Samaysar (Gujarati). Samaysar Stuti; Vishyanukramnika; Manglacharan; Poorvarang; Kalash: 1-3 ; Gatha: 1-2.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 34

 

Page -10 of 642
PDF/HTML Page 21 of 673
single page version

અર્થઃયતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજઃસ્થાનનેભૂમિતળનેછોડીને
ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
(
અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ
હતા).
जइ पउमणंदिणाहो सीमंधरसामिदिव्वणाणेण
ण विबोहइ तो समणा क हं सुमग्गं पयाणंति ।।
[दर्शनसार]
અર્થઃ(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી
મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ
પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર
કરું છું.
[શ્રીમદ્ રાજચંદ્ર]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના
દાસાનુદાસ છીએ. શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
[ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ]

❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈



Page -8 of 642
PDF/HTML Page 23 of 673
single page version

ઠ્ઠી સમયસારજીસ્તુતિ
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
રચયિતાઃ હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -7 of 642
PDF/HTML Page 24 of 673
single page version

વિ ષ યા નુ ક્ર મ ણિ કા

વિષય

ગાથા
વિષય
ગાથા
દુઃખ પામે છે; તેથી સ્વભાવમાં સ્થિર
થાય
સર્વથી જુદો થઈ એકલો સ્થિર
પૂર્વરંગ

(પ્રથમ ૩૮ ગાથાઓમાં રંગભૂમિસ્થળ બાંધ્યું

થાયત્યારે સુંદર (ઠીક) છે . . . . .
છે; તેમાં જીવ નામના પદાર્થનું સ્વરૂપ કહ્યું
છે.) .... ....
જીવને જુદાપણું અને એકપણું પામવું
દુર્લભ છે; કેમ કે બંધની કથા તો સર્વ
પ્રાણી કરે છે, એકત્વની કથા વિરલ
જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન...

મંગલાચરણ, ગ્રંથપ્રતિજ્ઞા . . . . . . . . . . (આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે,

એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર
દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને
જીવ-પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળના
સંયોગથી વિભાવપરિણતિ પણ છે; કેમ કે
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક
પુદ્ગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ
પરિણમે છે અને એના નિમિત્તથી કાર્મણ-
વર્ગણારૂપ પુદ્ગલ કર્મરૂપ થઈને જીવ સાથે
બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની
અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે
નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો
ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી
જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની
સ્વસમય-પરસમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે
જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રભાવરૂપ
પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે
સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે
પુદ્ગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન
આ એકત્વની કથાને અમે સર્વ નિજ વિભવથી
કહીએ છીએ; તેને અન્ય જીવો પણ પોતાના
અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો.....
શુદ્ધનયથી જોઈએ તો જીવ અપ્રમત્ત-પ્રમત્ત
બન્ને દશાઓથી જુદો એક જ્ઞાયકભાવ
માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે
તે સંબંધી . . . . . . . . . . . . . . . .
આ જ્ઞાયકભાવમાત્ર આત્માને દર્શન-જ્ઞાન-
ચારિત્રના ભેદરૂપ પણ અશુદ્ધપણું નથી,
જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે . . . . . .
વ્યવહારનય આત્માને અશુદ્ધ કહે છે તે
વ્યવહારનયના ઉપદેશનું પ્રયોજન . . . .
વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કઈ રીતે છે
૯-૧૦
તેનું, શ્રુતકેવળીના દ્રષ્ટાંત દ્વારા, નિરૂપણ
શુદ્ધનય સત્યાર્થ અને વ્યવહારનય અસત્યાર્થ
૧૧
કહેલ છે . . . . . . . . . . . . . . . .
જે સ્વરૂપના શુદ્ધ પરમભાવને પ્રાપ્ત થયા છે
તેમને તો શુદ્ધનય જ પ્રયોજનવાન છે, અને
જેઓ સાધક અવસ્થામાં છે તેમને
વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .

જીવનો પુદ્ગલકર્મ સાથે બંધ હોવાથી

પરસમયપણું છે તે સુંદર નથી, કારણ કે
એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં
૧૨

Page -6 of 642
PDF/HTML Page 25 of 673
single page version

વિષય

ગાથા વિષય
ગાથા

જીવાદિ તત્ત્વોને શુદ્ધનયે જાણવાં તે સમ્યક્ત્વ

અધ્યવસાનાદિ ભાવ પુદ્ગલમય છે, જીવ નથી
છે એવું કથન . . . . . . . . . . . . .
૧૩
એવું કથન . . . . . . . . . . . . . . .
૪૫

શુદ્ધનયના વિષયભૂત આત્મા બદ્ધસ્પૃષ્ટ, અન્ય,

અધ્યવસાનાદિ ભાવને વ્યવહારનયથી જીવ
અનિયત, વિશેષ, અને સંયુક્તએ પાંચ
કહેલ છે . . . . . . . . . . . . . . . .
૪૬
ભાવોથી રહિત હોવા સંબંધી કથન . .
૧૪
પરમાર્થરૂપ જીવનું સ્વરૂપ . . . . . . . . .
વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંત જેટલા ભાવ છે
૪૯

