Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૧
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૩૬૧
અહા, અતીન્દ્રિયસુખથી ભરેલા અગાધ
ચૈતન્યનિધાન જેમની પાસે ખુલ્લા હતા એવા વીરનાથ
ભગવાનના આપણે વારસ છીએ...પ્રભુજીએ તે અગાધ
ચૈતન્યનિધાન આપણને પણ સોંપ્યા છે; પ્રભુના વંશમાં
થયેલા વીતરાગી સંતોએ ચૈતન્યનિધાન ખોલવાની ચાવી
આપણને આપી છે. અહા, શ્રીગુરુપ્રતાપે આ કાળે આવા
અગાધ ચૈતન્યનિધાનની પ્રાપ્તિ પ્રભુ વીરનાથના માર્ગમાં
આપણને થાય છે.
‘બાપ એવા બેટા’ હોય છે તેમ આપણે પણ પરમ
ધર્મપિતા વીરપ્રભુનો વારસો લેવા માટે વીર થઈને આત્માને
સાધવાનો છે. આત્મસાધક વીર સ્વાનુભૂતિવડે વીરનાથનો
વીતરાગી વારસો લ્યે છે. અહા, ધનભાગ્ય છે કે આપણે
વીરપ્રભુના વારસ છીએ.
जय महावीर

PDF/HTML Page 3 of 53
single page version

background image
અઢીહજારવર્ષ પહેલાં સિદ્ધાલયમાં સીધાવેલા મહાવીરનાથનો સંદેશ છે કે શરીર
અને રાગ વગરનું ચૈતન્યજીવન તે જ જીવનું સાચું આનંદમય જીવન છે. રાગનો
અનુભવ તે જીવનું જીવન નથી, રાગનો અનુભવ તે આત્મા નથી, એ તો અનાત્મભાવ
છે, ભાવમરણ છે, ચૈતન્યનું આનંદમય જીવન તેમાં હણાય છે. ભેદજ્ઞાનવડે રાગથી
ભિન્ન, ઇંદ્રિયોથી ભિન્ન, અતીન્દ્રિય ચૈતન્યવસ્તુની અનુભૂતિરૂપ જીવન તે જ આત્માનું
સાચું જીવન છે, તે સાચો આત્મા છે; તેમાં જન્મ–મરણનાં દુઃખનો અભાવ છે; તે
ચૈતન્યજીવન આનંદથી ભરેલું છે. ભાઈ! જૈન થઈને તું એકવાર આવું વીતરાગી જીવન
જીવતાં શીખ. તને મહા આનંદ થશે. વીતરાગી સંતો અને અરિહંતો–સિદ્ધો આવું
વીતરાગ ચૈતન્યજીવન જીવે છે. તે જ સાચું જીવન છે.
ચેતન–જીવન સાચું...ચેતન જીવન...જીવી જાણે છે સંતો સાચું જીવન...
સુતાં રે જાગતાં ઊઠતાં બેસતાં...હૈડે રહે છે એનું ખૂબ રટન...
અહો, અતીન્દ્રિય ચૈતન્યના અનુભવથી સંતો અદ્ભુત જીવન જીવે છે, તે જ સાચું
જીવન છે. રાગથી ભિન્ન ચૈતન્યજીવન ધર્મીના અંતરમાંથી એકક્ષણ પણ ખસતું નથી.
જીવ તો જ્ઞાન–આનંદમય સત્તા છે, તે પોતાની ચૈતન્યસત્તાથી જીવન જીવનારો
છે, તેનું જીવન કાંઈ ઇંદ્રિય કે મનના આધારે નથી. આવા આત્માને ઓળખીને
ચૈતન્યના આશ્રયે જે જ્ઞાન–આનંદમય અતીન્દ્રિયભાવ પ્રગટયો તે જ જીવનું સાચું જીવન
છે. આવું જીવન ધર્મી જીવે છે ને જગતને પણ તેવા જ જીવનનો ઉપદેશ આપે છે.–આવું
જીવન જીવવું તે મહાવીરનો સંદેશ છે. જે જીવનમાં આત્માની શાંતિ આવે ને જેના ફળમાં
મોક્ષ થાય, તે જ સાચું જીવન છે. અન્ન–વસ્ત્ર કે શરીરને આધીન જીવવું એ કાંઈ સાચું
જીવન નથી. સિદ્ધભગવંતો શરીર વગર જ સાચું સુખી જીવન જીવી રહ્યા છે.
આવું અતીન્દ્રિય આનંદમય ચૈતન્યજીવન અમે જીવીએ છીએ, અને તમે પણ
એવું આનંદમય ચૈતન્યજીવન જીવો–એમ સિદ્ધપ્રભુના સમાચાર છે. –जय महावीर

PDF/HTML Page 4 of 53
single page version

background image
વાર્ષિક વીર સં. ર૫૦૦
લવાજમ કારતક
ચાર રૂપિયા Nov. 1973
આસો વદ અમાસે ભગવાન શ્રી વીરનાથપ્રભુના મોક્ષગમનનું
અઢીહજારમું (૨૫૦૦ મું) વર્ષ બેઠું. અભૂતપૂર્વ સિદ્ધદશાને પામીને પ્રભુ મુક્ત
થયા. અનંતસુખની પ્રાપ્તિરૂપ સિદ્ધિ, અને દુઃખથી–સંસારથી સર્વથા
છૂટકારારૂપ મુક્તિ, આવી દશા પ્રભુ આ દિવસે પામ્યા; તેનું સ્મરણ કરવાનો
આ દિવસ છે. ગૌતમ સ્વામી આ દિવસે જ કેવળજ્ઞાન પામીને અરિહંત થયા;
અને સુધર્મસ્વામી આ દિવસે જ શ્રુતકેવળી થયા. દેહાતીત થઈને
સિદ્ધભગવાન એમ પ્રસિદ્ધ કરી રહ્યા છે કે અહો જીવો! સંયોગ અને શરીર
વગર જ દેહાતીત ચૈતન્યભાવથી આત્મા પોતે જ સ્વયં સુખી છે...અતીન્દ્રિય
આનંદરૂપ આત્મા પોતે છે.–આવા અતીન્દ્રિય જ્ઞાન–આનંદ સ્વરૂપ આત્માને
ઓળખતાં, પોતે અતીન્દ્રિય જ્ઞાનરૂપ થઈને આનંદનો સ્વાદ આવે છે; –આ
વીરનાથનો માર્ગ છે. આવો માર્ગ જયવંત છે.
મોક્ષના અઢી હજારમા વર્ષના મંગલ–પ્રારંભે દીવાળીની બોણી તરીકે
ગુરુદેવે એ સિદ્ધપદના પરમ મહિમાપૂર્વક કહ્યું કે અહો! આજે મહાવીરપ્રભુના
મોક્ષગમનનું ૨૫૦૦ મું વર્ષ બેઠું. અત્યારે આવો ચોકખો વીરમાર્ગ પામીને,
સમ્યગ્દર્શન વડે (૨+૫) (સાત) પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ કરી દીધો તે
મંગળ છે. સાત પ્રકૃતિ (૨+૫) તેના શૂન્ય (૦૦) નો પ્રારંભ કરવો, એટલે
કે સમ્યક્ત્વની એવી અપ્રતિહત આરાધના કરવી–કે જેમાં વચ્ચે ભંગ પડ્યા
વગર ક્ષાયિકસમ્યક્ત્વ થશે,–તે ભગવાનના મોક્ષકલ્યાણકની સાચી ઉજવણી
છે; તે અપૂર્વ આનંદમય મંગળ છે. સાધકજીવ સમ્યક્ત્વના અખંડ દીવડા
પ્રગટાવીને દીવાળીનો મહોત્સવ કરે છે. આવી આરાધના શરૂ થઈ તેના
ફળમાં મોક્ષ થશે.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
‘અહો, સમકિતરૂપી સોનાનો સૂરજ ઊગ્યો!’
બેસતા વર્ષના મંગલપ્રભાતે ચૈતન્યની અત્યંત
પ્રસન્નતાપૂર્વક વહેલી સવારમાં ગુરુદેવે નવ દેવતાને યાદ
કરીને, આનંદઝરતી જે ઉત્તમ બોણી આપી તે ‘આત્મધર્મ’
દ્વારા આપને પહોંચાડતાં આનંદ થાય છે. –સં.

