Atmadharma magazine - Ank 069
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૯
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
અષાડ સંપાદક વર્ષ છઠ્ઠું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૫ વકીલ અંક નવમો
વિેક
અહો, એક માખી પણ સાકર અને ફટકડીના સ્વાદનો
વિવેક કરીને, ફટકડીને છોડે છે ને સાકરનો સ્વાદ લેવા માટે
ચોંટે છે; તો જેને પોતાનું કલ્યાણ કરવું છે એવા જીવે,
પોતાનો ત્રિકાળી સ્વભાવ શું અને વિકાર શું એનો બરાબર
વિવેક કરવો જોઈએ. ત્રિકાળના લક્ષે શાંતિ થાય છે ને
ક્ષણિક પર્યાયના લક્ષે આકુળતા થાય છે, એમ તે બંનેનો ભેદ
જાણીને, જો પર્યાયથી ખસીને ત્રિકાળી સ્વભાવ તરફ
શ્રુતજ્ઞાન વળે તો સ્વભાવના આનંદનો સ્વાદ આવે, અને
ગમે તેવા પ્રતિકૂળ સંયોગ વખતે પણ સ્વભાવની એકતાને
તે જ્ઞાન છોડે નહિ. જે ધર્માત્માને આવું સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું
છે તે જ્યારે કર્મને જાણતા હોય ત્યારે પણ તેમને સ્વભાવમાં
જ્ઞાનની એકતા વધતી જાય છે. અને પર તરફનું જ્ઞાનનું
વલણ ઘટતું જાય છે.
–શ્રી સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી.
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડીયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૧૫૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
[બોટાદમાં
પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન]
મંગળવાર ૨૨–૨–૪૯ માહ વદ ૧૦] [મોક્ષમાળા પાઠ: ૩૪
આજે બ્રહ્મચર્યનો પ્રસંગ હોવાથી બ્રહ્મચર્ય સંબંધી શ્લોકના અર્થ થાય છે:–
નિરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન,
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ૧
અહીં ભગવાનસમાન કહ્યો છે, તે એકલા શુભરાગરૂપ બ્રહ્મચર્યની વાત નથી. પરને દેખીને જે રાગ માને
છે તેને તો પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. જ્ઞાની સ્ત્રીને દેખીને રાગ માનતા નથી, તેથી દર્શનનો દોષ નથી,
અસ્થિરતાથી રાગ થાય તે ચારિત્રની નબળાઈ છે. ‘નિરખીને’ એટલે કે પર વસ્તુને દેખીને ‘આ સારું છે’ એવી
બુદ્ધિથી જે રાગ થાય તે મિથ્યાત્વીનો રાગ છે, જ્ઞાનીને રાગ થાય પણ તે સ્ત્રીને દેખવાના કારણે થતો નથી, સ્ત્રી
મારી છે કે સ્ત્રી સુંદર છે–એવી માન્યતાથી જ્ઞાનીને રાગ થતો નથી. ચોથે–પાંચમે ગુણસ્થાને જ્ઞાનીને સ્ત્રી
આદિનો રાગ હોય પણ તે પરના કારણે રાગ નથી માનતા, તેથી તેને મિથ્યાત્વનો રાગ નથી. જ્ઞેયોને જ્ઞેય તરીકે
જાણે છે, પણ તેના કારણે રાગ માનતા નથી. સુંદર સ્ત્રી દેખીને જે રાગ માને છે તેને તો અનંત સંસારના
કારણરૂપ રાગ છે. વળી જ્ઞાનીને લેશ પણ વિષય નિદાન નથી, આસક્તિનો રાગ હોય પણ તે વિષયમાં સુખ
માનતા નથી. વિષયને સુખનું કારણ માનીને જ્ઞાનીને કદી રાગ થતો નથી. એને અહીં ‘ભગવાન સમાન’ કહ્યો
છે. પણ મિથ્યાદ્રષ્ટિ અનંતવાર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયકે ગયો, તેને અહીં ભગવાનસમાન કહ્યો નથી.
જેમ સ્ત્રીને નિરખીને તેના કારણે જ્ઞાની રાગ માનતા નથી તેમ પૈસા કે દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે કોઈ
પદાર્થને કારણે પણ જ્ઞાની રાગ માનતા નથી. આવા સ્વભાવના લક્ષે બ્રહ્મચર્ય હોય તો તે પાત્રતા છે, અને
સ્વભાવના લક્ષ વગર બ્રહ્મચર્ય પાળે તો મંદરાગથી પુણ્ય બંધાય, પણ તેમાં આત્મલાભ નથી.
આ પાઠનું નામ “બ્રહ્મચર્ય વિષે સુભાષિત” છે, એટલે લૌક્કિમાં જે બ્રહ્મચર્યનું કથન છે તે નહિ, પણ
પરમાર્થ સ્વરૂપ શું છે? તેની વાત આમાં કરે છે.
શાંતિનાથ ભગવાન પહેલાંં ગૃહસ્થપણામાં હતા, ચક્રવર્તી હતા, હજારો રાણીઓ હતી, છતાં તેઓના
કારણે લેશ પણ રાગ થવાનું માનતા નથી, તેના વિષયમાં લેશ પણ સુખ માનતા નથી. તેને અહીં ભગવાન
સમાન કહ્યા છે; સ્ત્રીઓ મારી–એમ માને તેને તો તેના કારણે રાગ માન્યો, ને તેમાં એકત્વબુદ્ધિ છે, તે
મિથ્યાદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિમાં ફેર છે, બહારના આચરણથી ફેર જણાય નહિ.
નવયૌવના સ્ત્રીને કાષ્ઠની પૂતળી સમાન ગણે, એટલે જગતના જ્ઞેયોની જેમ તેને પણ જ્ઞેય જાણે. જેમ
જગતમાં વિષ્ટા છે, હાડકાં છે, લાકડાં છે તેમ તે સ્ત્રી પણ જ્ઞેય છે. તે જગતના પરમાણુઓ છે. મારા સ્વભાવમાં
વસ્તુઓને દેખીને વિકાર થતો નથી; નવયૌવન સ્ત્રીઓને દેખવાના કારણે જો રાગ થવાનું માને તો, તેના
અભિપ્રાયમાં રાગ કરવાનું જ આવ્યું. કેમકે જગતમાં નવયૌવન સ્ત્રીઓ તો અનાદિ અનંત છે, તેને કારણે જો
રાગ માને તો તેને અનાદિ અનંત કાળ રાગ કરવાનું આવ્યું. તેનો અભિપ્રાય મિથ્યા છે. જ્ઞાની જાણે છે કે સ્ત્રીને
કારણે મને રાગ નથી, સ્ત્રીને દેખવાના કારણે મને રાગ નથી. તેથી કહ્યું કે–
નિરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન,
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ૨
ધર્મીને રાગ હોવા છતાં સ્ત્રીથી રાગ થવાનું માનતા નથી. અને રાગ થાય તેને સુખનું કારણ નથી
માનતા. જગતના અનંત જ્ઞેયો છે તે કોઈ મને રાગનું કારણ નથી, અને મારો જ્ઞાનસ્વભાવ રાગરહિત છે, તેમાં
રાગ થાય તે મને સુખરૂપ નથી–એમ જ્ઞાની જાણે છે તે ભગવાન સમાન છે. હજી સાક્ષાત્ ભગવાન્ થયા નથી.
અસ્થિરતાનો રાગ છે પણ રાગરહિત પૂર્ણ સ્વભાવનું ભાન છે તેથી તે ભગવાન સમાન છે. રાગ છે તે ક્ષણિક
દોષ છે પણ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિના જોરે તે રાગ અલ્પકાળે ટળી જવાનો છે. રાગમાં જે સુખ માને છે તેણે
રાગને ટાળવા જેવો માન્યો નહિ.
જ્ઞાનીને સ્ત્રી નિરખીને રાગ થતો નથી, તેમાં અલ્પરાગ હોય તે સુખબુદ્ધિથી થતો નથી, અને જગતના
બીજા જ્ઞેયોની જેમ નવયૌવના સ્ત્રીને કાષ્ઠની પૂતળી જેવી ગણે છે, –એને અહીં ભગવાન સમાન કહ્યા છે.

PDF/HTML Page 4 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૫૭ :
હજી શુભરાગનો વિકલ્પ છે તેથી કહ્યું કે “ગણે કાષ્ઠની પૂતળી.” હજી તદ્દન વીતરાગતા થઈ નથી પણ
પર લક્ષે શુભરાગ છે, તેથી તે સાક્ષાત્ ભગવાન નથી, પણ ભગવાન સમાન છે–એમ કહ્યું છે. જો સાક્ષાત્
ભગવાન થઈ ગયા હોય તો કાષ્ઠની પૂતળી સમાન ગણવાનો શુભ વિકલ્પ પણ ન હોય. આત્માના સ્વભાવનું
ભાન હોવાથી અસ્થિરતાના રાગવાળો હોવા છતાં તેને ભગવાનસમાન કહ્યો છે. જેની દ્રષ્ટિ પર ઉપર છે, જે
પરને કારણે રાગ માને છે, જે વિષયોમાં સુખ માને છે, તે ભલે બ્રહ્મચર્ય પાળે તોપણ તેને ધર્મ થતો નથી, ને
એને અહીં ભગવાન્ સમાન કહ્યો નથી.
મારું સ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા છે, રાગ થાય તે વિકાર છે, પરને કારણે રાગ થતો નથી અને રાગ થાય તેમાં
મારું સુખ નથી–એવું જેને ભાન છે એને શ્રીમદ્રાજચંદ્રજીએ ૧૬ મા વર્ષે ભગવાનસમાન કહ્યા છે.
આ સઘળા સંસારની રમણી નાયકરૂપ
એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોકસ્વરૂપ. ૨
સ્ત્રી સાથે રમણ કરવામાં સુખ છે એવી બુદ્ધિ તે આ સંસારનું મૂળ છે. જગતમાં મૂળ રાગ સ્ત્રીના
વિષયનો હોય છે, એનામાં પણ સુખબુદ્ધિ જેણે છોડી દીધી છે ને તે તરફના રાગમાં પણ જેને સુખબુદ્ધિ નથી,
તેણે જગતના પદાર્થોના કારણે રાગ થાય એવી માન્યતા છોડી દીધી છે, અને તે કેવળ ઉદાસીન રૂપ જ્ઞાતા દ્રષ્ટા
છે. ખરેખર રમણી સંસારનું કારણ નથી પણ રમણી સાથેના વિષયમાં સુખ છે એવી માન્યતા જ સંસારનું મૂળ
છે. જ્ઞાનીને લક્ષ્મી વગેરે પર ચીજને કારણે તો રાગ થવાની માન્યતા નથી અને અસ્થિરતાથી રાગ થાય તેને
પણ પોતાનું સ્વરૂપ જાણતા નથી. પર વસ્તુ મને હિતકાર નથી એવા ભાનપૂર્વક જેણે ઘણો રાગ છોડ્યો છે અને
બાકી રહેલો અલ્પ રાગ છોડવાની ભાવના છે તેણે બધું ત્યાગ્યું એમ કહ્યું છે.
એક વિષયને જીતતાં જીત્યો સબ સંસાર
નૃપતિ જીતતાં જીતિએ દળ–પૂર ને અધિકાર. ૩
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે સિવાય બીજા બધા પદાર્થો તે મારું ધ્યેય નથી; ચૈતન્ય સ્વભાવને જ્ઞાનનો વિષય
કરીને જેણે પર સાથેનો વિષય છોડી દીધો છે, રાગ થાય તેને ધ્યેય માનતા નથી, પરવસ્તુને ધ્યેય માનતા નથી–
તેણે આખો સંસાર જીતી લીધો. એકલા અબ્રહ્મને જ જીતવાની વાત નથી, પણ એક તરફ ચૈતન્ય તે સ્વવિષય,
અને સામે આખો સંસાર તે પરવિષય છે, જગતનો કોઈ પરવિષય મને સુખરૂપ નથી–એવા ભાનપૂર્વક જેણે એક
વિષય જીત્યો તેણે આખો સંસાર જીતી લીધો છે. જેમ રાજાને જીતતાં લશ્કર વગેરે જીતાઈ જાય છે તેમ
આત્મસ્વભાવના ભાનપૂર્વક જેને વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે તેનો સમસ્ત સંસાર નાશ થઈ જાય છે.
વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન
લેશ મદીરાપાનથી છાકે જયમ અજ્ઞાન. ૪
પર વિષયમાં સુખ છે એવી બુદ્ધિ તે અજ્ઞાનભાવના અંકુરો છે તેમાંથી અનંત સંસારનું ઝાડ ફાલશે.
ચૈતન્યમાં શાંતિ છે તેને ચૂકીને પરમાં જે સુખ માને છે તેને ચૈતન્યનું જ્ઞાન ને ધ્યાન થતું નથી.
ચૈતન્ય ચૂકીને પરવિષયમાં જેણે સુખ માન્યું છે, તેને આત્માનું સાચું જ્ઞાન નથી, આત્માના જ્ઞાન વગર
આત્માનું ધ્યાન પણ હોય નહિ. જ્ઞાની પરમાં સુખ માનતા નથી, જ્ઞાનસ્વભાવી આત્મામાં જ મારું સુખ છે એવું તેને
ભાન છે, તે મોક્ષના અંકુર છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિ હોવાથી તેને વિષયનો અંકુર વધારવાની ભાવના છે,
જ્ઞાનીને સ્વભાવના ભાનમાં ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે કેમ કે રાગની ભાવના નથી ને વિષયમાં સુખબુદ્ધિ નથી.
અજ્ઞાનીને રાગની વૃદ્ધિ થશે એટલે રાગરહિત સ્વભાવનું જ્ઞાન ટળશે, ને વિષયનાં અંકુરની વૃદ્ધિ થશે પણ ચૈતન્યમાં
એકાગ્રતા નહિ થાય. જેમ મદિરાપાનથી અજ્ઞાન થાય છે, ને માતાને પણ સ્ત્રી કહેવા માંડે છે, તેમ અજ્ઞાની પરમાં
સુખ માનીને વિષયોનો રાગ કરે છે, એટલે તેનો રાગ તે વિષયનો અંકુર છે, તેમાંથી સંસારનું ઝાડ થશે. જ્ઞાનીને
રાગ થાય તે અસ્થિરતાનો છે, તે સંસારનું કારણ નથી. તેને સમ્યગ્જ્ઞાનનો અંકુર ફાલીને કેવળજ્ઞાન થાય છે.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ
ભવ તેનો લવ પછી રહે તત્ત્વવચન એ ભાઈ. ૫
હે ભાઈ! આત્મભાન વગર તો અનંતવાર નવ વાડે શિયળ પાળ્‌યું, પણ તે ‘વિશુદ્ધ’ નથી; આત્મસ્વરૂપના
ભાનસહિત જે નવ વાડે બ્રહ્મચર્ય પાળે છે તેને પછી અલ્પ ભવ જ રહે છે, –આવું તત્ત્વવચન છે. રાગ–
(અનુસંધાન પાન ૧૬૮)

