PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
बाल–पने गृहवास न कीना। बाल–ब्रह्मचारी–रस भीना।।
हुये दिगम्बर यती महान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
मन इन्द्रिय को वश निज किना। रागद्वेष का रस नहीं लीना।।
हना मोह सुभट बलवान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
घाति–कर्मका नाश हुआ जब। लोकालोक प्रकाश ज्ञान तब।।
भये आप अरहंत महान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
समवसरण की हुई तियारी। ऋषि मुनि खग सब मंझारी।।
खिरै अनक्षर ध्वनि अमलान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
सब जन सुनें वैर नहिं आनें। वाणी सब के चित्त में सानै।।
सुनै अहिंसा–धर्म प्रधान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
कर विहार जिन धर्म बताया। धर्मादिक पुरुषार्थ सुझाया।।
किया अपूर्व जगत कल्यान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
शुक्ल ध्यान से लीन हुये जब। पंच–लघुक्षर शेष समय तब।।
हुये आप सब सिद्ध–समान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
देख जयन्ती का उत्सव दिन। गावो सब मिल निज गुण निशिदिन।।
भक्त–जन्म का हो अवसान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
PDF/HTML Page 3 of 21
single page version
ઘણા જ હૃદયોલ્લાસથી પોતાના ભાષણમાં વર્ણન કર્યું છે. અને સાથે સાથે સોનગઢમાં રહેનારા મુમુક્ષુઓનું વર્ણન
પણ કર્યું છે. પૂ. સદ્ગુરુદેવશ્રીના સંબંધમાં અંતરથી જે પ્રશંસાપૂર્ણ ઉદ્ગારો કહ્યા છે તે વડે વિદ્વત્પરિષદના પ્રમુખશ્રીએ
સત્ધર્મના પ્રચારમાં અત્યંત વેગ આપ્યો છે. તેમના ભાષણનો ટૂંક ભાગ અહીં આપવામાં આવે છે–)
बहुत लाभ हुआ है। हम सब के परिणाम में भेद हो गये हैं। परिषद् अपना अधिवेशन का कार्य तो किसी
भी स्थान पर कर सकती थी, किन्तु महाराजश्री का आध्यात्मिक उपदेश का लाभ लेने के मुख्य हेतु से इस
स्थान को पसंदगी दी गई।
भाइओं को एक साथ ऐसा लाभ मिले–यह हेतु से इस अवसर पर यहां आनेका प्रसंग मिला है। तीन दिन
महाराजश्री का आध्यात्मिक व्याख्यान सुनकर मुझे ऐसा आत्मवेदन हुआ है कि अभी मैनें आत्मा का कूछ
नहि किया, केवल शरीर का किया है। जब हम विद्यार्थीओं को शास्त्राभ्यास कराते थे तब प्रवचनसारादि में
चिदानंद शुद्ध आत्माकी जो अध्यात्म बात आती थी उसको तो छोड देते और उद्धर्वांश कल्पनादि बात हम
शीखाते थे। [आ बोलती वखते सभापतिजी घणा गळगळा थई गया हता।]
भी शास्त्रार्थ कर रहा हो कि–स्वतः प्रमाणः परतः प्रमाणः उस घर मंडनमिश्र का जानना’ उसी तरह यदि
कोई पूछे कि सोनगढ कहां है? तो हम भी उत्तर देते हैं कि–जिस स्थानमें घरघरमें भाई–बहिनों छोटे–बडे
सब के बिच दिनतरात अध्यात्म की चर्चा सुनाई पडती हो वही सोनगढ है। यहां के छोटे बच्चोंके पास भी
हमें अध्यात्म की चर्चा सुननेमें आती है। रास्ते में चलते चलते अजैन डाॉकटर भी हमारी साथ तत्त्वचर्चा
करने लगता हैं, इससे हमको ऐसा लगा कि जो शरीर का डाॉकटर था वे सोनगढ में आत्मा का भी
डाॉकटर बन गये। एक पोलीसपटल जो कि महाराज का उपदेश सुनने को आते हैं और जो मुस्लिम बंधु है
वे भी रास्ते में हमको पूछते थे कि आपको महाराज की वाणी कैसी लगती हैं। रात्रिको सोते समय पिछली
बारिमें से बहिनों में उपादान–निमित्त की चर्चा का आवाज सुननेमें आता था। यहां रहने वाले सब भाई–
बहिनों का आध्यात्मिक जीवन देखकर हमको अति आनंद होता है। यह सब प्रभाव महाराजश्री का उपदेश
का ही है और यहां के सब को एक दूसरे पर प्रेम है–छोटे को बडे पर, बडे को छोटे पर, यह देखकर भी
हम प्रसन्न हुए हैं।
पास में हम सब को नई द्रष्टि मिली है हमारी भावना यह है कि हम नित्य यहां पर ही ठहर जाय, और
महाराजश्री का उपदेश सुनकर अपना आत्मकल्याण करें। हम भगवान से प्रार्थना करते हैं कि हम फिर
फिर इधर आयें।
PDF/HTML Page 4 of 21
single page version
રાગ છે–ધર્મ નથી. આવું વીતરાગધર્મ અને રાગનું ભિન્નપણું સમજીને જો વીતરાગને સ્તવે તો તેની સ્તુતિ સાચી છે.
જેને વીતરાગ સ્વભાવનું ભાન છે અને રાગને ધર્મ માનતા નથી એવા જીવોને સાધકદશામાં જ્યારે ભક્તિ–સ્તુતિનો
ભાવ આવે ત્યારે તેમાં વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનું જ નિમિત્ત હોય, રાગી, દેવ, કુગુરુ કે કુશાસ્ત્ર પ્રત્યે તેમને કદાપિ
ભક્તિ જાગે જ નહિ.
તેમાં આવે છે કે ‘
મળનો નાશ કરીને રાગાદિથી રહિત થયા છો તેમ મારો સ્વભાવ પણ તેવો જ છે અને હું પણ તે જ સ્વભાવની
ભાવના વડે રાગાદિ મળને ધોઈને જે પરમાત્મપદને આપ પામ્યા છો તે જ પરમાત્મપદને પામવાનો છું. આવી
યથાર્થ સમજણ જેને હોય તે જ જીવ ભગવાનની સાચી સ્તુતિ કરવાને લાયક છે. ભયથી, ડરથી કે લોકસંજ્ઞાથી કોઈ
પણ કુદેવાદિને માને, તેને માથું નમાવે તે કેવળી ભગવાનનો દુશ્મન છે, સત્યનો અનાદર કરનાર છે. અંશે પણ
વીતરાગની ભક્તિ તેને નથી. સત્ અને અસત્ બંને માર્ગમાં એક સાથે પગ નહિ ચાલે. જેને સત્નું સેવન કરવું હોય
તેણે અસત્નું સેવન છોડવું પડશે. જેમ અડધું દૂધ અને અડધું ઝેર એમ બંને ભેગા કરીને સેવન કરે તો તે એકલા
ઝેરરૂપે જ પરિણમે, તેમ સત્ અને અસત્ બંનેને જે માને તેને એકલા અસત્નું જ સેવન છે. સંસારના લૌકિક કાર્યો
ખાતર જે સત્ને ગૌણ કરીને અસત્નો આદર કરે છે તેને સત્ના અનાદરનું મહાપાપ છે.
તેમ નથી. એનાથી અંશ માત્ર પણ જે વિરુદ્ધ માને તે વીતરાગદેવનો પાકો દુશ્મન છે. દુશ્મન કઈ રીતે? વીતરાગદેવને
તો નુકશાન કરવાનો કોઈ સમર્થ નથી પરંતુ જ્યારે વીતરાગદેવને એકેય ભવ નથી ત્યારે આને અનંત ભવ છે.
વીતરાગદેવને અનંત સુખ છે ત્યારે આને અનંતદુખ છે, એ રીતે વીતરાગદેવને જેટલા ગુણો છે તેનાથી વિરુદ્ધ દોષો
તેનામાં (ઊંધી માન્યતાવાળા જીવમાં) છે માટે તે વીતરાગનો વેરી છે.
વીતરાગના સાચા ભક્ત નથી. વીતરાગતા અને રાગ તો એકબીજાથી વિરુદ્ધ છે, જે વીતરાગતાનો ઉપાસક છે તેને
રાગનો આદર નથી અને જેને રાગનો આદર છે તે વીતરાગતાનો ઉપાસક નથી. વીતરાગતાનો આદર કરનાર
મોક્ષને સાધે છે અને રાગનો આદર કરનાર સંસારને વધારે છે. વીતરાગ સ્વભાવી આત્મતત્ત્વનો વિરોધ કરનારને
એક પણ ભવ સારો મળવાનો નથી.
શ્રી પદ્મનંદિ
PDF/HTML Page 5 of 21
single page version
આચાર્ય વન–જંગલમાં વસનારા નિર્ગ્રંથ સંત મુનિ હતા, તેઓને બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રેમ હતો. આ પદ્મનંદી
પંચવિંશતિમાં પચીસ અધિકાર પૂરા કર્યા પછી છેવટમાં એક ખાસ ‘બ્રહ્મચર્ય–અષ્ટક’ નામનો અધિકાર વર્ણવ્યો છે.
જેઓ અપ્રમત્ત અને પ્રમત્ત ભૂમિકાની સહજ ભૂમિકામાં ઝુલી રહ્યા છે, જેઓને કેવળજ્ઞાન લેવાના કોડ ઉઠયા છે, પણ
એક અલ્પ રાગનો વિકલ્પ બાકી રહ્યો છે એવા વીતરાગી સંત આ સ્તુતિ કરે છે. આ સ્તુતિમાં કુલ ૬૧ ગાથા છે,
તેમાંથી પ૮ ગાથા પૂરી થઈ.
