Atmadharma magazine - Ank 052
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૨
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : મહા
રામજી માણેકચંદ દોશી
અંક ચોથો વકીલ ૨૪૭૪
ભેદવિજ્ઞાનીની દશા
જે ચૈતન્યનું લક્ષણ નથી એવી સમસ્ત
બંધભાવની લાગણીઓ મારાથી ભિન્ન છે–એમ
બંધભાવથી ભિન્ન સ્વભાવનો નિર્ણય કરતાં
ચૈતન્યને તે બંધભાવની લાગણીઓનો આધાર
રહેતો નથી, એકલા આત્માનો જ આધાર રહે
છે. આવા સ્વાશ્રયપણાની કબુલાતમાં ચૈતન્યનું
અનંત વીર્ય આવ્યું છે. પોતાની શક્તિદ્વારા જેણે
બંધરહિત સ્વભાવનો નિર્ણય કર્યો તેને
સ્વભાવની હોંશ અને પ્રમોદ આવે કે અહો!
આ ચૈતન્યસ્વભાવ પોતે ભવરહિત છે, તેનો
આશ્રય કર્યો તેથી હવે ભવના અંત નજીક
આવ્યા અને મુક્તિદશાનાં નગારાં વાગ્યાં.
પોતાના નિર્ણયથી જે નિઃશંકતા કરે તેને
ચૈતન્ય પ્રદેશોમાં ઉલ્લાસ થાય અને તેને
અલ્પકાળમાં મુક્તદશા થાય જ.
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
વર્ષ પાંચમું : સળંગ અંક : માહ
અંક ચોથો : ૫૨ : ૨૪૭૪
પુરુષાર્થ અને કાળ
પંચમકાળ કઠણ છે–એમ કહીને અજ્ઞાની જીવો આત્મસ્વભાવની સમજણનો પુરુષાર્થ જ માંડી વાળે છે;
જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ રે, શું કાળ કે કર્મો કાંઈ તારું કાંડુ પકડીને તને પુરુષાર્થ કરતાં રોકે છે? અર્થાત્ શું તારી
સ્વપર્યાયને કાળ કે કર્મો રોકે છે? નહિ, એ તો પરદ્રવ્યો છે, તે તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ! તું
પરાધીન દ્રષ્ટિ છોડીને તારા સ્વભાવના લક્ષે પુરુષાર્થ કર. પુરુષાર્થવડે અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે.
આત્માના સ્વતંત્ર પુરુષાર્થને નહિ સ્વીકારનારા જીવો એમ માને છે કે ‘પંચમકાળ છે માટે જીવોને
પુરુષાર્થ ન થઈ શકે. ’ એ પરાધીનદ્રષ્ટિ છે જેઓ આત્માના સ્વતંત્ર પુરુષાર્થને સ્વીકારે છે અને સ્વાધીનદ્રષ્ટિથી
જોનારા છે તેઓ એમ જાણે છે કે ‘અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે માટે પંચમકાળ
કહેવાય છે. ’ આમાં એકની દ્રષ્ટિ કાળ ઉપર છે, બીજાની દ્રષ્ટિ આત્માના પુરુષાર્થ ઉપર છે, એ મોટો દ્રષ્ટિભેદ છે.
ખરી રીતે કાળ દ્રવ્યની પર્યાય તો ત્રણે કાળ એક સરખી જ છે, તેમાં કોઈ ભેદ નથી; અને જીવની
પર્યાયમાં તો તે માત્ર નિમિત્ત છે. જીવના ભાવ અનુસાર કાળદ્રવ્યની પર્યાયમાં ચોથો કાળ કે પંચમકાળ એમ
ઉપચાર કરવામાં આવે છે. પંચમકાળે ભરતક્ષેત્રમાં જન્મેલા જીવો મુક્તિ ન પામે એનો ખરો અર્થ એ છે કે તે તે
જીવોની વર્તમાન સ્વપર્યાયની લાયકાત જ મુક્તિ પામે એવી નથી અને તેથી જ કાળને તે પ્રકારનું (મુક્તિનું)
નિમિત્ત કહેવાતું નથી. પરંતુ મહાવિદેહક્ષેત્રના કોઈ મુનિને ઉપાડીને દેવો અહીં મૂકી જાય તો તે મુનિ અહીં પણ
મોક્ષ પામી શકે છે. આ જ ભરતક્ષેત્ર અને આ જ પંચમકાળ હોવા છતાં તે જીવ પોતાની સ્વપર્યાયની
લાયકાતવડે મોક્ષ પામી શકે છે. જો જીવની પોતાની સ્વપર્યાયની લાયકાત મોક્ષ પામવાની હોય તો તેને આ જ
ક્ષેત્ર અને આ જ કાળ મોક્ષનું નિમિત્ત કહી શકાય છે. સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વપર્યાયની લાયકાત મુજબ
પરદ્રવ્યમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવાય છે; પરંતુ પરદ્રવ્યને અનુસરીને ઉપાદાનની પર્યાય થતી નથી.
પોતાની દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે
લાયકાતમાં બીજું કોઈ કારણ નથી પણ તે વખતનો પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે તેવી
લાયકાત તે સમયે થાય છે.
પર્યાય તે તો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્ય પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે, અને તે તે સમયની
પોતાની લાયકાત અનુસાર પર્યાય થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી જે સમયે જેવી લાયકાત કરે તે સમયે તેવી
પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સવલક્ષ ચૂકીને પર
લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વપર્યાયને ન જોતાં પરદ્રવ્યનો દોષ કાઢે છે. “પર
દ્રવ્યો તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટયો? ” એમ
જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યના કારણે દોષ થયો નથી. રસ્તામાં કૂવો હોય અને તેમાં કોઈ માણસ પડે તો કોનો
દોષ? શું કૂવો વચ્ચે આવ્યો માટે તે પડ્યો? નહિ; તે પોતે શા માટે આંધળો થઈને (–બેદરકારીથી) તેમાં
પડ્યો? તેણે જોઈને સાવધાનીથી ચાલવું હતું; કૂવો તો તેના ઠેકાણે જ પડ્યો હતો, કૂવાએ કાંઈ માણસને પરાણે
ખેંચીને પાડયો ન હતો. જો માણસ પોતે કૂવાથી જુદા રસ્તે ચાલે તો કૂવો કાંઈ તેને બળજબરીથી પોતા તરફ
ખેંચી લાવતો નથી. તેમ કાળ અને કર્મો વગેરે બધાં પરદ્રવ્યો પોત પોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત
છે, તે કોઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થવડે પોતાના ઉપયોગને તે
તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને પોતાના સ્વભાવ તરફ
પરિણમન કરે તો કાંઈ તે કાળ કે કર્મ વગેરે પરદ્રવ્યો તેને કાંડુ ઝાલીને ના પાડતા નથી. માટે જીવોએ પ્રથમ તો
પોતાના ચૈતન્ય સ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે તે
ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ
મુક્તિનો ઉપાય છે. ‘ઉપયોગ સ્વતરફ એકાગ્ર કરવો’ તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
[શ્રી સમયસાર–મોક્ષ અધિકાર ઉપરના વ્યાખ્યાનોમાંથી]

PDF/HTML Page 4 of 17
single page version

background image
(આર્યા–)
પર દ્રવ્યને ‘હું કરું હું કરું’ – એ જ અજ્ઞાન છે
[શ્રી સમયસાર – કલશ ટીકા પૃષ્ટ ૭૦ થી ૭૩ ના આધારે]
જેને એવો નિશ્ચય રહે છે કે, ‘આ આખો આત્મા જ રાગ–દ્વેષરૂપ થઈ ગયો’ તે જીવને અજ્ઞાની કહેવામાં આવે
છે. આખા આત્માને રાગ–દ્વેષરૂપ સમજવો તે જ મિથ્યાત્વ છે અને ખરેખર તે જ ભવનું બીજ છે. સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની
એમ સમજે છે કે મારો આત્મા રાગ–દ્વેષમય થઈ ગયો નથી, આત્મા તો રાગરહિત માત્ર જ્ઞાનદર્શનસ્વરૂપ છે. માત્ર
વર્તમાન પર્યાયમાં રાગ–દ્વેષરૂપ પરિણમ્યો છે.
જડ કર્મ અને આત્મા–એ બંને ભેગા થઈને રાગાદિરૂપે પરિણમતા નથી. રાગાદિભાવરૂપે ચેતન પોતે પરિણમે
છે. રાગાદિ ભાવ વખતે પણ ચેતનનું અને કર્મનું–એ બંનેનું સ્વતંત્ર જુદું જુદું પરિણમન પોત પોતાના રૂપમાં છે. બંને
ભેગાં થઈને એક પરિણમન કદી થયું નથી, અને થઈ શકતું જ નથી. એ બે દ્રવ્યો છે અને તેમનું પરિણમન પણ બે રૂપ
છે, અને સદાય બે રૂપે જ રહેશે, કદી તે બંનેનું એક પરિણમન થતું નથી. આ સંબંધી દોહરો નીચે પ્રમાણે–
એક કર્મ કર્તવ્યતા કરે ન કર્તા દોય; દુધા દ્રવ્ય સત્તા સુ તો એક ભાવ કયોં હોય?
અર્થ–બે દ્રવ્યો થઈને એક કામ કરે નહિ; કેમકે દરેક દ્રવ્યની સત્તા જ જુદી છે, તે એકભાવ કેમ થઈ શકે?
અહીં કોઈ અજ્ઞાની એમ પ્રશ્ન કરશે કે દ્રવ્યમાં તો અનંત શક્તિ છે, તેમાં એક શક્તિ એવી પણ હોય કે એક દ્રવ્ય બે
દ્રવ્યોના પરિણામને કરે; જેમ જીવ દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ–દ્વેષ–મોહ પરિણામને પોતામાં કરે છે તેમ
જ્ઞાનાવરણાદિ કર્મપિંડને પણ તે કરે. –કેમ કે જીવની અનંત શક્તિ છે, તેનો ઉત્તર આ પ્રમાણે છે–દ્રવ્યમાં અનંત શક્તિ છે–
એ વાત તો સાચી, પણ દ્રવ્યની અનંત શક્તિઓમાંથી એવી તો કોઈ પણ શક્તિ નથી કે, જેમ દ્રવ્ય પોતાના ભાવોમાં રહીને
તેને કરે છે તેમ તે પરદ્રવ્યના ભાવોમાં રહીને તેને પણ કરે. પર દ્રવ્યનું કાંઈ કરી શકે એવી તાકાત વસ્તુસ્વભાવમાં જ નથી.
જે અનંતશક્તિ છે તે પોતામાં કામ કરે છે, પરમાં તે કાંઈ કરતી નથી. આ સંબંધમાં શ્રી સમયસારનો કલશ નીચે મુજબ છે–
नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य।
नैकस्य च क्रिये द्वे एकमनेके यतो न स्यात्।।
५४।।
તેનો અર્થ આ પ્રમાણે છે.
૧.
हि एकस्य द्वौ कर्तारौ न–એટલે કે ખરેખર એક પરિણામના બે કર્તા હોય નહિ. ભાવાર્થ એ છે કે, અશુદ્ધ
ચેતનારૂપ રાગદ્વેષ મોહ પરિણામનો જેમ તેમાં રહીને જીવ કર્તા છે, તેમ પુદ્ગલદ્રવ્ય પણ તે રાગદ્વેષ મોહ પરિણામનું કર્તા
છે–એમ તો નથી. જીવ દ્રવ્ય જ પોતાના રાગ–દ્વેષ મોહ પરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય તેનું કર્તા નથી.
૨. एकस्य द्वे कर्मणी न स्त:– એટલે કે એક દ્રવ્યનાં બે કામ હોય નહિ. એક દ્રવ્યના બે પરિણામ હોય નહિં.
ભાવાર્થ એ છે કે, જેમ રાગદ્વેષમોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનો તેમાં રહીને જીવ કર્તા છે, તેમ જ્ઞાનાવરણાદિ અચેતન
કર્મોનો પણ જીવ કર્તા છે–એમ નથી. જીવ પોતાના જ પરિણામનો કર્તા છે, અચેતન પરિણામરૂપ કર્મનો કર્તા નથી.
૩. च एकस्य द्वं क्रिये न–એટલે કે એક દ્રવ્યની બે ક્રિયા પણ હોતી નથી. ભાવાર્થ એ છે કે, જીવ દ્રવ્ય જેમ
ચેતન પરિણતિરૂપ પરિણમે છે, તેમ અચેતન પરિણતિરૂપ પણ પરિણમે છે–એમ નથી; જીવ અચેતન ક્રિયા કરે છે,
અચેતન ક્રિયા કરતો નથી.
૪. यतः एकं अनेकं न स्यात्–કારણ કે જે એક દ્રવ્ય છે તે અનેક રૂપ થતું નથી. ભાવાર્થ એ છે કે, જીવ તો એક
ચેતનદ્રવ્યરૂપ છે. જીવ દ્રવ્ય જો અનેકરૂપ હોય (–એટલે કે તે જડદ્રવ્યરૂપ પણ હોય અને ચેતન દ્રવ્યરૂપ પણ હોય) તો,
જ્ઞાનાવરણાદિ કર્મોનો પણ તે કર્તા થાય અને પોતાના રાગદ્વેષમોહરૂપ અશુદ્ધચેતન–પરિણામનો પણ કર્તા થાય! પરંતુ
એમ તો નથી. જીવ દ્રવ્ય તો સદાય એક ચેતનરૂપ જ છે; અને તે તે વખતના પોતાના ચેતનપરિણામને તે કરે છે,
અચેતન કર્મોને જીવ કદી કરતો નથી આવું વસ્તુસ્વરૂપ છે.
અહીં એ બતાવ્યું કે–ચેતન પદાર્થનું કામ ચેતનરૂપ હોય છે, અચેતન પદાર્થનું કામ અચેતનરૂપ હોય છે.
ચેતનદ્રવ્ય અચેતનપદાર્થની પરિણતિને કરતું નથી અને ચેતન દ્રવ્યની પરિણતિને અચેતનપદાર્થો કરતા નથી. જેવી રીતે
ચેતન અને અચેતન એવી બે પરિણતિઓને એક ચેતનદ્રવ્ય કરતું નથી, તેવી રીતે અચેતન અને ચેતન એવી બે
પરિણતિઓને એક અચેતન દ્રવ્ય કરતું નથી. તેમજ ચેતન અને અચેતન એ બે પદાર્થો ભેગાં થઈને પણ કોઈ કામ
કરતાં નથી. જે દ્રવ્યનું જે પરિણામ હોય તે તેમાં જ રહે છે. દ્રવ્યનું કામ દ્રવ્યથી જુદું હોતું નથી. શુદ્ધદ્રષ્ટિથી આ જીવ
પોતાની શુદ્ધવીતરાગી પરિણતિને જ કરે છે. અશુદ્ધદ્રષ્ટિથી આ જીવ રાગ–દ્વેષમોહરૂપ પોતાની વિભાવપરિણતિને કરે છે.
પરંતુ જ્ઞાનાવરણાદિ કર્મને કે પુદ્ગલ દ્રવ્યની કોઈ પણ પરિણતિને તો કોઈ રીતે જીવ કરતો નથી.
પોતાની વૈભાવિક શક્તિની લાયકાતથી રાગ–દ્વેષરૂપ પરિણમે એવી તો જીવમાં તાકાત છે, પરંતુ પરદ્રવ્યોને
પરિણમાવી દે એવી કોઈ શક્તિ જીવમાં નથી. જો કે રાગ–દ્વેષ–મોહરૂપ પરિણામો અશુદ્ધ છે, તેઓ જીવનું મૂળ સ્વરૂપ
નથી, છતાં પણ તે રાગાદિ અશુદ્ધભાવોનો કર્તા તો અજ્ઞાનભાવથી જીવ ભલે હો, પરંતુ–જડકર્મોને–શરીરની

