Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૮
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
જે ઠ : સંપાદક : વર્ષ છઠ્ઠું
રામજી માણેકચંદ દોશી
૨ ૪ ૭ ૫ વકીલ અંક આઠમો
કઈ ક્રિયામાં આત્મા છે?
વર્તમાન દશામાં અધૂરું જ્ઞાન અને પુણ્ય–પાપ હોવા છતાં જે
જીવે પોતાના જ્ઞાનમાં અંતરંગ પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવની રુચિ કરી
તે જીવ કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી તો પાછો ખસી ગયો,
સુદેવગુરુના આશ્રયની રુચિ પણ તેને ટળી ગઈ, પોતાની અધૂરી
દશાનો આશ્રય પણ છૂટી ગયો, ને જ્ઞાનમાં પોતાના પૂરા
સ્વભાવની રુચિ થઈ; એવું જ્ઞાન જ સમ્યક્ત્વ છે, એવું જ્ઞાન કરવું
તે જ ધર્મની ક્રિયા છે. પુણ્યની ક્રિયાથી કે જડની ક્રિયાથી ધર્મ થતો
નથી, કેમ કે તે ક્રિયામાં આત્મા નથી, જ્ઞાનની ક્રિયામાં જ આત્મા
છે. ને જ્ઞાનની ક્રિયાથી જ ધર્મ થાય છે.
–ભેદવિજ્ઞાનસાર
છુટક અંક વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
• અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
મહ વદ પ ગરુવર
૧૭ – ૨ – ૪૯
આત્માનું ચૈતન્યરૂપી તેજ સર્વ પદાર્થોને પ્રકાશિત કરનારું છે ને સ્વયં પ્રકાશરૂપ છે. આવા આત્માને
ઓળખવો તે જ મનુષ્ય જીવનમાં કરવા જેવું છે.
જીવ અનંત કાળથી સંસારમાં રખડે છે. કીડી મંકોડો થયો ત્યારે ગોળ વગેરે મળ્‌યા તેને જાણવામાં જ
જ્ઞાન અટકી ગયું, ઢોર થયો તો ઘાસ–પાણી ને છાયાને જાણવામાં ત્યાં રાગ કરીને રોકાણો, મનુષ્ય થયો તો પૈસા
વગેરે જે જે સંયોગ મળ્‌યા તે સંયોગને જાણવામાં જ જ્ઞાનને રોકી દીધુ. આત્માનો સ્વભાવ તો બધાયને
જાણવાનો છે તેને બદલે થોડા થોડામાં અટકીને જાણે તે તેનું સ્વરૂપ નથી. ખાવા–પીવામાં, નાવા–ધોવામાં ક્યાંય
સુખ નથી. સૂવામાં ય સુખ નથી.
જંગલમાં રહેલા દિગંબર સંતમુનિએ આ શાસ્ત્ર રચ્યું છે. આ શાસ્ત્રનું નામ પદ્યનંદી પંચવિંશતિ છે, શ્રીમદ્રાજચંદ્ર
આ શાસ્ત્રને ‘વનશાસ્ત્ર’ કહે છે. તેમાં આચાર્યમહારાજ કહે છે કે આત્માનો સ્વભાવ બધાયને જાણવાનો છે.
જીવને ઘડીમાં ભગવાનની ભક્તિનો શુભરાગ અને ઘડીમાં સ્ત્રી આદિ પ્રત્યેનો અશુભરાગ થાય છે, તે
બંને ભાવો નવા નવા છે અને ક્ષણિક છે, તે વગરનો કાયમ ટકનાર જ્ઞાનસ્વભાવ છે તેની ઓળખાણ તો કરો;
તેનો નિર્ણય કરો, પછી ખબર પડશે કે આત્માનું શું કર્તવ્ય છે?
પૂર્વે અનંતવાર રાજા થયો, તે યાદ નથી આવતું છતાં પણ યુક્તિથી સિદ્ધ થઈ શકે છે. પૂર્વે આત્મા હતો;
જેમ માતાના પેટમાં ૯ માસ રહ્યો હતો તે યાદ નથી આવતું છતાં હતો ખરો. તેમ પૂર્વે રાજા વગેરે ભવમાં
આત્મા હતો, તે ભવ યાદ ન આવે તોપણ આત્મા તો સદાય હતો.
જીવ એક વાર કીડી થયો, ત્યારે ગોળની કટકીથી રાજી થઈ ગયો અને માણસ થયો ત્યારે લાખો રૂપિયા
મળ્‌યા તેમાં રાજી થયો, બંનેમાં કાંઈ ફેર નથી. આત્માએ અનંતકાળથી પોતાની શોધ નથી કરી પણ પરને જ
ગોત્યું છે. ઈયળ થયો તો વિષ્ટાને શોધી, ઢોર થયો તો ઘાસને ગોત્યું, જુવાન માણસ થયો તો સ્ત્રી આદિને શોધી,
પણ તેમાં ક્યાંય સુખી ન થયો. પોતે બધાનો જાણનાર છે તેની શોધ કદી કરી નથી. આત્માનું કાયમનું કામ તો
જાણવું ને આનંદમાં રહેવું તે જ છે. પણ તેને ભૂલીને બહારમાં આથડી રહ્યો છે. સુખ બહારમાં શોધે છે, પણ અંદર
જોતો નથી. સ્વર્ગમાં ગયો તો દેવ–દેવીમાં સુખ માન્યું, પણ ભાઈ! આત્મામાં સુખ છે તેમાં તો જો. અનંતકાળની
રખડપટ્ટીથી થાકે તો આત્માની સંભાળ કરે. આત્માનો કદી નિર્ણય કર્યો નથી. જેમ રસ્તાના બે ફાંટા પડે ત્યાં ક્યો
રસ્તો સાચો! તે નક્કી કરીને પછી ચાલે છે, તેમ આત્માનો સ્વભાવ કેવો છે તે નિર્ણય કરે તો તેનો ઉપાય કરે.
અત્યારે મહાવિદેહમાં શ્રીસીમંધર ભગવાન બિરાજે છે તે કેવળજ્ઞાની અરિહંત છે, કેવળી શું કરે? જાણે.
જેમ સર્વજ્ઞભગવાન પૂર્ણ જાણે છે તેમ દરેક જીવ જાણનાર જ છે. ભગવાન શું કરે છે? –જાણે છે; જાણવા સિવાય
બીજું કાંઈ કરતા નથી. ભગવાનને ઈચ્છા ન હોય. ઈચ્છા તો દુઃખનું મૂળ છે. કહ્યું છે કે–
‘ક્યા ઈચ્છત ખોવત સબૈ, હૈ ઈચ્છા દુઃખમૂળ.”
ભગવાન પરનું કાંઈ કરતા નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય એ વાત ખોટી છે, ભગવાનને ઈચ્છા જ
નથી. કસાઈ ગાયો કાપે છે, તો શું ભગવાનની એવી ઈચ્છા હોય? અત્યારે તો માણસ માણસને કાપી નાંખે છે.
તો શું ભગવાનને એવી ઈચ્છા હોય? ભગવાન તે કાંઈ કરતા નથી, પણ સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે બહારનો
સંયોગ–વિયોગ થયા કરે છે. ભગવાન તો બધું જાણે છે. આત્માનો સ્વભાવ જાણવાનો જ છે. તેને ભૂલીને
બીજામાં સુખ માને છે તેને અજ્ઞાનરૂપી સન્નેપાત લાગુ પડ્યો છે. જેમ સન્નેપાતનો રોગી ગાંડપણથી હસે છે
તેમ અજ્ઞાની પુણ્ય–પાપના ભાવ કરીને તેનો હરખ કરે છે તે હરખ સન્નેપાત છે.
જીવ ક્રોધ કરે તો થાય છે, ન કરે તો નથી થતો, ક્રોધ કરવામાં કે ટાળવામાં કોઈ બીજાની મદદ તેને નથી,
માટે ક્રોધ કરવામાં તે સ્વતંત્ર છે, ને તે ટાળવામાં પણ સ્વતંત્ર છે. ક્રોધનો કર્તા આત્મા જ ભાસે છે, ઈશ્વર તેનો
કરાવનાર નથી. જેમ ક્રોધ કરવામાં જીવ સ્વતંત્ર છે તેમ ત્રિકાળ જીવ સ્વતંત્ર છે, ઈશ્વરે જીવને બનાવ્યો નથી.
જેમ ખડી ધોળી છે તેમ આત્મા ચૈતન્યમૂર્તિ છે, તે જાણનાર દેખનાર છે, એનો નિર્ણય કરે તો ધર્મ થાય છે.
આત્માનું જ્ઞાન અંતરહિત છે. ઘણા વર્ષનું જ્ઞાન અંદરમાં ભર્યું હોય છતાં વજન વતું નથી. ગઈ કાલની
વાત યાદ કરે છે તેમ પચાસ વર્ષ પહેલાની વાત પણ યાદ કરે છે, તેમાં વાર લાગતી નથી. અને એ જ રીતે જો
જ્ઞાનસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર થાય તો અનંતકાળનું બધું જાણે તેવી જ્ઞાનની અપાર શક્તિ છે. આત્મામાં
(અનુસંધાન ટાઈટલ પાન – ૩)

PDF/HTML Page 4 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૧ :




જ્ઞાનથી આત્માનો ધર્મ કઈ રીતે થાય છે તેની આ વાત છે. ધર્મ ક્યાંય બહારમાં તો થતો નથી, ને
આત્માના દ્રવ્યમાં કે ગુણમાં પણ થતો નથી, ધર્મ આત્માની વર્તમાન અવસ્થામાં થાય છે. હવે જ્ઞાનની વર્તમાન
અવસ્થા જો આકાશ વગેરે પર દ્રવ્ય તરફ લક્ષ કરે તો તે અવસ્થામાં ધર્મ થતો નથી. ‘બધા દ્રવ્યો કરતાં આકાશ
દ્રવ્ય અનંતગણું વિશાળ છે’ –એમ શ્રુતજ્ઞાનના વિકલ્પથી–રાગમાં એકતા કરીને–જે જ્ઞાન ખ્યાલમાં લ્યે તે જ્ઞાનને
પણ અચેતન પદાર્થો સાથે અભેદ ગણીને અચેતન કહ્યું છે. અને જે જ્ઞાન અવસ્થા આકાશ વગેરે પર દ્રવ્ય
તરફના વિકલ્પથી છૂટી પડીને આત્માના સ્વભાવ તરફ વળે તે જ્ઞાન રાગરહિત છે, ચેતન સાથે અભેદ છે, અને
તે જ્ઞાન જ ધર્મ છે.
અનંત એવા આકાશને લક્ષમાં લેવા છતાં જે જ્ઞાન પરાશ્રિત છે તે અચેતન છે; તેમ જ આત્માનું જે
વર્તમાન જ્ઞાન દયા વગેરેના વિચારમાં અટકે તે પણ અચેતન છે. એક સમયના ભાવશ્રુતજ્ઞાનને સ્વભાવ તરફ
વાળીને ત્રિકાળી આત્મસ્વભાવની રુચિ કરતું જે જ્ઞાન પ્રગટે તે જ્ઞાન ત્રિકાળી ચેતન સાથે એક થયું, તેને અહીં
ચેતન કહ્યું છે. સ્વભાવનો આશ્રય કરીને આત્માને જાણે છે તે તો નિશ્ચય છે અને સ્વભાવના આશ્રયપૂર્વક
આકાશની અનંતતા વગેરેને જાણે તે વ્યવહાર છે, એ રીતે બેહદ ચૈતન્ય સ્વભાવને લક્ષમાં લઈને તેનો આશ્રય
કરે તેને જ અહીં યથાર્થ જ્ઞાન કહ્યું છે, અજ્ઞાનીના પરાશ્રિત જ્ઞાનને અહીં જ અચેતનમાં ગણ્યું છે. રાગ ઘટાડીને
શાસ્ત્રના આશ્રયે અગિયાર અંગને જાણે તો પણ તે જ્ઞાન માત્ર રાગનું ચક્ર બદલીને થયું છે, તે જ્ઞાનમાં
સ્વભાવનો આશ્રય નથી પણ રાગનો આશ્રય છે, તેથી તે અગિયાર અંગનું જ્ઞાન પણ અનાદિની જાતનું જ છે.
આત્મસ્વરૂપની રુચિ કરીને તેમાં સમાધિ–એકાગ્રતા વડે જ જ્ઞાન પ્રગટે તે અપૂર્વ છે, મોક્ષનું –કારણ છે. ભલે
શાસ્ત્ર વગેરે પરનું બહુ જાણપણું ન હોય તોપણ સ્વભાવના આશ્રયે થયેલું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે ને તે
કેવળજ્ઞાનનું કારણ છે.