સ્વભાવનો પાર તો સ્વભાવ ભાવથી જ પમાય છે પણ વિકલ્પો વડે સ્વભાવનો પાર પામી શકાતો નથી. હે નાથ!
અમે તારા લક્ષે ગમે તેટલી સ્તુતિ કરીએ, પણ તેમાં તો રાગ આવે છે, તે રાગવડે અમે અમારા સ્વભાવની પૂર્ણતા
પામવાના નથી, પણ જ્યારે રાગ તોડીને સ્વરૂપમાં ઠરશું ત્યારે સ્વભાવની પૂર્ણતા થઈને કેવળજ્ઞાન પ્રગટ થશે અને
તે કેવળજ્ઞાન વડે જ આપના અનંત ગુણોના પારને પમાશે.
અન્ન ખાય, પણ પતિની આજ્ઞા માને નહિ–એ તે કાંઈ પત્ની કહેવાય? તેવું અહીં ચાલે તેમ નથી. અહીં તો જે પોતે
ભગવાનનો ભક્ત થયો–તે પોતે ભગવાન થાય એવો માર્ગ છે. પોતાને વીતરાગનો ભક્ત કહેવરાવે અને રાગમાં
ધર્મ માને–એ તે કાંઈ વીતરાગને માન્યા કહેવાય? ‘હે વીતરાગ! જેવા આપ છો તેવો જ હું મારા સ્વભાવે છું રાગ
થાય તેને હું મારા સ્વભાવમાં સ્વીકારતો નથી’–આમ જે માને તે વીતરાગનો ભક્ત છે. અને વીતરાગની રુચિ–
બહુમાન વડે રાગનો નાશ કરીને અલ્પકાળે પોતે વીતરાગ થાય છે. હે નાથ! આપને પૂર્ણ સ્વભાવદશા પ્રગટ છે,
તેની ઓળખાણ અને બહુમાન વડે હવે હું પણ કુદેવાદિની માન્યતા છોડીને અને રાગાદિમાં ધર્મની માન્યતા છોડીને
(–અર્થાત્ ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વને છોડીને) પૂર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાના બળથી
આપ સમાન થવાનો છું–આવી નિઃશંકતા ભગવાનના ભક્તને હોય છે; તે જ જૈન છે.
છે, તેનો પાર પામે તેમ નથી, તેમ સત્દેવ–ગુરુ શાસ્ત્રોએ જેવો પરિપૂર્ણ આત્મસ્વભાવ દર્શાવ્યો તેવો જ હું છું,
આત્મસ્વભાવ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, તેની સ્તુતિ આ વિકલ્પવડે પૂરી થશે નહિ, પણ જ્યારે આ વિકલ્પ તોડીને
સ્વભાવમાં ઠરીશ ત્યારે સ્તુતિ પૂરી થશે અને કેવળજ્ઞાન પ્રગટ થશે. માટે આ સ્તુતિના વિકલ્પના પણ અમે કર્તા
નથી. અજ્ઞાની જીવ જ્યાં ત્યાં વિકારનો કર્તા થાય છે પણ જ્ઞાનીની દ્રષ્ટિ તો બધેથી ઊઠીને એક સ્વભાવમાં જ છે,
તેથી જ્ઞાનીઓ ભક્તિની શુભલાગણીના કર્તા થવા માગતા નથી. તો હવે નિરાધાર થયેલી એવી તે વિકારી લાગણી
ક્યાં સુધી ટકશે? જ્ઞાનીઓ અલ્પકાળે સ્વભાવસ્થિરતાની શ્રેણીવડે તે લાગણી તોડીને સ્વભાવનો પાર પામી જાય છે.
તે લાગણી વડે સ્વભાવ પમાય તેમ નથી.
શુદ્ધઆત્માની દ્રઢ રુચિમાં જે ભક્તિનો વિકલ્પ ઊઠયો છે તે કેટલીક વાર ટકવાનો છે? પંખિણી ગમે તેટલી ઊંચે જાય
પણ આકાશનો અંત પામવાની નથી, છેવટે તો થાકીને નીચે જ આવવાની છે, તેમ ગમે તેવા શુભ વિકલ્પ કરે પણ
તે વિકલ્પથી સ્વભાવની પૂર્ણતા થવાની નથી, અંતે તો વિકલ્પ તોડીને સ્વરૂપમાં સમાઈ જવાનું છે, ત્યારે જ પૂર્ણતા
થશે. વિકલ્પરૂપી પંખિણી આત્મામાં સમાવા લાયક નથી. પોતાના આત્મામાં વીતરાગ સર્વજ્ઞદેવને ઓળખીને અને
આત્મસ્વભાવનું ભાન પ્રગટ કરીને સાધકદશા પ્રગટ કર્યા પછી પૂર્ણતાની ભાવના કરતાં વચ્ચે ભક્તિની વૃત્તિ ઊઠે છે
તેને પણ જ્ઞાની છોડવા માગે છે અને સ્વભાવના પુરુષાર્થવડે વૃત્તિને તોડીને સ્વરૂપમાં સમાવા માગે છે.
અનંતગુણસ્વરૂપ આત્મસ્વભાવ છે તેનો પાર વિકલ્પથી કેમ પામવો? જ્ઞાનસ્વભાવ વડે જ તેનો ખ્યાલ આવે છે.
PDF/HTML Page 6 of 21
single page version
સામર્થ્યને ધારણ કરનાર જ્ઞાનસ્વભાવને વિકલ્પવડે અનુભવી શકાતો નથી.
રાગ જ છે તોપછી કુદેવાદિને માને તેની તો વાત જ શું? જેને યથાર્થ ગુણોવડે જિનદેવનું સાચપણું ભાસ્યું નથી તે જ
કુદેવને માને છે. અત્યારે તો લોકો જૈન નામ ધરાવીને પણ ઘરમાં લોકપાલ, પીર, ક્ષેત્રપાલ, શીતળા, ગોત્રીજ વગેરે
અનેક પ્રકારે કુદેવને માને છે તે મહા અજ્ઞાન છે. જ્યાંસુધી કુદેવાદિને સાક્ષાત્ આત્માનો ઘાત કરનાર ન માને
ત્યાંસુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી.
માંસવાળી કઢી ચાખો.’ તો રાજાને સારું લગાડવા ખાતર પણ શું આર્ય માણસ તેમ કરશે? નુકશાન થાય તો ભલે
થાય પરંતુ વ્યવહારમાં સારું લગાડવા માટે પણ આર્ય માણસ તે માંસ સામું જુએ નહિ. પાંચ હજાર રૂપિયા આપવા
પડે તો તે આપે પરંતુ માંસ તો ન જ ખાય. તેમ જિજ્ઞાસુ જીવ લોક વ્યવહારમાં કે ઘરમાં સારું લગાડવા માટે
કુદેવાદિને કદી માને નહિ. વ્યવહારે ઘરમાં પણ કોઈ પ્રકારના કુદેવને માને નહિ. કોઈ પ્રકારે કુદેવને માનવા તે ઘોર
પાપ છે. જો કે પરદ્રવ્ય લાભ–નુકશાન કરતું નથી, પરંતુ પોતાનો ઊંધો અભિપ્રાય જ મહા નુકશાનનું કારણ છે.
ગુરુ–શાસ્ત્ર કોણ છે તે પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખ્યા પછી પણ જો પોતે સ્વાશ્રયે
પોતાના સ્વભાવનો અભ્યાસ, પરિચય અને અનુભવ પ્રગટ ન કરે, પણ દેવ–ગુરુ–શાસ્ત્રના જ અવલંબનમાં અટકી
રહે તો તે મુક્તિના માર્ગે વળ્યો નથી પણ સંસારમાર્ગે જ છે.
અનાદર કરતાં કહે છે કે હે નાથ! આત્મસ્વભાવ વિકલ્પગમ્ય નથી પણ જ્ઞાનગમ્ય છે. જ્યારે વિકલ્પ તોડીને
સ્વાનુભવમાં લીન થશું ત્યારે રાગનો અભાવ થતાં સ્તુતિ પૂરી થશે અને સ્તુતિના ફળરૂપે પરમ વીતરાગ
કેવળજ્ઞાનદશા પ્રગટ થશે. –પ૯–
સ્તોત્ર રચવાનું જે સાહસ કર્યું છે તે માટે મને ક્ષમા કરજો.
કેવળજ્ઞાન અનંત પૂરું છે અને હું તો મતિશ્રુત જ્ઞાનવાળો છું, મારું જ્ઞાન અલ્પ છે, આ અલ્પજ્ઞાનના લક્ષે પૂર્ણતા
પ્રગટવાની નથી, પણ વિકલ્પ અને અપૂર્ણતાનું લક્ષ છોડીને જ્યારે પૂર્ણ સ્વભાવના અનુભવમાં એકાગ્ર થશું ત્યારે તે
પૂર્ણસ્વભાવના અવલંબને જ પૂર્ણતા પ્રગટ થશે. આ રીતે સંત–મુનિ પોતાની નિર્માનતા વ્યક્ત કરે છે અને વિકલ્પ
તોડીને પૂર્ણતા કરવાની ભાવના કરે છે.
જ્ઞાનમૂર્તિ સ્વરૂપમાં ઠરી જા.
