Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
મહા સંપાદક વર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૦૦૬ વકીલ અંક ચોથો
ભેદવિજ્ઞાનો મહિમા
એક માત્ર ભેદવિજ્ઞાન સિવાય જીવ અનંતકાળમાં બધું કરી ચૂક્યો
છે, પણ ભેદવિજ્ઞાન કરી એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. એક સેંકડ
માત્રનું ભેદવિજ્ઞાન અનંત જન્મ મરણનો નાશ કરનાર છે. જેમ ડુંગર
ઉપર વીજળી પડે અને તેના સેકંડો કટકા થઈ જાય, તે ફરીથી રેણ દીધે
સંધાય નહિ, તેમ એકવાર પણ જીવ જો ભેદવિજ્ઞાન પ્રગટ કરે તો તેની
મુક્તિ થાય અને તેને ફરીથી અવતાર રહે નહિ. માટે તે ભેદવિજ્ઞાન
નિરંતર ભાવવા યોગ્ય છે.
ભેદવિજ્ઞાન પ્રગટ કરવાની તૈયારીવાળા જીવને દેશનાલબ્ધિ
અવશ્ય હોય છે. સત્સમાગમ વગર માત્ર શાસ્ત્રના અભ્યાસથી એ
દેશનાલબ્ધિ થઈ શકતી નથી. કોઈ આત્માનુભવી પુરુષ પાસેથી
ધર્મદેશનાનું સીધું શ્રવણ કર્યા વગર કોઈ પણ જીવ શાસ્ત્ર વાંચીને
ભેદવિજ્ઞાન પ્રગટ કરી શકે નહિ; માટે જે આત્માર્થીને અતિ મહિમાવંત
ભેદવિજ્ઞાન પ્રગટ કરીને આ સંસાર–દુઃખોથી પરિમુક્ત થવું હોય તેણે
સત્સમાગમે ઉપદેશનું શ્રવણ કરીને તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ.
ભેદવિજ્ઞાન તે જ આ જગતમાં સારભૂત છે. ભેદવિજ્ઞાન વગરનું જે કાંઈ
છે તે બધું અસાર છે. માટે આત્માર્થિ જીવોએ પળે પળે એ ભેદવિજ્ઞાનની
ભાવના કરવા યોગ્ય છે.
–ભેદવિજ્ઞાનસાર.
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટા આંકડિયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
જી ત્ત્ર્
[કુવાડવા ગામાં ફાગણ વદ ૧૩ ના રોજ પૂ. ગુરુદેવશ્રીએ કરેલ ભરતેશવૈભવના વાંચનમાંથી]
શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત ચક્રવર્તી એક વાર ઉપવાસ કરીને બેઠા છે અને રાણીઓ સાથે
તત્ત્વચર્ચા કરે છે. ત્યાં રાણી પૂછે છે કે સંસારમાં દુઃખ છે ને અવિનાશી સિદ્ધપદમાં સુખ છે, તે સુખનો ઉપાય શું
છે? આ પ્રશ્ન પૂછવામાં રાણીઓને એટલું ભાન છે કે આત્મા સિવાય શરીરાદિમાં ક્યાંય સુખ નથી. અને એવું
અવિનાશી સુખ મેળવવાની રુચિ થઈ છે. તેથી પ્રેમથી પ્રશ્ન કરે છે. અહીં પતિ–પત્ની તરીકેનો પ્રેમ નથી. પણ
ધર્માત્મા તરીકેનો પ્રેમ છે.
ભરતજી જવાબ આપે છે કે આત્મામાંથી આવરણોનો નાશ કરવાથી તે સુખ પ્રગટ થાય છે. આત્મામાં
રાગ–દ્વેષ–મોહરૂપ જે ભાવ આવરણ છે, તેનો નાશ કરતાં સિદ્ધ સુખ પ્રગટ થાય છે.
વળી રાણી પૂછે છે કે–સ્વામી! એ આવરણનો નાશ કરવાનો શું ઉપાય છે તે પણ અમને બતાવો.
ભરતજી જવાબ આપે છે કે પરમાત્માની ભક્તિથી આવરણનો ક્ષય થાય છે. પરમાત્માની ભક્તિ બે
પ્રકારની છે. એક ભેદ ભક્તિ અને બીજી અભેદ ભક્તિ. તેમાં અભેદ ભક્તિ તે આવરણના નાશનું મૂળ કારણ
છે. રાગ–દ્વેષ રહિત પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ જાણીને તેમની ભક્તિ–બહુમાન કરવું તે ભેદ ભક્તિ
છે. ને પોતાના આત્માને પરિપૂર્ણ નિર્મળ પરમાત્મ સ્વરૂપે જાણીને તેની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં લીન થવું તે
અભેદ ભક્તિ છે. અભેદ ભક્તિ તે નિશ્ચય ભક્તિ છે, તે પરમાર્થ ભક્તિ છે. તે ખરી ભક્તિ છે, તે પોતાના
આત્માની ભક્તિ છે.
પહેલાંં તો ભેદ ભક્તિ હોય છે, પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવો તે ભેદ ભક્તિ છે; એવી ભેદ
ભક્તિને જાણીને પછી એવો જ પરમાત્મા હું છું, આત્મામાં જ પરમાત્મા થવાની તાકાત છે–એમ પોતાના
આત્માને ઓળખીને ઠરે તેનું નામ પરમાર્થ ભક્તિ અથવા અભેદ ભક્તિ છે. અભેદ આત્મા તરફ વળવાના
લક્ષપૂર્વક ભેદ ભક્તિ હોય તો તેને વ્યવહાર કહેવાય છે.
વિકાર અને આવરણોનો નાશ કરવા માટે આત્મામાં અભેદભક્તિપૂર્વક આરાધનાની જ જરૂરિયાત છે,
અભેદભક્તિથી જ સિદ્ધ પદ પમાય છે.
જુઓ, પતિ–પત્ની વચ્ચે આવી તત્ત્વચર્ચા ચાલે છે. સ્ત્રી છે છતાં તત્ત્વની ચર્ચા કરે છે. ‘હું સ્ત્રી છું માટે
મને નહિ સમજાય! એવી માન્યતા નથી. પત્ની પોતાના પતિને આવા ધર્મ–પ્રશ્નો પૂછે છે. અમે સ્ત્રી નથી પણ
અમે તો આત્મા છીએ–એવું ભાન છે.
વળી બીજી રાણી પૂછે છે કે : સ્વામી! પરમાત્માની ભેદભક્તિનો તો અમને અભ્યાસ છે, પણ અંતરમાં
પરમાત્માની અભેદ ભક્તિમાં ચિત્ત લાગતું નથી! વ્યવહારનો તો અભ્યાસ છે, પણ અંતરમાં આત્મા
જ્ઞાનદર્શનનો સાગર છે તેની શ્રદ્ધા–જ્ઞાનમાં ચિત્ત ચોંટતું નથી, તો અભેદ આત્માની ભક્તિ કેમ થાય? તેનો
ઉપાય કહો.
ભરતજી તેનો ઉત્તર આપે છે : જેમ તમે વીતરાગી ચૈતન્યમૂર્તિ ભગવાનના પ્રતિબિંબને સામે રાખીને
તેની ભક્તિ કરો છો, તેવી રીતે આત્માને જ તનુવાતવલયમાં બિરાજમાન સિદ્ધ સમાન ચિંતવશો તો અભેદ
આત્માની ભક્તિમાં ચિત્ત લાગશે. વાતવલયમાં જેવા સિદ્ધ પ્રભુ બિરાજે છે. તેવો જ આ આત્મા અત્યારે શરીર
પ્રમાણે બિરાજે છે ભરત અને તેની રાણીઓને રાગ છે ને ગૃહસ્થપણામાં છે, પણ અંદરમાં રટણ તો આ જ છે.
આત્માની ભક્તિથી મુક્તિ થાય છે તે ભક્તિનું વર્ણન ચાલે છે. શરીરમાં રહેલો હોવા છતાં આત્મા
શરીરથી જુદો છે. આમ સમજે તો શરીરાદિ પરમાં એકત્વબુદ્ધિ છૂટે ને આત્માની શ્રદ્ધા–જ્ઞાન થાય, તે અભેદ
ભક્તિ છે. ભેદ ભક્તિનું વર્ણન ટૂંકું કરી નાખ્યું, ને અભેદ ભક્તિનું વર્ણન વિશેષ કરે છે. ભેદ ભક્તિને તો જગત
જાણે છે પણ આત્માની અભેદ ભક્તિને જાણતા નથી. ધર્મ આત્માથી કરવો છે. તો આત્મા કેવો છે તે જાણ્યાં
વગર ધર્મ થાય નહિ.
આત્મા જ્ઞાનમૂર્તિ, સિદ્ધ જેવો છે, શરીરથી જુદો છે, પુરુષાકાર છે. આત્માનો આકાર અરૂપી પુરુષાકાર

PDF/HTML Page 4 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૩ :
છે. અને ચિન્મય છે, ચિન્મય એટલે જ્ઞાનમય છે.–આવા આત્માને જાણીને તેમાં ઠરે તે અભેદ ભક્તિ છે.
જિનબિંબની ભક્તિ તે ભેદ ભક્તિ છે, તેમાં શુભરાગ છે. અને આત્માને ઉપર કહ્યો તેવો જાણે તો
અંતરમાં પોતાના આત્માનું જ પરમાત્મા તરીકે દર્શન થાય છે. સંસારમાં–ગૃહસ્થપણે પણ આવું આત્મદર્શન થઈ
શકે છે. એનું નામ અભેદ ભક્તિ છે.
ભરત મહારાજા ચક્રવર્તી છે, ઋષભદેવ ભગવાનના પુત્ર છે, આ ભવે મોક્ષ જવાના છે, છ ખંડના
રાજમાં રહ્યા હોવા છતાં ક્યારેક ક્યારેક અંતરમાં આત્માનો અનુભવ કરી લ્યે છે. તે ભરતજી અત્યારે પોતાની
રાણીઓને આત્માના અનુભવનો ઉપાય સમજાવી રહ્યા છે.
આત્મા જ્ઞાનમય છે, પરનુું કાંઈ કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી, અને રાગ–દ્વેષ કરવાનો પણ જ્ઞાનનો
સ્વભાવ નથી. એવા સ્વભાવને ઓળખે તો અંદરમાં આત્માનું દર્શન થાય. જુઓ, સ્ત્રીને પણ આત્મદર્શન થાય છે.
એક મૂર્ખ દરબાર એવો હતો કે કોઈએ તેને પૂછયું કે ‘દરબાર! તમારે રાણીઓ કેટલી?’ દરબારે કહ્યું કે–
‘કામદારને પૂછો, મને ખબર નથી.’ તેમ અજ્ઞાની મૂર્ખ જીવ કહે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે તેની આપણને
ખબર નથી, શાસ્ત્રને પૂછો. અર્હી કહે છે કે આત્મા રાગરહિત જ્ઞાનમય છે–એમ જાણીને અંતરમાં જુએ તો
આત્માનો અનુભવ થાય, ને પોતાના અનુભવની પોતાને ખબર પડે છે.
જેમ સ્ફટિકની શુદ્ધ પ્રતિમા ઉપર ધૂળ હોવા છતાં તે દેખાય છે, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા સ્ફટિક જેવો
નિર્મળ છે, ઉપર કર્મની ધૂળ હોવા છતાં તે દેખાય છે. આત્મા જાણનાર સ્વભાવરૂપી ચૈતન્યની પ્રતિમા છે, અને
કર્મ તથા શરીરની ધૂળથી તે જુદો રહેલો છે–એમ જાણીને જો અનુભવ કરે તો સ્ફટિક પ્રતિમાની જેમ આત્માનો
અનુભવ થાય છે. આત્મા બહારની ક્રિયા તો કરી શકતો નથી પણ રાગ–દ્વેષ થાય તે કરવાનો પણ આત્માનો
સ્વભાવ નથી. પુરુષાકાર જ્ઞાનમૂર્તિ આત્મા છે, તેને ઓળખે તો આત્માની અભેદ ભક્તિ થાય છે.
સ્ફટિકની પ્રતિમાની ચારે તરફ ધૂળ હોવા છતાં તે ધૂળ સ્ફટિકમાં ગરી જતી નથી, તેમ શરીર અને કર્મો
રૂપી ધૂળની વચ્ચે જ્ઞાનમૂર્તિ આત્મા રહ્યો હોવા છતાં આત્મામાં તે કોઈ પ્રવેશી ગયા નથી. જો એવા આત્માને
જાણીને અંતરમાં તેને દેખવાનો પ્રયત્ન કરે તો તે દેખાય છે. સ્ફટિકની પ્રતિમા તો આંખથી દેખાય છે, હાથથી
સ્પર્શાય છે–એ રીતે ઈન્દ્રિયો દ્વારા તે જણાય છે, પણ આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે તે ઈન્દ્રિયો દ્વારા દેખાતો નથી પણ
અતીન્દ્રિય જ્ઞાનદર્શન રૂપી ચક્ષુથી તે જણાય છે. શરીર અને આત્માને એક માને તો શરીરથી ભિન્ન આત્મા
દેખાય નહિ ને ધર્મ થાય નહિ. જોનારો તો આત્મા છે, પણ જો તે ઈન્દ્રિયો દ્વારા જુએ તો બહારના જડ પદાર્થો
દેખાય છે, આત્મા જણાતો નથી. અંતરમાં જ્ઞાન ચક્ષુથી આત્માને જોવાનો પ્રયત્ન કરે તો તે દેખાય છે. અને
એવા આત્માને દેખવો ને અનુભવવો તે અભેદ ભક્તિ છે, તે વડે જ આત્મામાંથી આવરણનો ક્ષય થઈને સિદ્ધ
સુખ પ્રાપ્ત થાય છે. આમ ભરત મહારાજા પોતાની રાણીઓને સમજાવે છે.
સ્ફટિક તો જડ છે, આ ચૈતન્યમૂર્તિ આત્મા તેનાથી તદ્ન વિલક્ષણ છે. તે બહારની આંખથી દેખાશે નહિ;
જ્ઞાન ચક્ષુથી તેને જોવો પડશે. નિર્મળ આકાશની જેમ આત્માને જ્ઞાનની મૂર્તિ સમજીને અંતરમાં તેનું ધ્યાન કરો.
સંસારનો મોહ ઘણો ખરાબ છે, પર પદાર્થો ઉપરના મોહને લીધે જ આત્મા પરમાત્માની અભેદ ભક્તિથી ભ્રષ્ટ
થયો છે. તેથી સૌથી પહેલાંં પર વસ્તુની મમતા રૂપ આશાના બંધનને છોડો, પરવસ્તુની તીવ્ર આસક્તિ છોડીને
પછી એકાંતવાસમાં જઈને અંતરમાં ચૈતન્યમૂર્તિ આત્માનું ધ્યાન કરો. એમ કરવાથી અભેદભક્તિ થશે, ને મુક્તિ
થશે. આમ ભરતજીએ પોતાની રાણીને ઉત્તર આપ્યો.
[અનુસંધાન પાના નં. ૮૦ થી]
તુરતમાં જ શરૂ થશે. જેમને ભેદવિજ્ઞાનસાર મળી ગયું હશે તેમને એકલું ‘સમ્યગ્દર્શન’ પુસ્તક પોસ્ટ
દ્વારા મોકલાશે. આ રવાનગી મહા વદ અમાસ સુધીમાં પૂરી થશે. તેથી મહા વદ અમાસ સુધીમાં તમામ ગ્રાહકોને
ઉપરના બે ભેટપુસ્તકો મળી જશે.
ત્રીજું ભેટ પુસ્તક ‘ચિદ્દવિલાસ’ [ગુજરાતી] છે, તે હજી છપાયું નથી. તે છપાઈને તૈયાર થતાં
આત્મધર્મના ગ્રાહકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ આત્મધર્મમાં તે સંબંધી સૂચના અપાશે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
[કવડવ : ફગણ વદ ૧૪]
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી છે, તે સંસારમાં રહ્યા છતાં ધર્માત્મા હતા;
તેમને ૯૬૦૦૦ રાણીઓ હતી. તેઓ ભરતજીને ધર્મના પ્રશ્નો પૂછે છે ને ભરતજી જવાબ આપે છે, તેનો આ
અધિકાર ચાલે છે.