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
ક્રિયાને કે પુદ્ગલની કોઈ પણ ક્રિયાઓને તો અજ્ઞાન–ભાવથી પણ જીવ કરી શકતો નથી. એ વાતને અહીં દ્રઢ કરી છે.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તા–કર્મપણાનું અજ્ઞાન છે, તે અજ્ઞાન જો શુદ્ધસ્વરૂપના અનુભવથી એક
વાર પણ નાશ પામે તો ફરીને ન આવે, એમ હવે કલશમાં કહે છે–
(શાર્દૂલ – )
आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै– र्दुर्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः।
तद्भूतार्थपरिग्रहेण विलयं यधेकवारं व्रजेत् तत्किंज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः।। ५५।।
‘જ્ઞાનાવરણાદિ કર્મને કે પરદ્રવ્યને હું કરું છું’ એવો, મિથ્યાદ્રષ્ટિ જીવોનો અત્યંત દુર્નિવાર મિથ્યાત્વરૂપ
મહા અંધકાર અનાદિસંસારથી અત્રૂટ–સંતાનરૂપે ચાલ્યો આવે છે; દેવ હો કે મનુષ્ય, તિર્યંચ હો કે નરક–એ બધા
કર્મના પર્યાયોમાં પોતાપણાની બુદ્ધિ કરે છે–એવા મહાઅહંકારરૂપ તે મિથ્યાત્વ છે. શ્રી આચાર્યદેવ કહે છે કે જો
ભૂતાર્થને બરાબર ગ્રહણ કરવાથી (એટલે કે પરથી છૂટા પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવથી) તે મિથ્યાત્વ એક
વાર પણ નાશ પામે તો, અહો! ફરીથી જ્ઞાનઘન આત્માને બંધન કેમ થાય?
અહીં એ બતાવ્યું છે કે, આ જીવને ‘હું પરદ્રવ્યોનો કર્તા છું’ એવી બુદ્ધિ અનાદિકાળથી થઈ રહી છે.
પોતાના સ્વદ્રવ્યની પરિણતિને ભૂલીને, પરની જ પરિણતિનો હું કર્તા છું એવી માન્યતા તે જ ઘોર મિથ્યાત્વ છે.
જો કોઈ પણ રીતે–શુદ્ધાત્મદ્રવ્યના અભ્યાસથી એકવાર પણ સમ્યક્ત્વ પ્રગટ કરે અને તે મિથ્યાત્વ છૂટે તો ફરીથી
કદી અજ્ઞાનભાવ થાય નહિ, કદી પણ પરમાં અહંબુદ્ધિ કરે નહિ. અજ્ઞાન ટળી ગયા પછી સંસારનું બંધન કઈ
રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય–એમ જાણવું. એનો ઉપાય શુદ્ધાત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ
કરવો તે જ છે. શ્રીતત્ત્વજ્ઞાન–તરંગિણીમાં કહ્યું છે કે–શુદ્ધ ચૈતન્યસ્વરૂપ મારા આત્મા સિવાયના બીજા કોઈ પણ
ચેતન કે અચેતન પદાર્થોને કોઈ રીતે, કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે હું મારી ચેતનાથી સ્પર્શ પણ કરતો નથી.
[જુઓ સમયસાર કલશ ટીકા. પૂષ્ટ ૭૦ થી ૭૩]
પર દ્રવ્ય જીવને રાગ – દ્વેષ કરાવતું નથી
કોઈ અજ્ઞાનીઓ એમ માને છે કે, ‘જીવનો સ્વભાવ રાગદ્વેષરૂપ પરિણમવાનો નથી પણ પરદ્રવ્યો–
જ્ઞાનાવરણાદિ કર્મ, શરીર તથા સંસાર–ભોગની સામગ્રીઓ જીવને બલાત્કારથી રાગ–દ્વેષરૂપે પરિણમાવે છે.’ –એ
વાત ખોટી છે. પરદ્રવ્યો જીવને રાગદ્વેષરૂપે પરિણમાવતા નથી, જીવ પોતે જ રાગ–દ્વેષાદિ ભાવે પરિણમે છે,
જીવની વિભાવ–પરિણામ શક્તિ જીવમાં છે તેને લીધે (અર્થાત્ પોતાની વિભાવશક્તિની વર્તમાન યોગ્યતાથી)
જીવ પોતે જ મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે છે, પર વસ્તુઓનો તેમાં કાંઈ સહારો (મદદ) નથી. એ વાત
આચાર્યદેવ કલશમાં કહે છે–
(શાલિની)
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया नान्यद्द्रव्यं वीक्ष्यते किंचनापि।
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात्।।
२१९।।
અર્થ–તત્ત્વદ્રષ્ટિથી જોતાં, રાગદ્વેષને ઉપજાવનારૂં અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, કારણ કે સર્વ દ્રવ્યોની
ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે.
ભાવાર્થ:– દ્રવ્યના સ્વરૂપને જોવામાં આવે તો–સાચી દ્રષ્ટિથી જોવામાં આવે તો–આઠ કર્મો, શરીર, મન,
વચન કે બાહ્ય ભોગ સામગ્રી ઈત્યાદિ જેટલાં પરદ્રવ્યો છે તે કોઈ પણ, જીવમાં અશુદ્ધચેતનાસ્વરૂપ રાગ–
દ્વેષપરિણામને ઉપજાવવા સમર્થ નથી; કેમ કે ચેતન કે અચેતન બધાંય દ્રવ્યોની પરિણતિની ઉત્પત્તિ (–અખંડ
ધારારૂપ પરિણામ) પોત પોતાના ભાવથી જ–પોત પોતાના સ્વરૂપથી જ થાય છે, એ અત્યંત પ્રગટ છે.
અહીં આ સ્પષ્ટ કર્યું છે કે, રાગ–દ્વેષાદિ પરિણામો જીવના જ વિભાવભાવ છે, કેમ કે જીવમાં એક પ્રકારની
વૈભાવિક શક્તિ છે, તેની યોગ્યતાથી જીવનો જ્ઞાનભાવ સ્વયં વિભાવરૂપ થઈ જાય છે, પરંતુ કોઈ પણ બીજું દ્રવ્ય
બલાત્કારથી જીવમાં રાગ–દ્વેષ ઉત્પન્ન કરી દેતું નથી. જેમ–જેપાણીમાં ઉષ્ણતારૂપે થવાની લાયકાત છે તે જ અગ્નિના
સંયોગે ઉષ્ણ થાય છે, તેમ જે જીવમાં રાગદ્વેષ–મોહરૂપે પરિણમવાની લાયકાત છે તે જ તે–રૂપે પરિણમે છે, કાંઈ
કર્મોનો ઉદય તેને રાગ–દ્વેષ કરાવતો નથી.
[શ્રી સમયસાર–કલશ ટીકા. પૃ. ૨૫૬–૨૫૭ ના આધારે]

PDF/HTML Page 6 of 17
single page version

background image
: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૫૩ :
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચન
શ્રી પરમાત્મ – પ્રકાશ ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનાં વ્યાખ્યાનોનો સાર: અંક ૫૧ થી ચાલુ: લેખાંક – ૨
વીર સં. ૨૪૭૩ દ્વિ. શ્રાવણ વદ ૭ રવિાર
() ત્ સ્ ર્? : પહેલી ગાથામાં પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જાણીને
નમસ્કાર કર્યા છે, તે મંગળિક છે. જેઓ પરમાત્મા થયા તેમને પહેલાંં પરમાત્મપર્યાય પ્રગટ ન હતી, પણ
શક્તિરૂપ પરમાત્મસ્વભાવ હતો; તે સ્વભાવની ઓળખાણ અને ધ્યાન કરીને પરમાત્મદશા પ્રગટ કરી. એ રીતે
નિર્દોષ શક્તિ, નિર્દોષ ઉપેય અને તેનો નિર્દોષ ઉપાય એ ત્રણેનું જ્ઞાન કરીને પરમાત્માને નમસ્કાર કર્યા છે.
() ધ્ સ્રૂ : પરમાત્મદશાનો ઉપાય ધ્યાન છે. –એમ કહ્યું છે, તે ધ્યાન કેવું છે?
પરમાત્મસ્વભાવની શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેમાં જ સ્થિરતા રૂપ ચારિત્ર તે અભેદરત્નત્રય નિર્વકલ્પ સમાધિ છે,
તેનાથી વીતરાગી પરમાનંદ સમરસીભાવરૂપ સુખરસનો સ્વાદ ઉત્પન્ન થાય છે તે જ ધ્યાનનું લક્ષણ છે. કોઈ
નિમિત્તનું લક્ષ નહિ ને પર્યાયનું પણ લક્ષ નહિ, એકલા ચૈતન્ય–સમુદ્રમાં લીન થઈ જવું–તેજ ધ્યાન છે.
() ધ્ ? : ધ્યાન એટલે એકાગ્રતા; તે ધ્યાન કોને હોય? રાગરહિત સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર તે આત્માનું ધ્યાન છે, તે જ ધર્મધ્યાન છે, ને તે મુક્તિનું કારણ છે. રાગમાં એકાગ્ર થવું તે આત્મધ્યાન
છે. તે સંસારનું કારણ છે. આત્મસ્વભાવ સમજ્યા વગર કદી આત્માનું ધ્યાન હોય જ નહિ. સમ્યગ્દ્રષ્ટિને ચોથા
ગુણસ્થાને પણ આત્માનું ધ્યાન હોય છે. ધ્યાન સાધક જીવોને જ હોય છે, કેવળીભગવાનને ધ્યાન હોતું નથી
કેમકે તેમને તો પરમાત્મદશા પ્રગટ છે.
() પ્ર િ : પરમાત્મ સ્વભાવના ધ્યાનવડે કર્મકલંકનો નાશ કરીને સિદ્ધ
પરમાત્મદશા થાય છે. હવે અહીં ‘કર્મકલંકનો નાશ કર્યો’ તે ઉપર નય લાગુ પડે છે. કર્મો બે પ્રકારના છે– (૧)
ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ; ભાવકર્મ એટલે જીવમાં વિકાર થાય છે તે; અને જ્ઞાનાવરણાદિ કર્મો તે દ્રવ્યકર્મ છે.
અશુદ્ધનિશ્ચયનય એટલે શું? કે રાગ તે વિકાર છે માટે ‘અશુદ્ધ’ અને તે સ્વની પર્યાય છે માટે નિશ્ચય; તેને
જાણનારું જ્ઞાન તે અશુદ્ધનિશ્ચયનય છે. કર્મો ટાળવાનો ઉપાય તો શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ છે, અશુદ્ધનિશ્ચયનય તે કર્મો
ટાળવાનો ઉપાય નથી. ભાવકર્મો ટળ્‌યા–એમ કોણે જાણ્યું?– અશુદ્ધનિશ્ચયનયે તે જાણ્યું છે. આત્મામાં મલિનતા હતી
અને તે ટળી એ અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે. અહીં સ્વ તે નિશ્ચય ને પર તે વ્યવહાર એ અપેક્ષા છે, તેથી રાગાદિ
સ્વપર્યાયને નિશ્ચયના ભેદમાં ગણી છે. ત્રિકાળી શુદ્ધસ્વભાવ તે શુદ્ધનિશ્ચયનયનો વિષય છે, સમ્યગ્દર્શનનો વિષય તે
ત્રિકાળીસ્વભાવ છે. પણ સમ્યગ્દર્શન પ્રગટ્યું તે તો નવી પર્યાય છે, તે આત્માની શુદ્ધપર્યાય છે. આ ગાથામાં શુદ્ધપર્યાય
પ્રગટી તેને નય લાગુ પાડ્યો નથી; આ ગાથામાં તો ત્રિકાળી સ્વભાવને જ શુદ્ધનિશ્ચયનયનો વિષય કહ્યો છે. પણ
જ્યારે ત્રિકાળી શુદ્ધસ્વભાવને પરમ શુદ્ધનિશ્ચય કહીએ ત્યારે નિર્મળ પર્યાયને શુદ્ધનિશ્ચયનયનો વિષય કહેવાય છે.
અશુદ્ધ નિશ્ચયનયવડે કર્મ બળ્‌યાં–એમ નથી. પણ શુદ્ધ નિશ્ચયના અવલંબને કર્મ બળ્‌યાં છે. અહીં તો ‘કર્મ
બળ્‌યાં’ એમ જાણનાર ક્યો નય છે તેની વાત છે. અશુદ્ધનિશ્ચયનય તેને જાણે છે.
પ્રશ્ન:– અશુદ્ધ નિશ્ચયનયવડે અશુભ ટળીને શુભ થાય, એટલી તો શુદ્ધતા થાય છે ને?
ઉત્તર:– ના, શુભરાગ થાય તે વડે શુદ્ધતા વધતી નથી. પણ ત્રિકાળસ્વભાવ તરફની દ્રષ્ટિના જોરપૂર્વક જો
અશુભમાંથી શુભ થાય તો શુદ્ધતા વધે છે; અને ત્યાં જેટલો રાગ ટળ્‌યો છે તેટલો અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે.
પણ સ્વભાવના આશ્રય વગર અશુભમાંથી શુભ કરે તો ત્યાં કાંઈ શુદ્ધિ વધતી નથી. ‘ભાવ કર્મ આત્માએ
બાળ્‌યાં’ એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે. આ ગ્રંથમાં સ્વ તે
– ભલામણ –
આત્મધર્મ માસિક ગુજરાતી ભાષામાં પાંચ વર્ષથી પ્રગટ થાય છે. એ વર્ષો દરમિયાન આત્મધર્મમાં અનેક
ધાર્મિક ન્યાયોની વિસ્તૃત છણાવટ થયેલી છે. યથાર્થ ધર્મની રુચિ ધરાવતા જિજ્ઞાસુઓને સહેલાઈથી સમજાય એવી
સાદી અને સરળ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિના ભાવોને આત્મધર્મ માસિકમાં રજુ કરવામાં આવ્યા છે. એથી
જેમની પાસે આત્મધર્મ માસિક ન હોય તેઓ જરૂર મંગાવી લે. પહેલાં બીજા વર્ષની થોડી જ ફાઈલો બાકી છે.
આત્મધર્મની પહેલા, બીજા, ત્રીજા તથા ચોથા વર્ષની બાંધેલી ફાઈલ દરેકની કિંમત ૩ – ૪ – ૦ ટપાલખર્ચ માફ
આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૫૪ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
નિશ્ચય ને પર તે વ્યવહાર એવી અપેક્ષાપૂર્વક નયોનું વર્ણન કર્યું છે. તેથી રાગાદિ પર્યાયને અશુદ્ધ નિશ્ચય તરીકે
વર્ણવવામાં આવ્યા છે. નયોના અનેક પડખાંનું જ્ઞાન તે વિશેષ નિર્મળતાનું કારણ છે, માટે ઘણાં પડખાં આવે
ત્યાં મૂંઝાવું નહિ.
(૧) ત્રિકાળી કારણ પરમાત્મા છે, (૨) તેને જાણનાર–માનનાર નિર્મળ પર્યાય ઉઘડે છે, (૩) રાગાદિ
અશુદ્ધતા છે તે ટળે છે (૪) અને કર્મો એને કારણે ટળી ગયાં–એ બધાયને ઓળખવા તો પડે ને! તેને કયું જ્ઞાન
ઓળખે છે? ૧–ત્રિકાળી શુદ્ધઆત્મ સ્વભાવ છે તેને જાણવું તે પરમ શુદ્ધ નિશ્ચયનય છે. ૨–તે સ્વભાવની શ્રદ્ધા–
જ્ઞાન–સ્થિરતારૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તેને જાણે તે એકદેશ શુદ્ધનિશ્ચયનય છે; પૂર્ણ મોક્ષદશા પ્રગટી તેને જાણે તે
શુદ્ધનિશ્ચયનય છે. ૩–અશુદ્ધતા હતી તે ટળી ગઈ–એને જાણે તે અશુદ્ધનિશ્ચયનય છે અને ૪–ધ્યાનરૂપી અગ્નિવડે
કર્મો ટળ્‌યાં, એને જાણવું તે અસદ્ભુત અનુપચરિત વ્યવહારનય છે.
આખી ચીજ, નિર્મળ અવસ્થા, મલિન અવસ્થા અને કર્મ વગેરે નિમિત્તોનો અભાવ–એમ જે ચાર પ્રકાર છે
તે દરેકને જાણનાર જ્ઞાનને જુદું જુદું નામ આપવું પડશે. એ ચારેય એક જ નયનો વિષય ન કહેવાય. જેમ
વિષયમાં ચાર પ્રકાર છે તેમ તેને જાણનાર જ્ઞાનમાં પણ ચાર પ્રકાર હોય છે–તે ઓળખાવે છે. સમયસારમાં પહેલી
બાર ગાથામાં અને પંચાધ્યાયીમાં જ્યાં નયોનું વર્ણન છે ત્યાં તો એકલા આત્માશ્રિત જ કથન છે, પર સાથે ત્યાં
નય લાગુ પાડ્યા જ નથી. અહીં તે અપેક્ષા નથી. અહીં સ્વ–પર બંનેની અપેક્ષાથી નયનું કથન આવશે.
જે ત્રિકાળી દ્રવ્ય છે તેમાં અશુદ્ધતા ન હોય. ત્રિકાળી વસ્તુ બંધાય તો અભાવ થાય, ને ત્રિકાળી વસ્તુ
પ્રગટે તો નવી ઉત્પત્તિ થાય; માટે ત્રિકાળી વસ્તુમાં બંધ–મોક્ષ નથી. પણ પર્યાયમાં બંધ–મોક્ષ છે. અશુદ્ધતાને
જાણે તે અશુદ્ધનિશ્ચયનય છે, પણ તે જ નય ત્રિકાળીવસ્તુને જાણતો હોય તો ત્રિકાળી વસ્તુ જ અશુદ્ધ થઈ જાય.
પણ ત્રિકાળી વસ્તુને જાણનાર નય જુદો છે. એ રીતે ચાર પડખાં છે તે દરેકને જાણનાર નય જુદા છે.
પ્રશ્ન:– વર્તમાન એક સમય તો આખી વસ્તુ અશુદ્ધ થઈ જાય છે?
ઉત્તર:– નહિ, આખી વસ્તુ અશુદ્ધ થાય જ નહિ. આખી વસ્તુ અશુદ્ધ થઈ એમ કહેવું તે ઉપચારથી છે.
કેમકે અજ્ઞાની જીવ માત્ર વર્તમાન પર્યાયને જ વસ્તુ તરીકે જાણે છે, પણ બીજા શુદ્ધ પડખાંને જાણતો જ નથી
તેથી તે આખી વસ્તુને જ અશુદ્ધ માને છે; એમ જાણીને જ્ઞાનીઓ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુ અશુદ્ધ થઈ એમ
કહે છે. અજ્ઞાની તો આખી વસ્તુને અશુદ્ધ જ માને છે, બીજા શુદ્ધ પડખાંનું તેને જ્ઞાન નથી તેથી તેના જ્ઞાનમાં
‘નય’ હોતા નથી.
પાણી ઊનું થયું ત્યારે જ દ્રવ્ય–ગુણ શુદ્ધ છે, એ શુદ્ધતા ઈન્દ્રિયોવડે નહિ જણાય. તેમ આત્મામાં વિકારી
પર્યાય હોય તે વખતે જ દ્રવ્યગુણ સ્વભાવ શુદ્ધ છે–એ શુદ્ધતા ઈન્દ્રિયોવડે નહિ જણાય. બીજી રીતે કહીએ તો
શાસ્ત્રમાંથી નહિ જણાય; સ્વભાવથી જ જણાય તેમ છે. શું ત્રિકાળી શક્તિ વર્તમાનરૂપે થઈ ગઈ છે? ત્રિકાળી
જો વર્તમાનરૂપ થઈ જાય તો બીજા સમયે પર્યાય ક્યાંથી આવે? માટે વસ્તુની શક્તિ ત્રણે કાળ શુદ્ધ છે.
અશુદ્ધપર્યાય વખતે પણ શુદ્ધ સ્વભાવ જ છે; એ સ્વભાવ ઈન્દ્રિયો, શાસ્ત્રથી કે ગુરુના અવલંબનથી જણાય તેમ
નથી, એ સ્વભાવદ્રષ્ટિનો વિષય છે. જીવનો સ્વભાવ તો ઈન્દ્રિયજ્ઞાનથી જણાતો નથી, પરંતુ પુદ્ગલનો સ્વભાવ
પણ ઈન્દ્રિયજ્ઞાનથી જણાતો નથી. માટે પર્યાયમાં વિકાર હોવા છતાં તે જ વખતે, જો ઈન્દ્રિય અને ઈન્દ્રિયના
વિષયભૂત પદાર્થોનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળી સ્વભાવને અતીન્દ્રિય જ્ઞાનવડે જુએ તો, પોતાનો સ્વભાવ
શુદ્ધ છે તે અનુભવમાં આવે છે.
જેમ (૧) પોતે પિતા હોય (૨) એક કમાઉ પુત્ર હોય, (૩) એક ઉડાઉ ખરાબ પુત્ર હોય અને (૪)
ઘરમાં એક નોકર રહેતો હોય તો તે દરેકને જુદાજુદા જાણે છે. (૧) હું જ પુત્ર છું એમ નથી માનતો, (૨)
કમાઉ પુત્રને આદરણીય માને છે (૩) ઉડાઉ પુત્રને હેય જાણે છે અને (૪) નોકરને પર જાણે છે. તેમ
આત્મામાં– (૧) ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે તે પિતારૂપ છે, એક પર્યાય થાય તેના જેટલો તે નથી પણ ત્રિકાળ છે.
(૨) નિર્મળ મોક્ષ–દશા કે મોક્ષમાર્ગદશા તે આદરણીય છે. (૩) મલિન અવસ્થા તે ટાળવા જેવી છે અને (૪)
કર્મ પર છે. તે ચારે પ્રકારને જાણનાર જ્ઞાનમાં પણ જુદા જુદા ચાર નય છે. (૧) ત્રિકાળી સ્વભાવને જાણે તે
પરમ શુદ્ધ નિશ્ચયનય છે. (૨) નિર્મળ પર્યાય તે આત્મા છે એમ જાણે તે શુદ્ધનિશ્ચયનય છે. (૩) રાગાદિ
અશુદ્ધભાવ આત્મામાં છે એમ જાણે તે અશુદ્ધનિશ્ચયનય છે અને (૪) કર્મ ટળ્‌યાં એમ જાણે તે અનુપચરિત
અસદ્ભુત વ્યવહારનય છે.–ચાલુ

