Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 43
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૮૯
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 43
single page version

background image
“ભગવાન શ્રી સીમંધર જિન સ્વાગત અંક”
૮૯
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
સાધકના
સાથીદાર
આજે ‘મુક્તિમંડપ’ નાં માંગલિક છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી સીમંધર
ભગવાન પાસે કુંદકુંદાચાર્યદેવ ગયા હતા અને તેમનો સાક્ષાત્ દિવ્યધ્વનિ સાંભળીને
જે શાસ્ત્રો રચ્ચા છે તેમાં અપૂર્વ અપ્રતિહત ભાવો ઊતાર્યા છે. તે ભાવોની જે પ્રતીત
કરે તે પોતાની મોક્ષ પરિણતિને લેતાં વચ્ચે સીમંધર પરમાત્માને ઉતારે છે કે હે
પરમાત્મા? આપ પૂરી પરિણતિ પામ્યા છો, અને આપને સાથે રાખીને અમે પણ
સાધકમાંથી પૂરા થવાના છીએ... વચ્ચે વિઘ્ન આવવાનું નથી.. જે ભાવે સાધકદશામાં
ઉપડ્યા છીએ તે જ ભાવે પૂરું કરવાના છીએ, તેમાં ફેર નથી–નથી–નથી... સીમંધર
પ્રભુજીના “કાર ધ્વનિમાંથી કુંદકુંદ ભગવાન વસ્તુનો સ્વભાવ લઈને આવ્યા...
અને...તેની જ કાંઈક પ્રસાદી અહીં ભવ્ય મુમુક્ષુઓને પીરસાય છે...


PDF/HTML Page 4 of 43
single page version

background image
: આત્મધર્મ : ૮૯ : ૮૩/અ :
ભગવાન શ્રી સીમંધરજિન–સ્વાગત અંક
... આજે ભેટયા... એ
ભગવાન
જેમને ભેટવા માટે ભક્તજનોના અંતરમાં ઊંડી ઊંડી
અભિલાષા રહ્યા કરતી હતી તે ભગવાન આજે ભેટયા...
પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે સીમંધરનાથ આજે ભેટયા...
ભક્તોના જીવનાધાર ભગવાન આજે ભેટયા...
બરાબર આજથી દસ વર્ષ પહેલાંં...ધન્ય એ ફાગણ સુદ બીજ! સૌરાષ્ટ્રની ભૂમિમાં
સેંકડો વર્ષ બાદ વીતરાગી જિનબિંબની પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવનો અતિ મંગળ
પ્રસંગ, તીર્થંધામ સોનગઢમાં, આજથી દસ વર્ષ પહેલાંં વીર સં. ૨૪૬૭ના ફાગણ સુદ
બીજે, સૌરાષ્ટ્રના ધર્મ ધૂરંધર પૂ. ગુરુદેવશ્રીની છત્રછાયામાં થયો...સોનગઢના
જિનમંદિરમાં
સીમંધર ભગવાનની એ પ્રતિષ્ઠાને આજે દસ વર્ષ પૂરાં થાય છે.
અહો! એ મહોત્સવ વખતનાં કલ્યાણક દ્રશ્યો...ને એ વખતની ભક્તિનો
ઉલ્લાસ...! વળી એ વખતનાં પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો...અને તેમાં વહેલી ભક્તિની
અત્રુટધારા...એ બધું ય આજેય ભક્તજનોનાં હયે તરવરી રહ્યું છે.
... તે વખતે આ ‘આત્મધર્મ’ નો જન્મ નહોતો થયો...પરંતુ હવે આજે સીમંધર
નાથની ભક્તિમાં સાથ પૂરાવવા તે સમર્થ બન્યું છે... અને તેથી સીમંધરપ્રભુની ભક્તિના
આ મંગળ–મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક પ્રસિદ્ધ કરીને તે
પોતાને કૃતાર્થ માને છે.
વિદેહવાસી...હે સીમંધરનાથ! આપ ‘સુવર્ણધામ’ માં... અથવા કહો કે
ભક્તોના અંત માં...પધાર્યા પછી આ ભરતક્ષેત્રના જિનેંદ્રશાસનમાં અનેક અનેક
મંગલવૃદ્ધિ થઈ છે...અહો! પ્રભુ! આપના શું શું સન્માન કરીએ? કઈ રીતે આપનું સ્વાગત
કરીએ? હે નાથ! આપના મહાન સ્વાગતના આ પવિત્ર મહોત્સવમાં સાથ પૂરાવવા આ
‘સ્વાગત–અંક’ આપના ચરણે ધરીને આપનું સ્વાગત કરીએ છીએ... આપનું બહુ બહુ
સન્માન કરીએ છીએ..આપને ભક્તિ–પુષ્પોથી વધાવીએ છીએ.
અમે છીએ
આપના સુવર્ણપુરીવાસી ભક્તો.
[ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક]

PDF/HTML Page 5 of 43
single page version

background image
: ૮૩/બ : : ફાગણ : ૨૪૭૭
આચાર્યદેવ આત્મવૈભવથી શુદ્ધ–આત્મા
દેખાડે છે

















સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને અંતર રમણતારૂપ ચારિત્રદશા તે આત્માનો નિજ વૈભવ છે.
સમયસારની પાંચમી ગાથામાં શ્રી આચાર્યદેવ કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે પ્રગટ
સમૃદ્ધિના સર્વ સામર્થ્યથી હું આ સ્વથી એકત્વ અને પરથી જુદા આત્માને દર્શાવીશ. જેમ ગૃહસ્થને ત્યાં
લગ્ન હોય ત્યારે જેટલી સમૃદ્ધિ હોય તેટલી બહાર કાઢે, તેમ અહીં સમયસારમાં મોક્ષના માંડવે શ્રી
કુંદકુંદાચાર્ય ભગવાન પોતાના સર્વ આત્મવૈભવવડે શુદ્ધાત્માનું વર્ણન કરે છે. ‘અહીં પચમકાળ છે, અમે
છદ્મસ્થ છીએ, છતાં અમે આત્મ–રિદ્ધિ પામ્યા છીએ, ને પૂર્ણ જ્ઞાની જે કહી ગયા તે જ જગત પાસે
સ્વાનુભવ વડે મૂકીએ છીએ. જેટલો અમારો અંતર જ્ઞાન વૈભવ પ્રગટ્યો છે તે સર્વથી, આત્માનુભવ રૂપ
શ્રદ્ધાના પૂરા બળથી આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશું.’
શ્રી આચાર્યદેવ કહે છે કે હું જાતે જવાબદારીથી કહીશ; જાતે જોઈ જાણીને અપૂર્વ આત્માની વાત નિજ
વૈભવવડે કહીશ. આમ જાત અનુભવથી તેઓ કહે છે. પછી વિનયથી એમ પણ કહેશે કે તીર્થંકર ભગવાને આમ
કહ્યું છે. અહીં આચાર્યદેવ સઘળી જવાબદારી પોતાના ઉપર રાખીને જાહેર કરે છે, તેથી જે કહેશે તે ક્યાંયથી
ઝડપી લીધું છે–એમ નથી, પણ નિજ વૈભવથી સ્વાનુભવવડે આત્માનો અપૂર્વ ધર્મ કહે છે અને કહે છે કે જેમ હું
મારા નિજઆત્મવૈભવથી કહું છું તેમ તમે પણ તમારા સ્વાનુભવથી પ્રમાણ કરજો.
જુઓ, સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૩૬–૭
[ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક]

PDF/HTML Page 6 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૮૩ :
ધન્ય
એ સીમંધરપ્રભુનો
પ્રતિષ્ઠા – મહોત્સવ
શ્રી સીમંધરપ્રભુના પ્રતિષ્ઠા મહોત્સવનાં
કેટલાંક ઉલ્લાસભર્યા સંસ્મરણો
* * * * *
શ્રી જિનેન્દ્રદેવના પંચકલ્યાણક એટલે દુનિયાનો સર્વોત્કૃષ્ટ માંગળિક મહોત્સવ! એ પંચકલ્યાણક
સંસારમાંથી જીવોને ઓછા કરીને મોક્ષ–જીવોની વૃદ્ધિ કરનારા છે.
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે, સૌરાષ્ટ્રમાં એવા પંચકલ્યાણકના મંગળ મહોત્સવો ઊજવવાનું
અને નીહાળવાનું સૌભાગ્ય મુમુક્ષુઓને પાંચ વાર સાંપડ્યું છે. તેમાં સૌથી પહેલો પ્રસંગ સોનગઢમાં સીમંધર
પ્રભુની પંચ કલ્યાણક પ્રતિષ્ઠા થઈ ત્યારે ઊજવાયો.
વીર સં. ૨૪૬૭ ના ફાગણ સુદ બીજે સોનગઢના જિનમંદિરમાં સીમંધરપ્રભુની પ્રતિષ્ઠા થઈ. આજે તો એ
પ્રસંગને દસ વર્ષ વીતી ગયા...છતાં ભક્તજનોના હૃદયમાં તે વખતનો ઉલ્લાસ એવો ને એવો તાજો છે...તેનું
સ્મરણ કરતાં આજે પણ ભક્તજનોનાં હૃદય ભક્તિરસમાં ભીંજાઈ જાય છે.
વીર સં. ૨૪૬પ માં પૂ. ગુરુદેવશ્રી સંઘ સહિત પાલીતાણા શત્રુંજયતીર્થની યાત્રાએ પધાર્યા...ત્યાં ભગવાનનાં
દર્શન કરતાં કરતાં કોઈ વિરલા ભક્તોને એવી ભાવના જાગી કે ‘અરેરે! આપણને સાક્ષાત્ ભગવાનનો તો વિરહ,
પણ ભગવાનની વીતરાગીમૂદ્રાનાં પણ દર્શન ન મળે!’ એમ ભાવ થતાં સોનગઢમાં વીતરાગી પ્રતિમા સ્થાપવાનું દીલ
થયું...પછી તો ભગવાનને સ્થાપવા માટેની ભક્તોની એ ભાવના ફેલાતી ફેલાતી પૂ. ગુરુદેવશ્રી પાસે પહોંચી અને પૂ.
ગુરુદેવશ્રીને પણ વીતરાગી જિનપ્રતિમા સ્થાપવાના ભાવ થયા...ને એકવાર પદ્મનંદી પચીસીના વાંચન વખતે
પ્રવચનમાં જિનપ્રતિમા સંબંધી એવી વાત આવી કે ‘જે ભવ્ય જીવ નાનામાં નાનું જિનમંદિર અને જવ જેવડા
જિનપ્રતિમા બનાવે છે તેને પણ એવા પુણ્યની પ્રાપ્તિ થાય છે કે સાક્ષાત્ સરસ્વતી પણ તેના પુણ્યનું વર્ણન કરી શકતી
નથી; તો બીજાની તો શું વાત?’ પૂ. ગુરુદેવના શ્રી મુખેથી એ વાત સાંભળતાં રાજકોટના શેઠ શ્રી નાનાલાલભાઈ
તથા તેમના બંધુઓને સોનગઢમાં વીતરાગી જિનમંદિર કરાવવાની ભાવના થઈ... અને તેમના તરફથી જિનમંદિર
બધાયું. એ રીતે ભક્તોના અંતરની ઊંડી ભાવનાનાં
બીજડાં ફાલ્યાં ને ખરેખર સોનગઢમાં સીમંધર ભગવાન
ભેટ્યા...
પ્રતિષ્ઠા પહેલાંં માહ સુદ રના રોજ સુપ્રભાતે
સૂર્યના કિરણો બહાર નીકળતાં મંગલ મુહૂર્તે ઘણા
ઉલ્લાસ પૂર્વક શ્રી સીમંધરાદિ ભગવંતોનો ગ્રામ
પ્રવેશોત્સવ થયો હતો. ભગવાન પધાર્યા... ને પહેલી
વખત તેમની ભવ્ય મૂદ્રા નીરખતાં જ પૂ. ગુરુદેવ
ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા... આંખોમાંથી આંસુ વહી
ગયા. હજી ભગવાનની પ્રતિષ્ઠા થઈ ન હતી પણ પૂ.
ગુરુદેવને એટલી બધી લગની લાગી હતી કે વારે વારે
ભગવાન પાસે જઈને બેસતા ને દિવસનો
ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક

PDF/HTML Page 7 of 43
single page version

background image
: ૮૪ : આત્મધર્મ : ૮૯
ઘણો વખત ભગવાન પાસે બેસી રહેતાં... ‘હરતાં ફરતાં પ્રગટ હરિ દેખું રે...’ એના જેવી તે વખતની સ્થિતિ
હતી. ભગવાનની મૂદ્રા એટલી બધી ભવ્ય હતી કે ગુરુદેવને તો તે જોતાં તૃપ્તિ જ થતી ન હતી... વારંવાર હરતાં
ને ફરતાં પ્રભુ પાસે જઈને બેસતાં અને ભગવાનની
શાંત મૂદ્રા નીહાળી નીહાળીને કહેતાં કે–– ‘અહો...
અમિય ભરી મૂરતિ રચી રે... ઉપમા ન ઘટે
કોય, શાંત સુધારસ ઝીલતી રે... નિરખત તૃપ્તિ ન
હોય સીમંધર જિન... દીઠાં લોયણ આજ...’
વળી બહારગામના જે નવા નવા ભક્ત
જનો આવે તેમને પણ પૂછતાં કે ‘તમે ભગવાન
જોયા? ચાલો... તમને ભગવાન બતાવું.’ –એમ
કહીને ઓરડીમાં તેડી જઈને બતાવતાં કે જુઓ,
આ ભગવાન! આપણે અહીં પ્રતિષ્ઠા થવાની છે તે
આ ભગવાન છે...
માહ વદ ૧૧ થી ફાગણ સુદ ૨ સુધી
ભગવાનની પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો અઠ્ઠાઈ
મહોત્સવ ઊજવાયો... જીવનમાં પહેલી જ વાર
પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો પ્રસંગ હોવાથી, ને પહેલ
વહેલા જ ભગવાન ભેટતા હોવાથી ભક્તજનોને
અપૂર્વ ઉલ્લાસ હતો... જાણે પ્રભુના પંચકલ્યાણક
સાક્ષાત્ જ થતા હોય એવું લાગતું હતું. ત્યારે ભક્તો હોંસથી ગાતા હતા કે–
‘સુંદર સ્વર્ણપુરીમાં સ્વર્ણ–રવિ આજે ઊગ્યો રે,
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર... શ્રી સીમંધર પ્રભુજી
પધાર્યા છે એમ આંગણે રે...’
પ્રતિષ્ઠા મહોત્સવના એ દિવસોમાં પૂ. ગુરુદેવશ્રીનાં
વ્યાખ્યાનો પણ વીતરાગી સીમંધર ભગવાનને ભેટવાની
ધૂનથી ભરેલાં આવતાં હતાં... ભક્તિરસના ભાવ ભીનાં એ
પ્રવચનોમાં વારંવાર ભગવાનને યાદ કરતાં પૂ. ગુરુદેવ
આંસુભીની આંખે કહેતાં... ‘હે ભગવાન્! આપના વિરહમાં
આપની સ્થાપના કરીને વિરહને ભૂલાવશું..!’ દસ વર્ષ
પહેલાંંના એ પ્રવચનો આજે પણ મુમુક્ષુ ભક્ત જનોનાં હૈયાંને
હચમચાવી મૂકે છે ને તેમના રૂંવાટે રૂંવાટે ભક્તિ જગાડે છે.
એ પ્રતિષ્ઠા મહોત્સવને નજરે નીહાળવા ભાગ્યવંત
થયેલા ભક્તજનોને તે વખતના ઉલ્લાસનું વર્ણન કરતાં
આજે પણ તૃપ્તિ થતી નથી અને અતિ પ્રમોદિત થતાં કહે છે
કે ‘અહો! શું કહીએ! એ વખતે તો પહેલી જ વખત
પ્રતિષ્ઠાનો મહોત્સવ... જીવનમાં કદી નહિ જોયેલ ભગવાનના ભેટા... અને તેમાંય વળી મૂળનાયકપણે શ્રી
સીમંધરનાથ ભગવાન! એટલે પછી શું બાકી રહે!’ પ્રભુ ભક્તોના અંતરપટમાં કોતરાઈ ગયેલા એ ધન્ય
પ્રસંગના સંસ્મરણોનો અંશ માત્ર આજે દસ વર્ષે અહીં શબ્દારૂઢ થયો છે.
એ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ‘કહાનનગર’ વસાવ્યું હતું... પ્રતિષ્ઠા મહોત્સવમાં એક હાથી પણ હતો.
પ્રભુજીના જન્મકલ્યાણક વગેરે પ્રસંગે જ્યારે કહાનનગરને પ્રદક્ષિણા કરવાનું આવતું હતું ત્યારે તે હાથી પણ
એવી ગંભીરપણે પ્રદક્ષિણા કરતો હતો–જાણે કે તે પણ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગતઅંક)

PDF/HTML Page 8 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૮૫ :
ભગવાનની ભક્તિનું સૌભાગ્ય પોતાને મળ્‌યું તે માટે પોતાનો પ્રમોદ જાહેર કરી રહ્યો હોય.. ને પોતાને ધન્ય
માની રહ્યો હોય! આમ તેની મલપતિ ચાલ ઉપરથી ભક્તોને લાગતું હતું.
માહ વદ અમાસે, ભગવાનનો જન્મ કલ્યાણક થયો ત્યારે, એક બાજુ જન્મની વધાઈનાં વાજાં... બીજી
બાજુ દીપકોનો ઝગમગાટ... એમ અચાનક દ્રશ્યો જોઈને ભક્તો થોડી વાર તો ‘આ શું? ...આ શું?’ એવા
આશ્ચર્યમાં પડી જતાં... ને પછી જ્યારે ખબર પડતી કે અહો! આ તો ભગવાનના જન્મની વધાઈ! કે તરત જ
પાછું વાતાવરણ ઉલ્લાસથી ઊભરાઈ જતું. અહો! એ પ્રસંગો નજરે નિહાળનારા તો કહે છે કે તે દિવસે અમને
એમ જ લાગતું હતું કે આ સોનગઢ જાણે કે મહાવિદેહ બની ગયું હતું અને અહીં જ સીમંધર ભગવાનના પંચ
કલ્યાણક થતા હતા.
હાથી ઉપર, ભગવાનના જન્મ કલ્યાણકની ભવ્ય યાત્રા નીકળી હતી. જન્માભિષેક માટે નદી કિનારે
મેરુપર્વતની રચના થઈ હતી. હજારો ભક્તોનાં ટોળાં વચ્ચે મેરુપર્વત ઉપર જ્યારે ભગવાનનો જન્માભિષેક થયો
હતો તે વખતે આકાશ એવું વિચિત્ર રંગબેરંગી થતું હતું–જાણે કે... પ્રભુના જન્માભિષેકને દેખીને પ્રભુના
ચરણોમાં કોઈ રંગબેરંગી સાથિયા પૂરી રહ્યું હોય!
ફાગણ સુદ એકમે ભગવાનના દીક્ષા કલ્યાણકનો પ્રસંગ હતો. તેમાં જ્યારે પ્રભુશ્રીનો કેશલોચ કરવાનું
આવ્યું ત્યારે દીક્ષાવનમાં આમ્રવૃક્ષ નીચે પૂ. ગુરુદેવશ્રીએ આતે ગંભીરતાથી ભગવાનનો કેશલોચ કરતાં કહ્યું કે
‘હે ભગવાન! આપ તો સ્વયંબુદ્ધ છો... આપ તો આપના સ્વ હસ્તે જ કેશલોચ કરો, પણ આ તો આપની
સ્થાપના હોવાથી માત્ર અમારો ઉપચાર છે.’
દીક્ષાવિધિ પૂરો થતાં વનમાંથી પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે, ભગવાનને ન દેખવાથી અનેક
ભક્તો પૂછવા લાગ્યા કે ‘ભગવાન ક્યાં? ભગવાન ક્યાં?’ અને જ્યારે પ્રતિષ્ઠા કરાવનાર પંડિતજીએ
ખૂલાસો કરતાં કહ્યું કે ‘ભગવાન તો હવે મુનિ થયા.. ને તેઓ તો વન જંગલમાં વિચરી ગયા... હવે તે
આપણી સાથે પીછા નહિ આવે..’ ત્યારે બધાં ભક્તો ઉદાસચિત્તે પાછા ફર્યા... ભગવાન વગર બધાને સૂનું
સૂનું લાગતું હતું.
કેટલાક વખત બાદ, વનમાં વિહાર કરીને પ્રભુજી જ્યારે પાછા પધાર્યા ત્યારે, સ્વરૂપાનંદમાં ઝૂલતા એ
પરમ વીતરાગી નાથને નીરખતાં જ જે અતિ અતિ ભાવથી પૂ. ગુરુદેવશ્રીએ તેમને નમસ્કાર કર્યા હતા... તે
પ્રસંગનું ભાવ ભર્યું દ્રશ્ય ભક્તોના સ્મૃતિપટમાં આજે ય તરવરી રહ્યું છે.
પછી જ્યારે મુનિ થયેલા ભગવાન ગામમાં આહાર માટે પધાર્યા ત્યારે અતિ પ્રસન્નતા પૂર્વક પ્રભુને
આહાર દેતાં ભક્તોના હૈયે હરખ સમાતો ન હતો... ઉપરથી રત્નવૃષ્ટિ થઈ રહી હતી... અને જ્યારે હાથમાં ખીર
લઈને પ્રભુજીને આહાર કરાવ્યો ત્યારે તો જાણે સાક્ષાત્ ભગવાનને આહારદાન કરતા હોઈએ તેવો આહલાદ
અંદરમાં જાગતો હતો. ‘અહો! તે વખતના ભાવોની શું વાત કરીએ?’
પહેલી ફાગણ સુદ બીજે ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકનો પ્રસંગ આવ્યો. ભગવાનને કેવળજ્ઞાન થયું...
દીપકોથી જગમગતા સમવસરણની રચના થઈ... એ સમવસરણને દેખી દેખીને ભક્તજનો ભક્તિથી નાચવા
લાગ્યા. અને વાજિત્રો લઈને સમવસરણની પ્રદક્ષિણા કરવા લાગ્યા.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 9 of 43
single page version

