Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૩૮
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંમાગશર
અંક બીજો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
જ્ઞાની સ્થાપે છે અજ્ઞાની ઉથાપે છે
કોણ ક્રિયાને સ્થાપે છે?
૧. શરીરની ક્રિયા તે પુદ્ગલ પરમાણુઓની અવસ્થા છે અને પરમાણુઓ સ્વતંત્રપણે પરિણમે
છે અર્થાત્ શરીરની તે અવસ્થારૂપ થાય છે. આત્મા તેનો ખરેખર કર્તા નથી, એમ જ્ઞાનીઓ જ
શરીરની ક્રિયાને જેમ છે તેમ સ્થાપે છે.
૨. પુણ્ય ક્રિયા તે જીવનો વિકાર ભાવ છે, તે ક્રિયાથી આત્માનો અવિકારી ધર્મ પ્રગટે નહિ તેમ
જ તે ક્રિયા ધર્મમાં મદદ કરે નહિ–એમ જ્ઞાનીઓ જ પુણ્ય ક્રિયાને પુણ્યની ક્રિયા તરીકે સ્થાપે છે.
૩. આત્માની અવિકારી ક્રિયા તે ધર્મ છે, તે ક્રિયા આત્માના જ અવલંબને પ્રગટે છે, તેમાં કોઈ
બીજાનું અવલંબન નથી તેમ જ પુણ્યની ક્રિયાથી તે અવિકારી ક્રિયા પ્રગટતી નથી–એમ જ્ઞાનીઓ જ
અવિકારી ક્રિયાને બરાબર સ્થાપે છે.
કોણ ક્રિયાને ઉપાથે છે?
૧. શરીરની ક્રિયા આત્માથી થાય છે, પણ એની મેળે સ્વતંત્ર થતી નથી–એમ માનીને
અજ્ઞાનીઓ જ શરીરની સ્વતંત્ર ક્રિયાને ઉથાપે છે, કેમકે તેઓ પુદ્ગલ પરમાણુઓની સ્વતંત્ર ક્રિયાને
સ્થાપતા નથી.
૨. પુણ્ય–ક્રિયા અર્થાત્ શુભરાગરૂપ વિકારી ક્રિયાથી ધર્મ થાય અથવા તો તે કરતાં કરતાં ધર્મ
થાય. એમ માનીને અજ્ઞાનીઓ જ પુણ્યની ક્રિયાને ઉથાપે છે; કેમ કે પુણ્ય તે વિકારી ક્રિયા છે, છતાં
તેઓ વિકારી ક્રિયાને વિકારી ક્રિયા તરીકે સ્થાપતા નથી.
૩. આત્માની અવિકારી ક્રિયા પુણ્ય કરતાં કરતાં થાય અથવા તો કાંઈક પરાવલંબન જોઈએ–
એમ માનીને અજ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને ઉથાપે છે; કેમકે પુણ્યની અપેક્ષા રહિત નિરાવલંબી
અવિકારી ક્રિયા છે તેને તેઓ સ્થાપતા નથી.
વાર્ષિક લવાજમ૩૮છુટક અંક
અઢી રૂપિયાશાશ્ચત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૩૮
વર્ષ ચોથુંસળંગ અંકમાગશરઆત્મધર્મ
અંક બીજો૩૮ર૪૭૩
... એવા કુંદ પ્રભુ અમ મંદિરીયે...
એવા કુંદ પ્રભુ અમ મંદિરીયે...શ્રી સીમંધર દેવના દર્શન કરી
એવા આતમ આવો અમ મંદિરીયે...સત્ય સંદેશા લાવનાર ચિંતામણી
જેણે તપોવન તીર્થમાં જ્ઞાન લાધ્યુંપ્રભુ શ્રુતધારી કળિકાળ કેવળી...એવા કુંદપ્રભુ૦
જેણે વન જંગલમાં શાસ્ત્ર રચ્યુંહે ગુણ નિધિ ગુણાગારી પ્રભુ
ૐ કાર ધ્વનિનું સત્ત્વ સાધ્યું...એવા કુંદપ્રભુ૦તારી આદર્શતા ન્યારી ન્યારી પ્રભુ
જેણે આત્મવૈભવથી તત્ત્વ સીંચ્યા,હું પામર એ શું કથી શકું...એવા કુંદપ્રભુ૦
વળી સંયમ ગૂચ્છમાં ગૂંજી રહ્યાપ્રભુ કુંદકુંદ દેવ સુવાસ તારી
જેણે જીવનમાં જિનવર ચિંતવ્યા...એવા કુંદપ્રભુ૦પ્રસરાવી મુમુક્ષુ હૃદયમાંહી
મહા મંગળ પ્રતિષ્ઠા મહા ગ્રંથનીકાનદેવે મીઠાં મેહ વરસાવી...એવા કુંદપ્રભુ૦
વળી અગમ નિગમના ભાવો ભરીજિનેન્દ્ર સ્તવનાવલી પા. ૨૯.
દીસે ‘સાર–સમય’ ની રચના રૂડી...એવા કુંદપ્રભુ૦જિનેન્દ્ર સ્તવનમંજરી પા. ૩૬૯.
વીર નિર્વાણ કલ્યાણક દિન
જગતના સર્વ જીવોને શાંતરસ– સબરસની પ્રાપ્તિ હો!
પ્રાતઃ સ્મરણીય પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પ્રાતઃકાલીન વચનામૃતના આધારે.
વેણલાં વાયાં એમ બેનો ગાય છે. વેણલાં તો દરરોજ વાય જ છે, એવો ને એવો પ્રકાશ દરરોજ હોય છે. તે
પ્રભાતમાં કાંઈ વિશિષ્ટતા નથી. વિશિષ્ટ સુપ્રભાત તો કેવળજ્ઞાન છે, કે જે ઊગ્યું તે ઊગ્યું જ, કદી પણ અસ્ત થવાનું
નહિ જ, પણ સાદિ અનંતકાળ સુધી ટકી રહેવાનું. સ્વભાવમાં વિકાર નથી–ભવ નથી. માટે સ્વભાવની ઓળખાણ
કરનારને વિકાર ન હોય, ભવ ન હોય. પુરુષાર્થ દ્વારા સ્વભાવની વૃદ્ધિ થતાં થતાં અલ્પકાળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ
થઈ જાય એ જ મંગલમય સુપ્રભાત છે. લોકો સાલમુબારક કરે છે પણ કેવળજ્ઞાન જ મુબારક છે–અન્ય કશું મુબારક
છે જ નહિ; માટે તેનું જ ધ્યાન ધર, તેનું જ ગાન કર અને તેનું જ બહુમાન કર.
જેમ મીઠાની પૂતળી પાણીમાં નાખતા વેંત જ સમાઈ (ઓગળી) જાય છે તેમ આખો લોકાલોક
કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે અર્થાત્ કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં સર્વ પદાર્થો જણાઈ જાય છે–બધા જ્ઞેયો
સમયે સમયે તેમાં સમાતા જાય છે.
સ્ફટિક જેમ અંદર–બહાર તેના આખા દળમાં પૂર્ણ સ્વચ્છ છે તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશે પૂર્ણ
પવિત્ર છે. શરીરના જે ભાગોમાં અશુચિ છે તે સ્થાને રહેલા આત્મપ્રદેશો પણ અશુચિમય હોતા નથી પરંતુ પવિત્ર જ
હોય છે. પગના ભાગમાં રહેલા આત્મપ્રદેશો ઓછા પવિત્ર ને મસ્તક કે જે ઉત્તમાંગ કહેવાય ત્યાં રહેલા આત્મપ્રદેશો
વિશેષ પવિત્ર–એવું નથી. તે તો સર્વાંગે પૂર્ણ પવિત્ર જ છે.
સ્વચ્છ મનુષ્ય જેમ અશુચિવાળા સ્થાનમાં જરા વાર પણ રહેવા ઇચ્છતો નથી પણ જલદીથી બહાર નીકળી
જવા ઇચ્છે છે તેમ આસ્રવો–પુણ્ય પાપના વિકારી ભાવો કે જે અશુચિમય છે તેને આત્મશુદ્ધિનો ઇચ્છક પુરુષ જરાવાર
પણ રાખવા ઇચ્છતો નથી પણ તેને જલદીથી છોડી દઈને પૂર્ણ પવિત્ર બનવા ઇચ્છે છે.
આજે શુક્રવાર છે માટે આત્માના શુક્ર (વીર્ય) માં વાસ કરવો ને વીર્યની વૃદ્ધિ કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
કરી લેવી.
આત્માનો શાંતરસ એ જ સબરસ છે–એવા સબરસની જગતના સર્વ જીવોને પ્રાપ્તિ હો!

PDF/HTML Page 4 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૨૩ઃ
ક્રિયા
(‘પંડિતપ્રવર વીર ટોડરમલ્લજી સ્મૃતિ દિન’ ના વ્યાખ્યાનમાંથી)
ક્રિયાની સામાન્ય વ્યાખ્યા
પર્યાયનું બદલવું તે ક્રિયા છે; દરેક દ્રવ્યની પર્યાય સમયે સમયે બદલાયા જ કરે છે. દરેક દ્રવ્યની પર્યાય તે જ
તેની ક્રિયા છે. દરેક દ્રવ્યની પર્યાય પોતામાં જ થાય છે પરંતુ એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યમાં થતી નથી, તેથી એક
દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યમાં હોય નહિ તેમ જ એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરે નહિ.
ક્રિયાના પ્રકાર
આ જગતમાં જડ અને ચેતન એમ બે પ્રકારના દ્રવ્યો છે. દ્રવ્યની પર્યાય તે જ ક્રિયા હોવાથી ક્રિયા પણ જડ
અને ચેતન એમ બે પ્રકારની છે. જડ દ્રવ્યની અવસ્થા તે જડની ક્રિયા છે અને ચેતન દ્રવ્યની (–જીવની) અવસ્થા તે
ચેતનની ક્રિયા અર્થાત્ જીવની ક્રિયા છે.
જીવની ક્રિયા બે પ્રકાર છે–(૧) રાગાદિ ભાવરૂપ વિકારી ક્રિયા અને (૨) રાગાદિ ભાવરહિત સમ્યગ્દર્શન
જ્ઞાન–ચારિત્રરૂપ અવિકારી ક્રિયા. વિકારી ક્રિયા તે બંધનું કારણ છે, તેથી તેને ‘બંધની ક્રિયા’ પણ કહેવાય છે અને
અવિકારી ક્રિયા તે મોક્ષનું કારણ છે, તેને ‘મોક્ષની ક્રિયા’ કહેવાય છે.
આ રીતે કુલ ત્રણ પ્રકારની ક્રિયા થઈ– ૧. જડની ક્રિયા. ૨. જીવની વિકારી ક્રિયા અને ૩. જીવની અવિકારી ક્રિયા.
જડની ક્રિયા
શરીર જડ છે, તેની દરેક ક્રિયા તે જડની ક્રિયા છે. શરીરનું હલન–ચલન કે સ્થિર રહેવું તે જડની ક્રિયા છે,
તેના કર્તા જડ પરમાણુઓ છે, આત્મા તેનો કર્તા નથી. જડની ક્રિયા સાથે બંધ કે મોક્ષનો સંબંધ નથી. શરીરની
હલનચલનરૂપ દશા કે સ્થિર રહેવારૂપ દશા તેમાં બંધની ક્રિયા કે મોક્ષની ક્રિયા નથી એટલે કે શરીરની કોઈપણ
ક્રિયાથી આત્માને બંધ કે મોક્ષ, લાભ કે અલાભ, સુખ કે દુઃખ થતાં નથી, કેમકે શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે.
પહેલાં શરીરની અવસ્થા ઘેર રહેવારૂપ હોય અને હલન ચલનાદિરૂપ હોય, પછી શરીરની અવસ્થા બદલીને
ધર્મસ્થાનકે સ્થિર રહેવારૂપ થાય–ત્યાં તે ફેરફારથી અજ્ઞાની ધર્મ માને છે. પરંતુ જડની ક્રિયા ફરી તેનાથી આત્માને
ધર્મ નથી, પુણ્ય નથી તેમ જ પાપ પણ નથી. શરીરની માફક પૈસા, વસ્ત્ર કે આહારાદિના સંયોગ–વિયોગ તે પણ
જડની ક્રિયા છે, તેનાથી ધર્મ, પુણ્ય કે પાપ થતું નથી. તે કોઈ ક્રિયાનો કર્તા આત્મા નથી.
વિકારી ક્રિયા
જીવની પર્યાયમાં જે રાગદ્વેષ–અજ્ઞાનરૂપ ભાવ થાય તે જીવની વિકારી ક્રિયા છે, આ ક્રિયાને બંધની ક્રિયા
કહેવામાં આવે છે. શરીરાદિ જડની ક્રિયાથી વિકારી ક્રિયા થતી નથી અને જીવની વિકારી ક્રિયાથી શરીરાદિ જડની
ક્રિયા થતી નથી. રાગ–દ્વેષ–અજ્ઞાનરૂપ ભાવો આત્માની પર્યાયમાં થાય છે તેથી આત્માની જ પર્યાયમાં તે વિકારી
ક્રિયા કરવાની યોગ્યતા છે. શરીરની ક્રિયાથી પુણ્ય–પાપ થતા નથી. પુણ્ય–પાપરૂપ વિકારી ક્રિયા બંધનની ક્રિયા છે, તે
ક્રિયાવડે સંસાર મળે, મોક્ષ ટળે, આત્માના ગુણની પર્યાય બળે. આ ક્રિયાથી ધર્મ થતો નથી.
દરેક ક્રિયાની સ્વતંત્રતા
પ્રશ્નઃ– પહેલાં જડની ક્રિયા કરે પછી ધર્મ થાય ને? જેમ કે પહેલાં શરીરને ઘરેથી ધર્મસ્થાનક સુધી લઈ આવે,
પછી ધર્મ સાંભળે અને પછી સાચી સમજણથી ધર્મ થાય. એ રીતે જડની ક્રિયા કરવાનું આવ્યું કે નહિ?
ઉત્તરઃ– જડની ક્રિયાવડે ધર્મ થતો નથી. જડની ક્રિયા આત્મા કરતો જ નથી તેથી જડની ક્રિયા સાથે આત્માને
સંબંધ નથી. ઉપરના દ્રષ્ટાંતમાં શરીરની ક્રિયા ફરી તે કારણે ધર્મ થયો નથી. ‘તત્ત્વ સમજવા જવું છે’ એવો
શુભભાવ થયો અને ઘરેથી ધર્મ સ્થાનકે ગયા, ત્યાં નીચે મુજબની ક્રિયાઓ થઈ છે. (૧) શુભભાવ થયો તે પુણ્ય છે,
તે વિકારી ક્રિયા છે. (૨) શરીરનું ક્ષેત્રાંતર થયું તે જડની ક્રિયા છે. (૩) આત્માના પ્રદેશોનું ક્ષેત્રાંતર થયું તે
આત્માની વિકારી ક્રિયા છે. (૪) સત્ શ્રવણ પ્રત્યેનું લક્ષ તે શુભભાવરૂપ વિકારી ક્રિયા છે. આ ચાર ક્રિયાઓ થઈ
ત્યાં સુધી હજી ધર્મ થયો નથી. ધર્મ–શ્રવણના લક્ષથી પણ ખસીને સ્વ લક્ષ તરફ ઢળે અને પોતાના શુદ્ધ
આત્મસ્વભાવનો મહિમા લાવીને નિર્ણય કરે તો તે અવિકારી ક્રિયા છે, તે જ ધર્મ છે. જડની ક્રિયા, આત્મ પ્રદેશોની
ક્ષેત્રાંતરરૂપ ક્રિયા અને શુભરાગરૂપ વિકારી ક્રિયા એ બધાથી આ ધર્મની ક્રિયા ભિન્ન છે.
આ જ રીતે કોઈ જીવને પૈસા કમાવા વગેરેની અશુભ ભાવના થઈ અને શરીરની ક્રિયા પાપ કાર્યોમાં થઈ,
તો ત્યાં પણ શરીરની ક્રિયા તે જડની સ્વતંત્ર ક્રિયા છે, તેનાથી જીવને લાભ કે નુકશાન નથી; અને અશુભભાવ થયા
તે જીવની વિકારી ક્રિયા છે તેનાથી જીવને નુકશાન છે. અશુભભાવને કારણે પણ શરીરની ક્રિયા થતી નથી.
અશુભ પરિણામથી પાપ, શુભ પરિણામથી પુણ્ય, એ બન્નેનો સમાવેશ વિકારી ક્રિયામાં થાય છે અને એ
બન્ને વખતે શરીરની ક્રિયા તે સ્વતંત્ર જડની ક્રિયા છે. મારા પરિણામને કારણે જડની ક્રિયા થઈ એમ માને તો ખોટું
છે, અને પુણ્ય પરિણામને કારણે ધર્મની ક્રિયા થઈ એમ માને તો પણ ખોટું છે.
શરીર ધર્મસ્થાનકે બે ઘડી સ્થિર બેઠું તે જડની ક્રિયા છે, તે વખતે

