Page 232 of 380
PDF/HTML Page 261 of 409
single page version
इह हि परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वराणां निश्चयप्रायश्चित्तम् । एवं समस्ता- चरणानां परमाचरणमित्युक्त म् ।
बहुभिरसत्प्रलापैरलमलम् । पुनः सर्वं निश्चयव्यवहारात्मकपरमतपश्चरणात्मकं परम- जिनयोगीनामासंसारप्रतिबद्धद्रव्यभावकर्मणां निरवशेषेण विनाशकारणं शुद्धनिश्चयप्रायश्चित्त- मिति हे शिष्य त्वं जानीहि ।
અન્વયાર્થઃ — [बहुना] બહુ [भणितेन तु] કહેવાથી [किम्] શું? [अनेककर्मणाम्] અનેક કર્મોના [क्षयहेतुः] ક્ષયનો હેતુ એવું જે [महर्षीणाम्] મહર્ષિઓનું [वरतपश्चरणम्] ઉત્તમ તપશ્ચરણ [सर्वम्] તે બધું [प्रायश्चित्तं जानीहि] પ્રાયશ્ચિત્ત જાણ.
ટીકાઃ — અહીં એમ કહ્યું છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ કહ્યું છે.
બહુ અસત્ પ્રલાપોથી બસ થાઓ, બસ થાઓ. નિશ્ચયવ્યવહારસ્વરૂપ પરમ- તપશ્ચરણાત્મક એવું જે પરમ જિનયોગીઓને અનાદિ સંસારથી બંધાયેલાં દ્રવ્યભાવ- કર્મોના નિરવશેષ વિનાશનું કારણ તે બધું શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ, હે શિષ્ય! તું જાણ.
[હવે આ ૧૧૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ]
૨૩૨ ]
Page 233 of 380
PDF/HTML Page 262 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सहजशुद्धचिदात्मविदामिदम् ।
सहजतत्त्वमघक्षयकारणम् ।।१८४।।
लीनं स्वस्मिन्निर्विकारे महिम्नि ।।१८५।।
ज्ञानज्योतिर्निहतकरणग्रामघोरान्धकारा ।
प्रध्वंसेऽस्मिन् शमजलमयीमाशु धारां वमन्ती ।।१८६।।
[શ્લોકાર્થઃ — ] અનશનાદિતપશ્ચરણાત્મક (અર્થાત્ સ્વરૂપપ્રતપનરૂપે પરિણમેલું, પ્રતાપવંત એટલે કે ઉગ્ર સ્વરૂપપરિણતિએ પરિણમેલું) એવું આ સહજ-શુદ્ધ-ચૈતન્યસ્વરૂપને જાણનારાઓનું ૧સહજજ્ઞાનકળાપરિગોચર સહજતત્ત્વ ૨અઘક્ષયનું કારણ છે. ૧૮૪.
[શ્લોકાર્થઃ — ] જે (પ્રાયશ્ચિત્ત) આ સ્વદ્રવ્યનું ૩ધર્મ અને શુક્લરૂપ ચિંતન છે, જે કર્મસમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યગ્જ્ઞાનરૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે — એવું આ પ્રાયશ્ચિત્ત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ૧૮૫.
[શ્લોકાર્થઃ — ] યમીઓને ( – સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે — કે જે આત્મલબ્ધિએ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો
૧. સહજજ્ઞાનકળાપરિગોચર = સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે જણાવાયોગ્ય
૨. અઘ = અશુદ્ધિ; દોષ; પાપ. (પાપ તેમ જ પુણ્ય બન્ને ખરેખર અઘ છે.)
૩. ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ જે સ્વદ્રવ્યચિંતન તે પ્રાયશ્ચિત્ત છે.
Page 234 of 380
PDF/HTML Page 263 of 409
single page version
र्मयोद्धृता संयमरत्नमाला ।
सालंकृतिर्मुक्ति वधूधवानाम् ।।१८७।।
मुनीन्द्रचित्ताम्बुजगर्भवासम् ।
विनष्टसंसारद्रुमूलमेतत् ।।१८८।।
(શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના પર સતત શમજલમયી ધારાને ઝડપથી છોડે છે — વરસાવે છે. ૧૮૬.
[શ્લોકાર્થઃ — ] અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવધૂના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે. ૧૮૭.
[શ્લોકાર્થઃ — ] મુનીંદ્રોના ચિત્તકમળની ( – હૃદયકમળની) અંદર જેનો વાસ છે, જે વિમુક્તિરૂપી કાન્તાના રતિસૌખ્યનું મૂળ છે (અર્થાત્ જે મુક્તિના અતીન્દ્રિય આનંદનું મૂળ છે) અને જેણે સંસારવૃક્ષના મૂળનો વિનાશ કર્યો છે — એવા આ પરમાત્મતત્ત્વને હું નિત્ય નમું છું. ૧૮૮.
