Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: ૪૮: આત્મધર્મ: ૧૧૧
એવો મારા જ્ઞાનનો સ્વભાવ નથી. બધાય જ્ઞેયોના જ્ઞાનપણે પરિણમવા છતાં તે જ્ઞેયોથી જુદો ને જુદો રહે–એવો મારો
સ્વભાવ છે.–આમ જો પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીત કરે તો સમ્યગ્દર્શન થાય અને ભવસમુદ્રથી તે જીવ તરી જાય.
આત્માનો જાણવાનો સ્વભાવ છે તો તે કોને ન જાણે? જેનો જાણવાનો સ્વભાવ હોય તે પૂરું જ જાણે,
તેના જ્ઞાનસામર્થ્યમાં મર્યાદા ન હોય. અધૂરું જાણે તો તેના પરિણમનની કચાશ છે, પણ સ્વભાવસામર્થ્યમાં
કચાશ નથી. આ વાત સાધક જીવને માટે છે કેમ કે નયો સાધકને જ હોય છે. પોતાની પર્યાયમાં કચાશ હોવા
છતાં સાધક જીવ અંતર્મુખદ્રષ્ટિ વડે પોતાના પરિપૂર્ણ સ્વભાવને પ્રતીતમાં લ્યે છે.
આત્માનો સ્વભાવ બધાને જાણવાનો છે, પણ કોઈ પરને પોતાનું કરે એવો તેનો સ્વભાવ નથી;
જગતમાં નરક વગેરે બીજા જીવોના દુઃખની તેને ખબર પડે પણ તેના જ્ઞાન ભેગું કાંઈ તે જીવોના દુઃખનું વેદન
પોતાને થતું નથી. જેમ કોઈને વીંછી કરડયો હોય ત્યાં તેને કેવું દુઃખ થાય છે તે બીજા માણસો જાણે છે, પણ તે
જોનારા માણસોને કાંઈ તેવા દુઃખનું વેદન થતું નથી; તેમ બધા પદાર્થોને જાણવામાં ક્યાંય રાગ–દ્વેષ કરવાનું
આત્માનું સ્વરૂપ નથી.
અજ્ઞાની માને છે કે મારે અમુક વસ્તુ વગર ચાલતું નથી; પણ જ્ઞાની તેને સમજાવે છે કે અરે ભાઈ! તું
તો જ્ઞાન છો, તેં તારા જ્ઞાન સિવાયના પરપદાર્થો વિના જ આનાદિથી ચલાવ્યું છે; બધા આત્માને પર વસ્તુ
વિના જ ચાલી રહ્યું છે, પણ જ્ઞાન વગર એક ક્ષણ પણ ચાલતું નથી. જો જ્ઞાન ન હોય તો આત્માનો જ અભાવ
થઈ જાય. પર્યાયમાં અલ્પ રાગ–દ્વેષ થતા હોવા છતાં ‘હું તો જ્ઞાન છું’ –એમ જેણે નક્કી કર્યું તે જીવ આરાધક
થયો, હવે જ્ઞાનમાં એકાગ્રતાના જોરે વચ્ચેથી બાધકભાવ તો નીકળી જવાનો છે ને જ્ઞાન પૂરું ખીલી જવાનું છે.
અજ્ઞાની લોકો તો બહારમાં જ ‘મારે આ ખપે ને આ ન ખપે’–એમ પરદ્રવ્યના અભિમાનમાં રોકાઈ
ગયા છે, પણ અંતરમાં ‘હું જ્ઞાન છું’ એની તેને ખબર નથી. જ્ઞાની તો જાણે છે કે હું જ્ઞાનસ્વભાવ છું, મારે જ્ઞાન
કરવા માટે જ્ઞેય તરીકે બધા પદાર્થો ખપે છે, પણ કોઈ પણ પર જ્ઞેય મારામાં ખપતું નથી; મારા જ્ઞાનસામર્થ્યમાં
બધાય પદાર્થો જ્ઞેય તરીકે ભલે જણાય, પણ કોઈ પણ પરજ્ઞેયને મારાપણે હું સ્વીકારતો નથી. અરે જીવ!