શુદ્ધનયના વિષયભૂત આત્માને જાણવો તે

સમ્યગ્જ્ઞાન છે એવું કથન . . . . . . .
૧૫
તે જીવના નથી એવું છ ગાથાઓથી કથન
૫૦

સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ સાધુએ

એ વર્ણાદિક ભાવ જીવના છે એમ વ્યવહારનય
સેવન કરવાયોગ્ય છે, તેનું દ્રષ્ટાંતસહિત
કથન . . . . . . . . . . . . . . . . . .
કહે છે, નિશ્ચયનય કહેતો નથી એવું
દ્રષ્ટાંતપૂર્વક કથન . . . . . . . . . . . .
૧૬
૫૬

શુદ્ધનયના વિષયભૂત આત્માને જ્યાં સુધી ન

વર્ણાદિક ભાવોનું જીવ સાથે તાદાત્મ્ય કોઈ
જાણે ત્યાં સુધી તે જીવ અજ્ઞાની છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
અજ્ઞાની માને તેનો નિષેધ . . . . . . .
૬૧
૧૯
૨૩
૨. કર્તાકર્મ અધિકાર

અજ્ઞાનીને સમજાવવાની રીતિ . . . . . . . અજ્ઞાનીએ જીવ-દેહને એક દેખી તીર્થંકરની

આ અજ્ઞાની જીવ ક્રોધાદિકમાં જ્યાં સુધી વર્તે
છે ત્યાં સુધી કર્મનો બંધ કરે છે . . .
૬૯
સ્તુતિનો પ્રશ્ન કર્યો તેનો ઉત્તર . . . .
૨૬
આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે બંધ થતો
૨૮

આ ઉત્તરમાં જીવ-દેહની ભિન્નતાનું દ્રશ્ય.... ચારિત્રમાં જે પ્રત્યાખ્યાન કહેવામાં આવેલ છે તે

નથી . . . . . . . . . . . . . . . . . . .
૭૧
૭૩
આસ્રવોથી નિવૃત થવાનું વિધાન . . . . .
જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો
શું છે? એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપ્યો
છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે . . . . .
૩૪
સમકાળ કઈ રીતે છે તેનું કથન. . . .
૭૪
૭૫

દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપે પરિણત આત્માનું

જ્ઞાનસ્વરૂપ થયેલ આત્માનું ચિહ્ન . . . . .
આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે આત્મા
સ્વરૂપ કહી રંગભૂમિકાનું સ્થળ (૩૮
ગાથાઓમાં) પૂર્ણ . . . . . . . . . . . .
૩૮
જ્ઞાની થાય છે ત્યારે કર્તૃકર્મભાવ પણ
થતો નથી . . . . . . . . . . . . . . . .
૧. જીવ-અજીવ અધિકાર
૭૬

જીવ-અજીવ બન્ને બંધપર્યાયરૂપ થઈ એક

જીવ-પુદ્ગલકર્મને પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ
દેખવામાં આવે છે, તેમાં જીવનું સ્વરૂપ ન
જાણવાથી અજ્ઞાની જન જીવની કલ્પના
અધ્યવસાનાદિ ભાવરૂપે અન્યથા કરે છે
તેના પ્રકારોનું વર્ણન . . . . . . . . . .
છે તોપણ કર્તૃકર્મભાવ કહી શકાતો નથી
૮૦
નિશ્ચયનયના મતથી આત્મા અને કર્મને
કર્તૃકર્મભાવ અને ભોક્તૃભોગ્યભાવ નથી,
પોતાનામાં જ કર્તૃકર્મભાવ અને
ભોક્તૃભોગ્યભાવ છે . . . . . . . . .
૩૯

જીવનું સ્વરૂપ અન્યથા કલ્પે છે તેના નિષેધની

૮૩
ગાથા . . . . . . . . . . . . . . . . . .
૪૪

Page -5 of 642
PDF/HTML Page 26 of 673
single page version

વિષય

ગાથા
વિષય
ગાથા

વ્યવહારનય આત્મા અને પુદ્ગલકર્મને

કોઈ નથી કેમ કે પરદ્રવ્યોને પરસ્પર
કર્તૃકર્મભાવ નથી . . . . . . . . . . . .
કર્તૃકર્મભાવ અને ભોક્તૃભોગ્યભાવ કહે
છે...
૧૦૨
૮૪
જીવ નિમિત્તભૂત બનતાં કર્મનું પરિણામ થતું

આત્માને પુદ્ગલકર્મનો કર્તા અને ભોક્તા

દેખીને ઉપચારમાત્રથી કહેવામાં આવે છે કે
આ કર્મ જીવે કર્યું . . . . . . . . . . .
માનવામાં આવે તો મહાન દોષસ્વ-
૧૦૫
પરથી અભિન્નપણાનો પ્રસંગઆવે છે;
મિથ્યાત્વાદિ સામાન્ય આસ્રવો અને
તે મિથ્યાપણું હોવાથી જિનદેવને સંમત
નથી . . . . . . . . . . . . . . . . . . .
ગુણસ્થાનોરૂપી તેમના વિશેષો બંધના કર્તા
છે, નિશ્ચયથી જીવ તેમનો કર્તાભોક્તા નથી
૮૫
૧૦૯

મિથ્યાત્વાદિ આસ્રવો જીવ-અજીવના ભેદથી

જીવ અને આસ્રવોનો ભેદ દેખાડ્યો છે; અભેદ
બે પ્રકારે છે એવું કથન અને તેનો
હેતુ . . . . . . . . . . . . . . . . . . .
કહેવામાં દૂષણ દીધું છે . . . . . . . .
૧૧૩
૮૭
સાંખ્યમતી, પુરુષ અને પ્રકૃતિને અપરિણામી