background image
: ૮૬ : આત્મધર્મ : ૮૯
ફાગણ સુદ બીજે પ્રભુશ્રીના નિર્વાણ કલ્યાણક પ્રસંગે પાવાપુરીનો દેખાય થયો હતો. (પ્રતિષ્ઠામાં વિધિનાયક શ્રી
મહાવીર પ્રભુજી હતા.)
પંચકલ્યાણકના વિધવિધ પ્રસંગોએ વારંવાર ‘उदक चंदन...’ આદિ શ્લોકો દ્વારા જિનેન્દ્ર પૂજન થતું હતું
તે પણ સૌરાષ્ટ્રના મુમુક્ષુઓને માટે આનંદાશ્ચર્યજનક હતું.
આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પંચ કલ્યાણકના નવા નવા ભક્તિભીનાં દ્રશ્યો દેખીને કઠણ હૈયાં પણ ભક્તિથી
પીગળી જતાં હતાં... પ્રતિષ્ઠા મહોત્સવ દેખીને શેઠ શ્રી બેચરલાલભાઈને પ્રમોદ આવી જતાં પોતાના મોટાભાઈ
(શેઠશ્રી નાનાલાલભાઈ) ના પગમાં પડીને આંસુભીની આંખે કહેતા કે ‘ભાઈ! આ બધું તમારા પ્રતાપે અમને
જોવા મળ્‌યું છે...’ ત્યારે નાનાલાલભાઈ કહેતા... ‘ગુરુદેવનો એ બધો ઉપકાર છે.’
* * * * *
પંચ કલ્યાણક વખતે જ્યારે ભગવાન ને મંડપમાં લાવવામાં આવતા હતા ત્યારે પૂ. ગુરુદેવ શ્રી
ભક્તિવશે ભગવાની પાછળ પાછળ જ ફરતાં હતાં... જાણે કે એક ક્ષણ પણ પ્રભુથી અળગા રહેવું ગમતું ન
હતું... અને, અહો! પ્રતિષ્ઠિત થયેલા શ્રી સીમંધર ભગવાને જ્યારે જિનમંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે તો
ગુરુદેવ બારણામાં જ તેમનું સ્વાગત કરતાં પ્રભુજી પાસે નમી પડ્યા... જિનમંદિરના દ્વારમાં પ્રભુ પધારતાં
જ તેમનાથી સાષ્ટાંગનમન થઈ ગયું.. તે વખતે ઘણા ભક્તોના નયનમાંથી ભક્તિરસ વરસતો હતો... જેમ
ચક્રવર્તી પોતે જ્યારે કોઈના ચરણ તે ઢળી પડે ને એ દ્રશ્ય તેના સેવકોને નિઃસ્તબ્ધ બનાવી દે... તેમ
ભગવાન શ્રી સીમંધરનાથની સન્મુખ જ્યારે ગુરુદેવ બહુ ભક્તિપૂર્વક નમી પડ્યા ત્યારે સૌ ભક્તજનોએ
દ્રશ્ય નિઃસ્તબ્ધ પણે નીહાળતા રહી ગયા... અને કોઈ જુદું જ વાતાવરણ છવાઈ ગયું... ખરેખર! આવા
આવા કોઈક પ્રસંગે ભગવાન પાસે બાળક જેવા બની જનારા એ મહાત્માઓનાં હૃદયના ભાવો કળવા
ઘણીવાર મુશ્કેલ બની જાય છે. એ ખાસ પ્રસંગનું વર્ણન કરતાં આત્માર્થી ભાઈ શ્રી હિંમતલાલભાઈ પૂ.
ગુરુદેવશ્રીના જીવન ચરિત્રમાં લખે છે કે–
‘સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે
ગુરુદેવને ભક્તિરસની ખૂમારી ચડી ગઈ અને આખો દેહ
ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચષ્ટ ભાસવા
લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને
ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને એમ બે
ત્રણ મિનિટ સુધી નિશ્ચેષ્ટપણે પડી રહ્યો. આ ભક્તિનું
અદ્ભુત દ્રશ્ય, પાસે ઊભેલા મુમુક્ષુઓથી જીરવી શકાતું
નહોતું; તેમનાં નેત્રોમાં અશ્રુ ઊભરાયાં અને ચિત્તમાં ભક્તિ
ઊભરાઈ. ગુરુદેવે પોતાના પરમ પવિત્ર હાથે પ્રતિષ્ઠા પણ
ભક્તિ ભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા
અપૂર્વ ભાવે કરી હતી.’
શ્રી સીમંધર ભગવાનના પ્રતિમાજી એટલા બધા
ભવ્ય... સુંદર... અને ભાવવાહિની છે કે તેના દર્શન કરનારને તૃપ્તિ જ નથી થતી... ફરી ફરીને એ જિનમૂદ્રા જોયા
જ કરવાનું મન થયા કરે છે... એની મુખમૂદ્રા પણ જાણે કે મહાવિદેહના સીમંધર ભગવાનની મૂદ્રાને મળતી
આવતી હોય! –એવું જ લાગે છે. તેમાંય જ્યારે ચારે બાજુ પ્રકાશ હોય ત્યારે તો શાંતસુધારસ
(ભગવાન શ્રી સીમંધર જિન સ્વાગત અંક)

PDF/HTML Page 10 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૮૭ :
ઝીલતી ભગવાનની મૂદ્રા ઉપશમરસથી રેલાઈ રહે છે... એ પાવનકારી ભવ્યમુદ્રાના દર્શનથી દૂરદૂરના
યાત્રાળુજનો પોતાને કૃતકૃત્ય માને છે. ખરેખર––
‘જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે, જેની ભક્તિથી ચારિત્ર વિમળતા થાય... એવા
ચૈતન્યમૂર્તિપ્રભુજી અહો! અમ આંગણે રે.’
ભગવાનની પ્રતિષ્ઠા બાદ રાજકોટના મુમુક્ષુસંઘે પૂ. ગુરુદેવશ્રીને રાજકોટ પધારવાની વિનંતિ કરેલ ત્યારે
પૂ. ગુરુદેવશ્રીએ કહેલ કે ‘આ વર્ષે તો વિહાર કરવો નથી... અહીં ભગવાન પધાર્યા છે એટલે તેમનાં ધરાઈ
ધરાઈને દર્શન કરવા માટે આ વર્ષે તો ક્યાંય વિહાર કરવો જ નથી.’
સોનગઢના જિનમંદિરમાં મૂળનાયક ભગવાન શ્રી સીમંધર પ્રભુ છે; ને તેમની આજુબાજુમાં શ્રી પદ્મપ્રભુ
તથા શ્રી શાંતિનાથ પ્રભુ છે એ ઉપરાંત શ્રી મહાવીરપ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથપ્રભુ છે. તથા
જિનમંદિરના ઉપરના ભાગમાં ગીરીનગરના વાસી શ્રી નેમનાથ પ્રભુજી બિરાજે છે. વીર સં. ૨૪૬૬ ના ફાગણ
સુદ બીજે નેમનાથપ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનારની ટોચ ઉપર નેમનાથપ્રભુની ભક્તિ ને શુદ્ધાત્માની ધૂન થઈ
હતી.. ને ૨૪૬૭ ના બરાબર ફાગણ સુદ બીજે અહીં જિનમંદિરમાં નેમનાથ પ્રભુજી પધાર્યા... જાણે કે ભક્તિએ
ભગવાનને આકર્ષી લીધા!
એ રીતે સોનગઢનો એ પ્રતિષ્ઠા મહોત્સવ સૌરાષ્ટ્રને માટે અપૂર્વ હતો.. એ મહોત્સવ નજરે નીહાળવાનું
મહાભાગ્ય જેમને મળ્‌યું હશે તેમના અંતરપટમાં તે વખતના ઉલ્લાસિત સંસ્મરણો હજી ગૂજતાં હશે... અહોભાગ્ય
છે ભક્તજનોના કે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ભગવાન ભેટ્યા... અને તેઓશ્રીના જ મહાન ઉપકારથી
ભક્તજનો ભગવાનને ઓળખતા થયા... આજે ય ભક્તજનો ગૌરવપૂર્વક ગદ્ગદ્ ભાવે વારંવાર કહે છે કે...
‘હે ગુરુદેવ... હે ગુરુદેવ! આપના જ પરમ પરમ પ્રતાપથી અમને અહીં શ્રી સીમંધરાદિ જિનેન્દ્ર
ભગવંતોનો ભેટો થયો... આવા આવા સર્વ પ્રસંગોમાં, હે કૃપાનાથ! આપનો જ મહાન ઉપકાર છે... અમારા
જીવનમાં આપનો પરમ ઉપકાર છે...
જેની દ્વારા જિનજી આવ્યા ભવ્યે ઓળખ્યા રે, તે શ્રી કાન ગુરુનો છે અનુપમ ઉપકાર... નિત્યે દેવ–
ગુરુનાં ચરણકમળ હૃદયે વસો રે...’
પ્ર... ભા.. વ... ના
સ્મૃતિ... અને... આભાર
‘આત્મધર્મ’ ના આ ખાસ ‘ભગવાન શ્રી સીમંધર જિનસ્વાગત અંક’ ના ખર્ચ તરીકે
રાજકોટના સ્વ૦ શેઠ ભગવાનલાલ રણછોડદાસના રમરણાર્થે તેમના સુપુત્ર ભાઈ શ્રી
બુદ્ધિધન વગેરે તરફથી રૂા. ૭પ૦ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યા છે..
અને એ રીતે ‘આત્મધર્મ’ ની પ્રભાવનામાં સાથ આપ્યો છે. આ ઉપરાંત ‘શ્રી કુંદકુંદ
શ્રાવિકાશાળા’ ના ફંડમાં પણ રૂા. ૨પ૧ તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમની આ
મદદ માટે તેમનો આભાર માનવામાં આવે છે.
બીજું, આ અંકમાં છપાયેલ ભાવનાચિત્ર તેમ જ મુખ પૃષ્ઠના સ્કેચ અને બ્લોક કરાવી
આપવા માટે, તેમ જ આ અંકનું પૂંઠું મુંબઈમાં છપાવી આપવા માટે ભાઈ શ્રી રતિલાલ જેચંદ
શાહે ઘણી મહેનત લીધી છે, તે માટે તેમના આભારની પણ નોંધ લઈએ છીએ.
સુધારો
આત્મધર્મ અંક ૮૮ પૃ. ૭૯ કોલમ ૧ લાઈન ૮–૯ માં ‘શ્રદ્ધામાં
તો પુણ્ય અને પાપ બંને હોય છે’ એમ છપાયું છે તેને બદલે ‘શ્રદ્ધામાં
તો પુણ્ય અને પાપ બંને હેય છે’ એ પ્રમાણે સુધારીને વાંચવું.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 11 of 43
single page version