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૨૪ઃ આત્મધર્મઃ ૩૮
અંતરંગમાં જો શુભ પરિણામ હોય તો પુણ્ય છે, પણ જો તે વખતે ઘર વગેરે સંબંધી અશુભ વિચાર કરતો હોય તો
પાપ છે. પુણ્ય–પાપ બન્ને વિકાર છે તેનાથી ધર્મ નથી–એવું જો તે વખતે આત્મભાન વર્તતું હોય તો તેટલે અંશે
અવિકારી ધર્મક્રિયા છે, તે મોક્ષની ઉત્પત્તિ કરનારી ક્રિયા છે. પુણ્ય–પાપ બન્ને બંધનની ક્રિયા છે તે સંસારની ઉત્પત્તિ
કરનારી ક્રિયા છે કોઈ જીવે અશુભ પરિણામ તો છોડયા અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને સત્શાસ્ત્રના લક્ષે
શુભરાગ કર્યો અને તેમાં ધર્મ માન્યો તો તે જીવ એકાંત બંધનની ક્રિયા જ કરી રહ્યો છે, તેને અધર્મક્રિયા જ વર્તે છે,–
પછી ભલે તે ચાલતો હોય કે સ્થિર હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ખાતો હોય કે ઉપવાસી હોય.
અવિકારી ક્રિયા
અવિકારી ક્રિયા એટલે ધર્મની ક્રિયા અથવા મુક્તિની ક્રિયા. લોકો બોલે છે કે ક્રિયાથી ધર્મ થાય. પણ કોની
ક્રિયા અને કઈ ક્રિયા? જડની ક્રિયા કે ચેતનની ક્રિયા? અને વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા? જડની ક્રિયા, વિકારી
ક્રિયા અને અવિકારી ક્રિયા તેના સ્વરૂપનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાંથી કરશે?
મુક્તિની ક્રિયામાં પર સાથે તો સંબંધ નથી અને પર તરફના વલણથી જે ભાવ થાય તેની સાથે પણ સંબંધ
નથી. મુક્તિની ક્રિયામાં પર ઉપર કે વિકાર ઉપર દ્રષ્ટિ ન હોય પરંતુ પરથી અને વિકારથી ભિન્ન પોતાના અસંયોગી
અવિકારી ત્રિકાળ સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોય છે. વિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. અને અવિકારી
ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. આત્માની જે વર્તમાન દશા સ્વભાવ સાથેનું એકત્વ ચૂકીને પર લક્ષમાં અને
પુણ્ય–પાપમાં અટકે છે તે જ વિકારી ક્રિયા છે, તે સંસાર છે, મોક્ષની ઘાતક છે, સુખની ટાળનાર છે અને દુઃખની
દાતાર છે. અને આત્માની જે વર્તમાનદશા પર લક્ષથી ખસીને સ્વલક્ષે પોતાના ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
સ્થિરતામાં ટકી છે તે જ અવિકારી ક્રિયા છે, તે ધર્મ છે, તે મોક્ષની ઉત્પાદક છે અને સંસારની ઘાતક છે, સુખની
દાતાર છે અને દુઃખની ટાળનાર છે.
વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા એ બન્ને એક સમય પૂરતી જીવની અવસ્થા છે, પરંતુ તે બન્નેના લક્ષ્યમાં
ફેર છે. અવિકારી ક્રિયાનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ સ્વ સ્વભાવ છે અને વિકારી ક્રિયાનું લક્ષ્ય પરદ્રવ્ય અને પુણ્ય–પાપ છે.
જડનું કરવાની વાત તો બેમાંથી એકે ક્રિયામાં નથી. જડની ક્રિયા તો આ બન્નેથી જુદી સ્વતંત્ર છે, તેનાથી નથી
બંધન કે નથી મુક્તિ.
મોક્ષ કોના લક્ષે થાય? અથવા ત્રણ પ્રકારની ક્રિયામાંથી કઈ ક્રિયાથી મોક્ષ થાય? શું જડના લક્ષે મોક્ષ થાય?
કે પુણ્ય–પાપના લક્ષે મોક્ષ થાય? પર દ્રવ્યનું છોડવા–મૂકવાનું તો આત્મામાં નથી તેથી તેના લક્ષે મોક્ષ થાય નહિ; જે
પુણ્ય–પાપ થાય તે પણ પર લક્ષે થતા હોવાથી વિકાર છે, તેના લક્ષે પણ મોક્ષ થાય નહિ. એટલે કે જડની ક્રિયાથી
અને વિકારી ક્રિયાથી મોક્ષ થાય નહિ. જડની ક્રિયાનો બાહ્ય સંયોગ હોવા છતાં અને પર્યાયમાં ક્ષણિક રાગ–દ્વેષ હોવા
છતાં, ‘હું આ જડથી ભિન્ન છું અને મારા શુદ્ધજ્ઞાનભાવમાં આ રાગ–દ્વેષ નથી એવું ભેદજ્ઞાન વર્તે તે શરૂઆતની
ધર્મની ક્રિયા છે, અને પછી શુદ્ધ જ્ઞાતા ભાવમાં સ્થિરતા કરતાં રાગદ્વેષ ટળતાં જાય છે. એ રીતે ધર્મની ક્રિયાના જોરે
વિકારની ક્રિયાનો નાશ થાય છે.
(૧) પેટમાં આહાર પડયો કે ન પડયો તે જડની ક્રિયા છે, તેમાં નથી પાપ, નથી પુણ્ય, કે નથી ધર્મ. (૨)
પેટમાં આહાર ન પડયો તે વખતે જીવને જો અણગમો લાગે કે ‘ઉપવાસ તો કર્યો પણ કાલ જેવી આજે મજા ન પડી’
તો તેને અશુભ પરિણામ છે અને તે પરિણામથી પાપ બંધન છે. (૩) તે વખતે જો મંદ કષાય રાખે તો શુભપરિણામ
છે અને તે પરિણામથી પુણ્યબંધન છે. (૪) તે વખતે આહારનું, શરીરનું અને પુણ્ય–પાપનું લક્ષ છોડીને પોતાના
ત્રિકાળી આત્મસ્વભાવની ઓળખાણ પૂર્વક તેમાં સ્થિર થયો–અનુભવમાં એકાગ્ર થયો તે ધર્મ છે. આ ચાર પ્રકારમાં
નં. (૧) જડની ક્રિયા છે, નં. (૨) તથા (૩) તે વિકારની ક્રિયા છે અને નં. (૪) ધર્મની ક્રિયા અથવા અવિકારી
ક્રિયા છે.
શરીર સ્થિર રહે તે જડની ક્રિયા છે, તે જડની ક્રિયા ઉપરથી આત્માનું માપ કાઢે તે અજ્ઞાની છે. જડશરીરની
ક્રિયા સ્થિર રહેવારૂપ થઈ પરંતુ તે વખતે આત્માની ક્રિયા કેવા પ્રકારની થઈ રહી છે તેના ભાન વિના ધર્મનું માપ
ક્યાંથી કાઢશે? ધર્મની ક્રિયા શરીરમાં થાય કે આત્મામાં? જેની ભૂમિકામાં ધર્મની ક્રિયા થાય છે એવા
આત્મસ્વભાવનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાં કરશે? માટે સૌથી પહેલાં આત્માના સ્વરૂપની સમજણ કરવી
તે જ શરૂઆતની ધર્મની ક્રિયા છે. એ સિવાય બીજી કોઈ ક્રિયા ધર્મની નથી. * * *

