Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 49

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩ :
મહોત્સવના મંડપમાં પધારેલા પંચપરમેષ્ઠી ભગવંતો.
ભવસમુદ્રના કાંઠે આવેલા મહાત્માદ્વારા શુદ્ધોપયોગની ઝણઝણાટી

પ્રવચનસારના મંગલાચરણમાં પાંચ ગાથા દ્વારા જ્યારે
પંચપરમેષ્ઠી ભગવંતોને બોલાવીને તેમને વંદન કરવાનું ભાવભીનું વર્ણન
ચાલતું હોય ત્યારે પ્રવચનમાં ગુરુદેવ કેવા અદ્ભુત ભાવથી ખીલી ઊઠે છે!
તે તો સીધા શ્રોતાઓ જાણે છે; અહીં આપેલા પ્રવચનમાંથી આત્મધર્મના
પાઠકબંધુઓ તેની થોડીક ઝાંખી કરી શકશે. પાંચવર્ષ પહેલાંં (આત્મધર્મ
અંક ૩૦૦ માં) જ્યારે આ પ્રવચનસારના મંગલપ્રવચનો છપાયા, ને
ગુરુદેવને તે વાંચીને જે મહાન પ્રમોદ જાગ્યો તે આજેય યાદ આવે છે.
‘આત્મધર્મ’ ને માટે ગુરુદેવના શ્રીમુખથી ખૂબ જ પ્રમોદપૂર્વક
‘ધન્યવાદ’ના ઉદ્ગારો ત્યારે નીકળ્‌યા હતા. આજે ફરીથી ગુરુદેવના એવા
જ અદ્ભુત ભાવભીના પ્રવચનો અહીં રજુ કરતાં આનંદ થાય છે. જિજ્ઞાસુ–
સાધર્મીઓ! તમે પણ અતિ બહુમાનપૂર્વક જિનવાણીમાં ઝરતા આનંદરસનું
પાન
કરજો. –બ્ર. હ. જૈન
– બ્ર. હ. જૈન