Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૦
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।


વર્ષ પાંચમું : સંપાદક : માગશર
રામજી માણેકચંદ દોશી
અંક બીજો વકીલ ૨૪૭૪
શાસનસ્થંભ કુંદકુંદ – આચાર્યદેવ
(માગશર વદ ૮ ના પવિત્ર દિવસે મહાન ઉપકારી પ્રભુ કુંદકુંદાચાર્યદેવની ચરણ સેવના)
[સુંદર સુવર્ણપુરીમાં.એ રાગ.]
આજે મંગળકારી મહા સૂર્યોદય ઊગીયો રે,
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર–
–શ્રીકુંદકુંદપ્રભુજી શાસન શિરોમણી થયારે.... આજે. ૧.
– સાખી –
શ્રી મહાવીર જિણંદના કેડાયત કુંદનાથ;
વીરશાસનનો તું થાંભલો, થંભાવ્યો મુક્તિનો રાહ.
જેને આચાર્યની પદવી આજે શોભતી રે,
જેની જળહળ જ્યોતિ ઝળકે દશ દિશિમાંય–
–જેને જોવાને ઇંદ્રોના ટોળાં ઊતર્યા રે. . . . . આજે. ૨.
શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરંતાં ભગવાન;
સીમંધર જિનનાથના સાક્ષાત દર્શન કરનાર.
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે,
જેની આત્મશક્તિની કરવી શું વાત?
તેના ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે.... આજે. ૩.
વનવાસી ઓ મુનિવરા! આત્મધ્યાને મગ્ન;
આતમ સાધન સાધતા અહો દિગંબર સંત.
જેના પાદચરણને પૂજે સહુ નર નારીઓ રે,
જેની વાણી સુણવા આવે ચારે તીર્થ–
એવા સંતોના ચરણની ઈચ્છું સેવના રે... આજે. ૪.
કુંદહૃદયને ઓળખાવનાર ગુરુ કહાન છે રે,
જેના મુખ કમળથી વરસે અમૃતમેહ–
–સુણવા ભક્તજનોના ટોળાં ‘સ્વર્ણે’ ઊતરે રે,
–એવા સદ્ગુરુદેવની સેવક ઈચ્છે સેવના રે.... આજે. પ.
ત્ત્
હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી
થઈ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ
કર કે જેથી પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી જુદો વિલસતો દેખી આ શરીરાદિ
મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે.
–આત્મખ્યાતિ–
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
[તા. ૧૫ મી ઓગષ્ટની પ્રભાતે પૂજ્ય
ગુરુદેવશ્રીએ કરેલ માંગળિકના આધારે]
: ૧૮ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
સ્વતંત્રતા
અને સુખ

હે જીવો! જો તમે તમારી સ્વતંત્રતા અને સુખ ચાહતા હો તો પરના આશ્રયે મારું સુખ છે એવી માન્યતા
છોડો...પર વસ્તુ ઉપર મારી સત્તા ચાલે છે એવી માન્યતા છોડો. ‘મારા સુખનો કોઈ પર સાથે સંબંધ નથી, હું
બધાય પર પદાર્થોથી છૂટો છું, મારા જ્ઞાન સામ્રાજ્યમાં મને વિઘ્ન કરનાર કોઈ નથી અને હું મારા જ્ઞાન
સામ્રાજ્યવડે બધા પદાર્થોને જેમ જાણું છું તેમ જ તેમાં થાય છે’–આવી યથાર્થ ઓળખાણપૂર્વક પરાશ્રયભાવ
છોડીને સ્વાશ્રયભાવમાં ટકવું તે જ સ્વતંત્રતા છે–તે જ સુખ છે.
સ્વતંત્રતા તેને કહેવાય કે જેમાં પોતાના સુખ માટે કોઈ બીજાના આશ્રયની જરૂર ન પડે; પણ પોતે જ
સ્વાધીનપણે સુખી હોય; અને પોતાનું સ્વાધીન સુખ એવું હોય કે જેને કોઈ પણ સંયોગો હાનિ ન પહોંચાડી
શકે! એવો સ્વાધીન સુખરૂપ તો આત્મસ્વભાવ છે. તે સ્વાધીનતા કોણ મેળવી શકે?–અને પરાધીનતાની
ગુલામી કોણ તોડી શકે?
મારું સુખ મારા આત્મામાં છે, કોઈ પણ સંયોગોને આધીન મારું સુખ નથી, પણ મારું જ્ઞાન જ સ્વયમેવ
સુખશાંતિરૂપ છે–એમ જેને પોતાના જ્ઞાનસ્વભાવની ઓળખાણ ન હોય તેવા અજ્ઞાની જીવો ‘મારું સુખ
પરવસ્તુના આધારે છે, અને પર સંયોગો અનુકૂળ હોય તો જ મારું સુખ ટકી શકે’ એમ માને છે; તેવા જીવો
સદાય પરાશ્રયપણે સંયોગોમાંથી સુખ ઈચ્છે છે–એટલે તેઓ સંયોગોના ગુલામ છે, તેઓ સ્વાધીન
આત્મસ્વભાવને નહિ જાણતા હોવાથી કદી પણ સ્વતંત્રતા પામતા નથી. પોતાના સુખ માટે પરાશ્રયપણું માનવું
તે જ મહાન ગુલામી છે અને તેનું જ અનંત દુઃખ છે, એ ગુલામી અજ્ઞાનપણે જીવ અનાદિથી કરતો આવે છે.
એ ગુલામીનાં બંધન કોણ છોડે?
એ ગુલામી જીવે પોતે પોતાના સ્વભાવને ભૂલીને ઊંધી માન્યતાથી સ્વીકારી છે. તેથી પોતે જ
સ્વભાવની સાચી ઓળખાણથી તે ગુલામીના બંધનને તોડી શકે છે, પણ તેને ગુલામીના બંધનમાંથી મુક્ત
કરનાર કોઈ બીજો નથી.
જ્ઞાનીઓએ પોતાનો સ્વભાવ જાણ્યો છે; આત્માનો સ્વભાવ સંપૂર્ણ સ્વતંત્ર પોતાથી જ પરિપૂર્ણ સુખરૂપ
છે તેને કોઈ પણ સંયોગોની અપેક્ષા નથી–એમ જ્ઞાનીઓ જાણતા હોવાથી તેઓ કદી પણ પોતાના સુખ માટે
પરાશ્રયની જરૂર માનતા નથી; તેથી એવા જ્ઞાનીઓ જ સ્વાશ્રય સ્વભાવની એકાગ્રતારૂપ અહિંસાના જોરે
પરાશ્રયરૂપ ગુલામીના બંધનને સર્વથા છેદીને, સંપૂર્ણ સ્વત્રંતદશામાં સિદ્ધ ભગવાનપણે બિરાજે છે.
એવી પરમ આત્મસ્વતંત્રતા જયવંત રહો.
એવી પરમસ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય ભેદજ્ઞાન છે, માટે આત્માની સાચી સ્વતંત્રતા અને
સુખના ઈચ્છુક સર્વ જીવોએ એ ભેદજ્ઞાનનો જ અભ્યાસ કરવો તે કર્તવ્ય છે. જેને ભેદજ્ઞાન નથી તે જ ગુલામ છે,
જેને ભેદજ્ઞાન છે તેઓને જ સ્વતંત્રતાની શરૂઆત થઈ છે, ને તેઓ પૂર્ણ સ્વતંત્રતાની સાધના કરીને સિદ્ધદશા
પ્રગટ કરે છે; તે જ સ્વતંત્રતા ને સુખ છે.
. કતવ્ય .
દેવ–ગુરુ–ધર્મ ઉપર આફત આવે ત્યારે રાગ–દ્વેષ કરવો જોઈએ–એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. દેવ–ગુરુ–ધર્મને
ખાતર પણ રાગ–દ્વેષ કર્તવ્ય નથી. જીવને હરેક પ્રસંગે–હરેક સમયે વીતરાગ ભાવ જ કર્તવ્ય છે, રાગભાવ કયારે ય પણ
કર્તવ્ય નથી. જ્યારે વીતરાગ ભાવ પૂરો ન થઈ શકે અને દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે ઉપર રાગ–દ્વેષ થાય ત્યારે પણ તે
કર્તવ્ય નથી. જે રાગને કોઈ પણ વખતે કર્તવ્ય માને છે તે પોતાના વીતરાગી જ્ઞાન સ્વભાવને માનતો નથી, તે
મિથ્યાદ્રષ્ટિ છે. અને જેણે પોતાના વીતરાગી જ્ઞાનસ્વભાવને જાણ્યો છે તે જીવો કોઈ પણ વખતે રાગને કર્તવ્ય માનતા
નથી, પણ રાગરહિતપણે બધાનું જ્ઞાયક રહેવું એ જ એક કર્તવ્ય માને છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ બધાને માત્ર જાણવાનો છે, જાણવામાં કાંઈપણ રાગદ્વેષ
કરવો તે જ્ઞાનનો સ્વભાવ નથી. જે રાગ થાય તે જ્ઞાનસ્વભાવથી ભિન્ન છે–આવું ભેદવિજ્ઞાન કરવું તે ધર્મી જીવોનું
કર્તવ્ય છે–એ ભેદવિજ્ઞાન જ ધર્મ છે. જેમ દેવ–ગુરુ–ધર્મના કારણે રાગ–દ્વેષ કર્તવ્ય નથી તેમ દેશ–કુટુંબ કે શરીરાદિ કોઈ
પણ કારણે રાગદ્વેષ કર્તવ્ય નથી. પણ જ્ઞાન અને વીતરાગ ભાવ જ ત્રણેકાળે કર્તવ્ય છે. (–અષ્ટપાહુડ પ્રવચનોમાંથી)

PDF/HTML Page 4 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯ :
આચાર્ય ભગવાન જગતને ભેટ આપે છે.
(તા. ૨૧ – ૮ – ૪૭ ના દિવસે સવારે રથયાત્રા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલું માંગળિક)
આત્માનો પરમાનંદ તે મંગળિક છે, અને તેમાં નિમિત્તરૂપ આ શાસ્ત્રને પણ મંગળિક કહેવાય છે.
ભગવાનના દિવ્યધ્વનિની પરંપરાથી જે શાસ્ત્રો રચાણાં છે તે આ જયધવલ, ધવલ વગેરે પરમાનંદનું કારણ છે
કેમ કે તેમાં ભગવાનના પરમાનંદનું નિમિત્ત છે. પરમાનંદ તો આત્માનો સ્વભાવ છે, પણ તેના નિમિત્ત તરીકે
શાસ્ત્રોને પણ પરમાનંદની ઉપમાં આપી છે. પરમાનંદ અને આનંદ તે આત્માની સ્વભાવ દશા જ છે, તેમાં
કારણભૂત ભગવાનની વાણી અને તેની પરંપરાથી રચાયેલા શાસ્ત્રો છે તેને પણ આચાર્યભગવાને પરમાનંદ ને
આનંદ કહી દીધા છે.
આ જયધવલાશાસ્ત્રને ‘દોગ્રંથિકપ્રાભૃત’ કહેવાય છે, અને તે પરમાનંદનું કારણ છે. ‘પ્રાભૃત’નો અર્થ
ભેટ થાય છે. કેવળ આત્માનો પરમાનંદ કે આનંદ તો ભેટ આપવાનું બની શકતું નથી, તે તો કોઈને અપાતો
નથી, પણ તે આનંદના નિમિત્તભૂત જે દ્રવ્યો (શાસ્ત્રો) તેની આચાર્યભગવાને ભેટ આપી છે, તેને
‘દોગ્રંથિકપ્રાભૃત’ કહેવાય છે, અને તે ભેટદ્વારા આચાર્યભગવાને ભવ્ય જીવોને પરમાનંદની જ ભેટ ધરી છે.
આચાર્યદેવે પોતે પરમાનંદને અનુભવ્યો છે અને ‘જગતના જીવ પણ તે પામે’ એવી ભાવનાથી
આચાર્યભગવંતોએ આવા મહાન શાસ્ત્રો રચીને જગતને આનંદ તથા પરમાનંદની ભેટ કરી છે. ભગવાનની
વાણીદ્વારા પોતે પરમાનંદ પામીને, તે વાણી ભવ્યજીવોને પરમાનંદ પામવા માટે ભેટ કરી છે. જેને મોક્ષદશા
પ્રગટ કરવી હોય તેને તે ભેટ આપી છે. જગતને આ શાસ્ત્રોદ્વારા આચાર્યોએ પરમાનંદની ભેટ આપી છે, આ
શાસ્ત્રોનો અક્ષરે અક્ષર આત્માના આનંદનું નિમિત્ત છે, તેમાં એક અક્ષરનો પણ ફેર નથી,–નથી.
આચાર્યદેવોને પરમાનંદની ભેટ કરવાનો જે વિકલ્પ ઊઠયો તે જ એમ બતાવે છે કે પરમાનંદ પ્રગટ
કરનાર જીવો થવાના છે. જેને મુક્તિ અને પરમાનંદ પ્રગટ કરવો હોય તેને માટે આચાર્યોએ આ પરમાગમોની
ભેટ આપી છે, જેને આત્માના આનંદનું બહુમાન આવે તેને તેના નિમિત્ત તરીકે શાસ્ત્રોનું પણ બહુમાન આવે
જ, અને તેના બહુમાન–ભક્તિથી, જ્ઞાનની રુચિ કરીને તેની પ્રભાવના કરે.
