Atmadharma magazine - Ank 071
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૭૧
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
ભાદ્રપદ સંપાદક વર્ષ છઠ્ઠું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૫ વકીલ અંક અગિયારમો
અજ્ઞાની બંધાય છે. જ્ઞાની છૂટે છે
સ્વને જાણવા સહિત પરને જાણે એવું
સમ્યગ્જ્ઞાન છે અને સ્વને ચૂકીને એકલા પરને જાણે તે
મિથ્યાજ્ઞાન છે. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી તે
પાપ કરે તોય બંધાય છે ને પુણ્ય કરે તોય બંધાય છે;
કેમ કે તેણે પુણ્ય–પાપમાં જ પોતાના આત્માની એકતા
માની છે, પણ જ્ઞાનસ્વભાવ સાથે એકતા માની નથી;
તેથી તે જીવ વિકારથી છૂટતો નથી પણ વિકારમાં
એકત્વપણું માનીને બંધાતો જ જાય છે, તેનો સંસાર
નાશ થતો નથી. જેણે પોતાના જ્ઞાનને આત્મામાં વાળ્‌યું
નથી અને પુણ્ય–પાપથી જુદું જાણ્યું નથી તે જીવ પુણ્યથી
પણ બંધાતો જ જાય છે, પણ છૂટો પડતો નથી. અને જે
જીવે પોતાના જ્ઞાનને પુણ્ય–પાપથી જુદું જાણીને
સ્વભાવમાં વાળ્‌યું છે તે જીવ ખરેખર પુણ્ય–પાપથી
બંધાતો નથી પણ સ્વભાવના આશ્રયે બંધનથી છૂટતો
જ જાય છે. ત્રિકાળી જ્ઞાનસ્વભાવ જેવો છે તેવો જાણીને
તેની રુચિ–પ્રતીતિ કરી તે જીવ સમ્યગ્દ્રષ્ટિ થયો.
ભેદવિજ્ઞાનસાર
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડીયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૧૮૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :


જ્ઞાન પોતાના સ્વભાવથી થાય છે, શબ્દો સાંભળવાના કારણે થતું નથી. ઘડિયાળમાં આઠ ટકોરા પડ્યા
માટે ‘આઠ વાગ્યા’ એવું જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે. ખરેખર જ્ઞાનની તેવી લાયકાતથી જ તે જણાયું છે,
ટકોરાને લીધે નહિ. જડ શબ્દો જડના કારણે પરિણમે છે, જ્ઞાન જ્ઞાનના કારણે પરિણમે છે. જ્ઞાન અને જ્ઞેયનું
પરિણમન એક જ સમયે વર્તી રહ્યું છે, પણ બંને સ્વતંત્ર છે.
ઘડિયાળમાં ૯માં પ મિનિટ ઓછી હોય ત્યારે જ્ઞાન પણ તેમ જ જાણે, અને કોઈ પૂછે કે કેટલા વાગ્યા?
તો વાણીમાં પણ એમ જ આવે કે ‘નવમાં પાંચ મિનિટ ઓછી’. તથા તે પૂછનાર જીવને જ્ઞાન પણ તેવું જ થાય
છે. આમ બધું મેળવાળું હોવા છતાં દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતાના સ્વકાળમાં જ, પરની અપેક્ષા વગર
પરિણમી રહ્યું છે.
ઘડિયાળમાં નવમાં પાંચ ઓછી હોય ત્યારે જ્ઞાન તેવું જ જાણે પણ ‘બાર વાગ્યા છે’ એમ ન જાણે છતાં
ઘડિયાળના કારણે જ્ઞાન થયું નથી. જ્ઞાનને કારણે ‘નવમાં પાંચ ઓછી’ એવી વાણી થઈ નથી; અને તે વાણીના
કારણે બીજા જીવને તેનું જ્ઞાન થયું નથી.
ઘડિયાળમાં ૮ ને પ મિનિટ થઈ હોય ત્યારે જ્ઞાન તેમ જ જાણે પણ બાર વાગ્યા છે એમ ન જાણે ત્યાં
ઘડિયાળને લીધે જ્ઞાન થતું નથી. ઘડિયાળમાં એટલા વાગ્યા હતા માટે એટલું જ્ઞાન થયું–એમ નથી. તેમજ જ્ઞાને
જેવું જાણ્યુ તેવી જ ભાષા આવે, અને સામો જીવ પણ તેવુ જ સમજી જાય. આવો મેળ હોવા છતાં જ્ઞાને જાણ્યું
માટે ભાષા થઈ નથી અને ભાષાને કારણે સામા જીવને તેનું જ્ઞાન થયું નથી. જ્ઞાનની અવસ્થા સ્વાવલંબી
ચૈતન્યના આશ્રયે જ કાર્ય કરે છે–એમ સમજીને, પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા
પ્રગટ કરવી તે સમ્યક્ શ્રદ્ધા છે. પણ ઘડિયાળ વગેરે જ્ઞેયોને કારણે કે શબ્દોને કારણે જ્ઞાન થયું–એમ માને તે જીવે
આત્મામાં જ્ઞાન ને શાંતિ માન્યા નથી એટલે તે જીવ પોતાના સ્વભાવ તરફ વળતો નથી ને તેનું મિથ્યાત્વ ટળતું
નથી. પ્રશંસાના શબ્દો જગતમાં પરિણમે તેનાથી આત્માને સુખ કે જ્ઞાન નથી, છતાં તેનાથી જ્ઞાન કે સુખ માને
તો તે જીવનું જ્ઞાન પરમાં લીન થયેલું છે, તે જ્ઞાન અચેતન છે–અધર્મ છે. શબ્દોથી અને તે તરફના ક્ષણિક
જ્ઞાનથી જુદો પોતાનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ છે–એવો અભિપ્રાય થતાં. શબ્દોને કે અપૂર્ણદશાને ન સ્વીકારતાં
વર્તમાન અવસ્થા પૂર્ણ સ્વભાવ તરફ વળે છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ પૂરા છે જ, ને તેના તરફ વળતી અવસ્થા
પણ પરિપૂર્ણને જ સ્વીકારે છે, તેથી તે અવસ્થા પણ પૂર્ણના આશ્રયે પૂરી જ થાય છે.
વાણી તેના અચેતનપણાથી ભરેલી છે ને હું મારા ચેતનપણાથી ભરપૂર છું. મારા જ્ઞાનને વાણીની જરૂર
નથી અને વાણીને મારા જ્ઞાનની જરૂર નથી. –આમ જાણીને જીવ વાણીનો તેમજ વાણી તરફના રાગાદિનો
આશરો છોડીને ચેતનસ્વભાવનો આશરો લે છે. ચેતનસ્વભાવી આત્મદ્રવ્યના લક્ષે સમયે સમયે સ્વભાવની
શુદ્ધતા વધતી જાય છે. એનું નામ સર્વવિશુદ્ધજ્ઞાન છે.
[સ. ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી]
ધર્મમાં કોનું ગ્રહણ ને કોનો ત્યાગ?
પ્રશ્ન–ભેદવિજ્ઞાનથી જ ધર્મ થાય છે એમ કહ્યું, તો તેમાં કાંઈ છોડવાની વાત તો ન
આવી?
ઉત્તર–આત્માએ પરને પોતાનું માન્યું છે–તે ઊંધી માન્યતાને પકડી છે, તે છોડવાની
આમાં વાત છે. કોઈ પરવસ્તુને તો આત્માએ કદી પકડી નથી કે તેને છોડે. આત્મામાં કાંઈ હાથ–
પગ કે દાંત નથી કે જેનાથી તે પર વસ્તુને પકડે કે છોડે. આત્માએ પોતાના સ્વભાવને ભૂલીને
‘વિકાર તે હું’ એમ વિકારની પક્કડ પોતાની અવસ્થામાં કરી છે, જેણે પોતાના પરિપૂર્ણ
જ્ઞાનાનંદ સ્વરૂપની પક્કડ–શ્રદ્ધા–કરીને તે વિકારની પક્કડ છોડી તેણે છોડવાયોગ્ય બધું છોડ્યું છે.
સ્વભાવનું ગ્રહણ ને વિકારનો ત્યાગ એવા ગ્રહણ–ત્યાગ તે જ ધર્મ છે. એ સિવાય પર વસ્તુને
આત્માએ પકડી નથી, પર વસ્તુ આત્મામાં કદી પ્રવેશતી નથી, તો આત્મા તેને છોડે ક્યાંથી? હું
પરને છોડું–એમ જે માને તે જીવ પરનો અહંકાર કરનારો મિથ્યાદ્રષ્ટિ છે.
“ભેદવિજ્ઞાનસાર”

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૯ :
(૧) સ્વમાં એકતાનો અભિપ્રાય તે ધર્મ, પરમાં એકતાનો અભિપ્રાય તે અધર્મ.
જ્ઞાનને સ્વમાં વાળીને એમ પ્રતીત કરી કે જ્ઞાનસ્વરૂપ તે જ હું છું, ને પુણ્ય–પાપ તથા પરવસ્તુઓ હું
નથી, તે જ અનેકાંત છે. જે પુણ્ય–પાપ છે તે જ હું છું, તેનાથી જુદું કાંઈ મારું સ્વરૂપ નથી એમ માનવું તે એકાંત
છે, મિથ્યાત્વ છે, તે જ પુણ્ય–પાપની ઉત્પત્તિનું મૂળ છે. અને જ્ઞાનસ્વરૂપ હું છું, પુણ્ય–પાપ હું નથી–એવી પ્રતીતિ
તે પુણ્ય–પાપનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું મૂળ છે. બસ, સ્વમાં એકતાનો અભિપ્રાય તે ધર્મ છે ને
પરમાં એકતાનો અભિપ્રાય તે અધર્મ છે; જેને સ્વમાં એકતાનો અભિપ્રાય છે તેને સ્વના આશ્રયે ધર્મની જ
ઉત્પત્તિ છે, ને જેને પરમાં એકતાનો અભિપ્રાય છે તેને પરના આશ્રયે અધર્મની જ ઉત્પત્તિ થાય છે. જેને પુણ્ય–
પાપનો જ ઉત્પાદ ભાસે છે તેને તે વખતે તેનો વ્યય ભાસતો નથી. પુણ્યપાપ વખતે તે પુણ્ય–પાપનો વ્યય
કરનારો સ્વભાવ છે, તે તેને ભાસતો નથી. પુણ્ય–પાપથી જુદો, પુણ્ય પાપનો વ્યય કરનારો સ્વભાવ જેને
ભાસતો નથી તે પુણ્ય–પાપનો વ્યય કરી શકતો નથી, એટલે તેને શુદ્ધતા થતી નથી. જેને પુણ્ય–પાપ રહિત
સ્વભાવનું ભાન છે તે જીવ પુણ્ય–પાપ વખતે ય સ્વભાવની એકતારૂપે જ ઊપજે છે, તેથી તે વખતે ય તેને
જ્ઞાનની શુદ્ધતાની ઉત્પત્તિ જ વધે છે. પુણ્ય–પાપ ની ઉત્પત્તિ વધતી નથી. આ ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ છે
તેથી, સ્વભાવની શ્રદ્ધાથી પર્યાયમાં સમયે સમયે જ્ઞાનની વિશુદ્ધતા થતી જાય છે તેનું આ વર્ણન છે.
(૨) જ્ઞાનીને જ્ઞાન વધે છે, અજ્ઞાનીને વિકાર વધે છે.
હે ભાઈ? જે ક્ષણે પુણ્ય–પાપ છે તે ક્ષણે આત્મસ્વભાવ છે કે નથી? જો છે તો તે વખતે તને તારું જ્ઞાન
આત્મસ્વભાવ તરફ વળેલુ ભાસે છે, કે પુણ્ય–પાપ તરફ વળેલું જ ભાસે છે? જેનું જ્ઞાન આત્મસ્વભાવમાં વળેલું
છે તેને તો, પુણ્ય–પાપ વખતે ય આત્મ સ્વભાવમાં એકતા રૂપે જ જ્ઞાન કાર્ય કરે છે તેથી, જ્ઞાનની શુદ્ધિ વધતી
જાય છે, અને જેનું જ્ઞાન આત્મસ્વભાવનો આશ્રય છોડીને પુણ્ય પાપમાં જ વળ્‌યું છે તેને મિથ્યા–જ્ઞાન છે, તેને
જ્ઞાન હણાતું જાય છે ને પુણ્ય–પાપ રૂપ વિકાર ભાવો વધતા જાય છે.
એક જ કાળમાં ત્રિકાળી સ્વભાવ અને ક્ષણિક પુણ્ય–પાપ એ બંને છે. તેમાં ત્રિકાળી સ્વભાવની હયાતી
સ્વીકારીને તેનો આશ્રય કરવો તે ધર્મનું મૂળ છે. અને ત્રિકાળી સ્વભાવની હયાતી ન કબૂલતાં પરની અને
ક્ષણિક પુણ્ય–પાપની જ હયાતીને કબૂલવી તે મિથ્યાત્વ છે, તે પાપનું મૂળ છે. જ્ઞાનીને ત્રિકાળી સ્વભાવમાં
વળેલા પરિણામથી સમયે સમયે નિર્મળ સ્વભાવ જ ભાસે છે, ને વિકારની ઉત્પત્તિ નથી ભાસતી પણ વ્યય
ભાસે છે. અજ્ઞાનીને વિકારની ઉત્પત્તિ જ ભાસે છે, પણ શુદ્ધ આત્માની હયાતી ભાસતી નથી, એટલે તેને
શુદ્ધતાની ઉત્પત્તિ થતી નથી. જ્ઞાનીને શુદ્ધાત્માની હયાતી ભાસે છે ને તેમાં પુણ્ય–પાપની હયાતી ભાસતી નથી
તેથી તેને ખરેખર શુદ્ધાત્માની જ ઉત્પત્તિ થાય છે ને પુણ્ય–પાપની ઉત્પત્તિ થતી નથી.
