ચૈત્ર: ૨૪૮૬ : ૧૯:
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિધાર્થીગૃહ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
અત્રે ઉપરોક્ત બોર્ડીંગ છેલ્લાં ૯ વર્ષથી ચાલે છે. તેમાં ૧૦ વર્ષથી વધુ ઉમરના ગુજરાતી પમી
શ્રેણીથી ૧૧ મી શ્રેણી (મેટ્રીક) સુધી અભ્યાસ કરતા જૈન વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે.
માસિક પૂરી ફીનું લવાજમ રૂા. ૨પ) તથા ઓછી ફીનું લવાજમ રૂા. ૧પ) લેવામાં આવે છે.
અત્રે મેટ્રિક (એસ.એસ.સી.) સુધીના અભ્યાસ માટે હાઈસ્કુલ છે.
વિદ્યાર્થીઓને રહેવા માટે સંસ્થાનું સ્વતંત્ર, વિશાળ, હવા–ઉજાસવાળું સુંદર મકાન છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ નિયમિત પોણો કલાક શ્રી જૈન દર્શનનો ધાર્મિક અભ્યાસ
કરાવવામાં આવે છે. ઉપરાંત રજાના દિવસોમાં વિદ્યાર્થીઓને જિનમંદિરમાં સમૂહપૂજનનો તેમજ પૂજ્ય
શ્રી કાનજીસ્વામીનાં તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો અને ભક્તિ વિગેરેનો અમૂલ્ય લાભ મળે છે.
આથી જે વિદ્યાર્થીઓને આ સંસ્થામાં અભ્યાસ અર્થે દાખલ થવા ઈચ્છા હોય તેમણે તા. ૨પ–૪–
૬૦ સુધીમાં ૦–૧પ ન. પૈ. ની પોષ્ટની ટીકીટો બીડી પ્રવેશપત્ર, ધારાધોરણ અને નિયમો મંગાવી તે
વિગતવાર ભરી પોતાના વાર્ષિક પરીક્ષાના પરિણામ સાથે તા. ૨૦–પ–૬૦ સુધીમાં પરત મોકલવાં. તે
પછી આવેલ પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહિ.
લી.
(સહી) મોહનલાલ કાળીદાસ જસાણી
મોહનલાલ વાઘજી મહેતા
(કરાંચીવાળા)
મંત્રીઓ, શ્રી ન વિદ્યાર્થીગૃહ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
“આત્મધર્મ” નું ભેટ પુસ્તક
સ....મ્ય....ગ્દ....ર્શ....ન
(પુસ્તક બીજું)
સમ્યગ્દર્શન સંબંધી વિવિધ લેખોનો સંગ્રહ ધરાવતું આ બીજું પુસ્તક
પ્રસિદ્ધ થયું છે. જિજ્ઞાસુઓને આ પુસ્તક બહુ ઉપયોગી છે. જેમના હૃદયમાં
સમ્યગ્દર્શનનો અને સમ્ગગ્ધારક સંતોનો પરમ મહિમા નિરંતર વર્તી રહ્યો
છે.....અને સમકિતી સંતોની મહામંગલ છાયામાં જેઓ નિરંતર સમ્યક્ત્વની
ભાવના ભાવી રહ્યા છે...એવા સાધર્મીઓને આ પુસ્તક સમર્પણ કરવામાં આવ્યું
છે. જુદા જુદા પાંચ ભાઈઓની સહાયતાથી આ પુસ્તક આત્મધર્મના ચાલુ
વર્ષના ગ્રાહકોને ભેટ આપવામાં આવશે. થોડા દિવસોમાં પુસ્તકો તૈયાર થતાં
સંગાથ મારફત સોનગઢથી દરેક ગામ પહોંચાડવા પ્રયત્ન થશે, અથવા તો
ગ્રાહકોએ સંગાથ મારફત સોનગઢથી આ પુસ્તક મેળવી લેવા વ્યવસ્થા કરવી.
પૃષ્ઠ સંખ્યા: ૧૬૬ સંગ્રહકાર: બ્ર હરિલાલ જૈન
પ્રાપ્તિસ્થાન: શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)