Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૪
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ: ૧ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ફાગણ
અંક: ૪ ના હૃદયોદ્ગાર. તા. ૨–૨–૧૯૪૪ ૨૦૦૦
૧ કિંચિત્ માત્ર આજ સુધી ૫રને [જીવ કે જડને]
લાભ કે નુકસાન તે કર્યું જ નથી.
૨ આજ સુધી કોઈએ [જડ કે જીવે] કિંચિત્ માત્ર
તને લાભ કે નુકસાન કર્યું જ નથી.
૩ આજ સુધી તેં સતત્ તારા માટે એકલો
નુકસાનનો જ ધંધો કર્યો છે. અને સાચી
સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ.
૪ તે નુકસાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે.
તારી વસ્તુમાં નથી થયું.
૫ તારી ચૈતન્ય વસ્તુ ધુ્રવ–અવિનાશી છે માટે તે
ધુ્રવ સ્વભાવ તરફ લક્ષ (દ્રષ્ટિ) દેતો શુદ્ધતા
પ્રગટે, નુકસાન ટળે–અટળ લાભનો ધંધો થાય.
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
જૈનધર્મ
ગતાંકથી ચાલુ
તારીખ ૭ મી ડિસેમ્બર ૧૯૪૩ થી તા. ૧૨ સુધી રાજકોટ મુકામે રામકૃષ્ણ આશ્રમ તરફથી બધા ધર્મોની
પરિષદ્ ભરવામાં આવેલી હતી, તેમાં જૈન ધર્મ ઉપરના વિચારો દર્શાવવા શ્રી. રામજી માણેકચંદ દોશીને
આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે તેઓએ જે વ્યાખ્યાન આપેલું તે અહીં રજુ કરવામાં આવેલ છે.
લેખક:– રામજી માણેકચંદ દોશી
સ્ત્ર દ્ધિ
જૈન શાસ્ત્રોમાં કથન બે પ્રકારે છે. એક વાસ્તવિક (પરમાર્થ, ખરેખરી, નિશ્ચય) દ્રષ્ટિએ; બીજું ભંગ–
ભેદ, નિમિત્ત વગેરે અવસ્થા દ્રષ્ટિએ; જ્યાં વ્યવહાર દ્રષ્ટિએ કથન કર્યું હોય ત્યાં તેનો શબ્દે–શબ્દ અર્થ કરવામાં
આવે તો ખોટો છે. દા. ત. ‘ઈંગ્લાંડ જર્મની સામે લડે છે.’ આવું કથન લોકોમાં પ્રસિદ્ધ છે, પણ તેનો અર્થ શબ્દ
પ્રમાણે કરવામાં આવે તો તે અસત્યાર્થ છે, માટે તેનો પરમાર્થ શું છે તે સમજી પરમાર્થ અર્થ કરે તો ખરો છે;
નહીં તો અર્થ ખોટો છે, અને ખોટાને ખરો માનવામાં આવે તો અનાદિની ભ્રમણા ઊભી રહે; અને વ્યવહાર
વચનો જ જાણે નિશ્ચયનાં વચનો છે એવો શાસ્ત્રનો અર્થ કરી તે ભ્રમણાને પોષે તો પોતાને શાસ્ત્રનો અભ્યાસ
છે એવો ગર્વ આવ્યા વગર રહે નહીં. જૈન શાસ્ત્રનો અર્થ કેવી રીતે કરવો તેની રીત શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં
પાને–૨૫૬ માં આપવામાં આવી છે અને તે નીચે મુજબ છે.
“જિન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનય (વાસ્તવિક દ્રષ્ટિ) ની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો
‘સત્યાર્થ એમ જ છે.’ એમ જાણવું; તથા કોઈ ઠેકાણે વ્યવહાર નય [વ્યવહારદ્રષ્ટિ] ની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે.’ એમ જાણવું; અને એ પ્રમાણે
જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે
પણ છે, અને આ પ્રમાણે પણ છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.”
એ પદ્ધતિએ યથાર્થ અર્થ કરવો, અને ખરેખર સ્વરૂપ શું છે તે જાણવું અને વ્યવહાર એટલે કે વિકાર,
ભેદભંગ, નિમિત્ત, અવસ્થા, બાહ્ય વગેરે જે જેમ છે તેમ તે રૂપે જાણવા; અને એ રીતે જાણી પછી વ્યવહાર
ઉપરનું લક્ષ છોડી નિશ્ચય ઉપર લક્ષ આપવું અને તેવું લક્ષ આપતાં શુદ્ધ અવસ્થા પ્રગટે છે; જ્યારે ભેદ–ભંગ,
વિકાર, નિમિત્ત વગેરે ઉપર લક્ષ દેતાં વિકારી અવસ્થા પ્રગટે છે; નિમિત્તથી લાભ–નુકસાન માનવામાં આવે તો
પ્રતીતિ (દ્રષ્ટિ) નો દોષ આવે છે, અને નિમિત્ત છે જ નહીં એમ જે જાણે તે જ્ઞાનનો દોષ છે; માટે દર્શન અને
જ્ઞાન બન્ને દોષ રહિત હોવાં જોઈએ, એટલે કે તે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનરૂપ હોવા જોઈએ; એમ હોય ત્યારે જ
જીવનું ત્રિકાળી ટકતું ધુ્રવ સ્વરૂપ છે તે ઉપર લક્ષ (વલણ) રહ્યા કરે છે, અને તેથી સમ્યક્ ચારિત્ર પ્રગટે છે. જૈન
શાસ્ત્રોમાં જીવ, તેની વિકારી અવસ્થા, અવિકારી અવસ્થા, કર્મોની સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ અજીવ
વગેરે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કર્યું છે. જૈન તે કર્મવાદી દર્શન નથી પણ આત્મવાદી દર્શન છે.
જૈન દર્શની અનાદિતા.
વર્તમાન જેટલા ક્ષેત્રે જઈ શકાય છે તેટલું જ મનુષ્ય ક્ષેત્ર નથી, એટલે તમામ મનુષ્ય ક્ષેત્રને લક્ષમાં
રાખતાં વિશ્વમાં જેમ અજ્ઞાનતા અનાદિની છે તેમ સાચું જ્ઞાન પણ અનાદિથી છે–જો ‘જ્ઞાન’ આ જગતમાં ન
હોય તો આ જગતમાં ‘અજ્ઞાન’ પણ ન હોય; અને સમ્યગ્જ્ઞાન કહો કે જૈન ધર્મ કહો, બન્ને એક જ છે અને તેથી
જૈનધર્મ અનાદિથી છે, અને અનંતકાળ સુધી રહેશે. મનુષ્ય ક્ષેત્રના અમુક કાળે તે ન હોય તે બને, પણ સર્વ
મનુષ્ય ક્ષેત્રે અને સર્વ કાળે અજ્ઞાન હોય તેમ બને નહીં; જો તેમ બને તો ‘અજ્ઞાન છે’ એમ નક્કી કોણે કર્યું?
સમ્યગ્જ્ઞાન જ સત્યજ્ઞાન અને અજ્ઞાનને નક્કી કરે છે. અમુક મનુષ્ય ક્ષેત્રે કેટલોક વખત સમ્યગ્જ્ઞાન ન હોય તેમ
બને, પણ તે ક્ષેત્રે વળી અમુક વખતે એક જીવ પોતાની ઉન્નતિ સાધતો સાધતો તેવો મનુષ્ય ક્ષેત્રમાં જન્મે અને
ત્યાં પોતાની ઉન્નતિ પૂરી કરી કેવળ જ્ઞાન પ્રગટે, તે વખતે તે

PDF/HTML Page 4 of 21
single page version

background image
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ: ૧ ફાગણ
અંક: ૪ ૨૦૦૦
અશુભ ભાવથી બચવા માટે તો શુભનું અવલંબન
બરાબર છે, પણ તે શુભભાવ વડે ધર્મ ત્રણ કાળ ત્રણ
લોકમાં થાય નહિ, અહીં તો માન્યતાને બદલાવવાનો
ઉપદેશ છે. ધર્મ તો આત્માનો અવિકારી સ્વભાવ છે, તે
સ્વભાવને ગુરુગમથી જાણી, સાચી સમજણનો અભ્યાસ
કરી, ખોટી માન્યતા છોડી, વિકારનો કર્તા નથી, પુણ્યના
શુભ વિકલ્પ મારા સ્વભાવમાં નથી તેમ જ તે મારું કર્તવ્ય
પણ નથી, એમ માનીને તથા નિર્મળ પર્યાયના ભેદનું લક્ષ
ગૌણ કરી, અખંડ જ્ઞાયક ધુ્રવ સ્વભાવને શ્રદ્ધાના લક્ષમાં
લેવો તે શુદ્ધનયનો વિષય છે, અને તેનું ફળ મોક્ષ છે.
શુદ્ધનયનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આ વાત
શ્રાવક અને મુનિ થયા પહેલાંંની છે.
હું આત્મા તો અખંડ જ્ઞાયક જ છું. પરનો સ્વામી કે
કર્તા ભોક્તા નથી, શુભ કે અશુભ વિકાર માત્ર કરવા જેવો
નથી, એવું સ્વભાવનું અપૂર્વ ભાન ગૃહસ્થ દશામાં પણ
થઈ શકે છે. મોટો રાજા હોય કે સામાન્ય માણસ હોય, સ્ત્રી
હોય કે પુરુષ હોય, વૃદ્ધ હોય કે આઠ વર્ષનું બાળક હોય
પણ બધાય પોતપોતાના સ્વભાવે સ્વતંત્ર પૂર્ણ પ્રભુ છે,
તેથી અંદરમાં સ્વભાવનું ભાન બધા કરી શકે છે.
જ્યાં સુધી જીવ વ્યવહાર–મગ્ન છે, અને બાહ્ય
સાધનથી ધર્મ માને છે, ક્રિયા કાંડની બાહ્ય પ્રવૃત્તિથી ગુણ
માને છે ત્યાં વીધી પરથી જુદો અવિકારી અખંડ જ્ઞાયક
આત્મા નિરાવલંબી છે, એવું પૂર્ણ શુદ્ધ આત્માના
જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ તેને થઈ શકતું નથી.
આ વાતનું ખાસ શ્રવણ–મનન કરવું જોઈએ, અને
પરમાર્થ નિર્મળ વસ્તુનું નિરંતર બહુમાન થવું જોઈએ.
જાતની દરકાર, ધગશ, પુરુષાર્થ વિના અપૂર્વ ફળ આવે
નહીં.
[ગાથા. ૧૧]
માન્યતા બદલો