(૩) સ્વભાવમાં વળેલું જ્ઞાન તે સ્વસમય છે ને તે જ મોક્ષમાર્ગ છે.
આ શાસ્ત્રની બીજી ગાથામાં સ્વસમય અને પરસમયનું સ્વરૂપ બતાવ્યું હતું. અહીં પર સમયને દૂર કરીને
સ્વસમયને પ્રાપ્ત કરવાની વાત કરી છે. પોતાની જ્ઞાનરૂપી આંખને જે તરફ વાળે તેની હયાતી ભાસે છે, અને તે
તરફ પરિણમન થાય છે. મિથ્યાત્વ તે જ પુણ્ય–પાપનું મૂળ છે –એમ કહીને મિથ્યાત્વનો નાશ કરવાનું કહ્યું.
મિથ્યાત્વ ટાળતાં પુણ્ય–પાપ પણ ટળી જ જાય છે. મિથ્યાત્વને પુણ્ય–પાપનું મૂળ કહ્યું તેમાં એ પણ આવી ગયું કે
સમ્યકત્વ તે વીતરાગી ચારિત્રનું મૂળ છે. સ્વભાવની શ્રદ્ધા કરીને જ્ઞાન તેમાં ઠર્યું તે જ ચારિત્ર છે. જ્ઞાન પોતાના
આત્મસ્વભાવમાં કરે તેમાં જ દર્શન જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આવી જાય છે. સ્વભાવમાં ઢળેલું જ્ઞાન પોતે
મોક્ષમાર્ગ છે. આત્મસ્વભાવના આશ્રયે જે જ્ઞાન પરિણમ્યું તેમાં મોક્ષમાર્ગ આવી ગયો, સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમેલા આત્માને પ્રાપ્ત કરવો તે સ્વસમયની પ્રાપ્તિ છે. સ્વભાવમાં વળેલી નિર્મળદશાને અહીં
સ્વસમયની પ્રાપ્તિ કીધી છે, તે મોક્ષમાર્ગ છે, તે જ ધર્મ છે. મોક્ષમાર્ગરૂપે આત્મા પોતે જ પરિણમી જાય છે.
આત્માના સ્વભાવની ઓળખાણ કરીને, આત્મામાં જ પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને શુદ્ધ જ્ઞાનને દેખવું. તે
શુદ્ધજ્ઞાન ત્યાગ ગ્રહણથી રહિત છે, તેણે સંપૂર્ણ

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૯૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે, તે સાક્ષાત સમયસારભૂત છે, અને પર માર્થરૂપ છે. –આવા શુદ્ધ જ્ઞાનને સર્વે
પરવસ્તુઓથી સ્પષ્ટપણે ભિન્ન અનુભવવું.
(૪) જ્ઞાનમાં પરનું ગ્રહણ ત્યાગ નથી.
આત્માના જ્ઞાનસ્વભાવમાં કોઈ પરવસ્તુનું ગ્રહણ કે ત્યાગ નથી. જ્ઞાન સ્વભાવને પકડતાં–એટલે કે
જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થતાં વિકાર છૂટી જાય છે, તે જ સ્વભાવનું ગ્રહણ ને વિકારનો ત્યાગ છે. એ સિવાય
પરનું કાંઈ પણ ગ્રહણ–ત્યાગ જ્ઞાનમાં નથી. તત્ત્વાર્થ રાજવાર્તિકમાં કહ્યું છે કે આત્માને કાંઈ હાથ પગ નથી કે તે
પર વસ્તુઓને પકડે છોડે. પરમાર્થ તો આત્મા વિકારનો ય ગ્રહનાર કે ત્યાગનાર નથી. ‘હું વિકારી છું’ એવી
ઊંધી શ્રદ્ધાનો ત્યાગ થયો તે જ વિકારનો ત્યાગ છે અને વિકાર રહિત શુદ્ધસ્વભાવ છે’ એવી શ્રદ્ધા કરી તે જ
સ્વરૂપનું ગ્રહણ છે. અજ્ઞાનદશામાં જીવ પરનું ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે પણ પરનું ગ્રહણ કે ત્યાગ કરી તો
શકતો નથી. જેમ નદીમાં પાણી વહ્યું જતું હોય, ત્યાં કોઈ કાંઠે ઊભેલો માણસ એમ માને કે ‘આ પાણી મારું છે’
અને પછી તે કહે કે ‘હવે હું આ પાણીને છોડી દઉં છું. ’ ત્યાં તે મનુષ્યે ખરેખર પાણીને પકડયું પણ નથી ને
છોડ્યું પણ નથી. પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે. તે માણસે પાણીનું ગ્રહણ–ત્યાગ કરવાની માત્ર
માન્યતા કરી હતી, પણ પાણીને તો ગ્રહણ કે ત્યાગ કર્યું નથી. માણસ તો પાણીના ગ્રહણ ત્યાગ રહિત છે. આ
દ્રષ્ટાંતે જ્ઞાનને પણ ગ્રહણ–ત્યાગ રહિત સમજવું, આ જગતના પદાર્થો સૌ પોત પોતાના સ્વભાવ ક્રમમાં પરિણમે
છે. ત્યાં જ્ઞાન તો તેનાથી જુદું રહીને તેને જાણે છે, પણ તેનું ગ્રહણ કે ત્યાગ કરતું નથી. પરમાર્થથી તો જ્ઞાનમાં
વિકારનું પણ ગ્રહણ ત્યાગ નથી. ‘વિકારને છોડ, વિકારના નિમિત્તોને છોડ, કુસંગને છોડ!’ –એવો ઉપદેશ
ચરણાનુયોગમાં આવે, તે કથન નિમિત્તનાં છે. ઉપદેશમાં તો એવાં વચનો આવે પણ વસ્તુસ્વભાવ જ પર–
વસ્તુના ગ્રહણ અને ત્યાગ વગરનો છે, જ્ઞાનમાં પરવસ્તુનું ગ્રહણ–ત્યાગ નથી, એવો સ્વભાવ છે.
આજે ઘણા અજ્ઞાનીઓ કહે છે કે હવે સક્રિય કામ કરી બતાવો. પણ ભાઈ તું શું કરીશ? શું જ્ઞાન પાસે તું
પરનું કામ કરાવવા માગે છે? પર વસ્તુમાં કાંઈ ઊંચું–નીચું, આઘું–પાછું કરવાની તાકાત જ્ઞાનમાં નથી. જ્ઞાનનો
સ્વભાવ જ પરમાં કાંઈ કરવાનો નથી. જ્ઞાન તો આત્મામાં જાણવાની ને ઠરવાની ક્રિયા કરે, એ સિવાય પરમાં
કાંઈ ગ્રહણ–ત્યાગ કરી શકે નહિ. જેમ દુકાનમાં અરીસો ટાંગ્યો હોય તેમાં અનેક પ્રકારના મોટર, ગાડી, માણસો
વગેરેના પ્રતિબિંબ પડે અને પાછા ચાલ્યા જાય; ત્યાં અરીસાએ તે વસ્તુઓને ગ્રહી કે છોડી નથી, તેમ જ્ઞાનમાં
બધું જણાય છે પણ જ્ઞાન કોઈને ગ્રહતું કે છોડતું નથી. એવા ગ્રહણ–ત્યાગરહિત, સાક્ષાત સમયસાર ભૂત
શુદ્ધજ્ઞાનને અનુભવવું. એવો અહીં ઉપદેશ છે.
–ભેદવિજ્ઞાનસાર
જીવનું કર્તવ્ય
જીવના રાગનું કાર્ય પરમાં થતું નથી. સ્ત્રી, પુત્ર વગેરે જ્યારે મરણ–પથારીએ પડ્યા
હોય ત્યારે, તે બચે તો સારું એમ પોતે ઘણો રાગ કરે, છતાં તે મરી જાય છે, પોતાના રાગને
કારણે તેમાં કાંઈ થતું નથી. પોતે તો પરથી જુદો છે. પોતે પોતામાં રાગ કરી શકે પણ પરમાં
કાંઈ ન કરી શકે. જો આમ યથાર્થપણે સમજે તો પર તરફથી પાછો ફરીને પોતાના
જ્ઞાનસ્વભાવ તરફ વળે, ને રાગનો પણ કર્તા થાય નહિ. હે ભાઈ, તને પ્રત્યક્ષ દેખાય છે કે
તારો રાગ પરમાં કાંઈ જ કરી શકતો નથી. જેમ પરને માટે તારો રાગ વ્યર્થ છે, તેમ તે રાગ
આત્માને પોતાને પણ કાંઈ લાભ કરતો નથી. જો સ્ત્રી પુત્ર–શરીર વગેરે પદાર્થો તારાં હોય તો
તેના ઉપર તારો અધિકાર કેમ ન ચાલે? અને તારી ઈચ્છા પ્રમાણે જ તે પદાર્થો કેમ ન
પરિણમે? માટે તું તારા જ્ઞાનમાં એમ નિર્ણય કર કે મારું જ્ઞાનસ્વરૂપ બધાય પદાર્થોથી જુદું છે,
પર પદાર્થો તરફના વલણથી રાગની ઉત્પત્તિ થાય તેનાથી પણ જુદું છે, ને પર તરફ વળીને
રાગમાં જે જ્ઞાન અટકી જાય તેનાથી પણ મારું જ્ઞાનસ્વરૂપ જુદું છે;–એમ જાણીને તારા
જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ વળ, તેનો જ અભ્યાસ કર, તેની રુચિ કર, તેનું મંથન કર, તેની
શ્રદ્ધા કર, તેનો જ અનુભવ કર. નિરંતર તે જ એક કરવા જેવું છે.
–ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૧ :
લેખાંક ૧૦] વીર સંવત ૨૪૭૩ ભાદરવા સુદ ૩ બુધવાર અંક ૬૯ થી ચાલુ]
શ્રી પરમાત્મ પ્રકાશ ગાથા ૭ – ૮ – ૯
[८૧] વ્યવહાર પંચાચાર બંધનું કારણ હોવા છતાં તેને પરંપરા મોક્ષના સાધક કેમ કહ્યા?
જેને શુદ્ધાત્મસ્વરૂપના આશ્રયે નિશ્ચય–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–તપ ને વીર્યરૂપ અભેદ પંચાચાર પ્રગટ્યા હોય
એવા સાધુને વિકલ્પરૂપ દશામાં વ્યવહારપંચાચાર હોય છે. વ્યવહારપંચાચાર તે વિકલ્પરૂપ છે પણ દેહની ક્રિયામાં
નથી; મુનિદશામાં ઘણી વીતરાગતા તો પ્રગટી છે પણ હજી પૂરી વીતરાગતા થઈ નથી તેથી આ પ્રકારનો રાગ હોય
છે, તે રાગને વ્યવહાર–પંચાચાર કહેવાય છે, તે રાગ બંધનું કારણ છે. તે વ્યવહારપંચાચારને પરંપરા મોક્ષના
સાધક કહ્યા છે. પરંપરા સાધક એટલે કે તે રાગ તો બાધક જ છે, પણ જે નિશ્ચય પંચાચાર છે તેના જોરે રાગનો
પરંપરા અભાવ કરીને મોક્ષદશા પ્રગટ કરશે, –એથી ઉપચારથી તે રાગને પરંપરા મોક્ષનું કારણ અથવા તો
મોક્ષનો સાધક કહેવાય છે. આ બાબતનો ખુલાસો અ ૨ ગા. ૧૪ની ટીકા (પા. ૧૪૨) માં સરસ આપ્યો છે; ત્યાં
શિષ્ય પૂછે છે કે નિશ્ચય મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે, તે વખતે સવિકલ્પ મોક્ષમાર્ગ હોતો નથી, તો તે સવિકલ્પ
મોક્ષમાર્ગ અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગ સાધક કઈ રીતે છે? શ્રીગુરુ તેનો ખુલાસો કરતાં કહે છે કે–ભૂતનૈગમનયે
ઉપચાર કરીને તે વ્યવહારને પરંપરા સાધક કહેવાય છે. એટલે કે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ નિર્વિકલ્પદશા પ્રગટ્યા
પહેલાંં વ્યવહારમોક્ષમાર્ગ રૂપ વિકલ્પદશા હતી એમ પૂર્વના રાગની હયાતીનું જ્ઞાન કરવા માટે તેને ઉપચારથી
સાધક કહેવામાં આવે છે, પરમાર્થે તો રાગ તે બાધક જ છે, વ્યવહારમોક્ષમાર્ગ બાધક છે. પોતાના શુદ્ધાત્માની
શ્રદ્ધા, તેનું જ્ઞાન, તેમાં સ્થિરતા, તેની એકાગ્રતાવડે ઈચ્છાનો નિરોધ અને પોતાની આત્મશક્તિનું પ્રગટ કરવું–
એવા નિશ્ચયપંચાચાર તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. આવા પંચાચાર મુનિઓને હોય છે.
[૮૨] શ્રીઆચાર્યને નમસ્કાર
એવા મુનિઓમાં તેઓ પોતે નિશ્ચય પંચાચારને આચરે છે અને બીજા પાસે પણ તેનું આચરણ કરાવે છે
એવા શ્રી આચાર્ય છે, તેમને હું નમસ્કાર કરું છું.