background image
: ૮૮ : આત્મધર્મ : ૮૯
जिनप्रतिमा जिनसारखी
“તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે–વર્તતા અર્હંતને.”
આજે અહીંના જિનમંદિરમાં ભગવાન શ્રી સીમધર પ્રભુની પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તેથી માંગલિક છે...
ભગવાનના વિરહ વખતે ભગવાનની પ્રતિમામાં તેમની સ્થાપના કરવામાં આવે છે. તીર્થંકર ભગવાનની
વીતરાગી પ્રતિમા પણ તીર્થંકર તૂલ્ય છે. જુઓ, પંડિત બનારસીદાસજી કહે છે કે– ‘
जिनप्रतिमा जिनखारखी
હે ભગવાન! આપની વીતરાગી ધ્યાનસ્થ પ્રતિમાને જોતાં જ્ઞાયકબિંબનું સ્મરણ થાય છે. આવા પ્રતિમાને
ભગવાન તરીકે કોણ માને? ...તો કહે છે કે:–
‘कूहत बनारसी अलप भव थिति जाकी
सोइ जिनप्रतिमा प्रभानैं जिन सारखी।’
અંદરના ચૈતન્ય ભગવાન આત્માનું જેને લક્ષ છે, અને બહારમાં નિમિત્ત તરીકે પૂર્ણદશાને પામેલા શ્રી
સર્વજ્ઞ પરમાત્માની જેને ઓળખાણ થઈ છે, તે સાક્ષાત્ સર્વજ્ઞદેવના વિરહ વખતે તેમની પ્રતિમાને સર્વજ્ઞદેવ
તરીકે સ્થાપે છે, ને એ રીતે ભાનપૂર્વક જિનપ્રતિમાને જિનવર તૂલ્ય માનીને દર્શન–પૂજનાદિ કરે છે. અહો!
ભગવાન આવા પૂર્ણ સર્વજ્ઞપદને પામ્યા ને મારો સ્વભાવ પણ આવો જ છે–આવી ભાવનાથી પણ ઘણી નિર્જરા
થાય છે. ભગવાન જેવો પોતાનો સ્વભાવ છે એવા લક્ષ પૂર્વક જે જિનપ્રતિમાને જિન–તૂલ્ય માને છે તેને વિશેષ
ભવ હોતા નથી.
(ભગવાન શ્રી સીમધંર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 12 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૮૯ :
શ્રી પરમાત્મ–પ્રકાશમાં કહે છે કે આ જીવને અનાદિસંસારમાં બે વસ્તુ મળવી અત્યંત દુર્લભ છે. કઈ બે
વસ્તુ? એક તો શુદ્ધસમ્યક્ત્વ અને બીજા શ્રી જિનવર સ્વામી, જિનવર સ્વામી ખરેખર ક્યારે મળ્‌યા કહેવાય?
સંયોગરૂપે તો ભગવાન ઘણી વાર મળી ગયા. પણ અંતરમાં ભગવાન જેવા પોતાના આત્માનું લક્ષ કરે તો
ખરેખર જિનવર સ્વામી મળ્‌યા કહેવાય. શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન પ્રવચનસારમાં કહે છે કે–જે જીવ અરિહંત
ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે છે તે જીવ ખરેખર પોતાના આત્માને જાણે છે ને તેનો મોહ ક્ષય પામી
જાય છે. આત્માને વાસ્તવિક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થવું અનંતકાળે દુર્લભ છે, અને એ તત્ત્વજ્ઞાન પામવાનો યોગ
મળવો પણ ઘણો દુર્લભ છે. સાચા દેવ–ગુરુ શું કહે છે તે સમજવાનો અવસર અનંતકાળે આવે છે. આવા
પ્રસંગને બરાબર ઉત્સાહથી વધાવી લેવો જોઈએ. બહારનો પ્રસંગ તો તેના કારણે ભજે છે, પણ અંદર સાચી
સમજણનો ઉત્સાહ જોઈએ. આત્માની સમજણની દરકાર વગર એકલી બહારની હો–હા કરે તેમાં કલ્યાણ નથી.
આત્માના ભાન પછી પણ વીતરાગી દેવ–ગુરુ પ્રત્યે બહુમાન અને ભક્તિનો ભાવ તો આવે પણ જ્ઞાની તેને ધર્મ
ન માને, તે શુભરાગમાં જ સર્વસ્વ માનીને તેમાં અટકી ન જાય. અજ્ઞાનીઓ તો તે રાગમાં જ સર્વસ્વ માનીને,
તેને જ ધર્મ માનીને ત્યાં અટકી પડે છે. અષ્ટાહ્નિકા મહોત્સવ વખતે ઘણા સમ્યગ્દ્રષ્ટિ દેવો પણ નંદિશ્વર દ્વીપે જાય
છે, અને ત્યાં શાશ્વત બિરાજમાન રત્નમણિના જિનબિંબના દર્શન–પૂજન કરીને ભક્તિથી નાચી ઊઠે છે.
અંર્તદ્રષ્ટિ પૂર્વકના જ્ઞાનીની ભક્તિના ખેલ અજ્ઞાનીને સમજવા મુશ્કેલ પડે તેમ છે. ભગવાનની ઉપશાંત પ્રતિમા
પાસે ત્રણ જ્ઞાનધારી એકાવતારી સમ્યગ્દ્રષ્ટિ ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ પણ નાની બાળિકાની જેમ ભક્તિભાવથી નાચી
ઊઠે છે. અંદર ચૈતન્યબિંબ આત્માનું ભાન છે, એવી નિશ્ચયની ભૂમિકા હોવા છતાં નીચલી દશામાં તેવો રાગ
વચ્ચે આવે છે, ને તે રાગના નિમિત્તભૂત વીતરાગી જિનબિંબ છે. એવા રાગને તથા તેના નિમિત્તને ન જ માને
તો તે અજ્ઞાની છે, અને તે રાગથી કે નિમિત્તથી જ ધર્મ માને તો તે પણ અજ્ઞાની છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ
જાણવી જોઈએ.
શ્રી પદ્મનંદિપચ્ચીસીમાં દરરોજ કરવા યોગ્ય શ્રાવકના છ કર્તવ્યોનું વર્ણન કરતાં કહે છે કે–
देवपूजा गुरोपास्ति स्वाध्याय संयमस्तपः।
दानश्वेति गृहस्थाणां षट्कर्माणि दिनेदिने।।७।।
શ્રાવકાચાર
શ્રી જિનેન્દ્રદેવની પૂજા, ગુરુઓની ઉપાસના, સ્વાધ્યાય સંયમ તપ અને દાન–તે છ કાર્યો ગૃહસ્થોએ દિન–
દિન પ્રતિ હંમેશાંં કરવા યોગ્ય છે. સર્વજ્ઞ ભગવાન કેવા હોય, ગુરુ કેવા હોય તેની ઓળખાણની મુખ્યતા
સહિતની આ આ વાત છે. મુનિઓ તો જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે, તેથી તેમની વાત જુદી, પણ ગૃહસ્થો તો
અનેક પ્રકારના હિંસાદિ પાપમાં પડેલા છે તે પાપ ભાવથી બચવા દેવ પૂજા વગેરેનો ઉપદેશ છે. તે ઉપદેશમાં
ગૃહસ્થોને આવા પ્રકારનો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. ધર્મ તો અંતરના ધ્રુવ ચૈતન્ય સ્વભાવના આશ્રયે
જે વીતરાગીભાવ થાય તેમાં જ છે. અનાદિ વીતરાગ શાસનનું આ વર્ણન છે. અહીં જેમની સ્થાપના થાય છે તે
શ્રી સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહક્ષેત્રમાં આ જ વાત કહી રહ્યા છે. જે આ સમજે તેનું કલ્યાણ છે. ન
સમજનારા તો રખડી જ રહ્યા છે એટલે તેની શું વાત કરવી? ભગવાનના પંચકલ્યાણકમાં ભગવાને કહેલો
આત્મસ્વભાવ સમજે તો કલ્યાણ થાય. માટે આત્માનો સ્વભાવ શું છે તેની સમજણ કરવી તેની જ મુખ્યતા છે,
ને તે જ ધર્મનું મૂળ છે.
(–લાઠીમાં શ્રી સીમંધરાદિ ભગવંતોની પ્રતિષ્ઠા વખતે પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
બાદશાહનો હુકમ
ઊંધી માન્યતા–મિથ્યાત્વ એ ‘બાદશાહી’ ગુણઠાણું છે. જેમ બાદશાહના હુકમને
માનવાની કોઈ ના ન પાડે તેમ પરનું કર્તાપણું માનવું તે મિથ્યાત્વરૂપ બાદશાહનો હુકમ છે, તેથી
પરનું અમે કરી શકીએ એવી માન્યતાની કોઈ અજ્ઞાની ના ન પાડે. પુણ્યથી ધર્મ થાય એટલે કે
વિકારથી આત્મગુણ પ્રગટે–એવી ઊંધી માન્યતાથી, મોહરૂપી ભૂતે અજ્ઞાની જીવોને વશ કર્યા છે.
જુઓ–સમયસાર પ્રવચનો ભા. ૧ પૃ. ૧૨૩

