Atmadharma magazine - Ank 058
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૮
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ પાંચમું : સંપાદક : શ્રાવણ
રામજી માણેકચંદ દોશી
અંક દસમો વકીલ ૨૪૭૪
હ ભવ્ય! છ મહન અભ્યસ કર
માલિની
विरम किमपरेणा कार्यकोलाहलेन
स्वयमपि निभृतः स्रन् पश्य षण्मासमेकम्।
हृदयसरसि पुं सः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किननुपलब्धिर्भाति किंचोपलब्धि।।
३४।।
અર્થ:– હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે?
એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે
નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો
(તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં, જેનું તેજ,
પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે
થાય છે.
ભાવાર્થ:– જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ
અવશ્ય થાય; જો પર વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું
સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ
છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે
એટલો જ વખત લાગે. તેનું થવું તો મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ
શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો
સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે;
તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી
સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.
[શ્રી સમયસારજી પૃ. ૭૬]
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
૬. પ્રદશત્વ ગણન સમજણ બાલવભિાગ
અત્યાર સુધીમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ પ્રમેયત્વ અને અગુરુલઘુત્વ એ પાંચ ગુણોની સમજણ આપી છે.
છઠ્ઠો પ્રદેશત્વ ગુણ છે. આ છએ ગુણો દરેક વસ્તુમાં રહેલા છે તેથી તેને સામાન્ય ગુણ કહેવાય છે. આ છ સિવાય
બીજા પણ અનેક સામાન્ય ગુણો છે, પણ તેમાંથી આ છ ગુણોની સમજણ કરવાની ખાસ જરૂર છે.
૨. આપણને જેટલી વસ્તુઓ દેખાય છે તેમાં કોઈ લાંબી હોય છે, કોઈ ટુંકી હોય છે, કોઈ ગોળ હોય છે,
કોઈ ચોરસ હોય છે–એમ દરેક વસ્તુને કોઈક ને કોઈક આકાર હોય છે. કોઈ પણ વસ્તુ આકાર વગરની
દેખવામાં આવતી નથી. દરેક વસ્તુને પોતાનો આકાર હોય છે. રૂપિયાનો આકાર ગોળ છે, બે–આનીનો ચોરસ
આકાર છે, તેમ આત્માને પણ આકાર છે. દરેક વસ્તુમાં એવી એક શક્તિ છે કે તેથી તેને કોઈ ને કોઈ આકાર
હોય જ છે; એ શક્તિને ‘પ્રદેશત્વ ગુણ’ કહેવાય છે.
૩. ‘અરે, આત્માને પણ આકાર હોય?’ એમ કોઈને આશ્ચર્ય થશે. પણ આત્મા વસ્તુ છે કે નહિ? હા,
આત્મા વસ્તુ છે. જે વસ્તુ હોય તેને આકાર હોય છે.
૪. ‘આત્મા તો અરૂપી છે માટે તેને આકાર ન હોય એમ ઘણા માને છે, તેની માન્યતા જૂઠી છે. આત્મા
અરૂપી છે પણ તે એક વસ્તુ છે ને દરેક વસ્તુમાં પ્રદેશત્વગુણ છે, તેથી આત્માને પણ આકાર છે. અરૂપી વસ્તુનો
આકાર અરૂપી હોય છે, ને રૂપી વસ્તુનો આકાર રૂપી હોય છે. આત્માનો આકાર અરૂપી હોવાથી તે આંખથી
દેખી શકતો નથી, પણ જ્ઞાનથી તેની ઓળખાણ થઈ શકે છે.
૫. હવે તમને એવી જિજ્ઞાસા થશે કે આત્માનો આકાર કેવો હશે? લગભગ શરીરના આકાર જેવો જ
આત્માનો આકાર હોય છે. જેમ પાણીને પણ આકાર છે........ ચોરસ ઠામમાં રહેલા પાણીનો આકાર ચોરસ હોય
છે, ગોળ ઠામમાં રહેલા પાણીનો આકાર ગોળ હોય છે. તેમ આત્મા પણ જેવા જેવા શરીરમાં રહ્યો હોય તેવો
તેવો તેનો આકાર હોય છે. હાથીના શરીરમાં રહેલા જીવનો આકાર હાથી જેવો મોટો, ને કીડીના શરીરમાં રહેલા
જીવનો આકાર કીડી જેવો નાનો હોય છે. પણ શરીરનો અને આત્માનો આકાર જુદો જુદો જ છે, શરીરનો
આકાર શરીરમાં છે ને આત્માનો આકાર આત્મામાં છે. જડનો આકાર જડ છે, ને ચેતનનો આકાર ચેતન છે.
અરૂપીનો આકાર અરૂપી છે ને રૂપીનો આકાર રૂપી છે.
૬. એક જીવનો હાથી જેવો આકાર હોય ને બીજા જીવનો કીડી જેવો આકાર હોય–તોપણ તે બંને જીવના
પ્રદેશ તો સરખા જ હોય છે. દરેક જીવને અસંખ્ય પ્રદેશ હોય છે. સૌથી ઓછામાં ઓછી જગ્યા રોકે તેને એક
પ્રદેશ કહેવાય છે. એવા પ્રદેશથી જીવને માપીએ તો દરેક જીવ અસંખ્ય–પ્રદેશવાળો છે. હાથીના જીવમાં કોઈ
વધારે પ્રદેશ નથી ને કીડીના જીવમાં કાંઈ ઓછા પ્રદેશ નથી–બંનેમાં સરખા છે. જે નાનો–મોટો આકાર છે તે
બંને પ્રદેશત્વ ગુણનો ફેરફાર (પર્યાય) છે–
૭. સિદ્ધભગવાનને શરીર હોતું નથી. છતાં તેમના આત્માને ય આકાર હોય છે. સિદ્ધના આત્માને કેવો
આકાર હશે? તેમને પહેલાંં અરિહંતદશામાં જે શરીર હતું તે શરીર જેવો લગભગ આકાર હોય છે.
સિદ્ધભગવાનને ‘નિરાકાર’ કહેવાય છે, ત્યાં એમ સમજવું કે–તેમને આંખેથી દેખાય તેવો આકાર નથી તેથી
તેઓને નિરાકાર કહેવાય છે. પણ તેમને આત્મામાં પ્રદેશત્વ ગુણને લીધે ચોક્કસ આકાર હોય છે. જો આકાર ન
હોય તો વસ્તુ જ ન હોય.
૮. કોઈ જીવનો આકાર નાનો હોય ને કોઈ જીવનો મોટો હોય, કોઈનો એક ફૂટ હોય ને કોઈનો હઝારો
ફુટ હોય–પણ બધા આત્માના મૂળ પ્રદેશો તો સરખા જ છે. માત્ર તેનો આકાર સંકોચ–વિસ્તાર પામે છે, પણ
મૂળ પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. જેમ રબ્બરના ફૂગામાં પવન ભરતાં
(અનુસંધાન ટાઈટલ પાનુ છેલ્લું)
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૩–૮–૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ

PDF/HTML Page 4 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૭૧ :
ક્ષ લેખાંક ચોથો
[શ્રી પ્રવચનસારજી ગાથા ૮૦ માં બતાવ્યું છે કે, ‘જે જીવ દ્રવ્યથી–ગુણથી ને
પર્યાયથી અર્હંતને જાણે છે તે જીવ પોતાના આત્માને જાણે છે ને તેનો મોહ ખરેખર નાશ
પામે છે.’ એના ઉપરના વિસ્તૃત વ્યાખ્યાનો અંક ૨૯–૩૦–૩૧ માં આવી ગયા છે
ત્યારપછી વિશેષ અહીં આપવામાં આવ્યા છે.] પોષ વદ બીજ સંવત: ૨૪૭૩
મોહના ક્ષયનો ઉપાય
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રવચનસારની આ ૮૦મી ગાથામાં મોહનો ક્ષય કઈ રીતે થાય તે જણાવે છે.
જે જીવ અર્હંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે જીવ પોતાના આત્માને જાણે છે અને
તેનો મોહ અવશ્ય લય પામે છે. આચાર્યદેવ કહે છે કે મેં મોહનો ક્ષય કરવાનો ઉપાય મેળવ્યો છે. અરિહંતો
પોતાના પુરુષાર્થના જોરે કર્મનો ક્ષય કરીને પૂર્ણદશા પામ્યા છે તેમ હું પણ મારા પુરુષાર્થના જોરે કર્મનો ક્ષય
કરીને પૂર્ણદશા પામવાનો છું, વચ્ચે કોઈ વિઘ્ન નથી. જે અરિહંતની પ્રતીતિ કરે તે અરિહંત થાય જ છે. આ ૮૦મી
ગાથા અને તેની ટીકા ઉપરના વિસ્તૃત વ્યાખ્યાનો આત્મધર્મના અંક ૨૯–૩૦–૩૧માં આવી ગયા છે. હવે તે
ગાથાનો ભાવાર્થ વંચાય છે.
અર્હંતને જાણતાં પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાય જણાય છે.
“ભાવાર્થ:– અર્હંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે; વળી અર્હંતભગવાન મોહ,
રાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જો જીવ દ્રવ્ય–ગુણ–પર્યાયપણે તે (અર્હંત
ભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો “આ જે ‘આત્મા, આત્મા’ એવો એકરૂપ (કથંચિત્ સદ્રશ)
ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી
વ્યતિરેકો તે પર્યાયો છે” આમ પોતાનો આત્મા પણ દ્રવ્ય–ગુણ–પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે.”
(પ્રવચનસાર પૃ. ૧૧૯–૧૨૦)
દ્રવ્ય – ગુણ – પર્યાયની વ્યાખ્યા
આત્મા ત્રિકાળ કથંચિત્ સદ્રશ્ય છે; ત્રણે કાળે ‘આત્મા, આત્મા’ એવું જે સમાનપણું છે તે દ્રવ્ય છે,
ત્રિકાળી પ્રવાહમાં એકરૂપ રહેનાર તે દ્રવ્ય છે. ત્રિકાળી પ્રવાહમાં એક એક ક્ષણનું જુદું પરિણમન તે પર્યાય છે.
‘પ્રવાહ’ કહેતાં જ પરિણમન સિદ્ધ થઈ જાય છે. ત્રિકાળ પ્રવાહમાં જે સદાય સદ્રશ્ય ‘આત્મા, આત્મા’ રહે છે તે
દ્રવ્ય છે. બધાય પર્યાયોમાં દ્રવ્ય તો એક સરખું રહેનાર છે. અને તે દ્રવ્યનું એકરૂપ રહેતું જે ‘ચૈતન્ય, ચૈતન્ય’
એવું વિશેષણ તે ગુણ છે અને દ્રવ્યના પ્રવાહમાં જે ક્ષણવર્તી ભેદો તે પર્યાયો છે. એ રીતે, અરિહંત ભગવાનને
દ્રવ્ય–ગુણ–પર્યાયથી ઓળખતાં પોતાનો આત્મા પણ વિકલ્પ વડે જ્ઞાનમાં આવે છે.
પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયને જાણ્યા પછી શું કરવું?
એ રીતે પોતાના આત્માને જ્ઞાનમાં વિકલ્પ વડે જાણ્યા પછી, મોહનો ક્ષય કઈ રીતે થાય છે તે હવે બતાવે છે.
“એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી–જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ
અંતર્ગત કરીને કેવળ હારને જ જાણવામાં આવે છે તેમ–આત્મપર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ
અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામી–પરિણામ–પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો
હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્રભાવને પામે છે અને તેથી મોહ (દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.”
સમ્યગ્દર્શન પછી શું કરવું?
આ રીતે એકલો અભેદ આત્મા જ લક્ષમાં આવી જતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થયા પછી શું
કરવાનું રહ્યું? શરીરનો કર્તા તો પહેલાંં પણ હતો જ નહિ, પહેલાંં રાગાદિનો કર્તા થતો હતો તે છોડીને હવે જ્ઞાન
માત્ર ભાવનો કર્તા થયો. હવે જ્ઞાનમાં જ્ઞાનને એકાગ્ર કરવાની જ ક્રિયા કરવાનું રહ્યું. તે એકાગ્રતાની ક્રિયા પૂરી
થતાં જ કેવળજ્ઞાન–અરિહંતદશા પ્રગટે છે.
નિષ્ક્રિય જ્ઞાનમાત્ર ભાવ પ્રગટતાં મોહ ક્ષય પામે છે.
જીવ પોતાના અંતરસ્વભાવમાં ઢળતાં નિષ્ક્રિય ચિન્માત્રભાવને પામે છે, જ્ઞાનમાં ભેદના વિકલ્પરૂપ ક્રિયા

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૭૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
રહેતી નથી. જ્યાં જીવ ચિન્માત્રભાવને પામ્યો ત્યાં મોહનો નાશ થઈ જાય છે. પર વસ્તુઓની ક્રિયા તો આત્મા
કરી શક્તો નથી અને રાગરૂપ ક્રિયા કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી; એ રીતે જ્ઞાનસ્વભાવ નિષ્ક્રિય જ છે. એવા
સ્વભાવમાં ઢળતાં રાગરહિત નિષ્ક્રિય જ્ઞાનમાત્ર ભાવ પ્રગટે છે અને મિથ્યાત્વ નાશ પામે છે. ‘જ્ઞાનમાત્ર ભાવને
પામે છે’ અને ‘મોહ ક્ષય થાય છે’ એમ અસ્તિ–નાસ્તિથી કથન છે. અજ્ઞાનને આશ્રયે મોહ હતો, હવે એકલો
જ્ઞાનભાવ પ્રગટતાં મોહ નિરાશ્રય થયો, તેથી તે નાશ પામે છે.
