PDF/HTML Page 1 of 37
single page version
PDF/HTML Page 2 of 37
single page version
દુનિયાના કોલાહલથી કંટાળેલું તેનું ચિત્ત આત્મશાંતિને
તેને ભેટે છે. તે મુમુક્ષુ બીજા જ્ઞાનીઓની અનુભૂતિની વાત
આત્મામાં ધર્મચક્ર ચાલુ કરો, ને મહાવીરપ્રભુના માર્ગમાં
PDF/HTML Page 3 of 37
single page version
ધર્મી–શ્રાવકે વિવેકથી કહ્યું: જી! અમે પાંચે પંચપરમેષ્ઠીભગવંતોને
માનીએ છીએ...તે પંચપરમેષ્ઠીની પંક્તિમાં છે કે નહીં–તેનો વિચાર તો તમે જ
કરો.
પરમભક્તિથી તેમને નમસ્કાર કરીએ છીએ.
તે ક્્યો જૈન–બચ્ચો છે–કે જે પંચપરમેષ્ઠીને ન માને! ઈન્દ્રો અને ચક્રવર્તીઓનું
શિર પણ જેમના ચરણે ઝુકી જાય એવા રત્નત્રયવંત ભગવંતો–તેમને ક્્યો
ધર્માત્મા ન આદરે? અહો! તેમના સાક્ષાત્ દર્શનની તો શી વાત! તેમના
બહારમાં ઈંદ્રાદિ કોણ નમે છે! ને કોણ મિથ્યાદ્રષ્ટિઓ નથી નમતા–એ જોવાની
પ્રમોદ જરૂર આવે છે...ગુણને દેખીને પ્રમોદ ન આવે–એને ધર્મપ્રેમ કેવો? આવા
પંચપરમેષ્ઠી પદ તે તો જગતપૂજ્ય છે, આત્માના પરમ ઈષ્ટ પદ છે. આવા
પંચપરમેષ્ઠીને દેખીને પણ તેમના ચરણોમાં જેનું શિર ન ઝુકે તે જૈન કેવો? તે
મુમુક્ષુ કેવો? જૈન મુમુક્ષુનું હૃદય તો પંચપરમેષ્ઠીને દેખતાં જ તેમના ગુણો પ્રત્યે
પરમભક્તિથી નમી પડે છે: અહો રત્નત્રયના ભંડાર! તમારા જેવા ગુણોની
PDF/HTML Page 4 of 37
single page version
ભારતમાં ઠેરઠેર પ્રવર્તી રહ્યું છે, ને સમસ્ત જનતા એકમેક થઈને
અત્યંત ઉત્સાહથી તેનું સ્વાગત કરી રહી છે.
સહિત આ ભરતક્ષેત્રમાં વિચરતા હતા...તેની થોડીક ઝાંખી અત્યારે થઈ
રહી છે. આપણે પણ પ્રભુના શાસનમાં છીએ, ને પ્રભુએ ચલાવેલું
ધર્મચક્ર આજે પણ ચાલી રહ્યું છે.
સૌમાં વીતરાગભાવની જ વૃદ્ધિ થાય; ઉત્સવને લગતા વર્ષભરના
કાર્યક્રમોમાં કે પ્રચારમાં એવું કાંઈ ન થાય કે જેથી ક્્યાંય કલેશ થાય;
–અપિ તુ જુની કોઈ કટુતા હોય તો તે પણ દૂર થઈને, પરસ્પર પ્રેમ–
વાત્સલ્ય વધે એમ કરીને આપણે સૌએ ઉત્સવને શોભાવવાનો છે.
