Atmadharma magazine - Ank 074
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 23

background image
: ૩૦: બ આત્મધર્મ: ૭૪
વાંચે, વિચારે અને પોતાની તુલનાશક્તિ વડે સત્ય–અસત્યનો નિર્ણય કરે તો તેમને લાભ થશે અને જીવનમાં
બાકી રહી જતું સૌથી મોટું કર્તવ્ય તેમને સમજાશે.
વળી ધર્મના નામે સ્થૂળ ક્રિયાના આગ્રહમાં ફસાઈ પડેલા અને જડની ક્રિયામાં આત્માનો ધર્મ માનનારા
જીવોને ધર્મની ક્રિયાનું સાચું સ્વરૂપ ખાસ વિશિષ્ટ પણે આ માસિક સમજાવે છે.
જો કે ધર્મના નામે ધતિંગો આજે ઘણા ચાલે છે અને આ આર્યદેશ બાહ્યવેશ દેખીને જેટલો ઠગાય છે
તેટલો બીજે ક્યાંય ઠગાતો નથી. છતાં પણ એમ માની લેવું કે ‘જગતમાંથી સત્યધર્મનો સર્વથા લોપ થઈ ગયો
છે, અને સર્વ સ્થળે ધતિંગ જ ચાલે છે’ –એ પણ મહાન ભૂલ છે. આ કાળે પણ સત્યધર્મનો સર્વથા લોપ નથી
થયો, માટે ધીરજથી સત્ય–અસત્યની પરીક્ષા કરતાં શીખવું જોઈએ. માટે સર્વ લોકો આ ‘આત્મધર્મ’ પત્રનો
અભ્યાસ નિયમિતપણે એક વર્ષ સુધી રાખે અને સત્ય–અસત્યની પરીક્ષા કરે, એવી તેમના પ્રત્યે નમ્ર સૂચના છે.
અત્યાર સુધી ઘણા જિજ્ઞાસુ જીવો આ પત્રનો લાભ લે છે, અને તેનાથી સત્ધર્મનો સારો પ્રચાર થયો છે.
છતાં પણ આ પત્રનો જેટલો વિશાળ પ્રચાર અને ફેલાવો થવો જોઈએ તેટલો હજી થયો નથી; તે માટે આ
પત્રના ગ્રાહકો વધવાની જરૂર છે. આત્મધર્મના દરેક ગ્રાહકો તથા વાંચકોએ, તેમજ ધર્મ–પ્રેમી ભાઈ–બેનોએ તે
માટે પ્રયાસ કરવાની જરૂર છે. દરેક ગ્રાહકો તેમજ વાંચકોની ફરજ છે કે તેમણે આ પત્રના ફેલાવા માટે બને
તેટલો પ્રયત્ન કરવો, અને પોતાના સંબંધીઓને તે પત્ર વાંચવાની ભલામણ કરીને તેમને સત્યધર્મ પ્રત્યે પ્રેરવા.
આત્મધર્મ નહિ વાંચનારાઓ સંબંધી કહ્યા બાદ હવે, જેઓ આત્મધર્મનું વાંચન કરે છે તેવા જિજ્ઞાસુ
વાંચકોને એક અગત્યની ભલામણ કરવાની છે કે–જૈનદર્શન એવું ગંભીર છે કે જ્ઞાની પુરુષના સીધા સંસર્ગ વગર
કોઈ જીવ તેના રહસ્યને પામી શકે નહીં, એથી શાસ્ત્રોમાં દેશનાલબ્ધિનું વર્ણન આવે છે,... શ્રીમદ્ રાજચંદ્રજીના
શબ્દોમાં કહીએ તો ‘પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત’ –અનાદિથી એવી જ વસ્તુસ્થિતિ છે કે
ગુરુગમ વગર એટલે કે દેશનાલબ્ધિ વગર કોઈ જીવ ધર્મ પામી શકે નહીં. અને એ દેશનાલબ્ધિ માત્ર શાસ્ત્ર
વગેરેના વાંચનથી કે અજ્ઞાનીના ઉપદેશથી કોઈ જીવ પામી શકે નહીં. પણ જ્ઞાની પુરુષના ઉપદેશનું સીધું શ્રવણ
કરે તો જ દેશનાલબ્ધિ પામે. માટે ધર્મના અભિલાષી જીવોએ એકવાર તો અવશ્ય સત્સમાગમ કરીને સદ્ગુરુગમે
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની મેળે શાસ્ત્રવાંચન કરવાથી વર્ષો સુધી જે કાર્ય નહિ થાય તે કાર્ય
સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમે અલ્પકાળમાં થઈ જશે... માટે, માત્ર ‘આત્મધર્મ’ વાંચીને જ સંતોષ ન માનતાં
વિશેષ સ્પષ્ટ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સીધે સીધું પાન કરવા આગ્રહભરી ભલામણ છે.
જ્ઞાની પુરુષના શ્રીમુખથી આધ્યાત્મિક ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ આત્માર્થીઓને કલ્યાણનું મુખ્ય કારણ
છે. એક વખત તો સતની રુચિપૂર્વક ચૈતન્યમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી અવશ્ય શ્રવણ કરવું જોઈએ. એમ કરવાથી
જ આત્મામાં સતનું પરિણમન થાય છે.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૪૦ માં ‘દ્રવ્યલિંગી મુનિની સમ્યગ્જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા’
જણાવતાં કહે છે કે “.. કોઈ જીવ એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે, પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય
કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન કરતો નથી. કદાપિ મુખથી યથાવત્
નિરૂપણ એવું પણ કરે કે જેમા ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય.” [એ સિવાય લાટી સંહિતામાં પણ પૃ.
૨૧૬–૭માં એવી મતલબનું કથન છે]
–પરંતુ, ઉપરના પ્રસંગમાં જે જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે તે જીવે પૂર્વે કોઈ જ્ઞાની પાસેથી અવશ્ય
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરી હોય છે. જે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે તે જીવ પાંચ લબ્ધિપૂર્વક જ થાય છે; તેમાં ત્રીજી
દેશનાલબ્ધિ છે. દેશનાલબ્ધિ જ્ઞાનીના ઉપદેશથી થાય છે, અજ્ઞાનીના ઉપદેશથી કદાપિ થતી નથી. છતાં કેટલાક
જીવો આજે એમ કહે છે કે અજ્ઞાનીના ઉપદેશથી પણ દેશનાલબ્ધિ થઈ જાય. તેમ કહેનારાઓએ ધર્મના સાચા
નિમિત્તને પણ જાણ્યું નથી.
જેણે આત્મજ્ઞાની ગુરુ પાસેથી પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સાંભળ્‌યું હોય અને તે વખતે તે સમ્યગ્દર્શન
ન પામ્યો હોય પણ તે દેશનાના સંસ્કાર રહી ગયા હોય, એવો કોઈ જીવ, દ્રવ્યલિંગીનો ઉપદેશ સાંભળીને
સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે. ત્યાં ખરેખર તે જીવને વર્તમાન દ્રવ્યલિંગી