[૮૩] શ્રી ઉપાધ્યાયના ઉપદેશનું સ્વરૂપ અને તેમને નમસ્કાર
શ્રી ઉપાધ્યાય કેવા છે? પંચાસ્તિકાયમાં શુદ્ધ જીવાસ્તિકાયને જ ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે. કોઈ
વિકલ્પને, કે દેવ–ગુરુ–શાસ્ત્રને ગ્રહણ કરવાનો ઉપદેશ કરતા નથી પણ શુદ્ધ જીવાસ્તિકાય જ ઉપાદેય છે–એવો
ઉપદેશ આપે છે; છ દ્રવ્યમાં નિજ શુદ્ધદ્રવ્ય જ ઉપાદેય છે, કોઈ પણ પરદ્રવ્ય ઉપાદેય નથી; સાત તત્ત્વમાં શુદ્ધ
જીવતત્ત્વ જ ઉપાદેય છે. સાતતત્ત્વને જાણીને તેમાં શુદ્ધ જીવતત્ત્વને જ અંગીકાર કરવાનો ઉપદેશ છે. સાત
તત્ત્વના ભેદ–વિકલ્પ આદરણીય નથી, પણ અભેદ શુદ્ધ જીવતત્ત્વ જ આદરણીય છે. સંવર–નિર્જરા–મોક્ષ પણ
પર્યાય છે, તેની દ્રષ્ટિ પણ અંગીકાર કરવા જેવી નથી. અને નવ પદાર્થોમાં શુદ્ધ જીવપદાર્થ જ આદરણીય છે. અને
બીજું બધું ત્યાગવા યોગ્ય છે એવો ઉપદેશ ઉપાધ્યાય આપે છે. પર તરફ લક્ષ નહિ, તે તરફનો વિકલ્પ પણ
છોડવા જેવો છે, પર્યાયનું લક્ષ પણ છોડવા જેવું છે–એમ વિકાર તથા પર્યાય ભેદને ગુણભેદનું લક્ષ છોડીને
અભેદસ્વભાવ તરફ ઢળતાં પરિણતિ પોતે જ શુદ્ધસ્વભાવમાં લીન થાય છે, પછી પર્યાયનું ઉપાદેયપણું ક્યાં
રહ્યું? શુદ્ધાત્મસ્વભાવની શ્રદ્ધા તેનું જ્ઞાન ને તેમાં સ્થિરતા રૂપ ચારિત્ર તે રૂપ અભેદરત્નત્રય જ નિશ્ચય
મોક્ષમાર્ગ છે–આવો ઉપદેશ શિષ્યોને આપે છે તે ઉપાધ્યાય છે, તેમને નમસ્કાર કરું છું.
પહેલાંં ‘શુદ્ધદ્રવ્યસ્વભાવ અંગીકાર કરવા યોગ્ય છે’ એમ કહ્યું, હવે અહીં પર્યાયની વાત જણાવે છે, કે
અભેદરત્નત્રય તે નિશ્ચય મોક્ષમાર્ગ છે; પણ અહીં તે પર્યાયને ઉપાદેય જણાવ્યો નથી. દ્રવ્યસ્વભાવને અંગીકાર
કરવાનો ઉપદેશ છે, અને દ્રવ્ય સ્વભાવની એકાગ્રતાથી જે નિર્મળદશા પ્રગટી તેનું જ્ઞાન કરાવે છે પણ તે
પર્યાયની દ્રષ્ટિ કરવાનો ઉપદેશ નથી. પોતાની નિર્મળ અવસ્થાની પણ ઉપેક્ષા કરવાનો ઉપદેશ છે તોપછી
નિમિત્તની કે રાગની અપેક્ષા કરવાનું તો કેમ હોય? –એનું તો લક્ષ છોડવા જેવું છે.
આ તો હજી પંચ પરમેષ્ઠીને નમસ્કારરૂપ મંગળિક ચાલે છે. પંચપરમેષ્ઠીને

PDF/HTML Page 7 of 17
single page version

background image
ગાથા – ૮
ગાથા – ૯
: ૧૯૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
નમસ્કાર કરતાં તેમના સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને તેમાં ધર્મ કઈ રીતે આવે છે તે જણાવ્યું છે.
[૮૪] શ્રીસાધુને નમસ્કાર
આચાર્ય–ઉપાધ્યાયને ઓળખીને તેમને નમસ્કાર કર્યા, હવે સાધુને ઓળખીને તેમને નમસ્કાર કરવામાં
આવે છે–શુદ્ધજ્ઞાનસ્વભાવી શુદ્ધાત્મતત્ત્વની આરાધનારૂપ વીતરાગનિર્વિકલ્પ સમાધિને જે સાધે છે તે સાધુ છે.
તેમને મારા નમસ્કાર હો.
એ રીતે પ્રથમના સાત દોહાઓમાં શ્રીયોગીન્દ્રાચાર્યદેવે પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા; એ નમસ્કાર દ્વારા
પોતાના શિષ્ય પ્રભાકરભટ્ટને પણ પંચપરમેષ્ઠીનો ઉપદેશ કર્યો. –૭–
[૮૫] શ્રી પ્રભાકરભટ્ટ વિનંતિ કરે છે
પૂર્વોક્ત રીતે પંચપરમેષ્ઠીના સ્વરૂપને ઓળખીને અને તેમને નમસ્કાર કરીને હવે પ્રભાકર ભટ્ટ પોતાના
ગુરુને વિનંતિ કરે છે–
भाविं पणविवि पंचगुरु सिरि जोइंदु जिणाउ।
भट्टपहायरि विण्णविउ विमलु करेविणु भाउ।।
८।।
અર્થ:– પ્રભાકરભટ્ટ શુદ્ધભાવોવડે પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરીને, પોતાના ભાવોને પવિત્ર કરીને
શ્રીયોગીન્દ્રદેવ નામના પોતાના ગુરુ પ્રત્યે શુદ્ધાત્મતત્ત્વ જાણવા માટે મહા ભક્તિપૂર્વક વિનંતિ કરે છે.
જેમની પાસેથી શુદ્ધાત્મતત્ત્વ જાણવું છે તે પુરુષ પ્રત્યે મહાન વિનય ને મહા ભક્તિ વગર જીવને
શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ યથાર્થ સમજાય નહિ. અધ્ધરથી બુદ્ધિમાં ન્યાય પકડીને માને કે હું સમજી ગયો, પણ
યથાર્થ વિનય વગર તે જ્ઞાન પરિણમે નહિ.
તેથી અહીં પ્રભાકરભટ્ટ પોતાના ગુરુ પ્રત્યે વિનય અને ભક્તિથી વિનંતિ કરતાં કહે છે;–શું કહે છે? તે
આ પ્રમાણે–
[૮૬] શ્રીગુરુ પાસેથી શુદ્ધાત્મ સ્વરૂપ સમજવા પ્રભાકરભટ્ટની ઝંખના
गउ संसारि वसंताहं सामिय कालु अणंतु।
पर मइं किं पि ण पत्तु सुहु दुकखु जि पत्तु महंत्तु।।
९।।
અર્થ:– હે સ્વામી! આ સંસારમાં વસતાં મારો અનંતકાળ વીતી ગયો, પરંતુ હું જરાપણ સુખ પામ્યો
નથી, મહાન દુઃખ જ પામ્યો છું.
અહીં પ્રભાકરભટ્ટ પોકાર કરીને ધગશથી વિનંતિ કરે છે કે હે ભગવન્! મેં શુદ્ધાત્મતત્ત્વ કદી સાંભળ્‌યું
નથી તેથી અનંત અનંતકાળ સંસારમાં વીતી ગયો પણ જરાય સહજાનંદ ન પામ્યો. અહીં શુદ્ધાત્મસ્વરૂપ જાણવા
માટે ઝંખનાથી પ્રશ્ન પૂછયો છે. શ્રીજયધવલામાં કહ્યું છે કે જે શિષ્ય પ્રશ્ન નથી પૂછતો તેને શ્રીગુરુ ઉપદેશ કરતા
નથી. તેનો અર્થ એવો છે કે જે શિષ્યને અંતરથી સમજવાની ધગશ નથી જાગી અને જે મહા ભક્તિ–વિનયથી
શ્રીગુરુના ઉપદેશને સાંભળતો નથી તેને શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ નહિ સમજાય.
જેવો પંચપરમેષ્ઠી ભગવાનનો સહજ આનંદ બતાવ્યો તેવો આનંદ હું કદી પામ્યો નથી પણ સંસારમાં
મહાન દુઃખ જ પામ્યો છું. તેથી હવે હું પરમાત્મસ્વરૂપનો ઉપદેશ સાંભળવા ઈચ્છું છું. જે શિષ્ય લાયક હોય તેને
શુદ્ધાત્મસ્વરૂપને સમજવાની જ ઝંખના હોય છે, પણ કોઈ વ્યવહારની વાતમાં તેને હોંશ હોતી નથી. તે કહે છે કે
હે નાથ, શુદ્ધાત્માના ભાન વગર સંસારમાં રખડતાં ચારે ગતિમાં હું દુઃખ જ પામ્યો છું સ્વર્ગમાં પણ દુઃખ જ
પામ્યો છું, પણ શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ વગર હું ક્યાંય જરાય સુખ પામ્યો નથી. માટે મને તે
શુદ્ધાત્મસ્વરૂપનો ઉપદેશ કૃપા કરીને આપો.
આત્મકલ્યાણની અપૂર્વ વાત
આ આત્મકલ્યાણની અપૂર્વ વાત છે. ઝટ ન સમજાય તો અરુચિ કે કંટાળો લાવવો નહિ પણ
વિશેષ અભ્યાસ કરવો, ‘આ મારા આત્માની અપૂર્વ વાત છે, આ સમજવાથી જ કલ્યાણ છે’ –એમ
અંતરમાં તેનો મહિમા લાવીને રુચિથી શ્રવણ–મનન કરવું. બધા આત્મામાં આ સમજવાની તાકાત છે.
હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું વૃદ્ધ છું, હું બાળક છું–એવી શરીરબુદ્ધિને છોડીને અંતરમાં એમ લક્ષ કરવું કે હું
આત્મા છું, શરીરથી જુદો જ્ઞાનસ્વરૂપ છું. દરેક આત્મા ભગવાન છે–જ્ઞાનસ્વરૂપી છે, તેનામાં પૂરેપૂરું
સમજવાની તાકાત ભરી છે. માટે ‘મને ન સમજાય’ એવું શલ્ય કાઢી નાખીને, ‘મને બધું સમજાય એવી
મારી તાકાત છે’ એમ વિશ્વાસ કરીને સમજવાનો પ્રયત્ન કરવો. રુચિપૂર્વક પ્રયત્ન કરે તેને ન સમજાય
એમ બને નહીં. આમાં બુદ્ધિના ઉઘાડની બહુ જરૂર નથી પણ રુચિની જરૂર છે. “ભેદવિજ્ઞાનસાર”

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૩ :
[વીર સં ૨૪૭૫ ચૈત્ર વદ ૧૪ રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
(૧) ભગવાને પ્રવચનમાં શું કહ્યું છે?
અહીં પ્રવચનસારમાં ૧૯૨મી ગાથા આવી છે. ત્યાં, પ્રથમ પ્રવચન એટલે શું? જ્ઞાન, દર્શન, સુખાદિ
અનંત ગુણોના પિંડસ્વરૂપ આત્મામાં અનાદિ કાળથી અજ્ઞાન રાગ અને દ્વેષને કારણે વિકારી અવસ્થા છે.
જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સાચી ઓળખાણ અને તેમાં સ્થિરતા કરીને જે આત્માએ અજ્ઞાન–રાગ–દ્વેષનો નાશ
કર્યો અને મુક્તદશા (જીવનમુક્ત દશા) પ્રગટ કરી એટલે કે કેવળજ્ઞાન પ્રગટ કર્યું; તેને ત્યાર પછી જે વાણી છૂટી
તેમાં જે તત્ત્વનું અર્થાત્ જીવાદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ આવ્યું, તેને ‘પ્રવચન’ કહે છે. તે
પ્રવચનમાં શું ઉપાદેય કહ્યું છે તે વાત ચાલે છે. તે પ્રવચનમાં નવ તત્ત્વનું સ્વરૂપ કહ્યું છે; તેમાંથી, “ધુ્રવપણાને
લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે” એમ આચાર્ય ભગવાન ઉપદેશે છે. ભગવાનના શ્રીમુખે
દિવ્યધ્વનિમાં આત્માનું યથાર્થ સ્વરૂપ આવ્યું તેનું અહીં કથન છે. આત્મા સ્વભાવથી તો શુદ્ધ, ધુ્રવ, અવિચળ
અને નિત્ય છે. રાગ, દ્વેષના વિકારી પરિણામ તેનો મૂળ સ્વભાવ નથી, માટે રાગદ્વેષાદિ વિકારથી રહિત એવા
આ આત્માનો અનુભવ કરવા જેવો છે.
