Page 169 of 186
PDF/HTML Page 181 of 198
single page version
[समयं] સમય [लब्ध्वा] પ્રાપ્ત કરીને તથા [मुनीनां] મુનિઓના [पदम्] ચરણનું [अवलम्ब्य] અવલંબન કરીને [सपदि] શીઘ્ર જ [परिपूर्णम्] પરિપૂર્ણ [कर्त्तव्यम्] કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘नित्यं बद्धोद्यमेन बोधिलाभस्य समयं लब्ध्वा च मुनिनां पदम् अवलम्ब्य सपदि परिपूर्णं कर्त्तव्यम्।’ અર્થઃ– ગૃહસ્થે સદા ઉદ્યમશીલ થઈને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિનો સમય મેળવી મુનિપદ ધારણ કરીને શીઘ્ર સર્વ દેશવ્રતો પાળવાં જોઈએ.
ભાવાર્થઃ– વિવેકી પુરુષ ગૃહસ્થ દશામાં પણ સંસાર અને શરીરથી વિરક્ત થઈને સદાય મોક્ષમાર્ગમાં ઉદ્યમી રહે છે અને તેઓ સમય પામીને શીઘ્ર મુનિપદ ધારણ કરી, સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થઈને, પૂર્ણ રત્નત્રયને પ્રાપ્ત કરી, સંસારભ્રમણનો નાશ કરી શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકદેશ રત્નત્રયને ધારણ કરી ઇન્દ્રાદિક ઉચ્ચપદ પામે તથા પરંપરાએ મોક્ષ પણ પામે. ૨૧૦.
અન્વયાર્થઃ– [असमग्रं] અપૂર્ણ [रत्नत्रयम्] રત્નત્રયની [भावयतः] ભાવના કરનાર પુરુષને [यः] જે [कर्मबन्धः] શુભ કર્મનો બંધ [अस्ति] થાય છે, [सः] તે બંધ [विपक्षकृतः] વિપક્ષકૃત અથવા રાગકૃત હોવાથી [अवश्यं] અવશ્ય જ [बन्धनोपायः] બંધનો ઉપાય છે, [मोक्षोपायः न] મોક્ષનો ઉપાય નથી.
ટીકાઃ– ‘असमग्रं रत्नत्रयं भावयतः यः कर्मबंधः अस्ति सः विपक्षकृतः रत्नत्रयं तु मोक्षोपायः अस्ति न बन्धनोपायः।’ અર્થઃ–એકદેશરૂપ રત્નત્રયનું પાલન કરનાર પુરુષને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયનો વિપક્ષ જે રાગદ્વેષ છે તેનાથી થાય છે. તે રત્નત્રય તો વાસ્તવમાં મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ જે એકદેશ રત્નત્રય ધારણ કરે છે તેને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો પણ તેનો જે શુભકષાય છે તેનાથી જ થાય છે. આથી એમ સિદ્ધ થયું કે કર્મબંધ કરનાર શુભકષાય છે પણ રત્નત્રય નથી. ૨૧૧.
Page 170 of 186
PDF/HTML Page 182 of 198
single page version
અન્વયાર્થઃ– [अस्य] આ આત્માને [येनांशेन] જે અંશથી [सुद्रष्टिः] સમ્યગ્દર્શન છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [नास्ति] નથી, [तु] પણ [येन] જે [अंशेन] અંશથી [अस्य] એને [रागः] રાગ છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [भवति] થાય છે. [येन] જે [अंशेन] અંશથી [अस्य] એને [ज्ञानं] જ્ઞાન છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [नास्ति] નથી [तु] પણ [येन] જે [अंशेन] અંશથી [रागः] રાગ છે, [तेन] તે [अंशेन] અંશથી [अस्य] એને [बन्धनं] બંધ [भवति] થાય છે. [येन] જે [अंशेन] અંશથી [अस्य] એને [चरित्रं] ચારિત્ર છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [नास्ति] નથી, [तु] પણ [येन] જે [अंशेन] અંશથી [रागः] રાગ છે, [तेन] તે [अंशेन] અંશથી [अस्य] એને [बन्धनं] બંધ [भवति] થાય છે.
ટીકાઃ– ‘येन अंशेन सुद्रष्टिः तेन अंशेन बन्धनं नास्ति किन्तु येन अंशेन रागः तेन अंशेन बन्धनं भवति।’ અર્થઃ–જેટલા અંશે સમ્યગ્દર્શન છે એટલા અંશે કર્મબંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે.
ભાવાર્થઃ– જીવના ત્રણ ભેદ છે–૧. બહિરાત્મા, ૨. અંતરાત્મા, ૩. પરમાત્મા. આ ત્રણમાં બહિરાત્મા તો મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તેને સમ્યગ્દર્શન નથી, કેવળ રાગભાવ છે તેથી સર્વથા બંધ જ છે; અને પરમાત્મા ભગવાન જેમને પૂર્ણ સમ્યગ્દર્શન થઈ ગયું છે તેમને રાગભાવ રંચમાત્ર પણ નથી તેથી સર્વથા બંધ નથી, મોક્ષ જ છે.