PDF/HTML Page 6 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૨પઃ
સત્યપુરુષાર્થ
– ભગવતી પ્રજ્ઞા
રાજકોટ તા. ૨૧–૧૨–૪૩. સમયસાર–મોક્ષ અધિકારના વ્યાખ્યાનના આધારે.
‘કર્મના ઉદયથી જીવ રાગાદિ કરે છે’ એમ કહીને રાગ વખતે નિમિત્ત હોય છે એમ જ્ઞાન કરાવ્યું છે.
શાસ્ત્રોએ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેનું વર્ણન કર્યું છે પરંતુ તે નિમિત્તોનું આત્મા ઉપર જોર છે એમ બતાવવા
માટે કહ્યું નથી.
નિમિત્તાધીન થતો વિકાર આત્માનું ખરું સ્વરૂપ નથી એમ ઓળખાણ કરાવીને સ્વભાવ તરફનો પુરુષાર્થ
ઉપાડવા માટે, ‘જે વિકાર છે તે કર્મના નિમિત્તથી થાય છે’ એમ તને કહ્યું હતું; ત્યાં સ્વભાવને ન જોતાં નિમિત્તને જ
વળગી બેઠો તેથી જ અજ્ઞાન રહ્યું છે, માટે સ્વભાવ તરફ દ્રષ્ટિ કર અને નિમિત્તાધીન દ્રષ્ટિને છોડ.
ભગવાનના દિવ્યધ્વનિનો ઉપદેશ ચડતા ધર્મની વૃદ્ધિ માટે જ છે. ભગવાનના આગમના એક પણ શબ્દમાંથી
પાછા પડવાનો આશય કાઢે તો તે જીવ ભગવાનના ઉપદેશના એક શબ્દને પણ સમજ્યો નથી, તેને પુરુષાર્થ–હીનપણું
ગોઠયું છે તેથી ભગવાનની વાણીમાંથી પણ તે પોતાના, પુરુષાર્થહીનપણાને જ પોષે છે. આત્મભાન સહિત ‘હું મારા
સંપૂર્ણ પુરુષાર્થવડે મારા સ્વભાવધર્મની પૂર્ણતા કરું અને સવી જીવ કરું શાસનરસી’ એવી ઉત્કૃષ્ટ શુભભાવના વડે
બંધાયેલ તીર્થંકરનામકર્મનો ઉદય થતાં સર્વજ્ઞદેવને રાગરહિત જે દિવ્યધ્વનિ પ્રગટે છે તે ધ્વનિમાં પણ સ્વભાવની
પૂર્ણતાનું જ નિમિત્તપણું છે, ભવ્યજીવોને તે પુરુષાર્થ પ્રેરે છે અને ઉપદેશે છે કે હે ભવ્ય જીવો! તમારો સ્વભાવ
પુરુષાર્થથી ભરેલો છે, સ્વભાવ ભાનવડે પુરુષાર્થની સંભાળ કરો, અલ્પ કાળમાં તમારી મુક્તિ જ છે. આ સત્ય
પુરુષાર્થવંત વીરોનો માર્ગ છે. આ પ્રમાણે જિનવાણી તો સત્ય પુરુષાર્થની જ હાકલ કરે છે; જેમ નિમિત્તરૂપ જે વાણી
છે તે પૂર્ણ પુરુષાર્થની ભાવનાના યોગે પ્રગટી છે તેમ સાંભળનારાઓના ઉપાદાનને પણ તે વાણી પૂર્ણ પુરુષાર્થની
ભાવનાનું જ નિમિત્ત છે આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ પૂર્વક ધોખ જિનમાર્ગ પ્રવર્તે છે.
કોઈ જીવ સ્વભાવ સમજવાનો સત્ય પુરુષાર્થ કરે નહિ અને એમ કહે કે, “શું કરીએ! ભગવાને નીકાચિત્ત
કર્મ કહ્યું છે, તે કર્મ પાસે જીવનો પુરુષાર્થ ચાલતો નથી.”–અરે નમાલા! શું ભગવાને તને પુરુષાર્થ કરવાની ના પાડી
છે? નીકાચિત કર્મને પણ ક્ષણમાં ઉડાડી દ્યે એવો પુરુષાર્થ તારા સ્વભાવમાં છે એમ જણાવવા નીકાચિત કર્મનું જ્ઞાન
કરાવ્યું. તું પુરુષાર્થ કર તો શું કર્મો તને કાંડુ ઝાલીને ના પાડે છે? પોતાને સત્ય પુરુષાર્થ કરવો નથી તેથી જ કર્મના
નામે પુરુષાર્થહીનપણાને પોષણ આપે છે. પરંતુ કર્મો અને તેના નિમિત્તે થતા વિકારભાવ એ બધું મારા શુદ્ધસ્વરૂપમાં
નથી એમ શુદ્ધસ્વભાવના ભાનવડે સ્વભાવ ધર્મની વૃદ્ધિ માટે જ ભગવાનની વાણી છે. આત્માના સત્ય
પુરુષાર્થભાવને કોઈપણ પ્રકારે અંશમાત્ર પણ પરાધીન માને તે જીવોએ આત્મસ્વભાવને સ્વીકાર્યો નથી, ભગવાનની
વાણીને સ્વીકારી નથી અને અપ્રતિહત પુરુષાર્થવંત તીર્થંકરોને સ્વીકાર્યા નથી.
શુદ્ધાત્મસ્વભાવ, વિકાર, વિકારમાં નિમિત્તરૂપ કર્મ વગેરે બધું જેમ છે તેમ ભગવાનની વાણીમાં ઉપદેશ્યું છે.
તે સાંભળીને શુદ્ધસ્વભાવનો પક્ષ ગ્રહણ કરવાને બદલે જે જીવ કર્મની મુખ્યતા કરી સ્વભાવને હીન માને છે તે જીવ
સ્વભાવની અરુચિવાળો અને કર્મોની રુચિવાળો છે, તેને પુરુષાર્થના સત્ નિમિત્તોની–દેવ, ગુરુ, શાસ્ત્રની યથાર્થ
શ્રદ્ધા નથી; જ્ઞાનીઓએ તે કર્મદ્રષ્ટિવાળાને સાચી સમજણમાંથી પણ ઉથાપી નાખ્યા છે, તો પછી તેને વ્રત કે ત્યાગ તો
હોય જ ક્યાંથી?
સમ્યગ્જ્ઞાનમાં તીખો પુરુષાર્થ ભરેલો છે તેથી સમયસારજીમાં વારંવાર સમ્યગ્જ્ઞાનને ‘પ્રજ્ઞાછીણી’ કહેલ છે.
આત્માના સ્વભાવને અને બંધનના સ્વરૂપને જાણીને જે જીવ બંધ પ્રત્યે વિરક્ત થાય છે એટલે કે આત્મસ્વભાવ
પ્રત્યે પુરુષાર્થવંત થાય છે તે જીવ મુક્ત થાય છે.
જીવ અને બંધ બન્નેને ભિન્ન કરવાનું સાધન એક ભગવતી પ્રજ્ઞા જ છે. તે પ્રજ્ઞારૂપી છીણી વડે છેદતાં
આત્મા અને બંધ બન્ને જુદા પડી જાય છે.
તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને નિષ્પ્રમાદ થઈને પટકતાં આત્મા અને બંધ જુદા દેખાવા લાગે છે. જ્ઞાનીઓ
પ્રજ્ઞાબુદ્ધિથી જાણે છે કે કર્મો મારા સ્વભાવમાં છે જ નહિ તો પછી તે મને શું કરે? મારો પુરુષાર્થ સ્વતંત્ર જ છે; –
આવા ભાનમાં જ્ઞાનીને પર્યાયે પર્યાયે પુરુષાર્થની વૃદ્ધિ જ છે; આ બધો મહિમા ભગવતી પ્રજ્ઞાનો જ છે. ભગવતી
પ્રજ્ઞા સ્વતંત્ર આત્મસ્વભાવને બતાવનારી છે; કર્મ હેરાન કરે એમ જે માને છે તેઓ ભગવતી પ્રજ્ઞાથી રહિત છે,
શાસ્ત્રો તેને મિથ્યાદ્રષ્ટિ કહે છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૩૮
સમયસારમાં તો કોઈ પણ પ્રકારે યત્નપૂર્વક પ્રજ્ઞાછીણી પટકીને આત્માને અને બંધને જુદા કરવાનો પુરુષાર્થ
જ દર્શાવ્યો છે.
આમાં તો એકલા સમ્યગ્જ્ઞાન સહિતના પુરુષાર્થની જ વાત છે. પ્રજ્ઞાબુદ્ધિવાળા જીવો કદી પણ પુરુષાર્થમાં
શંકા કરતા નથી. આ કથનથી, જેઓ સ્વભાવસામર્થ્યને સમજતા નથી, સમજવાનો પુરુષાર્થ કરતા નથી અને કર્મનો
દોષ કાઢે છે એવા જીવોને સાચી સમજણમાંથી ઉથાપી નાખ્યા છે, તે જીવો ભગવાનના દિવ્યધ્વનિના યથાર્થ આશયને
સમજનારા નથી, તેઓ ધર્મને માટે લાયક નથી.
આચાર્યપ્રભુ કહે છે કે આવી સ્વભાવના પુરુષાર્થની વાત સાંભળીને જેને આત્મપુરુષાર્થનો ઝણકાર અંતરથી
ન ઊઠે અને કર્મની જ વાત કરીને પુરુષાર્થહીન રહે તેઓ અમારા ધોખ–વીતરાગના–માર્ગમાં નથી. જેને સ્વભાવની
રુચિ નથી, સ્વભાવનો પુરુષાર્થ કરવો નથી અને જેને સંસારની રુચિ છે, કર્મનું જોર માને છે એવા જીવોને કર્મની
વાતનો ઝટ વિશ્વાસ આવી જાય છે; “કર્મનો તીવ્ર ઉદય આવશે તો પડી જવાશે” એમ તેઓ શંકા કર્યા કરે છે કેમકે
સ્વભાવની નિઃશંકતા નથી, જ્ઞાની તો એમ નિઃશંક છે કે કર્મનો ગમે તેવો ઉદય મને પાડવા સમર્થ નથી, કર્મનો તીવ્ર
ઉદય આવશે તો તે કર્મમાં આવશે અને હું તો આત્મામાં તીવ્ર પુરુષાર્થ કરીને કેવળજ્ઞાન પામીશ, મારા પુરુષાર્થને કર્મ
રોકી શકતું નથી. જ્ઞાનીને સ્વભાવની નિઃશંકતા હોવાથી પડવાની શંકા નથી.
અહા! આચાર્યદેવો અને પરમાગમ શાસ્ત્રો આવા પરમ પુરુષાર્થની પ્રેરણા આપે છે તોપણ જડ કર્મો અને
નિમિત્તની ઓથ લઈને જીવો પુરુષાર્થહીન કેમ થતા હશે!–એમ જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે. જડકર્મના ઉદયની વાત
કરે છે પરંતુ ચેતનના સામર્થ્યનો ભરોસો કેમ કરતા નથી? ‘કર્મ ઉદયમાં આવશે તો પડી જઈશ!’ એમ જડના લક્ષે
શંકા કરે છે, પરંતુ ‘અલ્પકાળમાં હું પૂર્ણ પુરુષાર્થ કરીને વીતરાગ થઈ કેવળજ્ઞાન પામીશ અને ઉદય સામું પણ નહિ
જોઉ અર્થાત્ ઉદયનો અભાવ થશે’ એમ પોતાના સ્વભાવના લક્ષે પોતાના પુરુષાર્થની પ્રતીત કેમ નથી કરતા?–તેનું
કારણ એ જ છે કે તે જીવોને પોતાના આત્માની સાચી દરકાર જ નથી. કર્મના સ્પર્શરહિત ત્રિકાળ પરિપૂર્ણ
મોક્ષસ્વભાવ છે એવો પોતાના સ્વભાવનો વિશ્વાસ કરે તે જીવો જ ધર્મ પામવાને લાયક છે. જેને પોતાના
મોક્ષસ્વભાવનો વિશ્વાસ નથી અને કર્મનો વિશ્વાસ છે તે જીવો બંધસ્વભાવના (સંસારના) વિશ્વાસવાળા છે, તેવા
જીવો વીતરાગધર્મ સમજવાને લાયક નથી. અહીં તો સ્વભાવના લક્ષે વિશ્વાસ લાવી જે સાંભળવા આવ્યા તેવા
સાંભળનારા જીવોને પણ અલ્પકાળમાં મોક્ષ લેનારા જ સ્થાપ્યા છે, પોતાના મોક્ષસ્વભાવનો જેણે સ્વીકાર કર્યો તેને
મોક્ષ થતાં લાંબો કાળ લાગે જ નહિ. જેને આત્માના અપૂર્વ મહિમાનો સ્વીકાર નથી અને કર્મના જ્ઞાનમાં સંતોષ
માની બેઠા છે એવા જીવોને મોક્ષમાર્ગની પાત્રતાવાળા ગણ્યા નથી. આ તો તીર્થંકરોનો માર્ગ છે, સ્વભાવને રીઝવવો
છે, જગતને રીઝવવું નથી. સ્વભાવ માર્ગમાં ફેં ફેં ન ચાલે, અરેરે મારૂં શું થશે! એવી વાત સ્વભાવમાર્ગમાં ન ચાલે;
અંતરથી નિઃશંક શ્રદ્ધા આવવી જોઈએ કે “હું તો આત્મા છું, આત્માને ભવ હોય નહીં, ભવ તે આત્માનું સ્વરૂપ
નથી.” વિચાર પણ ભવરહિતપણાનો, સ્વપ્ન પણ સિદ્ધદશાનું!
ચારિત્ર
‘પાપરૂપ ક્રિયાઓની નિવૃત્તિને ચારિત્ર કહે છે. ઘાતિયા કર્મોને પાપ કહે છેઃ મિથ્યાત્વ, અસંયમ અને કષાય એ
પાપ ની ક્રિયાઓ છે, તે પાપ ક્રિયાઓના અભાવને ચારિત્ર કહે છે.’ (શ્રી ધવલશાસ્ત્ર, પુસ્તક ૬ પા.૪૦)
વિશેષઃ– ‘પાપરૂપ ક્રિયાઓ’ કહેતાં તેમાં શુભ અને અશુભ બંને ભાવો આવી જાય છે. શુભ અને અશુભ
બંને ભાવોથી ઘાતિયા કર્મ બંધાય છે અને ઘાતિયા કર્મોને પાપ કહ્યું છે એટલે કે શુભ–અશુભ ભાવો તે જ પાપ છે.
અહીં પાપ ક્રિયાઓમાં મિથ્યાત્વનું સ્થાન સર્વ પ્રથમ જ ગણાવ્યું છે કેમકે જગતના સર્વ પાપોમાંસૌથી મોટું પાપ
મિથ્યાત્વ જ છે. સૌથી પહેલાં તે પાપ ટાળ્‌યા પછી જ અસંયમાદિ ટળે છે.
જે ભાવે આત્માના ગુણની શક્તિ હણાય તે ભાવ પાપ છે. શુભભાવથી પણ આત્માનો ગુણ હણાય છે તેથી
શુભભાવ પણ પાપક્રિયા જ છે. તે પાપક્રિયાના–એટલે કે શુભાશુભભાવોના અભાવને ચારિત્ર કહેવાય છે. દ્રષ્ટિના
ભાનપૂર્વક જેટલા અંશે શુભ–અશુભનો અભાવ તેટલું ચારિત્ર છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૨૭ઃ
પ્રભુ! તારી પ્રભુતાની શું વાત કરીએ! શબ્દે શબ્દે–પર્યાયે પર્યાયે તારો જ મહિમા છે; એક ચૈતન્યભાવ જ
તને અનુકૂળ છે, એ સિવાય આ જગતમાં કોઈ પણ ભાવ તને અનુકૂળ નથી. તારો આત્મા જ ચૈતન્ય– ભગવાન
પ્રભુ છે, તેને માનીને તેમાં જ ઠર! આત્મદર્શન તે જ જિનદર્શન છે. કહ્યું છે કે–
જિન સોહિ આત્મા, અન્ય સો હિ કર્મ;
એ વચનસેં સમજ લે જિન પ્રવચનકા મર્મ.
(શ્રીમદ્ રાજચંદ્ર)
જિનસ્વરૂપ એ જ આત્મા છે, આ આત્મા પોતે જિનસ્વરૂપ જ છે, બીજું બધું (–રાગાદિભાવ) કર્મ સ્વરૂપ
છે–જડ છે. જે જીવ ચૈતન્યસ્વભાવીભગવાન આત્માના જોરને માને છે તે જૈન છે અને જે કર્મના જોરને માને છે તે
જૈન નથી પણ અન્યમતિ છે; સમયસારના આ પુરુષાર્થમૂલક સૂત્રોવડે તેમની માન્યતાનું નિરાકરણ કર્યું છે.
જડ કર્મઅને વિકારભાવ તે બન્ને ક્ષણિક છે, તે બંધનને જાણવા માત્રથી બંધનથી છૂટાતું નથી પરંતુ બંધનને
કાપનારો બંધનરહિત સ્વભાવ નિત્ય છે તે સ્વભાવને જાણવાથી બંધનનો નાશ થાય છે.
અહા, ક્યાં કર્મબંધનરહિત ચૈતન્યભગવાન આત્માનો સ્વભાવ! અને કયાં ચેતનપણારહિત જડ કર્મોનો
સ્વભાવ! બન્નેને જાણનારો તો ચૈતન્યભગવાન છે, તે પોતાના જાણનાર સ્વભાવ સામર્થ્યનો વિશ્વાસ ન કરે અને
માત્ર જડ કર્મોને જ માને તો બંધનનો છેદ કોના જોરે કરશે? જેને કર્મપ્રકૃતિનું લક્ષ છે અને ઉપાદાનના જોરની પ્રતીત
નથી તેણે સ્વભાવને સ્વીકાર્યો નથી. જ્યાં અંદરના સ્વભાવને સ્વીકાર્યો ત્યાં નિમિત્તાધીનપણાનો નકાર થયો–
પરાવલંબન છૂટયું–એટલે હવે એકલા સ્વભાવના લક્ષે ભવનો અભાવ જ છે. નિમિત્ત કર્મોનું લક્ષ કરવાથી મુક્તિ
થતી નથી પરંતુ સત્ય પુરુષાર્થ વડે ઉપાદાનનું લક્ષ, તેની પ્રતીત અને સ્થિરતા કરવાથી જ મુક્તિ થાય છે. માટે ચેતન
આત્મામાં જડકર્મની હૈયાતિ જ નથી એમ સમજીને આત્મસ્વરૂપ પ્રત્યેનો સ્વતંત્ર–સ્વાધીન સત્ય પુરુષાર્થ કરવો.
ઘણા કાળથી સાંભળતા હોઈયે અને ઘણા માણસો કહેતા હોય
તે કે જે ખરેખર સાચું
સાચું શું––––––––હોય ત
?
(શ્રીસમયસારજી મોક્ષ અધિકારના વ્યાખ્યાનોમાંથી)
પ્રશ્નઃ– સાચા જ્ઞાનથી જ ધર્મ થાય, પણ શરીરની ક્રિયા વગેરેથી ધર્મ થાય નહિ એમ જ્ઞાનીઓ કહે છે; પરંતુ પુણ્ય
કરતાં કરતાં ધર્મ થાય અને શરીરની ક્રિયાથી ધર્મ થાય–એમ ઘણા કાળથી અમે સાંભળ્‌યું અને માન્યું છે, તો શું ઘણા કાળથી
સાંભળ્‌યું અને માન્યું તે ખોટું?
ઉત્તરઃ– ઘણા કાળથી સાંભળ્‌યું કે માન્યું માટે તે સાચું–એમ નથી. કાળના માપથી સત્ય–અસત્યની પરીક્ષા થાય
નહિ. અનંતકાળથી સંસારભાવ કરતો આવ્યો છો અને મોક્ષભાવ એક સેકંડમાત્ર કર્યો નથી, તેથી શું અનંતકાળનો
સંસારભાવ છે માટે તેને સાચો કરવો છે? અનંતકાળનો સંસારભાવ ટાળીને એક ક્ષણમાં મોક્ષમાર્ગ (સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ભાવ) પ્રગટ થઈ શકે છે. ત્યાં કોઈ એમ માને છે–“અમે તો અનંતકાળના સંસારી છીએ અને તમે તો હજી આ જ
ક્ષણે કેવળી થાય છો માટે તમારા કરતાં ઘણા કાળનો અમારો જુનો સંસાર સારો છે?” અરે ભાઈ! કેવળ પર્યાય નવી છે
તેથી શું? સંસાર તો બધા જીવને અનાદિનો છે તેમાં કાંઈ અપૂર્વતા નથી, પરંતુ જે જીવો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરીને, સંસાર ભાવ ટાળીને મુક્તિ પામ્યા, તેઓએ અપૂર્વ પવિત્રતા પ્રગટ કરી છે. ઘણો કાળ કે ઓછો કાળ તેના આધારે
સારૂં કે ખરાબ નથી, પરંતુ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ભાવ તે જ સારો છે અને મિથ્યાત્વાદિ ભાવ તે જ ખરાબ છે.
અનંતકાળ પહેલાં, આજે કે અનંતકાળ પછી દરેક જીવને સમ્યગ્દર્શનાદિ ભાવથી જ ધર્મ થાય છે, તેના વગર કોઈ જીવને
ક્યારેય ધર્મ થતો નથી. એક જીવ અનંતકાળ પહેલાં સિદ્ધદશા પામ્યા હોય અને બીજા જીવ હમણાં જ સિદ્ધદશા પામ્યા હોય
તો તે બન્નેના ભાવની પવિત્રતા સમાન હોવાથી બન્નેને સરખું જ સુખ છે. પરંતુ–અનંતકાળ પહેલાં જે સિદ્ધ થયા તેમને
વધારે સુખ અને પાછળથી સિદ્ધ થયા તેમને ઓછું સુખ–એમ નથી.
આથી એમ સમજવું કે–‘શરીરની ક્રિયા મારાથી થાય, પુણ્યથી ધર્મ થાય’ એવી માન્યતા ઘણા કાળની હોય તોપણ
તે ભાવ ઊંધો છે, તેનાથી

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૩૮
નુકશાન છે, અને ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, સાચા જ્ઞાનથી જ ધર્મ થાય છે, પુણ્યથી ધર્મ થતો નથી તેમજ શરીર
વગેરે પરદ્રવ્યોની ક્રિયા હું કરી શકતો નથી’ આવી સાચી સમજણ પૂર્વે કદી ન કરી હોવા છતાં જ્યારે તેવી સાચી
સમજણ વડે સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે ત્યારે તે ભાવ પવિત્ર હોવાથી તેનાથી ધર્મ થાય છે. પવિત્ર ભાવ તે જ ધર્મ છે.
કોઈ પણ જીવ જ્યારે અજ્ઞાન ટાળીને સાચું જ્ઞાન પ્રગટ કરે ત્યારે તે જીવને માટે તો તે નવું જ છે; પરંતુ અનાદિ
સનાતન માર્ગની અપેક્ષાએ જુઓ તો તે ભાવ નવો નથી, પણ પૂર્વે અનંત જીવો તે ભાવે ધર્મ પામ્યા છે, અને તે જ
ભાવે દરેક જીવ ધર્મ પામે છે. જેઓને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પવિત્ર ભાવોની ઓળખાણ નથી
તેઓ વિકારથી અને જડથી આત્માનો મહિમા માને છે, પણ ભાઈ રે! જડથી કે વિકારથી ચૈતન્યપ્રભુનો મહિમા ન
હોય! એ તો કલંક છે.
એક વખત દેરાણી–જેઠાણી વચ્ચે અણબનાવ થયો, જેઠાણી ખાનદાન કૂળની હતી અને દેરાણીના બાપે
પ૦૦૦) રૂા. લઈને કન્યા આપી હતી. એક વખત જેઠાણી કહે–તું મફતની કજીયો કરવા આવી છો...ત્યારે દેરાણી
કહે–મફતની તો તું આવી છો, મારા બાપે તો પ૦૦૦) રૂા. લીધા છે, હું તો પ૦૦૦) ની કિંમતે આવી છું. જેઠાણી
કહે–અરે મુર્ખી! તારા બાપે રૂા. લીધા તે તો તારા કૂળમાં કલંક લગાડયું છે. કલંક લગાડનારા કામ વડે મહિમા ન
હોય!
તેમ ચૈતન્યસ્વભાવનો મહિમા સાંભળીને જે એમ કહે છે કે, “તમે તો જ્ઞાનીની જ વાત કરો છો પણ કાંઈ
શારીરિક ક્રિયા વગેરે કરવાનું તો બતાવતા નથી! જ્ઞાનનો જ મહિમા કરો છો પણ છ ઉપવાસ તો કરી જુઓ! અને
અમારા જેવો ત્યાગ, સામાયિક વગેરે તો કરી જુઓ! તમારે ઉપવાસ, વ્રત વગેરેના શુભભાવ કર્યા વગર મફતમાં
મોક્ષ જોઈએ!”
–અરે ભાઈ! શરીરની ક્રિયા તો જડ છે અને શુભભાવ તો વિકાર છે, તેના વડે તેં તારી કિંમત બતાવી!
દ્રષ્ટાંતમાં જેમ કન્યાએ કલંકવડે પોતાની કિંમત માની તેમ તું વિકારભાવથી તારી મોટપ માની રહ્યો છો!
જન્મમરણનો અંત લાવનારૂં જે નિર્દોષ નિષ્કલંક વીતરાગી જ્ઞાન તેનો તને મહિમા નથી આવતો અને ચૈતન્યને કલંક
લગાડનારા રાગાદિ વિકારનો તને મહિમા આવે છે તે મિથ્યાત્વ છે. અનંતકાળે નહિ કરેલું એવું સમ્યગ્જ્ઞાન–કે જે
અનંત સંસારનો અંત લાવનારૂં છે–તે તને મફતિયું લાગે છે અને જ્ઞાન વગર શુભરાગની અને શરીરની ક્રિયામાં તને
હોંશ આવે છે! પણ તેં શું કર્યું? રાગ કરીને તેના વડે ચૈતન્યનો મહિમા કર્યો એટલે ચૈતન્યના વીતરાગી સ્વભાવનું
ખૂન કરીને વિકાર વડે તેં તારી મોટપ માની. સ્વભાવને કલંક લગાડીને પ્રગટેલી વિકાર પરિણતિમાં તેં ધર્મ માન્યો
અને સ્વભાવની વૃદ્ધિ કરનારી, નિર્દોષ, કલંક વિનાની સીધી પ્રગટેલી ચેતના પરિણતિરૂપ પવિત્ર ધર્મ છે તેનો
મહિમા ન આવ્યો–તો તને ધર્મ–અધર્મના સ્વરૂપની જ ખબર નથી. અજ્ઞાનીને વિકારવાળી ક્રિયા ગોઠે છે પણ વિકાર
વગરની જ્ઞાનક્રિયા ગોઠતી નથી. એક માત્ર સમ્યગ્જ્ઞાન વગર પૂર્વે અનંતવાર શુભકરણી કરી, વ્રત ઉપવાસાદિના
શુભરાગ કર્યા અને બાહ્ય ત્યાગી પણ થયો પરંતુ અજ્ઞાનરૂપી પાડો તે બધું ચાવી ગયો.
અજ્ઞાનીઓ કહે છે કે–“શું તમારે એકલા જ્ઞાનથી મોક્ષ લેવો છે?’ અરે ભાઈ! એકલું જ્ઞાન એટલે રાગ
વગરનું જ્ઞાન. એ જ્ઞાનથી મુક્તિ ન હોય તો શું તારે વિકારથી અને જડથી મુક્તિ લેવી છે? એકલા જ્ઞાનથી જ મુક્તિ
થાય છે. જ્ઞાનની સ્વરૂપમાં સ્થિરતા તે જ ચારિત્ર છે.
પ્રશ્નઃ– કષ્ટ સહન કર્યા વગર મોક્ષ થાય?
ઉત્તરઃ– કષ્ટ સહન કરવાં તે તો દુઃખ છે. કષ્ટ સહન કરવાં તે મોક્ષનું કારણ નથી પરંતુ મોક્ષનું કારણ તો
સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર જ છે. ધર્મ દુઃખદાયક નથી. જો ધર્મમાં કષ્ટ હોય તો તો ધર્મ દુઃખદાયક ઠરે.
સમ્યગ્જ્ઞાન પહેલાં લોકો વ્રતાદિરૂપ ચારિત્ર માગે છે; પરંતુ સાચું જ્ઞાન કરવું તે જ પહેલું ચારિત્ર છે. જગતના
બધાય પરદ્રવ્યોને અને પરભાવોને સ્વભાવથી ભિન્નપણે જાણીને તે બધાનું સ્વામીત્વ છોડી દીધું તેથી જ્ઞાન પોતે જ
પ્રત્યાખ્યાન છે. પરંતુ બાહ્યથી જોનારાઓ માત્ર બાહ્યત્યાગને જ ચારિત્ર માને છે. અજ્ઞાન ટાળ્‌યું ત્યાં અનંત ભવ ટળી
ગયાં તે મહાન ત્યાગ તેમને ભાસતો નથી. સાચું જ્ઞાન કરવું તે જ પહેલું ચારિત્ર છે. હજી જે સાચા જ્ઞાનની જ ના
પાડે છે તે ચારિત્ર ક્યાંથી લાવશે? સમ્યગ્જ્ઞાન પ્રગટયા પછી જેમ જેમ તે જ્ઞાન આત્મસ્વરૂપમાં ઠરતું જાય છે તેમ
તેમ રાગ ટળતો જાય છે અને રાગ ટળતાં બાહ્ય ત્યાગ તો સ્વયં હોય છે.
* * * * * * *