બેસતા વર્ષના સુપ્રભાતમાં ગુરુદેવે મંગલ તરીકે સૌ પ્રથમ નવ દેવોને યાદ કર્યાં
–અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનાલય, જિનચૈત્ય, જિનવાણી અને
જિનધર્મ–એ નવ દેવ છે. એ નવે વીતરાગસ્વરૂપ છે, વીતરાગતાના પ્રતિપાદક છે. અને
વીતરાગભાવ વડે જ તેમની સાચી ઓળખાણ થાય છે.
આત્માનો સ્વભાવ અતીન્દ્રિયજ્ઞાન છે; અતીન્દ્રિયજ્ઞાન વડે જાણવાનો તેનો
સ્વભાવ છે, તેમજ તે પોતે અતીન્દ્રિયજ્ઞાનથી જ જણાય છે; આ રીતે અતીન્દ્રિય
(સ્વસંવેદન–પ્રત્યક્ષ) જ્ઞાનપૂર્વક જ અરિહંત–સિદ્ધ–જિનવાણી વગેરેનું સાચું જ્ઞાન થાય
છે.–એ વાત પ્રવચનસારની ૧૭૨ ગાથામાં ઘણી સરસ કહી છે; ગુરુદેવ તેનો વારંવાર
ઉલ્લેખ કરે છે ને તેનું રહસ્ય મુમુક્ષુજીવે ખાસ સમજવા યોગ્ય છે.
એવી જ રીતે સમયસારની ૪૭ શક્તિમાંથી ૧૨ મી પ્રકાશશક્તિનો ઉલ્લેખ
કરીને વારંવાર કહે છે કે સ્વસંવેદન–પ્રત્યક્ષ થવાનો આત્માનો સ્વભાવ છે. સાધકના
મતિ–શ્રુતજ્ઞાનમાં પણ સ્વસંવેદન–પ્રત્યક્ષથી આત્માને જાણવાની તાકાત છે. અહો,
આવું સ્વસંવેદન થયું તે પણ અશરીરી છે, અતીન્દ્રિય–આનંદસહિત છે, ને તે
વીરપ્રભુનો માર્ગ છે.
અહો, વીરપ્રભુના મોક્ષનું આ અઢીહજારમું વર્ષ છે; ભગવાનનો માર્ગ તો
વીતરાગભાવમાં છે. પ્રભુનો વીતરાગમાર્ગ જયવંત છે. આવા માર્ગને ઓળખીને
સમ્યગ્દર્શનની એવી અપ્રતિહત આરાધના કરવી કે, અત્યારે ક્ષાયોપશમિક હોવા છતાં
વચ્ચે ભંગ પડ્યા વગર ક્ષાયિકસમ્યક્ત્વ થાય. આ રીતે ક્ષાયિક સાથે જોડણીવાળું
સમ્યક્ત્વ તે પણ ક્ષાયિક જેવું જ છે;–‘એ વાત ભગવાનની વાણીમાં આવેલી છે.’
(–પૂ. બેનશ્રીના જાતિસ્મરણમાં). આવી આરાધના તે સુપ્રભાત છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૩ :
મિથ્યાત્વના અંધારાનો નાશ કરીને ચૈતન્યનો જે સમ્યક્ત્વ–પ્રકાશ ખીલ્યો તે અપૂર્વ
મંગલ સુપ્રભાત છે. ‘અહો! સમકિતરૂપી સોનાનો સૂરજ ઊગ્યો! ’
અહો, અમૃતસ્વરૂપ સચ્ચિદાનંદ વિજ્ઞાનઘન આત્મા છે; તે આનંદનો મોટો
મહેરામણ છે. ‘અમૃત’ એટલે એક તો મરે નહિ, કદી નાશ ન થાય એવો આત્મા છે,
અને બીજું આનંદના મીઠા સ્વાદરૂપ અમૃત, તેનાથી આત્મા ભરેલો છે. આવા પરમ
અમૃતસ્વરૂપ આત્મા છે. ને શરીર તો મૃતક–જડ કલેવર છે, તેનાથી વિજ્ઞાનઘન આત્મા
જુદો છે. આવા આત્માને દ્રષ્ટિમાં લેતાં ઝરમર–ઝરમર અમૃતધારા વરસે છે.–આ
સુપ્રભાત છે. સમ્યગ્દર્શન તે સુપ્રભાત છે, અને કેવળજ્ઞાન તે સર્વોત્કૃષ્ટ સુપ્રભાત છે. આ
સુપ્રભાત જગતને મંગળરૂપ છે.
સમ્યગ્દર્શન થયું ત્યાં આત્મા સાક્ષાત્ થયો; ત્યાં ધર્મી જાણે છે કે મારી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે સમસ્ત પર્યાયોમાં મારો આત્મા જ તન્મય છે;
સમ્યક્ત્વાદિ પર્યાયોમાં ધ્યેયપણે આત્મા જ બિરાજે છે, આત્મા જ તન્મય થઈને તે
પર્યાયરૂપે પરિણમ્યો છે. અનંતગુણનો ચૈતન્યપિંડ જે પ્રતીતમાં આવ્યો તે
સમ્યગ્દર્શનપર્યાય પોતે ચૈતન્યપિંડ છે. શુદ્ધપર્યાયને પણ ચૈતન્યપિંડ કહ્યો છે.
આ રીતે મંગલ પ્રભાતમાં નવ દેવને યાદ કર્યા, અને સ્વસંવેદનપ્રત્યક્ષ આનંદ–
અમૃતથી ભરેલા ભગવાન ચૈતન્યદેવને યાદ કર્યા, તે મંગળ છે; તેની રુચિ–જ્ઞાન–
અનુભૂતિ કરવા તે ચૈતન્યનું અપૂર્વ સુપ્રભાત છે.
[હવે આપ વાંચશો–બેસતા વર્ષની બોણીરૂપ સુપ્રભાત–મંગલનું પ્રવચન]
ઝરમર ઝરમર આનંદઝરતું સુપ્રભાત
બેસતા વર્ષના મંગલપ્રભાતે ચૈતન્યની અત્યંત પ્રસન્નતાપૂર્વક વહેલી સવારમાં
ગુરુદેવે નવ દેવતાને યાદ કરીને જે ઉત્તમ બોણી મુમુક્ષુઓને આપી, તે હમણાં આપે
વાંચી...વાંચીને પ્રસન્નતા થઈ. ત્યારપછી પ્રવચનમાં
સમયસારનો સુપ્રભાત–કળશ (૨૬૮ મો)
વાંચતાં ચૈતન્યના આનંદની મીઠી ઝરમર
વરસાવતાં ગુરુદેવે કહ્યું કે–
આત્મા જ્ઞાનાનંદસ્વભાવ છે તેના સ્વસંવેદનથી જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં

PDF/HTML Page 7 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
મિથ્યાત્વરાત્રિનો નાશ કરીને મંગલ આનંદપ્રભાત ખીલ્યું. અને પછી કેવળજ્ઞાન થતાં
તો આનંદનું મહા સુપ્રભાત ખીલ્યું; ચૈતન્યતત્ત્વ પર્યાયમાં ચકચકાટ કરતું ખીલી નીકળ્‌યું.
જેમ ફૂલઝરમાંથી તેજના તણખા ઝરમર ઝરે છે તેમ સમ્યક્ત્વની ચીનગારી વડે
ચૈતન્યપિંડમાંથી આનંદનો રસ ઝરઝર ઝરે છે. લૌકિકમાં દીવાળીના દિવસે દારૂના
ફટાકડા ફોડે છે તેના અવાજથી તો અનેક જીવો મરી જાય છે (ને તેમાં તો પાપ લાગે
છે), પણ અહીં આત્માની દીવાળીમાં (પર્યાયને અંતરમાં વાળીને) અંતર્મુખ થઈને
ચૈતન્યચીનગારી મુકતાં જે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનનો ફટાકડો ફૂટયો તે તો
મિથ્યાત્વાદિને ફોડીને અંદરથી ચૈતન્યને જીવતો–જાગતો કરીને આનંદ પમાડે છે. આ જ
સાચી અહિંસક દીવાળી છે. આત્મામાં આવી વીતરાગદશારૂપ આનંદમય વર્ષ બેઠું તેમાં
ચૈતન્યનો સોનેરી–સૂર્ય ખીલ્યો ને સુપ્રભાત પ્રગટ્યું, તેનો હવે કદી અસ્ત
નહિ થાય.
અહો, સમ્યક્ત્વના સોનેરી સૂરજથી ઝગઝગતો આત્મા શોભે છે, તે જ સાચું
સુપ્રભાત છે. એમાં જ્ઞાનચક્ષુ ઊઘડ્યા તે ફરીને કદી બીડાશે નહિ. આ તો વીતરાગી
જિનવાણીના અમોઘ બાણ છે, એ બાણ જેને લાગ્યા તેનો મોહ છેદાઈ જાય ને અંદરથી
આનંદમય ભગવાન પ્રગટે.
સદ્ગુરુએ માર્યા શબ્દનાં બાણ રે...
અંદરથી ખીલ્યો ચૈતન્ય ભગવાન.
અહો, જૈનસંતોની વાણી વીતરાગતા–પોષક છે, તે રાગની એકતાને તોડીને,
ચૈતન્યના પાતાળમાં પેસી જાય છે ને અંદરથી આનંદની ગંગા ઊછાળીને બહાર
પર્યાયમાં આનંદની રેલમછેલ કરી દે છે. વાહ રે વાહ! વીતરાગી સંતોની વાણી! આવી
વીતરાગી–જિનવાણીને પણ નવ દેવોમાં ગણી છે; તે પૂજ્ય છે.
વીતરાગવાણી ચૈતન્યપિંડ આત્માને પ્રકાશે છે. ચૈતન્યનું જ્ઞાન એકલું નથી હોતું,
તેની સાથે અતીન્દ્રિયઆનંદ વગેરે અનંત ભાવો હોય છે. આવું આનંદઝરતું સુપ્રભાત
ધર્મીના અંતરમાં ઊગ્યું તે સ્યાદ્વાદથી લસલસાટ કરે છે, અને ચૈતન્યના અપાર
મહિમાથી ભરેલું છે. આત્માનો આનંદરસ એવો અદ્ભુત છે કે એકવાર તે આનંદરસ
પીધો ત્યાં મોક્ષનું વર્ષ બેઠું, મોક્ષનું પ્રભાત તેને ખીલ્યું; તે અલ્પકાળે મોક્ષ પામીને
સાદિ–અનંત સિદ્ધપણે બિરાજશે.
સાધક કહે છે કે અહો, ચૈતન્યનો આવો અદ્ભુત સ્વભાવ મારામાં ઉદયરૂપ