રાણીએ પ્રશ્ન પૂછયો છે કે આત્માનો અનુભવ કેવી રીતે થાય? તેને ભરતજી ઉત્તર આપે છે કે આત્મા
શરીરથી ભિન્ન છે, આત્માને ભૂલીને પર પદાર્થોમાં મમતા કરીને જે તીવ્ર લોભ કરે છે તે બૂરો છે, તે લોભને
મંદ પાડીને એકાંતમાં જઈને આત્માનું ચિંતવન કરવું જોઈએ. પહેલાંં જગતની તીવ્ર મમતા ઘટાડીને સત્સમાગમે
આત્માનું સ્વરૂપ સાંભળે, પછી એકાંતમાં જઈને અંતરમાં તેના ધ્યાનનો પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળથી
આત્માના જ્ઞાનનો પ્રયત્ન કર્યો નથી, તેથી એક જ દિવસના પ્રયત્નથી તે જણાતો નથી, તેને માટે વારંવાર
અભ્યાસ કરવો જોઈએ. બહારમાં પૈસા વગેરેની પ્રાપ્તિ થવામાં આત્માનો પુરુષાર્થ નથી, પણ આત્માનું સ્વરૂપ
શું છે તે ઓળખવામાં આત્માનો પુરુષાર્થ છે. અભ્યાસ કરતાં કરતાં ક્રમે ક્રમે આત્માનો અનુભવ થાય છે.
આગળ જતાં રાણી પૂછે છે કે આત્માના અનુભવ માટે કાંઈક પુણ્ય કરવાનું કહોને? શું ભગવાનની
ભક્તિ, દાન વગેરે શુભરાગ કરતાં કરતાં આત્માનો અનુભવ ન થાય? ત્યારે ભરતજી ઉત્તર આપે છે કે જેમ
અરીસા ઉપર ચંદનનો લેપ કરો તો તે પણ અરીસાને આવરણનું જ કારણ છે, તેમ આત્મામાં શુભરાગથી પણ
આવરણ થાય છે. પહેલાંં ભેદ ભક્તિનો શુભરાગ થાય છે પણ તે શુભ તેમ જ અશુભ બંને રહિત આત્માનું
સ્વરૂપ છે તેની ઓળખાણનો નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
ભરતજી પોતાની સ્ત્રી પ્રત્યે કહે છે કે– હે સુખકાંક્ષિણી! ભેદ ભક્તિથી પુણ્ય થાય છે ને તેનાથી સ્વર્ગાદિ
પદ મળે છે, પણ આત્માનું સુખ તેનાથી મળતું નથી. રાગરહિત જ્ઞાનસ્વરૂપી આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેના
ધ્યાનમાં એકાગ્ર થવું તે અભેદ ભક્તિ છે, ને તે અભેદ ભક્તિ જ મોક્ષસુખનું કારણ છે. અભેદ ભક્તિ જ મોક્ષનું
કારણ છે ને ભેદ ભક્તિ બંધનું કારણ છે,–આ વાત ભવ્ય સજ્જન પુરુષો સ્વીકારે છે, પણ જેનું હોનહાર ખરાબ
છે એવો અભવ્ય જીવ તેને સ્વીકારતો નથી.
અહો, આ દેહ તો ક્ષણિક છે, તે નાશવાન છે, ને હું અવિનાશી છું–એમ આત્માની ઓળખાણ અને
ધ્યાનની રુચિ ભવ્ય જીવોને જ થાય છે, અભવ્ય જીવને આત્માના ધ્યાનની રુચિ થતી નથી. સંસારમાં રહેલા
ધર્માત્મા પતિ–પત્ની પણ આવી ધર્મચર્ચા વારંવાર કરે છે.
વિદ્યામણિ નામની સ્ત્રી ભક્તિપૂર્વક ભરતજીને પૂછે છે કે–સ્વામીનાથ! શરીર અને રાગથી જુદાં
આત્મસ્વભાવનું જ્ઞાન–ધ્યાન કરવારૂપ અભેદ ભક્તિ પુરુષોને જ થઈ શકે છે કે અમને સ્ત્રીઓને પણ થાય?
ત્યારે ભરત મહારાજા ઉત્તર આપે છે : તે અભેદ ભક્તિના બે પ્રકાર છે– (૧) શુક્લધ્યાન (૨)
ધર્મધ્યાન. જો કે કહેવામાં તો આ બંને જુદાં લાગે છે. પણ તે બંનેના અવલંબન રૂપ આત્મા એક જ છે તેથી તે
એક જ જાતના છે. આત્મસ્વભાવના ભાનવડે ધર્મધ્યાન સ્ત્રીને પણ થઈ શકે છે. સ્ત્રીને શુક્લધ્યાન થઈ શકતું
નથી. ધર્મધ્યાન કરતાં શુક્લધ્યાન વિશેષ નિર્મળ છે.
સ્ત્રી કે પુરુષ એ બંનેનો આત્મા તો એક જ પ્રકારનો છે, બહારના દેહના ફેરે અંદરના આત્મામાં ફેર
પડતો નથી. ધ્યાનનું અવલંબન તો દેહથી ભિન્ન આત્મા છે, શરીરના અવલંબને ધ્યાન થતું નથી. સ્ત્રીને પણ
આત્માના અવલંબને ધર્મ ધ્યાન થાય છે. આત્મા શરીરથી જુદો છે, ને અંદરમાં પુણ્ય–પાપની લાગણી થાય તે
પણ આત્માના સ્વરૂપથી જુદી છે બધા જીવોને ધર્મ માટે તો આત્માનું જ અવલંબન છે. એવા આત્માનું અવલંબન
કરીને ધ્યાન કરે તો સ્ત્રીને પણ આત્માનો અનુભવ થાય છે. આત્મા આનંદસ્વરૂપ છે તેની ઓળખાણ કરીને તેના
ધ્યાનમાં એકાગ્ર થતાં પરને ભૂલી જવું તેનું નામ ભલું ધ્યાન છે, અને પરના વિચારમાં એકાગ્ર થતાં આનંદમૂર્તિ
આત્માને ભૂલી જવો તે ભૂંડું ધ્યાન છે. હું શરીરથી જુદો છું, પુણ્ય અને પાપની શુભ–અશુભ લાગણી પણ કૃત્રિમ
છે, તે નવી નવી થાય છે, ને તેનો જાણનાર–દેખનાર જ્ઞાનસ્વરૂપ હું ત્રિકાળ છું–એમ આત્માના મહિમામાં એકાગ્ર
થતાં પરવસ્તુના વિચારને ભૂલી જવા તે ભલું ધ્યાન છે. ને આત્માનો મહિમા ભૂલીને પરના વિચારમાં એકાગ્ર
થવું તે ભૂંડું ધ્યાન છે. આત્માને ઓળખીને તેમાં એકાગ્ર થાય તેટલી શાંતિ પ્રગટે છે. સત્સમાગમે આત્માની
ઓળખાણ અને ધ્યાન કરવાનો સતત પ્રયત્ન કરે તો આ કાળે પણ આત્માનું ધ્યાન થાય છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૫ :
• ભવ કલાંત જીવોનો વિસામો •
વીર સં. ૨૪૭૫ ના ફાગણ સુદ સાતમના મંગળ દિવસે વીંછીયામાં ભગવાનશ્રી ચંદ્રપ્રભસ્વામી વગેરે
જિનબિોંની પંચકલ્યાણક પ્રતિષ્ઠા થઈ, તેમ જ ત્યાંના શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં સમયસારજીની પ્રતિષ્ઠા
થઈ, તે પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીનું માંગળિક પ્રવચન.
(૧) ભવભ્રમણનું કારણ : સ્વરૂપની અણસમજણ :– આત્મા અનાદિ અનંત સ્વાભાવિક જાણનાર–
દેખનાર પદાર્થ છે. તેને કોઈએ નવો બનાવ્યો નથી તેમજ તેનો કદી નાશ થતો નથી. આ શરીર વગેરે પદાર્થો
દેખાય છે તે જડ છે. આત્મા દેહ–મન–વાણીથી અતીત છે. અનાદિકાળથી આત્મા ક્યાં રહ્યો? તેણે અનાદિથી
પોતાના સ્વરૂપને ભૂલીને અજ્ઞાનભાવે જન્મ મરણમાં રખડવામાં જ કાળ વીતાવ્યો છે. અનાદિકાળથી સંસારમાં
રખડતાં જીવ એક સેકંડમાત્ર પણ ધર્મને સમજ્યો નથી. જો સત્સમાગમે પોતાના આત્માને સમજીને ધર્મ પ્રગટ
કરે તો જન્મ–મરણનો નાશ થયા વિના રહે નહિ. જીવે અનંતકાળમાં દયા, દાન, પૂજા, વ્રત, તપ, ત્યાગ વગેરે
બધું કર્યું છે, પણ પોતાનું સ્વરૂપ તે રાગથી જુદું છે તે કદી સમજ્યો નથી. અનંતકાળથી પોતાનું સ્વરૂપ સમજ્યા
વગર એક પછી એક જન્મ–મરણમાં અનંત દુઃખ ભોગવી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિની પહેલી જ
ગાથામાં કહે છે કે–
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યુ તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.”
આત્માની અણસમજણ તે જ અનંત દુઃખનું કારણ છે, ને આત્માની સમજણ વડે જ તે અનંત દુઃખ ટળે છે.
આત્મા પોતાના સ્વરૂપને સમજ્યા વગર જ અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે. હે ભાઈ! હવે તું તારી દયા કર,
દયા કર. સત્સમાગમે આત્માને ઓળખીને તારા આત્માને ચોરાશીના અવતારની રખડપટ્ટીથી હવે બચાવ.
(૨) ભવભ્રમણથી થાકેલો જીવ ચૈતન્યના શરણને શોધે :– આ ચોરાશીના અવતારનો જેને ભય લાગ્યો
હોય તે આત્માના શરણને શોધે. તે અંતરમાં એમ વિચારે કે અરેરે! શું ભવ જ કરવાનો મારો સ્વભાવ હશે! કે
ભવરહિત શાંતિ ક્યાંય હશે! આ અજ્ઞાનપણે પુણ્યપાપ કરીને ભવભ્રમણનાં દુઃખ ભોગવવા એવું મારું સ્વરૂપ ન
હોય. આમ જેને ભવભ્રમણનો અંતરમાં ત્રાસ લાગતો હોય તે જીવ અંતરમાં ચૈતન્યના શરણને શોધે. ભવ એક
પ્રકારના નથી પણ સ્વર્ગ, નરક, તિર્યંચ તેમ જ મનુષ્ય એ ચારે ગતિમાં જીવે અનંતવાર અવતાર કર્યો છે. આ
લોકમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં જીવ જન્મ્યો ને મર્યો ન હોય. જ્યાં આત્માના સહજ–આનંદમાં સિદ્ધ
ભગવંતો બિરાજી રહ્યા છે તે ક્ષેત્રમાં પણ જીવ અનંતવાર એકેન્દ્રિયપણે જન્મ્યો–મર્યો છે. હે ભાઈ! હવે તને
જન્મ–મરણનો થાક લાગ્યો છે? જો થાક લાગ્યો હોય તો તે જન્મ–મરણથી છૂટવા માટે ચૈતન્ય શરણને
ઓળખીને તેના આશ્રયે વિશ્રામ કર. વિસામો કોને ન ગમે? જેને થાક ન લાગ્યો હોય તે વિસામાને ન શોધે.
પણ જેને અંતરમાં થાક લાગ્યો હોય તે વિસામો શોધે.
અહીં શ્રી ગુરુદેવ પરમ કરુણાથી કહે છે કે બાપુ! જો ભવભ્રમણથી તું થાક્યો હો તો તારા આત્મામાં
શરણને શોધ. તારા આત્માને ઓળખીને તેનું જ શરણ કર, એ સિવાય બહારમાં બીજું કોઈ તને શરણરૂપ થાય
તેમ નથી. આત્મસ્વરૂપને સમજ્યા વગર પુણ્ય પણ તેં અનંતવાર કર્યાં, તે પુણ્ય પણ તને શરણરૂપ થયાં નથી.
માટે હવે સત્સમાગમે આત્મસ્વરૂપને સમજ. જે આત્મસ્વરૂપ અનંતકાળમાં તું સમજ્યો નથી તે આત્મસ્વરૂપ
સત્સમાગમ વગર સમજાય તેમ નથી, તેેમજ પોતાની મેળે એકલા શાસ્ત્ર અભ્યાસથી, સ્વચ્છંદે સમજાય તેમ
નથી, શુભરાગથી કે બાહ્ય ક્રિયાથી પણ તે સમજાય તેમ નથી. હે ભાઈ! ભવથી તું થાક્યો છે? તને કાંઈ
આત્માની જિજ્ઞાસા જાગી છે? ભવથી ડરીને અને આત્માની રુચિ કરીને પાત્રતાથી જો એક વાર પણ
સત્સમાગમ કરે તો ધર્મ ન સમજાય એમ બને નહિ. એક સેકંડ પણ ધર્મ સમજે તેને ભવભ્રમણનો અવશ્ય નાશ
થઈ જાય છે.
(૩) હે જીવ! સુખ અંતરમાં છે :– આજે શ્રી જિનમંદિરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી અને શ્રી સીમંધરસ્વામી વગેરે
ભગવંતોની પ્રતિષ્ઠા થઈ; તેમાંથી

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
શ્રી સીમંધરભગવાન વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રે સમવસરણમાં ઉપદેશ આપે છે, તેમાં કહે છે કે હે આત્મા! તારો
સ્વભાવ જ બેહદ સુખથી ભરેલો છે, સુખ અંતરમાં છે, બહારમાં તારું સુખ ક્યાંય નથી. જડ પૈસાના ઢગલાથી
તારા આત્માની મોટપ નથી, અને રાગ વડે પણ તારા આત્માની મોટપ નથી, અંતરમાં જે પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ
સ્વભાવ છે તેનાથી જ તારી મોટપ છે, તેને તું ઓળખ. પોતાને ભૂલીને, પૈસા વગેરેમાં સુખ છે ને મારામાં
નથી–એમ જીવે અનાદિથી માન્યું છે તે તેની નપુંસકતા છે. જેમ નપુંસકને પોતામાં વિષય ભોગવવાની તાકાત
નથી તેથી બીજાને વિષય ભોગવતા દેખીને તે રાજી થાય છે. તેમ અજ્ઞાની જીવ પોતાના પુરુષાર્થરહિત નપુંસક
છે, તે પૈસા, શરીર, સ્ત્રી વગેરેમાં સુખ માને છે; પોતાના આત્મામાં સુખ છે તેને તે ભોગવતા નથી અને પરમાં
સુખ માનીને રાજી થાય છે. મારામાં સુખ નહિ, ને પરમાં સુખ–એમ માનીને તે પોતાના આત્માનો અનાદર કરે
છે, તેથી જ ભવભ્રમણમાં ભટકે છે. એવા ભવભ્રમણનો જેને હવે ભય લાગ્યો હોય તેને ભગવાન કહે છે કે હે
જીવ! તારું સુખ બહારમાં નથી, પણ આત્મામાં જ છે; માટે તું આત્માની ઓળખાણ કર.
હે ભાઈ! ‘તારા આત્મામાં જ સુખ છે’ એ વાત સાંભળીને તને રુચે છે? જો આત્મસ્વરૂપ રુચે તો
મુક્તિ થયા વગર રહે નહિ. પ્રભુ! અનંતકાળમાં તેં બધું કર્યું છે, પણ એક આત્મસ્વરૂપની સમજણ કદી કરી
નથી. તેથી જ તું અત્યાર સુધી સંસારમાં રખડયો. અનંત અનંતકાળથી જે આત્મસ્વરૂપને સમજ્યા વિના તું
દુઃખી થઈ રહ્યો છે તે આત્મસ્વરૂપને સમજવું એ જ ધર્મની અપૂર્વ શરૂઆત છે. અજ્ઞાની જીવો પોતાની સ્વછંદ
કલ્પનાથી બીજી રીતે ધર્મની શરૂઆત માને છે, તે મિથ્યા છે.
