PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
मुहुर्मुह गृणनाति वीतरागं स गुरुपदं भासति सदा।।
દૂર કરીને એક જીવનું નિજસ્વરૂપ વીતરાગ છે તેનું જ વારંવાર કથન કરે છે. વીતરાગ
પોતે પણ અંતરંગમાં પોતાને વીતરાગ સ્વરૂપે અભ્યાસે છે–અનુભવે છે, અને બાહ્યમાં
પણ જ્યારે બોલે છે ત્યારે ‘આત્માનું વીતરાગ સ્વરૂપ છે’ એ જ બોલ બોલે છે. એવા
વીતરાગનો (–વીતરાગી ગુરુનો અથવા વીતરાગ સ્વરૂપી આત્માનો) ઉપદેશ
સાંભળતાં આસન્નભવ્ય જીવને ચોક્કસપણે પોતાના વીતરાગ સ્વરૂપની ઓળખાણ થાય
છે, તેમાં જરા ય સંદેહ નથી. જેમના વચન વિષે વીતરાગતાનું જ કથન છે એવા જૈની
સાધુને આસન્નભવ્ય જીવો ગુરુ કહે છે; કેમ કે તેમના સિવાય બીજા કોઈ પુરુષ એવા
વીતરાગી તત્ત્વનો ઉપદેશ કરતા નથી, તેથી એ પુરુષને જ (–વીતરાગ સ્વરૂપનો
અનુભવ તથા ઉપદેશ કરનારને જ) ગુરુની પદવી શોભે છે, બીજાને શોભતી નથી.–
આમ નિઃસંદેહપણે જાણવું.
PDF/HTML Page 3 of 17
single page version
શંકાનું સમાધાન તમે શું આપશો?
જે આત્મા છે તેને કેમ માનતો નથી? આ ઘડો, વસ્ત્ર
વગેરેને જે જાણે છે તે જ આત્મા છે, એમ તું નક્કી કર.
છે, કોઈ કુરૂપ છે, કોઈ સુરૂપ છે. આવી બધી જે
વિચિત્રતા વર્તે છે તેનો વિચાર કરતાં જણાય છે કે આ
બધાં અનુકૂળ–પ્રતિકૂળ ફળ મળે છે તેનું કારણ તે
જીવોએ પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ છે. આથી સિદ્ધ
થાય છે કે જીવ જે કંઈ પુણ્ય કે પાપના ભાવો કરે છે તે
પ્રાપ્તિ થાય છે.
માટે ગુરુએ જે શ્લોક કહ્યો હોય તે લખો.
મતાર્થી જીવ ગુરુ માને છે અથવા તો પોતાના વડીલો
ગુણદોષની પરીક્ષા વગર જ ગુરુ માને છે અથવા તો
પોતાના ધર્મની માનેલી ક્રિયા અને વેશ ધારણ કર્યા
હોય તેને જ ગુરુ માને છે. આ પ્રમાણે કાંઈ સત્ય–
અસત્યની પરીક્ષા વિના જ મતાર્થી જીવ, અજ્ઞાની કે
બાહ્ય ત્યાગીઓને ગુરુ માનીને પોતાના મિથ્યાત્વની
પુષ્ટિ કરતો થકો અનંત સંસાર સાગરમાં ડૂબી મરે છે.
શરીરવાળાને થોડી બુદ્ધિ હોય; પરંતુ જગતમાં આવું
કાંઈ નિયમપૂર્વક જોવામાં આવતું નથી. તેથી સિદ્ધ થાય
છે કે દેહ અને આત્મા ત્રિકાળ જુદા છે.
અગુરુલઘુત્વગુણની વ્યાખ્યા લખો.
‘આકાશ’ શબ્દ સાંભળ્યા પછી જેનો વિસ્તાર અનંત અનંત
છે અને જેમાં જીવાદિ દ્રવ્યો રહે છે તેવા આકાશનું જ્ઞાન થવું.
અધર્માસ્તિકાય કહે છે. જેમકે–પથિકને વૃક્ષની છાયા.
અન્યોન્યાભાવ કહે છે.
ગુણ બીજા ગુણરૂપ ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક
તેને સામાન્ય અગુરુલઘુત્વગુણ કહે છે.
હોય અને તે ક્યા ક્યા તે લખો.
વધારેમાં વધારે ચાર શરીર હોય છે. તે આ પ્રમાણે:
ઔદારિક આહારક, તૈજસ અને કાર્માણ.
PDF/HTML Page 4 of 17
single page version
ભરેલો છે. ગુજરાતી ભાષામાં અક્ષરશ: અનુવાદ સહિત આ પરમાગમશાસ્ત્ર પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે.
તેમાં મંગળાચરણરૂપે મારી સન્મુખ સર્વે તીર્થંકર ભગવંતોની હાર બેસાડીને એકેકના ચરણે નમસ્કાર કરું છે.
લીન થઈ જતા હોય!
પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. અહો, તે અર્હંત ભગવંતોને નમસ્કાર હો.