અપ્રમત્ત અને પ્રમત્તદશામાં વર્તી રહેલા નિર્ગ્રંથ સંતોને એવો વિકલ્પ ઊઠયો કે હું જે પરમાનંદ પામ્યો છું
તેનું જગતને ભેટણું કરું–જગત પણ તે આનંદ પામે. આચાર્યોને એવો વિકલ્પ ઊઠયો ને જગતમાં તે આનંદ
લેનારા જીવો ન હોય એમ કદી બને જ નહિ. આનંદ પ્રગટ કરનારા જીવો છે, તે જ મંગળિક છે. આચાર્ય–
ભગવાન કહે છે કે અમે આનંદ લઈને એકાવતારી થઈ જઈએ છીએ, અને જગતને તે આનંદની ભેટ કરીએ
છીએ. જગતમાં આનંદ પ્રગટ કરનારા જીવો છે જ. મારો આનંદ સ્વભાવ જે પ્રગટયો તે પૂર્ણ થઈને સદાય
જયવંત રહો–એવી ભાવના વડે ‘જગત પણ તે આનંદ પામો’ એવો જે અમને વિકલ્પ ઊઠયો છે તે નિષ્ફળ નહિ
જ જાય. આચાર્યભગવાન પોતે જ ખાતરી આપે છે કે જગતમાં અમારી આનંદરૂપી ભેટને સ્વીકારનારા જીવો
પાકશે..
अनेक धर्मीओ पाकशे, समजशे, अनुभव करशे, आगळ वधशे ने जैन शासनने दीपावशे.....
અષ્ટાહ્નિકા મહોત્સવ
• સોનગઢમાં કારતક સુદ ૮ થી ૧૫ સુધી અષ્ટાહ્નિકા મહોત્સવ ઘણા ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો.
મધ્યલોકમાં આવેલા સમસ્ત (૪૫૮) અકૃત્રિમ શાશ્વત જિનાલયોનું એક સુંદર ચિત્રપટ તૈયાર કરાવવામાં આવ્યું હતું
અને તેમાં નંદીશ્વર દ્વીપે જઈને દેવો ભક્તિ કરે છે તે પણ દર્શાવવામાં આવ્યું હતું. અષ્ટાહ્નિકાના આઠ દિવસો દરમિયાન
મધ્યલોકના સમસ્ત અકૃત્રિમ જિનાલયોનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂનમને દિવસે પૂજન થયા પછી ભગવાનશ્રી
સીમંધરનાથનો અભિષેક, વાદ્ય–ઘોષણા સહિત ઈન્દ્રોએ કર્યો હતો. ભક્ત મંડળમાં ખૂબ ઉલ્લાસ હતો.
શ્રીમદ્નો જન્મ દિવસ
• પૂજ્ય સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ દિવસ કાર્તિક સુદી પૂર્ણિમાનો છે. તે પ્રસંગાનુસાર સોનગઢમાં
સવારના આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરવામાં આવી હતી. સ્વાધ્યાય પુરી થયા પછી પરમકૃપાળુ પૂજ્ય શ્રી
સદ્ગુરુદેવશ્રીએ શ્રીમદ્ રાજચંદ્ર વિષે થોડું કહ્યું હતું, કે ‘શ્રીમદ્ના જન્મને આજે ૮૦ વર્ષ થયા; પણ આયુષ્યનો યોગ
બહુ ઓછો, ફક્ત ૩૩ વર્ષ અને પ મહિનાની ઉમરે દેહ છોડયો. તેમનામાં ઉઘાડ ધણો હતો–ઉઘાડનો દરિયો હતો. તે
વખતમાં આખા હિન્દુસ્તાનમાં એવો એક જ જીવ હતો. જો શ્રીમદ્ અત્યાર સુધી હોત એટલે કે જો લાંબુ આયુષ્ય હોત
તો ઘણું (કામ) કરત, પોતામાં ઘણું કામ કરી જાત...

PDF/HTML Page 5 of 17
single page version

background image
: તા. ૨૬ – ૯ – ૪ : : રાત્રિર્ચા :
: ૨૦ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
વર્તમાનમાં મોક્ષની પ્રતીતિ
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થયો કે ‘મારી અવસ્થા મારામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે’ એટલે તેને પોતાના
દ્રવ્ય તરફ જ જોવાનું રહ્યું–અર્થાત્–વસ્તુ દ્રષ્ટિ થઈ. સર્વ પરદ્રવ્યોની અવસ્થા પણ તેનાથી જ ક્રમબદ્ધ થાય છે,
એનો હું કર્તા નથી અને તે મારી અવસ્થાનો કર્તા નથી; બસ! આવી ક્રમબદ્ધની શ્રદ્ધા થતાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે
ઉદાસવૃત્તિ–વીતરાગભાવ–આવી ગયો. પર તરફ લક્ષ કરવાનું ન રહ્યું અને સ્વલક્ષે દ્રવ્યમાંથી જે પર્યાય પ્રગટે છે
તે તો નિર્મળ જ છે–એટલે અલ્પકાળમાં તેની મુક્તિ થઈ જવાની. દ્રવ્યદ્રષ્ટિવાળાને મુક્તિની પણ આકૂળતા થતી
નથી કેમકે દ્રવ્ય તો સદાય મુક્ત સ્વરૂપ જ છે, તેમાં બંધન અને મુક્તિ એવા ભેદ જ નથી. એક ગુણમાં અનંતી
નિર્મળ અવસ્થાની તાકાત છે અને એવા અનંતગુણથી વસ્તુ ભરેલી છે. તે વસ્તુની દ્રષ્ટિ થઈ ત્યાં વસ્તુમાંથી
મોક્ષ દશા ક્રમબદ્ધ આવે છે, એટલે વસ્તુ–દ્રષ્ટિ જ મોક્ષનું મૂળ કારણ છે; ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં વસ્તુદ્રષ્ટિ જ
આવે છે. ‘વસ્તુદ્રષ્ટિ થઈ’ એમ કહો કે ‘ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થયો’ એમ કહો તે બન્નેનો એક જ
ભાવ છે.
તા. ૨૭–૮–૪૪ રાત્રિચર્ચા
જ્યાં દ્રવ્યની પ્રતીતિ છે ત્યાં ‘મોક્ષ પર્યાય કયારે પ્રગટશે’ એવી આકૂળતા નથી, પર્યાયનું લક્ષ જ નથી.
જ્યાં દ્રવ્યની પ્રતીતિ નથી ત્યાં મોક્ષ પર્યાયનો પણ યથાર્થ–પણે આદર હોઈ શકે નહીં.
દ્રવ્યના લક્ષે મોક્ષપર્યાય પ્રગટે છે; દ્રવ્યમાંથી મોક્ષપર્યાય ક્રમબદ્ધ આવે છે; જેને દ્રવ્યની શ્રદ્ધા છે તેને
‘મોક્ષ પર્યાય કયારે પ્રગટશે’ એવો પ્રશ્ન જ ઊઠતો નથી; કેમકે દ્રવ્યમાં જ સદાય મોક્ષ પર્યાય પડી છે, અને
તેમાંથી ક્રમબદ્ધ મોક્ષદશા પ્રગટવાની છે, એ દ્રવ્યની તો તેને શ્રદ્ધા છે તેથી મોક્ષપર્યાય કયારે પ્રગટશે એવી
આકૂળતા ક્રમબદ્ધપર્યાયના યથાર્થ નિર્ણયવાળાને હોતી નથી.
મોક્ષ પર્યાય વર્તમાન પ્રગટ તો છે નહીં, તેથી તેનો વિચાર કરતાં તો રાગ આવે છે પણ પૂરા દ્રવ્યના લક્ષે
રાગ તૂટીને મોક્ષ થાય છે.
રુચિને કાળભેદ હોઈ શકે નહીં.
રુચિ દ્રવ્ય અને પર્યાયમાં ભેદ પાડતી નથી. જેને દ્રવ્યની યથાર્થ રુચિ છે તે વર્તમાન દ્રવ્યમાં જ મોક્ષ
પર્યાય ભાળે છે. સ્થિરતામાં કાળભેદ પડે છે, પણ રુચિમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે કાળભેદ પડતો નથી. દ્રવ્યની
પ્રતીતમાં દ્રવ્યની ત્રણે કાળની પર્યાયનો સ્વીકાર આવી ગયો અને ત્રણેકાળની પર્યાયોમાં મોક્ષપર્યાય પણ આવી
જ ગઈ. માટે દ્રવ્યની પ્રતીતવાળાને મોક્ષની શંકા હોય નહીં.
‘સર્વજ્ઞ મારો મોક્ષ કયારે જોયો હશે’ એવો જેને વિકલ્પ ઊઠયો...... તો તેમાં તેણે વર્તમાનમાં સર્વજ્ઞને
નક્કી કર્યા અને સર્વજ્ઞના સામર્થ્યને પણ પોતાના જ્ઞાનમાં નક્કી કર્યું છે, એમાં અનંતુ વીર્ય વર્તમાન કામ કરે છે.
તે વર્તમાન વીર્યની જેને શ્રદ્ધા નથી તેને ‘ભવિષ્યમાં મારો મોક્ષ પ્રગટવાનો પુરુષાર્થ આટલું કામ કરશે’ એવી
શ્રદ્ધા કયાંથી આવશે? જે જ્ઞાનમાં સર્વજ્ઞને નક્કી કર્યા છે તે જ્ઞાનના વર્તમાન અનંતા વીર્યની જેને શ્રદ્ધા નથી
તેને ભવિષ્યના મોક્ષના અનંત વીર્યની શ્રદ્ધા થઈ શકે નહીં. જેણે યથાર્થપણે સર્વજ્ઞની શ્રદ્ધા કરી છે તેને વધારે
ભવ હોઈ શકે નહીં. સર્વજ્ઞના સામર્થ્યનો નિર્ણય કરનારની અથવા તો દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
કરનારની એક બે ભવમાં જ મુક્તિ હોય. ક્રમબદ્ધપર્યાયનો યથાર્થનિર્ણય કરનારને લાંબો સંસાર હોઈ શકે જ
નહીં. શ્રદ્ધામાં પરિપૂર્ણ દ્રવ્યનો સ્વીકાર કરવામાં વર્તમાન અનંતો પુરુષાર્થ છે, અને તે પુરુષાર્થમાં મોક્ષદશાની
પ્રતીત આવી જાય છે.
ખાસ વિનંતી
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી ગુજરાતી ‘આત્મધર્મ’ માસિકના પ્રચારની તથા એક પુસ્તિકાના
પ્રચારની યોજના કરવામાં આવી છે, તે માટે ૫૦૦૦ સરનામાની જરૂર છે; તેથી આત્મધર્મના સર્વ વાચકોને અને
શ્રી જૈન અતિથિ સેવા સમિતિના સર્વે મેમ્બરોને વિનંતિ છે કે–જેટલાં મળી શકે તેટલાં તત્ત્વપ્રેમી મુમુક્ષુઓનાં,
ધાર્મિક સંસ્થાઓના, ત્યાગીઓનાં, ઉપદેશકોનાં, વિદ્વાનોનાં, તેમજ ડોકટરો, વકીલો, અધિકારીઓ, શિક્ષકો, તથા
વાંચનાલયોનાં પૂરા નામો તથા સરનામાઓ વહેલાસર આત્મધર્મ કાર્યાલય મોટા આંકડિયા તરફ મોકલી આપે.
રામજી માણેકચંદ દોશી : પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ

PDF/HTML Page 6 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૧ :
હે ભવ્ય, આટલું તો જરૂર કરજે! : [દર્શનપ્રાભૃત ઉપરના પ્રવચનોમાંથી] :
આચાર્યદેવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે હે ભાઈ, તારાથી વિશેષ ન થાય તો પણ
ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું
નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો
એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે,
જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન
ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ, જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્રદશા પ્રગટ
થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે; પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો
છેવટમાં છેવટ આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ થશે.
સમ્યગ્દર્શનમાત્રથી પણ તારું આરાધકપણું ચાલુ રહેશે. વીતરાગદેવે કહેલા વ્યવહારની લાગણી ઊઠે તેને
પણ બંધન માનજે. પર્યાયમાં રાગ થાય છતાં એક પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી અને એ રાગ વડે
મને ધર્મ નથી. આમ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને
સ્વરૂપમાં ઠરી જજે; પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ, રાગથી
ભિન્ન તારા ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા રાખજે.
કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલાં રાગ
ટળી જાય પછી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક્શ્રદ્ધા
પણ કરતો નથી તેને આચાર્યભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદ્રષ્ટિ રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ
પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવ દ્રષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ
થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળીસ્વભાવ છે, માટે પર્યાયદ્રષ્ટિ છોડીને
તારા રાગરહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ પ્રતીતિ
વગર રાગ કદી ટળવાનો નથી.
