Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૮
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩પ૮
* આત્મલાભનો અવસર *
અરે જીવ! પરમાત્મા તારા અંતરમાં સદાય
નીકટ બિરાજે છે – તારાથી જરાય આઘા નથી.. તે
તું જ છો – એમ સંતો જોરથી તને સમજાવે છે.
પોતાના અંતરમાં દેખી લીધું – જાણી લીધું –
અનુભવમાં લીધું તે ધર્માત્મા ધન્ય છે.... મુનિઓ
પણ તેની પ્રશંસા કરે છે.
અહા, આવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ જોરશોરથી
સંતોએ તને સંભળાવ્યું, સમસ્ત નિજવૈભવથી તને
શુદ્ધાત્મા દેખાડ્યો, તો હવે આજે જ તું આવા
ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેજે... આજથી જ અપૂર્વ
શરૂઆત કરી દેજે. આત્માના લાભનો આ ઉત્તમ
અવસર છે.
૧૦

PDF/HTML Page 3 of 49
single page version

background image

શ્રાવણસુદ પૂનમ આવે છે ને વાત્સલ્યના મધુર સંદેશ લાવે છે. લૌકિકમાં બહેન
પોતાના ભાઈ પ્રત્યે રક્ષાબંધન કરીને કેવું નિર્દોષ વાત્સલ્ય બતાવે છે! તો પછી
સાધર્મીનો ધર્મસંબંધ તો ભાઈ – બહેનના સંબંધ કરતાંય વધુ ઊંચો છે, એના પરસ્પર
વાત્સલ્યની શી વાત!
ધર્માત્માઓ તો નિસ્પૃહ હોય છે, તેઓ કાંઈ કોઈની સહાયની અપેક્ષા રાખતા
નથી, તેઓ તો નિઃશંક અને નિષ્કાંક્ષપણે પોતાની આત્મસાધનામાં વર્તે છે; પણ જેમ
પુત્ર ઉપરનું સંકટ માતા દેખી શકતી નથી તેમ ધર્માત્મા ઉપર કે ધર્મી ઉપરનું કોઈ સંકટ
ધર્માત્મા દેખી શકતા નથી, તેમના પ્રત્યે સહેજે વાત્સલ્ય આવી જાય છે. સાધર્મીને
દેખીને પ્રેમ – પ્રસન્નતા અને આ મારા સ્વજન છે એવો આત્મીયભાવ ધર્મીને આવે છે;
તેથી એકબીજાની ધાર્મિકભાવનાની અનુમોદના અને પુષ્ટિ કરે છે.
અહા, એક જ વીતરાગ–પરમાત્માના ચરણમાં શિર ઝુકાવનારા સૌ સાધર્મીઓને
પરસ્પર વાત્સલ્ય હોય એમાં શું આશ્ચર્ય છે! અહો, જગતમાં સર્વોત્કૃષ્ટ આવો વીતરાગ
જૈનમાર્ગ, તેને ઉપાસનારા સાધર્મીઓ ધન્ય છે.... આદરણીય છે, તેમને માટે હું જેટલું
કરું એટલું ઓછું છે.
બંધુઓ! વીરપ્રભુના મોક્ષનું અઢી હજારમું વર્ષ બેસવાની તૈયારી છે ત્યારે
આપણે સમસ્ત જૈનો અંતરના હાર્દિક વાત્સલ્યથી જૈનસમાજને દીપાવીએ...એક
ધર્માપિતાના સૌ વીર–સંતાનો એક બનીએ, વીરનાથના માર્ગમાં આપણા જીવનને
પવિત્ર કરીને વાત્સલ્યના શણગારથી શોભાવીએ, ને જૈનધર્મધ્વજને આનંદથી જગતમાં
ફરકાવીએ...એ જ ભાવના..
– બ્ર. હ. જૈન.

PDF/HTML Page 4 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
ત્રણ માસનું વીર સં. ૨૪૯૯
લવાજમ શ્રાવણ
એક રૂપિયો Augu. 1973
વર્ષ : ૩૦ અંક ૧૦
આજે જ.... અનુભવ કર..
સંતોના તને આશીર્વાદ છે
અંતરમાં પરમ સર્વોત્કૃષ્ટ પ્રેમ લાવીને આત્માને
જાણતાં આનંદસહિત તે અનુભવમાં આવે છે. શ્રી
ગુરુઓ કહે છે કે અરે મુમુક્ષુ જીવો! તમારું હિત કરવા
માટે, આનંદનો અનુભવ કરવા. માટે, ધીમેધીમે નહિ
પણ હમણાં જ આત્માનો ઉત્કૃષ્ટ પ્રેમ કરો.... અંતરમાં
આત્માની ધૂન જગાડીને આજે જ એને અનુભવમાં
લ્યો...આમાં વિલંબ ન કરો. ‘અત્યારે બીજું, ને આત્મા
પછી’–એમ વિલંબ ન કરો. બધાયનો પ્રેમ છોડીને
આત્માનો પ્રેમ આજે જ કરો. આત્માના હિતના કાર્યને
ગૌણ ન કરો. અત્યારે જ હિતનો અવસર છે, હિતને
માટે અત્યારે જ ઉત્તમ ચોઘડીયું છે. તારા હિત માટે
સંતોના તને ‘આશીર્વાદ’ છે.

PDF/HTML Page 5 of 49
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
જૈન શાસનો મહા સિદ્ધાંત
[સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧ ના પ્રવચનોમાંથી]
‘दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं’
‘જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે’
પર્યાયને દ્રવ્ય સાથે અનન્યપણું છે –
એના નિર્ણયમાં સ્વસન્મુખ થઈને બંધનું અકર્તાપણું થાય છે
ને મોક્ષ તરફ પરિણતિનો અપૂર્વ ક્રમપ્રવાહ શરૂ થાય છે.
જુઓ, દરેક વસ્તુની પર્યાયને પોતપોતાના દ્રવ્ય સાથે
અનન્યપણું છે –એમાં તો મહા સિદ્ધાંત છે. જીવની જે–જે પર્યાયો છે તેને
પોતાના દ્રવ્ય સાથે અનન્યપણું છે, એટલે તારી દરેક પર્યાયમાં તારા
દ્રવ્યને અનન્યપણે દેખ. એકલી પર્યાયને ન દેખ, પર્યાયમાં અનન્ય
એવા દ્રવ્યને દેખ.
હવે જ્યાં દ્રવ્યની સાથે પર્યાય અનન્ય થઈ ત્યાં તે પર્યાયમાં
રાગનું કર્તૃત્વ ન રહ્યું, કેમકે દ્રવ્યસ્વભાવમાં તો રાગ નથી. દ્રવ્યસન્મુખ
થતાં પર્યાય શુદ્ધ થઈને પરિણમી. દ્રવ્યસ્વભાવમાં અનન્ય થયેલી તે
પર્યાય હવે રાગમાં તન્મય કેમ થાય? દ્રવ્યસ્વભાવ તરફ ઝુકેલા
જ્ઞાનભાવને રાગથી તો અન્યપણું થઈ ગયું. અહો, દ્રવ્ય–પર્યાયના
અનન્યપણાના સિદ્ધાંતમાં તો રાગથી ભિન્નપણું થઈ જાય છે એટલે
રાગનું અકર્તાપણું થઈ જાય છે. આવું વીતરાગી તાત્પર્ય સમજે, –એટલે
કે આવા ભાવરૂપે પોતે પરિણમે, તો જ શાસ્ત્રનું રહસ્ય સમજ્યો
કહેવાય. મારી પર્યાયનું અનન્યપણું મારા જ્ઞાનસ્વભાવી દ્રવ્ય સાથે છે,
– બીજા કોઈ સાથે નહિ, –આમ નક્કી કરતાં તો પરિણમનનો આખો
પ્રવાહ જ સ્વસન્મુખ પલટી ગયો, મોક્ષ તરફની પર્યાયનો અપૂર્વ પ્રવાહ
શરૂ થયો. આવા જીવને જ ‘દ્રવ્યની ક્રમબદ્ધપર્યાય’નું સાચું રહસ્ય
સમજાય છે.

