Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 40

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ચાલો
સમવસરણમાં
ભગવાનની ધર્મસભામાં દિવ્ય નગારું વાગે છે તે કહે છે કે–‘જેને આત્મા
જોઈતો હોય, જેને શાંતિના કુંડમાં નહાવું હોય, આત્માના આનંદસાગરમાં તરબોળ થવું
હોય....તે જીવો અહીં ભગવાનની ધર્મસભામાં આવો ને તેમની વાણી સમજો. જેને
ચૈતન્ય ભગવાનને ભેટવું હોય તે આ ભગવાન પાસે આવો. આવો રે
આવો....ધર્મસભામાં, આત્માને ઓળખીને અનંતકાળની ભૂખ ભાંગવી હોય ને
સ્વરૂપસંયમ મેળવવો હોય, દુઃખ ટાળવું, હોય ને શાંતિ જોઈતી હોય તો.’ આમ
ભગવાનનું દુદુંભી–નગારું પોકાર કરે છે. અને ભગવાનના સમવસરણમાં અનેક સંતો–
મુનિઓ, જંઘાચરણ આદિ ઋદ્ધિધારક મુનિઓનાં ટોળેટોળાં, દેવો ને વિદ્યાધરો
આકાશમાર્ગે આવીઆવીને દર્શન કરે છે, ચક્રવર્તી ને રાજકુમાર વગેરે પણ આવે છે;
જંગલમાંથી ત્રાડ પાડતાં સિંહ ને ફૂંફાડા મારતા ફણિધર વગેરે તિર્યંચો પણ ભગવાન
પાસે આવીને શાંત લઈને બેસી જાય છે....