(૪) આત્મામાં સિદ્ધપણાની સ્થાપના :– આજે અહીં શ્રી ચંદ્રપ્રભ ભગવાન તેમ જ ઉપર શ્રી સુપાર્શ્વનાથ
ભગવાનને પધારાવ્યા છે, તેમના પંચકલ્યાણક વિધિમાં આજે નિર્વાણ કલ્યાણક ઊજવાયો, અને બરાબર આજે
જ તે બંને ભગવંતોના નિર્વાણ કલ્યાણકની તિથિ છે. એ રીતે પ્રતિષ્ઠાના મુહૂર્તનો અને નિર્વાણ કલ્યાણકની
તિથિનો કુદરતે મેળ આવી ગયો છે. વળી આ સ્વાધ્યાય મંદિરમાં ગ્રંથાધિરાજ ભગવાન સમયસારની પ્રતિષ્ઠા
થઈ છે, તેમાં શ્રી કુંદકુંદભગવાન શું કહે છે? જુઓ, મંગલાચરણ કરતાં કહે છે કે–
બ્રહ્યચર્ય – પ્રતિજ્ઞા.
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન વઢવાણ શહેરમાં પોષ સુદ ૧૩ ને સોમવારના રોજ
નીચેના ત્રણ ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્યચર્યની પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ શ્રી પાસે અંગીકાર કરી છે–
(૧) શેઠ ઉજ્મશી તલકશી તથા તેમના ધર્મપત્ની છબલબહેન.
(૨) શેઠ મગનલાલ તલકશી તથા તેમના ધર્મપત્ની શકરીબહેન.
(૩) શાહ કેશવલાલ છગનલાલ તથા તેમના ધર્મપત્ની ભૂરીબહેન.
(૪) એ ઉપરાંત પોષ વદ ૫ ને રવિવારના રોજ ચીમનલાલ હીમચંદ વોરા તથા તેમના ધર્મપત્ની
ચંપાબહેન એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે બ્રહ્યચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
–બ્રહ્યચર્ય–પ્રતિજ્ઞા લેનારા દરેક ભાઈ–બહેનોને ધન્યવાદ.
બ્રહ્યચર્ય – પ્રતિજ્ઞા.
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન જોરાવરનગર મુકામે પોષ વદ ૭ ને મંગળવારના રોજ
ભાઈશ્રી ભગવાનલાલ લાડકચંદ શાહ તથા તેમના ધર્મપત્ની જીવતીબહેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્યચર્ય–
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. તે માટે તેમને ધન્યવાદ.
પુસ્તકો મંગાવનારાઓને સૂચના
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી હાલ સૌરાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા છે, તેથી સોનગઢમાં પુસ્તક વેચાણ હાલ
બંધ છે. જે મુમુક્ષુઓએ બહારગામથી પુસ્તકો મંગાવ્યા છે તેમના ઓર્ડરો નોંધી લેવામાં આવ્યા છે અને તેમના
મંગાવેલા પુસ્તકો રાજકોટ પહોંચ્યા પછી, ફાગણસુદ એકમ બાદ રવાના કરવામાં આવશે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૭ :
वंदित्तु सव्वसिद्ध धुवमचलमणोवमं गइं पत्ते।
वोंच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
१।।
અહીં, સમયસારની શરૂઆતમાં જ આચાર્યભગવાન અંતરમાં સિદ્ધપણાનું પ્રસ્થાનું મૂકે છે. પહેલાંં તો
આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપે છે તે જ ખરી સમયસારની પ્રતિષ્ઠા છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા; પોતાના
આત્મામાં ‘રાગ તે હું’ એવી મિથ્યા માન્યતાને ઊખેડી નાંખીને, ‘સિદ્ધભગવાન જેવો શુદ્ધ આત્મા હું છું’ એવી
પ્રતીતિ કરીને શુદ્ધ આત્માને સ્થાપવો તેનું નામ સમયસારની પ્રતિષ્ઠા છે. આ ગાથામાં આચાર્ય ભગવાનનો નાદ
છે કે હું સિદ્ધ છું, તમે સિદ્ધ છો. શ્રોતાઓને કહે છે કે–હે જીવો! તમે પણ સિદ્ધ છો, તમારા આત્મામાં સિદ્ધપણું
સમાઈ જાય તેવી તાકાત છે, જે જ્ઞાન સિદ્ધને જાણીને પોતામાં સિદ્ધપણું સ્થાપે છે તે જ્ઞાનમાં સિદ્ધ જેટલી તાકાત
છે. પોતાના આત્મામાં જે સિદ્ધપણાને સ્થાપે તે જીવ રાગનો કે અપૂર્ણતાનો આદર ન કરે, તેમ જ પરનું હું કરું કે
પર મને મદદ કરે એમ પણ માને નહિ. પણ પોતે પોતાના સ્વભાવ તરફ વળીને અનુક્રમે સિદ્ધદશા જ પ્રગટ કરે,
પછી તેને ભવભ્રમણ રહે નહિ.
આચાર્યભગવાન ‘તું પામર છે’ એમ કહીને શરૂઆત નથી કરતા, પણ શ્રોતાને પહેલેથી જ કહે છે કે તું
સિદ્ધ છે. તારા અંતરમાં બેસે છે આ વાત? જેના અંતરમાં આ વાત બેઠી તેણે પોતાના આત્મામાં સિદ્ધપણાની
સ્થાપના કરી, તે અલ્પકાળે સિદ્ધ થયા વિના રહે નહિ. હે ભાઈ! તારે આત્માનું સારું કરવું છે ને? તો સારું
કરવાની પરાકાષ્ટા શું? અર્થાત્ સૌથી ઉત્કૃષ્ટ સારું શું? તે નકકી કર. સારું કરવા છેલ્લી હદ સિદ્ધદશા છે. તે
સિદ્ધદશા ક્યાંથી આવે છે? આત્માના સ્વભાવમાં પૂરી તાકાત ભરી છે તેમાંથી જ તે દશા પ્રગટે છે. આ પ્રમાણે
પૂર્ણતાના લક્ષે જ સાધકપણાની શરૂઆત થાય છે. જેમ કોઈને ૫૦૦૦ પગથિયા ઊંચે ડુંગર ઉપર ચડવું હોય તો
તે તળેટીનું લક્ષ કરીને અટકતો નથી, પણ ઉપરની ટોચના લક્ષે વચલો બધો રસ્તો કપાઈ જાય છે. તેમ જેણે
પોતાના આત્માની પૂર્ણ સિદ્ધદશા પ્રગટ કરવી હોય તેણે તે સિદ્ધદશાને પ્રતીતમાં લેવી જોઈએ. અધૂરીદશા કે
વિકારનું લક્ષ કરીને અટકે તો સિદ્ધદશા થાય નહિ.
ચોવીસ તીર્થંકરોની સ્તુતિમાં આવે છે કે :– ‘सिद्धाः सिद्धि मम दीसंतु’–હે સિદ્ધ ભગવંતો! મને સિદ્ધિ
આપો. એમ પોતે સિદ્ધપદની માગણી કરે છે. ‘તું સિદ્ધ છે’ એમ સાંભળતાં જ જે શ્રોતાને અંતરમાં સિદ્ધપણાના
ભણકાર જાગે છે તેને સિદ્ધ થવાની શરૂઆત થાય છે. ‘સિદ્ધસમાન સદા પદ મેરા’ એ વાત જેને રુચે તેણે
પોતાના આત્મામાં સમયસાર ભગવાનની સ્થાપના કરી છે. આ, સમયસારની આધ્યાત્મિક પ્રતિષ્ઠા છે. હે
ભાઈ! આચાર્યભગવાન કહે છે કે તું સિદ્ધ છે. તારા સિદ્ધપણાની ના પાડીશ નહિ. હું સિદ્ધ છું. એમ ઉલ્લાસથી
હા પાડીને સિદ્ધદશા તરફ ચાલ્યો આવજે. તારી અવસ્થામાં રાગ થાય છે તેની તો આચાર્યદેવને ખબર છે, છતાં
આચાર્યભગવાન સ્વભાવદ્રષ્ટિની મુખ્યતાથી તારા આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે. માટે તું પણ સ્વભાવ
દ્રષ્ટિથી હા જ પાડજે. અત્યારે રાગ સામે જોઈશ નહિ. જેમ કોઈને ગામ–પરગામ જવું હોય એ તિથિ–વારનો મેળ
ન હોય તો પહેલાંં પ્રસ્થાનું મૂકે છે, ને પછી યોગ્ય તિથિવાર આવતાં ગામ જાય છે. તેમ આત્માને સિદ્ધગતિમાં
ગમન કરવું છે. પણ અત્યારે આ પંચમકાળ છે તે સાક્ષાત્ સિદ્ધદશા માટે કવાર (અકાળ) છે. તેથી આચાર્યદેવે
અત્યારે સિદ્ધપણાનું પ્રસ્થાનું કરાવ્યું છે. જેણે એવું પ્રસ્થાનું કર્યું તે પોતાના પુરુષાર્થનો સ્વકાળ આવતાં સાક્ષાત્
સિદ્ધ થઈ જશે. હે ભાઈ! જો તારે આ સંસારમાંથી નીકળીને સિદ્ધમાં જવું હોય તો અત્યારે પ્રસ્થાનું કર કે ‘હું
સિદ્ધ છું.’
હે જીવ! જ્ઞાનદર્શન સિવાય બીજો તારો સ્વભાવ નથી. શરીરાદિ પદાર્થો તારાથી જુદાં જડ છે, તે પણ
જગતના સત્ પદાર્થો છે, તેની હલન–ચલનાદિ ક્રિયાઓ તેનાથી જ થાય છે. છતાં, ‘તે પર પદાર્થોની ક્રિયા મારે
લઈને થાય છે, હું હોઉં તો તેની ક્રિયા થાય, નહિતર ન થાય’–આવો જે ભ્રમ છે તે સિદ્ધદશાએ પહોંચવામાં વચ્ચે
મોટી શિલારૂપ વિઘ્નકર્તા છે. એ ભ્રમ ટાળીને, આત્માના સિદ્ધપદના સ્વીકાર વગર ધર્મની શરૂઆત થાય નહિ,
અને ભવભ્રમણનો વિસામો મળે નહિ.
(૫) ભવનો અંત અને સિદ્ધિનો પંથ :– આ કાળે આ ભરતક્ષેત્રના જીવોને પ્રત્યક્ષ સિદ્ધદશા નથી, પણ કોઈ
મહા ભાગ્યવંત વિરલા મુનિને ચારિત્રદશા પ્રગટે છે. અને ‘હું સિદ્ધ છું હું સિદ્ધ છું’ એમ આત્મામાં પ્રસ્થાનું કરીને
તેના ઘોલનથી–ધ્યાનથી એકાવતારી થઈને કે બે–ત્રણ ભવે મુક્તિ પામે છે. સમ્યગ્દ્રષ્ટિ

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
ગૃહસ્થ પણ પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને આ કાળે એકાવતારી કે બે–ત્રણ ભવે મુક્ત જનાર થઈ જાય
છે. આચાર્યદેવ તો બધા આત્માને સિદ્ધપણે જ ભાળે છે, કેમકે પોતાને સિદ્ધપણાની રુચિ છે ને અલ્પકાળે સિદ્ધ
થવું છે. જેને જ્યાં રુચિ હોય તે ત્યાં ભાગ પાડતો નથી, પણ અખંડ માને છે. જેમ બાપની મૂડી એક લાખ
રૂપિયાની હોય અને તેને ચાર પુત્રો હોય, તો ત્યાં તે દરેક પુત્ર કહે છે કે ‘અમારી પાસે એક લાખની મૂડી છે.’
ત્યાં ચાર ભાગલા પાડીને લક્ષમાં લેતો નથી. તેમ જ પાંચમી પુત્રી હોય તો તે પણ કહે કે ‘અમારી પાસે એક
લાખની મૂડી છે.’ અંદરમાં પૂર્ણ સ્વભાવની મૂડી છે તેની રુચિ નથી તેથી મમતાવડે બહારમાં પૂર્ણતા માને છે.
અંદરમાં સ્વભાવની પૂર્ણતાનું લક્ષ નથી તેથી બહારમાં પૂર્ણતા માનીને તેનાથી પોતાની મોટપ માને છે. પણ જો
ક્ષણમાં તે રુચિની ગૂલાંટ મારીને સ્વતરફ વળે તો સ્વભાવની પૂર્ણતાને માને અને સંયોગનો પોતામાં અભાવ
માને. જેમ કુંવારી બાલિકાનું સગપણ કરતાં જ તેનો અભિપ્રાય ફરી જાય છે કે જ્યાં સગપણ થયું તે ઘર ને તે
વર મારાં, આ ઘર કે આ ઘરની મૂડી મારી નથી. તેમ ધર્મી જીવે જયાં અંતર સ્વભાવ સાથે સગપણ બાંધ્યું ત્યાં
તેને અંતરસ્વભાવની રુચિ થતાં બહારની રુચિ ટળી જાય છે. રાગ અને સંયોગ હોવા છતાં તે મારાં નથી, હું
સિદ્ધસમાન છું–આમ ધર્મી જીવની દ્રષ્ટિ પલટી જાય છે. આવી ઓળખાણ અને પ્રતીત કરવી તે જ સિદ્ધિનો પંથ
છે. આ સિવાય બીજા કોઈ ઉપાયથી ભવનો આરો આવે તેમ નથી.
અહો! જગતના જીવોને અનંતકાળથી અપરિચિત એવો આ સિદ્ધિનો પંથ, તે એમ ને એમ ઝટ ક્યાંથી
સમજાય? પોતાની ઉગ્ર પાત્રતા હોય તો તો ક્ષણમાત્રમાં સમજાઈ જાય તેમ છે, પણ જીવોની પાત્રતાની કચાશને
લીધે સમજતાં વાર લાગે છે. માર્ગની તો તદ્ન સરળતા છે, પણ અનંતકાળથી અપરિચિત માર્ગ સત્સમાગમ
વગર કયાંથી સમજાય? હજી સત્ય માર્ગ શું છે તે વાત સાંભળવા પણ ન મળતી હોય તે જીવો ક્યાંથી સમજે?
સત્સમાગમે રુચિ ફેરવે તો એક ક્ષણમાં ફરી જાય છે. પહેલેથી જ આત્મામાં સિદ્ધપણું સ્વીકાર્યા વગર સિદ્ધ થવા
તરફનો પુરુષાર્થ ઊપડે નહિ. ‘હું પામર છું, હું રાગી છું’ એમ ગોખ્યા કરે તો સિદ્ધદશા તરફનો પુરુષાર્થ કોના
જોર ઊપડશે? જેમ કોઈને બે કલાકમાં ચાર ગાઉ દૂર જવું હોય તો તેટલી ઝડપથી પગ ઊપાડે તેમ, આત્માને
પૂરો સિદ્ધ સમાન સ્વભાવ છે તેને દ્રષ્ટિમાં લ્યે તો પૂર્ણ સિદ્ધદશા તરફનો પુરુષાર્થ ઊપાડે. પણ ‘હું વિકારી છું,
રાગથી મને લાભ થાય છે’ એમ પ્રથમથી જ વકારમાં અટકતો અટકતો ચાલે તેને પૂર્ણતા તરફનો પુરુષાર્થ
ઊપડે નહિ, પણ તે તો રાગમાં જ અટકી જાય.