PDF/HTML Page 10 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૨૯ઃ
વીર સાં. ૨૪૭૧ ના પર્યુષણ દરમિયાન પુ. સદ્ગુરુદેવ
(આ ઉપાદાન–નિમિત્તના સંવાદના ૪૭ દોહાનું વ્યાખ્યાન પર્યુષણ દરમિયાન વંચાઈ ગયેલ છે તેમાંથી
૧ થી ૧પ દોહાનું વ્યાખ્યાન આત્મધર્મ માસિકના ૨પમાં અંકમાં આવી ગયેલ છે.
અહીં ત્યારપછી આગળના દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.)।। ।।
श्रीसद्गुरुदेवने अत्यंतः भक्तिए नमस्कारः
શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનો ભૈયા ભગવતીદાસજી કૃત લેખાંક બીજો
ઉપાદાન–નિમિત્તનો સંવાદ
અત્યાર સુધીમાં ઉપાદાન સામે પોતાનું બળવાનપણું સિદ્ધ કરવા નિમિત્તે અનેક પ્રકારની દલીલો કરી અને
ઉપાદાને ન્યાયના બળથી તેની બધી દલીલો તોડી નાખી; હવે નિમિત્ત નવા પ્રકારની દલીલ રજૂ કરે છે–
યહ તો બાત પ્રસિદ્ધ હૈ, શોચ દેખ ઉર માંહિ;
નરદેહીકે નિમિત્ત બિન, જિય કયોં મુક્તિ ન જાહિં. ૧૬.
અર્થઃ– નિમિત્ત કહે છેઃ– એ વાત તો પ્રસિદ્ધ છે કે નરદેહના નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, માટે હે
ઉપાદાન! તું આ બાબત અંતરમાં વિચાર કરી જો.
નિમિત્ત– બીજી બધી વાત તો ઠીક પણ મુક્તિમાં નરદેહનું નિમિત્ત છે કે નહિ? મનુષ્ય શરીર વળાવિયો તો
છે ને? એ વળાવિયો તો જોઈએ જ.
ઉપાદાન– એકલાને વળાવિયો કોણ? નાગાબાવાને વળાવિયાનું શુ કામ છે? નાગાને કોણ લૂંટનાર છે? એ
નાગાબાવાને વળાવિયા ન હોય. તેમ આત્મા સમસ્ત પરદ્રવ્યના પરિગ્રહથી રહિત એકલો સ્વાધીન છે, મોક્ષમાર્ગમાં
તેને કોઈ લૂંટનાર નથી. આત્મા પોતાની શક્તિથી પરિપૂર્ણ છે તેને કોઈ અન્ય વળાવિયાની જરૂર નથી. મનુષ્ય શરીર
જડ છે તે મુક્તિનું વળાવિયું નથી.
મનુષ્યપણામાં જ મુક્તિ થાય છે, અન્ય ત્રણ ગતિ (દેવ, નારક ને તીર્યંચ) માં મુક્તિ થતી નથી, તેથી
મનુષ્યદેહ જ આત્માની મુક્તિ કરાવી દે છે–એવા પ્રકારે નિમિત્ત દલીલ કરે છે–આખી દુનિયાના મત લ્યો તો
પ્રસિદ્ધપણે એવા વધારે મત મળશે કે–મનુષ્યદેહ વિના મુક્તિ ન થાય માટે મનુષ્યદેહથી જ મુક્તિ થાય છે; આ વાત
તો જગપ્રસિદ્ધ છે, હે ઉપાદાન! તેને તું તારા અંતરમાં વિચારી જો. શું કાંઈ દેવ કે નરકાદિ ભવમાં મુક્તિ થાય? ન જ
થાય, માટે મનુષ્યશરીર જ મુક્તિમાં કંઈક મદદ કરનારૂં છે. ભાઈ! આત્માને મુક્ત થવામાં કોઈક ચીજની મદદની તો
જરૂર પડે જ પડે. સો હળવાળાને પણ એક હળાવાળાની કોઈક વાર જરૂર પડે, માટે આત્માને મુક્તિ માટે તો ચોક્કસ
આ માનવદેહની મદદ જોઈએ.–૧૬–
નિમિત્ત બિચારો પોતાનું બધું જોર ભેગું કરીને દલીલ કરે છે પરંતુ ઉપાદાનનો એક નનૈયો તે બધાને હણી
નાખે છે. ઉપાદાન કહે છે કેઃ–
દેહ પીંજરા જીવકો, રોકૈં શિવપુર જાત;
ઉપાદાનકી શક્તિસોં, મુક્તિ હોત રે ભ્રાત. ૧૭.
અર્થઃ– ઉપાદાન નિમિત્તને કહે છે કે અરે ભાઈ! દેહનું પીંજરું તો જીવને શિવપુર (મોક્ષ) જતાં રોકે છે; પણ
ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે.
નોંધઃ– દેહનું પીંજરું જીવને મોક્ષ જતાં રોકે છે એમ અહીં કહ્યું છે તે વ્યવહારકથન છે, જીવ શરીર ઉપર લક્ષ
કરી મારાપણાની પક્કડ કરી પોતે વિકારમાં રોકાય છે ત્યારે શરીરનું પીંજરું જીવને રોકે છે એમ ઉપચારથી કહેવાય છે.
હે નિમિત્ત! મનુષ્યદેહ જીવને મોક્ષ માટે મદદ કરે એમ તું કહે છે, પણ ભાઈ! દેહ, ઉપરનું લક્ષ તો ઉલટું
જીવને મોક્ષ જતાં અટકાવે છે; કેમકે શરીરના લક્ષે તો રાગ જ થાય છે અને રાગ જીવની મુક્તિ અટકાવે છે, એટલે
દેહરૂપી પીંજરું તો જીવને શિવપુર જતાં રોકનારું નિમિત્ત છે.
જ્ઞાની સાતમા–છઠ્ઠા ગુણસ્થાને આત્માનુભવમાં ઝૂલતા હોય ત્યાં છઠ્ઠા ગુણસ્થાને સંયમના હેતુથી શરીરના
નિભાવખાતર આહારની શુભ–લાગણી ઊઠે તે પણ મુનિના કેવળજ્ઞાન અને મોક્ષને રોકે છે, માટે હે નિમિત્ત!

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૩૦ઃ આત્મધર્મઃ ૩૮
શરીર આત્માને મુક્તિ કરવામાં મદદ કરે એ તારી વાત તદ્ન ખોટી છે.
વળી મનુષ્ય શરીર આ કાંઈ પહેલવહેલું નથી મળ્‌યું. આવાં શરીરો તો અનંતવાર મળ્‌યાં છે–છતાં જીવ મુક્તિ
કેમ ન પામ્યો? પોતે પોતાના સ્વાધીન આનંદ સ્વરૂપને જાણ્યું નહિ તથા સર્વજ્ઞ ભગવંત જેમ કહે છે તેમ સમજ્યો
નહિ અને પરાશ્રયમાં જ અટકી ગયો તેથી જ મુક્તિ થઈ નથી. કેવળજ્ઞાન અને મુક્તિ તે આત્માના સ્વાશ્રય ભાવથી
ઉપજેલી અવસ્થા છે, શરીરના કોઈ હાડકામાંથી કે ઇન્દ્રિયોમાંથી તે ઉપજતા નથી.
જ્ઞાની અને અજ્ઞાનીને મૂળ દ્રષ્ટિમાં જ ફેર છે. અજ્ઞાનીની દ્રષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર નથી એટલે તે
સ્વાધીનશક્તિને (ઉપાદાનને) જાણતો નથી તેથી તે પરાશ્રિત દ્રષ્ટિને લીધે સંયોગમાં બધે નિમિત્તને જ ભાળે છે અને
તેની જ શક્તિ તે માને છે. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર છે, તેને ઉપાદાનની સ્વાધીન–શક્તિની ખબર
છે, તેથી તે જાણે છે કે જ્યાં પોતાનું સ્વભાવ સાધન હોય ત્યાં નિમિત્ત અનુકૂળ હોય જ; પરંતુ નિમિત્ત ઉપર જ્ઞાનીની
દ્રષ્ટિ નથી, જોર નથી. જો મનુષ્યદેહ ધર્મનું કારણ હોત તો મનુષ્યદેહ તો અનંતવાર મળ્‌યો ત્યારે જીવ ધર્મ પામી ગયો
હોત! પરંતુ ધર્મ તો જીવ પૂર્વે પામ્યો નથી કેમકે જો પૂર્વે ધર્મ પામ્યો હોય તો અત્યારે આવો સંસાર ન હોય. માટે
મનુષ્ય શરીર જીવને ધર્મ પામવામાં કિંચિત્ત પણ મદદગાર નથી.
પ્રશ્નઃ– આપણે તો ધર્મ કરવો છે તેમાં આટલું બધું સમજવાનું શું કામ છે? આ સમજીને શું કરવું?
ઉત્તરઃ– ભાઈ! સ્વ કોણ ને પર કોણ તેના નિર્ણય વગર ધર્મ ક્યાં કરીશ? ઉપાદાન અને નિમિત્ત બન્ને
સ્વતંત્ર ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એમ સમજીને, પરવસ્તુ આત્માને લાભનુકશાનનું કારણ છે એવી મિથ્યામાન્યતા
કાઢી નાખવી જોઈએ. આત્મા જ પોતે પોતાને લાભ નુકશાન કરે છે–એવી સ્વાધીન દ્રષ્ટિ થતાં અસંયોગી
આત્મસ્વભાવની સાચી ઓળખાણ થાય છે તે જ ધર્મ છે અને તે જ આત્મકલ્યાણ છે. આ વાત સમજ્યા વગર જીવ
ગમે તેમ કરે તોપણ તેનું કલ્યાણ થાય નહિ.–૧૭
હવે, ‘નિમિત્તના અભાવે જીવનો મોક્ષ અટકયોં છે’ એવી દલીલ નિમિત્ત કરે છેઃ–
ઉપાદાન સબ જીવ પૈ, રોકન હારો કૌન;
જાતે કયોં નહિ મુક્તિમેં, બિન નિમિત્ત કે હોન. ૧૮.
અર્થઃ– નિમિત્ત કહે છે–ઉપાદાન તો બધા જીવોને છે તો પછી તેને રોકાનારો કોણ છે? મુક્તિમાં કેમ જતા
નથી? નિમિત્ત નથી મળતું તેથી તેમ થાય છે.
નિમિત્ત કહે છે–“હે ઉપાદાન! જો ઉપાદાનની શક્તિથી જ બધાં કામ થાય છે તો ઉપાદાન તો બધા જ
જીવોમાં છે, બધા જીવોમાં સિદ્ધશક્તિ પડી છે તો તે બધા જીવો કેમ મુક્તિમાં નથી જતા? મુક્તિમાં જતાં કોણ તેને
રોકે છે? જીવોને સારૂં નિમિત્ત નથી મળતું તેથી તેઓ મુક્તિમાં જતા નથી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકૂળ, પાંચ
ઇન્દ્રિયોની પૂર્ણતા, સારૂં ક્ષેત્ર, નિરોગી શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી એ બધાય નિમિત્તો સારાં મળે તો
જીવને ધર્મ થાય. આંખોથી ભગવાનનાં દર્શન અને શાસ્ત્રનું વાંચન થઈ શકે છે માટે આંખ ધર્મમાં મદદગાર થઈને?
અને કાન છે તો ઉપદેશ સંભળાય છે ને! જો કાન ન હોય તો શું ઉપદેશ સંભળાય? માટે પણ મદદગાર થયા. આ
રીતે ઇન્દ્રિય વગેરેની સામગ્રી સારી હોય તો જીવની મુક્તિ થાય. એકેન્દ્રિ જીવને પણ ઉપાદાન તો છે તો પછી તે કેમ
મુક્તિ જતા નથી? તેને ઇન્દ્રિય વગેરે સામગ્રી સારી નથી માટે તે મુક્તિ પામી શકતા નથી, તેથી નિમિત્તનું જ જોર
છે...”–૧૮–
જુઓ! નિમિત્તની દલીલ! ! ! એકલી સંયોગ તરફની જ વાત લીધી છે, ક્યાંય પણ આત્માનું તો કાર્ય લીધું
જ નથી. પરંતુ હવે ઉપાદાન તેનો જવાબ વાળતાં એકલા આત્મા તરફથી વાત લેશે. બધુંય ભલે હો પણ જો આત્મા
પોતે ન જાગે તો તેની મુક્તિ થતી નથી–એ મતલબે ઉપાદાન હવે ઉત્તર આપે છેઃ–
ઉપાદાન સુ અનાદિકો ઉલટ રહ્યો જગમાહિં;
સુલટતહી સુધે ચલે, સિદ્ધ લોકકો જાહિં. ૧૯.
અર્થઃ– ઉપાદાન કહે છે–જગતમાં ઉપાદાન અનાદિથી ઉલટું થઈ રહ્યું છે, સુલટું થતાં સાચું જ્ઞાન અને ચારિત્ર
થાય છે અને તેથી તે સિદ્ધલોકમાં જાય છે–મોક્ષ પામે છે.
અરે નિમિત્ત! ઉપાદાન તો બધા આત્મામાં અનાદિથી છે એ ખરૂં, પરંતુ તે ઉપાદાન પોતાના ઊંધા ભાવે
સંસારમાં અટકયું છે, કોઈ નિમિત્તે તેને રોકયું નથી. નિગોદદશામાં જીવધર્મ પામી શકતો નથી ત્યાં