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
‘મારો આત્મ સ્વભાવ કે ગુણ મને કોઈ બીજા આપી દે અથવા બીજો મદ કરે તો ઉઘડે’
એવી માન્યતા તેજ બંધન અને તે જ પરાધીનતા છે
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ કાનજી સ્વામીના માગશર વદ ૧૪ રવિાર તા. ૨૬ – ૧૨ – ૪૩
ના વ્યાખ્યાન ઉપરથી
બંધન એટલે શું? કે જે ભાવે આત્માની સ્વાધીનતા હણાઈ જાય–પરાધીનતા થાય તેવા ભાવને બંધન
કહે છે. આત્મામાં જે પરાધીન ભાવ તે જ આત્માને નુકસાનનું કારણ છે. આત્મા અનાદિ અનંત જ્ઞાન મૂર્તિ છે,
તેને જાણ્યા વિના કોઈપણ જાતના પુણ્ય–પાપના ભાવ થાય તે બધા આત્માને બંધન કર્તા છે. આત્માના ગુણને
નુકસાન કર્તા છે.
જીવે અનંત કાળથી સંસારની વાતો સાંભળી છે, પણ આત્માનું સ્વરૂપ શું અને આત્માને બંધન શું, તે
વાત કદી જાણી નથી. અજ્ઞાનીને તો સંસારનું બંધન–દુઃખ જ લાગતું નથી.
શરીરના પરમાણુઓ આદિ વસ્તુઓ છે તેમ આત્મા પણ એક વસ્તુ છે; શરીર મૂળ વસ્તુ નથી પણ તે
ઘણા પરમાણુઓનો જથ્થો છે. ઝીણી માટી છે. પરમાણુની હાલત બદલાય પણ તે પરમાણુંપણે તો કાયમ રહે.
શરીર તે આત્મા નથી–પણ શરીરમાં રહેલો શરીરથી જુદો એક આત્મા છે. આત્મા વસ્તુ છે–જગતની અનાદિ
અનંત ચીજ છે, તેમાં અનંત ગુણો છે; જાણવું–માનવું આદિ આત્માના ગુણો છે. એવા આત્માનું સ્વરૂપ ન જાણે
અને ‘હું શરીર, પુણ્ય–પાપ મારાં, પુણ્યથી મને ધર્મ થાય’ એવો ભાવ તે બંધન કર્તા છે, તે આત્માના ગુણની
શક્તિને હણે છે.
આત્મા એક વસ્તુ છે, શરીર આદિ તેનાથી પર [જુદા] છે; માતાના ઉદરમાં આવ્યો ત્યારે સાથે લાવ્યો
ન હતો, તે પિંડ તો માતાના ઉદરમાં જડ–રજકણોનો બંધાયો હતો.
આત્મા જ્ઞાનસ્વભાવી છે; કોઈ વસ્તુ ગુણ વગરની હોય નહીં, જો વસ્તુમાં ગુણ ન હોય તો ઓળખાય
કઈ રીતે? આત્માને કયા ગુણ વડે ઓળખવો? જ્ઞાન ગુણ વડે આત્મા ઓળખાય છે. આત્મામાં જ્ઞાનાદિ અનંત
ગુણો છે. હું જાણવાવાળો શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા છું એવું પોતાનું સ્વરૂપ ભૂલી જઈને ‘પુણ્ય પાપ તે હું.
શરીરાદિ તે હું’ એમ માનવું તે જ અજ્ઞાન છે–બંધનું કારણ છે.
આત્મા શું ચીજ છે? કે જાણનારો જ્યોત અખંડ જ્ઞાન સ્વભાવી છે; જાણવું એ જ તેનું સ્વરૂપ છે; તે
પોતાના જાણનાર [જ્ઞાયક] સ્વભાવ તરફ ન વળતાં ‘મારો આત્મ સ્વભાવ કે ગુણ મને કોઈ બીજા આપી દે
અથવા બીજો મદદ કરે તો ઉઘડે’ એવી માન્યતા તે જ બંધન અને તે જ પરાધીનતા છે. કોઈ શ્રાપ કે આશીર્વાદ
આપે તો મારું ભલું ભુંડું થાય એમ જે પરથી ભલુ બુરું માની રહ્યો છે તે આત્માના સ્વતંત્ર સ્વભાવની હિંસા
કરી રહ્યો છે, તેને આત્માની સ્વતંત્રતાનો ભરોસો નથી; જો ભરોસો હોય તો ખ્યાલ હોવો જોઈએ કે ‘હું અનાદિ
અનંત સ્વતંત્ર વસ્તુ છું,’ પરાધીનતા મારામાં નથી.’
પ્રશ્ન:– તો આત્મામાં બંધન કેમ થાય છે?
ઉત્તર:– કારણ કે–પોતાના વસ્તુ સ્વભાવની ખબર નથી. તેથી પરથી લાભ માને છે એટલે કે મારામાં તો
શક્તિ છે જ નહીં એમ માને છે. તે જ પરાધીન ભાવ છે અને તે જ આત્માના ધર્મ સ્વભાવને અધર્મરૂપ એટલે
બંધનરૂપ કરી નાંખે છે.
પ્રશ્ન:– બંધન કોને કહેવું?
ઉત્તર:– આત્માના ગુણને જે ભાવ રોકે તે બંધન છે. જે ભાવે આત્માના ગુણની શક્તિ રોકાય તે બંધન
ભાવ છે. આત્મા એક પદાર્થ છે, કોઈ વસ્તુ ગુણ વગર ન હોય. આત્માનો સ્વભાવ–આત્માના ગુણ આત્માને
વિષે જ છે; કોઈ પરથી આત્માના ગુણ નથી. જો આત્માના ગુણ કોઈ પરથી થાય તો આત્મામાં ગુણ નથી એમ
ઠરે અને જો ગુણ ન જ હોય તો કોઈ કારણે પ્રગટ થાય નહીં, અને જો છે તો કોઈ પરની મદદની જરૂર રહે નહીં.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૪૯ :
જીવને આ સંસાર નવો નથી; અનાદિથી પરાધીન માન્યતાથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે, કદી શુદ્ધ
થયો નથી, જો એકવાર પણ આત્મા શુદ્ધ થાય તો ફરી કદી સંસાર [અશુદ્ધતા] ન થાય. [જેમ માખણનું ઘી
થયા પછી ફરીથી ઘીનું માખણ ન થાય તેમ.] પણ માન્યતાની ભૂલ અનાદિની છે; પુણ્ય પાપ બન્ને વિભાવથી
ઉત્પન્ન થયેલા છે. સ્વભાવ નથી. જો સ્વભાવના હોય તો કદી નાશ થાય નહીં. જે પરની ચીજ છે તેને સ્વભાવની
માનવી તે જ અનંતા જન્મમરણનું કારણ છે.
આત્મા પોતે જ પરમાત્મા છે. આત્મા અને પરમાત્મામાં ફેર એટલોજ છે કે–પરમાત્માએ પોતાનું
અવિકારી સ્વરૂપ પ્રગટ કર્યું છે, અને આ આત્માએ વિકારને પોતાનો માન્યો છે, જ્યારે વિકાર રહિત સ્વરૂપ
માની તે પ્રગટ કરે ત્યારે આત્મા પોતે જ પરમાત્મા કહેવાય છે. પણ પોતાના વિકાર રહિત સ્વરૂપને માને નહીં
અને પરાધીન ભાવને પોતાનો માને અને કહે કે– ‘સ્વતંત્ર થવું છે.’ તો સ્વતંત્ર વસ્તુને જાણ્યા વગર સ્વતંત્ર
ક્યાંથી થશે? જેમ છે તેમ આત્માને નહીં માને તો બીજે ક્યાંક વસ્તુ તો માનશે ને? સ્વભાવની ખબર નથી
તેથી પુણ્ય–પાપ જેટલો હું પુણ્ય–પાપ તે હું, એમ માનશે! પણ જ્યાં સુધી પુણ્ય–પાપને પોતાનું સ્વરૂપ માને છે,
તેનાથી મદદ માને છે ત્યાં સુધી બંધન છે; અને પુણ્ય–પાપ તે મારું સ્વરૂપ નથી, પુણ્ય પણ મદદ કર્તા નથી એમ
પરાશ્રય રહિતની શ્રદ્ધા તે જ બંધનથી છૂટવાનો ઉપાય છે.
જ્યાં ગુણ હોય ત્યાં જ તેની ઊંધી અવસ્થા [વિકાર] હોઈ શકે, લાકડામાં ક્રોધ નથી કારણકે તેમાં ક્ષમા
ગુણ નથી. જ્યાં ક્ષમા ગુણ હોય ત્યાં તેની ઊંધાઈથી ક્રોધ થઈ શકે, જળમાં શીતળ ગુણ છે, તેથી તે અગ્નિના
નિમિત્તે ઉષ્ણ થાય છે, પણ ઉષ્ણતા તેનો વાસ્તવિક સ્વભાવ નથી. પણ શીતળતા ગુણનો વિકાર છે–ગુણની
ઊંધાઈ છે; આત્મામાં જે ક્રોધાદિ વિકારી ભાવ છે તે એમ સુચવે છે કે તેની પાછળ ક્ષમા વગેરે ગુણો ત્રિકાળ
પડ્યા છે. વિકારી ભાવ તે અવિકારી ગુણની ઊંધી સ્થિતિ છે; જેટલો વિકાર દેખાય તે ગુણની ઊંધી અવસ્થા છે.
શરીરાદિ પર છે એમ તો બધા બોલે છે. પણ ખરેખર તેમ માનતા નથી. આત્મામાં જે કાંઈ ક્રોધાદિ
વિકાર જણાય છે તે, જો આત્માનો અવિકારી સ્વભાવ ન હોય તો વિકાર થાય ક્યાંથી? ક્ષમા ગુણ વગર ક્રોધ
થાય નહીં. જે ક્રોધાદિ વિકાર જણાય છે તે આત્માના સ્વભાવનો ગુણ નથી પણ ક્ષમા ગુણની ઊંધાઈ છે. ગુણની
ઊંધાઈ કે પરથી લાભ માને તે જ બંધન છે, પુણ્ય–પાપના બધા વિકારી ભાવો આત્માના અવિકારી ગુણની
ઊંધાઈથી થાય છે. તે ઊંધા ભાવથી
[પુણ્ય–પાપથી] આત્માને લાભ માનવો તે બંધન છે; બંધન એટલે
પરાધીનતા, દુઃખ; લોકો પણ કહે છે કે:–
‘પરાધીનતા સ્વપ્નેય સુખ નહીં.’
તેનો અર્થ લોકો નોકરી વગેરેની પરાધીનતા માને છે; પણ તે વ્યાખ્યા સાચી (યથાર્થ) નથી સ્થુળ છે.
આત્મા ત્રિકાળ શુદ્ધ નિર્દોષ વીતરાગ સ્વરૂપે છે તેવો ન માનતાં શરીર આદિ તથા રાગ–દ્વેષવાળો માનવો તે જ
ખરેખર તો પરાધીનતા છે, અને તેમાં સ્વપ્ને પણ સુખ નથી. સંસારના લાભમાં (ધન, સ્ત્રી આદિ તથા
પુણ્યમાં) લીન થઈ જાય, પણ તેના સરવાળે લાભમાં મીંડા અને પાપના ઢગલા છે. પુણ્ય–પાપનો બંધન ભાવ
અને તે રહિત સ્વાધીન સ્વભાવની વહેંચણી કરતાં ન આવડે ત્યાં સુધી સુખની ગંધ સ્વપ્ને પણ નથી.
અનાદિથી પુણ્ય–પાપના વિકારી ભાવને તથા શરીર, મન, વાણીને પોતાના માનીને બંધન ભાવ ઊભો
કર્યો છે. સ્વતંત્રતત્ત્વમાં પરાશ્રયે સુખ, બુદ્ધિ તે જ સ્વાધીનતાનું ખૂન છે; સમ્યક્જ્ઞાન વગર સવળો ભાવ
સમજાય નહીં અને બંધન ટળે નહીં. પોતે જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપી છે તેને ભૂલીને જેટલો પરનો આધાર માને તે
બધું બંધન છે–દુઃખ છે.
તત્ત્વ સમજવા માટે શરૂઆતમાં બ્રહ્મચર્યનો રંગ જોઈએ શ્રીમદે કહ્યું છે કે:–
‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.’
આત્મામાં પાત્રતા ન આવે તો પાત્રતા વગર વસ્તુ શી રીતે

