તેમાં ૪૭ શક્તિઓનું વર્ણન ચાલે છે. આ ઉપરાંત બપોરે ભક્તિ, રાત્રે તત્ત્વચર્ચા વગેરે કાર્યક્રમ
નિયમિત ચાલુ છે.
‘માનસ્થંભ’ કરાવવા માટે આપવામાં આવ્યા છે. અને એ ઉપરાંત બીજા રૂા. ૧પ૦૦૦, શેઠ શ્રી
નાનાલાલભાઈ તથા તેમના ધર્મપત્ની જડાવબેન તરફથી આપવામાં આવ્યા છે. એ રીતે એકંદર રૂા.
૨૬૦૦૦, માનસ્થંભ માટે મળ્યા છે. આ ઉપરાંત માનસ્થંભ માટે રૂા. પ૦૦૧, રાણપુરના શેઠ
નારણદાસ કરસનજી તરફથી મળ્યા છે. ‘આત્મધર્મ’ ના પહેલા જ વર્ષના આઠમાં અંકમાં માનસ્થંભ
કરવા બાબતની જાહેરાત કરી હતી તે પવિત્ર કાર્ય હવે તુરતમાં જ શરૂ થઈ જશે. ‘માનસ્થંભ’ એટલે
માની જીવોના માનને ગાળી નાખનારો, ધર્મનો ઉન્નત સ્થંભ. એ આકાશચુંબી ધર્મસ્થંભને દૂરદૂરથી
જોતાં જ ખ્યાલમાં આવી જાય કે અહીં શ્રી જિનેન્દ્રદેવ અને જિનધર્મની પ્રાપ્તિનું સ્થાન છે, એટલે
માનસ્થંભ એ ખરેખર ‘જૈનધર્મનો ધ્વજ’ છે, એવો પવિત્ર, ઉન્નત અને ભવ્ય ધર્મસ્થંભ કરાવવાની
સુવર્ણપુરીના ભક્તજનોની ભાવના હવે કાર્યરૂપ પરિણમશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં કયાંય
‘માનસ્થંભ’ ન હતો, એટલે સૌરાષ્ટ્રમાં આ પહેલવહેલો માનસ્થંભ–ધર્મધ્વજ–રોપાશે.
છાપવાનું શરૂ થયું છે. આવૃત્તિ અમૃતચંદ્રસૂરિની મૂળ સંસ્કૃત ટીકા સહિત છપાય છે. સંસ્કૃત ટીકા
સહિત સમયસારની બીજી આવૃત્તિ છપાવવાની ભાવના આત્મધર્મના પહેલા જ અંકમાં જણાવી હતી,
અને તે ભાવના અનુસાર સમયસાર છપાવાના સમાચાર આ ૧૦૦ માં અંકે અપાય છે.
સમયસાર–પ્રવચનસાર–નિયમસાર અને પંચાસ્તિકાય એ ચારે–‘કુંદકુંદપ્રભુના રત્નચતુષ્ટ’ નો લાભ
ગુજરાતી ભાષામાં મળશે.
જગતમાં હરહંમેશ બનતા આવા પ્રસંગો ઉપરથી દેહની ક્ષણભંગુરતા અને ચિદાનંદી ચૈતન્યની નિત્યતા
લક્ષમાં લઈને, જિજ્ઞાસુ જીવોએ જીવનમાં ક્ષણેક્ષણે ચૈતન્યની ભાવના અને દેહાદિ પ્રત્યે વૈરાગ્ય કરવા
જેવું છે.