આ રીતે, ‘જ્ઞાનમાત્ર ભાવ તે જ હું છું’ એવા નિર્ણયમાં જ સુખ–સમાધાનરૂપ ધર્મ છે. અને પછી જીવ
જેમ જેમ જ્ઞાનભાવમાં એકાગ્રતા કરે તેમ તેમ સમ્યક્ચારિત્ર વધતું જાય છે. જ્ઞાન માત્ર ભાવમાં સંપૂર્ણ એકાગ્રતા
કરતાં સંપૂર્ણ જ્ઞાનમાત્ર ભાવ–કેવળજ્ઞાન પ્રગટે છે અને મોહનો સર્વથા ક્ષય થઈ જાય છે.
મોહની સેનાને જીતવાનો ઉપાય
શ્રી આચાર્યદેવ કહે છે કે–જો આમ છે, તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે.
આ ૮૦ મી ગાથામાં શુદ્ધ આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન પ્રગટાવવાનો ને દર્શનમોહ ટાળવાનો ઉપાય
બતાવ્યો છે. સમ્યગ્દર્શનથી શુદ્ધાત્મસ્વભાવ જાણ્યા પછી તેમાં સ્થિરતા થાય છે ને ચારિત્રમોહ નાશ પામે છે, એ
વાત ૮૧મી ગાથામાં કરશે. દયા–વ્રત–અહિંસા વગેરેના વિકલ્પો તે મોહની સેના છે. અરિહંત ભગવાન જેવા
પોતાના શુદ્ધાત્માને ઓળખવો અને શુદ્ધોપયોગ વડે તેમાં લીન થવું તે મોહની સેનાને નાશ કરવાનો ઉપાય છે.
સ્વરૂપ સમજવાનો સીધો ઉપાય
બધા આત્માઓ અરિહંત જેવા જ છે. પોતાનું સ્વરૂપ જે સમજવા માગે તે સમજી શકે છે. તે સમજવાનો
મૂળ સીધો ઉપાય આ ગાથામાં કહ્યો છે. મિથ્યાત્વ નાશ કરવાનો અપૂર્વ અચિંત્ય ઉપાય આ એક જ છે કે–
‘જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યાયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.’
દરેક પદાર્થ દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપ છે. પોતાના આત્માને અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાય સાથે
મેળવીને પછી અરિહંતનું લક્ષ છોડીને એકલા પોતાના આત્માને અભેદપણે લક્ષમાં લેવો તેમાં અનંત પુરુષાર્થ છે.
સ્વરૂપની રુચિ વિના તે પુરુષાર્થ થાય નહિ. અંતરમાં સ્વભાવનો મહિમા આવ્યા વગર તે સ્વભાવને પ્રપ્ત
કરવાનો પ્રયત્ન કરે નહિ. અરિહંત જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ જે પ્રાપ્ત કરવા માગે તે અવશ્ય કરી શકે છે.
પોતાનું સારું કરવા માટે શું કરવું?
હે જીવ! તારે તારું સારું કરવું છે ને? તો આ જગતમાં તું એ શોધી કાઢજે કે જગતમાં સૌથી સારું કોણે
કર્યું છે? –પૂર્ણ હિત કોણે પ્રગટ કર્યું છે? અરિહંત ભગવંતો આ જગતમાં સંપૂર્ણ સુખી છે, તેમણે આત્માનું સંપૂર્ણ
સારું કર્યું છે. અરિહંત ભગવાને કઈ રીતે સારું કર્યું? પહેલાંં તો પોતાના આત્મસ્વભાવને અરિહંત જેવો જાણ્યો
ને તેમાં લીન થઈને મોહનો ક્ષય કરી વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કર્યા, તેથી તેઓ સુખી છે. તેમના
આત્માની તે કેવળજ્ઞાનદશા ક્યાંથી આવી? જે ત્રિકાળ દ્રવ્યગુણ છે તેમાંથી તે દશા પ્રગટી છે. અરિહંત જેવા જ
દ્રવ્યગુણ તારામાં છે, તે તારા સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તું કર, તો તારા દ્રવ્યગુણમાંથી પૂરી
કેવળજ્ઞાનદશા પ્રગટે. આ જ સારું કરવાનો ઉપાય છે. દુનિયામાં સારામાં સારું કરનારા તો અરિહંત છે, તેમને જ
તું આદર્શરૂપ રાખ. જ્યાં તું તારા પૂરા સ્વભાવ સામર્થ્યની ઓળખાણ કરીને તેમાં લીન થયો ત્યાં પૂર્ણ શુદ્ધ દશા
પ્રગટી એટલે કે પૂર્ણ સારું પ્રગટ થયું ને નરસાપણું ન રહ્યું.
જગતમાં સંપૂર્ણ સુખી કોણ?
જો સારું કર્યા પછી પણ કાંઈક નવું કરવાનું બાકી રહે તો તે જીવે હજી ખરેખર પૂરું સારું કર્યું જ નથી,
અને તેથી તે દુઃખી છે. જેણે પૂરું સારું કરી લીધું છે ને હવે કાંઈ કરવાનું રહ્યું નથી–એવા જે હોય તે જ પૂરા સુખી
છે. એવા શ્રીઅરિહંત દેવ છે. જગતના જીવોને દુઃખી દેખીને કે જગતનું કાંઈ કરવા માટે અરિહંત ભગવાન
અવતાર લેતા નથી. તેમણે પોતાના આત્મામાં સંપૂર્ણ સારું કરી લીધું છે તેથી તેઓ કૃતકૃત્ય છે. જગતના અન્ય
જીવો તો રાગ–દ્વેષ–મોહથી દુઃખી થઈ રહ્યા છે. અહો! જેમને મોહ નથી, અવતાર નથી, મરણ નથી, વિકલ્પ
નથી, પરની ઉપાધિ નથી, ભૂખ–તરસ નથી, સંપૂર્ણ કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા અરિહંત ભગવાનનો
આત્મા આ જગતમાં સંપૂર્ણ સુખી છે; તેથી તેઓ જ આ આત્માને માટે અરિસા સમાન છે. અરિહંતના સ્વરૂપને
જાણતાં પરમાર્થે પોતાના સ્વરૂપનું પ્રતિબિંબ જ જણાય છે. અરિહંત ભગવાન જેવા દ્રવ્ય–ગુણ તો મારામાં
ત્રિકાળ છે, ને પર્યાયમાં જ્યાં સુધી અરિહંત

PDF/HTML Page 6 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૭૩ :
ભગવાન જેવું ન થાય ત્યાં સુધી હું અધૂરો છું, તે અધૂરાશ મારું સ્વરૂપ નથી.
અરિહંતોએ પરનું કાંઈ કર્યું નથી.
શ્રી અરિહંતોએ શું કર્યું? જો અરિહંત ભગવાન પરનું કાંઈ કરતાં કરતાં, અરિહંત થયા હોત તો પૂર્ણતા
થયા પછી પર દ્રવ્યોનું ઘણું કરત. ભગવાને પરનું કાંઈ કર્યું જ નથી. ભગવાન તો પહેલાંં પણ જાણતા હતા કે
આત્મા પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. પરથી જુદા પોતાના આત્મસ્વભાવને જાણીને તેમાં જ સ્થિર થયા ને
કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ સિવાય ભગવાને બીજું કાંઈ કર્યું નથી.
અરિહંત થવાનો ઉપાય
આમ સારામાં સારા (પૂર્ણ શુદ્ધ) અરિહંત ભગવાનને જાણીને, જે જીવ અરિહંત જેવા પોતાના આત્મામાં
ઊતર્યો અને પોતાના આત્મામાં ઊતરીને ભેદના લક્ષને તોડીને અભેદ સ્વભાવમાં ઢળ્‌યો ત્યાં તે જીવને સમ્યગ્દર્શન
પ્રગટ થયું ને મોહનો ક્ષય થયો. તે જીવને અરિહંત ભગવાન જેવી પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાનો ઉપાય પ્રગટ્યો.
અનંત તીર્થંકરોએ આ જ ઉપાય કર્યો છે અને દિવ્યધ્વનિમાં પણ એ જ ઉપદેશ કર્યો છે.
[પોષ વદ ૩]
પોતામાં દ્રવ્ય – પર્યાયની એકતા થતાં સમ્યગ્દર્શન થાય છે.
પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો વિધિ ૮૦ મી ગાથામાં કહ્યો છે. જેવો અરિહંતદેવનો દ્રવ્ય–ગુણ–પર્યાયથી
સ્વભાવ છે તેવો જ આ આત્માનો છે, અરિહંતને રાગાદિ નથી તેમ આ આત્માને પણ રાગાદિ પોતાનું સ્વરૂપ
નથી–આમ જે જીવ નક્કી કરે છે તે જીવને આત્મ–સ્વભાવનું સમ્યક્દર્શન થાય છે. અરિહંતના સ્વરૂપમાં અને આ
આત્માના સ્વરૂપમાં પરમાર્થે ફેર નથી. અરિહંત ભગવાન પૂર્ણ સ્પષ્ટ સ્વરૂપે હોવાથી આ આત્માને તે આદર્શ
તરીકે છે. અરિહંત ભગવાનને દ્રવ્ય અને ગુણ પૂરા છે ને પર્યાય પણ પૂરો પ્રગટ્યો છે, તે પર્યાય દ્રવ્યગુણમાંથી
આવ્યો છે. એવા દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપને ઓળખે તો પોતાના દ્રવ્ય–ગુણના આધારે વર્તમાન પર્યાયની અધૂરાશ
ટાળવાનો ઉપાય કરે. અધૂરાશ કે વિકાર તે હું નહિ પણ અરિહંત જેવો જ હું છું એમ પહેલાંં અરિહંતના લક્ષે
પોતાના આત્માનો વિચાર ઉપાડીને પછી સ્વમાં પોતાના આત્મા તરફ ઢળીને નિર્ણય કરતાં સમ્યગ્દર્શન થાય છે.
દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે નિર્ણય કરનારી અવસ્થાને પોતાના સ્વભાવમાં સમાડી એટલે કે સ્વમાં વાળી, ત્યાં પરમાં
અને વિકારમાં એકતાની માન્યતા છૂટીને પોતામાં દ્રવ્ય–પર્યાયની એકતા થઈ એટલે મોહનો નાશ થયો ને
સમ્યગ્દર્શન થયું. સ્વાશ્રયની એકતા વડે સમ્યગ્દર્શન થતાં જ પરાશ્રયની એકતારૂપ મોહનો નાશ થાય છે.
અરિહંતોને પહેલાંં અજ્ઞાનદશા હતી ને પછી જ્ઞાન દશા થઈ તથા પૂર્ણજ્ઞાન પ્રગટ્યું, પહેલાંં અને પછી
એમ બધી અવસ્થામાં રહેનાર આત્મદ્રવ્ય છે, ચૈતન્યપણું તે તેનો ગુણ છે અને અરિહંતોને વર્તમાન પર્યાયમાં
પૂર્ણજ્ઞાન છે. અરિહંત જેવો જ મારો આત્મા છે. આમ નિર્ણય કરતાં રાગમાં એકત્વબુદ્ધિ ટળી જાય છે, ને
પોતાના સ્વભાવનો આશ્રય થાય છે. પહેલાંં નિમિત્તો સાથે અને વિકાર સાથે એકતા માનતો તેથી પોતામાં
દ્રવ્ય–પર્યાયનો ભેદ પડીને અવસ્થામાં અજ્ઞાન હતું, તે સંસારનું મૂળ હતું. હવે રાગાદિથી રહિત પોતાના ચિન્મય
સ્વરૂપમાં એકતા કરતાં દ્રવ્ય–પર્યાયનો ભેદ તૂટી જવાથી (–પર્યાય દ્રવ્યમાં જ લીન થવાથી), મિથ્યાત્વ અને
અજ્ઞાન નિરાશ્રય થયા થકા નાશ પામે છે. દ્રવ્યમાં મિથ્યાત્વ અને અજ્ઞાન નથી, અને તે દ્રવ્યમાં પર્યાયની એકતા
થઈ તેથી મિથ્યાત્વ અને અજ્ઞાનને તે પર્યાયનો આશ્રય ન રહ્યો, પર્યાય પોતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન રૂપે
પરિણમી ગયો ને મિથ્યાત્વ તથા અજ્ઞાનનો લય થયો. આ જ મોહના નાશનો એટલે કે ધર્મનો ઉપાય છે.
પરશ્રય મથ્યત્વ, સ્વશ્રય સમ્યકત્વ.