અન્વયાર્થઃ — [अनन्तानन्तभवेन] અનંતાનંત ભવો વડે [समर्जितशुभाशुभकर्मसंदोहः]
૨૩૪ ]
Page 235 of 380
PDF/HTML Page 264 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्र प्रसिद्धशुद्धकारणपरमात्मतत्त्वे सदान्तर्मुखतया प्रतपनं यत्तत्तपः प्रायश्चित्तं भवतीत्युक्त म् ।
आसंसारत एव समुपार्जितशुभाशुभकर्मसंदोहो द्रव्यभावात्मकः पंचसंसारसंवर्धनसमर्थः परमतपश्चरणेन भावशुद्धिलक्षणेन विलयं याति, ततः स्वात्मानुष्ठाननिष्ठं परमतपश्चरणमेव शुद्धनिश्चयप्रायश्चित्तमित्यभिहितम् ।
प्राहुः सन्तस्तप इति चिदानंदपीयूषपूर्णम् ।
ज्वालाजालं शमसुखमयं प्राभृतं मोक्षलक्ष्म्याः ।।१८9।।
ઉપાર્જિત શુભાશુભ કર્મરાશિ [तपश्चरणेन] તપશ્ચરણથી [विनश्यति] વિનાશ પામે છે; [तस्मात्] તેથી [तपः] તપ [प्रायश्चित्तम्] પ્રાયશ્ચિત્ત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), પ્રસિદ્ધ શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતર્મુખ રહીને જે પ્રતપન તે તપ પ્રાયશ્ચિત્ત છે (અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લીન રહીને પ્રતપવું — પ્રતાપવંત વર્તવું તે તપ છે અને એ તપ પ્રાયશ્ચિત્ત છે) એમ કહ્યું છે.
અનાદિ સંસારથી જ ઉપાર્જિત દ્રવ્યભાવાત્મક શુભાશુભ કર્મોનો સમૂહ — કે જે પાંચ પ્રકારના ( – પાંચ પરાવર્તનરૂપ) સંસારનું સંવર્ધન કરવામાં સમર્થ છે તે — ભાવશુદ્ધિલક્ષણ (ભાવશુદ્ધિ જેનું લક્ષણ છે એવા) પરમતપશ્ચરણથી વિલય પામે છે; તેથી સ્વાત્માનુષ્ઠાનનિષ્ઠ ( – નિજ આત્માના આચરણમાં લીન) પરમતપશ્ચરણ જ શુદ્ધનિશ્ચય- પ્રાયશ્ચિત્ત છે એમ કહેવામાં આવ્યું છે.
[હવે આ ૧૧૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે (તપ) અનાદિ સંસારથી સમૃદ્ધ થયેલી કર્મોની મહા અટવીને બાળી નાખવા માટે અગ્નિની જ્વાળાના સમૂહ સમાન છે, શમસુખમય છે અને મોક્ષલક્ષ્મી માટેની ભેટ છે, તે ચિદાનંદરૂપી અમૃતથી ભરેલા તપને સંતો કર્મક્ષય કરનારું પ્રાયશ્ચિત્ત કહે છે, પરંતુ અન્ય કોઈ કાર્યને નહિ. ૧૮૯.
Page 236 of 380
PDF/HTML Page 265 of 409
single page version
अत्र सकलभावानामभावं कर्तुं स्वात्माश्रयनिश्चयधर्मध्यानमेव समर्थमित्युक्त म् ।
अखिलपरद्रव्यपरित्यागलक्षणलक्षिताक्षुण्णनित्यनिरावरणसहजपरमपारिणामिकभाव - भावनया भावान्तराणां चतुर्णामौदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकानां परिहारं
અન્વયાર્થઃ — [आत्मस्वरूपालम्बनभावेन तु] આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી [जीवः] જીવ [सर्वभावपरिहारं] સર્વભાવોનો પરિહાર [कर्तुम् शक्नोति] કરી શકે છે, [तस्मात्] તેથી [ध्यानम्] ધ્યાન તે [सर्वम् भवेत्] સર્વસ્વ છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય- ધર્મધ્યાન જ સર્વ ભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે.
સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત અખંડ-નિત્યનિરાવરણ-સહજ- પરમપારિણામિકભાવની ભાવનાથી ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક એ ચાર ભાવાંતરોનો *પરિહાર કરવાને અતિ-આસન્નભવ્ય જીવ સમર્થ છે, તેથી જ તે
૨૩૬ ]
*અહીં ચાર ભાવોના પરિહારમાં ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર (ત્યાગ) કરવાનું
કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ શુદ્ધાત્મદ્રવ્યનું જ — સામાન્યનું જ — આલંબન લેવાથી
ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિકભાવનું — શુદ્ધ પર્યાયનું (વિશેષનું) — આલંબન
કરવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતો નથી. માટે ક્ષાયિકભાવનું પણ આલંબન
ત્યાજ્ય છે. આ જે ક્ષાયિકભાવના આલંબનનો ત્યાગ તેને અહીં ક્ષાયિકભાવનો ત્યાગ કહેવામાં
આવ્યો છે.