PDF/HTML Page 7 of 21
single page version
પૂર્ણતા નથી પ્રગટી ત્યાં પૂર્ણદશાના સ્વરૂપનો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પ પણ પૂર્ણદશાને રોકનારો છે. આચાર્યદેવ
કહે છે કે, જેમ હરણી પોતાના બચ્ચાનાં પ્રેમને લીધે તેને બચાવવા વાઘ સામી થાય તેમ પૂર્ણસ્વભાવના બહુમાન વડે
હું અલ્પબુદ્ધિ આ વિકલ્પ વડે તેનું સ્તવન કરવા તૈયાર થયો છું. પરંતુ જેમ હરણી વાઘને ન પહોંચી શકે તેમ આ
વિકલ્પવડે સ્વભાવનું સ્તવન થઈ શકતું નથી. આ જે વિકલ્પ ઉઠયો તે મારો અપરાધ છે. હે નાથ! આપ રાગ
વગરનાં છો તેથી આપની સ્તુતિ કરતાં મારે પણ રાગરહિતપણું પ્રગટ કરવું જોઈએ તેને બદલે મેં જે રાગ કર્યો તે
અપરાધ કર્યો છે. આ રાગને અપરાધ તરીકે કોણ માને? સમ્યગ્દ્રષ્ટિ સિવાય કોઈ આમ માને નહિ. જેને રાગરહિત
નિરપરાધ સ્વભાવનું ભાન થયું છે તે જ રાગને અપરાધ તરીકે જાણીને છોડે છે.
અપરાધ રહિત સ્વભાવ શું અને અપરાધ શું તેની ઓળખાણ તો કરો. નિરપરાધ સ્વરૂપની ઓળખાણ પછી ધર્માત્મા
સમ્યગ્દ્રષ્ટિને જે અલ્પ અપરાધ થાય તેના તે ખરેખર કર્તા નથી પણ જ્ઞાતા જ છે. અજ્ઞાનીને તો અપરાધ અને
નિરપરાધ વચ્ચેના ભેદની જ ખબર નથી, તેણે તો અપરાધથી પાર એવી નિરપરાધ ભૂમિકાને દેખી જ નથી, તેથી
તેને તો એકાંત અપરાધ જ વર્તે છે. અહીં તો જ્ઞાનીની વાત છે, જ્ઞાનીને નિરપરાધ સ્વભાવનું ભાન છે અને અપરાધ
કરવાની ભાવના નથી છતાં જે અલ્પરાગ રહી જાય છે તેને ટાળવા માટે ક્ષમા માગે છે કે, હે વીતરાગ આત્મસ્વભાવ
પરિણતિ! હવે આ વિકલ્પજાળને તોડીને તું સ્વભાવમાં સમાઈ જા. પોતાની પરિણતિમાં જે રાગ છે તે જ અપરાધ છે
અને પોતાની વીતરાગ પરિણતિ વડે તે અપરાધની ક્ષમા થાય છે.
અંધકારનો નાશ કરવા માટે આપના ચરણો સદા પ્રસન્ન રહે! હે નાથ! હું ‘પદ્મ’ છું અને આપ
સૂર્યસમાન છો. મારા આત્મકમળને વિકસાવવા માટે આપના ચરણો સદા પ્રસન્ન રહો.
દાન અધિકાર વર્ણવ્યો છે. પણ તે કોને રુચશે? જેને આત્માની દરકાર હશે તેવા કોમળ હૃદયવાળા ભવ્ય જીવોને તો
આ સાંભળતા ઉલ્લાસ આવશે, પણ જેઓ લક્ષ્મી વગેરેના તીવ્ર લોલૂપી હશે તેવા જીવોને આ ઉપદેશ નહિ રુચે.
ભ્રમર ગૂંજાવર કરતો કરતો જ્યારે ફૂલ ઉપર બેસે ત્યારે, જે કમળનું ફૂલ હોય તે તો ફડાક ખીલી ઊઠે, પણ જે
પત્થરનું ફૂલ હોય તે ખીલે નહિ. તેમ આ અધ્યાત્મરસના ગૂંજારવથી ભરેલો દાન અધિકાર સાંભળતાં જે કમળ જેવા
કૂણાં હૃદયવાળા ભવ્યાત્મા હશે તેનું હૃદયકમળ તો હર્ષથી ખીલી ઊઠશે, પણ જે પત્થર જેવા કઠણ કાળજાવાળા હશે
તેને આ તત્ત્વથી ભરેલા દાનના ઉપદેશની કાંઈ અસર નહિ થાય.
સ્વભાવનું માહાત્મ્ય આપના શ્રીમુખેથી સાંભળીને ભવ્ય જીવો નાચી ઊઠે છે કે–અહા! હું પરમાત્મા છું, મારે મારા
પરમાત્મપદ માટે કોઈ બીજાની ઓશિયાળ નથી, હું સ્વભાવે પરિપૂર્ણ છું, તે સ્વભાવના અવલંબને હવે સંસાર નથી.
મારા આત્મામાં કેવળજ્ઞાનરૂપી તેજનાં નિધાન ભર્યાં છે. જેમાં જે નિધાન હોય તેમાંથી તે પ્રગટે. આત્માનાં
સ્વભાવમાં પૂરાં જ્ઞાનનિધાન ભર્યાં છે, તે નિધાન બહારની ક્રિયાથી કે રાગથી પ્રગટવાનાં નથી પણ સ્વભાવની રુચિ
અને લીનતાથી જ પ્રગટવાનાં છે. આ જે રાગનો વિકલ્પ ઊઠે તે મારા ચૈતન્યનિધાનમાંથી પ્રગટેલી ચીજ નથી.
આત્મા તો એકલા ચૈતન્યનું જ
PDF/HTML Page 8 of 21
single page version
નિધાન છે, તેનામાં રાગનાં નિધાન નથી. રાગનાં નિધાન ખોદતાં કેવળજ્ઞાન પ્રગટશે નહિ, પણ ચૈતન્ય નિધાન
ખોદતાં કેવળજ્ઞાન થાય છે. મારા જે પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવનું અંતરધ્યાન કરતાં કરતાં જ કેવળજ્ઞાન પ્રગટવાનું છે
તે ચૈતન્ય સ્વભાવની મેં પ્રતીત કરી છે. અને કેવળજ્ઞાન તથા સિદ્ધપદ તે ચૈતન્ય દ્રવ્યમાં જ શક્તિપણે ભર્યા છે, તેમાં
જ લીન થઈને હું કેવળજ્ઞાન પ્રગટ કરવાનો છું.
પ્રગટ રહો. જ્ઞાન–દર્શનરૂપી આપના ચરણ કમળ સદા પ્રસન્ન રહો. સૂર્ય તો સદા પ્રકાશનો જ કરનાર છે તેમ હે
પ્રભુ! આપ અમને આનંદમાં જ નિમિત્ત છો. તમે વીતરાગ છો, રાગમાં તમારું નિમિત્ત નથી પણ વીતરાગપણામાં જ
તમારું નિમિત્ત છે.–આમ જ્ઞાનીઓ વીતરાગભાવને જ જુએ છે તેથી ભગવાનમાં પણ વીતરાગતાના જ નિમિત્ત
તરીકે આરોપ આપે છે.
ત્યાં આ ચારિત્રદશા નહિ રહે, પરંતુ હે જિનેશ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી બે ચરણ કમળ તો સદા પ્રસન્ન
રહેશે, અમારાં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન તો અપ્રતિહતપણે ટકી રહેશે. એ દર્શન–જ્ઞાનનાં જોરે, મનુષ્યભવમાં ચારિત્રની
પૂર્ણતા કરીને કેવળજ્ઞાન લે’શું. ભગવાનના ચરણો પ્રસન્ન રહો એમ વ્યવહારે ઉપચારથી કહ્યું છે, ખરી ભાવના તો
એ છે કે અત્યારે કેવળજ્ઞાન અટકે છે તોપણ પૂરા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનરૂપી બે ચરણો કેવળજ્ઞાન થતાં સુધી
અપ્રતિહતપણે સદા ટકી રહો. પંચમકાળમાં ચારિત્રનો ભંગ પડે છે. પરંતુ સંત–મુનિ તે ભંગ ઉપર લક્ષ ન દેતાં દર્શન–
જ્ઞાનની અપ્રતિહત ભાવનાના જોરે કેવળજ્ઞાન સાથે વર્તમાનમાં સંધિ કરે છે...અને...એ રીતે શ્રીઋષભદેવ
ભગવાનની સ્તુતિ પૂરી થાય છે...
હોય એમ ભાસે છે.’
ગઈ. બહારમાં જિનવરદેવની પ્રતિમાના દર્શનથી બહારની આંખો સફળ થઈ અને અંતરંગમાં જિનવર સ્વભાવી
આત્માને દેખતાં જ અંતરના શ્રદ્ધા–જ્ઞાનરૂપી ચક્ષુ સફળ થયાં. હે જિન! આપને જોતાં હું મને સફળ માનું છું. વિકલ્પ
થાય તેને હું જોતો જ નથી. તારા દર્શનથી મારી આંખો સફળ થઈ, અવતાર સફળ થયો અને અનંતકાળે નહિ થયેલો
એવો અપૂર્વ આત્મભાવ પ્રગટ થયો. તારી ઓળખાણથી મારું જીવન સફળ થયું, ધન્ય થયું. હે નાથ! તારા દર્શનથી
આત્મા આનંદમય થયો–અમૃતથી સીંચાઈ ગયો, પરંતુ શરીર અને મન પણ અમૃતથી સીંચાઈ ગયાં છે. જેમ ઘણાં
લાંબા કાળે પોતાના પુત્રને જોતાં જ સાચી માતાના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, પુત્ર પ્રેમથી છાતી ફૂલાઈ જાય અને
વસ્ત્રની કસ તૂટી જાય, તથા સ્તનમાંથી દૂધની ધાર છૂટે...તેમ હે ચૈતન્ય ભગવાન! અનંતકાળે તારા દર્શન મળ્યાં,
તારા દર્શનવડે સ્વભાવ સમજવાથી મારો આત્મા ઉલ્લસિત થયો, મને અમૃત મળ્યું, હું કૃતકૃત્ય થયો. અહા! એમ ન
સમજશો કે આચાર્યદેવે આ વાણીનો વિલાસ કર્યો છે, આ તો યથાર્થ ઓળખાણના ભાવનો જ્ઞાનીનો ઉલ્લાસ છે.
