથી. અરે, એકવાર જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને તેનો નિર્ણય તો કર. નિર્ણયમાં
સાચું સ્વરૂપ આવ્યા વગર તું અનુભવ કોનો કરીશ? માટે કહ્યું કે પ્રથમ જ જ્ઞાનસ્વભાવ
આત્માનો નિર્ણય કરવો.
આ વાત કોઈ સાધારણ નથી; આ તો અંતરના સ્વભાવને અનુભવમાં
લઈને પર્યાયમાં પ્રસિદ્ધ કરવાની અપૂર્વ વાત છે. મોક્ષલક્ષ્મીને માટે આ
કેવળીપ્રભુનાં કહેણ છે. સ્વભાવના ગંભીરભાવો આમાં ભર્યા છે. જે લક્ષમાં લેતાં
રાગ વગરની અનુભૂતિમાં આત્માનો સાક્ષાત્કાર થાય, પરમેશ્વર આત્મા પોતાની
પર્યાયમાં પ્રસિદ્ધ થાય – એવો સ્વભાવ બતાવ્યો છે. આ ટીકાનું

PDF/HTML Page 18 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૫ :
નામ પણ ‘आत्मख्याति’ છે; આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ, આત્માની
અનુભૂતિ કેમ થાય તે આચાર્યભગવાને આમાં બતાવ્યું છે.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યાં પછી સાક્ષાત્ અનુભવ કેમ થાય એટલે સમ્યગ્દર્શન
કેમ થાય? તે અદ્ભુત શૈલીથી સમજાવ્યું છે. નિર્ણય કરનાર જીવ પોતાના મતિ
શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરે છે. વિકલ્પ તો પરસન્મુખ છે; તે કાંઈ આત્મસન્મુખ થઈ
શકતો નથી; વિકલ્પથી છૂટું પડીને અતીન્દ્રિય થયેલું જ્ઞાન જ આત્મસન્મુખ થાય છે, ને
તે જ્ઞાન નિર્વિકલ્પ વિજ્ઞાનઘન વિજ્ઞાનઘન આત્માને સાક્ષાત્ અનુભવે છે. – આવી
અનુભૂતિ તે જ સમ્યગ્દ્રર્શનને સમ્યગ્જ્ઞાન છે, તે જ અતીન્દ્રિય આનંદ છે; તેમાં એક સાથે
અનંત ગુણની નિર્મળતાની અનુભૂતિ છે; તેથી જે કાંઈ કહો તે બધું આ એક
અનુભૂતિમાં જ સમાય છે.... આવી અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તે જ સમયસાર
છે... . તે જ સમયનો સાર છે.
[વીર સં. ૨૪૯૮ ના આત્મધર્મના ગ્રાહકોને અપાયેલું ભેટપુસ્તક]
સૌને ગમી જાય, ને સ્વાધ્યાય કરતાં શાંતિ આપે એવું, ૩૬૮ પાનાનું
આ સચિત્ર પુસ્તક દરેક જિજ્ઞાસુએ વાંચવા યોગ્ય છે. કિંમત રૂા. ૩.૨પ
(પોસ્ટથી મંગાવનારે ચાર રૂપિયા મોકલવા,)
રત્નસંગ્રહણ (એકસો આધ્યાત્મિક રત્નોનો સંગ્રહ) જેણે વાંચ્યું તેને
ગમ્યું: ભાગ ૧–૨, દરેકની કિંમત ૦–૮૦ (પોસ્ટથી એક રૂપિયો) દર્શન
કથા – ૦–૭૦ અકલંક – નિકલંક (નાટક) ૦–૮૦
‘આત્મભાવના’ ભેટ પુસ્તક ગયા વર્ષના ગ્રાહકોને અપાયેલ તે વર્ષ
પૂરું થઈ ગયું છે. છતાં જેમણે હજી સુધી ભેટપુસ્તક ન મેળવ્યું હોય તેમણે તા.
૩૧ જાન્યુઆરી સુધીમાં મેળવી લેવા વિનંતી છે. કદાચ આપનું કુપન ગુમ
થયું હોય તોપણ આપનું નામ એડ્રેસ ને ૭૦ પૈસાની ટિકિટ મોકલવાથી
પુસ્તક મોકલવામાં આવશે. તા. ૩૧ જાન્યુઆરી પછી તે પુસ્તક આપવાનું
બંધ થશે.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
ચૈતન્યરત્નના કણિયા
* વસ્તુમાં કારણસ્વભાવ સદાય વિદ્યમાન હોવા છતાં, કાર્યરૂપ થયેલો આત્મા જ
તેને સ્વીકારે છે કે ‘મારા કાર્યનું કારણ આ મારો કારણપરમાત્મા છે. ’ – બીજું
કોઈ મારું કારણ નથી.
* જેમ જ્ઞાયકપણું ઉપાસ્યું ત્યારે જ તે જ્ઞાયકને શુદ્ધ કહ્યો; તેમ કારણ સ્વભાવને
કારણપણે ઉપાસીને પર્યાયમાં શુદ્ધકાર્ય થયું ત્યારે જ તે ‘કારણ’ ને કારણ કહ્યું.
કાર્ય વગર ‘કારણ’ કોનું? ‘આ મારું કારણ ’ – એવો સ્વીકાર કાર્ય વગર કોણ
કરશે? આ રીતે કારણ – કાર્યની સંધિ છે.
* ધ્રુવ તે ધ્રુવ છે – પણ ઉત્પાદપરિણિત ધ્રુવમાં તન્મય થઈ ને પરિણમી ત્યારે ‘આ
ધ્રુવ હું છું’ એમ અનુભવ્યું. પર સામે જોઈને ‘આ ધ્રુવ હું છું’ એમ પ્રતીત થાય
નહીં, ધ્રુવ સાથે પર્યાય એકાકાર થઈને જ તેની પ્રતીત થાય છે.
કાયાકલ્પ – મલિનદેહને પૂજ્ય બનાવવાની રીત
* સાત ધાતુથી બનેલા ને મળમૂત્રથી ભરેલા એવા અપવિત્ર દેહને પણ, હે ભવ્ય!
શુદ્ધચિદ્રૂપના ચિંતનવડે તું બીજાઓ વડે પૂજ્ય બનાવ.
મોહીજીવો ‘કાયાકલપ’ વડે શરીરને સારૂં રાખવા મથે છે, પણ શરીર
એના અપવિત્રસ્વભાવને કદી છોડવાનું નથી; તેને પૂજ્ય બનાવવાનો ઉપાય
એક જ છે કે શુદ્ધચિદ્રૂપનું ચિંતન કરવું શુદ્ધ ચૈતન્યનું ચિંતન કરનાર પુરુષનો દેહ
પણ અન્ય લોકો વડે પૂજાય છે. (તત્ત્વજ્ઞાનતરંગિણી – ૨–૨પ)
બે ભાવ જુદા.... બંનેના કાર્ય જુદા
* પ્રશ્ન :– સમકિતી લડાઈ કરે છે?
ઉત્તર :– સમકિતીને સમ્યક્ત્વાદિભાવ અને ક્રોધાદિભાવ બંને જુદા છે; તેમાં જે
સમ્યક્ત્વનો ભાવ છે તે લડાઈ કરતો નથી; જે ક્રોધનો ભાવ છે તે
લડાઈમાં જોડાય છે. સમ્યક્ત્વભાવ તો તે ક્રોધ અને લડાઈ બંનેથી
જુદો જ છે.
બે જુદા ભાવોનું કાર્ય પણ જુદું છે, તે ઓળખવું જોઈએ. એકના કાર્યને બીજામાં
ભેળવવું ન જોઈએ. સમ્યક્ત્વના કાર્યને ક્રોધાદિમાં ન ભેળવવું, ક્રોધાદિભાવોને
સમ્યક્ત્વમાં ન ભેળવવા. પોતામાં પણ બંને ભાવોને જુદા ઓળખીને ભેદજ્ઞાન કરવું.