આત્માના મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ

કહે છે તેનો નિષેધ કરી પુરુષ અને
પુદ્ગલને પરિણામી કહ્યા છે . . . . . .
ત્રણ પરિણામ અનાદિ છે તેમનું કર્તાપણું
અને તેના નિમિત્તથી પુદ્ગલનું કર્મરૂપ
થવું . . . . . . . . . . . . . . . . . . .
૧૧૬
જ્ઞાનથી જ્ઞાનભાવ અને અજ્ઞાનથી અજ્ઞાનભાવ
૮૯
જ ઉત્પન્ન થાય છે . . . . . . . . . .
૧૨૬

આત્મા મિથ્યાત્વાદિભાવરૂપે પરિણમે નહિ ત્યારે

અજ્ઞાની જીવ દ્રવ્યકર્મ બંધાવાના નિમિત્તરૂપ
કર્મનો કર્તા નથી . . . . . . . . . . . .
૯૩
અજ્ઞાનાદિ ભાવોનો હેતુ થાય છે . . .
૧૩૨

અજ્ઞાનથી કર્મ કેવી રીતે થાય છે એવો શિષ્યનો

પુદ્ગલના પરિણામ તો જીવથી જુદા છે અને
પ્રશ્ન અને તેનો ઉત્તર . . . . . . . . .
૯૪
જીવના પુદ્ગલથી જુદા છે . . . . . . .
૧૩૭

કર્મના કર્તાપણાનું મૂળ અજ્ઞાન જ છે . . જ્ઞાન થાય છે ત્યારે કર્તાપણું નથી . . . . વ્યવહારી જીવ આત્માને પુદ્ગલકર્મનો કર્તા કહે

૯૬
કર્મ જીવથી બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ એવા
૯૭
શિષ્યના પ્રશ્નનો નિશ્ચય-વ્યવહાર બન્ને
નયોથી ઉત્તર . . . . . . . . . . . . . .
૧૪૧
છે એ અજ્ઞાન છે . . . . . . . . . . .
૯૮
જે નયોના પક્ષથી રહિત છે તે કર્તૃકર્મભાવથી

આત્મા પુદ્ગલકર્મનો કર્તા નિમિત્ત-

રહિત સમયસારશુદ્ધ આત્મા-છે એમ
નૈમિત્તિકભાવથી પણ નથી; આત્માના
યોગ-ઉપયોગ છે તે નિમિત્તનૈમિત્તિક-
ભાવથી કર્તા છે અને યોગ-ઉપયોગનો
આત્મા કર્તા છે . . . . . . . . . . . . .
કહી અધિકાર પૂર્ણ . . . . . . . . . . .
૧૪૨
૩. પુણ્યપાપ અધિકાર
શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન . . . . .
બન્ને કર્મો બંધનાં કારણ . . . . . . . . .
આથી બન્ને કર્મોનો નિષેધ . . . . . . . .
તેનું દ્રષ્ટાંત અને આગમની સાક્ષી . . . .
૧૪૫
૧૦૦
૧૦૧
૧૪૬

જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે . . . . . . . . . અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનભાવનો જ કર્તા

૧૪૭
૧૪૮
છે, પુદ્ગલકર્મનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની

Page -4 of 642
PDF/HTML Page 27 of 673
single page version

વિષય

ગાથા વિષય
ગાથા

જ્ઞાન મોક્ષનું કારણ છે . . . . . . . . . . વ્રતાદિક પાળે તોપણ જ્ઞાન વિના મોક્ષ

૧૫૧
તેથી જ્ઞાનીને કર્મબંધ પણ નથી. અધિકાર
પૂર્ણ . . . . . . . . . . . . . . . . . . .
૧૭૭
નથી . . . . . . . . . . . . . . . . . . .
૧૫૨
૧૫૪
૫. સંવર અધિકાર

પુણ્યકર્મના પક્ષપાતીનો દોષ . . . . . . . . જ્ઞાનને જ પરમાર્થસ્વરૂપ મોક્ષનું કારણ કહ્યું છે,

સંવરનો મૂળ ઉપાય ભેદવિજ્ઞાન છે તેની રીતિનું
ત્રણ ગાથાઓમાં કથન . . . . . . . . .
૧૮૧
અને અન્યનો નિષેધ કર્યો છે . . . . .
૧૫૫
ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય
છે એવું કથન . . . . . . . . . . . . .
૧૮૪

કર્મ મોક્ષના કારણનો ઘાત કરે છે એમ દ્રષ્ટાંત

દ્વારા કથન . . . . . . . . . . . . . . .
૧૫૭
શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે
એવું કથન . . . . . . . . . . . . . . .
૧૮૬

કર્મ પોતે જ બંધસ્વરૂપ છે . . . . . . . . કર્મ બંધના કારણરૂપ ભાવોસ્વરૂપ છે અર્થાત્