પહેલાંં પર્યાય પરના આશ્રયે પરિણમતો હતો ત્યારે તે પર્યાયના આધારે મિથ્યાત્વ ટકતું હતું. પણ હવે તે
પર્યાય પોતાના સ્વભાવમાં અભેદ થતાં મિથ્યાત્વને તેનો આધાર રહ્યો નહિ, એટલે તે નષ્ટ થઈ ગયું. આમાં
આત્માના જ્ઞાનની જ ક્રિયા છે, બહારનું કાંઈ નથી. આત્માનું જે વીર્ય વિકારમાં કામ કરતું હતું તે વીર્ય વિકારની
એકતાથી છૂટીને પોતાના સ્વભાવમાં વળ્‌યું ત્યાં પરનું અવલંબન ન રહ્યું એટલે કે મિથ્યાત્વ જ ન રહ્યું. ભેદના
આશ્રયે મિથ્યાત્વ રહે છે ને સ્વભાવની અભેદતાના આશ્રયે મિથ્યાત્વનો નાશ થયા પછી ચારિત્રમોહનો નાશ
કેમ થાય તે હવેની ગાથામાં કહેશે. શુભભાવનું અવલંબન પણ મોહ છે, તેથી તેનો પણ જ્યારે છેદ કરે છે ત્યારે
સંપૂર્ણ શુદ્ધ આત્મા પ્રગટે છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૭૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
સમ્યગ્દર્શન પહેલાની ભૂમિકામાં જીવ શું કરે?
૮૦ મી ગાથામાં કહ્યા પ્રમાણે અરિહંત ભગવાનને દ્રવ્ય–ગુણ–પર્યાયથી જેણે જાણ્યા તેને કુદેવ–કુગુરુ–
કુધર્મની માન્યતા તો પહેલે જ ધડાકે છૂટી ગઈ. અરિહંતને જાણીને પણ ત્યાં અટકતો નથી પણ સ્વાશ્રય તરફ
વળે છે. અરિહંત તરફનું લક્ષ છોડી સ્વમાં એમ વિચાર કર્યો કે મારે સમ્યગ્દર્શનાદિ માટે મારા દ્રવ્યગુણનો જ
આશ્રય છે, કોઈ પરનો આશ્રય નથી. એમ વારંવાર સ્વાશ્રયની ભાવના અને અભ્યાસ કરે છે, અને
સ્વાશ્રયભાવમાં ઢળતાં શુદ્ધ આત્માનો સાક્ષાત્ અનુભવ થયો, ક્ષાયક જેવું સમ્યગ્દર્શન થયું, પરાશ્રયભાવનો તથા
મિથ્યાત્વનો નાશ થયો.
આત્મા મિથ્યાત્વાદિનો ઉત્પાદક નથી.
અરિહંતની જેમ મારો આત્મા ત્રિકાળ દ્રવ્ય–ગુણથી પૂરા સ્વભાવે છે, જેમ અરિહંતને મિથ્યાત્વ–રાગાદિની
ઉત્પત્તિ નથી તેમ મારો આત્મસ્વભાવ પણ મિથ્યાત્વ–રાગાદિનો ઉત્પાદક નથી, પણ શુદ્ધ જ્ઞાનનો જ ઉત્પાદક છે.
–એમ ભેદજ્ઞાન વડે પોતાના સ્વભાવમાં પર્યાયને વાળ્‌યો ત્યાં આત્મા મિથ્યાત્વ–રાગાદિનું કારણ ન રહ્યો. શુદ્ધ
સ્વભાવની પ્રતીતિ કરીને તે સ્વભાવના આશ્રયે આત્મા રહ્યો તેથી મિથ્યાત્વ અને અજ્ઞાન ટળી ગયા; કેમકે
સ્વભાવના આશ્રયે મિથ્યાત્વાદિ વિકારની ઉત્પત્તિ થાય નહિ. અરિહંત જેવું પોતાનું પવિત્ર આત્મસ્વરૂપ ભાસતા
મિથ્યાત્વ અને રાગાદિ મારા સ્વરૂપમાં છે એવી ઊંધી પ્રતીતિ ટળી અને નિર્મળ સમ્યક્ પ્રતીતિ થઈ. એટલે કે
જીવને મોહનો નાશ કરવાનો ઉપાય પ્રાપ્ત થયો.
અનુભવનો વિધિ
અનંતા તીર્થંકરો–સંત મુનિવરોએ પ્રથમ આ જ ઉપાય કર્યો છે. સ્વભાવનો આદર કરીને અનુભવનો
વિધિ એક જ છે–બીજો નથી. અહીં ગાથા ૮૦મી પૂરી થઈ.
ગાથા ૮૧મી સંપૂર્ણ મોહક્ષયની ભાવના
એ રીતે દર્શનમોહના નાશ કર્યા પછી પણ જ્યાં સુધી રાગદ્વેષ રહે છે ત્યાં સુધી સંપૂર્ણ શુદ્ધોપયોગ
પ્રગટતો નથી. તેથી હવેની ગાથામાં શ્રીઆચાર્યદેવ સંપૂર્ણ શુદ્ધઆત્માની (કેવળજ્ઞાનની) પ્રાપ્તિ માટે રાગ–દ્વેષના
પણ ક્ષયની ભાવના કરે છે. મિથ્યાત્વમોહનો ક્ષય તો કર્યો જ છે.
સમ્યગ્દર્શન પછી ચારિત્રમોહના ક્ષય માટે પુરુષાર્થની જાગૃતિ
જેને હાથમાં રાખીને મનમાં જે ચિંતવો તે મળે એવો ચિંતામણિ હાથમાં આવે તો તેની કેવી ચીવટથી
સંભાળ રાખે? તે તો ચિંતામણિ જડ છે ને તેનાથી તો જડ વસ્તુઓ મળે છે. અહીં આચાર્યદેવ કહે છે કે મેં
ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત કર્યો છે. મેં પરિપૂર્ણ ચૈતન્યચમત્કાર ચિંતામણિ પ્રાપ્ત કર્યો છે, ચૈતન્યસ્વભાવને જ્ઞાનમાં
રાખીને જેવી ભાવના કરું એવી વીતરાગતા પ્રગટે. એ ચૈતન્યચિંતામણિ સ્વભાવમાં શુદ્ધોપયોગવડે એકાગ્ર થઈને
રાગદ્વેષનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામું. જો શુભોપયોગમાં અટકું તો ચૈતન્યચિંતામણિ ચોરાઈ જાય છે–કેવળજ્ઞાન
અટકે છે. પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલીને અનાદિથી પરમાં ને વિકારમાં પોતાનું અસ્તિત્વ માન્યું હતું, હવે
વિકારરહિત શુદ્ધચૈતન્યસ્વભાવે પોતાનું અસ્તિત્વ જાણ્યું અને સ્વભાવ તરફ વળેલી અવસ્થામાં ચૈતન્ય
ચિંતામણિની પ્રાપ્તિ થઈ. અહો! હવે શુદ્ધોપયોગ વડે હું જેટલો ચૈતન્યમાં એકાગ્ર થાઉં તેટલા રાગ–દ્વેષ ટળીને
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય. આચાર્યદેવને પોતાને પવિત્ર મુનિદશા વર્તે છે, ઘણો તો શુદ્ધોપયોગ પ્રગટ્યો છે અને
ઘણી વીતરાગતા થઈ છે, પણ હજી જે અલ્પ શુભરાગ રહ્યો છે તેને ય સર્વથા ટાળીને સંપુર્ણ શુદ્ધોપયોગ પ્રગટ
કરીને સંપૂર્ણ શુદ્ધઆત્માની પ્રાપ્તિની ભાવના કરે છે. ‘એ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે’
એમ વિચારી જાગૃત રહે છે. ૮૦ મી ગાથામાં જે રીતે કહ્યો તે રીતે મોહક્ષયનો ઉપાય જાણીને અને તે રીતે
મોહનો ક્ષય કરીને મેં ચૈતન્ય ચિંતામણિ પ્રાપ્ત કર્યો છે. ચૈતન્ય સ્વભાવને પ્રાપ્ત કરીને પણ જો તેમાં હું સંપૂર્ણ
એકાગ્ર થાઉં તો જ રાગ–દ્વેષનો ક્ષય થાય ને શુદ્ધ આત્માની (કેવળજ્ઞાનની) પ્રાપ્તિ થાય. દ્રવ્ય–ગુણ–પર્યાયથી
મારો આત્મસ્વભાવ જાણીને, જેટલો દ્રવ્યગુણમાં મારા પર્યાયને એકાગ્ર કરું તેટલો શુદ્ધાત્મ–અનુભવ પ્રગટે,
તેટલો શુદ્ધોપયોગ થાય ને રાગદ્વેષ ટળે. શુદ્ધ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને હવે મારા સ્વભાવમાં જ
એકાગ્રતા પ્રગટ કરું તે જ મુક્તિનું કારણ છે. ચારિત્રદશા પ્રગટી હોવા છતાં હજી સંપૂર્ણ શુદ્ધોપયોગથી સ્વરૂપમાં
એકાગ્રતા થઈ નથી તેથી આચાર્યદેવ વિશેષ જાગૃતિની ભાવના કરે છે. આચાર્યદેવ સંપૂર્ણ મોહનો ક્ષય કરીને
કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે કટિબદ્ધ થયા છે.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૭૫ :
સમ્યગ્દર્શન પછી જીવ રાગ – દ્વેષ છોડે તો શુદ્ધાત્માને પામે છે.
મારા ઉપયોગને વસ્તુ સ્વભાવમાં વાળવામાં જ લાભ છે–એમ વસ્તુ સ્વભાવને નક્કી કરીને મેં
ચિંતામણિ પ્રાપ્ત કર્યો છે–અપ્રતિહત સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે–છતાં હજી મારી અવસ્થા જો શુભઉપયોગમાં અટકી
રહે તો મને નુકશાન છે–પ્રમાદરૂપી ચોર મારી શુદ્ધતા ચોરી જવાનો સંભવ છે. જેટલો પરમાં વલણભાવ થાય છે
તેટલો પ્રમાદ છે, ને તે પ્રમાદરૂપી ચોર મારી ચૈતન્યઋદ્ધિને લૂંટી જાય છે, માટે હું જાગૃત રહું છું–એમ આચાર્યદેવ
હવેની ગાથામાં કહે છે.
जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं।
जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं।।
८१।।
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧.
અર્થ:– જેણે મોહને દૂર કર્યો છે અને આત્માના સમ્યક્ તત્ત્વને (સાચા સ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવો જીવ
જો રાગદ્વેષને છોડે છે, તો તે શુદ્ધ આત્માને પામે છે.
દર્શનમોહ ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી ચારિત્રમોહ ટાળવાની આમાં વાત છે. ૮૦ મી ગાથામાં
કહેલો ઉપાય સમજીને જેણે મિથ્યાત્વમોહને દૂર કર્યો છે અને આત્માના સાચા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવો જીવ
જો રાગદ્વેષને છોડે છે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે. આચાર્યદેવ અસ્તિ–નાસ્તિથી કથન કરે છે. મોહનો નાશ કર્યો
તે નાસ્તિ અને સાચું આત્મસ્વરૂપ પામ્યો તે અસ્તિ છે. ત્યારપછી રાગદ્વેષ છોડવા તે નાસ્તિ અને શુદ્ધાત્માની
પ્રાપ્તિ તે અસ્તિ. જે શુદ્ધાત્મા જાણ્યો તે તરફ જેટલો ઢળું તેટલો લાભ છે, જેટલો પરાશ્રયભાવ થાય તેટલો
શુદ્ધોપયોગ લૂંટાય છે. સમ્યક્ આત્મતત્ત્વની પ્રાપ્તિ અને મિથ્યાત્વનો નાશ કર્યા પછી શુદ્ધાત્મસ્વરૂપમાં
એકાગ્રતારૂપ જે શુદ્ધભાવ છે તે જ શુદ્ધાત્માનું તત્ત્વ છે, જેટલા પુણ્ય–પાપભાવો થાય છે તે શુદ્ધાત્માનું તત્ત્વ નથી,
તે તો આત્માના શુદ્ધોપયોગને લૂંટનારા છે. પુણ્યપાપ રહિત આત્મતત્ત્વને પામીને જો શુભ અને અશુભ
ઉપયોગને છોડી દે છે તો જીવ શુદ્ધ આત્માને પામે છે. દર્શનમોહનો નાશ કરીને આખો આત્મા પ્રાપ્ત કર્યો છે પણ
હજી પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટી નથી. પૂર્ણ શુદ્ધદશા તો રાગ–દ્વેષના નાશથી થાય છે. અહીં પૂર્ણ શુદ્ધદશા પ્રગટે
તેને શુદ્ધાત્મ તત્ત્વનો અનુભવ કહ્યો છે. અધૂરી દશામાં કંઈક અંશે રાગાદિ અશુદ્ધ ભાવોનો પણ અનુભવ હોય
છે, એ અપેક્ષાએ ત્યાં શુદ્ધઆત્મ તત્ત્વનો અનુભવ નથી એમ કહ્યું છે. સમ્યગ્દર્શન થતાં જ આખો
શુદ્ધાત્મસ્વભાવ તો પ્રાપ્ત થઈ ગયો. પરંતુ જ્યાં સુધી જીવ રાગ–દ્વેષને ન છોડે ત્યાં સુધી દ્રવ્ય–ગુણ–પર્યાયથી શુદ્ધ
આત્માનો અનુભવ થતો નથી. મૂળમાં તો આચાર્યદેવે અસ્તિથી જ વાત કરી છે કે જીવ જો રાગ–દ્વેષને છોડે છે
તો તે શુદ્ધાત્માને પામે છે. એટલે કે જેમણે પોતાના સમ્યક્ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા જીવો રાગ–દ્વેષ છોડે
જ છે ને શુદ્ધાત્માને પામે જ છે.
