PDF/HTML Page 1 of 37
single page version
PDF/HTML Page 2 of 37
single page version
ભોગ અનંતવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહિ, તો સડેલા
ઢીંગલા સમાન આ માનવદેહના ભોગથી તેને કદાપિ તૃપ્તિ
થવાની નથી. માટે ભોગ ખાતર જિંદગી ગાળવા કરતા
મનુષ્ય જીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ
કરવો તે જ માનવ જીવનનુ ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
અલ્પ માનવજીવનનો કટકો મળ્યો, તે જીવનને
વિષયભોગવની લાલસામાં વેડફી નાખવા કરતાં વૈરાગ્ય
લાવી બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ કરવો તે
જીવનનું મહા કર્તવ્ય છે.
PDF/HTML Page 3 of 37
single page version
(૨) કંચનબહેન (શાહ છોટાલાલ ડામરભાઈના સુપુત્રી વઢવાણ કેમ્પ.
(૩) શારદાબહેન (શાહ જગજીવન ચતુરભાઈના સુપુત્રી, વઢવાણ શહેર.
(૪) કંચનબહેન (સ્વ
(૬) કાન્તાબહેન (સ્વ
બદલ તેમના વડીલો પણ ધન્યવાદને પાત્ર છે. આ બ્રહ્મચર્ય પ્રસંગ ઘણા ઉત્સાહપૂર્વક થયો હતો.
આવ્યા હતા, પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાન બાદ છએ બહેનો બ્રહ્મચર્ય લેવા માટે ઊભા થયા હતા. આ પ્રસંગે
તેમના વડીલોની હાજરી હતી અને તેઓએ બ્રહ્મચર્ય લેવા માટે તે બહેનોને રજા આપી હતી; બહેનોના મુખ
ઉપર ઉત્સાહ અને વૈરાગ્ય જણાતો હતો.
પાત્રતા છે... શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
ઘણી હિંમત છે, ઘણું જીવોએ આ વાત અનુમોદવા જેવી છે.
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.
અસંયોગી આત્માનું લક્ષ કરવા માટે અબ્રહ્મચર્ય છોડીને બ્રહ્મચર્યનો પ્રેમ જરૂરનો છે.
છે. એ રીતે વિચારીને આ કાર્ય કરે છે. લોકોએ આ કાર્યનું અનુકરણ કરવા જેવું છે......”
સંતોની સાક્ષીએ પ્રાયશ્ચિત્ ‘મિચ્છામિ દુક્કડં” કરાવ્યું હતું......
જાવજ્જીવનપર્યંત–આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવું...
PDF/HTML Page 4 of 37
single page version
૨૫૦૧/–તથા તેમના ધરમપત્ની જડાવબેન તરફથી રૂા. ૨૫૦૧/–મળી રૂા. ૫૦૦૨/–આપવામાં આવ્યા છે અને
બીજા મુમુક્ષુ ભાઈ–બહેનો તરફથી પણ રકમો આવી છે. એકંદર લગભગ રૂા. ૧૧૫૦૦/–થયા છે. આ રીતે
બ્રહ્મચારી બહેનોને માટે બ્રહ્મચર્ય આશ્રમની આ કાયમી સગવડ થઈ તે પણ પ્રભાવનાની વૃદ્ધિનું જ કારણ છે.
સત્સમાગમનો તથા તત્ત્વજ્ઞાનપૂર્વકના બ્રહ્મચર્યનો મહિમા બતાવ્યો હતો અને બ્રહ્મચારી આત્માઓનું ધ્યેય સફળ
થાય એવી ભાવના કરી હતી. આ શુભ પ્રસંગે છએ બહેનોના ઘેર ગોચરી માટે પધારીને પૂ૦ ગુરુદેવશ્રીએ
બહુ વિરલ છે, ખરેખર તો, પરમ ઉપકારી પરમ પૂ
એવો પ્રભાવ છે કે તે ઉપદેશનું શ્રવણ અને મંથન કરનારના જીવનમાં વૈરાગ્ય ભાવ સહેજે પોષતો જાય છે.
બહેનોના જીવનનું ઘડપર કર્યું છે. માતા જેવી તેઓશ્રીની હુંફમાં રહીને જ બહેનોએ સત્ના ચરણે જીવન સમર્પણ
કરવાની આ શક્તિ મેળવી છે.
જીવનભર સંતોના ચરણે–સત્સમાગમમાં રહીને આત્મહિત સાધવાના લક્ષે લેવાયું છે; એ તેની વિશેષતા છે.
છે! સોનગઢમાં લોકોત્તર વ્યવહાર અને પુણ્ય તો છે, પરંતુ ‘તેનાથી ધર્મ થાય’ એવી મિથ્યા માન્યતા નથી.
હેતું એવો સત્સંગ જ સર્વ–અર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો
આત્મસાક્ષાત્કાર છે. ’ વળી સત્સંગમાં રહેલા જીવની વિશેષ જાગૃતિ માટે તેઓશ્રી લખે છે કે ‘તે સત્સંગ પ્રાપ્ત
થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે........... મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું,
પ્રમાદ અને ઈન્દ્રિય–વિષયથી ઉપેક્ષા કરી હોય (એટલે કે તેને ટાળવાની બેદરકારી કરી હોય) તો જ સત્સંગ
ફળવાન થાય નહિ. અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહિ. જો એક
સર્વ દોષોથી જીવ મુક્ત થાય’.
PDF/HTML Page 5 of 37
single page version
માટે તે બહેનોને જેટલો ધન્યવાદ આપવામાં આવે તેટલો ઓછો છે. (બહેનોનાં નામ વગેરે સમાચાર આ
અંકમાં અન્યત્ર છે.) સોનગઢમાં રહીને તે બહેનો લાંબા વખતથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે અને નિરંતર
પૂજ્યપાદ સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોનો તેમ જ ભગવતી બહેનો શ્રી ચંપાબહેન અને શાંતાબહેનના સમાગમનો
લાભ લઈ રહ્યાં છે. લાંબા વખતના તત્ત્વજ્ઞાનના અભ્યાસપૂર્વક એક સાથે છ કુમારિકા બહેનોના જીવનભર
બ્રહ્મચારી રહેવાનો આવો બનાવ જૈન જગતમાં લાંબા કાળથી બન્યાનું જોવામાં આવતું નથી, તેથી તે જેટલો
પ્રશંસનીય છે તેટલો જ વિરલ છે. તે બહેનોનો હેતું તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વૃદ્ધિ કરવાનો છે, તે
ભાવના તેમના બ્રહ્મચર્યને વિશેષ દેદીપ્યમાન બનાવે છે.
