
લાભ લેતા હતા. સત્સંગની ભાવનામાં આગળ વધીને તેઓ આત્મહિત પામે એ જ ભાવના.
*
જિનમંદિર વગેરે સંબંધી કામકાજમાં તેઓએ ખૂબ હોંશથી ભાગ લીધો. વૈશાખ સુદ બીજના
વાત્સલ્ય જમણમાં પણ તેઓ હાજર રહ્યા હતા, ને તે દિવસે મધરાતે તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
દર વર્ષે શિક્ષણવર્ગ વગેરે પ્રસંગે સોનગઢ આવીને પણ તેઓ અવારનવાર લાભ લેતા. દેવ–ગુરુ–
ધર્મની ભક્તિમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.
*
છે. વીતરાગી દેવ–ગુરુ–ધર્મની છાયામાં તે આત્મહિત પામે એમ ઈચ્છીએ છીએ.
*
કેટલાક વખતથી કેન્સરની ગંભીર બિમારી થવા છતાં પણ સત્સમાગમની છાયામાં સોનગઢમાં જ
રહેવાની તેમને ઘણી ભાવના હતી. દેહગામમાં પણ તેઓ છેલ્લે સુધી સત્સમાગમનું બહુમાન કરીને
તેની ભાવના ભાવતા હતા, ને ટેપ રેકોર્ડિંગદ્વારા ગુરુદેવના પ્રવચનોનું શ્રવણ કરતા હતા. દેહગામ–
જિનમંદિરમાં તેમના કુટુમ્બનો મહત્વનો ફાળો હતો, ને પોતાના આખા પરિવારમાં ઘણી તમન્નાથી
તેમણે ધર્મના સંસ્કાર રેડયા હતા. પૂ. બેનશ્રીબેનના વાંચન વગેરેમાં પણ તેઓ ઘણો ઉત્સાહ
બતાવતા; સત્સંગે મેળવેલા સંસ્કારમાં આગળ વધી તેઓ આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.
*
હાલમાં તેઓ લગભગ સોનગઢમાં રહીને સત્સંગનો લાભ લેતા હતા. સોનગઢમાં વૈશાખ સુદ
બીજના ઉત્સવ વખતે તેમણે ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. (આ અંકમાં પ્રસિદ્ધ થયેલ એક દ્રશ્યમાં
મંગલમંડપમાં ગુરુદેવની ચરણછાયામાં ફાવાભાઈ બેસેલા જોઈ શકાય છે.) પોતાના હાથે કોઈ
શુભકાર્ય કરવું એવી ભાવનાથી “શ્રાવકધર્મપ્રકાશ” પુસ્તક છપાવીને આત્મધર્મના ગ્રાહકોને ભેટ
આપવામાટે તેમણે રૂા. પાંચહજારની રકમ કાઢી હતી; ને તે પુસ્તક છપાવાનો પ્રારંભ પણ થઈ ગયો
હતો. પરંતુ સુરતમાં પક્ષઘાતના હુમલાથી અચાનક તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. આવા ક્ષણભંગુર
સંસારમાં સત્સંગ વડે તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.