છે. જેનાથી સીધી શીવપ્રાપ્તિ થાય એવા શુદ્ધોપયોગ માટે આચાર્યદેવની ઝંખના છે તે આ શાસ્ત્રમાં જણાઈ
આવે છે. વર્તમાન વર્તતી સરાગ ચારિત્ર–દશાનો નિષેધ કરીને–તેને દૂરથી જ ઓળંગી જવાની પ્રતિજ્ઞા કરીને,
જ્ઞાયક ભાવમાં ડૂબકી મારીને સદાય તેમાં જ સમાઈ રહીને આત્મા સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય એવી
અંતર ભાવનાને ઘૂંટી છે.
આ ટીકા કરવામાં આવે છે. પરમાનંદના પિપાસુ જીવો આ કાળે છે ને તેઓ પરમાનંદને પ્રાપ્ત કરવાના છે.
વર્તમાનમાં વર્તે છે, પરંતુ હજી સરાગચારિત્રદશા પણ વર્તે છે, સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમન થતું નથી તેથી
સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવને પ્રાપ્ત કરવાની ઝંખના છે; તે માટે શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરતાં કહે છે કે હે
નાથ! પંચ પરમેષ્ઠી ભગવંતો! આપને નિર્મળદશા પ્રગટ થઈ છે તે માટે હું આપને નમસ્કાર કરું છું. બધાય
ભગવંતોને પ્રત્યક્ષરૂપ કરીને સર્વેને એક સાથે નમસ્કાર કરું છું તેમજ દરેકને પ્રત્યેક પ્રત્યેકને નમસ્કાર કરું છું.
અને એ રીતે નમસ્કાર કરીને હું વીતરાગી ચારિત્રને અંગીકાર કરું છું–આત્માના શુદ્ધોપયોગમાં લીન થાઉં છું.
બંધનું કારણ છે ને વીતરાગચારિત્ર મોક્ષનું કારણ છે. વીતરાગચારિત્ર તે શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગ વખતે
શુભ–અશુભ ઉપયોગ હોતા નથી. આત્મા તે તે સમયના પોતાના ઉપયોગ–પરિણમનથી ટકે છે. જે વખતે જે
પરિણામ થાય છે તે વખતે તે પરિણામ રૂપે આત્મા થાય છે. પરિણામ રૂપે ત્રિકાળી વસ્તુ પરિણમે છે. પરિણામ
સાથે જ પરિણામી અભેદ છે, પરિણામની એકતા પરિણામી દ્રવ્ય સાથે છે, કોઈ બીજા સાથે તેને સંબંધ નથી.
આમ જાણીને પોતાના ત્રિકાળી પરિણામીસ્વભાવનો આશ્રય કરીને જીવ પરિણમે તો સ્વભાવના આશ્રયે
પરિણમતાં પરિણમતાં તે પરમાત્મા થાય છે.
PDF/HTML Page 5 of 17
single page version
પરિણામ પારિણામિકભાવે જ થાય છે. સ્વભાવનો આશ્રય કરીને પરિણમનાર સાધક આત્મા પ્રતિ સમય વધતા
વધતા નિર્મળ પરિણામે ઊપજે છે એટલે કે સ્વભાવના આશ્રયે જેમ જેમ પર્યાય પરિણમે છે તેમ તેમ પવિત્રતા
વધતી જાય છે.
પરિણામસ્વભાવી છે તેથી સમયે સમયે જુના પરિણામનો નાશ કરીને નવા પરિણામરૂપે પોતે ઊપજે છે. જો
નાનામાં નાનાકાળમાં વસ્તુ એક પરિણામ છોડીને બીજા પરિણામરૂપે ન પરિણમતી હોય તો કદી સંસારદશા
ટળીને મોક્ષદશારૂપે આત્મા પરિણમી શકે નહિ. આચાર્યભગવાન કહે છે કે આખી વસ્તુ પોતે જ પરિણામરૂપે
ઊપજે છે. જે જીવ પોતાનું કલ્યાણ કરવા માગે છે તે લાંબા કાળે કલ્યાણ થાય એવું નથી ઈચ્છતો, પણ નાનામાં
નાના કાળે તે પોતાનું કલ્યાણ કરવા માગે છે. નાનામાં નાના કાળમાં દરેક વસ્તુ પોતાની એક હાલત છોડીને
બીજી હાલતરૂપે ઊપજે છે; તેથી એક જ સમયમાં જીવ પોતાનું અકલ્યાણ ટાળીને કલ્યાણ કરી શકે છે. મોક્ષદશા
પ્રગટ કરવા માટે અનંતકાળસુધી પુરુષાર્થ કરવો પડતો નથી, પણ સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં
અલ્પકાળમાં જ મોક્ષદશા પ્રગટે છે. સ્વભાવનો આશ્રય કરવા છતાંય જો અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડતું
હોય તો સ્વભાવનો કાંઈ મહિમા રહેતો નથી. અને મોક્ષ માટે જો અનંતકાળ સુધી સાધન કરવું પડતું હોય તો
એવા મોક્ષની કિંમત રહેતી નથી, અને એવા મોક્ષને કોઈ સાધી શકે નહિ. અહો! એકેક સમયમાં આખો આત્મા
જ નવો ઊપજે છે, એમ કહીને એકેક સમયના પરિણામમાં ત્રિકાળી વસ્તુ અભેદ બતાવે છે. જો ત્રિકાળી વસ્તુનો
આશ્રય કરીને જીવ ઊપજે તો અલ્પકાળે તે મોક્ષરૂપે પરિણમી જાય.