ઉત્સવ ઉજવીને તેમના માર્ગે જવાનું છે. આપણે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રવડે ભગવાનના માર્ગમાં જેટલા ચાલીશું તેટલી જ ઉત્સવની
સફળતા થશે. ઉત્સવમાં લાખો માણસો કે કરોડો રૂપિયા ભેગા થાય
એના કરતાં બે–પાંચ વ્યક્તિ પણ સમ્યક્ ભાવોને પ્રાપ્ત કરે તે વધુ
મહત્ત્વનું છે. ‘સમ્યક્ આત્મભાવોની પ્રાપ્તિ–એ જ મહાવીરનો સાચો
મહોત્સવ છે’–આ મહત્ત્વના મંત્રને સામે રાખીને આપણે ભગવાનનો
ઉત્સવ ઉજવીએ.
PDF/HTML Page 5 of 37
single page version
સુંદર જીવન હોય? તે સંબંધી આઠ વિવિધ લેખોનું સમ્યક્ત્વ–
જિજ્ઞાસુઓને ખૂબ જ ગમ્યું છે. પ્રથમના આઠ લેખો આત્મધર્મમાં
તેમ જ ‘સમ્યગ્દર્શન’–પુસ્તકના પાંચમા ભાગમાં છપાઈ ગયા છે.
ત્યારપછીના બીજા આઠ લેખો અહીં આપવામાં આવશે. (સં.)
સાચા દેવ–ગુરુ–ધર્મ કે જેઓ આત્માની સાચી શાંતિનો માર્ગ બતાવે છે તે તેને ગમી
જાય છે, એટલે જ્ઞાનમાં તેમના સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને તેમના પ્રત્યે અર્પણતા
કરી હોય છે. નવ તત્ત્વના ભિન્ન ભિન્ન ભાવોને જેમ છે તેમ વિચારે છે; શુભરાગ વગેરે
બંધભાવને નિર્જરામાં ખતવતો નથી, તેમજ તેને સમ્યગ્દર્શનાદિ–સંવર–નિર્જરાનું કારણ
માનતો નથી; એ રીતે નવતત્ત્વ જેમ છે તેમ બરાબર જ્ઞાનમાં જાણે છે.
ને જુગાર–સિનેમા–રાત્રિભોજન વગેરે તીવ્રપાપથી પણ તે દૂર રહે છે. અરે, જેમાં
શાંતિની ગંધ પણ નથી એવા નિષ્પ્રયોજન પાપકાર્યો તે શાંતિના ચાહક જીવને કેમ
ગમે? સત્સમાગમ, વીતરાગની પૂજા–ભક્તિ, આત્મશાંતિના પોષક ગ્રંથોનું વાંચન,
મનન તેને ખૂબ ગમે છે. તેમાં જે શુભપરિણામ થાય છે તેને અને તે વખતના
જ્ઞાનરસના ઘોલનને તે જુદા–જુદા ઓળખે છે; તેમાંથી તે રાગના ભાગને ધર્મનું સાધન
માનતો નથી; તે રાગ
PDF/HTML Page 6 of 37
single page version
PDF/HTML Page 7 of 37
single page version
તથા વિચારધારા કેવા પ્રકારની હોય તે જોઈએ–
જાણે છે, અને પોતાના પરથી જુદાપણાની પ્રતીત તેને ચોવીસે કલાક રહે છે. તે જગતના
પરજ્ઞેયોને પણ પહેલાંં કરતાં અપૂર્વ રીતે દેખે છે, કેમકે પરને ખરેખર પરરૂપે પહેલાંં કદી
છતાં તેનાથી વિરક્ત રહે છે; તે પરભાવનો કર્તા થતો નથી પણ તેનાથી ભિન્ન ચેતનાવડે
જ્ઞાતા જ રહે છે, ચૈતન્યસુખનો સ્વાદ ચાખી લીધો હોવાથી હવે પરમાં ક્્યાંય સુખબુદ્ધિ
કે ઈષ્ટપણાની બુદ્ધિ સ્વપ્નેય થતી નથી. તે સ્વસમય અને પરસમયને બરાબર