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૫૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
લેખાંક ૯] વીર સંવત્ ૨૪૭૩ ભાદરવા સુદ ૨ મંગળવાર [અંક ૬૮ થી ચાલુ
[શ્રી પરમાત્મ પ્રકાશ ગા. ૭]
[] જ્ઞ વ્ખ્ : મુનિઓને નમસ્કાર કરતાં તેઓના સમ્યગ્દર્શનાદિ ગુણોની ઓળખાણ કરાવવા
માટે ગ્રંથકાર તેનું સ્વરૂપ બતાવે છે. તેમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ વર્ણવાઈ ગયું છે. હવે સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ વર્ણવે
છે. ચિદાનંદ ચિદ્રૂપ એક અખંડ સ્વભાવ પરમસત્ય છે, એવા પોતાના સ્વરૂપમાં સંશય, વિમોહ ને વિભ્રમરહિત જે
સ્વસંવેદનજ્ઞાનરૂપ ગ્રાહકબુદ્ધિ તે સમ્યગ્જ્ઞાન છે. તે સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમનને જ્ઞાનાચાર કહેવાય છે.
[] મ્ગ્જ્ઞ પ્ર? : જે નિર્મળ આત્મસ્વભાવ છે તે કોઈ પરની ભક્તિથી કે શાસ્ત્ર
વાંચવાથી પ્રગટે–એવો ભ્રમ સમ્યગ્જ્ઞાનમાં હોતો નથી. આત્મા ત્રિકાળ આનંદમૂર્તિ ચિદ્રૂપ છે તે જ પરમ સત્ય છે.
શરીર, મન, વાણીનો તો આત્મામાં અભાવ છે, રાગાદિ વિકારથી પણ સમ્યગ્જ્ઞાન થતું નથી, શાસ્ત્રના
જાણપણાથી જે જ્ઞાન ઊઘડ્યું તેનાથી પણ સમ્યગ્જ્ઞાન થતું નથી અને આત્માની જે મતિ–શ્રુતજ્ઞાનરૂપ અધૂરી
દશા તેના આશ્રયે પણ સમ્યગ્જ્ઞાન થતું નથી. પણ તે બધાયના સંબંધ રહિત એક ચિદ્રૂપ આત્મસ્વભાવ છે તે જ
પરમસત્ય છે અને તેના આશ્રયે જ સમ્યગ્જ્ઞાન પ્રગટે છે.
જે સમ્યગ્જ્ઞાન પ્રગટે છે તે તો પર્યાય છે, પણ તે કોના આશ્રયે પ્રગટે છે? આત્મા ચિદ્રૂપ ત્રિકાળશુદ્ધ છે.
સ્વભાવ તો ત્રિકાળશુદ્ધ છે જ, તેની શુદ્ધતા કાંઈ નવી પ્રગટતી નથી, પણ તે ત્રિકાળી શુદ્ધ ચિદ્રૂપ સ્વભાવ છે
તેના આશ્રયે દ્રઢ પ્રતીતિ, પરમશ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે; અને તે સ્વભાવમાં સંશયરહિત સ્વસંવેદનરૂપ
જ્ઞાનભાવ તે સમ્યગ્જ્ઞાન છે. ‘અહો હું આવો મોટો, અથવા હું પરના આશ્રય વગરનો છું કે કાંઈક અવલંબન
હશે’ એવો સંશય સમ્યગ્જ્ઞાનમાં ન હોય.
આત્માનો સ્વભાવ જે ત્રિકાળ શુદ્ધ છે તેના આશ્રયે જે જ્ઞાનનું સ્વસંવેદન પ્રગટ થાય તે સમ્યગ્જ્ઞાન છે,
અને તે સંશય, વિમોહ, વિભ્રમ રહિત છે.
[] ? : પ્રશ્ન:– આવું સંવેદન ન થાય તો પહેલાંં શું કરવું?
ઉત્તર:– જિજ્ઞાસા હોય તો ‘ન થાય’ એ પ્રશ્ન ન ઊઠે. જો આવું આત્મસંવેદનરૂપ સમ્યગ્જ્ઞાન ન થાય તો,
વિકારનું વેદન કે જે અનાદિથી કર્યા કરે છે તે જ ચાલુ રહે; જે અનાદિથી કરે છે તે કરવાનું કેમ કહેવાય? તે કાંઈ
પહેલું નથી પહેલું તો તેને કહેવાય કે જે પૂર્વે કદી કર્યું ન હોય; અનાદિથી નથી કર્યું એવું સમ્યગ્જ્ઞાન જ પહેલું કર્તવ્ય છે.
[] મ્ગ્જ્ઞ િ : સમ્યગ્જ્ઞાનીને આત્મસ્વભાવમાં સંશય–વિમોહ કે વિભ્રમ ન હોય;
સંશય: આ છીપ હશે કે ચાંદી હશે!
વિમોહ: આ ચાંદી જેવું લાગે છે, હોય તે ખરું! (આને અનધ્યવસાય પણ કહેવાય છે.)
વિભ્રમ: ચાંદીના કટકામાં ‘આ છીપ જ છે’ એવી કલ્પના; (આને વિપર્યય પણ કહેવાય છે.)
વસ્તુ ત્રિકાળ શુદ્ધ હશે કે તેમાં કંઈક અશુદ્ધતા હશે–એવી શંકા તે સંશય છે, –મિથ્યાજ્ઞાન છે.
સમ્યગ્જ્ઞાનીને ત્રિકાળી શુદ્ધ વસ્તુસ્વભાવમાં કદી સંશય પડતો નથી. પર્યાયમાં રાગ દેખીને ‘આ કાંઈક છે, પણ
આત્મા શું છે, ને રાગ શું છે તેનો નિર્ણય કરવાની માથાકૂટ આપણે શા માટે કરવી! ’ આવું જ્ઞાન તે વિમોહ છે.
પર્યાયમાં રાગને દેખીને એવી ભ્રમણા કરવી કે ‘આ રાગ તે જીવનું સ્વરૂપ છે અથવા ‘જીવનો સ્વભાવ
રાગવાળો જ છે’ –તે વિભ્રમ છે.
ત્રિકાળ શુદ્ધ સ્વભાવ કોઈ પણ પરના આશ્રયે પ્રગટે એવી માન્યતા તે વિભ્રમ છે, મિથ્યાજ્ઞાન છે. અથવા
તો પર્યાયમાં ક્ષણિક રાગાદિને જોઈને ‘મારો ત્રિકાળી સ્વભાવ રાગરૂપ છે’ એવો ભ્રમ તે વિભ્રમ છે. સમ્યગ્જ્ઞાની
જીવોને ઉપરના દોષો હોતા નથી.
[] મ્ગ્જ્ઞ ્રિદ્ધ ? : આત્મા વસ્તુ છે, તે ત્રિકાળ છે. તે ક્ષણિક ભાવોથી ટકતો
નથી પણ ત્રિકાળ સ્વભાવથી જ ટકેલો છે. અને

