Page 252 of 380
PDF/HTML Page 281 of 409
single page version
स्फु टितसहजतेजःपुंजदूरीकृतांहः- ।
जयति जगति नित्यं चिच्चमत्कारमात्रम् ।।२१०।।
महामुनिगणाधिनाथहृदयारविन्दस्थितम् ।
सदा निजमहिम्नि लीनमपि सद्रºशां गोचरम् ।।२११।।
(અર્થાત્ ચાર ગતિના જન્મોમાં સુખદુઃખ શુભાશુભ કૃત્યોથી થાય છે). વળી બીજી રીતે ( – નિશ્ચયનયે), આત્માને શુભનો પણ અભાવ છે તેમ જ અશુભ પરિણતિ પણ નથી — નથી, કારણ કે આ લોકમાં એક આત્માને (અર્થાત્ આત્મા સદા એકરૂપ હોવાથી તેને) ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂહથી સંન્યસ્ત છે (અર્થાત્ જે શુભ-અશુભ, રાગ-દ્વેષ વગેરે ભવના ગુણોથી — વિભાવોથી — રહિત છે) તેને ( – નિત્યશુદ્ધ આત્માને) હું સ્તવું છું. ૨૦૯.
[શ્લોકાર્થઃ — ] સદા શુદ્ધ-શુદ્ધ એવું આ (પ્રત્યક્ષ) ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વ જગતમાં નિત્ય જયવંત છે — કે જેણે પ્રગટ થયેલા સહજ તેજઃપુંજ વડે સ્વધર્મત્યાગરૂપ (મોહરૂપ) અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે અને જે પેલી *અઘસેનાની ધજાને હરી લે છે. ૨૧૦.
[શ્લોકાર્થઃ — ] આ અનઘ (નિર્દોષ) આત્મતત્ત્વ જયવંત છે — કે જેણે સંસારને અસ્ત કર્યો છે, જે મહામુનિગણના અધિનાથના ( – ગણધરોના) હૃદયારવિંદમાં સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા- શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે) અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ) નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યગ્દ્રષ્ટિઓને ગોચર છે. ૨૧૧.
૨૫૨ ]
*અઘ = દોષ; પાપ.
Page 253 of 380
PDF/HTML Page 282 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्राप्यात्मैवोपादेय इत्युक्त : ।
यस्य खलु बाह्यप्रपंचपराङ्मुखस्य निर्जिताखिलेन्द्रियव्यापारस्य भाविजिनस्य पाप- क्रियानिवृत्तिरूपे बाह्यसंयमे कायवाङ्मनोगुप्तिरूपसकलेन्द्रियव्यापारवर्जितेऽभ्यन्तरात्मनि परिमितकालाचरणमात्रे नियमे परमब्रह्मचिन्मयनियतनिश्चयान्तर्गताचारे स्वरूपेऽविचलस्थितिरूपे व्यवहारप्रपंचितपंचाचारे पंचमगतिहेतुभूते किंचनभावप्रपंचपरिहीणे सकलदुराचारनिवृत्तिकारणे परमतपश्चरणे च परमगुरुप्रसादासादितनिरंजननिजकारणपरमात्मा सदा सन्निहित इति
અન્વયાર્થઃ — [यस्य] જેને [संयमे] સંયમમાં, [नियमे] નિયમમાં અને [तपसि] તપમાં [आत्मा] આત્મા [सन्निहितः] સમીપ છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે.
બાહ્ય પ્રપંચથી પરાઙ્મુખ અને સમસ્ત ઇન્દ્રિયવ્યાપારને જીતેલા એવા જે ભાવી જિનને પાપક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્યસંયમમાં, કાય-વચન-મનોગુપ્તિરૂપ, સમસ્ત ઇન્દ્રિયવ્યાપાર રહિત અભ્યંતરસંયમમાં, માત્ર પરિમિત (મર્યાદિત) કાળના આચરણસ્વરૂપ નિયમમાં, નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, ચિન્મય-પરમબ્રહ્મમાં નિયત (નિશ્ચળ રહેલા) એવા નિશ્ચયઅંતર્ગત- આચારમાં (અર્થાત્ નિશ્ચય-અભ્યંતર નિયમમાં), વ્યવહારથી *પ્રપંચિત (જ્ઞાન-દર્શન-ચારિત્ર- તપ-વીર્યાચારરૂપ) પંચાચારમાં (અર્થાત્ વ્યવહાર – તપશ્ચરણમાં), તથા પંચમગતિના હેતુભૂત, કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત, સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં ( – આ બધામાં) પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ
*પ્રપંચિત = દર્શાવવામાં આવેલા; વિસ્તાર પામેલા.
Page 254 of 380
PDF/HTML Page 283 of 409
single page version
केवलिनां शासने तस्य परद्रव्यपराङ्मुखस्य परमवीतरागसम्यग्द्रष्टेर्वीतरागचारित्रभाजः सामायिकव्रतं स्थायि भवतीति ।
तिष्ठत्युच्चैः परमयमिनः शुद्धद्रष्टेर्मनश्चेत् ।
साक्षादेषा सहजसमता प्रास्तरागाभिरामे ।।२१२।।
કારણપરમાત્મા સદા સમીપ છે (અર્થાત્ જે મુનિને સંયમમાં, નિયમમાં અને તપમાં નિજ કારણપરમાત્મા સદા નિકટ છે), તે પરદ્રવ્યપરાઙ્મુખ પરમવીતરાગ-સમ્યગ્દ્રષ્ટિ વીતરાગ- ચારિત્રવંતને સામાયિકવ્રત સ્થાયી છે એમ કેવળીઓના શાસનમાં કહ્યું છે.
[હવે આ ૧૨૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જો શુદ્ધદ્રષ્ટિવંત (-સમ્યગ્દ્રષ્ટિ) જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સત્ચારિત્રમાં સદા આત્મા ઊર્ધ્વ રહે છે (અર્થાત્ દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે) તો (એમ સિદ્ધ થયું કે) રાગના નાશને લીધે *અભિરામ એવા તે ભવભયહર ભાવિ તીર્થાધિનાથને આ સાક્ષાત્ સહજ-સમતા ચોક્કસ છે. ૨૧૨.
અન્વયાર્થઃ — [यस्य] જેને [रागः तु] રાગ કે [द्वेषः तु] દ્વેષ (નહિ ઊપજતો થકો) [विकृतिं] વિકૃતિ [न तु जनयति] ઉત્પન્ન કરતો નથી, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
૨૫૪ ]
*અભિરામ = મનોહર; સુંદર. (ભવભયના હરનારા એવા આ ભાવિ તીર્થંકરે રાગનો નાશ કર્યો
હોવાથી તે મનોહર છે.)
Page 255 of 380
PDF/HTML Page 284 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह हि रागद्वेषाभावादपरिस्पंदरूपत्वं भवतीत्युक्त म् ।
यस्य परमवीतरागसंयमिनः पापाटवीपावकस्य रागो वा द्वेषो वा विकृतिं नावतरति, तस्य महानन्दाभिलाषिणः जीवस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य सामायिकनामव्रतं शाश्वतं भवतीति केवलिनां शासने प्रसिद्धं भवतीति ।
ज्ञानज्योतिःप्रहतदुरितानीकघोरान्धकारे ।
तस्मिन्नित्ये समरसमये को विधिः को निषेधः ।।२१३।।
ટીકાઃ — અહીં, રાગદ્વેષના અભાવથી ૧અપરિસ્પંદરૂપતા હોય છે એમ કહ્યું છે.
પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવા જે પરમવીતરાગ સંયમીને રાગ કે દ્વેષ રવિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તે મહા આનંદના અભિલાષી જીવને — કે જેને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ છે તેને — સામાયિક નામનું વ્રત શાશ્વત છે એમ કેવળીઓના શાસનમાં પ્રસિદ્ધ છે.
[હવે આ ૧૨૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપસમૂહરૂપી ઘોર અંધકારનો નાશ કર્યો છે એવું સહજ પરમાનંદરૂપી અમૃતનું પૂર (અર્થાત્ જ્ઞાનાનંદસ્વભાવી આત્મતત્ત્વ) જ્યાં નિકટ છે, ત્યાં પેલા રાગદ્વેષો વિકૃતિ કરવાને સમર્થ નથી જ. તે નિત્ય (શાશ્વત) સમરસમય આત્મતત્ત્વમાં વિધિ શો અને નિષેધ શો? (સમરસસ્વભાવી આત્મતત્ત્વમાં ‘આ કરવા જેવું છે અને આ છોડવા જેવું છે’ એવા વિધિનિષેધના વિકલ્પરૂપ સ્વભાવ નહિ હોવાથી તે આત્મતત્ત્વને દ્રઢપણે આલંબનાર મુનિને સ્વભાવપરિણમન થવાને લીધે સમરસરૂપ પરિણામ થાય છે, વિધિનિષેધના વિકલ્પરૂપ — રાગદ્વેષરૂપ પરિણામ થતા નથી.) ૨૧૩.
૧અપરિસ્પંદરૂપતા = અકંપતા; અક્ષુબ્ધતા; સમતા.
૨વિકૃતિ = વિકાર; સ્વાભાવિક પરિણતિથી વિરુદ્ધ પરિણતિ. [પરમવીતરાગસંયમીને સમતાસ્વભાવી
શુદ્ધાત્મદ્રવ્યનો દ્રઢ આશ્રય હોવાથી વિકૃતિભૂત (વિભાવભૂત) વિષમતા (રાગદ્વેષપરિણતિ) થતી નથી,
પરંતુ પ્રકૃતિભૂત (સ્વભાવભૂત) સમતાપરિણામ થાય છે.]
Page 256 of 380
PDF/HTML Page 285 of 409
single page version
आर्तरौद्रध्यानपरित्यागात् सनातनसामायिकव्रतस्वरूपाख्यानमेतत् ।
यस्तु नित्यनिरंजननिजकारणसमयसारस्वरूपनियतशुद्धनिश्चयपरमवीतरागसुखामृत- पानपरायणो जीवः तिर्यग्योनिप्रेतावासनारकादिगतिप्रायोग्यतानिमित्तम् आर्तरौद्रध्यानद्वयं नित्यशः संत्यजति, तस्य खलु केवलदर्शनसिद्धं शाश्वतं सामायिकव्रतं भवतीति ।
અન્વયાર્થઃ — [यः तु] જે [आर्त्तं] આર્ત [च] અને [रौद्रं च] રૌદ્ર [ध्यानं] ધ્યાનને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન (શાશ્વત) સામાયિકવ્રતના સ્વરૂપનું કથન છે.
નિત્ય-નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપમાં નિયત ( – નિયમથી રહેલા) શુદ્ધ- નિશ્ચય-પરમ-વીતરાગ-સુખામૃતના પાનમાં પરાયણ એવો જે જીવ તિર્યંચયોનિ, પ્રેતવાસ અને નારકાદિગતિની યોગ્યતાના હેતુભૂત આર્ત અને રૌદ્ર બે ધ્યાનોને નિત્ય તજે છે, તેને ખરેખર કેવળદર્શનસિદ્ધ ( – કેવળદર્શનથી નક્કી થયેલું) શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ ૧૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] એ રીતે, જે મુનિ આર્ત અને રૌદ્ર નામનાં બે ધ્યાનોને નિત્ય તજે છે તેને જિનશાસનસિદ્ધ ( – જિનશાસનથી નક્કી થયેલું) અણુવ્રતરૂપ સામાયિકવ્રત છે. ૨૧૪.
૨૫૬ ]
Page 257 of 380
PDF/HTML Page 286 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
शुभाशुभपरिणामसमुपजनितसुकृतदुरितकर्मसंन्यासविधानाख्यानमेतत् ।
बाह्याभ्यन्तरपरित्यागलक्षणलक्षितानां परमजिनयोगीश्वराणां चरणनलिनक्षालन- संवाहनादिवैयावृत्यकरणजनितशुभपरिणतिविशेषसमुपार्जितं पुण्यकर्म, हिंसानृतस्तेयाब्रह्म- परिग्रहपरिणामसंजातमशुभकर्म, यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः संसृतिपुरंध्रिका- विलासविभ्रमजन्मभूमिस्थानं तत्कर्मद्वयमिति त्यजति, तस्य नित्यं केवलिमतसिद्धं सामायिकव्रतं भवतीति ।
અન્વયાર્થઃ — [यः तु] જે [पुण्यं च] પુણ્ય તથા [पापं भावं च] પાપરૂપ ભાવને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, શુભાશુભ પરિણામથી ઊપજતાં સુકૃતદુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું ( – શુભાશુભ કર્મના ત્યાગની રીતનું) કથન છે.
બાહ્ય-અભ્યંતર પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત પરમજિનયોગીશ્વરોનું ચરણકમળ- પ્રક્ષાલન, ૧ચરણકમળસંવાહન વગેરે વૈયાવૃત્ય કરવાથી ઊપજતી શુભપરિણતિવિશેષથી (વિશિષ્ટ શુભ પરિણતિથી) ઉપાર્જિત પુણ્યકર્મને તથા હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ ને પરિગ્રહના પરિણામથી ઊપજતા અશુભકર્મને, તે બન્ને કર્મ સંસારરૂપી સ્ત્રીના ૨વિલાસ- વિભ્રમનું જન્મભૂમિસ્થાન હોવાથી, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ ( – જે પરમ સહજ વૈરાગ્યવંત મુનિ) તજે છે, તેને નિત્ય કેવળીમતસિદ્ધ (કેવળીઓના મતમાં નક્કી થયેલું) સામાયિકવ્રત છે.
૧ચરણકમળસંવાહન = પગ દાબવા તે; પગચંપી કરવી તે.
૨વિલાસવિભ્રમ = વિલાસયુક્ત હાવભાવ; ક્રીડા.
Page 258 of 380
PDF/HTML Page 287 of 409
single page version
नित्यानंदं व्रजति सहजं शुद्धचैतन्यरूपम् ।
महामोहध्वान्तप्रबलतरतेजोमयमिदम् ।
यजाम्येतन्नित्यं भवपरिभवध्वंसनिपुणम् ।।२१६।।
तदेकं संत्यक्त्वा पुनरपि स सिद्धो न चलति ।।२१७।।
[હવે આ ૧૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] સમ્યગ્દ્રષ્ટિ જીવ સંસારના મૂળભૂત સર્વ પુણ્યપાપને તજીને, નિત્યાનંદમય, સહજ, શુદ્ધચૈતન્યરૂપ જીવાસ્તિકાયને પ્રાપ્ત કરે છે; તે શુદ્ધ જીવાસ્તિકાયમાં તે સદા વિહરે છે અને પછી ત્રિભુવનજનોથી (ત્રણ લોકના જીવોથી) અત્યંત પૂજાતો એવો જિન થાય છે. ૨૧૫.
[શ્લોકાર્થઃ — ] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે, મહા- મોહાંધકારનાશક અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને *નિરુપધિ મહા આનંદસુખનું દાયક છે. ભવભવનો ધ્વંસ કરવામાં નિપુણ એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજું છું. ૨૧૬.
[શ્લોકાર્થઃ — ] આ જીવ અઘસમૂહના વશે સંસૃતિવધૂનું પતિપણું પામીને (અર્થાત્ શુભાશુભ કર્મોના વશે સંસારરૂપી સ્ત્રીનો પતિ બનીને) કામજનિત સુખ માટે આકુળ મતિવાળો
૨૫૮ ]
*નિરુપધિ = છેતરપિંડી વિનાના; સાચા; વાસ્તવિક.
Page 259 of 380
PDF/HTML Page 288 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
नवनोकषायविजयेन समासादितसामायिकचारित्रस्वरूपाख्यानमेतत् । થઈને જીવે છે. ક્યારેક ભવ્યત્વ વડે શીઘ્ર મુક્તિસુખને પામે છે, ત્યારે પછી ફરીને તેને એકને છોડીને તે સિદ્ધ ચલિત થતો નથી (અર્થાત્ એક મુક્તિસુખ જ એવું અનન્ય, અનુપમ અને પરિપૂર્ણ છે કે તેને પામીને તેમાં આત્મા સદાકાળ તૃપ્ત તૃપ્ત રહે છે, તેમાંથી કદીયે ચ્યુત થઈને અન્ય સુખ મેળવવા માટે આકુળ થતો નથી). ૨૧૭.
અન્વયાર્થઃ — [यः तु] જે [हास्यं] હાસ્ય, [रतिं] રતિ, [शोकं] શોક અને [अरतिं] અરતિને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
[यः] જે [जुगुप्सां] જુગુપ્સા, [भयं] ભય અને [सर्वं वेदं] સર્વ વેદને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા સામાયિકચારિત્રના સ્વરૂપનું કથન છે.
Page 260 of 380
PDF/HTML Page 289 of 409
single page version
मोहनीयकर्मसमुपजनितस्त्रीपुंनपुंसकवेदहास्यरत्यरतिशोकभयजुगुप्साभिधाननवनोकषाय- कलितकलंकपंकात्मकसमस्तविकारजालकं परमसमाधिबलेन यस्तु निश्चयरत्नत्रयात्मक- परमतपोधनः संत्यजति, तस्य खलु केवलिभट्टारकशासनसिद्धपरमसामायिकाभिधानव्रतं शाश्वतरूपमनेन सूत्रद्वयेन कथितं भवतीति ।
मुदा संसारस्त्रीजनितसुखदुःखावलिकरम् ।
समाधौ निष्ठानामनवरतमानन्दमनसाम् ।।२१८।।
મોહનીયકર્મજનિત સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા નામના નવ નોકષાયથી થતા કલંકપંકસ્વરૂપ (મળ-કાદવસ્વરૂપ) સમસ્ત વિકાર- સમૂહને પરમ સમાધિના બળથી જે નિશ્ચયરત્નત્રયાત્મક પરમ તપોધન તજે છે, તેને ખરેખર કેવળીભટ્ટારકના શાસનથી સિદ્ધ થયેલું પરમ સામાયિક નામનું વ્રત શાશ્વતરૂપ છે એમ આ બે સૂત્રોથી કહ્યું છે.
[હવે આ ૧૩૧-૧૩૨મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] સંસારસ્ત્રીજનિત *સુખદુઃખાવલિનું કરનારું નવ કષાયાત્મક આ બધું ( – નવ નોકષાયસ્વરૂપ સર્વ વિકાર) હું ખરેખર પ્રમોદથી તજું છું — કે જે નવ નોકષાયાત્મક વિકાર મહામોહાન્ધ જીવોને નિરંતર સુલભ છે અને નિરંતર આનંદિત મનવાળા સમાધિનિષ્ઠ (સમાધિમાં લીન) જીવોને અતિ દુર્લભ છે. ૨૧૮.
૨૬૦ ]
*સુખદુઃખાવલિ = સુખદુઃખની આવલિ; સુખદુઃખની પંક્તિ — હારમાળા. (નવ નોકષાયાત્મક વિકાર સંસારરૂપી સ્ત્રીથી ઉત્પન્ન સુખદુઃખની હારમાળાનો કરનાર છે.)
Page 261 of 380
PDF/HTML Page 290 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परमसमाध्यधिकारोपसंहारोपन्यासोऽयम् ।
यस्तु सकलविमलकेवलज्ञानदर्शनलोलुपः परमजिनयोगीश्वरः स्वात्माश्रयनिश्चयधर्म- ध्यानेन निखिलविकल्पजालनिर्मुक्त निश्चयशुक्लध्यानेन च अनवरतमखंडाद्वैतसहजचिद्विलास- लक्षणमक्षयानन्दाम्भोधिमज्जंतं सकलबाह्यक्रियापराङ्मुखं शश्वदंतःक्रियाधिकरणं स्वात्मनिष्ठ- निर्विकल्पपरमसमाधिसंपत्तिकारणाभ्यां ताभ्यां धर्मशुक्लध्यानाभ्यां सदाशिवात्मकमात्मानं ध्यायति हि तस्य खलु जिनेश्वरशासननिष्पन्नं नित्यं शुद्धं त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणं शाश्वतं सामायिकव्रतं भवतीति
અન્વયાર્થઃ — [यः तु] જે [धर्मं च] ધર્મધ્યાન [शुक्लं च ध्यानं] અને શુક્લધ્યાનને [नित्यशः] નિત્ય [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયિ છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, પરમ-સમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે.
જે સકળ-વિમળ કેવળજ્ઞાનદર્શનનો લોલુપ (સર્વથા નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શનની તીવ્ર અભિલાષાવાળો — ભાવનાવાળો) પરમ જિનયોગીશ્વર સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાન વડે અને સમસ્ત વિકલ્પજાળ રહિત નિશ્ચય-શુક્લધ્યાન વડે — સ્વાત્મનિષ્ઠ (નિજ આત્મામાં લીન એવી) નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત એવાં તે ધર્મ-શુક્લ ધ્યાનો વડે, અખંડ-અદ્વૈત-સહજ-ચિદ્વિલાસલક્ષણ (અર્થાત્ અખંડ અદ્વૈત સ્વાભાવિક ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા), અક્ષય આનંદસાગરમાં મગ્ન થતા (ડૂબતા), સકળ બાહ્યક્રિયાથી પરાઙ્મુખ, શાશ્વતપણે (સદા) અંતઃક્રિયાના અધિકરણભૂત, સદાશિવસ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે, તેને ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન થયેલું, નિત્યશુદ્ધ, ત્રિગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ જેનું લક્ષણ છે એવું, શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ પરમ-સમાધિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
Page 262 of 380
PDF/HTML Page 291 of 409
single page version
धर्मध्यानेप्यनघपरमानन्दतत्त्वाश्रितेऽस्मिन् ।
भेदाभावात् किमपि भविनां वाङ्मनोमार्गदूरम् ।।२१9।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमसमाध्यधिकारो नवमः श्रुतस्कन्धः ।।
[શ્લોકાર્થઃ — ] આ અનઘ (નિર્દોષ) પરમાનંદમય તત્ત્વને આશ્રિત ધર્મધ્યાનમાં અને શુક્લધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમી છે એવો શુદ્ધરત્નત્રયાત્મક જીવ એવા કોઈ વિશાળ તત્ત્વને અત્યંત પામે છે કે જેમાંથી ( – જે તત્ત્વમાંથી) મહા દુઃખસમૂહ નષ્ટ થયો છે અને જે (તત્ત્વ) ભેદોના અભાવને લીધે જીવોને વચન અને મનના માર્ગથી દૂર છે. ૨૧૯.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-સમાધિ અધિકાર નામનો નવમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૨૬૨ ]નિયમસાર
Page 263 of 380
PDF/HTML Page 292 of 409
single page version
अथ संप्रति हि भक्त्यधिकार उच्यते ।
रत्नत्रयस्वरूपाख्यानमेतत् ।
चतुर्गतिसंसारपरिभ्रमणकारणतीव्रमिथ्यात्वकर्मप्रकृतिप्रतिपक्षनिजपरमात्मतत्त्वसम्यक् -
હવે ભક્તિ અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [यः श्रावकः श्रमणः] જે શ્રાવક અથવા શ્રમણ [सम्यक्त्वज्ञानचरणेषु] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની [भक्तिं ] ભક્તિ [करोति] કરે છે, [तस्य तु] તેને [निर्वृतिभक्ति : भवति] નિર્વૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે [इति] એમ [जिनैः प्रज्ञप्तम्] જિનોએ કહ્યું છે.
ટીકાઃ — આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત તીવ્ર મિથ્યાત્વકર્મની પ્રકૃતિથી પ્રતિપક્ષ (વિરુદ્ધ) નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-અવબોધ-આચરણસ્વરૂપ શુદ્ધરત્નત્રય-
Page 264 of 380
PDF/HTML Page 293 of 409
single page version
श्रद्धानावबोधाचरणात्मकेषु शुद्धरत्नत्रयपरिणामेषु भजनं भक्ति राराधनेत्यर्थः । एकादशपदेषु श्रावकेषु जघन्याः षट्, मध्यमास्त्रयः, उत्तमौ द्वौ च, एते सर्वे शुद्धरत्नत्रयभक्तिं कुर्वन्ति । अथ भवभयभीरवः परमनैष्कर्म्यवृत्तयः परमतपोधनाश्च रत्नत्रयभक्तिं कुर्वन्ति । तेषां परमश्रावकाणां परमतपोधनानां च जिनोत्तमैः प्रज्ञप्ता निर्वृतिभक्ति रपुनर्भवपुरंध्रिकासेवा भवतीति ।
भक्तिं कुर्यादनिशमतुलां यो भवच्छेददक्षाम् ।
भक्तो भक्तो भवति सततं श्रावकः संयमी वा ।।२२०।।
પરિણામોનું જે ભજન તે ભક્તિ છે; આરાધના એવો તેનો અર્થ છે. *એકાદશપદી શ્રાવકોમાં જઘન્ય છ છે, મધ્યમ ત્રણ છે અને ઉત્તમ બે છે. — આ બધા શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે છે. તેમ જ ભવભયભીરુ, પરમનૈષ્કર્મ્યવૃત્તિવાળા (પરમ નિષ્કર્મ પરિણતિવાળા) પરમ તપોધનો પણ (શુદ્ધ) રત્નત્રયની ભક્તિ કરે છે. તે પરમ શ્રાવકો અને પરમ તપોધનોને જિનવરોએ કહેલી નિર્વાણભક્તિ — અપુનર્ભવરૂપી સ્ત્રીની સેવા — વર્તે છે.
[હવે આ ૧૩૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે જીવ ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ — શ્રાવક હો કે સંયમી હો — નિરંતર ભક્ત છે, ભક્ત છે. ૨૨૦.
૨૬૪ ]
*એકાદશપદી = જેમનાં અગિયાર પદો (ગુણાનુસાર ભૂમિકાઓ) છે એવા. [શ્રાવકોનાં નીચે પ્રમાણે
અગિયાર પદો છેઃ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પ્રોષધોપવાસ, (૫) સચિત્તત્યાગ,
(૬) રાત્રિભોજનત્યાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ
અને (૧૧) ઉદ્દિષ્ટાહારત્યાગ. તેમાં છઠ્ઠા પદ સુધી (છઠ્ઠી પ્રતિમા સુધી) જઘન્ય શ્રાવક છે, નવમા
પદ સુધી મધ્યમ શ્રાવક છે અને દસમા અથવા અગિયારમા પદે હોય તે ઉત્તમ શ્રાવક છે. આ
બધાં પદો સમ્યક્ત્વપૂર્વક, હઠ વિનાની સહજ દશાનાં છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.]
Page 265 of 380
PDF/HTML Page 294 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यवहारनयप्रधानसिद्धभक्ति स्वरूपाख्यानमेतत् ।
ये पुराणपुरुषाः समस्तकर्मक्षयोपायहेतुभूतं कारणपरमात्मानमभेदानुपचार- रत्नत्रयपरिणत्या सम्यगाराध्य सिद्धा जातास्तेषां केवलज्ञानादिशुद्धगुणभेदं ज्ञात्वा निर्वाणपरंपराहेतुभूतां परमभक्ति मासन्नभव्यः करोति, तस्य मुमुक्षोर्व्यवहारनयेन निर्वृति- भक्ति र्भवतीति ।
અન્વયાર્થઃ — [यः] જે જીવ [मोक्षगतपुरुषाणाम्] મોક્ષગત પુરુષોનો [गुणभेदं] ગુણભેદ [ज्ञात्वा] જાણીને [तेषाम् अपि] તેમની પણ [परमभक्तिं ] પરમ ભક્તિ [करोति] કરે છે, [व्यवहारनयेन] તે જીવને વ્યવહારનયે [परिकथितम्] નિર્વાણભક્તિ કહી છે.
ટીકાઃ — આ, વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે.
જે પુરાણ પુરુષો સમસ્તકર્મક્ષયના ઉપાયના હેતુભૂત કારણપરમાત્માને અભેદ- અનુપચાર-રત્નત્રયપરિણતિથી સમ્યક્પણે આરાધીને સિદ્ધ થયા તેમના કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને નિર્વાણની પરંપરાહેતુભૂત એવી પરમ ભક્તિ જે આસન્નભવ્ય જીવ કરે છે, તે મુમુક્ષુને વ્યવહારનયે નિર્વાણભક્તિ છે.
[હવે આ ૧૩૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જેમણે કર્મસમૂહને ખંખેરી નાખ્યો છે, જેઓ સિદ્ધિવધૂના (મુક્તિરૂપી
Page 266 of 380
PDF/HTML Page 295 of 409
single page version
ये निर्वाणवधूटिकास्तनभराश्लेषोत्थसौख्याकराः ।
तान् सिद्धानभिनौम्यहं प्रतिदिनं पापाटवीपावकान् ।।२२४।।
मुक्ति श्रीवनितामुखाम्बुजरवीन् स्वाधीनसौख्यार्णवान् ।
नित्यान् तान् शरणं व्रजामि सततं पापाटवीपावकान् ।।२२५।।
સ્ત્રીના) પતિ છે, જેમણે અષ્ટ ગુણરૂપ ઐશ્વર્યને સંપ્રાપ્ત કર્યું છે અને જેઓ કલ્યાણનાં ધામ છે, તે સિદ્ધોને હું નિત્ય વંદું છું. ૨૨૧.
[શ્લોકાર્થઃ — ] આ પ્રમાણે (સિદ્ધભગવંતોની ભક્તિને) વ્યવહારનયથી નિર્વાણભક્તિ જિનવરોએ કહી છે; નિશ્ચય-નિર્વાણભક્તિ રત્નત્રયભક્તિને કહી છે. ૨૨૨.
[શ્લોકાર્થઃ — ] આચાર્યોએ સિદ્ધત્વને નિઃશેષ (સમસ્ત) દોષથી દૂર, કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોનું ધામ અને શુદ્ધોપયોગનું ફળ કહ્યું છે. ૨૨૩.
[શ્લોકાર્થઃ — ] જેઓ લોકાગ્રે વસે છે, જેઓ ભવભવના ક્લેશરૂપી સમુદ્રના પારને પામ્યા છે, જેઓ નિર્વાણવધૂના પુષ્ટ સ્તનના આલિંગનથી ઉત્પન્ન સૌખ્યની ખાણ છે અને જેઓ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન કૈવલ્યસંપદાના ( – મોક્ષસંપદાના) મહા ગુણોવાળા છે, તે પાપાટવીપાવક ( – પાપરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન) સિદ્ધોને હું પ્રતિદિન નમું છું. ૨૨૪.
[શ્લોકાર્થઃ — ] જેઓ ત્રણ લોકના અગ્રે વસે છે, જેઓ ગુણમાં મોટા છે, જેઓ
૨૬૬ ]
Page 267 of 380
PDF/HTML Page 296 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
योग्याः सदा शिवमयाः प्रवराः प्रसिद्धाः ।
पंकेरुहोरुमकरंदमधुव्रताः स्युः ।।२२६।।
જ્ઞેયરૂપી મહાસાગરના પારને પામ્યા છે, જેઓ મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે, જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટ ગુણોને સિદ્ધ (પ્રાપ્ત) કર્યા છે, જેઓ ભવનો નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવીપાવક ( – પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન) નિત્ય (અવિનાશી) સિદ્ધભગવંતોનું હું નિરંતર શરણ ગ્રહું છું. ૨૨૫.
[શ્લોકાર્થઃ — ] જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે, જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધ છે, તે સિદ્ધભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના રમણીય મુખકમળના મહા ૧મકરંદના ભ્રમર છે (અર્થાત્ અનુપમ મુક્તિસુખને નિરંતર અનુભવે છે). ૨૨૬.
અન્વયાર્થઃ — [मोक्षपथे] મોક્ષમાર્ગમાં [आत्मानं] (પોતાના) આત્માને [संस्थाप्य च] સમ્યક્ પ્રકારે સ્થાપીને [निर्वृतेः] નિર્વૃતિની (નિર્વાણની) [भक्ति म्] ભક્તિ [करोति] કરે છે, [तेन तु] તેથી [जीवः] જીવ [असहायगुणं] ૨અસહાયગુણવાળા [निजात्मानम्] નિજ આત્માને [प्राप्नोति] પ્રાપ્ત કરે છે.
૧. મકરંદ = ફૂલનું મધ; ફૂલનો રસ.
૨. અસહાયગુણવાળો = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. [આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર
ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.]
Page 268 of 380
PDF/HTML Page 297 of 409
single page version
निजपरमात्मभक्ति स्वरूपाख्यानमेतत् ।
भेदकल्पनानिरपेक्षनिरुपचाररत्नत्रयात्मके निरुपरागमोक्षमार्गे निरंजननिजपरमात्मानंद पीयूषपानाभिमुखो जीवः स्वात्मानं संस्थाप्यापि च करोति निर्वृतेर्मुक्त्यङ्गनायाः चरणनलिने परमां भक्तिं, तेन कारणेन स भव्यो भक्ति गुणेन निरावरणसहजज्ञानगुणत्वादसहायगुणात्मकं निजात्मानं प्राप्नोति ।
नित्ये निर्मुक्ति हेतौ निरुपमसहजज्ञानद्रक्शीलरूपे ।
संस्थाप्यानंदभास्वन्निरतिशयगृहं चिच्चमत्कारभक्त्या प्राप्नोत्युच्चैरयं यं विगलितविपदं सिद्धिसीमन्तिनीशः ।।२२७।।
ટીકાઃ — આ, નિજ પરમાત્માની ભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ જીવ ભેદકલ્પનાનિરપેક્ષ નિરુપચાર-રત્નત્રયાત્મક ૧નિરુપરાગ મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક્ પ્રકારે સ્થાપીને નિર્વૃતિનાં — મુક્તિરૂપી સ્ત્રીનાં — ચરણકમળની પરમ ભક્તિ કરે છે, તે કારણથી તે ભવ્ય જીવ ભક્તિગુણ વડે નિજ આત્માને — કે જે નિરાવરણ સહજ જ્ઞાનગુણવાળો હોવાથી અસહાયગુણાત્મક છે તેને — પ્રાપ્ત કરે છે.
[હવે આ ૧૩૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ – ] આ અવિચલિત-મહાશુદ્ધ-રત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરુપમ- સહજ-જ્ઞાનદર્શનચારિત્રરૂપ, નિત્ય આત્મામાં આત્માને ખરેખર સમ્યક્ પ્રકારે સ્થાપીને, આ આત્મા ચૈતન્યચમત્કારની ભક્તિ વડે ૨નિરતિશય ઘરને — કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય (શોભીતું) છે તેને — અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. ૨૨૭.
૨૬૮ ]
૧. નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર; નિર્મળ; શુદ્ધ.
૨. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.
Page 269 of 380
PDF/HTML Page 298 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निश्चययोगभक्ति स्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारपरमसमाधिना निखिलमोहरागद्वेषादिपरभावानां परिहारे सति यस्तु साधुरासन्नभव्यजीवः निजेनाखंडाद्वैतपरमानंदस्वरूपेण निजकारणपरमात्मानं युनक्ति , स परमतपोधन एव शुद्धनिश्चयोपयोगभक्ति युक्त : । इतरस्य बाह्यप्रपंचसुखस्य कथं योगभक्ति र्भवति ।
तथा चोक्त म् —
અન્વયાર્થઃ — [यः साधुः तु] જે સાધુ [रागादिपरिहारे आत्मानं युनक्ति ] રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), [सः] તે [योगभक्ति युक्त :] યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છે; [इतरस्य च] બીજાને [योगः] યોગ [कथम्] કઈ રીતે [भवेत्] હોય?
ટીકાઃ — આ, નિશ્ચયયોગભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર ( – સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી) પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનો પરિહાર હોતાં, જે સાધુ — આસન્નભવ્ય જીવ — નિજ અખંડ અદ્વૈત પરમાનંદસ્વરૂપ સાથે નિજ કારણપરમાત્માને જોડે છે, તે પરમ તપોધન જ શુદ્ધનિશ્ચય-ઉપયોગભક્તિવાળો છે; બીજાને — બાહ્ય પ્રપંચમાં સુખી હોય તેને — યોગભક્તિ કઈ રીતે હોય?
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
Page 270 of 380
PDF/HTML Page 299 of 409
single page version
तथा हि —
अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्ति स्वरूपमुक्त म् ।
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો ( – આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.’’
વળી (આ ૧૩૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮.
અન્વયાર્થઃ — [यः साधुः तु] જે સાધુ [सर्वविकल्पाभावे आत्मानं युनक्ति ] સર્વ વિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [सः] તે [योगभक्ति युक्त :] યોગભક્તિવાળો છે; [इतरस्य च] બીજાને [योगः] યોગ [कथम्] કઈ રીતે [भवेत्] હોય?
ટીકાઃ — અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચય-યોગભક્તિનું સ્વરૂપ કહ્યું છે.
૨૭૦ ]
Page 271 of 380
PDF/HTML Page 300 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्यपूर्वनिरुपरागरत्नत्रयात्मकनिजचिद्विलासलक्षणनिर्विकल्पपरमसमाधिना निखिल- मोहरागद्वेषादिविविधविकल्पाभावे परमसमरसीभावेन निःशेषतोऽन्तर्मुखनिजकारणसमय- सारस्वरूपमत्यासन्नभव्यजीवः सदा युनक्त्येव, तस्य खलु निश्चययोगभक्ति र्नान्येषाम् इति ।
અતિ-અપૂર્વ ૧નિરુપરાગ રત્નત્રયાત્મક, ૨નિજચિદ્દવિલાસલક્ષણ નિર્વિકલ્પ પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિકલ્પોનો અભાવ હોતાં, પરમ સમ- રસીભાવ સાથે ૩નિરવશેષપણે અંતર્મુખ નિજ કારણસમયસારસ્વરૂપને જે અતિ- આસન્નભવ્ય જીવ સદા જોડે છે જ, તેને ખરેખર નિશ્ચયયોગભક્તિ છે; બીજાઓને નહિ.
[હવે આ ૧૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ભેદનો અભાવ હોતાં આ ૪અનુત્તમ યોગભક્તિ હોય છે; તેના વડે યોગીઓને આત્મલબ્ધિરૂપ એવી તે ( – પ્રસિદ્ધ) મુક્તિ થાય છે. ૨૨૯.
૧. નિરુપરાગ = નિર્વિકાર; શુદ્ધ. [પરમ સમાધિ અતિ-અપૂર્વ શુદ્ધ રત્નત્રયસ્વરૂપ છે.]
૨. પરમ સમાધિનું લક્ષણ નિજ ચૈતન્યનો વિલાસ છે.
૩. નિરવશેષ = પૂરેપૂરું. [કારણસમયસારસ્વરૂપ પૂરેપૂરું અંતર્મુખ છે.]
૪. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.