Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
ઃ ૧૧૭ઃ આત્મધર્મઃ ૧૦૨
દૂર રહો, પરંતુ આત્માનો એક ગુણ પણ બીજા ગુણની પર્યાયને સર્જતો નથી, દરેક ગુણ પોતે જ પોતાની પર્યાયને
સર્જે છે. શ્રદ્ધાગુણના આશ્રયે શ્રદ્ધાની પર્યાય સર્જાય છે, જ્ઞાનગુણના આશ્રયે જ્ઞાનની પર્યાય સર્જાય છે, ચારિત્રના
આશ્રયે ચારિત્રની પર્યાય સર્જાય છે. અખંડ આત્માના આશ્રયે બધા ગુણોની નિર્મળપર્યાય એક સાથે રચાતી જાય
છે. એ સિવાય મંદ કષાયથી અર્થાત્ વ્રત ભક્તિ વગેરેના શુભપરિણામથી સમ્યક્શ્રદ્ધા વગેરે પર્યાયની રચના થતી
નથી.
આત્માની વીર્યશક્તિથી પોતે સ્વતંત્રપણે પોતાના સ્વરૂપની રચના કરે છે; સ્વરૂપની રચના કરવા માટે
કોઈ વિકલ્પનો કે દિવ્યધ્વનિના ઉપદેશનો આશ્રય તેને નથી. પરને લઈને પર્યાય ખીલે એવો આત્માનો સ્વભાવ
જ નથી. પોતાની પર્યાય ખીલવા માટે જેણે પરનો આશ્રય માન્યો છે તે મિથ્યાદ્રષ્ટિ છે, ને તેની તે પરાશ્રયની
માન્યતા જ સંસારનું મૂળ કારણ છે. ત્રિકાળી શક્તિના આશ્રયપૂર્વક એકેક સમયની પર્યાય તે તે કાળના સ્વતંત્ર
વીર્યસામર્થ્યથી પરિણમી રહી છે, તેને કોઈ પરની તો અપેક્ષા નથી ને પોતાની પૂર્વ પર્યાયની અપેક્ષા પણ નથી.
અહો! નિરપેક્ષ સ્વતંત્ર વીર્ય સમયે સમયે આત્મામાં ઊછળી રહ્યું છે. જો આવી પોતાની શક્તિને ઓળખે તો
પોતાની પર્યાયની રચના માટે પરાશ્રયની બુદ્ધિ છૂટી જાય, એટલે સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ–નિર્મળ પર્યાયની
રચના થાય, તેનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
આત્મા પરનું કરે એ વાત તો અહીં નથી ને પરનું ન કરે એ વાત પણ અત્યારે નથી, કેમકે આત્માના
સ્વભાવ તરફ વળ્‌યો ત્યાં પર સામે લક્ષ જ નથી. વળી સ્વભાવદ્રષ્ટિમાં આત્મા રાગને કરે એ વાત તો નથી અને
આત્મા રાગને ટાળે એ વાત પણ નથી; કેમ કે સ્વભાવદ્રષ્ટિથી જોતાં આત્મામાં રાગ છે જ નહિ, તેથી તેને
ટાળવાનું પણ ક્યાં રહ્યું? આવી સ્વભાવદ્રષ્ટિ કરવી તે જ વીતરાગતાનું મૂળ છે. અહીં એકલી સ્વભાવદ્રષ્ટિના
વિષયનું વર્ણન છે. રાગની રચના કરે એવો તો આત્માનો સ્વભાવ નથી અને તે રાગને ટાળવા ઉપર પણ લક્ષ
નથી, ફક્ત સ્વરૂપમાં જ લક્ષ છે, સ્વરૂપના લક્ષે વીતરાગી પર્યાયની રચના થઈ જાય છે. વસ્તુસ્વભાવની દ્રષ્ટિથી
નિર્મળ અવસ્થાની રચના કરે એવું આત્માનું સામર્થ્ય છે. ‘આત્મા’ જ તેને કહ્યો કે જેના સામર્થ્યથી સ્વરૂપની