PDF/HTML Page 6 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૫૯ :
તેની જે પરિણતિ બહારનો આશ્રય છોડીને આત્મસ્વભાવમાં જ વળે છે તે જ સમ્યગ્જ્ઞાન છે. શાસ્ત્ર વાંચીને
જ્ઞાન પામું કે શ્રવણ કરીને જ્ઞાન પામું–એવી ગ્રાહક બુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે. પોતાના ત્રિકાળી સ્વભાવમાંથી
અપૂર્વ સમ્યક્શ્રતનું ગ્રહણ થાય છે. શાસ્ત્રના જાણપણાની ઉઘાડ બુદ્ધિથી સમ્યગ્જ્ઞાન થતું નથી. જ્યારે સમ્યગ્જ્ઞાન
પ્રગટે છે ત્યારે તે સીધું આત્મસ્વભાવના સંવેદનથી જ પ્રગટે છે; જે એવું સ્વસંવેદન કરે તેને શ્રવણ વગેરે
નિમિત્તરૂપ કહેવાય છે. શાસ્ત્રાદિ તરફનો જે બોધ તેની પણ ગ્રાહક બુદ્ધિ છોડીને ત્રિકાળ પરમ શુદ્ધ સ્વભાવના
સંવેદનરૂપ ગ્રાહકબુદ્ધિ તે સમ્યગ્જ્ઞાન છે. જ્ઞાનીને–ગણધરદેવને પણ વિકલ્પ ઊઠે ત્યારે શાસ્ત્રસ્વાધ્યાય,
દિવ્યધ્વનિનું શ્રવણ હોય ખરા પણ તેની ગ્રહણબુદ્ધિ નથી, તેનાથી સમ્યગ્જ્ઞાન થવાનું માનતા નથી.
[] મ્ગ્જ્ઞ પ્ર : પ્રશ્ન:– જે શાસ્ત્ર વાંચતા હશે તે જ્ઞાન વધારવા વાંચતા હશે, કાંઈ રાગ
વધારવા માટે નહિ વાંચતા હોય!
ઉત્તર:– શાસ્ત્રના લક્ષે રાગ ઘટે અને જ્ઞાનનો ઉઘાડ થાય, પણ તે જ્ઞાન સમ્યગ્જ્ઞાન નથી. સ્વભાવની
દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન ઊઘડે તે જ સમ્યગ્જ્ઞાન છે. અજ્ઞાની જીવ, પોતે ત્રિકાળ મુક્ત, ત્રિકાળ શુદ્ધ, ત્રિકાળ
આનંદમય, ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે તેનો આશ્રય કરતો નથી ને પર્યાયની અશુદ્ધતાને સંભારે છે–પણ જ્ઞાની કહે
છે કે તારી વર્તમાન પર્યાયને તો અમે સ્વભાવમાં વાળવાનું કહીએ છીએ, માટે અશુદ્ધ અવસ્થાને ભૂલી જા
(ગૌણ કર) અને ત્રિકાળ જે પરમ સત્ય ભૂતાર્થ સ્વભાવ છે તેનો આશ્રય કર, તેમાં તારી વર્તમાન પર્યાયને
વાળ, તેથી પર્યાયની અશુદ્ધતા ટળી જશે.
[] ન્ સ્ મ્ગ્જ્ઞ પ્ર િ. : જ્યારે દરિયામાં ભરતી આવે ને પાણી ઊછળે
ત્યારે લાખ–લાખ કિરણોથી સૂર્ય તપે કે દરિયાના પાણીમાં વડવાગ્નિ સળગે તોપણ તે કોઈ ભરતીને અટકાવવા
સમર્થ નથી, કેમ કે મૂળમાંથી જ પાણી ઊછળ્‌યું છે; તેમ ચૈતન્યસ્વભાવમાં પરિણતિ વળી ત્યાં જ્ઞાનની ભરતી
અંદરના મૂળમાંથી ઊછળી, તે ભરતીને કોઈ રોકી શકે નહિ; તે વખતે શાસ્ત્રાદિનું જ્ઞાન ન હોય તોપણ અંદરથી
જ્ઞાનમૂર્તિનું વેદન કરીને જે સમ્યગ્જ્ઞાન ઊછળ્‌યું તે અટકે નહિ.
અને દરિયામાં જ્યારે ઓટ આવે ને પાણી ઊતરી જાય તે વખતે ધોધમાર વરસાદ વરસે કે લાખો નદીનાં
પાણી ઠલવાય તોપણ દરિયામાં ભરતી આવે નહિ, કેમકે તે મૂળમાંથી ઉછાળો આવ્યો નથી, તેમ ચૈતન્ય
સ્વભાવના વેદન વગર બહારથી કોઈ રીતે સમ્યગ્જ્ઞાનની ભરતી ઊછળે નહિ. બહુ શાસ્ત્રો વાંચીને, ઘણા
શુભવિકલ્પો કરીને કે ઘણું શ્રવણ કરીને આત્મસ્વભાવના સમ્યગ્જ્ઞાનની ભરતી થઈ શકે નહિ; અંદરથી જ્ઞાન
સ્વભાવના સંવેદન વગર કોઈ પણ રીતે સમ્યગ્જ્ઞાન થાય નહિ. શાસ્ત્રસન્મુખબુદ્ધિ તે પણ સમ્યગ્જ્ઞાનનો આચાર
નથી પણ પરમશુદ્ધ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને સ્વસંવેદનનું ગ્રહણ તે જ સમ્યગ્જ્ઞાનનો આચાર છે.
[] િદ્ર સ્ સ્ ્રહ્ય . : પ્રશ્ન:– ભલે, જ્ઞાન તો આત્માના સ્વભાવમાંથી જ પ્રગટે
છે, પણ વચ્ચે શાસ્ત્રસ્વાધ્યાય કે શુભવિકલ્પ તો આવશે ને? –વ્યવહારનયનો પક્ષ તો આવશે ને!
ઉત્તર:– એ બધું છોડવા માટે છે તો પછી તેનું સ્મરણ શું? ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવાની વાત વખતે
જેને વ્યવહારની ભાવના થાય છે તેની દ્રષ્ટિ જ ઊંધી છે, તેને વ્યવહારનો પક્ષ છે. જેમ માખી સહિત મિષ્ટાન્ન
ખવાઈ ગયું અને ખબર પડતાં ઊલટી થઈ, ત્યાં તે ઊલટીના સ્વાદને ચાખવા ઈચ્છતો નથી; તેમ સમ્યગ્જ્ઞાન
પછી જે વિકલ્પ કે રાગરૂપ વ્યવહાર આવે તે નિષેધ માટે છે પણ સંવેદન માટે નથી. જે કાંઈ વ્યવહારનય આવે
તેનો આશ્રય છોડવા જેવો જ છે. માટે પરમભૂતાર્થ ચિદ્રૂપ સ્વભાવનું સ્વસંવેદન તે જ ગ્રહણ કરવા યોગ્ય છે,
એવા સ્વસંવેદનનું જેમણે ગ્રહણ કર્યું છે તે સમ્યગ્જ્ઞાની છે. આવી સમ્યગ્જ્ઞાનની ઓળખાણપૂર્વક અહીં આચાર્ય–
ઉપાધ્યાય–સાધુને નમસ્કાર કરવામાં આવ્યો છે.
[] મ્િત્ર : મુનિઓના પંચાચારનું વર્ણન ચાલે છે, તેમાં સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનનું વર્ણન કર્યું, હવે સમ્યક્ચારિત્રનું વર્ણન કરે છે–
નિત્ય આનંદમય આત્મસ્વભાવના નિર્વિકારી શાંત નિજ રસનો આસ્વાદ તે સમ્યક્ચારિત્ર છે. જાંબુ,
મેસુબ વગેરે પરદ્રવ્યના રસને તો આત્મા ચાખતો નથી, તે તો જડ છે, અને તે તરફનો રાગ તે વિકારરસ છે.
શુભ–અશુભભાવ થાય તેનો વિકારી રસ છે; અને આત્મા ત્રિકાળજ્ઞાયકમૂર્તિ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૬૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
ત્રિકાળ આનંદરસમય છે. તેની એકાગ્રતા વડે નિર્વિકાર જ્ઞાનમય નિજરસનો અનુભવ તે સમ્યક્ચારિત્ર છે.
[૭૫] સ્વભવ ઝટ સમજાય તવ છ. : – “પરદ્રવ્યની વાત કે વકિારની વાત મને ઝટ સમજાય પણ
આત્મસ્વભાવની વાત મને ઝટ સમજાય નહિ” એમ જે માને છે તેને સ્વભાવની રુચિ નથી. પરને જાણનાર તો
પોતે જ છે, તો જાણનાર પોતે પોતાના સ્વભાવને કેમ ન જાણી શકે? સ્વભાવની રુચિ ને મહિમાથી અવશ્ય ઝટ
જાણી શકે છે.
[] િત્ર ! : ગણધરદેવ પણ વિકલ્પ ઊઠે ત્યારે કહે છે કે ‘नमो लोए सव्व साहूणं’ –સર્વ
સાધુઓના ચરણમાં નમસ્કાર થાઓ! તો એ સાધુપદ કેવું હશે કે જેને ગણધરદેવ પણ નમસ્કાર કરે છે! શું
લૂગડાં છોડયાં તે ચારિત્રદશા હશે? કે આલીદુવાલિ મનાવે છે તેવું ચારિત્ર હશે? ચારિત્રદશા લૂગડામાં, લૂગડાના
ત્યાગમાં, શરીરમાં કે દયાદિની વૃત્તિમાં નથી. પરમ સ્વભાવના નિજાનંદરસનો અનુભવ તે ચારિત્રદશા છે. એ
ચારિત્રદશાને દુઃખરૂપ માને તે અજ્ઞાની છે. સ્વભાવના વેદનમાંથી આનંદના ઝરણાંનો અનુભવ થાય તેનું નામ
ચારિત્રદશા છે; એવા ચારિત્ર આચારના પાળ–નાર સંતો તે આચાર્ય–ઉપાધ્યાય–મુનિ છે, તેમને અહીં નમસ્કાર
છે. અહીં દર્શન–જ્ઞાન–ચારિત્ર તપ અને વીર્ય એવા પાંચ ભેદથી સમજાવ્યું છે પણ ખરેખર પાંચ જુદા નથી,
શુદ્ધસ્વરૂપના સંવેદનમાં જ નિશ્ચય પંચાચાર સમાઈ જાય છે.
[૭] સમ્યક તપન સ્વરૂપ : – ર્દશન, જ્ઞાન ને ચારત્રિ આચાર ર્વણવ્યા; હવે ચોથા–તપાચારનું ર્વણન કરે છે.
સમ્યગ્દર્શન વડે જે પરમ આત્મસ્વભાવની દ્રઢ પ્રતીતિ થઈ છે તથા સમ્યગ્જ્ઞાનવડે જેનું સ્વસંવેદન પ્રગટયું છે તે
સ્વભાવામાં જ સહજ આનંદરૂપ તપશ્ચરણસ્વરૂપ (ચૈતન્યના પ્રતપનરૂપ) પરિણમન તે તપ છે, ત્યાં ઈચ્છાનો
નિરોધ છે. આનું નામ સમ્યક્ તપ છે. પણ બે દિવસ આહાર છોડ્યો ને ઘી–દૂધ ન લીધા તેથી તપ માની લીધો
તે મિથ્યાદ્રષ્ટિ છે.
એક વખત ‘સાધુ’ નામધારી એક વ્યક્તિ બે–બે દિવસ આહાર છોડે અને પારણાને દિવસે ઘી વગેરે ન
ખાય. ત્યારે તેના કોઈ ભક્તે તેને કહ્યું– ‘અહો તમે તો ચોથા આરાની વાનગી છો, ગૌતમગણધર જેવી છઠ્ઠ–
છઠ્ઠની તપસ્યા તમે કરો છો!’ ત્યારે તે સાંભળીને તપની તીવ્ર અભિમાની તે વ્યક્તિએ કહ્યું કે– ‘ભાઈ,
ગૌતમસ્વામી તો છઠ્ઠના પારણા વખતે ઘી–ગોળ (વિગય) વાપરતા અને હું તો તે નથી વાપરતો.’ તેનો આશય
એવો હતો કે ગૌતમ–ભગવાન કરતાં પણ મારો તપ ઊંચો છે. જ્ઞાની કહે છે કે–અરે પામર! ઘી–ગોળ (વિગય)
છોડયાં તેમાં જ તારો તપ આવી ગયો? ગણધરદેવની તું મહાન વિરાધના કરી રહ્યો છે. અહો, ક્યાં ભગવાન
ગૌતમગણધર, અને ક્યાં તું! હજી સમ્યક્શ્રદ્ધાનું પણ તને ઠેકાણું નથી! બહારના પદાર્થો છૂટવાથી તપ થઈ જતો
નથી પણ સહજ આનંદસ્વરૂપમાં પરિણમન કરતાં ઈચ્છા તૂટી જાય છે તે જ તપ છે.
[] ર્ સ્રૂ : પાંચમો વીર્ય આચાર છે તેનું વર્ણન કરે છે–સમ્યગ્દર્શને જે પરમાનંદ સ્વરૂપ
ભૂતાર્થ સ્વભાવને સ્વીકાર્યો છે તે સ્વરૂપમાં જ પોતાની શક્તિને પ્રગટ કરીને પરિણમવું તે વીર્યાચાર છે. આ
પાંચ આચાર મુનિઓને હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને દર્શન તથા જ્ઞાન આચાર હોય છે પણ પાંચે આચાર
હોતા નથી.
[] િશ્ચ વ્ : હવે જે સંત–મુનિઓને ઉપર્યુક્ત નિશ્ચય પંચાચાર હોય છે
તે સંતોને વિકલ્પરૂપ વ્યવહાર પંચાચાર કેવા હોય છે તેનું જ્ઞાન કરાવે છે. નિશ્ચય પંચાચાર હોય ત્યાં જ આ
વ્યવહાર આચાર હોય છે. વ્યવહાર આચાર તે રાગરૂપ છે, પણ નિશ્ચય પંચાચાર પ્રગટ્યા વગર તો શુભરાગને
વ્યવહારઆચાર પણ કહેવાય નહિ.
આ નિશ્ચય વ્યવહાર સંબંધી એ ખાસ સમજવા જેવું છે કે–નિશ્ચયપંચાચારના સદ્ભાવમાં વ્યવહાર
પંચાચારમાં કાંઈક દોષ આવી જાય તો તેથી નિશ્ચયપંચાચારનો નાશ થઈ જતો નથી; અને નિશ્ચયપંચાચાર
વગર જે એકલા શુભરાગરૂપ વ્યવહાર પંચાચાર હોય તેનાથી નિશ્ચયપંચાચાર પ્રગટતા નથી. અહીં ટીકામાં
વ્યવહારપંચાચારને “બાહ્ય આચાર” કહ્યા છે. શુભરાગ થાય તે આત્માના સ્વભાવથી બાહ્ય છે. એ વ્યવહાર–
પંચાચાર મુનિને કેવા હોય છે તેનું સ્વરૂપ હવે કહે છે.
[] વ્ : નિઃશંક્તિ વગેરે આઠ અંગ તે સમ્યગ્દર્શનના બાહ્ય આચાર છે; શાસ્ત્રના શબ્દોનો
શુદ્ધ ઉચ્ચાર તથા તેના શુદ્ધ અર્થ વગેરે આઠ પ્રકારના સમ્યગ્જ્ઞાનના બાહ્ય આચાર
(અનુસંધાન પાન ૧૬૮)

PDF/HTML Page 8 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૧ :
શ્રી પંચકલ્યાણિક
વર્તમાનમાં સૌરાષ્ટ્રદેશમાં શ્રી જિનેન્દ્ર શાસનની પ્રભાવનાનો મહાન સુઅવસર પ્રવર્તી રહ્યો છે પરમ
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પોતાની ભગવતી વાણી વડે ઉપદેશ આપીને સૌરાષ્ટ્રમાં શ્રુતગંગાનો પ્રવાહ
રેલાવી રહ્યા છે, અને પોતાનું ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ભવ્ય જીવોને આપી રહ્યા છે; તેથી આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર
તત્ત્વચર્ચા ચાલે છે અને અનેક પાત્ર જીવો સાચું તત્ત્વ જ્ઞાન સમજતા થયા છે. જેમ જેમ લોકો સત્ય તત્ત્વજ્ઞાન
સમજતા જાય છે તેમ તેમ શ્રીવીતરાગ શાસનના દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે તેમને બહુમાન અને ભક્તિ જાગતા જાય
છે. અને શ્રી વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રભાવના દિન દિન વધતી જાય છે. એના પરિણામે સૌરાષ્ટ્રમાં અનેક
સ્થળે શ્રીવીતરાગી જિનબિંબની સ્થાપના થઈ છે ને થતી જાય છે; તેમ જ શ્રી ગુરુભક્તિ અને શાસ્ત્ર પ્રચાર પણ
વધતા જાય છે. એ રીતે સૌરાષ્ટ્ર દેશમાંથી શ્રીજિનેન્દ્ર શાસનના જયનાદ ગાજી રહ્યા છે.
જેઠ સુદ પ–શ્રુતપંચમીના મંગળ દિવસે શ્રી લાઠી શહેરમાં ભગવાન શ્રી સીમંધરાદિ જિનદેવના વીતરાગી
પ્રતિમાની પંચકલ્યાણિક પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. એ મહામંગળ પ્રસંગે પૂ. ગુરુદેવશ્રી લાઠીમાં પધાર્યા હતા.
વૈશાખ વદ ૧૧ થી પ્રતિષ્ઠાવિધિ શરૂ થઈ હતી. સવારમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુની શ્રીમંડપમાં પધરામણી
થઈ અને શ્રી સમવસરણ મંડલવિધાનની શરૂઆત થઈ, તથા સવા લાખ જાપની શરૂઆત થઈ. વદ ૧૨ તથા ૧૩
ના રોજ સમવસરણ મંડલનું પૂજન ચાલુ રહ્યું. વદ ૧૩ ના રોજ બપોરે લાઠીના ભાઈશ્રી છગનભાઈ અને
ભવાનભાઈએ પોત પોતાના ધર્મપત્ની સહિત પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી. રાત્રે
ભક્તિ ભાવના થઈ હતી.
વૈશાખ વદ ૧૪: સવારે મૃત્તિકાનયનવિધિ થયો. વ્યાખ્યાન બાદ હરિચંદભાઈએ સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
લીધી. બપોરે અંકૂરારોપણ વિધિ થઈ. આવા વિધવિધ પ્રસંગ નિમિત્તે ખરેખર તો ભક્તો ભગવાન શ્રી જિનદેવના
પવિત્ર ગુણોનું સ્મરણ–પૂજન ને બહુમાન કરે છે. રાત્રે બાળકોએ ‘ચાલો, દાદાને દરબાર” એ વિષયનો
વૈરાગ્યગર્ભિત સંવાદ ભજવ્યો હતો. ભરત મહારાજાના નાની નાની ઉંમરના પુત્રો રમવા ગયા છે. ત્યાં તત્ત્વચર્ચા
કરી રહ્યા છે; એવામાં સેનાપતિ જયકુમારની દીક્ષાના સમાચાર સાંભળીને તે બધા બાળકો ત્યાં જ વૈરાગ્ય પામે છે
અને દીક્ષા લઈને મુનિ થવા માટે ત્યાંથી સીધા ભગવાન શ્રી આદિનાથ પ્રભુશ્રી સમવસરણમાં એટલે કે દાદાના
દરબારમાં ચાલ્યા જાય છે–એવું વૈરાગ્ય દ્રશ્ય સંવાદમાં બતાવવામાં આવ્યું હતું, એ ઉપરાંત ડાંડિયારાસ સાથે ભક્તિ
થઈ હતી.
વૈશાખ વદ ૦) ) ની સવારે શ્રી સમવસરણમંડલવિધાન પૂર્ણ થઈને શ્રીજિનેન્દ્ર અભિષેક થયો હતો.
અભિષેકનું જળ ભરવા માટે જલયાત્રાનો વરઘોડો નીકળ્‌યો હતો તથા ધ્વજદંડ, કળશ અને વેદીશુદ્ધિ થઈ હતી.
જેઠ સુદ એકમથી પંચકલ્યાણિકની શરૂઆત થઈ હતી. પ્રતિષ્ઠામાં મૂળનાયક શ્રીસીમંધર ભગવાન હતા
અને વિધિનાયક શ્રી શાંતિનાથ પ્રભુ હતા. એકમના દિવસે ઈન્દ્ર પ્રતિષ્ઠા થઈ અને તેનો ભવ્ય વરઘોડો નીકળ્‌યો
હતો. રાત્રે ગર્ભકલ્યાણિકની પૂર્વ ક્રિયાનું દ્રશ્ય થયું હતું; તેમાં શ્રીશાંતિનાથ પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પહેલાંં
છ મહિના સુધી રત્નવર્ષા અને દેવો દ્વારા માતાની સેવા વગેરે દ્રશ્ય હતું, જેઠ સુદ બીજને દિવસે સવારે ગર્ભ
કલ્યાણિકનું દ્રશ્ય હતું. તેમાં માતાજીને ૧૬ સ્વપ્નો આવે છે, દિગ્કુમારી દેવીઓ માતાજીની સેવા કરે છે, માતાને
તત્ત્વચર્ચાના પ્રશ્નો પૂછે છે ને માતાજી તેના વિદ્વત્તા ભરેલા જવાબો આપે છે તથા દેવો માતા–પિતાને વસ્ત્રોની
ભેટ કરે છે–એ વગેરે દ્રશ્યો થયા હતા. પ્રતિષ્ઠાવિધિ કરાવનાર પંડિતજી પ્રસંગોચિત વિવેચન કરીને દરેક
પ્રસંગની સમજણ આપતા હતા.
વ્યાખ્યાન બાદ લાઠીના શેઠ શ્રી લાલજીભાઈ, તલકચંદભાઈ, મગનભાઈ અને જમનાદાસભાઈ–એ
ચારેએ પોત પોતાના ધર્મપત્ની સહિત બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી. બ્રહ્મચર્યવિધિ બાદ
શ્રીતલકચંદભાઈએ એક પ્રસંગોચિત કાવ્યદ્વારા પોતાની ભક્તિભાવના વ્યક્ત કરી હતી. રાત્રે બાળકોનો સંવાદ
“ચાલો દાદાને દરબાર” એ ફરીથી થયો હતો.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૬૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
જન્મ કલ્યણક મહત્સવ
જેઠ સુદ ૩ ના રોજ સવારે ૬।। થી ૯।। સુધી જન્મ કલ્યાણિક મહોત્સવ થયો હતો. એ પ્રસંગ ઘણા
ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવાયો હતો. સવારમાં શ્રી અચિરા માતાજીની કુંખે ભગવાન શ્રી શાંતિનાથનો જન્મ થાય
છે, દેવીઓ ભગવાનના જન્મની વધાઈ આપે છે ને ચારે બાજુ મંગળનાદ ગાજી ઊઠે છે. પ્રભુજન્મનાં ઉત્સાહમાં
દેવાંગનાઓ નૃત્ય કરે છે. ઈન્દ્ર–ઈન્દ્રાણી જન્મોત્સવ કરવા આવે છે અને બાળ ભગવાન શાંતિકુમારને મેરૂ પર્વત
ઉપર લઈ જાય છે. જન્માભિષેક કરવા માટે ભગવાનને મેરૂ ઉપર જતી વખતનો મહાન ભવ્ય વરઘોડો નીકળ્‌યો
હતો. પૂ. ગુરુદેવશ્રી, ઈન્દ્રધ્વજ, ચાંદીના રથમાં સમયસારજી તથા ભક્તિથી નાચી રહેલા મુમુક્ષુસંઘની વચ્ચે હાથી
ઉપર બાલ–પ્રભુજી બિરાજતા હતા. ચારે બાજુ ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ ભક્તિ કરતા હતા. અમરવિલાસમાં મેરૂ પર્વતની
રચના કરવામાં આવી હતી. ત્યાં પહોંચ્યા બાદ મેરૂ પર્વતને ત્રણ પ્રદક્ષિણા કરી. એ વખતે જયકાર ધ્વનિથી
વાતાવરણ ગૂંજતું હતું. પછી ભગવાનને મેરૂ ઉપર બિરાજમાન કરીને ઈન્દ્રોએ જન્માભિષેક શરૂ કર્યો.
ક્ષીરસમુદ્રમાંથી કળશ ભરી ભરીને દેવો ઈન્દ્રોને આપે છે ને ઈન્દ્રો અભિષેક કરે છે. એ વખતે અભિષેક કરવા માટે
ઉલ્લસી રહેલા ભક્તોના ટોળાંને મેરૂ પર્વત પણ નાનો પડ્યો હતો! મેરૂ ઉપર બિરાજમાન એ બાળકની દિવ્ય મુદ્રા
જોતાં ભક્તોને અંતરમાં એમ થતું હતું કે; “અહો, આ આત્માએ જન્મ પૂરા કરી લીધા, હવે એને ફરીથી આ
સંસારમાં જન્મ નહિ થાય. એક છેલ્લો જન્મ હતો તે
પૂરો કરીને ભગવાન જન્મ રહિત થઈ ગયા. અપૂર્વ
આત્મદર્શનના પ્રતાપે તેમને જન્મ મરણનો અંત
આવ્યો; એવા ભગવાનના ભવરહિતપણાના આ
મહોત્સવ ઉજવાય છે.” જન્માભિષેક બાદ ઈન્દ્રાણીએ
પ્રભુને વસ્ત્રાલંકાર પહેરાવ્યા. અને પછી
જન્માભિષેકની મહારથયાત્રા પાછી ફરી. પાછા
આવ્યા બાદ ઈન્દ્ર ‘અબ તો મિલે જગતકે નાથ’ એવી
સ્તુતિ સહિત પ્રભુ સન્મુખ તાંડવનૃત્ય કર્યું.
“શાંતિકુંવર ઝુલે પારણીયે.”
બપોરે ભગવાન શાંતિકુમારનું પારણું ઝૂલાવવાની ક્રિયા થઈ. ચાંદીના પારણિયે ઝુલી રહેલા એ
ભગવાનને જોતાં એમ થતું હતું કે ‘અહા! આ પારણે ઝુલતા બાળકનો આત્મા જ્ઞાની છે, એ મોટો થઈને મુનિ
થશે ને આત્માના આનંદમાં ઝુલતાં ઝુલતાં સંસારથી મુક્ત થશે.’
રાત્રે યુવરાજશ્રી શાંતિનાથકુમારનો રાજ્યાભિષેક થયો. વિશ્વસેન મહારાજાએ પોતાનો રાજમુગટ
ઉતારીને શ્રીશાંતિનાથકુમારને પહેરાવ્યો. શ્રીશાંતિનાથભગવાન કામદેવ, ચક્રવર્તી અને તીર્થંકર–એ ત્રણ મહાન
પદવીઓના સ્વામી હતા. થોડીવાર પછી મહારાજા શાંતિનાથ ભગવાનનો રાજદરબાર ભરાયો. રાજદરબારનો
દેખાવ ઘણો ભવ્ય હતો. રાજદરબારની મધ્યમાં ચક્રરત્ન શોભી રહ્યું હતું. રાજ દરબારમાં દેશો–દેશના રાજા–
મહારાજાઓ આવતા હતા અને ઉત્તમ પ્રકારની વસ્તુઓ લાવીને ભગવાનને ભેટ ધરતા હતા.
દાદાના દરબારમાં
[ભરતજીના વૈરાગી પુત્રો દીક્ષા લેવા માટે ભગવાના સમસરણમાં જાય છે ત્યારે બોલે છે]
ચાલો, દાદાને દરબાર.... મારા મુક્તિમાં ઘરબાર....
મારે જાવું પેલે પાર.... મારે મારો છે આધાર....
મને ગમે નહિ સંસાર.... માટે છોડુ સબ સંસાર....
ચાલો, દાદાને દરબાર.... ચાલો, દાદાને દરબાર....
–બાળકોના સંવાદમાંથી.

PDF/HTML Page 10 of 17
single page version

background image
“ભગવાને જાતિસ્મણજ્ઞાન થાય છે”
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૩ :
દીક્ષા કલ્યાણિક મહોત્સવ
જેઠ સુદ ૪ ના દિવસે ભગવાનના વૈરાગ્યનો અને દીક્ષા કલ્યાણિકનો પવિત્ર દિવસ હતો. ચક્રવર્તી
મહારાજા શાંતિનાથપ્રભુ એકવાર અરીસામાં જુએ છે, ત્યાં તેમાં પોતાના બે રૂપ દેખીને આશ્ચર્ય પામે છે અને
અંતર્વિચાર કરે છે કે: ‘અહો પ્રભુ! આપશ્રીની પવિત્ર
વૈરાગ્ય ભાવનાને ધન્ય છે. આ સમસ્ત
સંસારભાવથી વિરક્ત થઈને, આત્માના ચિદાનંદ
સ્વભાવમાં સમાઈ જવા માટે આપશ્રી જે ચિંતવન
કરી રહ્યા છો તેને અમારી અત્યંત અનુમોદના છે.
છખંડના રાજભોગને છોડીને આપશ્રી ભગવતી
જિનદીક્ષા ધારણ કરવાની તૈયારી કરી રહ્યા છો તે
ખરેખર અમારા ધન્યભાગ્ય છે. પ્રભો! આપ શીઘ્ર
કેવળજ્ઞાન પામો અને ભવ્ય જીવોને માટે મોક્ષનાં દ્વાર
ખુલ્લાં કરો... હે દેવ! આપ તો સ્વયંબુદ્ધ છો. આપને
સંબોધન કરનારા અમે તે કોણ? આપના પવિત્ર
વૈરાગ્યનો જય હો.’
ત્યારબાદ દીક્ષાકલ્યાણિક ઉજવવા માટે ઈન્દ્રો પાલખી લઈને જયજયકાર કરતાં તેમને પૂર્વભવોનું
જાતિસ્મરણ જ્ઞાન થાય છે; તેથી એકદમ વૈરાગ્ય પામીને દીક્ષાની તૈયારી કરે છે. ભગવાનના વૈરાગ્યની ખબર
પડતાં જ લૌકાંતિક દેવો આવીને પ્રભુની સ્તુતિ કરે છે અને તેમના વૈરાગ્યની પુષ્ટિ કરતા આવે છે અને
વૈરાગ્યની સાક્ષાત્મૂર્તિ ભગવાન શાંતિનાથપ્રભુ દીક્ષા લેવા માટે તપોવનમાં જઈ રહ્યા છે, તેમની પાછળ પાછળ
વૈરાગ્ય ભાવનામાં મગ્ન ભક્તજનો જઈ રહ્યા છે. એ વખતે દીક્ષાકલ્યાણિકનું સ્તવન ગવાતું હતું–
વંદો વંદો પરમ વીરાગી ત્યાગી જિનને રે,
થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ,
શાંતિનાથ પ્રભુજી તપોવનમાં સંચર્યારે...
ભગવાનની દીક્ષાના આ વરઘોડાનું દ્રશ્ય ઘણું ભાવના ભરેલું હતું. વનમાં જઈને પ્રભુશ્રી એક વૃક્ષ નીચે
બિરાજમાન થયા. ભવ્યલોકો એકી ટસે પ્રભુ સામે તાકી રહ્યા હતા. ભગવાને એક પછી એક રાજવસ્ત્રો છોડીને
નગ્નમૂદ્રા ધારણ કરી અને પછી પૂ. ગુરુદેવશ્રીએ પ્રભુનો કેશલોચ કર્યો. ભગવાનની દીક્ષા વખતનું દ્રશ્ય બહુ જ
વૈરાગ્યપ્રેરક હતું. તે વખતનું કુદરતી વાતાવરણ પણ એ મહા વૈરાગ્ય પ્રસંગને અત્યંત શોભાવી રહ્યું હતું. –જાણે કે
ભગવાનના વૈરાગ્યનું દ્રશ્ય જોઈને આખું આકાશ વૈરાગ્યથી છવાઈ ગયું હોય!! અને ભગવાન ઉપર ગંધોદક
છાંટી રહ્યું હોય! –એવું એ દ્રશ્ય હતું.
દિગંબર મુનિ થયા બાદ પ્રભુશ્રી આત્મધ્યાનમાં લીન થયા અને તરત જ મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. પછી
એ મુનિરાજ તો વનમાં વિહાર કરી ગયા.
પ્રભુશ્રીનો દીક્ષાવિધિ પૂરો થયા બાદ ત્યાં વનમાં જ પૂ. ગુરુદેવશ્રીએ દીક્ષાકલ્યાણિક પ્રસંગને શોભતું
અપૂર્વ વ્યાખ્યાન કર્યું હતું. એ વ્યાખ્યાનમાં તો વૈરાગ્યભાવનાની રમઝટ
બોલાવી હતી. પૂ. ગુરુદેવશ્રી વૈરાગ્યની મસ્તીએ ચડયા હતા અને અંતરમાં
વહેતો વૈરાગ્યનો પ્રવાહ વાણી દ્વારા વહેતો મૂક્યો હતો..... શ્રોતાજનો એ
વૈરાગ્ય–પ્રવાહમાં તરબોળ થઈ ગયા હતા.
વ્યાખ્યાન બાદ એ તપોવનમાં જ શેઠશ્રી ત્રિભોવનભાઈ, કાનજીભાઈ
અને મૂળજીભાઈ–એ ત્રણેએ પોત–પોતાના ધર્મપત્ની સહિત બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરીને એ પ્રસંગને દીપાવ્યો હતો.
એ રીતે પ્રભુશ્રીનો દીક્ષાકલ્યાણિક ઉજવીને, ‘અહો! જે પંથે ભગવાન
ધ્યાનસ્થ મુનિ

PDF/HTML Page 11 of 17
single page version

background image
શ્રી સિદ્ધભગવાન
: ૧૬૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
શાંતિનાથ વિચર્યા તે પવિત્ર પંથે અમે વિચરીએ–એવો અપૂર્વ અવસર ક્યારે આવશે!’ ઈત્યાદિ પ્રકારે ભાવના
કરતાં કરતાં ભક્તજનો પાછા ફરતા હતા. તે વખતે પાલખીમાં માત્ર પ્રભુના કેશ હતા, તે કેશને ક્ષીર સમુદ્રમાં
પધરાવી દીધા હતા.
બપોરે ૧૦ વાગ્યા પછી પ્રભુશ્રી શાંતિનાથ મુનિરાજ આહાર માટે ગામમાં
પધાર્યા, આહારદાનનો શુભ–પ્રસંગ ભાઈશ્રી વ્રજલાલ ફૂલચંદ ભાયાણીને ત્યાં
થયો હતો. એ પ્રસંગે ભક્તોનો ઉલ્લાસ ઘણો હતો. ખરેખર શ્રીતીર્થંકર ભગવાન
વિચરે છે ત્યાં ગંધોદક વૃષ્ટિ થાય છે તેમ અહીં જ્યારે પ્રભુશ્રી આહાર માટે પધાર્યા
ત્યારે આકાશમાંથી કુદરતી મંદમંદ ગંધોદક વરસી રહ્યું હતું.
અંકન્યાસવિધિ
બપોરે ૧।। વાગે શ્રીજિનપ્રતિમાઓ ઉપર અંકન્યાસ વિધિ કરવા માટે પૂ.
ગુરુદેવશ્રી પધાર્યા. અને મહા પવિત્ર જિનપ્રતિમાઓ ઉપર, મહા પવિત્ર ભાવથી,
પવિત્ર હસ્તે અંકન્યાસ વિધિ કર્યો. અને અત્યારસુધી અપૂજ્ય પ્રતિમા હવે પૂજ્ય
બન્યા... એ રીતે પ્રતિષ્ઠાવિધાનમાં આ અંકન્યાસવિધિ ઘણો મહત્વનો છે. એ પવિત્ર
પ્રસંગને ભક્તજનોએ ઘણા મહાન મંગળ જયનાદથી વધાવ્યો હતો. ત્યારબાદ સર્વે
પ્રતિમાજી ઉપર નેત્રોન્મિલન વિધિ પૂ. ગુરુદેવશ્રીએ કર્યો હતો.
કવળ કલ્યણક મહત્સવ
બપોરે ૩ વાગે પ્રભુશ્રીના કેવળજ્ઞાન કલ્યાણિકનું દ્રશ્ય હતું. પ્રભુશ્રી શાંતિનાથમુનિ આત્મધ્યાનમાં મગ્ન
હતા ને શુક્લધ્યાન શ્રેણીએ ચડતાં તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું. તરત જ દેવોએ આવીને પ્રભુની સ્તુતિ કરી અને
સમોસરણની રચના કરી. આ પ્રસંગે સમોસરણની રચનાનો સુંદર દેખાવ થયો હતો. સમોસરણની મધ્યમાં
પ્રભુશ્રી બિરાજતા હતા. પ્રભુજી આગળ ધર્મચક્ર ચમકી રહ્યું હતું. રાજચક્રવર્તીપણું ત્યાગીને ભગવાન ધર્મચક્રી
થયા. બાર સભા ભરાણી અને ભગવાને દિવ્યધ્વનિ વડે ધર્મનો ઉપદેશ કર્યો. આ પ્રસંગે ભગવાનના
દિવ્યધ્વનિના સાર રૂપે પૂ. ગુરુદેવશ્રીએ અદ્ભુત પ્રવચન કર્યું હતું. રાત્રે સમોસરણસ્થિત ભગવાનની સ્તુતિ થઈ
હતી અને પૂ. ગુરુદેવશ્રીનું રેકોર્ડીંગ થયેલું વ્યાખ્યાન સંભળાવવામાં આવ્યું હતું.
નિર્વાણ કલ્યાણિક મહોત્સવ
જેઠ સુદ પ ના રોજ જિનમંદિરમાં ભગવાનની સ્થાપનાનો તેમજ શ્રુતપંચમીનો પવિત્ર દિવસ હતો. આજે
સવારમાં નિર્વાણકલ્યાણિકનો દેખાવ થયો હતો. શ્રી શાંતિનાથ ભગવાન સમ્મેદશિખર ઉપર નિર્વાણ પામ્યા છે
તેથી અહીં સમ્મેદશિખરપર્વતની સુંદર રચના થઈ હતી. એ શાશ્વતી નિર્વાણભૂમિ ઉપર પ્રભુશ્રી યોગનિરોધદશામાં
બિરાજતા હતા અને થોડી વારમાં નિર્વાણ પામ્યા. જીવન્મુક્ત ભગવાન દેહમુક્ત થઈને અનંત સિદ્ધોની વસ્તીમાં
બિરાજમાન થયા. તરત જ દેવો નિર્વાણકલ્યાણિક ઉજવવા આવ્યા અને અગ્નિકુમાર દેવોએ મુકુટ વડે અગ્નિસંસ્કાર
કર્યો–ઈત્યાદિ દ્રશ્યો થયા હતા. અગ્નિસંસ્કાર બાદ શેષભસ્મ લઈને મસ્તકે ચડાવતા ભક્તજનો ભાવના કરતા હતા
કે “હે પ્રભો! આપશ્રી જે પવિત્રદશા પામ્યા તે પવિત્રદશા અમને પણ પ્રાપ્ત થાઓ.”
અમદાવાદમાં શ્રુતપંચમીનો ઉત્સવ
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંં જેઠ સુદ પ ના રોજ મહાન પરમાગમ શ્રી ષટ્ખંડાગમની
મહાન ઉત્સવપૂર્વક ચતુર્વિધ સંઘે પૂજા કરી હતી; તેથી તે દિવસ “શ્રુતપંચમી” ના પવિત્ર ઉત્સવ તરીકે
પ્રસિદ્ધ છે. આ વર્ષે પહેલી જ વાર એ મહા માંગળિક પ્રસંગ અમદાવાદના મુમુક્ષુ મંડળે ઊજવ્યો હતો. તે
દિવસે સવારે શ્રુતપૂજન કરીને પછી શ્રી જિનેન્દ્રદેવની અને શ્રી સત્શાસ્ત્રજીની રથયાત્રા ઘણા
ઉલ્લાસપૂર્વક વાજતે ગાજતે નીકળી હતી. અને રાત્રે શ્રી આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરવામાં આવી હતી.
રથયાત્રામાં ત્રણે ફીરકાના મળીને હજારેક માણસોએ ઘણા ઉત્સાહથી લાભ લીધો હતો. અમદાવાદમાં
શ્રુતપંચમીની રથયાત્રા પહેલી જ વાર હોવાથી ત્યાંના મુમુક્ષુમંડળને વિશેષ પ્રમોદ થયો હતો.
અમદાવાદમાં પતાસાની પોળમાં હંમેશાંં તત્ત્વજ્ઞાનનું વાંચન થાય છે.

PDF/HTML Page 12 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૫ :
અહીં પંચકલ્યાણિક પૂર્ણ થયા. હે તીર્થંકરો! તમારા પંચકલ્યાણિક મારા આત્માનું કલ્યાણ કરો.
ત્યારબાદ પ્રતિષ્ઠિત થયેલા શ્રીસીમંધર ભગવાન વગેરે જિનબિંબોની શ્રીજિનમંદિરમાં પધરામણી થઈ.
એ વખતે ભવ્ય સ્વાગતયાત્રા નીકળી હતી. પ્રભુશ્રી મંદિરમાં પધારતા હતા તે વખતનું દ્રશ્ય અદ્ભુત હતું.
ભક્તોને એવો ઉલ્લાસ હતો–જાણે કે શ્રીસીમંધર પ્રભુશ્રી મહાવિદેહમાંથી વિહાર કરીને અહીં મંદિરમાં પધારી
રહ્યા હોય! લાઠીના ભક્તજનો તો પ્રભુની આગળ નાચી ઊઠતા હતા. શ્રીસીમંધરપ્રભુ નિજમંદિરમાં પધાર્યા
અને પૂ. ગુરુદેવશ્રીએ પવિત્ર ભાવે પ્રભુજીનું સ્વાગત કરીને તેઓશ્રીને વેદી ઉપર બિરાજમાન કર્યા. અને ‘બોલો
સીમંધર કી જય, બોલો વીર પ્રભુ કી જય’ વગેરે ધૂનથી મંદિર ગાજી ઊઠયું. પછી સીમંધર ભગવાનની જમણી
તરફ મહાવીર પ્રભુજી અને ડાબી તરફ શ્રી આદિનાથ પ્રભુજીના પ્રતિમાનું સ્થાપન થયું. તેમ જ શાંતિનાથપ્રભુ
અને સિદ્ધપ્રતિમાજીનું પણ સ્થાપન થયું. પછી જિનમંદિર ઉપર કળશ તથા ધ્વજદંડ ચડાવ્યા. આ પ્રસંગે પણ
આકાશમાંથી કોઈ કોઈ ટીપાં પડીને માંગળિકનું સૂચન કરતા હતા. એ રીતે લાઠીના શ્રીજિનમંદિરમાં મહાપવિત્ર
દેવાધિદેવ ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. લાઠીનું જિનમંદિર રળિયામણું છે તથા તેમાં પ્રતિષ્ઠિત શ્રીજિનબિંબોની મૂદ્રા
ઘણી ભવ્ય અને ઉપશમ ભાવમાં નિમગ્ન છે.
શ્રી સિમંધર પ્રભુ
શ્રી જિનેન્દ્ર–પ્રતિષ્ઠા બાદ જિનમંદિર પાસેના સ્વાધ્યાય મંદિરમાં પવિત્ર શ્રુતમૂર્તિ શ્રીસમયસારજીની
પધરામણી કરી અને આજે શ્રુતપંચમીનો પવિત્ર દિવસ હોવાથી તેનું પૂજન કર્યું. એ વખતે પૂ. ગુરુદેવશ્રીએ
સ્વાધ્યાય મંદિરમાં માંગળિક તરીકે “
नमः समयसाराय” નું પ્રવચન કર્યું હતું. બપોરે સવા લાખ જાપની પૂર્ણતા
થઈને શાંતિયજ્ઞ થયો. સાંજે મહાન ઉત્સાહથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. એવી ભવ્ય રથયાત્રા લાઠીને માટે
અપૂર્વ હતી.
રાત્રે બાલિકાઓએ અદ્ભુત સંવાદ ભજવ્યો હતો; આખો સંવાદ તત્ત્વચર્ચાથી ભરપૂર હતો, અને
વારંવાર જિનભક્તિથી શોભતો હતો. આઠ આઠ વર્ષની બે બાલિકાઓ પણ સુંદર તત્ત્વચર્ચા કરતી હતી–ઈત્યાદિ
અનેક પ્રકારની વિવિધતાથી ભરેલો સંવાદ જોઈને સભા પ્રસન્ન થઈ હતી અને બાલિકાઓને સેંકડો રૂપિયાના
ઈનામની જાહેરાત થઈ હતી. બાલિકાઓએ તે ઈનામની રકમ જિનમંદિરમાં ભેટ આપી દીધી હતી.
આ રીતે શ્રીજિનેન્દ્ર ભગવાનની પંચકલ્યાણિક પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર શાંતિથી નિર્વિઘ્નપણે સમાપ્ત
થયો.
સૌરાષ્ટ્ર દેશમાં શ્રીજિનેંદ્રશાસનની પ્રભાવનાનો આવો મહાન સુઅવસર અત્યંત ઉત્સાહપૂર્વક પાર પાડવા
માટે લાઠીના સર્વે મુમુક્ષુમંડળને ધન્યવાદ છે. આ પવિત્ર પ્રસંગે લાઠીના રાજ મહેલમાં ખાસ જુદું ‘મુક્તિનગર’
વસાવીને ત્યાં સર્વ ઉત્સવ ઉજવાયો હતો. ભાઈશ્રી વજુભાઈ અને તેમના સ્વયંસેવકમંડળે આ ઉત્સવમાં
અગત્યની સેવા કરી હતી. ઉપરાંત લાઠીના ઠાકોરસાહેબ વગેરે તરફથી અનેક પ્રકારની સુવિધાઓ મળી હતી.
તેમજ સર્વે મુમુક્ષુઓએ મહાન ઉત્સાહપૂર્વક આ અમૂલ્ય અવસરને દીપાવ્યો હતો. ઇંદોરના પ્રતિષ્ઠાચાર્ય સંહિતાસૂરી
પં. શ્રી નાથુલાલજી સાહેબ ઉત્સાહી અને શાંતસ્વભાવી હતા. તેઓએ ઘણા ભક્તિ ભાવથી પ્રતિષ્ઠાવિધિ કરાવ્યો
હતો અને પંચકલ્યાણિકના દરેક પ્રસંગે ટુંક વિવેચન કરીને સમજાવતા હતા. પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને
તે ઘણા પ્રસન્ન થયા હતા. કાંઈ પણ ભેટના સ્વીકાર વગર, ખાસ ઇંદોરથી આવીને

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૬૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
તેઓશ્રીએ પ્રતિષ્ઠા મહોત્સવનો સર્વ વિધિ ઘણી સારી રીતે કરાવ્યો તે માટે તેમનો આભાર માનવામાં આવે છે.
ઇંદોરથી સર શેઠ હુકમીચંદજી સાહેબને આ પ્રતિષ્ઠા ઉપર આવવાની ઘણી અંતર ભાવના હતી પણ નાદુરસ્ત
તબિયતને કારણે આવી શક્યા ન હતા.
ઉત્સવ દરમિયાન પણ હંમેશા પૂ. ગુરુદેવશ્રીના આધ્યાત્મિક પ્રવચનો થતા હતા. એક તરફ
શ્રીજિનેન્દ્રભક્તિનો ઉલ્લાસ હતો અને બીજી તરફ પૂ. ગુરુદેવશ્રી હમેશાં તત્ત્વજ્ઞાનની રેલમછેલ કરી રહ્યા હતા.
એ રીતે જ્ઞાન અને ભક્તિનો સુંદર સુમેળ જાગ્યો હતો. સામાન્ય ઉત્સવો તો ઘણા થતા હશે પણ તત્ત્વજ્ઞાનની
મુખ્યતા પૂર્વકના આવા પવિત્ર ઉત્સવો બહુ જ વિરલ છે. પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના પુનિત પ્રતાપે અને બળવાન પ્રભાવનાયોગે આજે હજારો વર્ષે આ સૌરાષ્ટ્રદેશમાં ફરીથી પવિત્ર
જિનેન્દ્રશાસનની સ્થાપના થઈ રહી છે. પૂ. ગુરુદેવશ્રીના મંગળહસ્તે આવા પવિત્ર શાસનપ્રભાવનાના સેંકડો
મહાન કાર્યો થાઓ અને શ્રીજિનેન્દ્રધર્મચક્ર સર્વદા સર્વત્ર પ્રવર્તો. કલ્યાણમૂર્તિ શ્રી સદ્ગુરુદેવનો પ્રભાવના ઉદય
જગતનું કલ્યાણ કરો.
• जैनं जयतु शासनम् •
: આત્મધર્મ અંક ૬૮ પૃ. ૧૪૯ કોલમ ૧ લાઈન ૩૫ માં “એકાંતરૂપ વસ્તુ સ્વભાવનું” એમ
છપાયું છે તેને બદલે “અનેકાંતરૂપ વસ્તુ સ્વભાવનું” એમ સુધારીને વાંચવું.
નાગલપુર માં પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન] [માહ વદ ૬ શુક્રવાર
ભગવાન કહે છે કે તું એક આત્મા છે. અરિહંત પણ આત્મા છે. ભગવાન કેવા છે? सव्वणूणं
सव्वदरिसिणं એટલે હે ભગવાન, તમે સર્વના જાણનાર અને સર્વના દેખનાર છો. કોઈનું કાંઈ કરનાર નથી, ને
કોઈ ઉપર રાગ–દ્વેષ કરનાર નથી. એવા ભગવાન ક્યાંથી થયા? આત્મામાં તેવી શક્તિ હતી તે પ્રગટ કરીને
ભગવાન થયા. દરેક આત્મામાં પણ એવી શક્તિ છે.
સીમંધર પરમાત્મા અત્યારે અરિહંત છે; ને મહાવીર ભગવાન અત્યારે સિદ્ધ છે; તેમને મન નથી, વાણી
નથી, શરીર નથી, પુણ્ય પાપ નથી, પણ સર્વના જાણનાર–દેખનાર છે. શરીર, મન, વાણી આત્માને નથી તેથી તે
જુદા પડી જાય છે. જો તે આત્માના હોય તો જુદા પડે નહિ. રાગ–દ્વેષ પણ આત્માના નથી. જો આત્માના હોય
તો ભગવાનના આત્મામાંથી તે કેમ ટળે? જીવ તો જ્ઞાન અને દર્શનવાળો છે. આવા જીવને જાણવો જોઈએ.
જેમ પંદર વલા સોનામાં જે તાંબાનો ભાગ છે તે સોનાથી જુદી જાત છે. તેમ આત્મામાં જે રાગ–દ્વેષ દેખાય
છે તે તેનું સ્વરૂપ નથી તેથી જુદા પડી જાય છે. જેમ તેલ અને તલનો કૂચો જુદા છે, શેરડીનો રસ અને છોતાં જુદા
છે તેથી જુદા પડે છે. તેમ આત્માનું જ્ઞાન અને રાગ જુદા છે તેથી સાચી ઓળખાણથી તે જુદા પડી જાય છે. આ
શરીર તો શેરડીનો સાંઠો છે, અંદર ચૈતન્ય રસ જુદો છે.
ભગવાનની સ્તુતિમાં કહે છે કે समाहि वरमुत्तमं दिंतु એટલે હે ભગવાન્! મને ઉત્તમ સમાધિના વર
આપો. સમાધિ કોને કહેવાય? આત્માનું ભાન કરીને તેમાં ઠરે તેનું નામ સમાધિ છે. ભગવાન કાંઈ કોઈને
સમાધિ આપતા નથી પણ પોતે ઓળખાણ કરીને ભગવાનનો વિનય કરે છે. પહેલાંં આત્માનું ભાન થતાં
સમ્યગ્દર્શન થાય છે તે સમાધિ છે. એવું સમ્યગ્દર્શન સંસારમાં રહેલા ભરતચક્રવર્તી, શ્રેણીકરાજા, પાંડવો,
રામચંદ્રજી વગેરેને હતું. જીવોએ અનંતકાળમાં એક સેકંડ માત્ર એવું આત્મભાન કર્યું નથી. એ સિવાય પુણ્ય–પાપ
કરીને ચારે ગતિના અનંતભવ કર્યા, પુણ્ય કરીને સ્વર્ગમાં અનંતવાર ગયો, પણ તેનાથી ધર્મ ન થાય.
વીતરાગદેવ જેને સમ્યગ્દર્શન કહે છે તેની આ વાત છે. મુનિ થયા પહેલાંં ને શ્રાવક થયા પહેલાંં
આત્મભાન કેવું હોય! તેની આ વાત છે. શ્રેણીક રાજાને આવું જ્ઞાન હતું તેથી તે ભવિષ્યમાં તીર્થકર થશે.
અત્યારે નરકમાં હોવા છતાં આવું ભાન છે. આત્મા દેહથી જુદો ને પુણ્ય–પાપથી પાર જ્ઞાનમૂર્તિ છે–એવું ભાન
જો એક સેકંડ–માત્ર એક સેકંડ જ કરે તો ભવ કટ્ટી થઈ જાય.
સાચી સમજણ થયા પછી રાગ થાય પણ શરીરનું હું કરી શકું એમ તે ન માને, રાગને પોતાનું સ્વરૂપ ન
માને. રાગ રહિત જ્ઞાન આનંદસ્વરૂપ મારો આત્મા છે–એવું ભાન છે, તેમને ચોથા ગુણસ્થાનની સમાધિ

PDF/HTML Page 14 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૭ :
છે. જીવે અનંતકાળમાં એક સેકંડ પણ આવા સમ્યગ્દર્શનની સમજણ કરી નથી. અનંતકાળે આ મનુષ્ય દેહ મળે
છે તેમાં એ જ કરવા જેવું છે.
જેમ ભગવાન બધાના જાણનાર છે, પણ તેમને રાગ–દ્વેષ નથી, તેમ આ આત્મા પણ જાણનાર છે, તેને
રાગ–દ્વેષ હોય ભલે પણ તે રાગ–દ્વેષ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાતા છું–એવું ભાન કરે તો સમ્યગ્દર્શન થાય. શ્રેણીક
રાજાને વ્રત ન હતું, ત્યાગ ન હતો છતાં તીર્થંકરનામકર્મ બાંધ્યું. એ કોનો પ્રતાપ? એમને સમ્યગ્દર્શન હતું, તેના
પ્રતાપે આવતી ચોવીસીમાં જગતપૂજ્ય પહેલા તીર્થંકર થશે.
જ્ઞાન આત્મામાં ભર્યું છે, કાંઈ શાસ્ત્રના પાનામાં જ્ઞાન નથી, તે તો જડ છે. જેમ મીઠાના ગાંગડામાં
ખારાશ ભરી છે તેમ આત્મામાં જ્ઞાન ભર્યું છે. પુણ્ય–પાપ થાય તે ભાવ આત્માનું સ્વરૂપ જ નથી–એમ સમજે તો
સમ્યગ્જ્ઞાન છે. એવું સમ્યગ્જ્ઞાન થયા પછી પૂજા–ભક્તિનો શુભાભવ આવે ને રમવાનો કે ભોગનો અશુભભાવ
પણ આવે, પણ જ્ઞાની જાણે છે કે એ શુભ ને અશુભ બંને મારો ધર્મ નથી. શુભરાગ થાય તે પાપ નથી તેમજ
ધર્મ પણ નથી, પણ તે પુણ્ય છે. ધર્મ ચીજ તેનાથી જુદી છે. પુણ્ય કરીને અનંતવાર દેવ થયો પણ ધર્મ ચીજ શું
છે? તે ન સમજ્યો, તેથી અનંત સંસારમાં રખડયો. એક સેકંડ માત્ર જો આત્માને સમજે તો સંસારથી બેડો પાર
થઈ જાય.
ભગવાન શાંતિનાથ વગેરે તીર્થંકરો ચક્રવર્તી હતા. માતાના પેટમાં આવ્યા ત્યારથી મતિ–શ્રુત–અવધિ
એવા ત્રણ જ્ઞાનસહિત આવ્યા હતા. તેમને રાગ હતો, હજી વીતરાગ થયા ન હતા છતાં ઉપર કહ્યું તેવું
આત્મભાન હતું.
ભગવાને માર્ગ જેમ છે તેમ કહ્યો છે, પણ કર્યો નથી. मग्ग देसयाणं એટલે હે ભગવાન! તમે મોક્ષનો
માર્ગ દેખાડનારા છો. ભગવાન તો માર્ગ દેખાડનારા છે પણ ચાલવાનું તો પોતાને છે, ભગવાન જેમ કહે છે તેમ
એક સેકંડ પણ સમજે તો સમ્યગ્દર્શન થયા વગર રહે નહિ.
સીતાજીના પેટમાં લવ–કુશ બે પુત્ર હતા. તે વખતે ય સીતાજીને સમ્યગ્દર્શન હતું–આત્મભાન હતું.
રામચંદ્રજીએ સીતાજીને જંગલમાં મૂકી આવવાનો હુકમ કર્યો, છતાં જંગલમાં આત્માનું ભાન હતું. ધર્મી જીવ
સંસારમાં રહ્યા છતાં નિર્લેપ રહે છે. જેમ ધાવમાતા બાળકને ખેલાવે પણ અંતરમાં સમજે છે કે આ બાળક
કમાઈને મને નહિ ખવરાવે. તેમ ધર્મી જીવ ગૃહસ્થદશામાં હોવા છતાં અંતરમાં આત્માનું ભાન છે કે આ શરીર–
પુત્ર વગેરે મારાં નથી, ને વિકાર થાય તે પણ મારો સ્વભાવ નથી, એ કોઈ મને ધર્મમાં મદદ કરનાર નથી.
આત્માનું ભાન થયા પછી રાગ હોય, રાજપાટ હોય, લડાઈ કરતા દેખાય, છતાં ધર્માત્મા અંદરનું ભાન
ચૂકતા નથી. શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ એ ત્રણે તીર્થંકરો ચક્રવર્તી હતા, માતાના પેટમાં આવ્યા ત્યારથી
આત્મભાન લઈને જ આવ્યા હતા, છતાં પછી રાજમાં રહ્યા, છ ખંડ જીત્યા, તેવો રાગ હતો, તેને પોતાની
નબળાઈ જાણતા, પણ તે રાગને પોતાનું સ્વરૂપ માનતા નહિ, ને એક ક્ષણ પણ આત્માનું ભાન ચૂકતા નહિ,
આવા આત્માની ઓળખાણ વગર ધર્મ ને મુક્તિ થાય નહિ. પહાડ ઉપર વીજળી પડે ને તેના બે કટકા થાય,
પછી તે રેણથી સંધાય નહિ, તેમ એકવાર પણ આત્માનું ભાન કરે તે જીવ અનંત સંસારમાં રખડે નહિ, તે હળવે
હળવે સંસારને તરી જશે. આવું ભાન આઠ વર્ષની બાલિકાને થાય છે. મહાવિદેહમાં અત્યારે સીમંધરપરમાત્મા
બિરાજે છે, તે તીર્થંકર છે, તેમના સમોસરણમાં અત્યારે આઠ આઠ વર્ષના બાળકો આત્માને ઓળખે છે. બાપુ!
અનંત કાળમાં આત્માને જાણ્યા વગર તેં બધી ધમાલ કરી. તારું સ્વરૂપ તો શેરડીના રસ જેવું મીઠું છે, ને પુણ્ય–
પાપ તો મેલ છે, છોતાં છે. અહો! ભગવાન આત્માનું સ્વરૂપ શું કહે છે? શરીર નહિ, મન નહિ, વાણી નહિ.
રાગ નહિ દ્વેષ નહિ, જ્ઞાનમૂર્તિ આત્મા છે–એમ સાંભળીને અંતર આત્માના મહિમા તરફ વળતાં આઠ વર્ષની
રાજકુમારી પણ આત્માનું ભાન પામે છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે મનથી જણાતાં નથી. મનથી પણ ભગવાન આત્મા અગોચર છે. મન સાથે
જોડાય તો સંકલ્પ–વિકલ્પ ને રાગદ્વેષ થાય છે; તેના આશ્રયે ચૈતન્ય જાત જણાય નહિ, ચૈતન્યના આશ્રયે ચૈતન્ય
જણાય છે. જેમ ઝેર પીવાથી અમૃતના ઓડકાર ન આવે તેમ મનના સંબંધે જે પુણ્ય–પાપના ભાવ થાય તે
વિકાર છે, તે વિકારવડે અવિકારી આત્મા પ્રગટે નહિ. મનથી કામ લ્યે તો કલ્યાણ ન થાય, પણ મનનું
અવલંબન મૂકીને અંદર જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખે તો કલ્યાણ થાય. આત્માનું સમ્યગ્દર્શન તો મનથી પાર
છે. જેમ બાળક પેંડાના સ્વાદ પાસે સોનાનો હાર આપી દે છે, તેમ અજ્ઞાની જીવ પુણ્યની

PDF/HTML Page 15 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૭ :
મીઠાશથી આત્માના સ્વભાવને ભૂલી જાય છે. આત્મામાં
પરિપૂર્ણ જ્ઞાનશક્તિ ભરી છે. જેમ લીંડીપીપરમાં તીખાશ
ભરી છે તે ઘસતાં પ્રગટે છે તેમ આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાનશક્તિ ભરી છે તેને ઓળખીને તેમાં એકાગ્ર થાય
તો કેવળજ્ઞાન પ્રગટે છે. જેમ લીંડીપીપરને ઘસે તો
તીખાશ પ્રગટે છે, પણ ઉંદરની લીંડી ઘસતાં તીખાશ
પ્રગટે નહિ તેમ આત્માના જ્ઞાનસ્વભાવને ઓળખીને
તેમાં એકાગ્રતાની ક્રિયા કરે તો કેવળજ્ઞાન પ્રગટે, પણ
શરીરની ક્રિયાથી કેવળજ્ઞાન થતું નથી.
જેમ દરિયાના પાણીમાં બહારની હજારો નદીથી
કે વરસાદથી ભરતી આવે નહિ પણ તેનું મધ્યબિંદુ
ઊછળે ત્યારે ભરતી આવે છે તેમ આત્માના જ્ઞાનની
ભરતી કોઈ બહારની ક્રિયાથી આવતી નથી પણ
અંદરના સ્વભાવનો વિશ્વાસ કરીને અંતરમાં એકાગ્ર
થાય તો જ્ઞાન ઊઘડે છે. એક સેંકડ પણ અંદરના આખા
ચૈતન્યની પ્રતીત કરે તો મોક્ષ થયા વિના રહે નહિ.
(અનુસંધાન પાન ૧૬૦ થી ચાલુ)
છે; પાંચમહાવ્રત, પાંચસમિતિ ને ત્રણ ગુપ્તિ તે
સમ્યક્ચારિત્રના બાહ્ય આચાર છે, અણશનાદિ બાર
પ્રકારના તપ તે તપના બાહ્ય આચાર છે, અને પોતાની
શક્તિ પ્રગટ કરીને મુનિના પંચમહાવ્રતો તથા સમિતિ–
ગુપ્તિનું આચરણ તે વીર્યના બાહ્ય આચાર છે. આ
આચારોને વ્યવહારપંચાચાર કહેવાય છે. આ વ્યવહાર
પંચાચાર રાગરૂપ છે. મુનિ જ્યારે નિશ્ચય
અભેદપંચાચારમાં સ્થિર ન રહી શકે અને તેમને વિકલ્પ
ઊઠે ત્યારે તેઓને આ વ્યવહાર પંચાચાર હોય છે. એ
પ્રમાણે વ્યવહાર પંચાચારનું સ્વરૂપ જાણવું.
(અનુસંધાન પાન ૧૫૭ થી ચાલુ)
રહિત સ્વભાવના ભાનપૂર્વક, સ્ત્રી આદિ પ્રત્યેના
રાગને જે ટાળે છે ને સુખદાયક શિયળ પાળે છે તેને
અલ્પ ભવ જ બાકી રહે છે, એ તત્ત્વવચન છે.
સુંદર શિયળ શીલતરુ મન–વાણી ને દેહ,
જે નર–નારી આદરે અવિચલ પદ તે લેહ. ૬
સ્વભાવના ભાનસહિત રાગને છેદ્યો તે કલ્પવૃક્ષ
સમાન છે. આત્માને સમજીને જે બ્રહ્મચર્ય પાળશે તે
નર–નારી અનુક્રમે અનુપમ એવા સિદ્ધપદને પામશે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન! ૭
‘મતિમાન’ એમ સંબોધન કર્યું છે, એટલે
રાગરહિત આત્માના લક્ષે જે બ્રહ્મચર્ય પાળે છે તે
આત્માજ્ઞાનની પાત્રતાને સેવે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી લાઠી શહેરમાં પ્રતિષ્ઠા
મહોત્સવ દરમિયાન પૂ. ગુરુદેવશ્રી પાસે
નીચે જણાવેલા ભાઈ–બહેનોએ આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે–
વશખ વદ ૧૩
(૧) શેઠ ભવાનભાઈ લલ્લુભાઈ તથા
તેમના ધર્મપત્ની રંભાબેન
(૨) શેઠ છગનભાઈ મોનજીભાઈ તથા
તેમના ધર્મપત્ની બેનકુંવરબેન
વશખ વદ ૧૪
(૩) શેઠ હરિચંદભાઈ મોતીચંદ તથા તેમના
ધર્મપત્ની કાશીબેન
જઠ સદ ૨
(૪) શેઠ લાલજીભાઈ વાલજી તથા તેમના
ધર્મપત્ની ગોમતીબેન
(પ) શેઠ તલકચંદ અમરચંદ તથા તેમના
ધર્મપત્ની નર્મદાબેન
(૬) શેઠ મગનલાલ વશરામ તથા તેમના
ધર્મપત્ની વ્રજકુંવરબેન
જઠ સદ ૪
(૭) શેઠ જમનાદાસ પાનાચંદ તથા તેમના
ધર્મપત્ની મણીબેન
(૮) શેઠ ત્રિભુવનદાસ વાલજીભાઈ તથા
તેમના ધર્મપત્ની હેમકુંવરબેન
(૯) શેઠ કાનજી લલ્લુભાઈ તથા તેમના
ધર્મપત્ની લલિતાબેન
(૧૦) શેઠ મૂળજીભાઈ લક્ષ્મીચંદ તથા
તેમના ધર્મપત્ની કમળાબેન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા સર્વે
ભાઈ–બહેનોને અભિનંદન!

PDF/HTML Page 16 of 17
single page version

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૯ :
લાઠીમાં શ્રીપંચકલ્યાણિક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આવેલ રકમોનીયાદી
[શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ અંગે થતા ખર્ચના ફંડમાં ૫૧/– શેઠ ફાવાલાલભાઈ ઉમરાળા
આવેલ રકમો] ૫૧/– શેઠ મોહનલાલ ત્રીકમજી અમરેલી
૧૫૦૧/– શેઠ નેમીદાસ ખુશાલભાઈ પોરબંદર ૫૧/– શેઠ કેશવલાલ ગુલાબચંદ દહેગામ
૧૫૦૧/– શેઠ નાનાલાલ કાળીદાસ રાજકોટ ૫૧/– શામળદાસ મુળજીભાઈ ભાવનગર
૧૦૦૦/– શેઠ મોહનલાલ વાઘજીભાઈ સોનગઢ ૫૧/– શેઠ જટાશંકર માણેકચંદ દેશાઈ
૧૦૦૧/– શેઠ નારણ રાજપાળ લાઠી ૧૦૧/– શ્રી બોટાદ મુમુક્ષુ મંડળ બોટાદ
૫૦૧/– શેઠ લાલજીભાઈ વાલજી લાઠી ૨૫૧/– બાઈ હરિબાઈ તે ભાઈ વ્રજલાલ ફૂલચંદના
માતુશ્રી લાઠી
૨૦૧/– શેઠ મગનલાલ વશરામ લાઠી ૧૫/– લીંબડીના બહેનો તરફથી
૧૦૧/– શેઠ નાગરદાસ રામજી લાઠી ૫૧/– શેઠ ગોકળદાસ કાલીદાસ મહુવા
૨૫૧/– શેઠ વીરચંદભાઈ કાનજી લાઠી ૧૦૧/– શેઠ ચુનીલાલ હઠીસિંગ જામનગર
૧૦૧/– શેઠ માલજીભાઈ દેવચંદ લાઠી ૧૦૮૧૪ દશહજાર આઠસોચૌદ રૂપિયા
૨૫૧/– શેઠ લલ્લુભાઈ રાજપાળ લાઠી
(આ રકમ ઉપરાંત લગભગ રૂ. ૩૫૦ ની કિંમતના [શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વિધવિધ પ્રસંગમાં
ચાંદીના સાધનો આપ્યા છે.) થયેલ ઉછામણીમાં આવેલ રકમો]
૧૦૧/– શેઠ હરિચંદ મોતીચન્દ લાઠી ૧૮૨૫/– શેઠ લાલજીભાઈ વાલજી ઝવેરી લાઠી
૧૦૧/– શેઠ વાડીલાલ કાલીદાસ લાઠી ૨૯૫૧/– શેઠ લલ્લુભાઈ રાજપાળ લાઠી
૧૦૧/– શેઠ દુલભજી દયાળભાઈ લાઠી ૧૫૫૧/– શેઠ જમનાદાસ પાનાચંદ લાઠી
૫૦૧/– શ્રી સોનગઢના બહેનો તરફથી સોનગઢ ૧૬૪૯/– શેઠ દુલભજી દયાળ લાઠી
૧૦૧/– શેઠ ગોકળદાસ જમનાદાસ અમદાવાદ ૪૭૦૦/– શેઠ વ્રજલાલ ફૂલચંદ લાઠી
૧૦૧/– શેઠ પ્રેમચંદ લખમીચંદ વીંછીયા ૪૨૫/– શેઠ મગનલાલ વશરામ લાઠી
૫૫/– વીંછીયાના ભાઈઓ તરફથી વીંછીયા ૫૧૨/– શેઠ લખમીચંદ રાજપાળ લાઠી
૧૦૧/– શેઠ રામજીભાઈ માણેકચંદ દોશી રાજકોટ ૩૨૫/– શેઠ અમરચંદ નારણ લાઠી
૫૦૧/– શેઠ નેમીચન્દજી પાટણી કીસનગઢ ૧૫૧/– શેઠ વીરચંદ કાનજી લાઠી
૧૦૧/– બહેન મણીબહેન(નાનાલાલભાઈના મામી) રાજકોટ ૧૦૧/– શેઠ છગનલાલ મોનજી દેશાઈ લાઠી
૧૦૧/– બહેન હરકોરબહેન અમરચંદ ભાવનગર ૧૦૨/– શેઠ નાનચંદ ભગવાનજી ખારા અમરેલી
૧૦૧/– કસુંબાબહેન રાજકોટ ૧૩૮/– શા. પ્રેમચંદ પાનાચંદ લાઠી
૧૦૧/– ઝબકબહેન રાજકોટ ૪૮/– શા. ડાયાલાલ પાનાચંદ લાઠી
૧૦૧/– શેઠ પ્રાણજીવન વરજીવન પોરબંદર ૫૮/– શા વનેચંદ પાનાચંદ લાઠી
૧૦૧/– શેઠ બાવચંદ જાદવજી કુંડલા ૬૧/– શેઠ તલકચંદ અમરચંદ લાઠી
૧૦૧/– શેઠ છગનલાલ ભાઈચંદ વાંકાનેર ૬૦/– શા. પોપટલાલ ફૂલચંદ લાઠી
૫૧/– તારાબહેન નાનાલાલ રાજકોટ ૧૩૨/– નાનાલાલ કાળીદાસ રાજકોટવાળા
૧૦૧/– શેઠ પ્રેમચંદ મગનલાલ રાણપુર ૧૩૪૨/– શેઠ મોહનલાલ વાઘજીભાઈ કરાંચીવાળા
૧૦૧/– શેઠ માણેકચંદ ધનજી રવાણી મોટા આંકડિયા ૧૬૫૫/– શેઠ નેમીદાસ ખુશાલદાસ પોરબંદર
૫૧/– શેઠ દલીચંદ હકુભાઈ મોરબી ૨૫૧૪/–પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે બ્રહ્મચર્ય લેનારા દસ ભાઈઓ–
૧૦૧/– શેઠ તારાચંદ ઉજમસી બેનો તરફથી તેમજ તેમના કુટુંબીજનો તરફથી આવેલ રકમો
૫૧/– શેઠ રતિલાલ માણેકચંદ મોરબી ૩૦૩/– સંવાદ કરનાર બાલિકાઓ તરફથી
૨૫૧/– શેઠ નાનચંદભાઈ ભગવાનજી અમરેલી ૩૧૪૧૭/– એકંદર રૂ. એકત્રીસ હજાર ચારસો સાડી સત્તર.
૧૦૧/– શેઠ છોટાલાલ નારણભાઈ સોનગઢ આ ઉપરાંત સ્વયંસેવક ભાઈઓને સોના ચાંદીના મેડલ
૧૫૧/– શેઠ હરગોવિંદ ગફલભાઈ વઢવાણ શેઠ લાલજીભાઈ વાલજી ઝવેરી તરફથી આપવામાં આવ્યા છે.
૧૦૧/– શેઠ કુંવરજી જાદવજી ઉમરાળા સંવાદ કરનાર બાલિકાઓને ચાંદીના મેડલ કલકત્તાવાળા કેદાર–
૨૦૧/– શેઠ નરસીદાસ ગોરધન મોદી પાલીતાણા નાથજીભાઈ તરફથી આપવા કહ્યું છે.]

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
પ્રૌઢવયના ગૃહસ્થો માટે
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
ગયા વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ
સુદ ૨ (તા. ૨૭–૭–૪૯) બુધવારથી શરૂ કરીને
શ્રાવણ વદ ૧૨ (તા. ૨૧–૮–૪૯) રવિવાર
સુધી, સોનગઢમાં શ્રી જૈનસ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
તરફથી સાચા તત્ત્વજ્ઞાનના અભ્યાસની
શરૂઆત કરનારા ભાઈઓ માટે એક જૈન
શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી કર્યું છે. આ વર્ગ
ખાસ પ્રૌઢ ઉંમરના જૈન ભાઈઓને અનુલક્ષીને
ખોલવામાં આવ્યો છે. જે મુમુક્ષુ ભાઈઓને
વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેઓએ પોતાનું
નામ “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ’
એ સરનામે તુરત મોકલી દેવું.
પુ. ગુરુદેવશ્રીનું સોનગઢમાં આગમન
લાઠીમાં પંચકલ્યાણક મહોત્સવ પૂરો
કરીને પૂ. ગુરુદેવશ્રીએ જેઠ સુદ ૯ ના રોજ
ત્યાંથી વિહાર કર્યો અને જેઠ સુદ પૂર્ણિમાએ
સોનગઢ પધાર્યા. પૂ. ગુરુદેવશ્રી પધાર્યા ત્યારે
સર્વે મુમુક્ષુ સંઘે અંતરના ઉમળકાથી સ્વાગત
કર્યું હતું. પૂ. ગુરુદેવશ્રી સુખશાંતિમાં સોનગઢ
બિરાજે છે. હાલ સવારે વ્યાખ્યાનમાં શ્રી
પ્રવચનસારનો જ્ઞેયઅધિકાર વંચાય છે અને
બપોરે શ્રી સમયસારજીનો સર્વ વિશુદ્ધજ્ઞાન
અધિકાર વંચાય છે.
ભરતના પુત્રોની વૈરાગ્ય ભાવના
[ભરતજીના નાની ઉંમરના પુત્રો
પોતાના મોટાભાઈ પાસે દીક્ષા લેવાની
ભાવના વ્યક્ત કરતાં કહે છે કે–
]
(૧) આત્મા તણા આનંદમાં મશગુલ રહેવા ઈચ્છતો,
નહિ દેહ બીજો ધારશું.
આનંદને અવધારશું.
(૩) વડીલ ભ્રાત હે! મેં દુઃખ બહુ સહ્યાં
અનંતકાળમાં બસ શરીર ફેરવ્યાં.
ધરમનો નહિ રંગ જેહને.
મરણ ને વળી જનમ તેહને
નરકમાં બહુ વેદના સહી
અરર! યાદથી કંપે દેહડી.
પરતણી ઘણી પ્રીત મેં કરી,
શરમ ના કદી લેશ મેં ધરી.
અમર આત્મા ઓળખ્યો હવે,
પરમ પાત્રતા મેળવી ખરે.
–બાળકોના સંવાદમાંથી.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા સૌરાષ્ટ્ર તા. ૬ – ૭ – ૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: સૌરાષ્ટ્ર