PDF/HTML Page 6 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
અહીં આચાર્યદેવ આગમથી–યુક્તિથી–ન્યાયથી ને દ્રષ્ટાન્તથી કર્તા–કર્મનું પરથી
નિરપેક્ષપણું બતાવીને, આત્માને પરનું અકર્તાપણું સિદ્ધ કરે છે. આવું અકર્તાપણું
સમજીને પોતાના ચૈતન્યભાવમાં જ તન્મય પરિણમતો જીવ, કર્મનો અકર્તા થઈને
મોક્ષને સાધે છે.
પ્રથમ તો આ જગતમાં જે કોઈ જીવ કે અજીવ પદાર્થ છે તે બધાય પોતપોતાની
પર્યાયમાં તાદાત્મ્યપણે વર્તે છે. જીવ ક્રમનિયમિત એવા પોતાના જીવપરિણામમાં
તન્મયપણે વર્તે છે, તે અજીવથી જુદો છે; અને અજીવ પણ પોતાના અજીવપરિણામમાં
તન્મયપણે વર્તે છે; તે જીવથી જુદું છે.–આમ બન્નેને ભિન્નપણું છે. આ રીતે પોતપોતાના
પરિણામમાં જ તન્મય વર્તતા દ્રવ્યને, બીજા દ્રવ્યની સાથે કર્તાકર્મપણું નથી.
જીવ પોતાની ક્રમનિયમિત જીવપર્યાયોરૂપે ઊપજતો થકો તેનો કર્તા છે, પણ તે
અજીવની પર્યાયનો કર્તા નથી, અજીવની પર્યાયપણે તે ઊપજતો નથી; છતાં અજીવનું
કર્તાપણું માને છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ જીવને સંસાર છે.
મારા પરિણામમાં હું, ને પરના પરિણામમાં પર, એમ ભિન્નપણું ન જાણતાં, જે
અજ્ઞાની એમ માને છે કે મારા પરિણામને બીજો કરે ને બીજાના પરિણામને હું કરું, તે
જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, પરને આશ્રિત (કર્મને આશ્રિત) અજ્ઞાનપણે
ઊપજતો થકો કર્મોથી બંધાય છે, ને સંસારમાં રખડે છે.
ભાઈ, તારી પર્યાયના આશ્રયે તારું દ્રવ્ય છે, ને તારા દ્રવ્યના આશ્રયે તારી
પર્યાય છે, તે રીતે કર્તા–કર્મનું (દ્રવ્ય–પર્યાયનું) પોતામાં જ અનન્યપણું છે, બીજા કોઈ
સાથે તેને સંબંધ નથી, બીજા કોઈની તેને અપેક્ષા નથી.
તારું દ્રવ્ય બીજાની પર્યાયમાં વર્તતું નથી – કે તું તેને કર. અને તારી પર્યાયમાં
બીજું દ્રવ્ય વર્તતું નથી – કે તે તારી પર્યાયને કરે. તારો કર્તા તું; ને પરનો કર્તા પર.
તેમાં કોઈને બીજાનો આશ્રય નથી.
રે! કર્મ–આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે,
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે.
કર્તા અને તેનું કર્મ બન્ને અનન્ય જ હોય છે, એ સિવાય બીજી કોઈ રીતે તેની
સિદ્ધિ થઈ શકતી નથી એટલે કે ભિન્ન પદાર્થો વચ્ચે કોઈ રીતે કર્તા–કર્મપણું સિદ્ધ થઈ
શકતું નથી. અરે, આવું પરથી નિરપેક્ષપણું સમજે તો સન્મુખ થઈને

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
જ્ઞાનભાવમાં જ તન્મયપણે પરિણમે. તે જ્ઞાનમાં રાગાદિનું કે કર્મનું કર્તાપણું નથી. એ
તો પોતાના જ્ઞાનમયભાવમાં જ ક્રમબદ્ધ પરિણમતો થકો મોક્ષ તરફ જ ચાલ્યો જાય છે.
જ્ઞાનમાં રાગનું કર્તાપણું કેવું? ને જ્ઞાનને કર્મનું બંધન કેવું? આવા જ્ઞાનપણે પરિણમતો
આત્મા કર્મનો અકર્તા જ છે. તે તો જ્ઞાનસ્વભાવના સ્વીકાર વડે આનંદ કરતો કરતો,
અનંતગુણના નિર્મળક્રમમાં પરિણમી રહ્યો છે.–તે પરિણમનમાં રાગનું કર્તૃત્વ
સમાય નહીં, રાગમાં તે પરિણામ તન્મય થાય નહીં, એટલે કર્મનું નિમિત્તકર્તાપણું પણ
તેને નથી.
ભાઈ, તારી સત્તા તારા પરિણામમાં હોય, બીજાના પરિણામમાં તારી સત્તા ન
હોય. બે દ્રવ્યોની સત્તા અત્યંત જુદી, તેઓ એકબીજાની પર્યાયમાં જાય નહીં, એટલે
એકબીજાની પર્યાયને કરે નહિ. જો એક–બીજાની પર્યાયને કરે તો બન્ને દ્રવ્યો એક થઈ
જાય, જીવ ને અજીવ બન્ને એક થઈ જાય એટલે કોઈની જુદી સત્તા જ ન રહે, ‘સત્તાનો
નાશ’ થઈ જાય એટલે સત્યાનાશ થઈ જાય.
પોતાની સત્તા જુદી ન જાણતાં, જે અજ્ઞાની પરની સાથે કર્તાકર્મપણું માનશે તે
પોતાના અજ્ઞાનપણે ઊપજતો થકો, કર્મ–બંધમાં નિમિત્તકર્તા થઈને સંસારમાં રખડશે.
કર્મમાં આત્મા નિમિત્ત, ને આત્મામાં કર્મ નિમિત્ત–એવું અજ્ઞાનીને છે. જ્ઞાની તો
જ્ઞાનભાવમાં જ તન્મયપણે જ્ઞાનરૂપે જ પરિણમે છે, તે જ્ઞાનભાવ કર્મમાં નિમિત્ત નથી, ને
કર્મ તે જ્ઞાનભાવમાં નિમિત્ત નથી. આ રીતે જ્ઞાનભાવરૂપ જ્ઞાનીને પરનું અકર્તાપણું જ છે.
ને પોતાના અનંતગુણની નિર્મળપર્યાયમાં તન્મયપણે ઉપજતો થકો તેનો તે કર્તા છે.
અહો, આ કર્તાકર્મના સિદ્ધાંત ઉપર આખો મોક્ષમાર્ગ છે. કર્તાકર્મનું આવું
સ્વાધીન પણું નક્ક્ી કર્યાં વગર કદી મોક્ષમાર્ગ થાય નહિ.–કેમકે જ્યાં સુધી પર સાથે
કર્તાકર્મપણું માને ત્યાંસુધી પરાશ્રયબુદ્ધિ મટે જ નહિ, ને પરાશ્રયે કદી મોક્ષમાર્ગ થાય
નહિ. પરથી અત્યંત ભિન્નપણું નક્ક્ી કરીને, પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્વાશ્રયે
પરિણમતાં મોક્ષમાર્ગ પ્રગટે છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનનો ક્રમબદ્ધ ઉત્પાદ જ્ઞાનરૂપ છે, જ્ઞાનનાં ક્રમમાં વચ્ચે
રાગ કે જડ ન આવે. આ રીતે મારી જ્ઞાનપર્યાયમાં હું જ ઊપજું છું–બીજું કોઈ નહિ
એમ નકકી કરનાર, પોતાના સ્વભાવપણે જ ઉપજતો થકો રાગાદિ પરભાવોને કરતો
નથી. આ રીતે સ્વભાવથી નિર્મળ પરિણામમાં ઊપજતો આત્મા રાગાદિનો તથા
કર્મોનો અકર્તા જ છે.–જ્ઞાતાદ્રષ્ટાભાવપણે રહ્યો, એ જ ધર્મ, એ જ મોક્ષમાર્ગ, એ જ
ધર્મીનું કાર્ય.