અનુભવસહિત જુદા જાણે છે, તેને કેવળજ્ઞાનનું બીજ પ્રગટી ગયેલ છે, અતીન્દ્રિય
આનંદના અંકૂરા પણ ફૂટયા છે; તેની દ્રષ્ટિમાં આખા આત્માનો સ્વીકાર થઈ ગયો છે;
તેને અનંત ગુણોના નિર્મળ અંશથી ભરેલી અનુભૂતિ નિરંતર વર્તે છે. હજી જેટલી
અધૂરાશ કે રાગ–દ્વેષ બાકી છે તેને પણ જ્ઞાની પોતાનો અપરાધ જાણે છે. રાગને જાણવા
વીતરાગ પરમાત્મા તથા નિર્ગ્રંથગુરુઓના સ્વરૂપની ઓળખાણ, તેમનું બહુમાન,
જિનવાણીની સ્વાધ્યાય, ધર્માત્મા–સાધર્મીઓ પ્રત્યે પ્રેમ, વારંવાર આત્મસ્વરૂપનું મનન
તેને હોય છે; તેમજ ગૃહકાર્ય તથા વેપાર–ધંધા કે રાજપાટ વગેરે સંબંધી બહારના
કાર્યોમાં પણ જોડાયેલ હોય છે, તે સંબંધી અશુભપરિણામો પણ થાય છે–પણ તેમાં
અનંતરસ હોતો નથી. બહારનાં કાર્યો તો, અજ્ઞાનીના તથા સમ્યગ્દ્રષ્ટિના સ્થૂળપણે
સરખાં લાગે, પણ અંતરના અભિપ્રાયમાં તથા પરિણામના રસમાં તે બંનેમાં ઘણો જ
આંતરો હોય છે.
પરનાં કાર્ય હું કરું છું તથા પરમાંથી સુખ આવે છે–એમ ભ્રમથી સમજતો હોય છે. પણ
જ્ઞાનીને તે ભ્રમણા સર્વથા છૂટી ગઈ હોવાથી તેના અંતરંગ આચરણમાં એક મોટો ફેર
પડી ગયો હોય છે–કે જે બાહ્યદ્રષ્ટિથી દેખાય તેવો નથી. જ્ઞાનીને સ્વરૂપના અસ્તિત્વનું
બરાબર જ્ઞાન હોવાથી તે પોતાને પોતાપણે, અને પરને પરસ્વરૂપે બરાબર જાણે છે.
તેથી
PDF/HTML Page 8 of 37
single page version
છે તેટલું બંધન થાય છે, પણ તે અલ્પ છે, તેનાથી અનંત સંસાર વધતો નથી. જ્યારે
અજ્ઞાનીને શુભભાવ હોય તોય તે રાગથી ભિન્ન ચૈતન્યને જ જાણતો હોવાથી તેને
મિથ્યાત્વને લીધે અનંત સંસાર ઊભો છે.
છે, તથા ક્્યારે સંસારથી વિરક્ત થઈને મુનિ થાઉં અને સ્વરૂપમાં લીન થઈને પૂર્ણ
સુખમય બની જાઉં–એવી અંતરંગભાવના નિરંતર હોય છે. સર્વજ્ઞ–સ્વભાવનો અને
વસ્તુમાં ક્રમબદ્ધ–પરિણમનનો પણ તેને બરાબર નિર્ણય વર્તે છે. જ્યાંસુધી પૂર્ણપદ ન
પમાય ત્યાંસુધી ભેદજ્ઞાન ચાલુ છે, અને પૂર્ણતાના લક્ષે ઊપડ્યો છે તેની સાધના ચાલુ
છે, તે થોડાક વખતમાં પૂર્ણપદને જરૂર પામશે જ.–સમ્યગ્દર્શનનો આ પ્રતાપ છે.
દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત–તૃપ્ત છે; ચૈતન્યના આનંદની
મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી...હું જ જ્ઞાન–
દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ
છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું.