હેતું વગેરે હોય છે, પણ જેની પાછળ પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનના લાંબા વખતનું અભ્યાસનું બળ હોય અને જેની
સાથે તે જ પ્રકારના તત્ત્વજ્ઞાનને વિશેષ વિસ્તૃત કરવાની ભાવના હોય–એવો બનાવ હાલમાં જોવામાં આવતો
નથી. જ્યારે આ પુણ્યભૂમિમાં તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને તેમના દિવ્યધ્વનિવડે આ દેશમાં ધીકતી
ધર્મપેઢી ચાલતી હતી, તેમ જ જ્યારે આત્મજ્ઞાની સંત–મુનિવરોના ટોળાં જ્યાં જોઈએ ત્યાં દેખવામાં આવતા
અને તેમની પાસેથી પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનનો લાભ જગતના જીવોને મળતો ત્યારે તો આવા પ્રકારના
બ્રહ્મચર્યાદિના અનેક બનાવો બનતા, પરંતુ અત્યારે તો લોકોની વૃત્તિ ઘણી જ બાહ્ય થઈ ગઈ છે, ધર્મના નામે
પણ બાહ્ય વૃત્તિઓ પોષાઈ રહી છે, જૈનધર્મના નામે પ્રાય: અજૈનત્વનો ઉપદેશ જોર શોરથી ચાલી રહ્યો છે અને
એ રીતે વર્તમાનમાં જે મોક્ષમાર્ગ બહુ સુષુપ્ત અને બહુ લુપ્ત અવસ્થામાં પડ્યો છે તેને સર્વથા લુપ્ત કરી દેવાના
પ્રયત્નો જૈનધર્મના નામે ચાલી રહ્યા છે.
પ્રભાવના યોગ સહિત આ કાળે પ્રાગટ્ય થયું છે અને નિરંતર તેમના પરમ તત્ત્વજ્ઞાનના ઉપદેશનો લાભ હજારો
ગામે મુમુક્ષુઓ લઈ રહ્યા છે. જ્યારે ચારે તરફ ગૃહિત મિથ્યાત્વના પોષણની પેઢીઓ ચાલી રહી છે ત્યારે આ
પરમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ધીકતી પેઢી શરૂ થઈ છે અને ખૂબ પ્રફુલ્લિત થઈ છે ને થતી જાય છે; તેનાં
અનેક સુશોભિત, મીઠાં–મધુર અને સુખમય ફળો આવ્યા છે; અને તેમાનું એક સુશોભિત–મીઠું–મધુરું અને
સુખમય ફળ આ છ બહેનોના બ્રહ્મચર્ય લેવાનો બનાવ છે.
બહેનોએ પ્રગટ કરી છે અને તે પણ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વધવા માટે છે. આ કાર્ય એવું સુંદર છે કે
તે પ્રત્યે સહૃદય માણસોને પ્રશંસાભાવ આવ્યા વગર રહે નહિ.
ટળીને આવા પ્રકારના શુભભાવ આવ્યા વગર રહેતા નથી. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ શુભ ભાવનું કાર્યક્ષેત્ર કેટલું
છે તે તેઓ જાણે છે. વળી તેઓ સમજે છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા જ મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન
વગર મોક્ષમાર્ગ હોતો નથી; તેથી તે માટેના પુરુષાર્થની જ તેમની ભાવના છે, તેમની એ ભાવના સફળ
PDF/HTML Page 6 of 37
single page version
વધવા માગો છો, તમારી તે ભાવના સુંદર છે; તે કાર્યમાં તમે ખંતપૂર્વક હોંશ અને ઉત્સાહથી આગળ વધજો,
પરમ સત્યધર્મ પ્રત્યેના તમારા પુરુષાર્થને દિન–પ્રતિદિન આગળ વધારજો. સતી ચંદના, સીતા, અંજના, દ્રૌપદી
વગેરે ધર્માત્માઓના જીવનના અનેક પ્રસંગો અને તે તે પ્રસંગોમાં તેમની ધર્મદ્રઢતાને સર્વ પ્રસંગે હૃદયમાં
રાખજો. તમે ગમે તેવા સંજોગોમાં મુકાઓ તો પણ ત્યારે તમારા તત્ત્વજ્ઞાન અને બ્રહ્મચર્યને તમે દીપાવજો, અને
ધર્મની શોભા તથા પ્રભાવના વધે તેવા પવિત્ર કાર્ય કરજો. તમે પણ એવા જ મનોરથો સેવો છો, તમારા તે
મનોરથો સફળ થાઓ એવા મારા તમને આશીર્વાદ છે.
અનેક જટિલ પ્રશ્નોનો નિકાલ થયો છે. તત્ત્વજ્ઞાનના અનેક વિષયો વિકવિધશૈલીથી પ્રસિદ્ધ થયા છે અને ઘણા
મુમુક્ષુઓ તેનો લાભ લઈ રહ્યા છે. જૈનધર્મના નામે તો માસિક વગેરે ઘણા પત્રો નીકળે છે. પરંતુ તેમાંના
લખાણો મુખ્યપણે તો રાજદ્વારી બાબતોથી ભરેલા હોય છે, કવચિત્ બીજા લેખો હોય છે તો તેમાં કોઈ એવો
લેખ નથી હોતો કે જે લેખ મુમુક્ષુ જીવોને નિઃસંદેહપણે આત્મહિતનો માર્ગ દર્શાવી શકે. તે બધા પત્રોથી આ
માસિકની રીત તદ્ન જુદી જ છે. આ પત્રમાં એક માત્ર તત્ત્વજ્ઞાનના જ વિષયો અને તે પણ ચાલુ ઘરગથ્થું
ભાષામાં આપવામાં આવે છે; અને તેથી સત્ધર્મની પ્રભાવના સારી રીતે ચાલી છે.
(૨) નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ.
(૩) વિશ્વનું સંપૂર્ણ વ્યવસ્થિતપણું છે અર્થાત્ દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાય છે, તેનું સ્વરૂપ.
(૪) વિશ્વના દરેક પદાર્થની સંપૂર્ણ સ્વતંત્રતા.
(૫) ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ.
(૬) સમ્યગ્દર્શન તે જ ધર્મનું મૂળ છે, તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ.
(૭) મિથ્યાત્વ તે જ સંસારનું મૂળ છે, તે મિથ્યાત્વનું સ્વરૂપ.
(૮) જીવ પોતે જ સ્વભાવને ભૂલીને અનાદિથી અવિ–દ્યાને સેવતો આવે છે, તેથી જ સંસારમાં રખડે
(૧૦) વ્યવહાર કરતાં કરતાં કદી નિશ્ચયધર્મ પ્રગટે નહિ.
(૧૧) આત્મા પરનું કાંઈ કદી કરી શકતો નથી.
(૧૨) જડકર્મ પરદ્રવ્ય છે તે આત્માને લાભ કે નુકશાન કરી શકે નહિ. જડ કે ચેતન કોઈ પણ પર
PDF/HTML Page 7 of 37
single page version
(૧૭) જીવ બોલી શકે નહિ, શરીરને હલાવી ચલાવી શકે નહિ, શરીર વગેરે કોઈ પર વસ્તુની ક્રિયાને
(૧૯) જડ કર્મના અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૦) હિંસા અને અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૧) ઉત્તમ ક્ષમા, ત્યાગ, તપ, બ્રહ્મચર્ય વગેરે ધર્મનું સ્વરૂપ.