PDF/HTML Page 8 of 17
single page version

background image
: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૫૫ :
જ્ઞાન અને સુખરૂપે આત્મા પોતે જ થાય છે, તેને
ઈન્દ્રિયોની અપેક્ષા નથી.
વર સ. ૨૪૭૨: કરતક સદ ૧ ન દવસ શ્ર પ્રવચનસર ગથ ૧૯ ઉપર પરમ પજ્ય
શ્રી કાનજી સ્વામીનું મંગળ – પ્રવચન
(૧) સુપ્રભાતનાં સબરસ
પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિકપ્રકાશ ને ઈન્દ્રિય–અતીત થયેલ આત્મા જ્ઞાનસૌખ્યે પરિણમે. ૧૯.
આ વર્ષે સુપ્રભાતના માંગળિક તરીકે આ ગાથા આવી છે. ઘણીવાર પદ્મનંદીશાસ્ત્રમાંથી ‘સુપ્રભાત–
અષ્ટક’ ના શ્લોક વંચાય છે. પણ આ વખતે કુદરતે આ સુંદર ગાથા માંગળિક તરીકે આવી છે. કેવળજ્ઞાન તે જ
સુપ્રભાત છે. જે આત્માઓને કેવળજ્ઞાન પ્રગટ્યું હોય તેમને સ્વભાવથી જ જ્ઞાન અને સુખરૂપ પરિણમન હોય
છે, –એનું વર્ણન કરીને શ્રી કુંદકુંદાચાર્યદેવ પોતે આ ગાથામાં કેવળજ્ઞાનરૂપી સુપ્રભાતના ગાણાં ગાય છે.
શુદ્ધ ઉપયોગના પ્રભાવથી અનાદિકાળના આત્માના સંસારનો નાશ કરીને જે પવિત્ર કેવળજ્ઞાન અને
સિદ્ધદશા પ્રગટી તે આત્માનું સુપ્રભાત છે, તે આગામી અનંતકાળ રહેશે.
આજે બેસતા વર્ષના પ્રભાતમાં લોકો ‘સબરસ’ ને સંભારે છે. લોકો તો મીઠાંને (નીમકને) સબરસ
માને છે પરંતુ એ તો ખારું છે, એ ખરેખર સબરસ નથી, કેવળજ્ઞાન અને પૂર્ણઆનંદરૂપ જે આત્મદશા તે જ
‘સબ–રસ’ છે. જેમ મીઠું દરેક રસોઈમાં પ્રવેશીને તેને સ્વાદિષ્ટ બનાવે છે તેથી લોકો તેને સબરસ કહે છે; તેમ
આત્માનું કેવળજ્ઞાન પ્રગટ થતાં બધી જ વસ્તુમાં અંતર્ગત થઈને જ્ઞાન તેને જાણી લે છે અને તે જ્ઞાન
અનાકુળતારૂપ આનંદરસથી ભરેલું છે, તેથી ખરેખર તે જ સબરસ છે. જેમ મીઠું બધી વસ્તુમાં પ્રવેશીને તેને
સ્વાદવાળી બનાવે છે તેમ જ્ઞાન બધી વસ્તુઓથી જુદું રહેવા છતાં, જાણે કે તે વસ્તુમાં પ્રવેશી ગયું હોય તેમ સર્વે
વસ્તુના સ્વરૂપનો પાર પામી જાય છે. અને જેમ મીઠું રસ આપે છે તેમ કેવળજ્ઞાન પોતે આનંદરૂપ છે. એ રીતે,
બધાને જાણે છે માટે સબ અને આનંદ સહિત છે માટે રસ–એમ કેવળજ્ઞાન પોતે સબરસ છે. એવા આત્મિક
સબરસને યથાર્થ જાણવું–માનવું તે મંગળ છે. બેસતા વર્ષના મંગળ પ્રભાતે ખરી રીતે તે જ સબરસનું
(આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવનું) સ્મરણ–જ્ઞાન–ધ્યાન કરવું જોઈએ. એવા નિર્મળ જ્ઞાન ને આનંદરૂપ જે
આત્મદશા તે જ સાચું સુપ્રભાત છે. આ કારતક સુદ ૧ ની તિથિ તો અનંત આવી અને ચાલી ગઈ, પરંતુ
તેનાથી આત્માનું કાંઈ હિત થયું નથી. માટે ખરેખર દિવસ તે સુપ્રભાત નથી પણ આત્માનો પવિત્ર ભાવ તે જ
સુપ્રભાત છે; કે જે સુપ્રભાત પ્રગટવાથી આત્મામાં સુખ–આનંદ પ્રગટે છે, અને જે કદી અસ્ત પામતું નથી. એવા
સુપ્રભાતનું વર્ણન શ્રી કુંદકુંદભગવાને આ ગાથામાં કર્યું છે.
આસો વદ અમાસના દિવસે શ્રી વર્દ્ધમાનપ્રભુ સિદ્ધ થયા, ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામી અરિહંત
થયા. કેવળજ્ઞાન થતાં તેમનું જ્ઞાન લોકાલોકના બધા જ પદાર્થોનો અંત પામી ગયું–બધાને જાણી લીધા, અને
આત્માનો પરિપૂર્ણ સ્વાભાવિક આનંદ પ્રગટ થયો, એ રીતે તેમને ‘સબ–રસ’ ની પ્રાપ્તિ થઈ. એવા સબરસની
પ્રાપ્તિની ભાવનાથી આજે પણ ભવ્ય જીવો પ્રભાતમાં તેનું સ્મરણ કરે છે. પ્રભાતમાં એટલે કે આત્માની દશામાં;
જે અજ્ઞાનરૂપી અંધારી રાત છે તેને જ્ઞાનપ્રકાશવડે દૂર કરવી તે જ સાચું પ્રભાત છે. પરિપૂર્ણ જ્ઞાનવડે બધાને
જાણનાર અને આનંદ રસથી ભરપૂર એવા આત્મસ્વભાવરૂપી સબરસની, પોતાના જ્ઞાનપ્રકાશરૂપી સુપ્રભાતમાં
પ્રતીત કરવી તે જ મંગળ પ્રભાત છે. ‘હું આત્મા પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વરૂપ છું, મારા સ્વભાવમાંથી
શુદ્ધોપયોગરૂપી કાર્યની જ ઉત્પત્તિ થાય છે’ એમ પોતાના શુદ્ધોપયોગસ્વભાવની શ્રદ્ધા અને અંતર–આચરણદ્વારા
કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તે જ સુપ્રભાતમાંગળિક છે. પહેલાંં આવી શ્રદ્ધા કરવી તે પણ મંગળસ્વરૂપ છે. કારતક
સુદ એકમનો સૂર્ય તો અનંત વખત ઊગ્યો, પણ એના ઉદયથી આત્માનું હિત થતું નથી, અને એ તો પાછો અસ્ત
થઈ જાય છે. અને શદ્ધોપયોગવડે આત્મસ્વભાવમાંથી જે ચૈતન્ય પ્રકાશ પ્રગટ્યો– (કેવળજ્ઞાનરૂપી સૂર્ય
પ્રગટ્યો) તે પરિપૂર્ણ આનંદસ્વરૂપ છે અને તેનો કદી અંત આવતો નથી. એવું જે આત્મામાં નવું વર્ષ બેઠું તે
સાદિ–અનંત છે, એ જ સાચો મંગળમહોત્સવ છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
() ત્ર ક્ષ ત્ર : આ કુંદકુંદ પ્રભુશ્રીની મંગળગાથા તે કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટવાના
મંત્રો છે. આ પુસ્તકમાં (–વ્યાખ્યાનમાં જે શાસ્ત્ર વંચાય છે તેમાં) આ ઓગણીસમી ગાથા સોનેરી છે. શ્રીકુંદકુંદ
મુનિને પવિત્ર ચારિત્રદશા વર્તી રહી છે. એ ચારિત્રદશાના અંતરઅનુભવને આ ગાથાઓમાં ઊતાર્યો છે.
લગભગ બે હજાર વર્ષો પહેલાંં તેઓશ્રીએ જે અક્ષરો વડે રચના કરી છે તે જ અક્ષરો આજે કાયમ છે. એમના
અંતરમાંથી જે શબ્દો નીકળ્‌યા હતા તે જ મૂળ શબ્દો આજે વંચાય છે. શબ્દો લખવાનો વળાંક ભલે જુદો હોય,
પરંતુ શબ્દોનો ધ્વનિ અને ઉચ્ચાર તો જે શ્રી કુંદકુંદ ભગવાન વખતે હતો તે જ છે. આ શબ્દો નથી પણ
કેવળજ્ઞાન માટેના મંત્રો છે; વિકલ્પ ઊઠતાં જ્ઞાતાપણે તે શબ્દોની રચના થઈ છે, તેનો વાચ્યભાવ તેઓશ્રીના
અંતરમાં હતો. આ ૩૭ અક્ષરના મહામંત્રમાં શું ભાવ ભરેલા છે તે જુઓ:–
મૂળમંત્ર
पक्खीणधादिकम्मो अणंतवरवीरिओ अधिक तेजो।
जादो अदिं दिओ सो णाणं सोक्खं च परिणमदि।।
१९।।
સોળમી ગાથામાં કહ્યું હતું કે શુદ્ધોપયોગની ભાવનાના પ્રભાવથી આત્મા પોતે સ્વભાવને પામેલો, સર્વજ્ઞ
અને ત્રણ લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી તે ‘સ્વયંભૂ’ છે–એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
એ રીતે શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ આત્માને ઈન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન અને આનંદ
હોય તે આ ગાથામાં બતાવ્યું છે; તેનું ગુજરાતી–હરિગીત નીચે મુજબ છે–
પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિકપ્રકાશ ને
ઈન્દ્રિય–અતીત થયેલા આત્મા જ્ઞાનસૌખ્યેપરિણમે. ૧૯.
અર્થ:– જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયો છે, અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક (–
ઉત્કૃષ્ટ) જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે એવો તે (–સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પરિણમે છે.
() ત્ સ્ જ્ઞ . : આજના માંગળિક તરીકે સ્વાભાવિકજ્ઞાન અને સ્વાભાવિક
આનંદની વાત આવી છે. કેવળી ભગવાનના જેવો જ બધા આત્માનો સ્વભાવ છે. કેવળીભગવાનની જેમ બધા
આત્માનો સ્વભાવ સમજવો.
કોઈ એમ કહે કે શરીર, ઈન્દ્રિયો વગેરે પદાર્થો વગર આત્માને જ્ઞાન અને આનંદ કઈ રીતે પ્રગટે?
સિદ્ધભગવાનને શરીર અને ઈન્દ્રિયો વગર આત્માનો આનંદ અને જ્ઞાન કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન
શ્રીઆચાર્યદેવ કરે છે કે–શરીર અને ઈન્દ્રિયો કોઈ પણ જીવને જ્ઞાન કે સુખનું કારણ નથી. પરંતુ જીવ પોતે જ
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. સંસારી જીવોને જે ઈન્દ્રિયજનિત જ્ઞાન અને સુખ છે તે જ્ઞાન અને સુખરૂપે કાંઈ
શરીર કે ઈન્દ્રિયો પરિણમતી નથી, પણ શરીરાદિના લક્ષે તે જીવ પોતે જ કલ્પિત સુખ અને જ્ઞાનરૂપે પરિણમે છે.
જે જીવો–શરીર અને ઈન્દ્રિયોનું લક્ષ છોડીને શુદ્ધ ઉપયોગના પ્રભાવથી અતીન્દ્રિય થયા છે તેઓ પોતે સ્વયમેવ
જ્ઞાન અને આનંદરૂપે પરિણમે છે, તેમને જ્ઞાન અને આનંદ માટે કોઈ અન્ય પદાર્થની જરૂર નથી. કોઈપણ
આત્માનું જ્ઞાન કે સુખ પર પદાર્થોમાંથી આવતું નથી, પણ પોતાના સ્વભાવના ભાનપૂર્વક શુદ્ધોપયોગના
પ્રભાવથી આત્મા પોતે જ જ્ઞાન–આનંદ સ્વરૂપ થઈ જાય છે. –એ જ સુમંગળપ્રભાત છે.
() ત્ર પ્ર પ્ર : અનાદિથી આત્મામાં મિથ્યાત્વરૂપી રાત્રિનો અંધકાર છવાયો હતો, આત્માના
શુદ્ધોપયોગના બળે સમ્યગ્દર્શનરૂપી પ્રકાશ પ્રગટ કરતાં અનાદિના મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ થયો અને
આત્મામાં સુપ્રભાત પ્રગટ્યું. આ પહેલાં પ્રકારનું (જઘન્ય) સુપ્રભાત છે. ત્યાર પછી તે જ શુદ્ધોપયોગના બળે
સ્વરૂપમાં લીનતા કરતાં સમ્યક્ચારિત્રરૂપ સુપ્રભાત પ્રગટ્યું, અને અવ્રતરૂપ (શુભ–અશુભ ભાવરૂપ)
અંધકારનો નાશ થયો. આ બીજા પ્રકારનું (મધ્યમ) સુપ્રભાત છે. ત્યારપછી સંપૂર્ણ શુદ્ધોપયોગના પ્રભાવથી
વીતરાગતા થઈને ઘાતિકર્મો નષ્ટ થયાં એને આત્મામાં કેવળજ્ઞાનાદિ સ્વ ચતુષ્ટયનો પરિપૂર્ણ પ્રકાશ થયો. આ
સંપૂર્ણ (ઉત્કૃષ્ટ) સુપ્રભાત છે. અને ત્યાં આત્મા પોતે સ્વયમેવ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપ થાય છે. અહીં
માંગળિક તરીકે એવા સંપૂર્ણ સુપ્રભાતની વાત છે.
() િન્દ્ર િ ત્ જ્ઞ . : કેવળજ્ઞાન દશામાં આત્મા પોતે અતીન્દ્રિય
સુખ અને અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમે છે, જ્ઞાન અને સુખ પોતાનો સ્વભાવ જ છે. જે પોતાનો સ્વભાવ છે તે રૂપે
આત્મા પોતે પરિણમી ગયો. તેથી પોતે જે જ્ઞાન અને સુખરૂપે થયો તે પોતાથી કદી દૂર થાય નહિ, અને તેને માટે

PDF/HTML Page 10 of 17
single page version

background image
: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૫૭ :
ઈન્દ્રિય–શરીર વગેરે કોઈ બીજાની જરૂર પડે નહિ. એ વાત શ્રીઅમૃતચંદ્રાચાર્યદેવ આ ગાથાની ટીકામાં સ્પષ્ટ
સમજાવે છે. ટીકા નીચે મુજબ છે–
“શુદ્ધોપયોગના સામર્થ્યથી જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, ક્ષાયોપશમિક જ્ઞાન–દર્શન સાથે અસંપૃક્ત
હોવાથી જે અતીંદ્રિય થયો છે, સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત
જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે–એવો
આ (સ્વયંભૂ) આત્મા, સમસ્ત મોહનીયના અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને
અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ) સ્વપરપ્રકાશતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે.
આ રીતે આત્માનો, જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે. અને સ્વભાવ તો પરથી અનપેક્ષ (–ઉદાસીન, સ્વતંત્ર)
હોવાથી ઈન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય છે.”
(ગુજરાતી પ્રવચનસાર પૃ. ૨૮)
(૬) પૂર્ણ શક્તિસ્વભાવ છે, તેની શ્રદ્ધા અને એકાગ્રતાથી પર્યાયમાં પૂર્ણતા પ્રગટે છે
સમ્યગ્દર્શનવડે પોતાના પરિપૂર્ણ શુદ્ધાત્માને ઓળખીને શુદ્ધોપયોગના બળે જ્યારે કેવળજ્ઞાન પ્રગટ્યું
ત્યારથી આત્મામાં સુપ્રભાતની શરૂઆત થઈ એ સુપ્રભાત અનંતકાળ એવું ને એવું જ રહેશે. પહેલાંં આત્મામાં
કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી બે ચક્ષુ બીડાયેલાં હતાં તે ચક્ષુઓ ઉઘડી ગયાં. બધા આત્મામાં કેવળજ્ઞાન,
કેવળદર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એ સ્વચતુષ્ટય શક્તિરૂપે તો ત્રિકાળ છે; પહેલાંં તેની શ્રદ્ધા અને
એકાગ્રતા નહિ હોવાથી તે ફૂલની કળીની જેમ સંકોચાયેલા હતા, જ્યારે તે શક્તિસ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતા
કરી ત્યારે તે સંપૂર્ણપણે ખીલી ગયા, શક્તિમાં હતા તે પરિણમનમાં પ્રગટ થયા. આવું મંગળ વર્ષ બેઠું તે બેઠું,
હવે ફરીથી તે પ્રાપ્ત કરવાનું રહ્યું નહિ. આત્મા કૃતકૃત્ય થઈ ગયો.
(૭) શુદ્ધોપયોગના સામર્થ્યવડે –
કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત ક્યાંથી પ્રગટ્યું? આત્મામાં જે શક્તિ હતી તે જ પ્રગટ થઈ છે. બધા આત્મામાં
પરિપૂર્ણ શક્તિ છે; તેની સાચી સમજણ અને એકાગ્રતાવડે કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખ પ્રગટે છે; તે મહાન
મંગળરૂપ છે. અને એવા આત્મસ્વભાવની શ્રદ્ધા તે પણ શરૂઆતનું મહા મંગળ છે. શુદ્ધોપયોગના સામર્થ્યથી જ
આત્મા કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદરૂપે પોતે સ્વયમેવ થઈ જાય છે. આમાં કોઈની મદદ નથી, રાગ કે
વિકલ્પનું આલંબન નથી, કાળ નડતો નથી, ગુરુકૃપાની અપેક્ષા નથી, કર્મની અપેક્ષા નથી, મનુષ્યદેહ કે
મહાવિદેહક્ષેત્રની મદદ નથી. બધાયથી નિરપેક્ષ સ્વયં પોતે જ જ્ઞાન અને સુખરૂપ થાય છે. આત્મસ્વરૂપની
પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે અને એ શુદ્ધોપયોગના સામર્થ્યથી આ દશા ખીલે છે. એકલા ચૈતન્યના
ઘોલનરૂપ જ્ઞાનદશા એટલે કે આત્મામાં જ રમણતારૂપદશા, તેનાથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. કોઈ નિમિત્તથી
નહિ–સંયોગથી નહિ, કર્મો ખસ્યાં તેને લીધે નહિ, પહેલાંંની મલિનદશા ટળી તેને કારણે નહિ, અને પહેલાંંની
અધૂરી શુદ્ધદશાના કારણે પણ નહિ, માત્ર શુદ્ધોપયોગના વર્તમાન સામર્થ્યથી જ પોતાના શુદ્ધચૈતન્યસ્વભાવને
અનુભવતો થકો આત્મા પોતે જ જ્ઞાન અને સુખરૂપ પરિણમે છે.
શુદ્ધોપયોગ એટલે શું? શુદ્ધઆત્મસ્વભાવ છે તેમાં જ્ઞાનની એકાગ્રતા તે શુદ્ધોપયોગ છે. જેવો શુદ્ધ
સ્વભાવ છે તેવો જાણ્યા વગર અને શ્રદ્ધા કર્યા વગર તેમાં જ્ઞાનની એકાગ્રતા થઈ શકે જ નહિ. શુદ્ધાત્માને જાણે
અને શ્રદ્ધા કરે ત્યારથી શુદ્ધોપયોગ શરૂ થાય છે. અને પછી તેમાં જ સંપૂર્ણ એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ પૂરો થતાં
કેવળજ્ઞાન અને અતીન્દ્રિયસુખ આત્મામાં પ્રગટે છે, તે જ મંગળ છે.
કેવળજ્ઞાન દશામાં આત્મા પોતે સંપૂર્ણજ્ઞાન અને અતીન્દ્રિય સુખરૂપે પરિણમે છે. શુદ્ધોપયોગના
સામર્થ્યથી ઘાતિકર્મોનો ક્ષય થઈને કેવળજ્ઞાન પ્રગટે છે. કોઈ શુભ–રાગના સામર્થ્યથી કે ગયા કાળના અધૂરા
શુદ્ધપર્યાયના સામર્થ્યથી કેવળજ્ઞાન પ્રગટતું નથી. શુદ્ધોપયોગનું જ સામર્થ્ય છે, ને તેનો આત્મા કર્તા છે, પણ
જડકર્મના નાશનો કર્તા આત્મા નથી. શુદ્ધોપયોગે સ્વદ્રવ્યનું આલંબન લીધું એટલે કે વર્તમાન પર્યાય સ્વદ્રવ્યમાં
જ લીન થયો, ત્યાં તે પર્યાય પોતે અતીન્દ્રિયજ્ઞાન અને સુખરૂપે પરણમી ગયો. પહેલાંં આત્મસ્વરૂપનું
સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાન હતું ત્યારે પણ શુદ્ધોપયોગની શરૂઆત થઈ ગઈ હતી. પણ તે ઉપયોગ સંપૂર્ણપણે
સ્વદ્રવ્યના અવલંબનમાં ટકતો ન હતો પણ કંઈક પરમાં અટકતો હતો. હવે એકલા સ્વદ્રવ્યના અવલંબનવડે
ઉપયોગને પરમાંથી

