અને શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યરૂપ છે. આવા પરસ્પર સાપેક્ષ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ
આત્મવસ્તુ છે, દ્રવ્ય–પર્યાય બંનેનું જોડકું તે આત્મપદાર્થ છે.
અને જે પારિણામિકભાવ છે તે દ્રવ્યરૂપ છે, તે આત્માનો અહેતુક સહજ સ્વભાવ છે,
સહજ જ્ઞાન–આનંદાદિ અનંત સ્વભાવો પારિણામિકભાવે ત્રિકાળ છે. –આવા સ્વભાવને
જાણનારું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે.
ઔપશમિકભાવ: અનાદિનો અજ્ઞાનીજીવ પહેલવહેલા જ્યારે પોતાના સ્વભાવનું
અને આ ઔપશમિકભાવથી ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં
ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. ઉપશમભાવ એ
નિર્મળભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય
પણ થઈ ગયો નથી, પણ જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે કાદવ બેસી
ગયો હોય તેમ સત્તામાં કર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળપર્યાયને
ઔપશમિકભાવ કહે છે.
મોક્ષના કારણરૂપ ક્ષયોપશમભાવ બતાવવો છે એટલે સમ્યગ્દર્શનપૂર્વકનો
ક્ષયોપશમભાવ લેવો.