અંતરાત્મા સમ્યગ્દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધી છે, માટે આ અંતરાત્માને જેટલા અંશે સમ્યગ્દર્શન થઈ ગયું છે તેટલા અંશે કર્મનું
Page 171 of 186
PDF/HTML Page 183 of 198
single page version
બંધન નથી અને જેટલા અંશે રાગભાવ છે એટલા અંશે કર્મનો બંધ છે. જેમકે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સંબંધી રાગભાવ નથી તો એટલો કર્મબંધ પણ નથી, બાકીના અપ્રત્યાખ્યાનાવરણનો બંધ છે. પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાનનો પણ રાગભાવ ન હોવાથી તેનો પણ બંધ નથી પરંતુ પ્રત્યાખ્યાનનો બંધ છે. એ જ પ્રમાણે આગળ જેટલા અંશે રાગભાવનો અભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ૨૧૨.
જેટલા અંશે જે જીવને સમ્યગ્જ્ઞાન થઈ ગયું છે તેટલા જ અંશે રાગભાવ નહિ હોવાથી કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે.
ભાવાર્થઃ– જેવી રીતે સમ્યગ્દર્શનનું કથન કર્યું છે તેવી રીતે સમ્યગ્જ્ઞાનનું પણ સમજવું, જેમ કે બહિરાત્માને સમ્યગ્જ્ઞાન નથી, મિથ્યાજ્ઞાન જ છે તેથી તેને પૂર્ણ રાગદ્વેષ હોવાથી અવશ્ય કર્મનો બંધ થાય છે. પરમાત્મા જે તેરમા ગુણસ્થાનવર્તી છે તેમને પૂર્ણ સમ્યગ્જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, રાગભાવનો બિલકુલ અભાવ છે તેથી તેમને કર્મનો બંધ બિલકુલ નથી. અને અંતરાત્મા જે ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી છે તેમને જેટલા અંશે સમ્યગ્જ્ઞાન પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મબંધ છે. ૨૧૩.
જેટલા અંશે સમ્યક્ચારિત્ર પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી અને જેટલા અંશે રાગદ્વેષભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ઉપરની જેમ અહીં પણ સમજી લેવું. જેમકે બહિરાત્માને મિથ્યાચારિત્ર છે, સમ્યક્ચારિત્ર રંચમાત્ર પણ નથી તેથી એને રાગદ્વેષની પૂર્ણતા હોવાથી પૂર્ણ કર્મનો બંધ છે, અને પરમાત્માને પૂર્ણ સમ્યક્ચારિત્ર છે તેથી એને રંચમાત્ર પણ કર્મનો બંધ નથી. અંતરાત્માને જેટલા અંશે રાગદ્વેષ ભાવોનો અભાવ છે એટલા જ અંશે કર્મનો બંધ નથી.
ભાવાર્થઃ– મોહનીય કર્મના બે ભેદ છે–૧. દર્શનમોહ, ૨. ચારિત્રમોહ. દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે અને ચારિત્રમોહના ઉદયથી મિથ્યાચારિત્ર થાય છે. જેટલો તે કષાયોનો અભાવ થતો જાય છે તેટલો તેટલો તેને સમ્યગ્દર્શન અથવા સમ્યક્ચારિત્ર ગુણનો વિકાસ થતો જાય છે. જેમકે દર્શનમોહનીયનો અભાવ થવાથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. અને અનંતાનુબંધી ચોકડીનો અભાવ થવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણી ચોકડીનો અભાવ થવાથી દેશચારિત્ર પ્રગટ થાય છે. પ્રત્યાખ્યાનાવરણી ચોકડીનો અભાવ થવાથી સકલચારિત્ર પ્રગટ થાય છે. સંજ્વલન ચોકડી અને નવ નોકષાયનો અભાવ થવાથી યથાખ્યાતચારિત્ર
Page 172 of 186
PDF/HTML Page 184 of 198
single page version
પ્રગટ થાય છે. –આ રીતે આ મોહનીયકર્મની ૨પ પ્રકૃતિ જ જીવને રાગદ્વેષ થવામાં નિમિત્તકારણ છે.
એમાંથી અનંતાનુબંધી ક્રોધ અને માન, અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, સંજ્વલન ક્રોધ અને માન–એ આઠ અને અરતિ, શોક, ભય, જુગુપ્સા–કુલ એ બાર પ્રકૃતિ તો દ્વેષરૂપ પરિણમનમાં કારણ છે તથા બાકી રહેલી તેર પ્રકૃતિઓ રાગરૂપ પરિણમનમાં કારણ છે. આ રીતે આ જીવ અનાદિકાળથી પચીસ કષાયોને જ વશીભૂત થઈને નિત્ય અનેક દુષ્કર્મો કરતો થકો સંસારસાગરમાં ભ્રમણ કરી રહ્યો છે માટે આઠે કર્મોમાં આ મોહનીય કર્મને સર્વથી પહેલાં જીતવું જોઈએ. જ્યાં સુધી મોહનીય કર્મનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીનાં કર્મોનો પરાજય થઈ શકતો નથી. તેથી સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને દર્શનમોહનો નાશ કરવો. સમ્યગ્જ્ઞાન વડે જ્ઞાનાવરણનો નાશ અને સમ્યગ્ચારિત્રવડે ચારિત્રમોહનીયનો નાશ કરી સમ્યક્રત્નત્રય પ્રાપ્ત કરવાં જોઈએ. જ્યારે કોઈ પણ જીવ આ ક્રમે કર્મોનો નાશ કરી આત્માના ગુણોનો વિકાસ કરશે ત્યારે જ તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. ૨૧૪.
दर्शनबोधचरित्रं न योगरूपं कषायरूपं च।। २१५।।
અન્વયાર્થઃ– [प्रदेशबन्धः] પ્રદેશબંધ [योगात्] મન, વચન, કાયાના વ્યાપારથી [तु] અને [स्थितिबन्धः] સ્થિતિબંધ [कषायात्] ક્રોધાદિ કષાયોથી [भवति] થાય છે, પરંતુ [दर्शनबोधचरित्रं] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય [न] ન તો [योगरूपं] યોગરૂપ છે [च] અને ન [कषायरूपं] કષાયરૂપ પણ છે.
ટીકાઃ– ‘योगात् प्रदेशबन्धः भवति तु कषायात् स्थितिबन्धः भवति यतः दर्शनबोधचरित्रं योगरूपं च कषायरूपं न भवति।’ અર્થઃ–મન, વચન, કાયાના ત્રણ યોગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે તથા ક્રોધાદિ કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. અહીં શ્લોકમાં જોકે પ્રકૃતિબંધ અને અનુભાગબંધ ગણાવ્યા નથી તોપણ ઉપલક્ષણથી ગ્રહણ થઈ જાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે ન તો યોગરૂપ છે અને ન કષાયરૂપ પણ છે. તેથી રત્નત્રય કર્મબંધનું કારણ થઈ શકતાં નથી.
Page 173 of 186
PDF/HTML Page 185 of 198
single page version
ભાવાર્થઃ– બંધ ચાર પ્રકારના છે–પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ. આમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયોથી થાય છે. હવે આ ચારે બંધોનું સ્વરૂપ કહે છે. ૧. પ્રકૃતિબંધ–પ્રકૃતિ નામ સ્વભાવનું છે. કર્મોની મૂળ–પ્રકૃતિ આઠ અને ઉત્તર–પ્રકૃતિ એકસોઅડતાલીસ છે, જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ પડદા સમાન છે. જે વસ્તુ ઉપર પડદો ઢંકાયો હોય તે પડદો તે વસ્તુનું જ્ઞાન ન થવામાં કારણ છે, તેવી જ રીતે જ્યાંસુધી આત્માની સાથે જ્ઞાનાવરણીય કર્મરૂપી પડદો હોય ત્યાંસુધી તે આત્માને પદાર્થોનું સમ્યગ્જ્ઞાન ન થવામાં કારણ છે.
દર્શનાવરણીય કર્મનો સ્વભાવ દરબારી જેવો છે. જેમ દરબારી રાજાનું દર્શન થવા દેતો નથી તેમ દર્શનાવરણીય કર્મ આત્માને સ્વ–પર પદાર્થોનું દર્શન થવા દેતું નથી.
વેદનીય કર્મનો સ્વભાવ મધ ચોપડેલી તલવાર જેવો છે. જેમ તે તલવાર ચાટવાથી મીઠી લાગે છે પણ તે જીભને કાપી નાખે છે. તેમ વેદનીય કર્મ પણ પહેલાં થોડા સમય સુધી સુખરૂપ લાગે છે, પછી તે જ દુઃખ આપનાર બની જાય છે.
મોહનીય કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી મનુષ્યને પોતાના મનુષ્યપણાનું ભાન રહેતું નથી તેવી જ રીતે આ મોહનીય કર્મમાં જોડાવાથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી પર પદાર્થોમાં પોતાપણું, કર્તા–ભોક્તા, સ્વામીપણું માને છે.
આયુકર્મનો સ્વભાવ હેડબેડી સહિત જેલ સમાન છે. જેમ જે માણસ જ્યાંસુધી જેલમાં છે ત્યાંસુધી તે માણસ ત્યાંથી કયાંય પણ જઈ શકતો નથી તેવી જ રીતે જે જીવે જે આયુકર્મનો બંધ કર્યો છે તે આયુ જ્યાંસુધી પૂર્ણ ન થાય ત્યાંસુધી તેને તે જ ગતિમાં રહેવું પડે છે.
નામકર્મનો સ્વભાવ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર જુદી જુદી જાતના અર્થાત્ કોઈવાર મનુષ્યનું, કોઈવાર ઘોડાનું, કોઈવાર હાથીનું ચિત્ર બનાવે છે, તેવી જ રીતે નામકર્મ પણ આ જીવને કોઈવાર માણસ બનાવે છે, કોઈવાર ઘોડો બનાવે છે, કોઈવાર કાણો, કોઈવાર બહેરો, કોઈવાર લૂલો ઇત્યાદિ પ્રકારે અનેકરૂપ બનાવે છે.
ગોત્રકર્મનો સ્વભાવ કુંભાર જેવો છે, જેમ કુંભાર કોઈવાર નાનું વાસણ બનાવે છે અને કોઈવાર મોટું વાસણ બનાવે છે, તેમ ગોત્રકર્મ પણ આ જીવને કોઈવાર ઉચ્ચ કુળમાં અને કોઈવાર નીચ કુળમાં પેદા કરે છે.
અન્તરાયકર્મનો સ્વભાવ ભંડારી જેવો છે. જેમ રાજા કોઈને કાંઈક ઈનામ
Page 174 of 186
PDF/HTML Page 186 of 198
single page version
વગેરે આપતા હોય અને ભંડારી તેને આપવા દેતો નથી, તેવી જ રીતે અંતરાય કર્મ પણ આત્માને પ્રાપ્ત થનાર પદાર્થોમાં અનેક પ્રકારનાં વિઘ્ન નાખીને તે પદાર્થ પ્રાપ્ત થવા દેતું નથી. – આ રીતે આ આઠે કર્મોનો સ્વભાવ છે. એ પોતપોતાના સ્વભાવ સહિત જીવ સાથે સંબંધ કરે છે.
હવે પ્રદેશબંધનું વર્ણન કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી એક એક પ્રદેશ સાથે કર્મનાં અનંતાનંત પરમાણુ બંધાય અર્થાત્ જીવના પ્રદેશ અને કર્મનાં પરમાણુ–બન્ને એકક્ષેત્રાવગાહ થઈને રહે તેને પ્રદેશબંધ કહે છે.
હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. જે કર્મ (જીવની સાથે રહેવાની) પોતાની સ્થિતિસહિત બંધાય તેને સ્થિતિબંધ કહે છે. જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય–આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરની છે અને મોહનીય કર્મમાંથી દર્શનમોહનીયની ૭૦ ક્રોડાક્રોડીની અને ચારિત્રમોહનીયની ૪૦ ક્રોડાક્રોડી સાગરની છે. નામ અને ગોત્રકર્મની સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરની છે. આયુકર્મની સ્થિતિ ૩૩ સાગરની છે. આ બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ. જઘન્ય સ્થિતિ નામ ગોત્રની આઠ મુહૂર્ત, વેદનીયની બાર મુહૂર્ત, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અને આયુ એ પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મધ્યમસ્થિતિના અનંત ભેદ છે. આ પ્રકારે સ્થિતિબંધનું નિરૂપણ કર્યું.
હવે અનુભાગબંધનું વર્ણન કરે છે. કર્મોમાં જે ફળ દેવાની શક્તિ હોય છે તેને જ અનુભાગબંધ કહે છે. આ અનુભાગબંધ ઘાતીકર્મોનો તો કેવળ અશુભરૂપ જ હોય છે અને અઘાતીકર્મોનો શુભરૂપ અને અશુભરૂપ બન્ને પ્રકારનો હોય છે. જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય–એ ચાર કર્મોનો લતા–લાકડું–હાડકાં અને પથ્થરરૂપ ક્રમથી વધતો વધતો બંધ થાય છે અને નામ, ગોત્ર, વેદનીય આયુ–આ ચાર કર્મોનો જો શુભરૂપ હોય તો ગોળ, ખાંડ, સાકર અને અમૃત સમાન શુભફળ આપે છે અને જો અશુભરૂપ હોય તો લીંબડો, કાંજી, વિષ અને હળાહળ સમાન અશુભ ફળ આપે છે.–આ રીતે આ બધાં કર્મોનો વિપાક થયા કરે છે. આ રીતે ચારે પ્રકારના બંધનું વર્ણન કર્યું. ૨૧પ.
Page 175 of 186
PDF/HTML Page 187 of 198
single page version
અન્વયાર્થઃ– [आत्मविनिश्चितिः] પોતાના આત્માનો વિનિશ્ચય [दर्शनम्] સમ્યગ્દર્શન, [आत्मपरिज्ञानम्] આત્માનું વિશેષ જ્ઞાન [बोधः] સમ્યગ્જ્ઞાન અને [आत्मनि] આત્મામાં [स्थितिः] સ્થિરતા [चारित्रं] સમ્યક્ચારિત્ર [इष्यते] કહેવાય છે તો પછી [एतेभ्यः ‘त्रिभ्यः’] આ ત્રણથી [कुतः] કેવી રીતે [बन्धः] બંધ [भवति] થાય?
ટીકાઃ– ‘आत्मविनिश्चितिः दर्शनं, आत्मपरिज्ञानं बोधः, आत्मनि स्थितिः चारित्रं इष्यते एतेभ्यः बंधः कुतः भवति।’ અર્થઃ–આત્માના સ્વરૂપનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન છે, આત્માના સ્વરૂપનું પરિજ્ઞાન થવું તે સમ્યગ્જ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણે આત્મસ્વરૂપ જ છે. જ્યારે આ ત્રણે ગુણ આત્મસ્વરૂપ છે તો એનાથી કર્મોનો બંધ કેવી રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકતો નથી.
ભાવાર્થઃ– રત્નત્રય બે પ્રકારના છે–૧. વ્યવહારરત્નત્રય અને ૨. નિશ્ચયરત્નત્રય. દેવ– શાસ્ત્ર–ગુરુનું તથા સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરવું તે વ્યવહારસમ્યગ્દર્શન છે, તત્ત્વોના સ્વરૂપને જાણી લેવું તે વ્યવહારસમ્યગ્જ્ઞાન છે, અશુભ ક્રિયાઓથી પ્રવૃત્તિ હટાવીને શુભક્રિયામાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્યક્ચારિત્ર છે.–આ વ્યવહારરત્નત્રય થયાં. આત્મસ્વરૂપનું શ્રદ્ધાન તે નિશ્ચયસમ્યગ્દર્શન, આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન અને આત્મસ્વરૂપમાં પરિણમન તે નિશ્ચયસમ્યક્ચારિત્ર. તે આ જીવને કર્મોથી છોડાવવાનું કારણ છે, પણ કર્મોના બંધનું કારણ નથી. ૨૧૬.
અન્વયાર્થઃ– [अपि] અને [तीर्थकराहारकर्मणाः] તીર્થંકરપ્રકૃતિ અને આહાર પ્રકૃતિનો [यः] જે [बन्धः] બંધ [सम्यक्त्वचरित्राभ्यां] સમ્યક્ત્વ અને ચારિત્રથી [समये] આગમમાં [उपदिष्टः] કહ્યો છે, [सः] તે [अपि] પણ [नयविदां] નયના જાણનારાઓના [दोषाय] દોષનું કારણ [न] નથી.
ટીકાઃ– ‘सम्यक्त्व चरित्राभ्यां तीर्थकराहार कर्मणः बन्धः (भवति) यः अपि समयं उपदिष्टः सः अपि नयविदां दोषाय न भवति।’ અર્થઃ–સમ્યગ્દર્શન અને સમ્યક્–
Page 176 of 186
PDF/HTML Page 188 of 198
single page version
ચારિત્રથી તીર્થંકર–પ્રકૃતિ અને આહારક–પ્રકૃતિનો બંધ થાય છે, એવો જે શાસ્ત્રોમાં ઉપદેશ છે તેમાં પણ નયવિવક્ષા જાણનારને દોષ અર્થાત્ વિરોધ જણાતો નથી.
ભાવાર્થઃ– જો કોઈ એમ શંકા કરે કે સમ્યગ્દર્શન થયા પછી જ તીર્થંકરપ્રકૃતિનો બંધ થાય છે અને સમ્યક્ચારિત્ર થયા પછી જ આહારક–પ્રકૃતિનો બંધ થાય છે તો ઉપર જે આ કહેવામાં આવ્યું છે કે રત્નત્રય કર્મનો બંધ કરનાર નથી એ કેવી રીતે? તેનો ખુલાસો કરે છેઃ–
योगकषायौ
અન્વયાર્થઃ– [यस्मिन्] જેમાં [सम्यक्त्वचरित्रे सति] સમ્યક્ત્વ અને ચારિત્ર હોવા છતાં [तीर्थकराहारबन्धकौ] તીર્થંકર અને આહારક પ્રકૃતિનો બંધ કરનાર [योगकषायौ] યોગ અને કષાય [भवतः] થાય છે [पुनः] અને [असतिः न] નહોતા, થતા નથી અર્થાત્ સમ્યક્ત્વ અને ચારિત્ર વિના બંધના કર્તા યોગ અને કષાય થતા નથી [तत्] તે સમ્યક્ત્વ અને ચારિત્ર [अस्मिन्] આ બંધમાં [उदासीनम्] ઉદાસીન છે.
ટીકાઃ– ‘सम्यक्त्व चरित्रे सति योगकषायौ तीर्थकराहार बंधकौ भवतः तस्मात् तत्पुनः अस्मिन् उदासीनम्।’ અર્થઃ–સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર હોય ત્યારે જ યોગ અને કષાય તીર્થંકર તથા આહારકનો બંધ કરનાર થાય છે, તેથી રત્નત્રય તો પ્રકૃતિઓનો બંધ કરવામાં ઉદાસીન છે.
ભાવાર્થઃ– જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રગુણ પ્રગટ હોતા નથી ત્યારે પણ આત્માની સાથે કર્મોનો બંધ થાય છે અને જ્યારે એકદેશ સમ્યક્ચારિત્ર પ્રગટ થાય ત્યારે પણ આત્માની સાથે કર્મનો બંધ થાય છે, તેથી જણાય છે કે કર્મોનો બંધ કરવામાં કારણ યોગ–કષાયોનું થવું અને કર્મોના અબંધમાં કારણ યોગ–કષાયોનું ન થવું જ છે. ૨૧૮.
सकलजनसुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम्।। २१९।।
Page 177 of 186
PDF/HTML Page 189 of 198
single page version
અન્વયાર્થઃ– [ननु] શંકા–કોઈ પુરુષ શંકા કરે છે કે [रत्नत्रयधारिणां] રત્નત્રયના ધારક [मुनिवराणां] શ્રેષ્ઠ મુનિઓને [सकलजनसुप्रसिद्धः] સર્વજનોમાં સારી રીતે પ્રસિદ્ધ [देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः] દેવાયુ આદિ ઉત્તમ પ્રકૃતિઓનો બંધ [एवं] પૂર્વોક્ત પ્રકારે [कथम्] કેવી રીતે [सिद्धयति] સિદ્ધ થશે?
ટીકાઃ– ‘ननु रत्नत्रयधारिणां मुनिवराणां सकलजनसुप्रसिद्धः देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः एवं कथं सिद्धयति।’ અર્થઃ–અહીં કોઈ શંકા કરે કે રત્નત્રયના ધારક મુનિઓને દેવાયુ વગેરે શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે એવું જે શાસ્ત્રોમાં કથન છે તે કેવી રીતે સિદ્ધ થશે? ૨૧૯. તેનો ઉત્તરઃ–
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।। २२०।।
અન્વયાર્થઃ– [इह] આ લોકમાં [रत्नत्रयं] રત્નત્રયરૂપ ધર્મ [निर्वाणस्य एव] નિર્વાણનું જ [हेतु] કારણ [भवति] થાય છે, [अन्यस्य] અન્ય ગતિનું [न] નહીં, [तु] અને [यत्] જે રત્નત્રયમાં [पुण्यं आस्रवति] પુણ્યનો આસ્રવ થાય છે, તે [अयम्] આ [अपराधः] અપરાધ [शुभोपयोगः] શુભોપયોગનો છે.
ટીકાઃ– ‘इह रत्नत्रयं निर्वाणस्य एव हेतुः भवति अन्यस्य न तु यत् पुण्यं आस्रवति अयं अपराधः शुभोपयोगः।’ અર્થઃ–આ લોકમાં રત્નત્રય મોક્ષનું જ કારણ છે, બીજી ગતિનું કારણ નથી. વળી રત્નત્રયના સદ્ભાવમાં જે શુભ પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તે બધો શુભકષાય અને શુભયોગથી જ થાય છે, અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે પણ રત્નત્રયનો નથી. ભિન્ન ભિન્ન કારણોથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તોપણ વ્યવહારથી એકબીજાનું પણ કાર્ય કહી દેવામાં આવે છે. ૨૨૦.
અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [एकस्मिन्] એક વસ્તુમાં [अत्यंतविरुद्धकार्ययोः] અત્યંત વિરોધી બે કાર્યોના [अपि] પણ [समवायात्] મેળથી [ताद्रशः अपि] તેવો જે [व्यवहारः] વ્યવહાર [रूढिम्] રૂઢિને [इतः] પ્રાપ્ત છે, [यथा] જેમ [इह] આ લોકમાં ‘‘[घृतम्] ઘી [दहति] બાળે છે’’–[इति] એ પ્રકારની કહેવત છે.
Page 178 of 186
PDF/HTML Page 190 of 198
single page version
ટીકાઃ– ‘हि एकस्मिन् अत्यंतविरुद्धकार्ययोः अपि समवायात् यथा घृतं दहति इति व्यवहारः अपि ताद्रशः व्यवहारः रूढिं इतः।’ અર્થઃ–નિશ્ચયથી એક અધિકરણમાં પરસ્પર વિરુદ્ધ બે કાર્યોનો બંધ થવાથી ‘જેમ ઘી બાળે છે’ એવો એકનો બીજામાં વ્યવહાર થઈ જાય છે, તેવી જ રીતે અહીં પણ વ્યવહાર પ્રસિદ્ધ થઈ ગયો છે કે સમ્યક્ત્વથી શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે.
ભાવાર્થઃ– જોકે ઘી બાળતું નથી તોપણ અગ્નિના સંબંધથી જ્યારે ઘી ગરમ થઈ જાય છે ત્યારે એવું જાણવામાં આવે છે કે ઘી બાળે છે. તેવી જ રીતે સમ્યક્ત્વનું કામ કર્મબંધ કરવાનું નથી તોપણ જ્યારે આત્મામાં સમ્યક્ત્વ અને રાગભાવ બન્ને મળી જાય છે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે સમ્યક્ત્વથી કર્મનો બંધ થાય છે. તેથી જ લોકમાં વ્યવહાર પણ એવો થાય છે કે સમ્યક્ત્વથી શુભકર્મોનો બંધ થાય છે, રત્નત્રયથી મોક્ષનો લાભ થાય છે. ૨૨૧.
मुख्योपचाररूपः प्रापयति परं पदं पुरुषम्।। २२२।।
અન્વયાર્થઃ– [इति] આ રીતે [एषः] આ પૂર્વકથિત [मुख्योपचाररूपः] નિશ્ચય અને વ્યવહારરૂપ [सम्यक्त्वबोधचारित्रलक्षणः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર લક્ષણવાળો [मोक्षमार्गः] મોક્ષનો માર્ગ [पुरुषम्] આત્માને [परं पदं] પરમાત્માનું પદ [प्रापयति] પ્રાપ્ત કરાવે છે.
ટીકાઃ– ‘सम्यक्त्वबोधचारित्रलक्षणः इतिः एषः मोक्षमार्गः मुख्योपचाररूपः पुरुषं परं पदं प्रापयति।’ અર્થઃ–સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણ સ્વરૂપ જ મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ નિશ્ચય–વ્યવહાર એમ બે પ્રકારનો જ આત્માને મોક્ષ પહોંચાડે છે.
ભાવાર્થઃ– નિશ્ચયમોક્ષમાર્ગ સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાધક છે તથા વ્યવહારમોક્ષમાર્ગ પરંપરાએ મોક્ષમાર્ગનો સાધક છે અર્થાત્ વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે. ૨૨૨.
गगनमिव परमपुरुषः परमपदे स्फुरति विशदतमः।। २२३।।
Page 179 of 186
PDF/HTML Page 191 of 198
single page version
અન્વયાર્થઃ– [नित्यमपि] હંમેશાં [निरुपलेपः] કર્મરૂપી રજના લેપ રહિત [स्वरूपसमवस्थितः] પોતાના અનંતદર્શન–જ્ઞાન સ્વરૂપમાં સારી રીતે ઠરેલો [निरुपघातः] ઉપઘાત રહિત અને [विशदतमः] અત્યંત નિર્મળ [परमपुरुषः] પરમાત્મા [गगनम् इव] આકાશની જેમ [परमपदे] લોકશિખરસ્થિત મોક્ષસ્થાનમાં [स्फुरति] પ્રકાશમાન થાય છે.
ટીકાઃ– ‘नित्यम् अपि निरुपलेपः स्वरूपसमवस्थितः निरुपघातः विशदतमः परमपुरुषः गगनम् इव परमपदे स्फुरति।’ અર્થઃ–સદાકાળ કર્મમળ રહિત, પોતાના સ્વરૂપમાં સ્થિત, કોઈના પણ ઘાતરહિત, અત્યંત નિર્મળ એવા જે પરમાત્મા સિદ્ધ ભગવાન છે તે મોક્ષમાં આકાશ સમાન દૈદીપ્યમાન રહે છે.
ભાવાર્થઃ– પુરુષ નામ જીવનું છે અને પરમ પુરુષ નામ પરમાત્મા સિદ્ધ ભગવાનનું છે. જીવ તો નર–નારકાદિ ચારે ગતિઓમાં પોતાના આયુષ્ય પ્રમાણે થોડા કાળ સુધી જ રહે છે અને સિદ્ધભગવાન મોક્ષમાં સદા અનંતકાળ સુધી રહે છે. સંસારી જીવ કર્મરૂપી મેલથી મલિન છે, સિદ્ધ ભગવાન કર્મમળથી રહિત છે. સંસારી જીવ પુણ્ય–પાપરૂપી લેપથી લિપ્ત છે, સિદ્ધ ભગવાન આકાશ સમાન નિર્લેપ છે. સંસારી જીવ વિભાવ પરિણતિના યોગથી સદા દેહાદિરૂપે થઈ રહ્યો છે, સિદ્ધ ભગવાન સદા નિજસ્વરૂપમાં જ વિરાજમાન રહે છે. સંસારના જીવ બીજા જીવોનો ઘાત કરે છે અને બીજાઓ દ્વારા હણાય છે પણ સિદ્ધ ભગવાન કોઈ જીવને હણતા નથી કે કોઈ જીવો વડે હણાતા નથી. આવા સિદ્ધ ભગવાન અખંડ, અવિનાશી, નિર્મળ, પોતાના સ્વરૂપમાં સ્થિત સદાકાળ મોક્ષમાં જ બિરાજમાન રહે છે. ૨૨૩.
परमानन्दनिमग्नो ज्ञानमयो नन्दति सदैव।। २२४।।
અન્વયાર્થઃ– [कृतकृत्यः] કૃતકૃત્ય [सकलविषयविषयात्मा] સમસ્ત પદાર્થો જેમના વિષય છે એવા અર્થાત્ સર્વ પદાર્થોના જ્ઞાતા [परमानन्दनिमग्नः] વિષયાનન્દથી રહિત જ્ઞાનાનંદમાં અતિશય મગ્ન [ज्ञानमयः] જ્ઞાનમય જ્યોતિરૂપ [परमात्मा] મુક્તાત્મા [परमपदे] સૌથી ઉપર મોક્ષપદમાં [सदैव] નિરંતર જ [नन्दति] આનંદરૂપે સ્થિત છે.
ટીકાઃ– ‘परमात्मा कृतकृत्यः सकलविषयविषयात्मा (विरतात्मा) वा परमानन्द
Page 180 of 186
PDF/HTML Page 192 of 198
single page version
निमग्नः ज्ञानमयः परमपदे सदैव नन्दति।’ અર્થઃ–સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, સકલ પદાર્થોને પોતાના જ્ઞાનમાં વિષય કરનાર અથવા સકળ પદાર્થોથી વિરક્ત, પરમ સુખમાં નિમગ્ન અને કેવળજ્ઞાનસહિત મોક્ષમાં નિરંતર આનંદ કરે છે.
ભાવાર્થઃ– સંસારના જીવોને અનેક કાર્ય કરવાની અભિલાષા છે તેથી કૃતકૃત્ય નથી, સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી તેથી કૃતકૃત્ય છે. જગતના જીવ મોક્ષથી વિમુખ છે અને સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજમાન છે. સંસારના જીવો વિષય વિકાર સહિત છે, સિદ્ધ ભગવાન વિષય વિકાર રહિત છે. સંસારના જીવ અનેક શરીરો ધારણ કરીને દુઃખી થઈ રહ્યા છે, સિદ્ધ ભગવાન મન, વચન, કાયાથી રહિત છે. ઇત્યાદિ અનંત ગુણો સહિત સિદ્ધ ભગવાન છે. ૨૨૪.
અન્વયાર્થઃ– [मन्थाननेत्रम्] રવઈ–વલોણાને ખેંચનાર [गोपी इव] ગોવાલણની જેમ [जैनी नीतिः] જિનેન્દ્રદેવની સ્યાદ્વાદનીતિ અથવા નિશ્ચય–વ્યવહારરૂપ નીતિ [वस्तुतत्त्वम्] વસ્તુના સ્વરૂપને [एकेन] એક સમ્યગ્દર્શનથી [आकर्षन्ती] પોતા તરફ ખેંચે છે, [इतरेण] બીજાથી અર્થાત્ સમ્યગ્જ્ઞાનથી [श्लथयन्ती] શિથિલ કરે છે અને [अन्तेन] અન્તિમ અર્થાત્ સમ્યક્ચારિત્રથી સિદ્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરવાથી [जयति] સર્વની ઉપર વર્તે છે. (અથવા બીજો અન્વયાર્થ)
અન્વયાર્થઃ– [मन्थानेत्रम्] રવઈને ખેંચનાર [गोपी इव] ગોવાલણની જેમ જે [वस्तुतत्त्वम्] વસ્તુના સ્વરૂપની [एकेन अन्तेन] એક અંતથી અર્થાત્ દ્રવ્યાર્થિકનયથી [आकर्षन्ती] આકર્ષણ કરે છે–ખેંચે છે, અને વળી [इतरेण] બીજા પર્યાયાર્થિકનયથી [श्लथयन्ती] શિથિલ કરે છે, તે [जैनीनीतिः] જૈનમતની ન્યાયપદ્ધતિ [जयति] જયવંતી છે.
ટીકાઃ– मन्थाननेत्रं गोपी इव जैनी नीतिः वस्तुतत्त्वं एकेन आकर्षन्ती इतरेण श्लथयन्ती अन्तेन जयति। અર્થઃ–વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ જિનેન્દ્ર ભગવાનની જે નીતિ અર્થાત્ વિવક્ષા છે તે વસ્તુરૂપને એક નય–વિવક્ષાથી ખેંચતી, બીજી નય– વિવક્ષાથી ઢીલી મૂકતી અંતે અર્થાત્ બન્ને વિવક્ષાઓથી જયવંત રહે.
Page 181 of 186
PDF/HTML Page 193 of 198
single page version
ભાવાર્થઃ– ભગવાનની વાણી સ્યાદ્વાદરૂપ અનેકાન્તાત્મક છે. વસ્તુનું સ્વરૂપ પ્રધાન તથા ગૌણનયની વિવક્ષાથી કરવામાં આવે છે. જેમ કે જીવદ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે, એ જ નય–વિવક્ષા છે. ૨૨પ.
[નોંધઃ– આ શ્લોકમાં એમ બતાવ્યું છે કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતાથી કથન છે અને કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે, પણ તેનો અર્થ એમ નથી કે સાચો ધર્મ કોઈ વખતે વ્યવહારનય (અભૂતાર્થનય)ના આશ્રયથી થાય અને કોઈવાર નિશ્ચયનય (ભૂતાર્થનય)ના આશ્રયથી થાય છે; ધર્મ તો સદાય નિશ્ચયનય અર્થાત્ ભૂતાર્થનયના વિષયના આશ્રયથી જ થાય છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે થાય છે પણ મોક્ષમાર્ગ બે નથી. સરાગતાથી પણ મોક્ષમાર્ગ તથા વીતરાગતાથી પણ મોક્ષમાર્ગ–એમ પરસ્પર વિરુદ્ધતાથી તથા સંશયરૂપ મોક્ષમાર્ગ નથી.]
वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः।। २२६।।
અન્વયાર્થઃ– [चित्रैः] અનેક પ્રકારના [वर्णैः] અક્ષરો વડે [कृतानि] રચાયેલા [पदानि] પદ, [पदैः] પદોથી [कृतानि] બનાવેલા [वाक्यानि] વાકયો છે, [तु] અને [वाक्यैः] તે વાકયોથી [पुनः] પછી [इदं] આ [पवित्रं] પવિત્ર–પૂજ્ય [शास्त्रम्] શાસ્ત્ર [कृतं] બનાવવામાં આવ્યું છે, [अस्माभिः] અમારાથી [न ‘किमपि कृतम्’] કાંઈ પણ કરાયું નથી.
ટીકાઃ– चित्रैः वर्णैः पदानि कृतानि तु पदैः वाक्यानि कृतानि वाक्यैः पवित्रं शास्त्रं कृतं पुनः अस्माभिः न। અર્થઃ–સ્વામી અમૃતચન્દ્ર મહારાજ ગ્રન્થ પૂર્ણ કરતાં પોતાની લઘુતા બતાવે છે અને કહે છે કે આ ગ્રંથ મેં બનાવ્યો નથી. તો પછી કોણે બનાવ્યો છે?–તો કહે છે કે અનેક પ્રકારના સ્વર, વ્યંજન, વર્ણ અનાદિ કાળના છે, તે વર્ણોથી પદ અનાદિનાં છે, તથા પદોથી વાકય બને છે અને તે વાકયોએ આ પવિત્ર શાસ્ત્ર બનાવ્યું છે, અમે કાંઈ પણ બનાવ્યું નથી.
Page 182 of 186
PDF/HTML Page 194 of 198
single page version
રજનીશ.
Page 183 of 186
PDF/HTML Page 195 of 198
single page version
Page 184 of 186
PDF/HTML Page 196 of 198
single page version
Page 185 of 186
PDF/HTML Page 197 of 198
single page version
Page 186 of 186
PDF/HTML Page 198 of 198
single page version