PDF/HTML Page 8 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
થયો છે, તો પછી હવે બીજા ભાવોથી (બંધ–મોક્ષના વિકલ્પોથી) મારે શું કામ છે?
આનંદમય આ ચૈતન્યપ્રકાશ મને સદાય સ્ફુરાયમાન રહો.
આગમ એટલે અક્ષરજ્ઞાન, તે આત્માના અક્ષર–અક્ષય આનંદસ્વરૂપને દેખાડે છે.
એવા અક્ષય આત્માનું જ્ઞાન તે ભાવઆગમ છે. ભાવઆગમ એટલે અતીન્દ્રિય આત્માનું
જ્ઞાન; તેમાં આનંદ ઝરે છે. આનંદ વગરનું જ્ઞાન કદી હોય નહિ. આત્માનું જે જ્ઞાન થયું
તે જ્ઞાનપ્રભાત આનંદથી ભરેલું છે. આવું આનંદમય સુપ્રભાત જગતમાં મંગળરૂપ છે.
સ્વભાવ–પ્રભાનો પુંજ આત્મા ચૈતન્યકિરણોથી શોભે છે. મતિ–શ્રુતજ્ઞાનાદિ
અનેક નિર્મળપર્યાયો આત્માની એકતાને ખંડિત કરતી નથી પણ તે તો આત્માના
એકત્વસ્વભાવને અભિનંદે છે. અનિત્યપર્યાયો નિત્યસ્વભાવને અભિનંદે છે,–તેની
સન્મુખ થઈને તેમાં તન્મય થાય છે. ત્યાં ચૈતન્યસૂર્ય આત્મા સદાય ઉદયમાન છે. અનંત
જ્ઞાનાદિ ચતુષ્ટયથી ભરેલા સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં સમ્યક્ત્વ–સુપ્રભાત ઊગ્યું તે મંગળ
છે, અને કેવળજ્ઞાન તે સર્વોત્કૃષ્ટ મંગલ સુપ્રભાત છે.
બેસતા વર્ષની મંગલ
બોણીરૂપે ગુરુદેવે સુહસ્તે મુમુક્ષુઓને
‘સમાધિતંત્ર’ આપ્યું...અહો! જાણે
પરમ વાત્સલ્યથી ગુરુદેવે સમ્યક્
બોધિસહિત સમાધિના જ આશીર્વાદ
આપ્યા.
કેવળજ્ઞાન–સુપ્રભાત જગતમાં સત્પુરુષોને વંદ્ય છે અને જગતને મંગળરૂપ છે.
અંતર્મુખ થઈને શુદ્ધ ચૈતન્યતત્ત્વની ભાવનાથી મોહને નિર્મૂળ કરીને સમસ્ત રાગ–દ્વેષનો
ક્ષય કરતાં સર્વોત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે, તેનો અત્યંત મહિમા કરતાં શ્રી
પદ્મપ્રભસ્વામી નિયમસારમાં (કળશ ૨૦માં) કહે છે કે અહો, ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ
સત્ફળ વંદ્ય છે, જગતને મંગળરૂપ છે.
–આવું સુપ્રભાત કેમ પ્રગટે?–કે જ્ઞાન જ ઉપાય છે ને જ્ઞાન જ ઉપેય છે,
–મોક્ષમાર્ગ અને મોક્ષ બંને જ્ઞાનમય જ છે, તેમાં બીજો કોઈ રાગ–વિકલ્પ નથી. આવા
જ્ઞાનમાત્ર ભાવને ઓળખીને તેનો જે આશ્રય કરે છે તેને, અનાદિસંસારથી અલબ્ધ
એવી ચૈતન્યની સાધકભૂમિકા પ્રાપ્ત થાય છે, એટલે કે અનાદિથી કદી નહિ

PDF/HTML Page 9 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
ખીલેલું એવું સમ્યક્ત્વાદિ સુપ્રભાત તેને ખીલે છે, ને પછી તેના ફળમાં સાધ્ય એવા
કેવળજ્ઞાનરૂપ આનંદપ્રભાત ખીલે છે. આ પ્રભાત અપૂર્વ છે; ‘સોના સમો રે સૂરજ
ઊગ્યો’ એમ લોકો મંગળપ્રસંગે કહે છે, અહીં તો આત્મામાં આનંદથી ઝગમગતો
સમ્યક્ત્વસૂર્ય ઊગ્યો તે સાચું સુપ્રભાત છે. સૂરજ તો સવારે ઊગીને સાંજે આથમી જાય
છે, પણ આ ચૈતન્યસૂર્ય ઊગ્યો તે કદી અસ્ત થાય નહિ. અખંડ ચૈતન્યતત્ત્વમાં જે
નિધાન ભર્યા છે તેમાંથી પ્રગટેલી અનંત જ્ઞાન–દર્શન–આનંદ–વીર્યરૂપ અવસ્થા કદી
અસ્ત થતી નથી.
જેમ હજાર પાંખડીનું કમળ ખીલે, કે ઝરમર મેઘ વરસે, તેમ ચૈતન્યના
આનંદસરોવરમાં દ્રષ્ટિ કરીને એકાગ્ર થતાં અનંત ગુણની પાંખડીથી ચૈતન્યકમળ ખીલી
ઉઠ્યું ને ઝરમર–ઝરમર આનંદ વરસવા લાગ્યો. અહા, આવા આત્માનો પ્રેમ કરવો ને
પર્યાયમાં તેને પ્રગટ કરવો તે સંતોની અપૂર્વ બોણી (પ્રસાદી) છે.
સમ્યગ્દર્શન પણ ચૈતન્યપિંડ છે, કેવળજ્ઞાન પણ ચૈતન્યપિંડ છે; તે બંને સુપ્રભાત
છે. સુપ્રભાત થતાં આત્માના અનંતગુણો આનંદસહિત ખીલી ઉઠ્યા, તેમાં અત્યંત મધુર
ચૈતન્યસ્વાદ છે.
બાપુ! તું અતીન્દ્રિયઆનંદથી ભરેલો ભગવાન છો. તું ખાલી નથી, અનંત
ગુણનિધાનથી ભરેલો છો. પૂર્વે આત્માને ભૂલીને દયાદિ શુભરાગ પણ કર્યો પણ તેનાથી
કાંઈ આનંદનું સુપ્રભાત તારા આત્મામાં ખીલ્યું નહિ, તારા અજ્ઞાનઅંધારા મટ્યા નહિ,
ને તારા જ્ઞાનપલક ઊઘડ્યા નહિ. રાગથી પાર ચિદાનંદપિંડ આત્માને અંદરના
અતીન્દ્રિય સ્વસંવેદનજ્ઞાનથી પ્રતીતમાં લેતાં આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટ્યા, તેના ઘરે
દીવાળી આવી; તેને અપૂર્વ સુપ્રભાત ઊગ્યું, અનાદિના અજ્ઞાનઅંધારા ટળ્‌યા ને જ્ઞાન–
દર્શનરૂપી આંખના પલક ઊઘડ્યા; સુખે–સુખે તે હવે સિદ્ધપદને સાધશે. આત્મામાં
અપૂર્વ વર્ષ બેઠું તે હવે સદા સુખમય રહેશે. અહો, આવો માર્ગ બતાવીને સંતોએ મોટો
ઉપકાર કર્યો છે.
અંતરમાં પર્યાયનો દિ’ વાળીને જેણે ચૈતન્યપ્રભુના ભેટા કર્યા તેને જ્ઞાનની
ધારામાં આનંદનાં ફૂલ ઝરે છે. અહા, પહેલાંં શ્રદ્ધા તો કરો....રુચિ તો કરો....કે મારો
આત્મા જ્ઞાન–આનંદમય છે, આવો આત્મા જ મારે જોઈએ છીએ, આત્મા સિવાય બીજું
કાંઈ મારે જોઈતું નથી.–આવી અંતર્મુખ દશા કરતાં પર્યાય અંતરમાં વળી જાય છે એટલે
સમ્યક્ત્વાદિ ઝગઝગતી ચૈતન્યદશારૂપે આત્મા ખીલી જાય છે, તે મંગલ સુપ્રભાત છે.
ચૈતન્યના આનંદના અનંત અંકુરા તેને પ્રગટ્યા; આનંદનાં અનંત

PDF/HTML Page 10 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
કિરણો સહિત ઝગઝગાટ કરતો ચૈતન્યસૂર્ય ઊગ્યો.....અનંતા નિધાન પોતામાં પ્રગટ્યા
શક્તિમાં આનંદનિધાન ભર્યા હતા તે પર્યાયમાં ઝરઝર ઝરવા લાગ્યા...તે આત્મા ધર્મી
થયો, મોક્ષનો સાધક થયો.
આહાહા! આ દશાની શી વાત! તે દશા ખીલતાં–ખીલતાં જ્યાં કેવળજ્ઞાનનું પૂર્ણ
પ્રભાત ખીલ્યું તેની શી વાત! ભાઈ, આ તારા પોતાનાં ગાણાં ગવાય છે; જે કહેવાય છે
તે બધું તારામાં ભર્યું છે. તેમાં અંતર્મુખ થતાં પર્યાયમાં તે ખીલી જાય છે.–એ આનંદમય
સુપ્રભાત છે, તે શાંતિનું અપૂર્વ વર્ષ બેઠું.–આ બેસતાવર્ષના અપૂર્વ લાડવા પીરસાય છે,
તેમાં આનંદરસનો સ્વાદ છે.
જેમ સોના–રૂપાના સિક્કા થાય છે તેમ ધર્મી જીવે અંતરની શક્તિમાંથી જે
શુદ્ધપર્યાય પ્રગટ કરી તેમાં અતીન્દ્રિય આનંદની છાપ છે; સમ્યક્શ્રદ્ધાનો સોનેરી સિક્કે
તેના આત્મામાં લાગી ગયો, મોક્ષનો સિક્કો લાગી ગયો. હું તો અનંત આનંદનો સમુદ્ર
છું–એમ શ્રદ્ધા કરીને જ્યાં આનંદમય સ્વસંવેદનનો સિક્કો લગાવ્યો તે જીવ હવે
અલ્પકાળમાં અનંતગુણમય કેવળજ્ઞાન–પ્રભાતથી ખીલી જશે, ને મોક્ષ પામશે.
સાધકને એવી શુદ્ધદશા થઈ કે મિથ્યાત્વ–અંધકારનો નાશ થયો, આનંદમય
જ્ઞાનપ્રકાશ ખીલ્યો, તેની ધારા અતિશયપણે મોક્ષ તરફ ચાલી. ધર્મીની જ્ઞાનધારા
રાગાદિથી જુદી છે–અધિક છે–માટે તે જ્ઞાનધારાને અતિશયપણું છે. તેનું સમ્યગ્દર્શન
વીતરાગ છે, તેનું સમ્યગ્જ્ઞાન પણ વીતરાગ છે. આમ વીતરાગરસની ઝરઝર ધારા તેને
નિરંતર વર્તે છે. આવું સમ્યગ્દર્શન થયું ત્યાં સોનાનો સૂરજ ઊગ્યો; જેમ સોનામાં કાટ ન
હોય તેમ સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાનધારા પ્રગટી તે શુદ્ધ છે, તેમાં રાગાદિ વિકારરૂપ કાટ
નથી.–રાગ વગરના ચૈતન્યપ્રકાશથી તે અતિશય શોભે છે.
* આવું આનંદમય ચૈતન્યપ્રભાત જયવંત વર્તે છે. *
સમ્યગ્દર્શન થતાં આત્મામાં શુદ્ધપરિણતિ પ્રગટી તે જ સુપ્રભાત છે. તે
પરિણતિમાં આનંદ પણ ભેગો જ છે. સંતોની વાણી આત્માના આવા સ્વરૂપને બતાવે
છે. કેવળીપ્રભુની વાણી હો, કે ગણધરની, મુનિની કે જ્ઞાની–સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થની વાણી
હો; તેમાં એવું સ્વરૂપ આવ્યું છે કે જે સ્વરૂપ સમજતાં આનંદદશાસહિત આત્મા ખીલી
જાય છે. રાગથી લાભ થાય–એવી વાણી સંતોની નથી. જે સમજવાથી રાગનો નાશ થાય
ને વીતરાગતા ખીલે એવી વાણી સંતોની છે. વીતરાગી સંતોની વાણી વીતરાગતા–
પોષક હોય, આનંદની દાતાર હોય. જ્યાં વાણીમાં કહેલું ચૈતન્યતત્ત્વ કાને પડ્યું કે અંદર
ફડાક સમ્યગ્જ્ઞાન થઈને આનંદમય પ્રભાત ખીલી જાય છે. આવી આનંદપર્યાયમાં
સુસ્થિત આત્મા શોભે છે. તે અપૂર્વ મંગલમય સુપ્રભાત છે.

PDF/HTML Page 11 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
આનંદમય અપૂર્વ ભેદવિજ્ઞાન
જ્ઞાનપર્યાયનું આત્માથી અનન્યપણું ને પરથી અત્યંત ભિન્નપણું

જૈનશાસનમાં બતાવેલી જીવ–અજીવની ભિન્નતાના
ભેદવિજ્ઞાનનું અપરંપાર માહાત્મ્ય છે, અને તે અપૂર્વ છે.
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવે પરલક્ષી
શાસ્ત્રજ્ઞાન, કે શુભરાગરૂપ વ્રત–તપ–ત્યાગ વગેરે બધું કર્યું છે, પણ
શુદ્ધાત્માના ભાવશ્રુતજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન તેણે એક સેકંડ પણ પૂર્વે
કર્યું નથી. વીતરાગી સંતો કહે છે કે હે જીવ! એકવાર તું સ્વ–પરનું
સાચું ભેદજ્ઞાન કર તો અલ્પકાળમાં તારો મોક્ષ થયા વગર રહે
નહિ. એક સેકંડનું ભેદજ્ઞાન અનંતકાળના જન્મમરણથી છોડાવીને
મોક્ષસુખનો અપૂર્વ સ્વાદ ચખાડે છે. સર્વે પરદ્રવ્યો અને
પરભાવોથી આત્માનું જુદાપણું અને પોતાના જ્ઞાનસ્વભાવથી
એકપણું સમજીને, અપૂર્વ ભેદજ્ઞાનવડે ચૈતન્યસ્વાદનું વેદન કરવું તે
શ્રી જિનાગમનો સાર છે. ભેદજ્ઞાન વગરનું બધું અસાર છે,
ભેદજ્ઞાન જ સારભૂત છે. મુમુક્ષુ જીવોએ પળેપળે ભેદજ્ઞાન
ભાવવાયોગ્ય છે.
[સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ના પ્રવચનમાંથી]
આત્મા પોતે જ્ઞાન છે; આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન છે ને શબ્દાદિ અચેતનમાં જ્ઞાન
જરાય નથી; એટલે જ્ઞાન આત્માથી જ થાય છે ને પરથી થતું નથી–આવો અનેકાંત–
સ્વભાવ વર્ણવીને શ્રી આચાર્યદેવે આ ગાથાઓમાં જ્ઞાનસ્વભાવની સ્વતંત્રતાનો ઢંઢેરો
જાહેર કર્યો છે. શાસ્ત્રો વગેરે પરદ્રવ્યો જ્ઞાન નથી માટે તેઓ જ્ઞાનનું જરા પણ કારણ
નથી; આત્મા પોતે જ્ઞાન છે તેથી આત્મા જ જ્ઞાનનું કારણ છે; જ્ઞાનાદિ પર્યાયો સાથે
આત્મા તન્મય છે.