એકવાર પ્રતીત તો કર કે મારો જ્ઞાનસ્વભાવ છે, મારામાં બધાને જાણી લેવાનું સામર્થ્ય છે, પર જ્ઞેયોના
અવલંબન વગર મારા સ્વભાવના અવલંબનથી જ સમસ્ત લોકાલોકનો હું જ્ઞાયક છું.–આવા જ્ઞાયકપણાની
પ્રતીત કરે તો આખા જગતથી ઉદાસીનતા થઈને જ્ઞાન અંતરમાં ઠરી જાય.
લોકાલોકને લઈને જીવને તેનું જ્ઞાન થાય છે એમ નથી, જો લોકાલોકને લીધે તેનું જ્ઞાન થતું હોય તો
બધા જીવોને લોકાલોકનું જ્ઞાન થઈ જવું જોઈએ કેમ કે લોકાલોક તો સદાય છે; માટે જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી
જ જ્ઞાન થાય છે. આવા નિજસ્વભાવની પ્રતીત કરીને તે જ્ઞાન સ્વભાવની એકની ભાવનામાં જ વ્રતાદિ બધું
સમાઈ જાય છે. બાર ભાવના તે વ્યવહારથી છે, ખરેખર બારે ભાવનાનો આધાર તો આત્મા છે; આત્માના
આશ્રયે સાચી બાર ભાવના છે, બાર પ્રકારના ભેદ ઉપરના લક્ષે તો વિકલ્પ થાય છે. માટે કોઈ પણ નયથી
આત્માના ધર્મનું વર્ણન કર્યું હોય, પણ તે ધર્મદ્વારા ધર્મી એવા અખંડ આત્માને દ્રષ્ટિમાં લઈને તેનું અવલંબન
કરવું એ જ તાત્પર્ય છે. અહીં ૨૪મા જ્ઞાનજ્ઞેય–અદ્વૈતનયથી આત્માનું વર્ણન પૂરું થયું

(૨૫) જ્ઞાનજ્ઞેય–દ્વૈતનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય દ્વૈત નયે, પરનાં પ્રતિબિંબોથી સંપૃક્ત દર્પણની માફક, અનેક છે. જેમાં અનેક ચીજોનું
પ્રતિબિંબ ઝળકતું હોય એવો અરીસો પોતે અનેકરૂપ થયો છે તેમ જ્ઞાનમાં અનેક પ્રકારના પર જ્ઞેયો ઝળકે છે–
જણાય છે, ત્યાં જ્ઞાન પોતાના સ્વભાવથી જ એવી અનેકતારૂપ પરિણમ્યું છે, પરજ્ઞેયો કાંઈ જ્ઞાનમાં નથી પેઠા.
આખો ભગવાન આત્મા અનંત ધર્મનો ઘણી તે પ્રમાણ–જ્ઞાનનો વિષય છે; ને તે પ્રમાણજ્ઞાનના કિરણ વડે
તેનો એકેક ધર્મ જણાય છે. પ્રમાણપૂર્વક જ નય હોય છે. તેમાંથી અહીં ૨૫મા નયથી આત્માનું વર્ણન ચાલે છે.
પહેલાંં જ્ઞાનજ્ઞેયના અદ્વૈતનયથી આત્માને એક કહ્યો, તેમાં પણ આત્મા પરથી તો જુદો જ છે, ને અહીં જ્ઞાન–
જ્ઞેયના દ્વૈતનયથી આત્માને અનેક કહ્યો, તેમાં પણ પરથી તો જુદો જ છે. એકપણે તેમ જ અનેકપણે ભાસે એવો
આત્માનો જ સ્વભાવ છે. આત્મામાં તે બંને ધર્મો એકસાથે જ છે. આત્માનું એકપણું જોનાર નય હો કે અનેકપણું
જોનાર નય હો–તે બધા નયો આત્માને જ તે તે ધર્મની