‘પહેલાં રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું’–એમ નહિ, પણ આચાર્યદેવ કહે છે કે
પહેલાં તું રાગરહિતસ્વભાવની શ્રદ્ધા કર તો તે સ્વભાવની એકાગ્રતાવડે રાગ ટળે. ‘રાગ ટળે તો શ્રદ્ધા કરું
એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદ્રષ્ટિ છે–પર્યાયમૂઢ છે, તેને
સ્વભાવદ્રષ્ટિ નથી; અને તે તે મોક્ષમાર્ગના ક્રમને જાણતો નથી કેમકે તે સમ્યક્શ્રદ્ધા પહેલાં સમ્યક્ચારિત્ર ઈચ્છે
છે. ‘રાગરહિત સ્વભાવની પ્રતીતિ કરું તો રાગ ટળે’ એવા અભિપ્રાયમાં દ્રવ્યદ્રષ્ટિ છે અને દ્રવ્યદ્રષ્ટિના જોરે
પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (–સ્વભાવના લક્ષે
અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય
છે; એ સમ્યગ્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયદ્રષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્યે તો રાગ ટળે કઈ
રીતે? ‘હું રાગી છું’ એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક (–વિકારના લક્ષે અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી) જે પરિણમન
થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહિ. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે
પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી રાગ–રહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્ય ભગવાન જણાવે છે;
અને એ જ મોક્ષમાર્ગનો ક્રમ છે.
આત્માર્થિનું પહેલું કર્તવ્ય એ છે કે, પર્યાયમાં રાગ ન છૂટી શકે તોપણ ‘મારું સ્વરૂપ રાગરહિત જ છે’
એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. આચાર્યદેવ કહે છે કે તારાથી ચારિત્ર ન થઈ શકે તો શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ.
તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ.
હે જીવ! તું તારા સ્વભાવને તો સ્વીકાર, જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો. જેણે પૂરા સ્વભાવને
સ્વીકારીને સમ્યગ્દર્શનને જાળવી રાખ્યું છે તે જીવ અલ્પકાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને મુક્ત થશે.
ખાસ પંચમકાળના જીવો પ્રત્યે આચાર્યભગવાન કહે છે કે, આ દગ્ધપંચમકાળમાં તું શક્તિરહિત હો
તોપણ કેવળ શુદ્ધાત્મસ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમકાળમાં સાક્ષાત્ મુક્તિ નથી પણ ભવભયનો
નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા
ભવરહિત

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પકાળમાં ભવરહિત થઈ જઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈપણ ઉપાય–પરમ
પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર.
પ્રશ્ન:–આપ સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય બતાવો છો એ તો બરાબર છે, એ જ કરવા જેવું છે, પણ
એનું સ્વરૂપ ન સમજાય તો શું કરવું?
ઉત્તર:–સમ્યગ્દર્શન વગર આત્મ કલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ–ત્રણ લોકમાં નથી; માટે જ્યાં
સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો, આત્મ સ્વભાવની સાચી
સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે
અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારો સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય.
સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો
જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે.
સ્વભાવની હોંશથી જે સમજવા માગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. શ્રી
પદ્મનંદી આચાર્યદેવે તો કહ્યું છે કે–આ ચૈતન્ય–સ્વરૂપ આત્માની વાત પણ જે જીવે પ્રસન્નચિત્તથી સાંભળી છે તે
જીવ મુક્તિને લાયક છે.
માટે હે ભવ્ય! એટલું તો જરૂર કરજે.
[ભાદરવા વદ ૧૪ સોમવારના પરમાત્મ પ્રકાશના વ્યાખ્યાનમાંથી] શાંતિનો ઉપાય
આ જીવ શરીરથી જુદો છે. આ શરીર તો માટી છે, જડ છે, અને જીવ તેનાથી જુદો છે જીવ એટલે
આત્મા, તે જાણનાર છે, તે ૨૫ વર્ષ પહેલાંની વાતને પણ જાણે છે. શરીર નથી જાણતું, પણ જીવ જાણે છે.
જીવનું સુખ કયાંય બહારમાં નથી, આ શરીરમાં પૈસામાં, સ્ત્રીમાં કયાંય સુખ નથી, પણ મમતા ટાળે તો
તેને આત્મામાં જ સુખ દેખાય. આત્મા પોતે મમતા કરે છે તે મમતા પાપ છે, અને તેને લીધે જીવને દુઃખ છે, તે
મમતા અને પાપ ટાળે તો જીવને શાંતિ અને સુખ થાય. જીવમાં મમતા કરવાની તાકાત છે તેમ તેને ટાળવાની
તાકાત પણ જીવમાં છે. જો મમતા ટાળે તો સુખ થાય.
પહેલાં ઝાઝી મમતા કરતો હોય, પછી મમતા ઘટાડે ત્યાં મમતા ઘટવા છતાં કાંઈ જ્ઞાન ઘટી જતું નથી.
માટે મમતા તે પોતાનું કર્તવ્ય નથી, પણ જ્ઞાન તે જ આત્માનું સ્વરૂપ છે. વૃદ્ધ ઉમર થાય ત્યારે છોકરો પણ તેને
કહે છે કે–‘હવે તમે નિવૃત્તિ લો એટલે એટલે કે મમતા ઘટાડો!’ તેથી છોકરાએ પણ એમ માન્યું કે મમતા
ઘટાડવી જોઈએ. વૃદ્ધદશામાં કે જુવાનદશામાં ગમે ત્યારે જીવમાં મમતા ઘટાડવાની શક્તિ છે. મમતા ઘટાડવાથી
જીવને પોતાનો આનંદ પ્રગટે છે. મમતાને લીધે જ જીવને દુઃખ થાય છે, ને મમતા ટાળે તો સુખ થાય. આ
આત્મા શરીરથી જુદો છે, ને પૈસામાં, સ્ત્રીમાં કે શરીર વગેરેમાં તેનું સુખ નથી, પણ પોતામાં જ સુખ છે–એમ
સમજે તો મમતા ટળે.
આ આત્મા તો કાયમનો છે; આત્મા નવો થતો નથી, પણ પૂર્વ ભવોમાં હતો તે જ અત્યારે છે. આત્માનો
નાશ થતો નથી કે તે નવો થતો નથી. આ શરીર નવું થાય છે, ને શરીર નાશ પામે છે. પણ જીવ તેનાથી જુદો
છે–એમ જો જાણે તો શરીરાદિ ઉપર મમતા ન કરે અને મમતા ન કરે તો તે સુખી થાય. ગમે તે વખતે પોતે
મમતા ઓછી કરી શકે છે એવી જીવમાં તાકાત છે. માંદો હોય ને ખાટલે પડયો હોય છતાં મમતા ઘટાડી શકે છે.
જો મમતા ન ઘટાડે તો શાંતિ થાય નહિ. માટે આત્મા અને શરીર જુદા છે એમ સમજીને મમતા ઘટાડે તો જ
જીવને શાંતિ થાય છે.
જેમ દિવાસળીમાં ભડકો થવાનો સ્વભાવ છે, તેથી તેને ઘસો તો ભડકો પ્રગટ થાય છે. દિવાસળીમાં પેટ
ભરવાની–ભૂખ મટાડવાની શક્તિ નથી પણ ભડકો થવાની શક્તિ છે. તેમ જીવમાં જ્ઞાન કરવાની અને શાંતિ
કરવાની તાકાત છે, જ્ઞાન અને શાંતિ જીવનો સ્વભાવ છે. તે સ્વભાવને ઓળખે તો તેને શાંતિ થાય ને મમતા
ટળી જાય. જેમ સાકરમાં કડવાશ સ્વભાવ નથી તેમ જીવમાં મમતા કરવાનો સ્વભાવ નથી, પણ મમતા ટાળીને
શાંતિ કરવાનો જ તેનો સ્વભાવ છે. માટે એવા પોતાના આત્માને જાણે અને મમતા ટાળે તો શાંતિ થાય ને સુખ
પ્રગટે, તેમાં કોઈ બીજાની મદદની જરૂર નથી.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૩ :
પરમ પૂજ્ય શાંતિદાયક સદ્ગુરુદેવ શ્રીનું વ્યાખ્યાન
સુપ્રભાત માંગલિક
કરતક સદ ૧
(૧) આત્માની જીવન શક્તિ
આત્માના સ્વભાવમાંથી પૂર્ણદશા પ્રગટે તે જ મંગળ–પ્રભાત છે, તે જ બેસતું વર્ષ છે. જેના આત્મામાં
સુપ્રભાત પ્રગટયું તેને જન્મ–અને–મરણ ટળીને સિદ્ધદશા પ્રગટે છે. આત્મા શરીરથી કે પૈસા વગેરેથી જીવતો
નથી. તેનાથી તો આત્મા જુદો છે. આત્માનું જીવન કેવું હોય? તે આચાર્યદેવ બતાવે છે.
આત્મામાં જીવન શક્તિ છે. અનાદિ અનંત આત્મા જ્ઞાનદર્શન શક્તિને ધારી રાખે છે, એવી આત્મામાં
જીવનશક્તિ છે, ને એ જ શક્તિથી આત્મા સદાય જીવે છે. જેમ આત્મામાં ‘જ્ઞાન’ શક્તિ છે, તેમ એક ‘જીવન’
નામની શક્તિ પણ છે. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, આનંદ છે, પુરુષાર્થ છે, શાંતિ છે, ને જીવ છે–એ
બધા ગુણો તે જ આત્માનું કુટુંબ છે, ને તે સદાય આત્મા ભેગું જ રહે છે. પોતાના અનંતગુણ તે જ પોતાનું કુટુંબ
છે, તેની જેને ખબર નથી તે જીવ બહારમાં કુટુંબ, શરીર ને પૈસા વગેરેને સદાય ટકાવી રાખવાની ભાવના કરે
છે, પણ તે અજ્ઞાન છે, ને દુઃખનું કારણ છે. મારી જીવનશક્તિથી હું સદાય જીવતો જ છું. જ્ઞાન–આનંદ વગેરે
અનંત ગુણોરૂપી મારું કુટુંબ છે. મારા બધા ગુણો સાથે મારું પૂરેપૂરું નિર્મળ–પવિત્ર જીવતર ટકી રહો–એવી
ભાવના આત્માર્થિ જીવો કરે છે. એ જ મહાન મંગળિક છે.–એમ શ્રી જ્ઞાની પુરુષો ફરમાવે છે.
શ્રી સમયસારજી શાસ્ત્રમાં (૫૦૩ મા પાને) આત્માની ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં સૌથી પહેલાં
જ આત્માની જીવત્વ શક્તિનું વર્ણન આચાર્ય–ભગવાને કર્યું છે. જીવત્વ શક્તિ એટલે જીવવાની શક્તિ,
જીવનશક્તિ આત્મામાં જીવનશક્તિ છે તેથી તે સદાય જીવતો જ છે; આ શરીરથી કે ઇંદ્રિયોથી આત્મા જીવતો
નથી પણ જ્ઞાન અને દર્શનરૂપ ચૈતન્યપ્રાણથી જ આત્મા જીવે છે. ‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર
ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ’ –આત્મામાં ઊછળે છે. આત્મામાં ચૈતન્યપ્રાણ
છે, ને તેથી આત્મા સદાય જીવે છે. જો ચૈતન્યશક્તિનો નાશ થાય તો આત્મા મરે, પણ ચૈતન્યશક્તિ તો સદાય–
ત્રિકાળ–છે, તેથી આત્મા સદાય જીવે છે. એવી ચૈતન્યસ્વરૂપ જીવત્વશક્તિ આત્મામાં સદાય છે.
આત્માનો ચૈતન્યમાત્ર ભાવ છે. અને આ શરીર તો જડ–અચેતન છે. ચૈતન્યસ્વરૂપી આત્મા શરીરના
આધારે જીવતો નથી અને શરીરના પ્રાણોને આત્મા ધારતો નથી. તેમ જ પુણ્યના આધારે આત્મા જીવતો નથી,
ને પુણ્યને આત્મા ધારતો નથી; શુદ્ધજ્ઞાન–દર્શનરૂપ ચૈતન્યપ્રાણને આત્મા ધારણ કરે છે. ને એનાથી જ આત્મા
જીવે છે. આત્મામાં ‘જીવત્વ’ નામની ખાસ શક્તિ છે, ત્રણેકાળે અને ત્રણે લોકમાં આત્મા ચૈતન્યપ્રાણોને ધારણ
કરીને જ જીવી રહ્યો છે; શરીરને આત્માએ કદી ધારણ કર્યું જ નથી, અને આત્માના સ્વભાવે કદી વિકારને પણ
ધારણ કર્યો નથી. શરીર અને વિકારથી જુદી એવી ચૈતન્ય–શક્તિને ધારણ કરીને જીવનું ટકી રહેવું તે જ
સુપ્રભાત છે. ચૈતન્યશક્તિરૂપ પોતાનું જીવન છે તેને ઓળખવું અને તેમાં જ ટકી રહેવું, પણ વિકારમાં ન ટકવું
તે જ સુપ્રભાત છે. એવા સુપ્રભાતની અહીં ભાવના છે.