PDF/HTML Page 12 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના મૂળ સુત્રોમાં ત્રણ ઠેકાણે ખાસ વજન છે–
(૧)
‘सत्यं ण याणए किचि’ એટલે કે શાસ્ત્ર વગેરે કાંઈ જાણતાં નથી.
–એટલે તેનામાં પૂરેપૂરું અચેતનપણું બતાવ્યું.
(૨) ‘अण्णं णाणं’ એટલે કે તે શાસ્ત્ર વગેરે અચેતનથી જ્ઞાન જુદું છે. શાસ્ત્રો
વગેરે કાંઈ જાણતાં નથી, તેની સામે ‘આત્મામાં જ્ઞાનપૂરેપૂરું છે.’ એમ આવ્યું. આત્મામાં
જ્ઞાન પૂરેપૂરું છે અને શ્રુત વગેરેમાં જ્ઞાન જરા પણ નથી–આમ અસ્તિ–નાસ્તિથી પૂરો
જ્ઞાનસ્વભાવ બતાવ્યો છે.
(૩) ‘जिणा विंति’ એટલે કે જિનદેવો એમ જાણે છે અથવા જિનદેવો એમ કહે
છે. ગાથાએ–ગાથાએ ‘जिणा विंति’ એમ કહીને સર્વજ્ઞ ભગવાનની સાક્ષી આપી છે.
અહો, કોઈ અપૂર્વ યોગે આ સમયસાર શાસ્ત્ર રચાયું છે. ગાથાએ–ગાથાએ
અચિંત્ય ભાવો ભર્યા છે; એકેક ગાથાએ પરિપૂર્ણ આત્મસ્વભાવ બતાવી દે છે.
આત્મા પોતે જ્ઞાન છે ને શ્રુતના શબ્દો વગેરે અચેતન છે; આત્મામાં જ્ઞાન
પરિપૂર્ણ છે ને શ્રુત વગેરેમાં કિંચિત્ જ્ઞાન નથી. શ્રુતમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં શ્રુત
નથી; તો હે ભાઈ, તારા જ્ઞાનમાં શ્રુત તને શું મદદ કરશે? અને તારો આત્મા જ્ઞાનથી
પૂરો છે તો તારું જ્ઞાન પરની શું આશા રાખશે? માટે જ્ઞાનને પરનું જરાય અવલંબન
નથી. પોતાના આત્મસ્વભાવનું જ અવલંબન છે.
આ રીતે આત્માનો પરિપૂર્ણ સ્વાશ્રિત જ્ઞાનસ્વભાવ આચાર્યભગવાને આ પંદર
ગાથાઓમાં બતાવ્યો છે.
જેને પોતાના આત્માનું હિત કરવું છે–કલ્યાણ કરવું છે તેણે શું કરવું જોઈએ?
તેનો આ અધિકાર ચાલે છે. પ્રથમ તો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અને આનંદ જ
તેનો સ્વભાવ છે અને પરથી તેમ જ વિકારથી તે જુદો છે,–એવા આત્માની જ્યાં સુધી
શ્રદ્ધા ન થાય ત્યાં સુધી શરીર–પૈસા–સ્ત્રી–પુત્ર વગેરેમાંથી હિતબુદ્ધિ ટળે નહિ; અને જ્યાં
સુધી પરમાં હિતબુદ્ધિ કે લાભ–અલાભની બુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સ્વભાવને
ઓખળવાનો અને રાગ–દ્વેષ ટાળીને તેમાં ઠરવાનો સત્ય પુરુષાર્થ કરે નહિ. માટે પોતાનું
હિત કરવાના ઈચ્છક જીવોએ, આત્માનું સ્વરૂપ શું છે? તેને કોની સાથે એકતા છે ને
કોનાથી જુદાઈ છે? તે જાણવું જોઈએ.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાન–સુખ વગેરે સાથે એકમેક છે, અને શરીર–પૈસા

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
વગેરેથી તેને જુદાઈ છે, રાગથી પણ ખરેખર જુદાઈ છે. જ્ઞાન–આનંદસ્વરૂપ આ આત્મા
પરથી જુદો છે એમ કહેતાં જ આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ, સ્વાધીન અને
પરના આશ્રય વગરનો નિરાલંબી સિદ્ધ થાય છે. આવા આત્માને જાણવો–માનવો તે જ
હિતનો ઉપાય છે, તે જ કલ્યાણ છે, તે જ ધર્મ છે, તે જ મંગલ છે.
દરેક આત્મા પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે. આ શરીર તે હું નથી, હું તો આત્મા છું,
મારો આત્મા જ્ઞાનથી પરિપૂર્ણ છે ને પર ચીજોથી જુદો છે; મારા આત્માને જ્ઞાન અને
આનંદ માટે કોઈ પર ચીજની જરૂર નથી. આ પ્રમાણે પોતાના જ્ઞાનાનંદસ્વભાવી
આત્માનો સ્વીકાર કર્યા વગર કોઈ જીવ ધર્મ કરી શકે નહિ. આ આત્મસ્વભાવ
આબાળગોપાળ સર્વે જીવોને સમજાય તેવો છે; દરેક જીવોએ સુખ માટે આવો
આત્મસ્વભાવ જ સમજવાનો છે. અહીં આચાર્યદેવ તે સ્વભાવ સમજાવે છે.
જાણનાર–દેખનાર–આનંદસ્વભાવી આત્મા પોતે છે; તે સમજવામાં નિમિત્તરૂપ
દ્રવ્યશ્રુત છે. તેથી સૌથી પહેલાંં તે દ્રવ્યશ્રુતથી જ્ઞાનને જુદું સમજાવે છે. શ્રી સર્વજ્ઞ–
ભગવાનની દિવ્યવાણી, ગુરુઓની વાણી કે સૂત્રોના શબ્દો તે બધા દ્રવ્યશ્રુત છે; તેના
આધારે આ આત્માનું જ્ઞાન થતું નથી. સાક્ષાત્ સર્વજ્ઞભગવાન, ગુરુ કે શાસ્ત્રના લક્ષે
રાગમાં અટકીને જે જ્ઞાન થાય તે પણ દ્રવ્યશ્રુત જેવું છે. દેવ અને ગુરુના આત્માનું જ્ઞાન
તેમનામાં છે, પરંતુ આ આત્માનું જ્ઞાન તેમનામાં નથી. જીવ પોતાના સ્વભાવ તરફ
વળીને જ્યારે સાચું સમજે છે ત્યારે દ્રવ્યશ્રુતને નિમિત્ત કહેવાય છે; પણ દેવ–ગુરુ–
શાસ્ત્રના રાગથી આત્મસ્વભાવ સમજાતો નથી. દેવ–ગુરુની વાણીથી તેમજ શાસ્ત્રોથી
આ આત્મા જુદો છે. દ્રવ્યશ્રુત તો અચેતન છે, તેમાં કાંઈ જ્ઞાન રહેલું નથી, માટે તે
દ્રવ્યશ્રુત પોતે કાંઈ જાણતું નથી, ને દ્રવ્યશ્રુતના લક્ષે આત્મા સમજાતો નથી. આત્મા
પોતે જ્ઞાનસ્વભાવી છે, તે જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી જ આત્મા જણાય છે.
જાણવાનો પોતાનો જ સ્વભાવ છે.
દ્રવ્યશ્રુતથી આત્મા જુદો છે, દેવ–શાસ્ત્ર–ગુરુથી આત્મા જુદો છે, એટલે તેમના
લક્ષે થતો રાગ પણ દ્રવ્યશ્રુતમાં આવી જાય છે. આમ સમજીને તે દ્રવ્યશ્રુત તરફના
રાગથી જુદો પડીને, વર્તમાન જ્ઞાનને અંદર રાગરહિત ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ વાળે
તો પોતાનો આત્મસ્વભાવ જણાય. વર્તમાન જ્ઞાનપર્યાયને પર તરફ રાગમાં એકાગ્ર કરે
તો અધર્મ થાય છે, ને પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ વાળીને ત્યાં એકાગ્ર કરે તો
ધર્મ થાય છે. જ્ઞાનસ્વભાવના આધારે જે જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે. પર દ્રવ્યો આ

