PDF/HTML Page 1 of 49
single page version
PDF/HTML Page 2 of 49
single page version
PDF/HTML Page 3 of 49
single page version
શ્રાવણસુદ પૂનમ આવે છે ને વાત્સલ્યના મધુર સંદેશ લાવે છે. લૌકિકમાં બહેન
સાધર્મીનો ધર્મસંબંધ તો ભાઈ – બહેનના સંબંધ કરતાંય વધુ ઊંચો છે, એના પરસ્પર
વાત્સલ્યની શી વાત!
પુત્ર ઉપરનું સંકટ માતા દેખી શકતી નથી તેમ ધર્માત્મા ઉપર કે ધર્મી ઉપરનું કોઈ સંકટ
ધર્માત્મા દેખી શકતા નથી, તેમના પ્રત્યે સહેજે વાત્સલ્ય આવી જાય છે. સાધર્મીને
દેખીને પ્રેમ – પ્રસન્નતા અને આ મારા સ્વજન છે એવો આત્મીયભાવ ધર્મીને આવે છે;
તેથી એકબીજાની ધાર્મિકભાવનાની અનુમોદના અને પુષ્ટિ કરે છે.
જૈનમાર્ગ, તેને ઉપાસનારા સાધર્મીઓ ધન્ય છે.... આદરણીય છે, તેમને માટે હું જેટલું
કરું એટલું ઓછું છે.
ધર્માપિતાના સૌ વીર–સંતાનો એક બનીએ, વીરનાથના માર્ગમાં આપણા જીવનને
પવિત્ર કરીને વાત્સલ્યના શણગારથી શોભાવીએ, ને જૈનધર્મધ્વજને આનંદથી જગતમાં
ફરકાવીએ...એ જ ભાવના..
PDF/HTML Page 4 of 49
single page version
માટે, આનંદનો અનુભવ કરવા. માટે, ધીમેધીમે નહિ
માટે અત્યારે જ ઉત્તમ ચોઘડીયું છે. તારા હિત માટે
PDF/HTML Page 5 of 49
single page version
પોતાના દ્રવ્ય સાથે અનન્યપણું છે, એટલે તારી દરેક પર્યાયમાં તારા
દ્રવ્યને અનન્યપણે દેખ. એકલી પર્યાયને ન દેખ, પર્યાયમાં અનન્ય
એવા દ્રવ્યને દેખ.
થતાં પર્યાય શુદ્ધ થઈને પરિણમી. દ્રવ્યસ્વભાવમાં અનન્ય થયેલી તે
પર્યાય હવે રાગમાં તન્મય કેમ થાય? દ્રવ્યસ્વભાવ તરફ ઝુકેલા
જ્ઞાનભાવને રાગથી તો અન્યપણું થઈ ગયું. અહો, દ્રવ્ય–પર્યાયના
અનન્યપણાના સિદ્ધાંતમાં તો રાગથી ભિન્નપણું થઈ જાય છે એટલે
રાગનું અકર્તાપણું થઈ જાય છે. આવું વીતરાગી તાત્પર્ય સમજે, –એટલે
કે આવા ભાવરૂપે પોતે પરિણમે, તો જ શાસ્ત્રનું રહસ્ય સમજ્યો
કહેવાય. મારી પર્યાયનું અનન્યપણું મારા જ્ઞાનસ્વભાવી દ્રવ્ય સાથે છે,
– બીજા કોઈ સાથે નહિ, –આમ નક્કી કરતાં તો પરિણમનનો આખો
પ્રવાહ જ સ્વસન્મુખ પલટી ગયો, મોક્ષ તરફની પર્યાયનો અપૂર્વ પ્રવાહ
શરૂ થયો. આવા જીવને જ ‘દ્રવ્યની ક્રમબદ્ધપર્યાય’નું સાચું રહસ્ય
સમજાય છે.
PDF/HTML Page 6 of 49
single page version
સમજીને પોતાના ચૈતન્યભાવમાં જ તન્મય પરિણમતો જીવ, કર્મનો અકર્તા થઈને
મોક્ષને સાધે છે.
તન્મયપણે વર્તે છે, તે અજીવથી જુદો છે; અને અજીવ પણ પોતાના અજીવપરિણામમાં
તન્મયપણે વર્તે છે; તે જીવથી જુદું છે.–આમ બન્નેને ભિન્નપણું છે. આ રીતે પોતપોતાના
પરિણામમાં જ તન્મય વર્તતા દ્રવ્યને, બીજા દ્રવ્યની સાથે કર્તાકર્મપણું નથી.
કર્તાપણું માને છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ જીવને સંસાર છે.
જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, પરને આશ્રિત (કર્મને આશ્રિત) અજ્ઞાનપણે
ઊપજતો થકો કર્મોથી બંધાય છે, ને સંસારમાં રખડે છે.
સાથે તેને સંબંધ નથી, બીજા કોઈની તેને અપેક્ષા નથી.
તેમાં કોઈને બીજાનો આશ્રય નથી.
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે.
શકતું નથી. અરે, આવું પરથી નિરપેક્ષપણું સમજે તો સન્મુખ થઈને
PDF/HTML Page 7 of 49
single page version
જ્ઞાનમાં રાગનું કર્તાપણું કેવું? ને જ્ઞાનને કર્મનું બંધન કેવું? આવા જ્ઞાનપણે પરિણમતો
અનંતગુણના નિર્મળક્રમમાં પરિણમી રહ્યો છે.–તે પરિણમનમાં રાગનું કર્તૃત્વ
તેને નથી.
જાય, જીવ ને અજીવ બન્ને એક થઈ જાય એટલે કોઈની જુદી સત્તા જ ન રહે, ‘સત્તાનો
જ્ઞાનભાવમાં જ તન્મયપણે જ્ઞાનરૂપે જ પરિણમે છે, તે જ્ઞાનભાવ કર્મમાં નિમિત્ત નથી, ને
ને પોતાના અનંતગુણની નિર્મળપર્યાયમાં તન્મયપણે ઉપજતો થકો તેનો તે કર્તા છે.
નહિ. પરથી અત્યંત ભિન્નપણું નક્ક્ી કરીને, પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્વાશ્રયે
નથી. આ રીતે સ્વભાવથી નિર્મળ પરિણામમાં ઊપજતો આત્મા રાગાદિનો તથા
ધર્મીનું કાર્ય.
PDF/HTML Page 8 of 49
single page version
*
– એમ તો ક્યાંય જોવામાં આવતું નથી.
જીવ ઉપજીને અજીવની કોઈ પર્યાયને કરતો હોય, ધનની પર્યાય, શરીરની
PDF/HTML Page 9 of 49
single page version
છે, બહાર જતું નથી. આ નિયમ જગતમાં બધા જીવ તેમજ બધા અજીવ પદાર્થોમાં લાગુ
પાડી લેવો.
જ્ઞાનપર્યાયને ઉપજાવતા નથી, કે કોઈ પ્રતિકૂળ સંયોગોના ગંજ હોય–તે કાંઈ આની
જ્ઞાનપર્યાયની ઉત્પત્તિને રોકી શકતા નથી. ભલે, બંનેની પર્યાયો એક સાથે થાય છતાં
કોઈ એકબીજાના કર્તા નથી. અહો, આ વીતરાગી વિજ્ઞાન છે. આવા વસ્તુસ્વરૂપને
જાણનારું જ્ઞાન રાગથી પણ છૂટું પડી જાય છે ને અંદર જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને
પોતાના જ્ઞાનમય ભાવને જ કરતું થકું મોક્ષમાર્ગ પ્રગટ કરે છે, તે જ્ઞાન પોતે રાગનું
અકર્તા થઈ, રાગથી જુદું થઈ, વીતરાગભાવરૂપ પરિણમે છે ને મોક્ષને સાધે છે. અહા,
જગતમાં કોઈની અપેક્ષા વિના, રાગની – વિકલ્પની પણ અપેક્ષા વિના, મારો
જ્ઞાનસ્વભાવી આત્મા પોતે શુદ્ધ જ્ઞાનાનંદ પરિણામરૂપે તન્મય થઈ પરિણમે છે. – આવી
પ્રતીત સ્વસન્મુખતા વડે જ થઈ શકે છે. સમ્યગ્દ્રર્શન વગર આવી અપૂર્વ પ્રતીત થઈ
શકે નહીં.
થઈને તેમાં તન્મય વર્તે છે ને મોટરના પુદ્ગલોથી જુદો જ વર્તે છે–આમ બંને દ્રવ્યોનું
જુદાપણું સ્પષ્ટ દેખાય છે. છતાં તેમનામાં કર્તા–કર્મપણું માને છે તે અજ્ઞાનીનો ભ્રમ છે.
તે ભ્રમને લીધે તે પરાશ્રયે રાગ–દ્વેષ કરીકરીને દુઃખી થાય છે ને સંસારમાં રખડે છે.
સત્ય વસ્તુસ્વરૂપની સમજણનું ફળ તો સુખ છે.
ઉત્પાદકપણું નથી. પૈસા શરીર વગેરે અજીવ પદાર્થો કાંઈ જીવની સુખપર્યાયના ઉત્પાદક
નથી. સુખસ્વભાવી જીવદ્રવ્ય પોતે પોતાની સુખપર્યાયનું ઉત્પાદક છે,–પોતે તે–રૂપે
પરિણમે છે, તે સુખપરિણામમાં જીવદ્રવ્યને તન્મયપણું છે. આમ સમજે તે પોતાના સુખ
માટે ક્યાંય પરનો આશ્રય ન શોધે, પણ પોતાના સ્વદ્રવ્યના આશ્રયે પોતે જ સુખરૂપે
પરિણમે આનું નામ ધર્મ છે.
PDF/HTML Page 10 of 49
single page version
રૂપ જ હોય, ને ચૈતન્યભાવમાં રાગાદિનું કર્તાપણું રહે નહિ; એટલે દ્રવ્યસ્વભાવમાં જેણે
તન્મયપણું સ્વીકાર્યું તેની પર્યાયોનો ક્રમ શુદ્ધ ચૈતન્યભાવરૂપ જ હોય ને તેને રાગનું
અકર્તાપણું જ હોય. ચૈતન્યદ્રવ્ય સાથે તન્મય પરિણમેલી પર્યાય રાગ સાથે તન્મય થાય
નહિ.–ધર્મીજીવ પોતાના સ્વભાવના આશ્રયે આવી ચૈતન્યમય ક્રમબદ્ધ પર્યાયરૂપે
પરિણમતો થકો મોક્ષને સાધે છે.–આવું ફળ આવે તેણે જ જીવ–અજીવના
ક્રમબદ્ધપરિણામની ને સર્વજ્ઞની સાચી શ્રદ્ધા થઈ છે; એકલા પરિણામની શ્રદ્ધા નથી;
પરિણામ સાથે અભેદ વર્તતા દ્રવ્યસહિત તેની પર્યાયને જાણે છે. પર્યાય સાથે દ્રવ્યનું
અનન્યપણુંકહીને આચાર્યભગવાને ઘણું રહસ્ય ખોલ્યું છે. અંદર આત્માનો જ્ઞાન
સ્વભાવ શુંચીજ છે તે બેઠા વગર એક્કેય વાતનું સાચું રહસ્ય સમજાય તેમ નથી. અને
જ્ઞાનસ્વભાવમાં સ્વસન્મુખ થઈને આ વાતનું રહસ્ય જે સમજ્યો તે તો ન્યાલ થઈ જાય
છે! તેને ભવના છેડા આવી જાય છે ને મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે.
અમે અનન્ય માનીએ છીએ,–તો તેની વાત સાચી નથી. એણે દ્રવ્યસ્વભાવને જાણ્યો જ
નથી, ને પરથી ભિન્નતા પણ જાણી જ નથી. દ્રવ્યસ્વભાવ સાથે અનન્યપણું માનતાં તો
પર સાથે કર્તાકર્મની મિથ્યાબુદ્ધિ છૂટીને પર્યાય અંતરમાં સ્વ–સન્મુખ થઈને સમ્યક્ત્વાદિ
શુદ્ધભાવરૂપ પરિણમી જાય છે. એમાં બીજા કોઈની અપેક્ષા રહેતી નથી.
તરફ ચાલ્યું.
PDF/HTML Page 11 of 49
single page version
આત્માના અવલંબનરૂપ જે ધ્યાન છે તે જ સર્વ પરભાવના અભાવરૂપ હોવાથી,
સર્વસ્વ છે એટલે કે તે ધ્યાનમાં સામાયિક પ્રતિક્રમણાદિ સર્વે ધર્મો સમાય છે.
આનંદ મૂર્તિ આત્મામાં એકાગ્ર થતાં જે શુદ્ધતા થઈ તેમાં પરમાર્થ વ્રત–તપ વગેરે
બધા આચાર સમાઈ જાય છે.
અવલંબન કરતા કોઈપણ પરભાવ ન રહે, ને અનંતા ગુણો નિર્ણય ભાવરૂપે
પરિણમે, એવો મહાન પદાર્થ આત્મા છે. તેમાં સ્વસન્મુખ થયેલી પર્યાયમાં
અનંત ધર્મો સમાય છે.
અપૂર્વ ધર્મ છે. જીવે કદી પોતાના નિજતત્ત્વનું અવલંબન પૂર્વે લીધું ન હતું,
પરના જ અવલંબને શુભ–અશુભ પરભાવ જ કર્યાં હતા; તે પરભાવમાં ક્યાંય
ધર્મ કે શાંતિ નથી. આસન્ન ભવ્ય જીવ અંતર્મુખ થઈને પોતાના પરમતત્ત્વને
ધ્યાવે છે – તેમાં એકાગ્ર થાય છે – તેને સ્વના અવલંબને શુદ્ધતા થતાં અત્યંત
અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટે છે.
ભેદના પર્યાયના અવલંબને કાંઈ શુદ્ધતા થતી નથી. અભેદસ્વભાવના
અવલંબનરૂપ ધ્યાનમાં બધા ધર્મો સમાય છે.
PDF/HTML Page 12 of 49
single page version
અચિંત્ય–મહિમાને જાણતાં કોઈ પરદ્રવ્યના અવલંબનની બુદ્ધિ રહેતી નથી; કોઈ
પણ પરદ્રવ્યના અવલંબનને શુભ–અશુભ રાગ થાય, તે પરભાવ છે; તેથી
પરદ્રવ્યનું અવલંબન છોડીને જ્ઞાનાનંદરૂપ પરમ સ્વભાવનું પોતાનું અવલંબન
કરવું, તે જ ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. આવા વીતરાગમાર્ગમાં તો,
પોતામાંય જ્ઞાનાદિના ભેદનું અવલંબન પણ છોડવા જેવું છે ત્યાં પરના
અવલંબનની તો શી વાત? એકલા સ્વદ્રવ્યના અવલંબન સિવાય બીજા કોઈ
માર્ગે મુક્તિ નથી, નથી.
થાય નહિ. જે પર્યાય અંતર્મુખ થઈને જ્ઞાનકસ્વભાવની સેવા કરે છે –અનુભવ
કરે છે તે જ પર્યાય પોતે શુદ્ધ થયેલી જાણે છે કે આત્મદ્રવ્ય આવું શુદ્ધ છે.–આમ
ઉપાસના વડે આત્માની શુદ્ધતાને જાણે ત્યારે આત્મા પોતે શુદ્ધતારૂપે પરિણમે
છે,–તે તેને ‘શુદ્ધ’ કહેવામાં આવે છે. ત્યાં ભાવશ્રુતપર્યાય અભેદ થઈ ગઈ છે,
તેમાં કોઈ ભેદ–વિકલ્પ નથી.
પોતાને અનુભવતું જ્ઞાન, જ્ઞાતાથી ભિન્ન બીજા કોઈપણ ભાવને પોતાપણે વેદતું
નથી. અન્ય કોઈ ભાવ જ્ઞાનપણે અનુભવાય – એવી યોગ્યતા જ તેનામાં નથી.
આત્મા પોતે તે વખતે તેવી ભાવશ્રુતપર્યાયરૂપે પરિણમ્યો છે; આત્મા પોતે કર્તા
થઈને તેને કરે છે. ભાવશ્રુતના પરિણમનમાં તો અનંતગુણની શુદ્ધતા ભેગી છે,
તેમાં કોઈ વિકલ્પ નથી, –ભેદ નથી. આવી દશાને અનુભૂતિ કહો, ભાવશ્રુત
કહો, શુદ્ધાત્મજ્ઞાન કહો, જ્ઞાયકભાવની ઉપાસના કહો.
વાચ્યનો અનુભવ થવો જોઈએ. અહો, એની ગંભીરતાનો ને એના મહિમાનો
પાર નથી, અનુભવથી જ તેનો પાર પડી શકે છે, સમયસાર તો સમયસાર છે...
એમાં ભરેલા અમૃતના સાગર અમૃતચંદ્રદેવે ઉલ્લસાવ્યા છે.
PDF/HTML Page 13 of 49
single page version
PDF/HTML Page 14 of 49
single page version
એક આદર્શરૂપ છે. આત્માની સાધના એ જગતનું સર્વોત્કૃષ્ટ અભિનંદનીય
કાર્ય છે.
એમ કહે છે કે “ના વાચ્યરૂપ શુદ્ધાત્મા, તેની તમે સ્વાનુભૂતિ કરો.
બાળકોના આપ જીવનરક્ષક છો. પરમવાત્સલ્યથી આપ અમને મોક્ષમાર્ગ પ્રત્યે
દોરી રહ્યા છો. ... આપશ્રીના ઊંડા– ઊંડા પવિત્ર અધ્યાત્મજીવનને ઓળખવાની
અને તેને અનુસરવાની અમને શક્તિ આપો.
મિથ્યાત્વનો ધ્વંસ કરાવા આપો છો આદેશ;
જૈનધર્મનો મર્મ સમજાવી દૂર કર્યું અજ્ઞાન,
ભવસાગરથી તરવા અમને આપ્યું સમ્યગ્જ્ઞાન.
જવાની એવી લગની લાગી છે કે હવે આ રાગ–દ્વેષથી ભરેલા સંસારમાં એક
ક્ષણ માટે પણ રહેવું ગમતું નથી. આપે અમને સાચું સ્વરૂપ બતાવ્યું છે.
PDF/HTML Page 15 of 49
single page version
મોહ–માયાથી ભરેલા આ સંસારથી વિરક્ત થઈ ગયું છે. હવે તો એમ જ થાય
છે આનંદ.... આનંદ..... આનંદથી ભરપૂર એવા મોક્ષની પ્રાપ્તિ કરી લઉં.
મળી જશે. ’ – બાલમંડળના બાળકોએ ગુરુદેવના આ કથનને બરાબર લક્ષ્ય
બનાવ્યું છે.
અરિહંત બનવાની ઉત્કંઠા સેવતો હોય! એવું અનુપમ દ્રશ્ય થઈ જાય છે.
પરિચયમાં આવ્યા..... અને આપણે બધા સાધર્મી ભાઈ – બેનો છીએ તેવી
ઊંચી ભાવના પેદા થઈ. સાધર્મી બંધુઓ પ્રત્યેની અપાર લાગણી એ પણ
આપણા ઉમદા સંસ્કારનું કારણ છે.
તો તેઓ કેટલું સુંદર કાર્ય કરી શકે છે! ને જૈનશાસનના વિકાસમાં કેવો સુંદર
ફાળો આપી શકે છે! તેનું આ એક ઉદાહરણ છે. માટે જ વારંવાર કહેવામાં આવે
છે કે –
સમાજનાં સૌ બાળને આપો તત્ત્વનું જ્ઞાન.
ઘણી જાગૃત છે. તેમાં ખૂબ આગળ વધવા માટે આ આધ્યાત્મિક અંક
(જ્ઞાનબીજ) બહાર પાડેલ છે. તેની અંદર, ધાર્મિક સંસ્કારનું સીંચન થાય અને
વીતરાગભાવ જગાડે એવા વિષયોનો સંગ્રહ કર્યોછે. જિનવરનાં સૌ સંતાન શ્રદ્ધા
– જ્ઞાન – ચારિત્રના હલેસાદ્વારા ભવસમુદ્રને તરીને મોક્ષમાં સાદિ – અનંત
ભગવાનનો સાથ પામે... એ જ અભ્યર્થના. – જય જિનેન્દ્ર.
PDF/HTML Page 16 of 49
single page version
સાથે ને સાથે રહીને, આપની મંગળ છાયામાં આપના આશીર્વાદથી સમ્યક્ત્વાદિ
આત્મલાભને પ્રાપ્ત કરીએ, ને ચોરાસીના ફેરાથી છૂટીએ... એવી પ્રાર્થના
કરીએ છીએ.
અભેદપિંડમાં વાસ; બહાર શીતળ હવાથી લહેરાતું વાતાવરણ, અંદરમાં ઊઠતી
શાંતપરિણતિની શીતળ લહરીઓ; બહારમાં ધન – વસ્ત્ર ઘરબારનો ત્યાગ,
અંદર શુદ્ધ રત્નત્રયનાં મહા નિધાન; બહારમાં શત્રુ – મિત્ર પ્રત્યે સમભાવ. અંદર
અનંત ગુણની અભેદ પરિણતિરૂપ સમભાવ; કેવી – અદ્ભુત છે – આ
જૈનમુનિની દશા! એવા મુનિને અમારા લાખો – કરોડો વંદન હોજો.
પંચ મહાવ્રતકે હો ધારી, તીન રતનકે બને ભંડારી.
છે; તેમને કદી એમ એકલાપણું નથી લાગતું કે તેઓ વનમાં રહે છે.... તેમને તો
એમ જ છે કે અમે અમારા નિજ અંતરમાં અનંતગુણના કુટુંબ સાથે આનંદથી
રહીએ છીએ. આ રીતે મુનિ નિજધામમાં જ વાસ કરીને નિજ આત્મવૈભવને
ભોગવે છે; બહારના વૈભવ સાથે તેમને કાંઈ જ સંબંધ નથી. આવા મુનિવરો
નિસ્પૃહપણે જગતના જીવોને આત્મહિતનો ઉપદેશ આપે છે. –જાણે અમૃત ઝરતું
હોય! આવા આત્મવૈભવધારી મુનિવરોને કોટિકોટિ વંદન......અને આપણે પણ
એવી મુનિદશા પ્રાપ્ત કરીએ એવી અંતરની ભાવના.
થઈને પણ તું એક ભીખારીની જેમ પર પાસેથી સુખ લેવા માટે શુભાશુભ
ભાવો પાછળ કેમ ફરી રહ્યો છે! અનાદિ કાળથી તારા ખરા સ્વરૂપ તરફ તેં
ધ્યાન નથી દીધું.
PDF/HTML Page 17 of 49
single page version
સુખી થવા માટે તું પણ એમ કર.
નથી; તો પછી સિદ્ધભગવંતો શા માટે મોક્ષસુખમાં, ને તું શા માટે સંસાર
દુઃખમાં! તેનો વિચાર કર. તેનું કારણ એ જ છે કે સિદ્ધ ભગવંતોએ પોતાના
આત્માનું સાચું સ્વરૂપ ઓળખીને પોતાનું સાચું સુખ પ્રગટ કર્યું છે; જ્યારે તું
સુખ પ્રગટ કરવા તારા સાચા સ્વરૂપ તરફ ધ્યાન ન આપતાં પરની પાસેથી
આશા રાખી રહ્યો છે. પરની સામે ધ્યાન રાખવાથી સુખ કદાપિ પ્રાપ્ત થવાનું
નથી – કેમકે તેમાં તારું સુખ નથી. સુખ નથી. સુખ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે
જીવ પોતાના આત્માના સાચ સ્વરૂપને ઓળખે અને તેમાં એકાગ્ર થઈને તે
પ્રગટ કરે.
ખોટું છે. તારો આત્મા પરમ સુખનો દરિયો છે, તેમાં જોતાં સુખ થાય છે.
ઘણી જ શરમજનક વાત છે.
આત્માને ઓળખીને તેને અનુભવવો જોઈએ.–તેથી તને પણ સિદ્ધ ભગવંતોની
જેમ પૂર્ણસુખની પ્રાપ્તિ થશે. પરમાંથી સુખ લેવાનું–કે જે અશક્્ય છે–તેની પાછળ
નકામી જીંદગી ગુમાવવા કરતાં, સ્વમાંથી સુખ લેવાનું – કે જે શક્્ય છે – તેનો
ઉદ્યમ કર ને! અત્યારે સમય છે માટે ઝટ કરી લે.
તેનો દીકરો બહારના માણસો પાસે ભીખ માંગે છે, પોતાની તિજોરીમાં જ જે
મિલ્કત છે ને જેનો પોતે માલિક છે – તેની તેને ખબર નથી. તેમ આત્મા પણ
પોતાની પાસે અંતરમાં અનંતગુણની સંપત્તિ ભરી હોવા છતાં, પોતાની સંપદાની
તેને ખબર નથી એટલે સુખ – શાંતિ – જ્ઞાન આનંદ માટે તે બહારના
PDF/HTML Page 18 of 49
single page version
સુખસંપત્તિ છે તેને ભોગવતો નથી.
સોનામહોરોના ઢગલા છે. જો આ તિજોરીમાં સોનામહોરો ભરી છે તે તારી જ
છે, તું જ તેનો માલિક છો. –તે સાંભળીને અને પોતાની અપાર સંપત્તિ દેખીને તે
કેવો આનંદમાં આવી જાય છે! તેમ અહીં જીવના પરમ હિતસ્વી જ્ઞાની સંતો
અનંત ચૈતન્યસંપદાને દેખીને કહે છે કે હે જીવ! તું ગરીબ દુઃખી નથી,
જ્ઞાનસુખની અનંત સંપત્તિ તારામાં ભરી છે. જે સુખ મેળવવા માટે તું બહારમાં
પરવસ્તુમાં ફાંફાં મારે છે તે તો તારામાં જ ભરપૂર ભર્યું છે. જે અનંત જ્ઞાન –
સુખસ્વભાવ છે તે તારો જ છે, તું જ તેનો માલિક છો. બહાર ક્્યાંય શોધવા
જવું પડે તેમ નથી, અંદર તારામાં જ દેખ. અહા! જ્ઞાની – સંતોની આ વાત
સાંભળતાં ને પોતાની અનંત ચૈતન્યસંપદા પોતામાં દેખતાં જીવને કેવો અદભુત
મહાન પરમ આનંદ થાય છે!
જ્ઞાયકભાવથી ભરેલો પરમ આનંદથી પૂરો, અને ઈંદ્રિયોથી પાર એવો મહાન
અતીન્દ્રિય પદાર્થ આત્મા પોતે છે. આવા મહાન ચૈતન્યની અનુભૂતિથી ઊંચું કે
સુંદર જગતમાં બીજું કાંઈ જ નથી.
ઉપર કરવો?
ભિન્ન જ્ઞાનરૂપે જે પરિણમ્યો તેણે જ જ્ઞાનીની સાચી સેવા કરી.
રાગ તે દુઃખ છે... તે સુખનો માર્ગ નથી.
PDF/HTML Page 19 of 49
single page version
રાગ તે સુખનો માર્ગ નથી, રાગ તો દુઃખનો માર્ગ છે.
રાગથી રહિત જ્ઞાનસ્વરૂપ આત્માને સાધવો તે સુખનો માર્ગ છે.
જ્ઞાનધામમાં રાગ શા? મુક્તિમાર્ગમાં મુંઝવણ શી?
આતમતત્ત્વ જગમાં અજોડ..... લક્ષને જોડ, ભવને તોડ.
સંતોની વાત ટૂંકી ને ટચ...... સ્વમાં વસ, પરથી ખસ.
લાખ વાતની એક જ વાત..... લખ આતમને તું હે ભ્રાત!
પરમાત્માનો અભિષેક કર.... જેથી તારા પરભાવરૂપી મેલ ધોવાઈ જશે.
સુવર્ણભાવ જાગૃત થાઓ.
તેના જેવી જ બની જાય છે.
કેમકે, તેનાં કરતાં જુદી જાતનું, ઘણું ઊંચું – મહાન – શાશ્વત આનંદમય
PDF/HTML Page 20 of 49
single page version
રાગની આગમાં કેમ બળી રહ્યો છો? ભાઈ, તેનાથી જુદો પડીને તારા સમતારસનું
સેવન કર.
તેથી કાંઈ તને નુકશાન થઈ જતું નથી, તારા ક્રોધથી તને નુકશાન થાય છે. માટે
ક્ષમારૂપી ચૈતન્યના શાંતરસ વડે ક્રોધાગ્નિે બુઝાવ. અહો, પરમ શાંતરસમય ક્ષમા, તે
તારા ચૈતન્યનું સ્વરૂપ છે, તે વીતરાગી સમતારસનો સ્વાદ લે. આ ચૈતન્યની ક્ષમાના
શાંતરસના સ્વાદ પાસે, ક્રોધાદિ કષાયભાવો તો તને અગ્નિ જેવા લાગશે. શાંતિના
હિમાલયની ઠંડકમાંથી બહાર નીકળીને ક્રોધના અગ્નિમાં કોણ જાય? અહીં ક્રોધનું દૃષ્ટાંત
છે, તેની જેમ સમસ્ત અશુભ કે શુભ રાગરૂપ જે વિભાવભાવો છે તે બધાય ચૈતન્યની
શાંતિ પાસે તો આગ જેવા છે. અજ્ઞાની ચૈતન્યને ભૂલીને સદા રાગની આગમાં