અસંખ્ય આત્મપ્રદેશ આનંદથી પ્રફુલ્લિત થયાં છે. હે નાથ! તારા દર્શન કરતાં મારો આત્મા તો અમૃતરસથી સીંચાઈ
ગયો પરંતુ આત્માની પાડોશમાં રહેનારાં આ શરીર, મન ને વાણીને પણ તેની છાંટ લાગી તેથી તે પણ અમૃતરસથી
ભીંજાઈ ગયાં છે. આમ જેને સ્વભાવ પ્રત્યે અને જિનદેવ પ્રત્યે યથાર્થ ઓળખાણ સહિત ઉલ્લાસ આવે તેણે જ
ભગવાનના દર્શન અને સારી ભક્તિ કરી.
PDF/HTML Page 9 of 21
single page version
એવી ઉત્કંઠાથી આકર્ષાઈને, શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદે પોતાનું ત્રીજું વાર્ષિક અધિવેશન તા. ૭–૮–૯ માર્ચના રોજ
સોનગઢના સુવર્ણ આંગણે ભર્યું હતું. પરિષદનું સ્વાગત કરતાં સ્વાગત પ્રમુખશ્રીએ કરેલું ભાષણ પણ આ અંકમાં
(ઝાંસી), સુરત, જસવંતનગર અને અમ્બાલા છાવણી (પંજાબ)–એ શહેરોના હતા. બનારસના
સ્યાદ્વાદ્મહાવિદ્યાલયના પ્રધાન અધ્યાપક પં. કૈલાસચંદ્રજી શાસ્ત્રીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પધારેલા
પ્રભાવિત થયા છે. ઘણી વાર વિદ્વાન ભાઈઓ કહેતા હતા કે અહીં સોનગઢમાં અમારે પરિષદ્ના કાર્યની તો ગૌણતા
છે, અને શ્રી કાનજી મહારાજના ઉપદેશ અને તત્ત્વચર્ચાનો લાભ લેવો તે જ કાર્યની મુખ્યતા છે. અને ખરેખર થયું છે
પણ તેમ જ. સર્વે વિદ્વાન ભાઈઓએ અધ્યાત્મ ઉપદેશનો અને તત્ત્વચર્ચાનો લાભ લીધો છે. સાથે સાથે પરિષદનું
પરિષદના મંત્રીજી પં. ફુલચંદ્રજી અહીં આઠ દિવસ ઉપરાંત રહ્યા હતા, તેઓ અહીંના પરિચયથી ઘણા જ
યુગપ્રવર્તક પુરુષ છે, આ શાસક છે, અસાધારણ વ્યક્તિ છે–એ નિઃસંદેહ છે.” અહીં તેઓએ ઘણા મુમુક્ષુઓનો
પરિચય કર્યો છે, ઘણી તત્ત્વચર્ચા અને નિરીક્ષણ કર્યું છે, તે સર્વેથી તેઓને જે પ્રેમ અને આનંદ થયો છે તે તો તેઓ
જનતા મંત્રમુગ્ધ થઈ ગઈ અને આ પ્રણાલિકાની મુક્તકંઠથી પ્રશંસા કરવા લાગી. હંમેશા સવારે ૮
PDF/HTML Page 10 of 21
single page version
તેને શ્રી કાનજી મહારાજ ઘણી જ શાંતિથી અને સરલ શબ્દોમાં સમજાવતા હતા, જે સાંભળીને વિદ્વાનોનું સમાધાન
થઈ જ જતું હતું. એ સમાધાનથી વિદ્વાનોને મહાન હર્ષ થતો નથી.’
શ્રી વિદ્વત પરિષદના અધિવેશન પ્રસંગે શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠે સ્વાગત મંત્રી તરીકે કાર્ય કરવામાં,
છે તે બદલ ટ્રસ્ટ તરફથી તેમનો આભાર માનવામાં આવે છે.
PDF/HTML Page 11 of 21
single page version
વગેરેની તકલીફ વહોરીને પણ અમારું આમંત્રણ સ્વીકાર્યું તે માટે અમે આપ સૌના ઋણી છીએ.
પવિત્ર ચરણકમળની રજથી જે ભૂમિ પુનિત થઈ હતી, પ્રસિદ્ધ કથાનુસાર જે ભૂમિમાં આચાર્ય મહારાજશ્રી
ઉમાસ્વામીના પવિત્ર હસ્તથી મહાન મોક્ષશાસ્ત્રની રચના થઈ હતી, તે ભૂમિમાં, ખેદનો વિષય છે કે, કાળ જતાં
યથાર્થ જૈન દર્શનની ભારે ઓટ આવી. તે એટલે સુધી કે દિગંબર જૈન ધર્મ લગભગ નષ્ટ જેવો થયો. એમ ધર્મના
લાંબા વિરહકાળ પછી (વિ. સં. ૧૯૨૪માં) મોરબી પાસે વવાણિયા ગામમાં મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી
નામના એક નરરત્નનો જન્મ થયો–જેમણે યથાર્થ જૈન દર્શનના રહસ્યને પામી, તેમનાં પત્રો દ્વારા તેમજ પરમશ્રુત
પ્રભાવક મંડળની સ્થાપના દ્વારા વાસ્તવિક જૈન દર્શનના પ્રચારનાં પ્રગરણ માંડયાં.
આનંદોદધિ ઉલ્લસ્યો; સમયસારના પરમ ગંભીર ભાવો ભાવુક હૃદયમાં પચાવતાં અમૃતસાગરનો અનુભવ થયો.
‘અહો! સ્વતંત્ર દ્રવ્ય, સ્વતંત્ર ગુણ, સ્વતંત્ર પર્યાય! દેહથી ભિન્ન, વિકારથી ભિન્ન, પરમ અદ્ભુત આનંદનિધાન!’
તે આનંદનિધાન બતાવનાર શ્રી સમયસારનું અને દિગંબર જૈન ધર્મનું સામ્રાજ્ય ગુરુદેવના હૃદયકમળમાં સ્થપાયું.
બસ, એ પવિત્ર પ્રસંગરૂપ મૂળિયામાંથી દિગંબર ધર્મના વ્યાપક પ્રચારનું વૃક્ષ આજે ફાલ્યું છે–જેના પરિણામે હજારો
ભવ્ય જીવો સત્ધર્મ પ્રત્યે પ્રેરાયા છે, લાખ ઉપરાંત સત્ધર્મનાં પુસ્તકો પ્રકાશન પામ્યાં છે અને જેના પરિણામે અમારા
આંગણે આજે દિગંબર જૈન ધર્મના અગ્રણી વિદ્વાનોનો વાત્સલ્યપૂર્ણ સત્કાર કરવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહો! જૈન દર્શન એ તો વસ્તુદર્શન છે કે જેનું જ્ઞાન થતાં જીવ પરાધીન દ્રષ્ટિથી છૂટી સ્વદ્રવ્યમાં સંતુષ્ટ થઈ શાશ્વત
સુખનિધિને પામે છે. એ પરમ કલ્યાણકારી દર્શનનું હાર્દ દરેક દ્રવ્યની સ્વતંત્રતા છે. તે સ્વતંત્રતાને પ્રકાશિત કરનાર
જ્ઞાનાંશનું–નિશ્ચયનયનું–નિરૂપણ કરીને વીતરાગ ભગવંતોએ આપણા પર પરમ ઉપકાર કર્યો છે. આપણને સૌને
ખેદની વાત છે કે જૈન દર્શનનું એ એક મુખ્ય અંગ–નિશ્ચયનય–આજે પક્ષઘાતથી પીડાઈ રહ્યું છે. જૈનસમાજમાં એ
નિશ્ચયનયના જ્ઞાનની ભારે ઉણપ વર્તી રહી છે. સમાજનો મોટો ભાગ એવી ભ્રમણામાં પડયો છે કે ‘જડ કર્મ
આત્માને હેરાન કરે છે,’ ‘વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાશે,’ ‘શુભ કરતાં કરતાં શુદ્ધતા થશે,’ ‘ઉપાદાનમાં
કાર્ય થવા માટે નિમિત્તની રાહ જોવી પડે છે.’ આવી અનેક માન્યતાઓ લોકોમાં જડ ઘાલીને પડી છે. આપણે
જાણીએ છીએ કે જ્યાં સુધી લોકોને નિશ્ચયનું જ્ઞાન નહિ થાય ત્યાંસુધી દ્રવ્યનું પરમ સ્વાતંત્ર્ય તેમને ખ્યાલમાં નહિ
આવે અને ત્યાંસુધી આવી ભ્રામક માન્યતાઓ નહિ ટળે તથા ખરું જૈનત્વ પ્રાપ્ત નહિ થાય. માટે જીવના
ત્રસસ્થાવરાદિ અને ગુણસ્થાનમાર્ગણાદિ ભેદો ઉપર તેમ જ કર્મની સ્થિતિ વગેરે ઉપર જે લક્ષ અપાય છે તે કરતાં
ઘણું વધારે લક્ષ જ્યારે ભેદવિજ્ઞાનના કારણભૂત અધ્યાત્મશાસ્ત્રોના જ્ઞાન ઉપર અપાશે તે દિવસ ધન્ય હશે, તે દિવસે
જ જૈન ધર્મની સંસ્કૃતિનો ખરો પ્રચાર થશે. અમારી પ્રભાવના પ્રેમ પ્રેરિત એ ભાવના છે કે આપ સમા જૈન દર્શનના