રહેતી નથી. શુદ્ધોપયોગરૂપ પરિણામે એક સમયમાં આત્મા પરિણમી જાય છે; શુદ્ધોપયોગરૂપે પરિણમેલો આત્મા
જ શુદ્ધોપયોગ છે. અહીં આચાર્ય ભગવાન પર્યાય અને વસ્તુને અભેદરૂપે સમજાવે છે કે ધર્મરૂપે આત્મા જ
ઊપજે છે અર્થાત્ આત્મા પોતે જ ધર્મ છે. ધર્મ પરિણામ અને આત્મા જુદા નથી.
સ્વદ્રવ્યનો આશ્રય કરીને જો શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે તો કેવળજ્ઞાન થાય છે. દરેક સમયમાં વસ્તુ પોતાના પૂર્વ
પરિણામથી અભાવરૂપ થાય છે, નવા પરિણામરૂપે ઊપજે છે અને દ્રવ્યપણે દરેક પરિણામમાં ધુ્રવ રહે છે. આમ
પરિણામને અને પરિણામી વસ્તુને ઓળખીને, જો સ્વભાવના આશ્રયે પરિણમે તો સંસારનો અંત આવી જાય
છે, સિદ્ધદશા ઊપજે છે અને આત્મદ્રવ્ય ધુ્રવ રહે છે.
સમયમાં સ્વભાવ–આશ્રિત જીવ પોતે તે દશારૂપે ઊપજ્યો છે. જો એકેક સમયમાં જૂના પર્યાંયરૂપે વ્યય થઈને
નવા પરિણામરૂપે વસ્તુ ન ઊપજતી હોય તો કદી મિથ્યાત્વ ટળીને સમ્યકત્ત્વ થઈ શકે નહિ, રાગ ટળીને
વીતરાગી–ચારિત્રદશા ઉપજી શકે નહિ–ટકી શકે નહિ ને વધી શકે નહિ. તેમ જ સંસારદશા બદલીને મોક્ષદશા
પણ થાય નહિ. એ રીતે, જો વસ્તુ પરિણમતી ન હોય તો જીવમાં મિથ્યાત્વ, રાગ ને સંસાર જ સદા એમ ને એમ
રહ્યા કરે. તથા પુદ્ગલમાં પણ કર્મરૂપ અવસ્થા જ સદા એમ ને એમ રહ્યા કરે. અર્થાત્ વિકારના નિમિત્તરૂપ કર્મો
સદા એમ ને એમ રહ્યા કરે એટલે ઉપાદાનમાં વિકાર પણ સદા એવો ને એવો જ રહ્યા કરે, ને જીવને કદી
અવિકારી ધર્મ થાય નહિ. આથી એમ સમજવું કે, જેઓ વસ્તુનું પરિણમન જ નથી માનતા– અગર તો પરના
કારણે વસ્તુના પરિણામ માને છે–તેઓ કદી પોતાના વિકાર પરિણામને બદલાવીને અવિકારી ધર્મદશા પ્રગટ કરી
શકતા નથી, તેમના પરિણામમાં સદા અધર્મ અને સંસાર રહે છે.
PDF/HTML Page 6 of 17
single page version
પરિણમન માને નહિ પરંતુ તે પોતે પણ સમયે સમયે પરિણમ્યા વગર તો રહેતો જ નથી. વસ્તુના પરિણમનને જે
નથી માનતો તેને અધર્મ દશા પલટાવીને ધર્મરૂપે પરિણમવાની રુચિ નથી. ત્રિકાળી વસ્તુનું પરિણમન સ્વીકારીને
જો વસ્તુઆશ્રિત પરિણમે તો એક જ સમયમાં અધર્મ ટાળીને વસ્તુ પોતે ધર્મરૂપે પરિણમી જાય છ. ધર્મ તે
પરિણામ છે–અવસ્થા છે, એક સમયની દશા છે. આત્મામાં ધર્મ અનાદિથી નથી પણ નવો થાય છે.
નાના કાળમાં) અધર્મ–અકલ્યાણદશામાંથી ગૂલાંટ મારીને ધર્મ–કલ્યાણ રૂપે પરિણમી જાય એવો તેનો સ્વભાવ
છે. જે જીવ નાનામાં નાના કાળમાં વસ્તુનું પરિણમન માને–એટલે કે–આત્મા પોતાના સ્વભાવના આશ્રયે એક
સમયમાં વિકાર ટાળીને પૂર્ણ અવસ્થારૂપે પરિણમી જાય–એવો સ્વભાવ છે, તેને જે સ્વીકારે તે જીવ સ્વભાવ–
આશ્રિત પરિણમીને કેવળજ્ઞાનમય થઈ જાય. જો આત્મા દરેક સમયે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે ન
પરિણમી જતો હોય તો આત્મામાં ધર્મ જ ન થઈ શકે. આથી એમ સમજવું કે આત્મામાં જે પરિણમન ન માને
તેને ધર્મ થાય નહિ.