PDF/HTML Page 12 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩૧ઃ
પણ તે પોતાના જ ઊંધા ભાવને કારણે જ્ઞાનશક્તિ હારી ગયો છે; ‘ઇન્દ્રિયો નથી માટે જ્ઞાન નથી’ –એમ નથી પરંતુ
‘પોતામાં જ જ્ઞાનશક્તિ હણાઈ ગઈ છે માટે નિમિત્ત પણ નથી’ આમ ઉપાદાન તરફથી લેવાનું છે. સારા કાન અને
સારી આંખ મળે તેથી શું? કાને ઉપદેશ પડવા છતાં જો ઉપાદાન ન જાગે તો તે ધર્મ સમજે નહિ; તેમ જ સારી આંખ
હોય અને શાસ્ત્રોના શબ્દો વંચાય પરંતુ જો ઉપાદાન પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહિ.
આંખથી અને શાસ્ત્રથી જો ધર્મ થતો હોય તો મોટી આંખવાળા પાડા પાસે પોથાં મૂકો ને? સારાં નિમિત્ત હોવા છતાં
તે કેમ નથી સમજતો? ઉપાદાનમાં જ શક્તિ નથી તેથી તે સમજતો નથી; કર્મ વગેરે કોઇનું જોર આત્મા ઉપર છે જ
નહિ. ઉપાદાન અનાદિથી હોવા છતાં આત્મા પોતે અભાન દશામાં પોતાના ઊંધા પુરુષાર્થથી અટકયો છે, જ્યારે
આત્મભાન કરી સવળો થાય ત્યારે તે મુક્તિ પામે છે. નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી પરંતુ
ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે.
નિમિત્ત કહે છે કે એક કામમાં ઘણાની જરૂર પડે છે, ઉપાદાન કહે છે કે ભલે બધું હોય પણ જો એક ઉપાદાન
ન હોય તો કોઈ પણ કાર્ય થાય નહિ.
નિમિત્તઃ– એકલા લોટથી શું રોટલી થઈ જાય? ચકલો, વેલણ, તાવડી, અગ્નિ, વણનાર એ બધાય હોય તો
રોટલી થાય, પરંતુ તેમની મદદ ન હોય તો એકલો લોટ પડયો પડયો તેની રોટલી થઈ જાય ખરી? ન જ થાય માટે
નિમિત્તની મદદ છે.
ઉપાદાનઃ– ચકલો, વેલણ, તાવડી, અગ્નિ અને વણનાર એ બધાય હાજર હોય પરંતુ જો લોટને બદલે રેતી
હોય તો રોટલી થાય ખરી કે? ન જ થાય. કેમકે તે ઉપાદાનમાં તે જાતની શક્તિ નથી. એક માત્ર લોટ ન હોય તો
રોટલી બનતી નથી. અને લોટમાં રોટલી પણે થવાની જે સમયે લાયકાતરૂપે ઉપાદાન શક્તિ હોય છે તે સમયે તેને
અનુકૂળ નિમિત્તો હાજર હોય જ–પરંતુ રોટલી તો સ્વયં લોટમાંથી જ થાય છે. કાર્ય તો એકલા ઉપાદાનથી જ થાય
છે. આત્મામાં એકલા પુરુષાર્થથી જ કાર્ય થાય છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકૂળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નિરોગ
શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી–એ કોઈથી જીવને લાભ થતો નથી, એ બધાં નિમિત્તો તો જીવને અનંતીવાર
મળ્‌યાં છતાં ઉપાદાન પોતે સૂલટયું નહિ તેથી જરાય લાભ થયો નહિ. પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની
પરમાત્મ દશા પોતે જ પોતામાંથી પ્રગટ કરે છે–તેમાં તેને કોઈ નિમિત્તો મદદરૂપ થઈ શકતાં નથી, આમાં કેટલો
પુરુષાર્થ આવ્યો? એક આત્મસ્વભાવ સિવાય જગતની સમસ્ત પરવસ્તુની દ્રષ્ટિને પાંગળી બનાવી દીધી. મને મારા
આત્મા સિવાય જગતની કોઈ ચીજથી લાભ કે નુકશાન નથી. કોઈ ચીજ મને રાગ કરાવતી નથી અને મારા
સ્વભાવમાં રાગ છે નહિ–આવી શ્રદ્ધા થતાં જ, દ્રષ્ટિમાં રાગ ન રહ્યો, તેમજ પરનો કે રાગનો આધાર ન રહ્યો.
આધાર સ્વભાવનો રહ્યો; એટલે રાગ નિરાધાર લુલ્લો થઈ ગયો તે અલ્પકાળમાં ક્ષય થઈ વીતરાગતા થઈ જશે.
આવો અપૂર્વ પુરુષાર્થ આ સાચી સમજણમાં આવે છે.
કોઈ જીવને આંખ–કાન સારાં હોય છતાં અજ્ઞાનભાવે તીવ્ર રાગ–દ્વેષ કરી સાતમી નરકે જાય, ત્યાં આંખ–
કાન શું કરે? અને શ્રી ગજસુકુમાર મુનિને આંખ–કાન બળી જાય છે છતાં અંતરથી ઉપાદાન ઊછળ્‌યું છે તેથી
કેવળજ્ઞાન પામે છે. આમાં નિમિત્તે શું કર્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાને રોકે કે મદદ કરે એ વાત સત્યના
જગતમાં
(–અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં અને વસ્તુના સ્વભાવમાં) નથી; અસત્ય જગત (અનંત અજ્ઞાનીઓ)
તેમ માને છે તેથી તે સંસારમાં દુઃખી થઈને રખડે છે.
જીવ એકેન્દ્રિયપણામાંથી સીધો મનુષ્ય થઈ શકે છે, તે કઈ રીતે? એકેન્દ્રિયપણામાં તો સ્પર્શ ઇન્દ્રિય સિવાય
કોઈ ઇન્દ્રિયો કે મનની સામગ્રી નથી છતાં આત્મામાં વીર્ય ગુણ છે તે વીર્યગુણના જોરે અંદર શુભભાવ કરે છે તેને
લીધે તે મનુષ્ય થાય છે. કર્મનું જોર ઓછું થતાં શુભભાવ થયા એ વાત પણ ખોટી છે. પર વસ્તુથી કાંઈ પુણ્ય–પાપ
થતાં જ નથી. જીવ પોતે જ મંદ ઊંધાવીર્યવડે શુભભાવ કરે છે. ઉપાદાન પોતે સવળો પડીને સમજે તો પોતે મુક્તિ
પામે છે. ઊંધો પડે ત્યારે પોતે જ રોકાય છે, કોઈ બીજું તેને રોકતું નથી.
જ્યારે સ્વતંત્ર ઉપાદાન જાગૃત થાય ત્યારે નિમિત્ત અનુકૂળ જ હોય. સ્વભાવના ભાનપૂર્વક પૂર્ણતાનો
પુરુષાર્થ કરતાં સાધકદશામાં રાગના કારણે ઊંચા પુણ્ય બંધાઈ જાય અને એ પુણ્યના ફળમાં બાહ્યમાં ધર્મની
પૂર્ણતાના નિમિત્તો મળે, પરંતુ જાગૃત થયેલો સાધક જીવ તે પુણ્યના લક્ષમાં ન રોકાતાં, સ્વભાવમાં આગળ

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૩૨ઃ આત્મધર્મઃ ૩૮
વધતો વધતો પુરુષાર્થની પૂર્ણતા કરીને મોક્ષ પામે છે. ઉપાદાન મોક્ષ પામે છે ત્યાં બાહ્ય નિમિત્તો તો એમ ને એમ
પડયાં રહે છે, તે કાંઈ ઉપાદાન સાથે જતાં નથી. આ રીતે પુરુષાર્થની પૂર્ણતાવડે મોક્ષ થાય છે.
જીવ અનાદિથી ઊંધું સમજ્યો તે ખોટા દેવ–ગુરુ–શાસ્ત્રના કારણે નહિ પણ પોતાના અણસમજણરૂપ ભાવને
લીધે જ ઊંધું સમજીને રખડયો છે. તેમ જ જીવ સાચી સમજણ પોતે જ કરે છે, કાનથી–આંખથી કે દેવ–ગુરુ–શાસ્ત્રથી
જીવને સાચી સમજણ થતી નથી. જો તે કાન વગેરેથી સમજણ થતી હોય તો જેને જેને તે નિમિત્તો મળે તે બધાને
એક સાથે સમજણ થઈ જવી જોઈએ–પરંતુ એમ તો થતું નથી; માટે મોક્ષ અને સંસાર, જ્ઞાન અને અજ્ઞાન, કે સુખ
અને દુઃખ એ બધું ઉપાદાનથી જ થાય છે. આ રીતે જીવને લાભ–નુકશાનમાં કોઈ પણ પરનું કિંચિત્ કારણ નથી.
એમ સચોટપણે સિદ્ધ કરીને, ‘નિમિત્તનું કાંઈ પણ જોર છે’ એવી મિથ્યામાન્યતારૂપ અજ્ઞાનને સોઈ ઝાટકીને કાઢી
નાંખ્યું. ૧૯.
(ઉપાદાન–નિમિત્તના કુલ ૪૭ દોહા છે તેમાંથી ૧૯ દોહાનું વ્યાખ્યાન અહીં સુધીમાં પૂરૂં થયું.)
હવે નિમિત્ત નવી દલીલ કરે છે–
કહું અનાદિ બિન નિમિત્તહી, ઉલટ રહ્યો ઉપયોગ
ઐસી બાત ન સંભવૈ, ઉપાદાન તુમ જોગ. ૨૦.
અર્થઃ– નિમિત્ત કહે છે–શું અનાદિથી નિમિત્ત વગર જ ઉપયોગ (જ્ઞાનનો વ્યાપાર) ઊલટો થઈ રહ્યો છે?–
એવી વાત તો સંભવતી નથી, માટે હે ઉપાદાન તારી વાત યોગ્ય નથી.
૧૯ મા દોહામાં ઉપાદાને એમ કહ્યું હતું કે ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે, તે લક્ષમાં લઈને નિમિત્ત
એમ દલીલ કરે છે કે હે ઉપાદાન! તારામાં જે અનાદિથી વિકાર ભાવ થઈ રહ્યો છે તે શું નિમિત્ત વગર જ થાય છે?
જો પર નિમિત્ત વગર એકલા આત્માથી જ વિકાર થતો હોય તો તે આત્માનો સ્વભાવ જ થઈ જાય અને તેથી
સિદ્ધભગવંતોને પણ વિકાર થવો જોઈએ. પરંતુ વિકારી ભાવ બીજા નિમિત્ત વગર હોય નહિ કેમકે તે આત્માનો
સ્વભાવ નથી. જો નિમિત્ત વગર થાય તો વિકાર તે સ્વભાવ થઈ જાય; પરંતુ વિકારમાં નિમિત્ત તો હોય જ છે, માટે
નિમિત્તનું જોર થયું કે નહિ?
ઊંધો ભાવ એકલા સ્વભાવમાંથી આવ્યો કે તેમાં કોઈ નિમિત્ત હતું? શું બંગડી એકલી એકલી ખખડે?
એકલી બંગડી ખખડે નહિ પણ સાથે બીજી બંગડી, હોય તો જ ખખડે. જો સામે ચંદ્રમા ન હોય તો આડી આંખે બે
ચંદ્ર દેખાય નહિ, માટે સામી બીજી ચીજ છે તેથી જ વિકાર થાય છે. તેમ આત્માને વિકારમાં બીજી ચીજની જરૂર પડે.
ઉપાદાન અને નિમિત્ત બે ભેગા થાય તો વિકાર થાય. આત્મા વિકાર કરે ત્યારે પરના લક્ષે કરે કે આત્માના લક્ષે?
એકલા આત્માના લક્ષે વિકાર થવાની લાયકાત જ નથી માટે વિકાર થવામાં હું (નિમિત્ત) પણ કંઈક કરૂં છું. ધ્યાન
રાખજો! આ તો બધી નિમિત્તની દલીલો છે. ઉપરથી જોરદાર લાગતી દલીલ અંદરથી તદ્ન ઢીલી છે, મૂળથી જ પાયો
ખોટો છે, ઉપાદાન સામે આ એકેય દલીલ ટકવાની નથી. ૨૦
હવે ઉપાદાનનો ઉત્તર–
ઉપાદાન કહે રે નિમિત્ત, હમપૈ કહી ન જાય;
ઐંસે હી જિનકેવળી, દેખે ત્રિભુવનરાય. ૨૧.
અર્થઃ– ઉપાદાન કહે છે, અરે નિમિત્ત! મારાથી કહ્યું જાય તેમ નથી, જિનકેવળી ત્રિભુવનરાય એમ જ દેખે
છે.
નોંધઃ– અહીં ઉપાદાનનો એમ કહેવાનો આશય છે કે– જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ ઉપર તેનું લક્ષ હોય
છે, તે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ–નિમિત્તની અસર વિના જ ઉપાદાનનું કાર્ય થાય છે એમ શ્રી
જિનભગવાન દેખે
છે; એટલે કે નિમિત્તની અસર વગર જ ઉપાદાનનો ઉપયોગ પોતાના કારણે ઊલ્ટો થયો છે; માટે તું કહે છે તેમ
મારાથી કહી શકાય નહિ.
અરે નિમિત્ત! આત્મા પોતાના ઊંધા ભાવે રાગ–દ્વેષ કરે છે ત્યારે બીજી ચીજ હાજર હોય છે તેની કેમ ના
કહેવાય? જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ નિમિત્તરૂપે હાજર હોય છે તે બરાબર છે પરંતુ તે નિમિત્તને લઈને
આત્મા વિકાર કરે છે એ વાત બરાબર નથી. ભલે, વિકાર તે આત્માના સ્વભાવમાંથી આવતો નથી, પરંતુ વિકારની
ઉત્પત્તિ તો આત્માની જ અવસ્થામાં થાય છે, કોઈ નિમિત્તની અવસ્થામાંથી થતી નથી. બે બંગડી ભેગી થતાં ખખડે
છે તેમાં કેઈ એક બીજાના કારણે ખખડતી નથી પણ દરેક બંગડી પોતાની શક્તિથી જ ખખડે છે. બે લાકડાં ભેગાં
થાય તો તે બંગડી જેવા નહિ ખખડે, કેમકે તેનામાં તે જાતની ઉપાદાન શક્તિ નથી. કોઈકવાર બે બંગડી અથડાતાં
ફૂટી પણ જાય છે, ત્યાં કેમ ખખડતી નથી? તેનામાં તેવો અવાજ થવાની ઉપાદાન શક્તિ નથી