વિદ્વાનો દ્વારા સ્વતંત્ર દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ્ઞાન વિશેષ વિશેષ પ્રચાર પામો, નાની નાની પુસ્તિકાઓના પ્રકાશક
મારફત પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ એ
PDF/HTML Page 12 of 21
single page version
જ્ઞાન પામો, કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનનો પરમ મહિમા જનસમાજમાં વિસ્તારો અને નયાધિરાજ નિશ્ચયનયનો
હૃદયથી તેમનું સ્વાગત કરે છે. વિદ્વત્ પરિષદ્ તેને પરમ સૌભાગ્ય અને ગૌરવનો વિષય માને છે કે–આજ બે હજાર
વર્ષ બાદ પણ મહારાજે શ્રી ૧૦૦૮ વીર પ્રભુના શાસનના મૂર્તિમંત પ્રતિનિધિ ભગવાન કુંદકુંદની વાણીને સમજીને,
માત્ર પોતાને જ ઓળખ્યા છે એમ નહિં પરંતુ હજારો અને લાખો મનુષ્યોને એક જીવ ઉદ્ધારના સત્યમાર્ગ પર
ચાલવાનો ઉપાય દર્શાવી દીધો છે. પરિષદનો દ્રઢ વિશ્વાસ છે કે મહારાજનાં પ્રવચન, ચિંતન તથા મનન દ્વારા દિ. જૈન
ધર્મના સિદ્ધાંતોનું જે સ્પષ્ટીકરણ તથા વિવેચન થઈ રહ્યું છે તે માત્ર સાધર્મીઓની દ્રષ્ટિને અંતર્મુખ કરીને જ નહિ
અટકે પરંતુ તે સતત્ જ્ઞાન આરાધકોને અપ્રમત્તતાના સાક્ષાત્ પરિણામ આચરણ પ્રત્યે પણ પ્રયત્નશીલ બનાવશે,
તેમજ સર્વે મનુષ્યોને અંતર તથા બાહ્ય પરાધીનતાથી છોડાવનાર રત્નત્રયની પ્રાપ્તિ કરાવનારું વાતાવરણ સહજ જ
ઉત્પન્ન કરશે. તેથી આ અવસર પર અભિનંદન અને સ્વાગતની સાથે સાથે પરિષદ એ પણ ઘોષિત કરે છે કે, જે
તેઓશ્રીનું કર્તવ્ય છે તે અમારું જ છે તેથી આ પ્રવૃત્તિમાં અમે તેમની સાથે છીએ.
PDF/HTML Page 13 of 21
single page version
અમારી પ્રસન્નતા કયા શબ્દોમાં વ્યક્ત કરીએ? શ્રી કાનજી મહારાજ જગતમાં સ્થાયી શાંતિનો મૂળ મંત્ર–સ્વદ્રષ્ટિ–
સ્વાધિકારનું વિવિધરૂપ નિરૂપણ કરે છે. જગતમાં અશાંતિનું મૂળ કારણ એ છે કે પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર
અધિકાર જમાવવા ચાહે છે, તેને પોતાને અનુકૂળ પરિણમન કરાવવા ચાહે છે, દ્રવ્ય પોતાના જ ગુણ–પર્યાયોનું
સ્વામી છે અને પોતાના જ રૂપમાં પરિણમન કરે છે. પર દ્રવ્ય ઉપર કે તેના પરિણમન ઉપર તેનો કોઈ અધિકાર
નથી. પરંતુ મૂઢ પ્રાણી હંમેશા એમ ઇચ્છે છે કે જગતના બધા પદાર્થો મારી અનુકૂળતાએ પરિણમન કરે અને પર
પદાર્થોનું પરિણમન પોતાને અનુકૂળ કરાવવાની ધૂનમાં અનેક પ્રકારે હિંસા અને સંઘર્ષની ઉત્પત્તિ કરે છે. સંક્ષેપમાં–
પર પદાર્થોને પોતાને અનુકૂળ પરિણમાવવાની વૃત્તિ તે જ હિંસા છે અને સ્વાધિકાર–સ્વગુણપર્યાયાધિકાર તે જ
અહિંસા છે.
અમે તે બધાને અભિનંદન આપીએ છીએ અને ભગવાન જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના છે કે શ્રી કાનજી મહારાજ સો વર્ષ
સુધી ચિરજીવન પ્રાપ્ત કરે અને આપણને બધાને લાભ પહોંચાડતા રહે. અમે આપને ફરથી અભિનંદન કરીએ છીએ.
દુઃખદાયક માને છે. અશુભ લાગણીઓ તે તો ધગધગતા ડામ જેવી દુઃખદાયક છે, તેનાથી આત્માનો નિરાકૂળ આનંદ
લૂંટાય છે; અને શુભલાગણીથી પણ આત્માનો નિરાકૂળ આનંદ લૂંટાય છે, તેથી તે પણ દુઃખદાયક છે. આ
સમ્યગ્દ્રષ્ટિનું અંતરપરિણમન છે તે બહારથી દેખાય નહીં.
તે કારણે શુભ–અશુભવૃત્તિઓ આવી જાય છે, પરંતુ જ્ઞાની તેને સ્વપણે સ્વીકારતા નથી, તેથી તેમાં સુખબુદ્ધિ કેમ
હોય? પુરુષાર્થની નબળાઈ અને રાગ દ્વેષ તેને પણ આત્મામાં સ્વીકારતા નથી, સંયોગ તો પરદ્રવ્ય જ છે, એ પ્રમાણે
જ્ઞાની તો પોતાને એક જ્ઞાયક ભાવ જ માને છે. સમ્યગ્દર્શન થતાં તુરત જ જીવને વિષયાદિની આસક્તિ છૂટી જ જાય
એમ નથી, કેમ કે વિષયની આસક્તિ ટળવી તે તો ચારિત્રનું કાર્ય છે, પરંતુ વિષયાદિની રુચિ, સુખબુદ્ધિ તો અવશ્ય
ટળી જ જાય. (રુચિ તે શ્રદ્ધાનો દોષ છે અને વિષયની આસક્તિ તે ચારિત્રનો દોષ છે. શ્રદ્ધાનો દોષ ટળતાં
ચારિત્રનો દોષ પણ સાથે ટળી જ જાય– એવો નિયમ નથી. સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાનો દોષ તો ટળે છે, તેથી
પરદ્રવ્યમાં સુખબુદ્ધિ કે રુચિ હોતી નથી, છતાં આસક્તિનો રાગ હોય છે, તે ચારિત્રની અસ્થિરતા છે.)
PDF/HTML Page 14 of 21
single page version
જાણીને છોડવા માગે છે અને તેનું સ્વામીત્ત્વ માનતા નથી. જેમ કોઈને દસ્ત જવાનું થયું હોય, પણ તે જગ્યા દૂર હોય
તેથી ત્યાં જતાં સુધી કેટલોક વખત દસ્ત પેટમાં હોય, છતાં તેને તે દસ્તનું સ્વામીપણું નથી પણ જલ્દી છોડવા માગે
છે. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવ પણ પુણ્ય–પાપ ભાવોને વિષ્ટારૂપ માનીને છોડવા માગે છે. ‘પુણ્ય–પાપ મારું
કર્તવ્ય છે, અથવા પુણ્યથી મને લાભ છે’ એવી માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે પરંતુ હજી સ્થિરતાની કચાશને
લીધે પર્યાયમાં કેટલોક વખત તે પુણ્ય–પાપ રહી જાય છે, તેને જલ્દી છોડવાની ભાવના છે, તે હવે અલ્પકાળમાં જ
ટળી જવાના છે, સ્વભાવદ્રષ્ટિનું એવું જોર છે કે તે ઊર્ધ્વગતિએ સ્વભાવમાં પરિણમીને કેવળજ્ઞાન જ પ્રગટ કરે. જેને
સ્વભાવદ્રષ્ટિ થાય તેને સ્વભાવના જોરે પ્રતીત થાય કે સમયે સમયે મારી પર્યાયમાં શુદ્ધતા વધતી જ જાય છે, અને
વિકાર ટળતો જ જાય છે; એ કાર્ય સ્વભાવદ્રષ્ટિનું છે.
નથી, અને તેને વિકાર કરવાની ભાવના નથી. ખરેખર તે વિકાર કરતા નથી પણ સમ્યગ્દર્શનના જોરે સમયે સમયે
વિકારને ટાળે જ છે. અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવ છે અને તેના સર્વ પ્રયોજન સ્વયં પોતાથી જ સિદ્ધ છે, એવા
પોતાના સ્વભાવની રુચિ અને વિશ્વાસ થયા પછી જ્ઞાનીને અન્ય ભાવોની રુચિ કેમ હોય? સ્વભાવમાં કાંઈ
અધૂરાશ નથી, દરેક સમયે પરિપૂર્ણ સ્વભાવ છે, તે સ્વભાવની રુચિ પાસે એક વિકલ્પ માત્રની રુચિ સમ્યગ્દ્રષ્ટિને
સ્વપ્ને પણ હોતી નથી.