PDF/HTML Page 13 of 43
single page version

background image
: ૯૦ : આત્મધર્મ : ૮૯
ભગવાનના ભક્તના હૃદયમાં ઊછળતી
ભક્તિની લહરીઓ
તીર્થંધામ સોનગઢમાં ભગવાનશ્રી સીમંધર પ્રભુની પંચકલ્યાણક
પ્રતિષ્ઠાના અઠ્ઠાઈ મહોત્સવ પ્રસંગે, વીર સં. ૨૪૬૭ ના માહ વદ ૧૧ ના રોજ,
પદ્મનદી પચીસીના શાંતિનાથસ્તોત્ર પર પૂ. ગુરુદેવશ્રીનું ભક્તિભર્યુ પ્રવચન
(૧) વીતરાગ ભગવાનની ભક્તિ કોને ઉલ્લસે?
આ દેહદેવળમાં ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા રહેલો છે, તે પોતે શાંતિ અને સુખ સ્વભાવવાળો છે.
શાંતિ કે સુખ માટે તેને દેહ–મન–વાણીની જરૂર નથી. દેહ અને ઈન્દ્રિયોના લક્ષે માનેલું સુખ તે ખરેખર સુખ
નથી પણ વિકાર છે. જેને આત્માનું ભાન નથી ને લક્ષ્મી વગેરેમાં સુખ માન્યું છે તે જીવને લક્ષ્મીની રુચિ
હોવાથી તે લક્ષ્મીવાળાનાં વખાણ કરે છે; અને જેને રાગરહિત આત્માનું ભાન છે ને વીતરાગતા ગોઠી છે તે જીવ
વીતરાગ પરમાત્માને ઓળખીને તેમનાં ગુણગાન કરે છે. જેમ ઘરે લક્ષ્મીવાળા બે–પાંચ મોટા મહેમાન કે રાજા
આવે ત્યાં અજ્ઞાની લક્ષ્મીની રુચિવાળો તેમનાં ગુણગાન કરતાં કહે છે કે ‘આજે મારે સોનાનો સૂરજ ઊગ્યો..’ –
પણ ત્યાં તો માત્ર મમતાનું પોષણ છે. અહીં વીતરાગતાની ભાવનાવાળા ભગવાનના ભક્ત કહે છે કે ધન્ય
ભાગ્ય! આજ અમારા આંગણે ભગવાન પધાર્યા...આજે અમારે સોનાનો સૂરજ ઊગ્યો. આમ પરમાત્માને
ઓળખીને તેમનાં ગાણાં ગાય તે સાચી ભક્તિ છે. જેમ નાના છ મહિનાના બાળકને પૈસા શું કહેવાય તેની
ખબર નથી, તેણે તો ફક્ત માતાનું દૂધ ભાળ્‌યું છે એટલે તેને લક્ષ્મીવાળા ઉપર પ્રેમ શેનો આવે? તેમ જેણે
આત્માના વીતરાગ સ્વભાવને ઓળખ્યો નથી, વીતરાગ ભગવાનને ઓળખ્યા નથી તેને વીતરાગ ભગવાન
ઉપર ખરો પ્રેમ આવતો નથી. જેને વીતરાગતાનું ભાન છે તે તો વીતરાગ ભગવાનને જોતાં ભક્તિથી ઉલ્લસી
જાય છે.
આ શરીર તો હાડકા વગેરેનું ઢીંગલું છે, ત તો અનાજ, દૂધ વગેરેમાંથી થયું છે. આત્મા માતાના પેટમાં આવ્યો
ત્યારે આ શરીરને સાથે લાવ્યો ન હતો... તેમ જ પછી પણ શરીરની તો સ્મશાનમાં રાખ થશે ને આત્મા બીજે ચાલ્યો
જશે. અંદર આત્મા દેહથી ભિન્ન છે તે કાયમ ટકનાર છે. એવા આત્મામાં જ સુખ છે, તેને ભૂલીને અજ્ઞાની જીવ
શરીર–આબરૂ–લક્ષ્મી વગેરે બાહ્ય પદાર્થોમાં સુખ માને છે, એટલે તે તેનું બહુમાન કરે છે, તો તે જીવ સર્વજ્ઞ
વીતરાગદેવનું બહુમાન કેમ કરી શકે? દેહ અને ઈન્દ્રિયો વિનાનું સાચું સુખ જેમને પ્રગટી ગયું છે એવા વીતરાગી
પરમાત્માનું સ્વરૂપ જાણ્યા વિના તેમના ગુણગાન થઈ શકે નહિ. જેને વિષયોમાં સુખની બુદ્ધિ છે તે કદાચ ભગવાન
પાસે જશે તો ત્યાં પણ પુણ્ય અને સ્વર્ગાદિનાં વખાણ કરશે. ‘હે પરમાત્મા! આપ પૂર્ણ થઈ ગયા છો, આપને જ્ઞાન
અને સુખ પૂર્ણ પ્રગટી ગયાં છે... હું પણ શક્તિએ આપના જેવો પરિપૂર્ણ હોવા છતાં હજી અવસ્થાએ અધૂરો છું... મારું
સુખ મારા સ્વભાવમાં ભર્યું છે તે પ્રગટ કરવા, આપની પૂર્ણતાનું અનુમોદન કરતાં... તેનાં ગાણાં ગાતાં... સંસારનો
પ્રેમ તોડીને વીતરાગતા વધારીશ.’ ––જેને આવું જ્ઞાન હોય તે જ વીતરાગપ્રભુની સાચી સ્તુતિ કરે છે.
(૨) ‘સીમંધર’ પ્રભુની સ્તુતિ
જુઓ, અહીં શ્રી સીમંધર પરમાત્માની પ્રતિષ્ઠા થવાની છે. તે સીમંધર પરમાત્મા અત્યારે મહાવિદેહ
ક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજે છે. ‘સીમંધર’ એટલે શું? ‘सीम’ એટલે સીમા અર્થાત્ મર્યાદા અને ‘घर’ એટલે
ધરનાર; આત્માના સ્વરૂપની મર્યાદાને જે ધારણ કરે તે સીમંધર. આત્માના જ્ઞાનસ્વરૂપની મર્યાદામાં રાગ–દ્વેષાદિ
નથી. એ રીતે રાગ–દ્વેષ–રહિત જ્ઞાનસ્વભાવની મર્યાદાને ભગવાને ધારણ કરી છે અર્થાત્ ભગવાનના આત્માને
ઉત્કૃષ્ટ જ્ઞાનદશા પ્રગટી છે. ભગવાન જેવો પોતાના આત્માનો સ્વભાવ ઓળખવો તેને ભગવાનની સ્તુતિ
કહેવાય છે. ભગવાનની સ્તુતિ કહો કે ભગવાનના ગુણગાન કહો. ‘હે નાથ! આપના જેવી પૂર્ણદશા મારામાં
પ્રગટી નથી, પરંતુ હે પ્રભો! જેટલું સામર્થ્ય આપનામાં છે તેટલું જ પરિપૂર્ણ સામર્થ્ય મારામાં ભર્યું છે, તારા જેવા
મારા સ્વભાવમાં એકાગ્ર થતાં મારો રાગ ટળે ને સુખ મળે... એ રીતે હું પણ પૂર્ણ પરમાત્મા થઈશ.’ આનું નામ
ભગવાનની ભક્તિ! જેને આવું ભાન નથી તે
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 14 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૧ :
ખરેખર ભગવાનનાં ગાણાં કે ભગવાનની સ્તુતિ કરતો નથી, તે તો માત્ર રાગ અને પુણ્યનાં ગણાં ગાય છે.
(૩) ત્રણ છત્રોના વર્ણનદ્વારા ત્રિલોકપતિ શાંતિનાથ પ્રભુની સ્તુતિ
અહીં પદ્મનંદી પચીસીના આ અધિકારમાં આચાર્યદેવે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તેમાં
પહેલાંં શ્લોકમાં કહે છે કે–
त्रेलोक्याधिपतित्वसूचनपरं लोकेश्वरैरुद्धृतं।
यस्योपर्युपरीन्दुमण्डलनिभं छत्रत्रयं राजते।।
अश्रांतोद्रतकेवलोज्वलरुचा निर्भर्सितार्कप्रभं।
सोऽस्मान् पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।
જેમના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામીત્વ સૂચવનારા અને ચન્દ્ર સમાન, ઈન્દ્રરચિત ત્રણ છત્રો શોભી રહ્યા
છે તેમ જ નિરંતર ઉદયમાન એવી કેવળજ્ઞાનની નિર્મળ કાતિ વડે જેમણે સૂર્યની પ્રભાને પણ ઢાંકી દીધી છે અને જેઓ
સર્વ પાપથી રહિત છે એવા શ્રી શાંતિનાથ ભગવાન સદા અમારી રક્ષા કરો.
જેઓ પૂર્ણ આત્મસ્વરૂપને પામ્યા હોય અને પુણ્યમાં પણ પૂરા હોય તે તીર્થંકરભગવાન છે. પૂર્ણ
આત્મસ્વરૂપને પામીને મુક્ત થનારા ઘણા જીવો હોય છે, પણ જે પોતે પૂર્ણ આત્મસ્વરૂપ પામીને પોતાનું કલ્યાણ કરે
તેમ જ બીજા લાખો–કરોડો જીવોને કલ્યાણમાં નિમિત્ત થાય એવા તીર્થંકર થનારા જીવો તો બહુ થોડા હોય છે.
ભરતક્ષેત્રમાં છેલ્લી ચોવીસીમાં શ્રી શાંતિનાથભગવાન સોળમા તીર્થંકર થયા. અત્યારે તો તેઓ મોક્ષદશામાં સિદ્ધપણે
બિરાજે છે. પણ જ્યારે તેઓ આ ભરતક્ષેત્રમાં તીર્થંકર પણે વિચરતા હતા ત્યારનો ઉપચાર કરીને શ્રી આચાર્યદેવ
તેમની સ્તુતિ કરે છે.
ભગવાનને પૂર્ણ આત્મદશા પ્રગટી છે અને ભગવાનની ઉપર ભક્તિપૂર્વક મણી–રત્નના ત્રણ છત્રો ઈન્દ્ર
રચે છે, તે તેમના પુણ્યનો અતિશય છે. આચાર્યદેવ કહે છે કે હે નાથ! આ ત્રણ છત્રો એમ સૂચવે છે કે આપ જ
ત્રણલોકના નાથ છો... ત્રણલોકમાં સારમાં સાર હોય તો તે અનંતજ્ઞાનને પામેલો આપનો આત્મા જ છે. એ
સિવાય દેહ–મન–વાણી કે ઈન્દ્રિયવિષયો તે કોઈ આ જગતમાં ઉત્તમ નથી.
(૪) ગર્ભકલ્યાણક
પ્રસંગે ઈન્દ્રદ્વારા માતા–
પિતાની સ્તુતિ
જુઓ, અહીં
સીમંધરપ્રભુની પ્રતિષ્ઠામાં
મહાવીર ભગવાનના
પંચકલ્યાણક થશે; તેમાં
ઘણું આવશે. જ્યારે
ગર્ભકલ્યાણક થશે ત્યારે
ઈન્દ્રો આવીને ભગવાનના
માતા–પિતાની સ્તુતિ
કરતાં કહેશે કે અહો! ધન્ય
માતા! ને ધન્ય પિતા! હે
માતા! તમે જગતના
માતા છો. તમારી
ઉજ્જવળ કૂંખે છ મહિના
પછી એક ત્રિલોકનાથ તીર્થંકર
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 15 of 43
single page version