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
ટકે? માટે પ્રથમ અસંયોગી તત્ત્વની રુચિ–શ્રદ્ધા કરવા માટે પાત્રતા (લાયકાત) જોઈએ.. પુણ્ય–પાપથી આત્માનું
કલ્યાણ નથી એવી પ્રતીતિ–શ્રદ્ધા થયા વગર ત્રણકાળમાં કોઈની મુક્તિ નથી ઉપર કહ્યું કે.......... ‘પાત્ર થવા
સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.’ આમાં સિદ્ધાંત શું છે? કે આત્મા સિવાય પર તરફના વિષય (સંયોગી ભાવ)
માં જે તીવ્ર આસક્તિ વડે સુખ માની રહ્યા છે તેને જુદું તત્ત્વ અસંયોગી સ્વભાવ ખ્યાલમાં આવશે નહીં.
‘અબ્રહ્મ’ એટલે પર સંયોગના કારણે આત્મામાં જે ભાવ થાય તે સંયોગી ભાવને પોતાનું સ્વરૂપ માનવું તે.
આમાં બે વાત આવી (૧) શરીરાદિ બધા પર છે, અને (૨) પુણ્ય–પાપના ભાવ પણ પર છે; કારણ કે જ્યાં
સુધી પર ઉપર લક્ષ કરી તેમાં પોતાપણું માને છે ત્યાંસુધી પુણ્ય–પાપના ભાવ થાય છે પણ તે સ્વભાવમાં નથી
તેથી ટાળી શકાય છે; જો તે પુણ્ય–પાપના ભાવ સ્વભાવમાં હોત તો કદી તે ટાળીને મુક્ત થઈ શકાત નહીં.
અસંયોગી સ્વભાવ સમજાશે નહીં.
આત્મા પરથી તદ્ન નિરાળી ચીજ, તેમાં કર્મના [પર વસ્તુના] નિમિત્તે આત્મા પોતે ઊંધો પડીને જે
ભાવ કરે તે સ્વભાવ ભાવ નથી. સંયોગી–વિકારી ભાવ છે; તે રહિત અસંયોગીની શ્રદ્ધા માટે પ્રથમ બ્રહ્મચર્યનો
રંગ જોઈએ; તેથી જેને અબ્રહ્મચર્ય વર્તે છે એટલે કે પર વસ્તુમાં જેને સુખ બુદ્ધિ માની છે તેને પરથી નિરાળા
શુદ્ધ આત્માની શ્રદ્ધા થવાની પાત્રતા નથી.
અહીં પાત્ર થવા માટે ‘બ્રહ્મચર્યનો રંગ’ જોઈએ એમ કહ્યું છે, એટલે કાંઈ બધા જ્ઞાનીઓને જ્ઞાન થતાં
તુરત પરનો બધો સંગ છૂટી જતો નથી. પણ પર પદાર્થમાં જે તીવ્ર આસક્તિ તે અંતરમાં નથી. મારુ સુખ આત્મા
સિવાય કોઈ પરમાં–સ્વર્ગમાં કે રાજપદમાં ક્યાંય નથી, એવી પ્રતીતિ પછી રાગ–દ્વેષની અલ્પ અસ્થિરતા હોય
પણ સંયોગમાં સુખ બુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાનીને તો ઊંડે ઊંડે પર સંયોગમાં સુખની તીવ્ર આસકિત પડી છે,
પુણ્યની મીઠાશ છે; તેને આત્મા શુદ્ધ ચૈતન્ય પરથી નીરાળો છે, તેની શ્રદ્ધાની પાત્રતા નથી.
આત્મા સિવાય પર પદાર્થનું સંયોગી સુખ તે સાચું સુખ નથી, માત્ર પોતાની ખોટી કલ્પના છે. જે સુખ
ભગવાન આત્મામાં ત્રિકાળ પૂર્ણ ભર્યું છે તે ન માને અને પરમાં [જ્યાં કદી પણ સુખ નથી ત્યાં] સુખ માને છે
તેણે પોતાને નમાલી ચીજ માની છે; આત્માની શ્રદ્ધા નથી તેથી પરમાં સુખ માની બેઠો છે, પણ અસંયોગી
આત્માની શ્રદ્ધા વગર સાચું હોય જ નહીં.
“આત્મા પરથી જુદો નિર્દોષ નિર્લેપ તત્ત્વ છે. તથા સ્વતંત્ર ‘પોતાના ગુણે જીવનારો’ છે, પુણ્ય–પાપથી
આત્માને લાભ નથી.” એવી યથાર્થ માન્યતા વગર ત્યાગી થઈને મરી જાય તો પણ લાભ ન થાય, અને સમજી
જાય કે તરત જ ત્યાગી થઈ જાય એમ બધા માટે બનતું નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા પછી પણ
પૂર્વના પુણ્યના યોગે (જ્ઞાની પણ) ચક્રવર્તી રાજ્યમાં હોય; ભરત, શ્રેણિક ઋષભદેવ ભગવાન વગેરે સ્વરૂપના
ભાનસહિત ચક્રવર્તી–છ ખંડના ધણી અગર રાજાઓ હતા. સંસારમાં હોવા છતાં અને અમુક રાગ–દ્વેષ
(પુરુષાર્થની નબળાઈને લીધે) હોવા છતાં ‘આ મારું સ્વરૂપ નથી, હું ચિદાનંદ નિર્વિકારી પૂર્ણ શુદ્ધ છું.’ એવું
શુદ્ધ દ્રષ્ટિનું ભાન હતું. ભાન વગર કોઈ હજારો રાણીઓ તથા રાજપાટ છોડીને ત્યાગી (બાહ્યમાં) થઈ જાય તો
પણ ધર્મ ન થાય. પુણ્ય–પાપ રહિત સ્વરૂપની સ્વતંત્ર ઓળખાણ વગર તે બધું ‘એકડા વગરના મીંડા’ છે.
જ્ઞાનીઓ સંસારમાં રાજપાટ સ્ત્રી આદિના સંયોગમાં રહ્યા છતાં તે બધાને રોગરૂપ માને છે. સ્વરૂપનું જોર છે કે
મારા સ્વભાવનું સુખ મારામાં જ છે, આ બધા (પરસંયોગભાવ) સ્વતંત્રતાનું ખૂન કરનાર છે.
– : આમંત્રણ : –
પૂજ્ય સદ્ગુરુ દેવ શ્રી કાનજીસ્વામી રાજકોટથી ફાગણ સુદ ૪ રવિવાર તા. ૨૭–
૨–૪૪ ના રોજ વિશાર કરવાના છે. તે પ્રસંગે તથા ફાગણ સુદ ૨ તા. ૨૫–૨–૪૪ના
રોજ શ્રી ભગવાન સીમંધર પ્રભુના સનાતન જૈન મંદિરનો વાર્ષિક મહોત્સવ રાજકોટ
મુકામે ઉજવવાનો છે માટે સર્વે મુમુક્ષુ ભાઈ બહેનોને તે પ્રસંગનો લાભ લેવા વિનંતિ છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૧ :
આ ઉપરથી નક્કી થાય છે કે ‘જે સમજે તે બધાં છોડીને ચાલ્યા જ જાય અથવા જે છોડે તે બધા સમજુ
જ હોય એવો કોઈ સિદ્ધાંત નથી; એટલે બહારથી જોવાનું નથી, પણ અંદરમાં આસકિત કેટલી છે તે ઉપર માપ
છે. જ્ઞાની અજ્ઞાની બન્નેની બહારની ક્રિયા સરખી દેખાય, પણ અંદર આસકિત ભાવમાં ઘણો ફેર છે. બિલાડી
તેનાં બચ્ચાને મોઢેથી પકડે છે અને ઊંદરને પણ મોઢેથી જ પકડે છે છતાં બચ્ચાં ઉપર વહાલ છે અને ઊંદરને
મારી નાંખવા માટે પકડ્યો છે, એમ બાહ્યમાં સરખું હોવા છતાં અંદર “પક્કડ પક્કડ મેં ફેર હૈ.”
મારું સ્વરૂપ સ્વતંત્ર છે; કોઈ પણ પર મને લાભ કે નુકસાન કરવા ત્રણકાળ ત્રણલોકમાં સમર્થ નથી,
એવી તત્ત્વબુદ્ધિ જેને પ્રગટી છે એવા જ્ઞાનીઓ અને જે પરથી લાભ નુકસાન માની રહ્યા છે એવા અજ્ઞાની
વચ્ચેનો આંતરો મુમુક્ષુને જણાયા વગર રહેશે નહીં. સગી માતા અને ધાવ માતા બન્ને પુત્રનું પાલન સરખી
રીતે કરે છતાં અંતરમાં આંતરા છે, એકને તેમાં ઉપર ખરો પ્રેમ છે જ્યારે બીજી પૈસા માટે કરે છે, તે સમજે છે કે
“આ છોકરો મારો નથી; કમાઈને મને આપવાનો નથી.” તેમ જ્ઞાની એટલે ધર્મ બુદ્ધિવાળાને ‘આ શરીરાદિ
મારા ઘરની ચીજ નથી; તેમ જ આ પુણ્ય–પાપના કોઈ પણ ભાવ મારા સ્વભાવથી આવતા નથી માટે મારા
નથી.’ એમ અંતર દ્રષ્ટિમાં જ્ઞાનીને પરનો નકાર વર્તે છે; અને અજ્ઞાની પરના સંયોગમાં લાભ–નુકસાન માની
રહ્યો છે. એટલે પરને પોતાનું માની રહ્યો છે. બન્નેની દ્રષ્ટિમાં મોટું અંતર છે........ કહ્યું છે કે:– ‘
बालः
पश्यतिलिंगम्’ જોવાની દ્રષ્ટિમાં ફેર છે.
• • • વસ્ શ્વ સ્ • • •
વસ્તુ અકૃત છે અર્થાત્ કોઈએ બનાવી નથી. વસ્તુ સ્વયંસિદ્ધ છે અર્થાત્ અનાદિ
અનંત છે. વસ્તુનો સ્વભાવ વસ્તુથી અભિન્ન છે. વસ્તુ અનાદિ અનંત હોવાથી વસ્તુનો
સ્વભાવ જે ધર્મ તે પણ અનાદિ અનંત છે. ‘
वत्थुसहावो धम्मो’ =વસ્તુનો સ્વભાવ તે
ધર્મ છે. સ્વભાવ તે વસ્તુનો ધર્મ હોવાથી ધર્મ કોઈએ નવો શોધ્યો નથી, અનાદિથી જ
ચાલ્યો આવે છે. અનાદિથી ચાલ્યા આવતા ધર્મનો સત્પુરુષોએ પ્રકાશ પાડયો છે
અર્થાત્ ધર્મને સમજાવ્યો છે–કર્યો નથી. વિચાર દ્વારા કોઈએ ઉપજાવી કાઢ્યો નથી, પણ
જેમ છે તેમ સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વારા જણાયો છે.
વસ્તુનો સ્વભાવ (એટલે કે ગુણ) કાયમ એકરૂપ રહેતો હોવાથી ત્રણકાળ
ત્રણેલોકમાં ધર્મ તે એકરૂપ જ રહે, બદલે નહિ. ગુણની અવસ્થા સમયે સમયે બદલે છે.
વસ્તુ ટકીને બદલતી હોવાથી અખંડ એકરૂપ વસ્તુ પ્રત્યે લક્ષ જાય તો શુદ્ધતા પ્રગટે છે,
અવસ્થા પ્રત્યે લક્ષ જાય તો અશુદ્ધતા પ્રગટે છે. વસ્તુ અને તેનો ધર્મ અભિન્ન હોવાથી
(શુદ્ધતા રૂપી) ધર્મ અંતરમાંથી પ્રગટે છે. બહારથી આવતો નથી (શક્તિરૂપે) છે તે
વ્યક્ત થાય છે. ધર્મ પ્રગટવા માટે માત્ર અંદરના સ્વભાવની પ્રતીતિ અને પ્રતીતિ
પ્રમાણે સ્વરૂપસ્થિરતાની જ જરૂર છે.

૧–તદ્ન અજ્ઞાની માત્ર વેષને જ જુએ છે.
૨–બીજા નંબરના અજ્ઞાની બાહ્ય પ્રવૃત્તિ
[ક્રિયા] ને જુએ છે, અને
૩–જ્ઞાની તો તેની અંદર બુદ્ધિ શું છે તથા સ્વ–પરનો વિવેક કેવો છે? એમ તેના અંતરના ભાવને જુએ
છે. ખરેખર, અંતરથી જ જ્ઞાનીનું માપ છે; જ્ઞાન થયા પછી દ્રષ્ટિમાં પરનું ધણીપણું જ ઉઠી જાય. આત્મા સ્વાધીન
વસ્તુ છે, તેમાં દ્રષ્ટિની ઊંધાઈથી જ બંધન થાય છે. પ્રશ્ન:– ઊંધી માન્યતાનું લક્ષણ શું? ઉત્તર:– એક આત્મા
સિવાય કોઈપણ પર ચીજ મને લાભ નુકસાન કરે એમ માન્યું તે જ પરને પોતાનું માનવારૂપ ઊંધી માન્યતા છે;
તેમાં બે તત્ત્વોને એક માને છે. એક તત્ત્વને બીજી ચીજથી લાભ–નુકસાન માને છે, તેને અસંયોગી તત્ત્વની ખબર
નથી. જ્યાં સુધી સંયોગોમાં મીઠાશ વર્તે છે ત્યાં સુધી અસંયોગી આત્માના સ્વતંત્ર સુખ સ્વભાવની વાત બેસતી
નથી, તેથી પ્રથમ ‘પાત્ર થવા સેવો સદા, બ્રહ્યમચર્ય મતિમાન.’ એમ શ્રીમદે કહ્યું છે.
એકલા (ભાનવગર) શિયળ તરફનું વલણ તે શુભભાવ છે;