PDF/HTML Page 8 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : પ :
ભાઈ, તું તો જ્ઞાન છો; જ્ઞાન તો હળવું ફૂલ શાંત છે, તેમાં રાગ તો ભારરૂપ છે;
એ જ્ઞાનનું સ્વરૂપ નથી પણ બોજો છે, જ્ઞાન તેને ઉપજાવતું નથી. તેને જ્ઞાન જાણે ભલે
પણ પોતે તે–રૂપે થઈને ઊપજતું નથી, પોતે તો જ્ઞાનરૂપ રહીને જ ઊપજે છે. જ્ઞાનની
સાથે શ્રદ્ધા–આનંદ વગેરે પોતાના અનંતગુણો પણ પોતપોતાની પર્યાયપણે ઊપજે છે.–
આ ધર્મીને અનંતગુણોનું નિર્મળકાર્ય ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં થઈ રહ્યું છે, તે નિર્મળ
પરિણમન રાગાદિથી જુદું છે, એટલે ધર્મી તે રાગાદિના અકર્તા છે.
હે જીવ! તારા આત્માને તું જ્ઞાનપણે જ ઉપજતો દેખ. જ્ઞાનથી ભિન્ન બીજા બધા
પરિણામોમાંથી તાદામ્યપણાની બુદ્ધિ કાઢી નાંખ. પરિણામી–વસ્તુને પોતાના પરિણામ
સાથે જ એકપણું છે, બીજા કોઈ સાથે તેને એકપણું નથી પણ ભિન્નપણું જ છે. આ રીતે
જીવ અને અજીવને તદ્ન ભિન્નપણું છે, એકપણું નથી–એટલે તેમને પરસ્પર કર્તા–
કર્મપણું પણ નથી. આવું ભિન્નપણું જાણ્યા વગર રાગનું ને કર્મનું કર્તાપણું કદી છૂટે નહીં
એટલે ધર્મ થાય નહીં; ને જ્યાં ભિન્નપણું જાણે ત્યાં જ્ઞાનમાં રાગાદિનું કર્તાપણું રહે નહીં.
*
આ જગતમાં જીવ–અજીવની અને તેમનાં કાર્યોની ભિન્નતા જ જોવામાં આવે છે.
* એક દ્રવ્ય ઊપજતું થકું અન્ય દ્રવ્યની પર્યાયમાં તન્મય થઈને તેને કરતું હોય
એમ તો ક્યાંય જોવામાં આવતું નથી.
– એમ તો ક્યાંય જોવામાં આવતું નથી.
જીવ ઉપજીને અજીવની કોઈ પર્યાયને કરતો હોય, ધનની પર્યાય, શરીરની
પર્યાય, સોનું–શબ્દ–રોટલી–અક્ષર વગેરે કોઈ પણ પર્યાયને જીવ કરતો હોય–એમ તો
જગતમાં ક્્યાંય દેખાતું નથી; અજ્ઞાની મફતનો અજ્ઞાનથી અજીવનું કર્તાપણું પોતામાં
માને છે. જીવ અને અજીવની બંનેની તદ્ન ભિન્ન પોતપોતાની પર્યાયમાં જ ઉત્પત્તિ થતી
સદાકાળ જોવામાં આવે છે; આવું સ્પષ્ટ ભિન્ન વસ્તુસ્વરૂપ પ્રસિદ્ધ દેખાતું હોવા છતાં
અજ્ઞાની તેને દેખતો નથી, એટલે મિથ્યાભાવથી પરસાથે કર્તા–કર્મપણું માનીને તે
સંસારમાં રખડે છે.
પુદ્ગલની શબ્દપર્યાયને લીધે જીવની જ્ઞાનપર્યાય ઊપજતી હોય – એવું અમને
તો દેખાતું નથી. પોતાની જ્ઞાનપર્યાયપણે તો જીવદ્રવ્ય પોતે જ ઊપજતું દેખાય છે. ને
શબ્દપર્યાયરૂપે તો પુદ્ગલદ્રવ્ય ઊપજતું દેખાય છે. આવું વસ્તુસ્વરૂપ પ્રગટ હોવા છતાં,
જો તું એમ માનતો હો કે શબ્દને લીધે જ્ઞાન થયું –તો હે ભાઈ! તને વસ્તુસ્વરૂપ જોતાં
આવડતું નથી. અહીં આચાર્યદેવ સર્વજ્ઞભગવાને જોયેલું વસ્તુસ્વરૂપ જાહેર કરે છે.
કાર્ય હોય તે પોતાના કર્તા સાથે (એટલે કે સ્વદ્રવ્યની સાથે) તન્મય હોય છે,