હવે વિચારો કે, કેટલા બહારના કારણે આત્માનું જ્ઞાન પ્રગટે? બાહ્ય પદાર્થોના જ્ઞાનથી કે તે તરફના
શુભરાગથી ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન થાય નહિ. આત્મા તરફ વળે તો જ આત્માનું જ્ઞાન થાય. જીવ કરતાં
પુદ્ગલ પુદ્ગલ. કરતાં કાળના સમયો અને તેના કરતાં આકાશના પ્રદેશો અનંતગુણા છે તેનો ખ્યાલ પર લક્ષે
કરે, પણ તે બધાયને ખ્યાલમાં લેનાર પોતાનો ચૈતન્યસ્વભાવ કેવો છે તેનો ખ્યાલ ન લ્યે તો એકલા પર લક્ષે
થયેલો જ્ઞાનનો ઉઘાડ કાયમ નહિ ટકે. આત્માનો સ્વભાવ સ્વ–પર પ્રકાશક છે, પોતાના ચૈતન્યસ્વભાવના યથાર્થ
જ્ઞાન વગર પરનું જ્ઞાન યથાર્થ થશે નહિ, અને એવા જ્ઞાનથી આત્માને સુખ કે ધર્મ થાય નહિ.
બધા દ્રવ્યોમાં આકાશની પ્રદેશસંખ્યા અનંત છે, પણ આત્મસ્વભાવનું જ્ઞાનસાર્મર્થ્ય તેનોથીયે અનંતું છે;
કેમકે અનંત આકાશને જાણે એવું જ્ઞાનના એક પર્યાયનું સામર્થ્ય છે, એવા અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાન–
ગુણ છે અને એવા જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય વગેરે અનંત ગુણો આત્મામાં છે. એવા ચૈતન્યસ્વભાવની અનંતતા
લક્ષમાં લેતાં જ્ઞાનની સ્વ તરફની અનંતગણી દશા ખીલી. આકાશની અનંતતા કરતાં ચૈતન્યની અનંતતા
અનંતગણી છે તેથી આકાશને લક્ષમાં લેનાર જ્ઞાન કરતાં, ચૈતન્યને લક્ષમાં લેનાર જ્ઞાનમાં અનંતગણું સામર્થ્ય
છે. અને એવા અનંત ચૈતન્ય સામર્થ્યનું જ્ઞાન કરતાં સમ્યક્ પુરુષાર્થ ખીલ્યો છે. આકાશની અનંતતા લક્ષમાં
લેનારું જ્ઞાન પર પ્રકાશક છે, તેનો મહિમા નથી અને તે ખરેખર મોક્ષમાર્ગમાં સહાયકારી નથી. જે જ્ઞાન,
સ્વભાવને પકડીને એકાગ્ર થાય તે જ્ઞાનનો મહિમા છે. ને તે મોક્ષમાર્ગરૂપ છે. અહીં પર તરફના જ્ઞાનનો
નિષેધ કરતાં ખરેખર તો વ્યવહારનો અને પર્યાય બુદ્ધિનો જ નિષેધ કરીને તેનો આશ્રય છોડાવ્યો છે. આ જ
રીતે ધર્મ થાય છે. આમાં પાપભાવની વાત નથી રાગ ઘટાડીને પુણ્ય કરતાં કરતાં ધર્મ થઈ જશે એમ કોઈ
માને તો તેને ધર્મ હરામ છે–એટલે કે જરાપણ ધર્મ નથી, પણ મિથ્યાત્વના પાપની પુષ્ટિ કરતાં કરતાં તેના
પર્યાયમાં નિગોદ દશા થાય છે.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૪૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
દ્રવ્યોની સંખ્યામાં પુદ્ગલ દ્રવ્યો સૌથી અનંતા છે. ક્ષેત્રથી આકાશ દ્રવ્ય બધા કરતાં અનંતગુણું છે, અને
ભાવથી ભગવાન આત્માના જ્ઞાનની અનંતતા છે. બધા પદાર્થોની અનંતતાને જાણનારું આત્માનુ જ્ઞાન જ છે, તે
જ્ઞાનનો જ મહિમા છે. જ્ઞાનસ્વભાવની અનંતતાનો મહિમા જાણીને તેમાં જે જ્ઞાન વળ્‌યું તે જ્ઞાન આત્માના
કલ્યાણનું કારણ છે. છ દ્રવ્યોના સ્વભાવનું યથાર્થ વર્ણન સંપૂર્ણ સર્વજ્ઞદેવના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી;
અને તે છ દ્રવ્યોનો તથા તેને જાણનાર પોતાના જ્ઞાન સ્વભાવનો યથાર્થ સ્વીકાર કરનાર સર્વજ્ઞદેવના
અનુયાયી–સમ્યગ્દ્રષ્ટિ સિવાય બીજું કોઈ નથી.
આકાશની અનંતતા વગેરે છ એ દ્રવ્યોને રાગસહિત ખ્યાલમાં લ્યે તેટલો ઉઘાડ તો અજ્ઞાનમાં પણ હોય
છે. બધા દ્રવ્યોમાં આકાશ અનંતગુણા પ્રદેશવાળું છે એવું તો મિથ્યાશ્રુતજ્ઞાન પણ ખ્યાલમાં લે છે. પરંતુ પર
પદાર્થોનું ગમે તેટલું જાણપણું કરે તે આત્માને જાણવામાં કાર્યકારી થાય નહિ. પોતાના સ્વભાવના સ્વીકાર
વિનાનું જેટલું પરનું જ્ઞાન હોય તે બધું અચેતન છે. ચેતન તો તેને કહેવાય કે જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને
સ્વીકારને તેમાં અભેદ થાય. ચૈતન્યથી ભેદ પાડીને પરમાં અભેદપણું માને તો તે જ્ઞાન ચેતનાનું વિરોધી છે.
આકાશ તે જડ દ્રવ્ય છે ને તેનામાં જ્ઞાન નથી એવું તો સામાન્યપણે ઘણા જીવો માને; પણ અહીં માત્ર
આકાશનું જ અચેતનપણું સાબિત નથી કરવું પણ આચાર્યદેવે અહીં ગૂઢ ભાવો ભર્યા છે; એકલા આકાશ તરફનું
જ્ઞાન પણ અચેતન છે–એમ કહીને ત્રિકાળી આત્મ સ્વભાવ સાથે જ્ઞાનની એકતા જણાવે છે; એટલે વર્તમાન
જ્ઞાનમાંથી પરનો અને પર્યાયનો પણ આશ્રય છોડીને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવાનું જણાવ્યું છે.
જે જીવે કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર–કુતીર્થની માન્યતા છોડી દીધી છે અને જૈનના નામે પણ જે કલ્પિત
મિથ્યામાર્ગ ચાલે છે તેની શ્રદ્ધા છોડીને સાચા દેવ શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધા–ઓળખાણ કરી છે અને તેમણે કહેલા
આકાશ વગેરે દ્રવ્યોના વિચારમાં જ અટકી રહ્યો છે પણ પોતાના સ્વભાવ તરફ વળતો નથી એવા પાત્ર જીવને
માટે અહીં ઉપદેશ છે કે–હે જીવ? પર દ્રવ્યો તરફ વળીને રાગસહિત જે જ્ઞાન જાણે તે તારું સ્વરૂપ નથી, પણ
ચૈતન્યસ્વભાવમાં વળીને જ્ઞાનની જે અવસ્થા ચૈતન્યસ્વભાવમાં અભેદ થઈને સ્વ–પરને જાણે તે તારું સ્વરૂપ છે.
ચૈતન્યસ્વભાવમાં વળીને તેમાં લીન થયેલો પર્યાય તે જ ચૈતન્યનું સર્વસ્વ છે.
અહો, અનંત આકાશને ખ્યાલમાં લેનાર એવા જ્ઞાનને પણ જે જીવ ‘અચેતન’ સ્વીકારશે તે જીવ રાગ–
દ્વેષને પોતાનાં કેમ માનશે? ને તેનાથી ધર્મ કેમ માનશે? પરમાં ક્યાંય સુખ કેમ માનશે? ને પરનો કર્તા પોતાને
કેમ માનશે? –એ જીવ તો પોતાના જ્ઞાનપર્યાયનો આશ્રય પણ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વળીને
તેમાં લીન થશે. અહો, આવા ભગવાન ચૈતન્ય સ્વભાવના સ્વીકારમાં કેટલો પુરુષાર્થ છે! પોતાના મતિ–
શ્રુતજ્ઞાનને સ્વભાવમાં એક કરીને સ્વભાવના આશ્રયે હું જ્ઞાતાદ્રષ્ટા છું એમ જેણે સ્વીકાર્યું તેની જ્ઞાનચેતના
જાગૃત થઈ તે આત્મા પોતે જાગૃત થયો, સાધક થયો અને હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે.
–ભેદવિજ્ઞાનસાર
એકવાર તો જ્ઞાનસમુદ્રમાં ડૂબકી માર!
પુણ્ય–પાપ તે પરસમય છે, અનાત્મા છે; તેનું જ હોવાપણું જેને ભાસે છે તે
મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્ય–પાપ વખતે જ ચૈતન્યસ્વભાવમાં દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા
જેને ભાસે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પર્યાયે પર્યાયે સ્વભાવમાં એકતા
જ વધતી જાય છે. માટે આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! એકવાર તું એમ તો માન
કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, રાગાદિ મારામાં છે જ નહિ. પર્યાયમાં રાગાદિ થાય તે મારા
સ્વરૂપમાં નથી, ને મારું જ્ઞાન તે રાગમાં એકમેક થઈ જતું નથી. આમ રાગ અને
જ્ઞાનની ભિન્નતાને જાણીને એકવાર તો રાગથી જુદો પડીને આત્માના જ્ઞાનનો અનુભવ
કર! તારા જ્ઞાનસમુદ્રમાં એકવાર તો ડૂબકી માર.
–ભેદવિજ્ઞાનસાર–

PDF/HTML Page 6 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૩ :
લેખાંક ૮] વીર સંવત્ ૨૪૭૩ ભાદરવા સુદ ૧ સોમવાર [અંક ૬૭થી ચાલુ
[શ્રી પરમાત્મ પ્રકાશ ગા. ૭]
પહેલાં પરમાત્મસ્વરૂપની ઓળખાણપૂર્વક પરમાત્માને નમસ્કાર કર્યા. હવે આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુને નમસ્કાર કરે છે, તેમાં તેમના સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર વગેરે પંચાચાર કેવા હોય તે
ઓળખીને નમસ્કાર કરે છે. પહેલો સમ્યગ્દર્શનાચાર છે. જેવું સમ્યગ્દર્શન મુનિને હોય તેવું જ શ્રાવક ગૃહસ્થનું
સમ્યગ્દર્શન પણ હોય છે.
[૬૦] સમ્યગ્દ્રષ્ટિ જીવ શું સ્વીકારે છે અને શેનો નિષેધ કરે છે?
મુનિઓના પંચાચારમાં પહેલાંં ‘દર્શનાચાર’ છે; તે ઓળખાવવા માટે, સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માને કેવો
શ્રદ્ધે છે તે બતાવે છે. આત્માનો સત્સ્વભાવ બતાવવા માટે પહેલાંં અસત્નો નિષેધ કરે છે.
(૧) પરદ્રવ્ય સાથેના સબંધનો (અસદ્ભૂત વ્યવહારનો) નિષેધ :– દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ તે જડ છે,
આત્મા સાથે તે એક ક્ષેત્રે રહેલા છે તેથી તે ‘અનુપચરિત’ છે. પરંતુ તે અસદ્ભૂત છે–મિથ્યા છે. શરીરાદિ નોકર્મ
તથા આઠ દ્રવ્યકર્મનો સંબંધ અસત્ છે, મિથ્યા છે, માટે સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવ તેના ઉપરની દ્રષ્ટિ છોડે
છે. અસત્ સંબંધનો નિષેધ કરીને સત્સ્વભાવનો જ સંબંધ બતાવે છે.
ધર્મી એમ માને છે કે–અત્યાર સુધી પર સાથે મેં સંબંધ માન્યો હતો તે માન્યતા મિથ્યા હતી, હવે તે
માન્યતા છોડુ છું. સમ્યગ્દર્શનમાં પહેલી આ જ વાત છે. અજ્ઞાનીઓ પહેલાંં લીલોતરી છોડવી–એવી વાતો કરે છે.
ધર્મી જીવો પોતાને આત્મા માને છે, અને મનુષ્યપણાના વ્યવહારની જેટલી ક્રિયા છે તેને પોતાનું સ્વરૂપ માનતા
નથી. મનુષ્યપણાના વ્યવહારની ક્રિયાને જે આત્માની માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે એમ પ્રવચનસાર શાસ્ત્ર (અ,
૨ ગા. ૩) માં કહ્યું છે.
ધર્મ કરનારે એકલા રહેવું છે કે બેકલા (પરસાથે સંબંધમાં) રહેવું છે? ધર્મ એકલા સ્વભાવમાં છે, એટલે
એકરૂપ સ્વભાવ સાથે સંબંધ જોડવો, ને જુદા પદાર્થો સાથેનો સંબંધ તોડવો–એ ધર્મીનું કામ છે. પહેલાંં તો શરીર
અને કર્મો સાથેનો સંબંધ તોડયો.
(૨) રાગાદિવિકાર અને વિભાવપર્યાયનો (અશુદ્ધનિશ્ચયનો) નિષેધ :– હવે રાગ–દ્વેષાદિ વિકારીભાવો
સાથેનો સંબંધ તોડે છે: અશુદ્ધનિશ્ચયનયથી પોતાના પર્યાયમાં વિકાર છે તેને જાણીને, ‘તેનાથી રહિત શુદ્ધચિદ્રૂપ
છું’ એમ જ્ઞાની જાણે છે અને તે વિકારનો સંબંધ અસત્ છે તેથી તેની પ્રતીતિ છોડે છે. શરીરાદિ તો જુદા જ છે
અને વિકાર ક્ષણિક છે. એ બંનેનો સંબંધ અસત્ છે. એક શુદ્ધચિદ્રૂપસ્વભાવ છું તે જ સત્ છે–એમ ધર્મી માને છે.
પરમ શુદ્ધાત્મતત્ત્વનો સ્વીકાર તે સમ્યગ્દર્શન છે; શરીરાદિ નોકર્મ, દ્રવ્યકર્મ અને રાગાદિભાવકર્મ એ
ત્રણેના સંબંધનો તો નિષેધ કર્યો. હવે અધૂરીદશાનો પણ નિષેધ કરે છે. મતિ–જ્ઞાનાદિ નિર્મળદશાને અહીં
‘વિભાવગુણ’ કહ્યો છે; એના સંબંધથી પણ રહિત છે કેમકે એટલું આત્માનું સ્વરૂપ નથી. રાગાદિ વિકાર થાય તે
તો આત્માનું સ્વરૂપ નથી. પરંતુ તેને જાણનારું જે સાચું મતિ–શ્રુત–અવધિ કે મનઃપર્યાયજ્ઞાન તે પણ આત્માનું
સ્વરૂપ નથી; સમ્યગ્દર્શન એનો સંબંધ સ્વીકારતું નથી. સમ્યગ્દર્શન ‘પરમ સત્ય’ ને સ્વીકારે છે; પરમસત્ય કેવું
છે તે બતાવવા માટે અહીં શાસ્ત્રકાર પહેલાંં અસત્ના સંબંધનો નિષેધ કરે છે.
મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન કે મનઃપર્યયજ્ઞાન તે પણ હજી અધૂરીદશા છે એ અપેક્ષાએ વિભાવ છે;
તેને જાણવું તે ક્યો નય છે? અશુદ્ધનિશ્ચયનય તેને જાણે છે. તે મતિજ્ઞાનાદિ–પર્યાયો છે ખરી, અને
અશુદ્ધનિશ્ચયનય તેને જાણે છે. પણ સમ્યગ્દર્શન તેને સ્વીકારતું નથી, સમ્યગ્દર્શન તો પૂરેપૂરા સ્વભાવને જ
સ્વીકારે છે, તે સિવાય કોઈના સંબંધને તે સ્વીકારતું નથી.
(૩) પરમસત્ય સ્વભાવનો (શુદ્ધનિશ્ચયનો) સ્વીકાર :– બાળક પણ નાના ભાગને સ્વીકારતો નથી, પણ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૪૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
મોટા ભાગને જ સ્વીકારે છે. તેમ અહીં સમ્યગ્દર્શન કોઈ નાના ભાગને (ભેદને, અપૂર્ણતાને, વિકારને કે
પરસાથેના સંબંધને) સ્વીકારતું નથી પણ આખા સ્વભાવને સ્વીકારે છે. આખો સ્વભાવ શું? ને નાનો ભાગ
શું? દ્રવ્યકર્મ–નોકર્મને સ્વીકારે નહિ, ક્ષણિક રાગાદિને સ્વીકારે નહિ, પણ અધૂરી નિર્મળપર્યાયને પણ સ્વીકારે
નહિ. અને નર, નારકાદિરૂપ આત્માના વિભાવવ્યંજન–પર્યાયને પણ સ્વીકારતું નથી. ત્રિકાળીસ્વભાવની
અપેક્ષાએ તે બધા નાના ભાગ છે. આ નિષેધ કર્યો તેને જ્ઞાન જાણે છે, સમ્યગ્દર્શનમાં તો ‘આ રાગાદિ હું નહિ’
એવો પણ વિકલ્પ કે ભેદ નથી, તેમાં તો ‘એકલો પરમસત્યસ્વભાવ તે જ હું’ એવી પ્રતીતિરૂપ અનુભવ હોય છે.
પરમસત્યસ્વભાવ તે જ મોટો (પૂરો) ભાગ છે.
એ રીતે દ્રવ્યકર્મ, નોકર્મ, રાગાદિ, મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને વિભાવવ્યંજન પર્યાય–એ બધા અસત્
છે, તેના સંબંધ રહિત ચિદાનંદ ચિદ્રૂપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ છે તે જ પરમસત્ય છે, તેને જ
સમ્યગ્દર્શન સ્વીકારે છે.
અનેક પ્રકારનો નિષેધ કરીને શુદ્ધાત્મતત્ત્વને ‘એક’ કહ્યું, અને વિકારાદિનો નિષેધ કરીને ‘ચિદાનંદ
ચિદ્રૂપ શુદ્ધાત્મસ્વભાવ’ એમ કહ્યું છે, આ સત્યસ્વભાવ તે જ ભૂતાર્થ છે. અહીં સંસ્કૃત ટીકામાં તથા સમયસારની
૧૧ મી ગાથામાં તેને ‘ભૂતાર્થ’ કહ્યો છે. શુદ્ધાત્મતત્ત્વ તે જ ભૂતાર્થ છે અને ઉપર કહ્યા તે બધા ભાવો અભૂતાર્થ
છે; અભૂતાર્થ એટલે કે ક્ષણિક છે, તેને જ્ઞાન જાણે પણ સમ્યગ્દર્શન તેને સ્વીકારે નહિ.
[૬૧] પરની પ્રતીતથી સમ્યગ્દર્શન નથી.
વીતરાગમાર્ગમાં પરને માનવાથી સમ્યગ્દર્શન કહ્યું નથી પરંતુ પોતે પોતાનો જેવો સ્વભાવ છે તેવો
માનવાથી સમ્યગ્દર્શન કહ્યું છે. ‘તું અમને માન તો તને સમ્યગ્દર્શન છે’ એમ વીતરાગશાસનમાં દેવ–ગુરુ–શાસ્ત્ર
કહેતાં નથી પણ ‘જેવો તારો સ્વભાવ છે તેવો તું માન અને અમારો આશ્રય છોડ તો સમ્યગ્દર્શન છે’ એમ
વીતરાગશાસનમાં કહ્યું છે. કુદેવાદિને માનવાની વાત તો ધર્મથી ક્યાંય દૂર રહી પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની
પ્રતીતથી પણ રાગ છે, ધર્મ નથી.
[૬૨] કેવળજ્ઞાનપર્યાયનો નિષેધ છે કે નહિ?
ઉપર મતિજ્ઞાનાદિને વિભાવગુણ તરીકે કહીને નિષેધ કહ્યો છે, પરંતુ તેમાં કેવળજ્ઞાનને વિભાવગુણ ગણ્યું
નથી, કેમકે તે પૂર્ણ શુદ્ધદશા હોવાથી અભેદપણે શુદ્ધાત્મતત્ત્વમાં આવી જાય છે, અને વર્તમાન તે પર્યાય
આત્મામાં પ્રગટ નથી; તેનો ભેદ પાડીને જે વિકલ્પ કરવો તે વિકલ્પનો નિષેધ છે, પણ કેવળજ્ઞાન શુદ્ધઅવસ્થા
હોવાથી અહીં તેને દ્રવ્યમાં અભેદપણે ગણી છે. કેવળજ્ઞાન પર્યાયને જુદો લક્ષમાં લેનાર શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય
છે. શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધાત્મદ્રવ્યમાં કેવળજ્ઞાનપર્યાય અભેદપણે આવી જાય છે, પણ ભેદ પાડીને તે એક
પર્યાયને જુદો લક્ષમાં લેતાં રાગ આવે છે માટે તે ભેદનો નિષેધ છે.
[૬૩] સમ્યગ્દર્શન પ્રગટવા માટે આત્માએ શું કરવા યોગ્ય છે?
જે પરમાર્થરૂપ સમયસાર છે તેને જ સમ્યગ્દર્શન સ્વીકારે છે, તેનું જ આરાધન તેની સેવના, તેની રુચિ,
તેમાં એકાગ્રતા, તે રૂપ પરિણમન અને એમાં જ લીનતા કરવા યોગ્ય છે. સર્વ પ્રકારે એ પરમાર્થ શુદ્ધાત્મસ્વભાવ
જ આરાધવા યોગ્ય છે, એ સિવાય અન્ય કોઈ વસ્તુ આરાધવા યોગ્ય નથી. આવી દ્રઢ પ્રતીતિ કરવી તે જ
સમ્યક્ત્વ છે. આવું જે આત્માએ કર્યું તે આત્મા સમ્યક્ થયો અર્થાત્ તે જ આત્મા સાચો થયો.
ત્રિકાળસ્વભાવને ભૂલીને સંયોગદ્રષ્ટિ કે પર્યાયદ્રષ્ટિ તે મિથ્યાત્વ છે. પરંતુ ત્રિકાળીસ્વભાવની દ્રષ્ટિપૂર્વક
પર્યાયનું કે સંયોગનું જ્ઞાન કરે તો ત્યાં મિથ્યાજ્ઞાન નથી કેમકે તે જ્ઞાન તેનો નિષેધ કરે છે, સ્વભાવમાં તેને
સ્વીકારતું નથી. ત્રિકાળીસ્વભાવ તે પરમસત્ય છે, સર્વ પ્રસંગમાં તેની દ્રઢતા આગળ કરવી; લખવામાં,
વાંચવામાં શ્રવણમાં, બોલવામાં કે ચિંતવનમાં સર્વત્ર એ જ એક પરમ ઉપાદેય શુદ્ધાત્મતત્ત્વની મુખ્યતા રાખવી.
બીજું જે જે આવે તેને જાણીને ‘આ હું નહિ’ એમ નિષેધ કરીને અખંડ સ્વભાવની જ દ્રષ્ટિનો પુરુષાર્થ કરવો.
જ્ઞાન પર્યાય વધ્યો તેટલો પણ હું નહિ પણ જ્યાંથી જ્ઞાન પ્રગટે છે એવો પૂરો સ્વભાવ તે હું છું–એમ
ત્રિકાળીસ્વભાવની ગંભીરતા પર દ્રષ્ટિ કરવી. પર્યાયમાં આટલું જ્ઞાન નીકળ્‌યું તો હજી સ્વભાવમાં કેટલી
ગંભીરતા હશે! એમ જે પર્યાય પ્રગટી તેના લક્ષે ન અટકતાં સ્વભાવની દ્રષ્ટિ કરવી. અનંતઅનંત કેવળજ્ઞાન
અવસ્થા પ્રગટે એવો

PDF/HTML Page 8 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૫ :
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ પણ શ્રેષ્ઠ છે
જે સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ છે તે મોક્ષમાર્ગમાં રહેલો છે, પરંતુ
મિથ્યાદ્રષ્ટિ મુનિ મોક્ષમાર્ગી નથી; માટે મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે.
–રત્નકરંડ શ્રાવકાચાર: ૩૩
ગંભીર સ્વભાવ છે. એવા સ્વભાવની સમ્યક્પ્રતીતિરૂપે પરિણમન થઈ જવું તે સમ્યગ્દર્શન છે;
[૬૪] જૈનધર્મના પ્રથમ આચાર–વિચાર
આવું સમ્યગ્દર્શન આચાર્ય–ઉપાધ્યાય–સાધુને હોય છે. આ સમ્યગ્દર્શન તે જ પહેલો ધર્મનો આચાર છે.
દર્શનાચાર પહેલાંં વ્રતાચાર હોઈ શકે નહિ. જે ગૃહસ્થ સમ્યગ્દ્રષ્ટિ હોય તેને પણ આવો દર્શનાચાર હોય છે. ધર્મી
જીવના આચાર–વિચાર કેવા હોય અથવા તો જૈનના આચાર–વિચાર શું? રાગાદિ કે અધૂરું જ્ઞાન તે હું નહિ પણ
પૂર્ણ શુદ્ધાત્મતત્ત્વ તે હું એવું જે જ્ઞાન તે વિચાર છે અને તેની પ્રતીતિરૂપ પરિણમન તે આચાર છે. આ જ ધર્મી
જીવના (જૈનના) આચાર–વિચાર છે. પણ બહારમાં અમુક ખપે ને અમુક ન ખપે એ કાંઈ ધર્મનો આચાર નથી,
કેમકે ધર્મી જીવો પરદ્રવ્ય સાથે સંબંધ જ માનતા નથી.
[૬૫] રુચિરૂપી ઇંડું અને કેવળજ્ઞાનરૂપી મોરલો
જેમ મોરના ઇંડામાંથી સુંદર મોર પાકે છે, પરંતુ ઇંડામાં પહેલાંં તો રસ હોય છે, તેની શ્રદ્ધા કરીને સેવન
કરવાથી મોર પાકે છે. તેમ ચૈતન્યદ્રવ્ય સ્વભાવનો જેને રસ થાય (રુચિ થાય) તેને કેવળજ્ઞાનરૂપી મોર
પાકવાની શંકા ન પડે. પણ પહેલેથી જ શંકા કરીને ઇંડાને ખખડાવે તો મોર થાય નહિ. તેમ ચૈતન્યસ્વભાવની
શ્રદ્ધા પણ કરે નહિ તો તે ચૈતન્યનું સેવન કરે નહિ અને તેને કેવળજ્ઞાનરૂપી મોર પાકે નહિ. જેમ મોર પ્રગટ્યા
પહેલાંં ઇંડામાં મોરની શ્રદ્ધા કરે છે તેમ કેવળજ્ઞાનદશા પ્રગટ્યા પહેલાંં આત્માના પૂર્ણ સ્વભાવની પ્રતીતિ કરીને
તેનું સેવન કરે તો કેવળજ્ઞાન પરમાત્મદશા પ્રગટે. માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, માન રે માન! તારો સ્વભાવ
પરિપૂર્ણ ચિદાનન્દ ચિદ્રૂપ છે, અને રાગાદિનો સંબંધ તારા સ્વભાવમાં નથી;–એ જ સમ્યગ્દર્શન છે.