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
ખસેડીને સ્વભાવમાં લીન કર્યો, એ શુદ્ધોપયોગના સામર્થ્યથી ઘાતિકર્મો નાશ પામ્યાં અને આત્મા પોતે
કેવળજ્ઞાન રૂપે થઈ ગયો. સમ્યગ્દર્શન પણ શુદ્ધોપયોગથી પ્રગટે છે, ને કેવળજ્ઞાન પણ શુદ્ધોપયોગથી પ્રગટે છે.
ખરેખર શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ જીવનો પુરુષાર્થ છે એટલે કે અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી
એ જ પુરુષાર્થ છે. જડ કર્મોનો નાશ કરવાનો જીવનો પુરુષાર્થ નથી, અને વિકારભાવનો નાશ કરવાનો પણ
ખરેખર પુરુષાર્થ નથી, કેમ કે જે વિકારભાવ છે તે તો સ્વયમેવ નાશ પામે છે. પોતે જ્યારે શુદ્ધ ઉપયોગનું
સામર્થ્ય પ્રગટ કર્યું–અર્થાત્ સ્વભાવના અવલંબનમાં પોતે ટક્યો ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ થઈ નહિ, તેથી
એમ કહેવાય છે કે જીવે અશુદ્ધતાનો નાશ કર્યો અને તે વખતે ઘાતિકર્મો પણ પોતાની મેળે નાશ પામી ગયાં.
જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય ન હતું ત્યારે અશુદ્ધતા હતી અને ઘાતિકર્મો નિમિત્ત તરીકે હતા. અને જ્યારે
શુદ્ધોપયોગના સામર્થ્યથી સ્વદ્રવ્યમાં લીનતા કરી ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થઈ અને તે અશુદ્ધતાના
નિમિત્તરૂપ ઘાતિકર્મો પણ ટળી ગયાં આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિપૂર્વક કથન છે.
() શ્ર ર્ ત્ષ્ટિ, : ‘સ્વયંભૂ થયેલા આત્માના જ્ઞાન અને
સુખનું વર્ણન કરતાં શ્રી આચાર્યદેવ કહે છે કે–શુદ્ધોપયોગના સામર્થ્યથી જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે...... એવો
‘આ’ સ્વયંભૂ આત્મા પોતે જ સ્વપરપ્રકાશતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે. અહો,
જુઓ આચાર્યપ્રભુની વર્ણન શૈલિ! જેમણે ઘાતિકર્મો ક્ષય કર્યાં છે તેમને વર્તમાન પોતાના જ્ઞાનમાં યાદ કરીને
અને પોતે પોતાની સ્વરૂપ રમણતાને તાજી કરીને, જાણે કે વર્તમાનમાં શુદ્ધોપયોગની રમણતાથી ઘાતિકર્મોનો
ક્ષય કરીને પોતે જ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમી જતા હોય! એવી શૈલિથી આચાર્યદેવ સુપ્રભાતનાં
ગાણાં ગાય છે–સ્વયંભૂ આત્માનો મહિમા કરે છે. અહો, આત્માની એ પળ અને એ ક્ષણને ધન્ય છે કે જે પળે ને
જે ક્ષણે ચૈતન્યના શુદ્ધ ઉપયોગના સામર્થ્યથી ઘાતિકર્મનો ક્ષય થઈને ચૈતન્યકળી સંપૂર્ણખીલીને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ
આનંદ પ્રગટે છે ને સાદિઅનંત કાળ ટકી રહે છે. એ આત્મા ધન્ય છે કે જેણે એવા જ્ઞાન અને આત્માને પોતામાં
ટકાવી રાખ્યાં છે. એ જ્ઞાન અને આનંદ આત્માની જ ઉપાદાન શક્તિમાંથી પ્રગટેલાં છે તેથી સ્વાધીન છે, અને
કોઈ અન્ય વસ્તુની તેને અપેક્ષા નથી તેથી નિરપેક્ષ છે. જેનો ઉદય જ્ઞાનપ્રકાશથી ભરપૂર છે અને આનંદદાયક છે
એવા ચૈતન્યભાનુનો સુપ્રભાત કાળમાં જે ઉદય થયો તે થયો હવે તે કદી પણ આથમે નહિ.
એક તો કુંદકુંદઆચાર્યની અદ્ભુત રચના અને વળી તેના ઉપર અમૃતચંદ્ર આચાર્યની ટીકા. ભરતક્ષેત્રમાં
અજોડ છે, પંચમકાળે અમૃત રેડાયાં છે. આ વર્ષે શ્રી કુંદકુંદપ્રભુની મૂળ ગાથા સુપ્રભાત માંગળિક તરીકે આવી છે,
તેમાં સ્વચતુષ્ટયરૂપ મહા મંગળ પ્રભાતનું વર્ણન છે. આત્માનો સ્વભાવ જ જ્ઞાન અને સુખ છે, તેથી જ્ઞાન અને
સુખરૂપે આત્મા જ સ્વયં પરિણમે છે. ઈન્દ્રિયો વિના જ આત્માને જ્ઞાન તથા સુખ હોય છે, કેમકે પોતાનો જે
સ્વભાવ છે તે પરની અપેક્ષા વગરનો છે. જેણે આવા નિરપેક્ષ જ્ઞાન અને સુખ સ્વભાવની શ્રદ્ધા કરી–જ્ઞાન કર્યું
તે આત્મા પરથી અને પર તરફના ભાવોથી ઉદાસીન થઈને પોતાના સ્વરૂપમાં પરિણમવા લાગ્યો. હવે જેમ જેમ
તેનો કાળ જાય છે તેમ તેમ તેનું કેવળજ્ઞાન નજીક નજીક આવતું જાય છે; તેના આત્મામાં જગમગતો ચૈતન્યસૂર્ય
ઊગવાની તૈયારી થઈ. સ્વભાવમાં જ તેનું પરિણમન હોવાથી જેમ જેમ અવસ્થા પરિણમતી જાય છે તેમ તેમ
કેવળજ્ઞાન નજીક આવતું જાય છે, એક સમયમાં એક પર્યાય પરિણમે છે ને એક સમય કેવળજ્ઞાન નજીક આવે
છે. આવી દશા આચાર્યદેવને પોતાને જ પરિણમી રહી છે. પોતાને કેવળજ્ઞાનના કારણરૂપ શુદ્ધોપયોગ વર્તે છે,
તેથી કારણ ભેગો કાર્યનો ‘કલાપ’ (–મહિમા, શોભા) પણ નજીક જ હોય ને!
() િત્ર : ચૈતન્યસ્વરૂપ આત્માને સમસ્ત વિભાવોથી જુદો જાણીને–અનુભવીને જેણે
પોતાનો ઉપયોગ ચૈતન્યપરિણામસ્વરૂપ કર્યો છે એવા જીવને પગલે પગલે–પર્યાયે પર્યાયે અસાધારણ વિશુદ્ધતા
પ્રગટ થતી જાય છે. પહેલાંં અજ્ઞાનદશામાં પોતાના ઉપયોગને રાગપરિણામસ્વરૂપ કરીને પરિણમતો હતો, પછી
ભેદજ્ઞાન થતાં ચૈતન્યપરિણામસ્વરૂપ પરિણમવા લાગ્યો. હવે જેમ જેમ પર્યાય પરિણમે છે તેમ તેમ ઉપયોગ
ચૈતન્યમાં એકાગ્ર થતો જાય છે. એવો આત્મા અનાદિ મોહનો સર્વથા ક્ષય

PDF/HTML Page 12 of 17
single page version

background image
: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૫૯ :
કરીને નિર્વિઘ્ન ખીલેલી આત્મશક્તિવાળો થાય છે. શુદ્ધોપયોગના પ્રસાદથી જ આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. –
એમ પંદરમી ગાથામાં કહ્યું છે.
() જી જ્ઞ િન્દ્ર : શુદ્ધોપયોગના પ્રભાવથી જે ‘સ્વયંભૂ’ થયો છે એવા આત્માને
ઈન્દ્રિયો વિના જ સ્વયમેવ જ્ઞાન અને સુખ હોય છે, એ વાત આચાર્યદેવ સિદ્ધ કરે છે. પહેલાંં પોતાના
આત્મસ્વભાવને ઓળખીને, શુદ્ધોપયોગના સામર્થ્યથી, ચાર ઘાતિકર્મોનો નાશ થતાં જે પોતે જ જ્ઞાન અને
આનંદરૂપે પરિણમી ગયો છે એવા જીવને પોતાના જ્ઞાન અને આનંદ માટે ઈન્દ્રિયો વગેરે કોઈ પણ પદાર્થની શું જરૂર
છે? જે પોતે જ્ઞાન અને આનંદરૂપે પોતાના સ્વભાવથી જ થાય છે તેને તેમાં કોઈ અન્ય પદાર્થોની અપેક્ષા નથી.
જેને ઈન્દ્રિય અને મન વિદ્યમાન છે તે જીવ પણ તેમનાથી નથી જાણતો, પણ પોતે જ જ્ઞાનરૂપે પરિણમીને જાણે છે.
કષાય ઘટાડીને જે જ્ઞાન પ્રગટ્યું છે તે જ્ઞાનવડે જ જાણે છે. જેમને પાંચ ઈન્દ્રિય અને મન છે એવા બધા જીવોને
જ્ઞાન એક સરખું થતું નથી, પણ તેમના જ્ઞાનમાં ફેર છે, કેમકે જીવને ઈન્દ્રિય તથા મનથી જ્ઞાન થતું નથી પરંતુ
પોતાના પર્યાયમાં પોતે જે જ્ઞાનરૂપે પરિણમે છે તેનું જ જ્ઞાન થાય છે. આ રીતે જીવનું જ્ઞાન પરથી નિરપેક્ષ છે.
() જી િન્દ્ર : જ્ઞાનની જેમ સુખ પણ ઈન્દ્રિયોથી થતું નથી. સિદ્ધ ભગવાન
ઈન્દ્રિયો વિના જ સ્વયમેવ સુખરૂપે પરિણમે છે. જો ઈન્દ્રિયોથી જીવને સુખ થતું હોય તો જેને પાંચ ઈન્દ્રિયો છે તે
બધાય જીવોને સુખ એક સરખું હોવું જોઈએ. પણ તેમ દેખાતું નથી. ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં અજ્ઞાની જીવો
આકુળતાથી દુઃખી જ છે. સુખનું લક્ષણ તો અનાકુળતા છે. જેટલા અંશે આકુળતા ટાળે છે તેટલા અંશે સુખ હોય
છે. સિદ્ધભગવાન પોતાના સ્વભાવથી જ સંપૂર્ણ સુખરૂપે પરિણમી રહ્યા છે; આત્માનો સુખસ્વભાવ ઈન્દ્રિયોને
આધીન નથી.
(૧૨) અસન્નભવ્ય અન અભવ્ય : – આવા અતીન્દ્રયિ જ્ઞાન અને સુખરૂપ આત્મા થઈ જાય તે જ
સુપ્રભાતમંગળ છે. અને એવા અતીન્દ્રિય જ્ઞાન અને સુખસ્વભાવની સાચી ઓળખાણ તે પણ મંગળ છે. ૬૨ મી
ગાથામાં કહ્યું છે કે– ‘કેવળી ભગવાનને જ પારમાર્થિક (ઉત્કૃષ્ટ) સુખ હોય છે’ એવું વચન સાંભળીને જેઓ
હમણાં જ સ્વીકાર કરે છે તેઓ શિવશ્રી (મોક્ષલક્ષ્મી) નાં ભાજન–આસન્નભવ્યો છે, અને જેઓ તે સાંભળીને
સ્વીકાર કરતા નથી તેઓ મોક્ષસુખરૂપી સુધાપાનથી દૂરવર્તી અભવ્યો છે. જેને ઈન્દ્રિયવિષયોનું જ સુખ ભાસે છે
અને ઈન્દ્રિયરહિત આત્મસ્વભાવનું સુખ ભાસતું જ નથી–તે જીવ આત્માના સુખસ્વભાવને જ માનતો નથી,
અને આત્માના સ્વભાવને જ નહિ માનતો હોવાથી તેને કદી મુક્તિ થતી નથી.
() સ્ ત્ િન્દ્ર : ‘સ્વયંભૂ’ આત્માને શુદ્ધોપયોગના સામર્થ્યથી ઘાતિકર્મો ક્ષય
પામ્યાં છે–એ પહેલો બોલ અહીં પૂરો થયો. ‘સ્વયંભૂ’ આત્મા કેવો છે? એ સંબંધી હવે બીજો બોલ કહે છે.
‘ક્ષાયોપશમિક જ્ઞાન–દર્શન સાથે અસંપૃક્ત (સંપર્કવિનાનો) હોવાથી જે અતીન્દ્રિય થયો છે’ –એવો
‘સ્વયંભૂ’ આત્મા છે. મતિ–શ્રુત–અવધિ અને મનઃપર્યવ–એ ચાર જ્ઞાન દશાને ક્ષાયોપશમિક કહેવાય છે. તે ચારે
જ્ઞાન અધૂરા છે, અને તેમાં ઈન્દ્રિય કે મન નિમિત્તરૂપે હોય છે. પરંતુ તે ક્ષાયોપશમિક જ્ઞાનો પણ ઈન્દ્રિય વગેરેથી
જાણવાનું કામ કરતા નથી, પણ જ્ઞાનના પ્રગટપણાથી જ જાણવાનું કામ કરે છે. તેવી જ રીતે સુખ પણ
ઈન્દ્રિયોથી થતું નથી. અજ્ઞાની જીવ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છા કરીને તેમાં સુખની કલ્પના કરે છે, તે સુખની
કલ્પના પણ ઈન્દ્રિયોથી થઈ નથી, પણ અજ્ઞાની જીવ પોતે તે કલ્પનારૂપે પરિણમ્યો છે. અને જ્ઞાની જીવ પોતાના
સ્વભાવથી જ સુખરૂપે પરિણમે છે. ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવને નિમિત્ત તરીકે ઈન્દ્રિય–મનનું અવલંબન છે,
એવી તેમના જ્ઞાનની લાયકાત છે, પરંતુ કેવળી ભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટી જતાં
ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ પરિણમન જ રહ્યું નથી. તેમને અધૂરું જ્ઞાન જ નહિ હોવાથી ઈન્દ્રિય–મનનું અવલંબન
નિમિત્ત તરીકે પણ રહ્યું નથી. ક્ષયોપશમજ્ઞાન વખતે ઈન્દ્રિયાદિને નિમિત્ત કહેવાતું, પણ પૂર્ણ જ્ઞાન થતાં હવે તેને
નિમિત્ત પણ કહેવાતું નથી. શુદ્ધોપયોગના જોરે આત્મા પોતે પૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયો, ત્યાં અધૂરા
(ક્ષાયોપશમિક) જ્ઞાન સાથેનો સંબંધ તૂટી ગયો, અને ક્ષાયોપશમિકજ્ઞાન વખતે ઈન્દ્રિયો–મન અને કર્મો સાથે જે
નિમિત્તપણાનો સંબંધ હતો તે પણ તૂટી ગયો. કેવળજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, તેમાં કર્મો કે ઈન્દ્રિય–મન કોઈનું
નિમિત્ત નથી.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
આત્મા એક સાથે બે અવસ્થારૂપે પરિણમી શકે નહિ, તેથી જ્યારે ક્ષાયોપશમિકજ્ઞાનરૂપે પરિણમતો હતો ત્યારે
કેવળજ્ઞાન ન હતું, અને કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો ત્યારે ક્ષાયોપશમિકજ્ઞાન સાથે સંબંધ ન રહ્યો. અધૂરા જ્ઞાનદર્શન
વખતે ઈન્દ્રિય વગેરે નિમિત્ત હતાં પણ જ્યારે તે જ્ઞાન અને દર્શન સ્વભાવમાં જ સંપૂર્ણ એકાગ્ર થઈ ગયા ત્યારે
અધૂરા જ્ઞાન–દર્શન છૂટી ગયા, ને ઈન્દ્રિય વગેરે નિમિત્ત તરફનું વલણ પણ સર્વથા છૂટી ગયું, તેથી કેવળજ્ઞાન
અને કેવળદર્શન અતીન્દ્રિય છે, તેનો પ્રકાશ અસાધારણ છે.
() ર્ : અહા! જુઓ–આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની અને પર સાથેનો સંબંધ તોડવાની
રીત, એટલે કે ધર્મની રીત. જેવો પોતાનો સ્વભાવ છે તેવો જાણીને શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકારવો તે જ દર્શન અને
જ્ઞાનનું આચરણ છે. અને પછી તે જ સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ
આચરણથી જ ધર્મ થાય છે; બીજા કોઈ ધર્મનાં આચરણ નથી.
() ર્ િસ્ િસ્ : આ ૩૭ અક્ષરમાં કેવળજ્ઞાનનો કક્કો રહેલો છે. આ ગાથામાં,
જ્ઞાન અને આનંદરૂપ જે આત્મસ્વભાવ બતાવ્યો છે તેમાંથી જ કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે, બીજે ક્યાંયથી
આવવાનું નથી. આચાર્ય ભગવાન અસ્તિ–નાસ્તિ બંને પડખાંનું કથન સાથે જ કરે છે. પહેલાંં એમ કહ્યું કે–
ભગવાન આત્મા પોતાના શુદ્ધોપયોગમાં લીન થયો ત્યાં કર્મોનો સંબંધ તૂટયો. ત્યાં શુદ્ધોપયોગની અસ્તિ અને
કર્મની નાસ્તિ બતાવી. બીજા બોલમાં કહ્યું કે અતીન્દ્રિયજ્ઞાન–દર્શનરૂપે પરિણમ્યો ત્યાં ક્ષાયોપશમિકજ્ઞાન–દર્શનનો
સંબંધ તૂટયો; એમાં પરિપૂર્ણ જ્ઞાન–દર્શનની અસ્તિ અને અધૂરા જ્ઞાન–દર્શનની નાસ્તિ બતાવી. કથનમાં ક્રમ પડે
છે પણ એક જ સમયના ભાવમાં આ બધું થઈ જાય છે.
() ર્ વ્? : આ કેવળીભગવાનને માટેની વાત નથી; ‘કેવળજ્ઞાનદશા આવી છે,
અને શુદ્ધોપયોગના સામર્થ્યથી આ રીતે તે થાય છે’ –એવો ભરોંસો કોના જ્ઞાનમાં થાય છે? જીવના પોતાના
જ્ઞાનમાં ભરોંસો થાય છે. જેના જ્ઞાનમાં એવો ભરોંસો થયો તેનું જ્ઞાન વિકારથી છૂટીને સ્વભાવમાં પરિણમવા
લાગ્યું એટલે કે તે જીવ પોતે કેવળજ્ઞાન અને મુક્તિ તરફ પરિણમવા માંડયો. આ જ ધર્મ છે. મારો સ્વભાવ
પરથી જુદો છે, ને ઈન્દ્રિય વગર જ મારાં જ્ઞાન અને સુખ થાય છે–આમ નક્કી કર્યું ત્યાં સ્વભાવ તરફ વળવાનું
જ આચરણ રહ્યું, ને વિકારથી પાછો ફર્યો. આવી પ્રતીતના ભાવો સહિતનું આ કથન છે. ખરેખર પોતાના જે
જ્ઞાનમાં કેવળીભગવાનની અને અતીન્દ્રિય સ્વભાવની ઓળખાણ અને પ્રતીતિ થઈ તે જ્ઞાનનો મહિમા છે.
આત્માની પૂર્ણદશામાં અધૂરા જ્ઞાન સાથે સંપર્ક (સંબંધ) નથી, અને ઈન્દ્રિયોનું આલંબન નથી, ત્યાં
સ્વભાવથી જ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે આત્માનું પરિણમન થઈ ગયું છે. –આવી સ્વભાવની વાત જેને
સમજાય તેને, ‘ઈન્દ્રિયો–વિકાર કે અપૂર્ણજ્ઞાન મારું સ્વરૂપ નથી પણ પૂર્ણ–નિર્વિકાર જ્ઞાનસ્વભાવ જ હું છું’ એવી
સમ્યક્ પ્રતીતિ થાય જ. એ રીતે સમ્યક્પ્રતીતિ સહિત અનુભવ થતાં આત્મા તરફની જાગૃતિનો શુદ્ધોપયોગ થાય
જ. ‘મારાથી આ ન થાય’ એમ માનવું નહિ, બધા આત્માથી આ થઈ શકે છે, ને આ જ કરવા જેવું છે, માટે
બરાબર પ્રયત્ન કરીને આ સમજવું.
() ચ્ િ? : પૂર્ણ સ્વભાવનો સ્વીકાર અને અપૂર્ણતાનો નકાર–એવી
સમ્યક્પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે અને એ શુદ્ધોપયોગના જોરે કેવળજ્ઞાન થાય છે. કોઈ કહે કે અત્યારે
તો પૂર્ણતા નથી; ઊણા અને પૂરા વચ્ચે કેટલો વિરહ છે? તેનો જવાબ–અરે ભાઈ, વિરહ કેવા! ઊણું પોતે જ્યાં
પૂરા સ્વભાવમાં લીન થઈ ગયું ત્યાં ઊણા અને પૂરા વચ્ચે આંતરો જ નથી. પહેલા જ્યારે ઊણું જ્ઞાન
પર્યાયદ્રષ્ટિમાં જ અટકતું ત્યારે ઊણા અને પૂરા વચ્ચે અંતર હતું, પણ હવે અપૂર્ણતાનો જ નિષેધ કરતું–
પર્યાયદ્રષ્ટિ છોડતું તે પૂરા સ્વભાવમાં જ એકાગ્ર થઈ ગયું ત્યાં ઊણું અને પૂરું અભેદ થઈ ગયા, વિરહ તૂટી ગયો.
પર્યાયદ્રષ્ટિથી પૂર્ણતા ભાસતી ન હતી, પણ સ્વભાવમાં એકાગ્ર થઈને દ્રવ્યદ્રષ્ટિથી જોયું ત્યાં પૂર્ણસ્વભાવ જ ભાસે
છે, અપૂર્ણતા ભાસતી નથી. અધૂરીદશા ને પૂરીદશા એવો ભેદ તો પર્યાય અપેક્ષાએ છે, પણ દ્રવ્યસ્વભાવની
અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પૂર્ણતા જ છે. આવા સ્વભાવ તરફના વલણમાં કેવળજ્ઞાન સાથેના વિરહ છે જ
ક્યાં? દ્રવ્યસ્વભાવ કેવળજ્ઞાનથી ભરેલો છે. જો દ્રવ્યસ્વભાવના વિરહ હોય તો કેવળજ્ઞાનના વિરહ હોય.

PDF/HTML Page 14 of 17
single page version

background image
: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૬૧ :
કોઈ જીવ પોતાના આત્મસ્વભાવનું ભાન કરીને એકાવતારી થાય અને સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં જાય.
અને ત્યાં પોતાના જ્ઞાનમાં એમ જાણે કે કેવળજ્ઞાન થવાને ૩૩ સાગરો–પમની વાર છે. તો ત્યાં તેણે ખરેખર
પરિપૂર્ણ સ્વભાવમાં રહીને ૩૩ સાગર કાળની સ્થિતિને જાણી છે, એટલે પોતાના નિર્મળજ્ઞાનને કેવળજ્ઞાન તરફ
લંબાવીને વિરહ તોડી નાખ્યો છે. કાળભેદને તોડીને ભવિષ્યના કેવળજ્ઞાનને વર્તમાનમાં જ જાણે છે. એ ખરેખર
સ્વભાવના આશ્રયે જ્ઞાન સામર્થ્ય જ લંબાણું છે અને વચલા ૩૩ સાગરની બધી દશાઓનો જ્ઞાતા થઈ ગયો છે.
જેને પોતાની પૂર્ણશક્તિની પ્રતીત થઈ છે તે જીવ વર્તમાન પૂર્ણસ્વભાવ ઉપર જ જોર આપે છે, પણ ૩૩
સાગરના કાળ ઉપર તેનું જોર જતું નથી. પૂર્ણસ્વભાવ ઉપરનું જોર પ્રગટ કર્યું તે સુપ્રભાત છે.
() પ્ર : આજે માંગળિકમાં સુપ્રભાતનું ‘સબરસ’ આવ્યું છે. લોકો મીઠું (નિમક)
યાદ કરે છે અને જ્ઞાનીઓને સાદિઅનંત–કાળની પૂર્ણાનંદ નિરુપાધી દશાના સંભારણાં જાગે છે. પૂર્ણદશા થતાં
‘સબ’ માં (બધા પદાર્થોમાં) જ્ઞાનનો પ્રવેશ થાય છે અને આનંદનો ‘રસ’ હોય છે, તેથી તે જ ‘સબરસ’ છે,
અને આત્માના સુપ્રભાતમાં અંગીકાર કરવા યોગ્ય છે.
() િિર્ઘ્ ત્ત ત્ર્ : પહેલાંં કહ્યું હતું કે–શુદ્ધોપયોગના સામર્થ્યથી ઘાતિકર્મો ક્ષય પામ્યા
છે. ચાર ઘાતિકર્મો ક્ષય થઈને આત્મામાં શું ઊગ્યું? તે હવે જણાવે છે. ‘સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી
અનંત જેનું ઉત્તમ વીર્ય છે’ –એવો આ આત્મા સ્વયમેવ જ્ઞાન અને સુખ થઈને પરિણમે છે. ’ આત્માની બધી
કાર્ય–શક્તિમાં વીર્યબળ પ્રધાન છે તેથી પહેલાંં તેની વાત કરી છે. શુભ હો, અશુભ હો કે શુદ્ધ હો–તેમાં આત્માનું
વીર્યબળ જ કાર્ય કરે છે. કોઈ પણ પર્યાય આત્માના પુરુષાર્થ વગર થતો નથી. પહેલાંં જ્ઞાન–દર્શન ન લેતાં વીર્ય
લીધું કેમકે વીર્ય એટલે આત્મબળથી જ કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે. શુદ્ધોપયોગનું સામર્થ્ય પૂર્ણ થતાં
આત્મશક્તિ નિર્વિઘ્ન પણે ખીલી ગઈ અને અંતરાયનો ક્ષય થઈ ગયો. હવે આત્મશક્તિમાં કોઈ વિઘ્ન નથી. આ
સિવાય બીજું શું મંગળ હોય?
અધૂરી દશા વખતે પણ કાંઈ કર્મ આત્માના વીર્યને રોકતા ન હતા, પણ આત્મા પોતે અધૂરા પુરુષાર્થમાં
અટકતો હતો તેથી તેને નિમિત્તરૂપે અંતરાયકર્મ હતું. હવે શુદ્ધોપયોગવડે આત્માના આનંદ કંદ સ્વભાવમાં
લીનતા થતાં અંતરાયક્રર્મ સાથેના નિમિત્ત સંબંધને પણ તોડીને નિર્વિઘ્ન અનંત આત્મશક્તિ પ્રગટ થઈ છે. પહેલાંં
જે આત્મશક્તિ વિકારમાં અટકતી ને અપૂર્ણ પરિણમતી હતી તે હવે પોતાના સ્વભાવમાં પૂર્ણપણે પરિણમવા
લાગી. અહીં વીર્ય સાથે ‘ઉત્તમ’ વિશેષણ વાપર્યું છે. બધા આત્મામાં પુરુષાર્થ તો છે. પણ ઉત્તમ પુરુષાર્થ તેને
કહેવાય કે જે આત્મસ્વભાવનો આશ્રય કરીને કેવળજ્ઞાન પમાડે. શુદ્ધોપયોગના પુરુષાર્થમાં જે વીર્ય જોડાણું તે
ઉત્તમવીર્ય થઈ ગયું. ગમે તેવા ઊંચા શુભભાવનો પુરુષાર્થ કરે તો પણ તેને ઉત્તમવીર્ય કહેવાય નહિ. પણ જે
પુરુષાર્થવડે સ્વભાવનું કાર્ય થાય તે જ ઉત્તમવીર્ય છે. વળી અહીં પૂર્ણદશાના ઉત્તમવીર્યને ‘અનંત’ વિશેષણ
લગાડયું છે. પૂર્ણ દશામાં જે નિર્વિઘ્ન ઉત્તમવીર્ય પ્રગટ્યું છે તે કાળથી તો અનંત છે, પરંતુ તેનામાં વર્તમાનમાં જ
અનંત સામર્થ્ય છે. સાધકદશાનું જે ઉત્તમ વીર્ય છે તે કાળથી અનંત નથી, તેમજ પૂર્ણદશાનું અનંત સામર્થ્ય પણ
તેનામાં નથી. સ્વભાવનો પુરુષાર્થ એ જ ઉત્તમવીર્ય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને કેવળજ્ઞાન એ કોઈ પુરુષાર્થ
વગર પમાતા નથી, માટે પહેલાંં જ પુરુષાર્થ વર્ણવ્યો છે. સ્વભાવમાંથી જે ઉત્તમ અને બેહદ વીર્ય પ્રગટે છે તે
જ્ઞાન–આનંદ વગેરે બધા ગુણોને પૂર્ણપણે ટકાવતું પ્રગટયું છે. આત્માની પૂર્ણજ્ઞાન અને આનંદથી ભરપૂર દશા
પ્રગટી પછી અવતાર હોતો નથી. સદાય પોતે પોતાના જ્ઞાન ને આનંદમાં જ બિરાજી રહે છે.–આ જ સુપ્રભાત છે,
ને એ જ સાદિ–અનંતકાળનું નવું બેસતું વર્ષ છે.
() : નવા વર્ષની શરૂઆતે ચોપડામાં ઘણા લોકો એવી ભાવના લખે છે કે બાહુબળજીનું
બળ હજો. આત્મબળનું તો ભાન હોય નહિ તેથી શરીરના બળની ભાવના કરે. બાહુબળજી જેવું બળ મેળવીને શું
કોઈ સાથે લડવું છે? વળી એમ લખે કે શાલિભદ્રની રિદ્ધિ હજો. જુઓ તો ખરા, તૃષ્ણાને કેટલી લંબાવે છે?
સ્વભાવનું ભાન ન હોય તેથી સંયોગની ભાવના કરે છે. પણ તારા ચૈતન્યસ્વભાવને ઓળખીને એમ ભાવના
કર કે, સિદ્ધ આત્માને જે આત્મબળ પ્રગટ્યું તે આત્મબળ અમને પ્રગટ હોજો,

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
સિદ્ધ ભગવાનને જે જ્ઞાન અને આનંદની રિદ્ધિ પ્રગટી તે રિદ્ધિની અમને શીઘ્ર પ્રાપ્તિ હોજો. તે જ અમારી ખરી
રિદ્ધિ છે. પૂર્ણદશાના પરિપૂર્ણ આત્મસામર્થ્યને પોતાના જ્ઞાનમાં લઈને સાધકજીવ ભાવના કરે છે કે–હું કમ્મર
બાંધીને મોહનો નાશ કરવા તૈયાર થયો છું. મારા સ્વભાવની ઉગ્રતા વડે મોહ–અસ્થિરતાનો નાશ કરીને
કેવળજ્ઞાન પામું–એવો પુરુષાર્થ મારામાં ભર્યો છે.
આ રીતે પૂર્ણદશારૂપી સુપ્રભાતમાં અનંત ઉત્તમવીર્ય પ્રગટવાની વાત કરી. હવે કેવળજ્ઞાન અને
કેવળદર્શન પ્રગટવાની વાત કરે છે. જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદ એ અનંત ચતુષ્ટય તો એક સાથે જ પ્રગટે છે,
તેના પ્રગટવામાં કાંઈ ક્રમ નથી, પરંતુ કથનમાં ક્રમ–આવે છે.
() જ્ઞ ર્ પ્ર : ‘સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો
હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે–એવો આ (સ્વયંભૂ) આત્મા સ્વયમેવ જ્ઞાન
અને સુખ થઈને પરિણમે છે.’ જ્યાં આત્માના જ્ઞાન અને દર્શન સ્વભાવમાં લીન થઈને પૂર્ણ શુદ્ધરૂપે પરિણમ્યા
ત્યાં કર્મનો પ્રલય જ છે. જે ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે તેમાં ઉપયોગની એકાગ્રતાથી જ સાધકદશા પ્રગટીને
પૂર્ણતા થાય છે. પર્યાયમાં જે કાંઈ પવિત્રતા થાય છે તે પૂર્ણસ્વભાવના આશ્રયે જ થાય છે. એવા સ્વભાવની
શ્રદ્ધાજ્ઞાન કરી હતી તેના ફળમાં, ચૈતન્યનું જે સર્વથી અધિક કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી તેજ છે તે પ્રગટ
થયું છે. જેમ અંધકાર ટળીને સવારમાં બે ચક્ષુઓ ખૂલી જાય છે તેમ ચૈતન્યશક્તિનો સંપૂર્ણ વિકાસ થતાં
અપૂર્ણ જ્ઞાનનો નાશ થયો અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનરૂપી બે ચક્ષુઓ ખૂલ્યાં; તેનાથી આત્મસ્વભાવના
પૂર્ણ સામર્થ્યને પ્રત્યક્ષ જાણી લીધું અને લોકાલોકને પણ પ્રકાશી લીધાં. હવે જ્ઞાન–દર્શનમાં એક સમયમાત્રની
ઊંઘ રહી નહિ. જેનાં જ્ઞાન અને દર્શનરૂપી ચક્ષુ સંપૂર્ણ ઊઘડી ગયાં તેને જ સુપ્રભાત છે. કેવળજ્ઞાન અને
દર્શનનું તેજ અધિક છે ઉત્કૃષ્ટ છે. મતિ–શ્રુત–અવધિ કે મનઃપર્યય જ્ઞાનથી કે ચક્ષુ–અચક્ષુ કે અવધિ દર્શનથી
એનું તેજ અનંતગુણું છે. સ્વયમેવ આત્મા એકલા જ્ઞાનદર્શનરૂપે પરિણમવા લાગ્યો. તે અન્ય સર્વથી નિરપેક્ષ
છે. જે જીવ પોતાના જ્ઞાન–દર્શન સ્વભાવને નિરપેક્ષ સ્વીકારે છે–જાણે–છે અનુભવે છે તેને જ સ્વાશ્રયથી
જ્ઞાનદર્શનનો વિકાસ થઈને પૂર્ણતા પ્રગટે છે.
() િન્દ્ર િ જ્ઞ : એ રીતે ઉત્તમવીર્ય તથા કેવળજ્ઞાન અને કેવળદર્શન
પ્રગટવાની વાત કરી; હવે સુખને પણ સાથે ભેળવીને કહે છે. ‘–એવો તે સ્વયંભૂ આત્મા, સમસ્ત મોહનીયના
અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ)
સ્વપર પ્રકાશકતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે. ’ પોતાના શુદ્ધોપયોગના બળથી
સ્વચતુષ્ટયરૂપ થયેલો આત્મા પોતે જ્ઞાન અને આનંદસ્વરૂપ જ થઈ ગયો છે, પોતાનું સ્વરૂપ જ જ્ઞાન અને
આનંદ છે, તેમાં શું વિઘ્ન હોય? ઈન્દ્રિયો વિના જ આત્મામાં જ્ઞાન અને સુખરૂપ પરિણમન છે. જ્ઞાન અને આનંદ
તો સ્વભાવમાંથી પ્રગટે છે, કાંઈ ઈન્દ્રિયોમાંથી નથી પ્રગટતા. જે સ્વભાવમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટે છે તે
સ્વભાવની જો સ્વાનુભવથી શ્રદ્ધા કરે તો ઈન્દ્રિય વગરના સ્વાભાવિક–સુખનો વર્તમાન પોતાને અનુભવ થાય
અને ઈન્દ્રિયોમાંથી સુખબુદ્ધિ ટળી જાય. પૂર્ણ જ્ઞાન અને સુખ માટેનો આ જ પહેલો ઉપાય છે. પોતાના અતીન્દ્રિય
સ્વભાવને જાણ્યા અને અનુભવ્યા વગર કદી પણ ઈન્દ્રિયોમાંથી સુખબુદ્ધિ ટળે નહિ એટલે કે મિથ્યાત્વ ટળે નહિ
અને ધર્મ થાય નહિ, અને તેનો વૈરાગ્ય પણ સાચો હોય નહિ. સત્ સ્વભાવ સમજે તેને સહજપણે ઈન્દ્રિય
વિષયો પ્રત્યે ખરેખરો વૈરાગ્ય હોય છે. પોતાના સ્વભાવમાં જ જ્ઞાન અને આનંદ છે તેને જે માનતો નથી તથા
અનુભવતો નથી અને બહારમાંથી ઈન્દ્રિયો વગેરે દ્વારા જ્ઞાન–આનંદ મેળવવા માગે છે તે જીવ મિથ્યાત્વથી સદા
વ્યાકૂળ રહ્યા કરે છે. મારું જ્ઞાન કે સુખ ક્યાંય બહારના અવલંબને થતું નથી પણ હું પોતે જ્ઞાન ને સુખરૂપે થાઉં
છું–એમ સ્વભાવની સન્મુખ થઈને, શુદ્ધોપયોગથી જ્યાં ભગવાન આત્મા પોતામાં લીન થયો ત્યાં, અત્યંત
નિર્વિકાર શુદ્ધચૈતન્યભાવને અનુભવતો થકો તે આત્મા પોતે જ જ્ઞાનરૂપ અને સુખરૂપ થઈ જાય છે. ચક્ષુ વગેરે
ઈન્દ્રિયો સારી હોય અને સ્પર્શ–રસ વગેરે પદાર્થો સારા હોય તેને લીધે કાંઈ જીવને જ્ઞાન કે સુખ થતું નથી, પણ
શુદ્ધોપયોગવડે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી જ જ્ઞાન ને સુખ થાય છે, તે વખતે ઈન્દ્રિયો તરફ કે તેના
વિષયો તરફ લક્ષ પણ હોતું નથી.
આત્માનો સ્વભાવ જ અત્યંત શુદ્ધ ચૈતન્યરૂપ છે; એવા પોતાના આત્માના અનુભવથી જ્ઞાન અને સુખ
થાય છે. જ્ઞાન કેવું છે? સ્વ–પર પ્રકાશક છે. કોઈની પણ મદદ વગર આત્મા પોતાના જ્ઞાનથી સ્વયં સ્વને અને
પરને યથાર્થપણે જાણે છે. અને સુખ કેવું છે?

PDF/HTML Page 16 of 17
single page version

background image
અનાકુળતા સ્વરૂપ છે, જેમાં કોઈ પણ પ્રકારની આકુળતા નથી પણ નિજ સ્વરૂપના ભોગવટાથી જ તુપ્ત છે.
એવા ઈન્દ્રિયાતીત જ્ઞાન અને સુખ તે આત્માનો સ્વભાવ છે. જડ પદાર્થો–ઈન્દ્રિયો વગેરે કોઈ પોતાને કે
પરને જાણતાં નથી કેમકે તેમનામાં જ્ઞાનસ્વભાવ નથી. આત્મામાં જ્ઞાનસ્વભાવ છે, તેથી તે પોતે જ જ્ઞાનરૂપે
પરિણમીને સ્વને અને પરને જાણે છે. જેમ અંધકારમય કોટડીમાં રહેલો માણસ અંધારાને અને પોતાને જાણે છે,
પણ કાંઈ અંધારું જાણતું નથી. તેમ દેહમાં રહેલો ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે પોતાને અને પરને જાણે છે, પણ
કાંઈ દેહ કે ઈન્દ્રિયો જાણતાં નથી. પહેલાંં ભેદજ્ઞાન–વડે પોતાના જ્ઞાનસ્વભાવને સ્વતંત્ર જાણીને તેમાં એકાગ્રતા
કરવાથી સ્વપર પ્રકાશકતા લક્ષણવાળું જ્ઞાન જેટલી હદવાળું છે તેટલી હદે તે સંપૂર્ણ પરિણમી ગયું, અને
અનાકુળતા લક્ષણવાળું સુખ પણ સંપૂર્ણ ખીલી ગયું. તે આત્મા પોતે જ્ઞાન અને સુખ સાથે એકમેકપણે પરિણમી
ગયો. સ્વયં જ્ઞાન અને સુખરૂપ પરિણમતા તે આત્માને ઈન્દ્રિયની સહાય વગર જ પૂર્ણ જ્ઞાન અને સુખ છે.
આત્માથી ભિન્ન કોઈ પદાર્થોમાંથી સુખ આવ્યું નથી પણ આત્મા પોતે જ સુખમય થયો છે અને તે સુખમાં કોઈ
પ્રકારનો કંટાળો નથી. તેથી અનંતકાળ સુધી એવું ને એવું સુખ અનુભવ્યા કરશે, કદી પણ ‘હવે સુખ નહિ’ એવું
નહિ થાય. જો આકુળતા હોય તો કંટાળો આવે પણ આ સુખ તો સ્વાભાવિક હોવાથી અનાકુળ છે, તેમાં કંટાળો
શો? ઈન્દ્રિય વિષયોમાં જે સુખ કલપ્યું છે તે આકુળતાજનિત છે તેથી તેમાં કંટાળો આવી જાય છે. અમુક દૂધપાક
ખાઈને પછી કંટાળી જાય છે, કોઈ પણ ઈન્દ્રિયોના વિષયમાં કંટાળો આવ્યા વગર રહેતો નથી, કેમકે ત્યાં
વાસ્તવિક સુખ નથી. અને સ્વભાવમાંથી પ્રગટેલું આ અતીન્દ્રિય સુખ વાસ્તવિક સુખ છે, તેમાં ગમે તેટલું
ભોગવે પણ કંટાળો નથી, પણ આનંદ છે, આહ્લાદ છે. કેવળજ્ઞાન પહેલાંં સાધકદશા વખતે અનાકુળ આનંદ
અંશે પ્રગટ્યો હતો, તેમાં પણ ‘આટલો આનંદ બસ, હવે વધારે ન જોઈએ’ એમ કદી કંટાળો થતો ન હતો; પણ
જેવો આ આનંદ પ્રગટ્યો તેવો બેહદ–પૂરેપૂરો આનંદ પ્રગટે એવી ભાવના હતી, તેથી વિશેષ સ્વરૂપના
અનુભવવડે પોતે અમર્યાદિત સુખ સ્વરૂપે થઈ જાય છે, તે જ સુપ્રભાત છે.
આ ગાથાથી શું નક્કી થયું તે હવે કહે છે–‘આ રીતે આત્માનો, જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે, અને
સ્વભાવ તો પરથી અનપેક્ષ (ઉદાસીન, સ્વતંત્ર) હોવાથી ઈન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય
છે. ’ પહેલાંં પોતાના આવા નિરપેક્ષસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરીને પછી શુદ્ધોપયોગના જોરે સમસ્ત ઘાતિકર્મો
તેમજ અધૂરા જ્ઞાનો સાથેનો સંબંધ તોડીને, ઈન્દ્રિયો અને શરીર વગર આત્મા પોતે જ જ્ઞાન અને આનંદરૂપે
પરિણમે છે. તેથી તે ‘સ્વયંભૂ’ આત્મા પોતે જ જ્ઞાન–આનંદસ્વભાવ છે. તેનો જ્ઞાન–આનંદ ક્યાંય બહારથી
લાવવો પડતો નથી. બધા આત્માનો સ્વભાવ આવો જ છે. પણ જ્યાં સુધી પોતે પોતાના આવા સ્વભાવને
સ્વકારતો નથી ત્યાં સુધી જીવને તે જ્ઞાન અને આનંદ વ્યક્ત થતા નથી. અને જ્યારે પોતાના સ્વભાવને
સ્વીકારીને તેમાં એકાગ્ર થાય છે ત્યારે, પોતાના જે જ્ઞાન અને આનંદ ત્રિકાળ શક્તિરૂપ છે તે જ પર્યાયરૂપે
વ્યક્ત થાય છે, અને પછી તે સદા એમ ને એમ રહે છે.
(૨૪) પ્રયજન : – આ સમજવાનું પ્રયોજન એ છે કે–જેમ અરહિંત તથા સદ્ધિભગવાનને ઈન્દ્રયિો વગર જ જ્ઞાન
અને સુખ છે તેમ પોતાનો સ્વભાવ પણ ઈન્દ્રિયો વિના જ જ્ઞાન અને સુખરૂપે પરિણમવાનો છે. એમ પોતાના
સ્વભાવનો મહિમા લાવી તે તરફના વલણથી શદ્ધોપયોગ પ્રગટ કરવો. કોઈ પણ આત્માનો સ્વભાવ અજ્ઞાનરૂપ
કે પુણ્ય–પાપરૂપ નથી. પણ જ્ઞાન અને સુખમય સ્વભાવ બધા આત્માનો છે. વસ્તુનો સ્વભાવ પરની અપેક્ષા
રાખતો નથી, તેથી આત્માનો જ્ઞાન અને આનંદસ્વભાવ પરથી નિરપેક્ષ છે. આત્માનો સ્વભાવ જ પવિત્ર છે, તે
પર્યાયમાં પૂર્ણ પ્રગટ્યો ત્યાં સ્વયમેવ જ્ઞાન ને સુખ હોય છે, તેમાં તેને કોઈ બીજાની જરૂર નથી. પૂર્ણ જ્ઞાન અને
સુખ પ્રગટ્યા ન હતા ત્યારે પણ બીજાની જરૂર ન હતી. પૂર્ણ પર્યાય હો કે અધૂરો પર્યાય હો, પણ સ્વભાવ તો
પરથી નિરપેક્ષ હોવાથી ભગવાન આત્માને જ્ઞાન–આનંદ ઈન્દ્રિય વગર જ હોય છે.
() સ્ : આત્મ સ્વભાવની પૂર્ણતા છે તેમાં જ પરિણમીને દ્રવ્ય પોતે જ જ્ઞાન અને સુખરૂપ
થયું. સ્વભાવ તો સદાય પૂરો છે, તે સ્વભાવની પ્રતીતિ અને તે તરફની વલણદશાથી જે શુદ્ધોપયોગ થયો તેનાથી
પોતે જ જ્ઞાન રૂપે અને આનંદરૂપે પરિણમી જાય છે, તે જ્ઞાન અને આનંદને પર સાથે સંબંધ નથી. સ્વદ્રવ્યમાં
પરિણમીને પોતે જેટલો અકષાયરૂપ થાય તેટલું જ્ઞાન ને સુખ થાય છે. આવો સ્વાવલંબી આત્મસ્વભાવ છે. તે
સ્વભાવની પ્રતીતિ પણ સ્વાવલંબી છે, તેનું જ્ઞાન સ્વાવલંબી છે, આનંદ સ્વાવલંબી છે, પુરુષાર્થ સ્વાવલંબી છે.
સ્વાવલંબીનું બધું સ્વાવલંબી છે. આવા સ્વભાવના અવલંબને જે શ્રદ્ધા અને સ્થિરતા પ્રગટી તેના જોરે
આત્મામાં સ્વકાળની પૂર્ણતા થાય છે અને સાદિ અનંતકાળ પૂર્ણ જ્ઞાનાનંદીપણે આત્મા પરિણમે છે, એ જ મહાન
સુપ્રભાત માંગળિક છે.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
ગતાંકના પ્રશ્નોના જવાબ બાલવિભાગ
સ્થળ સંકોચના કારણે એક પાનું જ અપાયું છે.
જવાબ–૧. જીવ, અજીવ, પુણ્ય, પાપ આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ–આ નવ તત્ત્વો છે. તેમાંથી જીવ,
સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વો મુમુક્ષુ જીવને ગમે છે. (નોંધ–આ પ્રશ્નના જવાબમાં ઘણા બાળકોએ પુણ્યનું
નામ પણ લખ્યું છે, તે તેઓની ભૂલ છે એમ સમજવું.)
જવાબ–૨. જ્ઞાન, દુઃખ, રાગ અને સુખ–એ ચાર વસ્તુઓ જીવમાં હોય છે. અને જન્મ તથા રોગ એ બે વસ્તુઓ
શરીરમાં હોય છે. (નોંધ– આ પ્રશ્નનો જવાબ લખવામાં ઘણા બાળકોએ ભૂલ કરી છે. દુઃખ અને રાગ પણ શરીરમાં
હોય છે એમ તેઓએ લખ્યું છે, તે તેઓની ભૂલ છે એમ સમજવું. શરીર તો જડ છે, જડમાં દુઃખ કે રાગ થતા નથી.
દુઃખ ને રાગ તો જીવમાં જ થાય છે, તે જીવની જ વિકારી દશા છે.)
જવાબ–૩. (૧) એક માણસના આત્મામાં ઘણું જ્ઞાન હતું.
(૨) જીવનું લક્ષણ જ્ઞાન છે.
(૩) પુસ્તકમાંથી જ્ઞાન આવતું નથી પણ આત્મામાંથી આવે છે. પુસ્તક તો અજીવ છે.
(૪) દુઃખ પણ આત્માને થાય છે ને સુખ પણ આત્માને થાય છે. શરીરને સુખ કે દુઃખ હોતાં નથી, કેમ કે
તે જડ છે.
(નોંધ:– આ પ્રશ્નના ત્રીજા અને ચોથા બોલના જવાબમાં ઘણા બાળકોએ ભૂલ કરી છે. તેઓએ પોતાની
ભૂલ સમજી લેવી.)
આ વખતે કુલ ૧૩૯ બાળકોનાં જવાબ આવ્યાં હતા, તેમાંથી નીચે લખેલા ૬૨ બાળકોનાં જવાબ સાચા હતા–
(૧) નંદુબેન–વાસણ ચૌધરી. (૨) કિશોરકાન્ત–કલકત્તા, (૩) કિશોરચંદ્ર–ઓરિસા. (૪) દલીચંદ–શાંતાક્રૂઝ.
(૫) જગદીશચંદ્ર–મુંબઈ (૬) હંસિકા–પુના. (૭) હસુમતી–અમદાવાદ. (૮) અરૂણ–બોરસદ. (૯) ઈન્દુમતી–
બરવાળા. (૧૦) શીરીનબાળા–ખોડાલીમડા. (૧૧) રમણલાલ–હીંમતનગર. (૧૨) અનિલ–લીંબડી. (૧૩)
અનંતરાય–જોરાવરનગર. (૧૪) કાન્તિલાલ રાણપુર. (૬૨) મનહરલાલ–રાજકોટ (૧૫–૧૭) જામનગર–
હસમુખલાલ, લલિતાબેન, કંચનબેન. (૧૮–૨૦) સાવરકુંડલા–વસંતરાય, રાજેન્દ્ર, ગુણવંતી. (૨૧–૨૨) અમરેલી–
વિનોદરાય, જ્યોતિબાળા. (૨૩–૨૪) તલોદ–બાબુલાલ, મનુભાઈ. (૨૫–૨૬) ધુલીઆ–ચંપકલાલ, મનહરલાલ.
(૨૭–૩૨) મોરબી–ઇંદુલાલ, નવીનચંદ્ર, ગજસુકુમાર, હસમુખ, ભૂપત, વસંતબેન (૩૩–૩૬) વઢવાણ–શહેર–
મંજુલાબેન, રસિકલાલ, વિનયચંદ્ર, વસંતલાલ. (૩૭–૩૯) લાઠી–રસિકલાલ, ધીરજલાલ, કાન્તિલાલ. (૪૦–૫૩)
વીંછીયા–ઇંદુમતી, રસિકલાલ–અ, લીલાધર, કાન્તિલાલ, નવીનચંદ્ર, મહેન્દ્ર, રસિકલાલ–મ, ભૂપેન્દ્ર, મંજુલાબેન,
ન્યાલચંદ, દલસુખ, સ્નેહલતા, રસિકલાલ, પાનાચંદ. (૫૪–૬૦) સોનગઢ–કિશોર, શ્રીકાન્ત, ધરણિધર, જ્યોતીન્દ્ર,
વસંતલાલ અનિલકુમાર, જસુમતીબેન. (૬૧) ઈન્દિરાબેન–મુંબઈ.
નાપાસ થયેલા બાળકોને ભલામણ
બાળકો, આ અંકમાં છાપેલા સાચા જવાબો વાંચીને, તમારા જવાબમાં ક્યાં ભૂલ હતી તે બરાબર સમજી લેજો.
હવેથી જવાબ લખતાં પહેલાંં આખો બાલ–વિભાગ વાંચી જજો, ને વિચારીને જવાબ લખજો. પણ તમારો ઉત્સાહ છોડી
દેશો નહિ. નવા પ્રશ્નો
(પ્રશ્ન–૧) અત્યારે જીવ અને શરીર એક છે કે જુદાં? જો જુદાં હોય તો કઈ રીતે? તે ટૂંકામાં સમજાવો.
(પ્રશ્ન–૨) નીચેની વસ્તુમાંથી જીવમાં શું હોય ને અજીવમાં શું હોય–તે જુદાં પાડો–વસ્તુત્વગુણ, પ્રકાશ, આનંદ,
રાગ અને ગળપણ.
(પ્રશ્ન–૩) નીચેનાં વાક્યો પૂરાં કરો–
() સાચા જ્ઞાન વગર.... થતો નથી. () સાચા જ્ઞાન વગર..... થાય છે.
() પુણ્ય કરવાથી સાચું સુખ.... ..... () આત્માના સ્વભાવમાં સુખ.... ....
બધા પ્રશ્નોનો જવાબ શોધી કાઢીને લખી મોકલજો, ને તમારા બાલમિત્રોને પણ લખવાનું કહેજો. માત્ર જવાબો જ
લખવા. ચૌદ વર્ષ સુધીના બાળકોએ આમાં ભાગ લેવો. નામ અને સરનામા સાથે જવાબ એક પોસ્ટકાર્ડમાં નીચેના
સરનામે મોકલવા– [“આત્મધર્મ બાલવિભાગ,” સોનગઢ–કાઠિયાવાડ] માહ સુદ ૧૫ સુધીમાં જવાબ મળી જવા જોઈએ.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા તા. ૭–૨–૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા–કાઠિયાવાડ