Page 237 of 380
PDF/HTML Page 266 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्तुमत्यासन्नभव्यजीवः समर्थो यस्मात्, तत एव पापाटवीपावक इत्युक्त म् । अतः पंच- महाव्रतपंचसमितित्रिगुप्तिप्रत्याख्यानप्रायश्चित्तालोचनादिकं सर्वं ध्यानमेवेति ।
नित्यज्योतिःप्रतिहततमःपुंजमाद्यन्तशून्यम् ।
जीवन्मुक्तो भवति तरसा सोऽयमाचारराशिः ।।१9०।।
જીવને પાપાટવીપાવક ( – પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ) કહ્યો છે; આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે (અર્થાત્ પરમપારિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન તે જ મહાવ્રત- પ્રાયશ્ચિત્તાદિ બધુંય છે).
[હવે આ ૧૧૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જેણે નિત્ય જ્યોતિ વડે તિમિરપુંજનો નાશ કર્યો છે, જે આદિ- અંત રહિત છે, જે પરમ કળા સહિત છે અને જે આનંદમૂર્તિ છે — એવા એક શુદ્ધ આત્માને જે જીવ શુદ્ધ આત્મામાં અવિચળ ૧મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે, તે આ
૨આચારરાશિ જીવ શીઘ્ર જીવન્મુક્ત થાય છે. ૧૯૦.
બેસી ગયેલ હોય એવા જળ સમાન ઔપશમિક સમ્યક્ત્વાદિનું), ક્ષાયોપશમિકભાવોનું (અપૂર્ણ
જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પર્યાયોનું) તેમ જ ક્ષાયિકભાવોનું (ક્ષાયિક સમ્યક્ત્વાદિ સર્વથા શુદ્ધ
પર્યાયોનું) પણ આલંબન છોડવું; માત્ર પરમપારિણામિકભાવનું — શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનું — આલંબન
લેવું. તેને આલંબનારો ભાવ જ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન,
પ્રાયશ્ચિત્ત વગેરે બધુંય છે. (આત્મસ્વરૂપનું આલંબન, આત્મસ્વરૂપનો આશ્રય, આત્મસ્વરૂપ પ્રત્યે
સંમુખતા, આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, આત્મસ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મસ્વરૂપનું ધ્યાન, પરમ-
પારિણામિકભાવની ભાવના, ‘હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું’ એવી પરિણતિ — એ બધાંનો
એક અર્થ છે.)
૧.મન = ભાવ
૨.આચારરાશિ = ચારિત્રપુંજ; ચારિત્રસમૂહરૂપ.
Page 238 of 380
PDF/HTML Page 267 of 409
single page version
शुद्धनिश्चयनियमस्वरूपाख्यानमेतत् ।
यः परमतत्त्वज्ञानी महातपोधनो दैनं संचितसूक्ष्मकर्मनिर्मूलनसमर्थनिश्चय- प्रायश्चित्तपरायणो नियमितमनोवाक्कायत्वाद्भववल्लीमूलकंदात्मकशुभाशुभस्वरूपप्रशस्ता- प्रशस्तसमस्तवचनरचनानां निवारणं करोति, न केवलमासां तिरस्कारं करोति किन्तु निखिलमोहरागद्वेषादिपरभावानां निवारणं च करोति, पुनरनवरतमखंडाद्वैतसुन्दरानन्द- निष्यन्द्यनुपमनिरंजननिजकारणपरमात्मतत्त्वं नित्यं शुद्धोपयोगबलेन संभावयति, तस्य नियमेन शुद्धनिश्चयनियमो भवतीत्यभिप्रायो भगवतां सूत्रकृतामिति
અન્વયાર્થઃ — [शुभाशुभवचनरचनानाम्] શુભાશુભ વચનરચનાનું અને [रागादिभाव- वारणम्] રાગાદિભાવોનું નિવારણ [कृत्वा] કરીને [यः] જે [आत्मानम्] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य तु] તેને [नियमात्] નિયમથી ( – નિશ્ચિતપણે) [नियमः भवेत्] નિયમ છે.
ટીકાઃ — આ, શુદ્ધનિશ્ચયનિયમના સ્વરૂપનું કથન છે.