સુખ ક્યાં છે? અને કેમ થાય?
જેને આત્માનું સાચું સુખ જોઈતું હોય તેણે શું કરવું? –કઈ ક્રિયા કરવાથી સાચું સુખ થાય? તે વાત ચાલે
છે. સુખ ક્યાં છે? આત્મા સિવાય કોઈ બીજા પદાર્થોમાં આત્માનું સુખ નથી. શરીર વગેરે બધા પર પદાર્થો આ
આત્માથી ખાલી છે; અને આત્મા તે પદાર્થોથી ખાલી છે; તો જ્યાં આ આત્માનું હોવાપણું નથી ત્યાંથી આત્માનું
સુખ આવે નહિ. જ્યાં સુખ હોય તેમાંથી સુખ પ્રગટે, ન હોય તેમાંથી પ્રગટે નહિ. આત્મા પોતાના જ્ઞાન અને
સુખ સ્વભાવથી ભરેલો છે, પુણ્ય–પાપ કે પર વસ્તુઓથી તે શૂન્ય છે, એટલે કે તેમાં જ્ઞાન કે સુખ નથી.
આત્મા પરથી ખાલી છે–એમ કહેતાં કાંઈ આત્માનો સર્વથા અભાવ થતો નથી, કેમકે તે પોતાના
સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો છે. કોઈ વસ્તુ પોતે પોતાના સ્વભાવથી ખાલી ન હોય અને એક વસ્તુમાં બીજાનો
પ્રવેશ કદી હોય નહિ. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી પૂરી છે. આત્મા પોતે જાણવું–દેખવું–શ્રદ્ધા–સુખ–ચારિત્ર–
વીર્ય વગેરે અનંત શક્તિઓથી ભરેલો છે, એવા આત્મસ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતા કરતાં આત્મા પોતે જ
સુખરૂપે પરિણમે છે, આત્મામાંથી જ સુખનો પ્રવાહ વહે છે. ‘આત્મામાં જ પરિપૂર્ણ સુખ છે, પરમાં ક્યાંય સુખ
નથી તેમ જ પર પદાર્થો સુખનાં સાધન પણ નથી’ –એમ નક્કી કરે તો પર પદાર્થોમાંથી સુખબુદ્ધિ ટળે અને
જેમાંથી સુખ ઝરે છે એવા આત્મદ્રવ્યનું લક્ષ થાય, ને તેના આશ્રયે સુખનો અનુભવ થાય. પણ શરીર–પૈસા–સ્ત્રી
વગેરે પર પદાર્થોમાં જ સુખ ભાસતું હોય તે જીવ ત્યાંથી ખસીને આત્મસ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરે નહિ,
ને તેને સાચું સુખ થાય નહિ.
“ભેદવિજ્ઞાનસાર”
સમ્યક્ત્વના પ્રતાપથી પવિત્રતા
શ્રી ગણધરદેવોએ સમ્યગ્દર્શન–સંપન્ન ચંડાળને પણ દેવ સમાન કહ્યો છે. ભસ્મમાં છૂપાયેલ
અગ્નિની ચિનગારીની જેમ તે આત્મા ચાંડાળ દેહમાં રહેલો હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપથી તે
પવિત્ર થઈ ગયો છે તેથી તે દેવ છે.
–રત્નકરંડશ્રાવકાચાર: ૨૮

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૪૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :

ગતાંકથી ચાલુ

હવે આત્માના સર્વગતપણા સંબંધી અનેકાંત બતાવે છે:–
स्वदेहप्रमितश्चायं ज्ञानमात्रोऽपि नैव सः।
ततः सर्वगतश्चायं विश्वव्यापी न सर्वथा।।
५।।
સામાન્ય અર્થ:– આ આત્મા કથંચિત્ પોતાના શરીરપ્રમાણ છે અને કથંચિત્ પોતાના શરીર પ્રમાણ નથી;
કથંચિત્ જ્ઞાનમાત્ર છે અને કથંચિત્ જ્ઞાનમાત્ર નથી. આમ હોવાથી આત્મા કથંચિત્ સર્વગત છે પણ સર્વથા
વિશ્વવ્યાપી નથી.
ભાવાર્થ:– આત્માનો આકાર શરીર પ્રમાણ છે તેથી આત્મા શરીર પ્રમાણ છે; પણ પ્રદેશોની સંખ્યા
અપેક્ષાએ આત્મા લોકના પ્રદેશ જેટલો છે એ અપેક્ષાએ તે શરીરપ્રમાણ નથી પણ લોકપ્રમાણ છે. આત્માના
લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશો સદાય એકરૂપ રહે છે, તેમાં વધારો–ઘટાડો થતો નથી તેથી આત્મા લોક પ્રમાણ
અસંખ્ય પ્રદેશી છે તે નિશ્ચય છે, અને શરીરના આકારો તો બદલાયા કરે છે, તેથી આત્માનો એક સરખો આકાર
રહેતો નથી, માટે આત્મા દેહપ્રમાણ છે તે વ્યવહાર છે. બંને પ્રકારમાં શરીરથી તો આત્મા જુદો જ છે.
વળી આત્મા જ્ઞાનમાત્ર છે. જ્ઞેય પદાર્થોને જાણવા છતાં જ્ઞેયપદાર્થો સાથે એકમેક થતો નથી પણ પોતાના
જ્ઞાનરૂપે જ રહે છે તેથી આત્મા જ્ઞાનમાત્ર છે. પરંતુ આત્મા સર્વથા જ્ઞાનમાત્ર પણ નથી. આત્માના કેવળજ્ઞાનમાં
સર્વ લેકાલોક જણાય છે, તેથી જાણવાની અપેક્ષાએ આત્મા સર્વગત છે. સર્વ પદાર્થોને જાણવા છતાં આત્માનું
જ્ઞાન બહારમાં લંબાતું નથી તેથી આત્મા સર્વગત (અર્થાત્ વિશ્વવ્યાપી) નથી. અને જગતના સર્વ પદાર્થોને તેનું
જ્ઞાન પહોંચી વળે છે–જાણી લે છે તેથી તે સર્વગત પણ છે.
આત્મસ્વરૂપનું સંબોધન કરવા માટે તેના ગુણોદ્વારા તેની બરાબર ઓળખાણ કરવી જોઈએ. આત્મા
અનેકાંતસ્વરૂપી પદાર્થ છે, તેના અનેકાંત સ્વરૂપને જેમ છે તેમ જાણવાથી જ તેનો સમ્યક્ પ્રકારે બોધ થાય છે
અને સ્વરૂપની જાગૃતિ થાય છે. વસ્તુસ્વરૂપ અનેકાંતમય છે ને તેને જાણનારું જ્ઞાન પણ અનેકાંતમય છે, તે જ
સમ્યગ્જ્ઞાન છે. અને એ સમ્યગ્જ્ઞાન જ સ્વરૂપ–સંબોધન (સ્વરૂપની જાગૃતિ) કરે છે. વસ્તુના મૂળ સ્વરૂપને
બરાબર જાણ્યા વગર જ્ઞાન સાચું થતું નથી. અને સાચા જ્ઞાન વગર આત્મસ્વરૂપની જાગૃતિ થતી નથી. માટે
જેઓ શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક છે તેઓએ આત્માના ધર્મોની ઓળખાણ દ્વારા આત્મસ્વરૂપની સાચી
સમજણ કરવી જોઈએ.
–૫–
હવે એક આત્મામાં જ કથંચિત્ એકપણું અને અનેકપણું છે તે બતાવે છે:–
नानाज्ञानस्वभावत्वादेकोऽनेकोऽपि नैव सः।
चैतनैकस्वभावत्वादेकानेकात्मको भवेत्।।
६।।
સામાન્ય અર્થ:– આત્મા એક–અનેકાત્મક છે. પર્યાયમાં જુદા જુદા અનેક જ્ઞાનભાવોની અપેક્ષાએ આત્મા
અનેક છે અને નિત્યરૂપ સામાન્ય એક ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ આત્મા અનેક નથી પણ એક છે.
ભાવાર્થ:– આત્મા સર્વથા કૂટસ્થ નથી પણ જુદા જુદા જ્ઞાનભાવોરૂપે પરિણમે છે. અનેક જ્ઞાનપર્યાયોરૂપે આત્મા
પોતે જ પરિણમતો હોવાથી આત્મા અનેકરૂપ છે. અને વિધ વિધ અનેક જ્ઞાનપર્યાયો વખતે દરેક પર્યાયમાં સામાન્ય
ચૈતન્યસ્વભાવ એક જ પ્રકારનો છે તેથી આત્મા એક છે. આ રીતે આત્મામાં જ એકપણું અને અનેકપણું સમજવું.
બહારના પદાર્થોના આધારે અનેકાંતપણું નથી પણ દરેક વસ્તુમાં પોતાના સ્વભાવથી જ અનેકાંતપણું છે.
અહીં શ્રી આચાર્યદેવ આત્મામાં ને આત્મામાં જ અનેકાંતસ્વરૂપ ઓળખાવીને, પર લક્ષ છોડાવીને, સ્વરૂપનું
સંબોધન કરાવે છે.
‘જગતમાં અનેક આત્માઓ છે અને દરેક આત્મા જુદો છે’ –એમ બહારના જીવોની વાત ન કરતાં,
આત્મામાં ને આત્મામાં જ એકપણું અને અનેકપણું ઓળખાવીને અનેકાંતધર્મ સમજાવ્યો છે. આત્મા પોતાના
દ્રવ્ય–સ્વરૂપથી એક છે અને જ્ઞાન–સુખ ઈત્યાદિ અનેક ધર્મોની અપેક્ષાએ અનેક છે. એકપણું અને અનેકપણું એમ
બે ધર્મો જુદા છે પણ એક વસ્તુના આશ્રયે બંને ધર્મો

PDF/HTML Page 10 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૭ :
રહેલા છે, બંને ધર્મોસ્વરૂપ વસ્તુ એક જ છે. એકપણું કે અનેકપણું ઈત્યાદિ ભેદના વિકલ્પને છોડીને અભેદરૂપ
એક ધર્મી વસ્તુને લક્ષમાં લેવી તે અનેકાંતનું પ્રયોજન છે. એક આખી વસ્તુને લક્ષમાં લીધા પછી તેના અનેક
ધર્મોને ઓળખવાથી વસ્તુસ્વરૂપ વિશેષ સ્પષ્ટપણે જણાય છે–જ્ઞાનની નિર્મળતા વધે છે. જે જીવ એક–અનેક,
નિત્ય–અનિત્ય ઈત્યાદિ ધર્મોના ભંગભેદને જાણવામાં જ રોકાઈ જાય છે, પણ ધર્મભેદના વિકલ્પ છોડીને
અભેદરૂપ એકધર્મીને લક્ષમાં લેતો નથી તે જીવને સમ્યગ્જ્ઞાન થતું નથી. ધર્મદ્વારા આખા ધર્મીને ઓળખી લ્યે તો
જ સમ્યગ્જ્ઞાન થાય છે.
–૬–
હવે કહે છે કે આત્મા કથંચિત્ વક્તવ્ય છે અને કથંચિત્ અવક્તવ્ય છે–
नाऽवक्तव्यः स्वरूपाद्यैर्निर्वाच्यः परभावतः।
तस्मान्नैकान्ततो वाच्यो नापि वाचामगोचरः।।
७।।
સામાન્ય અર્થ:– આત્મા પોતાના સ્વરૂપથી કહી શકાય તેવો છે તેથી અવક્તવ્ય નથી. અને પર પદાર્થોના
ભાવોથી આત્મા કહી શકાય તેવો નથી તેથી તે અવક્તવ્ય પણ છે. માટે આત્મા એકાંતે વાચ્ય પણ નથી અને
એકાંતે વાચાથી અગોચર પણ નથી.
ભાવાર્થ:– દરેક વસ્તુ પોતાના ધર્મોની અપેક્ષાથી કહી શકાય છે પણ તેનાથી બીજી વસ્તુના ધર્મોવડે તે
વસ્તુ કહી શકાતી નથી. આત્માનું સ્વરૂપ આત્માના ધર્મોદ્વારા કહી શકાય છે તેથી આત્મા વક્તવ્ય છે અને પરના
ધર્મોદ્વારા આત્માનું સ્વરૂપ કહી શકાતું નથી તેથી આત્મા અવક્તવ્ય છે.
અહીં એમ સમજવું કે, પર પદાર્થોના ગુણોને (ધર્મોને) જોવાથી આત્માનું સ્વરૂપ જણાતું નથી પણ
આત્માના ગુણોની ઓળખાણદ્વારા જ આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. –પોતાના સ્વભાવ તરફ વળવાથી જ
સમ્યગ્જ્ઞાન થાય છે, એવો તેનો સાર છે.
–૭–
હવે આત્માના અસ્તિ–નાસ્તિધર્મને અને મૂર્ત–અમૂર્તધર્મને અનેકાંતમય યુક્તિથી કહે છે:–
स स्याद्विधिनिषेधात्मा स्वधर्मपरधर्मयोः।
समूर्तिर्बोधमूर्तित्वादमूर्तिश्च विपर्ययात्।।
८।।
સામાન્ય અર્થ:– તે આત્મા પોતાના ધર્મોની અપેક્ષાએ વિધિરૂપ એટલે કે અસ્તિરૂપ છે અને પર ધર્મોની
અપેક્ષાએ નિષેધરૂપ એટલે કે નાસ્તિરૂપ છે; એ રીતે સ્યાત્ અસ્તિનાસ્તિરૂપ છે. તેમજ જ્ઞાનરૂપી મૂર્તિ (–
જ્ઞાનરૂપી આકાર) સહિત હોવાથી આત્મા મૂર્તિક છે અને તેથી વિપરીત હોવાથી એટલે કે પુદ્ગલનો આકાર
તેનામાં નહિ હોવાથી અમૂર્તિક છે.
ભાવાર્થ:– દરેક પદાર્થ પોતાના સ્વધર્મરૂપે રહે છે, કોઈ પણ પદાર્થ પોતાના સ્વધર્મોને છોડીને બીજા
પદાર્થના ધર્મને પોતામાં સ્વીકારતો નથી ને પોતાના કોઈ ધર્મને બીજામાં અર્પતો નથી. આવું સ્વરૂપથી અસ્તિત્વ
અને પરથી નાસ્તિત્વ દરેક પદાર્થનું સ્વરૂપ છે. આત્મા પોતાના ચૈતન્ય વગેરે ગુણોથી અસ્તિરૂપ છે ને પરથી
નાસ્તિરૂપ છે, એટલે આત્મા પોતાના કોઈ ધર્મને પરમાં એકમેક કરતો નથી ને પરના કોઈ ધર્મોને પોતામાં
એકમેક કરતો નથી. સદાય પરથી જુદો ને જુદો જ રહે છે. પરથી નાસ્તિપણું હોવારૂપ ધર્મ પણ પોતામાં જ છે.
કાંઈ અસ્તિધર્મ પોતામાં અને નાસ્તિધર્મ પરમાં–એવું નથી.
આ શાસ્ત્રમાં સૂત્ર બહુ ટુંકાં છે પણ અંતરમાં જૈનધર્મનાં મૂળભૂત રહસ્યો છે. સ્વરૂપથી અસ્તિ અને
પરરૂપથી નાસ્તિ એટલે કે દરેક પદાર્થો પોતે પોતાથી જ પરિપૂર્ણ છે અને પરની મદદ વગરનો છે. એક વાર એક
ધર્મી મહાત્માને કોઈએ પૂછયું કે, જૈનધર્મનું એવું મૂળભૂત સિદ્ધાંત સૂત્ર શું છે કે જેના આધારે આખા જૈનધર્મના
મૂળ સિદ્ધાંતો સાબિત થઈ શકે? ત્યારે તે મહાત્માએ જવાબ આપ્યો કે ‘સર્વ પદાર્થો પોતાના સ્વરૂપથી અસ્તિરૂપ
છે અને પર રૂપથી નાસ્તિરૂપ છે એટલે કે સર્વે પદાર્થો સ્વતંત્ર પરિપૂર્ણ છે.’ આ જૈન–ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે;
એના આધારે વસ્તુસ્વરૂપની બરાબર સિદ્ધિ થઈ શકે છે. પોતે પોતાથી પરિપૂર્ણ છે એમ સ્વીકારતાં જ પર
પદાર્થોથી નિરપેક્ષપણું થઈ જાય છે એટલે પરમાં એકતાબુદ્ધિ ટાળીને પોતાના જ સ્વભાવનો આશ્રય કરે છે, આ
જ ધર્મ છે અને આ જ અનેકાતસ્વરૂપની સમજણનું ફળ છે.
આત્મામાં સ્પર્શ–રસ–ગંધ–વર્ણરૂપ પૌદ્ગલિક આકાર નથી તેમ જ ઈન્દ્રિયોદ્વારા આત્મા ગ્રાહ્ય થતો નથી
તેથી આત્મા અમૂર્તિક છે. અને આત્મામાં જ્ઞાન રૂપી આકાર છે તેમ જ જ્ઞાનવડે આત્માના આકારનું ગ્રહણ થઈ
શકે છે તેથી આત્મા મૂર્તિક પણ છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૪૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
‘આત્મા તો અમૂર્ત છે તેથી તેનો નિર્ણય આપણે ન કરી શકીએ’ એમ ઘણા મૂર્ખ અજ્ઞાની જીવો કહે છે.
અહીં તેને કહે છે કે–આત્મામાં જડ પુદ્ગલ જેવું રૂપ નથી તેથી આત્મા ઈન્દ્રિયોવડે ગ્રાહ્ય ભલે ન થઈ શકે, પરંતુ
આત્મામાં પોતાનું ચૈતન્યરૂપ તો છે તેથી આત્માનો નિર્ણય જ્ઞાનવડે બરાબર થઈ શકે છે. જ્ઞાનનો સ્વભાવ
અરૂપીને પણ જાણવાનો છે. આત્મા પોતાના ચૈતન્યસ્વરૂપથી પરિપૂર્ણ સદ્ભાવરૂપ વસ્તુ છે અને અનેકાંતમય
સમ્યગ્જ્ઞાનવડે તેને બરાબર જાણી શકાય છે.
કોઈ કહે કે ‘આ આત્મા ચેતન સ્વરૂપ છે ને બીજા આત્માઓ પણ ચેતન સ્વરૂપ છે, તો બીજા
આત્માઓથી આ આત્મા જુદો છે એમ કઈ રીતે નક્કી થાય?’ –તેનું સમાધાન:– બધા આત્મા ચૈતન્યસ્વરૂપ છે
એ વાત સાચી, પણ દરેક જીવને પોતપોતાની ચેતનાનો જ અનુભવ છે. પોતાને જે સંવેદન થાય છે તે પોતાની
ચેતનાનું જ સંવેદન થાય છે, બીજા આત્માની ચેતનાનું વેદન પોતાને થતું નથી; તેથી સ્વસંવેદનમાં આવતી
પોતાની ચેતનાવડે, બીજા આત્માઓથી પોતાના જુદાપણાનો અનુભવ થાય છે.
–૮–
હવે આત્માના અનેકાંત સ્વરૂપના વર્ણનનો ઉપસંહાર કરતાં આચાર્યદેવ કહે છે કે–અત્યાર સુધી વર્ણન કર્યું
તે અનુસાર કથંચિત્ અસ્તિ–નાસ્તિ, મૂર્ત–અમૂર્ત, વક્તવ્ય–અવક્તવ્ય, એક–અનેક, ભિન્ન–અભિન્ન, ચેતન–અચેતન,
ગ્રાહ્ય–અગ્રાહ્ય ઈત્યાદિ અનેક ધર્મોને તેમ જ બંધ–મોક્ષને અને તેના ફળને આત્મા સ્વયમેવ ધારણ કરે છે:–
इत्याद्यनेकधर्मत्वं बंधमोक्षौ तयोः फलम्।
आत्मा स्वीकुरुते तत्तत्कारणौः स्वयमेव तु।।
९।।
સામાન્ય અર્થ:– ઉપર કહ્યા તે વગેરે અનેક ધર્મપણાને આત્મા સ્વયમેવ ધારણ કરે છે; તેમ જ બંધ–
મોક્ષને અને તેના ફળને પણ તેના તેના કારણોથી આત્મા પોતે ધારણ કરે છે.
ભાવાર્થ:– આત્મા અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ છે. તેના દરેક ધર્મ પોતપોતાની સ્વતંત્ર વિવક્ષાથી સિદ્ધ થાય
છે. યથાર્થ વિવક્ષા સમજ્યા વગર વસ્તુના ધર્મોનું સ્વરૂપ સમજાતું નથી. દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી જ
અનેકાંતસ્વરૂપ છે. સ્યાદ્વાદ કાંઈ વસ્તુમાં નવા ધર્મો ઉપજાવીને કહેતો નથી, પણ વસ્તુ સ્વયમેવ પોતાના
ધર્મોને ધારણ કરનારી છે. સ્યાદ્વાદ તો સમ્યક્ યુક્તિ–દ્વારા માત્ર તે ધર્મોદ્વારા વસ્તુની સિદ્ધિ કરે છે.
પર દ્રવ્યોના ધર્મો સાથે આત્માને કાંઈ સંબંધ નથી; તેથી આ ‘સ્વરૂપ સંબોધન’ માં ક્યાંય પર દ્રવ્યનું
વર્ણન કર્યું નથી, પણ સ્વદ્રવ્યનું જ વર્ણન કરીને તેની ભાવના કરવાનું જણાવ્યું છે, કેમકે સ્વદ્રવ્યની ભાવના તે
મોક્ષનું કારણ છે, અને પર દ્રવ્યની ભાવના તે બંધનું કારણ છે.
પહેલાંં અસ્તિ–નાસ્તિ વગેરે ત્રિકાળી ધર્મોની વાત કરીને હવે બંધ–મોક્ષરૂપ પર્યાયને પણ આત્મા પોતે જ
ધારણ કરે છે એમ બતાવે છે. જેમ ત્રિકાળી ધર્મોને આત્મા સ્વયમેવ ધારણ કરે છે તેમ બંધ કે મોક્ષ પર્યાયને પણ
આત્મા પોતે સ્વયમેવ ધારણ કરે છે. બંધના કારણો મિથ્યાત્વાદિક છે અને મોક્ષનાં કારણ સમ્યગ્દર્શનાદિક છે, તે તે
કારણોથી આત્મા પોતે જ બંધ–મોક્ષ પર્યાયને ધારણ કરે છે. પણ કોઈ કર્મ વગેરેના કારણે આત્મામાં બંધ પર્યાય થતો
નથી અને કોઈ નિમિત્તને કારણે આત્મામાં મોક્ષપર્યાય થતો નથી. તેમજ બંધપર્યાયનું ફળ દુઃખ છે ને મોક્ષપર્યાયનું
ફળ સુખ છે, તે સુખ કે દુઃખરૂપ ફળને પણ આત્મા જ પોતે ધારણ કરે છે. –આવો આત્માનો પર્યાયધર્મ છે.
જે આત્મા કર્મનો કર્તા છે તે જ તેના ફળનો ભોક્તા છે અને તે કર્તા–ભોક્તાપણા રહિત મુક્ત પણ તે જ
આત્મા થાય છે, એમ હવે કહે છે:–
कर्ता यः कर्मणां भोक्ता तत्फलानां स एव तु।
बहिरन्तरुपायाभ्यां तेषां मुक्तत्वमेवहि।।
१०।।
સામાન્ય અર્થ:– જે આત્મા કર્મોનો કર્તા થાય છે તે જ આત્મા તેના ફળનો ભોક્તા છે અને બાહ્ય–અંતર
ઉપાયો વડે તેનાથી મુક્તપણું પણ તે જ જીવને થાય છે.
ભાવાર્થ:– પર્યાયમાં વિકારીભાવોરૂપ કર્મને આત્મા પોતે કરે છે અને તેના ફળને આત્મા પોતે જ ભોગવે
છે. વળી એ વિકારીભાવોને ટાળીને મુક્તપર્યાયરૂપે પણ આત્મા પોતે જ થાય છે. સંસારદશા અને મુક્તદશામાં
આત્મા પોતાના મૂળ સ્વરૂપે સળંગ એક–

PDF/HTML Page 12 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૯ :
રૂપ રહે છે. પોતે જે સંસારદશા કરી છે તેનો નાશ કરીને પોતે જ મુક્ત થાય છે. મુક્તદશામાં જીવને વિકારનું
કર્તા–ભોક્તાપણું હોતું નથી, મુક્તદશા પ્રગટ કરવા માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે અંતરંગ ઉપાય છે અને
દિગંબરત્વ પંચમહાવ્રતાદિ બહિરંગ ઉપાય (એટલે કે નિમિત્ત) છે. પોતાનું મૂળ આત્મસ્વરૂપ જેવું છે તેવું
અનેકાંતવડે જાણે તો તેનાથી વિપરીતરૂપ વિકારભાવોનો કર્તા ન થાય અને ક્રમે ક્રમે સ્વરૂપની લીનતા કરીને
વિકારનો ક્ષય કરીને મુક્તદશા પ્રગટ કરે. તેથી અહીં સુધી આચાર્યદેવે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે તે
આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેના ઉપાયનું વર્ણન ૧૧ થી ૧પ સુધીના શ્લોકમાં કરશે.
–૧૦–
આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય
सद्द्रष्टिज्ञानचारित्रमुपायः स्वात्मलब्धये।
तत्त्वेयाथात्म्यसंस्थित्यमात्मनो दर्शनं मतम्।।
११।।
यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत्।
तत्स्वार्थव्यवसायात्म कथंचित्प्रमितेः पृथक।।
१२।।
दर्शनज्ञानपर्यायेषूत्तरोत्तरभाविषु ।
स्थिरमालंबनं यद्वा माध्यरस्थं सुखदुःखयोः।।
१३।।
ज्ञाताद्रष्टाऽहमेकोऽहं सुखे दुःखे न चापरः।
इतीदं भावनादाढर्यं चारित्रमथवापरम।।
१४।।
સામાન્ય અર્થ:– સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્ર તે પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. આત્મસ્વરૂપ
જેવું છે તેવી તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યગ્જ્ઞાન છે. દીપકની જેમ એ
સમ્યગ્જ્ઞાન પોતાનું તેમજ અન્ય પદાર્થોનું પ્રકાશક છે. આ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કથંચિત્ જુદાં છે.
ઉત્તરોત્તર થતા દર્શન–જ્ઞાનપર્યાયમાં સ્થિર–આલંબન તે સમ્યક્ચારિત્ર છે અર્થાત્ જ્ઞાન–દર્શનપર્યાય
આત્મસ્વભાવના આલંબને સ્થિર થાય તે ચારિત્ર છે; અથવા સુખ–દુઃખમાં મધ્યસ્થતા તે ચારિત્ર છે; અથવા હું જ્ઞાતાદ્રષ્ટા
છું, હું એક છું, સુખમાં કે દુઃખમાં હું જ્ઞાતાદ્રષ્ટા જ છું–બીજો નથી–આવી દ્રઢ આત્મભાવના કરવી તે સમ્યક્ચારિત્ર છે.
ભાવાર્થ:– એકાંતરૂપ વસ્તુસ્વભાવનું વર્ણન કરીને હવે, શુદ્ધાત્મપદની પ્રાપ્તિનો ઉપાય વર્ણવે છે. પહેલા
દશ શ્લોકોદ્વારા જેવું આત્મસ્વરૂપ વર્ણવ્યું તેવા આત્મસ્વરૂપની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતારૂપ ચારિત્ર
તે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. જેમ છે તેમ વસ્તુસ્વરૂપ સ્યાદ્વાદ વડે જાણ્યા વગરની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન
નથી. વસ્તુસ્વરૂપ જાણ્યા વગરનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી અને વસ્તુસ્વરૂપ જાણ્યા વગર તેમાં સ્થિરતારૂપ
સમ્યક્ચારિત્ર હોતું નથી. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર તે જ અંતરંગ
કારણ છે; તે વખતે બહિરંગ કારણો કયા કયા હોય છે તે હવેના શ્લોકમાં જણાવે છે.
–૧૧–૧૪–
तदेतन्मूलहेतोः स्यात्कारणं सहकारकम्।
यद्वाह्यं देशकालादि तपश्च बहिरंगकम्।।
१५।।
સામાન્ય અર્થ:– જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ઉપરના શ્લોકોમાં મોક્ષનું મૂળ કારણ દર્શાવ્યું તેની સાથે
અનુકૂળ દેશ, કાળ, તેમ જ અનશન–અવમૌદર્ય વગેરે બાહ્યતપ ઈત્યાદિને બહિરંગ કારણ સમજવું.
ભાવાર્થ:– મુક્ત થનાર જીવને બહારમાં યોગ્ય ધર્મકાળ, ઉત્તમક્ષેત્ર વજ્રર્ષભનારાચસંહનન, નિર્ગં્રથ
દ્રવ્યલિંગ, પંચમહાવ્રત ઈત્યાદિ હોય છે પણ તે માત્ર બહિરંગ સહકારી કારણ છે, તે કોઈ મોક્ષનું મૂળ કારણ
નથી; મોક્ષનું મૂળ કારણ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે. –૧૫–
એ પ્રમાણે આત્મસ્વરૂપનું અને તેની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કરીને, હવે પાંચ શ્લોકદ્વારા આત્મસ્વરૂપના
ચિંતવનમાં સદા તન્મય રહેવાની પ્રેરણા કરે છે:–
इतीदं सर्वमालोच्य सौस्थ्ये दौःस्थ्ये च शक्तितः।
आत्मानं भावयेन्नित्यं रागद्वेष विवर्जितम्।।
१६।।
સામાન્ય અર્થ:– આ પ્રમાણે આત્મસ્વરૂપને અને તેની પ્રાપ્તિના ઉપાયને બરાબર જાણીને, સુખમાં કે
દુઃખમાં સદાય રાગ–દ્વેષ છોડીને શક્તિ અનુસાર તેની ભાવના કરવી જોઈએ.
ભાવાર્થ:– જેનું સ્વરૂપ બરાબર જાણી લીધું હોય તેની જ ભાવના કરી શકાય. આત્માનું સ્વરૂપ પહેલાંં
બરાબર ઓળખે તો જ તેની ભાવના કરી શકે. અને જેવા સ્વરૂપે આત્માની ભાવના કરે તેવા સ્વરૂપે આત્મા
પરિણમે. વિકારરહિત શુદ્ધ આત્મસ્વરૂપને જાણે નહિ અને વિકારરૂપે જ આત્માને ભાવ્યા કરે તો આત્મામાં
વિકારી પરિણમન જ થયા કરે. અને વિકારરહિત

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૫૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
આત્માના મૂળસ્વરૂપને જે રીતે ઉપર વર્ણવાયું છે તે રીતે જાણીને તેને શુદ્ધરૂપે સદાય ભાવે તો શુદ્ધતારૂપે
પરિણમે અને વિકારનો નાશ થાય. માટે શુદ્ધ આત્માને ઓળખીને તેની ભાવના કરવી તે જ શુદ્ધ આત્મસ્વરૂપની
પ્રસિદ્ધિનો માર્ગ છે.
–૧૬–
જેનું ચિત્ત કષાયથી રંજાયમાન છે તે જીવ આત્મસ્વરૂપને પામી શકતો નથી એમ હવે કહે છે–
कषायै रंजितंचेतम्तत्त्वं नैवावगाहते।
नीलीरकेऽम्बरे रागो दूराघेयो हि कौंकुमः।।
१७।।
સામાન્ય અર્થ:– જેમ લીલા કપડા ઉપર કેસરનો રંગ ચઢી શકતો નથી તેમ મિથ્યાત્વાદિ કષાયોથી
રંજાયમાન જેનું ચિત્ત છે તે જીવ તત્ત્વસ્વરૂપને પામી શકતો નથી.
ભાવાર્થ:– જેને કષાયભાવોની ભાવના છે તે જીવને આત્મસ્વરૂપની રુચિ હોતી નથી અને તે જીવ
આત્મસ્વરૂપને પામી શકતો નથી. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે જીવ પ્રયત્ન કરે છે તે જીવને કષાયોની ભાવના
હોતી નથી. જ્ઞાન અને કષાયની ભિન્નતાનું જેને ભાન નથી અને કષાય તેમ જ જ્ઞાનમાં એકપણે જ જે વર્તી
રહ્યો છે તે જીવનું જ્ઞાન કષાયોથી ભરેલું છે, તેના જ્ઞાનમાં આત્મતત્ત્વની ઓળખાણ થતી નથી. જેમ અગ્નિથી
સળગતી જમીનમાં ઝાડ ઊગતાં નથી તેમ જે જીવનું જ્ઞાન કષાયરૂપી અગ્નિમાં સળગી રહ્યું છે–કષાયોમાં લીન
વર્તે છે તે જીવના જ્ઞાનમાં ધર્મના અંકૂરા થતા નથી. તેથી વિષય–કષાયની ભાવના છોડીને, વિષયકષાયરહિત
પવિત્ર આત્મસ્વરૂપની ભાવના સદાય કરવી જોઈએ.
–૧૭–
હવે આચાર્યદેવ આદેશ કરે છે કે હે ભાઈ! તું તત્ત્વચિંતવનમાં તન્મય રહે:–
ततस्त्वं दोषनिर्मुक्त्यै निर्मोहो भव सर्वतः।
उदासीनत्वमाश्रित्य तत्त्वचिंतापरो भव।।
१८।।
સામાન્ય અર્થ:– રાગ–દ્વેષાદિ દોષોના ત્યાગ વિના સંપૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. તેથી હે ભાઈ!
રાગાદિ દોષોથી મુક્ત થવા માટે તું સર્વ પ્રકારે નિર્મોહ થા, અને પરપદાર્થો તથા વિષયભોગો પ્રત્યે ઉદાસીનતાને
ધારણ કરીને આત્મતત્ત્વના ચિંતવનમાં તન્મય થા.
તન્મય થતાં મોહાદિ વિકારો સ્વયં નાશ પામે છે અને પરપદાર્થો પ્રત્યે સહજપણે ઉદાસીનતા હોય છે. માટે અહીં
ગ્રંથકારે પ્રેરણા કરી છે કે હે જીવ! તું આત્મતત્ત્વમાં તન્મય થા.
–૧૮–
હવે હેય–ઉપાદેયરૂપ તત્ત્વો સંબંધી કથન કરે છે:–
हेयोपादेय तत्त्वस्य स्थितिं विज्ञाय हेयतः।
निरालम्बो भवान्यस्मादुपेये सावलम्बनः।।
१९।।
સામાન્ય અર્થ:– હેયરૂપ અને ઉપાદેયરૂપ તત્ત્વોના સ્વરૂપને બરાબર જાણીને, પરદ્રવ્યો અને પરભાવોથી
નિરાલંબી થા અને ઉપાદેયરૂપ જે સ્વદ્રવ્ય તેનું અવલંબન કર.
ભાવાર્થ:– આત્મતત્ત્વ પોતાના સ્વરૂપથી અસ્તિરૂપ છે અને પરના સ્વરૂપથી નાસ્તિરૂપ છે. કયા સ્વરૂપે
પોતાની અસ્તિ છે અને કયા તત્ત્વોથી પોતાની નાસ્તિ છે તે ઓળખ્યા વગર સ્વ–પરનું ભેદજ્ઞાન થાય નહિ.
સ્વ–પરના ભેદજ્ઞાન વગર હેય–ઉપાદેયનું જ્ઞાન પણ ન હોય. સમસ્ત પરદ્રવ્યો તો આત્મતત્ત્વથી અત્યંત જુદાં છે
અને આત્મામાં પરદ્રવ્યના અવલંબને જે અશુદ્ધભાવો થાય છે તે પણ હેયતત્ત્વ છે. અભેદ પરિપૂર્ણ એક
શુદ્ધચૈતન્યતત્ત્વ જ ઉપાદેય છે. શુદ્ધચૈતન્યતત્ત્વની ઉપાદેયપણે શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, તેનું ઉપાદેયપણે જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન છે અને તેના અવલંબને એકાગ્રતા તે સમ્યક્ચારિત્ર છે. એ રીતે સ્વદ્રવ્યનું અવલંબન તે મોક્ષનું
કારણ છે અને પરદ્રવ્યનું અવલંબન તે સંસારનું કારણ છે. માટે શ્રી આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું સ્વદ્રવ્યનું
અવલંબન કર ને પરદ્રવ્યોનું અવલંબન છોડ.
–૧૯–
વસ્તુસ્વરૂપની ભાવના કરીને શિવપદ પ્રાપ્ત કર; એમ હવે કહે છે:–
स्वं परं चेतिवस्तुत्वं वस्तुरूपेण भावय।
उपेक्षाभावनोत्कर्षपर्यन्ते शिवमाप्नुहि।।
२०।।
સામાન્ય અર્થ:– હે જીવ! તું સ્વ અને પર વસ્તુઓને વસ્તુસ્વરૂપે ભાવ. અને પર પ્રત્યેની ઉપેક્ષા
ભાવનાની વૃદ્ધિ કરીને શિવપદને પ્રાપ્ત કર.
ભાવાર્થ:– અહીં આચાર્યદેવ કહે છે કે તું ક્ષણિક

PDF/HTML Page 14 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૫૧ :
પર્યાયનું લક્ષ છોડીને મૂળ વસ્તુસ્વરૂપને જો અને તેમાં એકાગ્ર થા. જે જીવ પોતામાં ક્ષણિક વિકારની દ્રષ્ટિ
છોડીને આખા વસ્તુસ્વરૂપની દ્રષ્ટિ કરે છે તે જીવ, પર પદાર્થોને પણ તેના વર્તમાન પર્યાય જેટલા ન માનતાં
તેના મૂળ વસ્તુસ્વરૂપને જુએ છે. એ રીતે સ્વ અને પરમાં વસ્તુસ્વરૂપને જોનાર જીવને પર્યાયમાં એકત્વબુદ્ધિ
હોતી નથી અને તેથી પર્યાયદ્રષ્ટિના રાગ–દ્વેષ તેને થતા નથી. મૂળ વસ્તુસ્વરૂપની ભાવના કરતાં કરતાં
પર્યાયમાંથી રાગ–દ્વેષ ટળી જાય છે.
મોક્ષનો ઉપાય સ્વાશ્રિત છે ને પરદ્રવ્યોથી ઉપેક્ષાસ્વરૂપ છે. મોક્ષમાર્ગમાં કયાય કોઈ પરની અપેક્ષા કે
પરનું અવલંબન નથી. સ્વભાવના અવલંબને સમસ્ત પર પદાર્થોની સંપૂર્ણ ઉપેક્ષા કરવાથી મોક્ષ પમાય છે.
નિમિત્તો પરદ્રવ્ય છે, તેની અપેક્ષા રાખીને મોક્ષમાર્ગ થતો નથી પણ તેની ઉપેક્ષા કરવાથી અને સ્વરૂપનો આશ્રય
કરવાથી જ મોક્ષમાર્ગ થાય છે. પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપની ભાવના અને પરની સંપૂર્ણ ઉપેક્ષાભાવ તે મોક્ષનો
ઉપાય છે એમ આ શ્લોકમાં જણાવ્યું છે. અને વસ્તુસ્વરૂપની ભાવના કરવાની પ્રેરણા કરી છે.
–૨૦–
હવે મોક્ષાર્થી જીવનું કર્તવ્ય બતાવે છે અને તે માટેની પ્રેરણા ચાર શ્લોકોદ્વારા કરે છે:–
मोक्षेऽपि यस्य नाकांक्षा स मोक्षमधिगच्छति।
इत्युक्तत्वाद्धितान्वेषी कांक्षा न क्वापि योजयेत्।।
२१।।
સામાન્ય અર્થ:– ‘જેને મોક્ષની પણ ઈચ્છા નથી તે જીવ મોક્ષ પામે છે’ આવું સિદ્ધાંતવચન હોવાથી,
પોતાના હિતના અર્થી જીવોએ કોઈ પ્રકારની ઈચ્છા કરવી ન જોઈએ.
ભાવાર્થ:– મોક્ષ પુરુષાર્થથી સધાય છે, ઈચ્છાથી સધાતો નથી. જ્યાં સુધી જીવ આત્મસ્વરૂપને અને
ઈચ્છાને જુદા જુદા ઓળખે નહિ અને ઈચ્છાની ભાવના કર્યા કરે ત્યાંસુધી તો તે અજ્ઞાની છે. ભેદજ્ઞાનવડે
ઈચ્છારહિત પોતાનું સ્વરૂપ જાણ્યા પછી પણ જ્યાં સુધી શુદ્ધાત્મસ્વરૂપમાં લીન થતો નથી અને ઈચ્છામાં અટકે છે
ત્યાંસુધી મુક્તિ થતી નથી. નીચલી ભુમિકામાં ઈચ્છા થાય તો તેને મોક્ષનું સાધન ન માનવું જોઈએ, પણ જ્ઞાનથી
ઈચ્છા જુદી છે તેથી તે હેય છે–એમ સમજીને જ્ઞાનસ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. જ્ઞાનસ્વરૂપની ભાવના
કરવી તે જ ઈચ્છાને તોડવાનો ઉપાય છે. તેથી અહીં જ્ઞાન સ્વરૂપની ઓળખાણ પછી મોક્ષની પણ ઈચ્છા તોડીને
સ્વરૂપની ભાવનામાં લીન થવાનો ઉપદેશ કર્યો છે.
–૨૧–
‘ઈચ્છા કરવી તો સહેલી લાગે છે અને આત્મસ્વભાવનો પુરુષાર્થ કરવો કઠણ લાગે છે’ એમ કોઈ
અજ્ઞાની જીવ કહે, તો તેને આચાર્યદેવ કરુણાથી સમજાવે છે કે:–
साऽपि च स्वात्मनिष्ठत्वात्सुलभा यदि चिन्त्यते।
आत्माधीने सुखे तात यत्न किं न करिष्यसि।।
२२।।
સામાન્ય અર્થ:– હે ભાઈ! ‘ઈચ્છા કરવી તો આત્માને આધીન હોવાથી સુલભ છે’ એમ જો તું માનતો
હો, તો અમે કહીએ છીએ કે–ઈચ્છારહિત અનાકુળ સુખ આત્માને જ આધીન છે તેથી તે ખરેખર સુલમ છે, તેને
માટે જ તું પ્રયત્ન શા માટે નથી કરતો?
ભાવાર્થ:– અજ્ઞાનીને ઈચ્છા કરવી સુલભ લાગે છે; પણ ભાઈ! ઈચ્છા તો પરના લક્ષ વગર થતી નથી તેથી
તે પરાધીન છે; વળી તેમાં આકુળતા જ છે. ઈચ્છા અનુસાર કાર્ય થતાં નથી તેથી તારી ઈચ્છા પણ નિષ્ફળ જ જાય
છે. મુક્તિની ઈચ્છા કરવાથી મુક્તિ થતી નથી માટે મુક્તિની ઈચ્છા પણ નિષ્ફળ છે, ને ઊલટી તને અશાંતિ કરે છે.
માટે એવી ઈચ્છાને તું છોડ. પરમાનન્દમય સુખ આત્માને આધીન છે, સ્વાધીન છે, તેમાં કોઈ બીજાની મદદની
જરૂર નથી, કલેશ નથી, અશાંતિ નથી. પોતાનો આત્મા સુખસ્વરૂપી છે તેની ઓળખાણ કરીને તેમાં લીન થતાં
પરમઆત્મિક સુખ પ્રગટ અનુભવાય છે. માટે તું એવા આત્માશ્રિત સુખનો યત્ન કર. એ સુલભ છે.
–૨૨–
આત્માધીન સુખનો અનુભવ કરવા માટે નીચે મુજબ કર, એમ હવે કહે છે:–
स्वं परं विद्धि तत्रापि व्यामोहं छिन्धि किन्त्विमम्।
अनाकुल स्वसंवेद्ये स्वरूपे तिष्ठ केवले।।
२३।।
સામાન્ય અર્થ:– હે જીવ! અનાકુળ સુખ આત્માને આધીન છે એમ જાણીને, સ્વ–પરને બરાબર જાણીને
પર ઉપરના વ્યામોહને છેદી નાંખ અને માત્ર પોતાથી જ સ્વસંવેદ્ય એવા અનાકુળ આત્મસ્વરૂપમાં ઠર.
ભાવાર્થ:– સાચું સુખ આત્માધીન હોવા છતાં પુરુષાર્થ વગર તે અનુભવાતું નથી. તે સુખ માટે કેવા
પ્રકારનો પુરુષાર્થ કરવો તે આમાં જણાવ્યું છે. પહેલાંં તો સ્વ અને પરનું ભેદજ્ઞાન કરીને, ‘પરમાં સુખ છે કે પરનું
હું કરું’ એવા વ્યામોહને છેદી નાંખ અને પછી સ્વાનુભવગમ્ય એવા આત્મસ્વરૂપમાં જ લીન થા.
–૨૩–

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૫૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
આત્માનું અવિનશ્વર મુક્તપદ પોતાના જ ધ્યાનથી પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ અન્યની અપેક્ષા નથી–એ
વાત કરે છે–
स्वः स्वं स्वेन स्थितं स्वस्मैं स्वस्मात्स्वस्याविनश्वरमू।
स्वस्मिनू ध्यात्वा लभेत्स्वोत्थमानंदममृतं पदम्।।
२४।।
સામાન્ય અર્થ:– આત્માએ પોતે પોતાનામાં, પોતાના જ માટે, પોતાના વડે પોતાના સ્વરૂપને ધ્યાવીને,
પોતાના આત્માથી ઉત્પન્ન એવા પોતાના પરમાનંદમય અવિનશ્વર અમૃતપદને પ્રાપ્ત કરવું જોઈએ.
ભાવાર્થ:– ધ્યાન વખતે છ કારક ભેદોનો વિચાર હોતો નથી. ધ્યાન વખતે પરપદાર્થોથી તદ્ન નિરપેક્ષ
થઈને એકલા પોતાના આત્મસ્વરૂપનું જ સર્વ પ્રકારે અવલંબન હોય છે. પોતાના આત્મસ્વરૂપના અવલંબનમાં
એકાગ્ર થતાં આત્મામાંથી જ પરમાનન્દસ્વરૂપ મુક્તદશા પ્રગટે છે. તેથી મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સ્વદ્રવ્યનું
અવલંબન કરવું જોઈએ અને સર્વે પરદ્રવ્યોનું અવલંબન છોડવું જોઈએ.
–૨૪–
જે જીવો આ ગ્રંથમાં કહેલા આત્મતત્ત્વની સર્વપ્રકારે ભાવના કરશે તે જીવો પરમાર્થસંપદાને પામશે–એમ
આ ગ્રંથનો મહિમા તેમજ મુમુક્ષુઓનું કર્તવ્ય બતાવીને આચાર્યદેવ આ ગ્રંથ પૂર્ણ કરે છે:–
इति स्वतत्त्वं परिभाव्य वाङमयम् य एतदाख्याति शृणोति चादरात्।
करोति तस्मै परमार्थसम्पदम् स्वरूप संबोधनपं चविंशतिः।।
२५।।
જે જીવ બહુમાનપૂર્વક પઢે છે, સાંભળે છે તે જીવને આ સ્વરૂપ સંબોધનપચીસી પરમાર્થસંપદાની પ્રાપ્તિ કરાવે છે
અર્થાત્ તે જીવ શુદ્ધઆત્મસ્વરૂપને પામે છે.
ભાવાર્થ:– આ ગ્રંથમાં સર્વપ્રકારે ભાવના કરવા યોગ્ય શુદ્ધઆત્મતત્ત્વનું વર્ણન કર્યું છે. જે જીવ
શુદ્ધઆત્મસ્વરૂપ જાણીને, બહુમાનપૂર્વક તેની વારંવાર ભાવના કરે છે તે જીવ શુદ્ધઆત્મતત્ત્વની પ્રાપ્તિ કરે છે.
શુદ્ધાત્માની પ્રાપ્તિ એ જ સાચી સંપત્તિ છે અને શુદ્ધાત્મ તત્ત્વની ભાવનાદ્વારા તે પ્રાપ્ત થાય છે. માટે સર્વે મુમુક્ષુઓ
અનેકાંતસ્વરૂપી પોતાના આત્મતત્વને જાણીને તેની ભાવના કરો.... પોતાના સ્વરૂપનું સંબોધન કરો.
–૨૫–
આત્માનું મૂળ સ્વરૂપ શું? અને તે કેમ ઓળખાય?
જેમ–પાણીનો મૂળ સ્વભાવ ઠંડો છે, પણ પોતાથી વિરુદ્ધ એવા અગ્નિનો આશ્રય કરે તો તે ઉષ્ણ દશારૂપે
થાય છે. તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ શીતળ–આનંદમય છે, પણ જો તે સ્વભાવનો આશ્રય છોડીને પર
સંયોગના આશ્રયે પરિણમે તો અવસ્થામાં પુણ્ય–પાપવિકાર થાય છે. જેમ ઉષ્ણતા તે પાણીનું ખરું સ્વરૂપ નથી
તેમ વિકારી ભાવો આત્માનું ખરું સ્વરૂપ નથી. ઉષ્ણતા વખતે જ પાણીનો શીતળ સ્વભાવ છે, તે શીતળ
સ્વભાવ પાણીમાં હાથ નાંખવાથી જણાતો નથી, આંખથી દેખાતો નથી, કાન–નાક કે જીભથી તે જણાતો નથી,
પણ જ્ઞાનદ્વારા જ જણાય છે. તેમ વિકાર વખતે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે તે કોઈ બાહ્ય ક્રિયાથી કે
રાગથી જણાતો નથી પણ અંતર, સ્વભાવ તરફ વળતાં જ્ઞાનથી જ જણાય છે. વિકારના લક્ષે વિકાર ટળતો નથી,
પણ વિકારનું લક્ષ છોડી, ત્રિકાળ વીતરાગ સ્વરૂપ નિજ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરતાં વિકાર ટળી જાય છે,
માટે જ્ઞાનઆનંદસ્વરૂપ પોતાના આત્માની શ્રદ્ધા કરવી તે જ પહેલો ધર્મ છે.
ઉષ્ણતા તે પાણીનો સ્વભાવ નથી, પાણીનો સ્વભાવ તો ઊકળાટને મટાડવાનો છે. તેમ આત્માનો
સ્વભાવ વિકારનો કર્તા નથી, પણ વિકારનો ટાળનાર છે. વિકારી–ભાવોથી થતો આ સંસારના ભવભ્રમણનો
ઉકળાટ ટાળવા માટે શાંત ચૈતન્યસ્વરૂપમાં ઢળવું જોઈએ. હું એક ચૈતન્ય છું. ને આ સંયોગો દેખાય છે તે બધા
મારાથી ભિન્ન છે, સંયોગના લક્ષે જે ભાવો થાય તે વિકાર છે, તે પણ મારું સ્વરૂપ નથી, જાણવું–દેખવું ને
આનંદનો અનુભવ કરવો તે જ મારું સ્વરૂપ છે. –આમ પોતાના ચૈતન્ય સ્વરૂપની સમજણ કરવી તે ધર્મ છે.
સ્વભાવ સમજીને તેમાં ઠરતાં અજ્ઞાન અને વિભાવ ટળી જાય છે. ત્રણેકાળે ધર્મની રીત એક જ છે.
આત્મસ્વભાવ સિવાય અરિહંત કે સિદ્ધ ભગવાન વગેરે કોઈ પણ પર દ્રવ્યના આશ્રયે ધર્મ સમજાતો નથી પણ
વિકાર અને દુઃખ જ થાય છે. ત્રણે કાળે પોતાના એકરૂપ સ્વભાવના આશ્રયે જ ધર્મ સમજાય છે
–સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી

PDF/HTML Page 16 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૫૩ :
(અનુસંધાન ટાઈટલ પાન – ૨ થી ચાલુ)
પરનું કાંઈ કરે તેવી ત્રેવડ નથી પણ જાણવાની અપાર શક્તિ છે.
અજ્ઞાનીને એમ લાગે કે અમારે ચા અને બીડી વગર ચાલે નહિ, ને અમારામાં આટલી બધી શક્તિ કેમ હોય?
પણ ભાઈ, તને તારા સ્વભાવની ખબર નથી. તેથી તને એમ લાગે છે કે ચા–બીડી વગર ન ચાલે. હું ઉગામેડીનો અને
હું ફલાણા ગામનો–એમ માને છે, પણ ભાઈ, આત્મા કોઈ ગામનો નથી. આત્માનું સ્વરૂપ તો બધાને જાણે તેવું છે.
પહેલાંં જો આવો નિર્ણય કરે તો ધર્મ થાય છે.
જેમ આ માતા છે, અને આ સ્ત્રી છે–એમ નિર્ણય કર્યો ત્યાં જનેતા તરફની વિકારીદ્રષ્ટિ ફરી ગઈ, તેમ આત્મા
કોણ ને વિકાર કોણ–તેની ઓળખાણ કરે તો દ્રષ્ટિ ફરી જાય કે વિકાર મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું. એમ જો
નિર્ણય કરે તો જ્ઞાનની મર્યાદા ઓળંગીને આઘો ન ચાલે. આત્માને પર સાથે જાણવાપૂરતો જ સંબંધ છે. જ્ઞાનસ્વરૂપી
આત્મા બધાનો જાણનાર છે, તે સિવાય તેનો કરનાર માને તો તે અજ્ઞાની છે. આત્મામાં પુણ્ય–પાપના ભાવો થાય તે
પણ આત્માનું સ્વરૂપ નથી પણ આત્મા તેનો જાણનાર છે. દયા–દાનાદિના કે હિંસાદિના ભાવો થાય પણ તે જ્ઞાનનું
સ્વરૂપ નથી, તેની સાથે જાણવાપૂરતો સંબંધ છે–એમ જાણે તો આત્મામાં સદ્બોધરૂપી ચંદ્રમા ઊગે. જેમ કોઈ સ્ત્રીને
જોતાં વિકાર થાય પણ જ્યાં ઓળખાણ થઈ કે આ તો મારી બેન થાય છે! ત્યાં તરત જ વિકાર દ્રષ્ટિ ટળી ગઈ કે
આની સાથેનો મારો સંબંધ ભાઈ–બહેનનો છે, તેમ અનંત કાળથી આત્માને ભૂલી ગયો છે, ને પર સાથે સંબંધ માની
બેઠો છે. પણ જ્યાં ભાન થયું કે આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, ને પદાર્થો તો જાણવાપુરતા છે તે જુદા છે. એમ જ્યાં
ઓળખાણ થઈ ત્યાં પરને કરવાનું કે ભોગવવાનું અભિમાન ટળ્‌યું. જ્ઞાન સાથેના સંબંધની ઓળખાણ થતાં પર સાથેનો
સંબંધ તૂટયો; અને ભાઈ–બહેનની જેમ માત્ર જ્ઞાતા–જ્ઞેય તરીકે સંબંધ રહ્યો.
આત્માનો સ્વભાવ વાણીથી પાર છે. આ વાણી તે જ્ઞાન નથી, વાણી તો જડ છે. વાણીવડે જ્ઞાન અપાતું નથી.
જેમ ઘીનો સ્વાદ જ્ઞાનથી જણાય છે પણ વાણીથી પૂરો કહેવાતો નથી તેમ આત્માનો સ્વભાવ જ્ઞાનથી જણાય છે, પણ
વાણીથી પૂરો કહેવાય તેવો નથી. હજાર વાણી ભેગી થાય તોય તે પૂરો કહી શકાય નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો.
તેહ સ્વરૂપને અન્યવાણી તો શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાનજી........
આવો વચનાતીત જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાનસ્વભાવી આત્માનો એવો મહિમા છે કે બધી વાણી ભેગી થાય તોય
તેનો મહિમા પૂરો ન કહી શકે. એવા આત્માને ઓળખો. એ વિના બધું નકામું છે.
“જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહિ. ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી” આત્માને જાણ્યા વિના “અરિહંત,
અરિહંત” એવા જાપ કરે તોય ધર્મ થાય નહિ. પાત્ર જીવને જ્ઞાનીના સમાગમે આત્મા જણાય છે. અનંત કાળમાં
આત્માને એક સેકંડ માત્ર જાણ્યો નથી. એક સેકંડ પણ આત્માને જાણે અને કલ્યાણ ન થાય એમ બને નહિ માટે
આત્માની ઓળખાણ કરો.
વીતરાગ થયા પહેલાંં શુભભાવ તો થાય પણ તેને ધર્મ માની લેવો તે અજ્ઞાન છે. જ્ઞાનીને શુભરાગ થાય તેને
તે ધર્મ માને નહિ. तीथ्थरा मे पस्सीयंतु એટલે હે તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ–એમ બોલવાની રીત છે, કાંઈ
ભગવાન કોઈ ઉપર પ્રસન્ન થતા નથી, પણ પોતે ભગવાન પ્રત્યે નમ્રતાથી તેમ બોલે છે. આત્માનું સાચું જ્ઞાન કરે તો
વિકારની રુચિ છૂટી જાય. આત્માના સાચા જ્ઞાનનો પ્રયત્ન કરો; ભાઈ! આ દેહ તો છૂટી જશે, તેનાથી છૂટો આત્મા છે
તેની ઓળખાણ કરો.
જીભ અને વાણી તો જડ છે, તેને કાંઈ ખબર પડતી નથી. સાકર ગળી છે એમ કાંઈ જીભ નથી જાણતી, પણ
જ્ઞાન જ તેને જાણે છે. લોકોમાં મૃત્યુ ટાણે મરનારને શાંતિ થાય તે માટે સાકર ખાય છે. પણ ખરેખર તે સાકરથી
આત્માને શાંતિ નથી થતી, પણ આત્મા ચિદાનંદ મૂર્તિ છે, નિર્મળ છે–એવા આત્માની ઓળખાણ રૂપી અમૃત પીએ તો
આત્મા એકાવતારી થાય. હે ભાઈ! આ વાત તારાથી સમજાય તેવી છે, સત્સમાગમે આત્માની ઓળખાણ કરવા માગે
તો સૌ કરી શકે તેમ છે. જ્યારે જ્યારે તેનું ભાન કરવા માંગે ત્યારે તું કરી શકે છે. એવું આત્માનું ભાન જયવંત વર્તે છે.
તું સમજવાનો પ્રયત્ન કર, તો તારો જય થશે. આ કાળે પણ તારો જય થશે. આત્મા સદાકાળ આ લોકમાં જયવંત વર્તે
છે. એની ઓળખાણનો પ્રયત્ન કર, રુચિ કર. કર્મો તને નડતા નથી. જગતમાં બધા પરનો દોષ કાઢે છે. ભૂવો કહે ભૂત
નડે છે, જોશી કહે પનોતી નડે છે, અજ્ઞાની કહે–કર્મ નડે છે, ને જ્ઞાની કહે છે–હે ભાઈ તને કોઈ પર નડતું નથી પણ તારી
જ ભૂલ જ તને નડે છે. તું આત્માને સમજવાનો પ્રયત્ન કર, તો તારો જય જ છે.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી. શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૪ – ૬ – ૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With The permission of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30-24 date 31-10-44
ર્ ર્પ્ર : પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી ચૈત્ર સુદ એકમના દિવસે રાજકોટમાં પધાર્યા
હતા. એ પ્રસંગે રાજકોટના મુમુક્ષુ સંઘે ઘણા ઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રી શેઠશ્રી
નાનાલાલભાઈના મકાન આનંદકુંજમાં વૈશાખ સુદ ૮ સુધી બિરાજ્યા હતા. એ દિવસો દરમિયાન રાજકોટની
વિશાળ જનતાએ પૂ. શ્રીના વ્યાખ્યાનોનો ઘણો લાભ લીધો હતો. હજારો શ્રોતા–જનોની મેદનીમાં વકીલો–
ડોક્ટરો–ઓફિસરો વગેરે શિક્ષિતવર્ગનો મોટો સમુદાય હતો. રાજકોટમાં કેટલાક વ્યાખ્યાનોનું રેકોર્ડીંગ થયું હતું.
પૂ. ગુરુદેવશ્રીની રાજકોટમાં સ્થિતિ દરમિયાન ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ભગવાનશ્રી મહાવીર પ્રભુનો
જન્મ કલ્યાણક દિવસ ઉજવાયો હતો. અને વૈશાખ સુદ ૧–૨–૩ ના દિવસોએ પૂજ્ય ગુરુદેવશ્રીની ૬૦ મી
જન્મજયંતીનો ઉત્સવ ઉજવાયો હતો. રાજકોટમાં ભવ્ય દિ૦ જિનમંદિર તૈયાર થાય છે. વૈશાખ સુદ ૯ ના દિવસે
રાજકોટથી વિહાર કરીને પૂજ્યશ્રી લાઠી તરફ પધાર્યા છે.
ત્ : વૈશાખ વદ ૬ ના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી લાઠી શહેરમાં પધાર્યા. તે વખતે
લાઠીના મુમુક્ષુ સંઘે ઉત્સાહ પૂર્વક ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તથા વૈશાખ વદ ૬ ને દિવસે સમવસરણ
પ્રતિષ્ઠાનો અને ૮ ને દિવસે શ્રી સમયસાર–પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો હતો. અહીં જેઠ સુદ પ ને બુધવારે
ભગવાનશ્રી સીમંધરપ્રભુ વગેરેની પ્રતિષ્ઠાનું મંગળ મુહૂર્ત છે. તે પ્રસંગની વિધિની ભવ્ય શરૂઆત વૈશાખ વદ
૧૩ થી થઈ ગઈ છે. પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી સમાચાર આગામી અંકે આપવામાં આવશે.
પ્ર ર્ : ફાગણ વદ ૧૦ ના પવિત્ર દિવસે બોટાદશહેરમાં શ્રીસીમંધરભગવાન અને
શ્રીશાંતિનાથ ભગવાનના વીતરાગી પ્રતિમાજી (–જેમની પ્રતિષ્ઠા વીંછિયામાં ફાગણ સુદ ૭ ના દિવસે પૂ.
ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શુભ હસ્તે થઈ હતી તે) પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના મુમુક્ષુ સંઘે ઘણા
જ ઉલ્લાસપૂર્વક પ્રભુજીના સ્વાગત સન્માનનો ઉત્સવ ઊજવ્યો હતો. પ્રભુશ્રીના ભવ્યસ્વાગતમાં ગામના લોકોએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. બોટાદના આંગણે પ્રભુશ્રી પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓના ધનભાગ્ય છે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટનાં પ્રકાશનો
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧–૩–૪ દરેકના ૩–૦–૦
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૨ જો ૧–૮–૦
શ્રી અપૂર્વઅવસર–પ્રવચનો ૦–૮–૦
શ્રી આત્મસિદ્ધિ–પ્રવચનો [આવૃત્તિ ત્રીજી] ૩–૮–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧૨–૦
શ્રી ધર્મની ક્રિયા ૧–૮–૦
શ્રી મૂળમાં ભૂલ ૧–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી ૦–૮–૦
શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ (આવૃત્તિ ત્રીજી) ૦–૮–૦
શ્રી નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦
શ્રી સમવસરણ સ્તુતિ (આવૃત્તિ ત્રીજી) ૦–૪–૦
શ્રી મોક્ષશાસ્ત્ર (ગુજરાતી ટીકા) છપાય છે
શ્રી પૂજા સંગ્રહ (આવૃત્તિ ચોથી)
૦–૧૦–૦
શ્રી પ્રવચનસાર (ગુજરાતી) ૨–૮–૦
શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૪–૦
શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૫–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ ૦–૨–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ તથા ઉપાદાન નિમિત્ત દોહા ૦–૩–૦
શ્રી મુક્તિનો માર્ગ ૦–૯–૦
શ્રી સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ ૧–૦–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકા ૦–૮–૦
શ્રી છહ ઢાળા (ગુજરાતી) ૦–૧૪–૦
શ્રી દ્રવ્ય સંગ્રહ (ગુજરાતી) ૦–૭–૦
શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા (ગુજરાતી) ૧–૦–૦
શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૪–૦
શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૨–૦
શ્રી આલોચના ૦–૨–૦
શ્રી પુરુષાર્થ ૦–૪–૦
શ્રી દશ લક્ષણ ધર્મ ૦–૯–૦
શ્રી પંચાધ્યાયી ભાગ–૧ ૩–૮–૦
દરેકનું ટપાલખર્ચ જુદું
–: પ્રાપ્તિ સ્થાન:–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ: સૌરાષ્ટ્ર