૧૬૦
સંવર થવાનો પ્રકાર---ત્રણ ગાથામાં . . . .
સંવર થવાના ક્રમનું કથન; અધિકાર પૂર્ણ
૧૮૭
૧૯૦
મિથ્યાત્વ-અજ્ઞાન-કષાયસ્વરૂપ છે એવું કથન,
અને ત્રીજો અધિકાર પૂર્ણ . . . . . . .
૧૬૧
૬. નિર્જરા અધિકાર
૪. આસ્રવ અધિકાર
દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ . . . . . . . . . . . .
ભાવનિર્જરાનું સ્વરૂપ . . . . . . . . . . . .
જ્ઞાનનું સામર્થ્ય . . . . . . . . . . . . . . .
વૈરાગ્યનું સામર્થ્ય. . . . . . . . . . . . . .
જ્ઞાન-વૈરાગ્યના સામર્થ્યનું દ્રષ્ટાંતપૂર્વક કથન...
સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે તથા વિશેષપણે
૧૯૩
૧૯૪
૧૯૫

આસ્રવના સ્વરૂપનું વર્ણન અર્થાત્ મિથ્યાત્વ,

અવિરતિ, કષાય અને યોગએ જીવ-
૧૯૬
અજીવના ભેદે બે પ્રકારનાં છે અને તે
બંધનાં કારણ છે એવું કથન . . . . . .
૧૬૪
૧૯૭

જ્ઞાનીને તે આસ્રવોનો અભાવ કહ્યો છે. . . . રાગ-દ્વેષ-મોહરૂપ જીવના અજ્ઞાનમય પરિણામ

૧૬૬
સ્વ-પરને કઈ રીતે જાણે છે તે સંબંધી
કથન . . . . . . . . . . . . . . . . . .
છે તે જ આસ્રવ છે . . . . . . . . . .
૧૬૭
૧૯૮

રાગાદિક સાથે નહિ મળેલા જ્ઞાનમય ભાવની

૨૦૦
સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે . .
રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ કેમ ન હોય તે સંબંધી
ઉત્પત્તિ . . . . . . . . . . . . . . . . .
૧૬૮
૧૬૯
૨૦૧

જ્ઞાનીને દ્રવ્ય-આસ્રવોનો અભાવ . . . . . . ‘જ્ઞાની નિરાસ્રવ કેવી રીતે છે’ એવા શિષ્યના

કથન . . . . . . . . . . . . . . . . . .
અજ્ઞાની રાગી પ્રાણી રાગાદિકને પોતાનું પદ જાણે
પ્રશ્નનો ઉત્તર . . . . . . . . . . . . . .
૧૭૦
છે; તે પદને છોડી પોતાના એક વીતરાગ
જ્ઞાયકભાવપદમાં સ્થિર થવાનો ઉપદેશ....
૨૦૩

અજ્ઞાની અને જ્ઞાનીને આસ્રવ થવાનું અને ન

આત્માનું પદ એક જ્ઞાયકસ્વભાવ છે અને તે જ
થવાનું યુક્તિપૂર્વક વર્ણન . . . . . . . .
૧૭૧
મોક્ષનું કારણ છે; જ્ઞાનમાં જે ભેદ છે તે
કર્મના ક્ષયોપશમના નિમિત્તથી છે . . .

રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનપરિણામ છે તે જ બંધના

૨૦૪
કારણરૂપ આસ્રવો છે; તે જ્ઞાનીને નથી;

Page -3 of 642
PDF/HTML Page 28 of 673
single page version

વિષય

ગાથા
વિષય
ગાથા

જ્ઞાન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે . . . . . જ્ઞાની પરને શા માટે ગ્રહણ કરતા નથી એવા

૨૦૫
આ અજ્ઞાનરૂપ અધ્યવસાય જેને નથી તેને
કર્મબંધ થતો નથી . . . . . . . . . . .
૨૭૦
શિષ્યના પ્રશ્નનો ઉત્તર . . . . . . . . .
૨૦૭
૨૦૮
૨૧૪
આ અધ્યવસાય શું છે? એવા શિષ્યના પ્રશ્નનો
ઉત્તર . . . . . . . . . . . . . . . . . .
૨૭૧

પરિગ્રહના ત્યાગનું વિધાન . . . . . . . . . જ્ઞાનીને સર્વ પરિગ્રહનો ત્યાગ છે . . . . . કર્મના ફળની વાંછાથી કર્મ કરે તે કર્મથી

આ અધ્યવસાયનો નિષેધ છે તે વ્યવહારનયનો
જ નિષેધ છે . . . . . . . . . . . . . .
૨૭૨
જે કેવળ વ્યવહારનું જ અવલંબન કરે છે તે
લેપાય છે; જ્ઞાનીને ઇચ્છા નહિ હોવાથી
તે કર્મથી લેપાતો નથી. તેનું દ્રષ્ટાંત દ્વારા
કથન . . . . . . . . . . . . . . . . . .
અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે; કેમ કે તેનું
આલંબન અભવ્ય પણ કરે છે, વ્રત,
સમિતિ, ગુપ્તિ પાળે છે, અગિયાર અંગ
ભણે છે, તોપણ તેનો મોક્ષ નથી . . .
૨૧૮

સમ્યક્ત્વના આઠ અંગ છે, તેમાં પ્રથમ તો

૨૭૩-૨૭૪
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક તથા સાત ભય રહિત છે
એવું કથન . . . . . . . . . . . . . . .
શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં અભવ્ય અજ્ઞાની છે....
અભવ્ય ધર્મની શ્રદ્ધા કરે છે તે ભોગહેતુ ધર્મની
૨૨૮

નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢત્વ, ઉપગૂહન,

જ છે, મોક્ષહેતુ ધર્મની નહિ. . . . . .
૨૭૫
સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવનાતેનું
નિશ્ચયનયની પ્રધાનતાએ વર્ણન . . . . .
૨૩૦
વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ . . . . . . . .
રાગાદિક ભાવોનું નિમિત્ત આત્મા છે કે
૨૭૬
૭. બંધ અધિકાર
પરદ્રવ્ય? તેનો ઉત્તર . . . . . . . . . .
૨૭૮
૨૩૭

બંધના કારણનું કથન . . . . . . . . . . . આત્મા એવા કારણરૂપે ન પ્રવર્તે તો બંધ ન

આત્મા રાગાદિકનો અકર્તા જ શી રીતે છે; તેનું
ઉદાહરણપૂર્વક કથન. . . . . . . . . .
૨૮૩
૨૪૨
થાય એવું કથન . . . . . . . . . . . .
૮. મોક્ષ અધિકાર

મિથ્યાદ્રષ્ટિને જેનાથી બંધ થાય છે, તે આશયોને

પ્રગટ કર્યા છે અને તે આશયો અજ્ઞાન છે
એમ સિદ્ધ કર્યું છે . . . . . . . . . . .
મોક્ષનું સ્વરૂપ કર્મબંધથી છૂટવું તે છે; જે જીવ
૨૪૭
૨૫૯
બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના
સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ
પામતો નથી . . . . . . . . . . . . . .

અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે... બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, અધ્યવસાન જ

૨૮૮
બંધની ચિંતા કર્યે બંધ કપાતો નથી. . . .
બંધ-છેદનથી જ મોક્ષ થાય છે . . . . . .
બંધનો છેદ કેવી રીતે કરવો? એવા પ્રશ્નનો
૨૯૧
૨૬૫
બંધનું કારણ છેએવું કથન . . . . . .
૨૯૨

અધ્યવસાન પોતાની અર્થક્રિયા નહિ કરતું

૨૬૬
હોવાથી મિથ્યા છે . . . . . . . . . . .
ઉત્તર એ છે કે કર્મબંધના છેદનનું કરણ
પ્રજ્ઞાશસ્ત્ર જ છે. . . . . . . . . . . . .

મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનરૂપ અધ્યવસાયથી પોતાના

૨૯૪
આત્માને અનેક અવસ્થારૂપે કરે છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
૨૬૮
પ્રજ્ઞારૂપ કરણથી આત્મા અને બંધ-બન્નેને જુદા

Page -2 of 642
PDF/HTML Page 29 of 673
single page version

વિષય

ગાથા
વિષય
ગાથા
જુદા કરી પ્રજ્ઞાથી જ આત્માને ગ્રહણ કરવો,
બંધને છોડવો . . . . . . . . . . . . . .
જ્ઞાની કર્તા-ભોક્તા નથી તેનું દ્રષ્ટાંતપૂર્વક
કથન . . . . . . . . . . . . . . . . . .
૩૨૦
૨૯૫

આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો તે

જેઓ આત્માને કર્તા માને છે તેમનો મોક્ષ નથી
સંબંધી કથન . . . . . . . . . . . . . .
એવું કથન . . . . . . . . . . . . . . .
૩૨૧
૨૯૭

આત્મા સિવાય અન્ય ભાવનો ત્યાગ કરવો;

અજ્ઞાની પોતાના ભાવકર્મનો કર્તા છે એવું
કોણ જ્ઞાની પરના ભાવને પર જાણી ગ્રહણ
કરે? અર્થાત્ કોઈ ન કરે . . . . . . .
યુક્તિપૂર્વક કથન . . . . . . . . . . . .
૩૨૮
૩૦૦
આત્માનું કર્તાપણું અને અકર્તાપણું જેવી રીતે છે

જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે,

તેવી રીતે સ્યાદ્વાદ દ્વારા તેર ગાથામાં સિદ્ધ
કર્યું છે . . . . . . . . . . . . . . . . .
બંધનમાં પડે છે; જે અપરાધ કરતો નથી તે
બંધનમાં પડતો નથી . . . . . . . . . .
૩૩૨
૩૦૧
૩૦૪
બૌદ્ધમતી એમ માને છે કે કર્મનો કરનાર બીજો

અપરાધનું સ્વરૂપ . . . . . . . . . . . . . ‘શુદ્ધ આત્માના ગ્રહણથી તમે મોક્ષ કહ્યો; પરંતુ

છે અને ભોગવનાર બીજો છે; તે માન્યતાનો
યુક્તિપૂર્વક નિષેધ . . . . . . . . . . . .
૩૪૫
આત્મા તો પ્રતિક્રમણ આદિ દ્વારા જ
દોષોથી છૂટી જાય છે; તો પછી શુદ્ધ
આત્માના ગ્રહણનું શું કામ છે?’ આવા
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે
કે, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણ રહિત
અપ્રતિક્રમણાદિ સ્વરૂપ ત્રીજી ભૂમિકાથી
કર્તાકર્મનો ભેદ-અભેદ જેવી રીતે છે તેવી રીતે
નયવિભાગદ્વારા દ્રષ્ટાંતપૂર્વક કથન . . .
૩૪૯
નિશ્ચય-વ્યવહારના કથનને ખડીના દ્રષ્ટાંતથી દશ
ગાથામાં સ્પષ્ટ કર્યું છે . . . . . . . . .
૩૫૬
જ્ઞાન અને જ્ઞેયની તદ્ન ભિન્નતા જાણતો
હોવાથી સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગદ્વેષ
થતા નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા
જીવના પરિણામ છે . . . . . . . . . .
શુદ્ધ આત્માના ગ્રહણથી જઆત્મા
નિર્દોષ થાય છે . . . . . . . . . . . . .
૩૦૬
૩૬૬
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરી શકતું નથી
એવું કથન . . . . . . . . . . . . . . .
૩૭૨

આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે . કર્તાપણું જીવ અજ્ઞાનથી માને છે; તે અજ્ઞાનનું

૩૦૮
સ્પર્શ આદિ પુદ્ગલના ગુણ છે તે આત્માને
કાંઈ એમ કહેતા નથી કે અમને ગ્રહણ કર
અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને
તેમને જાણવા જતો નથી; પરંતુ અજ્ઞાની
જીવ તેમના પ્રત્યે વૃથા રાગ-દ્વેષ કરે છે
સામર્થ્ય દેખાડ્યું છે . . . . . . . . . .
૩૧૨

જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું

વિણસવું ન છોડે ત્યાં સુધી તે કર્તા થાય
છે . . . . . . . . . . . . . . . . . . . .
૩૭૩
૩૧૪
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું

કર્મફળનું ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ

સ્વરૂપ . . . . . . . . . . . . . . . . . .
૩૮૩
નથી, અજ્ઞાનથી જ તે ભોક્તા થાય છે એવું
કથન . . . . . . . . . . . . . . . . .
જે કર્મ અને કર્મફળને અનુભવતાં પોતાને તે-
૩૧૬
-રૂપ કરે છે તે નવાં કર્મ બાંધે છે. (અહીં

જ્ઞાની કર્મફળનો ભોક્તા નથી . . . . . . .

૩૧૮

Page -1 of 642
PDF/HTML Page 30 of 673
single page version

વિષય

ગાથા
વિષય
પૃષ્ઠ
ટીકાકાર આચાર્યદેવે કૃત-કારિત-
અનુમોદનાથી મન-વચન-કાયા વડે અતીત,
વર્તમાન અને અનાગત કર્મના ત્યાગનું
ઓગણપચાસ ઓગણપચાસ ભંગ દ્વારા
કથન કરીને કર્મચેતનાના ત્યાગનું વિધાન
દર્શાવ્યું છે તથા એકસો અડતાળીશ
પ્રકૃતિઓના ત્યાગનું કથન કરીને કર્મફળ-
ચેતનાના ત્યાગનું વિધાન દર્શાવ્યું છે.)....
જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે
વિરોધ કેમ નથી આવતો તે બતાવવા, તથા
એક જ જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપેયભાવ
બન્ને કઈ રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર
આચાર્યદેવ સમયસારની ‘આત્મખ્યાતિ’
ટીકાના અંતમાં ‘પરિશિષ્ટ’રૂપે સ્યાદ્વાદ
અને ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહેવાની
પ્રતિજ્ઞા કરે છે . . . . . . . . . . . . .
૩૮૭
૫૮૯

જ્ઞાનને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદું દર્શાવ્યું

એક જ્ઞાનમાં જ ‘‘તત્-અતત્, એક-અનેક, સત્-
છે . . . . . . . . . . . . . . . . . . . .
૩૯૦
અસત્, નિત્ય-અનિત્ય’’ આ ભાવોના ૧૪
ભંગ કરી તેનાં ૧૪ કાવ્ય કહ્યાં છે. . . .
૫૯૦

આત્મા અમૂર્તિક છે તેથી તેને પુદ્ગલમયી દેહ

નથી . . . . . . . . . . . . . . . . . . .
૪૦૫
જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે, જ્ઞાનની

દ્રવ્યલિંગ દેહમયી છે તેથી દ્રવ્યલિંગ આત્માને

પ્રસિદ્ધિથી જ આત્માની પ્રસિદ્ધિ થાય છે,
માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે . . .
મોક્ષનું કારણ નથી; દર્શનજ્ઞાનચારિત્ર જ
મોક્ષમાર્ગ છે એવું કથન . . . . . . . .
૬૦૬
૪૦૮
એક જ્ઞાન-ક્રિયારૂપ પરિણત આત્મામાં જ અનંત

મોક્ષના અર્થીએ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષ-

શક્તિઓ પ્રગટ છે, તેમાંથી સુડતાલીશ
શક્તિઓનાં નામ તથા લક્ષણોનું કથન. . .
માર્ગમાં જ આત્માને જોડવો એવો ઉપદેશ
કર્યો છે . . . . . . . . . . . . . . . . .
૬૦૯
૪૧૧
ઉપાય-ઉપેયભાવનું વર્ણન; તેમાં, આત્મા

જે દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેણે સમયસારને

પરિણામી હોવાથી સાધકપણું અને
સિદ્ધપણું
એ બન્ને ભાવ બરાબર ઘટે છે
જાણ્યો નથી. . . . . . . . . . . . . . .
૪૧૩

વ્યવહારનય જ મુનિ-શ્રાવકના લિંગને મોક્ષમાર્ગ

એવું કથન . . . . . . . . . . . . . . .
૬૧૪
કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ
કહેતો નથી
એવું કથન . . . . . . . .
થોડા કળશોમાં, અનેક વિચિત્રતાથી ભરેલા
૪૧૪
આત્માનો મહિમા કરીને પરિશિષ્ટ
સંપૂર્ણ . . . . . . . . . . . . . . . . . .