PDF/HTML Page 9 of 49
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
બીજા બધાયથી તો તે જુદું જ હોય છે. કર્તા–કર્મપણું સ્વદ્રવ્યમાં એકમાં જ સમાપ્ત થાય
છે, બહાર જતું નથી. આ નિયમ જગતમાં બધા જીવ તેમજ બધા અજીવ પદાર્થોમાં લાગુ
પાડી લેવો.
જીવ કે અજીવ બધા પદાર્થો–દરેક સમયે પોતાની નિયમિતક્રમવાળી અવસ્થાપણે
પોતે ઊપજે જ છે; નિમિત્તમાં કોઈ અનુકૂળ સંયોગોના ઢગલા હોય, તે કાંઈ આની
જ્ઞાનપર્યાયને ઉપજાવતા નથી, કે કોઈ પ્રતિકૂળ સંયોગોના ગંજ હોય–તે કાંઈ આની
જ્ઞાનપર્યાયની ઉત્પત્તિને રોકી શકતા નથી. ભલે, બંનેની પર્યાયો એક સાથે થાય છતાં
કોઈ એકબીજાના કર્તા નથી. અહો, આ વીતરાગી વિજ્ઞાન છે. આવા વસ્તુસ્વરૂપને
જાણનારું જ્ઞાન રાગથી પણ છૂટું પડી જાય છે ને અંદર જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને
પોતાના જ્ઞાનમય ભાવને જ કરતું થકું મોક્ષમાર્ગ પ્રગટ કરે છે, તે જ્ઞાન પોતે રાગનું
અકર્તા થઈ, રાગથી જુદું થઈ, વીતરાગભાવરૂપ પરિણમે છે ને મોક્ષને સાધે છે. અહા,
જગતમાં કોઈની અપેક્ષા વિના, રાગની – વિકલ્પની પણ અપેક્ષા વિના, મારો
જ્ઞાનસ્વભાવી આત્મા પોતે શુદ્ધ જ્ઞાનાનંદ પરિણામરૂપે તન્મય થઈ પરિણમે છે. – આવી
પ્રતીત સ્વસન્મુખતા વડે જ થઈ શકે છે. સમ્યગ્દ્રર્શન વગર આવી અપૂર્વ પ્રતીત થઈ
શકે નહીં.
મોટરમાં બેઠેલા જીવની ગતિપર્યાયને કાંઈ મોટરના પુદ્ગલો નથી કરતા, તે જીવ
પોતે જ પોતાની તે વખતની તેવી ગતિપર્યાયરૂપે ઊપજતો થકો પોતે જ તેનો કર્તા
થઈને તેમાં તન્મય વર્તે છે ને મોટરના પુદ્ગલોથી જુદો જ વર્તે છે–આમ બંને દ્રવ્યોનું
જુદાપણું સ્પષ્ટ દેખાય છે. છતાં તેમનામાં કર્તા–કર્મપણું માને છે તે અજ્ઞાનીનો ભ્રમ છે.
તે ભ્રમને લીધે તે પરાશ્રયે રાગ–દ્વેષ કરીકરીને દુઃખી થાય છે ને સંસારમાં રખડે છે.
સત્ય વસ્તુસ્વરૂપની સમજણનું ફળ તો સુખ છે.
સુખ તે જીવનો સ્વભાવ છે. તે સુખપર્યાયરૂપે જીવ પોતે પરિણમીને ઊપજે છે.
સુખપર્યાયનો ઉત્પાદક જીવ છે ને સુખપર્યાય તે જીવનું ઉત્પાદ્ય છે; પર સાથે તેને ઉત્પાદ્ય
ઉત્પાદકપણું નથી. પૈસા શરીર વગેરે અજીવ પદાર્થો કાંઈ જીવની સુખપર્યાયના ઉત્પાદક
નથી. સુખસ્વભાવી જીવદ્રવ્ય પોતે પોતાની સુખપર્યાયનું ઉત્પાદક છે,–પોતે તે–રૂપે
પરિણમે છે, તે સુખપરિણામમાં જીવદ્રવ્યને તન્મયપણું છે. આમ સમજે તે પોતાના સુખ
માટે ક્યાંય પરનો આશ્રય ન શોધે, પણ પોતાના સ્વદ્રવ્યના આશ્રયે પોતે જ સુખરૂપે
પરિણમે આનું નામ ધર્મ છે.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
ક્રમબદ્ધ ઊપજતી પર્યાયને અનન્યપણું (તાદાત્મ્યપણું) પોતાના દ્રવ્ય સાથે છે ને
બીજાથી તેને ભિન્નપણું છે – આમાં તો ભેદજ્ઞાનનો મહા વીતરાગી સિદ્ધાંત છે.
જુઓ, આત્માની પર્યાયને આત્મદ્રવ્ય સાથે અનન્યપણું છે; હવે આત્મદ્રવ્ય તો
શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ છે; તે ચૈતન્યસ્વભાવમાં તન્મય થયેલી પર્યાય પણ ચૈતન્યભાવ
રૂપ જ હોય, ને ચૈતન્યભાવમાં રાગાદિનું કર્તાપણું રહે નહિ; એટલે દ્રવ્યસ્વભાવમાં જેણે
તન્મયપણું સ્વીકાર્યું તેની પર્યાયોનો ક્રમ શુદ્ધ ચૈતન્યભાવરૂપ જ હોય ને તેને રાગનું
અકર્તાપણું જ હોય. ચૈતન્યદ્રવ્ય સાથે તન્મય પરિણમેલી પર્યાય રાગ સાથે તન્મય થાય
નહિ.–ધર્મીજીવ પોતાના સ્વભાવના આશ્રયે આવી ચૈતન્યમય ક્રમબદ્ધ પર્યાયરૂપે
પરિણમતો થકો મોક્ષને સાધે છે.–આવું ફળ આવે તેણે જ જીવ–અજીવના
ક્રમબદ્ધપરિણામની ને સર્વજ્ઞની સાચી શ્રદ્ધા થઈ છે; એકલા પરિણામની શ્રદ્ધા નથી;
પરિણામ સાથે અભેદ વર્તતા દ્રવ્યસહિત તેની પર્યાયને જાણે છે. પર્યાય સાથે દ્રવ્યનું
અનન્યપણુંકહીને આચાર્યભગવાને ઘણું રહસ્ય ખોલ્યું છે. અંદર આત્માનો જ્ઞાન
સ્વભાવ શુંચીજ છે તે બેઠા વગર એક્કેય વાતનું સાચું રહસ્ય સમજાય તેમ નથી. અને
જ્ઞાનસ્વભાવમાં સ્વસન્મુખ થઈને આ વાતનું રહસ્ય જે સમજ્યો તે તો ન્યાલ થઈ જાય
છે! તેને ભવના છેડા આવી જાય છે ને મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે.
જે અજીવનું કર્તાપણું પોતામાં માને અથવા રાગમાં તન્મય થઈને તેના કર્તાપણે
પરિણમે, અને કહે કે અમને ક્રમબદ્ધપર્યાયની ઓળખાણ છે અથવા પર્યાયને દ્રવ્ય સાથે
અમે અનન્ય માનીએ છીએ,–તો તેની વાત સાચી નથી. એણે દ્રવ્યસ્વભાવને જાણ્યો જ
નથી, ને પરથી ભિન્નતા પણ જાણી જ નથી. દ્રવ્યસ્વભાવ સાથે અનન્યપણું માનતાં તો
પર સાથે કર્તાકર્મની મિથ્યાબુદ્ધિ છૂટીને પર્યાય અંતરમાં સ્વ–સન્મુખ થઈને સમ્યક્ત્વાદિ
શુદ્ધભાવરૂપ પરિણમી જાય છે. એમાં બીજા કોઈની અપેક્ષા રહેતી નથી.
જીવની જેમ અજીવની પર્યાયો પણ અન્યની અપેક્ષા વગર, પોતાના સ્વદ્રવ્યમાં
જ કર્તાકર્મપણે થાય છે.
અહો, નિરપેક્ષ વસ્તુસ્વરૂપ... તે જેના જ્ઞાનમાં બેઠું તેનું જ્ઞાન તો જગતથી
નિરપેક્ષ થઈને આત્મામાં વળી ગયું... આત્માના આનંદને વેદતું – વેદતું તે મોક્ષ
તરફ ચાલ્યું.

PDF/HTML Page 11 of 49
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
પરમાગમની મધુરી પ્રસાદી
સ્વાનુભૂતિના ઊંડાણમાંથી નીકળેલા ચૈતન્યસ્પર્શી ન્યાયો...
એના વાચ્યને લક્ષગત કરતાં અમૃતસાગર ઊલ્લસે છે.
[ગુરુદેવના પ્રવચનોમાંથી દોહન]
* આત્માના પરમસ્વભાવનું અવલંબન કરતાં સમસ્ત પરભાવો છૂટી જાય છે.
આત્માના અવલંબનરૂપ જે ધ્યાન છે તે જ સર્વ પરભાવના અભાવરૂપ હોવાથી,
સર્વસ્વ છે એટલે કે તે ધ્યાનમાં સામાયિક પ્રતિક્રમણાદિ સર્વે ધર્મો સમાય છે.
* આત્માના પરમસ્વભાવના અવલંબન વગર પરભાવનો ત્યાગ થઈ શકે નહિ.
આનંદ મૂર્તિ આત્મામાં એકાગ્ર થતાં જે શુદ્ધતા થઈ તેમાં પરમાર્થ વ્રત–તપ વગેરે
બધા આચાર સમાઈ જાય છે.
* અહા, ચૈતન્યવસ્તુ કોને કહેવાય? અનંત સ્વભાવથી ભરેલો આત્મા,–જેનું
અવલંબન કરતા કોઈપણ પરભાવ ન રહે, ને અનંતા ગુણો નિર્ણય ભાવરૂપે
પરિણમે, એવો મહાન પદાર્થ આત્મા છે. તેમાં સ્વસન્મુખ થયેલી પર્યાયમાં
અનંત ધર્મો સમાય છે.
* પોતાનું નિજતત્ત્વ, પરમભાવથી પરિપૂર્ણ, તેને જાણીને તેનું અવલંબન લેવું તે
અપૂર્વ ધર્મ છે. જીવે કદી પોતાના નિજતત્ત્વનું અવલંબન પૂર્વે લીધું ન હતું,
પરના જ અવલંબને શુભ–અશુભ પરભાવ જ કર્યાં હતા; તે પરભાવમાં ક્યાંય
ધર્મ કે શાંતિ નથી. આસન્ન ભવ્ય જીવ અંતર્મુખ થઈને પોતાના પરમતત્ત્વને
ધ્યાવે છે – તેમાં એકાગ્ર થાય છે – તેને સ્વના અવલંબને શુદ્ધતા થતાં અત્યંત
અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટે છે.
* તારે સમ્યક્ત્વાદિ ક્ષાયિકભાવ પ્રગટ કરવો હોય, ઉપશમભાવ પ્રગટ કરવો હોય,
તો અંતરમાં તારા પરમસ્વભાવને લક્ષમાં લઈને તેમાં પર્યાયને એકાગ્ર કર.
ભેદના પર્યાયના અવલંબને કાંઈ શુદ્ધતા થતી નથી. અભેદસ્વભાવના
અવલંબનરૂપ ધ્યાનમાં બધા ધર્મો સમાય છે.

