Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 23

background image
–એ કડી આવેલી ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ ગદ્ગદભાવે સીમંધર પ્રભુ અને કુંદકુંદ પ્રભુ પ્રત્યેની જે અતિશય
ભક્તિ વ્યક્ત કરેલી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. હાલમાં પણ, સમવસરણ–સ્તુતિમાં જ્યારે ઉપરની કડી
ગવાતી હોય છે ત્યારે પૂ. ગુરુદેવશ્રી આંખો મીંચીને કોઈ વિશિષ્ટ ઊંડા વિચારમાં મગ્ન થઈ જતા હોય એમ
મુમુક્ષુઓને દેખાય છે.
પૂ. ગુરુદેવશ્રી ઘણી વાર ભક્તિભીના અંતરથી કહે છે કેઃ ‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો
ઉપકાર છે, અને તેમના દાસાનુદાસ છીએ’ ................... શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્ય મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ
વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે
અણુમાત્ર શંકા નથી.....કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત એમ જ છે; માનો તો પણ એમ જ છે, ન
માનો તો પણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણ સિદ્ધ છે.
અહો! જેમણે પુનિત ચરણથી ભરત ભૂમિને પાવન કરી તે સીમંધર તાતને નમસ્કાર હો......! ...... જે
સંતોની ઊંડી ઊંડી ભક્તિના બળે ભગવાન ભરતે પધાર્યા તે સંતોને નમસ્કાર હો.............
***
“નમું હું તીર્થનાયકને, નમું ૐકાર નાદને; ૐકાર સંઘર્યો જેણે, નમું તે કુંદકુંદને.
અહો ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો; જિન–કુંદ–ધ્વનિ આપ્યાં, અહો! તે ગુરુકહાનનો.”
***
જૈન–વિદ્યાર્થી ગૃહ, સોનગઢ
ગતાંકમાં જાહેર થયા મુજબ અહીં જૈન–વિદ્યાર્થીગૃહ
ચાલુ થઈ ગયેલ છે. હવે તે ગૃહમાં દાખલ થવા ઇચ્છનાર નવા
વિદ્યાર્થીએ મે માસની આખર તારીખ સુધીમાં અહીં નીચેના
સરનામે અરજી મોકલી આપવી, કારણ કે મર્યાદિત સંખ્યામાં જ
વિદ્યાર્થીઓને દાખલ કરવાની યોજના છે. તે મુજબ જો વિદ્યાર્થી
સંખ્યા થઈ જશે તો ત્યારપછી જે અરજી આવશે તે સ્વીકારી
શકાશે નહિ. માટે મુકરર કરેલ તારીખ પહેલાં વિદ્યાર્થીએ પ્રવેશ
માટેની અરજી મોકલી આપવી.
વિદ્યાર્થી દીઠ માસિક ભોજન ખર્ચ રૂા. ૨પ) પચીસ
લેવાનું નક્કી થયેલ છે.
આ વિદ્યાર્થીગૃહમાં ઓછામાં ઓછા ગુજરાતી પાંચમા
ધોરણ તથા તેની ઉપરના વિદ્યાર્થીઓને દાખલ કરવામાં
આવશે. સોનગઢમાં હાઇસ્કૂલ મેટ્રીક સુધીની છે.
મોહનલાલ કાળિદાસ જસાણી,
નેમિદાસ ખુશાલદાસ શેઠ,
મંત્રીઓ
શ્રી જૈન–વિદ્યાર્થીગૃહ
c/o શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢઃ સૌરાષ્ટ્ર