Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૭
સળંગ અંક ૦૮૦
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ધ ર્મ નું મૂ ળ સ મ્ય ગ્દ ર્શ ન
જેઠ : સંપાદક : વર્ષ: સાતમું
૨૪૭૬ રામજી માણેકચંદ દોશી અંક આઠમો
વકીલ
મુમુક્ષુઓએ સેવાયોગ્ય બે સાધનો
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન
અવશ્ય કરીને સેવવાયોગ્ય છે––સત્શ્રુત અને સત્સમાગમ. પ્રત્યક્ષ
સત્પુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો
જીવ સત્દ્રષ્ટિવાન હોય તો સત્શ્રુતના ઘણા કાળના સેવનથી થતો
લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે
છે. કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન્ નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન
અને વૃત્તિક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય
એવો વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્શ્રુતનો
પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે,
શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત
જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે.
(શ્રીમદ્ રાજચંદ્ર)
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
ભાઈ! તું તારું સુધાર!
હું પરને કરી શકું એવી જેણે માન્યતા કરી તેણે પરને અને પોતાને એક માન્યાં છે. હું બીજાને કેળવણી
આપી શકું છું–એમ માન્યું તેણે બે જુદા પદાર્થને એક માન્યા. આને બંધાવું અને આને મૂકાવી દઉં. એવો ભાવ
એની માનેલી માન્યતાની અર્થક્રિયા કરી શકતો નથી; માટે તે અભિપ્રાય ત્રિકાળ મિથ્યા છે. જેમાં ત્રિકાળ નિયમ
લાગુ પડે એને સિદ્ધાંત કહેવાય; માટે તે નિયમ પ્રમાણે પરમાં પરનો વ્યાપાર નહિ હોવાથી તે અધ્યવસાન પરની
અર્થક્રિયા કરવામાં અસમર્થ છે, માટે પરને બંધાવું ને મૂકાવું એવો અભિપ્રાય ત્રિકાળ જૂઠો છે.
શું અજ્ઞાનભાવે રાગ–દ્વેષ થાય તેથી જીવ બીજાનું કરી શકે? સુખી–દુઃખી બીજાને કરી શકે? જીવન–મરણ
બીજાનાં કરી શકે? શું બંધ–મુક્તિ બીજાની કરી શકે? –ન કરી શકે. તેથી એની ધારેલી માન્યતા પ્રમાણે ન થયું,
માટે એનો અભિપ્રાય મિથ્યા છે.
હું આકાશના ફૂલને ચૂટું છું, હું આકાશના ફૂલને તોડું છું તે અભિપ્રાય તદ્ન મૂર્ખાઈ ભરેલો છે. તેમ હું
બીજાને જીવાડું–મારું, બદ્ધ–મુક્ત કરું તે અભિપ્રાય પણ તદ્ન મૂર્ખાઈ ભરેલો છે. તું સવળો ભાવ તારામાં કરી
શકે ને અવળો ભાવ પણ તારામાં કરી શકે. પરનું કાંઈ પણ કરવાનું તારામાં કાંઈ પણ સમર્થપણું નથી.
આચાર્યદેવે આકાશના ફૂલનો કેવો સરસ ન્યાય આપ્યો છે! જેમ ‘આકાશના ફૂલને તોડું’ તે ભાવ મિથ્યા
છે, તેમ ‘હું પરને જિવાડું–મારું, બદ્ધ–મુક્ત કરું’ તે ભાવ પણ આકાશના ફૂલ તોડવા જેવો મિથ્યા છે. તે ભાવથી
પોતાની ધારેલી ધારણા પ્રમાણે થતું નથી માટે અનર્થને કરે છે આત્મા સિવાય શરીર, વાણી, મનનું હું કરું, અને
બીજા પર પદાર્થોનું પણ હું કરું તે અભિપ્રાય કેવળ અનર્થરૂપ છે. કેટલાક એમ માને છે કે ‘છોકરા–છોકરીને
ઠેકાણે પાડી બધી સરખાઈ કરીને પછી ધર્મ કરશું;’ તે અભિપ્રાય કિંચિત્માત્ર લાભરૂપ નથી, એકલો અનર્થરૂપ
છે. પરનું તું કાંઈ પણ કરી શકતો નથી, માટે પર તારે આધીન નથી, તું પરને આધીન નથી; તો હવે તારે ખોટી
માન્યતાથી અનર્થના કેટલા વિચાર કરવા છે? અને તારે તારું કેટલું બગાડવું છે? તું એનો ઓશિયાળો નથી, એ
તારો ઓશિયાળો નથી; તારો ભાવ તારામાં સ્વતંત્ર છે, એનો ભાવ એનામાં સ્વતંત્ર છે. પરનું કાંઈ તારી ધારેલી
માન્યતા પ્રમાણે થતું નથી; તો હવે વિષયાદિમાં સુખબુદ્ધિ રાખીને તારે તારું કેટલુ બગાડવું છે? તારે તારું
બગાડવું છે કે સુધારવું છે? માટે ભાઈ! ચિદાનંદ આત્માની પ્રતીત કરી, તેનું જ્ઞાન કરી, તેમાં ઠર! તે તારા
હાથની વાત છે, તે જ મુક્તિનો માર્ગ છે.
સમયસાર–બંધઅધિકાર ગા. ૨૬૬ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી
કોણ કર્તા અને શું તેનું કાર્ય?
(૧) ધર્મી જીવ કર્તા અને નિર્મળ અવસ્થા તે તેનું કાર્ય.
(૨) અધર્મી જીવ કર્તા અને વિકારી અવસ્થા તેનું કાર્ય.
(૩) જડ–પુદ્ગલ કર્તા અને જડની અવસ્થા તેનું કાર્ય.
(૧) ધર્મી જીવ વિકારીભાવોનો કે શરીરાદિ જડની ક્રિયાનો કર્તા થતો નથી.
(૨) અધર્મી જીવ વિકારનો કર્તા થાય છે અને જડ શરીરાદિની ક્રિયા હું કરું છું–એમ માને છે, પણ
જડના કાર્યને તે કરી શકતો નથી.
(૩) શરીરાદિ જડ પદાર્થો આત્માની અવસ્થામાં વિકાર કરાવતાં નથી, તેમ જ ધર્મ પણ કરાવતાં નથી.
આ પ્રમાણે કર્તા–કર્મનું સ્વરૂપ સમજીને, શરીરાદિ જડ પદાર્થના કાર્યનો હું કર્તા–એ માન્યતા છોડવી, તેમ
જ ક્ષણિક વિકારનો હું કર્તા ને તે મારું કાર્ય–એવી બુદ્ધિ પણ છોડીને, ત્રિકાળી નિર્વિકાર ચૈતન્યસ્વભાવની
દ્રષ્ટિથી નિર્મળ અવસ્થારૂપી કાર્ય પ્રગટ કરવું–તેનું નામ ધર્મ છે, ધર્મી જીવ તેનો કર્તા છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૩:
‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાનભુવન’ માં
પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન
“અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.”
–શ્રીમદ્ના આ એક વાક્યમાં રહેલા જૈનદર્શનના ઊંડા રહસ્યને પૂ. ગુરુદેવશ્રીએ આ પ્રવચનમાં પ્રગટ
કર્યું છે. પૂ. ગુરુદેવશ્રી વવાણીયા પધાર્યા ત્યારે, ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાનભુવન’ માં વીર સં. ૨૪૭૬ ના માહ
વદ ૩ નું આ પ્રવચન છે.
શ્રીમદ્ રાજચંદ્રનું આંતરિક જીવન હતું; તેને સમજવા માટે અંતરની પાત્રતા જોઈએ. બાહ્ય સંયોગમાં
ઊભા હોવા છતાં ધર્માત્માની અંતરસ્વભાવની દ્રષ્ટિ કંઈક જુદું કામ કરતી હોય છે. સંયોગદ્રષ્ટિથી જુએ તો તેને
સ્વભાવ ન સમજાય. બાહ્ય સંયોગ તો પૂર્વના પ્રારબ્ધ નિમિત્તે હોય પણ ધર્મીની દ્રષ્ટિ તે સંયોગ ઉપર હોતી
નથી, અંતરમાં આત્માનો સ્વ–પર પ્રકાશક સ્વભાવ શું છે, તેના ઉપર ધર્મીની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિવાળા
ધર્માત્માનું આંતરિક જીવન આંતરિક દ્રષ્ટિથી સમજાય તેમ છે. બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી.
અંતરના ચૈતન્યપદનો મહિમા વાણીથી અગોચર છે, તે બતાવતાં અપૂર્વ અવસરમાં કહે છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સ્વસંવેદનથી જણાય તેવો છે; પોતે સ્વસંવેદનથી જાણે તો દેવ–ગુરુ–
શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. જો પોતે અંતરમાં આત્માને જાણવાનો પ્રયત્ન ન કરે તો દેવ–ગુરુ–શાસ્ત્રની
વાણીના આશયને પણ યથાર્થપણે જાણી શકે નહિ અને તેને દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત કહેવાય નહીં.
તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઉતરીને તેના ઊંડાણનું માપ કરતાં ઊંડાઈમાં
કેટલું અંતર છે તે જણાય છે. તેમ જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનો ઉપરટપકે જોતાં સરખાં હોય તેવાં લાગે, પણ
અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયમાં કેવો આંતરો છે તે સમજાય.
જ્ઞાની અને અજ્ઞાનીની વેપાર–ખાવુંપીવું વગેરે બહારની ક્રિયાઓ સરખી દેખાય અને બાહ્યમાં વસ્ત્રાદિ
સંયોગનો અભાવ પણ કદાચ સરખો હોય, પરંતુ તેમની અંતરની દશામાં આકાશ–પાતાળ જેટલું અંતર છે, તેનું
માપ બહારથી થઈ શકે નહીં. જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધથી લાખોના વેપારનો સંયોગ વર્તતો હોય અને અજ્ઞાનીને
કદાચ પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય સંયોગો ઓછા હોય, પણ અંતરમાં ‘શરીરાદિ જડની ક્રિયા હું કરું’ એવું પરમાં
અહંપણું અજ્ઞાનીને હોય છે, આત્માનો અનાદિ–અનંત જ્ઞાનસ્વભાવ નિજપદ સ્વરૂપ છે, તેનું તેને ભાન હોતું
નથી ને પુણ્ય–પાપમાં તથા પરમાં અહંપદ વર્તતું હોય છે, તેથી તે અજ્ઞાનીને ક્ષણે ક્ષણે અધર્મ થાય છે અને
જ્ઞાનીને બાહ્ય સંયોગ ઘણા હોવા છતાં, તેના અંતરમાં એક રજકણનું પણ સ્વામીપણું નથી, અંતરંગ
ચૈતન્યસ્વભાવના નિજપદ ઉપર તેમની દ્રષ્ટિ પડી છે એટલે તેમની પરિણતિ ક્ષણે ક્ષણે નિજપદ તરફ વળતી જાય
છે. ધર્મી–અધર્મીનાં માપ બહારથી આવે તેમ નથી.
શ્રીમદે પોતાના લખાણોમાં જ્યાં ત્યાં વારંવાર નિજસ્વરૂપની પ્રાપ્તિનો પોકાર કર્યો છે. ‘મૂળમાર્ગ’માં પણ
કહ્યું છે કે:–

તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ
...મૂળ૦
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ
...મૂળ૦

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૪૪: આત્મધર્મ: ૮૦
સવર્જ્ઞનો માર્ગ અને નિજપદનો માર્ગ જુદા નથી. જ્યારે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ અભેદપણે
આત્મારૂપ વર્તે છે ત્યારે તે જીવ, સર્વજ્ઞનો માર્ગ પામ્યો એમ કહો, કે નિજસ્વરૂપને પામ્યો એમ કહો, –બંને જુદા નથી.
જે નિજપદ એટલે કે આત્મસ્વરૂપ સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યું, પણ વાણીદ્વારા પૂરું
ન કહેવાયું, ભગવાનના જ્ઞાનમાં આવ્યું પણ વાણીમાં પૂરું ન આવ્યું, તો તે પદના મહિમાને અન્ય વાણી તો શું
કહે? ‘અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો’ વાણીથી અગોચર અને પોતાના જ્ઞાનના સ્વાનુભવથી ગોચર છે.
આત્માનું નિજપદ તો પોતાના સ્વસંવેદનજ્ઞાનથી જ વેદવા યોગ્ય છે–જણાવા યોગ્ય છે–પ્રાપ્ત કરવા યોગ્ય છે–
પ્રગટ કરવા યોગ્ય છે–અનુભવ કરવા યોગ્ય છે.–એ પ્રમાણે નિજપદનો મહિમા કરીને ત્યાર પછી છેલ્લી કડીમાં તે
પદની પ્રાપ્તિ માટે ભાવના કરતાં કહે છે કે–
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો... અપૂર્વ૦
આવા ચૈતન્યસ્વરૂપી નિજપદનું પોતાને ભાન તો થયું છે, પણ હજી પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી, તેથી પૂર્ણતાની
પ્રાપ્તિની ભાવના કરી છે. અને તેની પ્રાપ્તિ જરૂર થશે–એમ પોતાની નિઃશંકતા છે.
ભરૂચના એક ભાઈ અંતરદ્રષ્ટિ વગર બાહ્યક્રિયામાં વિધિ–નિષેધના આગ્રહી હતા, તેમના ઉપરના એક
પત્રમાં શ્રીમદ્ લખે છે કે–‘અનેકાંતિક માર્ગ પણ સમ્યક્એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા
અન્ય હેતુએ ઉપકારી નથી.’–આ એક લીટીમાં શ્રીમદે સર્વજ્ઞના હૃદયનો મર્મ ગોઠવ્યો છે, બધા શાસ્ત્રોનો
છેવટનો સાર આમાં બતાવી દીધો છે. પાત્ર જીવ હોય તે તેનું રહસ્ય સમજી જાય. શ્રીમદ્ના વચનો પાછળ એવો
ગૂઢ ભાવ રહેલો છે કે ગુરુગમ વગર પોતાની મેળે એનો પત્તો ખાય તેમ નથી. ઘણા જીવો શાસ્ત્રમાં કહેલા
વ્યવહાર વ્રત, તપ, ઉપવાસાદિ ક્રિયામાં તેમ જ આ ખપે ને આ ન ખપે–એમ બાહ્ય વિધિ–નિષેધના આગ્રહમાં
વળગી રહે છે ને તેમાં જ સર્વસ્વ માની બેસે છે. પરંતુ તે વ્રતાદિમાં પર તરફ જતી લાગણીનો ભાવ તેમ જ દેવ–
ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે બધો શુભરાગ છે–વિકાર છે, તેમાં જ જે ધર્મ માનીને અટકી પડ્યા છે તેને
શ્રીમદ્ આ એક લીટી દ્વારા કોરડો મારીને અંતરમાં વાળવા માંગે છે. આ એક લીટીમાં કેટલું રહસ્ય રહેલું છે તેનું
માપ બહારથી ન આવે.
એક બાઈ ચોખાની કમોદ ખાંડતી હતી, તેમાં ચોખા તો કસદાર હોવાથી નીચે ઉતરતા હતા, અને
ફોતરાં ઉપર દેખાતા હતા. ત્યાં બીજી બાઈએ તે જોયું. તેણે અંદરના ચોખા તો ન દેખ્યા ને બહારના એકલા
ફોતરાં જોયા. એટલે પેલી બાઈ ફોતરાં ખાંડતી લાગે છે એમ માનીને પોતે પણ ઘરે જઈને ફોતરાં ખાંડવા
લાગી. પણ ફોતરામાંથી ચોખા ક્યાંથી નીકળે? તે બાઈએ માત્ર બાહ્ય અનુકરણ કર્યું. તેમ અજ્ઞાની જીવો પણ
જ્ઞાનીઓની ઊંડી અંતરદ્રષ્ટિને ઓળખતા નથી અને માત્ર તેમના શુભરાગનું અને બહારની ક્રિયાનું અનુકરણ
કરે છે. જ્ઞાનીઓને અંતરમાં પુણ્ય–પાપની લાગણીઓ ઉપર દ્રષ્ટિ હોતી નથી, અને જડ શરીરની ક્રિયા મારે
લીધે થાય છે–એમ તેઓ માનતા નથી, તેમની દ્રષ્ટિનું જોર અંતરમાં નિજપદ ઉપર હોય છે કે હું અનાદિઅનંત
ધ્રુવસ્વભાવી જ્ઞાયકમૂર્તિ આત્મા છું.–આવી અંતરંગદ્રષ્ટિને તો અજ્ઞાની જાણતો નથી, અને અવસ્થામાં વર્તતી
પુણ્ય–પાપની લાગણીઓને તથા દેહાદિની ક્રિયાને જુએ છે અને તેનાથી જ ધર્મ થતો હશે એમ તે માને છે;
એટલે ફોતરાં ખાંડનાર બાઈની માફક, તે પણ ફોતરાં જેવા શુભરાગમાં ને દેહાદિની ક્રિયામાં અટકી રહે છે.
જ્ઞાનીઓ તો પોતાના અંતરમાં સ્વભાવ તરફનું વલણ કરી રહ્યા છે, સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતારૂપી
કસ તો અંદરમાં ઉતરે છે (–અર્થાત્ આત્મામાં અભેદ થાય છે), તેનું ફળ બહારમાં દેખાતું નથી; અસ્થિરતાના
કંઈક રાગને લીધે પૂજા–ભક્તિ–વ્રત વગેરે શુભરાગ તેમ જ વેપાર–ધંધા વગેરે સંબંધી અશુભરાગ થાય તેને
જ્ઞાની ફોતરાં સમાન જાણે છે તથા દેહ–મન–વાણીની ક્રિયા તો જડની છે, તે બંનેથી ભિન્ન પોતાના
નિજસ્વભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે. આવી દ્રષ્ટિને લીધે ધર્મીને ક્ષણે ક્ષણે અંતરમાં નિજપદ તરફનું વલણ છે.
વચ્ચે પુણ્ય–પાપની લાગણી ઊઠતાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે અને દેહાદિની ક્રિયા તેના કારણે સ્વયં થતી
હોય છે, તેને જ અજ્ઞાની જુએ છે. પરંતુ જ્ઞાનીને

PDF/HTML Page 6 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૫:
અંતરની ઊંડી દ્રષ્ટિને લીધે ક્ષણે ક્ષણે ધર્મ થાય છે, તેને તે જોતો નથી.
બાહ્ય ક્રિયાકાંડમાં અટકેલા જીવોને અંર્તસ્વભાવની દ્રષ્ટિ તરફ વાળવાના હેતુથી અહીં શ્રીમદ્ કહે છે કે–
ભાઈ! સર્વજ્ઞભગવાને જે અનેકાંતમાર્ગ કહ્યો છે તે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે જ ઉપકારી છે.
અનેકાંત એટલે શું? વસ્તુમાં નિત્ય–અનિત્ય વગેરે બબ્બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે, તેનું નામ અનેકાંત છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે, અવસ્થાએ વર્તમાન અશુદ્ધ છે–ઈત્યાદિ પ્રકારે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ
વળવું તે જ પ્રયોજન છે, અને તેનું નામ સમ્યક્ એકાંત છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ–એમ
બબ્બે પડખાં જાણીને તેના વિકલ્પમાં અટકી રહે અને શુદ્ધસ્વભાવ તરફ વળે નહીં, તો તેને નિજપદની પ્રાપ્તિ
થાય નહીં, અને તેણે ખરેખર અનેકાંતને જાણ્યો ન કહેવાય.
આત્મા ધ્રુવ નિત્ય સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા આનંદસ્વરૂપ છે, અને ક્ષણિક અનિત્ય પર્યાયમાં પુણ્ય–પાપ વિકાર
છે; એ રીતે એક શુદ્ધ ચૈતન્ય પડખું અને બીજું અશુદ્ધ પડખું–એમ બંને પડખાંને જાણવા તે અનેકાંત છે,
અનેકાંત તે સર્વજ્ઞભગવાનનો માર્ગ છે, સર્વજ્ઞનો માર્ગ એટલે નિજપદનો માર્ગ. ત્રિકાળી સ્વભાવે શુદ્ધ અને
વર્તમાન પર્યાયે અશુદ્ધ–એવું અનેકાંતનું જ્ઞાન અંર્તસ્વભાવસન્મુખ થઈને નિજપદની પ્રાપ્તિ કરવા સિવાય બીજા
કોઈ હેતુએ ઉપકારી નથી. જુઓ, આમાં વિચારવા જેવું ઊંડુ રહસ્ય છે.
આત્મા ત્રિકાળી સ્વભાવે શુદ્ધ છે ને વર્તમાન અવસ્થામા અશુદ્ધ છે. ક્ષણિક અવસ્થાની અશુદ્ધતા વખત
જો આખો આત્મા જ તદ્ન અશુદ્ધ થઈ ગયો હોય,–સ્વભાવે પણ શુદ્ધ ન રહ્યો હોય, તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા
આવશે ક્યાંથી? પ્રાપ્તની પ્રાપ્તિ હોય એટલે કે જો શક્તિરૂપે શુદ્ધતા હોય તો પર્યાયમાં વ્યક્ત થાય; જો શુદ્ધતા ન
જ હોય તો પ્રગટે નહીં. માટે શક્તિરૂપે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અને પ્રગટ અવસ્થામાં અશુદ્ધતા છે. જો
અવસ્થામાં અશુદ્ધતા ન હોય તો વર્તમાનમાં શુદ્ધતા હોય એટલે પ્રગટ પરમાનંદનો અનુભવ હોવો જોઈએ. માટે
આત્મા એકાંત શુદ્ધ કે અશુદ્ધ નથી પણ દ્રવ્યસ્વભાવે શુદ્ધ અને પર્યાયમાં અશુદ્ધ–એવો અનેકાંત છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ.
આત્મા જો સર્વથા પુણ્ય–પાપ વિનાનો તથા કર્મના નિમિત્ત વગરનો અસંગ હોત તો તને તેના આનંદનો
વ્યક્ત અનુભવ થયા વિના ન રહેત. પર નિમિત્તના સંગે આત્માની અવસ્થામાં જો બિલકુલ વિકાર ન હોત તો
તો અસંગ ચૈતન્યના પરમ આનંદનો અનુભવ વર્તતો હોત. માટે અવસ્થામાં વિકાર અને નિમિત્તનો સંગ છે.
છતાં ‘અસંગ છે પરમાર્થથી.’ અંર્તસ્વભાવની દ્રષ્ટિથી જોતાં સમ્યક્ ચિદાનંદ પ્રભુ અસંગ છે. જો પરમાર્થે અસંગ
ન હોય તો કદી અસંગ થાય નહીં. અને જો વ્યવહારે પણ અસંગ હોત તો પૂર્ણાનંદનો અનુભવ વ્યક્ત હોત. જે
પુણ્ય–પાપ, ક્રોધ વગેરેની લાગણીઓ થાય છે તે કાંઈ જડને થતી નથી, પણ ચેતનની અવસ્થામાં પોતે જ કરે છે.
જો ચેતન શુદ્ધ જ હોય તો ભૂલ કોની? અને સંસાર કોનો? જો ચેતનની અવસ્થામાં ભૂલ ન હોય તો આ
સમજવાનો ઉપદેશ કોને? આત્મા શક્તિરૂપે ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન અવસ્થામાં મલિન થઈ
રહેલો છે. જો તે મલિનતા ન હોત તો અત્યારે પરમાત્મા હોત. વળી જો અશુદ્ધતા જ તેનું સ્વરૂપ હોત તો તે કદી
ટળી શકત નહીં. પરમાર્થે આત્મા અસંગ–શુદ્ધ છે, અને નિજભાને તે પ્રગટે છે.
–આ રીતે, વર્તમાન દ્રષ્ટિએ આત્મા સંગવાળો–મલિન છે અને વસ્તુસ્વભાવે શુદ્ધ છે–એવો અનેકાંત છે;
પણ તે બે પડખાં જાણીને એકપણું પ્રગટ કર્યા વગર અનેકાંતનું યથાર્થ પ્રયોજન સિદ્ધ થતું નથી, એટલે કે
‘સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ’ એમ બે પડખાં જાણીને તેની સામે જ જોયા કરે અને શુદ્ધસ્વભાવ તરફ
ન વળે તો તેને નિજપદની પ્રાપ્તિ થતી નથી ને અશુદ્ધતા ટળતી નથી. પણ ‘ત્રિકાળ સ્વભાવે હું શુદ્ધ છું, ને
ક્ષણિક પર્યાયમાં અશુદ્ધતા છે’ એમ બને પડખાંને જાણીને, જો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તરફ વળે તો નિજપદની
પ્રાપ્તિ થાય છે, ને અશુદ્ધતા ટળે છે.
અહીં જેમ શુદ્ધ અને અશુદ્ધ એ બે બોલમાં અનેકાંત સમજાવ્યો તે પ્રમાણે ઉપાદાન–નિમિત્ત, નિશ્ચય
વ્યવહાર વગેરે બધા બોલમાં પણ સમજવું. ઉપાદાન છે

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૪૬: આત્મધર્મ: ૮૦
અને નિમિત્ત પણ છે–એમ બંનેને જાણે ખરો, પણ તેમાં ઉપાદાનથી વસ્તુનું કામ થાય છે અને નિમિત્ત કાંઈ કરતું
નથી–એમ સમજીને જો ઉપાદાન તરફ વળે તો અનેકાંત કહેવાય. અનાદિનો અજ્ઞાની જીવ સાચું આત્મભાન
પોતાની લાયકાતથી જ્યારે પ્રગટ કરે ત્યારે તેને આત્મજ્ઞાની સદ્ગુરુ જ નિમિત્તરૂપે અવશ્ય હોય. સાચું નિમિત્ત
ન હોય તેમ બને નહીં, તેમ જ નિમિત્ત કાંઈ કરી દે–એમ પણ બને નહીં. શ્રીમદ્ કહે છે કે–
બુઝી ચહત જો પ્યાસ કો, હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ વિના, એ હી અનાદિ સ્થિત.
પાયાકી યે બાત હૈ, નિજ છંદન કો છોડ, પીછે લાગ સત્પુરુષકો તો સબ બંધન તોડ.
હે ભાઈ! જો તું આત્મસ્વભાવનું ભાન કરવા ચાહતો હો અને અનાદિનું અજ્ઞાન ટાળવું હોય તો તેની
રીત છે. પણ ગુરુગમ વિના તે રીત હાથ આવે તેમ નથી–એવી અનાદિ વસ્તુસ્થિતિ છે. ચૈતન્યસ્વભાવ કોણ છે
તે ગુરુગમ વગર સમજાય નહીં. જીવ જ્યારે સમ્યગ્જ્ઞાન પામે છે ત્યારે. તે પોતાની લાયકાતથી જ પામે છે,
પણ તે લાયકાત વખતે નિમિત્તપણે ગુરુગમ ન હોય એમ બને નહીં.––આવો અનેકાંત છે; નિમિત્ત કાંઈ કરે
નહીં અને અજ્ઞાની નિમિત્ત હોય નહીં. જેમ ચાર મણ ચોખા લેવા જાય ત્યાં અઢી શેરનો કોથળો ભેગો હોય,
પણ ચાર મણ ચોખા ભેગો અઢી શેરનો કોથળો રંધાય નહીં, તેમ જ બારદાન તરીકે કોથળો ન હોય એમ પણ
બને નહીં. તેમ ચૈતન્યસ્વભાવને જાણવામાં જ્ઞાની નિમિત્ત તરીકે હોય છે, તે બારદાન છે–બહારની ચીજ છે. તે
નિમિત્ત કાંઈ સમજાવી દેતું નથી. જ્ઞાની સિવાય અજ્ઞાની નિમિત્ત હોય નહીં, ને આત્માના આનંદના
અનુભવમાં નિમિત્ત કાંઈ કરે નહીં. જેમ ઊંચું કેસર લેવા જાય ત્યાં બારદાન તરીકે શણીયાનો કોથળો ન હોય
પણ સારી બરણી કે પેટી હોય. તેમ અપૂર્વ સત્યસ્વભાવની સમજણ પ્રગટ કરવામાં નિમિત્તરૂપે સાચા દેવ–
ગુરુ–શાસ્ત્ર હોય, અજ્ઞાની ન હોય.
––આ રીતે, ઉપાદાન છે ને નિમિત્ત પણ છે–એમ બંનેને જાણવા તે અનેકાંત છે; પણ તે અનેકાંતિકમાર્ગ
પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા કોઈ હેતુએ ઉપકારી નથી. એટલે કે ઉપાદાન
અને નિમિત્ત બંનેને જાણીને એક ઉપાદાનસ્વભાવસન્મુખ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન છે અને નિમિત્ત છે–
એમ જાણીને જો તેના જ લક્ષે રોકાય, ને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાનની દ્રષ્ટિ પ્રગટ ન કરે તો
નિજપદની પ્રાપ્તિ થાય નહીં. પોતાના સ્વભાવ તરફની એકતા પ્રગટ કર્યા વિના અનેકાંતનું પણ સાચું જ્ઞાન
થાય નહીં.
(૧) ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ અને ક્ષણિક અવસ્થામાં અશુદ્ધતા–એ બંને પડખાંને જાણીને, શુદ્ધસ્વભાવ તરફ
વળવું તે અનેકાંત છે. શુદ્ધસ્વભાવ તરફ વળ્‌યા વિના અશુદ્ધતાનું પણ યથાર્થ જ્ઞાન થાય નહીં.
(૨) પોતે પોતાની પાત્રતા પ્રગટ કરીને અંતરમાં વલણ કરે તો સત્ સમજાય. અને તે વખતે સદ્ગુરુ
નિમિત્ત હોય, પણ નિમિત્ત કાંઈ કરે નહીં.–એ પ્રમાણે ઉપાદાન–નિમિત્તને જાણીને, નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન
તરફ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન તરફ વળ્‌યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન પ્રગટે નહીં.
એ પ્રમાણે બે બોલ થયા. હવે ત્રીજો બોલ નિશ્ચય અને વ્યવહાર સંબંધમાં કહેવાય છે–
(૩) અખંડ ચૈતન્યસ્વભાવ તરફ વળતાં પહેલાંં, ‘સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર શું કહે છે’ એવો પરસન્મુખ
શુભરાગ હોય છે, પણ તે શુભરાગની વૃત્તિ તરફથી લક્ષ છૂટીને અખંડ જ્ઞાયકસ્વભાવ તરફ વળ્‌યા વિના નિશ્ચય–
વ્યવહાર બંનેનું યથાર્થ જ્ઞાન થતું નથી. સ્વભાવ તરફ ઢળતાં રાગનો આશ્રય તૂટે ત્યારે અનેકાંત થાય છે. અખંડ
જ્ઞાનસ્વભાવ તે નિશ્ચય, અને શુભરાગ તે વ્યવહાર. નિશ્ચયજ્ઞાનસ્વભાવ તરફ વળતાં સ્વ–પરપ્રકાશક જ્ઞાન
સામર્થ્ય ખીલ્યું, તે જ્ઞાન શુભરાગને વ્યવહાર તરીકે જાણી લે છે.
(૧) સમજવા ટાણે પર્યાયમાં અશુદ્ધતા હોય છતાં સ્વભાવ શુદ્ધ છે, તે શુદ્ધસ્વભાવનો આશ્રય કરે તો
સમજાય.
(૨) ઉપાદાનની સમજવાની તૈયારી વખતે નિમિત્ત હોય છે, પણ સમજનાર પોતે છે.–એમ જાણીને,
નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન તરફ વળે તો યથાર્થ સમજાય.
(૩) સત્ સમજવાની પાત્રતા વખતે શુભરાગરૂપ વ્યવહાર હોય, પણ તે વ્યવહારના આશ્રયે કલ્યાણ
નથી. તે વ્યવહારનો આશ્રય છોડીને, પરમાર્થસ્વભાવનો આશ્રય કરે તો સત્ સમજાય.

PDF/HTML Page 8 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૭:
––એ પ્રમાણે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ વળે ત્યારે અનેકાંત થાય છે; બંનેને પકડી રાખે તો
અનેકાંત થતું નથી. અજ્ઞાનીઓ અનેકાંતના નામે ઝઘડા કરે છે. પણ અહીં ‘સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
સિવાય અન્ય કોઈ હેતુએ અનેકાંતમાર્ગ ઉપકારી નથી’ –એમ કહીને તે બધા ઝઘડાનો નિકાલ કરી નાંખ્યો છે.
(૧) જીવ સમજે ત્યારે અશુદ્ધતા હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી, પણ શુદ્ધસ્વભાવના
આશ્રયે જ કલ્યાણ થાય છે.
(૨) જીવ સમજે ત્યારે નિમિત્ત હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી પણ ઉપાદાનસ્વભાવના
આશ્રયે જ કલ્યાણ થાય છે.
(૩) જીવ સમજે ત્યારે શુભરાગ–વ્યવહાર હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી પણ રાગરહિત
નિશ્ચયસ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે.
સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનદ્વારા જગતના પદાર્થોને જેમ છે તેમ જાણીને, વસ્તુના અનેક ધર્મોનું વર્ણન કર્યું છે.
(૧) ત્રિકાળી શુદ્ધ ને વર્તમાન અશુદ્ધતા,
(૨) ઉપાદાન પોતાની તાકાતથી સમજે અને તે વખતે પર નિમિત્ત હોય, પણ નિમિત્ત કાંઈ કરે નહીં.
(૩) સમજવા ટાણે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા વગેરે શુભરાગરૂપ વ્યવહાર હોય, પણ ધર્મ તો
નિશ્ચયસ્વભાવના આશ્રયે જ થાય છે.
––એ પ્રમાણે બબ્બે પડખાં હોવા છતાં, અશુદ્ધતા–નિમિત્ત કે રાગ હું નહિ, શુદ્ધ–ઉપાદાન–નિશ્ચયસ્વભાવ
તે હું–એવી શ્રદ્ધા કરીને સ્વાશ્રયભાવ પ્રગટ કરવો તે ધર્મ છે. અનેકાંતિક માર્ગ હોવા છતાં સમ્યક્ એકાંત એવા
નિજપદની પ્રાપ્તિ માટે જ તે ઉપકારી છે. બબ્બે બોલ હોવા છતાં, તેને જાણીને એક શુદ્ધ–નિશ્ચય તરફ વળે તેનું
નામ સમ્યક્ એકાંત છે.
શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધસ્વભાવ ઉપર દ્રષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ?
ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્‌યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ?
શુદ્ધસ્વભાવ અને રાગ, અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં, નિશ્ચયસ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર
વ્યવહારને વ્યવહાર કહેશે કોણ? નિર્મળ સ્વભાવ તરફના વલણ વગર સ્વ–પરને જાણવાનો વિવેક ઉઘડશે નહીં.
અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાંતનું પ્રયોજન છે. અભેદ સ્વભાવ તરફ ઢળવું એમ કહો કે ‘સમ્યક્
એકાંત કહો, તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે.’
અહીં ‘સમ્યક્ એકાંત’ કહીને નિમિત્ત, રાગ અને વ્યવહારને ઉડાડી દીધા છે અર્થાત્ તે હોવા છતાં તેના
અશ્રયે કલ્યાણ નથી પણ નિજસ્વભાવના આશ્રયે જ કલ્યાણ છે એમ સમજાવ્યું છે. દયા, દાન કે વ્રત વગેરે
શુભરાગ તે દુઃખ છે–આકુળતા છે, અને હિંસા, વિષયકષાય વગેરે અશુભ લાગણીઓ તીવ્ર દુઃખ છે–આકુળતા છે.
તે શુભ–અશુભ લાગણીઓ આત્માની અવસ્થામાં થાય છે ખરી, પણ તે ત્રિકાળી સ્વરૂપ નથી. અવસ્થામાં પુણ્ય–
પાપ ને અજ્ઞાન છે, તેની જો ના પાડે તો સમજવાનો પ્રયત્ન કરવાનું રહે નહીં; અને ત્રિકાળી સ્વભાવમાં તે
પુણ્ય–પાપ કે અજ્ઞાન નથી–એમ જો ન સમજે તો ત્રિકાળી સ્વભાવના આશ્રય વગર પુણ્ય–પાપ વગેરે ટળે નહીં.
વ્યવહાર, નિમિત્ત ને રાગ છે તેની જ્ઞાનીઓ ના નથી પાડતા, પણ તેનાં વડે ધર્મ થશે, કે તે કરતાં કરતાં ધર્મ
થશે–એમ માનવાની ના પાડે છે.
જીવોએ આ વાત કદી રુચિપૂર્વક સાંભળી નથી. સંસારમાં જીવે અનંત મનુષ્યભવ કર્યા અને સત્
સંભળાવનાર જ્ઞાની અનંતવાર મળ્‌યા, સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્માની સભામાં જઈને દિવ્યધ્વનિ સાંભળ્‌યો, પણ
અંતરમાં નિજપદને પામવાની લાયકાત પોતે પ્રગટ કરી નથી. નિજપદને ભૂલીને પરપદમાં જ અટકી ગયો છે. કાં
તો આત્માને એકાંત શુદ્ધ જ માન્યો, કાં સર્વથા અશુદ્ધ માની લીધો, કાં નિમિત્તથી કલ્યાણ થશે એમ માન્યું, કાં
વ્યવહારના આશ્રયથી લાભ માનીને રાગમાં જ અટક્યો. પણ રાગ અને નિમિત્ત વગરના નિજસ્વભાવ તરફ
કદી વલણ કર્યું નહિ. સ્વભાવ તરફ ઢળતો નિશ્ચય છે ને પર તરફ ઢળતો વ્યવહાર છે. વસ્તુનો સ્વભાવ તે
ઉપાદાન છે અને પર સંયોગ તે નિમિત્ત છે.
(૧) અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં આત્મા સ્વભાવથી શુદ્ધ છે.
(૨) પર નિમિત્ત હોવા છતાં આત્મા સ્વસંવેદ્ય છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૪૮: આત્મધર્મ: ૮૦
(૩) રાગ–વ્યવહાર હોવા છતાં નિશ્ચયના અવલંબને ધર્મ છે. માટે હે ભાઈ! તું શુદ્ધસ્વભાવસન્મુખ
થઈને તેનું જ્ઞાન કર તો તારું જ્ઞાન અશુદ્ધતાને યથાર્થ જાણશે. સ્વ–ઉપાદાનની દ્રષ્ટિ કર તો પર નિમિત્તને
જોવાની આંખ ઉઘડશે. સ્વભાવસન્મુખ થઈને નિશ્ચય પ્રગટ કર તો વિભાવને–વ્યવહારને–જણવાની તાકાત
ખીલશે. અથવા દ્રવ્ય અને પર્યાય એવા બે બોલ છે. દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કર તો પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય.
આ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર તથા દ્રવ્ય અને પર્યાય–એવા
આઠ બોલ થયા; આ આઠે બોલ જાણવા જેવા છે, પણ તે જાણીને એક સ્વભાવ તરફ વળ્‌યા વિના અનેકાંતનું
સાચું જ્ઞાન થતું નથી. શુદ્ધસ્વભાવ કહો, ઉપાદાન કહો, નિશ્ચય કહો કે દ્રવ્ય કહો–તે તરફ ઢળ્‌યા વગર અશુદ્ધતાનું–
નિમિત્તનું–વ્યવહારનું કે પર્યાયનું યથાર્થ જ્ઞાન થતું નથી. અનેકાંતનું ફળ સમ્યક્ એકાંત છે એટલે કે સમ્યક્
એકાંત વગર યથાર્થ અનેકાંત હોય નહીં.
‘મૂળમાર્ગ’ કાવ્યમાં શ્રીમદ્ કહે છે કે–
છે દેહાદિથી ભિન્ન આતમારે, ઉપયોગી સદા અવિનાશ...
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ૦
અંર્તસ્વભાવ તરફ વળીને જ્ઞાતા આનંદકંદ ત્રિકાળ ઉપયોગસ્વરૂપ અવિનાશી આત્માનું જ્ઞાન કરે તેને
જ અહીં સમ્યગ્જ્ઞાન કહ્યું છે. પર્યાય અને નિમિત્ત વગેરેને જ જાણવામાં રોકાય પણ સ્વસન્મુખ થઈને સ્વભાવને
ન જાણે તો સમ્યગ્જ્ઞાન થાય નહીં.
વળી સમ્યગ્દર્શન સંબંધમાં કહે છે કે–
જે જ્ઞાને કરીને જાણીયું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને રે જેનું બીજું નામ સમકીત મૂળ.
ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાની વાત ન કરી, પણ જ્ઞાનથી જાણવાની વાત કરી. ઈન્દ્રિયો અને રાગના
અવલંબન વગર અતીન્દ્રિય જ્ઞાનવડે જે આત્મસ્વભાવને જાણ્યો તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે, તેનું નામ સમ્યગ્દર્શન
છે. પહેલાંં નિમિત્તરૂપે જ્ઞાનીનો ઉપદેશ હોય છે ખરો, પણ તે ઉપદેશવડે આત્મા જાણાય છે–એમ નથી. જ્ઞાનીનો
ઉપદેશ સાંભળીને પછી સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાનવડે પોતે એમ સમજ્યો કે અહો! હું આત્મા અખંડ ઉપયોગી
અવિનાશી છું. નિમિત્તથી જાણ્યું નથી, રાગથી જાણ્યું નથી, વ્યવહારથી કે ભેદથી જાણ્યું નથી, પણ સ્વતરફ વળતા
જ્ઞાનથી જાણ્યું છે. જુઓ, શ્રીમદ્ના આ કાવ્યમાં કેટલું રહસ્ય ભર્યું છે! અજ્ઞાનીઓ રેકર્ડની જેમ માત્ર શબ્દ બોલી
જાય છે પણ અંદરનો આશય સમજતા નથી. જેમ રેકર્ડ બોલે છે પણ તે રેકર્ડને હૃદય નથી, તેમ અજ્ઞાનીઓ
ભાષા ગોખીને રેકર્ડની જેમ બોલી જાય છે પણ અંદરમાં તેને ભાવની સમજણ નથી. પહેલાંં અજ્ઞાનપણે બીજી
રીતે જાણવાનું માનતો હતો, શાસ્ત્રથી, ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાનું માનતો હતો તેથી અહીં કહ્યું કે ‘જ્ઞાને
કરીને જાણીયું રે...’–શું જાણ્યું? હું શુદ્ધ ઉપયોગસ્વરૂપ અવિનાશી આત્મા છું–એમ જાણ્યું, અને એમ જાણ્યું એટલે,
‘હું રાગી છું, હું પર નિમિત્તથી સમજું છું’ એવી જે મિથ્યામાન્યતા હતી તે ટળી ગઈ. અને અવસ્થામાં રાગાદિ
હોવા છતાં તેટલો જ પોતાને ન સ્વીકારતાં ‘હું શુદ્ધ ઉપયોગમય શાશ્વત છું’–એમ સ્વીકારીને પોતાના સ્વભાવ
તરફ વળ્‌યો, એટલે બંને પડખાંનું જ્ઞાન થઈને સમ્યક્ એકાંત થયું. રાગ અને જ્ઞાનસ્વભાવ બંનેને જાણ્યા ખરા,
પણ રાગ તે હું નહિ ને જ્ઞાન તે જ હું–એમ જ્ઞાન તરફ ઢળતાં સમ્યક્ એકાંત થયું.
નીચલી અવસ્થામાં રાગ તદ્ન ટળી જતો નથી, રાગાદિ ભાવો થાય છે ખરા, પણ તે રાગાદિ હોવા છતાં
તેનાથી આત્માને જાણતો નથી, પણ જ્ઞાનથી જ જાણ્યો છે. રાગથી જુદો પડીને જ્ઞાનને પોતાના સ્વભાવમાં
એકત્વ કર્યું તે સમ્યક્ એકાંત છે, તે મોક્ષમાર્ગ છે, તે ધર્મ છે. અવસ્થામાં રાગ છે, રાગના નિમિત્તો છે, વ્યવહાર
છે, પરંતુ તે બધાને જાણીને શુદ્ધ અભેદ સ્વભાવ તરફ વળવું તે જ પ્રયોજન છે. અહીં શુદ્ધ–અશુદ્ધ, ઉપાદાન–
નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર અને દ્રવ્ય–પર્યાય એવા ચાર પ્રકારે બબ્બે બોલ સમજાવીને આત્માને સ્વભાવની
એકતા તરફ વાળ્‌યો છે.
અહીં કોઈ કહે કે આ બધા પ્રકારો જાણીને પછી શું કરવું? તો તેને એમ સમજાવ્યું છે કે આ બધું જાણીને
સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરવા માટે––
(૧) અશુદ્ધતાનો આશ્રય છોડીને શુદ્ધ આત્માનો આશ્રય કરવો.

PDF/HTML Page 10 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૯:
(૨) નિમિત્તના આશ્રયને છોડીને ઉપાદાનનો આશ્રય કરવો.
(૩) વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચયનો આશ્રય કરવો.
(૪) પર્યાયનો આશ્રય છોડીને દ્રવ્યનો આશ્રય કરવો.
વચ્ચે રાગ–નિમિત્ત કે વ્યવહાર ભલે હો, પણ ધર્મીનું વલણ તો શરૂઆતથી જ સમ્યક્ એકાંત એવા
શુદ્ધપદની પ્રપ્તિ ઉપર જ છે. સાધકદશાની શરૂઆતથી માંડીને પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સુધી આવું જ
વલણ હોય છે. વચ્ચે રાગાદિ વ્યવહાર અને ભંગભેદ આવે તે જાણવા માટે છે, પણ તેમાં રુચિ કરીને અટકવા
માટે તે નથી. આ પ્રમાણે નિત્ય–અનિત્ય, એક–અનેક, અભેદ–ભેદ વગેરે બધા બોલમાં સમજી લેવું. પૂર્ણ
પરમાત્મપદ પ્રગટી ગયા પછી એક તરફ ઢળવાનું રહેતું નથી, તેમ જ તેમને નય પણ હોતો નથી.
વસ્તુ અનંતગુણનો પિંડ છે. તે વસ્તુ તો છે છે ને છે, ત્રિકાળ છે. તે વસ્તુ કાંઈ નવી પ્રાપ્ત થતી નથી,
પરંતુ તેનું ભાન થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે પૂર્ણ પરમાત્મપદ પ્રગટે તેનું નામ નિજપદની પ્રાપ્તિ છે.
‘મૂળમાર્ગ’ માં કહે છે કે–
તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ... તેહ મારગ જિનનો પામીયો રે, કિંવા પામ્યો તે
નિજસ્વરૂપ... મૂળ૦
જ્યારે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યગ્ચારિત્ર એ ત્રણે અભેદ પરિણામે આત્મારૂપ વર્તે ત્યારે તે જીવ
જિનનો માર્ગ પામ્યો એટલે કે નિજસ્વરૂપને પામ્યો. જિનનો માર્ગ કહો કે નિજસ્વરૂપ કહો–તે કાંઈ જુદા નથી.
લોકો બહારમાં જિનનો માર્ગ માની બેઠા છે, પણ જિનનો માર્ગ બહારમાં નથી, પોતાનું આત્મસ્વરૂપ તે જ
જિનનો માર્ગ છે.
૧–અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં શુદ્ધસ્વભાવ ઉપર દ્રષ્ટિ,
૨–પર નિમિત્તનું લક્ષ થવા છતાં સ્વદ્રવ્યનો આશ્રય,
૩–વ્યવહાર હોવા છતાં નિશ્ચયનું અવલંબન,
૪–ક્ષણિક પર્યાયના ભેદો હોવા છતાં અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ અથવા પર્યાયોની અનેકતા હોવા છતાં
સ્વભાવની એકતાનો આશ્રય,–આવો સમ્યક્ એકાંત છે, અને એની પ્રાપ્તિ કરાવવી તે જ અનેકાંતનું પ્રયોજન છે.
નિશ્ચયના અવલંબનથી ધર્મ થાય ને વ્યવહારના અવલંબનથી પણ ધર્મ થાય–એનું નામ અનેકાંત નથી, તે તો
મિથ્યા એકાંત છે. નિશ્ચયના આશ્રયે ધર્મ થાય ને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય–એવો અનેકાંત છે, અને તે
જાણીને નિશ્ચય તરફ ઢળવું તેનું નામ સમ્યક્ એકાંત છે. મોક્ષમાર્ગમાં વચ્ચે ક્યાંય વ્યવહારનું અવલંબન છે જ
નહીં. વચ્ચે વ્યવહાર હોવા છતાં તેના અવલંબને ધર્મ ટકતો નથી, મોક્ષમાર્ગ તો નિશ્ચયના અવલંબને જ ટક્યો છે.
ભાઈ, શાસ્ત્રોમાં નિશ્ચયના તેમ જ વ્યવહારના, ઉપાદાનના તેમ જ નિમિત્તના, દ્રવ્યના તેમ જ પર્યાયના,
અભેદના તેમ જ ભેદના તથા શુદ્ધના તેમ જ અશુદ્ધના કથનો ભલે હો, પણ સમ્યક્ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ
એ જ સર્વનો સાર છે. એ બધું જાણીને જો સ્વભાવ તરફ ન વળે તો જીવને સમ્યગ્દર્શન પ્રગટે નહિ ને કલ્યાણ થાય
નહિ. જો સ્વભાવની રુચિ ન કરે અને ભેદની–વ્યવહારની–નિમિત્તની કે પર્યાયની રુચિ કરે તો મિથ્યા એકાંત થઈ
જાય છે. શાસ્ત્રના લક્ષે અનેક પડખાં જાણીને જો સ્વભાવ તરફનું વલણ ન કરે તો જીવને શું લાભ?
હું જ્ઞાતાદ્રષ્ટા ત્રિકાળ છું, પૂર્ણાનંદ પ્રગટ કરવાની તાકાત મારામાં ભરી છે, જ્ઞાનદર્શનની વીતરાગી
ક્રિયાનો જ હું કર્તા છું, જડની ક્રિયાનો હું કર્તા નથી તેમ જ પુણ્ય–પાપ પણ મારી સ્વાભાવિક ક્રિયા નથી. કોઈ
પર મને રખડાવતું નથી અને કોઈ પર મને સમજાવવાની તાકાતવાળું નથી. હું મારી ભૂલે રખડયો છું, ને મારા
પુરુષાર્થે સાચી સમજણ કરીને મુક્તિ પામું છું. અનંત સર્વજ્ઞો–સંતો પૂર્વે થઈ ગયા, પણ હું મારી પાત્રતાના
અભાવે ન સમજ્યો. મારા નિજપદની પ્રાપ્તિ સ્વસન્મુખ પુરુષાર્થથી થાય છે. વર્તમાનમાં હું મારા પૂર્ણાનંદમય
સ્વપદની પ્રાપ્તિ કરવા માંગું છું તો તેવો પૂર્ણાનંદ પ્રગટ કરનારા અનંત જીવો પૂર્વે થઈ ગયા છે, અત્યારે વિચરે છે
અને ભવિષ્યમાં પણ અનંત થશે. સર્વજ્ઞતા વગર પૂર્ણાનંદ ન હોય. સર્વજ્ઞતા પ્રગટ કરીને પૂર્ણાનંદ પામનારા
જીવો સમ્યક્ એકાંત એવા નિજપદનો જ આશ્રય લઈને પામ્યા છે–પામે છે ને પામશે; એ સિવાય રાગ–નિમિત્ત કે
વ્યવહાર–એ બધા પરપદ છે–તેના આશ્રયે કોઈ પામ્યા નથી–પામતા નથી ને પામશે નહીં.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૫૦: આત્મધર્મ: ૮૦
ત્રણેકાળે આ એક જ ભવના અંતનો ને મુક્તિની પ્રાપ્તિનો ઉપાય છે.
શ્રીમદ્ના વચનોમાં જ્યાં હોય ત્યાં ભવના અંતનો પડકાર છે. તેઓ લખે છે કે––
‘કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા –નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.’
સ્વસન્મુખ થઈને સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને તેમાં લીનતા કરવી તે જ ભવના અંતનો ઉપાય છે.
ભવના અંતનો પંથ ક્યાંથી શરૂ થાય?–શું ભવના કારણનો આશ્રય લેવાથી ભવના અંતની શરૂઆત થાય? –કે
ભવરહિત સ્વરૂપનો આશ્રય લેવાથી ભવના અંતની શરૂઆત થાય? ધર્મ માટે આત્માના સ્વભાવ સિવાય
પરનો આશ્રય સ્વીકારવો તે બંધનો પંથ છે અને શુદ્ધ સ્વભાવનો આશ્રય સ્વીકારવો તે મોક્ષનો પંથ છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
જે જે કારણ બંધના તેહ બંધનો પંથ,
તે કારણ છેદકદશા મોક્ષપંથ ભવ અંત.
શુભાશુભભાવની રુચિ ને પર્યાયબુદ્ધિ તે બંધનનો એટલે કે સંસારનો પંથ છે. અને તેનો છેદ તે ભવના
અંતનો એટલે કે મોક્ષનો પંથ છે. પણ તેનો છેદ કઈ રીતે થાય? ‘આ શુભાશુભનો છેદ કરું’–એમ તેની સામે
જોયા કરવાથી (અર્થાત્ પર્યાયબુદ્ધિથી) તેનો છેદ થાય નહિ, પણ આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવની રુચિ કરીને
તેમાં એકાગ્ર થતાં પર્યાયબુદ્ધિનો અને રાગનો છેદ થઈ જાય છે–અર્થાત્ તેની ઉત્પત્તિ જ થતી નથી. એટલે શુદ્ધ
ચૈતન્યસ્વભાવની રુચિ કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ મોક્ષનો ને ભવના અંતનો પંથ છે.
શાસ્ત્રોમાં નિશ્ચય તેમ જ વ્યવહાર બંનેની વાત છે, પણ આશ્રય તો એક નિશ્ચયનો જ બતાવ્યો છે. જ્ઞાન
કરવા માટે પર ચીજ છે ખરી, પણ કલ્યાણ તો સ્વના આશ્રયે જ થાય છે. અભેદના આશ્રયે–નિશ્ચયના આશ્રયે–
દ્રવ્યસામાન્યના આશ્રયે–અથવા તો શુદ્ધ ઉપાદાનના આશ્રયે કલ્યાણ છે, એ સિવાય ભેદના આશ્રયે–વ્યવહારના
આશ્રયે–પર્યાયના આશ્રયે કે નિમિત્તના આશ્રયે કલ્યાણ નથી શાસ્ત્રોમાં નિશ્ચય–વ્યવહાર વગેરે બબ્બે પડખાંનું
જ્ઞાન કરાવ્યું છે, પણ તે બે પડખાંને જાણીને એક તરફ વળવા માટે આ ઉપદેશ છે.
બાહ્યસંયોગ અને નિમિત્તો હો ભલે, પણ તે આત્માના ધર્મનું સાધન નથી. અરે પ્રભુ! તું
ચૈતન્યભગવાન એવો નમાલો નથી કે તને પર સંયોગની અનુકૂળતાએ લાભ થાય. તારા કલ્યાણને માટે પરના
આશ્રયની જરૂર પડે એવું તારું સ્વરૂપ નથી. નિમિત્ત ભલે હો પણ તે તારા આત્માથી પર છે. અને નિમિત્તને
લક્ષે વ્યવહાર–શુભરાગ–થાય તે પણ તારા સ્વભાવથી પર છે એ પ્રમાણે જાણીને સ્વભાવ તરફ વળવું તે જ
પરમાત્મપદનો ઉપાય છે. આ પ્રમાણે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ અનેકાંત
ઉપકારી નથી. પર્યાયમાં અશુદ્ધતા છે ખરી, પણ તેના આશ્રયે નિજપદની પ્રાપ્તિ થતી નથી. સ્વભાવ તરફ ઢળ્‌યા
વિના, પર્યાયના આશ્રયે કલ્યાણ થાય–એવું અનેકાંત માર્ગમાં એટલે કે વસ્તુના સ્વભાવમાં છે જ નહીં. તું તને
સમજીને, તારા સ્વભાવનો મહિમા કર અને તારા સ્વભાવ તરફ વળ–એ જ કલ્યાણનો માર્ગ છે. નિજપદની
એટલે કે પરમાત્મદશાની પ્રાપ્તિ સ્વના આશ્રયે થાય છે, પરના આશ્રયે નિજપદની પ્રાપ્તિ અટકે છે. ઉપાદાનના
આશ્રયે નિજપદની પ્રાપ્તિ થાય છે, નિમિત્તના આશ્રયે નિજપદની પ્રાપ્તિ અટકે છે.
નિજપદની પ્રાપ્તિ જીવથી થઈ શકે છે, તેનો આ ઉપદેશ છે. અનંતકાળથી જીવે પોતાના નિજપદની સંભાળ
કરી નથી, અને નિમિત્ત તથા વ્યવહારના આશ્રયે કલ્યાણ માનીને પરપદની જ પ્રાપ્તિ કરી છે. સ્વપદ–ચૈતન્ય–
સ્વભાવને ભૂલીને પરના આશ્રયે પરપદની–રાગની–કર્મની ને શરીરના સંયોગની પ્રાપ્તિ થાય છે, ને ચાર ગતિના
અવતાર ટળતા નથી. રાજપદ હો કે દેવપદ હો તે બધા પરપદ છે, અને તેના કારણરૂપ પુણ્યભાવ પણ પરપદ છે,
ચૈતન્યભગવાન આત્માનું તે પદ નથી. નિજપદ તો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે, તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા
કરતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. એ સિવાય પરના આશ્રયે રાગ ઊઠે તેનાથી પરપદની પ્રાપ્તિ થાય છે.
અનેકાંત પોતાના સ્વભાવપદની પ્રાપ્તિ અર્થે જ ઉપકારી છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એકદમ આંતરિક હતું. તેમને સંયમદશા થઈ ન હતી પણ અંતરસ્વભાવની દ્રષ્ટિ
પ્રગટી હતી, સ્વભાવ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન વર્તતો હતો. અંદરથી ભગવાન આત્મા જાગ્યો હતો. છેવટે તેમનો
પોકાર છે કે–

PDF/HTML Page 12 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૧:
‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો’ આ સંસારનો અંત લાવીને નિજપદની પૂર્ણતાની શીઘ્ર પ્રાપ્તિ
કરવાની હતી, પૂર્ણતાની જ ભાવના હતી. આત્મામાં કેવળજ્ઞાનની અનંત પર્યાયો સાદિ–અનંતકાળ પ્રગટ્યા કરે
તેવી તાકાત ભરી છે, એવો પરિપૂર્ણ આત્મા દ્રષ્ટિમાં તો આવ્યો છે–પ્રતીતમાં આવ્યો છે, સ્વભાવની નિઃશંકતા
પ્રગટી છે. અને એ સ્વભાવના આશ્રયે અલ્પકાળે સંસારનો અંત કરીને મોક્ષદશા પ્રગટ કરવાની ભાવના હતી–
‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે
આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.’ અહીં
પર્યાયની નબળાઈનું જ્ઞાન પણ વર્તે છે તેની વાત કરી, તેમાં પણ આત્મવીર્યની વાત લીધી છે, પણ કર્મ નડશે
એવી વાત લીધી નથી. અંતરમાં સમ્યક્ એકાંત એવા નિજપદ ઉપર દ્રષ્ટિ પડી છે, અને સ્વભાવ તરફ પુરુષાર્થનો
વેગ વળ્‌યો છે, પણ સ્વભાવમાં વળતાં વળતાં વચ્ચે વીર્ય અટકી ગયું, પૂર્ણતાના પુરુષાર્થમાં ન પહોંચી શકાયું,
એટલે એકાદ ભવ થયો. તેનું જ્ઞાન વર્તે છે; છતાં સ્વભાવની નિઃશંકતા જાહેર કરતાં કહે છે કે–
‘જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી; એ જ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાધ સ્થિરતા છે.’ અવસ્થામાં
નબળાઈથી જરાક વીર્ય અટક્યું છે તેનું ભાન છે, પણ દ્રષ્ટિમાં જે સ્વરૂપ આવ્યું છે તે અન્યથા થવાનું નથી, એ
સ્વરૂપની દ્રષ્ટિ કદી ખસવાની નથી. એટલે એ દ્રષ્ટિના જોરે સ્વરૂપસ્થિરતા પ્રગટ કરીને અલ્પકાળે પૂર્ણદશા પ્રગટ
કરવાના છીએ. ‘સ્વાત્મવૃત્તાંત’ માં નિઃશંકતા પૂર્વક કહે છે કે–
અવશ્ય કર્મનો ભોગ જે ભોગવવો અવશેષ રે,
તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે... ધન્ય રે૦
હવે અનંતભવ કરવાના રહ્યા નથી, પણ એક જ ભવ બાકી છે. એક ભવમાં અમને પૂર્ણસ્વરૂપની પ્રાપ્તિ
થશે, તેમાં ત્રણકાળ ત્રણલોકમાં શંકા પડતી નથી. ‘અપૂર્વ અવસર’ ની છેલ્લી કડીમાં પણ આ સંબંધમાં લખે છે કે–
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...
અંતરમાં એવા પરમાત્મસ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટ્યાં છે, અને તેની પૂર્ણ પ્રાપ્તિ માટેની ભાવના
વર્તે છે. ‘આવી જેની દશા હોય તે એકાવતારી થાય’ એવી ભગવાનની આજ્ઞાનું ભાન છે, અને સાથે પોતાનો
નિશ્ચય ભેળવીને કહે છે કે અલ્પકાળે જરૂર અમે તે પરમપદસ્વરૂપ થઈશું. અંર્તસ્વભાવની દ્રષ્ટિપૂર્વક આવા
સ્વકાળના અપૂર્વ પુરુષાર્થની ભાવના કરતાં કરતાં જેને દેહ છૂટયો તેને પછી વિશેષ ભવ હોય નહીં.
નિરર્થક અભિપ્રાય
જીવ જે પ્રમાણે માનતો હોય તે પ્રમાણે જો વસ્તુસ્વરૂપ ન હોય તો તેની માન્યતા નિરર્થક છે–મિથ્યા છે.
શું પરવસ્તુના પર્યાયનું પરિણમન કોઈની અપેક્ષા રાખે છે? કે પોતે પોતાના દ્રવ્યની અપેક્ષાથી જ પરિણમે છે?
કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની અપેક્ષા રાખતું જ નથી. સર્વ દ્રવ્યો પોતે પોતાથી જ સ્વતંત્ર પરિણમે છે. આમ વસ્તુસ્વરૂપ
છે, તોપણ પરદ્રવ્યના પરિણમનમાં મારી અપેક્ષા છે એમ અજ્ઞાની માને છે. એવી તારી માન્યતા હે ભાઈ! તને
જ દુઃખનું કારણ છે. તારો જે અભિપ્રાય છે તે પ્રમાણે વસ્તુમાં બનતું તો નથી, માટે તારો અભિપ્રાય વ્યર્થ છે–
નિરર્થક છે, અને તને જ બંધનનું કારણ છે.
સમયસાર–બંધઅધિકાર ગા. ૨૬૬ ઉપરના પ્રવચનમાંથી.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૫૨: આત્મધર્મ: ૮૦
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચનો
લેખાંક ૧૬ મો] [અંક ૭૯ થી ચાલુ
[વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧૨ (૨) દસલક્ષણી પર્વનો ઉત્તમત્યાગ દિન (૮)]
[] સ્ દ્ધસ્રૂ ધ્ ર્વ્ . : જંત્ર, મંત્ર, ધારણા વગેરે દુર્લભ નથી, એ તો
બધા શુભરાગ છે; પણ શુદ્ધસ્વરૂપની ઓળખાણ કરીને તેના ધ્યાનદ્વારા ઈન્દ્રિયોના રસની વૃત્તિ તથા મોહ અને
અબ્રહ્મચર્યાદિને તોડવા તે દુર્લભ છે. આત્માનો સ્વભાવ પરમાનંદમય સમરસી ભાવરૂપ છે; સ્વર્ગનાં કલ્પિત
સુખ અને નરકનાં દુઃખ એ બંને આત્માના વીતરાગી આનંદની અપેક્ષાએ સમાન છે, અર્થાત્ તે બંને આત્માના
વીતરાગી આનંદની વિરુદ્ધરૂપ છે. મનના સંકલ્પ–વિકલ્પ થાય તે સહજાનંદસ્વરૂપી આત્માના ધ્યાનના વેરી છે,
તેને જીતવા દુર્લભ છે, એટલે કે તેમાં અનંત પુરુષાર્થ છે. માટે મંત્ર–તંત્રાદિનું કે પ્રતિમા વગેરેનું ધ્યાન છોડીને
શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરો.–સર્વે ગૃહસ્થોને આવો ઉપદેશ છે. ગૃહસ્થદશામાં પણ શુદ્ધાત્માનું ધ્યાન થઈ શકે છે.
શુદ્ધાત્માની સાચી સમજણ અને બહુમાન કરવું તે પણ એક પ્રકારે શુદ્ધાત્માનું ધ્યાન છે.
[] િન્દ્ર િ જી? : રસને જીતવાનું કહ્યું એટલે શું? ચૈતન્યસ્વભાવને ચૂકીને
રસમાં જે ગૃદ્ધિભાવ થતો હોય તે છોડવાની વાત છે. ધર્માત્માને બહારમાં અનેક તરેહનાં રસનાં ભોજનનો
સંયોગ હોય પણ અંતરમાં તે રસ પ્રત્યે રુચિ નથી, ચૈતન્યને ચૂકીને તે રસમાં લીન થતા નથી, માટે સંતો તેમને
જિતેન્દ્રિય કહે છે. અને અજ્ઞાનીને બહારમાં સંયોગરૂપ એક જ સાદી ચીજ હોય છતાં અંતરમાં ચૈતન્ય ચૂકીને
તેમાં લીન થઈ જતો હોય, તેને સંતો જિતેન્દ્રિય કહેતા નથી. માટે રસને જીતવાનું કહ્યું તેમાં બહારના સંયોગની
વાત નથી પણ ચૈતન્યની રુચિપૂર્વક રસની ગૃદ્ધિ ટાળવી તેનું નામ રસને જીત્યો કહેવાય. તેવી રીતે
આત્મસ્વભાવની સાવધાનીપૂર્વક મિથ્યાત્વાદિ મોહભાવ ટાળવો તે દુર્લભ છે અને સ્વરૂપની રુચિપૂર્વક
બ્રહ્મચર્યનો રંગ ટકાવી રાખવો તે પંચમહાવ્રતમાં દુર્લભ છે. અને સંકલ્પ–વિકલ્પ તોડીને ચૈતન્યસ્વરૂપમાં
એકાગ્રતા કરવી તે દુર્લભ છે. પરંતુ ચૈતન્યસ્વરૂપના ધ્યાનવડે તે સર્વે થઈ શકે છે. શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનનો
અભ્યાસ કરનાર જીવને ઈન્દ્રિયના વિષયોની રુચિ ટળી જ જાય છે. ચૈતન્યના પરમાનંદમય વીતરાગી
સ્વભાવની રુચિ થાય અને ઈન્દ્રિયના વિષયોમાંથી સુખબુદ્ધિ ન ટળે–એમ બને જ નહીં. એ રીતે સ્વરૂપની
એકાગ્રતારૂપ ધ્યાનવડે તે ચાર પ્રકારને જીતવા, તેમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે. ।। ૨૨।।
[] દ્ધત્સ્ ? : હવે કહે છે કે આ પરમાત્મતત્ત્વ દિવ્યધ્વનિ, શાસ્ત્ર વગેરે
પરદ્રવ્યોથી અને વિકલ્પથી અગોચર છે, માત્ર નિર્વિકલ્પ આત્મધ્યાનથી જ અનુભવગમ્ય છે.
(ગાથા ૨૩)
वेयहिं सत्थहिं इंदियहिं जो जिय मुणहु ण जाइ।
णिम्मल झाणहं जो विसउ सो परमप्पु अणाइ।।
२३।।
ભાવાર્થ:– કેવળી ભગવાનની વાણી કે મુનિ વગેરે જ્ઞાનીઓનાં વચનો તથા ઈન્દ્રિયો કે મનથી શુદ્ધાત્મા
જાણી શકાતો નથી, પણ નિર્મળ ધ્યાનથી જ જાણી શકાય છે; એવો અનાદિ પરમાત્મસ્વભાવ છે.
ભગવાનના દિવ્યધ્વનિના શ્રવણથી આત્મસ્વરૂપ સમજાય નહિ. ભગવાનની વાણી તરફના લક્ષે જ્ઞાન
થતું નથી એમ જો ન સમજે તો સમ્યગ્જ્ઞાન થાય નહિ. જેને સમ્યગ્જ્ઞાનની લાયકાત હોય તેને પહેલાંં જ્ઞાનીની
વાણીનું શ્રવણ હોય છે ખરુ, પણ સમ્યગ્જ્ઞાન તો ચૈતન્યસ્વભાવના આશ્રયે જ પ્રગટે છે.
વાણીના લક્ષે તથા શાસ્ત્રોના લક્ષે જે જ્ઞાન થાય છે તે વિકલ્પાત્મક છે, રાગવાળું છે, તેનાથી આત્મા
અનુભવાતો નથી. અને ઈન્દ્રિયો તથા મનના લક્ષે પણ વિકલ્પ જ થાય છે, તેનાથી અમૂર્તિક ચૈતન્યસ્વરૂપી
આત્મા અનુભવાતો નથી. પણ તે બધાનું અવલંબન છોડીને એકલા ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતારૂપ નિર્મળ
ધ્યાનથી જ શુદ્ધ પરમાત્મા અનુભવાય છે–જણાય છે. મિથ્યાત્વાદિથી રહિત નિર્મળ સ્વશુદ્ધાત્માની અનુભૂતિવડે
અનુભવાય એવો આત્મસ્વભાવ છે. હે જીવ! તું એવા આત્માને

PDF/HTML Page 14 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૩:
ધ્યાનના અભ્યાસવડે જાણ! શુદ્ધાત્મા તે ધ્યાનનો વિષય છે.
વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧૩ દસલક્ષણી પર્વનો ઉતમઅકિંચન્ય દિન (૯)
[] ત્ધ્ મ્ગ્ર્િ . : આત્મધ્યાનથી જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્ચારિત્ર ને કેવળજ્ઞાન પમાય છે. કર્મ, શરીર, વાણી, શુભાશુભ ભાવ કે પર્યાય–એ બધાનું લક્ષ છોડીને જેણે
પોતાની અવસ્થાને અંતરસ્વભાવમાં એકાગ્ર કરી તેઓ જ સમ્યગ્દર્શનાદિ પામ્યા છે. આત્માની સમજણથી
કંટાળીને આંખ બંધ કરીને ધ્યાન કરવા મંડી જાય તેને સાચું ધ્યાન ન હોય, પણ સ્વરૂપની અરુચિરૂપ
આર્ત્તધ્યાન હોય. પહેલાંં યથાર્થ સમજવું જોઈએ, સત્સમાગમે શ્રવણ કરીને તત્ત્વનો અવિરુદ્ધ નિર્ણય કરવો
જોઈએ, પછી જ આત્માનું ધ્યાન થઈ શકે. પર લક્ષે તો આત્માની ઓળખાણ થતી નથી, પુણ્યથી પણ થતી નથી,
અને વર્તમાન પર્યાયના લક્ષે પણ થતી નથી; પણ વર્તમાન પર્યાયને ત્રિકાળી સ્વભાવમાં વાળીને ધ્યાન કરવાથી
જ યથાર્થ ઓળખાણ થાય છે ને સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે.
[] ત્ . : જેને ત્રિકાળ સ્વભાવમાં બંધન જ નથી,–સદાય મુક્ત
સ્વરૂપ જ છે, એવો શુદ્ધ નિર્મળ ચિદ્રૂપ આત્મા છે, તેમાં પરિણામને લીન કરવા તે ધ્યાન છે. કહ્યું છે કે–
‘अन्यथा वेदपाण्डित्यं शास्त्रपाण्डित्यमन्यथा।
अन्यथा परमं तत्त्वं लोकाः क्लिश्यन्ति चान्यथा।।’
–યશસ્તિલક અ. પ ગા. પ૧
શાસ્ત્ર જુદાં છે ને આત્મા જુદો છે. શાસ્ત્રમાંથી આત્મા પ્રગટતો નથી. શાસ્ત્રના લક્ષે સમ્યગ્જ્ઞાન થતું
નથી. શાસ્ત્રોમાં તો વિકલ્પોનું વર્ણન છે, અને આત્માનો સ્વભાવ તો વિકલ્પાતીત છે. નય–પ્રમાણના વિકલ્પો
આત્મામાં નથી. શાસ્ત્રજ્ઞાનની પંડિતાઈ જુદી ચીજ છે ને આત્મા પરમતત્ત્વ જુદી ચીજ છે. તેમ જ લોક જે ક્લેશ
પામે છે તે જુદી ચીજ છે. શાસ્ત્રના ભણતરથી જે પંડિતાઈ થાય તેની અપેક્ષા આત્માને નથી. શાસ્ત્રજ્ઞાન તો
પરાવલંબી વિકલ્પવાળું છે, આત્મા નિર્વિકલ્પ છે. મોટા વાદવિવાદ કરીને જીત મેળવે તેથી આત્માનું જ્ઞાન થતું
નથી. આત્મા પરમતત્ત્વ છે તે કેવળ જ્ઞાનઆનંદરૂપ છે. પરની અપેક્ષા કહો તો રાગ આવે અને રાગ ત્યાં દુઃખ
હોય; આત્મા તો પરમાનંદસ્વરૂપ છે.
[] ન્ ન્ . : જે જીવ પોતાના ચૈતન્યસ્વભાવ સન્મુખ વળે નહિ અને બહારના
જ સાધનોથી ચૈતન્યની સમજણ માનીને ત્યાં અટકી રહે, તેને ભગવાન આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તું તારા
અંર્તસ્વભાવને શોધ. તારું તત્ત્વ બહારમાં નથી પણ અંતરમાં છે, તેને અંર્તસન્મુખ થઈને શોધ. બહારમાં ભિન્ન
કારકોની શોધ કરીને તું અનાદિથી રખડી રહ્યો છે. શ્રી પ્રવચનસાર અ૦ ૧ ગા૦ ૧૬ માં કહ્યું છે કે–‘નિશ્ચયથી
પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (–બાહ્ય
સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા) પરતંત્ર થાય છે.’ આચાર્યદેવ કહે છે કે ચૈતન્યતત્ત્વને માટે
ચૈતન્યથી ભિન્ન કોઈ સાધન નથી; માટે હે ભવ્ય! તારા સ્વતંત્ર તત્ત્વને ઓળખીને ઠર. અંતરસ્વરૂપનો સહજ
માર્ગ જેમાંથી ન નીકળતો હોય તે બધું પડતું મૂકી દે. અંતરતત્ત્વ જુદું છે અને બહારનાં સાધનો જુદાં છે.
[] પ્ર, સ્ત્રજ્ઞ ત્જ્ઞ . : અંતરમાં પરમ તત્ત્વના ભાવ સમજવાનું
પ્રયોજન છે. કોઈને ગાથાના શબ્દો યાદ ન રહે તો કાંઈ નહિ. ગાથાના શબ્દો શાસ્ત્રમાં છે, પણ તે શબ્દોનો ભાવ
શાસ્ત્રમાં નથી, ભાવ તો આત્મામાં છે. એ આત્મતત્ત્વને જાણ્યા વિના લોકો બિચારા મફતના અન્ય માર્ગમાં
કલેશિત થઈ રહ્યા છે, એમ શ્રી આચાર્ય દેવની કરુણા છે.
ઉપાદેય છે–એ ભાવાર્થ છે. ।।૨૩।।
[] દ્ધત્ લ્ : આ શાસ્ત્રમાં વારંવાર શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે. જેને
જેનો રસ હોય તે વારંવાર તેનું રટણ કરે, અને બીજી વાત આવે તો ય તેને ઢીલી કરી નાંખે. આ શાસ્ત્રમાં
શુદ્ધાત્માને જ વારંવાર વર્ણવ્યો છે અને તેની જ એકાગ્રતાનો ઉપદેશ કર્યો છે. ભવ્ય જીવોને કલ્યાણનું કારણ તે
જ છે. વારંવાર શુદ્ધાત્માનો જ ઉપદેશ સાંભળવા માટે જે જીવ ઊભો છે અને તે શુદ્ધાત્માનું શ્રવણ કરતાં જેને
કંટાળો આવતો નથી તે જીવને શુદ્ધાત્માની રુચિ થઈ છે, ને બીજી રુચિ ટળી ગઈ છે;

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૫૪: આત્મધર્મ: ૮૦
તેથી અલ્પકાળે શુદ્ધાત્મસ્વરૂપ પામીને તે જીવ પોતાનું કલ્યાણ કરશે. આ રીતે શુદ્ધાત્માનો ઉપદેશ જ કલ્યાણનું કારણ છે.
[] દ્ધત્ સ્રૂ ર્ . : હવે, આત્માનો સર્વોત્કૃષ્ટ પરમ શુદ્ધસ્વભાવ શાસ્ત્રગમ્ય કે
ઈન્દ્રિયગમ્ય નથી, તેમ જ વિકલ્પગમ્ય નથી, પણ પરમ સમાધિરૂપ નિર્વિકલ્પ ધ્યાનગમ્ય જ છે,–તેનું સ્વરૂપ
ફરીથી વર્ણવે છે–
(ગાથા ૨૪)
केवल दंसणणाणमउ केवल सुक्ख सहाउ।
केवल वीरिउ सो मुणहि जो जि परावउ भाउ।।
२४।।
ભાવાર્થ:– જે કેવળ દર્શનજ્ઞાનમય છે, જેને પરની સહાય નથી, પોતે જ સર્વ પ્રકારે પરિપૂર્ણ જ્ઞાનદર્શનમય
છે, તથા કેવળ સુખસ્વભાવ છે અને અનંત વીર્યવાળો છે, તે જ ઉત્કૃષ્ટ અર્હંતપરમાત્માથી પણ શ્રેષ્ઠ
સ્વભાવવાળો શુદ્ધ સિદ્ધાત્મા છે.
[] ન્સ્ િર્ , ર્ં ત્ત : આ ચૈતન્યભગવાન આત્મા બધા
પ્રકારે પોતાથી પૂરો છે–સર્વગુણસંપન્ન છે; તેના જ્ઞાન–દર્શન અસહાય છે, તીર્થંકર ભગવાનની સહાય પણ
આત્માને નથી. પોતાનો સ્વભાવ જ કેવળ આનંદસ્વરૂપ છે, તેના આનંદ માટે કોઈ પરદ્રવ્યોની અપેક્ષા નથી.
અત્યારે આત્મા આવો પરિપૂર્ણ છે, શાસ્ત્રનું કે ગુરુનું અવલંબન તેને નથી. સંયોગરૂપે તે હોય ભલે, પણ અહીં
આચાર્યદેવ કહે છે કે જેના પ્રત્યેથી તારે ઉપયોગ છોડવાનો છે તેનું તારે શું પ્રયોજન છે? માટે બધાનું લક્ષ છોડ,
અને તારો ચૈતન્યસ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. આ આત્મસ્વભાવ
ઉત્કૃષ્ટ એવા અરિહંતથી પણ શ્રેષ્ઠ, સિદ્ધરૂપ શુદ્ધાત્મા છે. અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અરિહંતથી
પણ શ્રેષ્ઠ કેમ કહ્યો?–કારણ કે અહીં ત્રિકાળ શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી કથન છે, પર્યાય ગૌણ છે અને આ આત્માને
અરિહંતના લક્ષે રાગની ઉત્પત્તિ થાય છે, અને પોતાના સ્વભાવના લક્ષે વીતરાગતાની ઉત્પત્તિ થાય છે, તેથી
આ આત્માને માટે અરિહંત શ્રેષ્ઠ નથી પણ પોતાનો શુદ્ધસ્વભાવ જ શ્રેષ્ઠ છે. અરિહંત અવસ્થા પ્રગટ થવાનું
સામર્થ્ય તેનામાં ભર્યું છે, અને તે જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી.
[] દ્ધત્સ્ િદ્ધ ત્ત . : સિદ્ધ ભગવાનથી પણ આ આત્મસ્વભાવ
ઉત્તમ છે. સિદ્ધપ્રભુના લક્ષે રાગ થાય છે, માટે આ આત્માની અપેક્ષાએ સિદ્ધ ભગવાન ઉત્તમ નથી. વળી તે
સિદ્ધદશા પ્રગટી ક્યાંથી? ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવમાંથી જ તે દશા પ્રગટી છે, સિદ્ધદશાનો આધાર તો તે જ છે,
માટે શુદ્ધાત્મસ્વભાવ જ શ્રેષ્ઠ છે. હે જીવ! તેને જાણીને તેનું જ ધ્યાન કર. એ જ મુક્તિનો માર્ગ છે, એ સિવાય
કોઈ ઉપાયથી આત્મશાંતિ નથી.
।। ૨૪।।
વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧૪ દસલક્ષણી પર્વનો ઉતમબ્રહ્મચર્ય દિન (૧૦)
[] દ્ધત્ ્ય ? : હવે ત્રણલોકથી વંદ્ય એવા શુદ્ધાત્માને રહેવાનું સ્થાન બતાવે છે–
(ગાથા ૨પ)
एयहिं जुत्तउ लक्खणहिं जो परु णिक्कलु देउ।
सो तहिं णिवसइ परमपइ जो तइलोयहं झेउ।।
२५।।
ભાવાર્થ:– આ પરમાત્મપ્રકાશની ૧૬ થી ૨૪ ગાથા સુધીમાં શુદ્ધાત્મસ્વભાવનું વર્ણન કરીને હવે શ્રી
આચાર્યદેવ કહે છે કે–પૂર્વે કહ્યા તેવા લક્ષણોસહિત સર્વથી ઉત્કૃષ્ટ, શરીરાદિ રહિત, ત્રણલોકને આરાધ્યદેવ એવા
સિદ્ધ પરમાત્મા પરમપદમાં બિરાજે છે, તે જ ત્રણલોકને ધ્યેયરૂપ છે.
અહીં જે શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે એવો પોતાનો આત્મા છે, તે જ ઉપાદેય છે, અન્ય કોઈ ઉપાદેય નથી.
સિદ્ધ ભગવાન લોકાગ્રે બિરાજમાન છે તેમ આ આત્માનો સ્વભાવ પણ લોકાગ્રે બિરાજમાન છે–એટલે કે પુણ્ય–
પાપ વગેરે સર્વે વિકારભાવસ્વરૂપ જે લોક છે તેના ઉપર જ આત્મસ્વભાવ રહે છે, પણ કદી પોતે વિકારથી
દબાઈ જતો નથી અર્થાત્ આત્મસ્વભાવ પોતે વિકારી થઈ જતો નથી. જે સદાય વિકારથી જુદો ને જુદો પોતાના
પરમ સ્વભાવમાં વસે છે એવો આ આત્મસ્વભાવ જ સર્વ જીવોને ધ્યેયરૂપ છે. એવો સિદ્ધસમાન શુદ્ધાત્મા અહીં
જ શરીરમાં બિરાજમાન છે. અહીં દેહને સિદ્ધાલયની ઉપમા છે, કેમ કે સિદ્ધ જેવો પોતાનો આત્મા તે દેહમાં