background image
: ૯૨ : આત્મધર્મ : ૮૯
નો આત્મા આવવાનો છે. હે ત્રિલોકનાથની જનેતા! હે જગત જનની! તને ધન્ય છે! હજી તો ભગવાનનો
આત્મા સ્વર્ગાદિમાં હોય, ને ત્યાંનું આયુષ્ય છ મહીના બાકી રહેતાં જ્યાં તીર્થંકરના ભવનું આયુષ્ય બંધાય ત્યાં
તો ઈન્દ્રોના આસન ચળે અને ઇંદ અવધિ જ્ઞાનથી જુએ કે આ શું!! અહો! ત્રિલોકનાથ તીર્થંકરભગવાન છ
મહિના પછી આ માતાની કૂખે પધારવાના... એમ જાણીને ઈન્દ્રો પણ તીર્થંકરપ્રભુના માતા પિતાની પ્રશંસા કરે
છે.. ને રોજ રોજ રત્નવર્ષો થાય છે. ભગવાનના ગુણનો આ બધો મહિમા છે. જેમ આસો સુદ પુનમના બીંદવા
જે છીપમાં પડે તે છીપું પણ જુદી જાતની હોય ને તેમાંથી કિંમતી રત્ન પાકે. તેમ ત્રિલોકનાથ તીર્થંકરનો આત્મા
જેને ત્યાં અવતરે તે માતાપિતા પણ અલ્પકાળે મોક્ષગામી હોય છે. સાધારણ ઘરે ભગવાન અવતરે નહિ.
(પ) ભગવાનના સાચા ભક્તો અને સાચી સ્તુતિ
ભગવાન બાળકપણે જન્મે ત્યારે ઈન્દ્રો તેમની સામે ભક્તિ કરે.. તો પછી કેવળજ્ઞાન થાય ત્યારે
મુનિવરોને ઈન્દ્રો તેમની સ્તુતિ કરે તેમાં શું નવાઈ! ભગવાન તો વીતરાગ છે. ભગવાનની ધર્મસભામાં કોઈ
તત્ત્વજ્ઞાનનો સીધો વિરોધ ન કરી શકે. મુનિવરો પણ સર્વજ્ઞવીતરાગ ભગવાનનું સ્તોત્ર બનાવીને અંતરમાં
પોતાની વીતરાગતાને ઘૂંટે છે. ઈન્દ્રો તો સ્તુતિ કરે જ છે ને મુનિવરો પણ ભગવાનની સ્તોત્ર બનાવીને અંતરમાં
પોતાની વીતરાગતાને ઘૂંટે છે. ઈન્દ્રો તો સ્તુતિ કરે જ છે ને મુનિવરો પણ ભગવાનની સ્તુતિ કરે છે. અહો!
ભગવાનને સર્વજ્ઞતા પ્રગટી.. એવું કેવળજ્ઞાન લેવા માટે, સંસારનો તીવ્રરાગ છેદવા સર્વજ્ઞવીતરાગપણું શું છે તે
ઓળખીને, ‘મારે પણ આવું સર્વજ્ઞપણું અને વીતરાગતા જ આદરણીય છે, બીજા કોઈ રાગાદિ ભાવો આદરણીય
નથી’ –એવી શ્રદ્ધા અને જ્ઞાન કરતાં કર્મનાં તો ખોખાં ઊડી જાય છે. રાગરહિત સ્વભાવનું ભાન થવા છતાં
અસ્થિરતાનો અલ્પ રાગ રહે તે રાગથી ઊંચા પુણ્ય બંધાઈ જાય છે, પણ ધર્મીને તે રાગની ભાવના નથી. ઘણું
અનાજ પાકે ત્યાં સાથે ઘાસ પણ થાય, પણ ખેડુતની દ્રષ્ટિ અનાજ ઉપર હોય છે તેમ સાધક ભૂમિકામાં રાગને
લીધે પુણ્ય થઈ જાય પણ ધર્માત્માની દ્રષ્ટિ રાગરહિત સ્વભાવ ઉપર હોય છે.
અહીં આચાર્યદેવ શ્રી શાંતિનાથભગવાનનું સ્તવન કરે છે. બધા આત્માનો સ્વભાવ શાંતિનાથ ભગવાન
જેવો છે. શક્તિરૂપે અંદર પરમાત્મપણું ભર્યું છે, તે ઓળખીને જેણે પ્રગટ કર્યું તે ત્રિલોકનાથ ભગવાન થયા છે.
એવી ઓળખાણ કરવી તે ભગવાનની સાચી સ્તુતિ છે.
હે નાથ! આપને કેવળજ્ઞાન પ્રગટ્યું છે તે જ સાર છે. આપના કેવળજ્ઞાનની પ્રભા તો નિરતંર ઉદયમાન
છે. સૂર્યની પ્રભા તો સવારે ઊગે ને રાત્રે અસ્ત થઈ જાય. પણ આપના કેવળજ્ઞાનની પ્રભા તો ઊગી તે ઊગી...
તે કદી અસ્ત પામે નહિ. હે પ્રભો! આપના આવા ત્રિકાળીજ્ઞાનના મહિમા પાસે ચાર જ્ઞાનનો પણ મહિમા
અમને લાગતો નથી, તો રાગાદિનો આદર તો હોય જ ક્યાંથી? કેવળજ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક
જણાય છે. આ આત્માને સારમાં સાર વસ્તુ હોય તો તે કેવળજ્ઞાન છે. હે નાથ! મને સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન છે
પણ મારી મીટ કેવળજ્ઞાન ઉપર છે. અંદર પૂર્ણ સ્વભાવ શક્તિ પડી છે તેનું ભાન છે, ને તે શક્તિમાં લીન થઈને
પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરવાની ભાવના છે... આ અલ્પજ્ઞાન વર્તે છે તેનો મહિમા નથી. –આમ સ્તુતિ કરતાં
આચાર્યદેવ કહે છે કે ‘શ્રી શાંતિનાથ ભગવાન અમારી રક્ષા કરો’ ભક્તિમાં તો નિમિત્તથી બોલાય, પણ તેનો
ભાવ એવો છે કે આત્માનું શાંતિસ્વરૂપ વર્તમાન વિકાર અવસ્થામાંથી બચાવો ને પૂર્ણ પરમાત્મપદ પ્રગટ કરો.
હે વીતરાગ પરમાત્મા! આત્મા નિર્મળ આનંદઘન છે તેવી દશા મને પ્રગટો, તેની હું ભાવના કરું છું... ને
આપને તેવી પૂર્ણાનંદદશા પ્રગટી ગઈ છે તેથી આપના ગાણાં ગાઉં છું... મને જે ગોઠ્યું છે તેનાં હું ગાણાં ગાઉં છું.
મારી જે વર્તમાનસાધક અવસ્થા છે તેમાંથી હું પાછો ન પડું ને સ્વભાવદ્રષ્ટિના જોરે અપ્રતિહતપણે આગળ જ
વધીને પૂરો થાઉં–એવી ભાવનાથી સ્તુતિકાર નિમિત્તથી કહે છે કે હે શાંતિનાથ ભગવાન! આપ અમારી રક્ષા
કરો.
(૬) ભગવાનનો ભક્ત કે જડનો?
ભગવાન પાસે જે જીવ શરીરનું રક્ષણ કરવાની ભાવના કરે છે તેને તો અશુભભાવ છે; કોઈ કહે કે શરીર
સારૂં હોય તો સંયમ પળે, તો તેની વાત જૂઠી છે. શરીર હાડકા ચામડાનો પિંડ છે, શું તેના આધારે સંયમ રહેતો
હશે? સંયમ તો આત્માની નિર્મળ દશા છે. આત્માના પવિત્ર ગુણોનું ભાન કરીને તેના આશ્રયે
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 16 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૩ :
રહેતાં ઈન્દ્રિયદમનનો ભાવ પ્રગટે છે, તેનું નામ સંયમ છે. તે સંયમભાવ આત્માના આશ્રયે છે, શરીરના આધારે
નથી. શરીરમાં રોગ–નિરોગ અવસ્થા થવી તે તેને આધીન છે, ને અંદર આકુળતા કે શાંતિ કરવી તે આત્માને
આધીન છે.
પ્રશ્ન:– આત્મા તો અનંતબળનો ધણી છે એમ આપ કહો છો ને?’
ઉત્તર:– હા, આત્મા અનંતબળનો ધણી છે એ વાત સાચી, પણ તે બળ પોતામાં કે પરમાં? આત્માની
શક્તિ પરમાં કાંઈ કરી ન શકે. જડ દેહ–મન–વાણી વગેરે ઉપર આત્માનો પુરુષાર્થ કાંઈ કામ કરે કે અસર કરે
એવી માન્યતા તે મહા મૂર્ખતા છે, જડ–ચેતનના જુદાપણાનું પણ તેને ભાન નથી. પોતામાં અનંતજ્ઞાન, સુખ
વગેરે પ્રગટ કરવાની અનંત શક્તિ આત્મામાં છે, પણ શરીરાદિમાં ફેરફાર કરવાની આત્મામાં જરાપણ શક્તિ
નથી. ભગવાન પાસે પોતાના અનંત કેવળજ્ઞાનની ભાવના કરવાને બદલે શરીરની ને પુણ્યની ભાવના કરે તો
તેને સાચી ભાવના કરતાં જ નથી આવડયું. જેમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થઈને કહે કે ‘માંગ... માંગ, તું જે માગ
તે આપું.’ ત્યારે કોઈ મુર્ખો એમ કહે કે ‘કાઢી નાંખ વાસીદું.’ –તો તેને માગતાં જ ન આવડયું. તેમ
ચૈતન્યચક્રવર્તી ભગવાનમાં કેવળજ્ઞાન આપવાની તાકાત છે. તેને બદલે ભગવાન પાસે જઈને કોઈ એવી
ભાવના કરે કે હે ભગવાન! શરીર સારૂં રાખજો ને પુણ્ય આપજો...’ તો તે મૂર્ખ છે, જેને જડની અને રાગની
ભાવના છે તે ભગવાનનો ભક્ત નથી... વીતરાગનો દાસ નથી, તે આત્માનો દાસ નથી પણ જડનો દાસ છે.
* * * * *
(૭) દુંદુભીના વર્ણન દ્વારા ભગવાનના દિવ્યજ્ઞાનની સ્તુતિ
જેને પોતાની પૂર્ણતાની ભાવના છે તે સર્વજ્ઞપરમાત્માની પૂર્ણતાને ઓળખીને તેમની સ્તુતિ કરે છે. અહીં
શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ પદ્મનંદીઆચાર્ય કરે છે. તેમાં પહેલાંં શ્લોકમાં ત્રણ છત્રનું વર્ણન કરીને
ભગવાનના કેવળજ્ઞાનની સ્તુતિ કરી. હવે બીજા શ્લોકમાં દેવદુંદુભીનું વર્ણન કરીને ભગવાનના કેવળજ્ઞાનની
સ્તુતિ કરે છે––
‘देवः सर्वविदेष एव परमो नान्यस्त्रिलोकीपतिः
संत्यस्यैव समस्ततत्त्वविषया वाचः सतां सम्मताः।’
–एतद्धोषतीव यस्य विबुधैरास्फालितो दुन्दुभिः
सोऽस्मानू पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।२।।
હે નાથ! આપના સમવસરણમાં દેવતાઓ વડે બજાવવામાં આવતી દુંદુભી (દિવ્ય નગારું) નો નાદ
માનો કે જગતમાં આ જ વાતને પ્રગટપણે કહી રહ્યો છે કે– ‘સમસ્ત પદાર્થોને જાણનારા, ઉત્કૃષ્ટ અને
ત્રિલોકપતિ પરમદેવ શ્રી શાંતિનાથ ભગવાન જ છે, અને સમસ્તતત્ત્વોનું વર્ણન કરનારા તેમના જ વચનો
સજ્જનોને માન્ય છે; એ સિવાય બીજું તો કોઈ સમસ્ત પદાર્થોને જાણનાર, ઉત્કૃષ્ટ કે ત્રિલોકપતિ નથી તેમ જ
તેનાં વચન સંમત નથી.’ એવા નિરંજન શ્રી શાંતિનાથ ભગવાન અમારી રક્ષા કરો.
(૮) નગારાના નાદમાં ભગવાનની સર્વજ્ઞતાનો પોકાર
હે પ્રભુ! સત્પુરુષોને એક તારુ જ શરણ છે... પ્રભુ! તું જ સર્વજ્ઞ વીતરાગ છો.. જુઓ, ભગવાનના
સમવરણમાં દેવદુંદુભી વાગે છે તેનો શાસ્ત્રમાં લેખ છે ને મહાવિદેહમાં તે પ્રમાણે થઈ રહ્યું છે.. શ્રી સીમંધર ભગવાનની
ધર્મસભામાં દેવદુંદુભી–નગારાં વાગે છે. બાપુ! આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી સિદ્ધ છે. જગતના નાના ગજમાં આ વાત
ઝટ ન બેસે, તેનો કલ્પનાનો ગજ તો ખોટો પડે.. પણ આ ગજ ખોટો પડે તેમ નથી. હે ભગવાન! તારા દુંદુભીના
નાદમાં અમને તો એવું જ સંભળાય છે કે– ‘અરે! મનુષ્યો ને દેવો! –જગતના જીવો! તમારે શરણભૂત હોય તો આ
શાંતિનાથ ભગવાન બિરાજે છે તે જ છે, ત્યાં આવો.. અને તેમનાં જ વચન સાંભળો... કેમ કે ત્રણ લોકનું જ્ઞાન હોય
તો તેમને જ છે. સ્તુતિકાર કહે છે કે હે નાથ! આ નગારાનો નાદ આપની સર્વજ્ઞતાનો જ પોકાર કરી રહ્યો છે. હે
જીવો! તમે અહીં આવો... આ ભગવાનનું શરણ લ્યો. જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન પ્રગટ છે એવા આ ભગવાનનાં
વચનો જ સંમત કરો... ત્રણ લોકના નાથ ને પરમ દેવાધિદેવ હોય તો આ સીમંધર ભગવાન છે... શાંતિનાથ
ભગવાન છે. તમારે જો સર્વજ્ઞવીતરાગ પદ જોઈતું હોય તો અહીં આવો..
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 17 of 43
single page version

background image
: ૯૪ : આત્મધર્મ : ૮૯
આ ભગવાનનું સેવન કરો... ભગવાનનાં વચનમાં કહેલા આત્માની શ્રદ્ધા કરો...
લોકમાં જેમ લક્ષ્મી વગેરેની રુચિવાળા લોકો રાજા વગેરેની પાસે જઈને તેની પ્રશંસા કરે છે, તેમ અહીં
લોકોત્તર માર્ગમાં પ્રભુતાના ભાનવાળા ભક્તો પ્રભુની સ્તુતિ–પ્રશંસા કરે છે... તેમાં પોતાની પ્રભુતાની ભાવના
તે પ્રભુતા પ્રગટવાનું કારણ છે.
(૯) આવો રે... આવો... ભગવાનને ભેટવા!
આત્મા જ્ઞાનસ્વભાવ છે... ત્રણ કાળ ત્રણ લોકને જાણે તેવું એક એક આત્મામાં સામર્થ્ય છે... તેનું ભાન
કરીને જેને તેવી પૂર્ણ શક્તિ પ્રગટ થઈ ગઈ છે તે સર્વજ્ઞદેવ છે. તેને રાગ નથી.. જ્ઞાનની કાંઈ અધૂરાશ નથી;
તેમને સ્ત્રી નથી, વસ્ત્ર નથી, શસ્ત્ર નથી. તેમની ધર્મસભામાં દિવ્યનગારું વાગે છે તે કહે છે કે: ‘...જેને આત્મા
જો’ તો હોય.. જેને અશાંતિ ટાળીને શાંતિના કુંડમાં ન્હાવું હોય... આત્માના અનંત સાગરમાં રસબોળ થવું
હોય... સુખમાં તરબોળ થવું હોય... તે જીવો અહીં ભગવાનની ધર્મસભામાં આવો ને તેમની વાણી સમજો.. જેને
ચૈતન્યભગવાનને ભેટવું હોય તે આ ભગવાન પાસે આવો. આવો રે આવો! ધર્મસભામાં, આત્માને ઓળખીને
અનંત કાળની ભૂખ ભાંગવી હોય ને સ્વરૂપસંયમ મેળવવો હોય.. દુઃખ ટાળવું. હોય ને શાંતિ જોઈતી હોય તો.’
–આમ ભગવાનનું દુંદુભીનગારું પોકાર કર છે... અને ભગવાનના સમવસરણમાં અનેક સંતો–મુનિઓ,
જંઘાચરણાદિ ઋદ્ધિધારક મુનિઓનાં ટોળેટોળાં, દેવો ને વિદ્યાધરો આકાશ માર્ગે આવી આવીને દર્શન કરે છે.
જંગલમાં ત્રાડ પાડતા સિંહ વગેરે તીર્યંચો પણ ભગવાન પાસે આવીને શાંત થઈ બેસી જાય છે. પહેલાંં
સર્વજ્ઞભગવાન કેવા હોય તે ઓળખવું જોઈએ. જેના હાથમાં કાંઈ શસ્ત્ર હોય તો તેને કોઈ પ્રત્યે વેરબુદ્ધિ છે એટલે
તે વીતરાગ નથી, બાજુમાં સ્ત્રી રાખી હોયને બ્રહ્મચારી પણ થયો નથી. તો તે ભગવાન ક્યાંથી હોય? જે હાથમાં
માળા ગણતો હોય તે કોઈની સ્તુતિ કરે છે એટલે તે પણ પૂરો નથી, અધૂરો છે. જે પોતે રાગી ને અપૂર્ણ હોય તે
બીજાને પૂર્ણતાનું કારણ કેમ થાય?–એટલે તે દેવ ન હોય. વળી જે વસ્ત્ર રાખે તેને શરીર ઉપરનો રાગ ટળ્‌યો
નથી એટલે તે પણ દેવ ન હોય.
જેને આત્માના પૂર્ણસ્વરૂપને ઓળખીને...આત્માના વીતરાગીસ્વરૂપની લગની લગાડવી હોય તે આ
સર્વજ્ઞ વીતરાગભગવાનને ઓળખો. ‘નગારું’ કહે છે કે તમારે આત્માની લગની લગાડવી હોય તો આવો...
સીમંધરનાથ પાસે! ભગવાનના કેવળજ્ઞાનની પ્રતીત કરનારને ખરેખર પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીત
થાય છે.
(૧૦) ભગવાનની ઓળખાણ અને સાચું શરણ
અહીં સ્તુતિમાં આચાર્યદેવે એ વાત સિદ્ધ કરી છે કે આત્મામાં કેવળજ્ઞાન સામર્થ્ય છે અને ત્રણકાળ
ત્રણલોકને જાણવાની તાકાત ઉઘડે છે; આવું સામર્થ્ય દરેક આત્મામાં છે. જેને આવું સામર્થ્ય પ્રગટ્યું હોય એવા
ભગવાનને દેહ ઉપર વસ્ત્રાદિ ત્રણકાળ ત્રણલોકમાં હોતાં નથી. અહો, આવી પૂર્ણ પરમાત્મદશાના સાધક એવા
સંતમુનિઓને પણ વસ્ત્ર ન હોય, વસ્ત્રસહિત તો મુનિદશા પણ ન હોય, તો પછી પૂર્ણદશા પામેલા ત્રણલોકના
નાથ એવા પરમાત્માને તો વસ્ત્રાદિ શેનાં હોય? આ કોઈ વાડાની વાત નથી પણ વસ્તુના સ્વરૂપની વાત છે.
ઘરમાં હજારો સ્ત્રીઓના સંગમાં રહેતો હોય અને કોઈ કહે કે મને સ્ત્રી વગેરેનો જરાય રાગ નથી,–તો એ કેમ
બને? રાગ ટળ્‌યો હોય તો રાગના નિમિત્તો પણ ટળી જ જાય. જેમ બદામમાં અંદરનું રાતું ફોતરું નીકળી જાય
તો ઉપલી છાલ પણ નીકળી જ ગઈ હોય. તેમ નિર્મળ આનંદઘન આત્મસ્વભાવમાં લીન થઈને જેણે અંદરથી
રાગરૂપી રાતપને કાઢી નાંખી તેને બાહ્યમાં વસ્ત્ર–સ્ત્રી–આદિ રાગનાં નિમિત્તો પણ છૂટી જ જાય છે. અરિહંતદેવ
અને નિર્ગ્રથ ગુરુનું સ્વરૂપ શું છે તે જાણ્યા વિના ઘણા બોલે છે કે ‘અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુનું શરણ
ભવોભવ હોજો.’ પણ અરે ભઈ! અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુ કેવા હોય તેના ભાન વગર તું શરણ કોનું
લઈશ? ઓળખાણ તો કર, ઓળખાણ વગર તને સાચું શરણ નહિ મળે. રાગરહિત ભગવાનને જાણ્યા વગર
તારો પોતાનો આત્મા રાગરહિત કેવો છે તે પણ ઓળખાય નહિ અને તેની ઓળખાણ વગર આત્માને સાચું
શરણ થાય નહિ. અરિહંતદેવ તો વ્યવહારશરણ છે, પરમાર્થશરણ તો પોતાનો આત્મા જ છે, હજી જેને
અરિહંતનુંય ભાન નથી તે પોતાના આત્માનું શરણ તો ક્યાંથી લેશે? જેને બાહ્યમાં રાગા–
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 18 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૫ :
દિનાં સાધન વર્તતાં હોય તેને અંદરનો રાગ ટળ્‌યો નથી, અને જે રાગી છે તે સાચા દેવ નથી. એવા રાગી જીવને
જે દેવ તરીકે માને છે તેને અરિહંતપ્રભુનો આદર નથી. જે પોતે રાગમાં વર્તી રહ્યા છે તે તો પોતે જ અશરણ છે,
તો તે બીજાને શરણભૂત ક્યાંથી થાય? માટે સ્તુતિકારે કહ્યું કે હે નાથ! દેવાધિદેવ સર્વજ્ઞ તો આપ જ છો, સંતોને
આપનું જ શરણ છે. અહો! અત્યારે મહાવિદેહમાં તો ગણધરો ને ઈન્દ્રો, સંતો અને ચક્રવર્તીઓ સીમંધર પ્રભુનો
આદર કરે છે...અહીં તો રાંકા...ભિખારી...પુણ્યમાં નબળા ને ટૂંકા મનવાળાં જીવો ભગવાનનો શું આદર કરશે?
અહીં તો ભગવાનનો વિરહ છે...છતાં જે જીવ ભાવ કરે તેને ભાવ તો પોતામાં છે ને! પોતાના ભાવનો લાભ
પોતાને છે.
(૧૧) ‘ધર્મવૃદ્ધિનો મહોત્સવ’...‘કલ્યાણનાં ટાણાં’...‘આત્માના શુક્રવાર’...‘ભગવાનના ભેટા...’
કોઈ શ્રોતાજન કહે છે કે હે નાથ! અમારે તો આજે અહીં જ સુવર્ણપુરી બની ગઈ...અહીં જ અમારે
મહાવિદેહ જેવું બની ગયું!
શ્રી ગુરુ કહે છે કે ભાઈ! આ તો હજી શરૂઆત છે. હજી ‘કળશ’ ચડવાનો તો બાકી છે. આમાં બે વાત
આવી જાય છે એક તો શ્રી જિનમંદિર ઉપર કળશ ચડવાનો બાકી છે તે; અને એ ઉપરાંત હજુ કાંઈ કાંઈ નવીન
(–ધર્મવૃદ્ધિ) થશે...જેનાં ભાગ્ય હશે તે જોશે...જે થાય છે તે અત્યારે જોઈ રહ્યા છે. અહો! આવા પંચકલ્યાણકના
પવિત્ર ઉત્સવો માટે તો દેવ પણ ઝંખના કરે...ઈન્દ્રો પણ ભગવાનની પ્રાર્થના કરે...અત્યારે આ ભરતક્ષેત્રે શું
વાત કરીએ? સાધારણ પ્રાણીને આ વાત ન બેસે, પણ પ્રતીત કરીને માનજો...જ્ઞાનીના ગજ જુદા હોય છે,
અજ્ઞાનીના ગજે માપ ન આવે. વળી અત્યારે દેશ–કાળ ટૂંકા અને વિષયકષાયમાં ડૂબેલાં જીવોની વૃત્તિ પણ ટૂંકી,
તેને ભગવાનની કલ્પના પણ શું આવે? જેમ
બાપે પ૦ હાથનો તાકો લાવીને ઘેર રાખ્યો હોય,
નાનો છોકરો પોતાના નાના હાથથી માપીને કહે
કે ‘આ તો ૧૦૦ હાથનો છે, માટે બાપા ભૂલ્યા
હશે!’ પણ બાપ તેને કહે છે કે ભાઈ! તારા
હાથનું માપ અમારા લેવડ–દેવડના વ્યવહારમાં
કામ ન આવે, તેમ જ્ઞાનીની અપૂર્વ વાત
અજ્ઞાનીની કલ્પનામાં ન આવે, પણ તેથી
જ્ઞાનીની વાત ખોટી નથી. વસ્તુનું સ્વરૂપ સમજે
તો બધી વાત અંતરમાં બેસી જાય...બાપુ!
અણસમજણે ક્યાંય આરા આવે તેમ નથી. અરે!
અનંતકાળે આ મોંઘો મનુષ્યભવ મળ્‌યો, વળી
આવા દેવ–ગુરુ ભેટ્યા, સત્ સમજીને કલ્યાણ
કરવાનાં ટાણાં આવ્યાં છે; દેવને દુર્લભ એવા
ટાંણા છે. આવા ટાંણે ભક્તિ કરવા દેવો પણ
આવે! આજે શુક્રવાર... ને સામા શુક્રવારે
ભગવાનની પ્રતિષ્ઠા જુઓ, આ શુક્રવારે દાળિયા
થવાના છે...આત્માનું દાળદર ટાળવું હોય તેને
ટળી જશે. જુઓ તો ખરા, કુદરત શું કરે છે!
લોકોમાં બોલે છે કે કાંઈ ‘શકરવાર’ થાય તેમ છે
એટલે કે કાંઈ આપણા દાળિયા થાય તેવું છે? તો
કહે છે કે–હા, અહીં શુક્રવારે દાળિયા થવાના છે...
દાળદર ટળવાનાં છે...ત્રિલોકનાથ ભગવાન
ભેટવાના છે...પ્રતિષ્ઠાનું મંગલમુહૂર્ત બીજ ને
શુક્રવારનું આવ્યું છે. ભગવાન પોતે સાક્ષાત્ ન આવે પણ તે ત્રિલોકનાથ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 19 of 43
single page version

background image
: ૯૬ : આત્મધર્મ : ૮૯
તીર્થંકર ભગવાનની આજ્ઞા અનુસારે શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે; તેમાં એવા શુક્રવાર થવાના છે
કે જે ભગવાનની યથાર્થ ઓળખાણ કરે તેને ભવ ન રહે...જન્મ–મરણ ત્રણકાળમાં ન રહે...ભગવાનને ઓળખીને
તેનાં ગાણાં ગાય તેને ત્રણલોકમાં ભવમાં રખડવાની શંકા ન રહે. વળી ભગવાનની પ્રતિષ્ઠાના દિવસે બીજ છે.
જેમ ચંદ્રની બીજ ઊગી તે વધીને પુનમ થાય જ...તેમ આ ભગવાનને ઓળખીને તેમની પોતાના આત્મામાં જે
પ્રતિષ્ઠા કરે એટલે કે હું પણ ભગવાન જેવો છું–એમ સ્વભાવનું ભાન કરે તેના આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી બીજનો
ચંદ્ર ઊગ્યો તે વધીને પૂર્ણિમા–કેવળજ્ઞાન થયા વિના રહે નહીં. વળી ઉપરના ભાગમાં શ્રી નેમનાથપ્રભુની પ્રતિષ્ઠા
થશે, તેમાં પણ કુદરતનો કેવો મેળ છે? જુઓ, ગયા વર્ષે, નેમનાથ પ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનાર પર્વત ઉપર
સમશ્રેણીની ટૂંકે બરાબર ફાગણ સુદ બીજે હતા...ને અહીં આ વર્ષે બરાબર ફાગણ સુદ બીજે જ સવારે શ્રી
નેમનાથ ભગવાનની પ્રતિષ્ઠા થશે... સમશ્રેણીની ટૂંકે ભગવાનની ભક્તિ અને આત્માની ધૂન કરીને જ્યારે નીચે
આવ્યા ત્યારે લોકો હોંશથી એમ કહેતા હતા કે ‘અમે તો જાણે મોક્ષમાં જઈ આવ્યા...તેવું લાગે છે.’ ત્યાં જે દિવસ
હતો તે જ દિવસે અહીં ભગવાનની પ્રતિષ્ઠા થશે...માંગળિકમાં બધો મેળ કુદરતે થઈ જાય છે.
(૧૨) જિનેન્દ્ર પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાકારનું વેદન
શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો યોગ મહાભાગ્ય હોય તેને મળે છે. શાસ્ત્રમાં પ્રતિષ્ઠા
કરાવનાર ગૃહસ્થનું વર્ણન આવે છે. તે ગૃહસ્થ શ્રી ગુરુ પાસે જઈને વિનયથી કહે છે કે–હે સ્વામી! મારી
પાસે આવેલી આ લક્ષ્મી કૂલટા સ્ત્રી સમાન અનિત્ય છે, એ લક્ષ્મી ક્યારે વહી જશે તેનો ભરોસો નથી.
તેથી હું શ્રી વીતરાગ ભગવાનની પ્રતિષ્ઠા કરાવીને તેનો સદઉપયોગ કરવા માંગુ છું; માટે મને આજ્ઞા
આપો.–એમ આજ્ઞા લઈને તે જીવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે. શ્રી ગુરુ તેને કહે છે કે તારું જીવન ધન્ય
છે! ભગવાનની પ્રતિષ્ઠા થતાં ભક્તો કહે છે કે અહો! આ વીતરાગદેવ પધાર્યા...આજે અમને ભગવાન
ભેટ્યા...જેને અંતરમાં પૂર્ણાનંદ પરમાત્મ સ્વભાવનું લક્ષ થયું હોય, ને બહારમાં નિમિત્ત તરીકે સાક્ષાત્
પરમાત્માને ન ભાળે ત્યારે તે પ્રતિમામાં પ્રભુની પ્રતિષ્ઠા કરે છે. હે નાથ! તારા વિયોગમાં તારી પ્રતિષ્ઠા
કરીને તને અમારા અંતરમાં પધરાવીએ છીએ.
ભક્તો ભગવાન પાસે કહે છે–હે નાથ! –
ભરતક્ષેત્ર
માનવ પણો રે...
લીધો દુઃસમ કાળ...
જિન પૂરવધર
વિરહથી રે. દુલહો
સાધન ચાલો રે...
ચંદ્રાનનજિન...
ભરતક્ષેત્રના
ભક્તો કહે છે કે હે
નાથ! આ
ભરતક્ષેત્રે તારા
વિરહ પડ્યા છે.
અહો! મહાવિદેહમાં
બિરાજતા
ચૈતન્યમૂર્તિ પ્રભુ
જેના ચરણની સો
સો ઈન્દ્રો સેવા
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 20 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૭ :
કરી રહ્યા છે એવા નાથનો અમને અહીં વિરહ પડ્યો...આવો મનુષ્ય ભવ મળ્‌યો...પણ ઉત્તમમાં ઉત્તમ સાધનનો
વિયોગ પડ્યો...હે પ્રભો! તારા આ જાતના વિરહથી અમારો કાળ જાય છે...હે સીમંધર નાથ...તારો સાક્ષાત્
પતિનો–વિરહ છે તે અહીં પ્રતિષ્ઠા કરીને ટાળશું હે નાથ! જ્યાં આપ સાક્ષાત્ બિરાજો ત્યાં અમારા અવતાર
નહિ...અમે આપનાથી દૂર પડ્યા તો પણ હે સ્વામી! અમે અમારા આત્મામાં આપની પ્રતિષ્ઠા કરીને અમારું પૂરું
કરશું.
અહો, જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં તો ધર્મ ધોખબંધ ચાલી રહ્યો છે; ગણધરો, સંતો, ઈન્દ્રો, ચક્રવર્તી
વગેરે મોટા મોટા પુરુષો ભગવાનના ધર્મને ભક્તિપૂર્વક સેવી રહ્યા છે. અહીં જે ધર્મ કહેવાય છે તે ત્રણકાળ
ત્રણલોકમાં ફરે તેમ નથી,–જેને માટે ઈન્દ્રા, ગણધરો ને તીર્થંકરો સાક્ષી છે. અહીં જેવો આત્મસ્વભાવ કહીએ
છીએ તેવો એકવાર પણ સમજે તો એવું અપૂર્વ જ્ઞાન પ્રગટે કે બસ! ભવનો અંત આવી જાય. અહો! આવી
પરમ સત્ય વાત, આત્મ કલ્યાણની અપૂર્વ વાત! પામર જીવો તેનો વિરોધ કરી રહ્યા છે, ધર્મના નામે હળાહળ
થઈ રહ્યું છે.. જ્યાં જુઓ ત્યાં ઘણો ફેરફાર છે...ધર્મનો યથાર્થ માર્ગ ભૂલીને કોઈ કાંઈ માને ને કોઈ કાંઈ માને..
જેને જેમ ફાવે તેમ મનાવી રહ્યા છે... હે નાથ! તીર્થંકરના વિરહે ભરતક્ષેત્રમાં જુદા જુદા અભિપ્રાય થઈ ગયા...
પરંતુ હે પ્રભુ! આપના પ્રતાપે અમારા નીવેડા આવી ગયા...પાર આવી ગયો...આપના પ્રતાપે બધા નીવેડા અને
સમાધાન આવી ગયા...પણ જગતને કેમ સમજાય? કોઈ મહાભાગ્યવાન જીવો સમજીને કલ્યાણ પામી જાય છે.
હે નાથ...આપની દિવ્ય વાણીનો ધોધ છૂટતો હતો અને ત્યાં તો અનેક સંતો કેવળજ્ઞાન પામતા... તેને બદલે
અહીંના પ્રાણીમાં તો અલ્પ પુણ્ય ને અલ્પ પુરુષાર્થ? છતાં ય–ભલે ને તે અલ્પ હોય પરંતુ કેવળજ્ઞાનને
ઓળખીને તેની શ્રદ્ધા છે ને! એટલે તે પુરુષાર્થ અલ્પ હોવા છતાં કેવળજ્ઞાન સાથે સંધિવાળો છે, એટલે વચ્ચે
ભંગ પડ્યા વિના પૂર્ણ કેવળજ્ઞાનનો ભેટો થયે છૂટકો! તે ત્રણકાળ ત્રણલોકમાં ન ફરે... હે નાથ! પૂર્ણતાનો સંદેહ
નથી.. પણ અધૂરે આંતરા પડ્યા પડ્યા છે.. તે આંતરો અત્યારે તો આપની ‘પ્રતિષ્ઠા’ કરીને ટાળીએ છીએ..
(૧૩) પ્રભુના દિવ્ય ધ્વનિની ગર્જના
હે સીમંધરનાથ! મહાવિદેહમાં જ્યાં તારી ધ્વનિનો ધોધ છૂટે ત્યાં ગણધરો ઝીલે ને ઇંન્દ્રો સેવે, તેનાથી
પાખંડીના પાખંડ તૂટી પડે... જેમ સિંહ જીવતો હોય ત્યારે તો બકરાં તેની સામે ક્યાંથી ઊભા રહી શકે? જીવતો
સિંહ જે માર્ગે સંચરે તે માર્ગના તરણાંને હરણીયાં ખાય નહિ. જીવતા સિંહ સામે તો બકરું ન ટકી શકે, અને
મરેલા સિંહના ચામડાનું બનાવેલું નગારું પડ્યું હોય તે નગારા પાસે બકરાનાં ચામડાનું નગારું ન રહી શકે...
સિંહના ચામડાનું બનાવેલું નગારું હોય તેના ઉપર જ્યાં ડાંડી પડે ત્યાં તેના અવાજથી બકરાના ચામડાનું
બનાવેલું નગારું ફાટી પડે... તેમ હે નાથ! હે જિનેન્દ્ર! તારા પ્રતાપ સામે કોઈ ન ટકી શકે... જ્યાં તારી ધ્વનિના
દિવ્યનાદ છૂટે ત્યાં અજ્ઞાનીઓના અજ્ઞાન તૂટી પડે.. પાખંડીઓનાં પાખંડ છૂટી જાય... કુતર્કીઓના કુતર્ક નાશ
પામે. પ્રભુ! આવો હો તો જગતમાં એક તું જ છો... તારા શરણ વિના કોઈ ઉપાયે પૂરું થાય તેવું નથી. તારા
સમવસરણમાં દિવ્ય દુંદુભી એમ પોકાર કરી રહ્યો છે કે હે જીવો! તમારા બધા પ્રમાદકાર્યો છોડીને અહીં આવો
અને મોક્ષના સાથીદાર એવા આ ભગવાનનું સેવન કરો... તેમનો દિવ્યધ્વનિ સાંભળીને આત્માની સમજણ
કરો...
ઝેર ઉતારવાનો મંત્ર
આ સમયસારમાં તો મહામંત્ર છે. જેમ સર્પ ડંસ મારીને બીલમાં ગયો હોય, તેને
મંત્રવાદી મંત્રેલી કલમ મોકલે છે, તે સર્પને બહાર કાઢે છે અને સર્પ આવીને ઝેર ચૂસી લ્યે છે.
તેમ તીર્થંકર ભગવાનની દિવ્યવાણી આવી, તેમાંથી શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયસારની રચના
કરીને, અજ્ઞાન અંધકારમાં સૂતેલા જીવો–કે જેને પરમાં કર્તાપણારૂપ મમતાથી મોહરૂપી સર્પનું
ઝેર ચડયું છે–તેઓને અમૃત સંજીવનીરૂપ ન્યાય વચન વડે મંત્રેલી કલમો (–ગાથાઓ)
સંભળાવી, સંસારની ગૂફામાંથી બહાર કાઢી, તેમનાં મોહરૂપી ઝેરને ઉતારી નાખે છે.
–સમયસાર પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૩૪–પ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)