ટીકા
પામીને પણ, જો જીવ રાગદ્વેષને નિર્મૂળ કરે છે, તો શુદ્ધ આત્માને અનુભવે છે.”
પહેલાં સમ્યગ્દર્શન પછી સમ્યક્ચારિત્ર
પહેલાંં ૮૦ મી ગાથામાં દર્શનમોહના નાશનો ઉપાય બતાવીને હવે ચારિત્રમોહના નાશનો ઉપાય બતાવે
છે. પહેલાંં મિથ્યાત્વનો નાશ કર્યા પછી જ ચારિત્રમોહનો નાશ થાય છે, માટે પહેલાંં દર્શનમોહના ક્ષયનો ઉપાય
બતાવ્યા પછી ચારિત્રમોહના નાશનો ઉપાય બતાવે છે. મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ આત્મતત્ત્વની શ્રદ્ધા
પ્રગટ કરીને પણ, જો પર્યાયમાંથી શુદ્ધોપયોગવડે રાગદ્વેષને છોડે છે તો જ જીવ મુક્તિ પામે છે. રાગદ્વેષમાં એકતા
માનવાથી ધર્મ થતો નથી અને સ્વભાવમાં એકતા કરવાથી ધર્મ થાય છે–એમ સમ્યક્શ્રદ્ધા કરીને પણ જીવ
પોતાના ઉપયોગને સ્વદ્રવ્યમાં જ લીન કરે છે તો જ તે શુદ્ધ આત્માના અનુભવને પામે છે.
જ્યારે શુદ્ધોપયોગ કરે ત્યારે શુદ્ધાત્માનો અનુભવ થાય છે.
જો કે શુદ્ધાત્માનો અનુભવ તો ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન થતાં જ થાય છે, પરંતુ ત્યાં હજી સંપૂર્ણ
રાગદ્વેષ ટળી ગયા નથી તેથી, રાગને પોતાનું સ્વરૂપ નહિ માનતો હોવા છતાં જેટલા રાગદ્વેષાદિ અશુદ્ધભાવો
થાય છે તેટલો અશુદ્ધતાનો અનુભવ પણ હોય છે; માટે

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૭૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
ત્યાં એકલા શુદ્ધાત્માનો જ અનુભવ નથી. પણ જીવ જ્યારે સંપૂર્ણ રાગદ્વેષ ટાળીને શુદ્ધઉપયોગ પ્રગટ કરે છે
ત્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ આત્માનો જ અનુભવ હોય છે. એને જ અહીં શુદ્ધ આત્માનો અનુભવ
કહ્યો છે. પહેલાંં અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણીને તેવા જ પોતાના આત્માની શ્રદ્ધા કરી હતી અને
હવે પોતાનો આત્મા સાક્ષાત્ તેવો થઈ ગયો. જેવા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ પોતાના દ્રવ્ય–ગુણ–
પર્યાય થઈ ગયા.
શુભ ઉપયોગ તે ચૈતન્યનો લૂંટારો છે
અરિહંત જેવા પવિત્ર પોતાના આત્માની શ્રદ્ધા થયા પછી પણ રાગદ્વેષ દૂર કરે ત્યારે શુદ્ધ આત્માનો
અનુભવ થાય છે. હું ચૈતન્યસ્વરૂપ છું, રાગદ્વેષ મારું સ્વરૂપ નથી–આમ પ્રતીત કર્યા છતાં જીવ જો ફરી ફરીને
શુભ કે અશુભભાવમાં જોડાય તો તે પ્રમાદ છે. શુભભાવ પણ પ્રમાદ છે. સમ્યગ્દર્શનપૂર્વક મુનિદશામાં જે પંચ–
મહાવ્રતની લાગણી તે પણ પ્રમાદ જ છે, તે પ્રમાદના તંત્રને આધીન થવાથી શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપના વેદન
રૂપ ચૈતન્યચિંતામણિ ચોરાઈ જાય છે. માટે શુભભાવ તે ચૈતન્ય ચિંતામણીનો ચોર છે. તો પછી અશુભ
લાગણીની તો વાત જ શું કરવી? આચાર્યદેવને વર્તમાનકાળે મુનિદશા તો વર્તે છે પરંતુ કેવળજ્ઞાન પ્રગટ થાય
તેવો શુદ્ધોપયોગ નથી અને કંઈક શુભોપયોગ રહી જાય છે, તેનો નકાર કરીને તેઓશ્રી સંપૂર્ણ શુદ્ધોપયોગની
ભાવના કરે છે. મુનિદશામાં જે શુભલાગણી ઊઠે છે તે પ્રમાદ છે–રાગ છે–ચોર છે–શુદ્ધ ઉપયોગને લૂંટે છે. તે
શુભને દૂર કરીને શુદ્ધોપયોગ જ્યારે પ્રગટ કરે છે ત્યારે જ મોહનો સંપૂર્ણ ક્ષય થઈને પૂર્ણદશા પ્રગટે છે.
સમ્યગ્દર્શન તો પહેલાંં જ સ્થાપીને પછીની આ વાત છે.
શુભ ઉપયોગથી જીવ ખેદ પામે છે
પહેલાંં તો આચાર્યદેવે અસ્તિથી વાત કરી કે, સમ્યક્ આત્મતત્ત્વને પામીને જે જીવ રાગદ્વેષને નિમૂર્ળ કરે
છે તે જીવ શુદ્ધ આત્માને અનુભવે છે. પરંતુ (હવે નાસ્તિથી વાત કરે છે) જો ફરી ફરીને જીવ તેમને અનુસરે
છે–રાગદ્વેષરૂપે પરિણમે છે, તો પ્રમાદ–આધીનપણાને લીધે શુદ્ધાત્મતત્ત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ
જવાથી અંતરમાં ખેદ પામે છે.
સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી શુભ લાગણી થાય છે પણ તે કેવળજ્ઞાનનું કારણ નથી. શુભ લાગણી તો
કેવળજ્ઞાનને રોકનારી છે, જીવને ખેદ પમાડનારી છે. અરેરે! શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાન થઈને સ્વરૂપ–સ્થિરતા
પ્રગટ્યા છતાં પણ જીવ જો શુભ લાગણીને ફરી ફરીને અનુસરે તો શુદ્ધાત્માના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ
જવાથી અંતરમાં ફરી ફરીને ખેદ પામે છે. શુદ્ધ ઉપયોગ તે જ એક જીવને સુખદાયક છે, શુભ ઉપયોગ તે દુઃખ છે.
છઠ્ઠાગુણસ્થાને શુભ વિકલ્પ ઊઠે છે તે દુઃખ છે, ખેદકારક છે. અહા, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગદશા અટકે છે ને
શુભ–અશુભ ઉપયોગમાં જોડાણ થાય છે તે ખેદ છે, તેનાથી નિર્વિકલ્પ શુદ્ધાત્મ રમણતા ચોરાઈ જાય છે.
સહજાનંદ સ્વભાવમાં ઉપયોગની સંપૂર્ણ લીનતા ન થતાં, વિપરીત દશા થઈ ત્યારે રાગદ્વેષરૂપ અશુદ્ધઉપયોગ
થયો, તેનાથી આત્મસ્વરૂપમાં રમણતાનો ભંગ પડે છે. શુભવૃત્તિ થાય તેનાથી ધર્માત્મા મુનિને પણ અંતરમાં
દુઃખ છે–ખેદ થાય છે. જો સ્વરૂપની રમણતામાં જ ટકીને શુદ્ધ ઉપયોગ પ્રગટ ન કરું તો પ્રમાદથી શુભ ઉપયોગમાં
આવી જાઉં છું અને મારા કેવળજ્ઞાનના કારણરૂપ અનુભવચિંતામણિ ચોરાઈ જાય છે. તેથી મારે રાગદ્વેષને
ટાળવા માટે અત્યંત જાગ્રત રહેવું યોગ્ય છે–એમ શ્રી આચાર્યદેવ કહે છે.
મોક્ષનો ઉપાય
રાગદ્વેષ છોડીને સ્વાશ્રય સ્વભાવમાં અભેદ થવું તે સમ્યક્ચારિત્ર છે અને રાગદ્વેષ રહિત સ્વાશ્રય
સ્વભાવની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં ચૈતન્ય ચિંતામણિની પ્રાપ્તિ થઈ, પરંતુ જેટલું પર વલણ
થાય છે તેટલું ચૈતન્ય અનુભવરત્ન ચોરાઈ જાય છે. માટે સર્વે શુભ અશુભથી રહિત થઈને સ્વરૂપમાં સંપૂર્ણ
જાગૃત રહેવું તે જ મોક્ષ પામવાનો ઉપાય છે.
સાચું પ્રતિક્રમણ
પહેલાંં તો પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રગટ કરીને મિથ્યાશ્રદ્ધારૂપ મહાપાપથી પાછો ફર્યો
તે જ મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે, અને પછી–શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા પ્રગટ કરીને રાગદ્વેષથી પાછો ફર્યો તે અવ્રત
વગેરેનું પ્રતિક્રમણ છે. સૌથી પહેલાંં મિથ્યાત્વના પ્રતિક્રમણ વગર એકે પ્રકારનું પ્રતિક્રમણ હોય જ નહિ. અહીં તો
સંપૂર્ણ મોહનો ક્ષય કરીને મોક્ષદશા પ્રગટ કરવાના ઉપાયની વાત ચાલે છે. સમ્યગ્દર્શન થયા છતાં જો જીવ
રાગદ્વેષને ન છોડે તો તે મુક્તિ પામતો નથી.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૭૭ :
બે પ્રકારના ધર્મ અને અધર્મ
જેઓ દ્રવ્ય–ગુણ–પર્યાયથી અરિહંતના યથાર્થ સ્વરૂપને જ ન જાણે તેવા જીવોને તો ધર્મ થતો નથી. પુણ્ય
પાપ ને પોતાનું સ્વરૂપ માનવું ને તેનાથી લાભ માનવો તે મિથ્યાત્વરૂપી સૌથી મોટો અધર્મ છે. અરિહંત જેવું
પોતાનું પરમાર્થ સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરે અર્થાત્ પુણ્ય–પાપ રહિત પોતાનો અભેદ ચૈતન્યમય સ્વભાવ છે
તેમાં એકતાથી લાભ માનવો ને પુણ્ય–પાપથી લાભ ન માનવો તે સમ્યગ્દર્શનરૂપી શરૂઆતનો ધર્મ છે. પુણ્ય–
પાપ રહિત શુદ્ધાત્મસ્વરૂપને જાણ્યા છતાં પુણ્ય–પાપમાં ઉપયોગની એકતા કરવી તે ચારિત્ર અપેક્ષાએ અધર્મ છે.
અને સમ્યગ્દર્શન પ્રગટ કરીને શુદ્ધ આત્મદ્રવ્યમાં જ પર્યાયની એકતા કરવી તે ચારિત્રધર્મ છે.
શુભ ઉપયોગનો તિરસ્કાર
મુંબઈ જેવા મોટા શહેરોમાં જો ખીસું બહાર રાખે તો આખું ખીસું જ ચોરાઈ જાય છે, તેમ જો
આત્મસ્વરૂપમાંથી બહારમાં ઉપયોગને ભમાવે તો શુદ્ધઆત્માનો અનુભવ ચોરાઈ જાય છે. સમ્યગ્દર્શન પછી
શુભ ઉપયોગમાં જેટલો એકાગ્ર થાય તેટલો શુદ્ધતાનો ભંડાર લૂંટાય છે. તેથી, સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી પણ
જીવને રાગદ્વેષ ટાળીને સ્વરૂપમાં અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. આચાર્યદેવે અહીં શુભ ઉપયોગને તરછોડીને
શુદ્ધ ઉપયોગની ઉગ્રતા બતાવી છે.
સંપૂર્ણ શુદ્ધોપયોગની જાગૃતિ માટે આચાર્યદેવની અંતરભાવના
સતની પ્રરૂપણા કરવાનો વિકલ્પ તે રાગ છે, ને અસતને ઉત્થાપવાનો વિકલ્પ તે દ્વેષ છે; એ બંને શુભ
લાગણી છે; એનાથી શુદ્ધ ઉપયોગમાં ભંગ પડે છે. સત્ તરફનો રાગ અને અસત્ તરફનો દ્વેષ–તેમાં જો ધર્મ માને
તો તો મિથ્યાત્વ છે. અને સમ્યગ્દર્શન પછી તે રાગ–દ્વેષની વૃત્તિ ઊઠે તેમાં ધર્મી જીવ ધર્મ ન માને, છતાં તે
લાગણીથી શુદ્ધ ચારિત્ર લૂંટાય છે; માટે તે શુભોપયોગના અંશોને પણ છોડવા માટે હું અત્યંત પુરુષાર્થ વડે
જાગૃત રહું છું. જો આચાર્યદેવને સંપૂર્ણ શુદ્ધોપયોગની જાગૃતિ હોય તો ‘હું જાગૃત રહું’ એવી વૃત્તિ પણ કેમ
હોય? ‘હું જાગૃત રહું’ એવી લાગણી પોતે જ અજાગૃતિરૂપ પ્રમાદ છે. આચાર્યદેવને શુભ લાગણી વર્તે છે પણ તે
તોડવાની ભાવના કરે છે. અહો! જે રીતે અરિહંતોએ મોહનો ક્ષય કર્યો તેવી રીતે અમે પણ અત્યારે સંપૂર્ણ શુદ્ધ
ઉપયોગ જાગૃત કરી મોહનો સર્વથા ક્ષય કરીએ અને અરિહંત જેવો શુદ્ધ આત્મઅનુભવ કરીએ! મારા
શુદ્ધસ્વભાવની પૂર્ણ સ્થિરતાને આ શુભ ઉપયોગ લૂંટી જાય છે, માટે તે શુભ ઉપયોગરૂપ મોહને નાશ કરવા માટે
મારે સ્વરૂપમાં અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. અહો, કેવી આચાર્ય ભગવાનની અંતર દશા છે!!
ધર્માત્મા જીવને શુભોપયોગ વખતે સત્ – અસત્નો વિેક કેવો હોય?
ગૃહવાસમાં રહેલા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને જો કે શુભ–અશુભ રાગ થાય ખરો, પણ તે રાગને તોડીને શુદ્ધ
ઉપયોગની જ તેમને ભાવના હોય છે. રાગવાળી ભૂમિકામાં સત્પ્રરૂપણા પ્રત્યે બહુમાન ન આવે તો, અને અસત્
પ્રરૂપણા સાંભળીને ‘આ ખોટું છે’ એમ અંતરમાં તલાક (તિરસ્કાર, ઉત્થાપવાનો ભાવ) ન આવે તો તે જીવને
સમ્યગ્દર્શન ભૂમિકાનો આશ્રય પણ રહેતો નથી. પરંતુ જ્યાંસુધી તે વૃત્તિ આવે ત્યાંસુધી સ્વરૂપ સ્થિરતાની
ભૂમિકા અટકે છે.
સત્ પ્રત્યેનો રાગ તે પણ લૂંટારો છે, તે મોહ ક્ષય કરવામાં કાંઈ મદદગાર નથી, તેનાથી પણ જીવને ખેદ
થાય છે. જો તે લાગણી છોડીને સ્વરૂપમાં ઠરે તો જ મોહનો ક્ષય થાય છે. પણ જ્યારે રાગદ્વેષ સર્વથા છોડીને
સ્વરૂપ સ્થિરતા ન થતી હોય ત્યારે જો સત્નું બહુમાન છોડીને બીજાનું બહુમાન આવે તો તે જીવનું સમ્યકત્વ જ
લૂંટાઈ જાય છે. પોતાને વીતરાગતા થઈ નથી અને રાગદ્વેષરૂપ વિકલ્પો તો ઊઠે છે છતાં જો સત–અસતનો
વિવેક કરીને સત્ના બહુમાનનો અને અસત્ના ઉત્થાપનનો વિકલ્પ ન ઊઠે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અસત્–
પ્રરૂપણા સાંભળીને ‘આ અસત્ છે’ એમ ખ્યાલ આવે છે છતાં જે જીવને અંતરથી તેના ઉત્થાપનની વૃત્તિ નથી
થતી અને અન્યત્ર તો રાગદ્વેષ થાય છે તે જીવને સમ્યગ્દર્શનની ભૂમિકાના રાગનો વિવેક નથી, તેને સમ્યગ્દર્શન
ભૂમિકા જ નથી. સમ્યગ્દ્રષ્ટિને જ્યારે વિકલ્પ હોય ત્યારે તેને સતના બહુમાન તરફ જ વલણ થાય છે. જો વિકલ્પ
તોડીને શુદ્ધોપયોગથી આત્મામાં લીન થઈ જાય તો તો પૂર્ણતા પ્રગટે છે. તેને તો કોઈ પ્રત્યે રાગદ્વેષની વૃત્તિ
હોતી જ નથી, પણ સમ્યગ્દર્શન પછી અસ્થિરદશામાં રાગદ્વેષની વૃત્તિઓ થતી હોય ત્યારે તો સતનું બહુમાન
અને વિવેક હોવો જ જોઈએ.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૭૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
રાગદ્વેષ ટાળવા જાગૃત રહેવું યોગ્ય છે.
શુભ–અશુભ વૃત્તિઓ ઊઠે તે સમ્યક્શ્રદ્ધાને નુકશાન નથી કરતી, પણ સમ્યક્ચારિત્રને લૂંટે છે.
કેવળજ્ઞાનની તૈયારીવાળા છઠ્ઠા–સાતમા–ગુણસ્થાને ઝૂલતા હોય એવા મુનિરાજને પણ શુભાશુભ લાગણીઓ
સંપૂર્ણ શુદ્ધચારિત્ર દશાને અટકાવે છે–કેવળજ્ઞાનને અટકાવે છે. માટે અહીં આચાર્યદેવ કહે છે કે મારે રાગદ્વેષને
ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે.
શું કરવાથી જીવ મુક્ત થાય છે?
“ભાવાર્થ:– ૮૦ મી ગાથામાં દર્શાવેલા ઉપાયથી દર્શનમોહને દૂર કરીને અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જે
જીવ શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ વીતરાગ ચારિત્રના પ્રતિબંધક રાગદ્વેષને છોડે છે, ફરી ફરીને રાગદ્વેષભાવે
પરિણમતો નથી, તે જ અભેદરત્નત્રયપરિણત જીવ શુદ્ધ–બુદ્ધ–એક સ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે–મુક્ત થાય છે.”
રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપ જાણીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી રાગ–દ્વેષ ટાળવાની વાત છે. જેણે
રાગાદિથી જુદું આત્મસ્વરૂપ જાણ્યું જ નથી તે જીવ રાગદ્વેષને ટાળે કઈ રીતે? તેથી પહેલાંં જ ૮૦ મી ગાથામાં
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય બતાવીને પછી રાગ–દ્વેષ ટાળવાની વાત કરી છે. સમ્યગ્દર્શન પછી જો
સ્વરૂપના અનુભવમાં જ જીવ પોતાનો ઉપયોગ લીન કરે છે, તો તેને ફરી ફરી રાગાદિ થતા નથી; તે જીવ
અભેદરત્નત્રયરૂપ પરિણમેલ છે, તેને રાગદ્વેષરૂપ વિકલ્પ તૂટીને સ્વરૂપની એકાગ્રતા થતાં રત્નત્રયનો ભેદ તૂટીને
રત્નત્રયની અભેદતા થઈ એટલે તેને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની સ્વમાં જ એકતા થઈ. એવો તે જીવ શુદ્ધ–બુદ્ધ એક
જ્ઞાનસ્વભાવી આત્માને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે જીવ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે.
જીવે સ્વરૂપમાં અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે
‘તેથી જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પણ, અને સરાગ ચારિત્ર પામીને પણ, રાગદ્વેષના નિવારણ માટે
અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે.’
દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી અરિહંત જેવું મારું સ્વરૂપ છે, રાગ કે અપૂર્ણતા મારું સ્વરૂપ નથી એમ
બરાબર સમજીને પ્રથમ તો સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. અને એ સમ્યગ્દર્શન પૂર્વક દીક્ષા લઈ–શુદ્ધોપયોગ
વડે ત્રણ પ્રકારના કષાયોનો નાશ કરીને–છઠ્ઠું ગુણસ્થાન (સરાગ ચારિત્ર દશા) પ્રગટ કરે તોપણ ત્યાં જે રાગનો
અંશ છે તે આત્માની શુદ્ધતાને રોકે છે તેથી તે રાગના નિવારણ માટે અર્થાત્ પ્રમાદરૂપી ચોરથી શુદ્ધોપયોગનું
રક્ષણ કરવા માટે સ્વરૂપમાં અત્યંત સાવધ રહેવું યોગ્ય છે.
ક્ષાયક સમ્યક્ત્વ અને ક્ષપક શ્રેણી
શ્રીઆચાર્યદેવે પૂર્ણતાની જ ભાવના ભાવી છે. પહેલાંં ૮૦મી ગાથામાં ક્ષાયક સમ્યગ્દર્શનની વાત કરી
અને પછી આ ગાથામાં ક્ષપક શ્રેણીની વાત કરી. અહો, આચાર્યદેવ પોતાની અંતર ભાવનાને બરાબર લડાવે છે.
૮૧મી ગાથા પૂરી થઈ
તીર્થંકરોએ શું કર્યું અને શું કહ્યું?
મોહનો સર્વથા નાશ કરીને સંપૂર્ણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટેનો ઉપાય આચાર્યદેવે બે ગાથામાં વર્ણવ્યો.
હવેની ગાથામાં બધાય તીર્થંકરોને સાક્ષીપણે ઉતારતાં આચાર્યદેવ કહે છે કે જે ઉપાય અહીં વર્ણવ્યો તે જ ઉપાય
બધાય તીર્થંકરોએ પોતે કર્યો અને તેઓએ જગતના ભવ્ય જીવોને એનો જ ઉપદેશ કર્યો. તેઓને નમસ્કાર હો!
હવે, આ જ એક (પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક) ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો
નિઃશ્રેયસનો (મોક્ષનો) પારમાર્થિક પંથ છે–એમ મતિને વ્યવસ્થિત કરે છે:
सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा।
किच्चा तधोवदेसं णिव्वादा तेणमो तेसिं।।
८२।।
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને.
અર્થ:– બધાય અર્હંતભગવંતો તે જ વિધિથી કર્માંશોનો (જ્ઞાનાવરણીયાદિ કર્મ ભેદોનો) ક્ષય કરીને તથા
(અન્યને પણ) એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો.
ઉપર્યુક્ત ૮૨ મી ગાથાનું વિસ્તૃત વ્યાખ્યાન હવે પછી આપવામાં આવશે, સાથે સાથે ૮૦–૮૧–૮૨ એ ત્રણે
ગાથાનો સાર પણ આપવામાં આવશે. આ ગાથાઓમાં બધાય તીર્થંકરોના ઉપદેશનો સાર આવી જાય છે. સર્વે
તીર્થંકરોએ શું કર્યું અને ઉપદેશમાં જગતને શું કહ્યું? તે તેમાં સ્પષ્ટપણે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે.

PDF/HTML Page 12 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૭૯ :
ત્ત ર્ લેખાંક: પ
(અંક ૫૭ થી ચાલુ)
[વીર સં. ૨૪૭૩ ના ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના ‘દસ લક્ષણી પર્વ’ ના દસ દિવસો દરમિયાન શ્રી
પદ્મનંદી–પચીસીમાંથી ઉત્તમક્ષમાદિ દસ ધર્મો ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીએ કરેલા વ્યાખ્યાનોનો સાર.]
[ભદરવ સદ ૧]
૭ ઉત્તમ તપ ધમ
આજે ઉત્તમ તપ ધર્મનો દિવસ છે. ભાદરવા સુદ પાંચમને દિવસે ‘ઉત્તમ ક્ષમાધર્મ’ કહેવાય છે ને
અગિયારસને દિવસે ‘ઉત્તમ તપધર્મ’ કહેવાય છે, પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય
બીજા ધર્મો હોય જ નહિ, ને અગિયારસને દિવસે તપ ધર્મ જ હોય. ખરેખર તો આત્માના વીતરાગભાવમાં
ઉત્તમ ક્ષમાદિ દસે ધર્મો એક સાથે જ છે. એક દિવસે એક ધર્મ અને બીજા દિવસે બીજો ધર્મ–એમ નથી. પરંતુ
એક સાથે દસે ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહિ તેથી ક્રમસર એકેક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધત્તિ છે. પાંચમ–
છઠ્ઠ વગેરે દિવસો તે તો કાળની અવસ્થા છે–જડ છે, તેમાં કાંઈ ઉત્તમ ક્ષમાદિ ધર્મ રહેલો નથી. સમ્યગ્દર્શનપૂર્વક
આત્માના વીતરાગભાવમાં ઉત્તમ ક્ષમાદિ ધર્મો રહેલા છે. જેને આત્માની સાચી ઓળખાણ ન હોય તેને
ઉત્તમક્ષમાદિ એકેય ધર્મ હોતાં નથી. ઉત્તમ ક્ષમાદિ ધર્મો તે સમ્યક્ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિદશામાં આ
ધર્મો હોય છે. શ્રી પદ્મનંદી આચાર્યદેવ ઉત્તમ તપધર્મનું વર્ણન કરે છે–
આર્યા
कर्ममलविलयहेतोर्बोधद्रशा तप्यते तपः प्रोक्तम्।
तद्द्वेधा द्वादशधा जन्माम्बुधियानपात्रमिदम्।।
९८।।
સમ્યગ્દર્શન અને સમ્યગ્દજ્ઞાનપૂર્વકનો ઉત્તમ તપ આ સંસારસમુદ્રથી પાર થવા માટે જહાજ સમાન છે;
સમ્યગ્જ્ઞાનરૂપી દ્રષ્ટિથી વસ્તુસ્વરૂપને જાણીને તેમાં લીન થતાં ઈચ્છાઓ અટકી જાય છે, તે તપ છે; કર્મમલનો
તેનાથી નાશ થાય છે. જે ભાવથી શુભ–કે અશુભ કર્મો બંધાય તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી જ્ઞાન–
દર્શનની શુદ્ધિ પ્રગટે ને કર્મનો ક્ષય થાય તે તપ છે; એ તપ આત્માનું વીતરાગી ચારિત્ર છે. નિશ્ચયથી તો
વીતરાગભાવરૂપ એક જ પ્રકારનો તપ છે. એવા નિશ્ચયતપની ઓળખાણપૂર્વક જ્યાં પૂર્ણ વીતરાગભાવ ન થાય
ત્યાં શુભરાગરૂપ વ્યવહાર તપ હોય છે. તે વ્યવહાર તપના સામાન્યપણે બે પ્રકાર છે. એક બાહ્યતપ ને બીજો
આભ્યંતર તપ. તથા વિશેષપણે ૧–અણશન, ૨–અવમૌદર્ય, ૩ વૃત્તિપરિસંખ્યાન, ૪–રસપરિત્યાગ, પ–વિવિક્ત
શય્યાસન, ૬–કાયકલેશ, ૭–પ્રાયશ્ચિત, ૮–વિનય, ૯–વૈયાવૃત્ય, ૧૦–ન્યુત્સર્ગ, ૧૧–સ્વાધ્યાય અને ૧૨–ધ્યાન એ
બાર ભેદ છે. તેમાં પહેલાંં છ પ્રકારો બાહ્યતપના ભેદો છે અને પછીના છ પ્રકારો આભ્યંતર તપના ભેદો છે. એ
ધ્યાનમાં રાખવું કે આ બધાય પ્રકારના તપ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પછી જ હોય છે. સમ્યગ્દર્શન વગર
કાયકલેશ, અણશન કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. ઉત્તમ
તપ તે સમ્યક્ચારિત્રનો ભેદ છે, સમ્યક્ચારિત્ર સમ્યગ્દર્શન વગર હોતું નથી; પુણ્ય કે પાપરૂપ કોઈ ઈચ્છા
આત્મસ્વભાવમાં નથી. ઈચ્છારહિત નિર્મળ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનાકુળ આનંદના અનુભવમાં
લીન થતાં વીતરાગીભાવથી આત્મા શોભી ઊઠે છે–એનું નામ તપ છે. એવો તપ મુક્તિનું કારણ છે.
શ્રી આચાર્યદેવ તપનો મહિમા બતાવે છે–
પૃથ્વી
कषायविषयोद्भटप्रचुरतस्करौधो हठा– तपःसुभटताडितो विघटते यतो दुर्जयः।
अतोहि निरूपद्रवश्चरति तेन धर्मश्रिया यतिः समुपलक्षितः पथि विमुक्तिपुर्याः सुखम्।।
९९।।
આચાર્યદેવ કહે છે કે–આ વિષયકષાયરૂપી ઉદ્ધત ચોરોનો સમૂહ દુર્જય છે, તોપણ તપરૂપી યોદ્ધા પાસે તેનું
કાંઈ જોર ચાલતું નથી. જો મુનિવરો વીતરાગભાવ વડે સ્વરૂપમાં ઠરે તો વિષય–કષાયરૂપી ચોરો સહજમાં નાશ
થઈ જાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપી રત્નો સાથે રાખીને મોક્ષમાર્ગમાં ચાલનારા મુનિવરોને જો તપરૂપી
રક્ષક સાથે ન હોય તો વિષયકષાયરૂપી ચોર તેની લક્ષ્મીને

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૮૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
લૂંટી લે છે. અલ્પ પણ રાગ રહી જાય તો તેનાથી રત્નત્રયસંપત્તિ લૂંટાય છે, ને મોક્ષ થતો નથી. સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન થયા પછી પણ વિષય–કષાયોને જીતવા દુર્લભ છે, પરંતુ મુનિવરો પરદ્રવ્યોથી પરાઙમુખ થઈને જ્યારે
સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે વિષયકષાયો ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે. માટે મોક્ષમાર્ગમાં ગમન કરી રહેલા
યોગીઓને ભગવાનની ભલામણ છે કે હે મુનિઓ! વિષય–કષાયરૂપી ચોરોથી તમારી રત્નત્રયરૂપી લક્ષ્મીને
બચાવવા માટે સમ્યક્ તપરૂપી યોદ્ધાને સદા સાથે રાખજો. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ધર્મ લક્ષ્મીને સાથે રાખીને
મોક્ષ તરફ ગમન કરતાં સ્વભાવની સ્થિરતાના પુરુષાર્થને સાથે રાખવાથી, વચ્ચે કોઈ વિઘ્ન કરવા સમર્થ નથી.
હવે આચાર્યદેવ તપ માટેની પ્રેરણા કરે છે–
મંદાક્રાન્તા
मिथ्यात्वादेर्यदिह भविता दुःखमुग्रं तपोभ्यो जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात्।
स्तोकं तेन प्रसभमखिलकृच्छ्रलब्धे नरत्वे यद्येतर्हि स्खलसि तदहो का क्षतिजीव ते स्यात्।।
१००।।
કોઈ જીવ ઉત્તમ તપધર્મમાં નિરુત્સાહી થતો હોય અને ખેદથી દુઃખી થતો હોય અને તેથી તપને જ
દુઃખરૂપ માનીને છોડી દેતો હોય, તો તેને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! જેમ સમુદ્રના પાણી પાસે પાણીના
કણીયાની ગણતરી નથી તેમ, સમ્યક્તપના અનાદરથી મિથ્યાત્ત્વને લીધે જે અનંતુ દુઃખ થશે તેની પાસે તપના
અલ્પ દુઃખની ગણતરી કાંઈ નથી. તપ તે ચારિત્રધર્મ છે અને તે તો પરમ આનંદનું કારણ છે, તે દુઃખનું જરાપણ
કારણ નથી, પણ તેની સાથે જે રાગ રહી જાય છે તેનું અલ્પ દુઃખ છે–એમ સમજવું. અહીં તો જેને ચારિત્રદશામાં
અલ્પ ખેદ થાય છે ને નિરૂત્સાહી થઈ જાય છે તેને સમજાવવા કહે છે કે હે જીવ! આ તપમાં તો તને બહુ અલ્પ
દુઃખ છે, અને મિથ્યાત્વ–અવ્રત વગેરેના સેવનથી નરકમાં જઈશ ત્યાં તો અનંતુ દુઃખ છે, ને અનંતી પ્રતિકૂળતા
છે. એની પાસે તો તારા તપમાં જે પ્રતિકૂળતા છે તેની કાંઈ ગણતરી નથી. છતાં તું તપથી કેમ ભયભીત થાય
છે? અહો! સાદિ અનંત પરમાનંદના કારણભૂત એવા ઉત્તમ તપને ધારણ કરવામાં તને શું હાનિ છે? સમ્યક્
તપનું પાલન કરતાં બહારમાં પ્રતિકૂળતા આવે તેનાથી ખેદ ન પામ, સમ્યક્ તપ તને જરાય દુઃખનું કારણ નથી
પણ મોક્ષદશાના પરમ સુખનું કારણ છે.
ઉત્તમ તપ તો વીતરાગભાવ છે અને વીતરાગભાવમાં દુઃખ હોય નહિ. મિથ્યાદ્રષ્ટિ જીવનાં આચરણ
દુઃખરૂપ છે. આમ હોવા છતાં અહીં ધર્માત્મા મુનિના ઉત્તમ તપમાં અલ્પ દુઃખ કેમ કહ્યું? –તેનું કારણ એ છે કે
કોઈક મંદ પુરુષાર્થી જીવને પ્રતિકૂળતા વગેરેમાં લક્ષ જતાં ખેદ થતો હોય અને કઠણ લાગતું હોય, તેથી સહેજ
અણગમો થઈ જતો હોય, તો તે અણગમાને લીધે તેને જરાક દુઃખ લાગે છે. એ અપેક્ષાએ ઉપચારથી તપમાં
અલ્પ દુઃખ કહ્યું છે. ખરેખર તો તપનું દુઃખ નથી પણ ખેદનું દુઃખ છે. ખેદભાવ તે તપ નથી અને તપમાં ખેદ
નથી. અલ્પ કલેશની ગણતરી મુખ્ય કરીને રત્નત્રય સહિત ઉત્તમ તપધર્મમાં ઉત્સાહ ઘટાડવો ઠીક નથી.
ધર્મી જીવ મુનિદશામાં છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતા હોય અને સંથારો કર્યો હોય, છતાં કોઈને
નબળાઈને લીધે જરા કલેશ–અણગમો થઈ આવે અને પાણીની વૃત્તિ ઊઠે. છતાં અંતરમાં ભાન છે કે આ વૃત્તિ
મારું સ્વરૂપ નથી, આ વૃત્તિ થઈ તે ચારિત્રનો ભાગ નથી પણ દોષ છે. વિશેષ સહનશીલતા નથી ને ખેદ થાય
છે તેનો આરોપ કરીને તપમાં અલ્પ દુઃખ કહ્યું છે. અને ચારિત્ર સ્થિર રહેવા માટે કહ્યું કે અત્યારે જરાક દુઃખથી
ડરીને જો ચારિત્રનો જ અનાદર કરી નાખીશ તો મિથ્યાત્વ થશે અને તેના ફળમાં જે અનંત દુઃખ મળશે, તેને તું
કેમ સહન કરી શકીશ? અત્યારે અલ્પદુઃખ સહન કરીશ તો સમ્યક્ તપના ફળમાં અનંત મોક્ષસુખને પામીશ.
જે ખરેખર ચારિત્રને દુઃખનું કારણ માને છે તે તો અજ્ઞાની છે. જે લોકો ઉપવાસને તેમજ ચારિત્રને
દુઃખદાયક માને છે તેને સમ્યગ્દર્શન પણ નથી. શુદ્ધ ચિદાનંદ આત્માનું ભાન કરીને તેના આનંદના અનુભવમાં
લીન થઈ જતાં ઈચ્છા તૂટી જાય તે ઉત્તમ તપ ધર્મ છે. આચાર્યદેવ એવા ઉત્કૃષ્ટ તપ માટેની પ્રેરણા કરે છે.
અહીં ઉત્તમ તપ ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
૮ ઉત્તમ ત્યાગ ધર્મ (ભાદરવા સુદ ૧૨ પહેલી)
દસ ધર્મોમાં આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે, તેનું વર્ણન કરે છે–
(ર્ િક્રિ) व्याख्या या क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा।
स त्यागो वपुरादि निर्ममतया नो किंचनास्ते यते–
ज्ञकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां सम्मतः।।
१०१।।

PDF/HTML Page 14 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૮૧ :
સમ્યક્પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું અને મુનિ વગેરેને પુસ્તક, સ્થાન તથા પીંછી–કમંડલાદિ સંયમના
સાધન આપવા તે ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગધર્મ છે. ‘હું શુદ્ધ આત્મા છું, મારું કાંઈ પણ નથી’ એવા
સમ્યગ્જ્ઞાનપૂર્વક અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને શુદ્ધસ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યાં
મુનિઓને સર્વે પર ભાવોનો ત્યાગ થઈ જાય છે. આત્માના ભાનપૂર્વક શરીરાદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો
ત્યાગ કર્યો તેમાં ઉત્તમ આકિંચન્યધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્યદેવે બે ધર્મોનું વર્ણન કર્યું છે.
આત્માના ભાનપૂર્વક મુનિદશા વર્તતી હોય પણ હજી પૂર્ણ સ્થિરતા ન થતી હોય અને વિકલ્પ ઊઠે ત્યારે
મુનિઓ શ્રુતની–શાસ્ત્રની ભલી રીતે વ્યાખ્યા કરે તેને અહીં ત્યાગધર્મ કહ્યો છે. ત્યાં ખરેખર શાસ્ત્ર વાંચવાની
ક્રિયાને કે રાગને ધર્મ કહ્યો નથી પણ તે વખતે અંતરમાં વીતરાગ સ્વભાવનું ઘોલન થતાં જે રાગનો ત્યાગ થાય
છે, તે જ ઉત્તમ ત્યાગ છે. શ્રુતની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય તે કાંઈ ધર્મ નથી. શ્રુતનું રહસ્ય તો
આત્મસ્વભાવ છે, વીતરાગભાવ એ જ સર્વશ્રુતનું પ્રયોજન છે. વિકલ્પ હોવા છતાં તે વખતે વીતરાગી
જ્ઞાનસ્વભાવના આશ્રયે સમ્યક્શ્રુતની વૃદ્ધિ થાય છે, અને રાગ ટળતો જાય છે. –આ જ ધર્મ છે. જેવું વસ્તુસ્વરૂપ
છે તેવું વ્યાખ્યાન કરતાં– એટલે કે આત્માના સ્વભાવામાં વિપરીતતા ન થાય એવી રીતે સમ્યગ્જ્ઞાનનું ઘોલન
કરતાં મુનિઓને ઉત્તમ ત્યાગધર્મ હોય છે. ગૃહસ્થોને પણ આત્મસ્વભાવના લક્ષે શ્રુતનું ઘોલન–સ્વાધ્યાય કરતાં
શ્રુતજ્ઞાનની નિર્મળતા વધે છે. ને રાગ તૂટતો જાય છે, તેથી તેટલે અંશે તેને પણ ત્યાગધર્મ છે. મિથ્યાદ્રષ્ટિને તો
એકલો અધર્મ જ હોય છે. સમ્યગ્દર્શન થયા પછી જ સાધકજીવને નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ એવા બે પ્રકાર
છે. જેટલો વીતરાગભાવ થયો છે તેટલો ખરેખર ધર્મ છે, ને શુભરાગ રહ્યો તે ખરેખર ધર્મ તો નથી, પણ ધર્મી
જીવને તે રાગનો નિષેધ વર્તે છે તેથી ઉપચારથી તેને ધર્મ કહેવાય છે.
