થઈ ગયો. હવે તે પર્યાયના પદની સામે મુખ્યપણે જોતો નથી, દ્રવ્યની મુખ્યતાની ભાવનામાં અલ્પકાળે તેની
મુક્તિ થઈ જાય છે.
બહાર આવ્યા વિના રહેશે નહિ. જેણે આખું દ્રવ્ય નક્કી કર્યું તેને દ્રવ્યમાંથી કેવળજ્ઞાન અને સિદ્ધપદ તો અલ્પકાળે
આવ્યા વિના રહે જ નહિ; વચ્ચે તીર્થંકરાદિ પદ તો કોઈને હોય ને કોઈને ન પણ હોય. વચ્ચે તીર્થંકરાદિ જે પદ
હશે તે આવ્યા વિના રહેશે નહિ.
જ પર્યાય વ્યક્ત થાય છે. વસ્તુનો આવો ધર્મ અનાદિ અનંત છે. આવા વસ્તુ ધર્મને નક્કી કરતાં ત્રિકાળી દ્રવ્યનું
સમ્યગ્જ્ઞાન થાય છે, તે સમ્યગ્જ્ઞાનનો સ્વ–પરપ્રકાશક સ્વભાવ છે. અનંત ધર્મવાળા વસ્તુ સ્વભાવનો નિર્ણય
કરીને સાધક જીવ સ્વભાવના આશ્રયે જ્ઞાતાદ્રષ્ટાપણે સ્વ–પર પ્રકાશક રહ્યો, ત્યાં તેના જ્ઞાનના સ્વ–પરપ્રકાશક
સામર્થ્યનો જેવો વિકાસ હશે તેવા જ જ્ઞેયો આવશે, અને દ્રવ્યમાં તીર્થંકર, ગણધર, ચક્રવર્તી વગેરે જે પર્યાય
થવાનો ધર્મ છે તે જ પર્યાય થશે.
પામીને મોક્ષ જાય એવા સ્વભાવવાળું હોય, કોઈ ગણધર થઈને મોક્ષ જાય, કોઈ બળદેવ થઈને મોક્ષ જાય, કોઈ
અનુક્રમે બળદેવ અને ચક્રવર્તી એમ બંને પદ પામીને મોક્ષ જાય–એ પ્રમાણે દ્રવ્યનો તે પ્રકારનો અનાદિ સ્વભાવ
જ હોય છે; અને કોઈ દ્રવ્ય ચક્રવર્તી, બળદેવ કે તીર્થંકરાદિ કોઈ પદ પામ્યા વગર સામાન્ય કેવળીપણે મોક્ષ પામે–
એવો પણ તેનો અનાદિ સ્વભાવ જ છે. કોઈ જીવ એક જ ભવમાં ચક્રવર્તીપદ અને તીર્થંકરપદ–એ બંને પદ પામે;
પણ બળદેવ કે વાસુદેવપદ હોય અને તે જ ભવે તીર્થંકર પદ પામે–એમ ન બને; તીર્થંકરપણે મોક્ષ જનાર તે જ
પર્યાય પામીને મોક્ષ જાય, તે પર્યાય ફરે નહિ, બળદેવ થઈને મોક્ષ જવાની યોગ્યતાવાળો જીવ બળદેવ પર્યાય
પામીને જ મોક્ષ જાય ને તીર્થંકર થઈને ન જાય;–એ પ્રમાણે જે દ્રવ્યમાં જે પર્યાય થવાનો સ્વભાવ હોય તે જ
પર્યાય થાય છે. કોઈ કહે કે એક આત્મા તીર્થંકર થઈને મોક્ષ પામે ને બીજો આત્મા એમ ને એમ સામાન્યપણે
મોક્ષ પામે,–ગુણમાં બંને સરખા, છતાં આમ કેમ? તો અહીં કહે છે કે–તેવી પર્યાય થવાનો તે દ્રવ્યનો અનાદિધર્મ
છે. અહો! આમાં નિર્વિકલ્પતા છે–વીતરાગતા છે, ‘આમ કેમ’ એવો વિષમભાવનો પ્રશ્ન રહેતો નથી. ‘આમ
કેમ?’–કે એવો જ એ દ્રવ્યનો સ્વભાવ! એટલે પોતાને પોતાના દ્રવ્યસ્વભાવની સન્મુખ જોઈને જ્ઞાતાદ્રષ્ટાભાવ
થઈ જાય છે, એવું આ નિર્ણયનું ફળ છે.
બુદ્ધિ છે તેમાં પણ પર્યાયદ્રષ્ટિની વિષમતા છે. ધર્મી જીવ તો જાણે છે કે મારી જે પર્યાય થવાની છે તે મારા
દ્રવ્યમાંથી જ થવાની છે અને મારા દ્રવ્યના સ્વભાવ પ્રમાણે જ તે પર્યાય થવાની છે; એટલે દ્રવ્ય–સ્વભાવના
આશ્રયે તેને પર્યાયબુદ્ધિનો વિષમભાવ ટળી ગયો છે. તે સાધક જીવ પોતાની એકેક પર્યાયને જુદી પાડીને ભલે ન
જાણી શકે, પણ સામાન્યપણે તેને એવો નિઃસંદેહ નિર્ણય થઈ ગયો છે કે મારી બધી પર્યાયો થવાનો ધર્મ મારા
દ્રવ્યમાં જ ભર્યો છે; આથી તે સાધકના અભિપ્રાયમાં સદા સ્વદ્રવ્યનો જ આશ્રય વર્તે છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
સંયોગને ફેરવવા નથી–એ બધું જેમ છે તેમ છે, તેને નક્કી કરીને પોતે પોતાના અંર્ત સ્વભાવસન્મુખ થઈને
વીતરાગી જ્ઞાતાભાવે રહી ગયો ત્યાં પોતાની પર્યાય મોક્ષમાર્ગ અને મોક્ષરૂપે પરિણમી જાય છે.–આવી ધર્મની
રીત છે. બધું જેમ છે તેમ નક્કી કરતાં પોતાની સંયોગીદ્રષ્ટિ છૂટીને સ્વભાવદ્રષ્ટિ થઈ જાય છે