જે પરમતત્ત્વજ્ઞાની મહાતપોધન સદા સંચિત સૂક્ષ્મકર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ નિશ્ચયપ્રાયશ્ચિત્તમાં પરાયણ રહેતો થકો મન-વચન-કાયાને નિયમિત (સંયમિત) કર્યાં હોવાથી ભવરૂપી વેલનાં મૂળ-કંદાત્મક શુભાશુભસ્વરૂપ પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાનું નિવારણ કરે છે, કેવળ તે વચનરચનાનો જ તિરસ્કાર કરતો નથી પરંતુ સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનું નિવારણ કરે છે, વળી અનવરતપણે ( – નિરંતર) અખંડ, અદ્વૈત, સુંદર-આનંદસ્યંદી (સુંદર આનંદઝરતા), અનુપમ, નિરંજન નિજકારણપરમાત્મતત્ત્વની સદા શુદ્ધોપયોગના બળથી સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેને (તે મહાતપોધનને) નિયમથી શુદ્ધનિશ્ચયનિયમ છે એમ ભગવાન સૂત્રકારનો અભિપ્રાય છે.
૨૩૮ ]
Page 239 of 380
PDF/HTML Page 268 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सहजपरमात्मानं नित्यं सुभावयति स्फु टम् ।
भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम् ।।१9१।।
निखिलनयविलासो न स्फु रत्येव किंचित् ।
तमहमभिनमामि स्तौमि संभावयामि ।।१9२।।
(अनुष्टुभ्)
(अनुष्टुभ्)
[હવે આ ૧૨૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા સ્ફુટપણે સહજપરમાત્માને સમ્યક્ પ્રકારે ભાવે છે, તે જ્ઞાનાત્મક પરમ યમીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી ( – અવશ્ય) છે. ૧૯૧.
[શ્લોકાર્થઃ — ] જે અનવરતપણે ( – નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં ( – તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નયવિલાસ જરાય સ્ફુરતો જ નથી. જેમાંથી સમસ્ત ભેદવાદ ( – નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને ( – તે પરમાત્મપદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૧૯૨.
[શ્લોકાર્થઃ — ] આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે — આવી વિકલ્પજાળોથી જે મુક્ત ( – રહિત) છે તેને ( – તે પરમાત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩.
[શ્લોકાર્થઃ — ] જે યોગપરાયણમાં કદાચિત્ ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત્ જે
Page 240 of 380
PDF/HTML Page 269 of 409
single page version
निश्चयकायोत्सर्गस्वरूपाख्यानमेतत् ।
सादिसनिधनमूर्तविजातीयविभावव्यंजनपर्यायात्मकः स्वस्याकारः कायः । आदि-
शब्देन क्षेत्रवास्तुकनकरमणीप्रभृतयः । एतेषु सर्वेषु स्थिरभावं सनातनभावं परिहृत्य
नित्यरमणीयनिरंजननिजकारणपरमात्मानं व्यवहारक्रियाकांडाडम्बरविविधविकल्पकोलाहल- विनिर्मुक्त सहजपरमयोगबलेन नित्यं ध्यायति यः सहजतपश्चरणक्षीरवारांराशिनिशीथिनी- हृदयाधीश्वरः, तस्य खलु सहजवैराग्यप्रासादशिखरशिखामणेर्निश्चयकायोत्सर्गो भवतीति ।
યોગનિષ્ઠ યોગીને ક્યારેક વિકલ્પો ઊઠે છે), તેની અર્હત્ના મતમાં મુક્તિ થશે કે નહિ થાય તે કોણ જાણે છે? ૧૯૪.
અન્વયાર્થઃ — [कायादिपरद्रव्ये] કાયાદિ પરદ્રવ્યમાં [स्थिरभावम् परिहृत्य] સ્થિરભાવ છોડીને [यः] જે [आत्मानम्] આત્માને [निर्विकल्पेन] નિર્વિકલ્પપણે [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [तनूत्सर्गः] કાયોત્સર્ગ [भवेत्] છે.
ટીકાઃ — આ, નિશ્ચયકાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે.
સાદિ-સાંત મૂર્ત વિજાતીય-વિભાવ-વ્યંજનપર્યાયાત્મક પોતાનો આકાર તે કાય. ‘આદિ’ શબ્દથી ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે. આ બધામાં સ્થિરભાવ — સનાતનભાવ પરિહરીને ( – કાયાદિક સ્થિર છે એવો ભાવ છોડીને) નિત્ય-રમણીય નિરંજન નિજ કારણ- પરમાત્માને વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી વિવિધ વિકલ્પરૂપ કોલાહલ વિનાના સહજ- પરમ-યોગના બળથી જે સહજ-તપશ્ચરણરૂપી ક્ષીરસાગરનો ચંદ્ર ( – સહજ તપરૂપી ક્ષીરસાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જે જીવ) નિત્ય ધ્યાવે છે, તે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિને ( – તે પરમ સહજ-વૈરાગ્યવંત જીવને) ખરેખર નિશ્ચયકાયોત્સર્ગ છે.