શ્રુતની વ્યાખ્યાના શબ્દો આત્માના નથી, આત્મા તે શબ્દોનો કર્તા નથી; અને શુભરાગ થાય છે તે પણ
આત્માનો સ્વભાવ નથી. આવા ભાનપૂર્વક શુદ્ધસ્વભાવના અનુભવમાં લીન ન રહી શકે ત્યારે ધર્મી જીવોને
શ્રુતનું વ્યાખ્યાન વગેરે શુભરાગ હોય છે, તે વખતે અશુભરાગ નથી થતો એ અપેક્ષાએ વ્યવહારે ત્યાગ છે, અને
જ્ઞાનનું જ્ઞાનમાં જેટલું ઘોલન થાય છે તેટલો પરમાર્થત્યાગ છે. પરમાર્થે તો શ્રુતજ્ઞાન તે આત્મા જ છે, તેથી
આત્મસ્વભાવનું ઘોલન રહે તે જ નિશ્ચયથી શ્રુતની વ્યાખ્યા છે અને એ જ ઉત્તમ ત્યાગ ધર્મ છે. ત્યાગના નવ
પ્રકાર કે ઓગણપચાસ પ્રકાર તો વ્યવહારથી છે. શુભરાગ વખતે કેવા કેવા પ્રકારના નિમિત્તો હોય છે અને રાગ
તોડીને જ્ઞાયકસ્વભાવમાં લીનતા થતાં કેવાકેવા પ્રકારના નિમિત્તો ઉપરથી લક્ષ છૂટી જાય છે તે બતાવવા માટે
બહારના ભેદોથી વર્ણન છે. જે જીવો મૂળભૂત વસ્તુસ્વરૂપ ન સમજે તેઓ ભંગ–ભેદના કથનમાં અટકી પડે છે.
પ્રશ્ન:– આત્મા વચનો તો બોલી શકતો નથી, તો અહીં મુનિઓ શ્રુતની વ્યાખ્યા કરે છે–એવી વાત કેમ કરી?
ઉત્તર:– ઉપદેશમાં કથનો તો નિમિત્ત અપેક્ષાએ હોય, પરંતુ દરેક વસ્તુ સ્વતંત્ર છે એવું ભેદજ્ઞાન રાખીને
તેના અર્થો સમજવા જોઈએ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનસ્વભાવ રાગરહિત છે, જે રાગ છે તે જ્ઞાન નથી. જ્ઞાન
અને રાગ જુદા છે, રાગને કારણે વચનો બોલવાની ક્રિયા થતી નથી. બાહ્ય વચનો તો નિમિત્તમાત્ર છે, અને તે
વચનો તરફનો રાગ પણ ખરેખર ત્યાગધર્મ નથી, પરંતુ તે વખતે સ્વભાવના આશ્રયે જે જ્ઞાનસામર્થ્ય વધતું
જાય છે, તે જ ત્યાગ છે. રાગનો ત્યાગ ત્યાં થઈ જાય છે. યથાર્થ ભેદવિજ્ઞાન વગર ધર્મનું આરાધન થઈ શકે
નહિ અને સાચી ક્ષમાપના થાય નહિ. મિથ્યાત્વ એ જ સૌથી મોટો ક્રોધ છે, સમ્યગ્દર્શનવડે તે મિથ્યાત્વ ટાળ્‌યા
વગર ક્ષમાધર્મ પ્રગટે નહિ.
પોતે અનાદિથી અજ્ઞાનભાવને લીધે પોતાના આત્મસ્વભાવ ઉપર ક્રોધ કર્યો, તે ક્રોધ ટળીને ક્ષમા શી
રીતે થાય? તેની વાત કહેવાય છે. ખમ્મા આત્મ સ્વભાવને? એટલે કે પુણ્ય–પાપરહિત સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
કરીને વીતરાગભાવ પ્રકટ કરું અને રાગના એક અંશથી પણ સ્વભાવને ખંડિત ન કરું. આનું નામ સાચી ક્ષમા
છે. રાગ થાય તેટલો અપરાધ છે. અને રાગને આત્માના સ્વભાવનો માને તે તો આત્મસ્વભાવ ઉપર અનંતો
ક્રોધ કરનાર છે.
ધર્મ–પુસ્તકો વગેરેનું દાન કરવું તેને ગૃહસ્થનો ત્યાગધર્મ કહ્યો છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ ધર્માત્મા જાણે છે કે
બહારમાં પુસ્તક વગેરે દેવા લેવાની ક્રિયા તો આત્માની નથી અને અંતરમાં ‘વીતરાગ શાસન ટકે, સાધક
ધર્માત્માઓ ટકે ને સમ્યક્શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય’ એવી ભાવનારૂપ વિકલ્પ તે પણ રાગ છે. આત્મા તેનો કર્તા
નથી. અંતરમાં પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
ભાનપૂર્વક જ્ઞાનની નિર્મળતા વધે છે અને રાગ ટળે છે તે ત્યાગ છે, અને તે જ ધર્મ છે. પરમાર્થે તો જ્ઞાન
જ્ઞાનમાં ઠર્યું તે જ ત્યાગ છે, આત્માએ રાગને છોડ્યો એ પણ ઉપચારથી છે. પર્યાયમાં રાગ હતો અને છોડ્યો
એ કથન વ્યવહારનયનું છે–પર્યાય અપેક્ષાનું છે. સ્વભાવથી તો આત્માએ રાગ કર્યો પણ નથી ને છોડ્યો પણ
નથી. રાગ આત્માના સ્વભાવમાં હતો નહિ, તો પછી તેનો ત્યાગ કઈ રીતે કહેવો? રાગ તો પર્યાયદ્રષ્ટિ માં હતો,
જયાં પર્યાયદ્રષ્ટિ જ ટળી ગઈ ને સ્વભાવદ્રષ્ટિ થઈ ત્યાં રાગ છે જ નહિ. તેથી રાગનો ત્યાગ કરનાર આત્માને
કહેવો તે ઉપચાર કથન છે. વળી જે સમયે રાગ થાય છે તે સમયે તો તેનો ત્યાગ હોતો નથી, પણ આત્મા જ્યારે
સ્વભાવમાં એકાગ્ર રહે છે ત્યારે રાગની ઉત્પત્તિ જ થતી નથી, એથી ‘રાગનો ત્યાગ કર્યો’ એમ કહેવાય છે.
સ્વભાવની લીનતામાં રહેતાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તેનું નામ જ રાગનો ત્યાગ છે. રાગરહિત જ ત્રિકાળ
સ્વભાવ છે–એવી શ્રદ્ધા થતાં સર્વે રાગનો શ્રદ્ધામાંથી તો ત્યાગ થઈ જ ગયો. રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે
એના અનુભવ વગર પર્યાયમાંથી રાગનો ત્યાગ થઈ શકે નહિ. રાગને પોતાનું સ્વરૂપ માનતો હોય તે જીવ
રાગનો ત્યાગ કરી શકે જ નહિ.
શ્રી સમયસારજી ગાથા ૩૪ માં જ્ઞાનને જ પ્રત્યાખ્યાન કહ્યું છે એટલે કે જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમી ગયું, ને
રાગાદિ રૂપે ન પરિણમ્યું તે જ ત્યાગ છે. આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું તો નામ માત્ર છે. પોતે તો
જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે સ્થિર થયેલું જ્ઞાન તે
જ પ્રત્યાખ્યાન છે. આ નિશ્ચયથી ત્યાગનું સ્વરૂપ છે. એકલા જ્ઞાનસ્વભાવમાં ઠરતાં રાગ થતો જ નથી તેથી તે
જ્ઞાન પોતે જ રાગના ત્યાગસ્વરૂપ છે. આત્માએ રાગને છોડ્યો એમ કહેવું તે પણ વ્યવહાર છે.
અને અહીં પદ્મનંદીમાં તો કહ્યું કે મુનિઓને પીંછી, કમંડળ, શાસ્ત્રાદિ આપવા તે ઉત્તમ ત્યાગ છે,
સમ્યક્શ્રુતની વ્યાખ્યા કરવી તે ઉત્તમ ત્યાગ છે. –આ વ્યાખ્યા વ્યવહારથી છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને
આત્મસ્વભાવમાં સ્થિરતા ન રહે ત્યારે કેવા પ્રકારનો શુભરાગ હોય તે જણાવ્યું અને તે રાગ વખતે જે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વર્તે છે તેનો ઉપચાર શુભરાગને ત્યાગધર્મ કહ્યો છે. ખરેખર તો અંતરમાં જ્ઞાનનું
ઘોલન થતાં વીતરાગભાવની વૃદ્ધિ થાય તે જ ત્યાગ છે. પુસ્તક દેવા–લેવાની કે બોલવાની ક્રિયાનો ખરેખર
આત્મા કર્તા છે એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને તો પરનો અહંકાર છે, તેથી તેને સાચો ત્યાગ હોતો નથી.
જ્ઞાનીઓને સ્વભાવના બહુમાનના જોરે જ્ઞાનની એકાગ્રતામાં વૃદ્ધિ થઈ તેથી, તે વખતે બહારમાં વર્તતી શાસ્ત્રાદિ
લેવા–દેવાની ક્રિયામાં ઉપચાર કરીને તેને ત્યાગધર્મ કહ્યો છે. બહારની ક્રિયા વખતે તેમ જ રાગ વખતે જ્ઞાનીનો
અંતરંગ અભિપ્રાય શું છે તે સમજવું જોઈએ. જો રાગથી ભિન્ન આત્માના જ્ઞાનસ્વભાવનો વિશ્વાસ આવે તો
જ્ઞાનીનું અંતર–હૃદય સમજાય. જે પોતે રાગાદિ સાથે જ્ઞાનસ્વભાવને એકમેક માને છે તેને જ્ઞાનીનું હૃદય યથાર્થ
સમજાય નહિ. જ્ઞાનીનું જ્ઞાન રાગથી અને જડની ક્રિયાથી જુદું છે. લોકોની ભાષામાં તો બહારથી બોલાય કે આ
લીધું ને આ દીધું, પણ ખરેખર જ્ઞાની કોઈ બહારની ક્રિયામાં નથી, રાગમાં પણ નથી, જ્ઞાની તો ચૈતન્ય
સ્વભાવમાં જ છે, આવું ભેદજ્ઞાન પોતાના આત્મામાં કરવું તે જ સમાધાન છે. પોતે ભેદજ્ઞાન કરે તો જ્ઞાની શું
કરે છે તે જાણે. કોઈ એમ કહે કે–આ તો બીજાને નિરૂત્તર કરવાનું સાધન છે. –તો કહે છે કે–ભાઈ, આ નિરૂત્તર
કરવા માટે નથી પણ વસ્તુસ્થિતિ જ એવી છે. ઊલટું તને એમ કહ્યું કે તું પહેલાંં તારા જ્ઞાનને રાગથી જુદું
ઓળખ, એટલે કે તું પોતે જ્ઞાની થા, તો તને ખબર પડે કે જ્ઞાની શું કરે છે? જ્ઞાની જ્ઞાનભાવ જ કરે છે, રાગ
થાય છે તેને સ્વભાવ તરીકે સ્વીકારતા નથી તેથી તેઓ ખરેખર રાગને કરતા નથી પણ છોડે છે. આવું
વસ્તુસ્વરૂપ જાણવું તે જ અનંતકાળના મિથ્યાત્વના ત્યાગનો ઉપાય છે. બાહ્યદ્રષ્ટિ જીવો બહારના ત્યાગને દેખે
છે, પણ આત્મસ્વભાવની સાચી ઓળખાણ કરતાં, અનંતકાળે નહિ થયેલ એવો મિથ્યાત્વનો અપૂર્વ ત્યાગ
ધર્માત્માને હોય છે, તેને તેઓ દેખતા નથી. જ્ઞાની કદી પરની ક્રિયાના કર્તા થતા જ નથી, જ્ઞાની તો પોતાના
જ્ઞાનનું જ કાર્ય કરે છે, જ્ઞાની રાગને ધર્મ માનતા નથી, જ્ઞાનમાં ઠરતાં રાગનો અભાવ થાય છે તેનું નામ
ખરેખર ઉત્તમ ત્યાગધર્મ છે. અહો, જૈનશાસનમાં જ્ઞાન અને રાગની જુદાઈ ચોકખી જ કહી છે, પણ અજ્ઞાની
તેમને જુદા ન દેખે તેથી શું થાય?
આ દસધર્મોના કથન આત્માની ચારિત્રદશા બતાવવા માટે છે–ચારિત્રદશા સમ્યગ્દર્શન વગર હોતી નથી.
જેને સમ્યગ્દર્શન ન હોય તેને ચારિત્રદશા કેવી હોય

PDF/HTML Page 16 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૮૩ :
તે સમજાશે નહિ અને શાસ્ત્રમાં વ્યવહારના કથનોનો આશય તે સમજી શકશે નહિ.
[ભદરવ સદ ૧૨ બજી]
બે બારસ હોવાથી આજે ઉત્તમ ત્યાગ ધર્મના વર્ણનનો બીજો દિવસ છે. આ બધા ધર્મો સંવરધર્મના પેટા
ભેદ છે. મૂળ તો વીતરાગભાવરૂપ એક જ પ્રકારનો સંવર છે, પણ રાગના નિમિત્તે ઉપચારથી દસ ભેદ કહ્યા છે.
જેટલી વીતરાગતા તેટલો જ ધર્મ છે. પણ કેવા પ્રકારના વિકલ્પથી ખસીને વીતરાગભાવમાં એકાગ્ર થાય છે!
અર્થાત્ વીતરાગભાવ પૂર્વે કેવા પ્રકારનો વિકલ્પ હતો તે બતાવવા માટે આ દસ ભેદો છે. ક્ષમા સંબંધી વિકલ્પ
તોડીને વીતરાગ સ્વભાવમાં ઠરે તો તેને ‘ઉત્તમક્ષમાધર્મ’ કહ્યો. એ રીતે અનેક પ્રકારે રાગરહિત આત્માને સમજે
અને રાગનાં અનેક પ્રકારો છે તેને સમજે તો જ્ઞાનની દ્રઢતા થાય. રાગરહિત ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધાપૂર્વક
આરાધના કરતાં વચ્ચે પ્રમાદ થતાં વિકલ્પ ઊઠે છે, તે પ્રમાદને દૂર કરીને સ્વભાવના અવલંબને વિશેષ સ્થિરતા
કરવી તેને અહીં ઉત્તમ ત્યાગધર્મ કહ્યો છે. આવો ત્યાગ મુખ્યપણે સાતમા ગુણસ્થાનથી હોય છે અને ગૌણપણે
તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
મુનિદશામાં સ્વભાવની એકાગ્રતાથી અનંતાનુબંધી વગેરે ત્રણ પ્રકારના કષાયનો અભાવ થઈ ગયો છે,
તેટલો ત્યાગ તો સામાન્યપણે છે જ, તેની અહીં વાત નથી કરતા, પણ મુનિને વિકલ્પ ઊઠતાં છઠું ગુણસ્થાન
આવે ત્યારે વિશેષ પ્રમાદ ન થવા દેવો અને તે વિકલ્પ તોડીને વીતરાગી એકાગ્રતા પ્રગટ કરવી–એવા વિશેષ
ત્યાગ માટે આ વાત છે. જેટલી દશા પ્રગટી છે ત્યાંને ત્યાં પ્રમાદ કરીને ન અટકતાં, સ્વભાવની સ્થિરતાના
જોરપૂર્વક પ્રમાદનો પરિહાર કરીને આગળ વધવા માટેના આ દસ પ્રકારના ઉત્તમ ધર્મોનો ઉપદેશ છે. અહીં
બહારના ત્યાગની વાત જ નથી, મુનિને બાહ્યમાં સર્વ પરિગ્રહનો ત્યાગ હોય છે–એવા બાહ્ય ત્યાગની વાત નથી,
અંતરમાં મુનિને ઘણો વિભાવ ટળી ગયો છે તેટલો ત્યાગધર્મ તો પ્રગટ્યો છે, પણ તેની વાત અહીં નથી. સ્વરૂપ
સ્થિરતારૂપ ચારિત્રદશા પ્રગટી હોવા છતાં મુનિને જે શુભ વિકલ્પ ઊઠે છે તેને ટાળીને, વિશેષ જ્ઞાન ધ્યાનમાં
આગળ વધે–તે ઉત્તમ ત્યાગ ધર્મ છે.
મુનિઓને ચારિત્રદશા વર્તે છે અને બાહ્ય અભ્યંતર ત્યાગ હોય છે–એવી વાત ત્યાગધર્મના વર્ણનમાં ન
કરી. કેમ કે અહીં તો જે મુનિઓને વિકલ્પ ઊઠે છે તેઓની અપેક્ષાએ કથન છે અર્થાત્ મુનિદશામાં જે વિકલ્પ
ઊઠે છે તેનો ત્યાગ કરીને વીતરાગભાવ પ્રગટ કરવાની વાત છે. છતાં અહીં નિમિત્તની અપેક્ષાએ કથન છે. તેથી
કહ્યું છે કે મુનિઓ શ્રુતનું વ્યાખ્યાન કરે તે ઉત્તમ ત્યાગ છે. ખરેખર વાણી જડ છે, શબ્દો જડ છે, અને
વ્યાખ્યાનનો વિકલ્પ તે રાગ છે, એમાં કાંઈ ત્યાગધર્મ નથી. પણ તે વખતે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક સ્વભાવની
ભાવનાના જોરે જે જ્ઞાનની એકાગ્રતા વધે છે ને રાગ તૂટે છે–તે જ ત્યાગધર્મ છે.
શાસ્ત્રનું વ્યાખ્યાન કરવું તેને ઉત્તમ ત્યાગ કહ્યો, તેનો આશય શું? શાસ્ત્રનું પ્રયોજન વીતરાગભાવ છે.
સર્વ શાસ્ત્રોના સારભૂત શુદ્ધાત્માને ઓળખીને વીતરાગભાવ પ્રગટ કરવો તે જ પરમાર્થથી શ્રુતનું વ્યાખ્યાન છે,
ને તે જ ઉત્તમ ત્યાગ છે. માત્ર શાસ્ત્રની વ્યાખ્યા તો અજ્ઞાની પણ કરે; અભવ્ય જીવ અગિઆર અંગ ભણી જાય
ને શાસ્ત્રનું વ્યાખ્યાન કરે, છતાં તેને અંશ માત્ર ત્યાગધર્મ હોતો નથી. એટલે માત્ર શાસ્ત્રની વાત નથી. પણ શુદ્ધ
આત્માની ભાવનાના જોરે નિશ્ચય ચારિત્રદશા વધે છે ને રાગ તૂટે છે તે ધર્મ છે. બહારના નિમિત્તથી અહીં કથન
કર્યું છે.
મુનિવરોને શાસ્ત્ર વગેરે આપવા તેને પણ ત્યાગધર્મ કહ્યો છે. કોઈ મુનિ પોતે કોઈ નવું શાસ્ત્ર વાંચતા
હોય અને બીજા મુનિને તે શાસ્ત્ર જોવાનું મન થાય તો તરત જ તેમને વાંચવા આપી દે છે, પોતે શાસ્ત્ર તરફનો
વિકલ્પ તોડી નાંખીને સ્વભાવમાં ઠરી જાય છે. સ્વભાવના જોરે વિકલ્પનો નકાર છે તેનું નામ ત્યાગ છે. ત્યાં
મુનિને ચારિત્રદશાની વૃદ્ધિ થાય છે.
મુનિઓને શાસ્ત્ર વાંચવાનો આગ્રહ નથી–વિકલ્પની પકકડ નથી, પણ વીતરાગભાવની ભાવના છે. મુનિ
શાસ્ત્ર વાંચતા હોય ને બીજા મુનિને તે શાસ્ત્ર જોઈને પ્રમોદ થાય, તો તરત જ પહેલા મુનિ તેમને તે શાસ્ત્ર
વાંચવા આપે છે. પણ ‘આ નવા શાસ્ત્રમાં શું વિષયો છે તે પહેલાંં હું જોઈ લઉં, પછી તેમને આપું’ –એવો
આગ્રહ થતો નથી. કેમકે શાસ્ત્રનું પ્રયોજન તો વીતરાગભાવ છે. ને પોતે પણ શાસ્ત્ર તરફનો વિકલ્પ તો તોડવા
જ માંગે છે. અંતરમાં સ્વભાવના જોરે વાંચવાની વૃત્તિનો વેગ તોડી નાખે છે તેનું નામ ઉત્તમ ત્યાગધર્મ છે.
શ્રુતની પ્રભાવના થાય એટલે કે ખરેખર તો મારા

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
આત્મામાં સ્વભાવના આશ્રયે રાગ તોડીને જ્ઞાનની વૃદ્ધિ થાય એવા ભાવે શાસ્ત્ર તરફના વિકલ્પને તોડી નાંખે છે
તે મુનિનો ઉત્તમ ત્યાગધર્મ છે. પુસ્તક વાંચવામાં પણ જ્ઞાનની વૃદ્ધિનું અને રાગ ઘટાડવાનું પ્રયોજન હતું, તે જ
પ્રયોજન પુસ્તકની વૃત્તિ તોડીને સિદ્ધ કર્યું. સ્વભાવમાં લીન થતાં, પુસ્તક તરફની વૃત્તિને તોડીને અનંત
કેવળજ્ઞાનને નિકટ કરે છે. સ્વભાવના ભાનપૂર્વક ગૃહસ્થોને પણ પોતાની ભૂમિકા મુજબ ઉત્તમ ત્યાગધર્મ હોય છે.
અહીં ઉત્તમ ત્યાગધર્મનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
પંચાધ્યાયી – ગુજરાતી (ભાગ – ) ૧
ભગવાનશ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રમાળાના ૩૧ મા પુષ્પ તરીકે ઉપરનું શાસ્ત્ર પ્રસિદ્ધ થયું છે. આ
ભાગનું નામ ‘દ્રવ્ય સામાન્ય અધિકાર’ છે. મુમુક્ષુઓએ આ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. લગભગ ૩૪૦
પૃષ્ઠના આ પુસ્તકની કિંમત રૂ
. ૩–૮–૦ છે. પ્રિપ્ત સ્ : શ્ર સ્ધ્ િ:
શ્રાવણ અને ભાદરવા માસના મંગળ દિવસો
શ્રાવણ સુદ ૬: મંગળ: શ્રીનેમિનાથ પ્રભુના જન્મ તથા તપ કલ્યાણક.
શ્રાવણ સુદ ૧૫: ગુરુ: આ દિવસે શ્રી વિષ્ણુકુમારે અકંપનાચાર્યાદિ ૭૦૧ મુનિઓની ઉપસર્ગથી રક્ષા કરી હતી.
શ્રાવણ વદ ૭ ગુરુ: શ્રીશાંતિનાથ ગર્ભકલ્યાણક.
ભાદરવા સુદ પ: મંગળવારથી ભાદરવા સુદ ૧૪ શુક્રવાર સુધી દશ લક્ષણી પર્વ.
ભાદરવા વદ ૧ રવિ: ક્ષમાવણી દિન.
ધાર્મિક દિવસો
મુમુક્ષુઓની સગવડ ખાતર, સોનગઢમાં દર વર્ષે જે રીતે ધાર્મિક દિવસો મનાય છે તે રીતે આ વર્ષે
શ્રાવણ વદ ૧૩ (તા. ૩૧–૮–૪૮) મંગળવારથી ભાદરવા સુદ પ (તા. ૭–૯–૪૮) મંગળવાર સુધી ધાર્મિક
દિવસો ગણવામાં આવશે. પરમાગમ શ્રી પ્રવચનસારજી શાસ્ત્રનું ગુજરાતી પ્રકાશન પણ એ દિવસો દરમિયાન
થશે.
શ્ર િિ િિ િર્ ીં . િ
પાંચ વાગે થશે.
(અનુસંધાન ટાઈટલ પાન ૨ થી ચાલુ)
તે ફૂલાય છે અને પવન કાઢી નાંખતાં તે સંકોચ પામે છે, પણ તેથી તેનું રબ્બર કાંઈ વધતું ઘટતું નથી. તેમ
આત્માનો આકાર મોટો હોય કે નાનો હોય પણ તેના પ્રદેશોમાં વધ–ઘટ થતી નથી.
૯. દરેક વસ્તુ જગ્યા રોકે છે. કોઈ થોડીક જગ્યા રોકે ને કોઈક ઝાઝી જગ્યા રોકે; પણ જગ્યા ન રોકે એવી
કોઈ વસ્તુ હોતી નથી. વસ્તુ જેટલી જગ્યા રોકે તેટલો તેનો આકાર હોય છે. પરમાણુ સૌથી ઓછી જગ્યા
રોકે છે; પરમાણુ સૌથી નાની ચીજ છે. જેટલી જગ્યાને એક પરમાણુ રોકે તેટલી જગ્યાને ‘એક પ્રદેશ’
કહેવાય છે. પરમાણુને એક જ પ્રદેશ છે તેથી તેનો આકાર નાનો–મોટો થતો નથી. સંસારદશામાં જીવનો
આકાર નાનો–મોટો થાય છે. સિદ્ધદશામાં જીવનો આકાર સદા એક સરખો રહે છે.
૧૦. જીવને નાના કે મોટા આકારની સાથે ધર્મનો સંબંધ નથી. દેડકા જેવો નાનો આકાર હોય છતાં જો
આત્માની સમજણ કરે તો ધર્મ પામી શકે છે. અને હાથી જેવો મોટો આકાર હોય છતાં જો આત્માની
સમજણ ન કરે તો ધર્મ પામતો નથી. માટે નાના–મોટા આકાર ઉપર ન જોતાં આત્માના જ્ઞાનસ્વભાવને
સમજવો.
૧૧. પુદ્ગલ વસ્તુમાં પણ પ્રદેશત્વ ગુણ છે, તેથી પુદ્ગલને પણ આકાર હોય છે. ડુંગર, મકાન, ઘડો વગેરેના
આકારને જીવ કરતો નથી પણ તે અજીવ વસ્તુમાં રહેલા પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે. ઘડાનો
આકાર કુંભાર બનાવતો નથી પણ માટીના પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે. મકાનનો આકાર કડિયો
કરતો નથી પણ પત્થરના પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે–એમ સમજવું.
આ પ્રમાણે છ સામાન્ય ગુણોનું વર્ણન પૂરું થયું. બાળકો! એ છ સામાન્ય ગુણોનું સ્વરૂપ
આત્મધર્મમાંથી વાંચીને બરાબર સમજી લેજો. એ છ ગુણોની સમજણ તમને ઘણી ઉપયોગી થશે.