પોતાનું કર્તવ્ય માને તેને છોડે શી રીતે? માટે રાગરહિત સ્વરૂપની સાચી સમજણ વગર ખરેખર વિકાર છૂટે નહિ.
જેણે પુણ્યાદિ એક પણ વિકારને પોતાનો માન્યો તેને નિરંતર વિકારની જ ઉત્પત્તિ છે. સમ્યગ્દ્રષ્ટિ વિકારના એક
અંશને પણ આત્માનો માનતા નથી પણ વિકારરહિત જ્ઞાનસ્વભાવ છે તેને જ પોતાનો માને છે, તેથી તેમને
જ્ઞાનભાવની જ ઉત્પત્તિ છે. ચારિત્રની નિર્બળતાને લીધે જે અલ્પ રાગાદિ થાય છે તેનો અહીં શ્રદ્ધાના વિષયમાં
સ્વીકાર નથી. સમ્યગ્દર્શનરૂપી નિર્મળ જળપ્રવાહથી વિકાર અને કર્મરૂપી મેલને ક્ષણે ક્ષણે ધોઈ નાંખે છે.
ઘરમાં રહેવાનો નથી અને ઘરના માણસો પણ તેને જલ્દી બહાર કાઢવા ઇચ્છે છે. તેમ જ્ઞાનીઓએ પોતાના શુદ્ધ
સ્વભાવની ઓળખાણના જોરથી સર્વ પુણ્ય–પાપને વિકાર તરીકે જાણી લીધા છે. પહેલાં અજ્ઞાન અંધકારને લીધે
અવિકાર સ્વભાવ અને વિકારભાવ વચ્ચેના ભેદની ખબર ન હતી પણ જ્ઞાનપ્રકાશ વડે તે ભેદ જાણ્યા પછી જ્ઞાનીઓ
વિકારને જલ્દી છોડવાની ભાવના કરે છે. પુરુષાર્થની અસ્થિરતાને લીધે સર્વ પુણ્ય–પાપ દૂર કરતાં થોડો કાળ લાગે
છે; પરંતુ તે ભાવોને વિકાર તરીકે જાણી લીધા હોવાથી હવે તે આત્મામાં લાંબો કાળ ટકી શકશે નહિ. સમ્યગ્દર્શન વડે
પૂર્ણસ્વભાવની ભાવના અને એકાગ્રતાના જોરે અલ્પકાળમાં મુનિદશા અને કેવળજ્ઞાન પ્રગટ કરીને સર્વ વિકારનો
ક્ષય કરશે. આ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે.
પરિણમન થયા કરે છે તેથી ભોગની લાગણી વખતે પણ તેનાથી ભિન્ન ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનપણે જે
પરિણમન છે તે ખરેખર નિર્જરાનું કારણ છે; પણ જે વિકારની લાગણી છે તે
PDF/HTML Page 15 of 21
single page version
દોષ છે. ભોગ ભોગવવાને મુક્તિ થશે–એમ સમ્યગ્દ્રષ્ટિ કદાપિ માનતા નથી, પણ તેઓ જાણે છે કે જ્યારે ભોગની
લાગણીઓને તોડીને, સર્વ સંગ પરિત્યાગી થઈ સ્વરૂપની સાધક નિર્ગ્રંથ મુનિદશા અંગીકાર કરી સ્વરૂપ સ્થિરતા
કરીશ ત્યારે જ મુક્તિ થશે. સમ્યગ્દ્રષ્ટિને કષાયમાં સ્વામીત્વ રહ્યું નથી, તેઓએ પોતાના અકષાય જ્ઞાનસ્વભાવને
જાણ્યો છે અને અકષાય દશાની ભાવના કરે છે કે–અહો! ક્યાં મારું સિદ્ધપદ! મારું પરમ શાંત, પરમ વીતરાગસ્વરૂપ
તેના વેદનનો અનાકુળ પરમાનંદ ક્યાં અને આ કષાયની આકુળતાનું વેદન ક્યાં?
જો ત્યાં જ આશ્રય માનીને અટકી જાય અને પોતાના સ્વભાવના આશ્રય તરફ ન ઢળે તો તેને પણ સમ્યકત્વ દશા
પ્રગટે નહિ. આ સમ્યગ્દર્શન પોતે જ ધર્મ છે. જે સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટયું તે જ સ્વભાવના વિશેષ
આશ્રયે કેવળજ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટે છે, સ્વભાવના આશ્રય સિવાય અન્ય કોઈ ઉપાય નથી.
માન્યાં તેણે સમ્યગ્દર્શન ધર્મ કઠણ અને ચારિત્ર ધર્મ તેના કરતાં સહેલો–એમ માન્યું. તેણે સ્વભાવ દશાની ના પાડી
અને વિકારભાવની હા પાડી–એટલે તેને સ્વભાવની અરુચિ અને વિકારની રુચિ છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રતાદિ પહેલાં
સમ્યગ્દર્શન હોવું જોઈએ. એ સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત છે, તેના વગર ધર્મ હોતો જ નથી, એટલે કે
સમ્યગ્દર્શન વગર જે કરે તે બધું અધર્મ છે અને સંસારનું કારણ છે.
ગુણસ્થાને) અશુભભાવ જ ગણવામાં આવ્યા છે. મિથ્યાદ્રષ્ટિજીવ પૂજા, ભક્તિ, દાન વગેરેના ભાવ કરે, પરંતુ ‘આ
શુભરાગથી મને લાભ છે’ એવા તેના મિથ્યા અભિપ્રાયમાં અનંતાનુબંધી કષાયને તે પોષી રહ્યો છે, તો તેને ખરેખર
મંદ કષાય પણ કેમ કહેવો? તેને ખરેખર તો સદા તીવ્ર કષાય જ છે. વાસ્તવિકપણે મંદ કષાય પણ ત્યારે જ થાય કે
જ્યારે કષાયને જ પોતાનું સ્વરૂપ ન માને અને પોતાના કષાયરહિત જ્ઞાનસ્વભાવને ઓળખે. આત્માની પ્રતીત થયા
પછી સમ્યગ્દ્રષ્ટિને તીવ્ર કલુષતા થતી નથી. સમ્યગ્દ્રષ્ટિને લડાઈનો કષાય હોવા છતાં પણ તે તીવ્ર કષાય નથી; કેમકે
આ કષાય મારું સ્વરૂપ નથી અને તે મારું કર્તવ્ય નથી એવું ભિન્ન સ્વભાવનું ભાન હોવાથી સ્વભાવની હદ ચૂકીને
કષાય થતો નથી એટલે તે કષાય મર્યાદિત છે. અજ્ઞાની જીવ પૂંજણીથી પૂંજતો હોય અને દયાભાવ કરતો હોય તો
પણ તેને તે રાગ–કષાય સાથે એકત્વબુદ્ધિ હોવાથી સ્વભાવની હદ ચૂકીને તે કષાય છે અને તેથી તીવ્ર કષાય છે. માટે
કષાય ટાળવાનો સાચો ઉપાય પણ સમ્યગ્દર્શન જ છે.
કે જડની ક્રિયાને પોતાનું કર્તવ્ય માનતા નથી, અને એમ સમજે છે કે બધા આત્મા મારા સમાન જ ચિદ્સ્વરૂપ છે,
મારો કોઈ શત્રુ કે મિત્ર નથી. આવા સમ્યક્ અભિપ્રાયના જોરે તેમને જુનાં કર્મો અને વિકાર પણ ખરી જ જાય છે
અને શુદ્ધતા વધતી જાય છે; એ મહિમા સમ્યગ્દર્શનનો જ છે. જે અલ્પ બંધ થાય છે તે અસ્થિરતાના કારણે થાય છે,
પણ તેમાં સમ્યગ્દર્શનનો દોષ નથી.
છે. અહીં ‘સમ્યગ્દ્રષ્ટિને કષાય થાય તો વાંધો નહિ’ એમ બતાવવું નથી પરંતુ કષાય વખતે પણ સમ્યક્ત્વનું
પરિણમન કેવું શુદ્ધ હોય છે તે બતાવીને સમ્યગ્દર્શનના કાર્યનો મહિમા જણાવવો છે.
PDF/HTML Page 16 of 21
single page version
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના પરિણામને સ્વાધીન માનતા હોવાથી, સામો વિરોધીજીવ મારી નાખવા જેવો છે એવા તીવ્ર
હિંસક ભાવ તેમને કદી થતા નથી અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિને સંકલ્પી હિંસા કદી હોતી નથી. કોઈ એકેન્દ્રિય જીવ પણ
મારી નાખવા જેવો છે એવો હિંસાનો સંકલ્પ (–અભિપ્રાય) સમ્યગ્દ્રષ્ટિને ન હોય. સમ્યગ્દ્રષ્ટિને કદાચિત્ વિરોધિની,
ઉદ્યોગિની કે આરંભી હિંસાના પરિણામ હોય, પરંતુ તે પણ કરવાનો અભિપ્રાય તો તેમને હોતો નથી, અને હિંસાના
જે પરિણામ થાય તેને તેઓ પાપ સમજે છે. ‘ચોથા ગુણસ્થાને તો વિરોધિની વગેરે હિંસાનો સદ્ભાવ કહ્યો છે માટે
આપણને જે જીવો પ્રતિકૂળ હોય તેને મારવા તે આપણી ફરજ છે અને તેમાં પાપ નથી.”–એમ જે માને તે તો
મિથ્યાત્વ સહિતના તીવ્ર પાપપરિણામવાળો છે અથવા તો તે હિંસાધર્મી (હિંસામાં ધર્મ માનનારો) છે.