ઉત્પત્તિ જ થાય, જેનાથી વિકારની ઉત્પત્તિ થાય તેને આત્મા કહેતાં નથી. જો આત્મ સ્વરૂપ પોતે રાગની ઉત્પત્તિ
કરે તો તો રાગ કદી ટળી જ ન શકે, અને જો પરની રચના કરવાની તેનામાં તાકાત હોય તો તે પરથી કદી જુદું
પડી શકે નહિ. જે જેની રચના–ઉત્પત્તિ કરે તે તેનાથી જુદો રહી શકે નહિ. રાગનો ઉત્પન્ન કર્તા આત્મા નથી તેથી
તેનો ટાળનાર પણ આત્મા નથી. જો સ્વભાવથી આત્મા રાગનો ટાળનાર હોય તો રાગને સદાય ટાળ્‌યા જ કરે
એટલે કે સદાય રાગ ઉપર જ લક્ષ રહ્યા કરે, રાગરહિત સ્વરૂપમાં કદી વળી શકે નહિ. ‘હું રાગને ટાળું’ એવી
જેની બુદ્ધિ છે તેનું લક્ષ રાગ ઉપર છે પણ આત્મસ્વભાવ ઉપર તેનું લક્ષ નથી. અહીં તો સર્વતઃ વિશુદ્ધ એવું
આત્મસ્વરૂપ બતાવવું છે, તે સ્વરૂપની દ્રષ્ટિમાં તો એક સહજ શુદ્ધ આત્માની જ અસ્તિ છે, એ સિવાય બીજા કોઈ
ભાવનો સ્વીકાર તેમાં નથી. અહો! આત્મા એકલો ભગવાન છે, પોતે જ ચૈતન્ય પરમેશ્વર છે; જીવત્વ, જ્ઞાન,
અસ્તિત્વ, પ્રભુત્વ વગેરે અનંત શક્તિઓના અભેદ પિંડની દ્રષ્ટિથી, શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણોને
સ્વસ્વરૂપમાં પરિણમાવીને સ્વરૂપની રચના કરવાનું તેનું સામર્થ્ય છે.
પ્રશ્નઃ– શું પહેલેથી જ આવો આત્મા સમજવો? કે પહેલાં બીજું કાંઈ કરવું?
ઉત્તરઃ– જો ધર્મ કરવો હોય–આત્માનું કલ્યાણ કરવું હોય તો પહેલાં જ આવો આત્મા સમજવો, કેમ કે
ધર્મ પોતાના આત્મામાંથી જ પ્રગટે છે, કયાંય બહારથી પ્રગટતો નથી. ધર્મ કરવા માટે પહેલી જ રીત આ છે,
બીજી કોઈ રીત નથી. દેહથી પાર, તથા પાપ અને પુણ્યના અભાવરૂપ અનંત શક્તિપિંડ જ્ઞાયકમૂર્તિ આત્મા છે, તે
આત્માના સ્વરૂપની સાચી પ્રતીતિ કરવી તે જ ધર્મની શરૂઆતનો ઉપાય છે.
આત્માના અનંત સ્વભાવસામર્થ્યની ના પાડે,–તેને જાણીને તેને કબૂલે પણ નહિ, તો તે સામર્થ્ય કયાંથી
પ્રગટશે? જ્યાં સત્તા પડી છે તેમાંથી આવશે કે બહારથી? પરમાત્મપણાની સત્તા પોતામાં ભરી છે તે સત્તાને
સ્વીકારીને તેની સન્મુખ થયા વિના પરમાત્મદશા ખીલે નહિ. જગતના બધાય પદાર્થો પોતપોતાના સ્વકાળ
પ્રમાણે બદલી રહ્યાં છે, તે તે સમયના તેના સ્વભાવથી જ દરેક પદાર્થ પરિણમી રહ્યો છે; તેમાં ઈંદ્ર પણ શું કરે ને
તીર્થંકર પણ શું કરે? જો આવી વસ્તુસ્થિતિ સમજે તો કયાંય પણ પરનો મિથ્યા અહંકાર રહે નહિ. એટલે પરથી
ને વિકારથી ઉદાસીન થઈને જ્ઞાયક સ્વરૂપનો ઉત્સાહ