પરની મદદ વગર સ્વયં પરિણમે છે. આમ સમજીને, પરનો આશ્રય છોડીને સ્વસન્મુખ થઈને વસ્તુસ્વભાવને
સ્વીકારે તો પોતાના સ્વભાવના આશ્રયે પરિણમીને શુદ્ધોપયોગથી સ્વરૂપમાં રમણતા કરે અને વીતરાગચારિત્ર
પ્રગટ કરી કેવળજ્ઞાન પામે.
પરિણમન છે તે પલટીને એવું પરિણમન થશે કે પૂર્ણતારૂપે જ વસ્તુ પરિણમશે, અને એવું પૂરું પરિણમન સદાય
થયા કરશે. આત્મા કેવળજ્ઞાનરૂપે પરિણમી ગયા પછી તેને તે જ કેવળજ્ઞાનપરિણામ સદા રહેતો નથી, પણ
સમયે સમયે નવા નવા કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા ઊપજે છે. પહેલા સમયનો જે કેવળજ્ઞાનપરિણામ છે તે
પોતે જ બીજા સમયે હોતો નથી; પહેલા સમયનો કેવળજ્ઞાનપરિણામ બીજા સમયે નાશ પામે છે અને નવા
કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા પરિણમે છે. એ રીતે શુદ્ધોપયોગના ફળરૂપે સાદિ અનંતકાળ આત્મા કેવળજ્ઞાનરૂપે
જ પરિણમ્યા કરે છે.
થાય છે, ને વળી પાછો શુભોપયોગ થતાં છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિ વિકલ્પ ઊઠે છે, તેનો આચાર્યદેવ નિષેધ
કરે છે કે આ ન જોઈએ, આ સરાગચારિત્ર અનિષ્ટફળવાળું છે. વીતરાગચારિત્રનું ફળ મોક્ષ છે તે જ ઈષ્ટ છે.
વર્તમાન સરાગચારિત્ર છે તેનો અને રાગના ફળમાં સ્વર્ગમાં જવાના છે તેનો આચાર્યદેવ વર્તમાનમાં નિષેધ કરે છે;
છતાં પંચમકાળ હોવાથી અને સરાગચારિત્ર હોવાથી સ્વર્ગમાં જશે, પણ તેનો આદર નથી, સરાગચારિત્રનો પણ
આદર નથી; વીતરાગચારિત્રની જ ભાવના છે. એક જ સ્વભાવનું આરાધન છે, મહાવ્રતનું આરાધન પણ નથી;
મહાવ્રતને અંગીકાર કરવાની પ્રતિજ્ઞા નથી કરી પણ તેને ઓળંગી જઈને વીતરાગચારિત્રરૂપ સામ્યભાવને અંગીકાર
કરવાની પ્રતિજ્ઞા કરી છે. એ રીતે એકલા શુદ્ધસ્વભાવનું જ આરાધન કરીને અલ્પકાળે ચારિત્ર પૂરું કરીને મુક્ત થશે
એવા આચાર્યભગવંતોની વાણી આ પ્રવચનસાર–શાસ્ત્રમાં છે.
PDF/HTML Page 7 of 17
single page version
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृति भ्रान्ति संसारचक्रम्।
ता नित्यं यन्मुमुक्षुर्यतिरमलमतिः शान्तमोहः प्रपश्ये–
ज्जामीः पुत्रीः सवित्रीरिवहरिणद्रशस्तत्परं ब्रह्मचर्यम्।।१०४।।
PDF/HTML Page 8 of 17
single page version
સ્વભાવદ્રષ્ટિથી સ્વભાવનો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ. સ્વભાવદ્રષ્ટિ છોડીને મિથ્યાત્વથી સ્ત્રી આદિમાં સુખ
માન્યું ત્યારે સ્ત્રીને સંસારનું કારણ કહેવાયું. સ્ત્રી આદિ નિમિત્તના આશ્રયે રાગ કરીને એમ માને કે ‘આમાં શું
વાંધો છે?’ અથવા તો ‘આમાં સુખ છે’–એમ માનનાર જીવ સ્વભાવનો આશ્રય ચૂકીને સંસાર–માં રખડે છે.
આત્માનો શુદ્ધ ઉપાદાન સ્વભાવ તો પરમ આનંદનું કારણ છે; પણ તેને ભૂલીને નિમિત્તનો આશ્રય કર્યો તેથી તે
નિમિત્તને જ સંસારનું કારણ કહ્યું છે. એ ક્ષણિક સંસારભાવ જીવના સ્વભાવના આધારે થતા નથી–પણ
નિમિત્ત–ના આધારે થાય છે એમ બતાવવા માટે સ્ત્રીને સંસારનો આધાર કહ્યો છે. જેમ નાની ખીલીના આધારે
ચાક ઘૂમે છે તેમ પોતાની પરિણતિમાં ઊંડે ઊંડે પરાશ્રયમાં સુખ માને છે, તે માન્યતારૂપી ધરી ઉપર જીવ અનંત
પ્રકારના સંસારમાં ભમે છે, જીવના સંસારચક્રની ધરી મિથ્યાત્વ છે.
નિમિત્તનો–પુણ્ય–નો–વ્યવહારનો આશ્રય માન્યો તે જ મૈથુન છે; પુણ્ય–પાપ ભાવોની રુચિ તે જ મહાન ભોગ
છે. તેને બહારમાં સંયોગ કદાચ ન દેખાય પણ અંતરમાં તો ક્ષણે ક્ષણે વિકારનો જ ભગવટો કરે છે.
શાસ્ત્રોમાં તેની વાત મુખ્યપણે હોતી નથી, પણ ગૌણપણે તેની ભૂમિકા મુજબ સમજવું. સ્ત્રીને માટે પુરુષના
સંગની રુચિ તે સંસારનું કારણ છે.
વાડ તોડવામાં શું વાંધો છે? સ્ત્રી આદિના પરિચયમાં શું વાંધો છે’–આવા કુતર્કથી જો રુચિપૂર્વક બ્રહ્મચર્યની વાડ
તોડે તો તે જીવ જિન–આજ્ઞાનો ભંગ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. ‘પરદ્રવ્ય નુકશાન કરતું નથી માટે બ્રહ્મચર્યની
વાડનો ભંગ કરવામાં બાધ શું છે?’ એટલે કે સ્વદ્રવ્યનું અવલંબન છોડીને પરદ્રવ્યને અનુસરવામાં બાધ શું
છે?–આવી બુદ્ધિવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ છે. હે સ્વચ્છંદી! પરદ્રવ્ય નુકશાન કરતું નથી–એ વાત તો એમ જ છે
પરંતુ એ જાણવાનું પ્રયોજન તો પરદ્રવ્યથી પરાઙમુખ થઈને સ્વભાવમાં વળવાનું હતું કે પરદ્રવ્યોને સ્વચ્છંદપણે
અનુસરવાનું હતું? જેમ પરદ્રવ્ય નુકશાન કરતું નથી તેમ પરદ્રવ્યથી તને લાભ પણ થતો નથી–આમ
સમજનારને પરના સંગની ભાવના જ કેમ હોય? પરથી નુકશાન નથી માટે પરનો સંગ કરવામાં બાધ નથી–
આવી જેની ભાવના છે તે સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે, તે તત્ત્વને સમજ્યો નથી. જે તત્ત્વજ્ઞાન વીતરાગતાને પોષે છે
તે તત્ત્વજ્ઞાનની ઓથે સ્વચ્છંદી જીવ પોતાના રાગને પોષે છે, તેને કદી તત્ત્વજ્ઞાન સાચું પરિણમતું નથી. ‘અહો!
મારા આત્માને પરથી કાંઈ લાભ કે નુકશાન નથી’ એમ સમજતાં તો પરની ભાવના છૂટીને સ્વભાવની ભાવના
થાય. તેને બદલે, જેને સ્વભાવની ભાવના ન થઈ ને પરના સંગની રુચિ થઈ–તે મિથ્યાદ્રષ્ટિ છે, વીતરાગ
માર્ગથી ભ્રષ્ટ છે, તેણે વિકારને વિઘ્નકારક માન્યો નથી. પહેલાંં તો સ્ત્રી આદિના સંગથી પાપ માનીને તેનાથી
ભયભીત રહેતો, અને હવે તો પરથી નુકશાન નથી એમ માનીને ઊલટો નિઃશંકપણે રાગના પ્રસંગમાં જોડાઈને
સ્વચ્છંદને પોષે છે, તેવા જીવને વિકાર અને સ્વભાવનું ભેદજ્ઞાન કરવાનો મહિમા નથી. તેનામાં સત્ સમજવાની
કે સાંભળવાની પણ પાત્રતા નથી.
ભાવ આવે–એમ બને નહિ. કોઈ જીવ બ્રહ્મચર્યની વાડ તોડીને સ્ત્રીનો સંગ–પરિચય કરે, તેની સાથે એકાંતવાસ
PDF/HTML Page 9 of 17
single page version
ભાઈ! તને સ્ત્રીનો પરિચય કરવાની હોંશ થઈ ત્યાં જ તારી પરીક્ષા થઈ ગઈ છે કે તને બ્રહ્મચર્યનો ખરો રંગ
નથી. તારે પરીક્ષા કરવી હોય તો સ્વભાવના આશ્રયે કેટલો વીતરાગભાવ ટકે છે તે ઉપરથી પરીક્ષા કર.
થયો એમ બતાવવા તે વીતરાગભાવને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહ્યો છે. મુનિરાજને જ્યારે શુદ્ધોપયોગમાં રમણતા ન
રહે અને વિકલ્પ ઊઠે ત્યારે બ્રહ્મચર્ય વગેરે પંચમહાવ્રત પાળે છે; તે વખતે કદાચ સ્ત્રી તરફ લક્ષ જાય તો કોઈ
અશુભવૃત્તિ ન થતાં તે પ્રત્યે માતા, બહેન કે પુત્રી તરીકેનો વિકલ્પ થાય અને તે શુભવિકલ્પનો પણ નિષેધ
વર્તતો હોય છે. તેથી ત્યાં પણ ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે. સ્ત્રી આદિ પરલક્ષે જે શુભવિકલ્પ ઊઠ્યો છે તે તો રાગ છે,
તે પરમાર્થે બ્રહ્મચર્ય નથી, પણ ત્રિકાળી શુદ્ધસ્વભાવની રુચિના જોરે તે સ્ત્રીઆદિ તરફના વિકલ્પની રુચિ
પ્રગટાવવો તે પરમાર્થે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે, તે કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ છે.
રાણીઓ હતી છતાં તેમાં સુખની માન્યતા સ્વપ્નેય ન હતી; તેમજ તેમાં જે રાગ હતો તેને પણ પોતાનું સ્વરૂપ માનતા
નહિ. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તે રાગ છેદીને ત્યાગી થઈ તે જ ભવે કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા.
દ્રવ્યની સાથે સંબંધની વૃત્તિ છે તેને ખરેખર બધાય પદાર્થોમાં એકત્વબુદ્ધિ રહેલી છે, તેને ભેદજ્ઞાન નથી, અને
ભેદજ્ઞાન વગર બ્રહ્મચર્યધર્મ હોતો નથી. માટે, આચાર્યદેવ કહે છે કે, સ્વપરનું ભેદજ્ઞાન કરીને,–સ્ત્રી આદિમાં સુખ
કિંચિત્ નથી એમ સમજીને બ્રહ્મચારી–સંતો–મુમુક્ષુઓએ સ્ત્રી આદિ સામું જોવું નહિ. તેનો પરિચય–સંગ કરવો
નહિ. સર્વ પર દ્રવ્યો તરફની વૃત્તિ તોડીને સ્વભાવમાં સ્થિરતાનો અભ્યાસ કરવો:
हृदिविरचितरागाः कामिनीनां वसन्ति।
कथमपि न पुनस्ता जातु येषां तदंघ्री
प्रतिदिनमतिनमास्तेऽपि नित्यं स्तुवन्ति।।१०५।।
પવિત્રતાજ શ્રેષ્ઠ છે. તેથી જીવોએ પુણ્યની અને તેના ફળની–સ્ત્રી આદિની–રુચિમાં ન રોકતાં આત્માના
વીતરાગી સ્વભાવની રુચિ અને મહિમા કરવો.
નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ થયા છે તે પુરુષો જ આ
ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે. સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો
ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
PDF/HTML Page 10 of 17
single page version
પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને
પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ
સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષરૂપી સ્ત્રીને સાધે છે. પુણ્યવંતને તો જેટલો કાળ
મોક્ષરૂપી સ્ત્રીની સદાકાળ પ્રાપ્તિ રહે છે અને ઇંદ્ર વગેરે સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ
ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાંં જ, આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી–એમ
સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન કરવું તે ધર્મ છે. –અહીં ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञानद्रष्टेः।
योग्या स्यादारुरुक्षोः शिवपदसदनं गन्तुमिष्येतु केषाम्
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु द्रष्टिः।।१०६।।
અને મજબૂત કાષ્ઠ લાગેલાં છે, તથા દશ ધર્મરૂપી દશ મોટા મજબૂત પગથિયાં છે. મોક્ષમહેલમાં ચડવાની
ભાવનાવાળા પુરુષોએ આવી સીડી ચડવા યોગ્ય છે. અર્થાત્ આ દશ ધર્મોના પાલનથી જીવ મુક્તિ પામે છે.
આવા ઉત્તમ દશ ધર્મો પ્રત્યે કયા મોક્ષાર્થીને ઉલ્લાસ ન આવે?
આચાર્યદેવ કહે છે કે આ દશ ધર્મ સાંભળતાં આખી દુનિયાને હર્ષ થશે. બધા જીવોને આ દશ ધર્મ સાંભળીને નિશ્ચલ
સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક ઉત્તમ ત્યાગ–વૈરાગ્યાદિની હોંશ થશે. એમ માંગળિકપૂર્વક આ અધિકાર પૂરો થાય છે.
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.
PDF/HTML Page 11 of 17
single page version
છ સામાન્ય ગુણોનું કાવ્ય આપવામાં આવે છે.
તત્ત્વપ્રેમી બાળકોને આ કાવ્ય મોઢે કરવું સહેલું પડશે.
જન્મે–મરે નહિ કોઈ વસ્તુ, ધુ્રવ સ્વાધીનતા ધરે,
સ્વાતંત્ર્યને પામો સદા, અસ્તિત્વની શ્રદ્ધા વડે.
જગમાં નથી કો દ્રવ્ય નિષ્ક્રિય, સૌ કરે નિજ કામને,
નિજ આત્મમાં જાગૃત કરો, સુખરૂપ સમ્યક્ જ્ઞાનને.
એમ જાણી–માનીને લહો સ્વાધીન સુખ નિજ કારણે,
આત્મા અરૂપી જ્ઞેય મારો, જ્ઞાન જાણે તેહને;
કો ગુણ બીજા ગુણમાં ન ભળે, ન વીખરી જાય છે,
કર્તા–ન હર્તા કોઈ તેનો, જે વ્યવસ્થિત નિત્ય છે.
આકારથી ડા’પણ નથી, નિજ જ્ઞાન મહિમામાં રહો,
સિવાય કોઈ રીતે ધર્મ થતો નથી.
પુદ્ગલનો વિશેષગુણ છે.
શરીર તો જડ છે, તેનામાં જાણવાનો ગુણ નથી.
ખરેખર જીવ શરીરમાં રહ્યો નથી પણ પોતાના
ગુણોમાં જ રહ્યો છે.
થતી નથી પણ સદાય જડરૂપે જ રહે છે–એટલી
વાત સાચી છે; પરંતુ, એનું કારણ દ્રવ્યત્વગુણ
નથી પણ અગુરુલઘુત્વગુણ છે. અગુરુ–
લઘુત્વગુણને લીધે જીવ સદા જીવરૂપે રહે છે ને
અજીવ સદાય અજીવરૂપે રહે છે.
(૨) દેહાધ્યાસ=શરીર અને આત્મા એક છે એવી
મિથ્યા માન્યતા અર્થાત્ શરીરાદિનું હું કરી શકું એવો
ખોટો અભિપ્રાય.
(૩) અસંગ=શરીર, કર્મ અને વિકાર રહિત.
(૪) સ્ફુરણા=પરપદાર્થ તરફ વલણ.
(પ) સુધર્મ=સમ્યક્ દર્શન–જ્ઞાન–ચારિત્ર.
(૬) સમદર્શિતા=પરદ્રવ્ય મને કદી લાભ કે નુકશાન
કરી શકે નહિ એવી સમતા.
(૭) આત્માર્થી=મારા આત્માનું કેમ ભલું થાય એવી
જેને અંતરમાં ખટક હોય, આત્માનો ખપી જીવ.
PDF/HTML Page 12 of 17
single page version
સવારે પાાા
સ્વતંત્ર મકાન કરાવવા ચૂડાના ભાઈશ્રી ગોકળદાસ શીવલાલના ધર્મપત્ની શ્રી લેરી બહેને રૂપિયા ૫૦૦૧/–
પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું. એ રીતે બહેનોના સ્વતંત્ર મકાન માટેના ફંડની શરૂઆત થઈ હતી.
અને ત્યારપછી અન્ય મુમુક્ષુઓએ પણ તેમાં રકમો ભરી હતી. (અત્રે એ યાદ આપવું જરૂરી છે કે બે વર્ષ પહેલાંં
પોરબંદરના શેઠશ્રી નેમિદાસ ખુશાલભાઈએ મુમુક્ષુ બહેનોને માટે મકાન બંધાવવા રૂપિયા ૫૦૦૨/–શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યા હતા; તે રકમનો ઉપયોગ સદરહુ મકાન માટે કરવામાં આવશે.)
પ્રકાશન આજે થયું તેની ખુશાલીમાં રૂપિયા ૫૦૦૨/–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રીને યોગ્ય લાગે
તેમ વાપરવા અર્પણ કર્યા હતા. તેમાં રૂપિયા ૨૫૦૧/–પોતાના નામથી અને રૂપિયા ૨૫૦૧/–પોતાના
ધર્મપત્નીના નામથી આપ્યા હતા.
(૬) આ ઉપરાંત, આ વર્ષે વરસાદની ખેંચને કારણે ઢોરોને ઘાસચારાની ઘણી મુશ્કેલી હોવાથી, ઢોરોના
(૮) બપોરે બાળકોનો સંવાદ થયો હતો. સંવાદમાં ઉપાદાન–નિમિત્ત તેમજ ગૃહીતમિથ્યાત્વ વગેરે
પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ–અપૂર્વ ઉપકારોને તેમજ પવિત્ર ધર્માત્માઓના પરમ ઉપકારોને અત્યંત ભક્તિભાવે
વ્યક્ત કર્યા હતા; તેમજ માનનીય પ્રમુખશ્રીનો અને વિદ્વાન્ ભાઈશ્રી હિંમતલાલભાઈ વગેરેનો આભાર વ્યક્ત
કર્યો હતો. સાંજે લગભગ ૫ાા
PDF/HTML Page 13 of 17
single page version
(૧૦) પર્યુષણના આઠ દિવસના વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા માટે કુંડલાના શાહ બાવચંદ જાદવજીભાઈ
માર્દવ (નિરભિમાનતા) નું સુંદર વર્ણન કર્યું હતું. અને ત્યારબાદ ભાઈશ્રી હિંમતલાલભાઈએ શ્રી પ્રવચનસાર
પરમાગમમાંથી શ્રી અમૃતચંદ્રસૂરિકૃત કલશો અર્થસહિત વાંચી સંભળાવ્યા હતા............બપોરે વ્યાખ્યાનને બદલે
શ્રી યોગસારના તથા ઉપાદાન–નિમિત્તના દોહાઓની સ્વાધ્યાય હતી.
સાત દિવસ સુધી એક ધારી અપૂર્વ વાણી વરસી ગઈ હતી. એ વ્યાખ્યાનો છપાઈને જો કે પ્રસિદ્ધ તો થવાના છે,
પરંતુ–તે ગમે તેવા લખાયા હોય તો પણ સાક્ષાત્ શ્રવણના કરતાં ૧૦૦ મા ભાગનો પણ લાભ તે વાંચવામાં
તેઓશ્રી વર્ષાવ્યા કરે. અને અપૂર્વ આત્મિક સંપદાનું દાન આપણને આપ્યા કરે–એ જ તેઓશ્રીના ચરણમાં
ભાવના છે.
ધ્વજ સમાન હતું. પૂ. ગુરુદેવશ્રી અંતરમાં શ્રુતસમુદ્રમાં ડૂબકી મારીને, અંતરમંથનદ્વારા તેમાંથી કોઈ કોઈ અપૂર્વ
દિવસનું વ્યાખ્યાન પણ એક એવું જ અંતરમંથનદ્વારા મેળવેલું રત્ન હતું. શ્રુતસમુદ્રના મંથન વખતે જ્ઞાનીઓના
અંતરમાં જે આનંદનો સહજ અનુભવ થતો હશે તેને તો તેના અનુભવનાર જ જાણે, કે તેમના જેવા બીજા
અનુભવી હોય તે જાણે. અનંતચતુર્દશીના પવિત્ર દિવસે પૂ. ગુરુદેવશ્રીએ અનંત પ્રકાશથી ભરેલું જે દિવ્યરત્ન
મુમુક્ષુઓને ભેટ કર્યું છે, તે રત્નનાં મૂલ્યાંકન તો અહો! કોઈ વિરલા ‘ઝવેરી’ જ કરી શકે?
જૈનશાસનની મહાન પ્રભાવના અત્યારે ઉદય પામી છે.
વિધિ–પૂજન વગેરે કર્યું હતું. આ માંગળિક કાર્યની શરૂઆત કરવા બદલ લાઠીના સર્વે મુમુક્ષુઓને વધાઈ!!!
હોવાથી બધા ગ્રાહકોને વી. પી. કરતાં સહેજે બે–અઢી માસ થાય તો ગ્રાહકોને પોતાનાં લવાજમો મનીઓર્ડરથી
આ અંક મળે કે તુરત જ મોકલી આપવા વિનંતી છે.
PDF/HTML Page 14 of 17
single page version
આત્માને શું ખપે ને શું ન ખપે એની કોને ખબર પડે? ૫૬ ૧૪૮ લક્ષમાં રાખવા યોગ્ય નિયમો
PDF/HTML Page 15 of 17
single page version
PDF/HTML Page 16 of 17
single page version
કરવામાં આવી છે.
૨૫૧/– મણીબેન રણછોડદાસ
PDF/HTML Page 17 of 17
single page version
શાસ્ત્રમાં છે. તે ઉપરાંત મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ (હરિગીત) પણ સાથે જ છે.
રૂપિયા ૨–૮–૦ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં હજાર ઉપરાંત નકલો ખપી ગઈ છે.
કરાવ્યું છે. ઉપોદ્ઘાતના અંતમાં તેઓ જણાવે છે કે
લીન થવારૂપ શાશ્વત સુખનો પંથ દર્શાવો, એ મારી અંતરની ભાવના છે. ‘પરમાનંદરૂપી
સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ મહાશાસ્ત્રની
વ્યાખ્યા લખી છે. જે જીવો એમાં કહેલ પરમ કલ્યાણકર ભાવોને હૃદયગત કરશે તેઓ
અવશ્ય પરમાનંદરૂપી સુધારસના ભાજન થશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં
સુધી નિશદિન એ જ ભાવના, એ જ વિચાર, એ જ મંથન, એ જ પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ
પરમાનંદપ્રાપ્તિનો ઉપાય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વદીપિકાની પૂર્ણાહુતિ કરતાં
ભાવેલી ભાવના ભાવીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છું: “આનંદામૃતના પૂરથી ભરચક વહેતી
કૈવલ્યસરિતામાં જે નિમગ્ન છે; જગતને જોવાને સમર્થ એવી મહાજ્ઞાનલક્ષ્મી જેમાં મુખ્ય છે,
ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે–એવા પ્રકાશમાન સ્વ–તત્ત્વને જીવો
સ્યાત્કાર લક્ષણથી લક્ષિત જિનેંદ્રશાસનના વશે પામો.”
શ્રી સમયસારજીના હરિગીત–ગુટકાની જેમ શ્રી પ્રવચનસારજીનો પણ હરીગીત–