PDF/HTML Page 12 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
* અહો, પોતાનું ઉત્કૃષ્ટસ્વભાવી પરમ આત્મતત્ત્વ, તે સ્વદ્રવ્ય છે, તે સ્વદ્રવ્યના
અચિંત્ય–મહિમાને જાણતાં કોઈ પરદ્રવ્યના અવલંબનની બુદ્ધિ રહેતી નથી; કોઈ
પણ પરદ્રવ્યના અવલંબનને શુભ–અશુભ રાગ થાય, તે પરભાવ છે; તેથી
પરદ્રવ્યનું અવલંબન છોડીને જ્ઞાનાનંદરૂપ પરમ સ્વભાવનું પોતાનું અવલંબન
કરવું, તે જ ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. આવા વીતરાગમાર્ગમાં તો,
પોતામાંય જ્ઞાનાદિના ભેદનું અવલંબન પણ છોડવા જેવું છે ત્યાં પરના
અવલંબનની તો શી વાત? એકલા સ્વદ્રવ્યના અવલંબન સિવાય બીજા કોઈ
માર્ગે મુક્તિ નથી, નથી.
* પરસન્મુખ પર્યાયવડે સ્વદ્રવ્યની શુદ્ધતા જણાય નહિ, ને તે પર્યાય પોતે પણ શુદ્ધ
થાય નહિ. જે પર્યાય અંતર્મુખ થઈને જ્ઞાનકસ્વભાવની સેવા કરે છે –અનુભવ
કરે છે તે જ પર્યાય પોતે શુદ્ધ થયેલી જાણે છે કે આત્મદ્રવ્ય આવું શુદ્ધ છે.–આમ
ઉપાસના વડે આત્માની શુદ્ધતાને જાણે ત્યારે આત્મા પોતે શુદ્ધતારૂપે પરિણમે
છે,–તે તેને ‘શુદ્ધ’ કહેવામાં આવે છે. ત્યાં ભાવશ્રુતપર્યાય અભેદ થઈ ગઈ છે,
તેમાં કોઈ ભેદ–વિકલ્પ નથી.
* ભેદ વગરનું ભાવશ્રુતજ્ઞાન તે જ શુદ્ધાત્મજ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાતાપણારૂપે જ
પોતાને અનુભવતું જ્ઞાન, જ્ઞાતાથી ભિન્ન બીજા કોઈપણ ભાવને પોતાપણે વેદતું
નથી. અન્ય કોઈ ભાવ જ્ઞાનપણે અનુભવાય – એવી યોગ્યતા જ તેનામાં નથી.
* જ્ઞાનસ્વભાવમાં જે ગઈ છે તે જ પર્યાયમાં સ્વભાવનો મહિમા આવ્યો છે,
આત્મા પોતે તે વખતે તેવી ભાવશ્રુતપર્યાયરૂપે પરિણમ્યો છે; આત્મા પોતે કર્તા
થઈને તેને કરે છે. ભાવશ્રુતના પરિણમનમાં તો અનંતગુણની શુદ્ધતા ભેગી છે,
તેમાં કોઈ વિકલ્પ નથી, –ભેદ નથી. આવી દશાને અનુભૂતિ કહો, ભાવશ્રુત
કહો, શુદ્ધાત્મજ્ઞાન કહો, જ્ઞાયકભાવની ઉપાસના કહો.
* સમયસાર ગા. ૬–૭–૧૧–૧૩–૩૧–૩૮–૧૪૪ વગેરે અનેક ગાથામાં
ભિન્નભિન્ન પ્રકારે આ જ વાત ભરી છે. અહો, એનાં વાચ્ય બહુ ઊંડાં છે. એ
વાચ્યનો અનુભવ થવો જોઈએ. અહો, એની ગંભીરતાનો ને એના મહિમાનો
પાર નથી, અનુભવથી જ તેનો પાર પડી શકે છે, સમયસાર તો સમયસાર છે...
એમાં ભરેલા અમૃતના સાગર અમૃતચંદ્રદેવે ઉલ્લસાવ્યા છે.
* ભાવશ્રુતજ્ઞાન જ તેને કહેવાય છે જે જ્ઞાન શુદ્ધાત્માને જાણે. તે ભાવશ્રુતમાં સમસ્ત

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
દ્રવ્યશ્રુતનું વાંચ્ય સમાય છે, કેમકે બધાય શ્રુતનો સાર તો શુદ્ધાત્મા છે. જે
જ્ઞાનમાં શુદ્ધાત્માનું ચલણ ચાલે છે, શુદ્ધાત્મસન્મુખ થઈને તેને જે જ્ઞાન વેદે છે,
તે જ્ઞાન રાગાદિભાવોથી જુદું જ રહેતું થકું તેને પરભાવરૂપે જાણે છે. જેટલું
કર્મફળનું વેદન છે તેને પણ જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન તે વેદનમાં તન્મય થતું
નથી. જ્ઞાન પોતે શાંતિમાં તન્મય રહીને, રાગાદિ કષાયોને દુઃખરૂપ જાણે છે.
જેટલો રાગ છે. તે તો જ્ઞાનીનેય દુઃખરૂપ જ છે; તે વખતે રાગથી જુદું જે જ્ઞાન
શુદ્ધાત્માને જાણતું વર્તે છે તે જ્ઞાનમાં આનંદની લીલા છે, તેમાં દુઃખ નથી, તે
દુઃખને વેદતું નથી. આમ બંને ધારા જુદી જુદી વર્તે છે, તેને જેમ છે તેમ જાણવા
યોગ્ય છે.
* જે ભાવશ્રુતજ્ઞાન શુદ્ધાત્માને પોતાના સ્વરૂપે જાણે તે રાગાદિભાવોને પોતાના
સ્વરૂપે કેમ જાણે? આનંદકંદ એવો ચૈતન્યહીરલો જ્યાં હાથ આવ્યો ત્યાં રાગાદિ
મલિનભાવોને હાથમાં કોણ પકડે? નિર્વિકારી ભાવમાં વિકારનું વેદન કેમ હોય?
નિર્વિકાર જ્ઞાનમાં વિકારના વેદનની અયોગ્યતા છે. ચૈતન્યના મધુર રસમાં
કર્મનો રસ કેવો? ચૈતન્યસન્મુખ થઈને તેને જાણનારું જ્ઞાન તો ચૈતન્યના રસને
જ વેદે છે, રાગના રસને તે વેદતું નથી. રાગ વખતે શુદ્ધાત્મજ્ઞાન જીવતું છે,
જ્ઞાનની હયાતી છે. – તે જ્ઞાનની અપેક્ષાએ તો જ્ઞાની મુક્ત જ છે... તેની પર્યાય
મિથ્યાત્વ રાગાદિભાવોથી છૂટી છે એટલે તે મુક્ત જ છે (જુઓ સમયસાર
કળશ ૧૯૮)
* અહા, પંચમકાળમાં પણ વીતરાગી અમૃતની નદી ચાલી રહી છે. ભગવાને જે
ઉપદેશ આપ્યો તે ઝીલીને, કુંદકુંદસ્વામીએ ભરતક્ષેત્રમાં તેનો પ્રવાહ વહેવડાવ્યો
છે... તે પ્રવાહ અત્યારે પણ ચાલી રહ્યો છે. અહો, એના મહિમાનું શું કહેવું?
જિનમંદિરોને સૂચના –
જિનમંદિરમાં ચામડાની કોઈ પણ વસ્તુ (વાજિંત્ર વગેરે પણ) રાખવી ન જોઈએ,
વાજિંત્રમાં વપરાતું ચામડું ઘણું અશુદ્ધ હોય છે, ઢોરના પેટની અંદરના હોજરીના
બીજું રાતના અંધારાના ભાગમાં પૂજનસામગ્રી–અભિષેક વગેરે ક્રિયાઓ
કરવાનો બધા શ્રાવકાચારમાં સ્પષ્ટ નિષેધ છે. જેમ રાત્રિભોજનનો નિષેધ છે તેમ
રાત્રિના ભાગમાં પૂજન – અભિષેકનો પણ નિષેધ છે. શુદ્ધ આમ્નાય જાળવવા
અને ત્રસહિંસાથી બચવા આ બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સૂર્યોદય પછી
જ તે ક્રિયાઓ કરવી જોઈએ.

PDF/HTML Page 14 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
કલકત્તા શહેરમાં જન્મજયંતી વખતે ત્યાંના ઉત્સાહી બાળકોએ
એક સચિત્ર રંગબેરંગી હસ્ત લિખિત ‘જ્ઞાનબીજ’ નામનો અંક
ગુરુદેવને અર્પણ કરેલ, તેમાંથી થોડોક નમૂનો અહીં આપ્યો છે.
બાળકોનો ઉત્સાહ અને ભાવા પ્રશંસનીય છે. – બ્ર. હ. જૈન
* હે ગુરુદેવ! આત્મસાધનાના પ્રયત્નથી ભરેલું આપનું જીવન આત્માર્થીઓને માટે
એક આદર્શરૂપ છે. આત્માની સાધના એ જગતનું સર્વોત્કૃષ્ટ અભિનંદનીય
કાર્ય છે.
* બંધુઓ, ભગવાનનો સર્વ ઉપદેશ “માં સમાય છે. તે “ દ્વારા ગુરુદેવ આપણને
એમ કહે છે કે “ના વાચ્યરૂપ શુદ્ધાત્મા, તેની તમે સ્વાનુભૂતિ કરો.
જેમ ઓમ માં બધી ભાષા સમાય છે તેમ સ્વાનુભૂતિમાં આત્માના બધા
ધર્મો સમાય છે. સ્વાનુભૂતિ તે જ જ્ઞાનબીજ છે.
* હે ગુરુદેવ! આપે અનેક આત્માર્થીઓને આત્મજીવન આપ્યું છે. આત્માર્થી
બાળકોના આપ જીવનરક્ષક છો. પરમવાત્સલ્યથી આપ અમને મોક્ષમાર્ગ પ્રત્યે
દોરી રહ્યા છો. ... આપશ્રીના ઊંડા– ઊંડા પવિત્ર અધ્યાત્મજીવનને ઓળખવાની
અને તેને અનુસરવાની અમને શક્તિ આપો.
* સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો આપો છો ઉપદેશ;
મિથ્યાત્વનો ધ્વંસ કરાવા આપો છો આદેશ;
જૈનધર્મનો મર્મ સમજાવી દૂર કર્યું અજ્ઞાન,
ભવસાગરથી તરવા અમને આપ્યું સમ્યગ્જ્ઞાન.
* હે નાથ! તમારી વાણી દ્વારા ચૈતન્યના અમૃતનું રસપાન કરતાં અમને મોક્ષ
જવાની એવી લગની લાગી છે કે હવે આ રાગ–દ્વેષથી ભરેલા સંસારમાં એક
ક્ષણ માટે પણ રહેવું ગમતું નથી. આપે અમને સાચું સ્વરૂપ બતાવ્યું છે.

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
અમારા સાચા સ્વરૂપની અમને એવી તો ધગશ લાગી છે કે હવે અમારું મન
મોહ–માયાથી ભરેલા આ સંસારથી વિરક્ત થઈ ગયું છે. હવે તો એમ જ થાય
છે આનંદ.... આનંદ..... આનંદથી ભરપૂર એવા મોક્ષની પ્રાપ્તિ કરી લઉં.
[કલકત્તાના કહાન – બાલમંડળના નાનકડા સભ્યોનું ભાવભીનું લખાણ આપ વાંચી રહ્યા છો.]
* અરે જીવ! અનંતકાળથી નથી મળી એવી ડીગ્રી આ આત્માના ભણતરથી તને
મળી જશે. ’ – બાલમંડળના બાળકોએ ગુરુદેવના આ કથનને બરાબર લક્ષ્ય
બનાવ્યું છે.
* શનિ – રવિવારે ભક્તિ – પૂજનના કાર્યક્રમમાં તો, દરેક બાલ – સભ્ય જાણે
અરિહંત બનવાની ઉત્કંઠા સેવતો હોય! એવું અનુપમ દ્રશ્ય થઈ જાય છે.
* બાલમંડળ સ્થપાયા પછી દરેક નાના – મોટા સભ્યો એકબીજા સાથે ગાઢ
પરિચયમાં આવ્યા..... અને આપણે બધા સાધર્મી ભાઈ – બેનો છીએ તેવી
ઊંચી ભાવના પેદા થઈ. સાધર્મી બંધુઓ પ્રત્યેની અપાર લાગણી એ પણ
આપણા ઉમદા સંસ્કારનું કારણ છે.
[યાદ રહે કે આ બાલમંડળ સ્થાપનાની મૂળ પ્રેરણા ‘આત્મધર્મ’ ના
બાલવિભાગે જગાડી છે. બાળકોને યોગ્ય ઉત્સાહ ને દોરવણી આપવામાં આવે
તો તેઓ કેટલું સુંદર કાર્ય કરી શકે છે! ને જૈનશાસનના વિકાસમાં કેવો સુંદર
ફાળો આપી શકે છે! તેનું આ એક ઉદાહરણ છે. માટે જ વારંવાર કહેવામાં આવે
છે કે –
પ્રભાવના જિનધર્મની જગમાં ચાહો મહાન,
સમાજનાં સૌ બાળને આપો તત્ત્વનું જ્ઞાન.
* સભ્યોમાં ઘણી ભક્તિ–ભાવના – ઉત્સાહ– જિજ્ઞાસા છે; અંદરની આત્મભાવના
ઘણી જાગૃત છે. તેમાં ખૂબ આગળ વધવા માટે આ આધ્યાત્મિક અંક
(જ્ઞાનબીજ) બહાર પાડેલ છે. તેની અંદર, ધાર્મિક સંસ્કારનું સીંચન થાય અને
વીતરાગભાવ જગાડે એવા વિષયોનો સંગ્રહ કર્યોછે. જિનવરનાં સૌ સંતાન શ્રદ્ધા
– જ્ઞાન – ચારિત્રના હલેસાદ્વારા ભવસમુદ્રને તરીને મોક્ષમાં સાદિ – અનંત
ભગવાનનો સાથ પામે... એ જ અભ્યર્થના. – જય જિનેન્દ્ર.
* હે ગુરુદેવ! આપ તો અમારા ધર્મપિતા, ને અમે આપના બાળક અમારા જીવ–

