અહીં સમ્યગ્દર્શનપૂર્વક જ્ઞાનમાં જે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ–તેનું વર્ણન આ પંદરમી
ગાથામાં છે. શુદ્ધ આત્માના અનુભવથી પવિત્ર આનંદદશા થઈ તે જિનશાસન.
કર્મ કટે સો જિનવચન, યહી તત્ત્વજ્ઞાનીકા મર્મ.
રાગ–દ્વેષ–પુણ્ય–પાપ વગેરેમાં સુખ માની રહ્યા છે તે તો બધા આકુળતારૂપી દુઃખના
ડુંગરે બળી રહ્યા છે. આત્મા તો પરમ શાંતિરૂપ આનંદનો ડુંગરો છે. અનંત સર્વજ્ઞ
પરમેશ્વરે આવા આત્માને પ્રગટ કર્યો છે. જગતમાં સર્વજ્ઞ અનાદિથી સદાય છે ને નવા
નવા થતા જ આવે છે. ત્રણકાળને જાણનાર એવા ત્રિકાળજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ
નથી. અત્યારે વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન વગેરે લાખો કેવળીભગવંતો બિરાજી રહ્યા
છે ને દિવ્યધ્વનિ વડે જિનશાસન ઉપદેશી રહ્યા છે. તે જિનશાસનમાં કેવો આત્મા કહ્યો
છે તેનું આ સમયસારની ૧પ મી ગાથામાં વર્ણન છે–
अपदेससन्तमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।
તે દ્રવ્ય તેમજ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧પ.
અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
છે...”