(૨) જીવતત્ત્વ અન અજીવતત્ત્વ
‘આ આત્માનો’ એટલે કે પોતાના આત્માનો અનુભવ કરવા જેવો છે, એમ કહેતાં એ કથનમાંથી
નવતત્ત્વ ઉભા થાય છે. તેમાં પ્રથમ આત્મપદાર્થનો નિર્ણય થવો જોઈએ. આત્માનો અનુભવ કરવા જેવો છે એ
કથનથી એમ સિદ્ધ થાય છે કે આજ પૂર્વે આત્માનો અનુભવ નહોતો, અને વર્તમાન અનુભવ પ્રગટ કરીને
આગામી અનંત કાળ રહેશે. અનુભવ પ્રગટ કરીને પોતાનો નાશ કરતો નથી પણ સ્વભાવના અનુભવપણે
અનંતકાળ રહેશે એ રીતે આત્મા, પૂર્વે અજ્ઞાન–ભાવમાં હતો અને આગામી ભવિષ્યકાળમાં સ્વાનુભવ પ્રગટ
કરીને ટકી રહેશે. તેથી આત્મા અનાદિ અનંત છે તે નવો ઊપજ્યો નથી અને તેનો કદી નાશ થવાનો નથી. ત્રણે
કાળે હયાતી ધરાવનાર એવો આત્મા સ્વભાવથી તો પરના સંબંધ વિનાનો તથા રાગ–દ્વેષના વિકાર વિનાનો,
ત્રિકાળી શુદ્ધ, ધુ્રવ વસ્તુ છે, પરંતુ અવસ્થામાં તેણે પોતાના સ્વભાવથી વિજાતીય સ્વભાવવાળા અજીવ દ્રવ્યો
ઉપર અનાદિથી લક્ષ કર્યું છે. માટે તેને અજીવ એવાં શરીર, વાણી અને મન વગેરે પરદ્રવ્યો ઉપરથી લક્ષ ઉઠાવીને
ધુ્રવ એવી ચૈતન્યવસ્તુ ઉપર ત્રિકાળી ધુ્રવ આત્મા ઉપર લક્ષ કરવાનું કહ્યું. તેથી નક્કી થયું કે ચેતના લક્ષણવાળું
જીવદ્રવ્ય છે અને ચેતના લક્ષણ વિનાનું શરીર, વાણી આદિ સ્વરૂપ પુદ્ગલ દ્રવ્ય છે. એ રીતે એક જીવ દ્રવ્ય અને
બીજું અજીવ દ્રવ્ય–એમ જીવ અને અજીવ બે દ્રવ્યો સિદ્ધ થાય છે. પુદ્ગલ સિવાયના ચાર અરૂપી અજીવ દ્રવ્યો
છે. તેમની અહીં મુખ્ય વાત નથી.
(૩) જીવની ભૂલ અને તેનું નિમિત્ત
જો જીવ અને અજીવ, એમ બે તત્ત્વો ન હોય, તો જીવને, એકલા પોતાથી, પોતાને જાણવામાં ભૂલ થાય
નહિ. –પરંતુ પોતાના હોવાપણાથી વિરુદ્ધ સ્વભાવવાળા અજીવ દ્રવ્યના હોવાપણામાં પોતાનું હોવાપણું માનીને
ભૂલ્યો છે. પોતાના સ્વભાવનું ભાન નહિ હોવાથી શરીર હું, વાણી હું, હું તેમનો કર્તા, (જડ પદાર્થોના સંયોગમાં
અનુકૂળ–પ્રતિકૂળપણાની માન્યતા કરીને) હું તેમનો ભોક્તા, એમ અનેક પ્રકારથી અજીવમાં પોતાનું હોવાપણું
અજ્ઞાનને લઈને માનતો આવ્યો છે. એ રીતે ભૂલમાં નિમિત્ત એવું–આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું–અજીવ દ્રવ્ય પણ
જગતમાં છે, તેના લક્ષે જીવ પોતાનું અસલી હોવાપણું ચૂકીને પરમાં પોતાના હોવાપણાની માન્યતારૂપ ભૂલ કરે છે.
(૪) જીવ અન અજીવન સખ્ય
જેમ પોતાનો આત્મા છે તેમ જગતમાં બીજા અનંત આત્મા છે. તેઓ દરેક જુદા જુદા છે. બધા મળીને
એક આત્મા નથી, તથા સર્વવ્યાપક એક આત્મા નથી, પરંતુ સ્વ–ક્ષેત્ર વ્યાપક અથવા વ્યવહારથી વર્તમાન શરીર
પ્રમાણ દરેક આત્મા જુદા જુદા છે. બધા આત્મા જીવપણાની અપેક્ષાએ એક જાતિ છે, પણ બધા આત્મા થઈને
એક આત્મા નથી; બધાય વ્યક્તિગત જુદા જુદા છે. ચૈતન્ય સ્વભાવવાળા આત્માથી વિરુદ્ધ જડ પદાર્થો
(પુદ્ગલો) પણ અનંત છે. જાણનાર દેખનાર સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા જડ પદાર્થો ન હોય તો,
‘જાણનાર–દેખનાર સ્વભાવવાળો તે આત્મા’ એવા ગુણોથી આત્માને જુદો પાડવાનું રહેતું

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
નથી. જગતમાં બીજા જડ પદાર્થો છે કે જેમનામાં જાણવા–દેખવાનો સ્વભાવ નથી, તેમનાથી જીવને પોતાના
ખાસ ગુણોથી જુદો પાડી શકાય છે. તેથી જેમનામાં એવા ગુણો નથી એવા જડ પદાર્થો પણ જગતમાં છે.
(૫) નવતત્ત્વ
વળી, અનાદિથી ‘જીવ’નું લક્ષ પોતાના સ્વભાવથી વિરુદ્ધ એવા શરીરાદિ ‘જડ’ પદાર્થમાં હોવાથી તેને
ભૂલ અને વિકાર છે. તે વિકાર આત્માના વિકૃતસ્વભાવની અપેક્ષાએ એક પ્રકારનો હોવા છતાં, મંદ અને તીવ્ર
એવા વિકારના બે પડખાં પડે છે. તેને ‘પુણ્ય’ અને ‘પાપ’ કહે છે, બેય પડખાંને અભેદ કરીને એક પ્રકારથી
કહેવો હોય તો તેને ‘આસ્રવ’ કહેવાય છે. જીવ તે વિકારમાં અટકે છે, વિકાર ટકે છે તેથી તેને ‘બંધ’ કહેવાય છે,
તે ભૂલ અને રાગ–દ્વેષરૂપ વિકાર અટકવો એટલે આત્માનું યથાર્થ ભાન કરી સ્વરૂપમાં ટકવું તે ‘સંવર’ છે.
વિકારનું એક દેશ ઘટવું એટલે કે સ્વભાવ–શુદ્ધિનું એક–દેશ વધવું તે ‘નિર્જરા’ છે. વિકારનો અત્યંત ક્ષય થવો
અને સ્વભાવનું સર્વથા ‘પ્રગટ’ થવું તે ‘મોક્ષ’ છે. વિકારથી સર્વથા છૂટકારો આત્મામાં મુક્તદશા પ્રગટ થતાં
થાય છે. જેને ભૂલ અને વિકાર ટાળવા છે તેણે આત્માની સાચી સમજણ કરીને મુક્તદશા પ્રગટ કરવી જોઈએ.
જેને મુક્તદશા એટલે કે આત્માનો સંપૂર્ણ શુદ્ધ અનુભવ કરવો છે, તેણે પ્રથમ જીવ–અજીવાદિ નવ તત્ત્વો બરાબર
સમજીને આત્માનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. એ રીતે જીવ, અજીવ ઉપરાંત પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર,
નિર્જરા અને મોક્ષ એમ કુલ નવ તત્ત્વો સિદ્ધ થાય છે. એ રીતે નવ પદાર્થો સિદ્ધ ન થાય તો આત્માને વિકાર
ટાળીને સુખી થવાનો –મુક્ત દશા પ્રગટ કરવાનો–ધ્વનિ ઉત્પન્ન થતો નથી.
(૬) ધર્મ, અધર્મ અને તેનું ફળ
આત્માનો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ છે, ઉપાધિ વિનાનો, આકુળતા રહિત છે. પરંતુ વર્તમાન દશામાં
સુખ, શાંતિ કે ધર્મરૂપ થવું છે; જો તે સુખ–શાંતિ વર્તમાન પર્યાયમાં પ્રગટ હોય તો તેને પ્રગટ કરવાનું રહેતું નથી.
ધર્મનું સ્વરૂપ એવું છે કે જે વર્તમાનમાં જ સુખ અને શાંતિ આપે; અધર્મ પણ વર્તમાનમાં જ દુઃખ અને અશાંતિ
આપે છે ધર્મ કરે અત્યારે અને તેનું ફળ ભવિષ્યમાં આવે એવું ધર્મનું સ્વરૂપ નથી; અધર્મ કરે વર્તમાન–અને તેનું
ફળ ભવિષ્યમાં નરકમાં જાય ત્યારે આવે એમ નથી. ધર્મ–અધર્મનું ફળ વર્તમાન જ અનાકુળતા–શાંતિ કે
આકુળતા–અશાંતિરૂપ છે.
જ્યારે જીવ એમ કહે છે કે “મારે ધર્મ કરવો છે–સુખી થવું છે”. ત્યારે તે પોતાને પરથી જુદો પાડે છે કે હું
એ જાણનાર–દેખનાર સ્વભાવવાળો પદાર્થ છું. તેથી સિદ્ધ થાય છે કે તેનાથી વિરુદ્ધ સ્વભાવવાળા જડ પદાર્થ પણ
જગતમાં વિદ્યમાન છે. એટલે કે ચૈતન્ય ગુણથી વિપરીત ગુણવાળા અચેતન પદાર્થો જગતમાં છે. જેમ ‘આત્મા
જાણનાર છે’ –એમ જણાવાયોગ્ય છે, તેમ નહિ જાણનારાં એવાં શરીર, વાણી, કર્મ વગેરે અજીવતત્ત્વો છે, તે પણ
જણાવાયોગ્ય છે. એ રીતે જીવ અને અજીવ એમ બે તત્ત્વને જે ન સ્વીકારે તેને શરીરાદિ અજીવ પદાર્થોથી ભિન્ન
એવા આ આત્માનું ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, –આત્માને પરથી જુદો પાડવાની વાત રહેતી નથી.
હું શુદ્ધ, જ્ઞાયક માત્ર આત્મા છું. મારે મારી અવસ્થામાં વ્યક્ત પરમાનંદ પ્રગટ કરવો છે’ –આમ ધ્વનિ
ઊઠતાં જ નવ પદાર્થો સિદ્ધ થઈ જાય છે, તે અહીં બતાવવું છે.
(૭) જીવ – અજીવ અને તેના ગુણ પર્યાય
આત્માનો સ્વભાવ જાણવું, દેખવું, શાંતિ, સુખ વગેરે છે, તે જાણવા–દેખવાપણું પોતાના સ્વભાવમાં જ
રોકાણું હોય તો તેને શાંતિ–સુખ કે મુક્તિ પ્રગટ કરવાનાં રહે નહિ; પરંતુ અજ્ઞાનને લઈને અનાદિથી પોતાને
નહિ જાણતાં, જડમાં પોતાનું હોવાપણું માનીને શરીરાદિ પર પદાર્થના લક્ષમાં અટકે છે. આત્માનો ત્રિકાળી
દ્રવ્યસ્વભાવ, આત્માના ગુણો અને આત્માના પર્યાયોનું વાસ્તવિક સ્વરૂપ નહિ જાણતો હોવાથી, અજ્ઞાની આત્મા
જડ વસ્તુ, જડના ગુણો અને જડની દશાઓ–એમ જડના ત્રણ પ્રકારો છે–તેમાં પોતાનું હોવાપણું માને છે. “હું
જાણનાર દેખનાર આત્મા છું, જાણવાપણે જણાઉં તેટલો હું છું; શરીરાદિ જડ પદાર્થો, તેના ગુણો અને તેની
અવસ્થા મારાથી પર છે, હું તેમનાથી જુદો છું; હું તો કાયમ રહેનાર પદાર્થ છું. જ્ઞાન, દર્શન, સુખાદિ અનંત
ગુણોનો પિંડ છું, મેં મારી વર્તમાન દશામાં ‘જડમાં સુખ છે ઈન્દ્રિયોમાં સુખ છે’ એમ અજ્ઞાનને લીધે માન્યું હતું,
તે અજ્ઞાનદશા પલટી શકે છે, કે હું તે શરીરાદિ જડ પદાર્થ નથી, તથા રાગ–દ્વેષાદિ વિકારી ભાવ મારું સ્વરૂપ
નથી; તેમાં મારું સુખ નથી, મારું સુખ મારામાં છેં’ –એમ જો આત્મવસ્તુ, તેના ગુણો અને તેની

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૫ :
અવસ્થાને શરીરના દ્રવ્ય–ગુણ–અવસ્થાથી ભિન્ન સ્વતંત્ર કબૂલ કરે, તો આત્માનો ધર્મ સમજી શકે, નહિંતર
આત્માનો ધર્મ સમજી શકે નહિ. માટે ધર્મ સમજવાના જિજ્ઞાસુઓએ જીવ અજીવાદિ નવ પદાર્થનું સ્વરૂપ પ્રથમ
યથાર્થ સમજવું જ જોઈએ; તેમાં પ્રથમના જીવ અને અજીવ એવા બે પદાર્થ સિદ્ધ કરાય છે.
જેમ જાણનાર એવો જીવ પદાર્થ છે, તેમ જગતમાં નહિ જાણનાર એવા અજીવ પદાર્થો પણ છે. તેમાં તેના
ગુણો–શક્તિઓ પણ છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ વગેરે જડના ગુણો છે. અહીં, ચૈતન્ય સ્વભાવ તે આત્મા છે,
અને સ્પર્શાદિ સ્વભાવવાળા તે જડ છે. જડમાં અહીં પુદ્ગલની જ વાત કહેવી છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ–આદિ
બીજાં ચાર દ્રવ્યો છે, તેની વાત નથી.