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
એવું ભાન વગરનું બ્રહ્મચર્ય તો જીવે અનંતવાર પાળ્‌યું, તેથી અહીં એકલું બ્રહ્મચર્ય નથી કહ્યું પણ સાથે ‘મતિમાન’
શબ્દ વાપર્યો છે. મતિ વગર–પરથી નિરાળા આત્માની શ્રદ્ધા વગર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયક સુધી જઈ
આવ્યો, પણ સાથે ‘કાંઈક પરની મદદ’ એવી ઊંધી માન્યતાને કારણે ચોરાશીના જન્મ–મરણ એકે ટળ્‌યા નહીં.
તેથી અહીં પરથી નિરાળા સ્વરૂપના ભાન સહિત બ્રહ્મચર્ય પાળે તે મતિમાન છે. વળી તેમણે જ કહ્યું છે કે:–
‘જે નવ વાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાઈ;
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વ વચન એ ભાઈ!’
આમાં પણ ‘વિશુદ્ધ’ શબ્દ મૂક્યો છે; વિશુદ્ધ એટલે ચૈતન્ય આત્મા પરથી નિરાળો જ્ઞાતા–દ્રષ્ટા તેના ભાન
સહિત જે નવ કોટીએ (મન=વચન કાયાએ વિષય સેવવો નહીં, મન, વચન, કાયાએ સેવરાવવો નહીં અને
મન–વચન–કાયાએ કોઈ સેવતો હોય તે પ્રત્યે અનુભોદવું નહીં એ નવ પ્રકારે) બ્રહ્મચર્ય પાળે તે ‘નવવાડ
વિશુદ્ધથી’ છે. એવું શિયળ જે સેવે તેને ભવ રહે નહીં. અગર ‘લવ’ રહે એટલે એકાદ ભવ રહે. પ્રથમ આ
પાત્રતાની જરૂર છે; આત્મા તો ત્રિકાળ આનંદમૂર્તિ જ છે, તેમાં પુણ્ય–પાપતો ક્ષણિક વિકાર છે. તેને સ્વભાવ
માને છે તે માન્યતા જ તત્ત્વને ઊંધુંં મનાવે છે–તે જ બંધનું કારણ છે.
પર પદાર્થ સાથે આત્માના બંધન ભાવને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. આત્મા જો પોતાના જ્ઞાન
સ્વભાવમાં રહે તો બંધન થતું જ નથી અને પરાશ્રયબુદ્ધિમાં બંધન થયા વગર રહેતું જ નથી. બંધન ભાવ
પરાશ્રયે થાય છે, તે આત્માને લાભ કરી શકે નહીં. શુભભાવથી સ્વર્ગ કે રાજ્યાદિનો કોઈ સંયોગ મળે તે
આત્માની ચીજ નથી; આત્માનું સુખ–શાંતિ તો અંદર જ ભર્યું છે, તેની રુચિ વગર–સાચી પ્રતીત વગર–સ્વલક્ષ
વગર તે પ્રગટ થાય નહીં–બંધન તૂટે નહીં. જેટલે દરજ્જે એક આત્મા પોતાના સુખ માટે પરનો ઓશિયાળો
માને તેટલે દરજ્જે બંધન છે.
પ્રથમ આત્મામાં અનંતગણો સ્વતંત્ર છે. તેને ન સમજાવે એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને માને ત્યાં સુધી
ખોટી શ્રદ્ધા ટળે નહીં, અને જ્યાં સુધી સત્દેવ–સદ્ગુરુના નિમિત્ત મળે નહીં ત્યાં સુધી સાચી શ્રદ્ધા થાય નહીં.
કોઈ દેવ–દેવી મને સંસારનો (ધન પુત્રાદિનો) કાંઈ પણ લાભ કરી દેશે એવી જેને માન્યતા છે તેને તો પુણ્યની
પણ શ્રદ્ધા નથી, એટલે મહાન ઊંધી દ્રષ્ટિ છે; જ્યાં જુઓ ત્યાં પૈસાની માંડી છે, પણ પૈસા ઉપર તથા પુણ્ય ઉપર
તો અહીં કોરડા પડે છે. પુણ્યના એક પણ કણીયાને ઈચ્છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને પુણ્યની રુચિ હોય
નહીં, એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ સ્વરૂપની શ્રદ્ધા હોય અને પુણ્યની રુચિ પણ હોય એમ બને નહીં.
છતાં જ્ઞાનીને પણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભભાવ હોય ખરા–પણ અંતરમાં રુચિ નથી. ‘તે પુણ્ય ભાવ
ટાળું ત્યારે જ વીતરાગતા થશે’ એમ જેને વિવેક નથી, શ્રદ્ધા નથી તેને જરાપણ ધર્મ પ્રગટ્યો કહેવાય નહીં.
સાચી શ્રદ્ધામાં સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રના નિમિત્તો આવે છે. તેમનું સ્વરૂપ:–
સત્દેવ:– જેને આત્માની ત્રિકાળ પરમાત્મ પૂર્ણ દશા પ્રગટ છે તે સત્દેવ.
સદ્ગુરુ:– જેને આત્માના ભાન સહિત નિગ્રંથ દશા વર્તે છે તે સદ્ગુરુ.
સત્શાસ્ત્ર:– એકેક આત્માની સ્વાધીનતા તથા અનંત ગુણોની પૂર્ણતાની જે શાસ્ત્રમાં પરુપણા હોય તે
સત્શાસ્ત્ર.
ધર્મ:– આત્માનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ માને, મારા આત્મામાં જ મારો લાભ છે, સત્દેવ–ગુરુ–શાસ્ત્ર
પણ પર ચીજ છે એવી પ્રતીતિ તે ધર્મ.
સાચી શ્રદ્ધા થયા પછી શું કરવું તેનો સંદેહ રહે નહીં, પરથી નિરાળો જ્ઞાતા, સહજાત્મ સ્વરૂપ પુણ્ય–પાપ
રહિત છું એવા ભાન સહિત આત્માની પ્રતીત તે સમ્યગ્દર્શન છે, તે પ્રગટ્યા પછી જ ક્રમે કરીને વીતરાગતા થાય.
છેવટ આચાર્ય દેવ કહે છે કે એક તત્ત્વને બીજું તત્ત્વ કાંઈ પણ લાભ કે નુકસાન કરી શકે એમ માનવું તે
જ પરાધીનતા છે, અને સ્વતંત્ર સ્વાધીન તત્ત્વની શ્રદ્ધા તે જ સુખનો ઉપાય છે.
દુર્લભ મનુષ્યપણું પામીને જે વિષયોમાં
રમે છે તે રાખને માટે રત્નને બાળે છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૩ :
બે મિત્રો
વચ્ચે ગંભીર સંવાદ
લેખક :– દોશી રામજીભાઈ માણેકચંદ
પહેલો મિત્ર:– આપણે આગળ સમ્યક્ તપ સંબંધે ચર્ચા કરી હતી ત્યારે નીચેના વિષયો તેમાં આવ્યા હતા:–
(૧) આપણી છતી શક્તિએ આહારાદિ આપણે છોડીએ તે સ્વવશે છોડયા કહેવાય કે કેમ?
(૨) અસ્તિ અને નાસ્તિનું સ્વરૂપ સમજ્યા વગર જીવનું સ્વરૂપ યથાર્થ સમજાય નહીં.
(૩) સમ્યગ્દ્રષ્ટિને જ યથાર્થ તપ હોય છે.
(૪) તત્ત્વની વાત પ્રતિપાદન થાય ત્યારે તેનો બધે પડખેથી વિચાર કરી નિર્ણય કરે તો જ
ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાય.
(પ) નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવો જોઈએ.
(૬) શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ જાણવી જોઈએ.
આ વિષયોમાંથી પહેલાં વિષય સંબંધી વધારે સ્પષ્ટતાની જરૂર છે, એમ મેં જણાવ્યું હતું.
મેં તે સંબંધે કેટલાક વિચારો કર્યા છે, તો પણ તમારી સાથે ચર્ચા થાય તો વિશેષ ચોખવટ થાય
એમ માનું છું; માટે તમે સંમત હો તો આપણે તે વિષય હાથ ધરીએ.
બીજો મિત્ર:– તમે આ બાબતમાં રસ લઈ વિચાર કરો છો માટે તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછો.
પહેલો મિત્ર:– આપણને રોટલા–પાણી બધું મળ્‌યું છે, અને આપણે રોટલા પાણી છતી શક્તિએ છોડીએ તો તે
સ્વવશે છોડયા કેમ ન કહેવાય?
બીજો મિત્ર:– તમે એમ કહેવા માગો છો કે આપણે આહાર લેવા ધારતા હોઈએ અને બીજું કોઈ અડચણ
નાંખે અને આહાર ન લઈ શકીએ તો પરવશે આહાર છોડ્યો કહેવાય; પણ આપણને આહારની
સગવડ હોય, શરીર સારું હોય અને આહાર એક દિવસ ન લેવાનો નિયમ લઈએ તો સ્વવશે
આહાર ન લીધો કહેવાય એ વાત બરાબર છે.
પહેલો મિત્ર:– હા. બરાબર હું તેમજ કહેવા માંગું છું, ચોવીશ કલાક આહાર નહીં લેવાનું નક્કી કરીએ, જૈનધર્મી
કુટુંબમાં જન્મ્યા હોઈએ, ધર્મ સ્થાને જઈ, ગુરુ પાસેથી બાધા લઈએ તો ઉપવાસ કર્યો કહેવાય
છે; અને તેને લોકો તપ અને નિર્જરા કહે છે. ઘણા ઉપવાસ કરનારને લોકો તપસ્વી કહે છે; તે
બધું સ્વવશે થતું હોવાથી નિર્જરા થાય એમ ઘણા માને છે.
મેં તે સંબંધમાં કોઈ વિચાર કરેલો નથી. હવે તે સંબંધે મનન કરી, હું નિર્ણય કરવા માંગું
છું માટે ‘સ્વવશે’ શું કહેવાય તે તમે જણાવો.
બીજો મિત્ર:– જુઓ ભાઈ, તમે કહો છો તેવા ઉપવાસો અને નિયમો તો દરેક સંપ્રદાયમાં થાય છે, પણ તેને
તો નિર્જરા ન થાય એમ તમે આગળ કહેતા હતા, તો પછી જૈન ધર્મી કુટુંબમાં આપણે જન્મ્યા
અને તેવા ઉપવાસ કરીએ તો તપ નિર્જરા થાય એમ માનવું એ ન્યાય વિરુદ્ધ છે.
પહેલો મિત્ર:– એ વાત બરાબર છે. એવી માન્યતા તો ન્યાય વિરુદ્ધ છે, માટે ખરું સ્વરૂપ જણાવો.
બીજો મિત્ર:– જુઓ ભાઈ! ‘સ્વવશ’ શબ્દ સ્વ+વશનો બનેલો છે. ‘સ્વ’ નો અર્થ પોતે છે, અને પોતે તે
આત્મા છે. માટે આત્માને પ્રથમ ઓળખે, તે જ પોતાને ‘વશ’ વર્તી શકે. તેથી સિદ્ધ થયું કે
આત્મજ્ઞાનીને જ સમ્યક્ તપ હોઈ શકે. આત્માને ઓળખે નહીં, ઓળખવાનો પ્રયત્ન કરે નહીં;
તેને સમ્યક્ ઉપવાસ કે તપ કેમ હોઈ શકે. આત્માને ઓળખતા ન હોય તેણે મંદ કષાયના હેતુથી
ઉપવાસ ન કરવો એમ અહીં કહેવાનો હેતુ નથી; તીવ્ર કષાય ને બદલે મંદ કષાય એ તો ઓછો
વિકાર છે, તેથી તેનો નિષેધ કરી તીવ્ર કષાય કરો અને ગૃદ્ધીપણું વધારો એમ કહેવાનો હેતુ હોઈ
શકે જ નહીં. આતો મંદ કષાયના ભાવને ધર્મ ન માનવો–એટલે ઊંધા અભિપ્રાયને–ઊંધી
માન્યતાને ફેરવી સાચી માન્યતા કરવા માટે આ કહેવાય છે.
પહેલો મિત્ર:– શુભભાવ છોડી પાપભાવ કરવાનું અગર તો ગૃધ્ધીપણું વધારી આહારમાં લીન થઈ અશુભમાં
જવાનું તમે કહો એ તો બને જ કેમ? તમે જે કહેશો તે ઉપર હું સુક્ષ્મતાથી મનન કરીશ એટલી
તમને ખાતરી આપું છું, વળી

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૫૪ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
તમો તો કહો છો કે આ વાત મેં કીધી માટે સાચી માનવી એ તો ગુલામી દશા કહેવાય, –અને હું તો
સ્વતંત્રતાનો ઉપાસક છું, માટે તમારી વાતની પૂરે પૂરી તુલના કરી, પરીક્ષા કરી સત્ય લાગે તો જ
હું ગ્રહણ કરીશ–નહીં તો ફરી પૂછીશ. (વિજ્ઞાનિક રીતે) ધર્મદ્રષ્ટિનો હું અભ્યાસી થવા માગું છું.
બીજો મિત્ર:– તમારી જિજ્ઞાસા અનુમોદનને પાત્ર છે. સંસારી કામ પરીક્ષા વગર કરવામાં આવતાં નથી, તો
પછી ધર્મના સિદ્ધાંતો–તુલના કર્યા વગર ગ્રહણ કરી લેવાં તે ડહાપણ તો નથી પણ ભગવાનની
આજ્ઞા વિરુદ્ધ છે. વખત ઘણો થયો છે, એટલે હવે ફરી મળીશું ત્યારે આ વિષય વિશેષ ચર્ચીશું–
(બંને મિત્રો જુદા પડયા)
પ્રસંગ બીજો (બન્ને મિત્રો ફરી મળે છે.)
પહેલો મિત્ર:– આપણો વિષય આજે આપણે આગળ ચલાવશું?
બીજો મિત્ર:– ભલે, મેં તમોને ‘સ્વવશ’ શબ્દનો અર્થ કહ્યો હતો અને જણાવ્યું હતું કે તેનો અર્થ પોતાના
આત્માને વશ એવો થાય છે. જે જીવ આત્માને જ ન ઓળખે તે સ્વવશ હોય જ ક્યાંથી? એ
દેખીતું છે કે જે પોતાના આત્માને ઓળખતો ન હોય તે મિથ્યા ભાવને વશ હોય જ. તેને
તત્ત્વની યથાર્થ ખબર નથી, તેથી મિથ્યા (ઊંધી) માન્યતા પોતાના સ્વરૂપની તેને હોય જ.
એટલે તેનું કોઈ કાર્ય ‘સ્વવશ’ છે જ નહીં. તેનું દરેક કાર્ય મિથ્યાભાવને વશ હોવાથી તે
‘પરવશ’ છે. ઊંધી માન્યતાને વશ થવું તે જ મોટામાં મોટું ‘પરવશ’ પણું છે. આ સ્વરૂપ ન
સમજાય ત્યાં સુધી ‘પરવશ’ પણું મટે નહીં, અને તેથી સમ્યક્ ઉપવાસ કે તપ થાય નહીં.
પહેલો મિત્ર:– ત્યારે પ્રશ્ન એ છે કે જે માણસ આત્માનું સ્વરૂપ યથાર્થ ન જાણતો હોય તે ઉપવાસ કરે તો તેનું
શું ફળ આવે?
બીજો મિત્ર:– ફળનો આધાર આત્માના–પરિણામ ઉપર છે, તેથી જો ઉપવાસ કરવામાં મંદકષાય હોય–
શુભભાવ હોય તો પુણ્ય બંધાય, અને અશુભભાવ હોય તો પાપ બંધાય. પણ એટલું લક્ષમાં
રાખવાનું છે કે પુણ્ય અને પાપ એવા જે ભેદ પડે છે તે બહારના સંયોગો ભવિષ્યમાં જીવને મળે
તેમાં ભેદ હોવાથી પડે છે, પણ આત્માનો નિજ ગુણ–દર્શન જ્ઞાન ચારિત્ર
[એટલે કે સાચી
માન્યતા, સાચા જ્ઞાન અને સાચી સ્થિરતા] તો શુભ અને અશુભ ભાવ બન્નેમાં હણાય છે.
પહેલો મિત્ર:– ઉપવાસ કરવામાં અશુભ ભાવ હોય ખરો?
બીજો મિત્ર:– હા. કોઈને હોય ખરો; જેમ કે એક માણસને ખબર પડી, કે ઉપવાસ કરનારાને લાણી આપવાની
છે, તેને એવો ભાવ આવ્યો કે આપણે ઉપવાસ કરીએ તો લાણી મળશે, અને ધર્મી પણ કહેવાશું.
એવા ભાવથી જે ઉપવાસ કરે તેને અશુભભાવ છે કે કેમ તે તમે જ કહો.
પહેલો મિત્ર:– બરાબર કેમકે તેણે તો લોભને પોષ્યો. ઉપવાસ ધર્મ માટે નહીં, પણ પરિગ્રહ અને આબરૂ
વધારવા કર્યો, માટે તે અશુભ ભાવ છે. ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે એક દિવસ ઉપવાસ કર્યો તેથી
આહાર ન લીધો તેનું શું ફળ?
બીજો મિત્ર:– આહાર તો પર વસ્તુ છે. પર વસ્તુના સંયોગ કે વિયોગથી ધર્મ કે અધર્મ–લાભ કે નુકસાન કંઈ
થતું નથી. પોતાના પરિણામથી જ લાભ નુકસાન થાય છે.
પહેલો મિત્ર:– ભગવાને શ્રાવકને ચાર આવશ્યક ક્રિયા ‘દાન–શિયલ તપ અને ભાવ’ કહી છે, તો પછી તેનું કેમ?
બીજો મિત્ર:– ભગવાને શ્રાવક કોને કહ્યો છે, એ તમે જાણો છો?
પહેલો મિત્ર:– મેં તે સંબંધે કાંઈ નિર્ણય કર્યો નથી. પણ બીજાઓ પાસેથી સાંભળ્‌યું છે કે આપણે જૈન કુટુંબમાં
જન્મ્યા છીએ, ભગવાન મહાવીરને માનીએ છીએ જૈન સંઘમાં છઈએ અને ભગવાને કહ્યું તે
સત્ય એમ માનીએ છીએ તેથી શ્રાવક તો છઈએ.
બીજો મિત્ર:– જે તમે સાંભળ્‌યું છે. એવું મેં પણ નાનપણમાં ઉપદેશકો પાસેથી સાંભળ્‌યું હતું, પણ તે માન્યતા
ભૂલ ભરેલી છે એમ સુક્ષ્મ આત્મજ્ઞાની ઉપદેશકનો ઉપદેશ સાંભળતા મને જણાયું. લોકો તમે
કહો છો તેને શ્રાવક કહે છે એ ખરૂં, પણ વીતરાગ તો કહે છે કે, પોતાના આત્માના યથાર્થ
સ્વરૂપની સમજણ થઈ હોય અને તેવી સમજણ પૂર્વક પરાવલંબનનો રાગ ગૃહસ્થ અવસ્થામાં
યથાશક્તિ અંશે છોડે તે શ્રાવક કહેવાય. બીજાને નામ શ્રાવક કહેવામાં વાંધો નથી.
પહેલો મિત્ર:– પણ જૈન કુટુંબમાં જન્મ્યા તેનું શું?

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૫ :
બીજો મિત્ર:– કુટુંબને ધર્મ સાથે સંબંધ નથી. કુટુંબ તો પર વસ્તુઓનો સંયોગ છે, અને ધર્મ તો પોતાના
આત્માનો સ્વભાવ છે.
પહેલો મિત્ર:– પણ ભગવાન મહાવીરને અને તેમણે કહેલું તે સત્ય એમ માનીએ છીએ તેનું કેમ?
બીજો મિત્ર:– ભગવાન મહાવીરને તમે નામથી માનો છો કે તેના ગુણથી? જો તમે ગુણથી માનતા હો તો કહો
કે તેમને સમ્યક્દર્શન ગુણ કેવી રીતે પ્રગટ્યો હતો?
પહેલો મિત્ર:– એ તો હું નથી જાણતો–પણ તેમને કેવળજ્ઞાન હતું એમ જાણું છું.
બીજો મિત્ર:– કેવળજ્ઞાનના યથાર્થ સ્વરૂપની તમને ખબર હોય તો તે ટુંકામાં કહો.
પહેલો મિત્ર:– હું તો એ જાણતો નથી. ભગવાન કેવળ જ્ઞાની હતા એમ બધા કહે છે તેથી હું પણ કહું છું.
બીજો મિત્ર:– લોકોમાંથી કેવળજ્ઞાનનું સ્વરૂપ કેટલા જાણે છે, એ તમે નક્કી કર્યું છે, કે જેમ બીજાઓ કહે છે,
તેમ તમો કહો છો?
પહેલો મિત્ર:– મેં તે નક્કી કર્યું નથી; નક્કી કર્યા વગર બીજાઓના કહ્યા પ્રમાણે–કહેવું અને અર્થ ન સમજવો તે
તો દોષ છે એમ વિચારતા લાગે છે. તમે જે કહો છો તે પ્રમાણે તો હું ભગવાન મહાવીરના
સ્વરૂપને કે તેમણે કહેલા ધર્મના સ્વરૂપને જાણતો નથી; તેમના સ્વરૂપને ન જાણું ત્યાં સુધી હું
ખરો અનુયાયી ન કહેવાઉં. આજે આપણે સારી ચર્ચા થઈ મારે બીજું અત્યારે કામ છે માટે
આપણે છુટા પડીશું?
બીજો મિત્ર:– ખુશીથી, તમે કહેશો ત્યારે આપણે મળીશું. (બન્ને મિત્રો જુદા પડ્યા.)
(અનુસંધાન પાન ૧૩ નું ચાલુ)
ભોગ:– સંસારના ભોગનો ભોગવટો માન્યો તેણે આત્માને માન્યો જ નથી. એક સમયમાં રાગાદિ રહિત
પરિપૂર્ણ સ્વભાવને પ્રગટ પર્યાયમાં ભોગવવાનો સ્વભાવ છે; અજ્ઞાની જીવ પણ વિકાર ભાવને જ ભોગવે છે.
પરને કોઈ આત્મા ભોગવતો નથી. પોતાના સંપૂર્ણ સ્વભાવની પરિપૂર્ણ અવસ્થાને ભોગવવાનો સ્વભાવ છે
તેની પ્રતીત કર્યા વગર આત્માની પ્રતીત પણ કરી નથી.
પ્રથમ તો પરિપૂર્ણ આત્મા કહેવો કોને?
શું નાની–સુની કે ઊણી વસ્તુ તે આત્મા છે? આત્મા તો જ્ઞાન, દર્શન, વીર્ય આદિ અનંત ગુણોથી અખંડ
પરિપૂર્ણ છે; આવો સ્વભાવ માન્યો તેણે જ પરિપૂર્ણ આત્મા માન્યો છે. પરિપૂર્ણની માન્યતા વગર પરિપૂર્ણનો
પુરુષાર્થ ઉગશે જ નહીં.
એક સમયમાં પરિપૂર્ણ અવસ્થાનો ભોગવટો કરવાનો મારો સ્વભાવ છે; એકવાર ભોગવાય તે પર્યાય
અને વારંવાર ભોગવાય તે ગુણ. [ભોગ અને ઉપભોગ] જ્ઞાનાદિની ઊણી અવસ્થાથી રહિત છું, એમ એકલો
પરિપૂર્ણ સ્વભાવ ન માને ત્યાં સુધી આત્માને માન્યો નથી આવા પરિપૂર્ણ આત્મસ્વભાવનું ભાન થયા પછી
એક પણ વિકારનો પોતે કર્તા થાય નહીં. ઊણી ઊઘડેલી અવસ્થા જેટલો હું નહીં એવી માન્યતા પછી સ્વભાવની
સ્થિરતા સહિત આગળ વધે અને કષાયની ઓછપ થઈને વિશેષ સ્થિરતા થાય ત્યારે પાંચમી–શ્રાવકની ભૂમિકા
કહેવાય. ત્યાર પછી છઠ્ઠી ભૂમિકાએ નિર્ગં્રથ મુનિ દશા થઈ જાય. અસ્થિરતાનો ભાવ ઘણો ઘટી જાય; માતાએ
જન્મ્યા તેવા તદ્ન નિર્ગ્રંથમુનિ થઈ જાય (આ ભાન સહિતની વાત છે.) અને તત્ત્વજ્ઞાન પૂર્વક સ્વરૂપના જોરની
દ્રષ્ટિની એકાગ્રતામાં સ્થિરતા વધતાં શરીર ઉપરનું લક્ષ (વૃત્તિ) ઊઠી જાય, માત્ર આયુષ્ય બાકી છે અને શરીર
ટકવાનું છે તેથી આહારની વૃત્તિ રહી છે તે પણ સ્વરૂપ ચારિત્રના નભાવ માટે. ‘માત્ર સયંમના હેતુએ’ વર્તે છે.
ત્યાં (–છઠ્ઠા ગુણસથાને) સ્થિરતા થતાં ત્રણ કષાય ટળી ગયા છે, માત્ર શરીરના કારણે નિર્દોષ આહારની વૃત્તિ
છે તે સિવાય વસ્ત્ર માત્રની વૃત્તિ પણ ત્યાં હોઈ શકે નહીં. આ પ્રમાણે ભૂમિકા અનુસાર બાહ્ય નિમિત્તોનો ત્યાગ
હોય છે. એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. સમ્યગ્દર્શન વિના એટલે કે પરથી પરિપૂર્ણ નિરાળા સ્વરૂપના ભાન
વિના કોઈ શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં.
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ
આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
જેને હજી પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધા જ નથી તેને
પરિપુર્ણની રુચિ નથી અને રુચિ વગર વીર્ય નથી.

આત્મામાં બંધન પરપદાર્થના નિમિત્ત આધીન થતા ભાવથી થાય છે. સ્વાધીન સ્વભાવ ચૂકે અને આત્મા
સિવાય પરપદાર્થને આધીન ભાવ થાય તો આત્માના ગુણોની હીનતા થાય. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમાં પરની
જે રુચિ કે પ્રીતિ તે બંધનું કારણ છે. તે પરની રુચિ કેમ છૂટે અને નિર્મળ ભૂમિકા કેમ વધતી જાય, તથા કેવા
પ્રકારના સંયોગો છૂટતા જાય તે મુનિના દ્રષ્ટાંતથી સમજાવે છે.
શરીરથી જુદો આત્મા પુણ્ય પાપનો કર્તા નથી, એવું ભાન થયા પછી છઠ્ઠી ભૂમિકાની વાત છે. આત્મા
જ્ઞાતા જ છે, શુભાશુભ લાગણી તે ઉપાધી ભાવ છે–મારું કર્તવ્ય નથી, હું તો જ્ઞાને કરીને જ પરિપૂર્ણ છું એવો
નિર્ણય પ્રથમ કરવો જોઈએ. વસ્તુના સ્વભાવમાં પરિપૂર્ણતા જ છે. વર્તમાન ઊણપ દેખાય છે તે પરાધીન
ભાવથી દેખાય છે પરાધીન ભાવે તે વસ્તુનો સ્વભાવ નથી, તેથી વસ્તુમાં ઊણપ નથી. જેણે પરિપૂર્ણ
જ્ઞાનસ્વભાવ માન્યો તેણે રાગ–દ્વેષ પોતાના નથી એમ માન્યું.
આત્માનો સ્વભાવ જાણવું; જાણવામાં ત્રણકાળ ત્રણલોકનું ન જણાય અથવા તો અંદરના અનંત ગુણ
પ્રત્યક્ષ ન જણાય એવી જ્ઞાનની વર્તમાન અવસ્થામાં જે ઊણપ દેખાય છે તે ઊણપ સ્વભાવમાં નથી. આત્મા
જાણનાર છે; જેનો સ્વભાવ જાણવું તે આવતી કાલનું ન જાણી શકે એવો તેનો સ્વભાવ નથી. ‘ન જાણવું’ તે
સ્વભાવમાં જ નથી. વર્તમાન અવસ્થામાં જે જ્ઞાનની શક્તિ ઊણી દેખાય છે તે અવસ્થામાં વિકારને કારણેરાગ
દ્વેષ ભાવે જે જણાય તેને લઈને જ્ઞાન ઓછું જણાય છે. રાગ–દ્વેષ તે સ્વભાવ નથી, જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે
એમ જ્યારે નિર્ણય થાય ત્યારે આખો જ્ઞાન સ્વભાવ જાણ્યો કહેવાય.
જેનો સ્વભાવ જાણવું તેમાં ન જાણવું કે ઓછું જાણવું કેમ આવે? છતાં વિકારને કારણે વર્તમાન
અવસ્થામાં ઓછું જણાય છે. વિકાર તે જ્ઞાન સ્વભાવમાં ન હોય માટે વિકારનો નાશ કરીને પરિપૂર્ણ જ્ઞાન
સ્વભાવ પ્રગટ કરૂં તે હું; મારામાં વિકાર નહીં; પરિપૂર્ણ જ્ઞાન તે જ હું.
આત્મામાં ત્રણ કાળનું એક સમયે જાણવાની શક્તિ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. તેનો ત્રણકાળ
ત્રણલોકને અને આત્માના અનંત ગુણોને એક સમયમાં જાણવાનો સ્વભાવ છે. વર્તમાનમાં જે કાંઈ નથી જણાતું
તે વિકારને કારણે જ્ઞાનની ઊણી અવસ્થા છે, પણ ઊણી અવસ્થા તે હું નહિ, અને રાગાદિ હું નહીં, મારો જ્ઞાન
સ્વભાવ પરિપૂર્ણ છે. સ્વભાવમાં હદ, ઊણપ કે રાગ–દ્વેષ નહીં. જેણે જ્ઞાન પરિપૂર્ણ માન્યું તેણે ‘રાગ–દ્વેષ નથી’
એમ માન્યું અને જેણે રાગાદિરૂપે પોતાને માન્યો તેણે પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ માન્યો નથી.
જ્ઞાન:– નિમિત્ત આધીન વિકારને કારણે અધૂરૂં જ્ઞાન તે હું નહીં, પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ તે જ હું.
દર્શન:– દેખવાની પરિપૂર્ણ શક્તિ તે જ હું.
શ્રદ્ધા:– શ્રદ્ધા નામનો ગુણ આત્માને પરિપૂર્ણ જ માને છે. તેમ માનવું તે માનવાનો વિષય પરિપૂર્ણ અને
માન્યતા પણ પરિપૂર્ણ.
ચારિત્ર:– જે વર્તમાનમાં રાગાદિ ઓછા કરી શકે છે, તેનો ચારિત્રદ્વારા પૂર્ણ સ્થિરતા કરી વીતરાગ
થવાનો સ્વભાવ છે. રાગાદિ જે સ્થિરતામાં રોકે છે તે સ્વભાવ નથી.
આનંદ:– સંસારાદિ તથા સુખ દુઃખની કલ્પના તે વિકારી છે, તે હું નહીં, તે રહિત હું એકલો પરિપૂર્ણ છું
એવી પ્રતીતિ કરવી તે જ આત્માના પરિપૂર્ણ ગુણનો સ્વીકાર છે.
વીર્ય:– આત્મ બળથી પરિપૂર્ણ છું–જે આત્મબળે જ્ઞાનનો પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો
પરિપૂર્ણ આત્મસ્વભાવની શ્રદ્ધા અને પ્રતીત વગર પરિપૂર્ણનો
પુરુષાર્થ હોઈ શકે નહિ.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૭ :
શ્રી સમયસાર બંધ અધિકાર ગાથા ૨૮૭ ઉપર સદ્ગુરુદેવ
શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન તા. ૨૭–૧૨–૪૩

સ્વભાવ છે, તેમાં વર્તમાન જે ઉણપ દેખાય છે તે હું નહીં.
[વીર્ય આત્મબળ]
આ તો હજી પ્રથમ શ્રદ્ધા કરવાની વાત છે, પ્રથમ પરિપૂર્ણની શ્રદ્ધા વગર વીતરાગતા આવશે ક્યાંથી?
આત્માને યથાર્થપણે અનંત કાળથી માન્યો જ નથી; માત્ર વિકારી અવસ્થાને અને રાગાદિને માન્યાં, પણ
પરિપૂર્ણ સ્વરૂપને માન્યું નહીં. પરિપુર્ણ સ્વરૂપની શ્રદ્ધા પ્રગટ્યા વિના ધર્મની ગંધ પણ હોય શકે નહીં. અખંડ
પરિપૂર્ણની શ્રદ્ધા વગર વ્રત કે મહાવ્રત પણ સાચાં હોય નહીં.
દાન અને લાભ:– “એકેક સમયમાં મારી પરિપૂર્ણ શક્તિ છે તે પ્રગટ કરીને લાભ લઈ શકું એવો
સ્વભાવ છે; એક ક્ષણની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ બધા પરિપુર્ણ ગુણોનો લાભ લઈ શકું
અને મને દાન (એટલે મારા સ્વરૂપની પરિપુર્ણતાનું લેવું–દેવું) કરી શકું, અને એક ‘ક્ષણમાં જેવું દેવું એવું લેવું
કરી શકું છું.’ આમ માન્યું તેણે પરિપુર્ણ આત્માને માન્યો છે. જેને હજી પરિપુર્ણ સ્વભાવની શ્રદ્ધા જ નથી તેને
પરિપુર્ણની રુચિ નથી અને રુચિ વગર વીર્ય નથી. પરિપુર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા અને પ્રતીત વગર
પરિપુર્ણનો પુરુષાર્થ હોઈ શકે નહીં.” હું જ્ઞાનાદિ અનંત ગુણોએ પરિપુર્ણ છું, ઊણપ તે મારું સ્વરૂપ નથી. આમ
જ્યાં સુધી ખરેખરું સ્વરૂપ ન માને ત્યાં સુધી ધર્મની શરૂઆત પણ નથી.
એક સમયમાં સ્વરૂપદાન (અરાગી ભાવનું દાન) મને કરી શકું છું, રાગાદિ રહિત જે પુર્ણ સ્વભાવ તેને
એક સમયમાં પરિપુર્ણ પ્રગટ કરી શકું છું અને તે પુર્ણ પર્યાયને જીરવી શકવાની શક્તિ [વીર્ય, બળ] પણ મારી
જ છે, એમ માનવું તે જ આત્મદાન છે. થોડા ઘણા પૈસા ખરચે ત્યાં તો ઘણું દાન કર્યું. એમ પૈસા વગેરેથી લાભ
માને અને આત્મામાં પોતે પોતાને પરિપુર્ણ પર્યાયનું દાન આપે એવો રાગ–રહિત સ્વભાવ છે, તે પરિપુર્ણ
સ્વભાવને ન માને ત્યાં સુધી સમકિત નથી. તે વગર સાચાં વૃત–તપ કે ચારિત્ર હોય નહીં. પ્રથમ પરિપુર્ણની
શ્રદ્ધા જોઈએ પછી ક્રમે કરીને ચારિત્ર અને વીતરાગ થાય.
કોઈ પુછે કે આ પૈસા વગરનું દાન કઈ જાતનું?
તેનો ઉત્તર:– આ પોતાને સ્વરૂપનું દાન છે. પૈસા વગેરેનો રાગ મટયા વગર આ દાન થઈ શકશે નહીં.
નિર્મમત્ત્વ સ્વભાવની શ્રદ્ધા વગર ‘સ્વરૂપનું પુર્ણ દાન પર્યાયમાં લઈ શકું છું અને પુર્ણ શક્તિનું દાન આપી શકું
છું’ એવી પ્રતીતિ થાય નહીં............
પૈસા વગેરેથી આત્માને દાન અને લાભ માન્યા તેને આત્માનું ભાન નથી. આત્મામાં પુર્ણ દાન શક્તિ
ભરી છે, અને તે જ દાનનો લાભ પર્યાયમાં લેવાની મારી શક્તિ છે; પરિપુર્ણ સ્વભાવની પ્રાપ્તિ કરી લઊં એવો
દાન અને લાભનો એક ક્ષણમાં પરિપુર્ણ સ્વભાવ છે. જેણે ઊણો–અધૂરો સ્વભાવ માન્યો તેણે આત્માને જ
માન્યો નથી, અને આત્માને માન્યા વગર એક પણ નિર્મળ પર્યાય ઊઘડે નહીં.
કોઈ કહે–આવું દાન તો સારું પૈસા દેવાનું મટી ગયું, એટલે પૈસા પણ રહેશે અને દાન પણ થશે!
તેને કહે છે કે–ભાઈ રે! પૈસા વિગેરેનું મમત્ત્વ છૂટે તેને જ આ સ્વરૂપનું દાન પ્રગટે છે. પૈસા વિગેરેનો
રાગ રાખીને કદી અરાગી સ્વભાવ પ્રગટતો નથી; માટે તે મમત્ત્વ–રાગ રહિત પોતાનું સ્વરૂપ સંપુર્ણ અરાગી છે
તેની શ્રદ્ધા થતાં જે નિર્મળ પર્યાય ઉઘડે છે તે જ દાન છે, અને તે જ ખરો લાભ છે.
આ પ્રમાણે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય, દાન અને લાભ એ આઠ ગુણોની પરિપુર્ણતા કહી.
હવે ‘ભોગ–ઉપભોગ’ ગુણ કહે છે. [અનુસંધાન પાન ૧૧]

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
શાશ્વત સુખ જોઈતું હોય તેને જ્ઞાન કેવું હોય?
નિર્જરાનો અધિકાર ચાલે છે એટલે કે સાચું સુખ કેમ મળે અને સાચા સુખનો ઉપાય કરવાવાળાનાં જ્ઞાન
અને શ્રદ્ધા કેવાં હોય તથા જેને સંસારિક સુખ રુચતું હોય તેનાં જ્ઞાન અને માન્યતા કેવાં હોય? જેને સંસારનું–
ઈન્દ્રિયાદિનું સુખ રુચે છે તેને ચોરાશીના દુઃખ રુચે છે અને જેને સંસાર સુખની રુચિ નથી પણ સ્વભાવનું ખરું
શાશ્વત સુખ રુચે છે તેની ઓળખાણ અને જ્ઞાન કેવાં હોય તેનો પ્રથમ નિર્ણય જોઈએ. કારણ કે કયા સુખની
રુચિ છે તે જાણવું જોઈએ.
પુણ્ય ભાવની રુચિ ન હોય
અમારે સંસારનું સુખ જોઈતું નથી. અમે ખરું સુખ લેવા માટે ત્યાગી થયા છીએ એમ ઘણા માની બેઠા
છે. પણ ખરેખર સાચા સુખની રુચિ છે કે નહીં તેનું લક્ષણ સમજવું પડશે. જે ભાવે સંસારના સુખ મળે તે
ભાવની રુચિ પણ ખરા સુખના ઈચ્છનારને હોય નહીં. રાજ્યાદિ બધા સંસાર સુખના નિમિત્ત છે, તેની પણ
રુચિ હોય નહીં. જેણે જડમાં સુખ ન માન્યું હોય તેની માન્યતા કેવી હોય? કે જે પુણ્ય ભાવે સ્વર્ગાદિ તથા આ
સ્ત્રી, પૈસાદિ મળે છે તે પુણ્ય ભાવની પણ રુચિ ન હોય. જેને પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે.
જડમાં ક્યાંય સાચું સુખ નથી, બીજે ક્યાંય છે અને તે આત્મામાં જ છે. તેથી જેને સુખની પ્રીતિ છે તેને
આત્માની રુચિ થવી જોઈએ. પુદ્ગલમાં ક્યાંય આત્માનું સુખ નથી, માત્ર ઊંધી માન્યતાથી માન્યું છે. શરીર, મકાન,
સ્ત્રી, પૈસા વગેરેમાં સાચું સુખ નથી. આત્માનું સુખ પરમાં નથી જ. છતાં પરમાં માન્યું છે તે માન્યતાની ભૂલ છે;
તેને સાચી વાત સમજાણી નથી. જો સાચી વાત સમજાય તો સંસારની અનુકૂળતામાં પણ સુખ બુદ્ધિ થાય નહીં. જે
કારણથી સંસારની અનુકૂળતા મળે છે તે પુણ્ય છે. પાપભાવથી પ્રતિકૂળતા મળે અને પુણ્ય ભાવથી અનુકૂળતા મળે
તે સંસારની અનુકૂળતાની જેને રુચિ છે તેને પુણ્યની રુચિ છે, અને જેને પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે,
જેને આત્માના જ્ઞાન શ્રદ્ધાની રુચિ છે તેને આત્માની રુચિ છે, અને તેને જ ખરા સુખની રુચિ છે.
પ્રથમ તો પુણ્યની રુચિ છે કે આત્માની? તેનું જ્ઞાન કર્યા વગર નીવેડા આવશે નહીં. જો પુણ્યભાવની
રુચિ હોય તો સમજવું કે તેની જ્ઞાન અને શ્રદ્ધામાં ભૂલ છે. જેને આત્માની રુચિ હોય તેને પુણ્યની રુચિ ન હોય.
ધર્મીની રુચિ, જ્ઞાન અને શ્રદ્ધા કેવાં હોય!
હવે ધર્મીની રુચિ, જ્ઞાન અને શ્રદ્ધા કેવાં હોય તથા સંસારનું સુખ રુચે છે અર્થાત્ પુણ્યની રુચિ છે તેની
શ્રદ્ધા અને દ્રષ્ટિ કેવી હોય તે ચાર ગાથા દ્વારા કહેવાય છે:–

સાચું સુખ કેમ મળે અને સાચા સુખનો ઉપાય કરવાવાળાનાં જ્ઞાન અને શ્રદ્ધા કેવાં
હોય તથા જેને સંસારિક સુખ રુચતું હોય તેનાં જ્ઞાન અને માન્યતા કેવાં હોય?
જે ભાવે સંસારનાસુખ મળે તે ભાવની રુચિ
પણ ખરા સુખના ઈચ્છનારને હોય નહિ
શ્રી સમયસાર નિર્જરા અધિકાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ઉપર પરમ
પુજ્યસદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન તા. ૧૪–૨–૪૪
જયમ જગતમાં કો પુરુષ વૃત્તિ નિમિત્ત સેવે ભૂપને,
તો ભૂપ પણ સુખ જનક વિધવિધ ભોગ આપે પુરુષને;
।। ૨૨૪।।
ત્યમ જીવ પુરુષ પણ કર્મ– રજનું સુખઅરથ સેવન કરે,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને
।। ૨૨૫।।

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૯ :
વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહિ,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહિ;
।। ૨૨૬।।
સદ્રષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી.
।। ૨૨૭।।
દ્રષ્ટાંત:– આ જગતના વિષે કોઈ પુરુષ આજીવિકા અર્થે રાજાને સેવે છે, તેની દ્રષ્ટિ એવી છે કે, સારાં
ટાણાં આવશે, ત્યારે જમણવારમાં મિષ્ટ ભોજનના થાળ મળશે, તેથી તે રાજાનું સેવન કરે છે. તેથી તે રાજા પણ
તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. (પણ તે સારાં નથી એમ અહીં કહેવું છે.)
એવી રીતે તે પુરુષની જેમ જે કોઈ આત્મા પુણ્ય પાપને સુખબુદ્ધિથી સેવે છે અને ‘આમાંથી મને સુખ
મળશે’ એમ માને છે અર્થાત્ જેને પૌદ્ગલિક સુખની રુચિ છે તેને પુણ્યની રુચિ છે. અને પુણ્યની રુચિ વાળો
ત્યાગી થાય કે સાધુ થાય પણ ‘આ ક્રિયા રાગની છે કે રાગ વિનાની છે? દયાદિ તે શુભ રાગની છે. તથા
હિંસાદિ તીવ્ર–રાગની–પાપની છે, તે રાગની ક્રિયાથી આત્માને લાભ થાય નહિ’ એમ જેણે રાગરહિત આત્માની
શ્રદ્ધા–રુચિ નથી તે જે કાંઈ વ્રત, તપ, દાન, પૂજા, ભક્તિ આદિ કરે છે તેમાં મંદ કષાયથી જે પુણ્ય થાય તે પુણ્યને
તે સંસારના સુખને માટે સેવે છે. અર્થાત્ તેને પુણ્યની રુચિ છે. પણ પુણ્યનું ફળ–સંસાર સુખ ભોગવવાનો જે
ભાવ તે તો પાપ જ છે. પૌદ્ગલિક જડના નાશવાન ક્ષણિક સુખની રુચિ અર્થાત્ પુણ્ય ભાવની રુચિ છે તેને
જડની રુચિ છે, પુણ્ય–પાપ રહિત આત્માની રુચિ નથી.
ગોલાનું દ્રષ્ટાંત અને તેનો સિદ્ધાંત
જેમ ગોલો રાજાની સેવા કરે છે તેમાં તે નિસ્પૃહ નથી, પણ મિષ્ટાન્નના ભાણાંની રુચિ છે તેથી કરે છે,
એમ જેને પુણ્યની રુચિ છે તેને પુણ્ય–પાપ–રહિત જ્ઞાનમૂર્તિ આત્માની રુચિ નથી, કારણકે પુણ્ય–પાપની બધી
ક્રિયા આત્માને બંધન છે. જેને આત્માના પવિત્ર જ્ઞાનસ્વભાવનું ભાન નથી તે પુણ્યનો ભાવ તેમાં સુખ માનીને
કરે છે. જે ભાવે પુણ્ય બંધન થાય તે ભાવને સારો માને તો સમજવું કે તેને જડની રુચિ છે, આત્માની નથી.
જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે
પચાસ–પચાસ વર્ષ ખાધાં–પીધાં–ભોગ ભોગવ્યાં, પણ તેનાથી સુખ આવ્યું નહીં, સંસારના ભોગમાં
સુખ નથી એમ લોકો બોલે ખરા, પણ જો તે જડના સુખની રુચિ ખરેખર ટળી ગઈ હોય તો જે ભાવે તે
સંસારના સુખ સામગ્રી મલે છે એવા પુણ્ય ભાવની રુચિ પણ ટળવી જ જોઈએ, અને જે ભાવે તે રુચિ ટળે એ
ભાવ સેવવો જોઈએ. જે ‘સાધુ’ ‘કે ધર્મી’ એવું નામ માત્ર ધરાવે છે, પણ પુણ્ય–પાપ રહિત આત્માના
સ્વરૂપની ખબર નથી તેને પુણ્યની રુચિ રહે છે. અહીં પુણ્ય કરવાં છોડી દો એમ નથી કહેવું, પાપથી બચવા
પુરતા પુણ્ય બરાબર છે, પણ તેની રુચિ ન હોવી જોઈએ; જેને પુણ્યની રુચિ છે તેને જડમાં સુખ બુદ્ધિ છે
એટલે જડની રુચિ છે.
જડનાં સુખ ઈચ્છનારાનાં લક્ષણ.
જેને પાંચ ઈન્દ્રિયોનાં–જડનાં નાશવાન સુખ રુચે છે તેનું લક્ષણ શું?
આત્માનું સુખ જડમાં નથી. આત્મામાં જે શુભરાગ થાય તે જો રુચે તો સમજવું કે તેને સંસાર–સુખની
જડના સુખની રુચિ છે, પછી ભલે તે ત્યાગી કહેવાતો હોય કે મુનિ કહેવાતો હોય! અને જે ગૃહસ્થ દશામાં બેઠો
હોય છતાં ‘મારો સ્વભાવ પુણ્ય–પાપના વિકારી ભાવોથી રહિત અવિકારી છે’ એવા આત્મભાન સહિત જેને
પુણ્ય–પાપના ભાવની રુચિ નથી ત્યાં સમજવું કે તેને સંસાર સુખની પૌદ્ગલિક સુખની રુચિ નથી–ઈચ્છા નથી
અને આત્માની રુચિ છે.
ગોલા રાજાની સેવા કરે તેમાં તેને ‘રાજા કેમ રીઝે!’ તેની જ રુચિ છે, તેને નિસ્પૃહ રહેવાનો ભાવ જ
નથી, પ્રથમ જ રુચિ રાજાને રાજી કરવાની છે. એવી રીતે જીવને બાહ્યક્રિયા કરતાં જે રાગનો વિકલ્પ ઊઠે છે તેને
જે સારો માને છે તેને પ્રથમ જ સંસારિક સુખની ઈચ્છા છે, અને તેની રુચિ છે. જીવ જે પુણ્ય કે પાપના રાગ
ભાવ કરે છે તેમાં પાપ તો દુઃખનું કારણ છે જ તેની તો વાત

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
જ નથી તેની રુચિ તો એક બાજુ રહો (ન જ હોય) પણ જે શુભરાગની રુચિપૂર્વક કર્મરજને સેવે છે તો તે કર્મ
પણ તેને સુખ ઉત્પન્ન કરનાર ભોગો આપે છે; એટલે કે રાગની ક્રિયા કરતી વખતે શુભરાગની જેને રુચિ છે તે
શુભરાગના ફળમાં ભવિષ્યમાં તેને અનુકૂળ સામગ્રી મળશે અને તેને રાગની રુચિ છે, તેથી રાગમાં રંજિત થઈને
તે સામગ્રીઓને ભોગવશે અને પાપ બાંધી નરકાદિમાં જશે.
રાગની વ્યાખ્યા અને તેનું ફળ
આત્મા જ્ઞાનમૂર્તિમાં કાંઈ કરવા–મૂકવાનો ભાવ તે રાગ છે, તેમાં અશુભ રાગ તો છોડવા જેવો છે જ;
પણ ક્રિયા વખતે શુભરાગને જેને સારો માન્યો તેને ભવિષ્યમાં એવા પૌદ્ગલિક સંયોગો મળશે કે તે રાગથી
ભોગવી જાશે, નરકમાં! આ રીતે તેને (શુભ રાગની રુચિ વાળાને) નથી ધર્મ વર્તમાનમાં કે નથી ભવિષ્યમાં!
સાચા સુખના (પુણ્ય–પાપ રહિત) ઉપાયનો અને પૌદ્ગલિક સુખના ઉપાય (પુણ્ય) નો વિવેક પ્રથમ જ જોઈશે.
સાચા સુખના કામીને પુણ્યની રુચિ જ ન જોઈએ;–પુણ્ય–પાપ બન્ને રાગ જ છે. જેને રાગ કરતી વખતે
તેની રુચિ છે–તેમાં સુખ બુદ્ધિ છે, અને તેમાં ધર્મ માને છે; તથા શુભ ક્યાં થાય છે. અને ધર્મ ક્યાં થાય છે તેની
ખબર નથી તે પુણ્યમાં સુખ માન્યા વગર રહેશે નહીં.
જે પુરુષને જ્ઞાતા દ્રષ્ટાં સ્વરૂપ ભૂલીને ક્રિયાટાણે થતા શુભરાગની રુચિ છે, તેને ભવિષ્યમાં નાશવાન
એવા રાજ્યાદિ મેળવવાની રુચિ છે કે જેની પાછળ નરકાદિ છે. અહીં પુણ્ય છોડી દેવાની વાત નથી. પણ પુણ્ય
તરફ તારી રુચિ ન હોવી જોઈએ. રાગ વગર બાહ્ય ક્રિયા થાય નહીં. જો અંતરસ્વરૂપની રુચિ મૂકીને
બાહ્યક્રિયામાં થતા રાગની રુચિ કરી તો તેને પુદ્ગલની રુચિ છે, એમ સમજવું.
માખણ ચોપડનારનું દૃષ્ટાંત.
જેમ તે જ પુરુષ (ગોલો) આજીવિકા અર્થે રાજાને સેવતો નથી તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન
કરનારા ભોગો આપતો નથી. કારણકે ‘હા જી હા’ કરે અને માખણ ચોપડે તો રાજા પ્રસન્ન રહે છે. માખણ કેવી
રીતે ચોપડે તે ઉપર દૃષ્ટાંત કહે છે.
કોઈ એક વહીવટદાર હતો, તેણે એકવાર નોકરને કહ્યું કે ‘જા! પાંચ રૂપિયા ભાર ઘી લઈ આવ.’ નોકર
ગયો અને ઘી લઈને આવ્યો ત્યારે વહીવટદારે પૂછયું ‘કેટલું લાવ્યો?’ ઘી લાવનાર કહે ‘નવટાંક’ હવે
વહીવટદાર સાહેબને તો પાંચભાર અને નવટાંક એ સરખું જ છે એવું ભાન નહીં એટલે ખીજાઈને કહ્યું ‘મેં
પાંચભાર કહ્યું હતું ને નવટાંક કેમ લાવ્યો?’ ત્યારે પાસે બેઠેલો બીજો હજુરીયો (માખણ ચોપડવા વાળો) કહે
‘બરાબર સાહેબ, સાલાએ ભૂલ કરી’ ત્યારે ઘી લાવનાર પણ હા જી હા કરવાવાળો પોતાની ભૂલ નથી છતાં કહે
કે ‘હા સાહેબ, ભૂલ થઈ’ આમ માખણીયાની દ્રષ્ટિ રાજાને રાજી રાખવાની જ હોય છે.
સિદ્ધાંત
એમ અજ્ઞાની પુણ્ય ક્રિયા કરતાં તેના રાગની જો રુચિ કરે અને સારો માને તો તે રાગ રહિત સ્વભાવને
જાણતો નથી. રાગની રુચિમાં તેને સંસારિક જડપદાર્થો મલવાનાં, અને તે પણ રાગથી ભોગવી નરકાદિ ગતિમાં
ચાલ્યો જવાનો છે. ગોલ–ગોલીને ખબર નથી કે નિસ્પૃહપણે રહીશ તોય આપવું હશે તેટલું આપશે, રાજાને ખરૂં
કહેનાર પોસાય નહીં, અને માખણ નહીં ચોપડીએ તો કાંઈ મળશે નહીં એમ માન્યું છે. અહીં તો આચાર્ય દેવ કહે
છે કે હા–જી–હા કરવાવાળાને થાળ આદિ મળશે ખરા, પણ ખરી મૂડી નહિ મળે! એટલે કે આત્માની રુચિ
છોડીને જેને શુભરાગની રુચિ છે અને તેને સારું માને છે, તે જો કષાયમંદ કરશે તો પુણ્ય બાંધશે પણ આત્માનું
ખરું સુખ તેને મળશે નહીં.
ધર્મીને રાગની રુચિ નથી.
ધર્મીને પોતાના આત્મામાં જ સંતોષ વર્તે છે. નોકરીમાં ૫૦–૧૦૦ જે કાંઈ પગાર હોય તેટલો જ લે, તેમાં
કાંઈ વધારે મળે એ હેતુએ તે કોઈ દિવસ દગો કરો નહીં, તેમ ધર્મી જીવ જ્યારે જે ક્રિયા કરે છે ત્યારે તે વખતે જ
તેને શુભરાગની રુચિ નથી. સુખ બુદ્ધિએ તે કર્મ રજને સેવતો નથી, નબળાઈના કારણે ઉદાસ ભાવે શુભમાં
જોડાવા છતાં અંતરમાં તેની રુચિ નથી.
આત્માની જેને ખબર નથી તેને રાગની રુચિ છે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૬૧ :
કોઈ એમ કહે કે અમને સ્વર્ગાદિની રુચિ નથી, અને અમે રુચિવગર પુણ્ય કરીએ છીએ. તો જેને
આત્માની નિસ્પૃહતાની ખબર નથી–રુચિ નથી તેને રાગની રુચિ હોયા વગર રહે જ નહિ. અને જેને રાગની
રુચિ નથી તેને આત્માના જ્ઞાન ભાવની રુચિ છે એટલે તેને શુભરાગના ફળ એવાં ન આવે કે જે ભોગવતા ફરી
નવું બંધન થાય.
ટીકા:– જેમ કોઈ ફળ અર્થે રાજાને જેટલું માખણ ચોપડે (રીઝવે) તેટલું ફળ તેને રાજા આપે. એમ જે
જીવ શુભ ક્રિયાને પોતાની માને છે તેને રાગની રુચિનાં જ પરિણામ છે; હું શુદ્ધમાં રહી શકતો નથી એટલે આ
શુભ (અશુભથી બચવા પુરતું) કરવું પડે છે એમ અંતરમાં જ્ઞાનીને ભાન છે. અને કોઈ ભાન વિના ત્યાગી
થાય, ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યો જાય તો પણ તેને અંદરમાં પુણ્યની પક્કડ છે એટલે સંસાર સુખની રુચિ
છે. અંતરમાં જેને જ્ઞાતા–દષ્ટા પૂર્ણ નિર્મળ સ્વત: સ્વભાવી આત્માની રુચિ નથી તથા રાગના જુદાપણાની જેને
ખબર નથી તે ત્યાગી હોય કે ધર્મી નામ ધરાવતો હોય પણ તે કર્મને (રાગને) પોતાના તરીકે માની તેના
ફળની રુચિ કર્યા વગર રહેશે નહીં.
જેને આહારાદિની રુચિ છે–પરમાં સુખ બુદ્ધિ છે તેને એક ઠેકાણે કહ્યું છે કે:–
मुह मंगलिये उदराणु गीद्धे’ એટલે કે માખણીયાને ‘મુખ મંગલીયા’ કહ્યા છે અને પેટનાં ગૃદ્ધિ એટલે
કે સારા આહારાદિ માટે હા એ હા ભણનારા છે. બાપે કપટ કરી ધન ભેગું કર્યું હોય અને છોકરો જો કપટ
કરવામાં સવાયો થાય તો કહે કે બહુ ચાલાક છે–અને જો છોકરો ચોકખું કહી દે કે ‘બાપુ! દગાની વાત મારી
પાસે ન કરશો, દગો–પ્રપંચ કરવા હરામ છે;’ તો તેને કહે કે ‘નમાલો,’ અમારા કુળનો દીપક થા! એટલે કે
અમારા કરતા સવાયા પાપ કર! આમાં જે છોકરો દગા–પ્રપંચની હા એ હા ભણે છે તે પોતાના રાગને ખાતર
ભણે છે, અને નહીંતર ચોકખી ના કહી દે કે આ રાગને ખાતર આટલા દગા–પ્રપંચ? આ દેહે કેટલો કાળ
જીવવું? અને ક્યાં જવું? પુણ્ય હશે તો ગમે ત્યાંથી મળી રહેશે. આયુષ્ય હશે તો રોટલા ગમે તેમ મળી રહેશે.
અને નહિતર રોટલા ખાતાં છતાં બે કોળીઆ વધારે ખવાઈ જશે અને પેટ સલોસલ થઈ જશે તો મરી જઈશ! હું
તો નીતિસર જ કામ કરવાનો, રાગને માટે આ અનીતિ? નહીં રે નહીં, મારે અનીતિ ન જોઈએ. એમ કહેવાથી
કાંઈ તેનો હક્ક ચાલ્યો જતો નથી.
ધર્મીનું સ્વરૂપ
ધર્મી જીવ રાગ અર્થે–ફળની ભાવનાથી પુણ્યને સેવતો નથી, તે જાણે છે કે તે [શુભભાવ] વડે આત્માની
શાંતિ નથી, એવા ભાનમાં તે પુણ્યભાવ મારા પણા વડે કે રુચિ પૂર્વક કરતો નથી.
સંસારી સુખની રુચિ નથી એમ બોલવાથી તે રુચિ ટળે નહીં.
જેને ખરા સુખની રુચિ થઈ હોય તેને સંસારના સુખની રુચિ ટળ્‌યા વગર રહે નહીં; માત્ર વાતો કરે કે
અમને સંસારની રુચિ નથી અને પાછો રુચિપુર્વક રાગ કરે તો તેને ખરેખર સાચા સુખની રુચિ થઈ જ નથી.
છપ્પનીઆના દુષ્કાળ વખતે રાંકા ભીખારા ગામ બહાર જઈને પાણીમાં માછલાં મારતાં હોય, અને જ્યારે
ગામમાં આવે ત્યારે પોતાના કપાળે સાધુ જેવું ટીલું કરે અને કહે કે “આ સંસાર અસાર છે, કોઈ કોઈનું નથી.”
એમ ભીખારા પણ કહે છે, પણ તે જો એમ ન કહે તો કોઈ કાંઈ આપે નહીં, તેથી પોતાને મળે એવા રાગની
ખાતર જ તે કહે છે.
તેમ કોઈ કહે કે અમને સાચા સુખની રુચિ જાગી છે તો પ્રથમ પુણ્ય–પાપનો રાગ તે આત્માનો નથી
એમ રાગ રહિત આત્માની ઓળખાણ કરી? સુખ સ્વરૂપ આત્માની ઓળખાણ વગર કદી સુખ મળશે નહીં.
અને પુણ્ય–પાપની રુચિ ટળશે નહીં; અને જેને રુચિ ફરી ગઈ કે આ વિકાર માત્ર મારૂં સ્વરૂપ નહીં, રાગ રહિત
જ્ઞાન સ્વભાવ તે જ હું એમ જ્યાં સ્વભાવની રુચિ થઈ અને પુણ્યની રુચિ ટળી પછી તે રાજપાટ ભોગવતાં
દેખાય છતાં અંતરમાં તેની રુચિ નથી, ભવિષ્યમાં અલ્પકાળમાં તે ત્યાગી થઈ, મુનિ થઈને પુર્ણ કેવળજ્ઞાન
લેવાનાં છે. અને જેને પુણ્યની રુચિ છે તે બાહ્ય આચરણ કરતાં કરતાં અંતર સ્વભાવ પ્રગટ થશે એવી દ્રષ્ટિમાં
સંસારિક સુખની રુચિ અર્થાત્ ઝેરની રુચિ પડી છે. આત્માના જ્ઞાન સ્વભાવના ભાન વગર કદી પૌદ્ગલિક
સુખની મીઠાશ ખસે નહીં.
સત્ય ત્યગન સ્વરૂપ
અંદર જ્ઞાતા સ્વરૂપ આત્માની રુદ્ધિની ખબર વગર જે ત્યાગ છે. તે દુઃખગર્ભિત અને મોહગર્ભિત

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
છે, જ્ઞાનના વિવેક ભાવે નથી પણ દ્વેષ ભાવે છે. સાચા સુખ સ્વભાવના ભાન વિના ખરેખરો ત્યાગ કે વૈરાગ્ય
હોતો નથી.
ત્યાગ ક્યારે કહેવાય? કે જ્યારે જ્ઞાન મૂર્તિ નિર્મળ ચૈતન્ય ઘન આનંદ સ્વરૂપ છું, મારૂં સુખ મારામાં છે
એવી દ્રષ્ટિના જોરમાં રાગ ટાળ્‌યો અને રાગ ટાળતા રાગના નિમિત્ત સહજ ટલ્યાં તે જ ત્યાગ જ્ઞાન ગર્ભિત છે,
અને તે જ સત્ય ત્યાગ છે. બાકી તો જેને આત્માનું ભાન નથી તે તો માત્ર ‘આ બાયડી છોકરામાં સુખ નથી માટે
ચાલો છોડી દઈએ’ એવા દ્વેષ ભાવથી ત્યાગ કરે છે, તે ત્યાગી નથી પણ અંતરમાં તેને ભોગની રુચિ પડી છે.
આત્માના ભાન વિના નિર્વિકારી ક્રિયા કોને કહેવી, અને રાગની વિકારી ક્રિયા કોને કહેવી તેની
ઓળખાણ હોઈ શકે નહીં અને તે ઓળખાણ વિના પુણ્ય–પાપનો અને આત્માનો વિવેક થશે નહીં. ..............
રાજા ચક્રવર્તી રાજમાં હોવા છતાં તેને વિવેકનું ભાન હતું. ઓળખાણ હતી કે નિર્મળ જ્ઞાન સ્વરૂપ નિર્વિકલ્પ છું
છતાં હજી અવસ્થામાં પુરુષાર્થની નબળાઈને કારણે શુભ–અશુભ રાગ હતો ત્યાં પણ અંતરથી તેની રુચિ ખસીને
આત્માની રુચિના જોરમાં એકાવતારી થઈ ગયા, એ રીતે અનંતા એકાવતારી થઈ ગયા છે. એટલે અવિકારી
સ્વભાવની ભાવના સહિત જેને રાગ–દ્વેષનો ત્યાગ છે તે જ ખરો ત્યાગી છે; અજ્ઞાની બહારનો ત્યાગી
[દ્વેષ
ભાવે] થાય પણ તે અંદરમાં વિકારનો ભોગી છે, અને અનંત સંસારમાં રખડવાનો છે.
ચૈતન્ય શુદ્ધ આનંદઘન નિજાનંદ પ્રભુ હું પોતે છું–દરેક આત્મા પ્રભુ છે, એવા ભાનમાં સમ્યગ્દ્રષ્ટિ
રાજપાટમાં રહ્યાં હોય છતાં અંતરમાં તેની રુચિ નથી. અંતર સ્વભાવની રુચિમાં તેને પુણ્યની રુચિ નથી તેથી તે
કર્મ તેને ફળ આપતું નથી.
ભાવાર્થ:– અજ્ઞાનીને રાગની રુચિ છે. અજ્ઞાની રંજિત પરિણામમાં ચડેલો પ્રાણી ઉદયાગત કર્મને રંજિત
થઈને સેવે છે તેથી તે કર્મ પણ તેને રંજિત ફળ આપે છે. જ્ઞાની ઉદયાગત કર્મને રંજિત થઈને ભોગવતો નથી.
તેથી રાગનો રંગ અંતરમાં ચડી જતો નથી, અજ્ઞાની તો રાગમાં લીન થઈ જાય છે, તેને રાગની રુચિમાં
આત્માની વાત રુચતી નથી.
સાચી સમજણની જરૂરિયાત
દરેક જીવ પોતે તો ભગવાન સ્વરૂપ છે, પણ પોતાની માન્યતામાં અનાદિથી જે ભૂલ છે તે ટાળતા
પરસેવો ઉતરી જાય છે, [એટલે કે અનંતો સવળો પુરુષાર્થ જોઈએ છે એમ અહીં કહેવું છે.] ખરી વાત તો સાચું
જ્ઞાન જ અનાદિથી થયું નથી. સાચી સમજણ થાય તો રાગમાં રંજિતપણું ટળ્‌યા વગર રહે નહીં. અજ્ઞાની શુભ
ભાવમાં ધર્મ માને છે એથી તેને એકલા રાગની રુચિ છે, તેને રાગની રુચિમાં સંસાર ફળવાનો છે.
સાચી સમજણ થાય તો સાચું સુખ શું અને તેનો ઉપાય શું તેનો વિવેક વર્તે. એક દાન દેવામાં પહેલાંં તે
દાન આબરૂ કીર્તિ અર્થે આપ્યું છે કે નહીં એ જો! જો આબરૂ કીર્તિ માટે ન હોય તો પછી એ જો, કે દાનના
શુભભાવની તને રુચિ તો નથીને? જો તે શુભરાગના રંગમાં રંગાઈ જતો હો તો તે રાગની રુચિ જ તને બંધન
કર્તા છે અને તે રાગની રુચિ છોડ તો જ સાચો ત્યાગ ભાવ છે. અને એ ત્યાગ જ મુક્તિનું કારણ છે. જેને
સ્વભાવનું ભાન હોય તેને જ અંતરનો ખરો ત્યાગ સૂઝે છે, પણ જેને અંતર સ્વભાવનું ભાન નથી તેની દ્રષ્ટિ
બાહ્ય ત્યાગ ઉપર પડી છે, એટલે વર્તમાન કદાચ ભોગ છોડવાની વાત હોય પણ ઊંડાણમાં તો તેને ‘ભવિષ્યમાં
આથી સારા ભોગ મળશે’ એવી રાગની રુચિ છે–ભોગની રુચિ છે, તે ખરેખર ત્યાગી નથી. વળી તે એમ માને
છે કે ‘બાયડી, છોકરાં, મકાન બંધન કર્તા છે માટે તેને છોડું;’ પણ તે તરફનો પોતાનો રાગ જ બંધન કર્તા છે
એમ તે જાણતો નથી જો ખરેખરે ત્યાગની ભાવના હોય તો તે પ્રત્યેના રાગને છોડને!
ત્યાગ એટલે જે પોતાના સ્વભાવમાં નથી તેને છોડવું તે.
પુણ્ય–પાપનો કોઈપણ વિકાર મારા સ્વભાવમાં નથી એવા ભાન વિના પુણ્ય–પાપનો ત્યાગ ખરેખર
અંતરથી આવશે નહીં, અને અંતરના ત્યાગ વિના બાહ્ય ત્યાગ પણ સાચો નથી.
અહીં તો ન્યાયથી અને સત્યની જ વાત છે, જ્ઞાનથી તેનો વિવેક કરો!
અજ્ઞાની વ્રત–તપ કરે છે તે પણ આગામી ભોગની મીઠાશના કારણે કરે છે. વર્તમાનમાં જે બાહ્ય ત્યાગ
કરે છે. તેમાં પણ અનંતગણા ભોગ લેવાનો તેનો આશય છે. જેને વર્તમાનમાં જ સ્વાભાવિક સુખથી ભરેલા
આત્માની ખબર નથી તે રાગની રુચિમાં રંગાઈ જશે. અને જ્ઞાની જેને સ્વભાવની ખબર છે તેને વીતરાગ ન
થાય ત્યાં સુધી શુભનો વિકલ્પ આવે છતાં તેની રુચિ નહીં હોવાથી ઉદયાગત ભોગ તેને બંધનું કારણ નથી. અને
ભવિષ્યમાં તેનું વિશેષ ફળ મળવાનું નથી.

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૬૩ :
– અનુસંધાન ટાઈટલ પાન ૪૬ થી –
ક્ષેત્રે બીજા પાત્ર જીવોને તેમનો ઉપદેશ નિમિત્તપણે મળે અને તે તે પાત્ર જીવ પોતાની લાયકાતથી તે
ઉપદેશ સાંભળી પોતાનું યથાર્થ સ્વરૂપ નક્કી કરી યથાર્થ ધર્મ (સ્વભાવ) માં પ્રવેશે છે; ક્રમે ક્રમે ઉન્નતિમાં
વધતા જતા તેવા પુરુષ જે ભાવે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે તે ભાવ બતાવે છે તેથી તેને ‘તીર્થંકર’ એટલે કે
‘તરવાનો રસ્તો બતાવનાર’ કહેવામાં આવે છે. ભરતક્ષેત્રે ધર્મનો પ્રવાહ કેટલોક કાળ અટકેલો પણ ત્યાર પછી
શ્રીમાન્ ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરો થયા. તેમના ઉપદેશથી હાલ ભરતક્ષેત્રમાં યથાર્થ ધર્મનું પ્રવર્તન છે;
તીર્થંકરો જ્ઞાન અને પુણ્ય બન્નેમાં પૂર્ણ હોય છે, તેઓ ઈચ્છાને ટાળી વીતરાગ થયા પછી સહજ રીતે (તેમની
ઈચ્છા વગર) વચન વર્ગણા (વચનના રજકણો) સર્વાંગે છૂટે છે તેને દિવ્યધ્વનિ કહેવામાં આવે છે અથવા ઓમ્
પણ કહેવામાં આવે છે. તેમની ધર્મસભામાં આવેલા દેવ–દેવીઓ, મનુષ્ય–મનુષ્યીણી, તિર્યંચ તિર્યંચીણી પોતે
પોતાની ભાષામાં સમજી લે છે. આ દિવ્યધ્વનિને ઉપચારથી તીર્થંકરનો ઉપદેશ કહેવામાં આવે છે.
સૌરાષ્ટ્રનો જૈન ધર્મ પ્રત્યેનો ફાળો.
આ સૌરાષ્ટ્રમાં આવેલા ગીરનાર પર્વત ઉપર બાવીસમાં તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનના ત્રણ કલ્યાણક
૧ દિક્ષા ૨ કેવળજ્ઞાન અને ૩ મોક્ષ થયા હતા. તેમના જ વખતમાં તેમના જ કુટુંબી શ્રીકૃષ્ણ વાસુદેવ અને શ્રી
બળભદ્ર શ્લાકા પુરુષો થયા હતા. ગીરનાર પર્વત જૈનોનું જાણીતું તીર્થ છે, આ ગીરનાર પર્વતની ગુફામાં
શ્રીમાન્ ધરસેન મુનિ બિરાજતા હતા. તેઓએ પોતાનું દિવ્યજ્ઞાન શ્રીમાન્ ભૂત બળી અને શ્રીમાન પુષ્પદંત
મુનિઓને આપ્યું, અને તે મુનિઓએ આગામિ બુદ્ધિની મંદતા જાણી ‘
षट्खंड आगम’ રચ્યાં, તે હાલ છપાઈને
ટીકા સહિત બહાર પડતાં જાય છે. આ ષટ્ખંડ આગમ હાલના જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન છે. જૈનોમાં
તત્ત્વાર્થસૂત્ર’ સર્વમાન્ય છે તે પણ સૌરાષ્ટ્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્યે રચ્યું હતું. પરમાગમ શ્રી સમયસાર
ગુજરાતી ભાષામાં પણ આ દેશમાં હાલમાં પ્રસિદ્ધ થયું છે
[સને ૧૯૪૦ માં]
શેત્રુંજય એ જૈનધર્મના તીર્થના એક ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં શ્રી પાંડવો વગેરે ઘણા કેવળજ્ઞાન પામ્યા
છે, અને મોક્ષની પ્રાપ્તિ કરી હતી.
તરીકે પ્રસિદ્ધ છે. હાલમાં જ તેમનું મહાન સ્મારક વવાણીઆમાં ખુલ્લું મૂકાયું છે. તેઓએ કાઠિયાવાડ અને
ગુજરાતમાં જૈનધર્મની અધ્યાત્મ વિદ્યાના બીજડાં રોપી તેનો પ્રચાર કર્યો છે. જૈનધર્મના યથાર્થ સ્વરૂપને સમજાવતા
તેમણે શિષ્યો ઉપર લખેલા પત્રો, હાથનોંધ વગેરે પ્રસિદ્ધ થયાં છે, અને મુમુક્ષુઓ તેનો યથાશક્તિ લાભ લે છે.
– છેવટ –
‘હું જુવાન છું,’ ‘વૃદ્ધ છું,’ ‘શુરવીર છું,’ ‘પંડિત છું,’ ‘સર્વમાં શ્રેષ્ઠ છું,’ ‘દિગંબર છું,’ ‘બોદ્ધમતનો
આચાર્ય છું,’ અથવા ‘હું શ્વેતાંબર છું.’ વગેરે શરીરના ભેદોને મૂર્ખ પોતાના માને છે, એ ભેદ જીવના નથી.
(પરમાત્મ પ્રકાશ ગાથા ૮૨ પાનું ૮૭–૮૮)
જીવ બોદ્ધનો આચાર્ય નથી. દિગંબર નથી, શ્વેતાંબર નથી, કોઈ વેશનો ધારી નથી, અર્થાત્ એકદંડી
ત્રિદંડી, હંસ, પરમહંસ, સંન્યાસી, જટાધારી, મુંડિત, રુદ્રાક્ષની માળા, તિલક, કુલક, ઘોષ વગેરે વેશોમાંથી કોઈ
પણ વેશધારી નથી, તે એક જ્ઞાનસ્વરૂપ છે. (પરમાત્મ પ્રકાશ ગાથા ૮૮ પાનું૯૨–૯૩)
જીવ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી, પુરુષ સ્ત્રી કે નપૂંસક નથી, તે તો જ્ઞાનસ્વરૂપ હોવાથી સમસ્ત
વસ્તુનો જાણકાર છે.
એ રીતે જૈનધર્મનો અર્થ, જૈન તત્ત્વ સંક્ષેપ, જૈન ધર્મના શાસ્ત્રોની કથન પદ્ધતિ, જૈન દર્શનની અનાદિ
અનંતતા અને સૌરાષ્ટ્રનો જૈનધર્મ પ્રત્યેનો ફાળો એમ પાંચ વિભાગથી આ કથન પૂરું કરવામાં આવે છે.
તા. ૭–૧૨–૪૩ રાજકોટ સદર
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય વિજ્યાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ.
તા. ૨૧–૨–૪૪
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વિજ્યાવાડી,
મોટા આંકડિયા કાઠિયાવાડ.