(૨૨) ધર્મ તો આત્મનો જ શુદ્ધ પર્યાય છે અને તે આત્માને ઓળખીને તેમાં લીન થવાથી જ થાય છે,
(૨૪) તીર્થંકર ભગવંતોએ શું કર્યું અને શું કહ્યું?
(૨૫) જગતમં ધર્મના નામે ચાલતા મતોને તત્ત્વજ્ઞાનની કસોટી ઉપર ચડાવ્યા સિવાય તેમનો સમન્વય
પાને આત્માનો ધર્મ બતાવે છે. સંસાર–પોષક લખાણ તેમાં હોતું નથી, સંસારની ઝંઝટોથી તે સદા અલિપ્ત રહે છે.
થાય અને જગતના પદાર્થોનું તથા આત્માના ધર્મનું સાચું સ્વરૂપ શું છે તે લોકો જાણે–અને તેઓ ધર્મનું સ્વરૂપ
પામે–એ જ આ માસિકનો હેતું છે; તેથી યથાર્થ વસ્તુ સ્વરૂપ બતાવનાર લેખો જ તેમાં આપવામાં આવે છે; તેમાં
કોઈ પણ વ્યક્તિની નિંદા કે અંગત ટીકા બિલકુલ કરવામાં આવતી નથી. માત્ર સત્ય સ્વરૂપ શું છે અને અસત્ય
શું છે તેનું વિવેચન કારણો સહિત યુક્તિ અને આગમના આધારે આપવામાં આવે છે.
કાંઈ છપાય છે તે, જો કે પૂ. ગુરુદેવશ્રીના મુખથી નિરંતર જે વ્યાખ્યાનો થાય છે તેનો અંશમાત્ર જ છે, તોપણ
તેટલામાં ઘણું તત્ત્વ ભરેલું હોય છે. માટે અન્ય છાપાઓની જેમ આ પત્રને જેમ તેમ ન વાંચતાં તેના દરેક
વાક્યના ભાવ સમજીને વાંચવાની ખાસ ભલામણ છે.
તુલનાશક્તિથી વાંચીને અભયાસ કરે તો તેમની ધર્મ પ્રત્યેની સૂગ ટળી જઈને પરમસત્ય સ્વરૂપની રુચિ થયા
મત નથી પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ તે બતાવે છે, એટલે જૈનધર્મ તે વસ્તુસ્વભાવ જ છે. વસ્તુ સ્વરૂપન
અભ્યાસ વગર તમે સુખી થવા માગો છો, પણ તે બનવું અશક્ય છે.
ધર્મનો અભ્યાસ તો નવરા લોકો માટે છે અને આપણું કાર્ય તો જગતમાં આગળ વધીને ધનની પ્રાપ્તિ શી રીતે
થાય અને આપણા દેશની ધનસંપતિ શી રીતે વધે–તેના ઉપાયો કરવાનું છે એમ માનીને તે સંબંધી વાતો અને
ચર્ચાઓ કર્યા કરે છે; એટલે ધર્મ તો જાણે કે નકામી વસ્તુ હોય, અને તેના વગર જ સુખી થઈ શકાતું હોય એમ
PDF/HTML Page 8 of 37
single page version
વૃદ્ધ કે નવરાનું કાર્ય નથી પણ ધર્મ તો દરેક જીવનું કર્તવ્ય છે; જે કોઈ જીવ સુખી થવા માંગતા હોય તે દરેકનું
પછી ભલે તે વૃદ્ધ હો કે બાળક હો, પુરુષ હો કે સ્ત્રી હો, કરોડપતિ હો કે નિર્ધન હો, ભણેલ હો કે અભણ હો તે
દરેકનું, એ જ કર્તવ્ય છે. –એમ આ પત્ર સચોટ રીતે સાબિત કરે છે. અને સાથે સાથે એ પણ સમજાવે છે કે ધર્મ
થતી નથી. માટે સર્વે યુવકો પણ આ માસિક વાંચે અને પોતાની તુલનાશક્તિ વડે સત્ય–અસત્યનો તેઓ નિર્ણય
કરે તો તેમને લાભ થશે... અને જીવનમાં બકી રહી જતું સૌથી મોટું કર્તવ્ય તેમને સમજાશે.
‘જગતમાંથી સત્ય ધર્મનો સર્વથા લોપ થઈ ગયો છે અને સર્વ સ્થળે ધતિંગ જ ચાલે છે’ –એ પણ મહાન ભૂલ
છે. આ કાળે પણ સત્ય ધર્મનો સર્વથા લોપ નથી થયો. માટે ધીરજથી સત્ય–અસત્યની પરીક્ષા કરતાં શીખવું
જોઈએ. માટે સર્વ લોકો આ પત્રનો અભ્યાસ નિમિત્તપણે એક સાથે એક વર્ષ સુધી રાખે અને સત્ય–અસત્યની
પરીક્ષા કરે–એવી તેમના પ્રત્યે નમ્ર ભાવે વિનંતી છે.
આ પત્રના ગ્રાહકો વધવાની જરૂર છે. આત્મધર્મના હરેક ગ્રાહકો તથા વાંચકોએ તેમજ ધર્મ પ્રેમી ભાઈ–બહેનોએ
તે માટે પ્રયાસ કરવાની જરૂર છે. દરેક ગ્રાહકોને વાંચકોની ફરજ છે કે તેમણે આ પત્રના ફેલાવા માટે બને તેટલો
પ્રયત્ન કરવો. અને પોતાના સંબંધીઓને તે પત્ર વાંચવાની ભલામણ કરીને તેમને સત્યધર્મ પ્રત્યે પ્રેરવા.
સંસર્ગ વગર કોઈ જીવ તેના રહસ્યને પામી શકે નહિ એથી શાસ્ત્રોમાં દેશના લબ્ધિનું વર્ણન આવે છે. શ્રીમદ્
રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ તો ‘પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત’ –અનાદિથી એવી જ વસ્તુ
માત્ર શાસ્ત્ર વગેરેના વાંચનથી કોઈ જીવ પામી શકે નહિ; પણ જ્ઞાની પુરુષના ઉપદેશનું સીધું શ્રવણ કરે તો જ
દેશનાલબ્ધિ પામે; માટે ધર્મના અભિલાષી જીવોએ એકવાર તો અવશ્ય સત્સમાગમ કરીને સદ્ગુરુગમે
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની મેળે શાસ્ત્રનું વાંચન કરવાથી વર્ષો સુધી જે કાર્ય નહિ થાય તે કાર્ય
સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમે અલ્પકાળમાં થઈ જશે... માટે, માત્ર આત્મધર્મ વાંચીને જ સંતોષ ન માનતાં વિશેષ
સ્પષ્ટ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સીધેસીધું પાન કરવા આગ્રહ ભરી ભલામણ છે જ્ઞાની
પુરુષના શ્રીમુખથી આધ્યાત્મિક ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ આત્માર્થીઓને કલ્યાણનું મુખ્ય કારણ છે.