૨૪૦ ]
Page 241 of 380
PDF/HTML Page 270 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कायोद्भूतप्रबलतरसत्कर्ममुक्ते : सकाशात् ।
स्वात्मध्यानादपि च नियतं स्वात्मनिष्ठापराणाम् ।।१9५।।
तदखिलमपि नित्यं संत्यजाम्यात्मशक्त्या ।
स्फु टितनिजविलासं सर्वदा चेतयेहम् ।।१9७।।
[હવે આ શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પાંચ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે નિરંતર સ્વાત્મનિષ્ઠાપરાયણ ( – નિજ આત્મામાં લીન) છે તે સંયમીઓને, કાયાથી ઉત્પન્ન થતાં અતિ પ્રબળ સત્-કર્મોના ( – કાયા સંબંધી પ્રબળ શુભ ક્રિયાઓના) ત્યાગને લીધે, વાણીના જલ્પસમૂહની વિરતિને લીધે અને માનસિક ભાવોની (વિકલ્પોની) નિવૃત્તિને લીધે, તેમ જ નિજ આત્માના ધ્યાનને લીધે, નિશ્ચયથી સતત કાયોત્સર્ગ છે. ૧૯૫.
[શ્લોકાર્થઃ — ] સહજ તેજઃપુંજમાં નિમગ્ન એવું તે પ્રકાશમાન સહજ પરમ તત્ત્વ જયવંત છે — કે જેણે મોહાંધકારને દૂર કર્યો છે (અર્થાત્ જે મોહાંધકાર રહિત છે), જે સહજ પરમ દ્રષ્ટિથી પરિપૂર્ણ છે અને જે વૃથા-ઉત્પન્ન ભવભવના પરિતાપોથી તથા કલ્પનાઓથી મુક્ત છે. ૧૯૬.
[શ્લોકાર્થઃ — ] અલ્પ (-તુચ્છ) અને કલ્પનામાત્રરમ્ય ( – માત્ર કલ્પનાથી જ રમણીય
Page 242 of 380
PDF/HTML Page 271 of 409
single page version
समाधिविषयामहो क्षणमहं न जाने पुरा ।
प्रभुत्वगुणशक्ति तः खलु हतोस्मि हा संसृतौ ।।१9८।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः अष्टमः श्रुतस्कन्धः ।।
લાગતું) એવું જે ભવભવનું સુખ તે સઘળુંય હું આત્મશક્તિથી નિત્ય સમ્યક્ પ્રકારે તજું છું; (અને) જેનો નિજ વિલાસ પ્રગટ થયો છે, જે સહજ પરમ સૌખ્યવાળું છે અને જે ચૈતન્યચમત્કારમાત્ર છે, તેને ( – તે આત્મતત્ત્વને) હું સર્વદા અનુભવું છું. ૧૯૭.
[શ્લોકાર્થઃ — ] અહો! મારા હૃદયમાં સ્ફુરાયમાન આ નિજ આત્મગુણસંપદાને — કે જે સમાધિનો વિષય છે તેને — મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહિ. ખરેખર, ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વગુણશક્તિથી ( – દુષ્ટ કર્મોના પ્રભુત્વ- ગુણની શક્તિથી), અરેરે! હું સંસારમાં માર્યો ગયો છું ( – હેરાન થઈ ગયો છું). ૧૯૮.
[શ્લોકાર્થઃ — ] ભવોત્પન્ન ( – સંસારમાં ઉત્પન્ન થતા) વિષવૃક્ષના સમસ્ત ફળને દુઃખનું કારણ જાણીને હું ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધસૌખ્યને અનુભવું છું. ૧૯૯.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર નામનો આઠમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૨૪૨ ]નિયમસાર
Page 243 of 380
PDF/HTML Page 272 of 409
single page version
अथ अखिलमोहरागद्वेषादिपरभावविध्वंसहेतुभूतपरमसमाध्यधिकार उच्यते ।
परमसमाधिस्वरूपाख्यानमेतत् ।
क्वचिदशुभवंचनार्थं वचनप्रपंचांचितपरमवीतरागसर्वज्ञस्तवनादिकं कर्तव्यं परम- जिनयोगीश्वरेणापि । परमार्थतः प्रशस्ताप्रशस्तसमस्तवाग्विषयव्यापारो न कर्तव्यः । अत
હવે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ-સમાધિ અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [वचनोच्चारणक्रियां] વચનોચ્ચારણની ક્રિયા [परित्यज्य] પરિત્યાગીને [वीतरागभावेन] વીતરાગ ભાવથી [यः] જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [परमसमाधिः] પરમ સમાધિ [भवेत्] છે.