(૬) ઊર્ધ્વગતિની શ્રેણી અને અધોગતિની શ્રેણી
ધર્મી જીવને આત્માની કેવી ઓળખાણ હોય છે? તેની આ વાત છે. શરીર જડ છે, મન જડ છે, વાણી જડ
છે, –એ ત્રણે હું નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. ભવ અને ભવનું કારણ વિકાર તે મારા સ્વરૂપમાં નથી. –
આવા ભેદજ્ઞાનથી જ ધર્મની શરૂઆત થાય છે, અને તે મોક્ષનો માર્ગ છે. તથા ‘હું શરીરાદિનાં કાર્ય કરી શકું,
વિકાર મારું સ્વરૂપ છે’ આવી બુદ્ધિ તે અધર્મ છે ને તે સંસારનો માર્ગ છે. જેમ ઘરમાં મેડી ઉપર ચડવાનો દાદરો
અને ભોંયરામાં નીચે ઊતરવાનો દાદરો જુદો જુદો હોય છે. તેમ આત્મામાં ઊર્ધ્વ ચડવાનો એટલે કે સિદ્ધદશાનો
માર્ગ જુદો છે ને અધોગતિનો એટલે કે સ્વર્ગ–નરકાદિ ચારગતિમાં ભ્રમણનો માર્ગ જુદો છે; અંતરમાં સ્વદ્રવ્ય
તરફની શ્રેણી તે ઊર્ધ્વગતિ એટલે મોક્ષનો ઉપાય છે અને પરાશ્રયબુદ્ધિથી પુણ્ય–પાપના ભાવ તે અધોગતિની
શ્રેણી એટલેે સ્વર્ગ–નરકનો માર્ગ છે. અજ્ઞાનીઓ સ્વર્ગને ઊર્ધ્વ ગતિ માને છે. પણ જ્ઞાની તો કહે છે કે સિદ્ધગતિ
તે જ ઊર્ધ્વગતિ છે, એ સિવાય સ્વર્ગાદિ ચારે ગતિના ભવ તે અધોગતિ છે. ધર્મી જીવ જાણે છે હું જાણનાર–
દેખનાર, સાક્ષી ચૈતન્ય છું, આ શરીર–મન–વાણી મારાં નથી–આમ સ્વદ્રવ્યનું અવલંબન તે ઊર્ધ્વ ગતિની શ્રેણી
છે. આ સમજ્યા વગર સંસાર પરિભ્રમણની હોળી શાંત થાય તેમ નથી. પહેલાંં તો સંસારની રુચિ ટળીને
સ્વભાવ તરફ રુચિ પલટી જવી જોઈએ. રુચિ અનુયાયી વીર્ય છે એટલે કે જ્યાં રુચિ હોય તે તરફ પુરુષાર્થ
વળ્‌યા કરે છે. સ્વભાવની રુચિ થતાં વારંવાર તેમાં પુરુષાર્થ વળ્‌યા કરે તે ચારિત્રનું કારણ છે.
(૭) ભાઈ તું હોંશથી સાંભળ!
ભાઈ, તું સાંભળ રે સાંભળ! અંતરમાં આ વાતની કાંઈક અપૂર્વતા લાવીને સાંભળ! ભવભ્રમણમાં આ
વાત અનંતકાળે સાંભળવા મળે તેમ નથી. આ વાત સમજ્યા

PDF/HTML Page 10 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૯ :
વગર નવમી ગ્રૈવેયકે તું અનંતવાર ગયો, મોટો રાજા અનંતવાર થયો, નારકી અને તિર્યચ પણ અનંતવાર થયો;
અંતરમાં નકોર ચૈતન્યસ્વભાવ શું છે તે વાત તું કદી સમજ્યો નથી, અને હોંશપૂર્વક કદી તે વાત સાંભળી પણ
નથી. માત્ર પુણ્યમાં જ સંતોષ માનીને તું સંસારમાં રખડી રહ્યો છે. જેમ થોરના ઝાડમાં ટાંકણેથી કોતરણી થાય
નહિ તેમ પુણ્ય–પાપના ભાવમાં ચૈતન્યના ધર્મની કોતરણી થાય નહિ. ત્રણેકાળે ધર્મનો એક જ માર્ગ છે.
‘એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ’
જેમ ત્રણેકાળ ગોળ ઘી ને લોટ એ ત્રણ વસ્તુની જ સુખડી બને છે, તેને બદલે કદી પણ કાંકરા–પાણી ને
ધૂળ ચાલતા નથી. તેમ આત્મામાં ત્રણેકાળે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણની એકતાથી જ મોક્ષ થાય છે,
પુણ્ય વગેરેથી કદી મોક્ષ થતો નથી. ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવ પછીના હરખ જમણમાં આત્માના પકવાન
પીરસાય છે. બદામ–પીસ્તા ને લાડવારૂપ જડનાં જમણ તો બધા જમાડે છે પણ અહીં તો આત્માનાં અમૃત
પીરસાય છે. તેને ચાખે તો મોક્ષદશા થયા વિના રહે નહિ.
(૮) જ્ઞેય–જ્ઞાયકપણાનો નિર્દોષ સંબંધ :– શરીર–મન–વાણી પરવસ્તુ છે, તેની સાથે મારે કાંઈ સંબંધ નથી,
તેથી ‘તેમની અનુકૂળ ક્રિયા હોય તો મને ઠીક અને તેમની પ્રતિકૂળ ક્રિયા હોય તો મને અઠીક’ એમ તેમના પ્રત્યે
મને કાંઈ પક્ષપાત નથી. મારા જ્ઞાનની ઉગ્રતા પાસે વિકાર બળી જાય એવો ચૈતન્યજ્યોત મારો સ્વભાવ છે.–
આમ પોતાના સ્વભાવની ઓળખાણ કરવાની પહેલી વાત છે. દર્શનશુદ્ધિ વગર જ્ઞાન, ચારિત્ર કે વ્રતતપ
ત્રણકાળમાં હોતાં નથી.
ધર્માત્મા અંતરમાં જાણે છે કે હું એક જાણનાર છું, ને આ શરીરાદિ બધા પદાર્થો મારા જ્ઞેયો છે. હું જ્ઞાતા,
ને તે જ્ઞેય–એ સિવાય બીજો કોઈ સંબંધ અમારે નથી. જેમ જનેતા સાથે પુત્રને માતા તરીકેના નિર્દોષ સંબંધ
સિવાય બીજા કોઈ આડા વ્યવહારની કલ્પના સ્વપ્ને પણ ન હોય તેમ હું ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાયક છું ને પદાર્થો
જ્ઞેય છે, જ્ઞેય–જ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય અન્ય કોઈ સંબંધ મારે પરદ્રવ્ય સાથે સ્વપ્ને પણ નથી. મારે પર
સાથે માત્ર જાણવા પૂરતો જ સંબંધ છે. જેમ અંધારામાં કોઈ માણસ કોઈને પોતાની સ્ત્રી સમજીને વિષયબુદ્ધિથી
તેની પાસે ગયો, પણ જ્યાં પ્રકાશમાં તેનું મોઢું જોતાં ખબર પડી કે આ તો મારી માતા છે. ત્યાં ફડાક તેની વૃત્તિ
પલટી જાય છે કે અરે આ તો મારી જનેતા! જનેતાની ઓળખાણ થઈ કે તરત જ વિકાર વૃત્તિ પલટી અને
માતા–પુત્રના સંબંધ તરીકેની નિર્દોષ વૃત્તિ જાગૃત થઈ. તેમ જીવ અજ્ઞાન ભાવે પરવસ્તુને પોતાની માનીને તેને
ઈષ્ટ–અનિષ્ટ માને છે અને તેના કર્તા–ભોક્તાના ભાવ કરીને વિકારપણે પરિણમે છે. પણ જ્યાં જ્ઞાન પ્રકાશ થતાં
ભાન થયું કે અહો, મારો જ્ઞાયક સ્વભાવ છે, ને પદાર્થોનો જ્ઞેયસ્વભાવ છે. એમ નિર્દોષ જ્ઞેય–જ્ઞાયક સંબંધનું
ભાન થતાં જ ધર્મીને વિકારભાવ ટળીને નિર્દોષ જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. અસ્થિરતાના રાગ–દ્વેષ થતા હોય
છતાં ધર્મીને અંતરમાં રુચિ પલટી ગઈ છે કે હું ચૈતન્યસ્વરૂપ બધાનો જાણનાર છું, બીજા પદાર્થો સાથે જ્ઞેય–
જ્ઞાયક સ્વભાવ સંબંધ સિવાય બીજો કાંઈ સંબંધ મારે નથી.
(૯) પરમ સત્ય :– આ સાધારણ એક વ્યક્તિની વાત નથી, પણ વસ્તુના સ્વભાવની વાત છે. ત્રણકાળ
ત્રણલોકના કેવળી ભગવંતોની આ વાત છે, સર્વજ્ઞભગવાનની રજીસ્ટર થઈ ગયેલી છે. અનંતા તીર્થંકરો આ
વાત કહી ગયા છે, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધરાદિ તીર્થંકર ભગવંતો આ વાત કહી રહ્યા છે, ગણધરો
ઝીલે છે, ઈન્દ્રો આદરે છે, ચક્રવર્તી વગેરે મહાન પુરુષો જેને સેવે છે–એવી આ જ પરમ સત્ય વાત છે. ત્રણકાળ
ત્રણલોકમાં આ વાત ફરે તેમ નથી. જગતને આ વાત માન્યે જ છૂટકો છે.
(૧૦) ભવભ્રમણના નાશ માટેની ધર્માત્માની ક્રિયા :– અહો, મારા જ્ઞાયકભાવથી ભિન્ન એવા શરીર મન
વાણીને પણ હું પરદ્રવ્યપણે સમજું છું, તો જે તદ્ન જુદાં છે એવા દૂરવર્તી દેવ–ગુરુ–શાસ્ત્રે કે સ્ત્રી પુત્ર–લક્ષ્મી
વગેરે પદાર્થો તો ક્યાંય રહી ગયા. શરીરાદિ મારાં એમ શાસ્ત્રો નિમિત્તથી ભલે કહે, પણ મને તેનો પક્ષપાત
નથી એટલે કે વ્યવહારનો પક્ષ નથી. હું તે બધા પ્રત્યે મધ્યસ્થ છું, હું જ્ઞાયક છું ને તે પદાર્થો મને જ્ઞેય તરીકે જ
છે. તેથી હું તે પદાર્થોનો પક્ષપાત છોડીને મારા જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરું છું. જ્ઞેય પદાર્થોનો આશ્રય મને
નથી, અંતરમાં જ્ઞાયક સ્વભાવનો જ આશ્રય છે. આવી શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા તે જ ધર્માત્માની ક્રિયા છે, ને
તેનાવડે જ ભવભ્રમણનો નાશ થાય છે.
*

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
શ્રી વીંછિયામાં પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફાગણ સુદ છઠ્ઠના દિવસે બપોરે પ્રભુશ્રીના કેવળજ્ઞાન
કલ્યાણક પ્રસંગે ભગવાના દિવ્યધ્વનિા સારરૂપે પૂ. ગુરુદેવશ્રીનું
ખસ પ્રવચન
• અરિહંતદેવના દિવ્યધ્વનિો સાર •
() ર્જ્ઞ િવ્ક્ષ ? : આજે સવારે દીક્ષા કલ્યાણક થયો હતો અને અત્યારે
ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ થયો. ભગવાનના આત્માને સર્વજ્ઞપદ પ્રગટ્યું, અને સમવસરણમાં
તેમનો “ એવો અભેદ નિરક્ષરી ધ્વનિ છૂટયો. સામાન્ય જીવોની ભાષામાં ક્રમ અને ભેદ પડે છે, તેમ
ભગવાનની વાણીમાં નથી હોતું. ભગવાનની વાણી અભેદ, એક સમયમાં પૂરું રહસ્ય કહેનારી હોય છે. આમાં
સૂક્ષ્મ ન્યાય રહેલો છે.
આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો અભેદ પિંડ છે, તેની શ્રદ્ધા અને જ્ઞાન થવા છતાં જ્યાં સુધી રાગ અને
વિકલ્પ વર્તે છે ત્યાં સુધી વાણીમાં અભેદ–એકાક્ષરીપણું સહજ આવતું નથી. જ્યાં ચૈતન્યમાં ભેદ પાડનારા
ઉપાધિ ભાવો છે ત્યાં વાણી પણ ભેદવાળી આવે છે. અભેદ ચૈતન્યની સ્થિરતા દ્વારા તે ચૈતન્યમાં ભેદ પાડનારા
ઉપાધિભાવોનો નાશ થતાં, અખંડ કેવળજ્ઞાનદશા વડે આત્મા પ્રત્યક્ષ જણાયો, અને ત્યારે વાણી પણ સહજપણે
અભેદ થઈ ગઈ.
શ્રી અરિહંત ભગવાનને “ એવી એકાક્ષરી વાણી કેમ નીકળી? તેની આ વાત થાય છે. આ અંતરની
વાત છે. અભેદરૂપ ચૈતન્યસ્વભાવ કેવળજ્ઞાનથી અનુભવમાં આવે ત્યારે વાણી પણ અભેદ નીકળે છે. જ્ઞાનમાંથી
જાણવાનો ક્રમ ટળી ગયો, ત્યાં વાણીમાં પણ કથનનો ક્રમ ટળી ગયો. ત્યાં કાંઈ જ્ઞાનને કારણે તેવી વાણી નથી
નીકળતી, તેમ જ જડ વાણીને કાંઈ ખબર નથી કે ભગવાનને કેવળજ્ઞાન થયું માટે હું અભેદપણે પરિણમું. છતાં
પણ જ્ઞાનને અને વાણીને એવો જ સંબંધ છે કે જ્ઞાન પૂરું થાય ત્યાં વાણી પણ અભેદ થઈ જાય. જીવને
કેવળજ્ઞાન થયું હોય અને વાણી ભેદવાળી હોય–એમ કદી બને નહિ. ભગવાનની દિવ્ય વાણી નિરક્ષરી હોવા છતાં
સાંભળનાર જીવોને તો તે સાક્ષરીપણે શ્રવણમાં આવે છે અને સૌ પોતપોતાની ભાષામાં, પોતાની યોગ્યતા
અનુસાર સમજી જાય છે. ભગવાનનું શરીર સ્તબ્ધ–સ્થિર હોય છે, હોઠ અને મોઢું બંધ હોય છે, ને “ એવો
દિવ્યધ્વનિ સર્વાંગેથી છૂટે છે. તે એકાક્ષરી હોવા છતાં શ્રોતાજનોની પાત્રતા અનુસાર સાક્ષરીપણે સમજાય છે,
એવો તેનો સ્વભાવ છે.
(૨) ભગવાની વાણી ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. સ્વાશ્રય કરે તે જ ભગવાની વાણીને સમજ્યો છે : –
દિવ્યધ્વનિ છૂટે એવા પરમાણુ સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ બંધાય છે, ને કેવળજ્ઞાનની ભૂમિકામાં જ તે
છૂટે છે. પહેલાંં પૂર્વ ભવોમાં ભગવાનને ‘હું પરિપૂર્ણ અખંડાનંદ ચૈતન્ય પરમાત્મા છું, રાગનો એક અંશ પણ
મારો નથી’ એવું અપૂર્વ આત્મભાન તો હતું પણ હજી અસ્થિરતા હતી. પૂર્વે ત્રીજા ભવે દર્શનવિશુદ્ધિપૂર્વક એવો
વિકલ્પ થયો કે અહો, હું પરિપૂર્ણ થાઉં, અને નિમિત્તથી કહીએ તો ‘જગતના જીવો આત્માને સમજીને આ ધર્મ
પામે’–એવો ધર્મવૃદ્ધિનો વિકલ્પ ઊઠ્યો. તેના નિમિત્તે તીર્થંકર નામકર્મના જડ રજકણો બંધાયા. પછી જ્યારે તે
વિકલ્પ તૂટીને અભેદ સ્વભાવ પ્રગટ થયો ત્યારે “ એવી અભેદવાણી ધર્મસભામાં છૂટી. પૂર્વે ભગવાનને
ધર્મવૃદ્ધિના વિકલ્પથી બંધાયેલી તે વાણી જગતના જીવોને ધર્મવૃદ્ધિનું જ કારણ છે. ભગવાનની તે વાણીને કોણ
સમજ્યો કહેવાય? ભગવાન પોતે આત્માના અભેદ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરીને ભગવાન થયા છે.
અને ઉપદેશમાં પણ અભેદ આત્મ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરવાનું જ ભગવાન બતાવે છે, ભગવાનની
વાણી પરિપૂર્ણ રાગરહિતપણું જ બતાવે છે, રાગનો એક અંશ પણ આદરણીય નથી.–આમ જે સમજે તે જીવ
ભગવાનની વાણીને સમજ્યો છે. જે કોઈ જીવ પાછો પડવાની કે પુરુષાર્થના શિથીલપણાની વાત કાઢે, અથવા
રાગથી ધર્મમાને કે નિમિત્ત વગેરે પરનો આશ્રય માને તે જીવ ભગવાનની વાણીને સમજ્યો નથી. ભગવાનની
વાણીમાં પરિપૂર્ણ સ્વાશ્રયનો જ ઉપદેશ છે. પહેલાંં દ્રષ્ટિથી

PDF/HTML Page 12 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૧ :
સ્વાશ્રય થાય છે ને પછી સ્થિરતાથી સ્વાશ્રય થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સ્વાશ્રયે છે, સ્વાશ્રયને જ
ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે, અને પરાશ્રયને બંધમાર્ગ કહ્યો છે.–આમ સમજીને જે જીવ પોતાના આત્મામાં
સ્વાશ્રય પ્રગટ કરે છે તે જ ખરેખર ભગવાનના ઉપદેશને સમજ્યો છે. અને તેને જ ભગવાનની વાણી નિમિત્ત
કહેવાય છે. સમજનાર જીવ સમજે છે તો પોતાની પાત્રતાથી જ, કાંઈ ભગવાનની વાણી તેને સમજાવી દેતી
નથી. પણ નિમિત્ત તરીકે ભગવાનની વાણી કેવી છે તેની આ વાત છે. જેવો ભગવાનની વાણીનો આશય છે
તેવો જ જીવ સમજે તો જ ઉપાદાન–નિમિત્તનો મેળ થાય છે. ભગવાનની અભેદવાણી કેવળજ્ઞાનના ભણકાર
લેતી આવે છે, તે જીવોને ધર્મમાં આગળ વધવાનું જ નિમિત્ત છે. પૂર્વે પૂર્ણતાના વિકલ્પથી બંધાયેલી તે વાણી
શ્રોતાઓને પરિપૂર્ણતા તરફ લઈ જવામાં જ નિમિત્ત છે. ભગવાનનું સમ્યગ્દર્શન તે ભવમાં અપ્રતિહત હોય છે
અને અપ્રતિહત સ્વરૂપ સ્થિરતા વડે કેવળજ્ઞાન પ્રગટ કરે છે; ઈન્દ્રો આવીને દિવ્ય સમવસરણની રચના કરે છે,
બાર સભા ભરાય છે, અને પૂર્વે પૂર્ણતાના–ધર્મવૃદ્ધિના–વિકલ્પથી બંધાયેલો દિવ્યધ્વનિ સહજપણે છૂટે છે. તે
વાણી શું કહે છે?
() . : ભગવાનની વાણી કહે છે કે હે જીવો! તમારા પરિપૂર્ણ આત્મસ્વભાવને
ઓળખીને તેમાં ઠરો; આત્માના આનંદમાં ઝૂલો. અભેદ સ્વભાવમાં ઠરો...સ્વભાવમાં ઠરો. તમે તમારા આત્મામાં
પૂર્ણ સ્વતંત્ર છો, કર્મ વગેરે કોઈ પણ પદાર્થ આત્માને રોકતાં નથી. આત્માને સમજીને ઠરવાનો બધો અવસર
મળી ગયો છે. જે જીવે ખરેખર પોતાના ઉપાદાનમાં સ્વભાવ તરફની દ્રષ્ટિ અને સ્થિરતાની વૃદ્ધિને સ્વીકારી છે,
તેણે જ નિમિત્ત તરીકે અમારી વાણીને સ્વીકારી છે. સ્વભાવની વૃદ્ધિને સ્વીકારી તે તેનું ઉપાદાન છે અને વાણી
તેની નિમિત્ત છે–આવો ઉપાદાન–નિમિત્તનો મેળ છે.–આવું ભગવાનના ઉપદેશનું રહસ્ય છે.
પૂર્વે જ્યારે ભગવાનને વાણીના રજકણો બંધાણા ત્યારે નિમિત્ત તરીકે ‘હું પૂરો થાઉં પાછો ન પડું’ એમ
વિકલ્પ હતો, પણ પાછા પડવાનો વિકલ્પ ન હતો. તે ધર્મવૃદ્ધિના ભાવે બંધાયેલી વાણી જગતના જીવોને પણ
પૂર્ણતા તરફ લઈ જવામાં જ નિમિત્ત છે. આત્માનો પૂર્ણ સ્વભાવ સમજીને તેનો આશ્રય કરવાનું જ ભગવાનની
વાણી બતાવે છે, અને એ રીતે સ્વભાવ તરફ ઢળવામાં જ ભગવાનની વાણીનું નિમિત્તપણું છે. ‘તું હમણાં નહિ
સમજી શકે, તારાં કર્મ આકરાં છે માટે તારાથી પુરુષાર્થ નહિ થાય’ એવું કહેનારી ભગવાનની વાણી નથી.
આત્મા પોતાના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામીને ઠરે એવું જ એ દિવ્યવાણીનું નિમિત્તપણું
છે. એ સિવાય બીજું ઊંધુંં સમજે તે જીવ ભગવાનની વાણીને, સંતોના હૃદયને કે બાર અંગના રહસ્યને સમજ્યો
નથી. ખરેખર તેણે ભગવાનની વાણી સાંભળી જ નથી.
ભગવાનની વાણીમાં શું આવ્યું? ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ જગતમાં છ દ્રવ્યો છે; જીવ,
પુદ્ગલ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એ છ એ દ્રવ્યો સ્વતંત્ર છે. જીવ અનંત છે, પુદ્ગલો
જીવથી અનંતગણા છે, ધર્મદ્રવ્ય એક છે, અધર્મદ્રવ્ય એક છે, કાળદ્રવ્ય અસંખ્યાત છે ને આકાશદ્રવ્ય સર્વવ્યાપક
એક છે. તેમાં જીવદ્રવ્ય જ્ઞાનસહિત ચેતન છે. ને બીજા પાંચે દ્રવ્યો જ્ઞાન વગરના જડ છે. એ ચેતન અને જડ
બધા ય દ્રવ્યો પોતાના સ્વભાવથી પરિપૂર્ણ અને સ્વાધીન છે. દરેક દ્રવ્યમાં પોતપોતાના અનંતગુણો છે અને
એકેક સમયમાં તે દરેક દ્રવ્યમાં નવી નવી અવસ્થા થયા કરે છે; કોઈ બીજો તેનો કર્તા નથી. આત્માની અવસ્થા
પણ સમયે સમયે સ્વતંત્રપણે થાય છે, તે અવસ્થા વડે, પરથી ભિન્ન આત્માને સમજીને અને પોતામાં ક્ષણિક
અવસ્થાની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ કરવામાં પોતે સ્વાધીન છે.–આવું રહસ્ય ભગવાનની
વાણીમાં આવ્યું છે.
() શ્ર ર્ િ ર્ જા : ભગવાન શ્રીકુંદકુંદાચાર્ય દેવ
નીચેની ત્રણ ગાથામાં ભગવાનના દિવ્યધ્વનિનું રહસ્ય જાહેર કરતાં કહે છે કે આ જ એક મોક્ષનો પારમાર્થિક
પંથ સર્વે અરિહંતોએ પોતે અનુભવીને જગતને દર્શાવ્યો છે–
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને
જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને.
૮૧.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા, નમું તેમને.
સ્વાશ્રયે પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કર્યા પછી શ્રી ભગવાનની વાણી નીકળી કે–અરિહંત ભગવાનના
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં રાગ નથી, અપૂર્ણતા નથી, નિમિત્તનું અવલંબન નથી, તેમને પરિપૂર્ણ જ્ઞાન
ખીલી ગયું છે; જે જીવ એવા અરિહંત ભગવાનનાં દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તે ખરેખર પોતાના આત્માને જાણે
છે, ને તેનો મોહ અવશ્ય ક્ષય પામે છે. પછી શુદ્ધાત્મસ્વરૂપને પામીને તેના જ આશ્રયે રાગ–દ્વેષનો ક્ષય કરીને
કેવળજ્ઞાન પામે છે. એ જ વિધિથી બધાય અરિહંત ભગવંતોએ કર્મનો ક્ષય કર્યો છે અને એ જ ઉપદેશ કર્યો છે
તેમને નમસ્કાર હો! અદ્ભૂત રચના છે. ૮૦ મી ગાથામાં તો ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત છે. શ્રી સીમંધર
ભગવાન પાસે ગયા ત્યારે કુંદકુંદાચાર્યદેવે ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત મુખ્યપણે સાંભળી હતી. ભગવાનની
વાણીમાં તો બધું એક સાથે જ આવે છે પણ શ્રી કુંદકુંદાચાર્યદેવે ભગવાનની વાણીમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન
નીતારી લીધું હતું. તેમ જ પોતાના આત્મામાં આ પંચમકાળે ક્ષયોપશમ સમ્યક્ત્વ હોવા છતાં. અપ્રતિહત
સમ્યગ્દર્શનનું જોર હતું, તેનો આ ગાથામાં ભણકાર છે.
જેણે અરિહંત ભગવાનને જાણ્યાં તેણે પોતાના આત્માનો પણ તેવો સ્વભાવ જાણ્યો એટલે તેને
સ્વભાવના આશ્રયની પ્રતીત ખીલી ગઈ અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટ થયું, ને મોહનો ક્ષય થયો. શ્રી
આચાર્યભગવાને તો અહીં મોહના ક્ષયની એટલે ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત કરી છે, તેમાં ઊંડું રહસ્ય છે. જે
સમ્યગ્દર્શનમાં વચ્ચે ભંગ પડ્યા વિના ક્ષાયિક સમ્યગ્દર્શન થવાનું છે તે સમ્યગ્દર્શન પણ ક્ષાયિક–સમ્યગ્દર્શનની
સમાન છે હું જે સમ્યગ્દર્શનથી ઊપડ્યો છું તેમાં પાછો પડ્યા વગર અપ્રતિહત ભાવે કેવળજ્ઞાન લેવાનો છું–એમ
તે ભગવાનના આત્મામાંથી ધ્વનિ ઊઠ્યો છે.
અહા જુઓ તો ખરા ગાથા!–
जो जाणदि अरहंतं दव्वत्त गुणत्त पज्जयतेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
८०।।
આમાં કેવળી ભગવાનના અંતરનું રહસ્ય ભરી દીધું છે. અરિહંત પરમાત્મામાં પૂર્ણતા છે, તેમનામાં
જરાય રાગ–દ્વેષ નથી માટે મારામાં પણ નથી, તેમને અપૂર્ણતા નથી માટે મારામાં પણ નથી. આ પ્રમાણે,
પર્યાયમાં રાગ–દ્વેષ અને અપૂર્ણતા હોવા છતાં તેનો નિષેધ કરીને, પૂર્ણ સ્વભાવની દ્રષ્ટિમાં અપૂર્ણતાનો નાશ
કરવાની દ્રષ્ટિ થઈ ગઈ એટલે સમ્યગ્દર્શન થઈ ગયું. પછી એ જ પૂર્ણ સ્વભાવમાં લીનતા વડે મોહનો ક્ષય કરીને
આત્મા પોતે પરમાત્મા થાય છે. એ પ્રમાણે કહીને પછી ૮૨મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે–
सव्वे वि य अरहंता तेण विधाणेण खविद कम्मंसा।
किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं।।
८२।।
જુઓ તો ખરા, કુંદકુંદ ભગવાનનાં વચન ક્યાંથી આવ્યા છે!! આવું એક વચન તો કોઈ લાવો.’ सव्वे
वि य अरहंता– ‘બધાય અરિહંતોએ આમ કર્યુ’ એમ કહેવામાં પોતાની પ્રતીતનું બેહદ જોર છે. અને खविद
कम्मंसा–કર્મોનો ક્ષય કર્યો,–એમ ક્ષપકની જ વાત લીધી છે. આત્માના જ્ઞાનદ્વારા સ્વભાવનો આશ્રય કરીને જ
સર્વે અરિહંતદેવોએ કર્મના અંશોને ક્ષપાવી નાખ્યાં છે, અને પછી તે ભગવંતોએ ઉપદેશ પણ એવો જ કર્યો છે.
માટે તે એક જ મોક્ષમાર્ગ છે. બધાય અરિહંતો આ જ માર્ગે મોક્ષ પામ્યા છે, અને સમવસરણમાં દિવ્ય ધ્વનિવડે
જગતને આ જ માર્ગે ઉપદેશ્યો છે.–એમ કહીને, સ્વભાવના ઉલ્લાસથી આચાર્યદેવ કહે છે કે
णमो तेसिं– અહો,
તે ભગવંતોને નમસ્કાર હો.
જે ભગવાનના શ્રીમુખે આવ્યું અને જેને આચાર્યદેવે અંતરમાં ઝીલ્યું તે જ અહીં કહેવાય છે. આ વિધિથી
જ સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પમાય છે, બીજી કોઈ વિધિ નથી. સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર બંનેમાં
આચાર્યદેવે ક્ષાયકભાવની જ વાત કરી છે. જેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કર્યો તે જીવ રાગનો કે
અપૂર્ણદશાનો આશ્રય ન કરે; કેમકે ભગવાન સર્વજ્ઞદેવને અપૂર્ણતા કે રાગ નથી, તેથી આ આત્માને પણ રાગ કે
અપૂર્ણતા તેનો સ્વભાવ નથી. સર્વજ્ઞભગવાન એક સમયમાં પૂરું જાણે છે, તેમ મારો પણ પૂરું જાણવાનો સ્વભાવ
છે. આ પ્રમાણે, સર્વજ્ઞને જાણનાર જીવ, પોતાની અવસ્થામાં અધૂરું જ્ઞાન હોવા છતાં તે મારું સ્વરૂપ નથી. પણ
પૂરું જ્ઞાન તે જ મારું સ્વરૂપ છે–એમ પોતાના પૂરા સ્વભાવનો આશ્રય કરીને તેની પ્રતીતિ કરે છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૩ :
() ર્જ્ઞ ત્ . : ભગવાનનો ઉપદેશ આ જ
છે કે હે ભવ્ય જીવો! તમે તમારા જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરો. તમારા આત્મામાં પણ સર્વજ્ઞ સ્વભાવ ભર્યો
છે. ભગવાન થવાની પૂરેપૂરી તાકાત તમારામાં ભરી છે. તેની શ્રદ્ધા કરીને તેનું સેવન કરો તો પરમાત્મદશા
પ્રગટ થાય. જેમ મોરના ઈંડામાં જ સુંદર રંગબેરંગી મોર થવાની તાકાત છે, તેથી તેમાંથી મોર થાય છે, તે મોર
થવાની તાકાત ઈંડાની ઉપરના ફોતરામાંથી કે ઢેલની પાંખમાંથી આવી નથી. તેમ દરેક આત્મામાં પરમાત્મા
થવાની તાકાત છે, તેનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્ર થતાં તેમાંથી જ પરમાત્મદશા પ્રગટી જાય છે. તે
પરમાત્મદશા કોઈ બહારના કારણોથી કે રાગથી થતી નથી. પૂર્ણસ્વભાવ તરફ ઢળતાં સમ્યક્ મતિશ્રુતજ્ઞાનરૂપી
કળામાંથી કેવળજ્ઞાનરૂપી સંપૂર્ણ કળા ખીલી જાય છે. આત્માની કળા આ જાતની છે. એ સિવાય બહારની
કળામાં ડહાપણ ચલાવે તે આત્માની કળા નથી. અખંડ સ્વભાવ તરફ ઢળનારા મતિ–શ્રુતજ્ઞાન પણ પૂર્ણજ્ઞાન
જેવા જ છે, કેમકે તે પણ અપૂર્ણતાનો નિષેધ કરીને પૂર્ણ સ્વભાવના આશ્રયે જ કાર્ય કરે છે. જે જ્ઞાન
અપૂર્ણતાનો નિષેધ કરીને–એટલે કે વ્યવહારનો જ નિષેધ કરીને–પૂર્ણ સ્વભાવનો આદર અને આશ્રય કરે છે
તે જ્ઞાન પૂર્ણતાને પામે છે.
‘તમે આત્માનો ધર્મ નહિ કરી શકો, તમારે કોઈક બીજાની મદદ જોઈશે’–એમ ભગવાને પરાશ્રય
બતાવ્યો નથી. ભગવાને તો સ્વાશ્રય બતાવ્યો છે કે આત્માની અંદર પૂર્ણ સામર્થ્ય છે, પોતાના જ આશ્રયે તે ધર્મ
અને મુક્તિ પામે છે, તેમાં તેને કોઈ બીજાની મદદ છે જ નહિ. જેમ બેટરીમાં પાવર ભર્યો હોય છે તેથી ચાંપ
દાબીને તે પાવર સાથે જોડાણ કરતાં પ્રકાશ પ્રગટ થાય છે, તેમ આત્મામાં પરિપૂર્ણ ચૈતન્ય પાવર ભર્યો છે, તેની
શ્રદ્ધારૂપી ચાંપ દાબીને તેમાં એકાગ્ર થતાં ચૈતન્ય પ્રકાશ ખીલે છે. ભગવાનના શ્રીમુખથી મુનિવરો, અર્જિકાઓ,
શ્રાવક–શ્રાવિકા, દેવ–દેવી તેમ જ તિર્યંચો આદિની બાર સભામાં આવો ઉપદેશ નીકળ્‌યો. અને અનેક જીવો તે
સમજીને આત્મસ્વભાવના મહિમા તરફ વળતાં અપૂર્વ ધર્મ પામ્યા. અરિહંત ભગવાનને દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
શુદ્ધ થઈ ગયા છે, ત્રણકાળ ત્રણ લોકનું જ્ઞાન એક સમયમાં વર્તે છે, ચાર અઘાતિ કર્મનો સંયોગ બાકી છે તેની
પણ ત્રણકાળની અવસ્થાનું જ્ઞાન વર્તે છે, અને રાગ–દ્વેષ–મોહનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. અહો! આવા અરિહંત
ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જે જીવ જાણે તેને કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. આત્માના સર્વજ્ઞપદને જે
સમજે તેને અલ્પકાળે પરમાત્મદશા થાય જ.
() િ સ્ : ૮૨ મી ગાથામાં કુંદકુંદ પ્રભુએ કહ્યું કે 'ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત થયા;
નમું તેમને.’ ભગવાને પોતે સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યા પછી ઉપદેશ પણ એવો જ કર્યો;–એમ અહીં ઉપદેશવાળા
ભગવાનની વાત લીધી છે, એટલે તેમાં તીર્થંકરોની મુખ્ય વાત છે. તીર્થંકર ભગવંતો અપ્રતિહત પુરુષાર્થવાળા
હોય છે. તેમણે પોતે જે વિધિએ કેવળજ્ઞાન લીધું તે જ વિધિએ અન્ય મોક્ષાર્થીઓને ઉપદેશ કર્યો. તેમને મારા
ભાવે અને દ્રવ્યે ત્રિકાળ નમસ્કાર હો. અહાહા, અહીં કુંદકુંદાચાર્ય ભગવાન પોતે અરિહંતોને નમસ્કાર કરે છે.
કુંદકુંદાચાર્યદેવ પોતે છે–સાતમે ગુણસ્થાને આત્માની ચારિત્રદશામાં વર્તતા હતાં, તેઓ મહાન સંત હતા.
() સ્ િ : પહેલાંં શ્રી સર્વજ્ઞ અરિહંત ભગવંતોને વાણીમાં યાદ કર્યાં,
હવે શ્રી સંતોને યાદ કરીએ છીએ. આજે સવારમાં ભગવાનના ચારિત્રનો દીક્ષા કલ્યાણક પ્રસંગ થયો હતો, તેથી
તે ચારિત્ર વિશેષ સ્મરણમાં આવે છે. જુઓ, ચારિત્રદશા અને સાધુપદ કેવું હોય? ગણધરદેવ પણ એ પવિત્ર
પદને નમસ્કાર કરે છે. છઠ્ઠા ગુણસ્થાને વિકલ્પ ઊઠતાં ગણધરદેવ પણ નમસ્કાર મંત્ર બોલે છે, તેમાં કહે છે કે
‘णमो लोए सव्व साहूणं’–એ રીતે જેના ચરણમાં શ્રી ગણધરદેવનો નમસ્કાર પહોંચે છે એવું સાધુપદ હોય છે.
પરમાગમ શ્રી ષટ્ખંડાગમમાં મંગલાચરણ તરીકે નમસ્કાર–મંત્ર છે, તેની ધવલા ટીકામાં શ્રી વીરસેન
સ્વામી જણાવે છે કે –‘णमो लोए सव्व साहूणं’ એ પદમાં જે ‘लोए सव्व’ એવા શબ્દ છે તે અંતદિપક હોવાથી
ઉપરના ચારે પદમાં પણ તેનો અર્થ લઈ લેવો. તે આ પ્રમાણે–
णमो लोए सव्व अरहंताणं।
णमो लोए सव्व सिद्धाणं।

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
णमो लोए सव्व आइरियाणं।
णमो लोए सव्व उवज्झायाणं।
णमो लोए सव्व साहूणं।।
એ રીતે તેમાં ત્રણકાળના બધાય પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે. એક ક્ષણ પહેલાં સાધુ થયા હોય તેનો
પણ તેમાં સમાવેશ થઈ જાય છે. ગણધરદેવ સીધી રીતે કોઈ સાધુને નમસ્કાર ન કરે, પણ જ્યારે નમસ્કાર મંત્ર
બોલે ત્યારે
‘णमो लोए सव्व साहूणं’ એમ કહેતાં તેમાં લોકના સર્વે સાધુને નમસ્કાર આવી જાય છે. હે સંતો, હે
મુનિઓ! બે ઘડીમાં બાર અંગની રચના કરનાર હું ગણધર, તે તમને નમસ્કાર કરું છું. –આવો વિકલ્પ છઠ્ઠી
ભૂમિકાએ હોય છે. ત્યારપછી વંદ્યવંદ્યકભાવનો વિકલ્પ હોતો નથી.
કેવળજ્ઞાનના ધણી શ્રી તીર્થંકર ભગવાન ત્રણ લોકના નાથ, ચૈતન્ય બાદશાહ છે. અને ચાર જ્ઞાનના ધણી
શ્રી ગણધરદેવ તે તેમના વજીર છે. તેઓ બે ઘડીમાં બાર અંગની રચના કરવાનું સામર્થ્ય ધરાવે છે. અહાહા!
આવા ગણધરદેવ પણ જેને નમસ્કાર કરે એવા સાધુપદનો ને ચારિત્રદશાનો કેટલો મહિમા!! આવી ઉત્કૃષ્ટ
ચારિત્રદશા કુંદકુંદાચાર્ય ભગવાનને વર્તતી હતી. વર્તમાનમાં મહા વિદેહક્ષેત્રના ગણધરદેવ સર્વ સાધુને નમસ્કાર
કરે તેમાં પંચમ કાળના સાધુ પણ ભેગા આવી જાય છે.
અહીં પ્રવચનસારની ૮૨ મી ગાથામાં અરિહંતોને નમસ્કાર કરતાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે હે નાથ!
આપ જે માર્ગે પૂર્ણદશા પામ્યા તે જ માર્ગ અમને દેખાડીને આપ નિર્વાણદશા પામ્યા, આપને હું નમસ્કાર કરું છું;
જેને ગણધરદેવ નમસ્કાર કરે છે એવા સાધુપદનો ધારક હું આપને નમસ્કાર કરું છું. કુંદકુંદાચાર્યદેવે
પ્રવચનસારનાં મંગળાચરણમાં ગણધરાદિ સર્વ સંતોને પણ નમસ્કાર કર્યાં છે. આ રીતે ગણધરો અને મુનિઓ
અરિહંતભગવાનને નમસ્કાર કરે છે. ગણધરદેવ નમસ્કાર મંત્ર દ્વારા મુનિઓને નમસ્કાર કરે છે. અને
કુંદકુંદાચાર્યદેવ ગણધરાદિ સંતોને નમસ્કાર કરે છે. શુભ વિકલ્પ ઊઠ્યો છે તેથી પરને નમસ્કારનો ભાવ છે,
ખરેખર તો તે રાગનો નિષેધ કરીને અંદર સ્વરૂપમાં ઢળતા જાય છે તે જ ભાવ નમસ્કાર છે.
() સ્ત્ર , : ભગવાનનો દિવ્યધ્વનિ કહે છે કે હે જીવો! તમે સ્વતંત્ર છો...સ્વતંત્ર છો...
સ્વતંત્ર છો, દ્રવ્યથી સ્વતંત્ર છો, ગુણથી સ્વતંત્ર છો ને પર્યાયથી પણ સ્વતંત્ર છો. પરાધીનતાને યાદ કરશો
નહિ. તમારો વર્તમાન સમય તમારા હાથમાં છે. પૂર્વના વિકારનો તો વ્યય થઈ જાય છે, હવે વર્તમાન સમયને–
વર્તમાન અવસ્થાને સ્વભાવ તરફ વાળવા તમે સ્વતંત્ર છો. તમારા કેળવજ્ઞાનની તૈયારી તમારા હાથમાં છે.
તમે તમારા પરિપૂર્ણ સ્વભાવ તરફ વાળો. વર્તમાનની અપૂર્ણતાનો આશ્રય કરશો નહિ, પૂર્વના વિકારી
પર્યાયને યાદ કરશો નહિ, કેમકે તેનો તો વર્તમાનમાં અભાવ છે. સંયોગ સામે જોશો નહિ, કેમકે તેનો
આત્મામાં ત્રિકાળ અભાવ છે.
() િવ્ધ્િ શ્ર ર્ં? : આવો સ્વભાવ–આશ્રયનો ઉપદેશ સાંભળીને ઘણા પાત્ર જીવો
પોતાના સ્વભાવ તરફ વળ્‌યા ને સમ્યગ્દર્શન પામી ગયા. ઘણા જીવોએ સ્વરૂપમાં ઠરીને ચારિત્રદશા પ્રગટ કરી.
જેને ત્યાં એકેક સેકંડમાં કરોડો સોનામહોરોની પેદાશ થતી હોય એવા રાજાઓની આઠ–આઠ વર્ષની
રાજકુંવરીઓ પણ ભગવાનનો ઉપદેશ સાંભળતાં, ‘અહો, આવો મારો આત્મા!’ એમ સ્વભાવની રુચિ કરતાં
સમ્યગ્દર્શન પામી ગઈ. દેડકાં પણ સમ્યગ્દર્શન પામી ગયાં. દેડકાને પણ અંદર આત્મા છે ને! આત્મા ક્યાં
દેડકાના શરીરપણે થઈ ગયો છે? દેડકાને વ્યંજન પર્યાય નાનો છે, પણ આત્માના જ્ઞાનને નાના–મોટા વ્યંજન
પર્યાય સાથે સંબંધ નથી. એક જીવ ૫૦૦ ધનુષ્યના વ્યંજન પર્યાયવાળો હોય અને બીજો જીવ ૭ ધનુષ્યના
વ્યંજન પર્યાયવાળો હોય, તે બંને કેવળજ્ઞાન પામે તો ત્યાં બંનેનું કેવળજ્ઞાન સરખું જ છે. ક્ષેત્રની મોટાઈથી
(વ્યંજનપર્યાયથી) આત્માની મહત્તા નથી, પણ ભાવની મોટાઈથી (–અર્થ પર્યાયથી) આત્માની મહત્તા છે.
કોઈને ૫૦૦ ધનુષ્યનો દેહ હોય છતાં ઊંધા ભાવથી મરીને નરકે જાય, અને કોઈને નાનો દેહ હોય છતાં
કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય. માટે હે ભાઈ! તું શરીરની આકૃતિનું કે આત્માના નાના–મોટા વ્યંજનપર્યાયનું
લક્ષ છોડીને, આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી મોટો છે તે સ્વભાવને જો. જંગલમાંથી મોટા મોટા સિંહ–વાઘ ને
રીંછ ત્રાડ પાડતા આવે છે ને ભગવાન પાસે આવતાં શાંત થઈને ઠરી જાય છે અને વાણી સાંભળીને અંતરમાં
વળતાં તે પણ સમ્યગ્દર્શન પામે છે. મોટા ફણીધર ફૂંફાડા મારતા

PDF/HTML Page 16 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૫ :
નાગ આવે, અને અંદર ઠરી જાય કે અહા! અમે તો અમૃતસ્વરૂપ છીએ. દાઢમાં ઝેર ભર્યું હોય પણ ભાન છે કે
આ શરીર તે હું નથી, હું તો અમૃતમય ચૈતન્ય ભગવાન છું. –આવો ભગવાનનો પ્રતાપ છે એમ નિમિત્તથી
કહેવાય છે, ખરેખર તો તે દરેક જીવોની પોતાની લાયકાતનો જ પ્રતાપ છે.
(૧૦) જૈનશાસન અને તેમાં કહેલો રાગ ટાળવાનો ઉપાય
ભગવાનને પૂર્વે છદ્મસ્થદશામાં પૂર્ણ થવાનો વિકલ્પ હતો ત્યારે વાણી બંધાણી, અને ભગવાન પૂર્ણ સર્વજ્ઞ
થયા ત્યારે સહજપણે રાગ વગર અભેદ વાણી છૂટી, તેમાં અભેદ સ્વભાવ તરફ વળવાનો ઉપદેશ છે. જે જીવ
અભેદ સ્વભાવને પકડી લ્યે તે જીવ ભગવાનની વાણીને સમજ્યો છે. અભેદ સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને
તેમાં ઠરવું તે જ જૈનશાસન છે, વચ્ચે ભેદ પડે ને રાગ થાય તે જૈનશાસન નથી. સાધકદશામાં રાગનો નિષેધ
કરીને સ્વભાવ તરફ વળવા માટે રાગનું જ્ઞાન હોય છે, પણ જે રાગ થાય છે તે જૈનશાસન નથી, ને તે રાગ
કરવાનો ઉપદેશ નથી, રાગરહિત અખંડ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ કરીને રાગરહિતપણે ઠર્યો તે જ જિનશાસન છે.
ખરેખર તો રાગનો નિષેધ પણ કરવો નથી પડતો, સ્વભાવ તરફ એકાગ્ર થતાં રાગનો નિષેધ થઈ જાય છે.
‘રાગનો નિષેધ કરું’ એમ વિકલ્પ કરવા જાય ત્યાં તો ઊલટી રાગની ઉત્પત્તિ થાય છે, અને તે રાગની ઉત્પત્તિને
રાગ ટાળવાનો ઉપાય માને ત્યાં મિથ્યાત્વ થાય છે. તેથી અખંડાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરીને તેમાં એકાગ્ર થવું તે
એક જ રાગ ટાળવાનો ઉપાય છે. અંદરમાં આત્માની તૈયારી અને પાત્રતા હોય તો નાનું દેડકું પણ આવો
સ્વભાવ સમજી જાય છે. અને જો આત્માની પોતાની પાત્રતા ન હોય તો મોટા મોટા શાસ્ત્ર ભણેલા વિદ્વાનો પણ
સમજતા નથી; કાંઈ ભગવાન કોઈને સમજાવી શકતા નથી. ભગવાને તો દરેક આત્માની સ્વતંત્રતાનો ઢંઢેરો
જાહેર કર્યો છે. જો ભગવાનને લીધે કોઈ સમજતું હોય તો, ભગવાને પોતે કહેલી સ્વતંત્રતા જ રહેતી નથી. જે
જીવો પોતાની અંતરની પાત્રતાથી જાગીને સમજે છે તે જીવો વિનયથી ભગવાનમાં આરોપ કરીને કહે છે કે
અહો, નાથ! આપે પરમ ઉપકાર કરીને, અમને તાર્યા, આપે અમને આત્મા સમજાવ્યો. પણ યથાર્થ
વસ્તુસ્થિતિનું તે વખતે અંતરમાં ભાન છે.
(૧) શ્રોતાજનોની પાત્રતા અને દિવ્યધ્વનિું નિમિત્તપણું
‘તારો જ્ઞાનસ્વભાવ છે, જગતના બધા પદાર્થો પોતપોતાના સ્વકાળ પ્રમાણે પરિણમી રહ્યાં છે, તેમાં
ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. તારા વર્તમાન પરિણામ તારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ આવે છે. તું તારા વર્તમાન
પરિણામને સ્વ તરફ વાળીને સ્વ દ્રવ્યને નકકી કરી લે.’ આવો અરિહંત ભગવાનનો ઉપદેશ સાંભળીને પોતાના
પરિણામને સ્વભાવમાં વાળતાં કોઈ જીવો ગણધર થયા, કોઈ મુનિ થયા, કોઈ અર્જિકા થયા, કોઈ સમ્યગ્દર્શન
સહિત વ્રતધારી શ્રાવક–શ્રાવિકા થયા. અને કોઈ સમ્યગ્દ્રષ્ટિ થયા. તેમ જ કેટલાક જીવો માત્ર શુભરાગ કરીને
પણ બહાર નીકળ્‌યા. જેને પૂર્વનાં મહાભાગ્ય હોય તેને ભગવાનના સમવસરણમાં ધ્વનિ સાંભળવાનો યોગ મળે,
અને જેને વર્તમાન અપૂર્વ પાત્રતાનો પુરુષાર્થ હોય તેને જ તેની રુચિ થાય અને સમજાય. ભગવાનની વાણી તો
અભેદ છે પણ દરેક જીવ પોતાની પાત્રતા અનુસાર સમજી જાય છે. ભગવાનનો ઉપદેશ સાંભળતાં કોઈ એમ
સમજે કે ‘ભગવાનની વાણીમાં મારા માટે એમ આવ્યું કે ‘તું એકાવતારી છે’, ‘તું ભવિષ્યમાં કેવળજ્ઞાન પામીને
મોક્ષ જઈશ’, ‘તું ત્રીજા ભવે ક્ષાયિક સમ્યગ્દર્શન પામીશ,’ ‘તું આ જ ભવે મોક્ષ જઈશ,’ ‘તું ભવિષ્યમાં તીર્થંકર
થઈશ. ’ –ઈત્યાદિ પ્રકારે સાંભળનારા પોતપોતાની લાયકાત પ્રમાણે સમજી જાય છે, અને ‘ભગવાને આજે આ
પ્રમાણે કહ્યું’ એમ, પોતાની સમજણનો નિમિત્તમાં આરોપ કરીને કહે છે. વાણીમાં તો એક સાથે બધુંય આવે છે,
પણ જે શ્રોતા પોતાની લાયકાતથી જેટલું સમજે છે તેને માટે તેટલું નિમિત્ત કહેવાય છે. જ્યારે શ્રી કૃષ્ણનો પુત્ર
પ્રદ્યુમ્ન ખોવાઈ ગયો ત્યારે તે સંબંધી પૂછવા માટે નારદજી અહીંથી સીંમધરભગવાન પાસે ગયા હતા, તેમને
વાણી સાંભળતાં પ્રદ્યુમ્નચરિત્ર સમજાયું, તે જ વખતે બીજા શ્રોતાઓમાં કોઈને દ્રવ્યાનુયોગ, કોઈને કરણાનુયોગ
અને કોઈને ચરણાનુયોગ સમજાયો. ત્યાં પોતાની પાત્રતાથી સૌ જે જે સમજ્યા તે તે પ્રકારે ભગવાનની વાણીને
નિમિત્ત કહે છે. નારદજી કહે કે આજે ભગવાને પ્રદ્યુમ્નચરિત્ર કહ્યું, દ્રવ્યાનુયોગ સમજનાર

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૭૬ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
કહે કે આજે ભગવાને દ્રવ્યાનુયોગનો અપૂર્વ ઉપદેશ કર્યો, કરણાનુયોગ સમજનાર કહે કે કરણાનુયોગ કહ્યો, ને
ચરણાનુયોગ સમજનાર કહે કે ચરણાનુયોગ કહ્યો. ત્યાં એક સાથેે તે બધાને નિમિત્ત થાય તેવી ખાસ યોગ્યતા
ભગવાનની દિવ્ય વાણીમાં જ છે. જે જીવ કેવળી ભગવાનના ઉપદેશને સમજે તેને કેવળજ્ઞાન થયા વિના રહે નહિ.
ભગવાનના દિવ્યધ્વનિમાં એક સાથે અનંતુ રહસ્ય આવે છે; વાણી દ્વારા કહેવામાં તેનો પાર આવે નહિ,
ભગવાનનો આશય સમજી જાય તે પાર પામે.
આત્માની સાચી સમજણ
[મહા સુદ ૧૨ ગુરૂવારના રોજ ઉમરાળામાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન : શ્રી પદ્મનંદી પંચવિંશતી]

આત્મા જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે, તેની કદી શરૂઆત થઈ નથી એટલે તે અનાદિ છે અને કદી તેનો નાશ
થતો નથી એટલે તે અનંત છે. આત્મા પોતાની જાતને ભૂલીને અનાદિ કાળથી રખડે છે. આ શરીર જડ
પરમાણુઓનું બનેલું છે, તેનાથી આત્મા જુદો છે. આ શરીર તો નવું ઉત્પન્ન થયું છે, પણ આત્મા કાંઈ નવો
ઉત્પન્ન થયો નથી. શરીર થયા પહેલાંં પણ આત્મા તો ક્યાંક બીજા ભવમાં હતો. અને શરીરનો તો નાશ થઈ
જાય છે પણ આત્માનો નાશ થતો નથી. શરીરના નાશ પછી પણ આત્મા રહેશે. શરીરથી જુદાં, ચૈતન્યસ્વરૂપ
આત્માનું અજ્ઞાન છે તેથી જીવ નવા નવા ભવ ધારણ કરીને સંસારમાં રખડે છે. તે અજ્ઞાન ટાળવાનો ઉપાય
સત્સમાગમે સાચું જ્ઞાન કરવું તે જ છે. જેમ ઘણાં કાળનું અંધારું હોય તે ટાળવાનો ઉપાય દીવો જ છે. એ
સિવાય પાવડા કે કોદાળાથી તે ટળે નહિ. તેમ આત્માની ઓળખાણ કરીને સમ્યગ્જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ કરવો તે
જ અનાદિના અજ્ઞાન–અંધકારને ટાળવાનો ઉપાય છે. એ સિવાય જડ શરીરની કોઈ ક્રિયાથી કે પુણ્ય પરિણામથી
અજ્ઞાન અંધકાર ટળતો નથી. અંધારું ટાળવા માટે પ્રકાશ ન કરે અને બીજી ગમે તેટલી મહેનત કરે તો અંધારું
ટળે નહિ. પ્રકાશ પ્રગટ કરવો તે જ અંધારું ટાળવાનો ઉપાય છે. તેમ ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન
વગર દયા, દાન, વ્રત, પૂજા, ત્યાગ વગેરે ગમે તેટલું કરે તોપણ અજ્ઞાન ટળે નહિ અને જન્મ–મરણનો અંત
આવે નહિ. અનંત અનંતકાળમાં જીવ બધું કરી ચૂક્યો છે પણ આત્માની સાચી સમજણ કદી કરી નથી.
આત્માના અજ્ઞાનને લીધે જ જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે. જો એક સેકંડ પણ આત્માની રુચિ કરીને
તેની ઓળખાણ કરે તો તેના જન્મ–મરણનો અંત આવ્યા વિના રહે નહિ. તેથી સૌથી પહેલાંં આત્માની સાચી
સમજણનો જ ઉપદેશ છે.
સિંહણ સિંહથી ડરતી નથી, કેમકે તેને ભાન છે કે આ પ્રાણી મારી જાતનું જ છે. તેમ, ‘હું આત્મા વિકાર
વગરનો જ્ઞાનમૂર્તિ છું, સિદ્ધ ભગવાનની અને મારી એક જાત છે’–આવું ભાન કરે તે જીવ નિર્ભય થાય છે. જો
વિકાર વગરના પરિપૂર્ણ આત્મસ્વભાવનું ભાન કરે તો ભવનો ભય ટળી જાય છે, ‘હું અનંત ભવમાં રખડીશ’
એવી શંકા તેને રહેતી નથી. પણ સિદ્ધ જેવી પોતાના આત્માની જાત છે તેને જે ઓળખે નહિ તેને ભવનો ભય
ટળે નહિ.
જેમ કોઈ માણસ દરજી પાસે કાપડનો તાકો લઈને લૂગડાં સીવડાવવા જાય, ત્યાં તે માણસને જે જાતનાં
લૂગડાં કરાવવા હોય તેની જાત અને તેનું માપ જાણ્યાં વગર તે તાકો વેતરવા માંડે તો તાકો નકામો જાય.
લૂગડાંની જાત અને માપ નકકી કરવામાં જે વખત જાય તે પણ લૂગડાં માટે જ છે. તેમ પહેલાંં આત્માની જાતને
ઓળખ્યા વગર પુણ્યમાં ને શરીરની ક્રિયામાં ધર્મ માને તો તેનો કાળ નકામો જાય. આત્માનું સાચું જ્ઞાન કર્યા
વગર વ્રત–ઉપવાસાદિથી ધર્મ થવાનું માની લ્યે તેને ધર્મ તો ન થાય પણ મનુષ્યભવ નકામો ચાલ્યો જાય. દરજી
પણ પહેલાંં લૂગડાંની જાત અને માપ જાણ્યાં પછી કાપડ વેતરે છે તેમ ધર્મ કરનારે પહેલાંં આત્માનું સાચું જ્ઞાન
કરવું જોઈએ. સાચી સમજણ માટેના પ્રયત્નમાં જે વખત જાય તે પણ ધર્મનું કારણ છે. પહેલાંં આત્માની સાચી
સમજણ કર્યા પછી તેમાં ઠરવાની ક્રિયા કરે તો મોક્ષદશા તૈયાર થાય.
આત્માની મૂળ વાત તો સૂક્ષ્મ છે, આ તો આત્માના

PDF/HTML Page 18 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૭ :
મહિમાની સ્થૂળ ઝાંખી અપાય છે. આ વાતનો મહિમા લાવીને વધારે પરિચય કરે તો વિશેષ સમજાય. આ
શરીર આત્માનું નથી. મરણ ટાણે પથારીમાં સૂતો હોય અને અંદર રહેલો આત્મા શ્વાસ લેવાની ઘણી ઈચ્છા
કરે, છતાં શ્વાસ પણ સરખો લઈ શકાતો નથી. કેમકે શ્વાસ લેવાની ક્રિયા આત્માની નથી. લોકો પણ ઘણી વાર
બોલે છે કે શ્વાસ પણ સગો નથી. શ્વાસ પણ જ્યાં આત્માનો નથી તો શરીર અને બાયડી છોકરાં તો આત્માના
કયાથી હોય? પ્રભો! તારો આત્મા શરીર વગરનો ચૈતન્ય મૂર્તિ છે, તેની ઓળખાણ સિવાય તને કોઈ શરણ
નથી. આત્માનું ભાન થતાં અનંતકાળના અજ્ઞાનનો એક ક્ષણમાં નાશ થઈ જાય છે. જેમ સૂર્યનું એક કિરણ
પ્રગટતાં જ આખી રાતના અંધારાનો નાશ થઈ જાય છે તેમ એક સેકંડ પણ આત્માની યથાર્થ સમજણ કરતાં
અનાદિના અજ્ઞાનનો નાશ થઈ જાય છે. અનાદિના અજ્ઞાનને નાશ કરવા માટે અનંતકાળની જરૂર પડતી
નથી, પણ એક ક્ષણમાં જ સાચી સમજણવડે તેનો નાશ થઈ જાય છે. સાચી સમજણ સિવાય બીજા અનંત
ઉપાય કરવામાં આવે તોપણ તે બધા વ્યર્થ છે. સાચી સમજણથી જ મોક્ષમાર્ગની એટલે કે ધર્મની શરૂઆત
થાય છે.
सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः અર્થાત્ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે મોક્ષનો
માર્ગ છે; તેમાં સમ્યગ્જ્ઞાન કેમ થાય તેની આ વાત ચાલે છે. આવા સમ્યગ્જ્ઞાન વગર સમ્યક્ચારિત્ર કદી હોતું
નથી અને તે વિના મુક્તિ થતી નથી.
આ અધિકારનું નામ ‘સદ્બોધચંદ્રોદય અધિકાર’ છે. જેમ ચંદ્રનો ઉદય થતાં તેનાં કિરણો અંધકાર ટાળીને
પ્રકાશ કરે છે અને તાપ ટાળીને શાંતિ કરે છે; તેમ આત્મામાં સાચા જ્ઞાનરૂપી ચંદ્રનો ઉદય થતાં અજ્ઞાન–
અંધકારનો નાશ કરે છે અને સંસારમાં ભવભ્રમણનો ઉકળાટ મટાડીને આત્માનું સુખ પ્રગટ કરે છે. માટે
આત્માનું સાચું જ્ઞાન પ્રગટ કરો ને અજ્ઞાન ટાળો–એવો આચાર્યદેવનો ઉપદેશ છે.
જો રુચિ કરીને સમજવા માગે તો આ વાત સમજાય તેવી છે. અનંતકાળમાં કદી એક સેકંડ પણ
આત્માની દરકાર કરી નથી. જીવ જો પોતાના આત્માની દરકાર કરીને સમજવા માટે બે ઘડી પણ યથાર્થ પ્રયત્ન
કરે તો ‘આત્મા શું અને તેની મુક્તિ કેમ થાય?’ તેનું ભાન થઈ જાય, અને અલ્પકાળે મારી મુક્તિ છે–એમ
આત્મામાં નિઃસંદેહતા થઈ જાય. પુણ્ય અને પાપ તો જીવે અનંતવાર કર્યાં છે અને તેના ફળમાં સ્વર્ગ–નરકમાં
અનંતવાર ગયો છે. જ્યાં ગયો ત્યાં દેહને અને પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે, પણ દેહથી અને
પુણ્ય–પાપથી જુદો પોતાનો આત્મા કોણ તેની કદી ક્ષણમાત્ર સમજણ કરી નથી. બાપુ! આત્મા કોણ છે? તેની
સમજણ કરો; આ જાણવા જેવી વાત છે, તેને જાણજો.
આત્માનું સ્વરૂપ શું છે?–કે જેને જાણવાથી ધર્મ થાય, તેનું આ વર્ણન ચાલે છે. આત્મા શરીરથી તો જુદો
જ છે, અને ક્ષણિક પુણ્ય–પાપની લાગણીઓ થાય તેટલો પણ આત્મા નથી. આત્મા પોતે નિત્ય છે, ને અનિત્ય
પણ છે નિત્ય–અનિત્યરૂપ આત્મસ્વભાવ છે. હું દુઃખ ટાળીને સુખી થાઉં, અધર્મ ટાળીને ધર્મ કરું–એવી ભાવના
જીવને થાય છે. જો આત્મા પલટતો જ ન હોય ને તદ્ન કૂટસ્થ જ હોય તો દુઃખ ટાળીને સુખી થઈ શકે નહિ;
અને દુઃખના નાશ ભેગો આત્માનો જ નાશ કરવા માંગતો નથી પણ દુઃખ ટાળીને પોતે સુખરૂપે કાયમ રહેવા
માગે છે. જો આત્મા કાયમ ટકનાર–ધ્રુવ ન હોય ને ક્ષણિક જ હોય તો દુઃખના નાશ ભેગો આત્માનો પણ નાશ
થઈ જાય, અને દુઃખ ટાળીને સુખનો અનુભવ કરનાર કોઈ રહે નહિ. માટે આચાર્યદેવ કહે છે કે આત્મા નિત્ય
તેમજ અનિત્ય છે, એટલે તે વસ્તુ કાયમ ટકીને બદલે છે. આવા આત્મસ્વભાવને જાણે તો અનિત્યનો આશ્રય
છોડીને ધ્રુવ નિત્ય સ્વભાવના આશ્રયે અજ્ઞાન ટળીને સમ્યગ્જ્ઞાન રૂપી ધર્મ થયા વિના રહે નહિ.