એક વખત તો સત્ની રુચિપૂર્વક ચૈતન્યમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી અવશ્ય શ્રવણ કરવું જોઈએ, તેમ કરવાથી જ
આત્મામાં સત્નું પરિણમન થાય છે.
મંદિર ટ્રસ્ટ તરફથી ‘આત્મધર્મ’ ના આ અંકના પાનાં વધારીને
PDF/HTML Page 9 of 37
single page version
બ્રહ્મચારી એટલે શું?
બ્રહ્મચારી એટલે આત્માનો રંગી અને વિષયોનો ત્યાગી.
વિષયોનો ત્યાગી કોણ થઈ શકે?
જે વિષયોમાં સુખ ન માનતો હોય તે.
વિષયોમાં સુખ કોણ ન માને?
જેને વિષયોથી રહિત આત્માના સુખનું ભાન અને રુચિ થઈ હોય તે.
જેમ એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં સુખ નથી તેમ પાંચ ઈન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી; એમ
બ્રહ્મચર્ય જીવન જીવે છે. એટલે ખરેખર જેટલો જેટલો આત્મિક સુખનો અનુભવ છે તેટલે તેટલે અંશે બ્રહ્મચર્યજીવન છે.
બીજી રીતે કહીએ તો બ્રહ્મસ્વરૂપ આત્મામાં જેટલે અંશે ચર્ચા (–પરિણમન) હોય તેટલું બ્રહ્મચર્યજીવન છે. અને જેટલી
બ્રહ્મામાં ચર્યા હોય છે તેટલો પરવિષયોનો ત્યાગ હોય છે ને બાહ્યમાં પણ તે તે પ્રકારના વિષયોનો સંગ હોતો નથી.
સ્થિરતા તે જ શીલપાલન છે.’
પણ અમુક શબ્દથી કે મૂર્તિ વગેરે અમુક રૂપથી ઈત્યાદિ કોઈ પણ વિષયથી મને સુખ થાય કે તેના નિમિત્તથી મને
સ્વભાવનો સંગ કરીને સર્વ પર વિષયો નો સંગ છોડી દીધો છે, તેથી તે જીવ રુચિ–શ્રદ્ધાથી તો બ્રહ્મચર્ય જીવન
જ જીવે છે. અને પછી સ્વભાવની રુચિના જોરે તે સ્વભાવમાં લીનતા કરતાં જેમ જેમ રાગાદિ પરપરિણતિ
ટળતી જાય છે તેમ તેમ તેના નિમિત્તભૂત બાહ્ય વિષયો પણ સ્વયમેવ છૂટતા જાય છે, ને એ ક્રમથી આત્મિક
વિષયોમાંથી પણ સુખબુદ્ધિ અવશ્ય ટળી ગઈ હોય. એક પણ ઈન્દ્રિયમાંથી જેને ખરેખર સુખબુદ્ધિ ટળે તેને પાંચે
ઈન્દ્રિયમાંથી સુખબુદ્ધિ ટળે. હવે પાંચે ઈન્દ્રિય–વિષયોમાંથી સુખબુદ્ધિ તેને જ ટળે કે જેણે સત્પુરુષના ઉપદેશના
શ્રવણપૂર્વક, પાંચ ઈન્દ્રિયોના વિષયોથી પાર અતીન્દ્રિય આત્માનું સુખ લક્ષગત કર્યું હોય અને અંતરમાં તેની
બ્રહ્મચારીજીવન નથી પણ વિષયી જીવન છે.
તેમ, સ્ત્રી આદિની આકૃતિને કારણે વિકાર થવાનું માને અને ભગવાનની મુર્તિ વગેરેના કારણે
PDF/HTML Page 10 of 37
single page version
કરનાર છે. જે સ્વદ્રવ્યને વિષય કરે તેને જ પરદ્રવ્ય સાથેનો વિષય ટળે; જે સ્વદ્રવ્યને વિષય ન કરે ને પરદ્રવ્ય
સાથે જ વિષય કરે તેને કદી વિષય ટળે નહિ અને બ્રહ્મચર્યજીવન થાય નહિ.
વિષયોનો અને પર ભાવનો સંગ જરા પણ છોડ્યો નથી, ને તેને આત્મિકબ્રહ્મચર્ય જરા પણ પ્રગટ્યું નથી.
પુણ્યભાવ તો પર વિષયોના લક્ષે જ થાય છે, તે પુણ્યને જેણે ધર્મ માન્યો તેને ખરેખર પરવિષયોમાં સુખ છે–
એમ જ માન્યું છે, તેથી તેને અંતરમાં પરવિષયોનો સંગ છોડવાની રુચિ નથી પણ પરવિષયોનો સંગ કરવાની
રુચિ છે પરવિષયોનો સંગ કરવાની રુચિ તે અબ્રહ્મચર્ય જ છે.
છોડવાની રુચિ નથી પણ દેવ–ગુરુ–શાસ્ત્રના વિષય કરવાની રુચિ છે. જેમ સ્ત્રી વગેરેમાં સુખબુદ્ધિ તે વિષય છે
તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર પણ પરવિષય છે તેમાં સુખબુદ્ધિ તે પણ વિષય જ છે. –એમ અશુભ છે ને બીજો શુભ છે
એટલું જ. પરંતુ છે તો બંને વિષય, એક અબ્રહ્મના જ તે બે પ્રકાર છે.
રુચિ અને લક્ષ કર્યું છે તથા સર્વ ઈન્દ્રિય વિષયોની રુચિ છોડી છે તે ભવ્ય જીવ ખરું આત્મજીવન બ્રહ્મજીવન જીવે
છે. –એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ભગવાન સમાન છે–એમ જ્ઞાનીઓ કહે છે.
લેશ પણ વિકાર થતો નથી. એટલે તેમાં આત્માના લક્ષે બ્રહ્મચર્ય પાળવાનું જ આવ્યું. બાકી શરીરના લક્ષે
શુભભાવરૂપ બ્રહ્મચર્ય રાખે ને વિષય ઈચ્છા ન કરે તે પુણ્ય–બંધનું કારણ છે, પણ માત્ર એવું શુભભાવરૂપ
બ્રહ્મચર્ય પાળનારને ‘ભગવાન સમાન’ કહ્યો નથી.
છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે, સર્વે પર વિષયોથી ખાલી ને
અતીન્દ્રિય સુખથી ભરપૂર એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું અને તેનો અનુભવ
કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
લખી શકે. પગાર લાયકાત મુજબ: (ઉમેદવારને ગુજરાતી શોર્ટહેન્ડ શીખવાની ઈચ્છા હશે
તો તે માટેના ખર્ચની વ્યવસ્થા કરી આપવામાં આવશે.) તુરત લખો અગર મળો–
PDF/HTML Page 11 of 37
single page version
PDF/HTML Page 12 of 37
single page version
સ્વાનુભવી પુરુષો તેમાં જ રમે છે.
आराध्यते स एवान्यैस्तस्याराध्यतो न विद्रते ।।२।।
योगी सुनौगतोऽम्मोधिजलेभ्य इव धीरधी ।।३।।
एयत्तस्सुवलंमो णवरि ण सुलहो विभत्तरस ।।५।।
ભવ્ય જીવોએ આત્માના એકત્વ–વિભક્તસ્વરૂપની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારે ઉદ્યમ કરવો યોગ્ય છે.
गुरुपदेशतोऽम्माकं निःश्रेयसपदं प्रियम ।।६।।
PDF/HTML Page 13 of 37
single page version
आस्ते यः सुमतिश्चात्र सोप्युत्र चरन्नपि ।।८।।
तस्य मुक्तिसुखप्राप्ते कः प्रत्यूहो जगत्त्रये ।।९।।
ભાવનાથી ચ્યુત થતા નથી.
વિધિ પ્રસંગે ભાઈશ્રી મોહનલાલ કાનજી ધીયાના ઘર ચૈત્યાલયમાંથી શ્રી જિનપ્રતિમાં લાવીને તેનું
PDF/HTML Page 14 of 37
single page version
એમ માનનાર મિથ્યદ્રષ્ટિ છે. તે મોક્ષમાર્ગના ક્રમનું ઉલ્લંઘન કરે છે. આત્માને ઓળખ્યા વગર કોનો ત્યાગ
કરશે? અને આત્માને ઓળખ્યા વગર શેના વ્રત? પ્રથમ રાગરહિત સ્વભાવને સમજ્યા વગર યથાર્થપણે રાગ
ટળી જ શકે નહિ. અને વ્રતાદિ હોય જ નહિ હજી જેનામાં આત્મભાન કરીને ચોથું ગુણસ્થાન પ્રગટ કરવાની તો
તાકાત નથી. તે જીવમાં વ્રતાદિ કે જે પાંચમાં ગુણસ્થાને હોય છે તે પ્રગટ કરવાની તાકાત ક્યાંથી આવશે?
આપણાથી વ્રત–તપ થાય, પણ સાચી સમજણ ન થઈ શકે–એમ જે માને છે તેને આત્મસ્વભાવની અરુચિ છે
અને શુભરાગની રુચિ છે–તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આત્મજ્ઞાન વિના શુભભાવ કરે તોપણ ધર્મ નથી અને શુભરાગ
કરવો તે આત્મજ્ઞાનનો ઉપાય નથી. જ્યાં સુધી વિકારરહિત સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી સમજણનો જ
પ્રયત્ન કર્યા કરવો, પરંતુ શુભરાગ તે ધર્મનો ઉપાય છે–એમ ન માનવું.
જ્ઞાનાદિ ગુણોની પર્યાય ક્ષણે ક્ષણે કાર્ય કરે છે કે નહિ? ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં કાર્ય તો થઈ જ રહ્યું છે પણ
અજ્ઞાની કહે છે કે– ‘મારું જ્ઞાન પરને જાણી શકે પણ મને ન જાણે, મારાથી અત્યારે વિકાર થઈ શકે પણ
અવિકારી સમજણ ન થઈ શકે. ’ આ રીતે તીવ્ર અજ્ઞાનીની દ્રષ્ટિ જ ઊંધી છે તેથી તે આત્માનો અનાદર કરીને
સાચી સમજણ કરવામાં આડ મારે છે. મારો પુરુષાર્થ કાર્ય ન કરી શકે એમ માનનાર જીવ સત્ સમજવાને લાયક
નથી. માટે એમ નિર્ણય કરવો જોઈએ કે–આત્મા વસ્તુ સમજી શકાય એવા સ્વભાવવાળી છે, મારા સત્ પ્રયત્નથી
હું આત્ભસ્વભાવ–સમજવાને લાયક છું. એમ પોતાની લાયકાત સ્વીકારીને જે સત્સ્વભા૧ક્ષ્વ સમજવાનો
પુરુષાર્થ કરે તેને જરૂર સમજાય. દરેક જીવોએ પહેલાંં એ જ પુરુષાર્થ કરવાનો છે.
સ્ત્રી, પુત્ર–પુત્રી થતાં હતાં; તેથી કંઈ તેમનું આત્મભાન ખસી ગયું ન હતું. ગૃહસ્થપણામાં હોવા છતાં તેઓ
એકાવતારી થયા છે. તે વખતે વખતે બીજા બહિરદ્રષ્ટિ અજ્ઞાનીઓ કહેતા હતા કે– ‘અમે તો ત્યાગી થયા છીએ
અને તેણે તો કાંઈ ત્યાગ કર્યો નથી. શું અમે ત્યાગી થયા છતાં અજ્ઞાની, અને એ અમારા કરતાં આગળ વધી
ગયા? જો એ આત્મા સમજ્યા હોય તો કાંઈ ત્યાગ કેમ કર્યો નથી? ’ અરે ભાઈ! તેં શું કર્યું છે? ત્યાગના
અભિમાન કરી કરીને માત્ર મિથ્યાત્વ પોષ્યુ છે. હજી સમ્યગ્દર્શનનું ઠેકાણું નથી અને પોતાને મુનિ માની બેસે, તે
જીવ સત્ સમજવાની દરકાર શેનો કરે?
PDF/HTML Page 15 of 37
single page version
નથી, પણ તે વખતે ય શુદ્ધાત્મ સ્વભાવમાં જ એકત્વપણે વર્તે છે. તેને બહારમાં ધંધા–વેપાર હોય તોપણ તે
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. અને જેણે રાગરહિત સ્વભાવને જાણ્યો નથી તેથી રાગમાં જ એકત્વપણે જે વર્તે છે એવા
ગૃહસ્થાવાસમાં હોય તોપણ અલ્પ ભવે મુક્ત થશે.
રાગ હોવા છતાં તેમાં લીનતા હોતી નથી એટલે તેને રાગના વિષયોમાં પણ લીનતા હોતી નથી. જ્ઞાનીને આસક્તિરૂપ
રાગ હોય છે પરંતુ રુચિરૂપ રાગ હોતો નથી–પરમાં આનંદ માનતા નથી, રાગમાં આત્માની એકતા માનતા નથી,
રાગને દુઃખરૂપ માને છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિપૂર્વકનો રાગ થાય છે અને તે રાગને કર્તવ્ય માને છે.
સંઘરી મૂકવાનો ભાવ નથી. વળી બીજું દ્રષ્ટાંત એ છે કે–કોઈને ઝાડા થયા અને બહાર જતાં વાર લાગે છે, તેથી
અલ્પકાળ વિષ્ટા પેટમાં રહે છે, ત્યાં તેને તે વિષ્ટા પેટમાં રાખવાનો ભાવ નથી પણ જલ્દી છોડવાનો ભાવ છે.
આ બે દ્રષ્ટાંતો છે, તેના ઉપરથી સિદ્ધાંત એ સમજવાનો છે કે–અજ્ઞાનીઓએ બધા ય રાગને પોતાના ચૈતન્ય
જાય છે તેને ઝેરી સર્પ અને વિષ્ટાતુલ્ય જાણીને છોડવા માગે છે. અલ્પકાળ જે રાગાદિ થાય છે તેને રાખવાની
ભાવના નથી પણ ટાળવાની જ ભાવના છે. ભેદવિજ્ઞાન થતાં, પુણ્ય–પાપભાવ મારાં છે અને હું તેનો કર્તા છું
એવીય માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે, હવે વિકારીભાવોરૂપ વિષ્ટા લાંબો વખત ટકી શકશે નહિ.
શ્રીમદ્રાજચંદ્રજીએ લખ્યું છે કે ‘જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ
સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ (ચૈતન્યસ્વભાવ) પ્રત્યે
સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.’
સ્વભાવભાવ છે તેનાથી બંધન થતું નથી અને જેનાથી બંધન થાય તે મારો સ્વભાવ નથી–એ પ્રમાણે જ્ઞાનીને
નિરંતર સ્વભાવ અને રાગાદિ વિભાવ વચ્ચે ભેદજ્ઞાન વર્તે છે, અને તેમના અભિપ્રાયનું જોર તો સ્વભાવ તરફ
છે. અજ્ઞાનીને રાગ અને સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન નથી તેથી તે રાગને જ આત્મા માનીને એકત્વપણે રાગનો
અનુભવ કરે છે, અને રાગમાં આત્મબુદ્ધિ હોવાથી તેના અભિપ્રાયનું જોર રાગમાં જ રહ્યા કરે છે તેથી તેનાં
ઊંધા અભિપ્રાયમાં અમર્યાદિત વિકાર છે.
અંશે જે સાક્ષાત્ અનુભવ થયો છે તે અંશ ઉપરથી આખો નિર્મળ ચારિત્રભાવ કેવો હોય તેનું પણ જ્ઞાનીને
અનુમાનવડે ભાન થયું છે, એટલે તે નિર્મળચારિત્રભાવથી વિરુદ્ધભાવોને પોતાનું સ્વરૂપ માનતા નથી. જ્યાં
સુધી જીવ પરનું અને વિકારનું લક્ષ છોડીને પોતાના નિરપેક્ષ પરિપૂર્ણ સ્વભાવમાં અભેદ દ્રષ્ટિ ન કરે અને
સ્વભાવમાં એકત્વબુદ્ધિ ન કરે ત્યાં સુધી તેને વિકારનું કે પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ; કેમકે સ્વભાવમાં
એકત્વબુદ્ધિ પ્રગટી નહિ હોવાથી,
PDF/HTML Page 16 of 37
single page version
સ્વ–પરનું યથાર્થજ્ઞાન હોય છે.
આત્માને તેનો કર્તા માનતા નથી, જો ત્રિકાળીસ્વભાવ વિકારનો કર્તા હોય તો વિકાર કદી ટળી શકે જ નહિ.
પરદ્રવ્યો, બળજબરીથી કરાવતાં નથી; અવસ્થા દ્રષ્ટિએ સમ્યગ્દ્રષ્ટિ પોતે જ પોતાની અવસ્થાના રાગાદિનો કર્તા
આત્મસ્વભાવની ઓળખાણ કરવાનું જ કહ્યું.
ઉત્તર:– આત્મસ્વભાવની રુચિપૂર્વક તેનો અભ્યાસ કરવો, જગતના સર્વે પદાર્થોનો મહિમા છોડીને આત્મ–
મહાભાગ્યવંત જીવ તત્ત્વ સમજવા માટે પાત્ર છે. બહારનો ત્યાગ કે રાગની મંદતા તે સમજણનો ઉપાય નથી.
શ્રદ્ધાગુણની નિર્મળદશા–સમ્યગ્દર્શન થાય નહિ. માટે રાગની મંદતા તે સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાનનો ઉપાય નથી.
ધર્માત્માઓને કૃતકૃત્ય સ્વભાવની અંતર અનુભૂતિ થાય છે, અને તેમને તો જે રાગાદિ થાય તેઓ ખેદ વર્તે છે.
ભોગમાં પણ ધર્માત્મા રંચમાત્ર સુખ ન માને, પણ તે રાગને પણ દુઃખદાયક જાણે છે. આત્માના પરમાનંદ
કરતાં શ્રીબનારસીદાસજી પંડિત કહે છે કે–
જ્ઞાની મગન વિષયસુખમાંહી, યહ વિપરીત સંભવે નહિ
PDF/HTML Page 17 of 37
single page version
છોડી દે, બહુ ઓછું બોલે, ધીમે ધીમે ચાલે એ ઉપરથી કાંઈ વૈરાગ્યનું માપ નથી. લડાઈ અને વિષયભોગમાં
હોવા છતાં તે વખતે પણ જ્ઞાનીને તે પ્રત્યે ઉદાસીનતા છે, એ વખતે પણ તેઓ વૈરાગી છે. સ્વભાવના ભાન
વગર અજ્ઞાનીજીવ ત્યાગી થાય છતાં તે અધર્મી છે, તેને સાચો વૈરાગ્ય નથી. રાગ સાથેની એકત્વબુદ્ધિ ટળ્યા
અથવા પરમા સુખબુદ્ધિ અને વૈરાગ્ય એ બે વાત પરસ્પર વિરોધી છે, તે બંને સાથે હોઈ જ શકે નહિ. જેને
રાગમાં એકત્વપણું ટળ્યું તથા પરમાં સુખબુદ્ધિ ટળી તેને પોતાના શુદ્ધ સ્વભાવમાં એકત્વપણું હોય. અને જેને
સ્વભાવમાં એકત્વપણું હોય તેની પરિણતિ રાગમાં રુચિપૂર્વક કદી જોડાય નહિ. ‘હું રાગ કરું છું અથવા તો રાગ
થાય તેથી વાંધો નથી’ એવી જેની દ્રષ્ટિ છે તેનું જોર રાગ તરફ જાય છે, તેને રાગરહિત સ્વભાવની શ્રદ્ધા નથી.
જ્ઞાનીનું જોર રાગ તરફ નથી જતું પણ સ્વભાવ તરફ ઢળે છે. મારો સ્વભાવ રાગરહિત જ છે–એવી સ્વભાવની
પ્રતીતના જોરે જ્ઞાનીને ક્ષણે ક્ષણે રાગ ટળતો જ જાય છે; જ્ઞાતાસ્વભાવની પ્રતીતના જોરે રાગના જ્ઞાતા રહીને
તેઓ રાગને ટાળે છે.
