Atmadharma magazine - Ank 105
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૮૧ઃ
અહીં–સોનગઢમાં થાય છે, તેથી અજાણ્યા લોકોને નવું લાગે છે.
સોનગઢમાં મૂળનાયક ભગવાન તો સીમંધર ભગવાન,
શાસ્ત્ર તો સમયસાર,
સમવસરણ તો અષ્ટભૂમિવાળું અને તેમાં વળી
કુંદકુંદાચાર્યદેવ ઊભેલા,
થાંભલા વિનાનો મોટો પ્રવચન–મંડપ,
અને વળી આ મોટો માનસ્તંભ!
–આ બધું ઘણા લોકોને નવું લાગે તેવું છે. પણ ભાઈ! એ કાંઈ નવું નથી, તને ખબર નથી એટલે નવું
લાગે છે.
વળી ઘણાને એમ પ્રશ્ન થાય છે કે અધ્યાત્મની દ્રષ્ટિ સાથે માનસ્તંભનો મેળ કઈ રીતે છે? તેનો ખુલાસો
પણ આમાં આવી ગયો છે. ધર્મી જીવને રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વભાવની અધ્યાત્મદ્રષ્ટિ પ્રગટી હોવા છતાં, હજી
પૂર્ણ વીતરાગતા ન થઈ હોય ત્યાં ધર્મપ્રભાવના વગેરેનો શુભભાવ આવે છે, તેમાં માનસ્તંભ વગેરે કરાવવાનો
ભાવ પણ આવે છે. અધ્યાત્મદ્રષ્ટિ હોવા છતાં આવો ભાવ આવે તેમાં કાંઈ વિરોધ નથી જો કોઈ એમ કહે કે
‘અધ્યાત્મદ્રષ્ટિવાળાને શુભભાવ આવવો જ ન જોઈએ’–તો તેમ કહેનારને અધ્યાત્મદ્રષ્ટિ શું છે તેનું ભાન નથી
અને પુણ્યતત્ત્વની પણ તેને ખબર નથી. રાગની ભૂમિકામાં વિચિત્ર પ્રકારના રાગભાવ આવે છે, તેમાં ધર્મીને
દેવ–ગુરુ–ધર્મની ભક્તિપ્રભાવનાનો ભાવ થયા વિના રહેતો નથી. માનસ્તંભ એ પણ ધર્મની પ્રભાવનાનું કારણ
છે. જે જીવને સાચા દેવ–ગુરુ–ધર્મની પ્રભાવનાનો ઉલ્લાસભાવ નથી આવતો, ને એકલા અશુભરાગમાં જ ખૂંચી
રહ્યો છે તેને તો સંસાર અને ધર્મના નિમિત્તો વચ્ચેનો વિવેક કરતાં પણ નથી આવડતો. જીવના રાગને લીધે કાંઈ
બહારનાં કાર્યો બનતા નથી, બહારના કાર્યો તો તેના કારણે સ્વયં બને છે. પણ જેને ધર્મનો પ્રેમ હોય તેને ધર્મના
નિમિત્તોનું પણ બહુમાન આવ્યા વિના રહેતું નથી. કોઈ એમ માને કે ‘આપણે આવી બહારની પ્રવૃત્તિમાં ન
પડવું, આપણે તો આત્માના જ વિચારમાં રહેવું’–તો તે પણ વસ્તુસ્થિતિને સમજતો નથી. ભાઈ! બહારની
પ્રવૃત્તિને તો ક્યાં કોઈ પણ જીવ કરી શકે છે? રાગ વખતે રાગની દિશા કઈ તરફ વળે છે તેની આ વાત છે.
અધ્યાત્મદ્રષ્ટિવાળાને બહારનો વિકલ્પ ન જ આવે–એવું નથી, તેમ જ જીવને વિકલ્પ આવ્યો માટે બહારમાં
માનસ્તંભ વગેરે કાર્ય થાય છે–એમ પણ નથી. જેને ધર્મનો પ્રેમ હોય તેને એવો વિકલ્પ આવે છે કે અહો!
માનસ્તંભ દ્વારા જૈનધર્મના વૈભવને જગત દેખે અને ધર્મની પ્રભાવના થાય! તેમાં નિમિત્ત તરીકે વીતરાગી દેવ–
ગુરુ–ધર્મનું બહુમાન છે ને પરમાર્થે પોતાના પૂર્ણસ્વભાવનું બહુમાન છે. ભક્તિ–પ્રભાવનાનો શુભવિકલ્પ કોઈક
જીવોને તો અંતરની સમજણપૂર્વક આવે છે, કોઈકને સાધારણ લક્ષપૂર્વક આવે છે અને કોઈક જીવોને સમજ્યા
વગર પણ શુભવિકલ્પ આવે છે. આ શુભવિકલ્પથી ધર્મ થાય છે–એમ નથી કહેવું પણ નીચલી દશામાં
અધ્યાત્મદ્રષ્ટિવાળાને કે અધ્યાત્મદ્રષ્ટિ વગરનાને પણ તેવો શુભરાગ આવે છે અને તે પુણ્યબંધનું કારણ છે; તેને
જો ન માને તો તે જીવે પુણ્યતત્ત્વને જાણ્યું નથી. જીવના શુભવિકલ્પને લીધે જડની ક્રિયા થઈ એમ નથી, તેમ જ
જડની ક્રિયા થવાની હતી માટે જીવને શુભવિકલ્પ કરવો પડયો એમ પણ નથી; અજીવની ક્રિયા અજીવના કારણે
થાય છે–એનું ધર્મીને બરાબર ભાન છે, પણ રાગના કાળે તેને ધર્મપ્રભાવના વગેરેમાં ઉલ્લાસપરિણામ આવ્યા
વિના રહેતા નથી. જેમ–સંસારમાં જેને સ્ત્રી વગેરેનો પ્રેમ છે તેને તેના પોષણનો અશુભભાવ આવે છે, તેમ જેને
ધર્મનો પ્રેમ હોય તેને ધર્મના નિમિત્તો પ્રત્યે તથા પ્રભાવના વગેરેમાં શુભભાવ આવે છે. જો તેને ન સ્વીકારે તો
તે જીવને સંસાર અને ધર્મ વચ્ચેનો વિવેક નથી, અને જો તે રાગને જ ધર્મ માની લ્યે તો તેને પણ સ્વભાવ અને
વિભાવનું ભેદજ્ઞાન નથી. અધ્યાત્મદ્રષ્ટિવાળા જીવ રાગને ધર્મ નથી માનતા, છતાં નીચલી દશામાં રાગ આવે છે
ખરો; અધ્યાત્મદ્રષ્ટિ પછી જેમને સ્વભાવમાં લીન થઈને પૂર્ણ વીતરાગતા પ્રગટી ગઈ હોય તેમને કોઈ પ્રકારનો
રાગ હોતો નથી. જે ભૂમિકાની જે સ્થિતિ હોય તે જાણવી જોઈએ.
બહારની પ્રવૃત્તિ તો કોઈ જીવ કરી શકતો જ નથી, એટલે બહારના સંયોગ ઉપરથી ધર્મ–અધર્મનું માપ
નથી. ધર્મીને પૂર્વના પુણ્યના કારણે બહારમાં સંયોગના ગંજ દેખાય છતાં જ્ઞાની મૂંઝાતા નથી. તેમ જ તેમને એમ
શંકા નથી પડતી કે ‘વધારે સંયોગ છે માટે મને વધારે બંધન થઈ જશે!’ બહારમાં ઝાઝા સંયોગ