પોષઃ ૨૪૭૩ઃ પ૩ઃ
છે, તેને કર્મ રોકી શકતાં નથી; અને જીવ પોતે દોષ કરે તો કર્મ વગેરે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ કર્મ
બળજોરીથી આત્માને વિકાર કરાવતું નથી. આ રીતે પરવસ્તુની નિમિત્તરૂપ હાજરી છે એટલું જ્ઞાનમાં સ્વીકાર્યું પરંતુ
તે ઉપાદાનને કાંઈ પણ કરે એ વાતને તો મૂળથી ઉડાડી દીધી.
હવે નિમિત્ત જરાક ઢીલું પડીને, ઉપાદાન–નિમિત્ત બંનેને સરખાં (પચાસ–પચાસ ટકા) કહેવા માટે
ઉપાદાનને સમજાવે છે–
જો દેખ્યો ભગવાનને, સોહી સાંચો આંહિ;
હમ તુમ સંગ અનાદિકે, બલી કહોગે કાહિ. ૨૨.
અર્થઃ– નિમિત્ત કહે છે–ભગવાને જે દેખ્યું છે તે જ સાચું છે, મારો અને તારો સંબંધ અનાદિનો છે માટે
આપણામાંથી બળવાન કોને કહેવો? અર્થાત્ બંને સરખા છીએ એમ તો કહો?
નિમિત્ત–હે ઉપાદાન! ભગવાનશ્રી જિનદેવે આપણને બંનેને (ઉપાદાન–નિમિત્તને) જોયાં છે, તો ભગવાને
જે જોયું તે સાચું; આપણે બંને અનાદિથી ભેગાં છીએ માટે કોઈ બળવાન નહિ–બંને સરખાં, આમ તો કહો?
ઉપાદાન–ના, ના. નિમિત્તાધીન પરાવલંબી દ્રષ્ટિથી તો જીવ અનાદિથી સંસારમાં રખડયા કરે છે. સંસારના
અધર્મો, સ્ત્રી–પૈસા વગેરે નિમિત્તો કરાવે અને ધર્મ દેવ–ગુરુ–શાસ્ત્રના નિમિત્તો કરાવે–એવી સર્વત્ર પરાધીન
નિમિત્તદ્રષ્ટિ એ જ મિથ્યાત્વ છે અને તેનું જ ફળ સંસાર છે.
નિમિત્ત– ભગવાને એક કાર્યમાં બે કારણ જોયાં છે, ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બંને હોય છે માટે
કાર્યમાં ઉપાદાન અને નિમિત્તના બંનેના પચાસ પચાસ ટકા (percent) રાખો. સ્ત્રીનું નિમિત્ત હોય તો વિકાર
થાય, ગાળ દેનાર હોય તો ક્રોધ થાય માટે પચાસ ટકા નિમિત્ત કરાવે અને પચાસ ટકા ઉપાદાન કરે એમ બંને ભેગા
થઈને કાર્ય થાય, ચોકખો હિસાબ છે.
ઉપાદાન–ખોટું, તદ્ન ખોટું. પચાસ ટકાનો ચોકખો હિસાબ નથી પણ ‘બે ને બે ત્રણ’ (૨ + ૨=૩) જેવી
ચોકખી ભૂલ છે. જો સ્ત્રી કે ગાળો એ કોઈ પચાસ ટકા વિકાર કરાવતાં હોય તો કેવળી ભગવાનને પણ તેટલો વિકાર
થવો જ જોઈએ, પરંતુ કોઈપણ નિમિત્ત એક ટકો પણ વિકાર કરાવવા સમર્થ નથી. જીવ પોતે સો એ સો ટકા
પોતાથી વિકાર કરે ત્યારે પર ચીજની હાજરીને નિમિત્ત કહેવામાં આવે છે. આ સમજણમાં જ ચોકખો હિસાબ છે કે
દરેક દ્રવ્ય જુદે જુદાં છે, અને સ્વતંત્રપણે પોતપોતાની અવસ્થાના કર્તા છે, કોઈ દ્રવ્ય બીજાનું કાંઈ જ કરી શકતું
નથી.
આ દોહામાં નિમિત્તની વિનંતિ છે કે આપણને બંનેને સમકક્ષી (સરખી હદના) રાખો. અનાદિથી જીવની
સાથે કર્મ ચોંટયાં છે અને જીવને વિકારમાં નિમિત્ત થાય છે; નિમિત્તરૂપ કર્મ અનાદિથી છે માટે તેને જીવની સાથે
સમકક્ષી તો રાખો! –૨૨–
હવે ઉપાદાન એવો જવાબ આપે છે કે–સંભાળ રે સાંભળ! નિમિત્તરૂપ જે કર્મના પરમાણુઓ છે તે તો
અનાદિથી પલટતાં જ જાય છે અને હું ઉપાદાન સ્વરૂપ તો એવો ને એવો ત્રિકાળ રહું છું, માટે હું જ બળવાન છુંઃ–
ઉપાદાન કહે વહ બલી, જાકો નાશ ન હોય;
જો ઉપજત બિનશત રહૈ, બલી કહીં તે સોય? ૨૩.
અર્થઃ– ઉપાદાન કહે છે કે–જેનો નાશ ન થાય તે બળવાન. જે ઉપજે અને વિણસે તે બળવાન કેવી રીતે હોઈ
શકે? (ન જ હોય.)
નોંધઃ– ઉપાદાન પોતે ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ છે તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ છે,
આવે ને જાય, તેથી તે નાશરૂપ છે માટે ઉપાદાન જ બળવાન છે.
જીવ પોતે અજ્ઞાનભાવે ભલે અનાદિથી રાગ–દ્વેષ નવા નવા કરે છે તોપણ નિમિત્ત કર્મ અનાદિથી એકને
એક જ રહેતાં નથી, એ તો બદલતાં જ રહે છે. જુનાં નિમિત્ત કર્મ ખરીને નવાં બંધાય છે અને તેની મુદત પૂરી થતાં
તે પણ ખરી જાય છે; જીવ જો નવા રાગદ્વેષ કરે તો તે કર્મોને નિમિત્ત કહેવાય છે. આ રીતે ઉપાદાન સ્વરૂપ આત્મા
તો અનાદિથી એવોને એવો જ રહે છે, અને કર્મ તો બદલ્યા જ કરે છે માટે હું–ઉપાદાન જ બળવાન છું. મારા ગુણને
પ્રગટ કરવાની તાકાત પણ મારામાં જ છે. સત્દેવ–ગુરુ–શાસ્ત્ર એ પણ જુદા જુદા પલટતા જાય છે, અને તેમની
સાચી વાણી પણ પલટતી જાય છે (–ભાષાના શબ્દો સદા એક સરખા રહેતા નથી) પરંતુ સત્દેવ–ગુરુ–શાસ્ત્ર અને
તેમની વાણી જ્ઞાન કરતી વખતે મારા પોતાનું જ્ઞાન જ્ઞાનથી કામ કરે છે હું આત્મા ત્રિકાળ છું અને ગુણના નિમિત્તો
કે દોષના નિમિત્તો એ તો બધા બદલતા જ જાય છે. કર્મોના