ચૈતન્યમાં બીજા કોઈની ચિન્તા નથી. એકત્વ ચૈતન્યના ચિન્તનમાં પરમ
સુખ છે. સર્વ સુખ–સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખીદેખીને
જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તોપણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી,
સ્વાનુભવમાં સમાય છે.–આવી જેની અનુભવદશા...તે જીવ ધર્મી...
PDF/HTML Page 9 of 37
single page version
૬૭. તું ગુણનિલય આત્માને છોડીને ધ્યાનમાં અન્યને ધ્યાવે છે, પરંતુ હે મૂર્ખ! જે
PDF/HTML Page 10 of 37
single page version
PDF/HTML Page 11 of 37
single page version
સંસ્થિત મારું મન ત્યાંથી પાછું વળી ગયું છે.
બંને એક વસ્તુમાં રહેતાં હોવા છતાં તેમને એકરૂપતા થતી નથી.–આવો ભાવ
સમજાય છે.
PDF/HTML Page 12 of 37
single page version
જિનમાર્ગી સન્તો આવી અપૂર્વ શાંતિને પામ્યા છે, ને એવી
પામવા માટે આત્માને ઓળખો. આત્માની ઓળખાણ કરાવનારું
સુગમ શાસ્ત્ર ‘સમાધિશતક’ તેનાં પ્રવચનોનું દોહન આપ વાંચી
રહ્યા છો.
જે જીવ બાહ્યદ્રષ્ટિવાળો અવિદ્ધાન છે, ચેતન અને જડની ભિન્નતાનું જેને ભાન
આત્માને તિર્યંચ માને છે, દેવશરીરમાં રહેલા આત્માને દેવ માને છે, તથા નારકશરીરમાં
રહેલા આત્માને નારક માને છે; પરંતુ આત્મા તો તે દેહથી જુદો અનંતાનંત જ્ઞાનાદિ
શક્તિસંપન્ન, સ્વસંવેદ્ય અચલ સ્થિતિવાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી
મુદતવાળું જડ છે, ને આત્મા તો સળંગ સ્થિતિવાળો ચૈતન્યશક્તિસંપન્ન છે,–એમ બંનેની
ભિન્નતાને અજ્ઞાની ઓળખતો નથી. એ પ્રમાણે ચિદાનંદશક્તિસંપ
અવિદ્વાન જ છે, ચૈતન્યવિદ્યાની તેને ખબર નથી. જ્ઞાની તો પોતાને દેહથી ભિન્ન, એક
ચૈતન્યભાવરૂપે જ સદા અનુભવે છે.
આત્મા રહ્યો ત્યાં, આત્મા જ જાણે કે દેવશરીરરૂપે થઈ ગયો–એમ તે અજ્ઞાની માને છે;
અને એ જ પ્રમાણે મનુષ્ય કે નારકશરીરમાં રહેલા આત્માને, મનુષ્ય કે નારકીરૂપ માને
PDF/HTML Page 13 of 37
single page version
આત્મા તો દેહથી તદ્ન ભિન્ન છે; જુદાજુદા શરીરો ધારણ કરવા છતાં આત્મા પોતાના
ચૈતન્યસ્વરૂપે જ રહ્યો છે, ચૈતન્યસ્વરૂપથી છૂટીને જડરૂપ કદી થયો જ નથી.
આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મનુષ્ય વગેરે દેહરૂપે થયો નથી.
રહિત આત્માના સ્વરૂપને જુઓ તો તે જ્ઞાન–આનંદસ્વરૂપ જ છે; મનુષ્ય વગેરે શરીર કે
તેની બોલવા–ચાલવાની ક્રિયા તે કાંઈ આત્મા નથી, તે તો અચેતન જડની રચના છે.
દેહથી ભિન્ન, અનંત ચૈતન્યશક્તિસંપન્ન અરૂપી આત્મા છે, તે આંખ વગેરે ઈન્દ્રિયોથી
દેખાતો નથી, તે તો અંતરના અતીન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે.
જ્ઞાની–ગુરુની ખરી ઓળખાણ થાય અને તેમના પ્રત્યે ખરી ભક્તિ આવે. શુભરાગવડે
પણ ચિદાનંદસ્વરૂપ આત્મા ઓળખાય તેવો નથી, અને પોતાના આત્માને ઓળખ્યા
વગર સામા આત્માની ઓળખાણ પણ થાય નહિ.
PDF/HTML Page 14 of 37
single page version
મારા જ્ઞાનાનંદસ્વરૂપથી હું કદી ચ્યુત થતો નથી. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જે સમ્યક્શ્રદ્ધા
અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી;
જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા તે હવે આત્માના જ આશ્રયે અચલ
ટકી રહે છે, કોઈ સંયોગના કારણે શ્રદ્ધા–જ્ઞાન ચલાયમાન થતા નથી. આવા
સ્વસંવેદનથી આત્મના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરવી તે બહિરાત્મપણાથી
છૂટવાનો ને અંતરાત્મા (ધર્માત્મા) થવાનો ઉપાય છે, અને પછી આત્માના
ચૈતન્યસ્વભાવમાં લીન થઈને પોતે પરમાત્મા બની જાય છે.
ભિન્નતા છે. જેમ એક કષાઈ જેવો જીવ અને બીજો સજ્જન–એ બંને એક ઘરમાં ભેગા
રહ્યા હોય, પણ બંનેના ભાવો જુદા જ છે; તેમ આ લોકમાં જડ શરીરાદિ અને આત્મા
એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બંનેના ભાવો તદ્ન જુદા છે, આત્મા પોતાના જ્ઞાન–આનંદ
વગેરે ભાવમાં રહ્યો છે, ને કર્મ–શરીરાદિ તો પોતાના અજીવ–જડ ભાવમાં રહ્યા છે,
બંનેની એકતા કદી થઈ જ નથી. સદાય અત્યંત ભિન્નતા જ છે.
સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં સ્વસંવેદન કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશમાત્ર
પોતાના ભાસતા નથી, ને તેમાં ક્્યાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ ચૈતન્યમાં
જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી.
પણ ઉપાધિરૂપ ભાવ છે, તે મારા જ્ઞાનદર્શનસ્વરૂપથી ભિન્ન છે. સાચી શાંતિ જોઈતી હોય
તો હે જીવો! આવા આત્માને તમે ઓળખો.
પોતાના શરીરને આત્મા માને છે, એટલે તેમાં જ તે મૂર્છાયેલો છે; પણ શરીરથી ભિન્ન
ચૈતન્ય–
PDF/HTML Page 15 of 37
single page version
પોતાના અંર્તવેદનથી જ જણાય છે.
ગઈ; અને જેમ પોતામાં શરીરને આત્મા માને છે તેમ બીજાના અચેતન શરીરને દેખીને
તેને પણ તે બીજાના આત્મા જ માને છે. એ રીતે મૂઢ જીવ પોતામાં ને પરમાં અચેતન
શરીરને જ આત્મા માને છે; દેહથી ભિન્ન આત્માને તે દેખતો નથી, ઓળખતો નથી.
ઓળખો.
થાય; પણ એને તો અજ્ઞાની ઓળખતો નથી; તે તો શરીરની ચેષ્ટાને તથા રાગને દેખે
છે. પોતાના આત્માને નહિ દેખનારો અંધ બીજાના આત્માને ક્્યાંથી દેખી શકે?
બહિરાત્મદશા છોડ...ને અંતરાત્મા થા.
એક માણસ નિદ્રામાં સૂતો હતો; તેને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો છું’. આ
પણ ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો ને મૃત્યુ
કોણે? જાણનારો તો જીવતો જ છે.
PDF/HTML Page 16 of 37
single page version
જગાડયો, જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર
જડ છે, તે કાંઈ હું નથી. મેં ભ્રમથી મને શરીરરૂપ માન્યો, પણ હું કાંઈ ચૈતન્ય મટીને
જડ થઈ ગયો નથી. શરીરના સંયોગ–વિયોગે મારું જન્મ–મરણ નથી. આવું ભાન થતાં
જ તેનું દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ–મરણ મારામાં નથી, હું તો
સદા જીવંત ચૈતન્યમય છું. હું મનુષ્ય કે તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો
ચૈતન્ય જ રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું
તો જાણનાર સ્વરૂપે સદાય જીવંત છું.
જીવ બાહ્ય સંયોગોમાં–પુણ્યમાં–રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નાના સુખ જેવું છે.
જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં–રાગમાં ક્્યાંય મારું સુખ
નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે–આવા ચૈતન્યનું
ભાન કરે તો મિથ્યા માન્યતારૂપી રોગ ટળે, ને સમ્યગ્દર્શનાદિ નિરોગતા પ્રગટે,–તે જ
સુખ છે.
કઠણપત્થરા પર દોરીના વારંવાર ઘસારાથી ઘસાઈ–ઘસાઈને તેમાં લિસોટા થઈ જાય છે,
તેમ દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વની વારંવાર ભાવનાના અભ્યાસથી અનાદિ અવિદ્યાના
સંસ્કારનો નાશ થઈને ભેદજ્ઞાન થાય છે, ને અપૂર્વ જ્ઞાનસંસ્કાર પ્રગટે છે.
છે,–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,–ફરીને શરમજનક દેહનો સંયોગ થતો નથી.
અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ
કરે છે. પણ અશરીરી ચૈતન્યસ્વભાવને ઓળખીને તેને જે આરાધે છે તે અશરીરી સિદ્ધ
થઈ જાય છે. યોગીન્દુસ્વામી કહે છે કે–
PDF/HTML Page 17 of 37
single page version
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની–ક્ષીર.
અને આત્માને દેહથી ભિન્ન ઓળખતાં આનંદની પ્રાપ્તિ સહિત ભવનો અંત થશે.–
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.....
ક્્યાંથી થયો? ને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? કોની સાથે મારે સંબંધ છે? ”
આત્મા પહેલાંં (પૂર્વભવે) બીજા શરીરના સંયોગમાં હતો, ત્યાંથી તે શરીરને છોડીને
અહીં આવ્યો,–એ રીતે આત્મા તો ત્રિકાળ ટકનાર તત્ત્વ છે, ને દેહ તો ક્ષણિક સંયોગી
છે.
સંબંધ તોડીને જ્ઞાનાનંદસ્વરૂપ સાથે જ મારે સંબંધ જોડવા જેવો છે. મારા ચિદાનંદતત્ત્વ
સિવાય જગતના કોઈ પદાર્થો સાથે મારે એકતાનો સંબંધ કદી પણ નથી.–આમ
કરવો ને દેહાદિકને પોતાથી બાહ્ય–ભિન્ન જાણવા, તે સિદ્ધાંતનો સાર છે.–આ રીતે
આત્માને ઓળખવો તે જ પરમસુખનો ઉપાય છે.
PDF/HTML Page 18 of 37
single page version
મિત્ર પ્રત્યે સમભાવ કરીને, કષાયોના શલ્યથી દૂરતા, અને અખંડ
સમ્યક્ત્વપાલન સહિતની સમાધિ–તેની ભાવનારૂપ આ વૈરાગ્યભજન
જિનભગવાનને કે આત્મસ્વરૂપને ભૂલતો નથી.
દેહ–અંત કે સમયમેં...તુમકો ન ભૂલ જાઉં.. દિનરાત૦
શત્રુ અગર કો હોવે સંતુષ્ટ ઉનકો કરદું,
સમતાકા ભાવ ધરકે સબસે ક્ષમા કરાઉં... દિનરાત૦
ત્યાગું આહાર પાની ઔષધ વિચાર અવસર,
તુટે નિયમ ન કોઈ દ્રઢતા હૃદયમેં ધારું... દિનરાત૦
જાગે નહિ કષાયેં નહિ વેદના સતાવે;
તુમસે હી લો લગી હો, દુર્ધ્યાનકો હટાઉં... દિનરાત૦
આત્મસ્વરૂપકા ચિંતન આરાધના વિચારું;
અરહંત–સિદ્ધ–સાધુ રટના યહી લગાઉં... દિનરાત૦
ધર્માતમા નિકટ હો ચરચા ધરમ સુનાવે,
વો સાવધાન રકખેં ગાફલ ન હોને દેવે... દિનરાત૦
જીનેકી હો ન વાંછા મરનેકી હો ન ખ્વાહિશ
પરિવાર મિત્ર જનસે મેં મોહકો ભગાઉં... દિનરાત૦
ભોગ્યા જો ભોગ પહલે ઉનકા ન હોવે સુમરન
મૈં રાજસંપદા યા પદ ઈન્દ્રકા ન ચાહું... દિનરાત૦
સમ્યક્ત્વ કા હો પાલન હો અંતમેં સમાધિ,
‘શિવરામ’ પ્રાર્થના યહ જીવન સફલ બનાઉં... દિનરાત૦
PDF/HTML Page 19 of 37
single page version
ચેતનમય આત્મા, અને પુદ્ગલમય શરીર,–એ બંનેનું સ્વરૂપ એકબીજાથી તદ્ન
બંનેનું પરિણમન સ્વતંત્ર જુદેજુદું છે. અનાદિથી અજ્ઞાની એક શરીરને છોડીને બીજી
ગતિમાં જાય છે પણ શરીર કાંઈ તેની સાથે નથી જતું.–આવી ભિન્નતાને નહિ જાણનારો
એક અજ્ઞાની, શરીરને પોતાનું માનીને મરતાં પણ તેને સાથે રાખવા માંગે છે ને
શરીરને વિનવે છે કે હે શરીર! તું મારી સાથે ચાલ!
*
પાપો કર્યાં, માટે હવે મારી સાથે જરૂર ચાલ.
જ રહેવું.
ત્યારે શ્રીગુરુએ બંને પક્ષની દલીલો સાંભળીને સત્ય ન્યાય આપ્યો.–શું ન્યાય આપ્યો?
તે આપ આ કાવ્યમાં વાંચશો.
તેવી છે, તેના સંવાદો આકર્ષક છે. સોલાપુરના કંકુબાઈ શ્રાવિકાશ્રમની બાળાઓએ
આ સંવાદ નાટકરૂપે ભજવ્યો હતો, અમે મરાઠી–‘
આનંદ થશે. (–સં.)
PDF/HTML Page 20 of 37
single page version
श्री मुनिवरके निकट जा, चेतन करी पुकार।।
तुम्हारा मेरा साथ यहीं तक, अब मे यहींपर रहती हूँ।
कैसे छोडू मैं इसको, हा! बडे प्यारसे पाला था
इसके खातिर स्वामी मैंने, घरघर डाका डाला था।।
इस प्रकार ये झगड रही है, मूरख नादानीको।
हाय! कहो अब कैसे छोडू, अपनी प्रीत पुरानीको?
कायासे पूछत गुरु, यों मृदु वचन उचार।
ये काया! क्या बात है, चेतनके प्रतिकूल,
तुम भी अपनी बातको, बतलाओ अनुकूल।।
ये चेतन तो मूरख है, करै अनाडी बात।।
‘चलो हमारे साथ तुम, ’ ये चेतन यों कहता है।
मेरे कुलकी रीत अनादि, यह सब मेटन चाहता है।।
इन्द्र नरेन्द्र धरणेन्द्रके संग, नहीं गयी सब जानत है।
ये चेतन मूरख अभिमानी, मुझसे प्रीति ठानत है।।