આ શાસ્ત્રને પૂર્ણ કરતાં તેના અભ્યાસ વગેરેનું

૬૧૮
ફળ કહ્યું છે . . . . . . . . . . . . . .
૪૧૫
ટીકાકાર આચાર્યદેવનું વક્તવ્ય, આત્મખ્યાતિ


પરિશિષ્ટ
ટીકા સંપૂર્ણ . . . . . . . . . . . . . . .
૬૨૪
૬૨૫

આ શાસ્ત્રમાં અનંત ધર્મવાળા આત્માને

ભાષાટીકાકારનું વક્તવ્ય, ગ્રંથ સમાપ્ત . .

Page 0 of 642
PDF/HTML Page 31 of 673
single page version

नमः श्रीसर्वज्ञवीतरागाय
શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।१।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।।२।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।३।।
श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं, भव्यजीवमनःप्रतिबोधकारकं,
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीसमयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
।।
मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी
मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ।।१।।
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।।२।।

Page 1 of 642
PDF/HTML Page 32 of 673
single page version

नमः परमात्मने
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
પૂર્વરંગ
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः
(अनुष्टुभ्)
नमः समयसाराय स्वानुभूत्या चकासते
चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ।।१।।
મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય;
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ! ૧.
શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ;
મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ. ૨.
નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર;
લય લય પાર ગ્રહે ભવધાર,જય જય સમયસાર અવિકાર. ૩.
1

Page 2 of 642
PDF/HTML Page 33 of 673
single page version

(अनुष्टुभ्)
अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ।।२।।
શબ્દ, અર્થ ને જ્ઞાનસમયત્રય આગમ ગાયા,
કાળ, મત, સિદ્ધાંતભેદત્રય નામ બતાવ્યા;
તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહુ,
અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ;
તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે,
આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન ગ્રહે. ૪.
નામાદિક ષટ્ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર;
વિઘ્નહરણ, નાસ્તિકહરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. ૫.
સમયસાર જિનરાજ છે, સ્યાદ્વાદ જિનવેણ;
મુદ્રા જિન નિર્ગ્રંથતા, નમું કરે સહુ ચેન. ૬.

આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.

પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા) મંગળ અર્થે ઇષ્ટદેવને નમસ્કાર કરે છે

શ્લોકાર્થઃ[नमः समयसाराय] ‘સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે? [भावाय] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [चित्स्वभावाय] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે? [स्वानुभूत्या चकासते] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છેપ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતુંએવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો છે? [सर्वभावान्तरच्छिदे] પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળસંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ


Page 3 of 642
PDF/HTML Page 34 of 673
single page version

(मालिनी)
परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा-
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः

વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો)થી શુદ્ધ આત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.

ભાવાર્થઅહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃવાસ્તવિકપણે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઇષ્ટદેવનું નામ લે છે તેમાં ઇષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી ભલે તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત્, જિન, આપ્ત, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.

પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ;
સૌ-જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ-ભૂપ. ૧.

હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છેઃ

શ્લોકાર્થઃ[अनेकान्तमयी मूर्तिः] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ [नित्यम् एव] સદાય [प्रकाशताम्] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? [अनन्तधर्मणः प्रत्यगात्मनः तत्त्वं] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણસજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણનિજસ્વરૂપને, [पश्यन्ती] તે મૂર્તિ અવલોકન કરે છેદેખે છે.

ભાવાર્થઃઅહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે


Page 4 of 642
PDF/HTML Page 35 of 673
single page version

मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते-
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः
।।३।।

સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યગ્જ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા, વાગ્દેવી’ ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્પદથી એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.

કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? તેનો ઉત્તરઃવસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છેજે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છેજે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.

આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજાં અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.

હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે

શ્લોકાર્થશ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે[समयसारव्याख्यया एव] સમયસાર(શુદ્ધાત્મા તથા ગ્રંથ)ની વ્યાખ્યા(કથની તથા ટીકા)થી જ [मम अनुभूतेः] મારી


Page 5 of 642
PDF/HTML Page 36 of 673
single page version

अथ सूत्रावतार :
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते
वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं ।।१।।
वन्दित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गतिं प्राप्तान्
वक्ष्यामि समयप्राभृतमिदं अहो श्रुतकेवलिभणितम् ।।१।।

અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [परमविशुद्धिः] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [भवतु] થાઓ. કેવી છે તે પરિણતિ? [परपरिणतिहेतोः मोहनाम्नः अनुभावात्] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ(-ઉદયરૂપ વિપાક)ને લીધે [अविरतम् अनुभाव्य-व्याप्ति-कल्माषितायाः] જે અનુભાવ્ય(રાગાદિ પરિણામો)ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [शुद्धचिन्मात्रमूर्तेः] દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.

ભાવાર્થઆચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છેરાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણખ્યાતિ, લાભ, પૂજાદિકચાહતો નથી. આ પ્રકારે આચાર્યે ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.

હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે

(હરિગીત)
ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી-ભાષિત આ સમયપ્રાભૃત અહો! ૧.

ગાથાર્થઆચાર્ય કહે છેઃ હું [ध्रुवाम्] ધ્રુવ, [अचलाम्] અચળ અને [अनौपम्यां] અનુપમએ ત્રણ વિશેષણોથી યુક્ત [गतिं] ગતિને [प्राप्तान्] પ્રાપ્ત થયેલ એવા [सर्वसिद्धान्] સર્વ સિદ્ધોને [वन्दित्वा] નમસ્કાર કરી, [अहो] અહો! [श्रुतकेवलिभणितम्] શ્રુતકેવળીઓએ કહેલા [इदं][समयप्राभृतम्] સમયસાર નામના પ્રાભૃતને [वक्ष्यामि] કહીશ.


Page 6 of 642
PDF/HTML Page 37 of 673
single page version

अथ प्रथमत एव स्वभावभावभूततया ध्रुवत्वमवलम्बमानामनादिभावान्तरपरपरिवृत्ति- विश्रान्तिवशेनाचलत्वमुपगतामखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमानौपम्यामपवर्गसंज्ञिकां गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छन्दस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां स्वात्मनि परात्मनि च निधायानादिनिधनश्रुतप्रकाशितत्वेन निखिलार्थसार्थसाक्षात्कारिकेवलिप्रणीत- त्वेन श्रुतकेवलिभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशक स्य प्राभृता- ह्वयस्यार्हत्प्रवचनावयवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते

ટીકાઅહીં (સંસ્કૃત ટીકામાં) ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએએમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે,જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; ‘ધ્રુવ’ વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામએ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી.આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્હત્પ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્હત્પ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની)ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.


Page 7 of 642
PDF/HTML Page 38 of 673
single page version

तत्र तावत्समय एवाभिधीयते
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण
पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ।।२।।

ભાવાર્થગાથાસૂત્રમાં આચાર્યે ‘वक्ष्यामि’ કહ્યું છે તેનો અર્થ ટીકાકારે ‘वच् परिभाषणे’ ધાતુથી ‘પરિભાષણ’ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાં બાર ‘વસ્તુ’ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’ અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યુંપરિભાષાસૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક ‘પરિભાષા’ જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.

આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને ‘સર્વ’ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો અને ‘શુદ્ધ આત્મા એક જ છે’ એવું કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.

આ ગ્રંથનાં અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.

પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે

જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨.

Page 8 of 642
PDF/HTML Page 39 of 673
single page version

जीवः चरित्रदर्शनज्ञानस्थितः तं हि स्वसमयं जानीहि
पुद्गलकर्मप्रदेशस्थितं च तं जानीहि परसमयम् ।।२।।

योऽयं नित्यमेव परिणामात्मनि स्वभावेऽवतिष्ठमानत्वादुत्पादव्ययध्रौव्यैक्यानुभूतिलक्षणया सत्तयानुस्यूतश्चैतन्यस्वरूपत्वान्नित्योदितविशददृशिज्ञप्तिज्योतिरनन्तधर्माधिरूढैकधर्मित्वादुद्योतमानद्रव्यत्वः क्रमाक्रमप्रवृत्तविचित्रभावस्वभावत्वादुत्सङ्गितगुणपर्यायः स्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्व- रूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगतिस्थितिवर्तनानिमित्तत्वरूपित्वाभावादसाधारणचिद्रूपतास्वभाव-

ગાથાર્થહે ભવ્ય! [जीवः] જે જીવ [चरित्रदर्शनज्ञानस्थितः] દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે [तं] તેને [हि] નિશ્ચયથી [स्वसमयं] સ્વસમય [जानीहि] જાણ; [च] અને જે જીવ [पुद्गलकर्मप्रदेशस्थितं] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [तं] તેને [परसमयं] પરસમય [जानीहि] જાણ.

ટીકા‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ ‘सम् તો ઉપસર્ગ છે, તેનો અર્થ ‘એકપણું’ એવો છે; અને ‘अय् गतौ’ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ્) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું


Page 9 of 642
PDF/HTML Page 40 of 673
single page version

सद्भावाच्चाकाशधर्माधर्मकालपुद्गलेभ्यो भिन्नोऽत्यन्तमनन्तद्रव्यसङ्करेऽपि स्वरूपादप्रच्यवनाट्टङ्कोत्कीर्ण- चित्स्वभावो जीवो नाम पदार्थः स समयः, समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः

अयं खलु यदा सकलभावस्वभावभासनसमर्थविद्यासमुत्पादकविवेक ज्योतिरुद्गमना- त्समस्तपरद्रव्यात्प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपात्मतत्त्वैकत्वगतत्वेन वर्तते तदा दर्शनज्ञान- चारित्रस्थितत्वात्स्वमेकत्वेन युगपज्जानन् गच्छंश्च स्वसमय इति, यदा त्वनाद्यविद्याकन्दलीमूल- कन्दायमानमोहानुवृत्तितन्त्रतया दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपादात्मतत्त्वात्प्रच्युत्य परद्रव्यप्रत्यय- मोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते तदा पुद्गलकर्मप्रदेशस्थितत्वात्परमेकत्वेन युगपज्जानन् गच्छंश्च परसमय इति प्रतीयते एवं किल समयस्य द्वैविध्यमुद्धावति


પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણોઅવગાહન-ગતિ-સ્થિતિ- વર્તનાહેતુપણું અને રૂપીપણુંતેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલએ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો.આવો જીવ નામનો પદાર્થ સમય છે.

જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમયએવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.

2