(૨) જીવનું કુટુંબ
જીવનું કુટુંબ જીવથી જુદું ન હોય, અને જીવથી કદી જુદું પડે નહિ. જ્ઞાન, આનંદ વગેરે અનંત ગુણો તે જ
જીવનું કુટુંબ છે. આત્મામાં જ્ઞાન, સુખ વગેરે અનંત શક્તિઓ છે તે બધી ભેગી જ રહે છે, એક શક્તિ બીજી
શક્તિ વગર ન હોય. એ રીતે આત્માનું ગુણોરૂપી કુટુંબ સંકળાયેલું છે. એવું અનંત ગુણોસ્વરૂપી મારું કુટુંબ સદા
પવિત્રપણે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં ટકી રહો એમ ધર્મી જીવની ભાવના છે. અનંત ગુણોથી સદાય ભરેલા–પરિપૂર્ણ
પોતાના આત્મસ્વભાવનું જ્ઞાન અને તેમાં સ્થિરતા તે જ મુક્તિની ક્રિયા છે, એ ક્રિયાથી જ આત્માના અનંત
ચતુષ્ટય પ્રગટે છે, અને એ જ આત્માનું સુપ્રભાત છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
(વસંતતિલકા) (ગુજરાતી સમયસાર
પૃ. ૫૭૦)
: ૨૪ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
(૩) જ્ઞાન અને ક્રિયા
મારામાં જીવત્વશક્તિ છે; હું કોઈ પરના આધારે જીવતો નથી પણ મારા ત્રિકાળ ચૈતન્ય ભાવપ્રાણથી જ
હું ટકયો છું. આ રીતે પોતાના ત્રિકાળ–અસ્તિસ્વભાવનું ભાન કરવું તે જ સાચું જ્ઞાન છે, અને તે જ્ઞાનથી
જાણેલા સ્વભાવના આશ્રયે ટકતાં અશુદ્ધતાનો નાશ થાય છે તે જ સાચી ક્રિયા છે. આ જ્ઞાન અને ક્રિયા તે જ
મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાન કે બીજી કોઈ ક્રિયા મોક્ષનું કારણ નથી. શાસ્ત્રોનું જ્ઞાન શરીર
વગેરેની ક્રિયા કે પુણ્યની ક્રિયા–એ કોઈ ધર્મ નથી, ને તેનાથી સંસારનો અંત આવતો નથી. પોતાના પૂર્ણ
શુદ્ધસ્વભાવની ઓળખાણ તે જ્ઞાન છે, ને તે સ્વભાવના આશ્રયે અશુદ્ધતાનો નાશ તે ક્રિયા છે; એ જ્ઞાન–ક્રિયા
વડે સંસાર–રાત્રિના અંધારાનો નાશ થઈને અનંતચતુષ્ટયના પ્રકાશની ઉત્પત્તિ થાય છે.
(૪) નશ વગરન ઉત્પદ
આત્મામાં પૂરેપૂરું જ્ઞાન, પૂરેપૂરું દર્શન, પૂરેપૂરું સુખ અને પૂરેપૂરું આત્મબળ પ્રગટ થાય તેને સ્વચતુષ્ટય
કહેવાય છે. આત્મામાં એવા સ્વચતુષ્ટયનો જે ઉત્પાદ થયો તે ઉત્પાદ નાશ વગરનો છે. એટલે આત્મામાં જ્ઞાન
અને સુખમય જે સુપ્રભાત પ્રગટયું તેનો કદી નાશ થવાનો નથી; એ સદાય એવું ને એવું ટકી રહેશે. આત્માનો
શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે, તેના આશ્રયે જે પૂર્ણ શુદ્ધદશા પ્રગટી તેનો હવે કદી નાશ થાય નહિ. માટે
આત્માની સાચી ઓળખાણ અને સ્થિરતાના પુરુષાર્થવડે આત્મામાં જે અનંત ચતુષ્ટયરૂપ દશા પ્રગટી તે જ
સ્વકાળરૂપ સુપ્રભાત છે; તે સુપ્રભાત પ્રગટયા પછી આત્માને જન્મ–મરણ હોતાં નથી; તેને સ્વકાળની પૂર્ણતા
થઈ, આત્મામાં સાચું પ્રભાત ખીલ્યું; આત્માનો પ્રાતઃકાળ ઊગ્યો. પરમાર્થે આનું જ નામ બેસતું વર્ષ છે. એવા
બેસતા વર્ષના મંગળિક સુપ્રભાતનું શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ વર્ણન કરે છે:–
चिंत्पिंऽचंडिमविलासिविकासहासः शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनंदसुस्थितसदास्खलितैकरूप– स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्म।।२६८।।
સુપ્રભાત સમાન આ આત્મા ઉદય પામે છે. સ્વભાવના આશ્રયે આત્મામાં સુચતુષ્ટયનો પ્રકાશ થયો તે
જ સુપ્રભાત છે. પોતાનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, તેને ઓળખીને તેનો આશ્રય કરતાં સર્વ મલિનતા નાશ પામે
છે, ને ચાર ઘનઘાતિ કર્મો પણ નષ્ટ થાય છે. જેણે સ્વભાવના આશ્રયે પૂર્ણદશા પ્રગટ કરી તેને આખો આત્મા જ
ઉદય પામ્યો–એમ અહીં કહ્યું છે.
(૫) જ્ઞાન અને ક્રિયાનું સ્વરૂપ
જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. પણ કયું જ્ઞાન અને કઈ ક્રિયા? આત્મા શુદ્ધ વીતરાગ સ્વભાવી છે,
જ્ઞાનસ્વભાવ જ છે, એ સ્વભાવની ઓળખાણ તે જ્ઞાન છે, અને તે જ્ઞાન થતાં રાગાદિની અને પરની ઉપેક્ષા થાય
છે તથા અશુદ્ધતાનો નાશ થાય છે–તે જ ક્રિયા છે. એવું જ્ઞાન અને એવી ક્રિયા તે જ મોક્ષરૂપી સુપ્રભાત પ્રગટવાનો
ઉપાય છે. કોઈ શુભરાગથી કે જડની ક્રિયાથી મોક્ષ પ્રગટતો નથી. પંડિત બનારસીદાસજી પણ કહે છે કે–
बिनसि अनादि अशुद्धता, होइ शुद्धता पोख।
ता परिणतिको बुध कहे, ज्ञान क्रियासों मोख।।३७।।
હું જ્ઞાનસ્વભાવથી પૂરો ભરેલો છું એવી શ્રદ્ધા અને ઓળખાણવડે જ્ઞાનમાં શુદ્ધતાનું પોષણ થાયને
અનાદિની અશુદ્ધતાનો નાશ થાય તેને સંતો જ્ઞાનક્રિયા કહે છે. સ્વભાવની ઓળખાણથી જે શુદ્ધ પરિણતિ પ્રગટી
તે પરિણતિ જ જ્ઞાન છે, ને અશુદ્ધતા ટળી તે પરિણતિ જ ક્રિયા છે, તેનાથી જ મોક્ષ થાય છે. ‘હું જ્ઞાન છું, હું
દર્શન છું, હું ચારિત્ર છું, એવા વિકલ્પ તે પણ રાગ છે, તે મોક્ષની ક્રિયા નથી, પણ હું ચૈતન્ય–ભાનુ છું,
ચૈતન્યસ્વરૂપને કોઈ વિકલ્પની અપેક્ષા નથી–એમ સ્વભાવના આશ્રયે, વિકલ્પરહિત શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર તે જ
મોક્ષની ક્રિયા છે.
(૬) સમ્યગ્દશનરૂપ અપ્રતહત સપ્રભત
હું–આત્મા ચૈતન્યભાનુ છું. જેમ સૂર્યને દીપકની જરૂર પડે નહિ તેમ મારા ચૈતન્યપ્રકાશને પરની અપેક્ષા
નથી. મારી જ ચૈતન્યશક્તિવડે બધું જણાય છે. એ ચૈતન્યશક્તિ પરિપૂર્ણ છે, ને વિકાર રહિત છે.–આવી યથાર્થ શ્રદ્ધા
ને ઓળખાણ થતાં અનાદિનો મિથ્યાત્વરૂપ અંધકાર ટળ્‌યો તે ફરીથી હવે કદી ઊપજે નહિ, અને જે સમ્યક્ત્વરૂપ
પ્રકાશ પ્રગટયો તે ફરીથી કદી નાશ થાય નહિ. સમ્યગ્દર્શન થયું તે હવે અપ્રતિહતપણે સિદ્ધદશા લીધે જ છૂટકો.
અત્યારે પણ ક્ષાયક જેવા અપ્રતિહત સમ્યક્ત્વના જ ભણકાર જીવ પ્રગટ કરી શકે છે. આત્મામાં સમ્યગ્દર્શનનો જે

PDF/HTML Page 10 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૫ :
ઉત્પાદ થયો તે નાશ રહિત છે. એ સમ્યગ્દર્શનને પણ સુપ્રભાતની ઉપમા છે. કારતક સુદ એકમના દિવસ તો
અનંતકાળમાં અનંતવાર ઊગ્યાં ને પાછાં અસ્ત થઈ ગયાં, પણ સમ્યગ્દર્શનરૂપી પ્રભાત વગર જીવનું કાંઈ
કલ્યાણ થયું નહિ. આ સમ્યગ્દર્શન તો એવું સુપ્રભાત છે કે જે ઊગ્યું તે ઊગ્યું, ઊગ્યા પછી કદી નાશ થાય નહિ.
એવા સમ્યગ્દર્શનપૂર્વક જ્ઞાન અને ક્રિયાથી મોક્ષરૂપી સુપ્રભાત પ્રગટે છે.
હું જ્ઞાનસ્વભાવી છું, ચૈતન્યશક્તિથી ભરેલો છું, મારી ચૈતન્યશક્તિ બીજા કોઈ દ્રવ્યમાં નથી. પરથી હું
સર્વથા જુદો છું ને મારા બધા ગુણોથી પરિપૂર્ણ હું છું;–એમ યથાર્થપણે ઓળખીને જીવ પોતે પોતાના સ્વભાવ
તરફ ઢળ્‌યો ત્યાં પુણ્ય–પાપ–રૂપ વ્યવહારનો નાશ થવા માંડયો. પોતાના અસ્તિસ્વભાવ તરફ વલણ કર્યું, અને
પર્યાયમાં વિકાર હોવા છતાં તેના તરફથી વલણને ખેંચી લીધું, એટલે સ્વભાવની અસ્તિના જોરે વિકારની
નાસ્તિ થવા માંડી. એવા જીવને જરૂર સર્વે કર્મોનો નાશ થાય છે અને કેવળજ્ઞાનાદિ સ્વચતુષ્ટય સ્વરૂપે આત્મા
ઉદય પામે છે–તે જ સુપ્રભાત છે.
(૭) પરિપૂર્ણ શક્તિસ્વભાવ છે, તેના આશ્રયે જ ચતુષ્ટયરૂપ પ્રભાત ઊગે છે.
આત્મતત્ત્વમાં કેવળજ્ઞાન વગેરે ચતુષ્ટયની શક્તિ છે, તે જ પર્યાયમાં પ્રગટે છે; કેવળજ્ઞાન વગેરે કાંઈ
બહારથી આવતાં નથી. આત્મસ્વભાવમાં જે ત્રિકાળ શક્તિ છે તે જ સ્વચતુષ્ટયરૂપે ઉદય પામે છે. પર્યાયમાં
કેવળજ્ઞાનાદિ પ્રગટયા પહેલાં જ શક્તિસ્વભાવ પુરો છે, તેનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે જ્ઞાન તે તરફ વળે,
અને જ્યાં જ્ઞાન સ્વાશ્રયે વળ્‌યું ત્યાં તેમાં પણ બેહદતા થઈ, અને સ્વભાવનો સંપૂર્ણ આશ્રય કરતાં અનંત
કેવળજ્ઞાન પ્રગટ થયું; તેમ પોતાનો આનંદ સ્વભાવ પરિપૂર્ણ છે તેની શ્રદ્ધા કરીને પૂર્ણ સ્વાશ્રય કરતાં પર્યાયમાં
અનંત પરિપૂર્ણ આનંદ પ્રગટ થયો; તેવી જ રીતે વીર્ય–પુરુષાર્થ (–આત્મબળ) પણ સ્વાશ્રયે પરિપૂર્ણ પ્રગટયું;
અને દર્શનને પણ સંપૂર્ણ સ્વાશ્રય મળતાં તે પણ પૂર્ણ પ્રગટયું.–એવા સ્વચતુષ્ટય તે અવિભક્ત આત્મ કુટુંબ છે,
તેમાં કદી ભેદ પડે નહિ. એ અનંતચતુષ્ટયરૂપ દશા પ્રગટે તે તો સંપૂર્ણ સુપ્રભાત મંગળ છે, અને પરિપૂર્ણ
શક્તિરૂપ સ્વચતુષ્ટયની શ્રદ્ધા કરવી તે પણ સુપ્રભાતમંગળ છે. અત્યારે જ હું પરિપૂર્ણ છું, સ્વચતુષ્ટયથી ભરેલો
જ ત્રિકાળ છું–એમ સ્વભાવદ્રષ્ટિથી જે માનતો નથી તે કદી સ્વાશ્રય કરતો નથી અને સ્વાશ્રય વગર આત્મામાં
સુપ્રભાત પ્રગટે નહિ.
અનંત ચતુષ્ટય કયાંય બહારથી આવતા નથી, વિકારના આશ્રયે આવતા નથી પણ સ્વભાવના આશ્રયે
સ્વભાવમાંથી જ પ્રગટે છે. વર્તમાન અપૂર્ણ અવસ્થામાં સ્વચતુષ્ટય પ્રગટ ન હોવા છતાં, તે અવસ્થાએ પૂર્ણશક્તિ
તરફ વળીને જ્યારે પૂર્ણતાનો નિર્ણય કર્યો ત્યારે તે સમ્યક્ નિર્ણય અને જ્ઞાનરૂપ અવસ્થા સ્વભાવમાં ઢળી. તે
અવસ્થા પોતે સ્વભાવના આશ્રયે અનંતચતુષ્ટયરૂપ પરિણમી જાય છે, આત્મા પોતે જ તે પૂર્ણપર્યાયરૂપે
પરિણમી જાય છે, તેથી તે દશા આત્માથી કદી પણ જુદી પડતી નથી. પહેલાં પરિપૂર્ણ સ્વભાવને જાણીને, તેનો જ
આશ્રય કરવો એ અધૂરામાંથી પૂરા થવાનો ઉપાય છે.
વર્તમાન ઓછી અવસ્થા હોય તેનું જ્ઞાન કર્યું, પણ તેટલામાં ન અટકતાં અંતરસ્વભાવસન્મુખ થઈને
ત્રિકાળ પૂરા સ્વભાવનો નિર્ણય કર્યો, સ્વભાવનો સ્વીકાર કર્યો ને વિકાર–અપૂર્ણતા તથા પરના આશ્રયનો
નિષેધ કર્યો તેથી હવે પરાશ્રય છોડીને અવસ્થા સ્વાશ્રય તરફ વળી; આત્મા પહેલાં પરાશ્રયે ઓછી અને વિકારી
અવસ્થાને ધારણ કરતો હતો તેને બદલે હવે સ્વાશ્રયે પૂરી અને શુદ્ધ અવસ્થાને ધારણ કરે છે, તે અવસ્થા સંપૂર્ણ
જ્ઞાન, સંપૂર્ણ દર્શન, સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ આત્મબળ સહિત છે, એને જ સંતો સુપ્રભાતનો વિલાસ કહે છે.
આત્માનો ત્રિકાળ સ્વભાવ પોતે પોતાથી પૂરો છે, વિકાર રહિત છે, તેમાં પરની તદ્ન ઉપેક્ષા છે. એવા
પોતાના સ્વભાવને ઓળખીને જેમ જેમ સ્વભાવ તરફ ઢળતો ગયો તેમ તેમ વિકારની તથા પરની ઉપેક્ષા થતી
ગઈ, એટલે કે અશુદ્ધતા ટળતી ગઈ અને શુદ્ધતા વધતી ગઈ; આત્મા પોતે સ્વભાવમાં જ તન્મય થઈ ગયો.
પહેલાં અજ્ઞાનને લીધે વિકારી ભાવોને પોતાનું સ્વરૂપ માનીને તેમાં તન્મય થતો તેથી સ્વભાવ અને પર્યાયની
એકતા થતી ન હતી પણ ભેદ પડતો. હવે ભેદજ્ઞાનના બળથી વિકરની ઉપેક્ષા કરીને સ્વભાવમાં તન્મય થયો
તેથી સ્વભાવ અને પર્યાય વચ્ચેનો ભેદ ન રહ્યો, બંને અભેદ થયા, પર્યાય પોતે સ્વભાવમાં ભળી ગયો. હવે,
સ્વભાવમાં ઢળું–એવો વિકલ્પ પણ ન રહ્યો.–આવી અંતરદશાને સુપ્રભાત કહેવાય છે. એવા સુપ્રભાતસ્વરૂપે
આત્મા ઉદય પામે છે, તે મંગળ છે, તેનું આચાર્યદેવ વર્ણન કરે છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
(૮) અચલત સપ્રભત
અનંત ચતુષ્ટયરૂપ સુપ્રભાતપણે આત્મા ઉદય પામે છે, તે કેવો છે?–તો કહે છે કે अचलार्चि એટલે કે
જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી તેજ સદાકાળ અચલિત એકરૂપ છે–એવો છે; એવું બેહદ વીર્યસામર્થ્ય પ્રગટયું
છે કે જેથી ચૈતન્યની જવાળા અચલ રહે છે, ફરીથી કદી ચલાયમાન થતી નથી. અજ્ઞાનદશામાં તો ચૈતન્યજ્વાળા
પ્રગટી જ ન હતી, વિપરીત હતી ને પુણ્ય–પાપથી દબાઈ જતી હતી, ત્યાં તો સુપ્રભાત પ્રગટયું જ ન હતું. સમ્યક્
આત્મજ્ઞાન થતાં ચૈતન્યજ્યોતિ ઉદય પામી–સુપ્રભાત શરૂ થયું, પરંતુ તે દશામાં જ્ઞાન–દર્શનની જ્યોતિ પર્યાયે
પર્યાયે વધતી જતી હતી, પણ એકરૂપ રહેતી ન હતી તેથી ત્યારે તે અચલ ન હતી. પરંતુ સ્વરૂપમાં સંપૂર્ણ
તન્મયતા થતાં આત્મામાં જે સુપ્રભાત ઉદય પામ્યું તેના કેવળજ્ઞાન અને કેવળદર્શનની જ્યોતિ અચલ છે, સ્થિર
છે, હવે તે કંપાયમાન થતી નથી. ‘અચલ’ કહેતાં એમ ન સમજવું કે કેવળજ્ઞાન– દશામાં પરિણમન જ હોતું
નથી. કેવળજ્ઞાનદશામાં ઉત્પાદ–વ્યયરૂપ પરિણમન હોવા છતાં, કેવળજ્ઞાન અને કેવળદર્શનના પ્રકાશમાં જરાય
વધારો કે ઘટાડો થતો નથી, પણ એવો ને એવો જ રહે છે માટે તેને અચલ કહેવામાં આવે છે.
(૯) ભગવત સ્વભવ અન ભગવત પ્રજ્ઞ
ભગવતી ચૈતન્યમૂર્તિ સ્વભાવ છે. પાપ કે પુણ્ય પરિણામ તો કુશીલ છે, ને ચૈતન્ય સ્વભાવ ભગવતીરૂપ
છે. એવા ભગવતી સ્વભાવને જાણનારું જે સમ્યગ્જ્ઞાન તે ભગવતી પ્રજ્ઞા છે. જેણે ભગવતી પ્રજ્ઞાદ્વારા ભગવતી
સ્વભાવનો આશ્રય કર્યો તે ભગવાન આત્મા પોતે કેવળજ્ઞાન અને કેવળદર્શનપણે અચલ પ્રગટ થયો.
સમયસારમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જ્ઞાનની ભેદ–જ્ઞાનરૂપ દશાને ‘ભગવતી પ્રજ્ઞા’ એવા પવિત્ર નામે
સંબોધન કર્યું છે. આત્માના સ્વભાવને અને વિકારને જુદા પાડવા માટે આ ભગવતી પ્રજ્ઞા છીણી સમાન છે.
સમ્યગ્દ્રષ્ટિ આત્માઓ દ્વારા બરાબર પટકવામાં આવતાં તે ભગવતી પ્રજ્ઞાછીણી સ્વભાવમાં જઈને રાગને છેદી
નાખે છે, ને જે કદી ફરે નહિ એવી જ્ઞાનની જ્યોતિને પ્રગટ કરે છે–અર્થાત્ કેવળજ્ઞાન પમાડે છે. કેવળજ્ઞાનરૂપી
સુપ્રભાતનું કારણ ભગવતી પ્રજ્ઞા જ (ભેદ વિજ્ઞાન જ) છે, તેથી તે પણ સુપ્રભાત છે અને મંગળરૂપ છે.
(૧૦) સુપ્રભાત કયારે ઊગે?
આત્મામાં પોતાનો સ્વકાળ (–પર્યાય) પૂર્ણપણે પ્રગટે તે જ સુપ્રભાત છે; પરંતુ બેસતા વર્ષના દિવસના
સૂર્યનો પ્રકાશ ઊગે તે કાંઈ ખરેખર સુપ્રભાત નથી, તે તો અલ્પકાળમાં અસ્ત પામે છે. ભલે કાળી ચૌદસની
રાતના બાર વાગ્યા હોય, પણ આત્મામાં મિથ્યાત્વરૂપ પર્વતને ભેદીને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કરી
ત્યારબાદ સ્થિરતા વડે કેવળજ્ઞાન થતાં જે ચૈતન્યનો ઝળહળતો પ્રકાશ ઉદય પામ્યો તે જ સુપ્રભાત છે, તેનો કદી
અસ્ત થતો નથી.
(૧) સુપ્રભાત કોને પ્રગટે: સાધકદશા મંગળરૂપ છે
એવું સુપ્રભાત કોને પ્રગટે? જેણે આત્મસ્વભાવને જાણ્યો એવા ધર્માત્મા–સમ્યગ્દ્રષ્ટિ જીવને જ સ્વભાવના
આશ્રયે સુપ્રભાત પ્રગટે છે. સમ્યગ્દર્શન વગર ધર્મીપણું હોતું નથી. સમ્યગ્દર્શન થતાં જ જીવ ધર્મી થાય છે;
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને નિર્જરારૂપ દશા હોય છે, તે દશા પવિત્ર છે, તેથી જો કે તેમને પણ સુપ્રભાત ઊગ્યું છે,
પરંતુ તે અપૂર્ણ દશા છે તેથી હજી પૂર્ણ સુપ્રભાત પ્રગટયું નથી, સ્વકાળ પૂર્ણ પ્રગટયો નથી; કેવળજ્ઞાન નથી થયું
પણ ભેદજ્ઞાન પ્રગટયું છે, તેથી તેમના આત્મામાં ધર્મકાળ વર્તે છે–સાધકદશા વર્તે છે. પૂર્ણના આશ્રયે જે
સાધકદશા શરૂ થઈ છે તે આગળ વધીને પૂર્ણ થવાની જ છે. તેથી એ સાધકદશા પણ મંગળરૂપ છે.
અનંત શક્તિનો પિંડ ચૈતન્ય સ્વરૂપ આત્મા તે દ્રવ્ય છે, પોતાના અસંખ્ય પ્રદેશ તે સ્વક્ષેત્ર છે, વર્તમાન
વર્તતો સાધક ભાવરૂપ પર્યાય તે સ્વકાળ છે અને જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય વગેરે અનંતગુણો તે તેનો ભાવ છે
પોતાના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી આત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે. ભગવતી પ્રજ્ઞાવડે એ સ્વભાવનો આશ્રય
કરતાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટયાં તથા સ્વભાવનું વીર્ય પ્રગટયું અને સ્વભાવના સુખનો અંશ
પ્રગટયો, તે સ્વકાળની શરૂઆત છે, તે ધર્મકાળ છે, તે નિર્જરાનો કાળ છે, તે સાધક કાળ છે ને તે જ ધર્મની
યુવાનીનો કાળ છે. ત્યાં હજી જ્ઞાન–દર્શનનો પ્રકાશ અચલ નથી, પણ અલ્પકાળમાં જ, સ્વભાવનો સંપૂર્ણ આશ્રય
કરતાં તેને સર્વ અશુદ્ધતા અને કર્મોનો સર્વથા ક્ષય થઈને આત્મામાં સ્વચતુષ્ટયનો અચલ પ્રકાશ પ્રગટ થશે.
(૧૨) જ્ઞાનીઓની ભાવના
લૌકિક માણસો એમ કહે છે કે આજે બેસતું વર્ષ છે, માટે બોલવા–ચાલવામાં ધ્યાન રાખજો. જો આજે

PDF/HTML Page 12 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૭ :
ખરાબ બોલશો તો આખું વર્ષ એવું જશે. એ રીતે અજ્ઞાનીઓ વિકારદ્રષ્ટિને લંબાવે છે. જ્ઞાનીઓ તો એમ કહે છે
કે–આખા આત્મસ્વભાવમાં વિકાર જ નથી એવી શ્રદ્ધા અને જ્ઞાન કરજો. પર્યાયમાં ક્ષણિક વિકાર થાય તે મારા
સ્વભાવમાં નથી. –વિકારરહિત મારા આત્મસ્વભાવની ભાવના વડે એક ક્ષણમાં પર્યાયનો વિકાર તૂટી જશે. –
આમ જ્ઞાનીપુરુષો સ્વભાવની ભાવનાવડે અશુદ્ધતાનો નાશ કરે છે, અને આત્મામાં મંગળ–સુપ્રભાત પ્રગટ કરે છે.
(૧૩) ચૈતન્યના પ્રતાપનો વિલાસ અને નિધાન
જેમ આ ભરતક્ષેત્ર છે તેમ મહાવિદેહ નામનું ક્ષેત્ર છે, ત્યાં વર્તમાનમાં શ્રી સીમંધર ભગવાન તીર્થંકરપદે
બિરાજે છે, તેમને અનંતચતુષ્ટયરૂપ સુપ્રભાત પ્રગટ છે. જેવી રીતે સૂર્ય ઊગે તેના પ્રકાશમાં અંધારું રહી શકે નહિ
તેવી રીતે આત્મામાં સુપ્રભાત થતાં ચૈતન્યસૂર્ય પ્રગટયો, તેની જ્યોતિનો એવો પ્રભાવ છે કે તેના તેજ–પ્રભાવમાં
રાગ કે દુઃખ આવી જ શકતા નથી. ચૈતન્ય–પૂંજનો જે પ્રતાપ તેના વિકારથી ભરપૂર એવા નિધાન સહિત
સુપ્રભાત ઉદય પામે છે. જડ નિધાન (લક્ષ્મી) માં આત્માનું સુખ નથી, પણ આત્માનો ચૈતન્ય નિધાનથી ભરેલો
વિકાસ થાય તે જ સુખ છે.
રાગ થાય તે ચૈતન્યનો વિલાસ નથી, પણ કેવળ જ્ઞાન થાય તે જ ચૈતન્યનો વિલાસ છે. ‘चित्पिंड
चंडिम–विलास विकासहासः’ એ પદનો વિસ્તાર ચાલે છે. સુપ્રભાતરૂપે ઉદય થયેલો આત્મા કેવો છે?
જ્ઞાનપૂંજસ્વભાવનો જે પ્રતાપ તેના ફેલાવથી ભરપૂર છે; ચૈતન્યભગવાનનો સંપૂર્ણ વિલાસ તેને પ્રગટયો છે.
જ્ઞાનની એકરૂપ અચલ પરિણતિ તે જ ચૈતન્યનો પ્રતાપ છે, રાગમાં અટકવું તે ચૈતન્યનો પ્રતાપ નથી. ચૈતન્યની
સ્થિર પરિણતિનો પ્રકાશ ખીલી નીકળ્‌યો તે જ ચૈતન્યનું અખંડ નિધાન છે. જડ પૈસા વગેરેના નિધાનથી તો
આત્મા જુદો જ છે, એ જડ નિધાનનો સ્વામી આત્મા નથી, ને તે સંયોગનો અલ્પકાળમાં વિયોગ થઈ જાય છે,
આ સ્વાનુભવથી પ્રત્યક્ષ એવા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની ઓળખાણ–પ્રતીતિ અને એકગ્રતા થતાં જે
પૂર્ણદશા ઊઘડી તે જ ચૈતન્યનાં નિધાન છે, તે નિધાનનો આત્મા સ્વામી છે, તે નિધાન સદાય આત્મા સાથે ટકી
રહે છે તેથી તે અક્ષય નિધાન છે.
(૧૪) સદા પરિપૂર્ણ શક્તિસ્વભાવનો મહિમા
આત્માની સંપૂર્ણ ચૈતન્યદશા પ્રગટી તે આત્મા સાથે સદાય ટકી રહે છે, જ્યાં સુધી આત્મા રહે ત્યાં સુધી
ચૈતન્યદશા થયા જ કરે એટલે કે તે અનંતકાળ અચ્છિન્નપણે થયા જ કરે, તે દશાનો કદી નાશ ન થાય, તેમાં કદી
અપૂર્ણતા ન થાય, ને તેમાં કદી વિકાર ન થાય.
પ્રશ્ન:–આત્મામાંથી એમ ને એમ પૂરી દશા પ્રગટયા જ કરે, તો પૂરી દશા પ્રગટતાં પ્રગટતાં કયારેક
આત્માની શક્તિ ખાલી ન થઈ જાય?
ઉત્તર:–આત્માનો શક્તિસ્વભાવ એવો છે કે અનંતકાળ સુધી પૂરેપુરી દશા પ્રગટયા કરે છતાં તેમાંથી
રંચમાત્ર ઘટાડો થતો નથી. જ્યારે અધૂરી દશા પ્રગટતી હતી ત્યારે શક્તિરૂપ વધારે ભાગ રહેતો હતો અને જ્યારે
પૂરી દશા પ્રગટવા માંડી ત્યારે શક્તિમાંથી કાંઈ ઓછું થઈ ગયું–એમ નથી. પૂર્ણ દશા પ્રગટી ત્યાં પણ શક્તિ પૂરી
જ છે, ને અધૂરી દશા વખતે પણ શક્તિ પૂરી છે. અધૂરી દશા હો કે પૂરી દશા હો–પણ શક્તિ તો પૂરી જ રહે છે.
એટલે આમાંથી તો એ સિદ્ધ થયું કે ત્રિકાળ–શક્તિસ્વભાવ નિરપેક્ષ છે, પર્યાયની તેને અપેક્ષા નથી.
કેવળજ્ઞાનાદિ સ્વચતુષ્ટયરૂપ પૂરી દશા પ્રગટી એટલે કે શક્તિની પૂરી અવસ્થા પ્રગટી તેથી શું શક્તિ ખૂટી
ગઈ હશે? –ના, ચૈતન્યશક્તિ તો પરિપૂર્ણ જ છે. સિદ્ધદશા વખતે ને નિગોદદશા વખતે ચૈતન્યશક્તિ સરખી જ
છે, વર્તમાનમાં અવસ્થામાં ફેર છે. ચૈતન્યશક્તિની શ્રદ્ધા અને આશ્રયના જોરે સિદ્ધદશા પ્રગટ થાય છે, પણ કાંઈ
ચૈતન્યશક્તિ પોતે પ્રગટ થતી નથી. ચૈતન્યસ્વભાવને જાણીને તેનો આશ્રય કરતાં બધાય દ્રવ્ય–ગુણ–પર્યાયને
એક સાથે સ્પષ્ટપણે જાણવાની પર્યાયની તાકાત પ્રગટી અર્થાત્ પરમાર્થ સ્વભાવના આશ્રયે વ્યવહારને છેદીને
પૂર્ણ–દશા પ્રગટી, ત્યારે સ્વભાવ સામર્થ્યમાંથી કાંઈ પણ ઘટી ગયું નથી, તેમ વધ્યું પણ નથી. જે શક્તિસ્વભાવ
છે તે કદી ખૂટે નહિ ને કદી વધે નહિ, અનાદિ અનંત એકરૂપ અવસ્થિત રહે છે. પર્યાયમાં ઘણી મલિનતા હોય
તેથી કાંઈ શ્રક્તિમાંથી ઘટી જતું નથી, અને પર્યાયમાં ઘણી પવિત્રતા હોય તેથી કાંઈ શક્તિમાં વધી જતું નથી.
તેમ જ જ્યારે પર્યાયમાં થોડું સામર્થ્ય પ્રગટ હોય ત્યારે શક્તિરૂપ ઘણું રહે–એમ નથી, અને પર્યાયમાં જ્યારે ઘણું
સામર્થ્ય પ્રગટે ત્યારે શક્તિમાંથી ઓછું થઈ જાય–એમ નથી. જે નિર્મળદશા પ્રગટી તેનું માહાત્મ્ય સમ્યગ્દર્શનમાં
(–સમ્યક્શ્રદ્ધામાં) નથી, પણ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવનું જ–પરમ પરિણામિક ભાવનું જ–તેમાં

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
માહાત્મ્ય છે, એના જ આશ્રયે (–લક્ષે) નિર્મળતા પ્રગટે છે. જ્યારે ઓછામાં ઓછો પર્યાય પ્રગટ હતો ત્યારે
ત્રિકાળી પૂર્ણ ચૈતન્ય સ્વભાવ શક્તિપણે હતો, અને જ્યારે પૂર્ણ પર્યાય પ્રગટયો ત્યારે પણ તે ત્રિકાળી
શક્તિસ્વભાવ એવો જ છે. આવો જ કોઈ અચિંત્ય અગુરુલઘુસ્વભાવ છે, તે સ્વભાવના મહિમારૂપ આ
માંગળિક થાય છે. અધૂરો પર્યાય હો કે પૂરો પર્યાય હો, શક્તિસ્વભાવે આત્મા સદા પરિપૂર્ણ છે, એનો મહિમા
સમજવો અને એનો વિશ્વાસ કરવો તે માંગળિક છે.
દ્રવ્યના પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો, ઓછી અવસ્થાએ ઓછું કાર્ય કર્યું ને વધારે અવસ્થાએ
વધારે કાર્ય કર્યું–એમ નથી. કેમકે દરેક પર્યાય વખતે પરિપૂર્ણસ્વભાવ જ વર્તી રહ્યો છે. કઈ અવસ્થા વખતે
સ્વભાવ પરિપૂર્ણ નથી? પર્યાયના કાર્યનો ભેદ વ્યવહારથી છે પણ નિશ્ચયથી જુઓ તો નાના પર્યાયે કે મોટા
પર્યાયે (અધૂરા પર્યાયે કે પૂરા પર્યાયે) પરિપૂર્ણ દ્રવ્ય–ગુણને ટકાવી રાખ્યા છે. માટે ત્રિકાળી દ્રવ્ય–ગુણની
દ્રષ્ટિથી પર્યાયના કાર્યભેદનો સ્વીકાર નથી. અધૂરો કે પૂરો પર્યાય તે બંનેએ સ્વભાવને જ ટકાવવાનું કાર્ય કર્યું
છે. આવો કોઈ અગુરુલઘુ સ્વભાવ છે. જેમ દ્રવ્ય–ગુણ અગુરુલઘુસ્વભાવે છે, તેમ પર્યાયમાં પણ
અગુરુલઘુસ્વભાવ છે. નાનો પર્યાય અને મોટો પર્યાય એવા પર્યાયભેદના આશ્રયને છોડીને ત્રિકાળી સ્વભાવના
આશ્રયે પૂર્ણતાનો જે વિકાસ થાય છે તે જ મંગળ સુપ્રભાત છે.
(૧૫) વસ્તુસ્વભાવની પૂર્ણતા
પ્રશ્ન:–શુદ્ધાત્મસ્વભાવની સાચી શ્રદ્ધા કરીને, સ્વશ્રયના પુરુષાર્થથી જેને સુપ્રભાત પ્રગટયું તેને ગુણ–
પર્યાય વચ્ચેનો ભેદભાવ ટળી ગયો, ને એકતા થઈ, તેથી પર્યાયમાં પૂરું જ્ઞાન, પૂરું સુખ, પૂરું આત્મબળ પ્રગટયું,
તો હવે શક્તિમાં કાંઈ જ્ઞાનાદિ બાકી રહેશે કે નહિ?
ઉત્તર:–આત્મા ત્રિકાળી પદાર્થ છે, તેની શક્તિ સદાય પૂરી જ છે. અનંતકાળ સુધી એવી ને એવી પરિપૂર્ણ
અવસ્થા પ્રગયટા કરશે, છતાં શક્તિ પણ એવી ને એવી પૂરી જ રહેશે શક્તિ પોતે પરિપૂર્ણ રહીને તેમાંથી
ત્રણેકાળની અવસ્થાઓ ક્રમેક્રમે પ્રગટે છે, એવા માહાત્મ્યથી ભરેલો વસ્તુસ્વભાવ છે.
(૧૬) અખટ ચતન્ય નધન
ચૈતન્યસ્વરૂપી આત્માની લક્ષ્મી એવી છે કે તેને ગમે તેટલી ભોગવ્યા કરો તો પણ અનંતકાળે પણ તેમાંથી
એક અંશ પણ ઓછો થતો નથી, અખૂટ ચૈતન્ય શક્તિનાં નિધાન છે. લોકો કહે છે કે બેઠો બેઠો ખાધા કરે તો મોટા
ભંડાર પણ ખૂટી જાય.–એવું આત્મામાં નથી. આત્માના ચૈતન્ય નિધાન તો એવાં છે કે બેઠો બેઠો ખાધા કરે એટલે
કે પર્યાયમાં પૂર્ણ જ્ઞાન–આનંદને ભોગવ્યા કરે તોપણ અનંતકાળે શક્તિમાંથી એક અંશ પણ ઘટે નહિ. અરે એ
ચૈતન્ય શક્તિની ઓળખાણ થતાં જે અંશે જ્ઞાન–આનંદરૂપદશા પ્રગટી, તે દશાને બેઠા બેઠા ભોગવ્યા કરે–
વિશેષદશાનો પુરુષાર્થ વર્તમાનમાં ન કરે તોપણ શક્તિ ખૂટી જતી નથી અને પ્રગટેલા અંશનો પણ નાશ થઈ જતો
નથી. આવા અક્ષય–અલૌકિક પોતાના ભંડારની ઓળખાણ કરવી તે જ સુપ્રભાત પ્રગટવાનો ઉપાય છે.
(૧૭) મહત્સવ
જ્ઞાન–દર્શન–ચારિત્રની આરાધના સંપૂર્ણ થતાં તે જ ભવે કેવળજ્ઞાન પ્રગટે છે. અને જો તે આરાધના
સંપૂર્ણ થયા પહેલાં દેહ છૂટે તો સમાધિ મરણ કરીને, એકાવતારી થાય છે, અને બીજા ભવે તે આરાધનાનો ભાવ
પૂરો કરીને કેવળજ્ઞાન પામે છે,–તેના આ મહોત્સવ છે. સ્વભાવની આરાધનાએ જે ચડયો તેને પૂર્ણતા થાય જ.
(૧૮) આચાર્યપ્રભુ આત્માનું સિદ્ધપદ બતાવે છે
શ્રીરામચંદ્રજી પોતે તે ભવે સિદ્ધ થવાના હતા તેથી તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેમને એવો ભાવ
જાગ્યો કે ઉપરથી પૂર્ણિમાના ચંદ્રને ઉતારીને મારા ખીસામાં મૂકું. એ વિચારથી તેઓ ચંદ્ર સામે હાથ લાંબા કરી
કરીને રડતા હતા. ત્યારે પ્રધાને તેમના હાથમાં અરિસો આપીને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવ્યું. મહાપુરુષ છે
એટલે ઉપરથી ચંદ્રને હેઠે (પ્રતિબિંબરૂપે) ઊતાર્યો. તેમ જેઓને સિદ્ધ થવું છે એવા આત્માઓ સિદ્ધપદના પડકાર
કરે છે. સિદ્ધ ભગવાનને પોકાર કરે છે કે હે સિદ્ધ ભગવંતો! આપ ઉપરથી ઉતરો, મારે સિદ્ધ પદ જોઈએ છે. આ
પંચમકાળમાં સિદ્ધપદનાં વિરહ પડયા છે.
–પરંતુ જેમ આકાશનો ચંદ્ર નીચે ન ઊતરે તેમ ઉપરથી સિદ્ધભગવાન નીચે નહિ ઊતરે, ત્યારે તીર્થંકર
ભગવાનના પ્રધાન શ્રીગણધરદેવો સમાધાન કરાવે છે કે–ભાઈ, જો હું તને તારું સિદ્ધપદ બતાવું છું. તું તારા
જ્ઞાનબિંબમાં જો, તેમાં તને સિદ્ધભગવાનનું પ્રતિબિંબ દેખાશે. અમારા આત્મામાં અને તમારા આત્મામાં અમે
સિદ્ધભગવાનને સ્થાપીએ છીએ. ઉપરથી સિદ્ધને ઉતારીને પોતાના ભાવથી આત્મામાં સ્થાપ્યા છે–એટલે કે–પોતાનો

PDF/HTML Page 14 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૯ :
આત્મા સિદ્ધ થઈને ઉપર જવાનો છે. માટે હે ભાઈ, તું પરાવલંબનરૂપી રોણાં છોડીને તારા જ્ઞાનરૂપી અરિસાને
સ્થિર કરીને જો તો તને તેમાં જ સિદ્ધ દેખાશે. સિદ્ધદશાનાં વિરહને ભૂલી જા. તારાં સિદ્ધપદ તારામાં જ છે, એને
જો–દેખ, તેની પ્રતીતિ કર. એમ કરવાથી તારા આત્મામાં સિદ્ધદશા પ્રગટી જશે.–એ જ મહાસુપ્રભાત છે.
(૧૯) અપ્રતહત સપ્રભત
–એવા સુપ્રભાતનો ઉદય થતાં જે શુદ્ધપરિણતિ પ્રગટી તે સ્વયં જ્ઞાન અને આનંદથી ભરપૂર છે અને તે
કાયમ સાક્ષાત્ ઉદ્યોતરૂપ રહે છે. આ સાતિશાય પ્રભાત છે, વિશિષ્ટ પ્રકારનો પ્રાતઃકાળ છે. ત્રિકાળ મહિમાવંત
સ્વભાવના આશ્રયે જે સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત થયું તેનો પણ ફરીને અસ્ત થવાની વાત નથી તો પછી
કેવળજ્ઞાન–રૂપી સુપ્રભાતમાં તો પાછું ફરવાની વાત કયાંથી હોય?
જેમ રાત્રિના અંધકારને ભેદીને સૂર્ય ઊગે તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માએ સ્વભાવનો પૂરો આશ્રય કર્યો અને
કર્મનો આશ્રય સર્વથા ટાળ્‌યો ત્યાં કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટયાં, એ પ્રભાત પરિપૂર્ણ જ્ઞાન, આનંદ, દર્શન
અને આત્મબળ સહિત છે.
(૨૦) સાધક જીવો ચૈતન્યસમુદ્રને વલોવીને અમૃત કાઢે છે.
જેમ લૌકિકમાં કહેવાય છે કે કોઈએ સમુદ્ર વલોવ્યો અને તેમાંથી પહેલાં ઝેર નીકળ્‌યું પછી અમૃત નીકળ્‌યું.
તે બંનેને કોઈક પી ગયું. એમ અહીં સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવો ભેદજ્ઞાનના બળવડે ચૈતન્યસમુદ્રને વલોવે છે,
ચૈતન્ય–સ્વરૂપના અનુભવરૂપી અમૃતનું પાન કરી કરીને સાધક જીવો ડોલે છે, અને અજ્ઞાન તથા રાગ–દ્વેષરૂપી
ઝેરને સર્વથા છોડે છે, તે ઝેરના એક અંશને પણ ગ્રહણ કરતા નથી. આ ચૈતન્યસમુદ્ર એવો છે કે ભેદજ્ઞાનવડે
તેને વલોવવાથી એકલું જ અમૃત જ નીકળે છે.
(૨૧) સુપ્રભાતમાં આત્માનો આનંદ કેવો છે?
મિથ્યાત્વ–અજ્ઞાનરૂપ નિદ્રા અને રાગ–દ્વેષ–ક્રોધાદિરૂપ અંધકારને નષ્ટ કરીને સમ્યગ્જ્ઞાન અને વીતરાગતામય
શુદ્ધ પરમાનંદ અવસ્થાને ધારણ કરતો શુદ્ધતત્ત્વરૂપે આત્મા પોતે ઉદય પામે છે, તે સુપ્રભાત છે. તે આત્મા કેવો છે?
आनन्द सुस्थित सदाऽस्खलितैकरूपो’ અર્થાત્ અતીન્દ્રિય સ્વાભાવિક સુખરૂપ જે પોતાના પરિણામ તેમાં
સદાય અસ્તલિત એકરૂપે સ્થિત છે. આત્મા પોતે જ પરિપૂર્ણ આનંદસ્વરૂપે થઈ ગયો છે, તેને કદી હવે આનંદનો
વિરહ નથી. જેમ આત્માનો કદી નાશ નથી તેમ તેના સ્વાભાવિક અતીન્દ્રિય આનંદનો પણ કદી નાશ નથી.
પૂર્ણદશાનો અતીન્દ્રિય આનંદ જો બહારથી આવ્યો હોય તો તેનો વિયોગ થઈ જાય, પણ પોતાનો સ્વભાવ જ
આનંદરૂપ થઈ ગયો છે એટલે કે આત્મા અને આનંદ બંને એક જ થઈ ગયા છે–તેથી તેનો કદી વિયોગ નથી. તે
આનંદ અસ્ખલિત છે, તેમાં કદી સ્ખલના નથી–ભંગ નથી. વળી તે એકરૂપ છે. પરલક્ષે જે આકુળતામાં આનંદ
માન્યો હતો તે તો અનેક પ્રકારનો હતો, તથા સાધક દશાનો આનંદ પણ વધ–ઘટરૂપ અનેક પ્રકારનો હતો, પણ
પૂર્ણદશાનો આકુળતારહિત સ્વાભાવિક પૂરો આનંદ પ્રગટયો તે સદા એક જ પ્રકારનો છે, એકરૂપ છે.
(૨) આત્માના ચતુષ્ટયરૂપ સુપ્રભાત
આવી જે સુપ્રભાતરૂપ નિર્મળદશા પ્રગટી તેમાં જ આખો આત્મા સ્થિત છે. પરિપૂર્ણ દશા પ્રગટતાં આત્મા
કૃતકૃત્ય થઈ ગયો છે, જે કહો તે સર્વસ્વ એ પર્યાયમાં આવી ગયું છે. એ પરિપૂર્ણ પર્યાયથી ભિન્ન કોઈ આત્મ–
સ્વભાવ રહ્યો નથી. આ કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આત્માના ચતુષ્ટયને જ સુપ્રભાતરૂપે વર્ણવ્યા છે.
चित्पिंड ઈત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું. છે. शुद्धप्रकाश ઈત્યાદિ વિશેષણથી અનંત
જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. आनंदसुस्थित ઈત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે, અને
अचलार्चि વિશેષણથી અનંતવીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે; એવો અર્થ પંડિત જયચંદજીએ ભર્યો છે. આવા
ચતુષ્ટયસ્વરૂપ સુપ્રભાતને કોણ પ્રાપ્ત કરે છે? શુદ્ધ આત્મસ્વભાવને જાણવારૂપ જ્ઞાન, અને તેમાં જ રાગરહિત
એકાગ્રતારૂપ ક્રિયા, એવા જ્ઞાન–ક્રિયાનો સુમેળ જે આત્મામાં વર્તે છે તે આત્મા જ તે સુપ્રભાતરૂપે ઉદય થાય છે
અને તે આત્મા સદાય આનંદમાં જ સ્થિત રહે છે.
(૨૩) આચાર્યદેવના આત્મામાંથી ઊઠતો પડકાર
અહીં આચાર્યદેવ એમ બતાવે છે કે–તું તારા શુદ્ધાત્મસ્વભાવનો મહિમા લાવીને તેને જાણ અને તેમાં
સ્થિર થા તો તારો આત્મા જ આનંદમાં એવો સુસ્થિત થઈ જશે કે ફરીથી કદી તને આકુળતા કે દુઃખ નહિ થાય.
તારો સ્વભાવ જ તારે ઉપાસવાયોગ્ય છે. જ્ઞાન અને આનંદ પ્રગટવાનું ઠેકાણું તારો આત્મા જ છે. તેને ઓળખ
અને તેમાં એકાગ્ર થા, તો સદાકાળ પૂરા ને પૂરા આનંદમાં જ તારો આત્મા સ્થિર રહેશે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
જુઓ, આ સુપ્રભાત–મંગળ! આ તો આચાર્યોનાં અંતરના પડકાર ઊઠયા છે–આત્મામાંથી પોકાર ઊઠયા
છે કે અમે સિદ્ધ પદ લેવા ઊઠયા છીએ, અપ્રતિહતપણે અમારી સિદ્ધદશા લેવાના છીએ. (એક દેહ સ્વર્ગમાં
ધારણ કરવો બાકી છે, તેનો નકાર કરતાં આચાર્યશ્રી કહે છે કે) વસ્તુસ્વભાવ અમારો પૂરો છે તે જાશે કયાં?
પુરો સ્વ–ભાવ કદી ટળવાનો નથી અને એ પૂરા સ્વભાવના જે શ્રદ્ધા–જ્ઞાન પ્રગટયાં છે તે પણ કદી ટળવાનાં
નથી. એટલે હવે અપ્રતિહતભાવે પૂર્ણતા જ પ્રગટવાની છે. આ રીતે આચાર્યદેવોનાં અંતરમાં પૂર્ણ સુપ્રભાતની
ભાવનાનું જ રટણ થઈ રહ્યું છે.
(૨૪) આત્માનો સ્વકાળ અને મહાન અપૂર્વ માંગળિક
‘પ્રભાત’ એ કાળને સૂચવે છે. લૌકિકમાં દિવસ, રાત, કલાક, મિનિટ વગેરે ભેદો કાળના છે, પરંતુ એ
કાળની સાથે આત્માના ધર્મનો સંબંધ નથી. આત્માની પરિણતિ તે આત્માનો કાળ છે, તેમાં બાલ્યકાળ
(અજ્ઞાનકાળ), જ્ઞાનકાળ, ચારિત્રકાળ, કૈવલ્યકાળ અને સિદ્ધકાળ એવા ભેદો છે. અજ્ઞાનભાવ અને ઊંધી
માન્યતારૂપ જે પર્યાય છે તે આત્માનો બાલ્યકાળ છે, તે કાળ રાત્રિના અંધકાર જેવો છે. શુદ્ધચૈતન્યની શ્રદ્ધા–
જ્ઞાનરૂપ પર્યાય તે જ્ઞાનકાળ છે. ટૂંકામાં કહીએ તો સ્વસમય તે ધર્મ છે ને પરસમય તે અધર્મ છે.
લોકો માને છે કે દુષ્કાળ ટળ્‌યો ને સુકાળ થયો, પાક બહુ સારો પાકયો તેથી હવે સુખી થશું. પરંતુ
ભાઈરે! તારા આત્માને તેં ખોરાકનો ઓશિયાળો માન્યો અને બહારમાં તારું સુખ માન્યું તેથી તારા
અજ્ઞાનભાવને લીધે તારા આત્મામાં સદાય દુષ્કાળ જ છે. તું તારા આત્માના સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કર તો
સુકાળ પ્રગટે એટલે કે તારામાં સમ્યક્ પ્રકારનું પરિણમન થાય, અને દુષ્કાળ એટલે ભૂંડું પરિણમન (–અશુદ્ધતા)
ટળે. એ જ તારા કલ્યાણનું કારણ છે. સાચી શ્રદ્ધા–જ્ઞાનરૂપી સુકાળ થતાં અને સ્વરૂપની એકાગ્રતાવડે
ચૈતન્યસૂર્યનું પ્રતપન થતાં ચારિત્રરૂપ પાક પાકયાં. અને તેના ખોરાકથી આત્મા પુષ્ટ–થયો–આત્મામાં સ્વકાળની
પૂર્ણતા થઈ–કેવળજ્ઞાન થયું. એ જ આત્માનું સાચું જીવતર છે. પરંતુ અનાજથી આત્મા જીવતો નથી, ને
અનાજને આત્મા ખાતો પણ નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્યપણાથી સદા જીવંત છે, તેનો કદી નાશ નથી. પહેલાં
શરૂઆતમાં આત્માનું જીવન કેવું હોય તે બતાવ્યું અને પછી, ત્રિકાળ શક્તિસ્વભાવ સદા પૂરો છે તેનો મહિમા
વર્ણવ્યો તથા તે સ્વભાવમાં અગુરુલઘુપણું વર્ણવ્યું. એ રીતે આજે મહાન અપૂર્વ માંગળિક થયું છે.
(૨૫) સાધક દશા કેવી છે?
પોતાના આત્મસ્વભાવના આશ્રયે જે સાધકદશા પ્રગટી તે મંગળરૂપ છે. એવી સાધકદશાનું વર્ણન કરતાં
નાટક–સમયસારમાં કહ્યું છે કે–
જગી શુદ્ધ સમ્યક્કલા, બગી મોક્ષમગ જોય; વહે કર્મ ચૂરણ કરે, ક્રમ ક્રમ પૂરણ હોય.
જાકે ઘટ એસી દશા, સાધક તાકો નામ, જૈસે જો દીપક ધરે સો ઉજિયારો ધામ.
વારંવાર આત્મસ્વભાવની ભાવનાથી એટલે કે ભેદજ્ઞાનના અભ્યાસથી, શદ્ધાત્મસ્વભાવના આશ્રયે
ચૈતન્યની નિર્મળદશા પ્રગટી એટલે શ્રદ્ધા અને જ્ઞાનરૂપી શુદ્ધ કળા પ્રગટી, અને તે વેગથી મોક્ષમાર્ગમાં ચાલવા
લાગી; અનાદિથી પરિણતિ સંસાર તરફ ચાલતી તેને બદલે હવે સાધકજીવને સ્વભાવના આશ્રયે મોક્ષ તરફ
પરિણતિ દોડવા લાગી. હવે સ્વભાવના જ આશ્રયે આગળ વધતી વધતી, કર્મનો, વિકારનો અને વ્યવહારનો
ચૂરો કરતી કરતી, ક્રમે ક્રમે તે પૂર્ણ થાય છે. જેના અંતરમાં આવી દશા થઈ હોય તે જીવને જ સાધક જાણવો.
સ્વભાવના આશ્રયે જ સાધકદશા શરૂ થઈ છે, તેના જ આશ્રયે આગળ વધે છે, ને તેના જ આશ્રયે પૂર્ણતા થાય
છે. વચ્ચે જેટલો વ્યવહારનો આશ્રય આવી પડે છે તે સાધક નથી પણ બાધક છે. જ્યાં દીવો હોય ત્યાં ઉજાસ
હોય, તેમ જ્યાં ચૈતન્યભગવાન દીવારૂપે હોય ત્યાં કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટે છે–એટલે કે જ્યાં
ચૈતન્યસ્વભાવનો આશ્રય છે ત્યાં કેવળજ્ઞાન પ્રગટે છે, પણ પુણ્ય–પાપ પોતે અંધારાસ્વરૂપ છે, તેના આશ્રયથી
તો મિથ્યાત્વરૂપ અંધકારની જ ઉત્પત્તિ થાય છે, પણ સમ્યગ્જ્ઞાન પ્રકાશ પ્રગટતો નથી.
સાધક ધર્માત્મા જીવને ચૈતન્યભાવના આશ્રયે સમ્યગ્દર્શન સૂર્ય ઊગ્યો ને મોહરાત્રિ ટળી ગઈ. પરમાં
મમત્વને લીધે ઊંધી શ્રદ્ધા ને ઊંધા જ્ઞાનરૂપ જે બે પડળ હતાં તે પડળ ફાટી ગયાં, ને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનરૂપ
બે ચક્ષુઓ ફડાક ખૂલી ગયાં, એ ચક્ષુઓ ખૂલ્લાં થતાં પોતાના અચિંત્ય મહિમાવંત ભગવાન આત્માના અવાચ્ય
સ્વભાવને બરાબર જાણ્યો. વિકલ્પ કે વાણીના અવલંબને આત્મસ્વભાવ જાણી શકાતો નથી પણ સમ્યગ્દર્શન
અને સમ્યગ્જ્ઞાનથી જ તે જણાય છે. એવા નિજસ્વભાવને બરાબર

PDF/HTML Page 16 of 17
single page version

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૩૧ :
અનુભવ્યા પછી વધારે નિર્મળ જ્ઞાનપ્રકાશ અને વધારે ઉદ્યમ જાગૃત થતાં આત્મા પોતાના સુખામૃત–સમતારસનું
પાન વિશેષપણે કરવા લાગ્યો, એ રીતે સ્વભાવના આશ્રયે નિર્વાણનો (પૂર્ણ સુખનો) માર્ગ પામીને આત્મા
નિર્વાણદશાને પામ્યો તે જ સુપ્રભાત છે. ભગવાનશ્રી મહાવીરપ્રભુ એવા જ ઉપાયથી એવી દશા પામ્યા તે તેમના
આત્માનું સુપ્રભાત છે, ને પોતે પોતાના આત્મામાં સાધક થઈને તેવી દશા પામે તે પોતાનું સુપ્રભાત છે.
(૨૬) જિજ્ઞાસુનું કર્તવ્ય
આ સુપ્રભાત–મંગળમાં આ આત્મા–ભગવાનની સારી મહિમાવંત વાત થઈ છે, તે જિજ્ઞાસુઓએ અંતરમાં
બરાબર વિચારવા જેવી છે, વારંવાર મનન કરવા જેવી છે, ને પોતાના આત્મામાં તે પરિણમાવવા જેવી છે.
(૨૭) જ્ઞાનીઓનાં આશીર્વાદ
આજના મંગળ–સુપ્રભાતમાં પૈસા–વસ્ત્ર વગેરે વસ્તુ પ્રાપ્ત થવાના આશીર્વાદ જ્ઞાનીઓ નથી આપતા, પણ
કેવળજ્ઞાન પામીને મોક્ષ પામવાના જ્ઞાનીઓના આશીર્વાદ છે, એ જ કર્તવ્ય છે. આત્માનો મોક્ષ કરવો એ જ
કર્તવ્ય છે. મુક્તદશામાં આત્મામાંથી જ પૂર્ણ જ્ઞાન, સુખ ને આનંદ પ્રગટે છે, તે માટે તેને કદી કોઈ પરની જરૂર
પડતી નથી. કોઈ પણ આત્માને પોતાના જ્ઞાન, સુખ ને આનંદ માટે પરની જરૂર નથી. એવું સમ્યક્ પ્રભાત
ભગવાન આત્મામાં પ્રગટયું અને મોહરાત્રિ ટળી તે મહાન મંગળ છે, આ જ ધર્મીનું અપૂર્વ સુપ્રભાત છે.
પૂજ્ય ગુરુદેવશ્રીની અપૂર્વ વાણીમાં ઝળકતું દિવ્ય સુપ્રભાત ત્રિકાળ જયવંત વર્તો.
બાલ વિભાગ બાળકોને
ધર્મપ્રેમી બાળકો!
એ જાણીને તમને બહુ જ આનંદ થશે કે, હવેથી ‘આત્મધર્મ’ માં દરેક મહિને ‘બાલ
વિભાગ’ આપવામાં આવશે. તેમાં તમને સમજવું બહુ જ સહેલું પડે એવું અને વાંચતા મજા
પડે એવું સારું સારું લખાણ છપાશે. માટે તમે દરેક મહિને તે બરાબર વાંચજો, અને સમજજો...
તમે જાણો છો?
() ર્ : એક નાનકડો બાળક હતો, તેને આત્માનું જ્ઞાન હતું. તે ધર્માત્મા હતો અને બહુ જ
વૈરાગી હતો. જ્યારે તે ૧૧ વર્ષનો હતો ત્યારે જ તેણે જિનદીક્ષા લઈ લીધી... નાના બાળક મટીને મોટા
મુનિરાજ થયા.... એનું નામ હતું ‘કુંદકુંદ.’ તેઓશ્રીને આજે આપણે ‘શ્રી કુંદ–કુંદાચાર્ય’ તરીકે પૂજીએ છીએ.
એકવાર તો તેઓ સીમંધરભગવાન પાસે જઈને તેમનાં દર્શન કરી આવ્યાં. અને ‘સમયસાર શાસ્ત્ર’
તેમણે જ બનાવ્યું છે. તેઓ બહુ જ પવિત્ર હતા. થોડા વખતમાં તેઓ ભગવાન થઈને મોક્ષ પામશે.
() શ્ર દ્ર : ‘વવાણિયા’ નામે એક ગામડું છે. ત્યાં એક સાત વર્ષનો બાળક રહેતો હતો. તે ઘણો
વૈરાગી અને બુદ્ધિશાળી હતો. એકવાર તેના ગામમાં કોઈ મરી ગયું. ત્યારે તેના શરીરને બાળવા માટે લઈ ગયા.
બાળક એક ઝાડ ઉપર ચડીને છાનોમાનો તે જોવા લાગ્યો. જોતાં જોતાં તેને એવા પ્રકારનો વિચાર આવ્યો કે
જીવ અને શરીર તો જુદાં છે, આનો જીવ ચાલ્યો ગયો તેથી શરીરને બાળી નાખે છે. જીવ તો પહેલાં કયાંકથી
આવ્યો અને હવે કયાંક જતો રહ્યો. એમ ઊંડો વિચાર કરતાં કરતાં પોતાનો આત્મા પહેલાં કયાં હતો તેની તેને
ખબર પડી ગઈ એટલે કે ફક્ત સાત જ વરસની ઉંમર હતી ત્યારે તેને ‘જાતિસ્મરણ’ જ્ઞાન થયું. એ બાળકનું
નામ હતું ‘રાજ–ચંદ્ર’ ત્યાર પછી જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમને આત્માનું ભાન થયું. નજીકના ભવિષ્યમાં
તેઓ મોક્ષમાં જશે.
તેમણે “આત્મસિદ્ધિ શાસ્ત્ર” બનાવ્યું છે, તે બહુ સુંદર છે. અને જ્યારે તેઓ ૧૬ વર્ષના હતા ત્યારે તેમણે
‘મોક્ષમાળા’ લખી છે, તે ખાસ બાળકો માટે જ લખી છે.
તમે લખી જણાવશો? :– બાળકો, તમને તત્ત્વજ્ઞાનનો લાભ થાય અને સમજવામાં રસ પડે તે માટે અહીં ત્રણ
પ્રશ્નો પૂછયા છે, તેનો
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, તા. ૧૨–૧૨–૪૮
પ્રકાશક : શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
જવાબ શોધી કાઢીને લખી મોકલજો. જવાબ તમારી મેળે
લખવાનો છે, કોઈને પૂછીને નહિ.
(૧) પંચ પરમેષ્ઠી ભગવાનનાં નામ શું છે? અને
તેમાંથી કેટલા દેવ છે? કેટલા ગુરુ છે તથા કેટલા શાસ્ત્ર
છે? તે બતાવો.
(૨) એવી ઊંચામાં ઊંચી ત્રણ વસ્તુ કઈ છે કે
જેનાથી આપણને જરૂર મોક્ષ મળે.
(૩) નીચેની વસ્તુઓમાંથી તમને સૌથી વધારે શું
ગમે તે બતાવો.
સોનાનું સમયસાર, ભગવાનની રતનની મૂર્તિ,
સમ્યગ્દર્શન, આખા ભરતક્ષેત્રનું રાજ્ય.
નામ અને સરનામા સાથે જવાબ એક પોસ્ટકાર્ડમાં
નીચેના સરનામે મોકલવા. ચૌદ વર્ષ સુધીના બાળકોએ જ
આમાં ભાગ લેવો.
સંપાદક : આત્મધર્મ : બાલ વિભાગ
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ (કાઠિયાવાડ)
માગશર સુદ ૧૫ સુધીમાં જેના જવાબ પહોંચી જશે અને
તેમાંથી જે પહેલાં આઠ આવશે તેને એક પુસ્તક ભેટ
આપવામાં આવશે.
બાળકની ભાવના
અમે તો જિન શાસનનાં બાળ,
અમારે ભણવાં જૈન–સિદ્ધાંત.... અમે તો૦
ભણવું–ગણવું અમને વહાલું,
ગુરુજી પર છે વહાલ.
વહાલ અમારા સાધર્મી પર,
વહાલી સારી ચાલ...............અમે તો૦
ભણી–ગણીને મોટા થઈશું,
કરીશું આતમ કાજ.
ઉપકાર એ ગુરુજી તણો છે
વંદીએ વારમવાર.................અમે તો૦
બાલ–સ્વાધ્યાય
(૧)
હું એક જીવ છું.
આ એક પુસ્તક છે.
હું પુસ્તકને જાણું છું.
પુસ્તક મને જાણતું નથી.
હું શરીરને જાણું છું
શરીર મને જાણતું નથી.
(૨)
હું જીવ છું.
મારામાં જાણવાનો ગુણ છે.
તેથી હું બધાને જાણું છું.
આ પુસ્તક અજીવ છે.
તેનામાં જાણવાનો ગુણ નથી.
તે કોઈને જાણતું નથી.
(૩)
જાણવાના ગુણને જ્ઞાનગુણ કહેવામાં આવે છે.
જેમાં જ્ઞાન હોય તે જીવ છે.
જેમાં જ્ઞાન ન હોય તે અજીવ છે.
ડબામાં ગોળ હોય તેમ જીવમાં જ્ઞાન નથી,
પણ ગોળમાં ગળપણ હોય તેમ જીવમાં જ્ઞાન છે.
(૪)
મારામાં જ્ઞાન છે;
તેથી હું જીવ છું.
ગોળમાં ગળપણ એકરૂપ છે તેમ મારામાં જ્ઞાન એકરૂપ છે.
પુસ્તકમાં જ્ઞાન નથી;
તેથી તે અજીવ છે.
અજીવને જડ પણ કહે છે.
(૫)
જ્ઞાન તે હું છું
પુસ્તક તે હું નથી,
શરીર તે હું નથી.
પુસ્તક અજીવ છે તેમ શરીર પણ અજીવ છે.
આ જગતમાં બે જાતની વસ્તુઓ છે. એક જીવ અને બીજી
અજીવ. જેનામાં જ્ઞાન હોય તેને જીવ કહેવાય છે. જેનામાં
જ્ઞાન ન હોય તેને અજીવ કહેવાય છે.
(૬)
જીવની પોતાની ઉંધી સમજણ તે દુઃખ છે.
જીવની પોતાની સાચી સમજણ તે સુખ છે.
સમજણ તે જ્ઞાન છે.
અજીવ ને સુખ દુઃખ હોય નહીં.
શરીર અજીવ છે તેથી તેને સુખ દુઃખ હોય નહીં.
(૭)
પુસ્તક મારાથી જુદું છે.
તેમ શરીર મારાથી જુદું છે.
હું જીવ છું
શરીર જડ છે–અજીવ છે.
હું જીવ છું તેથી જાણું છું
શરીર અજીવ છે–જડ છે તેથી જાણતું નથી.