PDF/HTML Page 16 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૫:
રહેલો છે. દેહમાં રહેલો પોતાનો આત્મા સિદ્ધ જેવો જ છે, તેને ઓળખાવવા દેહને સિદ્ધાલય કહ્યું છે. માટે તું
બાહ્ય લક્ષ છોડીને સિદ્ધાલયમાં બિરાજમાન તારા ચૈતન્યસ્વભાવને અંતરલક્ષવડે અવલોક.
[] ત્ ત્ જ્ઞ જા . : આત્મા સિદ્ધ જેવો છે એમ
કહેતાં અજ્ઞાનીનું લક્ષ, પોતાના આત્મા ઉપર જવાને બદલે ઊંચે સિદ્ધ ભગવાન ઉપર જાય છે, પણ તે પોતામાં
પોતાના સ્વભાવસન્મુખ જોતો નથી. અજ્ઞાની જીવને ક્યાંય પોતે દ્રષ્ટિમાં જ આવતો નથી. જ્યાં સિદ્ધ
ભગવાનની વાત આવે ત્યાં, ‘આ મારી વાત નહિ પણ મહાવીર ભગવાન વગેરે સિદ્ધ થયા તેમની વાત છે’ –
એમ પરમાં જ દ્રષ્ટિ કરે છે. એટલે તે શુભરાગમાં જ અટકી જાય છે. જ્ઞાની તો સદાય પોતાના સ્વભાવને જ
મુખ્ય કરે છે. સિદ્ધ ભગવાનની વાત આવે ત્યાં, ‘મારો સ્વભાવ જ આવો છે, સિદ્ધના અને મારા સ્વભાવમાં
કાંઈ ફેર નથી’ એમ જ્ઞાની સ્વદ્રષ્ટિ કરે છે. બીજા સિદ્ધ ભગવાનને જાણ્યા તેનું સામર્થ્ય સિદ્ધ જેટલું જ છે. સિદ્ધ
ભગવાનનો વિશ્વાસ જે જ્ઞાનમાં કર્યો તે જ્ઞાનમાં સિદ્ધપણું સમાય તેટલી મોટપ છે, પણ અજ્ઞાનીને પોતાના
જ્ઞાનસામર્થ્યનો વિશ્વાસ નથી.
[] દ્ધત્સ્ ત્ર િ . : આ ગાથામાં કહ્યું છે કે સિદ્ધ ભગવાન ત્રણલોકથી
આરાધિત છે; એટલે કે સિદ્ધ જેવો પોતાનો શુદ્ધસ્વભાવ જ ત્રણલોકના જીવોથી આરાધિત છે, પણ રાગાદિ
વિકાર તે આરાધિત નથી.
પ્રશ્ન:– ત્રણલોકમાં તો અનંતા–અજ્ઞાની જીવો પણ છે, તેઓ તો આત્મસ્વભાવને આરાધતા નથી પણ
રાગાદિને જ આરાધે છે. છતાં અહીં સિદ્ધભગવાન ત્રણલોકથી આરાધિત છે એમ કેમ કહ્યું? સિદ્ધભગવાનનો
વિરોધ કરનારા પણ ઘણા જીવો હોય છે?
ઉત્તર:– અહીં આચાર્ય ભગવાનને પોતાને શુદ્ધાત્માની ઉત્કટ આરાધના વર્તે છે તેથી તેઓશ્રીની દ્રષ્ટિમાં
ત્રણ જગતના આરાધક જીવો જ દેખાય છે; માટે દ્રષ્ટિની વ્યાપકતાથી કહ્યું કે ત્રણલોકમાં સિદ્ધભગવાન
આરાધિત છે. ત્રણલોકના સ્વામી એવા ઈન્દ્રો, ચક્રવર્તીઓ વગેરે તેને આરાધે છે. જેઓ સિદ્ધભગવાનને (શુદ્ધ
આત્માને) આરાધતા નથી પણ વિકારને આરાધે છે તેને આચાર્યદેવ જીવ જ ગણતા નથી. તેની દ્રષ્ટિ જ
વિકારમાં અને જડમાં એકાકાર છે તેથી તેને જડ ગણે છે. તે જીવને પોતાને પણ પોતાનું ચેતનપણું ભાસતું નથી
પણ વિકારપણું અને જડપણું ભાસે છે.
।। ૨પ।।
[] ત્ર્ ? : એ રીતે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપનું કથન કર્યું અને તેમાં
પરમાત્મા સિદ્ધભગવાન જેવો પોતાનો ત્રિકાળી પરમાત્મસ્વભાવ છે તે જ ધ્યાન કરવા યોગ્ય છે એમ બતાવ્યું.
પોતાના પરમાત્મસ્વભાવનું ધ્યાન એ જ સર્વનો સાર છે. આ ગ્રંથમાં શુદ્ધાત્માના ધ્યાનની મુખ્યતાથી કથન છે.
શુદ્ધાત્માના ધ્યાનથી જ સમ્યગ્દર્શન થાય છે, તેનાથી જ સમ્યગ્જ્ઞાન થાય છે, તેનાથી જ સમ્યગ્ચારિત્ર અને
કેવળજ્ઞાન થાય છે. માટે શુદ્ધાત્માનું ધ્યાન એ જ બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે.
[] ત્ િદ્ધ ધ્ : જેવા સિદ્ધભગવાન પ્રગટરૂપ પરમાત્મા છે એવા જ
પરમાત્મા શુદ્ધ નિશ્ચયનયથી આ દેહમાં પણ શક્તિરૂપ છે અર્થાત્ દરેક આત્મા સ્વભાવથી સિદ્ધ પરમાત્મા જ છે,
માટે તેનું જ ધ્યાન કરવાથી પ્રગટરૂપ સિદ્ધદશા થાય છે–એમ હવે કહે છે–
(ગાથા ૨૬)
जेहउ णिम्मलु णाणमउ सिद्धिहि णिवसइ देव।
तेहउ णिवसइ बंभु परु देहहं मं करि मेउ।।
२६।।
ભાવાર્થ:– જેવા સિદ્ધભગવાન ભાવકર્મ–દ્રવ્યકર્મ–નોકર્મની ઉપાધિરહિત નિર્મળ, જ્ઞાનમય, પરમ આરાધ્ય
દેવાધિદેવ, કેવળજ્ઞાનાદિ પ્રગટસ્વરૂપ કાર્યસમયસાર સિદ્ધિમાં વસે છે તેવો જ આ આત્મા સિદ્ધ જેવા સર્વ લક્ષણો
સહિત પરમબ્રહ્મ, શુદ્ધબુદ્ધ સ્વભાવરૂપ પરમાત્મા શક્તિરૂપે શરીરમાં વસે છે; માટે હે શિષ્ય! તું સિદ્ધભગવાનમાં
અને તારામાં ભેદ ન કર, અર્થાત્ અન્ય સિદ્ધભગવાનનું લક્ષ છોડીને તું તારા શુદ્ધબુદ્ધ પરિપૂર્ણ સ્વભાવને જ ધ્યાવ.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
રાજકોટથી વિહાર કરીને પૂ. ગુરુદેવશ્રી ગઢકા ગામે પધાર્યા ત્યારે વૈશાખ સુદ પ ના રોજ રાજકોટના
ભાઈશ્રી નાનચંદ અનુપચદ મહેતા તથા તેમના ધર્મપત્ની કમળાબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. આ બદલ તેમને ધન્યવાદ!

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૫૬ : આત્મધર્મ : ૮૦
જ્ઞાનીને શું સંમત છે?
“જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું”
‘આત્મસ્વભાવમાં અભેદદ્રષ્ટિ તે જ જ્ઞાનીને સંમત છે’
આ શ્રીમદ્ રાજચંદ્રનો એક પત્ર વંચાય છે. તેમાં તેઓ લખે છે કે જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ સંમત
કરવું. જ્ઞાનીઓને શું સંમત છે? આત્મસ્વભાવમાં અભેદદ્રષ્ટિ તે જ સર્વે જ્ઞાનીઓને સંમત છે. એ સિવાય કોઈ
રાગથી ધર્મ થાય કે શરીરની ક્રિયા આત્મા કરે–એ વાત કોઈ જ્ઞાનીને સંમત નથી.
‘અનંતકાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે’ શ્રીમદ્નું ૨૩ મા વર્ષે આ લખાણ છે.
આત્મા અનંતકાળથી છે, આ શરીરનો સંબંધ નવો થાય છે, પણ આત્મા નવો થતો નથી. આત્મા પોતે કોણ છે
તેની તેને અનંતકાળથી ખબર નથી. હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે?–તે વિષે જ ભ્રાંતિ રહી ગઈ છે. મારું સુખ
જાણે કે બહારમાં હોય! એમ માને છે, એટલે પોતાને જ વિષે ભ્રાંતિ છે. દેવ–ગુરુ–શાસ્ત્રને વિષે ભ્રાંતિ રહી ગઈ
છે–એમ ન કહ્યું, કેમ કે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને તો માન્યા, પણ પોતાના આત્મા વિષે ભ્રાંતિ કદી ટાળી નથી.
પરને વિષે ભ્રાંતિ રહી ગઈ છે. એમ ન કહ્યું, પણ સ્વકોણ તે વિષે ભ્રાંતિ રહી ગઈ છે. આત્માને ભૂલીને પરથી
લાભ માની રહ્યો છે, એટલે ઉપાદાનસ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે, પણ નિમિત્તમાં ભૂલ રહી ગઈ છે–એમ નથી.
બીજી રીતે કહીએ તો વ્યવહાર સંબંધમાં ભૂલ તો ટાળી, પણ આત્માનો સ્વભાવ શું તે જાણ્યો નહિ એટલે નિશ્ચય
સંબંધી ભૂલ કદી ટાળી નથી. દેવ–ગુરુ–શાસ્ત્રની કૃપા થઈ જાય તો મારા આત્માનું કલ્યાણ થઈ જાય–એમ માને
છે તે પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ છે. પુણ્યને આત્માનું સ્વરૂપ માને તો તે પણ આત્મા વિષે ભ્રાંતિ છે. જીવે
અનંતકાળમાં બીજું બધું કર્યું છે પણ આત્માનો સ્વભાવ શું–તે વિષે ભ્રાંતિ કદી ટાળી નથી. પોતા વિષે ભ્રાંતિ
રહી ગઈ છે. પોતે એટલે કોણ? વિકારવાળો પોતાને માન્યો તે પણ ભ્રાંતિ છે. આત્મા ક્ષણિક વિકાર જેટલો
નથી, વિકારરહિત તેનો સ્વભાવ છે, તે સ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે. જીવે શુભભાવ અનંતવાર કર્યા છે, પણ
ભ્રાંતિરહિત થઈને શુદ્ધાત્માને કદી જાણ્યો નથી.
‘આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે.’ વાણીથી ન કહી શકાય એવું અદ્ભુત વિચારણાનું
આ સ્થળ છે. અહીં આત્મસ્વભાવના વિચારની અપૂર્વતા બતાવે છે. એવું શું બાકી રહી ગયું કે અનંતઅનંતકાળ
ગયો છતાં ભ્રાંતિ ટળી નહિ. અનંતકાળમાં ત્યાગ, વ્રત વગેરે કર્યું, પણ આત્મસ્વભવાની વિચારણાનું સ્થળ બાકી
રહી ગયું છે. પોતાને વિષે શું ભ્રાંતિ રહી ગઈ? તે એક અદ્ભુત વિચારણાનું સ્થળ છે. બીજા બધા વિચારોમાં
ડહાપણ કર્યું છે, પણ આત્માની યથાર્થ વિચારણા કદી નથી કરી. પહેલાંં આત્મસ્વભાવની વાત કરીને પછી તેનું
નિમિત્ત પણ બતાવશે. અનંતકાળની ભ્રાંતિ કેમ ટળે. તેનો ઉપાય બતાવશે.
અનંતકાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય–
અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. સત્પુરુષોનાં
ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોનાં લક્ષણોનું ચિંતન કરવું સત્પુરુષોની મુખાકૃતિનું
હૃદયથી અવલોકન કરવું, તેની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી
ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓનાં હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા
યોગ્ય ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે–સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે.
અને એ જ સર્વ શસ્ત્રનો, સર્વ સંતના હૃદયના, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ
છે અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા
એ છે. અધિક શું લખવું? આજે ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજ્યે, એ જ
પ્રાપ્ત થયે છુટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત.

PDF/HTML Page 18 of 21
single page version

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૭:
જ્ઞાન પર તરફના વિકલ્પ દ્વારા પણ જે આત્માને પહોંચાતું નથી તે આત્માને વાણીથી તો કેમ કહી શકાય? મતિ
એટલે પર તરફના જ્ઞાનનો ઉઘાડ, અથવા પર તરફના વલણવાળું જ્ઞાન–એમ અહીં અર્થ સમજવો. સમ્યક્
મતિજ્ઞાન વડે તો આત્મા જણાય છે, પણ પર તરફ વલણવાળા જ્ઞાનના ઉઘાડ વડે આત્મા જણાતો નથી.
આમ પહેલાંં તો ઉપાદાનસ્વભાવ તરફની વાત કરી, હવે અનંતકાળથી રહી ગયેલી તે ભ્રાંતિ ટાળવા માટે
અને અંર્તસ્વભાવમાં વળવા માટે શું કરવું તે કહે છે.
‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો’ ‘નિરંતર’ કહ્યું છે. જેમ બદામમાંથી તેલ કાઢવું હોય તો તેને
સળંગપણે ઘસવી જોઈએ; થોડાક લીસોટા મારીને પાછો વચ્ચે થોડીવાર બીજા કામમાં રોકાય, ને વળી પાછો
લીસોટા મારે,–એમ કટકે કટકે ઘસે તો તેલ ન નીકળે. પણ વચ્ચે અંતર પડ્યા વગર ઘસે તો તેલ નીકળે. તેમ
અહીં નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવાનું કહ્યું છે. પર પ્રત્યેની રુચિ કંઈક ઘટે તો અંતરના વિચાર તરફ વળે ને?
આ વાત નાસ્તિથી કરી છે. પર પ્રત્યે વૈરાગ્ય દશા લાવીને અંતરની વિચારણામાં નિરંતર રોકાવું જોઈએ. અહીં
નિરંતર પર પ્રત્યે ઉદાસીનતા સેવવાનું કહ્યું; તો શું ખાવું–પીવું કંઈ ન કરવું? તેમ કોઈ પૂછે તો કહે છે, કે–જેમ
વેપારનો લોલુપી સૂતો હોય કે ખાતો હોય, પણ સાથે તેને વેપારની લોલુપતાનો ભાવ તો પડ્યો જ છે. તેમ
ધર્મની રુચિવાળાને ઊંઘમાં પણ પર પ્રત્યેની ઉદાસીનતા ખસે નહીં; ધર્મની રુચિવાળો ઉદાસીનતાના ક્રમમાં
આંતરો પડવા દેતો નથી. ખાવું–પીવું કે વેપાર વગેરેનો રાગ વર્તતો હોવા છતાં અંતરની રુચિમાં તે પ્રત્યેની
ઉદાસીનતા એક ક્ષણ પણ ખસતી નથી.
વળી ભ્રાંતિ ટાળવાનું નિમિત્ત ઓળખાવે છે, કે ‘સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. ’ પહેલાંં સત્પુરુષ
કોણ તે ઓળખવા જોઈએ, ઓળખવાની જવાબદારી પોતાની છે. સત્પુરુષ કોને કહેવાય તે જાણવાનો પોતાનો
ભાવ છે. બે પૈસાની તાવડી લેવા જાય ત્યાં પણ ટકોરા મારીને પરીક્ષા કરે છે. તો અનંતકાળની ભ્રાંતિ ટાળીને
આત્માનું કલ્યાણ પ્રગટ કરવા માટે સત્પુરુષની પરીક્ષા કરીને ઓળખવા જોઈએ. સત્ એટલે આત્મસ્વભાવ,
તેની જેને ઓળખાણ થઈ છે તે સત્પુરુષ છે. સંસાર પ્રત્યે નિરંતર ઉદાસ થવું અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન
થવું–એમ બે વાત કરી.
વળી વિશેષ કહે છે: ‘સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું.’ પહેલાંં જેનું જ્ઞાન કર્યું હોય તેનું સ્મરણ કરી
શકે. સત્પુરુષનું ચરિત્ર કોને કહેવાય તેના જ્ઞાન વિના તેનું સ્મરણ કઈ રીતે કરી શકે? સત્પુરુષનું ચરિત્ર ક્યાં
રહેતું હશે? કોઈ બહારની ક્રિયામાં કે શુભાશુભ રાગમાં સત્પુરુષોનું ચરિત્ર નથી. બહારમાં ફેરફાર ન દેખાય પણ
ધર્મીને અંતરની દશામાં રુચિનું વલણ સ્વભાવ તરફ વળી ગયું છે. જેમ નાના હીરાની કિંમત લાખોની હોય, તે
ઝવેરી જ જાણે, તેમ આત્માનું ચરિત્ર અંર્તદ્રષ્ટિથી જ ઓળખાય. ધર્મી આત્માનું ચરિત્ર શું? તે શરીરની દશામાં
કે વસ્ત્રમાં નથી, આહાર–શુદ્ધિમાં કે વસ્ત્રના ત્યાગમાં પણ ચરિત્ર નથી;–એ તો બધું અજ્ઞાનીને પણ હોય છે.
સત્પુરુષને અંતરમાં શું ફેર પડ્યો છે તે જાણ્યા વિના તેમના ચરિત્રનું જ્ઞાન થાય નહીં. સત્પુરુષનું અંતરનું ચરિત્ર
શું? ‘અમુક ગામમાં રહેતા હતા ને ઝવેરાતનો વેપાર કરતા હતા, જિજ્ઞાસુઓને પત્ર લખતા હતા કે ઉપદેશ દેતા
હતા’ –એમાં શું સત્પુરુષનું ચરિત્ર છે? એ તો બધી બાહ્ય વસ્તુ છે, તેમાં સત્પુરુષનું ચરિત્ર નથી પણ અંતરના
સ્વભાવને જાણીને ત્યાં ઠર્યા છે અને રાગાદિ ભાવોની રુચિ ટળી ગઈ છે, તે જ સત્પુરુષોનું ચરિત્ર છે; તેને
ઓળખે તો તેનું ખરું સ્મરણ થાય.
વળી કહે છે કે ‘સત્પુરુષોનાં લક્ષણોનું ચિંતન કરવું’ ‘આવી ભાષા હતી અને આવું શરીર હતું’ –એમ
શરીરના લક્ષણથી સત્પુરુષ ઓળખાય નહિ. અંતરસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે સત્પુરુષનું લક્ષણ છે.
બહારમાં ત્યાગ થયો કે શુભરાગ થયો તે સત્પુરુષનું ખરું લક્ષણ નથી. શરીર દેખાય છે તે દેવ–ગુરુ નથી, તે તો
જડ છે; દેવ કે ગુરુ તો આત્મા છે, અને અંતરમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ છે, તે જ તેનું લક્ષણ છે, તે લક્ષણ
વડે સત્પુરુષને ઓળખે તો પોતાનો આત્મા તેવો થાય.
લક્ષણ તેને કહેવાય કે જે વડે લક્ષ્યને ઓળખાય. સત્પુરુષમાં એવું શું લક્ષણ છે કે જે બીજામાં ન હોય ને
તેનામાં જ હોય ને તેનામાં જ હોય? સત્પુરુષની અંતરની શ્રદ્ધા–જ્ઞાન તે તેનું લક્ષણ છે; રાગાદિ થાય તે તેનું
લક્ષણ નથી.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૫૮: આત્મધર્મ: ૮૦
–એમ લક્ષણ વડે સત્પુરુષને ઓળખીને તેનું ચિંતવન કરવું.
આ પ્રમાણે અંતરની વાત કરીને હવે બહારની વાત કરે છે: ‘સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી
અવલોકન કરવું. તેનાં મન–વચન–કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં’
શરીર–મન–વાણીની ક્રિયા તો જડ છે પણ તેની પાછળ અનાકુળ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન છે તેનું અદ્ભુત
રહસ્ય છે. મન–વચન–કાયાની જે પ્રવૃત્તિ થાય છે તેનું કર્તાપણું જ્ઞાનીને ઊડી ગયું છે, તેને તેમાં કદી સુખબુદ્ધિ
થતી નથી અને ભેદજ્ઞાન ક્યારેય ખસતું નથી. આવું જ્ઞાનીનું અદ્ભુત રહસ્ય છે, તે વારંવાર વિચારવા યોગ્ય
છે. સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન અને વારંવાર તેમના સમાગમની ભાવનામાં પોતાને સત્
સમજવાની રુચિ છે.
હવે કહે છે કે ‘તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું.’ જ્ઞાનીઓએ શું સંમત કર્યું છે? આત્માના
સ્વાશ્રય સિવાય ત્રણકાળમાં ધર્મ નથી, એટલે સ્વાશ્રયભાવ તે જ જ્ઞાનીને સંમત છે. દેવ–ગુરુ–શાસ્ત્રનો
આશ્રય કરવો તે જ્ઞાનીને સંમત નથી. આત્માનો રાગરહિત જ્ઞાતા સ્વભાવ છે તેની રુચિ, તેની શ્રદ્ધા, તેનું
જ્ઞાન અને તેનો આશ્રય કરવો તે જ જ્ઞાનીને સંમત છે. આ પ્રમાણે ઓળખીને તેઓએ સમંત કરેલું સર્વ સંમત
કરવું. શુભ કે અશુભ કોઈ પણ પરાશ્રિત ભાવથી આત્માને ધર્મ થાય–એવી માન્યતા જ્ઞાનીઓને સંમત નથી.
આત્માને જે ભાવથી નુકશાન થાય તે એક પણ ભાવ જ્ઞાનીને સંમત થાય નહીં. જ્ઞાનીને આત્માનો
વિકારરહિત સ્વભાવ જ સંમત છે. એક જ્ઞાની એક માર્ગ બતાવે અને બીજા જ્ઞાની બીજો માર્ગ બતાવે–એમ કદી
બને નહિ, સર્વે સત્પુરુષોનો એક જ માર્ગ છે. આત્મસ્વભાવને ઓળખીને તેનો આશ્રય કરવો–એ જ મુક્તિનો
પંથ છે, અને એ જ માર્ગમાં સર્વે જ્ઞાનીઓની સંમતિ છે.–એ પ્રમાણે ઓળખીને જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ
સંમત કરવું. જ્ઞાની પાસેથી શ્રવણ કરતાં પોતાને ગોઠે તેટલું માને અને બીજી વાત ન રુચે–તો તે જીવે
જ્ઞાનીઓએ કહેલું સર્વ સંમત કર્યું નથી; પણ પોતાનો સ્વચ્છંદ પોષ્યો છે. દેવ–ગુરુ–શાસ્ત્રના આશ્રયે જે
પુણ્યભાવ થાય તેનો આશ્રય કરવાનું પણ ધર્મીને માન્ય નથી, પણ તેનો આશ્રય છોડવાનું માન્ય છે.
જ્ઞાનીઓએ માન્ય કરેલું સર્વ માન્ય કરવું; તેમાં જો ક્યાંય પોતાની કલ્પનાનો સ્વચ્છંદ રાખ્યો તો તેણે
જ્ઞાનીઓને ઓળખ્યા નથી, અને તેમનું કહેલું માન્યું નથી. અત્યાર સુધી જીવે પોતાની ભ્રાંતિથી જ જ્ઞાનીને
પોતાની દ્રષ્ટિએ કલ્પ્યા છે. જો જ્ઞાનીને જ્ઞાનીની રીતે ઓળખે તો તેને ભેદજ્ઞાન અને મુક્તિ થયા વિના રહે
નહીં. જ્ઞાનીની ઓળખાણ કરવામાં પરની મહત્તા નથી પણ પોતાના આત્માની મહત્તા છે. પહેલાંં તો
અનંતકાળથી આત્માની ભ્રાંતિ રહી ગઈ છે–એમ ઓળખે, અને પછી ઉપર કહ્યા પ્રમાણે પાત્ર થઈને સત્પુરુષને
ઓળખે, તો અવશ્ય આત્માની ભ્રાંતિ ટળી જાય.
જ્ઞાની એમ કહેતા નથી કે તું અમારો આશ્રય કરીને રોકાઈ જા. પણ તું તારા આત્માને સિદ્ધ જેવા
પરિપૂર્ણ સ્વભાવે ઓળખીને તેનો આશ્રય કર–એમ જ્ઞાનીના હૃદયનું રહસ્ય છે. સર્વે ધર્માત્માઓએ આ જ સંમત
કર્યું છે અને એ જ સંમત કરવા યોગ્ય–હોંશથી માન્ય કરવા યોગ્ય છે.
‘આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું–નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા
યોગ્ય, ક્ષણે ક્ષણે–સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો,
ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે.’ જુઓ તો ખરા, કેટલી દ્રઢતા પૂર્વક વાત કરી છે. ધર્મી જીવોએ જે
માન્ય કર્યું, તે જ માન્ય રાખવું તે પરમ રહસ્ય છે. ધર્મી જીવોએ શું માન્ય કર્યું,–શું આદર્યું અને શું છોડ્યું, તે
ઓળખ્યા વગર પોતે તેની શ્રદ્ધા કેવી રીતે કરે? અને તેનું ચિંતવન પણ કઈ રીતે કરે?
જ્ઞાનીઓને બરાબર ઓળખીને, તેમણે સંમત કર્યા પ્રમાણે આત્માના વીતરાગી સ્વભાવનો આશ્રય
કરવો; સર્વ શાસ્ત્રનો અને સર્વ સંતોના હૃદયનો મર્મ પામવાનો આ એક જ માર્ગ છે. નિર્વાણને અર્થે એટલે
આત્માની મુક્તિને અર્થે માન્ય કરવા યોગ્ય આ જ મહામાર્ગ છે. વળી ઈશ્વરના ઘરનો એટલે સર્વજ્ઞ ભગવાનના
માર્ગનો અથવા આત્માના સ્વભાવનો મર્મ પામવાનો આ મહા–

PDF/HTML Page 20 of 21
single page version

background image
માર્ગ છે. આત્માનું પરમાત્મપદ પ્રગટે તેનો આ મહામાર્ગ છે.
હવે નિમિત્તકારણની વાત મૂકે છે; ‘અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે
પ્રત્યે અવિચલ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું?’ ત્રિકાળ આ એક જ માર્ગ છે એમ ભાર મૂકીને કહે છે કે ‘આજે,
ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સુજ્યે–એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. ભાઈ, તને તારા સ્વરૂપની જ ભ્રાંતિ
છે, તે ભ્રાંતિ ટાળ્‌યા વગર છૂટકો નથી અને એ ભ્રાંતિને છેદવા માટે, જ્ઞાનીઓએ જે સંમત કર્યું તે જ સંમત કરવું
એ જ માર્ગ છે. એ માર્ગ સૂજ્યે જ સર્વ સંતોના હૃદયને પામી શકાય છે. વળી છેવટે વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ
થવાનું કહ્યું છે. પૂર્વે થઈ ગયેલા સત્પુરુષ નહિ પણ પોતાને સાક્ષાત્ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ થાય અને તેમના
વચનનું સીધું શ્રવણ કરતાં તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા જાગે. આમાં સમજ્યા વગર સત્પુરુષને માનવાની વાત
નથી, પણ સત્પુરુષને ઓળખીને, તે કહે છે તેવા નિરાલંબી પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરે તેણે
સંતોએ માનેલું માન્યું કહેવાય. અને એ જ નિર્વાણનો માર્ગ છે.
છેવટે પોતે ભળીને કહે છે કે ‘સર્વ પ્રદેશે મને તો એ જ સંમત.’ આત્માના અસંખ્ય પ્રદેશે મને તો એ જ
માન્ય છે.
–છાશીયા ગામમાં વીર સં. ૨૪૭પ ફાગણ વદ ૬ ના રોજ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
(શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ બીજી પત્ર ૧૦૦ મો પૃ. ૧૧૯)
ધર્માત્માની નિ:શંકતા.

कि मे करिष्यत क्रूरौ शुभाशुभ निशाचरो।
रागद्वेष परित्याग–महामंत्रेण किलितो।।
२८।।
આ પદ્મનંદી પચીસીના એકત્વ અધિકારનો ૨૮ મો શ્લોક છે. પૂર્વે ૨૭ મા શ્લોકમાં કહ્યા પ્રમાણે જેને
પોતાના મુક્ત સ્વરૂપનું ભાન થયું છે એવો ધર્મી જીવ કહે છે કે રાગદ્વેષના પરિત્યાગરૂપ પ્રબલ મંત્રથી કિલિત
થયેલા તેમ જ ક્રૂર એવા શુભાશુભ કર્મરૂપી નિશાચરો મારું શું કરશે?–કાંઈ જ નહીં. અહીં મારા આત્મામાં
સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધતાનો પાક થવા માંડયો છે, તો પૂર્વના બંધાયેલા ક્રૂર મોહાદિ કર્મોનો પાક મને શું કરી
શકશે? ધર્મીની દ્રષ્ટિ કર્મના ઉદય તરફ નથી પણ પોતાના મુક્તસ્વભાવ તરફ છે. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તેને
કર્મો ખરી જ જાય છે.
આ મનુષ્યદેહ પામીને સત્ય સમજવાના ટાણે તેની દરકાર ન કરે અને તીવ્ર હિંસા વગેરે ક્રૂર પરિણામ
કરે તે જીવ મરીને નરકમાં જાય છે. નરકમાં મહા પ્રતિકૂળ સંયોગ હોય છે; પરંતુ ત્યાં સાતમી નરકના મહા
પ્રતિકૂળ સંયોગ વચ્ચે પડેલો નારકી જીવ પણ કોઈવાર પોતાના સ્વભાવ તરફ વળતાં અપૂર્વ આત્મજ્ઞાન પામી
જાય છે. તેણે પૂર્વે સત્સમાગમે ચૈતન્ય તત્ત્વની વાત સાંભળી હોય પણ તે વખતે દરકાર ન કરી હોય અને
વર્તમાનમાં તે વાત યાદ કરી, વૈરાગ્ય પામીને સ્વ તરફ વળતાં આત્માને સમજી જાય છે. નરકમાં તે જીવને પૂર્વ
ભવનું સ્મરણ થતાં તે એમ વિચારે છે કે અહો, મનુષ્યપણામાં મને જ્ઞાની મળ્‌યા હતા, તેમની પાસેથી મેં ચિદાનંદ
સ્વભાવની વાત સાંભળી હતી, પણ મેં તે વખતે દરકાર ન કરી! એ પ્રમાણે અંતરવિચારમાં ઉતરતાં, સંયોગદ્રષ્ટિ
છોડીને સ્વભાવની દ્રષ્ટિથી સમજી જાય છે કે હું મુક્તસ્વરૂપ છું; એ પ્રમાણે તે જીવ ત્યાં સમ્યગ્દર્શન પામી જાય
છે. ત્યાં તે જીવને નરકમાં ક્રૂર અશુભ કર્મનો તીવ્ર ઉદય હોવા છતાં તે કહે છે કે પૂર્વે બંધાયેલા ક્રૂર શુભાશુભ કર્મ
મને શું કરશે? મારી દ્રષ્ટિ મારા મુક્તસ્વભાવ ઉપર પડી છે તે દ્રષ્ટિથી મને છોડાવવા કોઈ શુભાશુભ કર્મ સમર્થ
નથી. હું મારા સ્વભાવમાં જાગ્યો ત્યાં કર્મો મને શું કરશે? કર્મનો વિપાક જડમાં છે, મારા આત્મામાં તો