જીવને અનાદિથી પોતાની ચૈતન્ય જાતનું ભાન નથી તેથી શરીરને તે પોતાનું માને છે તેમ જ ક્ષણિક
દયાદિ લાગણીને પોતાનું સ્વરૂપ માને છે, તે અજ્ઞાન છે. સત્સમાગમે આત્માનું ભાન કરે તો તે અજ્ઞાન ટળે.
વળી આત્મા ગુરુ અને લઘુ છે. આત્મા ખરેખર પુણ્ય–પાપનો ને શરીરનો જ્ઞાતા છે અને પોતે
સ્વાભાવિક આનંદ–સ્વરૂપ છે. તેને ભૂલીને અજ્ઞાની શરીરાદિને પોતાના માને છે અને પરમાંથી આનંદ લેવા
માગે છે. એક ક્ષણિક બજરની છીંકણી મળે ત્યાં આનંદ માની બેસે છે. અરે જીવ! તારી વૃત્તિની કેટલી
તુચ્છતા!

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૭૮ : આત્મધર્મ : મહા : ૨૦૦૬ :
અને પાપની કેટલી ગુરુતા? પાપભાવ થાય તે ગુનો છે છતાં તે ગુનાને તું આનંદ માને છે! જીવોની હિંસા
કરવી, ચોરી કરવી વગેરેમાં આનંદ માને છે, અહો! તારા પાપની કેટલી ગુરુતા છે? એક વાર એક ભરવાડણ
ઘી વેચીને તેના ત્રણ રૂપિયા લઈને જતી હતી. રસ્તામાં કોઈ લૂંટારો મળ્‌યો અને તે રૂપિયા માગ્યા, ભરવાડણ
બાઈ તે ત્રણ રૂપિયા મોઢામાં નાંખીને પેટમાં ઉતારી ગઈ. ત્યાં લૂંટારાએ તેનું પેટ ચીરીને તે ત્રણ રૂપિયા કાઢી
લીધા. અહો, જુઓ! મનુષ્ય હિંસા કરતાં જરાય અચકાતો નથી. ત્રણ રૂપિયા જેટલી પણ માણસની કિંમત ન
રહી. કેટલાં નીચ પરિણામ! એનું નામ પાપની ગુરુતા છે. એ વખતે સાધારણ માણસને સ્વપ્નેય એમ ન લાગે
કે આ જીવ પરમાત્મા થશે. પણ તે ક્રૂર પરિણામો ક્ષણિક છે, તે પલટીને બીજી ક્ષણે લઘુતા પ્રગટ કરી શકે છે.
ક્રૂર પરિણામવાળા જીવોને અંદરમાં વિચાર નથી રહેતો કે ‘અરે હું કોણ છું? મારું ચૈતન્ય સ્વરૂપ શું
છે? અરે, આ મનુષ્યદેહની સ્થિતિ અલ્પ છે, મારો આત્મા અહીંથી ક્યાં જશે?’– એમ તેને જરાય ખ્યાલ નથી
રહેતો. આચાર્યદેવ કહે છે કે એવા ક્રૂર જીવને તેનું પરમાત્મ સ્વરૂપ ઓળખવું કઠણ છે. મલિન પરિણામ કૃત્રિમ
છે, તે કૃત્રિમ પરિણામ વખતે અંદર ચૈતન્ય ભગવાન અકૃત્રિમ પડ્યો છે, તે સમજવું જગતને કઠણ પડે છે.
લોકો ક્ષણિક પરિણામને જ ભાળે છે પણ અંદરનાં ધ્રુવ પવિત્ર સ્વભાવને સમજતા નથી. જેમ ખીલે બાંધેલી
ભેંસ ઊછાળા મારતી હોય, ત્યાં લોકો ભેંસનું અને દોરડાનું જોર ભાળે છે. પણ ખરેખર ત્યાં ભેંસનું કે દોરડાનું
જોર નથી પરંતુ ભેંસ કૂદાકૂદ કરવા છતાં વચ્ચે ખીલો ધરબાઈને પડ્યો છે, તે જરાય હલતો નથી, તેનું જોર છે.
લોકો બ્રાહ્યક્રિયાને જોનારા હોવાથી ભેંસના ઊછાળાનું જોર દેખે છે પણ ખીલો ચાલ્યા વગરનો સ્થિર છે તેનું
જોર દેખતા નથી, તેમ ચિદાનંદ ભગવાન આત્માના પર્યાયમાં ક્ષણિક વિકાર થાય છે તેનું જોર નથી, પણ
ક્ષણિક વિકાર થવા છતાં સ્વરૂપ આત્મસ્વભાવ ત્રિકાળ એવો ને એવો રહે છે તેનું જોર છે. ગમે તેવો વિકાર
ભાવ તો ક્ષણિક છે, બીજી જ ક્ષણે તે નાશ પામી જાય છે, અને શાશ્વત આત્મસ્વભાવ છે તે ક્ષણિક વિકાર
ભેગો નાશ થઈ જતો નથી પણ ધ્રુવ એકરૂપ ટકી રહે છે, તેનો જ મહિમા છે, ને તેના જ જોરે પર્યાયમાં
નિર્મળતા પ્રગટેે છે. તે સ્વભાવની સમજણ જગતના જીવોને ગહન છે. લોકો પર્યાય બુદ્ધિથી જોનારા છે. તેઓ
ક્ષણિક પર્યાયના પુણ્યપાપને જ ભાળે છે પણ પુણ્ય–પાપ રહિત નિત્ય એકરૂપ જ્ઞાયક સ્વભાવ છે તેને ભાળતા
નથી.
જે જીવો વધારે પાપવાળાં છે તેમને અહીં ‘ગુરુ’ કહ્યા છે. જેઓ ભારે પાપવાળાં છે તેવા જીવોને
આત્માની સમજણ દુર્લભ છે. પણ તે પાપના બોજા પાછળ ચિદાનંદ ભગવાન પડ્યો છે. તેનું ભાન કરીને
મિથ્યાત્વાદિ પાપનો નાશ કર્યો તે જીવો પાપમાં હળવા એટલે કે ‘લઘુ’ છે. અંતરમાં આત્માની સમજણ કરીને
તેમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન થાય છે. આવા આત્માની સમજણ પણ જગતના જીવોને દુર્લભ છે, અને સમજણ
વગર ................. ક્યાંથી પ્રગટે? સત્સમાગમે ચૈતન્યની સમજણ કરવી તે જ ધર્મનો ઉપાય છે.
જેમ અગ્રિનો ઊનો સ્વભાવ છે, ને પાણીનો ઠંડો સ્વભાવ છે. ઊનું પાણી થયું તે વખતે પણ તેમાં શીતળ
સ્વભાવ રહેલો છે; તે શીતળ સ્વભાવ આંખથી કે હાથથી જણાય નહિ પણ જ્ઞાનથી જ નક્કી થાય છે. તેમ આ
આત્માનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ છે, પર્યાયમાં ક્ષણિક વિકાર થવા છતાં તે વખતે ય મૂળ અવિકારી સ્વભાવ
નાશ થઈ ગયો નથી. શરીરથી જુદો, આત્માને અરૂપી નિર્મળ જ્ઞાન સ્વભાવ ઈન્દ્રિયોથી જણાય નહિ, પણ
અંદરમાં સ્વભાવનું જ્ઞાન કરે કે હું તો બધાને જાણું છું ને આ શરીર તો કાંઈ જાણતું નથી, રાગ રાગને જાણતો
નથી, રાગનો પણ હું જાણનાર છું, માટે જાણનાર જ હું છું.–એમ સ્વભાવની દ્રષ્ટિથી સમજે તો જ આત્માનો
સ્વભાવ જણાય.
ફદીયાં પડે તેવું ઊનું થાય તોપણ પાણીમાં અગ્નિને ઓલવી નાંખવાનો સ્વભાવ છે. અગ્નિને
ઓલવવાના પોતાના સ્વભાવને ટકાવી રાખીને પાણી ઊનું થયું છે. જે અગ્નિના નિમિત્તે પાણી ઊનું થયું તે જ
અગ્નિ ઉપર તેને ઢોળી નાંખો તો તે અગ્નિને ઓલવી નાંખે છે. તેમ આ શાંત મૂર્તિ ચૈતન્યસ્વભાવી આત્મા
અનાદિકાળથી અજ્ઞાન ભાવમાં બળ્‌યો–જળ્‌યો છે, ને આકુળતામાં તપી રહ્યો છે, પણ તેનો જ્ઞાનસ્વભાવ શીતળ–
શાંત છે. વિકાર વખતે ય વિકારનો નાશ કરવાનો સ્વભાવ છે. જો એક ક્ષણ પણ તે

PDF/HTML Page 20 of 21
single page version

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૯ :
જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ કરે તો તે અનાદિના વિકારનો નાશ કરી નાખે છે. આવા આત્મસ્વભાવની દ્રષ્ટિ કરવી તે
જ સંવર–નિર્જરારૂપ ધર્મ છે.
આત્મા પોતાના સ્વભાવ તરફ વળતાં વિકારની ઉત્પત્તિ થતી નથી, અને કર્મોનો નાશ સ્વયં થઈ જાય
છે; ત્યાં આત્માએ વિકારનો નાશ કર્યો ને આત્માએ કર્મોનો નાશ કર્યો એમ ઉપચારથી કહેવાય છે. ‘लोगस्स’
સ્તુતિમાં આવે છે કે ‘विहुचरयमला’ એનો અર્થ એમ છે કે હે ભગવાન! આપે રજ અને મળને ધોઈ નાખ્યા
છે; રજ એટલે કર્મની ઝીણી ધૂળ અને મળ એટલે રાગ–દ્વેષ–અજ્ઞાન. આત્માના ભાન વડે ભગવાને તે રજ અને
મળ બંનેને ધોઈ નાખ્યા છે એટલે કે ભગવાનને તેનો નાશ થઈ ગયો છે.
હે ભાઈ! તારા આત્માની અત્યંત ગહનતા છે. તું સાચી સમજણનો પ્રયત્ન ન કરે તો તારી ગહનતાનો
મહિમા તને કેમ સમજાય? તું તારા આત્માની સાચી સમજણની વાત ન પૂછે, ને બીજી વાતો પૂછે, તો તને તારું
સ્વરૂપ કેમ સમજાય? જો સત્સમાગમે પરિચય કરીને આત્માને સમજ, તો તને પુણ્ય–પાપની ગુરુતા ટળીને
કેવળજ્ઞાનરૂપી લઘુતા પ્રગટે.
અનાદિકાળથી પોતે પોતાના સ્વભાવને ભૂલ્યો છે, ને તે ભૂલને લીધે જ રખડે છે; પણ અજ્ઞાની જીવો
પોતાની ભૂલને ઓળખતા નથી અને કર્મનો વાંક કાઢે છે. આ સંબંધમાં એક દ્રષ્ટાંત આવે છે. એક હતો વાંદરો,
તેણે બોર લેવા માટે માટલામાં હાથ નાખ્યો. અને બોરની મૂઠી ભરીને હાથ બહાર કાઢવા માંડયો, પણ બોરની
મોટી મૂઠી વાળેલ હોવાથી માટલામાંથી હાથ બહાર નીકળ્‌યો નહિ. એટલે વાંદરો સમજ્યો કે “અરે, મારો હાથ
ભૂતે પકડ્યો”. એમ માનીને તે રોવા માંડયો! પોતે મૂઠી પકડી છે તેથી જ પકડાયો છે, ભૂતે પકડ્યો નથી. પણ
પોતે મૂઠી વાળી છે તેનું ભાન નથી તેથી ભૂતે પકડ્યો છે એમ માને છે. જો પોતે મૂઠી છોડે તો પોતે છૂટો જ છે.
તેમ આ અજ્ઞાની જીવે ‘શરીર મારું, મકાન મારું, પૈસા મારાં’ એમ મમતાની પકડ કરી છે, ને પોતે મમતાની
પકડમાં પકડાણો છે. પણ પોતે પોતાના સ્વભાવને ભૂલીને મમતાની પકડમાં પકડાયો છે એમ ન સમજતાં,
અજ્ઞાનથી એમ માને છે કે મને બીજાએ પકડ્યો, અને બીજા મને સુખ–દુઃખ કરે. જો સ્વભાવની સાચી
ઓળખાણ કરીને પરની મમતાની પકડ છોડે તો સંસારટળીને મુક્તિ થઈ જાય. પણ બીજાએ મને પકડ્યો એમ
માને તો કદી મુક્તિ થાય નહિ.
વળી હે જીવ! તારું તત્ત્વ એક છે ને અનેક પણ છે. ‘જગતમાં બધા થઈને એક જ આત્મા છે’ એમ ન
સમજવું, પણ દરેક આત્મા પોતાના અનંતગુણપર્યાયોથી અભેદરૂપ હોવાથી ‘એક’ છે. આ જગતમાં અનંતજીવો–
અનંત આત્માઓ છે, તે દરેક આત્મા ભિન્ન ભિન્ન છે; આત્માની જાત તરીકે બધા સરખા છે, પણ સંખ્યાથી બધા
ભિન્ન ભિન્ન છે. એકેક આત્મામાં સ્વભાવથી એક–અનેકપણું છે; દરેક આત્મામાં પદાર્થ તરીકે ‘એકપણું’ છે,
તેનામાં અનંતગુણો હોવા છતાં પદાર્થના અનંતભાગ પડતા નથી, તેથી પદાર્થ તરીકે એક છે; અને જ્ઞાન, દર્શન,
આનંદ, વીર્ય, અસ્તિત્વ વગેરે અનેક ગુણો હોવાથી, તેમ જ ભિન્ન ભિન્ન અનેક પર્યાયો હોવાથી, ગુણ–
પર્યાયઅપેક્ષાએ અનેકપણું પણ છે.
નવતત્ત્વોમાં પહેલું જીવતત્ત્વ છે, તેની આ વાત ચાલે છે. બધા આત્માઓ આવા જ સ્વરૂપે છે. વસ્તુ
તરીકે આત્મા નિત્ય ટકે છે, ને પર્યાયઅપેક્ષાએ ક્ષણેક્ષણે બદલે પણ છે; વળી તે જ આત્મા મિથ્યાત્વાદિ પાપના
ભારથી ‘ગુરુ’ કહેવાય છે, ને સાચું જ્ઞાન કરતાં તે હળવો ‘લઘુ’ થાય છે; તે જ આત્મા વસ્તુ તરીકે એક છે ને
જ્ઞાનાદિ શક્તિઓ તથા દશાઓથી તે અનેક છે. આત્મસ્વભાવનો આવો ગહન મહિમા છે; આવા આત્માને
જાણ્યાં વિના સાચું જ્ઞાન થાય નહિ. સાચું જ્ઞાન ન હોય તેને સમ્યગ્દર્શન પણ હોય નહિ. સમ્યગ્દર્શન વગર વ્રત,
તપ કે ચારિત્ર હોય નહિ; માટે પ્રથમ સત્સમાગમે શ્રવણ–મનન કરીને આત્માનું સાચું ભાન કરવું જોઈએ.
આ ‘સદ્બોધચંદ્રોદય અધિકાર છે. અનાદિનું અજ્ઞાન ટળીને આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્ર પ્રગટે તેનું
નામ ‘સદ્બોધ ચંદ્રોદય’ છે, જેમ બીજ ઊગ્યા પછી તે ક્રમે ક્રમે વધીને પૂર્ણિમા થાય છે. તેમ આત્મામાં ચોથે
ગુણસ્થાને સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્ર ઊગ્યો તે ક્રમેક્રમે વધીને પૂર્ણ કેળવજ્ઞાન થાય છે. આત્માનું સાચું જ્ઞાન કરવું તેને
સદ્બોધ–ચંદ્રમા કહેવાય છે, ને પછી ક્રમે ક્રમે આગળ વધતાં રાગ–દ્વેષ ટાળીને પૂર્ણ કેળવજ્ઞાન પ્રગટે છે, ત્યારે તે
આત્માને પરમાત્મા કહેવાય છે. પહેલાંં આત્માની સાચી સમજણ કરવી તે જ પરમાત્મા થવાનો ઉપાય છે. *
મુદ્રક : – ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર તા. ૧૪ – ૧ – ૫૦
પ્રકાશક : – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર