Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 143-170 ; 4 (Chaar) Shiksha Vrat.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 10

 

Page 109 of 186
PDF/HTML Page 121 of 198
single page version

પાપોપદેશ અનર્થદંડત્યાગવ્રત કહે છે. શ્રાવક ગૃહસ્થ પોતાના કુટુંબીઓને, ભાઈબંધોને, પોતાનાં સગાંવહાલાંઓને–સંબંધીઓને કે જેમની સાથે પોતાને પ્રયોજન છે તેમને તથા પોતાના સાધર્મી ભાઈઓ છે તેમને તેમનો નિર્વાહ ચલાવવા માટે અવશ્ય વ્યાપાર વગેરેનો ઉપદેશ આપીને નિમિત્ત સંબંધી ચેષ્ટા કરે, પણ જેમની સાથે પોતાને કાંઈ પણ પ્રયોજન નથી તેમને ઉપદેશ ન દેવો જોઈએ. ૧૪૨.

પ્રમાદચર્યા અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

भूखननवृक्षमोट्टनशाड्वलदलनाम्बुसेचनादीनि।
निष्कारणं न कुर्याद्दलफलकुसुमोच्चयानपि
च।। १४३।।

અન્વયાર્થઃ– [भूखननवृक्षमोट्टनशाड्वलदलनाम्बुसेचनादीनि] પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવાં, અતિશય ઘાસવાળી જમીન કચરવી, પાણી સીંચવું વગેરે [च] અને [दलफलकुसुमोच्चयान्] પત્ર, ફળ, ફૂલ તોડવા [अपि] વગેરે પણ [निष्कारणं] પ્રયોજન વિના [न कुर्यात्] ન કરવું.

ટીકાઃ– ‘निष्कारणं भूखनन वृक्षमोट्टन शाड्वलदलन अम्बुसेचनादीनि च दलफलकुसुमोच्चयान् अपि च न कुर्यात्’–અર્થઃ–વિના પ્રયોજને પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા, ઘાસ કચરવું, પાણી સીંચવું–ઢોળવું તથા પાંદડાં, ફળ, ફૂલો તોડવાં, ઇત્યાદિ કોઈ પણ કાર્ય ન કરવું.

ભાવાર્થઃ– ગૃહસ્થ શ્રાવક પોતાના પ્રયોજન માટે કાંઈ પણ કરી શકે છે, પણ જેમાં પોતાનો કાંઈ પણ સ્વાર્થ નથી, જેમકે રસ્તે ચાલતાં વનસ્પતિ વગેરે તોડવી ઇત્યાદિ નકામાં કામ ન કરવાં જોઈએ. એને જ પ્રમાદચર્યાઅનર્થદંડત્યાગવ્રત કહે છે. ૧૪૩.

હિંસાપ્રદાન અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

असिधेनुविषहुताशनलाङ्गलकरवालकार्मुकादीनाम्।
वितरणमुपकरणानां
हिंसायाः परिहरेद्यत्नात्।। १४४।।

અન્વયાર્થઃ– [असि–धेनु–विष–हुताशन–लाङ्गल–करवाल–कार्मुकादीनाम्] છરી, વિષ, અગ્નિ, હળ, તલવાર, ધનુષ આદિ [हिंसायाः] હિંસાનાં [उपकरणानां] ઉપકરણોનું


Page 110 of 186
PDF/HTML Page 122 of 198
single page version

[वितरणम्] વિતરણ એટલે કે બીજાને દેવું તે [यत्नात्] સાવધાનીથી [परिहरेत्] છોડી દેવું જોઈએ.

ટીકાઃ– ‘हिंसायाः उपकरणानां असि धेनु विष हुताशन लाङ्गल करवाल कार्मुकादीनाम् परिहरेत्’–અર્થઃ–હિંસા કરવાનાં સાધન છરી, વિષ, અગ્નિ, હળ, તરવાર, બાણ વગેરેનું દેવું પ્રયત્નથી દૂર કરે અર્થાત્ બીજાને આપે નહિ, એને જ હિંસાદાન અર્થદંડત્યાગવ્રત કહે છે. જે વસ્તુઓ આપવાથી હિંસા થતી હોય તે વસ્તુઓનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે પરંતુ બીજાઓને કદીપણ ન આપવી. ૧૪૪.

દુઃશ્રુત્તિ અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

रागादिवर्द्धनानां दुष्टकथानामबोधबहुलानाम्।
न कदाचन
कुर्वीत श्रवणार्जनशिक्षणादीनि।। १४५।।

અન્વયાર્થઃ– [रागादिवर्द्धनानां] રાગ, દ્વેષ, મોહાદિને વધારનાર તથા [अबोधबहुलानाम्] ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી [दुष्टकथानाम्] દુષ્ટ કથાઓનું [श्रवणार्जनशिक्षणादीनि] સાંભળવું, ધારવું, શીખવું આદિ [कदाचन] કોઈ સમયે, કદીપણ [न कुर्वीत] કરવું ન જોઈએ.

ટીકાઃ– ‘अबोध (मिथ्यात्व) बहुलानां रागादिवर्द्धनानां दुष्टकथानां श्रवणार्जनशिक्षणादीनि न कदाचन कुर्वीत’–અર્થઃ–મિથ્યાત્વસહિત રાગદ્વેષ, વેરભાવ, મોહ, મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કદી પણ ન કરવું. એને જ દુઃશ્રુતિ અનર્થદંડત્યાગવ્રત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી અને શિખવવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેશ થાય એવી રાજકથા, ચોરકથા, ભોજનકથા, સ્ત્રીકથા ઇત્યાદિ કથાઓ કહેવી નહિ. ૧૪પ.

મહાહિંસાનું કારણ અને અનેક અનર્થ ઉત્પન્ન કરનાર જુગારનો પણ
ત્યાગ કરવો જોઈએઃ–

सर्वानर्थप्रथमं मथनं शौचस्य सद्म मायायाः।
दूरात्परिहरणीयं चौर्यासत्यास्पदं द्यूतम्।। १४६।।


Page 111 of 186
PDF/HTML Page 123 of 198
single page version

અન્વયાર્થઃ– [सर्वानर्थप्रथमं] સાત વ્યસનોમાં પહેલું અથવા બધાં અનર્થોમાં મુખ્ય, [शौचस्य मथनं] સંતોષનો નાશ કરનાર, [मायायाः] માયાચારનું [सद्म] ઘર અને [चौर्यासत्यास्पदम्] ચોરી તથા અસત્યનું સ્થાન [द्यूतम्] એવા જુગારનો [दूरात्] દૂરથી જ [परिहरणीयम्] ત્યાગ કરવો જોઈએ.

ટીકાઃ– ‘सर्वानर्थप्रथमम् मथनं शौचस्य, सद्म मायायाः चौर्यासत्यास्पदं द्यूतम् दूरात् परिहरणीयम्।’–અર્થઃ–બધાં અનર્થોને ઉત્પન્ન કરનાર, શૌચ જે લોભનો ત્યાગ તેનો નાશ કરનાર અને કપટનું ઘર એવા જુગારને દૂરથી જ છોડવો જોઈએ.

ભાવાર્થઃ– ખરી રીતે જુગાર રમવો ઘણું જ ખરાબ કામ છે. સાત વ્યસનોમાંથી જુગાર જ સૌથી ખરાબ છે. જે પુરુષ જુગાર રમે છે તેઓ પ્રાયઃ બધાં પાપોનું આચરણ કરે છે, માટે જુગારનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. તેથી અનર્થદંડ ત્યાગનારને જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. ૧૪૬.

વિશેષ કહે છેઃ–

एवंविधमपरमपि ज्ञात्वा मुञ्चत्यनर्थदण्डं यः।
तस्यानिशमनवद्यं विजयमहिंसाव्रतं लभते।। १४७।।

અન્વયાર્થઃ– [यः] જે મનુષ્ય [एवं विधं] આ પ્રકારના [अपरमपि] બીજા પણ [अनर्थदंडम्] અનર્થદંડને [ज्ञात्वा] જાણીને [मुञ्चति] ત્યાગે છે [तस्य] તેને [अनवद्यं] નિર્દોષ [अहिंसाव्रतं] અહિંસાવ્રત [अनिशम्] નિરંતર [विजयम्] વિજય [लभते] પામે છે.

ટીકાઃ– ‘यः एवं विधं अपरं अपि अनर्थदण्डं ज्ञात्वा मुञ्चति तस्य अनवद्यं अहिंसाव्रतं अनिशं विजयं लभते।’–અર્થઃ–જે મનુષ્ય આ રીતે બીજા પણ પાપબંધ કરનાર અનર્થદંડને જાણીને છોડે છે, તે પુરુષનું પાપરહિત અહિંસાવ્રત હંમેશા વિજય પામે છે, અર્થાત્ સદૈવ પુણ્યબંધ કરતો, પાપનો ત્યાગ કરતો થકો કર્મોની નિર્જરા કરે છે.

ભાવાર્થઃ– સંસારમાં એવાં નાનાં નાનાં ઘણાં કાર્યો છે કે જેને કરવાથી વ્યર્થ જ પાપનો બંધ કર્યા કરે છે, તેથી બધા મનુષ્યોએ જેનાથી પોતાનું કાંઈ પ્રયોજન નથી એવા વ્યર્થ અનર્થદંડોનો ત્યાગ અવશ્ય કરવો–એ તેમનું કર્તવ્ય છે. આ રીતે ત્રણ ગુણવ્રતોનું વર્ણન સમાપ્ત કર્યું. ૧૪૭.


Page 112 of 186
PDF/HTML Page 124 of 198
single page version

હવે ચાર શિક્ષાવ્રતોનું વર્ણન કરે છેઃ–
પહેલું સામાયિક શિક્ષાવ્રત

रागद्वेषत्यागान्निखिलद्रव्येषु साम्यमवलम्ब्य।
तत्त्वोपलब्धिमूलं
बहुशः सामायिकं कार्यम्।। १४८।।

અન્વયાર્થઃ– [रागद्वेषत्यागात्] રાગ–દ્વેષના ત્યાગથી [निखिलद्रव्येषु] બધા ઇષ્ટ– અનિષ્ટ પદાર્થોમાં [साम्यं] સામ્યભાવને [अवलम्ब्य] અંગીકાર કરીને [तत्त्वोपलब्धिमूलं] આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળકારણ એવું [सामायिकं] સામાયિક [कार्यम्] કરવું જોઈએ.

ટીકાઃ– ‘निखिलद्रव्येषु रागद्वेषत्यागात् साम्यं अवलम्ब्य तत्त्वोपलब्धि मूलं सामायिकं बहुशः कार्यम्।’ અર્થઃ–સમસ્ત ઇષ્ટ–અનિષ્ટ પદાર્થોમાં રાગદ્વેષ ભાવોનો ત્યાગ કરવાથી, સમતાભાવનું આલંબન કરીને, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં મૂળકારણ સામાયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે કરવું જોઈએ. તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે.

ભાવાર્થઃ– ‘સમ્’ એટલે એકરૂપ અને ‘અય’ એટલે આત્માના સ્વરૂપમાં ગમન તે ‘સમય’ થયું. એવો ‘સમય’ જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક અને દુઃખદાયક પદાર્થોમાં સમાન બુદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ કરીને અવશ્ય સામાયિક કરે. એને સામાયિક શિક્ષાવ્રત કહે છે. ૧૪૮.

સામાયિક કયારે અને કેવી રીતે કરવું તે બતાવે છેઃ–

रजनीदिनयोरन्ते तदवश्यं भावनीयमविचलितम्।
इतरत्र पुनः समये नं कृतं दोषाय तद्गुणाय कृतम्।। १४९।।

અન્વયાર્થઃ– [तत्] તે સામાયિક [रजनीदिनयोः] રાત્રિ અને દિવસના [अन्ते] અંતે [अविचलितम्] એકાગ્રતાપૂર્વક [अवश्यं] અવશ્ય [भावनीयम्] કરવું જોઈએ. [पुनः] અને જો [इतरत्र समये] અન્ય સમયે [कृतं] કરવામાં આવે તો [तत् कृतं] તે સામાયિક કાર્ય [दोषाय] દોષનો હેતુ [न] નથી, પણ [गुणाय] ગુણને માટે જ હોય છે.


Page 113 of 186
PDF/HTML Page 125 of 198
single page version

ટીકાઃ– ‘तत् सामायिकं रजनी दिनयोः अन्ते अवश्यं अविचलितं भावनीयं पुनः इतरत्र समये दोषाय कृतम् न किन्तु तत् गुणाय कृतम् अस्ति।’–અર્થઃ–તે સામાયિક પ્રત્યેક શ્રાવકે રાતના અંતે અને દિવસના અંતે અર્થાત્ પ્રભાતે અને સંધ્યાકાળે અવશ્ય નિયમપૂર્વક કરવું જોઈએ અને બાકીના વખતે જો સામાયિક કરે તો ગુણ નિમિત્તે જ હોય છે, દોષ નિમિત્તે નહિ.

ભાવાર્થઃ– ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થપણાનાં અનેક કાર્યોમાં સંલગ્ન રહે છે તેથી તેને માટે આલંબનરૂપ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સામાયિક ગમે ત્યારે કરવામાં આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે, નુકસાન કદીપણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપનો તથા આરંભ–પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવવાર નમસ્કારમંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોનતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખડ્ગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવવાર નમસ્કારમંત્રનો જાપ, ત્રણ ત્રણ આવર્તન, એક એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી. આ જ સામાયિક કરવાની સ્થૂળ વિધિ છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિસમાન જ છે. ૧૪૯.

सामायिकश्रितानां समस्तसावद्ययोगपरिहारात्।
भवति
महाव्रतमेषामुदयेऽपि चरित्रमोहस्य।। १५०।।

અન્વયાર્થઃ– [एषाम्] [सामायिकश्रितानां] સામાયિક દશાને પામેલા શ્રાવકોને [चरित्रमोहस्य] ચારિત્રમોહનો [उदये अपि] ઉદય હોવા છતાં પણ [समस्तसावद्ययोगपरिहारात्] સમસ્ત પાપના યોગના ત્યાગથી [महाव्रतं] મહાવ્રત [भवति] થાય છે. _________________________________________________________________ ૧. [સામાયિકને માટે ૧–યોગ્ય ક્ષેત્ર, ૨–યોગ્ય કાળ, ૩–યોગ્ય આસન, ૪–યોગ્ય વિનય, પ–મનશુદ્ધિ,

૬–વચનશુદ્ધિ, ૭–ભાવશુદ્ધિ અને ૮–કાયશુદ્ધિ એ આઠ વાતની અનુકૂળતા હોવી જરૂરી છે; તેમાં
ભેદજ્ઞાનપૂર્વક સ્વસન્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામાયિક છે,
ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચયસમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જેણે
કષાયની બે ચોકડીનો અભાવ કર્યો છે તે જીવને સાચાં અણુવ્રત અને સામાયિકવ્રત હોય છે, જેને
નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત–અજ્ઞાનમયવ્રત કહેલ છે.
]


Page 114 of 186
PDF/HTML Page 126 of 198
single page version

ટીકાઃ– ‘सामायिकश्रितानां एषां श्रावकानां समस्तसावद्ययोगपरिहारात् चरित्रमोहस्य उदये अपि महाव्रतं भवति।’–અર્થઃ–સામાયિક કરનાર શ્રાવકને તે સમયે સમસ્ત પાંચે પાપોનો ત્યાગ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવા છતાં પણ મહાવ્રત જ છે.

ભાવાર્થઃ– શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફક્ત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્રસહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજી સુધી પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કર્યો નથી. ૧પ૦.

હવે બીજું શિક્ષાવ્રત પ્રોષધોપવાસનું સ્વરૂપ કહે છેઃ–

सामायिकसंस्कारं प्रतिदिनमारोपितं स्थिरीकर्तुम्।
पक्षार्द्धयोर्द्वयोरपि
कर्तव्योऽवश्यमुपवासः।। १५१।।

અન્વયાર્થઃ– [प्रतिदिनं] દરરોજ [आरोपितं] અંગીકાર કરેલ [सामायिकसंस्कारं] સામાયિકરૂપ સંસ્કાર [स्थिरीकर्तुम्] સ્થિર કરવાને માટે [द्वयोः] બન્ને [पक्षार्द्धयोः] પક્ષના અર્ધભાગમાં અર્થાત્ અષ્ટમી અને ચતુર્દશીના દિવસે [उपवासः] ઉપવાસ [अवश्यमपि] અવશ્ય [कर्तव्यः] કરવો જોઈએ.

ટીકાઃ– ‘प्रतिदिनं आरोपितं सामायिक संस्कारं स्थिरीकर्तुम् द्वयोरपि पक्षार्द्धयोः अवश्यम् उपवासः कर्तव्यः’–અર્થઃ–પ્રતિદિન અંગીકાર કરેલ સામાયિક વ્રતની દ્રઢતા કરવા માટે બન્ને પખવાડિયાના અર્ધા ભાગમાં જે ચૌદશ અને આઠમ છે તેમાં અવશ્ય ઉપવાસ કરવો જોઈએ.

ભાવાર્થઃ– આ પ્રોષધ ઉપવાસ દરેક મહિનામાં ચાર વાર કરવામાં આવે છે, અર્થાત્ દરેક ચૌદશ અને આઠમના દિવસે તે કરવામાં આવે છે. તેનાથી સામાયિક કરવાની ભાવના દ્રઢ રહે અર્થાત્ વિષયકષાયોમાંથી ચિત્ત સદા વિરક્ત જ રહે છે તેથી પ્રત્યેક ગૃહસ્થે સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૧પ૧.

પ્રોષધોપવાસની વિધિ

मुक्तसमस्तारम्भः प्रोषधदिनपूर्ववासरस्यार्द्धे।
उपवासं
गृह्णीयान्ममत्वमपहाय देहादौ।। १५२।।


Page 115 of 186
PDF/HTML Page 127 of 198
single page version

અન્વયાર્થઃ– [मुक्तसमस्तारम्भः] સમસ્ત આરંભથી મુક્ત થઈને [देहादौ] શરીરાદિમાં [ममत्वं] આત્મબુદ્ધિનો [अपहाय] ત્યાગ કરીને [प्रोषधदिनपूर्ववासरस्यार्द्धे] ઉપવાસના આગલા દિવસના અર્ધા ભાગમાં [उपवासं] ઉપવાસ [गृह्णीयात्] અંગીકાર કરવો જોઈએ.

ટીકાઃ– ‘प्रोषधदिनपूर्ववासरस्यार्द्धे मुक्तसमस्तारम्भः देहादौ ममत्वं अपहाय उपवासं गृह्णीयात्।’–અર્થઃ–ઉપવાસ કરવાના એક દિવસ અગાઉ અર્થાત્ ધારણાના દિવસે સમસ્ત આરંભ છોડીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને શરીર વગેરેમાં મમત્વભાવ છોડીને ઉપવાસ ગ્રહણ કરવો.

ભાવાર્થઃ– જેમ કે આઠમનો ઉપવાસ કરવાનો છે તો સાતમના બાર વાગ્યાથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સમસ્ત આરંભનો ત્યાગ કરતો થકો શરીરાદિથી મોહ છોડીને ઉપવાસ ધારણ કરવો. ૧પ૨.

ઉપવાસના દિવસનું કર્તવ્ય

श्रित्वा विविक्तवसतिं समस्तसावद्ययोगमपनीय।
सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिस्तिष्ठेत्।। १५३।।

અન્વયાર્થઃ– પછી [विविक्तवसतिं] નિર્જન વસતિકા–નિવાસસ્થાનમાં [श्रित्वा] જઈને [समस्तसावद्ययोगं] સમ્પૂર્ણ સાવદ્યયોગનો [अपनीय] ત્યાગ કરીને [सर्वेन्द्रियार्थविरतः] સર્વ ઇન્દ્રિયોથી વિરક્ત થઈ [कायमनोवचनगुप्तिभिः] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત [तिष्ठेत] સ્થિર થાય.

ટીકાઃ– ‘विविक्त वसतिं श्रित्वा समस्त सावद्ययोगं अपनीय सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिः तिष्ठेत्।’–અર્થઃ–જેણે સાતમના દિવસે ઉપવાસ ધારણ કર્યો છે તે શ્રાવક તે જ વખતે એકાંત સ્થાનમાં જઈને હિંસાદિ પાંચે પાપોનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને, પાંચે ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈને મન, વચન અને કાયાને વશ રાખે અર્થાત્ ત્રણે ગુપ્તિનું પાલન કરે. _________________________________________________________________ ૧. પ્રાચીન સમયમાં નગર–ગ્રામોની બહાર ધર્માત્માજન મુનિઓને ઉતરવા માટે–આરામ માટે અથવા

સામાયિક આદિ કરવા માટે ઝુંપડી કરાવી દેતા, તેને વસતિકા કહેતા હતા. અનેક નગરોમાં
વસતિકાઓ આજ પણ જોવામાં આવે છે. ૨–અપધ્યાન માઠું ધ્યાન, અપકથન અને અપચેષ્ટારૂપ
પાપસહિત ક્રિયા. ૩–સમસ્તસાવદ્યયોગનો ત્યાગ જે સમયે સાવદ્યક્રિયાઓનો ત્યાગ કરે, તે સમયે
‘‘હું સર્વસાવદ્યયોગનો ત્યાગી થાઉં છું’’ એવી પ્રતિજ્ઞા કરે.


Page 116 of 186
PDF/HTML Page 128 of 198
single page version

ભાવાર્થઃ– ઉપવાસનો બધો સમય ધર્મધ્યાન વગેરેમાં વિતાવવો જોઈએ. એકાંત સ્થાન વિના ધર્મધ્યાન થઈ શકતું નથી. માટે એકાંત સ્થાન ધર્મશાળા, ચૈત્યાલય વગેરેમાં વાસ કરે અને જો મનમાં વિચાર કરે તો ધાર્મિક વાતોનો જ વિચાર કરે, જો વચન બોલે તો ધાર્મિક વાતોનું જ વિવેચન કરે અને જો કાયાની ચેષ્ટા કરે તો પોતાની મર્યાદા પ્રમાણે જ હરે ફરે, નિરર્થક હરે ફરે નહિ. આ રીતે ત્રણે ગુપ્તિઓનું પાલન કરે. ૧પ૩.

પછી શું કરે તે બતાવે છેઃ–

धर्मध्यानासक्तो वासरमतिवाह्य विहितसान्ध्यविधिम्।
शुचिसंस्तरे त्रियामां
गमयेत्स्वाध्यायजितनिद्रः।। १५४।।

અન્વયાર્થઃ– [विहितसान्ध्यविधिम्] જેમાં પ્રાતઃકાળ અને સંધ્યાકાળની સામાયિકાદિ ક્રિયા કરીને [वासरम्] દિવસ [धर्मध्यानासक्तः] ધર્મધ્યાનમાં લીન થઈને [अतिवाह्य] વિતાવીને [स्वाध्यायजितनिद्रः] પઠન–પાઠનથી નિદ્રાને જીતીને [शुचिसंस्तरे] પવિત્ર પથારી પર [त्रियामां] રાત્રિ [गमयेत्] પૂર્ણ કરે.

ટીકાઃ– ‘धर्मध्यानासक्तो वासरं अतिवाह्य विहित सान्ध्यविधिम् स्वाध्यायजितनिद्रः शुचिसंस्तरे त्रियामां गमयेत्।’–અર્થઃ–ઉપવાસ સ્વીકારીને શ્રાવક, ધર્મધ્યાનમાં લીન થઈ દિવસ પૂર્ણ કરી સંધ્યા સમયે સામાયિક વગેરે કરીને ત્રણ પહોર સુધી પવિત્ર પથારીમાં યથાશક્તિ સ્વાધ્યાય કરીને રાત્રિ પૂર્ણ કરે.

ભાવાર્થઃ– આ ઉપવાસ ધારણાનો દિવસ છે તેથી બપોરના બાર વાગ્યાથી સંધ્યાકાળ સુધી ધર્મધ્યાન કરવું, પછી સામાયિક કરવું, પછી સ્વાધ્યાય કરવી, પછી શયન કરવું. યથાશક્તિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. પછી પ્રાતઃકાળે ચાર વાગ્યે પથારી છોડીને જાગ્રત થઈ જવું. ૧પ૪.

પછી શું કરવું?

प्रातः प्रोत्थाय ततः कृत्वा तात्कालिकं क्रियाकल्पम्।
निर्वर्तयेद्यथोक्तं
जिनपूजां प्रासुकैर्द्रव्यैः।। १५५।।

અન્વયાર્થઃ– [ततः] પછી [प्रातः] સવારમાં [प्रोत्थाय] ઊઠીને [तात्कालिकं] તે સમયની [क्रियाकल्पम्] ક્રિયાઓ [कृत्वा] કરીને [प्रासुकैः] પ્રાસુક અર્થાત્


Page 117 of 186
PDF/HTML Page 129 of 198
single page version

જીવરહિત [द्रव्यैः] દ્રવ્યોથી [यथोक्तं] આર્ષ ગ્રન્થોમાં કહ્યા પ્રમાણે [जिनपूजां] જિનેશ્વરદેવની પૂજા [निर्वर्तयेत्] કરવી.

ટીકાઃ– ‘ततः प्रातः प्रोत्थाय तात्कालिकं क्रियाकल्पं कृत्वा यथोक्तं प्रासुकैः द्रव्यैः जिनपूजां निर्वर्तयेत्।’–અર્થઃ–સૂતા પછી ચાર વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં જાગ્રત થઈને સામાયિક અને ભજન–સ્તુતિ વગેરે કરીને શૌચાદિ સ્નાન વગેરે કરી પ્રાસુક આઠ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તથા સ્વાધ્યાય વગેરે કરવાં.

ભાવાર્થઃ– આચાર્યોનો અભિપ્રાય અહીં પ્રાસુક દ્રવ્યોથી પૂજન કરવાનો છે તેથી જળને લવિંગ દ્વારા પ્રાસુક બનાવી લેવું જોઈએ અથવા જળ ઉકાળી લેવું જોઈએ અને તે જળથી દ્રવ્યો ધોવાં જોઈએ. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી, સીતાફળ, શેરડી આદિ સચિત્ત વસ્તુઓ ઉપવાસના વ્રતધારીએ કદીપણ ચઢાવવી નહિ. ૧પપ.

उक्तेन ततो विधिना नीत्वा दिवसं द्वितीयरात्रिं च।
अतिवाह्येत्प्रयत्नादर्धं
च तृतीयदिवसस्य।। १५६।।

અન્વયાર્થઃ– [ततः] ત્યાર પછી [उक्तेन] પૂર્વોક્ત [विधिना] વિધિથી [दिवसं] ઉપવાસનો દિવસ [च] અને [द्वितीयरात्रिं] બીજી રાત્રિ [नीत्वा] વિતાવીને [च] પછી [तृतीयदिवसस्य] ત્રીજા દિવસનો [अर्धं] અર્ધભાગ પણ [प्रयत्नात्] અતિશય યત્નાચારપૂર્વક [अतिवाहयेत्] વ્યતીત કરવો.

ટીકાઃ– ‘ततः उक्तेन विधिना दिवसं नीत्वा च द्वितीय रात्रिं नीत्वा च तृतीय दिवसस्य अर्द्धं प्रयत्नात् अतिवाहयेत्।’–અર્થઃ–પછી જેવી રીતે ધર્મધ્યાનથી પહેલો અર્ધો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે બીજો દિવસ વિતાવીને, તથા જેવી રીતે સ્વાધ્યાયપૂર્વક પહેલી રાત્રિ વિતાવી હતી તેવી જ રીતે બીજી રાત્રિ વિતાવીને ખૂબ પ્રયત્નપૂર્વક ત્રીજો અર્ધો દિવસ પણ વિતાવવો.

ભાવાર્થઃ– જેવી રીતે ધારણાનો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે પારણાનો દિવસ વિતાવવો. ધારણાથી લઈને પારણા સુધી સોળ પહોર સુધી શ્રાવકે સારી રીતે _________________________________________________________________ ૧. પ્રાસુક જે દ્રવ્ય સુકાયેલું હોય પાકી ગયેલું હોય, અગ્નિથી તપાવેલું હોય, આમ્લરસ તથા લવણ

મિશ્રિત હોય, કોલ્હુ, સંચો, છરી, ઘંટી આદિ યંત્રોથી છિન્નભિન્ન કરેલ હોય તથા સંશોધિત હોય તે
બધાં પ્રાસુક અચિત્ત છે. આ ગાથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રન્થની સંસ્કૃત ટીકામાં તથા
ગોમ્મટસારની કેશવવર્ણીકૃત સં. ટીકામાં સત્યવચનના ભેદોમાં કહેવામાં આવી છે.


Page 118 of 186
PDF/HTML Page 130 of 198
single page version

ધર્મધ્યાનપૂર્વક જ સમય વિતાવવો, ત્યારે જ તેનો ઉપવાસ કરવો સાર્થક છે; કારણ કે વિષય– કષાયોના ત્યાગ માટે જ ઉપવાસ વગેરે કરવામાં આવે છે. ૧પ૬.

ઉપવાસ કરવાનું ફળ બતાવે છેઃ–

इति यः षोडशयामान् गमयति परिमुक्तसकलसावद्यः।
तस्य
तदानीं नियतं पूर्णमहिंसाव्रतं भवति।। १५७।।

અન્વયાર્થઃ– [यः] જે જીવ [इति] આ રીતે [परिमुक्तसकलसावद्यः सन्] સંપૂર્ણ પાપક્રિયાઓથી રહિત થઈને [षोडशयामान्] સોળ પહોર [गमयति] વિતાવે છે [तस्य] તેને [तदानीं] તે વખતે [नियतं] નિશ્ચયપૂર્વક [पूर्णं] સંપૂર્ણ [अहिंसाव्रतं] અહિંસાવ્રત [भवति] થાય છે.

ટીકાઃ– ‘इति (पूर्वोक्तरीत्या) यः (श्रावकः) परिमुक्तसकलसावद्यः षोडशयामान् गमयति, तस्य (श्रावकस्य) तदानीं नियतं पूर्णं अहिंसाव्रतं भवति।’–અર્થઃ–જેવી રીતે ઉપવાસની વિધિ બતાવી છે તેવી રીતે જે શ્રાવક સંપૂર્ણ આરંભ–પરિગ્રહનો ત્યાગ કરી સોળ પહોર વિતાવે છે તે શ્રાવકને તે સોળ પહોરમાં નિયમથી પૂર્ણ અહિંસાવ્રતનું પાલન થાય છે.

ભાવાર્થઃ– ઉપવાસ ત્રણ પ્રકારે છેઃ–ઉત્કૃષ્ટ ઉપવાસ સોળ પહોરનો છે, મધ્યમ ઉપવાસ બાર પહોરનો છે, જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે. જેમ (૧) સાતમને દિવસે બાર વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે બાર વાગ્યે

પારણું કર્યું તો સોળ પહોર થયા તે ઉત્કૃષ્ટ ઉપવાસ છે.
(૨) સાતમને દિવસે સંધ્યા સમયે પાંચ વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે
સાત વાગ્યે પારણું કરે તો એ બાર પહોરનો મધ્યમ ઉપવાસ છે.
(૩) જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે. એ આઠમને દિવસે સવારમાં આઠ વાગ્યે ધારણ
કરવામાં આવે અને નોમને દિવસે સવારે આઠ વાગ્યે પારણું કરવામાં આવે તે આઠ
પહોરનો જઘન્ય ઉપવાસ થયો. આ રીતે ઉપવાસનું વર્ણન પૂર્ણ થયું. ૧પ૭.

ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ

भोगोपभोगहेतोः स्थावरहिंसा भवेत् किलामीषाम्।
भोगोपभोग विरहाद्भवति न लेशोऽपि हिंसायाः।। १५८।।


Page 119 of 186
PDF/HTML Page 131 of 198
single page version

અન્વયાર્થઃ– [किल] ખરેખર [अमीषाम्] આ દેશવ્રતી શ્રાવકને [भोगोपभोग] ભોગ–ઉપભોગના હેતુથી [स्थावरहिंसा] સ્થાવર અર્થાત્ એકેન્દ્રિય જીવોની હિંસા [भवेत्] થાય છે પણ [भोगोपभोगविरहात्] ભોગ–ઉપભોગના ત્યાગથી [हिंसायाः] હિંસા [लेशः अपि] લેશ પણ [न भवति] થતી નથી.

ટીકાઃ– ‘‘किल अमीषाम् (श्रावकानाम्) भोगोपभोगहेतोः स्थावरहिंसा भवेत् (अतः उपवासे) भोगोपभोगविरहात् हिंसायाः लेशोऽपि न भवति’’–અર્થઃ–નિશ્ચયથી શ્રાવકોને ભોગ– ઉપભોગના પદાર્થો સંબંધી સ્થાવરહિંસા થાય છે, કેમકે ગૃહસ્થ શ્રાવક ત્રસહિંસાનો તો પૂર્ણ ત્યાગી જ છે. જ્યારે ગૃહસ્થ ઉપવાસમાં સમસ્ત આરંભ–પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે ત્યારે તેને ઉપવાસમાં સ્થાવરહિંસા પણ થતી નથી. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧પ૮.

એ જ રીતે ઉપવાસમાં અહિંસા મહાવ્રતની જેમ બીજાં ચાર મહાવ્રત પણ પળાય છે એ વાત બતાવે છેઃ–

वाग्गुप्तेर्नास्त्यनृतं न समस्तादानविरहतः स्तेयम्।
नाब्रह्म मैथुनमुचः सङ्गो
नाङ्गेप्यमूर्छस्य।। १५९।।

અન્વયાર્થઃ– અને ઉપવાસધારી પુરુષને [वाग्गुप्तेः] વચનગુપ્તિ હોવાથી [अनृतं] જૂઠું વચન [न] નથી, [समस्तादानविरहतः] સંપૂર્ણ અદત્તાદાનના ત્યાગથી [स्तेयम्] ચોરી [न] નથી, [मैथुनमुच] મૈથુન છોડનારને [अब्रह्म] અબ્રહ્મચર્ય [न] નથી અને [अङ्गे] શરીરમાં [अमूर्छस्य] નિર્મમત્વ હોવાથી [सङ्गः] પરિગ્રહ [अपि] પણ [न] નથી.

ટીકાઃ– ‘वाग्गुप्तेः अनृतं नास्ति, समस्तादानविरहतः स्तेयं नास्ति, मैथुनमुचः अब्रह्म नास्ति, अङ्गे अपि अमूर्छस्य सङ्गः नास्ति।’–અર્થઃ–ઉપવાસધારી પુરુષને વચનગુપ્તિ પાળવાથી સત્ય મહાવ્રત પળાય છે, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રત પળાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રત પળાય છે અને શરીરમાં જ મમત્વપરિણામ ન હોવાથી પરિગ્રહત્યાગ મહાવ્રત પળાય છે. એ રીતે ચારે મહાવ્રત પાળી શકે છે. ૧પ૯.

હવે અહીં કોઈ શંકા કરે કે જો શ્રાવકને પણ મહાવ્રત છે અને મુનિઓને પણ મહાવ્રત છે તો બન્નેમાં તફાવત શું છે?


Page 120 of 186
PDF/HTML Page 132 of 198
single page version

તો કહે છેઃ–

इत्थमशेषितहिंसाः प्रयाति स महाव्रतित्वमुपचारात्।
उदयति चरित्रमोहे लभते तु
न संयमस्थानम्।। १६०।।

અન્વયાર્થઃ– [इत्थम्] આ રીતે [अशेषितहिंसाः] સંપૂર્ણ હિંસાઓથી રહિત [सः] તે પ્રોષધ ઉપવાસ કરનાર પુરુષ [उपचारात्] ઉપચારથી અથવા વ્યવહારનયથી [महाव्रतित्वं] મહાવ્રતપણું [प्रयाति] પામે છે, [तु] પણ [चरित्रमोहे] ચારિત્રમોહના [उदयति] ઉદયરૂપ હોવાના કારણે [संयमस्थानम्] સંયમસ્થાન અર્થાત્ પ્રમત્તાદિ ગુણસ્થાન [न लभते] પ્રાપ્ત કરતો નથી.

ટીકાઃ– ‘इत्थं अशेषितहिंसाः सः (श्रावकः) उपचारात् महाव्रतित्वं प्रयाति, तु चरित्रमोहे उदयति (सति) संयमस्थानं न लभते।’–અર્થઃ–આ રીતે જેને હિંસા બાકી છે એવો શ્રાવક ઉપચારથી મહાવ્રતપણું પામે છે. ખરી રીતે તે મહાવ્રતી નથી, કેમકે પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી તે શ્રાવક મહાવ્રત સંયમને પ્રાપ્ત થઈ શકતો નથી.

ભાવાર્થઃ– વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ–માન–માયા–લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે. પણ જેમને તે કષાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે; ખરી રીતે મહાવ્રત નથી, કેમકે પૂર્ણ સંયમ પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી. આ રીતે પ્રોષધોપવાસનું વર્ણન કર્યું. આ પ્રોષધોપવાસ બધા શ્રાવકોએ કરવો જોઈએ, કેમ કે એમાં પાંચે મહાપાપોનો ત્યાગ થઈ જાય છે અને પાંચે ઇંદ્રિયોના વિષય તથા કષાયોનું દમન પણ થાય છે. જે ગૃહસ્થ કેવળ માન–મોટાઈ માટે જ ઉપવાસ કરે છે અને પોતાના કષાયોનો ત્યાગ કરતા નથી તેમને ઉપવાસ કરવો એ ન કરવા સમાન જ છે. ૧૬૦.

ત્રીજું શિક્ષાવ્રત–ભોગોપભોગપરિમાણ

भोगोपभोगमूला विरताविरतस्य नान्यतो हिंसा।
अधिगम्य वस्तुतत्त्वं स्वशक्तिमपि तावपि त्याज्यौ।। १६१।।


Page 121 of 186
PDF/HTML Page 133 of 198
single page version

અન્વયાર્થઃ– [विरताविरतस्य] દેશવ્રતી શ્રાવકને [भोगोपभोगमूला] ભોગ અને ઉપભોગના નિમિત્તે થતી [हिंसा] હિંસા થાય છે [अन्यतः न] અન્ય પ્રકારે થતી નથી, માટે [तौ] તે બન્ને અર્થાત્ ભોગ અને ઉપભોગ [अपि] પણ [वस्तुतत्त्वं] વસ્તુસ્વરૂપ [अपि] અને [स्वशक्तिम्] પોતાની શક્તિને [अधिगम्य] જાણીને અર્થાત્ પોતાની શક્તિ અનુસાર [त्याज्यौ] છોડવા યોગ્ય છે.

ટીકાઃ– ‘विरताविरतस्य भोगोपभोगमूला हिंसा भवति। अन्यतः न इति हेतोः भावकेन वस्तुतत्त्वं अधिगम्य तथा स्वशक्तिम् अपि अधिगम्य तौ अपि भोगोपभोगौ अपि त्याज्यो।’– અર્થઃ–દેશવ્રત પાળનાર શ્રાવકને ભોગના પદાર્થો સંબંધી અને ઉપભોગના પદાર્થો સંબંધી હિંસા થાય છે, પણ બીજા કોઈ પ્રકારે હિંસા થતી નથી. આ કારણે વસ્તુસ્વરૂપ જાણીને તથા પોતાની શક્તિને પણ જાણીને તે ભોગ અને ઉપભોગને છોડવા.

ભાવાર્થઃ– જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. જેમ કે દાળ, ભાત, રોટલી, પુરી, પાણી, દૂધ, દહીં, પેંડા, જલેબી, પુષ્પમાળા વગેરે બધા ભોગ પદાર્થો છે. જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. જેમ કે કપડાં, વાસણ, ઘર, મકાન, ખેતર, જમીન, ગાય, બળદ વગેરે બધા ઉપભોગ પદાર્થો છે શ્રાવકને આ પદાર્થોના સંબંધથી હિંસા થાય છે તેથી શ્રાવકોએ આ હિંસાનાં કારણોનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૧.

एकमपि प्रजिघांसुर्निहन्त्यनन्तान्यतस्ततोऽवश्यम्।
करणीयमशेषाणां
परिहरणमनन्तकायानाम्।। १६२।।

અન્વયાર્થઃ– [ततः] કારણ કે [एकम्] એક સાધારણ શરીરને–કંદમૂળાદિને [अपि] પણ [प्रजिघांसुः] ઘાતવાની ઇચ્છા કરનાર પુરુષ [अनन्तानि] અનંત જીવને [निहन्ति] મારે છે, [अतः] માટે [अशेषाणां] સંપૂર્ણ [अनन्तकायानां] અનંતકાયનો [परिहरणं] પરિત્યાગ [अवश्यम्] અવશ્ય [करणीयम्] કરવો જોઈએ.

ટીકાઃ– ‘एकं अपि प्रजिघांसुः अतः अनन्तानि निहन्ति ततः अशेषाणां अनन्तकायानां अवश्यं परिहरणं करणीयम्।’–અર્થઃ–એક કંદમૂળ સંબંધી જીવને ખાવાની ઇચ્છા કરનાર ગૃહસ્થ તે જીવની સાથે સાથે તેને આશ્રયે રહેતા સાધારણ અનંતા


Page 122 of 186
PDF/HTML Page 134 of 198
single page version

જીવો છે તે બધાયને મારે છે તેથી સાધારણ અનંતકાયવાળી જેટલી વનસ્પતિ છે તે બધીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.

ભાવાર્થઃ– વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે છે. તેમાં ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો ત્યાગ તો સર્વથા જ કરવો જોઈએ અને યથાશક્તિ પ્રત્યેક વનસ્પતિનો પણ ત્યાગ કરવો જોઈએ. હવે અહીં પ્રત્યેક અને સાધારણના સર્વ ભેદ–પ્રભેદપૂર્વક સ્પષ્ટ કથન કરે છે.

પાંચ સ્થાવરોમાંથી પૃથ્વીકાય, જળકાય, વાયુકાય અને અગ્નિકાય એ ચારમાં તો નિગોદના જીવ રહેતા નથી, કેવળ એક વનસ્પતિમાં જ રહે છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદ છે. જે શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેક કહે છે અને જે શરીરના અનંત સ્વામી હોય તેને સાધારણ કહે છે. પ્રત્યેકના પણ બે ભેદ છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તે શરીરના આશ્રયે અનંત જીવ રહેતા હોય તેને સપ્રતિષ્ઠિત કહે છે. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તેના આશ્રયે અનંત જીવ ન રહેતા હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે.

સાધારણ વનસ્પતિનું લક્ષણઃ–જેને તોડતાં સમાન ભંગ થાય, જેનાં પાંદડાંઓમાં જ્યાંસુધી તંતુરેખા અને નસની જાળ નીકળી ન હોય, જેનાં મૂળ, કંદ, કંદમૂળ, છાલ, પાંદડાં, નાની ડાળી, ફૂલ, ફળ અને બીજમાં–તેને તોડતી વખતે–સમાન ભંગ થઈ જાય ત્યાંસુધી તે બધી સાધારણ વનસ્પતિ છે અને જ્યારે તેમનામાં સમાન ભંગ ન થાય ત્યારે તે જ વનસ્પતિ પ્રત્યેક થઈ જાય છે. જોકે સાધારણ વનસ્પતિ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ–એ બન્નેમાં અનંતા જીવ છે તોપણ સાધારણ વનસ્પતિના શરીરમાં જેટલા જીવ છે તે બધા જ તે શરીરના સ્વામી છે અને તે વનસ્પતિને તોડતાં–કાપતાં તે બધા જીવોનો ઘાત થાય છે અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં સ્વામી તો શરીરનો એક જ છે પણ તે શરીરના આશ્રયે અનંત જીવ છે તે બધા સ્વામી નથી અને તે શરીરના સ્વામીના મરવા–જીવવા સાથે તે બધા જીવોના _________________________________________________________________ ૧–તે બધીનો ત્યાગ એટલે તે સંબંધી રાગનો ત્યાગ તે પણ મિથ્યા અભિપ્રાયના ત્યાગરૂપ અને સ્વાશ્રયના ગ્રહણરૂપ સમ્યગ્દર્શન વિના ‘યથાર્થ રીતે વ્યવહાર ત્યાગ’ એવા નામને પામતો નથી. ધર્મી જીવે ત્રસ અને સ્થાવર જીવના ભેદ જાણવા જોઈએ બેઇન્દ્રિય આદિથી પંચેન્દ્રિય સુધીના જીવને ત્રસ તથા પૃથિવીકાયિક, જળકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક અને વનસ્પતિકાયિક જીવને સ્થાવર કહે છે.


Page 123 of 186
PDF/HTML Page 135 of 198
single page version

મરવા–જીવવાનો કોઈ સંબંધ નથી. બસ એ જ બન્નેમાં ભેદ છે. તેથી ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેકનો પણ ત્યાગ કરવો જોઈએ કેમ કે એક સાધારણ વનસ્પતિના એક શરીરમાં અનંતાનંત જીવ રહે છે. તેથી જ્યારે આપણે એક બટેટું ખાઈએ છીએ ત્યારે અનંતાનંત જીવોનો ઘાત કરીએ છીએ.

હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમકે એક બટેટું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણાં શરીર છે, તે બધાં શરીરના પિંડને ‘સ્કંધ’ કહીએ છીએ. (જેમ એક આપણું શરીર છે) અને તે એક સ્કંધમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘અંડર’ છે (જેમ આપણા શરીરમાં હાથ, પગ વગેરે ઉપાંગ છે) અને એક અંડરમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘પુલવી’ છે, (જેમ આપણા હાથને આંગળીઓ છે) અને એક પુલવીમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘આવાસ’ છે, (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે) અને એક ‘આવાસ’માં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના ‘શરીર’ છે. (જેમ એક વેઢામાં અનેક રેખાઓ છે) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ (મુક્તાત્મા)ની રાશિથી અનંતગુણા જીવ છે (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટૂકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૨.

વિશેષપણે બતાવે છેઃ–

नवनीतं च त्याज्यं योनिस्थानं प्रभूतजीवानाम्।
यद्वापि पिण्डशुद्धौ विरुद्धमभिधीयते किञ्चित्।। १६३।।

અન્વયાર્થઃ– [च] અને [प्रभूतजीवानाम्] ઘણા જીવોના [योनिस्थानं] ઉત્પત્તિસ્થાનરૂપ [नवनीतं] નવનીત અર્થાત્ માખણ [त्याज्यं] ત્યાગ કરવા યોગ્ય છે. [वा] અથવા [पिण्डशुद्धौ] આહારની શુદ્ધિમાં [यत्किञ्चित्] જે થોડું પણ [विरुद्धं] વિરુદ્ધ [अभिधीयते] કહેવામાં આવે છે [तत्] તે [अपि] પણ ત્યાગ કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘च प्रभूत जीवानां योनिस्थानं नवनीतं त्याज्यं वा पिण्डशुद्धौ यत्किञ्चित् विरुद्धं अभिधीयते तत् अपि त्याज्यम्।’ અર્થઃ–ઘણા જીવોને ઊપજવાનું સ્થાન એવું માખણ અને તાજું માખણ તે પણ ત્યાગ કરવા યોગ્ય છે અને આહારશુદ્ધિમાં જે કાંઈ પણ નિષિદ્ધ છે તે બધું જ છોડવું જોઈએ.


Page 124 of 186
PDF/HTML Page 136 of 198
single page version

ભાવાર્થઃ– આચારશાસ્ત્રમાં જે પદાર્થો અભક્ષ્ય અને નિષેધ્ય બતાવ્યા છે તે બધાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે ચામડામાં રાખેલ અથવા ચામડાનો સ્પર્શ થયો હોય તેવું પાણી, નળનું પાણી, ચામડામાં રાખેલ વા ચામડાનો સ્પર્શ થયો હોય તેવાં ઘી, તેલ; ચામડામાં રાખેલ હીંગ વગેરે પણ અશુદ્ધ છે. તેથી તે ખાવા નહિ. ૪૮ મિનિટથી વધારે વખત રહેલું કાચું દૂધ, એક દિવસ ઉપરાંતનું દહીં, બજારનો લોટ, અજાણ્યાં ફળ, રીંગણાં, સડેલું અનાજ, બહુબીજવાળી વસ્તુઓ ખાવી નહિ. મર્યાદા ઉપરાંતનો લોટ ખાવો ન જોઈએ.

બત્રીસ આંગળ લાંબા અને ચોવીસ આંગળ પહોળા બેવડા કરેલા સ્વચ્છ, જાડા કપડાથી પાણી ગાળીને પીવું. તે ગાળેલા કાચા પાણીની મર્યાદા ૪૮ મિનિટની છે. ગાળેલા પાણીમાં જો લવિંગ, એલચી, મરી વગેરેનો ભૂકો કરીને નાખવામાં આવે અને તેનું પ્રમાણ એટલું હોય કે તે પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ જાય તો તે પાણીની મર્યાદા છ કલાકની છે અને પાણીને ઉછાળો આવે તેવું ઉકાળવામાં આવે તો તેની મર્યાદા ૨૪ કલાકની છે. આ રીતે પાણીના ઉપયોગમાં આચરણ કરવું જોઈએ. પાણીનું ગાળણ જ્યાંથી પાણી આવ્યું હોય ત્યાં મોકલવું જોઈએ. આ રીતે શ્રાવકે પોતાના ભોગ–ઉપભોગની સામગ્રીમાં વિવેક રાખીને ત્યાગ અને ગ્રહણ કરવાં જોઈએ. ૧૬૩.

વિશેષ કહે છેઃ–

अविरुद्धा अपि भोगा निजशक्तिमपेक्ष्य धीमता त्याज्याः। अत्याज्येष्वपि सीमा कार्यैकदिवानिशोपभोग्यतया।। १६४।।

અન્વયાર્થઃ– [धीमता] બુદ્ધિમાન મનુષ્યે [निजशक्तिम्] પોતાની શક્તિ [अपेक्ष्य] જોઈને [अविरुद्धाः] અવિરુદ્ધ [भोगाः] ભોગ [अपि] પણ [त्याज्याः] છોડી દેવા યોગ્ય છે. અને જે [अत्याज्येषु] ઉચિત ભોગ–ઉપભોગોનો ત્યાગ ન થઈ શકે તો તેમાં [अपि] પણ [एकदिवानिशोपभोग्यतया] એક દિવસ–રાતની ઉપભોગ્યતાથી [सीमा] મર્યાદા [कार्या] કરવી જોઈએ.

ટીકાઃ– ‘धीमता निजशक्तिम् अपेक्ष्य अविरुद्धाः अपि भोगाः त्याज्याः तथा अत्याज्येषु अपि एक दिवानिशोपभोग्यतया सीमा कार्या।’ અર્થઃ–બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા છૂટી _________________________________________________________________ ૧. ઉકાળેલા પાણીની મર્યાદા પૂરી થયા પછી તે પાણી કોઈ કામમાં ન લેવું એવી આજ્ઞા છે.


Page 125 of 186
PDF/HTML Page 137 of 198
single page version

ન શકે તેમાં એક દિવસ, એક રાત, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડે. ૧૬૪.

હજી વિશેષ કહે છેઃ–

पुनरपि पूर्वकृतायां समीक्ष्य तात्कालिकीं निजां शक्तिम्। सीमन्यन्तरसीमा प्रतिदिवसं भवति कर्तव्या।। १६५।।

અન્વયાર્થઃ– [पूर्वकृतायां] પ્રથમ કરેલી [सीमनि] મર્યાદામાં [पुनः] ફરીથી [अपि] પણ [तात्कालिकी] તે સમયની અર્થાત્ વર્તમાન સમયની [निजां] પોતાની [शक्तिम्] શક્તિનો [समीक्ष्य] વિચાર કરીને [प्रतिदिवसं] દરરોજ [अन्तरसीमा] મર્યાદામાં પણ થોડી મર્યાદા [कर्तव्या भवति] કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘पुनरपि पूर्वकृतायां सीमनि तात्कालिकीं निजां शक्तिम् समीक्ष्य प्रतिदिवसं अन्तर सीमा कर्तव्या भवति।’–અર્થઃ–પહેલાં જે એક દિવસ, એક સપ્તાહ ઇત્યાદિ ક્રમે ત્યાગ કર્યો છે તેમાં પણ તે સમયની પોતાની શક્તિ જોઈને ઘડી, કલાક, પહોર વગેરેની થોડી થોડી મર્યાદા કરીને જેટલો ત્યાગ બની શકે તેટલો ત્યાગ કરવો. આ રીતે પોતાના ભોગ–ઉપભોગની સામગ્રીના પદાર્થોની સંખ્યા તથા જેટલા કાળની મર્યાદા ઓછી કરી શકે તેટલી અવશ્ય કરવી. એમાં જ આત્માનું કલ્યાણ છે. ૧૬પ.

વિશેષ બતાવે છેઃ–

इति यः परिमितभोगैः सन्तुष्टस्त्यजति बहुतरान् भोगान्। बहुतरहिंसाविरहात्तस्याऽहिंसा विशिष्टा स्यात्।। १६६।।

અન્વયાર્થઃ– [यः] જે ગૃહસ્થ [इति] આ રીતે [परिमितभोगैः] મર્યાદારૂપ ભોગોથી [सन्तुष्टः] સંતુષ્ટ થઈને [बहुतरान्] ઘણા [भोगान्] ભોગોને [त्यजति] છોડી દે છે [तस्य] તેને [बहुतरहिंसाविरहात्] ઘણી હિંસાના ત્યાગથી [विशिष्टा अहिंसा] વિશેષ અહિંસાવ્રત [स्यात्] થાય છે. _________________________________________________________________ ૧, [નોંધઃ–અહીં ભૂમિકાનુસાર આવો રાગ આવે છે તેનું જ્ઞાન કરાવવા માટે ઉપદેશવચન છે. આત્માનું

કલ્યાણ તો અંતરંગમાં નિજ કારણપરમાત્માના આશ્રયે થતી શુદ્ધિ વીતરાગભાવ છે. ત્યાં
અશુભથી બચવા જે શુભરાગ આવે છે તેને ઉપચારથી વ્યવહારથી ભલો કહેવાની રીત છે.
]


Page 126 of 186
PDF/HTML Page 138 of 198
single page version

ટીકાઃ– ‘यः इति परिमितभोगैः सन्तुष्टः बहुतरान् भोगान् त्यजति तस्य बहुतरहिंसाविरहात् विशिष्टा अहिंसा स्यात्।’–અર્થઃ–આ રીતે જે શ્રાવક ભોગ–ઉપભોગના પદાર્થોથી સંતુષ્ટ થયો થકો ઘણા ભોગ–ઉપભોગના પદાર્થોને છોડી દે છે તેને ઘણી હિંસા ન થવાના કારણે વિશેષ અહિંસા થાય છે.

ભાવાર્થઃ– જે શ્રાવક ભોગ–ઉપભોગના પદાર્થોનો મર્યાદાપૂર્વક ત્યાગ કરતો રહે છે તેને તેટલા જ અંશે સંતોષ પ્રગટ થઈને અહિંસા પ્રગટ થાય છે. તે વસ્તુઓના જીવોની હિંસા નહિ થવાથી દ્રવ્યહિંસા થતી નથી તથા એટલા જ અંશે લોભ કષાયનો ત્યાગ થવાને લીધે ભાવહિંસા પણ થતી નથી. તેથી (અકષાય જ્ઞાતાસ્વરૂપમાં–સાવધાન એવા) ત્યાગી મનુષ્યને અવશ્ય જ વિશેષ અહિંસા હોય છે. આ રીતે ભોગ–ઉપભોગપરિમાણ નામના ત્રીજા શિક્ષાવ્રતનું વર્ણન કર્યું.૧૬૬.

હવે ચોથા વૈયાવૃત્ત (અતિથિસંવિભાગ) નામના શિક્ષાવ્રતનું વર્ણન કરે છેઃ–

विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय।
स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये
भागः।। १६७।।

અન્વયાર્થઃ– [दातृगुणवता] દાતાના ગુણવાળા ગૃહસ્થે [जातरूपाय अतिथये] દિગંબર મુનિને [स्वपरानुग्रहहेतोः] પોતાના અને પરના અનુગ્રહના હેતુથી [द्रव्यविशेषस्य] વિશેષ દ્રવ્યનો અર્થાત્ દેવા યોગ્ય વસ્તુનો [भागः] ભાગ [विधिना] વિધિપૂર્વક [अवश्यम्] અવશ્ય જ [कर्तव्यः] કર્તવ્ય છે.

ટીકાઃ– ‘विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय अतिथये स्वपरानुग्रहहेतोः अवश्यं भागः कर्तव्यः।’–અર્થઃ–નવધાભક્તિપૂર્વક તથા દાતારના સાત ગુણ સહિત જે શ્રાવક છે તેણે દાન દેવા યોગ્ય વસ્તુનું જે ગુણવાન પાત્ર છે તેમને પોતાના અને પરના ઉપકારના નિમિત્તે અવશ્ય દાન કરવું જોઈએ.

ભાવાર્થઃ– શ્રાવક જે ન્યાયપૂર્વક ધન પેદા કરે છે તેણે પોતાના ધનમાંથી થોડુંઘણું ધન ચારે સંઘના દાન નિમિત્તે કાઢવું જોઈએ અને તેનું વિધિપૂર્વક દાન આપવું જોઈએ. તેથી તેના ધનનો સદુપયોગ થઈને કર્મોની નિર્જરા થાય અને ચારે સંઘ પોતાનાં તપની વૃદ્ધિ કરે. ૧૬૭. _________________________________________________________________ ૧. જાતરૂપા જન્મ્યા પ્રમાણે (નિર્દોષ) જેવા રૂપમાં હતા તેવા અર્થાત્ નગ્ન દિગમ્બર, અથવા ઉત્તમ

ગુણો સહિત અતિથિ. અતિથિ જેમના આગમનની તિથિનો નિયમ નથી.


Page 127 of 186
PDF/HTML Page 139 of 198
single page version

[આવેલા અભ્યાગતને પ્રતિદિન ભોજનાદિકનું દાન કરીને પછી પોતે ભોજન કરે એવું શ્રાવકોનું નિત્યકર્મ છે. તેને અતિથિસંવિભાગ કહે છે.]

નવધા ભક્તિનાં નામઃ–

संग्रहमुच्चस्थानं पादोदकमर्चनं प्रणामं च।
वाक्कायमनःशुद्धिरेषणशुद्धिश्च
विधिमाहुः।। १६८।।

અન્વયાર્થઃ– [च] અને [संग्रहम्] પ્રતિગ્રહણ, [उच्चस्थानं] ઊંચું આસન આપવું, [पादोदकम्] પગ ધોવા, [अर्चनं] પૂજા કરવી, [प्रणामं] નમસ્કાર કરવા, [वाक्कायमनःशुद्धि] મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ રાખવી [च] અને [एषणशुद्धिः] ભોજનશુદ્ધિ. આ રીતે આચાર્યો [विधिम्] નવધાભક્તિરૂપ વિધિ [आहुः] કહે છે.

ટીકાઃ– संग्रहम्, उच्चस्थानं, पादोदकं, अर्चनं, प्रणामं, वाक्शुद्धिः, कायशुद्धिः, मनशुद्धिः, एषणशुद्धिः, इति विधिम् आहुः।’ ૧–સંગ્રહ એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે નિમંત્રણ આપીને ઘરમાં પ્રવેશ કરાવવો, ૨–ઉચ્ચ સ્થાન અર્થાત્ ઘરમાં લઈ જઈને તેમને ઊંચા આસન પર બેસાડવાં, ૩–પાદોદક અર્થાત્ તેમના પગ નિર્દોષ જળથી ધોવા, ૪–અર્ચન અર્થાત્ આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફક્ત અર્ઘ ચડાવવો, પ–પ્રણામ અર્થાત્ પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી, ૬–વાક્શુદ્ધિ અર્થાત્ વિનયપૂર્વક વચન બોલવાં એવી વચનશુદ્ધિ, ૭–કાયશુદ્ધિ અર્થાત્ હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું, ૮–મનશુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું જેમ કે દાન દેવામાં પરિણામ સેવા તથા ભક્તિરૂપ રાખવા, ખોટા પરિણામ ન કરવા, ૯–એષણશુદ્ધિ અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી, આહારની બધી વસ્તુઓ નિર્દોષ રાખવી. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક જ આહારદાન આપવું જોઈએ, આ નવધાભક્તિ મુનિ મહારાજને માટે જ છે અન્યને માટે યોગ્યતા પ્રમાણે ઓછીવત્તી છે. ૧૬૮.

હવે દાતાના સાત ગુણ બતાવે છેઃ–

ऐहिकफलानपेक्षा क्षान्तिर्निष्कपटतानसूयत्वम्।
अविषादित्वमुदित्वे निरहङ्कारित्वमिति हि दातृगुणाः।।
१६९।।


Page 128 of 186
PDF/HTML Page 140 of 198
single page version

અન્વયાર્થઃ– [ऐहिकफलानपेक्षा] આ લોક સંબંધી ફળની ઇચ્છા ન રાખવી, [क्षान्तिः] ક્ષમા અથવા સહનશીલતા, [निष्कपटता] નિષ્કપટપણું, [अनसूयत्वम्] ઇર્ષારહિતપણું, [अविषादित्वमुदित्वे] અખિન્નભાવ, હર્ષભાવ અને [निरहङ्कारित्वम्] નિરભિમાનપણું [इति]–એ રીતે આ સાત [हि] નિશ્ચયથી [दातृगुणाः] દાતાના ગુણ છે.

ટીકાઃ– ‘हि ऐहिकफलानपेक्षा, क्षान्तिः, निष्कपटता, अनसूयत्वम्, अविषादित्वम्– मुदित्वम्, निरहंकारित्वम इति सप्त दातृगुणाः सन्ति।’ અર્થઃ–૧–ઐહિકફલ–અનપેક્ષા–દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. ૨–ક્ષાન્તિ–દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. ૩–નિષ્કપટતા–કપટ ન કરવું તે. બહારમાં ભક્તિ કરે અને અંતરંગમાં પરિણામ ખરાબ રાખે તેમ ન કરવું જોઈએ. ૪–અનસૂયત્વમ્–બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાના ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. પ–અવિષાદપણું–વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શકયા નહિ વગેરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. ૬– મુદિતપણું–દાન આપીને ખૂબ હર્ષ ન કરે. ૭–નિરહંકારીપણું–અભિમાન ન કરવું તે. અમે મહાન દાની છીએ ઇત્યાદિ પ્રકારે મનમાં અભિમાન ન કરવું. આ સાત ગુણ દાતાના છે. તે પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઈએ. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપનાર થતું નથી. ૧૬૯.

કેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ એ હવે બતાવે છેઃ–

रागद्वेषासंयममददुःखभयादिकं
न यत्कुरुते।
द्रव्यं तदेव देयं सुतपः स्वाध्याय वृद्धिकरम्।। १७०।।

અન્વયાર્થઃ– [यत्] જે [द्रव्यं] દ્રવ્ય [रागद्वेषासंयममददुःखभयादिकं] રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ, ભય આદિ [न कुरुते] કરતું નથી અને [सुतपः स्वाध्याय– _________________________________________________________________ ૧. રત્નકરણ્ડ શ્રાવકાચાર ગા ૧૩૩ માં દાતાના સાત ગુણ–૧ ભક્તિ–ધર્મમાં તત્પર રહી, પાત્રોના

ગુણોના સેવનમાં લીન થઈ, પાત્રને અંગીકાર કરે, પ્રમાદરહિત જ્ઞાનસહિત શાન્ત પરિણામી થયો
પાત્રની ભક્તિમાં પ્રવર્તે. ૨–તુષ્ટિ–દેવામાં અતિ આસક્ત, પાત્રલાભને પરમ નિધાનનો લાભ માને.
૩–શ્રદ્ધા, ૪–વિજ્ઞાન, પ–અલોલુપ, ૬–સાત્ત્વિક, ૭–ક્ષમા.