ટીકાઃ — આ, પરમ સમાધિના સ્વરૂપનું કથન છે.
ક્યારેક *અશુભવંચનાર્થે વચનવિસ્તારથી શોભતું પરમવીતરાગ સર્વજ્ઞનું સ્તવનાદિક પરમ જિનયોગીશ્વરે પણ કરવાયોગ્ય છે. પરમાર્થથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનસંબંધી
* અશુભવંચનાર્થે=અશુભથી છૂટવા માટે; અશુભથી બચવા માટે; અશુભના ત્યાગ માટે.
Page 244 of 380
PDF/HTML Page 273 of 409
single page version
एव वचनरचनां परित्यज्य सकलकर्मकलंकपंकविनिर्मुक्त प्रध्वस्तभावकर्मात्मक- परमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं स्वात्माश्रयनिश्चयधर्म- ध्यानेन टंकोत्कीर्णज्ञायकैकस्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधि- र्भवतीति
हृदि स्फु रन्तीं समतानुयायिनीम् ।
न माद्रशां या विषया विदामहि ।।२००।।
વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવે — પરમ વીતરાગ ભાવે — ત્રિકાળ-નિરાવરણ નિત્ય-શુદ્ધ કારણપરમાત્માને સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મ- ધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશુક્લધ્યાનથી જે પરમવીતરાગ તપશ્ચરણમાં લીન, નિરુપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મ-ભાવકર્મની સેનાને લૂટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે.
[હવે આ ૧૨૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] કોઈ એવી ( – અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફુરતી, સમતાની ૧અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે ૨વિષય છે તેને અમે અનુભવતા નથી. ૨૦૦.
૨૪૪ ]
૧. અનુયાયિની=અનુગામિની; સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ આત્મસંપદા સમાધિની અનુયાયિની છે.)
૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.
Page 245 of 380
PDF/HTML Page 274 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह हि समाधिलक्षणमुक्त म् ।
संयमः सकलेन्द्रियव्यापारपरित्यागः । नियमेन स्वात्माराधनातत्परता । आत्मा- नमात्मन्यात्मना संधत्त इत्यध्यात्मं तपनम् । सकलबाह्यक्रियाकांडाडम्बरपरित्यागलक्षणान्तः- क्रियाधिकरणमात्मानं निरवधित्रिकालनिरुपाधिस्वरूपं यो जानाति, तत्परिणतिविशेषः स्वात्माश्रयनिश्चयधर्मध्यानम् । ध्यानध्येयध्यातृतत्फलादिविविधविकल्पनिर्मुक्तान्तर्मुखाकार- निखिलकरणग्रामागोचरनिरंजननिजपरमतत्त्वाविचलस्थितिरूपं निश्चयशुक्लध्यानम् । एभिः
અન્વયાર્થઃ — [संयमनियमतपसा तु] સંયમ, નિયમ ને તપથી તથા [धर्मध्यानेन शुक्लध्यानेन] ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી [यः] જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [परमसमाधिः] પરમ સમાધિ [भवेत्] છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત્ સ્વરૂપ) કહ્યું છે.
સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી – ટકાવી – જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્યક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના *અધિકરણભૂત આત્માને — કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણે કાળે (અનાદિ કાળથી અનંત કાળ સુધી) નિરુપાધિક છે તેને — જે જીવ જાણે છે, તે જીવની પરિણતિવિશેષ તે સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન છે. ધ્યાન-ધ્યેય-ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્ અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું), સમસ્ત ઇન્દ્રિયસમૂહથી અગોચર નિરંજન-નિજ-પરમતત્ત્વમાં
*અધિકરણ = આધાર. (અંતરંગ ક્રિયાનો આધાર આત્મા છે.)
Page 246 of 380
PDF/HTML Page 275 of 409
single page version
सामग्रीविशेषैः सार्धमखंडाद्वैतपरमचिन्मयमात्मानं यः परमसंयमी नित्यं ध्यायति, तस्य खलु परमसमाधिर्भवतीति ।
अत्र समतामन्तरेण द्रव्यलिङ्गधारिणः श्रमणाभासिनः किमपि परलोककारणं नास्ती- त्युक्त म् । અવિચળ સ્થિતિરૂપ ( – એવું જે ધ્યાન) તે નિશ્ચયશુક્લધ્યાન છે. આ સામગ્રીવિશેષો સહિત ( – આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધનસામગ્રી સહિત) અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે.
[હવે આ ૧૨૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે સદા ચૈતન્યમય નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, તે દ્વૈતાદ્વૈતવિમુક્ત (દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી મુક્ત) આત્માને હું નમું છું. ૨૦૧.