PDF/HTML Page 14 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩૩ઃ
પણ ફૂટવારૂપ લાયકાત છે તેથી તેમ થાય છે. વળી ચંદ્ર છે તેથી આડી આંખે બે ચંદ્ર દેખાય છે–એ વાત પણ ખોટી છે.
ચંદ્રના કારણે જો તેમ થતું હોય તો જે જે ચંદ્રને જુએ તે બધાયને બે ચંદ્ર દેખાવા જોઈએ; પરંતુ તેમ થતું નથી, કેમકે
તેમાં ચંદ્રનું કારણ નથી. એક જોનારને ચંદ્ર સ્પષ્ટ એક જ દેખાય અને બીજા જોનારાને ચંદ્ર બે દેખાય છે ત્યાં
જોનારાની દ્રષ્ટિમાં કાંઈક ફેર છે, જે જોનાર પોતાની આંખની આડાઈથી જુએ છે તેને બે ચંદ્ર દેખાય છે, બીજાને
દેખાતા નથી તેથી સિદ્ધ થયું કે નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી પણ ઉપાદાન કારણની શક્તિ અનુસાર કાર્ય થાય છે;
જ્યારે જીવ સ્વરૂપને ભૂલીને આડી દ્રષ્ટિથી વિકાર કરે છે ત્યારે તે પોતે જ કરે છે, કોઈ પર કરાવતું નથી. સામે
નિમિત્ત તો એકને એક જ હોવા છતાં ઉપાદાનને કારણે પરિણામમાં ફેર પડે છે; તેનું દ્રષ્ટાંતઃ– કોઈ એક ખૂબસુરત
મરેલી વેશ્યા રસ્તા વચ્ચે પડી હતી, તેને સાધુ, ચોર, વિષયાસક્ત પુરુષ અને કૂતરો એ ચારેયે જોઈ, તેમાંથી સાધુને
એવો વિચાર આવ્યો કે અહો! આવો મનુષ્ય અવતાર પામીને પણ આત્માની સાચી સમજણ કર્યા વગર આ મરી
ગઈ. ચોરને એવો વિચાર આવ્યો કે જો અહીં કોઇ ન હોય તો આના શરીર ઉપરના દાગીના કાઢી લઉં. વિષયાસક્ત
પુરુષને એવો વિચાર આવ્યો કે જો આ જીવતી હોત તો આની સાથે ભોગ ભોગવત. અને કૂતરાને એવો વિચાર
આવ્યો કે જો અહીંથી બધા ચાલ્યા જાય તો આના શરીરનું માંસ ખાઉં. હવે જુઓ! સામે નિમિત્ત બધાને એક જ
સરખું હોવા છતાં દરેકના ઉપાદાનની સ્વતંત્રતાના કારણે વિચારમાં કેટલો ફેર પડયો? જો નિમિત્તની અસર થતી
હોય તો બધાના વિચાર સરખા થવા જોઈએ, પરંતુ તેમ થયું નહિ, એ જ સિદ્ધ કરે છે કે ઉપાદાનની સ્વાધીનતાથી જ
કાર્ય થાય છે. જીવ પોતે જ પાપરાગ, પુણ્યરાગ કે પુણ્ય પાપ રહિત શુદ્ધ વીતરાગ ભાવ જેવા ભાવ કરવા માગે તેવા
ભાવ તે કરી શકે છે.
આ તો ધર્મની સમજાય તેવી વાત છે, પ્રથમદશામાં સમજવા માટેની સાધારણ વાત છે. સમ્યગ્દર્શન અર્થાત્
સ્વતંત્ર પરિપૂર્ણ આત્મસ્વભાવની ઓળખાણ પ્રગટ કરવા પહેલાં વસ્તુનો સાચો નિર્ણય કરવા માટેની આ પહેલી
ભૂમિકા છે. કલ્યાણ માટેની આ અપૂર્વ સમજણ છે, આ માત્ર શબ્દોની વાતો નથી પરંતુ આની પાછળના ભાવમાં તો
કેવળજ્ઞાન લેવાના કક્કા છે, માટે બરાબર રુચિપૂર્વક આ સમજવું જોઈએ.
અજ્ઞાની કહે છે–કર્મના નિમિત્ત વિના આત્માને વિકાર થાય નહિ માટે કર્મ જ વિકાર કરાવે છે. જ્ઞાની કહે
છે–આત્મા પોતે વિકાર કરે ત્યારે કર્મ નિમિત્તરૂપ હાજર હોય છતાં તે કર્મ આત્માને વિકાર કરાવે નહિ. કોઈ હજારો
ગાળ્‌યો દે તે ક્રોધનું કારણ નથી પરંતુ જીવ જો ક્ષમા છોડીને ક્રોધ કરે તો ગાળ્‌યને ક્રોધનું નિમિત્ત કહેવાય. જીવ જો
પોતાના ભાવમાં ક્ષમા જાળવી રાખે તો હજારો કે કરોડો ગાળ્‌ય હોવા છતાં તેને નિમિત્ત પણ કહેવાય નહિ.
ઉપાદાનના ભાવ પ્રમાણે સામી ચીજમાં નિમિત્તપણાનો આરોપ આવે છે, પરંતુ સામી ચીજના કારણે
ઉપાદાનના ભાવ થાય એમ બનતું જ નથી.
ઉપાદાન જ્યારે સ્વાધીનપણે પોતાના કાર્યને કરે ત્યારે બીજી ચીજ
નિમિત્ત હાજર હોય જ છે એમ શ્રી સર્વજ્ઞદેવે જોયું છે, તો હે નિમિત્ત! તેની મારાથી કેમ ના પડાય? અહીં ઉપાદાન
એમ કહેવા માગે છે કે જગતની બીજી વસ્તુઓ હાજર છે તેને મારા જ્ઞાનમાં જાણું ખરો, બીજી વસ્તુને જાણવામાં કાંઈ
વાંધો નથી પરંતુ બીજી ચીજ મારામાં કાંઈ કરે એ વાત મારે માન્ય નથી. જગતમાં અનંત પરદ્રવ્યો સૌ સ્વતંત્ર
ભિન્ન ભિન્ન છે એમ જે ન માને તો જ્ઞાન ખોટું છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એમ માને તોય જ્ઞાન ખોટું
જ છે. જીવ તીવ્ર રાગદ્વેષ કરે તેના નિમિત્તથી જે કર્મો બંધાય તે કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે પાછા તીવ્ર રાગદ્વેષ તે
જીવને કરવા જ પડે–એ વાત તદ્ન ખોટી અને જીવની સ્વાધીનતાનું ખૂન કરનારી છે. જીવ રાગદ્વેષ કરે ત્યારે કર્મનું
નિમિત્ત હોય છે ખરૂં, પરંતુ કર્મ જીવને રાગદ્વેષ કરાવતાં નથી. જીવ દ્રવ્ય કે પુદ્ગલ દ્રવ્ય બંને સ્વતંત્ર દ્રવ્યો છે અને
પોતપોતાની અવિકારી કે વિકારી અવસ્થા પોતે જ સ્વતંત્રણે કરે છે, કોઈ એક બીજાના કર્તા નથી. આવા સ્વતંત્ર
વસ્તુ સ્વભાવની ઓળખાણ કરવી તે પહેલો ધર્મ છે. – ૨૧– (ચાલુ...)
* * * * * * * *
પોતાના આત્માની રુચિ અને વિશ્વાસ કરતાં પરનો અહંકાર ટળે છે, અને પોતાના આત્મામાં સ્થિરતા કરતાં
રાગ–દ્વેષ ટળીને વીતરાગતા થાય છે. આત્માને પોતાની રુચિ અને વીતરાગતા પ્રગટ કરવા માટે પર સાથેનો સંબંધ
નથી.

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૩૪ઃ આત્મધર્મઃ ૩૮
સમયસાર–પ્રશ્નોત્તર
–શ્રી સમયસાર પાન પ૦૨ના વ્યાખ્યાનના આધારે–
૯. પ્રશ્નઃ– આત્મકલ્યાણ કરવા માટે सब अवसर आ चुका है–એમ કહ્યું, તેમાં सब अवसर એટલે શું?
ઉત્તરઃ– આત્મામાં સત્ સમજવા જેટલા જ્ઞાનની ઉઘાડ શક્તિ છે અને સત્સમાગમનો યોગ મળ્‌યો છે– એ જ
सब अवसर છે. સત્નો જોગ મળ્‌યો છે અને જ્ઞાનશક્તિ પણ મળી છે માટે શીઘ્ર આત્મકલ્યાણનો માર્ગ સમજી લેવો–
એવો તેનો ભાવ છે. કોઈ જીવો કર્મનો તેમજ દેશ, કાળ વગેરેનો વાંક કાઢે છે અને આત્મસ્વરૂપ સમજવાનો પ્રયત્ન
કરતા નથી, તેમને જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, તારા આત્મકલ્યાણમાં તને કર્મ, દેશ, કાળ વગેરે કોઈ નડતાં નથી, માટે
આ અવસર પામીને તારા જ્ઞાનમાં સત્ સમજવાનો પ્રયત્ન કર.
૧૦. પ્રશ્નઃ– આત્માના સુખના સાધન કયા કયા નથી?
ઉત્તરઃ– અંતરંગમાં મિથ્યાદર્શન, અજ્ઞાન તે સુખના સાધન નથી, તેમ જ પુણ્યનો શુભરાગ, દયા–ભક્તિ–
વ્રત–તપ આદિના શુભ વિકલ્પો તે પણ આત્માના સુખનું સાધન નથી પણ આકુળતા હોવાથી દુઃખ છે. વળી દેવ–
ગુરુ–શાસ્ત્ર પણ આ આત્માથી જુદા છે તેથી તેઓ પણ આ આત્માના સુખનાં સાધન નથી. પૈસા, શરીર, મકાન,
ભોજન વગેરે જડ પદાર્થો આત્માના સુખનું સાધન નથી. ટૂંકમાં કહીએ તો વિકારભાવ અને પરવસ્તુઓ તે કોઈ પણ
આત્માના સુખનું સાધન નથી.
૧૧. પ્રશ્નઃ– તો પછી આત્માનું સુખનું સાધન શું છે?
ઉત્તરઃ– વિકારથી અને પરથી ભિન્ન એવો પોતાનો સ્વભાવભાવ તે જ આત્માના સુખનું સાધન છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ સુખનું સાધન છે, અને તેનું પણ મૂળ કારણ તો સમ્યગ્દર્શન જ છે. જ્ઞાનીઓ
સમ્યગ્દર્શનને કલ્યાણમૂર્તિ કહે છે. ત્રણે કાળે આ જગતમાં જીવનું સર્વોત્કૃષ્ટ હિત કરનાર સમ્યગ્દર્શન જ છે. જેટલે
અંશે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેટલે અંશે જ સુખ છે, અને તેનો અભાવ તે જ દુઃખ છે. તેથી સુખી થવા માટે સર્વ
પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં પણ દુઃખી જ છે, અને સમ્યગ્દ્રષ્ટિ જીવ નરકમાં પણ સુખી છે.
૧૨. પ્રશ્નઃ– અંતર સ્વભાવને ઓળખીને તેમાં ઠર–તને કેવળજ્ઞાન થશે–આ વાત તમને રુચે છે?
ઉત્તરઃ– હા. તેમાં અંતર સ્વભાવની સમજણ અને સ્થિરતા જ કરવાનું કહ્યું છે; કોઈ બહારની ક્રિયા કે
શુભરાગ કરવાથી કેવળજ્ઞાન થશે એમ કહ્યું નથી, કેમકે બહારની ક્રિયા તો આત્મા કરી જ શકતો નથી. અને
શુભરાગ વડે કેવળજ્ઞાન થતું નથી કેમકે તે વિકાર છે. મુનિરાજ પણ જ્યારે શુભરાગના વિકલ્પને તોડીને સ્વભાવમાં
ઠરે છે ત્યારે કેવળજ્ઞાન પામે છે. માટે પહેલાં કેવળજ્ઞાનના સાચા ઉપાયની પ્રતીત કરવી જોઈએ. જેને કેવળજ્ઞાનના
ઉપાયની પ્રતીત અને રુચિ ન થાય અને શુભરાગની રુચિ થાય તેને વિકારની રુચિ છે પણ આત્માના ધર્મની રુચિ
નથી.
૧૩. પ્રશ્નઃ– જ્ઞાન સાથે વણાયેલી શક્તિઓના નામ કહો.
ઉત્તરઃ– જ્ઞાન સાથે ચારિત્ર, સુખ, વીર્ય, શ્રદ્ધા, અસ્તિત્વ વગેરે અનંત શક્તિઓ વણાયેલી છે.
૧૪. પ્રશ્નઃ– જ્ઞાન માત્રનો સ્વભાવ સિદ્ધપણું છે–એટલે શું?
ઉત્તરઃ– જ્ઞાનમાત્ર એટલે એકલું જ્ઞાન; એકલા જ્ઞાનમાં વિકાર કે રાગદ્વેષ ન હોય, દુઃખ ન હોય, પરનો સંગ
ન હોય, એ રીતે એકલું જ્ઞાન પોતે વિકાર રહિત હોવાને લીધે પરિપૂર્ણ છે, તે જ સુખ છે, તે જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર
રહેતું હોવાથી પોતે જ ચારિત્ર છે, આ રીતે જ્ઞાન માત્રને જ સિદ્ધપણું છે. જેમ સિદ્ધને વિકાર વગેરે નથી તેમ
જ્ઞાનમાત્રમાં પણ વિકાર વગેરે નથી.
૧પ. પ્રશ્નઃ– જ્ઞાન માત્રમાં સ્થાપેલી દ્રષ્ટિ વડે ખરેખર એક આત્મા જ દેખાય છે–તેનો ભાવાર્થ સમજાવો.
ઉત્તરઃ– જ્ઞાન માત્ર તે જ મારૂં સ્વરૂપ છે, વિકાર વગેરે કાંઈ મારૂં સ્વરૂપ નથી એવી દ્રષ્ટિ તે ‘જ્ઞાન માત્રમાં
સ્થાપેલી દ્રષ્ટિ’ છે જેણે પોતાને જ્ઞાનમાત્ર સ્વરૂપે માન્યો તે પરથી પોતાને લાભ–નુકશાન માને નહિ, હું પરનું કરી
શકું એમ માને નહિ, વિકાર થાય તેનો ‘જ્ઞાનમાત્ર’ માં સ્વીકાર કરે નહિ, એટલે તેનું લક્ષ પરથી અને વિકારથી
ખસી ગયું અને એકલા જ્ઞાતા–દ્રષ્ટા સુખમય સ્વભાવી પોતાના આત્મા ઉપર તેનું લક્ષ થયું. આવું જેને આત્મભાન
થાય તેણે પોતાની દ્રષ્ટિ જ્ઞાનમાત્રમાં

PDF/HTML Page 16 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩પઃ
સ્થાપી કહેવાય, તેથી કહ્યું કે જ્ઞાન માત્રમાં સ્થાપેલી દ્રષ્ટિ વડે ખરેખર એક આત્મા જ દેખાય છે. તે દ્રષ્ટિમાં ગુણ–
ગુણી ભેદ પણ દેખાતા નથી. આવી જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે જ શુદ્ધ દશા પ્રગટે છે.
અહીં આત્માની ઓળખાણ કરવા માટે જ્ઞાનમાત્રમાં દ્રષ્ટિ સ્થાપવાનું જ કહ્યું, પરંતુ દાન ભક્તિ પૂજા જાત્રા
વગેરેનો શુભરાગ કરવાનું કહ્યું નહિ કેમકે શુભરાગ વડે આત્માની ઓળખાણ થઈ શકતી નથી, તેમજ શુભરાગ
આત્માની ઓળખાણનું સાધન પણ નથી.
૧૬. પ્રશ્નઃ– ધર્મમાં પ્રથમ શું અને છેલ્લું શું?
ઉત્તરઃ– ધર્મમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન છે અને સૌથી છેલ્લી સિદ્ધદશા છે.
૧૭. પ્રશ્નઃ– આત્મામાં ક્રમરૂપ અને અક્રમરૂપ ધર્મો રહેલા છે તે કઈ રીતે?
ઉત્તરઃ– દરેક દ્રવ્ય ગુણ–પર્યાયવાળું હોય છે, આત્મામાં પણ તેના અનંત ગુણ પર્યાયો છે. તેમાં ગુણો બધાય
સાથે રહેનારા છે તેથી અક્રમરૂપ ધર્મ છે અને પર્યાય એક પછી એક ક્રમસર જ થાય છે તેથી તે ક્રમરૂપ ધર્મ છે. આ
રીતે અક્રમરૂપ ધર્મો અને ક્રમરૂપ ધર્મો (એટલે કે ગુણ અને પર્યાય) આત્મામાં એક સાથે છે.
૧૮. પ્રશ્નઃ– અધૂરામાંથી પૂરું થયું–તે શું? દ્રવ્ય, ગુણ કે પર્યાય?
ઉત્તરઃ– દ્રવ્ય અને ગુણ તો સદાય એકરૂપ રહેનારાં છે તેમાં અધૂરાપણું છે જ નહિ, પર્યાયનો સ્વભાવ ક્ષણિક
છે તેથી અધૂરી દશા બદલીને પૂરી દશા થાય છે. ફેરફાર પર્યાયમાં જ થાય છે, દ્રવ્ય–ગુણ એકરૂપ છે.
૧૯. પ્રશ્નઃ– આત્મા, રાગ, સુખ, શ્રદ્ધા, પુણ્ય, શરીરની ક્રિયા–એમાંથી જ્ઞાન સાથે અવિનાભાવપણું કોને છે?
ઉત્તરઃ– જ્ઞાન આત્માનો સ્વભાવ છે, તે જ્ઞાન સાથે સુખ, શ્રદ્ધા વગેરે અનંતગુણો અવિનાભાવી રહેલા છે,
જ્ઞાન અને આત્માને અવિનાભાવીપણું છે; અને રાગ, પુણ્ય વગેરે પરભાવ તથા શરીરની ક્રિયા વગેરે પર દ્રવ્ય તે
કોઈ જ્ઞાનનું સ્વરૂપ નથી તેથી તેઓ જ્ઞાનથી ભિન્ન છે. તેથી જે જ્ઞાનને ઓળખે તે આત્માને ઓળખે, રાગને પોતાનું
સ્વરૂપ માને નહિ તથા શરીરની ક્રિયા વગેરેનો કર્તા પોતાને માને નહિ.
૨૦. પ્રશ્નઃ– આત્મામાં અનંત ધર્મો છે, તેમાંથી મુખ્ય થોડાક ગણાવો.
ઉત્તરઃ– ૧. જીવત્વશક્તિ. ૨. ચિતિશક્તિ. ૩. દર્શનક્રિયારૂપ શક્તિ. ૪. જ્ઞાન ઉપયોગમયી શક્તિ. પ. સુખ. ૬.
વીર્ય. ૭. પ્રભુત્વ. ૮. વિભુત્વ. ૯. સર્વદર્શિત્વ. ૧૦. સર્વજ્ઞત્વ. ૧૧. સ્વચ્છત્વ. ૧૨. પ્રકાશ શક્તિ. ૧૩. ત્યાગ ઉપાદાન
શૂન્યત્વ. ૧૪. ઉત્પાદ, વ્યય ધ્રુવત્વ. ૧પ. અસ્તિત્વ. ૧૬. અમૂર્તત્વ. ૧૭. અકર્તૃત્વ. ૧૮. અભોક્તૃત્વ. ૧૯. નિષ્ક્રિયત્વ.
૨૦. સર્વધર્મવ્યાપકત્વ. ૨૧. અનંતધર્મત્વ. ૨૨. વિરુદ્ધધર્મત્વ. ૨૩. તત્ત્વશક્તિ. ૨૪. અતત્ત્વશક્તિ. ૨પ. એકત્વ
શક્તિ. ૨૬. અનેકત્વ શક્તિ. ૨૭. ભાવશક્તિ. ૨૮. અભાવશક્તિ. ૨૯. ક્રિયાશક્તિ. ૩૦. કર્મશક્તિ. ૩૧. કર્તૃત્વશક્તિ.
૩૨. કરણશક્તિ. ૩૩. સંપ્રદાન શક્તિ. ૩૪. અપાદાન શક્તિ. ૩પ. અધિકરણ શક્તિ. ૩૬. સ્વભાવમાત્ર
સ્વસ્વામીત્વમયી સંબંધ શક્તિ. (‘શક્તિ’ અને ‘ધર્મ’–એ બંને શબ્દો અહીં એકાર્થવાચક છે.) આ સિવાય બીજા
અનંતધર્મો આત્મામાં રહેલા છે; અનંત અન્યત્વ અને અનંત અગુરુલઘુત્વ ધર્મો છે. અહીં કહેલી શક્તિઓનું
(ધર્મોનું) વિશેષ સ્વરૂપ શ્રી સમયસારજી પા. પ૦પ–પ૦૬માં જોઈ લેવું.
૨૧. પ્રશ્નઃ– અજ્ઞાનીઓ પ્રથમ સમ્યગ્દર્શનને બદલે બાળતપ શા માટે કરે છે?
ઉત્તરઃ– અજ્ઞાનીઓ આત્માના યથાર્થ સ્વરૂપને ઓળખતા નથી. તેથી તેમની દ્રષ્ટિ બહારમાં છે અને તેઓ
બહારની ક્રિયાથી ધર્મ માને છે. આ કારણે બહારમાં અન્ન વગેરેના ત્યાગને તેઓ તપ માને છે; વળી રાગરહિત
આત્મ–સ્વભાવની દ્રષ્ટિ અજ્ઞાનીને નથી તેથી તે શુભરાગને ધર્મ માને છે. પરંતુ શુભરાગ તો વિકાર છે. અજ્ઞાનીને
વિકાર કરવો સહેલો લાગે છે, તેમજ બહારની ક્રિયા હું કરી શકું એમ તે માને છે, પરંતુ આત્માનો સ્વભાવ પરનું કાંઈ
કરવાનો નથી–એવી સાચી સમજણ કરવી તેને અઘરી લાગે છે તેથી તેઓ પ્રથમ સમ્યગ્દર્શન કરવાને બદલે તેમણે
માની લીધેલો તપ કરવો ઠીક માને છે. પરંતુ સમ્યગ્દર્શન વગર સાચો તપ કદી હોય જ નહિ. આત્મસ્વભાવમાં
એકાગ્રતા વડે શુભાશુભ ઇચ્છા તૂટી જાય તેનું નામ તપ છે.
૨૨. પ્રશ્નઃ– પરિગ્રહ એટલે શું? સૌથી મોટો પરિગ્રહ કયો?
ઉત્તરઃ– આત્માના સ્વભાવ સિવાય જેટલો વિકારભાવ તે બધોય પરિગ્રહ છે. અને વિકારનું મૂળ કારણ
મિથ્યાત્વ છે, તેથી મિથ્યાત્વ એ જ સર્વથી મહાન પરિગ્રહ છે. જે જીવને મિથ્યાત્વ છે તે જીવ પુણ્ય–પાપને પોતાનું
સ્વરૂપ માને છે, વળી પુણ્યથી મને લાભ થાય એમ માન્યું તેણે ત્રણે કાળના વિકારભાવનો પરિગ્રહ રાખ્યો છે. અને
જે જ્ઞાનીને આત્મભાન વર્તે છે

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૩૬ઃ આત્મધર્મઃ ૩૮
તેઓ કોઈ વિકારને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી ત્રણેકાળના વિકારનું સ્વામીત્વ તેઓએ છોડી દીધું છે.
બહારની વસ્તુના સંયોગ ઉપરથી પરિગ્રહનું માપ નથી. બહારમાં ત્યાગી હોવા છતાં જેને અંતરમાં મિથ્તાત્વ છે અને
પુણ્યાદિથી લાભ માને છે, પરવસ્તુનું હું કરૂં એમ માને છે તેને ત્રણેકાળના વિકારનો અને પરદ્રવ્યનો પરિગ્રહ છે.
અને બહારમાં છ ખંડનું રાજ્ય અને છન્નું હજાર રાણીઓનો સંયોગ હોવા છતાં અંતરમાં જેને આત્મભાન વર્તે છે
અને પુણ્ય મારૂં સ્વરૂપ નથી, પુણ્યથી મને લાભ નથી, પરનું હું કાંઈ કરી શકતો નથી એવી પ્રતીત છે તેણે
અભિપ્રાયમાંથી ત્રણેકાળના વિકારનો અને પરદ્રવ્યોનો ત્યાગ કર્યો છે. સૌથી મોટો પરિગ્રહ મિથ્યાત્વ છે તે
સમ્યગ્દર્શન વડે જ ટળે છે. બહારમાં સમોસરણનો સંયોગ હોવા છતાં કેવળી ભગવાન નિષ્પરિગ્રહી છે. કેમકે તેમને
મોહ નથી. અને મોહ તે જ પરિગ્રહ છે.
–ભલામણ–
આપ આત્મધર્મનું વાંચન નિયમિત કરતા જ હશો એ વિષે તો શંકા નથી. પરંતુ એમાં દર્શાવાતા ન્યાયો–
સિદ્ધાંતો માત્ર વાંચી જવાથી જ સમજાશે નહિ. એ દરેક ન્યાયનું વારંવાર ચિંતવન–મનન કરી તેની યથાર્થ સમજણ
અને એ સમજણની દ્રઢ પ્રતીતિ–સાચી શ્રદ્ધા કરવી જોઈએ. આટલું કરશો તો આત્મધર્મનું વાંચન આપને ખૂબ
આનંદદાયી–રસદાયી લાગશે.
અને સંભવ છે કે એમાં રજૂ થતી ઘણી બાબતો ન પણ સમજાય! તો તેની નોંધ કરી લઈ, વખત મેળવી
સત્પુરુષના સમાગમમાં આવી દરેક બાબતની છણાવટ કરી યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
જેણે અખંડ સુખ ભોગવવું હોય–સંસાર પરિભ્રમણ ટાળવું હોય તેણે આટલો પુરુષાર્થ તો કરવો જ જોઈએ ને!
– રવાણી
અષ્ટ પ્રાભૃત ઃ પ્રવચનોનો ટૂંકસારઃ
(બીજી ગાથા ચાલુ) લેખાંક–૩ (ગતાંકથી ચાલુ)
(પ૭) શંકાઃ– સમ્યક્ત્વ પરિણામ તો કેવળી જ પ્રત્યક્ષ જાણે છે, છદ્મસ્થ તેને જાણી શકે નહિ, માટે
છદ્મસ્થજીવોએ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માનવા ન જોઈએ.
ઉત્તરઃ– ‘જીવોએ પોતાને સમ્યગ્દ્રષ્ટિ ન માનવા’ એમ સર્વથા એકાંતપણે માનવું તે તો મિથ્યાત્વ છે. છદ્મસ્થ
જીવો ભલે સમ્યક્ત્વને પ્રત્યક્ષ ન જાણી શકે પરંતુ ‘પોતાને સમ્યક્ત્વ છે’ એવો નિર્ણય તો પોતે કરી શકે છે.
‘સમ્યક્ત્વ ન માનવું’ એવો ઊંધો નિર્ણય તો તું કરી શક્યો કે નહિ? તો પછી ‘સમ્યક્ત્વ છે’ એવો સવળો નિર્ણય
પણ જ્ઞાની પોતાથી જરૂર કરી શકે છે. પોતાને સમ્યક્ત્વ છે કે નહિ– તે બીજાને પૂછવું ન પડે. સમ્યક્ત્વનો નિર્ણય
નથી થઈ શકતો એમ સર્વથા એકાંત માનવું તે મિથ્યાત્વ છે. સમ્યક્ત્વના સૂક્ષ્મ પરિણામને કેવળી ભગવાન સીધા
જાણે અને છદ્મસ્થને પરોક્ષ જ્ઞાનમાં સ્વસંવેદનવડે પોતાને પોતાના સમ્યક્ત્વનો નિર્ણય થાય છે–એમ પ્રત્યક્ષ અને
પરોક્ષ બંને પ્રમાણને માનવા જોઈએ. પણ એકાંત કેવળી જ જાણી શકે અને પોતે કોઈ રીતે ન જાણી શકે એમ માનવું
નહિ. સમ્યગ્દર્શન થતાં જીવને પોતાને સ્વભાવની નિઃશંકતા થાય છે અને પોતાના સમ્યગ્દર્શનનો પોતાને નિઃસંદેહ
નિર્ણય થાય છે. આ શ્રદ્ધાનું અર્થાત્ સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ ઓળખાવાય છે. સમ્યગ્દ્રષ્ટિને પણ પોતાના
સમ્યક્ત્વનો નિર્ણય ન થઈ શકે એમ જે માને છે તેઓ સમ્યગ્દર્શનના સ્વરૂપને સમજ્યા નથી.
ચૈતન્યસ્વભાવની પ્રતીતિ થતાં સમ્યગ્દર્શન થાય છે, તે સૂક્ષ્મ પરિણામ નજરે ન દેખાવા છતાં તેના વેદનની
નિઃશંકતા થાય છે. પૂર્વે કદી નહિ થયેલું એવું સ્વસંવેદન થાય છે. ભવરહિત સ્વરૂપની પ્રતીત થઈ, રાગરહિત
સ્વરૂપનો અનુભવ થયો અને પોતાને તેની ખબર ન પડે એમ બને જ નહિ. ચૈતન્ય એવો આંધળો નથી કે પોતાને
પોતાના સ્વસંવેદનની ખબર ન પડે! અલ્પ કાળે નિઃસંદેહ મુક્તિ છે એવી પ્રતીત સમ્યગ્દર્શન થતાં જીવને પોતાને
થાય છે.
(પ૮) વળી જો કોઈ જીવ પોતાને સમ્યગ્દ્રષ્ટિ ન માને અને બધા જ જીવ પોતાને મિથ્યાદ્રષ્ટિ માને તો
વંદ્યવંદકભાવ વગેરે વ્યવહારનો લોપ થશે, સર્વે મુનિ તથા શ્રાવકની પ્રવૃત્તિ મિથ્યાત્વસહિત ઠરશે. જો દરેક જીવ
પોતાની મિથ્યાદ્રષ્ટિ જ માને તો પછી સાધકપણું ક્યાં રહ્યું? માટે પોતાને સ્વાનુભવની પ્રતીત વડે સમ્યગ્દર્શનનો
નિર્ણય થયા પછી શંકા ન કરવી.
જેને સમ્યગ્દર્શન થયું હોય તે પણ પોતાને મિથ્યાદ્રષ્ટિ માને અને મિથ્યાત્વી અને પણ પોતાને મિથ્યાદ્રષ્ટિ
માને તો પછી સમ્યગ્દ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિની પ્રતીતમાં ફેર ક્યાં પડયો? તથા વંદ્યવંદકભાવરૂપ વ્યવહાર શી

PDF/HTML Page 18 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩૭ઃ
રીતે રહે? સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો નિર્ણય પણ શી રીતે થાય? વંદ્યવંદકભાવ ભલે પરમાર્થે આદરણીય નથી
પરંતુ સાધક જીવે તેનો નિર્ણય તો કરવો જ પડશે ને? જો સમ્યક્ત્વનો નિર્ણય ન થાય તો કોણ કુગુરુ છે ને
કોણ સુગુરુ છે, કોણ વંદ્ય છે ને કોણ વંદ્ય નથી–એનો નિર્ણય શી રીતે થાય? કેવળી થાય તે જ પોતાને
સમ્યગ્દ્રષ્ટિ માને અને બીજા બધા પોતાને મિથ્યાદ્રષ્ટિ માને તો પછી ધર્મની વાત કોણ કરશે? પોતાને
મિથ્યાદ્રષ્ટિ પણ માને અને વળી ધર્મની વાત કરે એ બંને કેમ બને? પોતાને સમ્યગ્દ્રષ્ટિ માન્યા વગર સત્યની
નિઃશંક પ્રરુપણા કરી શકે નહિ.
સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિર્મળ સાધકદશા વધતી જાય છે, જો પોતાને સમ્યગ્દ્રષ્ટિ નહિ માને તો વધતી
જતી સાધકદશાની પ્રતીત કોણ કરશે? પર્યાય તે વ્યવહાર છે. જો નિર્મળ પર્યાયનો નિર્ણય જ્ઞાન નહિ કરી શકે
તો તે જ્ઞાન આગળ શી રીતે વધશે? ગુરુ સમ્યગ્દ્રષ્ટિ છે કે નહિ–એમ જો જીવ સાચા ગુરુનો નિર્ણય નહિ કરી
શકે તો સાચા નિમિત્તની શ્રદ્ધા પણ નહિ થાય અને સાચા નિમિત્તને ઓળખ્યા વગર વ્યવહારતીર્થ શી રીતે
રહેશે? જો પોતાને મિથ્યાદ્રષ્ટિ જ માને તો વ્રતાદિ અંગીકાર કરવાનું ક્યાંથી બને? જેની જે ભૂમિકા હોય તે
પ્રમાણે જો તેની પ્રતીત નહિ કરે તો, આગળ વધેલા કોણ–એ જાણ્યા વગર કોનો વિનય કરવો એ નિયમ રહેશે
નહિ. માટે સમ્યક્ત્વ વડે આત્માની પ્રતીતિ થયા પછી તેમાં શંકા ન કરવી. સ્વાનુભવવડે સમ્યક્્શ્રદ્ધા પ્રગટ
થતાં તેની નિઃશંક પ્રતીત કરવી. જેનું વીર્ય સામર્થ્ય અનંત ભવની શંકામાં ઝૂલી રહ્યું હોય અને સમ્યગ્દર્શનનો
નિર્ણય કરવામાં પણ કાર્ય ન કરતું હોય તે જીવ નિઃશંક પ્રરુપણા શી રીતે કરશે? ‘સમ્યગ્દર્શનનો નિર્ણય ન
થાય’ એનો અર્થ એવો થયો કે સત્ય તત્ત્વની નિઃશંક પ્રરુપણા પણ ન થઈ શકે. જેને જડ ચેતનના
ભિન્નપણાની જ પ્રતીત નથી તેને ધર્મની જ પ્રતીત નથી. સમ્યગ્દર્શન જ બધા ધર્મનું મૂળ છે. જેનાથી
અલ્પકાળે મુક્તિ થાય એવી પ્રતીત થાય અને જેના આત્મામાંથી કર્મો જઊં–જઊં થઈ રહ્યા હોય, જેની
પરિણતિનું પરિણમન મુક્તસ્વભાવ પ્રત્યે ઢળી રહ્યું હોય તેને પોતાની દશાની પ્રતીત ન થાય એમ બને જ
નહિ. સમ્યગ્દર્શન થતાં જ પોતાના આત્મામાં તેની નિઃશંક પ્રતીત અવશ્ય થાય છે.
(પ૯) મિથ્યાદ્રષ્ટિ તો અન્યમતિ છે; સનાતન વીતરાગ જિનમાર્ગથી વિરુદ્ધ હોય તે બધા અન્યમતિ
મિથ્યાદ્રષ્ટિ છે. જેણે રાગસહિત ધર્મ મનાવ્યો, ધર્મના નિમિત્તો જિન પ્રતિમા વગેરે અન્યથા માન્યા અને વસ્ત્ર
સહિત મુનિપણું મનાવ્યું તે પણ અન્યમત છે. આ તો સત્ સ્વરૂપ છે, જિજ્ઞાસુઓએ સત્ને મીઠાશથી સાંભળવું
જોઈએ. સત્યની પ્રરુપણાથી જેને માઠું લાગે તેને સત્યની રુચિ નથી. જે કેવળીને આહાર, સ્ત્રીને મુક્તિ કે
મુનિને વસ્ત્રાદિકનો રાગ માને તે જૈનનામધારી પણ મિથ્યાદ્રષ્ટિ છે. અન્યમતિ એટલે જૈન સિવાયના બીજા તે
તો અન્યમત છે જ, પરંતુ જૈન સંપ્રદાયમાં પણ જેઓ પુણ્યથી ધર્મ માને છે તે પણ પરમાર્થે અન્યમતિ છે. પરમ
પવિત્ર સર્વજ્ઞ પદને વિપરીતપણે મનાવે તે જૈનમતની બહાર છે. ૩૬૩ પાખંડ તો સ્થૂળ અન્યમત છે, જૈનમાં
દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપમાં ભૂલ કરી તે પણ સ્થૂળ અન્યમતિ (–ગૃહિતમિથ્યાદ્રષ્ટિ) છે અને સાચા દેવ–
ગુરુ–શાસ્ત્રને માનનારા પણ પુણ્યાદિથી ધર્મ માને કે નિમિત્ત ઉપાદાનના કાર્યમાં ખરેખર મદદ કરે ઇત્યાદિ
માને તો તે પણ અન્યમત સમાન છે, એ બધા મિથ્યાદ્રષ્ટિ છે.
(૬૦) જૈનમતમાં અરિહંતદેવને આહાર નથી, છતાં મનાવે તો તે વાત અન્યમતિની છે, જૈનની નથી.
અરિહંત પદ તો કેવું ઉત્કૃષ્ટ છે! ઇન્દ્રને પણ રોગ અને દવા હોતા નથી, તો પછી તે ઇન્દ્ર પણ જેમના ચરણ
કમળમાં નમી પડે છે એવા સર્વોત્કૃષ્ટ પુણ્યના ધારક તીર્થંકરને રોગ કે દવા હોય જ કેમ? છતાં જે અરિહંતને
રોગ કે દવા મનાવે તેઓ અરિહંતના પુણ્યને પણ ઓળખી શક્યા નથી, તો પછી તેમની પવિત્રતાને તો
ઓળખે જ ક્યાંથી?
(૬૧) મુનિદશામાં શ્રી ગુરુને જે વસ્ત્ર મનાવે તે પણ અન્યમતિ છે, જૈનમતમાં ગુરુમુનિ સદા નિર્ગ્રંથ હોય
છે. જેને કેવળદશાની યથાર્થ પ્રતીત થઈ તેને આત્માના કેવળની પ્રતીત થઈ અને જેને નિર્ગ્રંથ મુનિ પદની પ્રતીત થઈ
તેને ચારિત્ર દશાની પ્રતીત અને ભાવના થઈ.
સ્ત્રીપણામાં પુરુષાર્થની મંદતાને કારણે અમુક પ્રકારનો રાગ હોય છે માટે સ્ત્રીને પાંચમા ગુણસ્થાન કરતાં
આગળની ભૂમિકા હોતી નથી.
તીર્થંકરને બે બાપ હોય નહિ; ‘બે બાપનો’ એવું સાંભળવાનો પ્રસંગ આવે તે તો પાપનો ઉદય છે. તીર્થં–

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૩૮ઃ આત્મધર્મઃ ૩૮
કરના ઉત્કૃષ્ટ પુણ્યમાં એવો કોઈ તીવ્ર પાપરાગ હોય નહિ કે જેથી ‘બે બાપવાળો’ એવું ખરાબ વચન સાંભળવાનો
પ્રસંગ આવે.
અતીન્દ્રિય કેવળજ્ઞાનદશાનું જે નિકટતમ સાધક છે એવા ચારિત્રપદમાં વસ્ત્ર–પાત્રની વૃત્તિ જ ન હોય.
(૬૨) પોતે વિચાર કરીને સમજવું; આ બીજાને માટે વાત નથી, પણ પવિત્રદશા વધતાં કેવા કેવા પ્રકારના
રાગ ટળી જાય છે અને કેવા કેવા નિમિત્તો છૂટી જાય છે તેની વાત છે; તેની પ્રતીત કરતાં પોતાને રાગરહિત
સ્વભાવની શ્રદ્ધા થાય છે. આ કોઈ સંપ્રદાયની પક્કડની વાત નથી પણ રાગ રહિત પવિત્ર આત્મપદ કેવાં હોય તેની
પ્રતીત કરવાની વાત છે. મુમુક્ષુઓએ આ સમજવાની જરૂર છે.
(૬૩) મહાપુરુષના આચરણને હીનરૂપ બતાવે તે શાસ્ત્ર યથાર્થ નથી. દ્રૌપદી સમાન પવિત્ર સતિને પાંચ
પતિ માનવા તે મહાવિરુદ્ધ માન્યતા છે. ધર્માત્મા મહાસતિ દ્રૌપદી જેને જેઠ તો પિતાતુલ્ય છે અને દિયર તો દીકરા
તુલ્ય છે તેવા પવિત્ર સતિને જે ગ્રંથકાર પાંચ પતિ મનાવે તે મિથ્યાદ્રષ્ટિ છે. દિયર પોતાની ભોજાઈને જનેતા તુલ્ય
માને છે તેને બદલે તેને પતિ ઠરાવે તે જૈનમાર્ગ નથી પણ લૌકિકમાર્ગ છે.
(૬૪) આત્માના સ્વભાવના ભાનસહિત કેવી કેવી દશા હોય તેની પ્રતીતની આ વાત છે; રાગ રહિત
પવિત્રદશાનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તેણે રાગરહિત આત્માને જ જાણ્યો નથી–એમ અહીં બતાવવું છે. જેને
રાગ રહિત સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રતીત થઈ તેને રાગરહિત આત્માની જ પ્રતીત છે અને રાગરહિત પવિત્ર
પદમાં પણ જે રાગ મનાવે તેણે આત્માને જ રાગવાળો માન્યો છે, તે અન્યમતિ છે.
(૬પ) ઉપર પ્રમાણે જેને વિપરીત માન્યતા છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે. જેને વિપરીત માન્યતા નથી અને
રાગરહિત આત્મ સ્વભાવની પ્રતીત થઈ છે તે જીવોએ ‘પોતાને સમ્યગ્દર્શનની પ્રતીત ન થાય’ એમ માનવું નહિ.
સ્વાનુભવ વડે પ્રતીત ન થઈ હોય અને સંદેહ હોય તો યથાર્થ નિર્ણય અને અભ્યાસ કરવો. સંદેહ હોવા છતાં પોતાને
સમ્યગ્દ્રષ્ટિ માની લેવો નહિ. સૌથી પહેલાં સમ્યગ્દર્શનને જ નક્કી કરવું કેમ કે આત્માના ધર્મનું મૂળ સમ્યગ્દર્શન જ છે.
યથાર્થપણે સાચા દેવ–ગુરુ–ધર્મને ઓળખે તેને પોતાના આત્માની પ્રતીત થયા વગર રહે જ નહિ–એવી શૈલિની વાત
છે. જ્યાં સુધી સંદેહ હોય ત્યાં સુધી સત્સમાગમે યથાર્થ અભ્યાસ કરીને નિર્ણય કરવો; પરંતુ આત્માની ખબર ન પડે
માટે આપણે વ્રત કરવા–એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. તેથી ધર્મને માટે સૌથી પહેલાં સમ્યગ્દર્શનનો જ મુખ્ય
ઉપદેશ છે.
(૬૬) સમ્યગ્દર્શનને નિશ્ચય તત્ત્વાર્થ શ્રદ્ધાન પણ કહેવાય છે એમ પૂર્વે (અષ્ટપાહુડ પા. ૮માં) કહ્યું હતું,
નિશ્ચયતત્ત્વાર્થ શ્રદ્ધાન એટલે શુદ્ધ આત્માની વિકલ્પરહિત શ્રદ્ધા, એ પોતે સમ્યગ્દર્શન છે, તેમાં વિકલ્પ નથી. અહીં
હવે વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શનના બાહ્ય ચિહ્ન તરીકે વર્ણવે છે. જ્ઞાન અપેક્ષાએ નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા
તે સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે. બાહ્ય ચિહ્ન કહેતાં આત્માથી પર દ્રવ્યો ન સમજવા, પણ જે જ્ઞાન ગુણ છે તે શ્રદ્ધા
ગુણથી બીજો ગુણ છે તેથી તેને બાહ્ય ચિહ્ન કહેલ છે; તે વડે સમ્યગ્દર્શનનો નિર્ણય થઈ શકે છે. જ્યાં સમ્યગ્દર્શન હોય
ત્યાં તેની સાથે રહેલું સમ્યગ્જ્ઞાન નવ તત્ત્વોને યથાર્થપણે જાણે છે. વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાન પણ ક્યારે કહેવાય? કે
પુણ્યને પુણ્ય માને પણ પુણ્યને ધર્મ ન માને, જડની ક્રિયાનો કર્તા ચેતનને ન માને–તો વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાન છે, તે
તો સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે. ખરેખર જે નવતત્ત્વની શ્રદ્ધા છે તે વ્યવહાર સમ્યગ્દર્શન છે અને નવના વિકલ્પ
છોડીને એક શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. અહીં વ્યવહાર સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન
કહેલ છે. વ્યવહાર સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાય નથી પણ જ્ઞાનગુણની પર્યાય છે, તેમાં ભેદથી આત્માની પ્રતીત
હોવાથી તે સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે અને જ્યારે અભેદ સ્વભાવ તરફ ઢળીને પ્રતીત કરે ત્યારે નિશ્ચય સમ્યગ્દર્શન
છે, તે શ્રદ્ધાગુણની જ પર્યાય છે.
(વૈશાખ વદ ૧)
(૬૭) આ બીજી ગાથામાં કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, તે સમ્યગ્દર્શનનું વર્ણન ચાલે છે.
સમ્યગ્દર્શનને અન્યગુણ વડે ઓળખાવવું તે વ્યવહાર છે. પ્રથમ સમ્યગ્દર્શનના બાહ્ય ચિહ્ન તરીકે જ્ઞાનને વર્ણવ્યું;
સ્વાનુભૂતિરૂપ જે જ્ઞાન છે તે રાગરહિત છે, તે સ્વાનુભૂતિ સાથે સમ્યગ્દર્શન અવશ્ય હોય જ છે. સમ્યગ્દર્શન પોતે તો
શુદ્ધપ્રતીતિરૂપછે અને તેની સાથે રહેલી અનુભૂતિ તે જ્ઞાનની પર્યાય છે. આ રીતે શ્રદ્ધા અને જ્ઞાન ગુણ જુદા

PDF/HTML Page 20 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩૯ઃ
હોવા છતાં જ્ઞાન લક્ષણ વડે શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ને ઓળખાવવું તે વ્યવહાર છે. આ રીતે જ્ઞાન લક્ષણને શ્રદ્ધાના
બાહ્ય ચિહ્ન તરીકે વર્ણવ્યું.
(૬૮) આત્મા છે કે નહિ? જો આત્માના હોવાપણામાં શંકા હોય તો પ્રથમ તેનો નિર્ણય કર, અને તેના
સ્વરૂપને બરાબર ઓળખીને તેની યથાર્થ પ્રતીતિ કર. આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે તેને પ્રતીતમાં લેવો તે જ
સમ્યગ્દર્શન છે અને તે જ આત્માની બધી નિર્મળ–દશાઓનું મૂળ છે.
(૬૯) સમ્યગ્દર્શન એવી ચીજ છે કે જો જીવ એક સેકંડ માત્ર તે પ્રગટાવે તો તેના ભવનો નાશ થાય.
સમ્યગ્દર્શન એ કોઈ વાડાની કે કલ્પનાની ચીજ નથી, પણ એ તો સ્વભાવની ચીજ છે. પરિપૂર્ણ આત્મસ્વભાવની
એક સમય માત્ર પ્રતીત કરતાં અનંત જન્મમરણનો નાશ થઈ જાય છે. અનંત સંસારના અભાવનું મૂળ કારણ
સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન સનાતન જૈનદર્શન સિવાય ક્યાંય નથી. જૈનદર્શનમાં પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને
માનવા માત્રથી આ સમ્યગ્દર્શન થતું નથી. પણ સર્વજ્ઞદેવે જેવો જાણ્યો અને કહ્યો તેવા પોતાના પરિપૂર્ણ સ્વાધીન
નિરપેક્ષ સ્વભાવની પ્રતીતિનો સત્કાર તે જ સમ્યગ્દર્શન છે. સત્સ્વભાવના સ્વીકાર વિના માનવ ભવ પૂરો કરીને
અનંત સંસારમાં રખડશે. મિથ્યાદ્રષ્ટિ સદાય દુર્ગતિમાં જ પડયો છે. ચારે ગતિ દુર્ગતિ જ છે, સ્વર્ગમાં હોય તોપણ
મિથ્યાદ્રષ્ટિ દુર્ગતિમાં જ પડયો છે. દ્રવ્યથી સ્વતંત્ર, ગુણથી સ્વતંત્ર અને પર્યાયથી પણ સ્વતંત્ર એવા સ્વભાવની
પ્રતીતિ તે જ જૈનધર્મનું મૂળ છે. સ્વતંત્ર કહ્યું એટલે પરની અપેક્ષા વગરનું, પરની અપેક્ષા ન લ્યો તો એકલું દ્રવ્ય
પોતે પોતાથી સમસ્તપ્રકારે પરિપૂર્ણ જ છે–એવા સ્વભાવનો શ્રદ્ધામાં સ્વીકાર કરવો તે જ સમ્યગ્દર્શન ધર્મ છે.
(૭૦) આવું સમ્યગ્દર્શન થતાં અંતરંગમાં અનંતાનુબંધી કષાયનો અભાવ થાય છે તે પ્રશમ છે. પ્રશમ તે
સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે. ‘પ્રશમ’ તે ચારિત્રની પર્યાય છે, તેના વડે સમ્યગ્દર્શનને ઓળખાવવું તે વ્યવહાર છે.
પહેલાં જ્ઞાનગુણવડે સમ્યગ્દર્શનને ઓળખાવવાનો વ્યવહાર કહ્યો હતો, અહીં ચારિત્રગુણવડે ઓળખાવવાનો વ્યવહાર
કહે છે.
(૭૧) પ્રશ્નઃ– પ્રશમ કોને કહે છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન થતાં અનંત સંસારનું કારણ જે અનંતાનુબંધી કષાય તેનો અભાવ થાય છે, તે પ્રશમનું
અંતર લક્ષણ છે અને પ્રશમનું બાહ્ય ચિહ્ન એ છે કે, પવિત્ર જૈનદર્શન સિવાય અન્ય કોઈ પણ મત કે જે બધા
એકાંતરૂપ મિથ્યા છે તેની માન્યતા ન કરે, તેને સત્ય ન માને, તેનો આદર ન કરે. જે અન્ય એકાંત મતોને સત્ય માને
છે કે તેની પ્રશંસા કરે છે તેને અનંતાનુબંધી કષાયનો સદ્ભાવ છે, તેને પ્રશમ નથી; તે મિથ્યાદ્રષ્ટિ છે.
યથાર્થ જિનમતની રુચિ હોય અને અન્ય કોઈપણ મતને સાચો ન માને તે પ્રશમનું લક્ષણ છે. બાહ્યવેશમાં
ધર્મ માનવો, કોઈ લીંગને ધર્મનું કારણ માનવું તથા તેનું અભિમાન કરવું તે અનંતાનુબંધી કષાય છે, નગ્ન લીંગને
પણ ધર્મનું ખરું કારણ માને તો તે પણ અનંતાનુબંધી કષાય છે; તે કષાય જેને ન હોય તેને પ્રશમ છે. આ પ્રશમ
ઉપરથી સમ્યગ્દર્શનનો નિર્ણય થઈ શકે છે, આ પ્રશમ તે ચારિત્રગુણની પર્યાય છે તેથી તે સમ્યગ્દર્શનનું બાહ્ય
ચિહ્ન છે.
(૭૨) આત્માનું યથાર્થ સ્વરૂપ જિજ્ઞાસુઓએ પ્રથમ નક્કી કરવું જોઈએ. આત્મા વસ્તુ છે કે નહિ? જો છે તો
તેનું યથાર્થ સ્વરૂપ શું છે? ‘છે’ તેનું જેવું સ્વરૂપ છે તેવી પ્રતીત તે જ સમ્યગ્દર્શન છે. પરિપૂર્ણ સ્વભાવને જેમ છે તેમ
માનવો તે જ પરિપૂર્ણદશા થવાનું મૂળ છે.
(૭૩) સત્ સમજવાનો યત્ન કરવો તે સત્નો માર્ગ છે, સમજવા માટે સત્સમાગમ કરે તેનાથી કાંઈ
નુકશાન નથી પરંતુ સત્સમાગમ કરતાં ‘સત્ નિમિત્તને લીધે મને લાભ થાય’ એમ જો માને તો તે પણ મિથ્યાત્વ છે.
સ્વાધીન સ્વભાવના લક્ષે સત્સમાગમ કરવો તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
(અષ્ટપાહુડ પા. ૧૨ વૈશાખ વદ ૨)
(૭૪) સમ્યગ્દર્શનના નિઃશંક્તિ અંગની વ્યાખ્યા ચાલે છે. આત્મસ્વભાવની પ્રતીત વડે સમ્યગ્દર્શન થતાં તે
જ સમયે કેવળજ્ઞાનની પ્રતીત થાય છે. સમ્યગ્દર્શન પૂરા દ્રવ્યને સ્વીકારે છે, પૂરા દ્રવ્યના સ્વીકારમાં પૂર્ણ પર્યાયની
પ્રતીત પણ ભેગી જ છે. બધી પર્યાયોના પિંડરૂપ દ્રવ્યની પ્રતીત કરતું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જો સમ્યગ્દર્શન પ્રગટ
થતાં તે જ વખતે કેવળજ્ઞાનની પ્રતીત ન થાય તો પછી ક્યારે થાય? દ્રવ્યની પ્રતીતથી જ સમ્યગ્દર્શન થાય છે અને
દ્રવ્યની પ્રતીત ભેગી જ કેવળજ્ઞાનની પ્રતીત છે.
(૭પ) કોઈ એમ કહે કે, આત્માના પૂરા સ્વભાવની પ્રતીત થઈ, પણ કેવળજ્ઞાનની પ્રતીત નથી થઈ. તો
એમ