“મને હવે ગમે નહિ સંસાર.... મારે જાવું પેલે પાર”
સ્થા. દીક્ષાપ્રસંગે હાથી ઉપરના વરઘોડાનું એક દ્રશ્ય (ઉમરાળા : સં. ૧૯૭૦ માગશર
સુદ ૯)
હાથી ઉપર બેસવા જતાં ગુરુદેવનું વસ્ત્ર ફાટયું હતું; – તે દ્વારા કુદરત જાણે કે એમ
સૂચવતી હતી કે આ વસ્ત્રસહિત મુનિદશાનો માર્ગ– તે તમારો માર્ગ નથી; તમારો ખરો
માર્ગ તો જેમાં વસ્ત્રરહિત મુનિદશા છે એવી દિગંબર–વૃત્તિનો છે. એ જ માર્ગે તમારે
જવાનું છે.