PDF/HTML Page 20 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તરી
(છહઢાળાની ત્રીજી ઢાળના પ્રવચનો ઉપરથી સંકલન: ગતાંકથી ચાલુ)
૨પ૨.


૨પ૩.


૨પ૪.



૨પપ.



૨પ૬.


૨પ૭.

૨પ૮.

૨પ૯.
જીવની ભૂલ ક્્યારે છૂટે?
પોતાની ભૂલને, તેમજ પોતાના
ગુણને જાણે ત્યારે.
જીવને સુખ – દુઃખનું કારણ કોણ?
પોતાના ગુણ – દોષ; બીજું કોઈ
નહીં, કર્મ પણ નહીં.
આત્માનો સ્વભાવ દુઃખનું કારણ
થાય?
ના; આત્માનો સ્વભાવ સુખનું જ
કારણ છે.
રાગ કે પુણ્ય કદી સુખનું કારણ
થાય?
ના; રાગ ને પુણ્ય તો સદાય દુઃખનું
જ કારણ છે.
આમ જાણનાર જીવ શું કરે છે?
પુણ્ય – પાપથી જુદો પડીને આત્મા
તરફ વળે છે.
પુણ્યથી ભવિષ્યમાં સુખ મળશે એ
સાચું? – ના.
અજ્ઞાનીઓ કોને આદરે છે?
પુણ્યને.
જ્ઞાની કોને આદરે છે?
પુણ્ય – પાપ વગરની જ્ઞાનચેતનાને,
૨૬૦.



૨૬૧.


૨૬૨.


૨૬૩.

૨૬૪.

૨૬પ.

૨૬૬.


૨૬૭.
આત્માને એકકોર મુકીને ધર્મ થઈ
શકે?
કદી ન થાય, આત્માને ઓળખીને જ
ધર્મ થાય.
સમ્યગ્દર્શનનાં નિમિત્ત કોણ છે?
સાચાં દેવ – ગુરુ – ધર્મ સમ્યક્ત્વનાં
નિમિત્ત છે.
ગુણ શું? પર્યાય શું?
દ્રવ્ય શું? ટકે તે ગુણ; પલટે તે
પર્યાય; ગુણ પર્યાયવંત દ્રવ્ય.
વીતરાગી દેવ કોણ? – અરિહંત અને
સિદ્ધ.
નિર્ગ્રથ ગુરુ કોણ? – આચાર્ય
ઉપાધ્યાય – સાધુ.
સાચો ધર્મ ક્યો? – સમ્યક્ત્વાદિ
વીતરાગભાવ.
ઇંડામાં જીવ છે?
હા; તે પંચેન્દ્રિય જીવ છે; તેનો
આહાર તે માંસાહાર જ છે.
વીતરાગમાર્ગમાં અહિંસા કોને કહે
છે?
રાગાદિ ભાવોથી રહિત શુદ્ધભાવ તે
અહિંસા છે