Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જેમ સર્પને પકડવા માટે પહેલાં તેને ઠારે, તેના ઉપર પાણી છાંટીને તેને શાંત
કરે, અથવા જેમ મેલા પાણીમાં ઔષધિ નાંખીને તેને સ્વચ્છ કરે, કાદવ નીચે બેસી
જાય; તેમ અનાદિથી કષાયોમાં વર્તતો મિથ્યાદ્રષ્ટિજીવ પ્રથમ તો તે કષાયોને ઠારે છે,
કષાયોને તથા મિથ્યાત્વને ઠારીને એટલે કે ઉપશમાવીને ઔપશમિક સમ્યગ્દર્શન પ્રગટ
કરે છે. મિથ્યાત્વમાંથી સીધું ક્ષાયિક સમ્યક્ત્વ નથી થતું, સૌથી પહેલાં ઉપશમ થાય છે
ને પછી ક્ષાયોપશમિકપૂર્વક ક્ષાયિકસમ્યક્ત્વ થાય છે. ધર્મ કરનાર જીવને પહેલાં
ઉપશમસમ્યક્ત્વ જ થાય. ચારે ગતિમાં તે થઈ શકે છે; સાતમી નરકમાં પણ
અસંખ્યાતજીવો ઉપશમસમ્યક્ત્વ ત્યાં ગયા પછી નવું પ્રગટ કરનારા છે. ચાર ગતિમાં
કોઈપણ અનાદિ મિથ્યાદ્રષ્ટિજીવ પહેલવેલો નિર્વિકલ્પ આત્મઅનુભવ કરે તે
ઉપશમસમ્યક્ત્વસહિત હોય છે, ચૈતન્યને પકડીને તેણે એટલો પુરુષાર્થ કર્યો કે મોહને
દાબી દીધો, તેને દર્શનમોહકર્મ વર્તમાન પ્રગટ નથી થતું, તેમ જ તેનો સર્વથા ક્ષય પણ
નથી થયો. મિથ્યાત્વની અનુદ્ભુતિ તે ઉપશમસમ્યક્ત્વ છે.
* સત વસ્તુ– તેમાં પર્યાય અને દ્રવ્ય *
આ ઉપશમાદિ ૩ ભાવો જીવની નિર્મળપર્યાય છે. ‘ક્ષાયિકાદિભાવ જીવને
નથી’ એમ કહ્યું તેનો અર્થ કાંઈ ‘તે પર્યાયો જીવમાં નથી’ –એમ નથી, પરંતુ તેનો
અર્થ તો એવો છે કે જીવમાં દ્રવ્યરૂપે તે ભાવ નથી, પણ પર્યાયરૂપે છે. વસ્તુમાં
દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે દ્રવ્ય નથી. પાંચ ભાવોમાંથી ચાર તો પર્યાયરૂપ છે,
ને એક દ્રવ્યરૂપ છે.
પાંચ ભાવોમાંથી ઔદયિકભાવ મોક્ષનું કારણ નથી, ઔપશમિકાદિ ત્રણ
ભાવો મોક્ષનું કારણ છે; ને પાંચમો ભાવ પારિણામિકભાવ તે દ્રવ્યરૂપ છે, તે બંધ–
મોક્ષનું કારણ નથી. ચાર ભાવો ક્રિયારૂપ એટલે કે ઉત્પાદ–વ્યયરૂપ છે, ને પાંચમો
ભાવ નિષ્ક્રિય છે એટલે કે એકરૂપ ધ્રુવ છે. દ્રવ્યપર્યાય બંને થઈને વસ્તુ છે. દ્રવ્ય તે
નિશ્ચય, પર્યાય તે વ્યવહાર, બંને થઈને પ્રમાણવસ્તુ સત્. તેમાં દ્રવ્ય તે
દ્રવ્યાર્થિકનયનો વિષય, ને પર્યાય તે