PDF/HTML Page 16 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
નનું મહાન સૌભાગ્ય છે કે અમે આપના પરિવારના થયા. હવે સદાય આપની
સાથે ને સાથે રહીને, આપની મંગળ છાયામાં આપના આશીર્વાદથી સમ્યક્ત્વાદિ
આત્મલાભને પ્રાપ્ત કરીએ, ને ચોરાસીના ફેરાથી છૂટીએ... એવી પ્રાર્થના
કરીએ છીએ.
* અહો, મુનિરાજની દશા! વન – જંગલની વચ્ચે વાસ, અંતરમાં અનંતગુણોના
અભેદપિંડમાં વાસ; બહાર શીતળ હવાથી લહેરાતું વાતાવરણ, અંદરમાં ઊઠતી
શાંતપરિણતિની શીતળ લહરીઓ; બહારમાં ધન – વસ્ત્ર ઘરબારનો ત્યાગ,
અંદર શુદ્ધ રત્નત્રયનાં મહા નિધાન; બહારમાં શત્રુ – મિત્ર પ્રત્યે સમભાવ. અંદર
અનંત ગુણની અભેદ પરિણતિરૂપ સમભાવ; કેવી – અદ્ભુત છે – આ
જૈનમુનિની દશા! એવા મુનિને અમારા લાખો – કરોડો વંદન હોજો.
કાયાસે મમતાકો ટારી, કરતે સહન પરિસહ ભારી,
પંચ મહાવ્રતકે હો ધારી, તીન રતનકે બને ભંડારી.
આત્મસ્વરૂપમેં ઝુલતે... . કરતે નિજ આતમ ઉદ્ધાર....... કિ તુમને છોડા સબ સંસાર.
* વનમાં રહેતા હોવા છતાં મુનિનો સાચો વાસ તો અનંતગુણધામ નિજ આત્મામાં
છે; તેમને કદી એમ એકલાપણું નથી લાગતું કે તેઓ વનમાં રહે છે.... તેમને તો
એમ જ છે કે અમે અમારા નિજ અંતરમાં અનંતગુણના કુટુંબ સાથે આનંદથી
રહીએ છીએ. આ રીતે મુનિ નિજધામમાં જ વાસ કરીને નિજ આત્મવૈભવને
ભોગવે છે; બહારના વૈભવ સાથે તેમને કાંઈ જ સંબંધ નથી. આવા મુનિવરો
નિસ્પૃહપણે જગતના જીવોને આત્મહિતનો ઉપદેશ આપે છે. –જાણે અમૃત ઝરતું
હોય! આવા આત્મવૈભવધારી મુનિવરોને કોટિકોટિ વંદન......અને આપણે પણ
એવી મુનિદશા પ્રાપ્ત કરીએ એવી અંતરની ભાવના.
* હે આત્મા! તું અનંત ગુણોના વૈભવથી ભરેલો ચૈતન્યરાજા છો. ચૈતન્યરાજા
થઈને પણ તું એક ભીખારીની જેમ પર પાસેથી સુખ લેવા માટે શુભાશુભ
ભાવો પાછળ કેમ ફરી રહ્યો છે! અનાદિ કાળથી તારા ખરા સ્વરૂપ તરફ તેં
ધ્યાન નથી દીધું.
સિદ્ધ ભગવાનને જો! તેઓ પોતાની મોક્ષદશામાં બિરાજી રહ્યા છે ને
પરમ સુખ મ્હાલી રહ્યા છે. તે પણ તારી જેમ જ અનંત ગુણના પિંડ

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આત્મા છે, તેમણે પોતાના ખરા સ્વરૂપને ઓળખીને તે પ્રગટ કરી લીધું છે.
સુખી થવા માટે તું પણ એમ કર.
* હે ભવ્ય જીવ! તારા આત્મામાં અને સિદ્ધભગવંતોના આત્મામાં જરાય તફાવત
નથી; તો પછી સિદ્ધભગવંતો શા માટે મોક્ષસુખમાં, ને તું શા માટે સંસાર
દુઃખમાં! તેનો વિચાર કર. તેનું કારણ એ જ છે કે સિદ્ધ ભગવંતોએ પોતાના
આત્માનું સાચું સ્વરૂપ ઓળખીને પોતાનું સાચું સુખ પ્રગટ કર્યું છે; જ્યારે તું
સુખ પ્રગટ કરવા તારા સાચા સ્વરૂપ તરફ ધ્યાન ન આપતાં પરની પાસેથી
આશા રાખી રહ્યો છે. પરની સામે ધ્યાન રાખવાથી સુખ કદાપિ પ્રાપ્ત થવાનું
નથી – કેમકે તેમાં તારું સુખ નથી. સુખ નથી. સુખ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે
જીવ પોતાના આત્માના સાચ સ્વરૂપને ઓળખે અને તેમાં એકાગ્ર થઈને તે
પ્રગટ કરે.
* હે જીવ! તું એમ સમજે છે કે પરની સામે જોવાથી સુખની પ્રાપ્તિ થાય છે, પણ તે
ખોટું છે. તારો આત્મા પરમ સુખનો દરિયો છે, તેમાં જોતાં સુખ થાય છે.
તું ચૈતન્યરાજા સુખસમૃદ્ધિથી ભરપૂર હોવા છતાં, પરની પાછળ પડ્યો છે
ને પર પાસે સુખની ભીખ માંગી રહ્યો છે, – એ એક ઘણી જ દુઃખદાયક અને
ઘણી જ શરમજનક વાત છે.
પરમાંથી તને સુખ મળે એ ત્રણકાળમાં શક્્ય નથી. જ્યારે તે શક્ય નથી
તો શા માટે નકામો પર પાસે ભીખ માંગવા જાય છે? તારે તો તારા ચૈતન્યપૂર્ણ
આત્માને ઓળખીને તેને અનુભવવો જોઈએ.–તેથી તને પણ સિદ્ધ ભગવંતોની
જેમ પૂર્ણસુખની પ્રાપ્તિ થશે. પરમાંથી સુખ લેવાનું–કે જે અશક્્ય છે–તેની પાછળ
નકામી જીંદગી ગુમાવવા કરતાં, સ્વમાંથી સુખ લેવાનું – કે જે શક્્ય છે – તેનો
ઉદ્યમ કર ને! અત્યારે સમય છે માટે ઝટ કરી લે.
* એક માણસની તિજોરીમાં કરોડો સોનામહોર પડી છે, પણ તેનું ભાન ન હોવાથી
તેનો દીકરો બહારના માણસો પાસે ભીખ માંગે છે, પોતાની તિજોરીમાં જ જે
મિલ્કત છે ને જેનો પોતે માલિક છે – તેની તેને ખબર નથી. તેમ આત્મા પણ
પોતાની પાસે અંતરમાં અનંતગુણની સંપત્તિ ભરી હોવા છતાં, પોતાની સંપદાની
તેને ખબર નથી એટલે સુખ – શાંતિ – જ્ઞાન આનંદ માટે તે બહારના