PDF/HTML Page 14 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
આત્માથી જુદા છે, તેમના લક્ષે જે મંદકષાય અને ઈન્દ્રિયજ્ઞાન થાય, તે મંદકષાયના કે
ઈન્દ્રિયજ્ઞાનના આશ્રયે સમ્યગ્જ્ઞાન થતું નથી ને આત્મા સમજાતો નથી. આટલું સમજે
ત્યારે દ્રવ્યશ્રુતથી આત્માને જુદો માન્યો કહેવાય, અને ત્યારે જીવને ધર્મ થાય.
‘દ્રવ્યશ્રુતથી આત્મા જુદો છે’ એમ કહેતાં તેમાં સાચા દ્રવ્યશ્રુતનો સ્વીકાર આવી
જાય છે; કેમકે દ્રવ્યશ્રુત પોતે જ એમ કહે છે કે તું તારા જ્ઞાનસ્વભાવની સન્મુખ થતું
પોતે જ જ્ઞાન છો. તારું જ્ઞાન કાંઈ શાસ્ત્રના શબ્દોમાં નથી. પરના આશ્રયે જ્ઞાન થવાનું
જે કહે તે તો દ્રવ્યશ્રુત પણ નથી, તે તો કુશ્રુત છે. અહીં તો ભગવાને કહેલા દ્રવ્યશ્રુતની
વાત છે. જે જીવને, આત્મા સમજવાની જિજ્ઞાસા છે તેને પ્રથમ દ્રવ્યશ્રુત તરફ લક્ષ હોય
છે, દ્રવ્યશ્રુતના લક્ષે શુભ રાગ થાય છે ખરો, સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની ઓળખાણ,
સત્સમાગમ, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે નિમિત્તો હોય ખરા અને જિજ્ઞાસુને તેના લક્ષે
શુભરાગ થાય, પરંતુ તે કોઈ નિમિત્તોના લક્ષે આત્મસ્વભાવ સમજાતો નથી. દ્રવ્યશ્રુત
વગેરે નિમિત્તો અને તે તરફના લક્ષે થતા રાગનો આશ્રય છોડીને, તેનાથી રહિત
ત્રિકાળી ચૈતન્યસ્વભાવની રુચિ કરીને જ્ઞાનને સ્વ તરફ વાળે તો જ સમ્યગ્જ્ઞાન થાય.
જિજ્ઞાસુ જીવને શ્રવણ તરફનો શુભભાવ હોય, પણ જો તે શ્રવણથી જ જ્ઞાન થશે એમ
માની લે તો તે કદી રાગથી જુદો પડીને પોતાના તરફ વળે નહિ ને તેનું અજ્ઞાન ટળે
નહિ. અચેતન શબ્દોથી કે રાગથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો પોતાના જ્ઞાનસ્વભાવથી
થાય છે,–એમ સમજતાં અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટે છે.
તીર્થંકર થનાર જીવ આત્મસ્વભાવનું યથાર્થ જ્ઞાન અને અવધિજ્ઞાન સહિત જન્મે
છે, અને પછી મુનિદશા પ્રગટ કરી, ઊગ્ર પુરુષાર્થ પૂર્વક આત્મસ્વભાવમાં સ્થિરતા કરીને
વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એવું પરિપૂર્ણ કેવળજ્ઞાન દરેક જીવનો સ્વભાવ
છે. સર્વજ્ઞદેવને એવું કેવળજ્ઞાન પ્રગટ થતાં પોતાનો પરિપૂર્ણ આત્મસ્વભાવ અને
જગતના સર્વે દ્રવ્ય–ગુણ–પર્યાયો એક સાથે પ્રત્યક્ષ જણાય છે. કેવળજ્ઞાન થયા પછી પણ
તેરમા ગુણસ્થાને યોગનું કંપન હોય છે. તીર્થંકર ભગવાનને તેરમા ગુણસ્થાને
તીર્થંકરનામકર્મનો ઉદય હોય છે. અને તેના નિમિત્તે ‘“’ એવો દિવ્યધ્વનિ છૂટે છે.
આત્મસ્વભાવ સમજવામાં નિમિત્તરૂપ દ્રવ્યશ્રુત છે, તે દ્રવ્યશ્રુતમાં સૌથી ઉત્કૃષ્ટ
દિવ્યધ્વનિ છે. પરંતુ તેના આશ્રયે સમ્યગ્જ્ઞાન થતું નથી–એમ અહીં બતાવવું છે.
જ્ઞાનપર્યાય દિવ્યધ્વનિથી જુદી છે ને આત્માથી અભિન્ન છે. દિવ્યધ્વનિ પુદ્ગલની રચના
છે, તે

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
અચેતન છે, તેનામાં જ્ઞાન નથી; જ્ઞાન તો આત્માનું તન્મયસ્વરૂપ છે. અહા કેવું અપૂર્વ
ભેદજ્ઞાન કરાવ્યું છે.!
જ્યાં સુધી જીવને રાગ–દ્વેષાદિ હોય છે ત્યાં સુધી તેને પૂરું જ્ઞાન હોતું નથી અને
તેની વાણી પણ ક્રમવાળી, અનેક અક્ષરોવાળી ને ભેદરૂપ હોય છે. રાગાદિ ટળીને
વીતરાગતા થતાં જે કેવળજ્ઞાન થયું તે સર્વે પદાર્થોને એકસાથે જાણે છે અને તેમની
વાણી અક્રમરૂપ, નિરક્ષરી અને એક સમયમાં પૂરું રહસ્ય કહેનારી હોય છે, તેથી તેને
દિવ્યધ્વનિ કહેવાય છે.
શ્રી સર્વજ્ઞદેવને જ્ઞાન આખું થઈ ગયું છે અને તેમની વાણીમાં પણ એકેક
સમયમાં પૂરું રહસ્ય આવે છે. પરંતુ સામો જીવ પોતાના જ્ઞાનની લાયકાતથી જેટલું
સમજે તેટલું તેને નિમિત્ત કહેવાય છે. કોઈ જીવ બાર અંગ સમજે તો તેને માટે બાર
અંગમાં તે વાણીને નિમિત્ત કહેવાય છે. કોઈ જીવ કરણાનુયોગનું જ્ઞાન કરે તો તે વખતે
તેને તે વાણી કરણાનુયોગના જ્ઞાનમાં નિમિત્ત કહેવાય, છે, અને તે જ વખતે બીજો જીવ
દ્રવ્યાનુયોગનું જ્ઞાન કરતો હોય તો તેને તે વાણી દ્રવ્યાનુયોગના જ્ઞાનમાં નિમિત્ત
કહેવાય છે. અહો, આમાં જ્ઞાનની સ્વાધીનતા સિદ્ધ થાય છે. જે જીવ પોતાના
અંતરસ્વભાવના આધારે જેટલો શ્રદ્ધા–જ્ઞાનનો વિકાસ કરે તેટલો દિવ્યધ્વનિમાં
નિમિત્તપણાનો આરોપ આવે છે. માટે અહીં ભગવાન આચાર્યદેવ કહે છે કે જ્ઞાન અને
દ્રવ્યશ્રુત જુદાં છે. વાણી અને શાસ્ત્રો તો અજીવ છે, અજીવના આધારે કદી જ્ઞાન હોય
નહિ. જો વાણીથી જ્ઞાન થતું હોય તો અજીવવાણી કર્તા બને અને જ્ઞાન તેનું કાર્ય ઠરે.
અજીવનું કાર્ય તો અજીવ હોય, એટલે જ્ઞાન પોતે અજીવ ઠરે! જે જીવ પરવસ્તુના
આધારે પોતાનું જ્ઞાન માને છે તે જીવનું મિથ્યાજ્ઞાન છે, તેને અહીં અચેતન કહ્યું છે.
પોતાના ચેતનસ્વભાવને તે જાણતો નથી.
પુસ્તક અને વાણી તો જડ છે, તે તો જ્ઞાન નથી જ. પણ મંદ કષાયને લીધે
એકલા શાસ્ત્રના લક્ષે થતો જ્ઞાનનો ઉઘાડ તે પણ ખરૂં જ્ઞાન નથી. જિનેન્દ્ર ભગવાને
કહેલા દ્રવ્ય–ગુણ–પર્યાય, નિશ્ચય–વ્યવહાર, ઉપાદાન–નિમિત્ત, નવ તત્ત્વો વગેરે સંબંધી
જ્ઞાનનો ઉઘાડ માત્ર શાસ્ત્રોના લક્ષે થાય, અને શબ્દોથી તથા રાગથી જુદો પડીને જ્ઞાન–
સ્વભાવનું લક્ષ ન કરે તો તે જ્ઞાનના ઉઘાડને પણ દ્રવ્યશ્રુતમાં ગણીને અચેતન જેવો
કહ્યો છે. શાસ્ત્ર વગેરે પરદ્રવ્યો, તેના લક્ષે થતો મંદ કષાય અને તેના લક્ષે કાર્ય કરતો
વર્તમાન પૂરતો જ્ઞાનનો ઉઘાડ તે બધાનો આશ્રય છોડીને–તેની સાથેની એકતા છોડીને,
–ત્રિકાળી

PDF/HTML Page 16 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
આત્મસ્વભાવનો આશ્રય કરીને, આત્મામાં જે જ્ઞાન અભેદ થઈને પરિણમે તે જ ખરૂં
જ્ઞાન છે.
પ્રશ્ન:–જો શબ્દ અચેતન છે ને વાણીથી–શ્રુતથી જ્ઞાન નથી થતું તો, ‘તીર્થંકરો–
સંતોની વાણી જયવંત વર્તો, શ્રુત જયવંત હો’–એમ શા માટે કહેવાય છે?
ઉત્તર:–વાણીથી જ્ઞાન થતું નથી પણ સ્વભાવ તરફની એકાગ્રતાથી જ્ઞાન પ્રગટે
છે. સમ્યગ્જ્ઞાન થયા પછી જીવ એમ જાણે છે કે પહેલાંં વાણી તરફ લક્ષ હતું, એટલે કે
સમ્યગ્જ્ઞાન થવામાં નિમિત્તરૂપ વાણી છે. ખરેખર તો પોતાના આત્મામાં જે ભેદજ્ઞાન
પ્રગટ્યું છે તે (ભાવશ્રુત) જયવંત હો–એવી ભાવના છે; અને શુભવિકલ્પ વખતે,
ભેદજ્ઞાનના નિમિત્તરૂપ વાણીમાં આરોપ કરીને કહે છે કે ‘શ્રુત જયવંત હો, ભગવાનની
ને સંતોની વાણી જયવંત હો. ’ કેમકે તે સમ્યક્શ્રુત ભાવશ્રુતમાં નિમિત્ત છે. પરંતુ તે
વખતેય ધર્મીને અંતરમાં બરાબર ભાન છે કે વાણી વગેરે પરદ્રવ્યથી કે તેના તરફના
રાગથી મારા આત્માને કિંચિત્ લાભ થતો નથી.
આત્માના જ્ઞાનમાં વાણીનો અભાવ છે અને વાણીમાં જ્ઞાનનો અભાવ છે.
જીવનો કોઈ ગુણ અચેતનમાં નથી, માટે જેણે પોતાના આત્મામાં સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, શાંતિ, સુખ વગેરે પ્રગટ કરવાં હોય તેણે ક્્યાંય બહારમાં ન જોતાં, અનંત–
ગુણસ્વરૂપ પોતાના આત્મસ્વભાવમાં જોવું. આત્મસ્વભાવ તરફ વળતાં સમ્યગ્દર્શન–
જ્ઞાન વગેરે પ્રગટ થાય છે. અને તે સિવાય વાણી–શાસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુઓના લક્ષે
રાગાદિ બંધભાવો થાય છે.
અહા, આચાર્યદેવે જ્ઞાનસ્વભાવની અપૂર્વ વાત કરી છે. વાણી અચેતન છે, તેના
આધારે જ્ઞાન નથી; જ્ઞાનસ્વભાવી આત્મા પોતે જ જ્ઞાન છે. અહો! આ ભેદવિજ્ઞાનની
પરમ સત્ય વાત છે, આત્મકલ્યાણનો માર્ગ છે. પણ જેને પોતાના કલ્યાણની દરકાર
નથી અને જગતના માન–આબરૂની દરકાર છે એવા તૂચ્છબુદ્ધિ જીવોને આ વાત નથી
રુચતી, એટલે ખરેખર તેને પોતાનો જ્ઞાનસ્વભાવ જ નથી રુચતો ને વિકાર ભાવ રુચે
છે; તેથી આવી અપૂર્વ આત્મસ્વભાવની વાત કાને પડતાં એવા જીવો પોકાર કરે છે કે
‘અરે, આત્મા પરનું કાંઈ કરે નહિ–એમ કહેવું તે તો ઝેરનાં ઈન્જેક્શન આપવા જેવું છે.
’ અરે, શું થાય! આ ભેદજ્ઞાનની પરમઅમૃત જેવી વાત પણ તેને ઝેર જેવી લાગી!!
બાપુ! એકવાર આ ભેદજ્ઞાનનું ઈન્જેક્શન લે તો અનંતકાળના મિથ્યાત્વનું ઝેર ઊતરી
જશે, ને તને અતીન્દ્રિય આનંદ થશે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, વિકારનો અને પરનો તે
અકર્તા છે–એવી ભેદજ્ઞાનની વાત તો,

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
અનાદિકાળથી જે મિથ્યાત્વરૂપી ઝેર ચડ્યું છે તેને ઉતારી નાંખવા માટે, પરમ અમૃતના
ઈન્જેક્શન જેવી છે. જો એકવાર પણ આત્મા એવું ઈન્જેક્શન લ્યે તો તેને જન્મ–
મરણનો રોગ નાશ થઈને સિદ્ધદશા થયા વગર રહે નહિ. આત્મા અને વિશ્વના દરેક
પદાર્થ સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, નિરાવલંબન છે–આવો સમ્યક્બોધ તે તો પરમ અમૃત છે
કે ઝેર?? એવું પરમ અમૃત પણ જે જીવને ‘ઝેરના ઈન્જેક્શન’ જેવું લાગે છે તે જીવને
તેના મિથ્યાત્વ ભાવનું જોર જ તેમ પોકારી રહ્યું છે! આ તો નિજકલ્યાણ કરવા માટેના
અને મિથ્યાત્વરૂપી ઝેર દૂર કરવા માટેના અફર અમૃતનાં ઈન્જેક્શન છે. પોતાના
પરિપૂર્ણ સ્વભાવનો વિશ્વાસ કરે તો સમ્યગ્દર્શન પ્રગટે એટલે કે ધર્મની પહેલામાં પહેલી
શરૂઆત થાય. તે સમ્યગ્દર્શન પોતે ચૈતન્યઅમૃતથી ભરેલું છે, ને અમૃત એટલે કે
મરણરહિત એવા મોક્ષપદનું તે કારણ છે.
આત્મસ્વભાવનો આશ્રય કરવો તે પ્રયોજન છે
આત્મસ્વભાવ સમજવામાં, તેમ જ સમજ્યા પહેલાંં અને સમજ્યા પછી પણ
સત્શ્રુત નિમિત્તરૂપ હોય છે, તેનો અહીં નિષેધ નથી. પણ તે સત્ નિમિત્તો એમ કહે છે કે
તું તારા જ્ઞાનસ્વભાવનો આશ્રય કર, ને પરનો આશ્રય છોડ. કેમકે જ્ઞાન સાથે તું તન્મય
છો ને પરથી તારી ભિન્નતા છે. જો નિમિત્તોનો આશ્રય છોડીને પોતાના સ્વભાવનો
આશ્રય કરે તો જ જીવને સમ્યગ્જ્ઞાન થાય છે, અને એ રીતે સ્વાશ્રયે સમ્યગ્જ્ઞાન પ્રગટ
કરે તો જ દ્રવ્યશ્રુતને તેનું નિમિત્ત ખરેખર કહેવાય, અને તેના દ્રવ્યશ્રુતના જ્ઞાનને
વ્યવહારજ્ઞાન કહેવાય છે. એ રીતે અહીં નિમિત્તનો–વ્યવહારનો આશ્રય છોડીને
સ્વભાવનો આશ્રય કરવો તે પ્રયોજન છે. તે જ ધર્મનો રસ્તો છે.
પ્રશ્ન:–જો શ્રુત–શાસ્ત્ર તે જ્ઞાનનું કારણ નથી, તો જ્ઞાનીઓ પણ આખો દિવસ
સમયસાર–પ્રવચનસાર આદિ શાસ્ત્રો હાથમાં રાખીને કેમ વાંચે છે?
ઉત્તર:–પહેલાંં એ સમજો કે આત્મા શું? જ્ઞાન શું? શાસ્ત્ર શું? ને હાથ શું? હાથ
અને શાસ્ત્ર તે તો બન્ને અચેતન છે, આત્માથી જુદા છે, તેની ક્રિયા તો કોઈ આત્મા
કરતો નથી. જ્ઞાનીને સ્વાધ્યાય વગેરેનો વિકલ્પ થયો અને તે વખતે જ્ઞાનમાં તે પ્રકારના
જ્ઞેયોને જ જાણવાની લાયકાત હતી તેથી જ્ઞાન થાય છે, ને તે વખતે નિમિત્તરૂપે
સમયસારાદિ વીતરાગી શાસ્ત્ર તેના પોતાના કારણે સ્વયં હોય છે. ત્યાં જ્ઞાનીએ તો
આત્મસ્વભાવના આશ્રયે જ્ઞાન જ કર્યું છે; જ્ઞાનપર્યાય સાથે જ તેને તન્મયતા છે, બીજા
કોઈ સાથે તેને તન્મયતા નથી. હાથની, શાસ્ત્રની કે રાગની ક્રિયા પણ તેણે કરી નથી.
શાસ્ત્રના કારણે જ્ઞાન થતું નથી, અને જીવના વિકલ્પના કારણે

PDF/HTML Page 18 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
શાસ્ત્ર આવ્યું નથી. જ્ઞાનનું કારણ તો પોતાનો જ્ઞાનસ્વભાવ હોય, કે અચેતન વસ્તુ
હોય? જેને પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા નથી અને અચેતન–શ્રુતના કારણે પોતાનું
જ્ઞાન માને છે, તેને સમ્યગ્જ્ઞાન થતું નથી. આ ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે.
સર્વજ્ઞ વીતરાગદેવની સાક્ષાત્ વાણી તે જ્ઞાનનું અસાધારણ–સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે પણ તે
અચેતન છે, તેના આશ્રયે–તેના કારણે પણ આત્માને કિંચિત્ જ્ઞાન થતું નથી, તો અન્ય
નિમિત્તોની તો શું વાત!
કોઈ એમ કહે કે–પહેલાંં તો વાણી વગેરે નિમિત્તના લક્ષે આત્મા આગળ વધે
ને? તો તેને કહે છે કે ભાઈ, વાણીના લક્ષે બહુ તો પાપભાવ ટાળીને પુણ્યભાવ થાય,
પણ તે કાંઈ આગળ વધ્યો કહેવાય નહિ. કેમકે શુભભાવ સુધી તો જીવ અનંતવાર
આવી ચૂક્યો છે. શુભ–અશુભથી પાર આત્માનું ભેદજ્ઞાન કરીને જ્ઞાનસ્વભાવમાં આવે
તો જ આગળ વધ્યો કહેવાય. નિમિત્તના લક્ષે કદી પણ ભેદજ્ઞાન થાય નહિ. પોતાના
જ્ઞાનસ્વભાવના લક્ષે શરૂઆત કરે તો જ આગળ વધે ને ભેદજ્ઞાનના બળે પૂર્ણતા થાય.
આચાર્યદેવના કથનમાં ગર્ભિતપણે આવી જતા નવ તત્ત્વો
શ્રી આચાર્યદેવની ઘણી ગંભીર શૈલિ છે; એકેક સૂત્રનો જેટલો વિસ્તાર કરવો
હોય તેટલો થઈ શકે છે. ‘શ્રુત તે જ્ઞાન નથી’ એમ કહેતાં તેમાં નવે તત્ત્વો ગર્ભિતપણે
આવી જાય છે.
(૧) પોતે જ્ઞાનમય જીવતત્ત્વ ચેતન છે.
(૨) પોતાથી ભિન્ન એવાં દ્રવ્યશ્રુત તે અચેતન છે–અજીવતત્ત્વ છે.
(૩) પોતાનું લક્ષ ચૂકીને તે અજીવ તરફ (–વાણી તરફ) લક્ષ કરતાં શુભરાગ થાય
છે તે પુણ્યતત્ત્વ છે.
(૪) વિષય–કષાય તરફનો અશુભભાવ તે પાપતત્ત્વ છે.
(૫) પરના લક્ષે થતો શુભ–અશુભ વિકાર તે આસ્રવતત્ત્વ છે.
(૬) તે વિકાર ભાવવડે કર્મનું બંધન થાય છે, તે બંધતત્ત્વ છે.
(૭–૮) વાણી અને આત્માને ભિન્ન જાણીને પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ
કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે તે સંવર–નિર્જરાતત્ત્વ છે. અને
(૯) આત્મસ્વભાવમાં લીન થતાં રાગાદિ ટળીને જ્ઞાનની પૂર્ણતા થાય છે તે મોક્ષતત્ત્વ છે.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
હું જ્ઞાનસ્વભાવી આત્મા, વાણી વગેરે અચેતનથી જુદો છું–એવો જેણે નિર્ણય
કર્યો તે પોતાના જ્ઞાનને પરનું અવલંબન માને નહિ. તેને પોતાના અંતરસ્વભાવના
આશ્રયે આત્માનું જ્ઞાન પ્રગટે છે ને તેમાં એકાગ્રતાથી ક્ષણે–ક્ષણે શુદ્ધિની વૃદ્ધિ થતી
જાય છે.
‘મારે મોક્ષ કરવો છે અથવા મારે ધર્મ કરવો છે’ એમ અંતરમાં ગોખ્યા કરે તેથી
કાંઈ ધર્મ થાય નહિ. મોક્ષ કેમ થાય તે બતાવનારી સંતોની વાણીના લક્ષે રોકાય તોપણ
મોક્ષ ન થાય. મારી વર્તમાન પર્યાયમાંથી વિકાર ટાળીને મોક્ષદશા કરવી છે–એમ પર્યાય
ઉપર જોયા કરે તોપણ મોક્ષ ન થાય–ધર્મ ન થાય, પણ એ વાણી અને વિકારથી જુદો
જ્ઞાનસ્વભાવ તે હું–એમ સમજી, તે આત્મસ્વભાવનો આશ્રય કરતાં નિર્મળદશા પ્રગટે
છે, અને પરાશ્રયે થનારા એવા મિથ્યાત્વ–રાગાદિભાવો ટળે છે. આત્મા જ્ઞાન–આનંદનું
બિંબ છે, તેનામાં પૂરું જ્ઞાનસામર્થ્ય છે, તે સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો અનુભવ
કરતાં પર્યાયમાં પૂરું જ્ઞાનસામર્થ્ય પ્રગટ થાય છે. આ જ મુક્તિનો ઉપાય છે.
જે જ્ઞાન પોતે અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈને પરિણમ્યું તે પોતે
સમ્યગ્દર્શન છે. તે પર્યાય પોતે આત્મા છે; આત્મા પોતે પોતાની પર્યાયમાં તન્મય થઈને
પરિણમ્યો છે. જેમ જડ–ચેતન બે વસ્તુ જુદી છે તેમ કાંઈ દ્રવ્ય–પર્યાય જુદાં નથી, અનન્ય
છે. અહીં તો કહે છે કે આત્માની બધી પર્યાયોમાં જ્ઞાન તન્મય છે; અચેતનના સમસ્ત
ગુણ–પર્યાયોથી જ્ઞાન અત્યંત જુદું છે, ને ચેતનના સમસ્ત ગુણ–પર્યાયોમાં જ્ઞાન
તન્મયપણે રહેલું છે. અહો, આવા જ્ઞાનસ્વભાવી આત્માનું ગ્રહણ (એટલે કે તેને
જાણીને તેનાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) જેણે કર્યા તે જીવ કૃતકૃત્ય સ્વસમય છે. જિજ્ઞાસુ
જીવોને કુગુરુનો સંગ છોડીને, સત્પુરુષની વાણીનું શ્રવણ કરવાનો ભાવ આવે, પણ
‘મારું જ્ઞાન વાણીના કારણે નથી, વાણીના લક્ષે પણ મારું જ્ઞાન નથી, અંતરમાં
જ્ઞાનસ્વભાવમાંથી જ મારું જ્ઞાન આવે છે’ એમ નક્કી કરીને જો સ્વભાવ તરફ વળે તો
જ સમ્યગ્જ્ઞાન થાય છે. અને તેણે જ દ્રવ્યશ્રુતનું સાચું શ્રવણ કર્યું છે; દ્રવ્યશ્રુત જે કહેવા
માંગે છે તે તેણે લક્ષમાં લીધું છે.
શ્રી કુંદકુંદપ્રભુ પોતે મહાવિદેહક્ષેત્રમાં જઈને સર્વજ્ઞદેવ શ્રી સીમંધરભગવાનની
દિવ્યવાણીનું આઠ દિવસ શ્રવણ કરી આવ્યા હતા; તેઓશ્રી આ ગાથામાં કહે છે કે
ભગવાનની સાક્ષાત્ દિવ્યવાણી અચેતન છે, તેમાં આત્માનું જ્ઞાન નથી. ભગવાનની
વાણી એમ જ જણાવે છે કે જ્ઞાનની ઉત્પત્તિ વાણીના આશ્રયે નથી; આત્મા પોતે
જ્ઞાનસ્વરૂપ છે, તેના જ આશ્રયે તેનું જ્ઞાન છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
વાણી અચેતન છે, તેમાં જ્ઞાન નથી, એ વ્યતિરેકપણું કહ્યું, અને જ્ઞાન તે આત્મા
છે–તે અન્વયપણું છે. એટલે કે આત્મા પોતાના અનંત ગુણસ્વભાવોથી પરિપૂર્ણ છે અને
વાણી વગેરેથી તદ્ન જુદો છે,–એમ અસ્તિ–નાસ્તિ દ્વારા આચાર્યદેવે આત્મસ્વભાવ
બતાવ્યો છે.
જ્ઞાન અને વાણી જુદા છે. જ્ઞાનમાંથી વાણી નીકળતી નથી, અને વાણીમાંથી
જ્ઞાન પ્રગટતું નથી. જ્ઞાનમાં જેવી લાયકાત હોય તેવી વાણી નિમિત્તરૂપે હોય–એવો
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે; ત્યાં અજ્ઞાની જીવ ભ્રમથી એમ માને છે કે વાણીને કારણે
જ્ઞાન થાય છે. તેથી તે વાણીનો આશ્રય છોડતો નથી ને સ્વભાવનો આશ્રય કરતો નથી,
એટલે તેને સમ્યગ્જ્ઞાન થતું નથી.–એવા જીવને વાણી અને જ્ઞાનની અત્યંત ભિન્નતા
બતાવે છે. જ્ઞાન ચેતન છે અને વાણી જડનું પરિણમન છે. જ્ઞાન અને વાણી બંને
પોતપોતાની વસ્તુમાં તન્મય થઈને સ્વતંત્રપણે પરિણમે છે. આવું અપૂર્વ ભેદવિજ્ઞાન
કરનાર જીવ સ્વસમયમાં સ્થિર થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને મોક્ષ પામે છે.
–તે વીરનો માર્ગ છે.
जय महावीर
મસ્તાનાકા મારગ મુક્તિ....
શું જાણે તે દીવાના?
મેરા મારગ ન્યારા સબસે
(પણ) શિવમારગસે નહીં ન્યારા;
વીતરાગકા વચન પ્રમાણે
સમજે તો જગકું પ્યારા....
સચ્ચા કહે જિનવાણી ખુલ્લા,
સમજે જ્ઞાની મસ્તાના;
મસ્તાનાકા મારગ મુક્તિ
શું જાણે તે દીવાના?
ધન્ય ધન્ય જગમાં એવા સંતો,
સંગત જેની બહુ સારી;
સંતજનો સહુ ચઢતે ભાવે
હું જાઉં તસ બલિહારી...