રાગની રુચિ હોવા છતાં કહે છે કે મને સાચી શ્રદ્ધા છે, એટલે તે મિથ્યાત્વનું પાપ પણ દ્રઢ કરે છે. કોઈ જીવ
ત્યાગ ન કરી શકે અને ચારિત્ર અંગીકાર ન કરી શકે પણ જો સાચી શ્રદ્ધા રાખે તો તેને જૈનમાર્ગમાં દંડ નથી;
જીવ વિરાધક થઈને અનંત સંસારમાં રખડે છે; તેથી શ્રીકુંદકુંદભગવાને આ દર્શન–પાહુંડમાં ૨૨મી ગાથામાં ખાસ
કહ્યું છે કે હે જીવ! જો જિનમાર્ગમાં કહ્યા પ્રમાણે બધું કરવા તું સમર્થ હોય તો તેમ કરજે, પણ જો બધું કરવા
સમર્થ ન હો તો સાચી શ્રદ્ધા તો અવશ્ય કરજે.
છે. અન્ય કે જેઓ સમ્યગ્દર્શનાદિથી ભ્રષ્ટ છે અને ગુણવાન પ્રત્યે દ્વેષભાવ રાખીને વિનયરૂપ નથી પ્રવર્તતા તેઓ
વંદવા યોગ્ય નથી.
મિથ્યાદ્રષ્ટિ છે. જો કોઈ જીવ યથાજાતરૂપ મુદ્રાને જોઈને પણ દ્વેષભાવને લીધે તેનો (નિર્ગ્રંથ સંતનો) વિનય ન
કરે તો એમ જાણવું કે તે જીવને તે રૂપની (નિર્ગ્રંથમાર્ગની) જ શ્રદ્ધા–રુચિ નથી; એ રીતે જિનમાર્ગની શ્રદ્ધા–
રુચિ વિના તો મિથ્યાદ્રષ્ટિ જ હોય.
આત્મદશામાં ઝૂલી રહેલા ભગવાન સમાન મુનિઓનો અનાદર કર્યો તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.... એવા જીવોને
વંદન કરવું યોગ્ય નથી.
ઋદ્ધિના ધારક દેવો પણ જે રૂપને પગે પડે છે તેને દેખીને દ્વેષ–ભાવને લીધે જે વંદન કરતો નથી તેને સમ્યક્ત્વ
કેવું?
PDF/HTML Page 18 of 37
single page version
કરવામાં આવે છે. તો પછી સમ્યગ્દર્શનાદિ ગુણરહિતને કોણ વંદન કરે? સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ્યા વગર
મુનિદશા હોતી નથી તેમ જ શ્રાવકદશા પણ હોતી નથી.
હોય છે. શરીરાદિક વંદવા યોગ્ય નથી પણ ગુણ વંદવા યોગ્ય છે એમ જણાવીને અહીં સમ્યગ્દર્શન–પૂર્વકના શુદ્ધભાવરૂપ
ગુણોથી સમિત મુનિઓને નમસ્કાર કર્યા છે. બ્રહ્મચર્યનો અર્થ ‘આત્મસ્વરૂપ વિષે લીનતા’ એમ સમજવો.
થાય છે. સમ્યગ્દર્શન વગર ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે. સમ્યગ્દર્શનપૂર્વકના ચારિત્રથી મોક્ષ થાય છે.
કારણરૂપ સોળ ભાવનાઓમાં પણ પહેલાંં દર્શન વિશુદ્ધિ છે તે જ મુખ્ય છે, તે દર્શનાવિશુદ્ધિ જ વિનયાદિક પંદર
ભાવનાઓનું કારણ છે; માટે સમ્યગ્દર્શનનું જ પ્રધાનપણું છે.
તે બધું સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય છે.
પ્રતિમા’ કહેવાય છે કેમકે પોતાના સ્વરૂપમાં અચળ છે અને ધાતુ પાષણ વગેરેની પ્રતિમાં રચીને તેમાં શ્રી
જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તે વ્યવહાર છે. એ વ્યવહાર પણ જેમ છે તેમ જાણવો જોઈએ. જ્યારે
જિનેન્દ્રભગવાન નિર્વાણ પામે ત્યારે જીવ લોકના શિખરે જઈ સ્થિત થાય છે, તેમાં ગમનવિષે એક સમય લાગે
છે, તે કાળમાં શરીર રહિત ગમન કરે છે તેથી (તે ગમન કરનાર અશરીરી જીવને) ‘જંગમ પ્રતિમાં’ કહેવાય છે.
PDF/HTML Page 19 of 37
single page version
આજે ભગવાન મહાવીરના નિર્વાણનું ૨૪૭૫ મું વર્ષ બેસે છે. આજના સુપ્રભાતના માંગળિકરૂપે આ
स्वरसविसरपूर्णाच्छिन्न तत्त्वोपलभः प्रसभनियमितार्चि श्चिश्चमत्कार एषः।।
અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે), જેમાં નિજ રસના
ફેલાવાથી પૂર્ણ અછિન્ન તત્ત્વ–ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ–
અનુભવનનો અભાવ થતો નથી) અને અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે
છે) એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે (કોઈથી બાધિત ન કરી શકાય એમ
સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
વિક્રમ સં. ૨૦૦૫ બેસે છે, આ માંગળિકરૂપ કળશ ૨૭૫ મો છે ને પાનું ૫૧૫ છે–એ રીતે બધામાં છેલ્લો અંક
‘પાંચ’ આવે છે. ‘પંચ ત્યાં પરમેશ્વર’ એમ લોકો બોલે છે તેમ અહીં બધા પાંચડાનો મેળ થયો છે ને તેમાં વર્ણત
પણ પરમેશ્વરનું એટલે કે આત્માની પ્રભુતાનું છે.
જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ’ આત્મામાં ત્રિકાળ ઊછળે છે. (સમયસાર પૃ. ૫૦૩–૪) આત્મામાં
જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, સુખશક્તિ, જીવનશક્તિ વગેરે અનંત શક્તિઓ છે, તેમાં એક પ્રભુત્વ નામની શક્તિ
પણ છે. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં પ્રભુતા રહેલી છે. આત્મદ્રવ્યમાં અનંતશક્તિઓ રહેલી છે, તેનામાં
પામરતાનથી પણ પ્રભુતા છે ને પર્યાયોમાં પણ પ્રભુત્વ છે; એમ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી આત્મા
શોભી રહ્યો છે. આત્માના દ્રવ્યની–ગુણની કે પર્યાયની પ્રભુતાના પ્રતાપને ખંડિત કરવા કોઈ સમર્થ નથી.
પોતાની અખંડ પ્રભુતાથી જ આત્મા શોભે છે, કોઈ નિમિત્ત વગેરે પર વસ્તુથી આત્મા શોભતો નથી. આ
દિપાવલીના તહેવારમાં લોકો ઘર વગેરેને શોભા કરે છે, પણ અહીં તો આત્માની આત્માની શોભાની વાત થાય
છે. ઘર વગેરેની શોભામાં આત્માની શોભા નથી પણ પોતાની પ્રભુત્વ શક્તિથી જ આત્માની અખંડિત શોભા
છે, આત્માનો પ્રતાપ અખંડ છે.
કે પ્રતિકૂળ સંયોગ ચૈતન્યની શોભાને નુકશાન કરી શકતા નથી અને કોઈ અનુકૂળસંયોગો ચૈતન્યની શોભાને
સહાય કરતા નથી. આત્મા પોતે પોતાના અખંડિત પ્રતાપથી શોભે છે, એવી પ્રભુતા આત્મામાં ત્રિકાળ છે. તે
પ્રભુતા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે. દ્રવ્યમાં પ્રભુતા છે, ગુણમાં પ્રભુતા છે ને પર્યાયમાં પણ પ્રભુતા છે. એ ત્રણે
પોતાની સ્વતંત્રતાથી શોભી રહ્યા છે.
PDF/HTML Page 20 of 37
single page version
તેટલી મલિનતા થઈ, છતાં પણ દ્રવ્યની પ્રભુતાને તોડવાને તે કોઈ સમર્થ નથી; દ્રવ્યની પ્રભુતા તો એવી ને
એવી શોભી રહી છે, તેમાં અંશ માત્ર ખંડ પડ્યો નથી. તેવી જ રીતે ગુણમાં પણ પ્રભુત્વ છે, તે પણ એવું ને એવું
અખંડિત છે. અને એકેક સમયનો પર્યાય પણ પરની અપેક્ષા વગર સ્વતંત્રતાથી શોભી રહ્યો છે, તેથી પર્યાયમાં
પણ પ્રભુત્વ છે. પ્રભુત્વ શક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે, તેથી આત્મા પોતે પ્રભુ છે.
શોભે છે. આત્માની પ્રભુતાનો પ્રતાપ એવો અખંડિત છે કે અનંત અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહો આવે તોય તેનો
પ્રતાપ ખંડિત નથી થતો, ને ક્ષણિક પુણ્ય–પાપથી પણ તેની પ્રભુતા ખંડિત થતી નથી. આત્માની પ્રભુત્વશક્તિ
તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે ને ત્રિકાળ છે, વિકાર કાંઈ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપતો નથી તેમ
જ તે ત્રિકાળ નથી, માટે તે ક્ષણિક વિકારવડે પણ આત્માની પ્રભુતા ખંડિત થતી નથી. આ દ્રવ્યદ્રષ્ટિનો વિષય
છે. ત્રણે કાળે પોતાના સ્વતંત્ર પ્રભુત્વ ગુણથી આત્મા શોભી રહ્યો છે, –એવી આત્માની પ્રભુતા જેને બેઠી તેને
પર્યાયમાં કેવળજ્ઞાનરૂપી પ્રભુતા પ્રગટ્યા વગર રહે નહિ. તે કેવળજ્ઞાન જ એવું મંગળ સુપ્રભાત છે કે જે પ્રગટ્યા
પછી કદી પણ અસ્ત ન થાય.
અનાદિ અનંત પ્રભુત્વ છે, તે પોતાની અખંડ સ્વતંત્રતાના પ્રતાપે શોભે છે. આત્માના એકેક ગુણમાં પણ પ્રભુત્વ
છે. જ્ઞાનમાં જાણવાનું પ્રભુત્વ છે, દર્શનમાં દર્શનનું પ્રભુત્વ છે, આનંદમાં આહ્લાદનું પ્રભુત્વ છે, એમ દરેક
ગુણમાં પોત પોતાનું સ્વતંત્ર પ્રભુત્વ છે. આત્માના જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર વગેરે ગુણો પોતાના અખંડ પ્રતાપથી
શોભે છે. દ્રવ્ય અને ગુણની જેમ તેની એકેક સમયની અવસ્થાઓ પણ પોતાના અખંડ પ્રતાપથી શોભે છે,
પર્યાયમાં પણ પ્રભુત્વ છે. જ્ઞાનની એકેક સમયની અવસ્થામાં રાગદ્વેષ રહિત પૂરું જાણે એવી પ્રભુતા છે એક
સમયના જ્ઞાનપર્યાયમાં એવો અખંડ પ્રતાપ છે કે તેમાં રાગદ્વેષનો અભાવ છે. પરલક્ષે જે એક સમય પૂરતા
રાગદ્વેષ થાય છે તેને અહીં આત્માના સ્વરૂપમાં ગણવામાં આવ્યા નથી, તે એક સમયના રાગ–દ્વેષને અહીં ગૌણ
કર્યા છે. આત્માની પ્રભુતા ત્રિકાળ અખંડિત છે, કદી તે અધૂરી કે પરની ઓશિયાળી થઈ નથી. ખરેખર
વિકારમાં પ્રભુત્વ નથી કેમ કે તે આખા દ્રવ્ય–ગુણમાં કે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. આત્માની પ્રભુતા તો સર્વ
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં વ્યાપક છે.
હજો, બાહુબલિજીનું શરીરબળ હજો, અભયકુમારની બુદ્ધિ હજો’ –એમ અજ્ઞાની જીવ બહારના પદાર્થોની ભાવના
કરે છે, પણ પોતે પોતાના સ્વભાવની પ્રભુતાથી ભરેલો છે, તેની ભાવના કરતો નથી. જેણે પોતાના સુખ માટે
પરવસ્તુની જરૂર માની તેણે પોતાના આત્માની પ્રભુતા માની નથી, પણ પામરતા માની છે. તેથી તેને પર્યાયમાં
કદી કેવળ જ્ઞાનરૂપી પ્રભુતા થશે નહિ. અહીં તો કહે છે કે તારી પર્યાયમાં પણ પ્રભુતા છે, તારી પર્યાયને હીણી
કરવા કોઈ સંયોગ, કોઈ ક્ષેત્ર કે કોઈ કાળ સમર્થ નથી. એક સમયની દુઃખ પર્યાય ત્રિકાળીતત્ત્વની પ્રભુતાના
પ્રતાપને ખંડિત કરવા સમર્થ નથી; તે પર્યાયની અહીં વાત નથી.
પર્યાય કાઢી નાંખો તો ગુણનું અનાદિ અનંત અખંડપણું રહેતું નથી અને ગુણ અખંડ ન રહેતાં દ્રવ્ય પણ અખંડ
રહેતું નથી. માટે એકેક પર્યાયમાં પણ એવું પ્રભુત્વ છે કે તે આખા દ્રવ્યને અખંડિત રાખે છે. દ્રવ્ય અનંત ગુણોનો
પિંડ છે, ને ગુણ અનાદિ અનંત પર્યાયનો પિંડ છે. તેમાં એકેક ગુણ ને તેની એકેક સમયની એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભી રહ્યા છે.