PDF/HTML Page 18 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧પ :
વિષયોની ને રાગની રુચિ કરીને તેની પાસે ભીખ માંગી રહ્યો છે, પોતામાં જ જે
સુખસંપત્તિ છે તેને ભોગવતો નથી.
જેમ તે કરોડપતિના દીકરાના કોઈ સંબંધી–હિતસ્વી, કે જેને તેની મૂડીની
ખબર છે, તે તેને કહે કે ભાઈ, તું ધન વગરનો નથી, તારી પાસે તો
સોનામહોરોના ઢગલા છે. જો આ તિજોરીમાં સોનામહોરો ભરી છે તે તારી જ
છે, તું જ તેનો માલિક છો. –તે સાંભળીને અને પોતાની અપાર સંપત્તિ દેખીને તે
કેવો આનંદમાં આવી જાય છે! તેમ અહીં જીવના પરમ હિતસ્વી જ્ઞાની સંતો
અનંત ચૈતન્યસંપદાને દેખીને કહે છે કે હે જીવ! તું ગરીબ દુઃખી નથી,
જ્ઞાનસુખની અનંત સંપત્તિ તારામાં ભરી છે. જે સુખ મેળવવા માટે તું બહારમાં
પરવસ્તુમાં ફાંફાં મારે છે તે તો તારામાં જ ભરપૂર ભર્યું છે. જે અનંત જ્ઞાન –
સુખસ્વભાવ છે તે તારો જ છે, તું જ તેનો માલિક છો. બહાર ક્્યાંય શોધવા
જવું પડે તેમ નથી, અંદર તારામાં જ દેખ. અહા! જ્ઞાની – સંતોની આ વાત
સાંભળતાં ને પોતાની અનંત ચૈતન્યસંપદા પોતામાં દેખતાં જીવને કેવો અદભુત
મહાન પરમ આનંદ થાય છે!
* વાહ રે વાહ! આત્મા તું સાચો મહાત્મા છો...... જ્ઞાયક તે જગતનો નાયક છે.
જ્ઞાયકભાવથી ભરેલો પરમ આનંદથી પૂરો, અને ઈંદ્રિયોથી પાર એવો મહાન
અતીન્દ્રિય પદાર્થ આત્મા પોતે છે. આવા મહાન ચૈતન્યની અનુભૂતિથી ઊંચું કે
સુંદર જગતમાં બીજું કાંઈ જ નથી.
* આત્માની આનંદસાધનામાં જગતની કોઈ વસ્તુ બાધક થતી નથી તો ક્રોધ કોના
ઉપર કરવો?
આત્માની આનંદસાધનામાં જગતની કોઈ વસ્તુ સહાયક થતી નથી તો
રાગ કોના ઉપર કરવો?
* જ્ઞાનીની સેવા રાગ વડે થતી નથી, જ્ઞાનીની સેવા જ્ઞાનવડે જ થાય છે. રાગથી
ભિન્ન જ્ઞાનરૂપે જે પરિણમ્યો તેણે જ જ્ઞાનીની સાચી સેવા કરી.
* મોક્ષ એટલે સુખ.... તેનો માર્ગ તે પણ સુખ.
રાગ તે દુઃખ છે... તે સુખનો માર્ગ નથી.

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
રાગને મોક્ષનો માર્ગ માનવો તે તો દુઃખને દુઃખને સુખ માનવા જેવું છે.
રાગ તે સુખનો માર્ગ નથી, રાગ તો દુઃખનો માર્ગ છે.
રાગથી રહિત જ્ઞાનસ્વરૂપ આત્માને સાધવો તે સુખનો માર્ગ છે.
* આનંદધામમાં શોક શા? સુખધામમાં દુઃખ શા?
જ્ઞાનધામમાં રાગ શા? મુક્તિમાર્ગમાં મુંઝવણ શી?
* જૈનધર્મનો સાચો મર્મ...... શુદ્ધભાવથી તૂટે કર્મ.
આતમતત્ત્વ જગમાં અજોડ..... લક્ષને જોડ, ભવને તોડ.
સંતોની વાત ટૂંકી ને ટચ...... સ્વમાં વસ, પરથી ખસ.
લાખ વાતની એક જ વાત..... લખ આતમને તું હે ભ્રાત!
* શાંત – ચૈતન્યરસથી ભરેલા તારી નિર્મળપર્યાયરૂપી કળશ વડે તું તારા
પરમાત્માનો અભિષેક કર.... જેથી તારા પરભાવરૂપી મેલ ધોવાઈ જશે.
* ગુરુ – પારસમણિના જ્ઞાનસ્પર્શદ્વારા અમારું અજ્ઞાન દૂર થાઓ..... સમ્યક્ત્વાદિ
સુવર્ણભાવ જાગૃત થાઓ.
* શ્રીગુરુ એવો ચૈતન્ય – પારસમણિ બતાવે છે કે જેનો સ્પર્શ થતાં પરિણતિ પણ
તેના જેવી જ બની જાય છે.
[ઉત્તમ ભાવનાપૂર્વક આવું ધાર્મિક લખાણ લખવા બદલ બાળકોને ધન્યવાદ.]
એક બીજ ગઈને બીજી મંગળ બીજ નજીક આવી રહી છે ત્યારે આ ‘જ્ઞાનબીજ’
સૌને ગમશે.... બીજને સાચી રીતે ઉજવવા ‘જ્ઞાનબીજ’ પ્રગટ કરો.
સહેલું
જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ પણ છોડવું – એકદમ સહેલું કેમ પડે છે?
કેમકે, તેનાં કરતાં જુદી જાતનું, ઘણું ઊંચું – મહાન – શાશ્વત આનંદમય
ચૈતન્ય રાજ તેણે પોતામાં પ્રાપ્ત કર્યું છે. તે ચૈતન્યરાજ પાસે ચક્રવર્તીનું રાજ પણ
છોડવું સહેલું છે.

PDF/HTML Page 20 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
જીતો ક્ષમાથી ક્રોધને
રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેવીએ
અરે જીવ! ક્રોધ તારો સ્વભાવ નથી, શાંતિ તારો સ્વભાવ છે.
શાંતિના તારા સમુદ્રમાં ક્રોધવડે તું આગ ન લગાડ. શાંતરસના તારા
ચૈતન્યસમુદ્રમાંથી કાંઈ રાગ – દ્વેષના તણખા ન નીકળે... . એમાંથી તો
શાંતિ અને સુખના વીતરાગી અમૃત નીકળે, તારા ક્ષમાદિ ભાવોમાં
અનંતી તાકાત છે તેને સંભાળ, ને ક્રોધાદિને જીતી લે. અજ્ઞાનને લીધે
રાગાદિ પરભાવની આગમાં તું સદા બળી રહ્યો છે, ભાઈ! હવે તારા
શાંત ચૈતન્યસમુદ્રમાંથી અમૃત પી..... ને એ અમૃતના પાનવડે રાગને
આગને બુઝાવી નાંખ.
[નિયમસાર ગાથા ૧૧પ તથા છહઢાળા – પ્રવચનમાંથી]
આત્માના પરમ શાંતસ્વભાવના સેવન વડે જ ક્રોધાદિ કષાયોને જીતી શકાય છે.
અરે જીવ! તું તો સર્વજ્ઞસ્વભાવી મહાન તત્ત્વ પરમ શાંતરસનો સમુદ્ર છો... છતાં
રાગની આગમાં કેમ બળી રહ્યો છો? ભાઈ, તેનાથી જુદો પડીને તારા સમતારસનું
સેવન કર.
જરાક પ્રતિકૂળતા આવે કોઈ, નિંદા કરે, ગાળ દે, હલકા આળ નાંખે ત્યાં તને
ક્રોધની આગ કેમ ભભૂકી ઊઠે છે? – એમાં તો તારો આત્મા દાઝે છે. બીજા નિંદા કરે
તેથી કાંઈ તને નુકશાન થઈ જતું નથી, તારા ક્રોધથી તને નુકશાન થાય છે. માટે
ક્ષમારૂપી ચૈતન્યના શાંતરસ વડે ક્રોધાગ્નિે બુઝાવ. અહો, પરમ શાંતરસમય ક્ષમા, તે
તારા ચૈતન્યનું સ્વરૂપ છે, તે વીતરાગી સમતારસનો સ્વાદ લે. આ ચૈતન્યની ક્ષમાના
શાંતરસના સ્વાદ પાસે, ક્રોધાદિ કષાયભાવો તો તને અગ્નિ જેવા લાગશે. શાંતિના
હિમાલયની ઠંડકમાંથી બહાર નીકળીને ક્રોધના અગ્નિમાં કોણ જાય? અહીં ક્રોધનું દૃષ્ટાંત
છે, તેની જેમ સમસ્ત અશુભ કે શુભ રાગરૂપ જે વિભાવભાવો છે તે બધાય ચૈતન્યની
શાંતિ પાસે તો આગ જેવા છે. અજ્ઞાની ચૈતન્યને ભૂલીને સદા રાગની આગમાં