: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
કેવળજ્ઞાનરૂપ એવો આત્મા જિનવરદેવે કહ્યો છે, તેને હે ભવ્ય! તું જાણ.
૩૬. જે યોગી જિનવરમત–અનુસાર રત્નત્રયને આરાધે છે તે પોતાના આત્માને
ધ્યાવે છે અને પરદ્રવ્યને પરિહરે છે–એમાં સંદેહ નથી.
૩૭. જે જાણે છે તે જ્ઞાન છે; જે દેખે છે તે દર્શન જાણવું; અને પુણ્ય–પાપનો
પરિહાર તે ચારિત્ર કહેવામાં આવ્યું છે.
૩૮. તત્ત્વરુચિ તે સમ્યક્ત્વ છે, તત્ત્વનું ગ્રહણ તે સમ્યગ્જ્ઞાન છે, અને પુણ્ય–
પાપનો પરિહાર તે ચારિત્ર છે–એમ જિનવરેન્દ્રે કહ્યું છે.
૩૯. દર્શનથી જે શુદ્ધ છે તે શુદ્ધ છે; દર્શનશુદ્ધિવાળો જીવ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
દર્શનવિહીન પુરુષ તે ઈષ્ટ લાભને પામતો નથી.
૪૦. જન્મ–મરણનું હરણ કરનાર. અને સારભૂત એવા આ ઉપદેશને જે
યથાર્થપણે માને છે તે શ્રમણોને તેમ જ શ્રાવકોને પણ સમ્યક્ત્વ કહ્યું છે.
૪૧. યોગીઓ જિનવરમતઅનુસાર જીવાજીવવિભક્તિને (એટલે કે જીવ–
અજીવની ભિન્નતાને) જાણે છે. તેને સર્વદર્શી ભગવંતો યથાર્થ સમ્યગ્જ્ઞાન કહે છે.
૪૨. જેને (–જીવાજીવવિભક્તિને) જાણીને યોગીઓ પુણ્ય–પાપનો પરિહાર કરે
છે તે ચારિત્ર છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે, તે ચારિત્ર વિકલ્પ વગરનું છે અને કર્મરહિત
એવા મોક્ષનું કારણ છે.
૪૩. જે રત્નત્રયયુક્ત સંયમી–મુનિ–સ્વશક્તિ પ્રમાણે તપ કરે છે તે આત્માને
શુદ્ધપણે ધ્યાવતા થકા પરમપદને પ્રાપ્ત કરે છે.
૪૪. તે ત્રણને (રત્નત્રયને) ત્રિવિધે ધારણ કરીને, ત્રણથી રહિત અને ત્રણથી
પરિમંડિત એવા યોગી, દ્વિવિધ દોષરહિત પરમ આત્માને ધ્યાવે છે.
૪પ. જે જીવ મદ–માયા–ક્રોધથી રહિત છે, તેમ જ લોભથી પણ રહિત છે અને
નિર્મલ–સ્વભાવથી યુક્ત છે તે ઉત્તમ સુખને પામે છે.
૪૬. જેનું મન વિષય–કષાયોથી યુક્ત છે, રૂદ્રપરિણામી છે, અને
પરમાત્મભાવનાથી રહિત છે, એવો જિનમુદ્રાથી વિમુખ જીવ સિદ્ધિસુખને પામતો નથી.
૪૭. જિનવરઉપદિષ્ટ જિનમુદ્રાવડે નિયમથી સિદ્ધિસુખ થાય છે. એવી જિનમુદ્રા
સ્વપ્નમાં પણ જેને નથી રુચતી તે જીવો ભવસમુદ્રમાં જ ડુબે છે.
૪૮. જિનવરેન્દ્રે ઉપદેશેલા પરમ–આત્માને ધ્યાવતા થકા યોગી લોભાદિ મલિન
ભાવોથી મુક્ત થાય છે અને તેમને નવાં કર્મોનો આસ્રવ થતો નથી.
૪૯. જેની મતિ દ્રઢસમ્યક્ત્વ વડે ભાવિત છે–નિર્મળ છે એવા યોગી દ્રઢચારિત્ર–