વળી જેમ આત્મામાં ક્ષણે ક્ષણે જુદા જુદા ભાવ થાય છે–આત્મદ્રવ્યમાં અવસ્થાઓ બદલે છે તેમ ક્ષણે
ક્ષણે જડ પદાર્થ પણ બદલે છે. જો જડ પદાર્થ શરીર, વાણી, ધન, મકાન વગેરે બદલતા ન હોય તો આત્મામાં
થતા જુદા જુદા ભાવો ઠીક–અઠીકના ભાવોનું નિમિત્ત રહેતું નથી. ઠીક–અઠીકરૂપી વિકારી ભાવોમાં, જડનાં
દ્રવ્ય–ગુણો ત્રિકાળી હોવાથી નિમિત્ત ન થાય. વિકાર વર્તમાન હોવાથી જડનું વર્તમાન એટલે કે જડની વર્તમાન
પલટતી દશા ઠીક–અઠીકનું નિમિત્ત થાય. માટે આત્માની પેઠે જડ પણ બદલે છે એમ સ્વીકારવું જોઈએ. જડનું
પરિણમન સ્વીકારવામાં ન આવે તો જ્ઞાનનું જ્ઞેય તેમજ ભૂલનું નિમિત્ત પણ સિદ્ધ ન થાય; એમ થતાં ભૂલ પણ
સિદ્ધ ન થાય, અને જો ભૂલ જ સિદ્ધ ન થાય, તો પછી ટાળે કોને?
હું શુદ્ધ છું એમ નિર્ણય કર્યો ત્યાં, મારામાં અશુદ્ધ દશા હતી, તેના નિમિત્તો હતાં, ઠીક–અઠીક ભાવો હતા
અને તેનાં નિમિત્તો પણ હતાં; જેમ મારા ઠીક–અઠીક ભાવો બદલતાં તેમ સામે નિમિત્તો પણ બદલતાં. જો
નિમિત્તોમાં પલટો થતો ન હોય તો આ ઠીક છે, આ અઠીક છે, પૂર્વે નિરોગીપણાને લીધે આ સ્ત્રી ઠીક હતી,
વર્તમાન રોગીપણાને લીધે તે ઠીક નથી, એવી કલ્પના થાય નહિ. માટે સામા જડ પદાર્થો પણ બદલે છે. એ રીતે
જીવ અને અજીવ એમ બે જાતના દ્રવ્યો વસ્તુપણે અનાદિ–અનંત છે. અને તેમનામાં ક્ષણે ક્ષણે હાલતો બદલાય
છે, તેથી તે બંન્નેનું નિત્યપણું અને પરિણામીપણું બન્ને સિદ્ધ થાય છે.
હું જાણનાર–દેખનાર પદાર્થ છું. આનંદ મારો સ્વભાવ છે. મારે તેનો આનંદ લેવો છે. સંસારમાં અજ્ઞાની
જીવ પણ સ્ત્રીનો કે રોટલાનો સ્વાદ લેતો નથી, પરંતુ મને તેમાં સુખ છે એવી મિથ્યા માન્યતારૂપ આકુળતાનો
સ્વાદ લે છે. અજ્ઞાની જીવ પણ લાડવા, પેંડા વગેરે ખાતો નથી, માત્ર આકુળતાને ભોગવે ભોગવે છે. જેને
આત્માના આનંદને ભોગવવો હોય, –આત્માના આનંદનો અનુભવ કરવો હોય, તેને માટે પ્રથમ આત્માની સાચી
સમજણ કરવાની આ વાત છે.
દાળ, ભાત, વગેરે ઠીક–અઠીક પદાર્થો પર છે. તે જો પલટતાં ન હોય, –જડ પદાર્થમાં કાયમ રહીને
બદલવાની તાકાત ન હોય તો તે શુભ અશુભ વિકારમાં નિમિત્ત થઈ શકે નહીં. અને ઠીક–અઠીક આદિ અનેક
પ્રકારની વિકારી લાગણીઓમાં અનેક પ્રકારના જુદાં જુદાં જડ પદાર્થની અવસ્થારૂપ નિમિત્તો તો જોવામાં આવે
છે, માટે, કાળી–ધોળી, કડવી–મીઠી વગેરે જુદી જુદી અવસ્થારૂપે બદલવાનો જડનો સ્વભાવ છે, એમ
અજીવતત્ત્વને જાણવું.
મારે આત્માનું સુખ–શાંતિ જોઈએ છે, આકુળતા નથી જોઈતી, તેમાં જીવ, અજીવ તથા વિકારી અને
અવિકારી અવસ્થાઓ–એ બધાની સિદ્ધિ થાય છે, અને તેમાં નવે તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. તેમાંથી જીવ
અને અજીવ એમ બે પદાર્થો સિદ્ધ થયા.
હું જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું. સ્વભાવથી શુદ્ધ છું, મારું સુખ અંતર ચૈતન્ય સ્વભાવમાં છે. તેને વ્યક્ત
કરીને હું સુખી થવા માગું છું. એ રીતે આત્માને અને તેના ત્રિકાળી સ્વભાવને ન જાણે તો તે સુખ પ્રગટ કરી
શકે નહિ. વળી ત્રિકાળી સ્વભાવ શુદ્ધ હોવા છતાં, વર્તમાન અવસ્થામાં પરને પોતાનું માનીને મલિનતા કરે છે,
પરમાં સુખ માને છે. ત્યાં, પર શરીરાદિ અજીવ પદાર્થ કે જેના તરફ પોતે લક્ષ કરીને મલિનતા–અજ્ઞાન, રાગ
અને દ્વેષ કરે છે તે પણ સિદ્ધ થાય છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા દુઃખ અને તેના નિમિત્તો છે તેને જો ન
જાણે તો પણ દુઃખ ટાળીને સુખ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે નહિ.
(૮) ભમ
કેટલાક જીવોનો અભિપ્રાય છે કે “જગતમાં સર્વવ્યાપી એક બ્રહ્મ છે. અને આ જે બીજું દ્રશ્ય દેખાય છે તે
બધું ભ્રમ છે; વાસ્તવિક તે કોઈ પદાર્થ નથી; જેમ દોરડીમાં સર્પનો ભ્રમ થાય છે તેમ આ બધું ભ્રમ છે.” ખરેખર
તેમનો તે અભિપ્રાય જુઠ્ઠો છે,

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
કેમ કે દોરડીમાં સર્પનો ભ્રમ થાય છે, તો સર્પની અન્યત્ર હયાતી છે કે નહિં? જો સર્પની જગતમાં અન્યત્ર ક્યાંય
હયાતી જ ન હોય તો સર્વથા અસત્ પદાર્થની દોરડીમાં કલ્પના કેમ થાય? ન જ થાય. દોરડીને જ સર્પ માનવો
તે ભ્રમ છે, કેમકે દોરડીમાં સર્પનો અભાવ છે. પરંતુ સર્પમાં સર્પનો અભાવ નથી, જગતમાં તો સર્પની હયાતી છે.
એ પ્રમાણે આત્મામાં શરીરાદિ અજીવ પદાર્થોનો અભાવ છે, પરંતુ જગતમાં તેમનો અભાવ નથી. અજીવ
પદાર્થની પોતાની પોતામાં હયાતી તો છે જ, તેઓ સર્વથા ભ્રમ એટલે કે અસત્ નથી પણ તે અજીવને પોતાનું
માનવું તે ભ્રમ છે. જેમ જગતમાં ભિન્ન ભિન્ન અનેક આત્મા છે તેમ ભિન્ન ભિન્ન અજીવ પદાર્થો પણ છે.
જગતમાં દોરડી પણ છે, સર્પ પણ છે અને દોરડીમાં સર્પ માનવારૂપ ભ્રાંતિ પણ છે. એમ આ વિશ્વમાં
અનંત જીવ પદાર્થો છે; ભ્રાંતિમાં નિમિત્ત અજીવ પદાર્થો છે, અને ભ્રાંતિરૂપ જીવની વિકારી દશા પણ છે, એમ
જીવ, અજીવ અને જીવની ભૂલ એ ત્રણ સિદ્ધ થાય છે.
(૯) જીવ – અજીવન અક અન અક્ષર
જેમ અંક અને અક્ષરના જ્ઞાન વિનાનોમાણસ નામું લખી ન જાણે, તેમ આત્માના અંક અને અક્ષર
જાણ્યા વિના તેને ઓળખી ન શકાય. અહીં, ‘અંક’ એટલે આત્માનું ચિહ્ન–લક્ષણ અથવા એંધાણ છે. આત્માનું
ચિહ્ન લક્ષણ–એંધાણ શું? એનું જ્યાં સુધી જ્ઞાન ન કરે ત્યાંસુધી તેને ધર્મની શરૂઆત થાય નહિ. જ્ઞાન, દર્શન તે
આત્માનું એંધાણ છે. જાણવું દેખવું તે આત્માને જણાવનારું લક્ષણ છે.
‘અક્ષર’ જેનો નાશ ન થાય તે અક્ષર છે. જીવ અને જડ બંને અક્ષર અવિનાશી છે. જીવ અને જડનાં
ચિહ્ન તથા તેમનો અવિનાશી સ્વભાવ જાણ્યા વિના આત્મા અને પરને સમજી શકાય નહિ આત્માનું લક્ષણ તથા
જડનું લક્ષણ શું છે? તે જાણ્યા વિના આત્માને જડથી જુદો જાણી શકાય નહિ, અને જો આત્માને જડથી જુદો ન
જાણે તો તેને સમ્યગ્દર્શન એટલે કે ધર્મનું પ્રથમ પગથિયું પણ થાય નહિ.
જડ પદાર્થ કે જે શરીરાદિ અનેકરૂપે છે, તેનું લક્ષણ સ્પર્શ–રસ–ગંધ, વર્ણ વગેરે છે. તે એંધાણ વડે તે જડ
છે અચેતન છે એમ ઓળખી શકાય છે. અને ચૈતન્ય લક્ષણવડે જીવને ઓળખાય છે.
ભગવાન આચાર્યદેવ જગતના જીવોને સંબોધીને કહે છે કે: હે જીવો! અનંત કાળથી પોતાનો આત્મા
વાસ્તવિક શું ચીજ છે, અને તેના હોવાપણાનું શું સ્વરૂપ છે, તે તમે કદી જાણ્યું નથી; જો તે જાણ્યું હોય તો વિકાર
અને દુઃખ રહે નહિ. વિકાર અને દુઃખ તો વર્તમાન દશામાં છે. તો તેનું નિમિત્ત જડ પદાર્થ છે. સ્પર્શ, રસ વગેરે
તેનું લક્ષણ છે. સ્પર્શાદિ વડે જડને અને જ્ઞાનાદિ વડે આત્માને–એ રીતે બંન્નેને જુદા પાડીને ન જાણે તો ધર્મ થાય
નહિ. માટે ધર્મ કરવાના જિજ્ઞાસુ જીવે પ્રથમ જ આત્મા અને જડ પદાર્થને યથાર્થ રીતે જુદાં જુદાં સમજવાં.
સમજણ એટલે કે ધર્મ પરથી ન થાય, કારણ કે ભૂલનો કરનાર પણ પોતે છે અને ભૂલને ભાંગીને ધર્મનો
કરનાર પણ પોતે છે.
(૧૦) જીવમાં વિકાર અને તેનું નિમિત્ત
ભૂલ થાય આત્માની દશામાં. પરંતુ જો પર પદાર્થ નિમિત્ત ન હોય તો કોના લક્ષે ભૂલ થાય? પર લક્ષ
વિના એકલા સ્વભાવના લક્ષે ભૂલ થાય નહિ. જો એકલા પોતાથી જ ભૂલ થાય તો ભૂલ સ્વભાવ થઈ જાય,
પણ તેમ છે નહિ.
જેમ આત્મા કાયમી ટકતો પદાર્થ છે, તેમ ભૂલમાં નિમિત્ત અજીવ દ્રવ્ય કાયમી ટકતું છે. જેમ જીવ ભૂલ
બીજી ક્ષણે લંબાવ્યા કરે છે, તેમ તેનું નિમિત્ત પણ ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલીને ટકનારું છે. જો સામું
અજીવ દ્રવ્ય બદલાતું ન હોય તો આત્માને કાયમ ભૂલ થતી જ આવે; માટે અજીવ નિમિત્ત પણ એક અવસ્થારૂપે
ન રહેતાં કાયમ ટકીને બદલે છે. જીવ તેવું લક્ષ છોડીને સ્વભાવમાં વળે ત્યારે તેને અજીવનું નિમિત્ત રહેતું નથી,
એટલે કે સામું નિમિત્ત પણ કાયમ ટકીને બીજી દશારૂપે બદલી જાય છે. અને જીવ પણ કાયમ ટકીને બદલી જાય
છે. એ રીતે સામું અજીવ દ્રવ્ય પણ કાયમ ટકતો પદાર્થ સિદ્ધ થાય છે.
એ રીતે ન્યાયથી સમજવા માગે તેને બરાબર સમજાય કે આત્મા અને જડ એમ બે જાતના પદાર્થો છે,
તેમનાં ભિન્ન ભિન્ન લક્ષણો છે. બંનેમાં નિત્યતા છે. જીવમાં મોહ–રાગ–દ્વેષ વિકાર પલટે છે; અને વિકારનું
નિમિત્ત કર્મ–અજીવ પદાર્થ છે તે પણ પલટે છે. જો અજીવ પદાર્થ કાયમી ન હોય તો તેનું પલટન પણ હોય નહિ;
પલટન ન હોય તો તેને વિકારમાં નિમિત્તપણું પણ હોય નહિ; વિકારનું નિમિત્ત ન હોય તો વિકાર પણ હોય

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૭ :
નહિ. કારણ કે વિકાર કેવળ જીવ સ્વભાવથી થતો નથી, પણ પર–અજીવને લક્ષે થાય છે. માટે સામો અજીવ
પદાર્થ પણ કાયમી છે, અને તેની જુદી જુદી અવસ્થા દરેક સમયે થયા કરે છે.
આત્મા ત્રિકાળી હયાતી ધરાવનાર પદાર્થ છે. તેનું લક્ષણ જાણવાપણું–દેખવાપણું છે. જડથી જુદું તેનામાં
એંધાણ હોય તો તે જડથી જુદો પાડી શકાય; અને તે અવસ્થામાં પલટતો હોય તો પલટીને સુખી થાય અને દુઃખ
ટાળે. એ રીતે આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ ગુણો અને તેની સમયે સમયે પલટતી અવસ્થા, એ ત્રણેનો પિંડ તે
આત્મા છે. તે પ્રમાણે જડ દ્રવ્ય, તેના સ્પર્શાદિ ગુણો અને તેની પલટતી અવસ્થા એ ત્રણેનો પિંડ તે અજીવ–જડ
છે એ રીતે જીવ અને અજીવ બે તત્ત્વો સિદ્ધ થયાં.
(૧) પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય
વળી, જીવદ્રવ્યમાં સમયે સમયે અવસ્થા બદલાય છે. તે અવસ્થા મલિન અને નિર્મળ એમ બે પ્રકારની
હોય છે. અજ્ઞાન અને રાગદ્વેષાદિને લઈને મલિન હોય છે, અને અજ્ઞાન રાગદ્વેષાદિ ટળતાં નિર્મળ હોય છે. તે
પ્રમાણે જીવ દ્રવ્યમાં મલિન અને નિર્મળ દશાસ્વરૂપ બે પ્રકાર ન માનવામાં આવે તો તેને અજ્ઞાન–રાગદ્વેષ એટલે
કે દુઃખ ટાળવું અને જ્ઞાન–વીતરાગતા એટલે કે સુખ પ્રાપ્ત કરવું એવું કાંઈ રહેતું નથી. માટે જીવમાં મલિન–
દુઃખરૂપ અવસ્થા છે, અને તે દુઃખરૂપ અવસ્થા ટાળીને નિર્મળ–સુખરૂપ અવસ્થા તેને પ્રગટ કરવાની છે. જીવ,
તેની પુણ્ય–પાપ–આશ્રવ બંધરૂપ વિકારી અવસ્થા, વિકારનું નિમિત્ત અજીવ, વિકાર રહિત સાધક અવસ્થા–
નિર્મળ દશા–સંવર, નિર્જરા અને પૂર્ણ નિર્મળ દશા–મોક્ષ, એ નવતત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જેમ છે તેમ સમજીને,
નવ ભેદના વિકલ્પ રહિત પોતાના શુદ્ધ આત્માને યથાર્થ ઓળખવો તે સુખ પ્રગટ કરવાનો સાચો ઉપાય છે.
અને એ રીતે આત્માને ઓળખીને આત્મામાં વારંવાર સ્થિરતાનો અભ્યાસ કરીને સંપૂર્ણ રાગ–દ્વેષને ટાળવા તે
પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
જીવ વિકારદશામાં પર–અજીવનાં લક્ષે સુખદુઃખની કલ્પના કરે છે. તેથી તેને એક સમયની વિકારી
મલિન અવસ્થા છે. જો એક સમયની મલિન અવસ્થા જીવમાં માનવામાં ન આવે તો તે મલિન અવસ્થાનો નાશ
કરું અને નિર્મળ અવસ્થા પ્રગટ કરું એટલે કે શરીર વગેરે અજીવ પદાર્થોનું લક્ષ છોડીને ત્રિકાળી આત્મસ્વભાવ
તરફ વળું એવા ભાવની હયાતી રહેતી નથી.
(૧૨) પપતત્ત્વ
જીવ અને અજીવ, બે પદાર્થો સિદ્ધ થયા, જીવનું લક્ષ પર અજીવ તરફ હતું ત્યાં હિંસા, જુઠું, ચોરી મૈથુન
અને પરિગ્રહાદિના પાપ ભાવ ક્ષણિક થતા હતા. જો તે પાપ ભાવ ન સ્વીકારવામાં આવે તો તે હિંસાદિ પાપ
ભાવ ટાળી હું ધર્મ કરું, એવો ભાવ તેને ન થાય; પરંતુ જીવને હિંસાદિ પાપભાવ છોડવાનો ભાવ થાય છે માટે
પાપ તત્ત્વની હયાતી સિદ્ધ થાય છે.
હિંસા, જૂઠ વગેરે ભાવો જીવમાં થાય છે તે કાંઈક છે કે નહિ? તે પાપરૂપ ભાવ આત્માની વિકારી પર્યાય
છે. પાપ પરમાં થતું નથી, આત્માની ક્ષણિક દશામાં થાય છે. જો આત્માની ક્ષણિક દશમાં પાપ તત્ત્વની હયાતીની
કબૂલાત કરે તો ‘મારે પાપ કરવું નથી’ એવો ધ્વનિ નીકળે, પરંતુ જો વર્તમાન ક્ષણિક અવસ્થામાં પાપ તત્ત્વને
સ્વીકારવામાં ન આવે તો ‘મારે પાપ કરવું નથી’ એવો ધ્વનિ પણ હોય નહિ. માટે પાપતત્ત્વ છે.
સ્વભાવને ચૂકીને જીવને સ્ત્રી, પુત્ર, મકાનાદિ ઉપર લક્ષ જાય છે, તે સંબંધી રાગ–દ્વેષ થાય છે તે ભાવને
એટલે કે પાપને કબૂલે નહિ તો તેને ધર્મ કરવાનો પ્રસંગ રહેતો નથી.
() િ ત્ત્ િર્ ત્ત્
પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એ સાત તત્ત્વો ત્રિકાળી પદાર્થ નથી, પરંતુ ત્રિકાળી
જીવ પદાર્થની ક્ષણિક અવસ્થાઓ છે. તેમાં પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ મલિન ભાવો છે, સંવર–નિર્જરા અપૂર્ણ
નિર્મળ ભાવ છે; અને મોક્ષ પરિપૂર્ણ નિર્મળ ભાવ છે. મોક્ષ થયા પછી જીવ અનંત કાળ, સદાય પરિપૂર્ણ નિર્મળ
જ રહે છે. પછી તેને કદી જરા પણ મલિનતા થતી નથી. મલિન ચાર ભાવો કહ્યાં, તેને જો ન માનવામાં આવે
તો વિકારથી રહિત થઈને સ્વભાવને–પરિપૂર્ણ નિર્મળ દશાને પ્રગટ કરવાનું રહેતું નથી, કારણ કે એક સમયની
અવસ્થામાં મલિનતા માને તો સ્વભાવને ઓળખીને મલિનતાને ટાળવાનો ઉપાય કરે, પરંતુ મલિનતાને જ ન
માને તો શેનો ઉપાય કરે?
વળી, તે પાપ ભાવનું અસ્તિત્વ જીવની પોતાની દશામાં છે. પાપ શરીર–પુત્રાદિમાં રહેતું નથી; પોતાની
વર્તમાન દશામાં થાય છે. પોતાની

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
ક્ષણિક દશામાં પાપની હયાતી ન કબૂલે તો ‘આ વિકાર ક્ષણિક છે, મારો સ્વભાવ ત્રિકાળી ધુ્રવ છે, તેમાં આ
ક્ષણિક વિકાર નથી’ એવી કબૂલાત ન આવે, અને તે કબૂલાત વિના ‘ત્રિકાળી સ્વભાવ તરફ મારે ઢળવું’ એમ
તેને રહેતું નથી. માટે જીવની ક્ષણિક દશામાં પાપભાવ થાય છે, એ સિદ્ધ થાય છે.
જીવ અને અજીવ એ બે મૂળ પદાર્થો છે. પુણ્ય–પાપ વગેરે પદાર્થો અજીવનાં સદ્ભાવરૂપ નિમિત્તે કે
અભાવરૂપ નિમિત્તે થતી જીવની અવસ્થાઓ છે. તેમાં પાપરૂપ અવસ્થાને સિદ્ધ કરી.
() ણ્ત્ત્
જીવમાં દયા, દાન, પૂજા, ભક્તિ કે બીજા કોઈ નિમિત્તે કષાયની મંદતાના ભાવ થાય છે. તે ભાવ પુણ્ય
છે, આત્માની અવસ્થામાં થતો ક્ષણિક શુભ વિકાર છે. તે પર પદાર્થના લક્ષે થતો હોવાથી આત્માનું સ્વરૂપ નથી.
તે આત્માનું સ્વરૂપ નથી માટે જીવ પાપની જેમ પુણ્યનો પણ અભાવ કરીને એકલા આત્મસ્વભાવમાં રહેવા
માગે છે. જો આત્માની વર્તમાન દશામાં પુણ્યરૂપ વિકારી ભાવોને કબૂલ ન કરે તો તે પુણ્યથી રહિત આત્માના
શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરી શકે નહિ.
વળી, જીવને પુણ્ય થાય છે, તે પૈસાથી, કે બીજા જીવના બચવાથી થતું નથી; કારણ કે પૈસો જડ પદાર્થ
છે. તેનું આવવું જવું આને આધિન નથી, તેથી ખરેખર તે જડ એવા પૈસાને દઈ શકતો નથી. અને બીજો જીવ
તેના આયુષ્યના કારણે બચે છે. આ જીવ તેને બચાવી શકતો નથી. માટે પૈસાથી અને બીજા જીવના બચવાથી
આને પુણ્ય થતું નથી. પરંતુ પૈસા પ્રત્યેનો રાગ ઘટાડવાથી અને પોતાના અનુકંપાના ભાવથી તેને પુણ્ય થાય છે.
કેટલાક લોકો દયા દાનના ભાવને પાપ કહે છે. તે વાત સાચી નથી. જીવનો જે લોભ ઘટાડવાનો ભાવ અને
પ્રાણી પ્રત્યે અનુકંપાનો ભાવ થાય છે તે પુણ્ય ભાવ છે. તે ભાવ પાપ નથી તેમ ધર્મ પણ નથી; ધર્મ તો પુણ્ય
અને પાપથી રહિત તદ્ન જુદી જ ચીજ છે. તે તો આત્માનો અજ્ઞાન, રાગ–દ્વેષ રહિત સ્વભાવ છે. જેઓ પુણ્યને
પાપ માને છે તેઓને ધર્મ કે ધર્મનું ભાન હોઈ શકે નહિ. જેમ હિંસા, જૂઠ વગેરે જીવની અવસ્થામાં થતા ભાવો
પાપ છે તેમ તેની અવસ્થામાં થતા દયા–દાન–તૃષ્ણા ઘટાડવાના ભાવ તે પુણ્ય છે. દયા–દાનમાં પાપ માનનારા
દલીલ કરે છે કે “આપણે બીજા જીવને બચાવીએ પછી તે જીવ જેટલાં પાપ કરશે તેનું પાપ આપણને લાગશે;
ગરીબને પૈસા આપશું અને જો તે ખોટે રસ્તે વાપરશે તો તેનું પાપ આપણને લાગશે.” તેની તે વાત તદ્ન ખોટી
છે. પાપ–પુણ્ય પરથી લાગે છે કે પોતાના પરિણામથી થાય છે? પુણ્ય તો પોતાની તૃષ્ણા ઘટાડવાથી થાય છે;
બીજો જીવ શું કરશે પછીથી વધારે પાપ કરશે કે કેમ? તેની સાથે આને કાંઈ સંબંધ નથી.
લક્ષ્મી ઉપરથી રાગ ઘટાડવાની વૃત્તિ થાય તે આત્માની અવસ્થામાં થતો પુણ્ય ભાવ છે. પુણ્યને ન
સ્વીકારે તો નવ તત્ત્વ સિદ્ધ થતા નથી–અરે! કોઈ પણ એક તત્ત્વ ન સ્વીકારે તો કાંઈ પણ સિદ્ધ થતું નથી.
જેમ પાપ તત્ત્વને ન માને તો હું આ પાપભાવ ટાળીને ધર્મ કરું, મારું હિત કરું એમ રહેતું નથી, તેમ
આત્મામાં થતી શુભ લાગણી, દયાદિના શુભભાવ કે જે પુણ્યતત્ત્વ છે તેને જેમ છે તેમ સ્વીકારે નહિ અને તેને જ
પાપ કહે તો તેણે નવતત્ત્વને જાણ્યા નથી. વળી પુણ્ય–પાપ બેય ભાવો મલિન છે, તે આત્માનો સ્વભાવ નથી, તે
ધર્મ કે ધર્મનું સાધન નથી એમ સ્વીકાર ન કરે તો હું આ પુણ્ય–પાપરૂપ મલિનભાવોને ટાળી સ્વભાવનાં શ્રદ્ધા–
જ્ઞાન કરી શુદ્ધતા પ્રગટ કરું તેમ પણ રહેતું નથી.
પાંજરાપોળમાં જીવોને બચાવવાના ભાવને કેટલાક પાપ કહે છે, તેઓ પાપતત્ત્વ અને પુણ્યતત્ત્વનાં જુદા
સ્વરૂપને સમજતા નથી. પુણ્યને પાપ માને કે પાપને પુણ્ય માને અથવા બેય મલિન છે તેને મલિન ન માને,
પુણ્યને ધર્મ અથવા ધર્મનું કારણ માને તો તે વાત પણ સાચી નથી; તેણે પુણ્ય, પાપ અને ધર્મના સ્વરૂપને જુદાં
જાણ્યાં નથી.
જેમ આત્મા ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ શુભાશુભ વિકારરહિત શુદ્ધ છે તેમ પર્યાયથી પણ આત્મા
વર્તમાન સંસારાવસ્થામાં શુદ્ધ છે–એમ માને તો તેને મલિનતા ટાળીને શુદ્ધ થવાનો અવસર રહેતો નથી. આત્મા
વર્તમાન પર્યાયમાં મલિન છે; તેની પર્યાયમાં પુણ્ય–પાપરૂપ મલિનતા થાય છે. તેને ન માને તો ‘તે મલિનતા
રહિત જ્ઞાતા–દ્રષ્ટા મારો સ્વભાવ છે, તેનો આશ્રય લઈને હું ધર્મ કરું,’ એમ તેને રહેતું નથી. પુણ્ય અને પાપ
બેયને મલિન કહ્યા છે. બેયને મલિનતારૂપે ન સ્વીકારે તો ‘તે બંને ક્ષણિક ભાવોનો અભાવ કરીને ત્રિકાળી શુદ્ધ
સ્વભાવ તરફ વળવાનું રહેતું નથી. પુણ્ય અને પાપને–બંનેને જુદાં ન જાણે તો નવ તત્ત્વો રહેતાં નથી,

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૯૯ :
માટે પુણ્ય અને પાપ બંને જુદાં તત્ત્વો છે. એ રીતે પાપની જેમ પુણ્ય પણ તત્ત્વ છે એમ સાબિત કર્યું.
(૧૫) અસ્રવ
પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એ ચાર મલિન તત્ત્વોમાં પુણ્ય અને પાપ એ બે તત્ત્વોની વાત થઈ. હવે
પુણ્ય–પાપ બંનેને મલિનતાની અપેક્ષાએ એક કરીને તેમને આસ્રવ કહે છે. પુણ્ય–પાપ બંને વિકાર તરીકે એકરૂપ
છે, તે આસ્રવ તત્ત્વ છે. પુણ્ય–પાપ બંને મૂળ ચૈતન્ય સ્વભાવમાં નથી, જીવે અવસ્થામાં નવાં કૃત્રિમ ઊભાં કર્યાં
છે. માટે બેયનું એક રૂપ આપીને તેને આસ્રવ તત્ત્વ કહ્યું છે. એ રીતે પુણ્ય–પાપ આત્માનો સ્વભાવ નહિ
હોવાથી, અને ક્ષણિક પરલક્ષે નવાં થતાં હોવાથી–નવાં આવતાં હોવાથી એટલે કે કૃત્રિમ ઊભા થતાં હોવાથી
બેયને એક નામ આપીને આસ્રવ કહ્યાં છે. એ પ્રમાણે આશ્રવ તત્ત્વ સિદ્ધ થયું.
(૧૬) બધતત્ત્વ
જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવી આત્માની વર્તમાન અવસ્થામાં જે શુભ–અશુભ ભાવો કે મોહ–રાગ–દ્વેષરૂપ
ભાવોનું થવું, ક્ષણિક કૃત્રિમ વિકારોનું પરલક્ષે ઊભુ થવું તે આશ્રવ તત્ત્વ છે; અને તે મોહ–રાગ–દ્વેષાદિ શુભાશુભ
ભાવોમાં જીવનું અટકવું તે બંધ છે. મલિનતાનું થવું તે આશ્રવ અને મલિનતામાં અટકવું તે બંધ. મલિનતામાં
અટકીને વિકારને લંબાવવો તે બંધ છે. એ રીતે આત્માના પર્યાયમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, એ મલિન
ભાવોનો સ્વીકાર ન થાય તો તેનાથી છૂટવારૂપ ધર્મ કરવાનો અવકાશ રહેતો નથી. ભગવાન ત્રિલોકનાથ
સર્વજ્ઞદેવે જે પ્રમાણે જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેમ ન સમજે તો તેને અજ્ઞાન ટાળીને ધર્મ કરવાનો
અવસર રહેતો નથી.
“મારે ધર્મ કરવો છે” એવી જિજ્ઞાસા આ જીવને ઉત્પન્ન થાય છે. આ જિજ્ઞાસામાં નવે તત્ત્વો સિદ્ધ થાય
છે. “મારે ધર્મ કરવો છે” એ ધ્વનિમાં “મારે” કહેતાં હું એક જીવ તત્ત્વ છું; એમ પ્રથમ જીવ સિદ્ધ થાય છે. હું
મારી વર્તમાન અવસ્થામાં અટકું છું, તે અટકવામાં બીજું મારાથી વિજાતીય તત્ત્વ નિમિત્ત છે, કારણ કે એકલો
આત્મસ્વભાવ અટકવાનું કારણ હોય નહિ, પરંતુ આત્મસ્વભાવથી વિપરીત સ્વભાવવાળા પરદ્રવ્યને લક્ષે જીવ
અટકે છે. માટે એક બીજું નિમિત્ત છે તે અજીવ તત્ત્વ છે. જીવ પોતે પોતાની ભૂલથી પરલક્ષે વિકારરૂપ પરિણમે
છે. તે વિકાર પુણ્ય અને પાપ એમ બે પ્રકારનો છે. પુણ્ય–પાપ બેય વિકાર હોવાથી મલિનતાની અપેક્ષાએ બંન્ને
થઈને આસ્રવ છે. તે મલિનદશામાં અટકવું તે બંધ દશા છે એ રીતે ચાર મલિન તત્ત્વો જીવની ક્ષણિક હાલતમાં
છે. આ ચાર મલિન દશાને જેમ છે તેમ સ્વીકારે નહિ તો ‘મારે મલિનતા ટાળી ધર્મ કરવો છે,” એવી જિજ્ઞાસા
ઊઠી શકે નહિ, અને ‘પુણ્ય–પાપ આદિથી છૂટીને સ્વભાવમાં જવું, બંધમાં નહિ અટકતાં સ્વભાવમાં જવું’ એમ
રહેતું નથી, માટે જીવની અવસ્થામાં ચાર મલિન તત્ત્વો સિદ્ધ થાય છે.
(૧૭) સવરતત્ત્વ
વળી, એ રીતે જ્યાં ચાર મલિન ભાવોનો સ્વીકાર થયો, ત્યાં ‘તે મલિનભાવો હું નહિ, હું તો ચૈતન્ય–
નિર્મળ જ્ઞાનતત્ત્વ છું,’ એવાં શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ્યાં તે સંવર તત્ત્વ છે. તે નિર્મળ દશા છે. હું પુણ્ય, પાપ, આસ્રવ
અને બંધ નથી, હું તો નિર્મળ જ્ઞાન સ્વભાવી ધુ્રવ તત્ત્વ છું, એવી શ્રદ્ધા થતાં અવસ્થામાં વિકારને અટકાવ્યા તે
સંવર છે. વિકારનું અંશે અટકવું અને સ્વભાવના આશ્રયે અંશે નિર્મળ થવું તે સંવર છે.
ચૈતત્ય તે જીવ, અને જીવને વિકારનું નિમિત્ત તે અજીવ; જડને લક્ષે થતી ક્ષણિક વિકારી દશાઓ,
સ્વભાવના લક્ષે તે ક્ષણિક વિકાર અંશે ટળતાં પ્રગટ થતી અંશે નિર્મળ પર્યાય અને સંપૂર્ણ વિકારનો નાશ થતાં
પ્રગટ થતી સંપૂર્ણ નિર્મળ પર્યાય–એ બધાનું યથાર્થ શ્રદ્ધાજ્ઞાન ત્રિકાળી ચૈતન્ય સ્વભાવના આશ્રયે થાય છે; તે
સંવર છે. તેને કબૂલે નહિ તો તે જીવને સમ્યગ્દર્શનરૂપી ધર્મ થતો નથી. હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું, ક્ષણિક
અવસ્થામાં વિકાર હોવા છતાં તે વિકાર મારા ત્રિકાળી સ્વભાવમાં નથી. પુણ્યાદિ ચાર મલિનતત્ત્વો છે તે દુઃખ
છે, તેથી રહિત મારો ત્રિકાળી સ્વભાવ સુખરૂપ છે, સુખ મારા સ્વભાવમાંથી આવે છે, એમ જાણતાં જે નિર્મળ
દશા પ્રગટે છે તે સંવર છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ વળવાની દશા, શુદ્ધતાનો અંશ અને વિકારને ટાળવાનો
ઉપાય એવો સંવર ન માને તો તેને “ધર્મ કરવો છે,” એમ રહેતું નથી. ધર્મદશા શરૂ થયા પછી અંશે વિકાર અને
અંશે શુદ્ધતા બેય અધૂરી દશામાં સાથે હોય છે. જેને ધર્મ કરવો છે તેને આ નવ તત્ત્વની યથાર્થ પ્રતીતિ વિના
બને નહિ એટલે કે થઈ શકે નહિ.
વળી નવતત્ત્વનું બરાબર જ્ઞાન કરીને પોતાના ત્રિકાળી ધુ્રવ શુદ્ધ આત્માની

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૨૦૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
દ્રષ્ટિ કરે તો સમ્યગ્દર્શન ધર્મ થાય; કેવળ નવ તત્ત્વના ભેદના રાગમાં રોકાય તો ધર્મ થાય નહિ. નવ તત્ત્વના
ભેદનો રાગ પણ વિકાર છે. શું વિકારના લક્ષે નિર્મળતા આવે? ન જ આવે.
() િર્ત્ત્
પુણ્ય–પાપની રુચિ, વિકારની રુચિ અને તેમાં અટકવાની એટલે કે બંધની રુચિ ન છોડે તો પ્રથમ
સમ્યગ્દર્શન ધર્મ થતો નથી. વિકાર થવાની અને વિકારમાં અટકવાની રુચિ છોડવી અને વિકારરહિત
ધુ્રવસ્વભાવની રુચિ કરવી તે સમ્યગ્દર્શન ધર્મ છે; પછી જે કંઈ અશુદ્ધતા રહી તેનો અંશે અંશે નાશ કરવો અને
શુદ્ધતાની અંશે અંશે વૃદ્ધિ કરવી, તેને નિર્જરા કહે છે.
() ક્ષ ત્ત્
ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે તેમાંથી પર્યાયમાં શુદ્ધતા થઈ છે; જો સ્વભાવ શુદ્ધ ન હોય તો તેને શુદ્ધતા
કરવાનું રહેતું નથી. માટે ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે. શુદ્ધિનું બહારમાં કોઈ સાધન નથી. કોઈ નિમિત્તો, કે બહારના
સંયોગો શુદ્ધિનું સાધન નથી, પરંતુ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જ શુદ્ધિ એટલે કે ધર્મનું નિશ્ચય સાધન છે.
લોકો વાતો કરે છે કે દુશ્મનને અટકાવવો જોઈએ કે જેથી આપણને નુકસાન ન કરે; પરંતુ ખરેખર તો
આત્માનો દુશ્મન બહારમાં કોઈ નથી. પોતાની વિકારી દશા જ પોતાનો દુશ્મન છે, માટે તેને અટકાવવી જોઈએ.
સ્વભાવના આશ્રયે શુદ્ધતા વધતાં વધતાં સંપૂર્ણ વિકાર ટળી ગયો અને પૂર્ણ નિર્મળ દશા પ્રગટી ગઈ, તે મોક્ષ છે.
એ રીતે વિકારી અને અવિકારી એવા પર્યાયના ભેદો, તથા પર્યાયમાં થતા નિર્મળતાના ભેદો ન સ્વીકારે
તેને શુદ્ધિની વૃદ્ધિના પ્રકારો સિદ્ધ થતા નથી.
() ત્ત્ ર્ શ્રદ્ધ
જો આ નવ તત્ત્વો ન માનવામાં આવે તો કોઈ વાત સિદ્ધ થતી નથી. (૧) જીવ ન હોય તો દુઃખ ટાળવું
કોને? (૨) અજીવ ન હોય તો દુઃખ કોના લક્ષે થયું? (૩–૪) પુણ્ય–પાપરૂપ ભૂલ, (પ) ભૂલનું થવું; (૬)
અને ભૂલનું અટકી જવું–એ રીતે ભૂલ એટલે કે દુઃખ ન હોય તો કરવાનું શું રહ્યું? ભૂલને ટાળીને નિર્મળતાને ન
માને તો મોક્ષના કારણરૂપ (૭) વિકારનું અટકવું–નિર્વિકારનું પ્રગટ થવું, (૮) વિકારનું અંશે ટળવું અને
શુદ્ધિમાં વિશેષ ટકવું તથા (૯) વિકારને સર્વથા ટાળીને, સંપૂર્ણ શુદ્ધતા–મોક્ષ પ્રગટ કરવો, એ કાંઈ રહેતું નથી.
જ્યારે આ જીવે નવતત્ત્વને યથાર્થપણે જાણ્યાં ત્યારથી તેને ત્રિકાળી ચૈતન્યનો યથાર્થ સ્વીકાર થયો;
પ્રથમ જે એકલા વિકારમાં અટકતો, વર્તમાન દશા જેટલો જ આત્માને માનતો, કેવળ પુણ્ય–પાપ આદિ વિકારને
જ પોતાપણે સ્વીકાર કરતો, તે હવે ત્રિકાળી સ્વભાવનું ભાન થતાં પલટયો કે ‘આ પુણ્ય–પાપ જેટલો હું ક્ષણિક
નથી; તે ક્ષણિક વિકારી શુભાશુભભાવ રહિત હું ત્રિકાળી શુદ્ધ જીવ પદાર્થ છું.’ આવા સ્વભાવનો જે ભાવે
સ્વીકાર કર્યો તે ભાવને સમ્યગ્દર્શન કહે છે. આ સમ્યગ્દર્શન એટલે કે આત્માના સાચા ભાન વિના ધર્મમાં એક
પગલું પણ આગળ ચાલે નહિ; આવી આત્માની સાચી શ્રદ્ધા વિના પુણ્ય–પાપ આદિ વિકારને ટાળવાને તથા
શુદ્ધતા પ્રગટ કરવાને કાંઈ પણ પગલું ભરી શકાય નહિ.
મોહ–રાગ–દ્વેષાદિ રહિત નિર્મળ આત્મસ્વભાવ છે તેનો જે શ્રદ્ધાએ સ્વીકાર કર્યો તે શ્રદ્ધાના બળથી
વિકાર ઘટવા માંડયો. સ્વભાવની દ્રષ્ટિ વડે શુભા શુભ વિકાર ટળતાં ટળતાં આત્માની અવસ્થામાં જે સર્વથા
નિર્મળતા થઈ, પરિપૂર્ણ અવિકારી દશા થઈ, પરિપૂર્ણ પરમાનંદ દશા પ્રગટ થઈ તેને મોક્ષ દશા કહે છે.
જીવ અને અજીવ બે પદાર્થ, તેના સંયોગે થતી પુણ્ય–પાપ આસ્રવ બંધ–એ ચાર વિકારી દશા, અને તે
બેના વિયોગથી થતી સંવર–નિર્જરા–મોક્ષ–એ ત્રણ નિર્મળ દશા; એ પ્રમાણે નવ તત્ત્વના સ્વીકાર વિના ધર્મ કરી
શકાય નહિ. પુણ્ય–પાપ આદિ મલિનતા જો બિલકુલ ન જ હોય તો ધર્મ કોને કરવો? અને જો પુણ્ય પાપ આદિ
વિકારભાવો જીવનો કાયમી સ્વભાવ હોય તો તેને ટાળવા કેમ? પરંતુ જીવને પુણ્ય પાપ આદિ વિકાર ભાવને
ટાળી નિર્મળ દશા પ્રગટ કરવાની છે. જીવનો નિર્મળ પર્યાય નવો પ્રગટ કરવાનો છે; જીવને કાંઈ નવો કરવો
નથી. જીવ તો ત્રિકાળી ધુ્રવ શુદ્ધ સ્વભાવી પદાર્થ છે, પરંતુ વર્તમાન દશામાં તેવી શુદ્ધતા પ્રગટ કરવાની છે. જેને
ધુ્રવ સ્વભાવનો અનુભવ કરવો હોય તેણે પ્રથમ આ નવ તત્ત્વને બરાબર જેમ છે તેમ સમજવા જોઈએ.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૦૧ :
અજ્ઞાની પરમાં સુખ માનીને નિ:શંક થાય છે, જ્ઞાની સ્વભાવમાં નિ:શંક થાય છે.
ખોરાક–સ્ત્રી લક્ષ્મી વગેરે વિષયોમાં સુખ કદી જોયું નથી, અને ત્યાં સુખ છે પણ નહિ. છતાં, આત્મામાં
સુખ છે તેને ભૂલીને અજ્ઞાનીઓએ પર વિષયમાં સુખ માની રાખ્યું છે. પૈસા, મકાન, ખોરાક શરીર વગેરે તો
પરમાણુના બનેલા છે–અચેતન છે, શું તે અચેતન પરમાણુમાં સુખ છે? –તેમાં ક્યાંય સુખ નથી, ને તે સુખનાં
કારણ પણ નથી. છતાં ઊંધી રુચિને લીધે ત્યાં નિઃશંકપણે સુખ કલ્પી રાખ્યું છે. જ્યાં સુખ નથી ત્યાં માન્યું છે
માટે તે માન્યતા મિથ્યા છે. જો ઊંધી રુચિ ફેરવીને આત્માની રુચિ કરે તો આત્માના સ્વભાવમાં સુખ છે તેનો
પ્રત્યક્ષ અનુભવ થાય. જો લાડવામાં સુખ હોય તો તેનો અર્થ એમ થયો કે જ્યારે લાડવા ખાય ત્યારે આત્મામાં
સુખ આવે, અને પછી જ્યારે તેની વિષ્ટા થઈને બહાર નીકળી જાય ત્યારે આત્મામાંથી સુખ નીકળી જાય!
લાડવામાં સુખ નથી, લાડવામાં સુખ ભાસે છે તે તો માત્ર અજ્ઞાનીની મિથ્યા કલ્પના છે. તે કલ્પના તો પોતામાં
પોતે ઊભી કરી છે. સુખની કલ્પના ક્યાં થાય છે તે પણ કદી વિચાર્યું નથી. આત્મા સિવાય બીજા કોઈ પણ
પદાર્થોમાં સુખ કદી જોયું નથી અને છે જ નહિ, છતાં ત્યાં સુખની કલ્પના ઊભી કરીને નિઃશંકપણે સુખ માની
લીધું છે, અસત્ કલ્પના ઊભી કરી છે. પરમાં સુખ ન હોવા છતાં અને જોયું ન હોવા છતાં ફક્ત રુચિના
વિશ્વાસથી માની લીધું છે. માટે ‘જુએ તો જ માને છે’ –એમ નથી પણ જ્યાં રુચે છે ત્યાં નિઃશંક થઈ જાય છે.
ઊંધી રુચિનું જોર છે તેથી, ‘પરમાં સુખ નથી’ એમ લાખો જ્ઞાનીઓ કહે તો ય તે પોતાની માન્યતા ફેરવતો
નથી. તો, પોતાના આત્મસ્વભાવમાં તો સુખ પરિપૂર્ણ છે, તેને જાણીને માનવું તે તો સત્ પદાર્થની રુચિ છે; જો
સ્વભાવની પ્રતીતિ અને રુચિ કરે તો સ્વભાવનું સુખ તો જણાય અને અનુભવમાં આવે તેવું છે. પરમાં સુખ
માન્યું તે તો અસત્ પ્રતીતિ હતી, તેથી દુઃખ હતું. પરમાં સુખ છે જ નહિ તો તેની પ્રતીતિ કરવાથી સુખ ક્યાંથી
પ્રગટે? પોતાના સ્વભાવમાં સુખ છે તેને માનવું તે સત્ પ્રતીતિ છે, અને એવી પ્રતીતિ કરે તો સ્વભાવમાંથી
સુખ પ્રગટે છે. જ્ઞાનમાં જે જણાય તેને જ માને એવો જીવની શ્રદ્ધાનો સ્વભાવ નથી પણ પોતાને જે રુચે છે તેને
તે માને છે, ને ત્યાં તે નિઃશંક થાય છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવનું સુખ તો જ્ઞાનમાં અનુભવાય તેવું
છે. આત્માનું સુખ પરમાં છે–એવી ઊંધી શ્રદ્ધા તે જ મહાપાપ છે. આત્માનો શ્રદ્ધા ગુણ એવો છે કે જ્યાં રુચિ
થાય ત્યાં તે નિઃશંક થઈ જાય છે. પોતાના સ્વભાવમાં નિઃશંક થાય તો ધર્મ થાય છે. અને પરમાં સુખ માનીને
ત્યાં નિઃશંક થાય તો અધર્મ થાય છે. પરને જાણતાં આત્માનું જ્ઞાન પરમાં રોકાઈને ત્યાં સુખ માની લીધું છે. પણ
તે માન્યતામાં, તે જ્ઞાનમાં, કે પર વસ્તુમાં સુખ પોતે કદી જોયું નથી; અને તે કોઈમાં સુખ નથી એમ અનંત
તીર્થંકરોએ કહ્યું છતાં પોતે તે માન્યતા મૂકતો નથી. જુઓ, અનંત તીર્થંકરો કહે તો ય પોતાને જે વાત રુચિ તે
છોડે નહિ એવી દ્રઢતાવાળો છે. તેમ સ્વભાવની રુચિથી સ્વભાવમાં સુખની જેને શ્રદ્ધા થઈ તે જીવ એવો દ્રઢ હોય
છે કે ઈન્દ્રો તેને શ્રદ્ધાથી ડગાવવા આવે તોય ન ડગે, આખું જગત ન માને અને પ્રતિકૂળ થઈ જાય તો ય તેને
સ્વભાવની શ્રદ્ધા ન ફરે; આખો આત્મા કેવળજ્ઞાનમાં જેવો પ્રત્યક્ષ જણાય તેવો તે જીવને ભલે પ્રત્યક્ષ ન જણાય.
પરંતુ કેવળીએ જેવો જોયો તેવા જ પરિપૂર્ણ આત્મસ્વભાવની દ્રઢ પ્રતીતિ તેને હોય છે. જેવો આત્મા કેવળીની
શ્રદ્ધામાં છે તેવો જ આત્મા તે સાધક ધર્માત્માની શ્રદ્ધામાં છે; તે શ્રદ્ધામાં તે નિઃશંક છે. કોઈની દરકાર કરતો
નથી. આવી પ્રતીતિ કરવી તે જ ધર્મનો ઉપાય છે અફીણ ખાવામાં કે અગ્નિમાં બળવામાં વગેરેમાં સુખ કલ્પે છે.
શું અફીણમાં કે અગ્નિમાં સુખ છે? ત્યાં સુખ નથી, માત્ર અજ્ઞાનથી કલ્પ્યું છે. અજ્ઞાનથી પરમાં સુખ કલ્પવામાં
પણ પરનો આશ્રય કરતો નથી. અદ્ધરથી કલ્પના ઊભી કરીને ન હોય ત્યાં પણ માની લે છે. તો પોતાના
સ્વભાવમાં સુખ છે, તેને કોઈ પરનો આશ્રય નથી, અને તે સ્વભાવની શ્રદ્ધા પણ પરના આશ્રય વગરની છે.
–ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARM Regd. No. B. 4787
જ્ઞાનસ્વભાવની આરાધનાનું ફળ મોક્ષ
વિરાધનાનું ફળ નિગોદ
અજ્ઞાની જીવો પૈસા ખરચવાથી પુણ્ય અને ધર્મ મનાવે છે, અને તેના
ફળમાં સ્વર્ગ–મોક્ષ મળશે એમ કહે છે; પણ જ્ઞાનીઓ તો કહે છે કે–પૈસા
ખરચવાના કારણે તો પુણ્ય–પાપ કે ધર્મ કાંઈ થાય નહિ, કેમકે તે તો જડ છે,
આત્મા તેનો કર્તા નથી. પરંતુ હું પરનો કર્તા ને મેં પૈસા ખરચ્યા એમ
માનીને, તેમ જ પુણ્યથી ધર્મ માનીને મિથ્યાત્વની પુષ્ટિ કરીને તે મહાપાપી
જીવ નિગોદમાં જશે. જુઓ; અજ્ઞાનીઓ પૈસા ખરચવાથી મોક્ષ મનાવી રહ્યા
છે! જ્ઞાનીઓ કહે છે કે, પૈસાની ક્રિયાનો હું કર્તા એમ માનનારો જીવ
મિથ્યાત્વને લીધે નિગોદ જશે. જ્ઞાની અને અજ્ઞાનીની માન્યતામાં આવો
વિરોધ છે. આ માન્યતા સાથે ધર્મ–અધર્મનો સંબંધ છે.
પુણ્યથી કે જડની ક્રિયાથી આત્માનો ધર્મ માનશે તે જીવ મિથ્યાત્વને
લીધે નિગોદમાં જશે એમ કહ્યું તે વાત કાંઈ બીવરાવવા માટે કરી નથી પણ
યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે; જેણે આત્માના જ્ઞાનને સ્વભાવથી છોડાવીને
સંયોગો સાથે જોડયું છે તેના જ્ઞાનનું પરિણમન અનંતુ હીણું થઈ જશે, તેનું જ
નામ નિગોદ દશા છે; તેની જ્ઞાનશક્તિ અત્યંત હણાઈ ગઈ હોવાથી બાહ્ય
નિમિત્તરૂપે પણ માત્ર એક સ્પર્શેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયો હોતી નથી.
“હું જ્ઞાતા સાક્ષીસ્વરૂપી નથી પણ પરનો અને વિકારનો કરનાર છું”
એમ જેણે પરનું કર્તાપણું માન્યું અને જાણવાનો સ્વભાવ ન માન્યો તે જીવની
મિથ્યા માન્યતામાં એમ આવી જાય છે કે મારો જાણવાનો સ્વભાવ ઢંકાઈ
જાઓ અને મારામાં વિકારનો તેમ જ પરનું કરવાના ભાવનો વિકાસ થાઓ.
એ મિથ્યા માન્યતાને લીધે તે જીવનું જ્ઞાન છેલ્લામાં છેલ્લી હદે ઢંકાઈ જશે ને
તે એકેન્દ્રિય થશે, પોતાના જ્ઞાન સ્વભાવની વિરાધનાનું ફળ એ જ છે. અને
જેણે પોતાના જ્ઞાતા સાક્ષીસ્વરૂપને સ્વીકારીને, વિકારની અને પરના
કર્તૃત્વની મિથ્યાબુદ્ધિને ઉડાડી દીધી છે તે જીવ સમયે સમયે પોતાના
જ્ઞાતાપણાને વધારતો વધારતો અને રાગાદિ ભાવોને દૂર કરતો થકો
અલ્પકાળે કેવળજ્ઞાન પામે છે ને સાક્ષાત્પણે સંપૂર્ણ જ્ઞાતા થઈ જાય છે. –
પોતાના જ્ઞાનસ્વભાવની આરાધનાનું આ ફળ છે.
–ભેદવિજ્ઞાનસાર
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા સૌરાષ્ટ્ર તા ૨૨–૮–૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: સૌરાષ્ટ્ર