દુઃખમુક્ત થઈ જાય છે–એમ માને તેણે પુનર્જન્મ માન્યો નથી એટલે તે નાસ્તિક છે. માંસ વગેરેનો આહાર કે
પંચેન્દ્રિય જીવોની હિંસાના પરિણામ સમ્યગ્દ્રષ્ટિને તો ન હોય, પરંતુ આર્ય માણસને પણ ન હોય.
તારતા નથી. ભગવાન કોઈના થયા નથી, ભગવાને અન્યનું કાંઈ કર્યું નથી, પણ જે જીવ પોતે સ્વભાવને સમજીને
તરવાનો ઉપાય કરે છે તે વિનયથી ભગવાનમાં ઉપચાર કરીને તેમને ‘તરણતારણહાર’ કહે છે. જેમ ખાલી બારદાન
હોય, તેમાં જો સાકર ભરો તો તેને ‘સાકરનો કોથળો’ કહેવાય અને જો કડવું કરિયાતું ભરો તો ‘કડવા કરિયાતાનો
કોથળો’ કહેવાય; જેવો માલ ભરે તેવો કોથળો કહેવાય, પણ ખરેખર તો કોથળો સાકરનો પણ નથી અને કડવા
કરિયાતાનો પણ નથી, કોથળો તો શણનો છે; તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર તો બારદાન સમાન છે. જેવો માલ પોતે ભરે
તેવો તેમનામાં આરોપ કરાય. જો પોતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરે તો તેમને ‘તરણતારણહાર’ ઇત્યાદિ
ઉપચારથી કહેવાય અને જો રાગ કરે તો રાગના નિમિત્ત કહેવાય છે.
સમજાવવા માટે છે; ખરેખર જ્ઞાનીઓ પરને ભોગવવાનું માનતા જ નથી, અને રાગ થાય તેની પણ તેમને રુચિ
નથી, એટલે નિશ્ચયથી તો તેઓ રાગના ભોક્તા પણ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગાદિ વિકારને વિષ્ટા સમાન જાણીને
છોડવા માગે છે. જેમ કોઈને પેટમાં આંતરની ગતિ ઉલટી થઈ જાય અને મોઢેથી ઉલટી દ્વારા વિષ્ટા નીકળે તો કોઈ
માણસ તેની રુચિ કરતો નથી તેમ જ તેના સ્વાદનો ભોક્તા પોતાને માનતો નથી પણ તે ઝટ કાઢી નાંખવા માગે છે.
તેમ સમ્યગ્દ્રષ્ટિને પુરુષાર્થની મંદતાથી જે રાગાદિ વિકાર થાય છે તેને તે વિષ્ટા સમાન જાણે છે, ચારિત્રનું ઊલટું
પરિણમન થઈને તેની ઉત્પત્તિ થઈ છે, જ્ઞાની તે વિકારના સ્વાદને પોતાનો માનતો નથી, તેની રુચિ નથી; અનાકુળ
સ્વભાવના સ્વાદ પાસે તે વિકારનો સ્વાદ વિષ્ટા સમાન જાણે છે. ચારિત્રસ્વભાવની સવળી ગતિથી તે ભાવ ઉત્પન્ન
થયો નથી પણ ઊંધી ગતિએ તેની ઉત્પત્તિ થઈ છે.
ભાવના હોય છે. જ્ઞાનીઓને કોઈ પણ પ્રકારના રાગ પ્રત્યે રુચિ ઉપજતી નથી માટે તેમનો રાગ નિર્જરા ખાતે જ છે
અને તેમને કર્મ લાગતું નથી.
કુશાસ્ત્રની માન્યતારૂપ પાપ; તેનું વર્ણન પહેલાં આવી ગયું છે. આ કાળમાં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા બહુ વધી
પડી છે, તેને અહીં ‘કલિકલુષપાપ’ કહ્યું છે.
PDF/HTML Page 17 of 21
single page version
તેવા જીવને કલિયુગના કલુષપાપની વાસના છૂટી નથી. મુનિપદ તો નિષ્પરિગ્રહ–નિર્ગ્રંથ છે. સાચું મુનિપદ પોતે
પ્રગટ ન કરી શકે તો તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં દોષ નથી, પરંતુ જો મુનિપણાનું સ્વરૂપ જ અન્યથા માને તો તે
સમ્યગ્દર્શન–ભ્રષ્ટ છે.
કે–“કુગુરુઓએ લોકને અવળો માર્ગ બતાવી ભૂલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે એટલે જીવ માર્ગમાં કેમ
આવે?” જગતના જીવોને મિથ્યાત્વપાપથી છોડાવવા માટે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે કરુણા કરીને આ
દર્શનપાહુડમાં બેધડકપણે સત્યને જાહેર કર્યું છે, માટે સત્–અસત્નો નિર્ણય કરીને સત્યનો હકાર લાવો.
સત્યમાર્ગનું બીજું સ્વરૂપ કદાપિ છે જ નહિ.
દેવગુરુ–શાસ્ત્રની માન્યતા સંતાડાય નહિ અર્થાત્ તેમાં ગોટા કે અનિર્ણય ન ચાલે, પણ સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો
નિર્ણય કરીને અસત્ દેવ–ગુરુ–શાસ્ત્રને પ્રગટપણે છોડી દેવા જોઈએ.
તો તેથી મિથ્યાત્વ દોષ નથી. પણ નિર્ગ્રંથ મુનિ સિવાય બીજાનો સાચા સાધુ તરીકે આદર થઈ શકે નહિ. જો પરિગ્રહ
સહિતને મુનિ માને તો મિથ્યાત્વ દોષ છે. કોઈ પણ હેતુથી કુદેવ–કુગુરુને માને તો તેમાં મિથ્યાત્વ જ છે. સત્ધર્મના
માર્ગમાં સમ્યગ્દ્રષ્ટિઓ સિવાય અન્ય કોઈને પણ વંદન થઈ શકે નહિ. આમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી, સામો
જીવ અજ્ઞાની હોય તો તેના ભાવનું નુકશાન તેને છે, એના ભાવ સાથે બીજા જીવને સંબંધ નથી. આ તો સત્યનો
પક્ષ છે. પોતાના જ્ઞાનમાં સત્યનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ.
તો પોતાની યોગ્યતાનો વિચાર કરીને ચોકખી ના પાડે છે, પણ સંબંધ રાખવા માટે ય થોડું માંસ ખાતો નથી. ત્યાં
સમજે છે કે માંસાહારી મનુષ્ય સાથે ખાવા–પીવાનો સંબંધ મારે ન હોય. તેમ જે જીવને ધર્મ કરવો છે તેણે
મિથ્યાત્વની પુષ્ટિ કરનારા તત્ત્વોને ઓળખીને તેની સાથેનો સંબંધ છોડી દેવો જોઈએ. મિથ્યાત્વનું પાપ માંસભક્ષણ
સમાન જ છે.
પ્રાણ જાય આર્ય માણસને માંસનો આદર કરવાની વૃત્તિ જ થાય નહિ. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવો ગમે તેમ થાય
તો પણ આત્માની શ્રદ્ધારહિત જીવોને નમસ્કાર કરે નહિ.
નથી. પોતાના જ્ઞાનમાં સત્યભાવ તે જ મિત્ર છે અને જ્ઞાનમાં મિથ્યાત્વ તે જ શત્રુ છે. એક આત્માની નિંદા કરવા
કોઈ પર આત્મા સમર્થ નથી. કોણ કોની નિંદા કરે! બધાયના ભાવ પોતપોતાની પર્યાયમાં જ કાર્ય કરે છે. જગતમાં
કોઈ કોઈનો વેરી નથી–વિરોધી નથી, મિત્ર નથી–સંબંધી નથી. પણ પોતાના આત્મા માટે જ્ઞાનને સમ્યક્ કરવા
માટેની આ વાત છે, પરને માટે વાત નથી, સમ્યગ્દ્રષ્ટિઓ સ્વપ્ને પણ પરને વેરી કે મિત્ર માનતા નથી. પરંતુ તેથી
કરીને એમ ન સમ–
PDF/HTML Page 18 of 21
single page version
જવું કે તેઓ સત્ય અને અસત્યને સમાન ગણે છે. તેઓ સત્ય અસત્યનો બરાબર વિવેક કરીને અસત્યનો આદર
જરા પણ કરતા નથી. તેથી–
બંધાતા નથી અને જુનાં કર્મો પણ ટળી જાય છે.
દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.)
નિમિત્ત તરફની દલીલ મૂકે છે–
દેવ–ગુરુ–શાસ્ત્ર કે પુણ્યથી લાભ થાય, તીર્થંકર ગોત્રનો ભાવ સારો–એવા પ્રકારની ઊંધી માન્યતાની દલીલ તો હવે
નિમિત્તે છોડી દીધી છે પણ ઉપરની દશામાં નિમિત્તનો આધાર છે એવી દલીલ કરે છે.
આત્માની સાચી ઓળખાણ પછી સ્થિરતા થતાં ભલે મહાવ્રતાદિના વિકલ્પને છોડી દો, પરંતુ વસ્તુને ધ્યાનમાં ધારવી
તો પડશેને? વસ્તુમાં સ્થિરતા કરવા જતાં રાગમિશ્રિત વિચાર આવ્યા વગર રહેશે જ નહિ. માટે રાગ પણ
નિમિત્તરૂપે આવ્યો કે નહિ? જુઓ નિમિત્ત ક્યાં સુધી પહોંચ્યું? ઠેઠ સુધી નિમિત્તની જરૂર પડી છે–એથી નિમિત્તનું જ
જોર છે–આ નિમિત્તની છેલ્લી દલીલ છે.
મદદગાર નથી; નિમિત્તદ્રષ્ટિવાળો તો તે વિકલ્પને જ મોક્ષમાર્ગ સમજી લે છે એ જ દ્રષ્ટિની ભૂલ છે.
તેને અભેદસ્વભાવનું ભાન નથી એટલે તે એમ માને છે કે ધ્યાન કરતાં વચ્ચે ભેદ ભંગનો વિકલ્પ આવ્યા વગર રહેતો
નથી માટે તે વિકલ્પ જ ધ્યાનમાં મદદગાર છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં જ અંતર છે.
દલીલ છે. આ દલીલમાં હવે પરની કાંઈ લપસપ રાખી નથી, હવે તો અંદરમાં જે વિકલ્પરૂપ
PDF/HTML Page 19 of 21
single page version
તોર કર્મકે જાલકો જોર લઈ શિવપ્રીતિ. ૩૯.
થાય છે, તે વિકલ્પ રાખીને કદી મુક્તિ થઈ શકતી નથી. ધ્યાનની ધારણા છોડીને એટલે કે ‘સ્વભાવમાં ઠરું’ એનો
વિકલ્પ ઊઠે તે વિકલ્પ છોડીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે; માટે એકલા ઉપાદાનના જોરથી
જ કાર્ય થાય છે, પરંતુ નિમિત્તથી કાર્ય થતું નથી. અહીં ઉપાદાન તે નિશ્ચય અને નિમિત્ત તે વ્યવહાર એ રીતે લીધું છે.
સ્વભાવમાં એકાગ્રતારૂપ અભેદ પરિણતિ તે નિશ્ચય છે, તે જ ઉપાદાન છે, તે જ મોક્ષનું કારણ છે અને ભેદરૂપ
વિકલ્પ ઊઠે તે વ્યવહાર છે, તે નિમિત્ત છે, તે મોક્ષનું કારણ નથી. ધ્યાનની ધારણા છોડવાથી કેવળજ્ઞાન થાય છે, તેમ
જ કેવળજ્ઞાન થયા પછી પણ મન, વચન, કાયાના યોગનું કંપન હોય છે તે પણ મોક્ષનું કારણ નથી, તે યોગની
આ રીતે ૩૯ દોહા સુધી ઉપાદાન નિમિત્તે સામ સામી દલીલો કરી, તે બંનેની દલીલોને બરાબર જાણીને
આત્માને પરાશ્રિત બતાવે છે. તેમાં આત્માને અને દરેક વસ્તુઓને સ્વાધીન બતાવનાર ઉપાદાનની વાત તદ્ન સાચી
જ છે અને આત્માને તથા દરેક વસ્તુઓને પરાધીન બતાવનાર નિમિત્તની વાત તદ્ન ખોટી છે, માટે નિમિત્તનો
તો નિમિત્તની નાસ્તિ છે. ઉપાદાનની બહાર જ તે લોટે છે, પરંતુ ઉપાદાનમાં તે પ્રવેશતું નથી તેમ જ દૂરથી પણ તે
કાંઈ જ અસર, મદદ કે પ્રેરણા આપતું નથી. કોઈ એમ કહે કે “નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી પરંતુ જેવું નિમિત્ત
આવે તેને અનુસાર ઉપાદાન સ્વયં પરિણમે છે”–તો એ વાત પણ તદ્ન મિથ્યા અને વસ્તુને પરાધીન બતાવનારી
છે. નિમિત્ત હોય તે અનુસાર ઉપાદાન પરિણમતું નથી–પરંતુ ઉપાદાન પોતે પોતાની તાકાતથી સ્વાધીનપણે જ
સાંભળતા હોય, ત્યાં વાણી તો બધાને માટે સરખી જ છે છતાં જે જીવો પોતાના ઉપાદાનની જાગૃતિ કરી જેટલું
સમજ્યા તે જીવોને તેટલું નિમિત્ત કહેવાણું; કોઈ બાર અંગનું જ્ઞાન કરે તો તેને બાર અંગ માટે ભગવાનની વાણીનું
નિમિત્ત કહેવાય, કોઈ જરાય ન સમજે તો તેના માટે જરાય નિમિત્ત ન કહેવાય, કોઈ ઊંધુંં સમજે તો તેની ઊંધી
સમજણમાં નિમિત્ત કહેવાય.
PDF/HTML Page 20 of 21
single page version
આથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સ્વાધીનપણે જ કાર્ય કરે છે, નિમિત્ત તો માત્ર આરોપ રૂપ જ છે. શ્રીભગવાન પાસે
અને સાચા ગુરુ પાસે અનંતવાર ગયો પણ ભડનો દીકરો પોતે જાગૃત થઈને પોતની ભૂલ કાઢે ત્યારે સાચું સમજેને?
કાંઈ દેવ કે ગુરુ તેના આત્મામાં પ્રવેશી જઈને તેની ભૂલને બહાર કાઢે? જેમ સિદ્ધ ભગવાનનું જ્ઞાન લોકાલોકને
પરિણમનમાં નિમિત્ત છે, પરંતુ શું સિદ્ધ ભગવાન લોકાલોકના કોઈ પદાર્થને પરિણમાવે છે? કે તેની કાંઈ અસર
પરદ્રવ્યો ઉપર થાય છે? તેમ કાંઈ થતું નથી; સિદ્ધ ભગવાનના જ્ઞાનની જેમ, સર્વત્ર સમજી લેવું કે નિમિત્ત માત્ર
હાજરરૂપ છે, તે કોઈને પરિણમાવતું નથી કે તેની અસર ઉપાદાન ઉપર જરાપણ થતી નથી. માટે ઉપાદાનનો જ
વિજય છે. દરેક જીવ પોતપોતાના એકલા સ્વભાવના અવલંબને જ ધર્મ પામે છે, કોઈપણ જીવ પરના અવલંબને
ધર્મ પામતો નથી. –૩૯–
ઉ.–જ્યારે આત્મા અને સિદ્ધમાં સરખાપણું સ્વીકારે ત્યારે. જ્યાં સુધી સિદ્ધમાં અને આત્મામાં કાંઈ ફેર માને
ઉ.–સિદ્ધ પ્રભુ સંપૂર્ણ જ્ઞાનવડે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તેઓને રાગાદિ નથી તથા પરદ્રવ્યનું કાંઈ
જ્ઞાન કરે છે અને સાથે રાગ કરીને તે રાગને વેદે છે. અજ્ઞાની જીવો રાગ અને જ્ઞાનને એકમેકપણે અનુભવે છે તેમજ
પર દ્રવ્યનું હું કરૂં એમ તે મિથ્યા માને છે, જ્ઞાની જીવને રાગ હોવા છતાં તેઓ રાગ અને જ્ઞાનને ભિન્નપણે જાણતા
હોવાથી જ્ઞાન સ્વભાવને જ પોતાપણે અનુભવે છે, રાગને પોતાનું સ્વરૂપ માનતા નથી અને પરનું હું કરું એમ માનતા
ઉ.–જગતને આત્માની પવિત્રતાની ઓળખાણ નથી અને જડના સંયોગથી માપ કરે છે, તેની દ્રષ્ટિમાં તો
પર સંયોગથી મોટપ કે હીણપ નથી પણ પોતાના જ ભાવથી મોટપ કે હીણપ છે. જેઓએ પોતાના આત્માને
સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવોવડે શોભિત કર્યા તે જ જીવ ત્રણ જગતમાં મોટા છે, અને મિથ્યાદર્શનાદિ ભાવો વડે
પોતાના આત્માને મલિન કર્યા તે જ જીવ હીણપવાળા છે. સમ્યગ્દ્રષ્ટિ જીવનો મહિમા અપાર છે મિથ્યાદ્રષ્ટિ જીવ
પુણ્યને કારણે કદાચ સંસારમાં મોટો કહેવાય તોપણ તે ખરી મોટપ નથી. પુણ્ય તે વિકાર છે–દોષ છે, તેના વડે જીવને
ખરેખર શોભા નથી, પણ સમ્યગ્દર્શનાદિ ગુણો વડે જ જીવની શોભા છે. સંસારની મોટપ પુણ્યના આધારે છે, ધર્મમાં
ઉ.–આ આત્માની અને સિદ્ધના આત્માની શક્તિમાં જરા પણ અંતર નથી. જો આત્માને સિદ્ધ સમાન
વિકાર પણ હોય એટલે તેણે પોતાના આત્માને વિકારીસ્વભાવવાળો માન્યો. જે પોતાના આત્માને વિકાર
સ્વભાવવાળો માને તે વિકારનો આદર કરે એટલે તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સિદ્ધને અને આ આત્માને પર્યાયમાં ફેર હોવા
છતાં ત્રિકાળી શક્તિમાં જરા પણ ફેર નથી. જો પરમાર્થે સિદ્ધભગવાનની અને આ આત્માની શક્તિમાં કાંઈ ફેર માને
તો તે અનંત સંસારમાં રખડે. પોતાના આત્માને સિદ્ધસમાન પરિપૂર્ણ માન્યા વગર પર્યાયમાં સિદ્ધ થવાની લાયકાત
ઉ.–જે આત્માનો સ્વભાવ ન હોય પણ વિભાવ હોય તે ટળી જાય, પણ જે આત્માનો સ્વભાવ હોય તે ટળે
હોવાથી તે પ્રગટયા પછી તેનો કદી નાશ થતો નથી.