તેઓએ બીજા મુમુક્ષુ જીવોને પણ એ વીતરાગતાનો જ ઉપદેશ આપ્યો છે. આમ કહીને
આવા સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે અહો! જયવંત વર્તો
મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો! આવો મોક્ષમાર્ગ જયવંત વર્તો! ને તેના
વડે થયેલી આત્મઉપલબ્ધિ જયવંત વર્તો.
મોક્ષને સાધ્યો, અને આ જ રીતે તેનો ઉપદેશ કર્યો; માટે નક્કી થાય છે કે આ જ એક
નિર્વાણનો માર્ગ છે, બીજો કોઈ નિર્વાણનો માર્ગ નથી. આ રીતે નિર્વાણનો માર્ગ નક્કી
કરીને આચાર્યદેવ કહે છે કે બસ, હવે બીજા પ્રલાપથી બસ થાઓ. મારી મતિ વ્યવસ્થિત
થઈ છે, મોક્ષમાર્ગનું કાર્ય સધાય છે. આવો મોક્ષમાર્ગ દર્શાવનારા ભગવંતોને નમસ્કાર હો.–
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત્ત થયા, નમું તેમને. (પ્રવ
વીતરાગતા જ છે, એટલે કે મોક્ષમાર્ગમાં પહેલેથી છેલ્લે સુધી (શરૂઆતથી પૂર્ણતા
સુધી) જે વીતરાગતા છે તે જ મોક્ષમાર્ગ છે; મોક્ષમાર્ગ તરીકે વીતરાગતા જ જયવંત
વર્તે છે; રાગનો તો મોક્ષમાર્ગમાંથી ક્ષય થતો જાય છે. આવા વીતરાગભાવરૂપ સાક્ષાત્
મોક્ષમાર્ગને જાણીને તેને આરાધવો તે મહા માંગળિક છે.
મહોત્સવ કર્યો ને તેણે સન્તો પાસેથી સાચી બોણી અને આશીર્વાદ મેળવ્યા; ભગવાન
મહાવીર જે માર્ગે મોક્ષ પધાર્યા તે જ માર્ગે તે જાય છે.–
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.