અન્વયાર્થઃ — [वनवासः] વનવાસ, [कायक्लेशः विचित्रोपवासः] કાયક્લેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, [अध्ययनमौनप्रभृतयः] અધ્યયન, મૌન વગેરે (કાર્યો) [समतारहितस्य श्रमणस्य] સમતારહિત શ્રમણને [किं करिष्यति] શું કરે છે ( – શો લાભ કરે છે)?
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને કિંચિત્ પરલોકનું કારણ નથી (અર્થાત્ જરાય મોક્ષનું સાધન નથી) એમ કહ્યું છે.
૨૪૬ ]
Page 247 of 380
PDF/HTML Page 276 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सकलकर्मकलंकपंकविनिर्मुक्त महानंदहेतुभूतपरमसमताभावेन विना कान्तारवासावासेन प्रावृषि वृक्षमूले स्थित्या च ग्रीष्मेऽतितीव्रकरकरसंतप्तपर्वताग्रग्रावनिषण्णतया वा हेमन्ते च रात्रिमध्ये ह्याशांबरदशाफलेन च, त्वगस्थिभूतसर्वाङ्गक्लेशदायिना महोपवासेन वा, सदाध्ययनपटुतया च, वाग्विषयव्यापारनिवृत्तिलक्षणेन संततमौनव्रतेन वा किमप्युपादेयं फलमस्ति केवलद्रव्यलिंगधारिणः श्रमणाभासस्येति ।
तथा चोक्त म् अमृताशीतौ —
स्थितिकरणनिरोधध्यानतीर्थोपसेवा- ।
मृगय तदपरं त्वं भोः प्रकारं गुरुभ्यः ।।’’
तथा हि —
કેવળ દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત મહા આનંદના હેતુભૂત પરમસમતાભાવ વિના, (૧) વનવાસે વસીને વર્ષાૠતુમાં વૃક્ષ નીચે સ્થિતિ કરવાથી, ગ્રીષ્મૠતુમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી સંતપ્ત પર્વતના શિખરની શિલા ઉપર બેસવાથી અને હેમંતૠતુમાં રાત્રિમધ્યે દિગંબરદશાએ રહેવાથી, (૨) ત્વચા અને અસ્થિરૂપ (માત્ર હાડ- ચામરૂપ) થઈ ગયેલા આખા શરીરને ક્લેશદાયક મહા ઉપવાસથી, (૩) સદા અધ્યયનપટુતાથી (અર્થાત્ સદા શાસ્ત્રપઠન કરવાથી), અથવા (૪) વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિસ્વરૂપ સતત મૌનવ્રતથી શું જરાય *ઉપાદેય ફળ છે? (અર્થાત્ મોક્ષના સાધનરૂપ ફળ જરાય નથી.)
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] પર્વતની ઊંડી ગુફા વગેરેમાં કે વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી, ઇન્દ્રિયનિરોધથી, ધ્યાનથી, તીર્થસેવાથી (તીર્થસ્થાનમાં વસવાથી), પઠનથી, જપથી અને હોમથી બ્રહ્મની (આત્માની) સિદ્ધિ નથી; માટે, હે ભાઈ! તું ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારને શોધ.’’
વળી (આ ૧૨૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
*ઉપાદેય = પસંદ કરવા જેવું; વખાણવા જેવું.
Page 248 of 380
PDF/HTML Page 277 of 409
single page version
समतया रहितस्य यतेर्न हि ।
भज मुने समताकुलमंदिरम् ।।२०२।।
इह हि सकलसावद्यव्यापाररहितस्य त्रिगुप्तिगुप्तस्य सकलेन्द्रियव्यापारविमुखस्य तस्य च मुनेः सामायिकं व्रतं स्थायीत्युक्त म् ।
अथात्रैकेन्द्रियादिप्राणिनिकुरंबक्लेशहेतुभूतसमस्तसावद्यव्यासंगविनिर्मुक्त :, प्रशस्ता-
[શ્લોકાર્થઃ — ] ખરેખર સમતા રહિત યતિને અનશનાદિ તપશ્ચરણોથી ફળ નથી; માટે, હે મુનિ! સમતાનું *કુલમંદિર એવું જે આ અનાકુળ નિજ તત્ત્વ તેને ભજ. ૨૦૨.
અન્વયાર્થઃ — [सर्वसावद्ये विरतः] જે સર્વ સાવદ્યમાં વિરત છે, [त्रिगुप्तः] જે ત્રણ ગુપ્તિવાળો છે અને [पिहितेन्द्रियः] જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), જે સર્વ સાવદ્ય વ્યાપારથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે અને જે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિકવ્રત સ્થાયી છે એમ કહ્યું છે.
અહીં (આ લોકમાં) જે એકેંદ્રિયાદિ પ્રાણીસમૂહને ક્લેશના હેતુભૂત સમસ્ત સાવદ્યના
૨૪૮ ]
*કુલમંદિર = (૧) ઉત્તમ ઘર; (૨) વંશપરંપરાનું ઘર.
Page 249 of 380
PDF/HTML Page 278 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रशस्तसमस्तकायवाङ्मनसां व्यापाराभावात् त्रिगुप्तः, स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधान- पंचेन्द्रियाणां मुखैस्तत्तद्योग्यविषयग्रहणाभावात् पिहितेन्द्रियः, तस्य खलु महामुमुक्षोः परमवीतरागसंयमिनः सामायिकं व्रतं शश्वत् स्थायि भवतीति ।
नीत्वा नाशं विकृतिमनिशं कायवाङ्मानसानाम् ।
बुद्ध्वा जन्तुः स्थिरशममयं शुद्धशीलं प्रयाति ।।२०३।।
ત્રિગુપ્ત (ત્રણ ગુપ્તિવાળો) છે અને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇન્દ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગસંયમીને ખરેખર સામાયિકવ્રત શાશ્વત – સ્થાયી છે.
[હવે આ ૧૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] આ રીતે ભવભયના કરનારા સમસ્ત સાવદ્યસમૂહને છોડીને, કાય- વચન-મનની વિકૃતિને નિરંતર નાશ પમાડીને, અંતરંગ શુદ્ધિથી પરમ કળા સહિત (પરમ જ્ઞાનકળા સહિત) એક આત્માને જાણીને જીવ સ્થિરશમમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે (અર્થાત્ શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે). ૨૦૩.
અન્વયાર્થઃ — [यः] જે [स्थावरेषु] સ્થાવર [वा] કે [त्रसेषु] ત્રસ [सर्वभूतेषु] સર્વ જીવો
*વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે
*વ્યાસંગ = ગાઢ સંગ; સંગ; આસક્તિ.
Page 250 of 380
PDF/HTML Page 279 of 409
single page version
परममाध्यस्थ्यभावाद्यारूढस्थितस्य परममुमुक्षोः स्वरूपमत्रोक्त म् ।
यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः विकारकारणनिखिलमोहरागद्वेषाभावाद् भेद- कल्पनापोढपरमसमरसीभावसनाथत्वात्र्रसस्थावरजीवनिकायेषु समः, तस्य च परमजिन- योगीश्वरस्य सामायिकाभिधानव्रतं सनातनमिति वीतरागसर्वज्ञमार्गे सिद्धमिति ।
परमजिनमुनीनां चित्तमुच्चैरजस्रम् ।
तदहमभिनमामि स्तौमि संभावयामि ।।२०४।।
(अनुष्टुभ्)
પ્રત્યે [समः] સમભાવવાળો છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — અહીં, પરમ માધ્યસ્થભાવ વગેરેમાં આરૂઢ થઈને રહેલા પરમમુમુક્ષુનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (અર્થાત્ પરમ સહજવૈરાગ્યવંત મુનિ) વિકારના કારણભૂત સમસ્ત મોહરાગદ્વેષના અભાવને લીધે ભેદકલ્પનાવિમુક્ત પરમ સમરસીભાવ સહિત હોવાથી ત્રસ-સ્થાવર (સમસ્ત) જીવનિકાયો પ્રત્યે સમભાવવાળો છે, તે પરમ જિનયોગીશ્વરને સામાયિક નામનું વ્રત સનાતન (સ્થાયી) છે એમ વીતરાગ સર્વજ્ઞના માર્ગમાં સિદ્ધ છે.
[હવે આ ૧૨૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] પરમ જિનમુનિઓનું જે ચિત્ત (ચૈતન્યપરિણમન) નિરંતર ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના વધથી અત્યંત વિમુક્ત છે, વળી જે (ચિત્ત) અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે, તેને હું કર્મથી મુક્ત થવાને અર્થે નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૦૪.
[શ્લોકાર્થઃ — ] કોઈ જીવો અદ્વૈતમાર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો દ્વૈતમાર્ગમાં સ્થિત
૨૫૦ ]
Page 251 of 380
PDF/HTML Page 280 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः ।
शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च ।
य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ।।२०9।।
છે; દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં) અમે વર્તીએ છીએ. ૨૦૫.
[શ્લોકાર્થઃ — ] કોઈ જીવો અદ્વૈતને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઇચ્છે છે; હું દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬.
[શ્લોકાર્થઃ — ] હું — સુખને ઇચ્છનારો આત્મા — અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭.
[શ્લોકાર્થઃ — ] ભવના કરનારા એવા આ વિકલ્પ-કથનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત નયરાશિનો અવિષય છે; માટે આ કોઈ (અવર્ણનીય) આત્મા દ્વૈત કે અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી પર છે). તેને એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદું છું. ૨૦૮.
[શ્લોકાર્થઃ — ] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે