Page -10 of 642
PDF/HTML Page 21 of 673
single page version
❈
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
( – અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
કરું છું.
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈
Page -8 of 642
PDF/HTML Page 23 of 673
single page version
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page -7 of 642
PDF/HTML Page 24 of 673
single page version
વિષય
થાય — સર્વથી જુદો થઈ એકલો સ્થિર
(પ્રથમ ૩૮ ગાથાઓમાં રંગભૂમિસ્થળ બાંધ્યું
છે.) .... ....
પ્રાણી કરે છે, એકત્વની કથા વિરલ
જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન...
મંગલાચરણ, ગ્રંથપ્રતિજ્ઞા . . . . . . . . . . (આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે,
દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને
જીવ-પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળના
સંયોગથી વિભાવપરિણતિ પણ છે; કેમ કે
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક
પુદ્ગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ
પરિણમે છે અને એના નિમિત્તથી કાર્મણ-
વર્ગણારૂપ પુદ્ગલ કર્મરૂપ થઈને જીવ સાથે
બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની
અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે
નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો
ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી
જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની
સ્વસમય-પરસમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે
જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રભાવરૂપ
પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે
સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે
પુદ્ગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન
અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો.....
માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે
તે સંબંધી . . . . . . . . . . . . . . . .
જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે . . . . . .
જેઓ સાધક અવસ્થામાં છે તેમને
વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
જીવનો પુદ્ગલકર્મ સાથે બંધ હોવાથી
એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં
Page -6 of 642
PDF/HTML Page 25 of 673
single page version
વિષય
જીવાદિ તત્ત્વોને શુદ્ધનયે જાણવાં તે સમ્યક્ત્વ
શુદ્ધનયના વિષયભૂત આત્મા બદ્ધસ્પૃષ્ટ, અન્ય,
વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંત જેટલા ભાવ છે
શુદ્ધનયના વિષયભૂત આત્માને જાણવો તે
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ સાધુએ
કથન . . . . . . . . . . . . . . . . . .
દ્રષ્ટાંતપૂર્વક કથન . . . . . . . . . . . .
શુદ્ધનયના વિષયભૂત આત્માને જ્યાં સુધી ન
કથન . . . . . . . . . . . . . . . . . .
૨૩
અજ્ઞાનીને સમજાવવાની રીતિ . . . . . . . અજ્ઞાનીએ જીવ-દેહને એક દેખી તીર્થંકરની
આ ઉત્તરમાં જીવ-દેહની ભિન્નતાનું દ્રશ્ય.... ચારિત્રમાં જે પ્રત્યાખ્યાન કહેવામાં આવેલ છે તે
૭૩
જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો
છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે . . . . .
૭૫
દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપે પરિણત આત્માનું
આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે આત્મા
ગાથાઓમાં) પૂર્ણ . . . . . . . . . . . .
થતો નથી . . . . . . . . . . . . . . . .
જીવ-અજીવ બન્ને બંધપર્યાયરૂપ થઈ એક
જાણવાથી અજ્ઞાની જન જીવની કલ્પના
અધ્યવસાનાદિ ભાવરૂપે અન્યથા કરે છે
તેના પ્રકારોનું વર્ણન . . . . . . . . . .
પોતાનામાં જ કર્તૃકર્મભાવ અને
ભોક્તૃભોગ્યભાવ છે . . . . . . . . .
જીવનું સ્વરૂપ અન્યથા કલ્પે છે તેના નિષેધની
Page -5 of 642
PDF/HTML Page 26 of 673
single page version
વિષય
વ્યવહારનય આત્મા અને પુદ્ગલકર્મને
કર્તૃકર્મભાવ નથી . . . . . . . . . . . .
છે...
આત્માને પુદ્ગલકર્મનો કર્તા અને ભોક્તા
આ કર્મ જીવે કર્યું . . . . . . . . . . .
નથી . . . . . . . . . . . . . . . . . . .
છે, નિશ્ચયથી જીવ તેમનો કર્તાભોક્તા નથી
મિથ્યાત્વાદિ આસ્રવો જીવ-અજીવના ભેદથી
હેતુ . . . . . . . . . . . . . . . . . . .
આત્માના મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ — આ
પુદ્ગલને પરિણામી કહ્યા છે . . . . . .
અને તેના નિમિત્તથી પુદ્ગલનું કર્મરૂપ
થવું . . . . . . . . . . . . . . . . . . .
આત્મા મિથ્યાત્વાદિભાવરૂપે પરિણમે નહિ ત્યારે
અજ્ઞાનથી કર્મ કેવી રીતે થાય છે એવો શિષ્યનો
કર્મના કર્તાપણાનું મૂળ અજ્ઞાન જ છે . . જ્ઞાન થાય છે ત્યારે કર્તાપણું નથી . . . . વ્યવહારી જીવ આત્માને પુદ્ગલકર્મનો કર્તા કહે
નયોથી ઉત્તર . . . . . . . . . . . . . .
આત્મા પુદ્ગલકર્મનો કર્તા નિમિત્ત-
યોગ-ઉપયોગ છે તે નિમિત્તનૈમિત્તિક-
ભાવથી કર્તા છે અને યોગ-ઉપયોગનો
આત્મા કર્તા છે . . . . . . . . . . . . .
બન્ને કર્મો બંધનાં કારણ . . . . . . . . .
આથી બન્ને કર્મોનો નિષેધ . . . . . . . .
તેનું દ્રષ્ટાંત અને આગમની સાક્ષી . . . .
૧૦૧
જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે . . . . . . . . . અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનભાવનો જ કર્તા
Page -4 of 642
PDF/HTML Page 27 of 673
single page version
વિષય
જ્ઞાન મોક્ષનું કારણ છે . . . . . . . . . . વ્રતાદિક પાળે તોપણ જ્ઞાન વિના મોક્ષ
પૂર્ણ . . . . . . . . . . . . . . . . . . .
૧૫૪
પુણ્યકર્મના પક્ષપાતીનો દોષ . . . . . . . . જ્ઞાનને જ પરમાર્થસ્વરૂપ મોક્ષનું કારણ કહ્યું છે,
કર્મ મોક્ષના કારણનો ઘાત કરે છે એમ દ્રષ્ટાંત
કર્મ પોતે જ બંધસ્વરૂપ છે . . . . . . . . કર્મ બંધના કારણરૂપ ભાવોસ્વરૂપ છે અર્થાત્
સંવર થવાના ક્રમનું કથન; અધિકાર પૂર્ણ
અને ત્રીજો અધિકાર પૂર્ણ . . . . . . .
ભાવનિર્જરાનું સ્વરૂપ . . . . . . . . . . . .
જ્ઞાનનું સામર્થ્ય . . . . . . . . . . . . . . .
વૈરાગ્યનું સામર્થ્ય. . . . . . . . . . . . . .
જ્ઞાન-વૈરાગ્યના સામર્થ્યનું દ્રષ્ટાંતપૂર્વક કથન...
સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે તથા વિશેષપણે
૧૯૪
૧૯૫
આસ્રવના સ્વરૂપનું વર્ણન અર્થાત્ મિથ્યાત્વ,
બંધનાં કારણ છે એવું કથન . . . . . .
જ્ઞાનીને તે આસ્રવોનો અભાવ કહ્યો છે. . . . રાગ-દ્વેષ-મોહરૂપ જીવના અજ્ઞાનમય પરિણામ
કથન . . . . . . . . . . . . . . . . . .
રાગાદિક સાથે નહિ મળેલા જ્ઞાનમય ભાવની
રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ કેમ ન હોય તે સંબંધી
૧૬૯
જ્ઞાનીને દ્રવ્ય-આસ્રવોનો અભાવ . . . . . . ‘જ્ઞાની નિરાસ્રવ કેવી રીતે છે’ એવા શિષ્યના
જ્ઞાયકભાવપદમાં સ્થિર થવાનો ઉપદેશ....
અજ્ઞાની અને જ્ઞાનીને આસ્રવ થવાનું અને ન
કર્મના ક્ષયોપશમના નિમિત્તથી છે . . .
રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનપરિણામ છે તે જ બંધના
Page -3 of 642
PDF/HTML Page 28 of 673
single page version
વિષય
જ્ઞાન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે . . . . . જ્ઞાની પરને શા માટે ગ્રહણ કરતા નથી એવા
૨૦૮
૨૧૪
પરિગ્રહના ત્યાગનું વિધાન . . . . . . . . . જ્ઞાનીને સર્વ પરિગ્રહનો ત્યાગ છે . . . . . કર્મના ફળની વાંછાથી કર્મ કરે તે કર્મથી
તે કર્મથી લેપાતો નથી. તેનું દ્રષ્ટાંત દ્વારા
કથન . . . . . . . . . . . . . . . . . .
આલંબન અભવ્ય પણ કરે છે, વ્રત,
સમિતિ, ગુપ્તિ પાળે છે, અગિયાર અંગ
ભણે છે, તોપણ તેનો મોક્ષ નથી . . .
સમ્યક્ત્વના આઠ અંગ છે, તેમાં પ્રથમ તો
એવું કથન . . . . . . . . . . . . . . .
અભવ્ય ધર્મની શ્રદ્ધા કરે છે તે ભોગહેતુ ધર્મની
નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢત્વ, ઉપગૂહન,
રાગાદિક ભાવોનું નિમિત્ત આત્મા છે કે
બંધના કારણનું કથન . . . . . . . . . . . આત્મા એવા કારણરૂપે ન પ્રવર્તે તો બંધ ન
મિથ્યાદ્રષ્ટિને જેનાથી બંધ થાય છે, તે આશયોને
એમ સિદ્ધ કર્યું છે . . . . . . . . . . .
૨૫૯
સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ
પામતો નથી . . . . . . . . . . . . . .
અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે... બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, અધ્યવસાન જ
બંધ-છેદનથી જ મોક્ષ થાય છે . . . . . .
બંધનો છેદ કેવી રીતે કરવો? એવા પ્રશ્નનો
અધ્યવસાન પોતાની અર્થક્રિયા નહિ કરતું
પ્રજ્ઞાશસ્ત્ર જ છે. . . . . . . . . . . . .
મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનરૂપ અધ્યવસાયથી પોતાના
કથન . . . . . . . . . . . . . . . . . .
Page -2 of 642
PDF/HTML Page 29 of 673
single page version
વિષય
બંધને છોડવો . . . . . . . . . . . . . .
આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો તે
આત્મા સિવાય અન્ય ભાવનો ત્યાગ કરવો;
કરે? અર્થાત્ કોઈ ન કરે . . . . . . .
જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે,
કર્યું છે . . . . . . . . . . . . . . . . .
બંધનમાં પડતો નથી . . . . . . . . . .
૩૦૪
અપરાધનું સ્વરૂપ . . . . . . . . . . . . . ‘શુદ્ધ આત્માના ગ્રહણથી તમે મોક્ષ કહ્યો; પરંતુ
યુક્તિપૂર્વક નિષેધ . . . . . . . . . . . .
દોષોથી છૂટી જાય છે; તો પછી શુદ્ધ
આત્માના ગ્રહણનું શું કામ છે?’ આવા
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે
કે, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણ રહિત
અપ્રતિક્રમણાદિ સ્વરૂપ ત્રીજી ભૂમિકાથી
જ
થતા નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા
જીવના પરિણામ છે . . . . . . . . . .
આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે . કર્તાપણું જીવ અજ્ઞાનથી માને છે; તે અજ્ઞાનનું
અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને
તેમને જાણવા જતો નથી; પરંતુ અજ્ઞાની
જીવ તેમના પ્રત્યે વૃથા રાગ-દ્વેષ કરે છે
જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું –
છે . . . . . . . . . . . . . . . . . . . .
કર્મફળનું ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ
કથન . . . . . . . . . . . . . . . . .
જ્ઞાની કર્મફળનો ભોક્તા નથી . . . . . . .
Page -1 of 642
PDF/HTML Page 30 of 673
single page version
વિષય
અનુમોદનાથી મન-વચન-કાયા વડે અતીત,
વર્તમાન અને અનાગત કર્મના ત્યાગનું
ઓગણપચાસ ઓગણપચાસ ભંગ દ્વારા
કથન કરીને કર્મચેતનાના ત્યાગનું વિધાન
દર્શાવ્યું છે તથા એકસો અડતાળીશ
પ્રકૃતિઓના ત્યાગનું કથન કરીને કર્મફળ-
ચેતનાના ત્યાગનું વિધાન દર્શાવ્યું છે.)....
વિરોધ કેમ નથી આવતો તે બતાવવા, તથા
એક જ જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપેયભાવ
બન્ને કઈ રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર
આચાર્યદેવ સમયસારની ‘આત્મખ્યાતિ’
ટીકાના અંતમાં ‘પરિશિષ્ટ’રૂપે સ્યાદ્વાદ
અને ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહેવાની
પ્રતિજ્ઞા કરે છે . . . . . . . . . . . . .
જ્ઞાનને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદું દર્શાવ્યું
ભંગ કરી તેનાં ૧૪ કાવ્ય કહ્યાં છે. . . .
આત્મા અમૂર્તિક છે તેથી તેને પુદ્ગલમયી દેહ
દ્રવ્યલિંગ દેહમયી છે તેથી દ્રવ્યલિંગ આત્માને
માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે . . .
મોક્ષમાર્ગ છે એવું કથન . . . . . . . .
મોક્ષના અર્થીએ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષ-
શક્તિઓનાં નામ તથા લક્ષણોનું કથન. . .
કર્યો છે . . . . . . . . . . . . . . . . .
જે દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેણે સમયસારને
સિદ્ધપણું – એ બન્ને ભાવ બરાબર ઘટે છે
વ્યવહારનય જ મુનિ-શ્રાવકના લિંગને મોક્ષમાર્ગ
કહેતો નથી — એવું કથન . . . . . . . .
સંપૂર્ણ . . . . . . . . . . . . . . . . . .
આ શાસ્ત્રને પૂર્ણ કરતાં તેના અભ્યાસ વગેરેનું
૬૨૫
આ શાસ્ત્રમાં અનંત ધર્મવાળા આત્માને
Page 0 of 642
PDF/HTML Page 31 of 673
single page version
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीसमयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
Page 1 of 642
PDF/HTML Page 32 of 673
single page version
Page 2 of 642
PDF/HTML Page 33 of 673
single page version
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા) મંગળ અર્થે ઇષ્ટદેવને નમસ્કાર કરે છેઃ —
શ્લોકાર્થઃ — [नमः समयसाराय] ‘સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર — જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે? [भावाय] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [चित्स्वभावाय] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે? [स्वानुभूत्या चकासते] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે — પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું — એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો છે? [सर्वभावान्तरच्छिदे] પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળસંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ
Page 3 of 642
PDF/HTML Page 34 of 673
single page version
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः ।
વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો)થી શુદ્ધ આત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
ભાવાર્થઃ — અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃ — વાસ્તવિકપણે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઇષ્ટદેવનું નામ લે છે તેમાં ઇષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી ભલે તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત્, જિન, આપ્ત, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છેઃ —
શ્લોકાર્થઃ — [अनेकान्तमयी मूर्तिः] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ [नित्यम् एव] સદાય [प्रकाशताम्] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? [अनन्तधर्मणः प्रत्यगात्मनः तत्त्वं] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણ — સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ — નિજસ્વરૂપને, [पश्यन्ती] તે મૂર્તિ અવલોકન કરે છે — દેખે છે.
ભાવાર્થઃ — અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે
Page 4 of 642
PDF/HTML Page 35 of 673
single page version
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः ।।३।।
સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યગ્જ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા, વાગ્દેવી’ ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્’પદથી એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? તેનો ઉત્તરઃ — વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે — જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે — જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.
આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજાં અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છેઃ —
શ્લોકાર્થઃ — શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ — [समयसारव्याख्यया एव] આ સમયસાર(શુદ્ધાત્મા તથા ગ્રંથ)ની વ્યાખ્યા(કથની તથા ટીકા)થી જ [मम अनुभूतेः] મારી
Page 5 of 642
PDF/HTML Page 36 of 673
single page version
અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [परमविशुद्धिः] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [भवतु] થાઓ. કેવી છે તે પરિણતિ? [परपरिणतिहेतोः मोहनाम्नः अनुभावात्] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ(-ઉદયરૂપ વિપાક)ને લીધે [अविरतम् अनुभाव्य-व्याप्ति-कल्माषितायाः] જે અનુભાવ્ય(રાગાદિ પરિણામો)ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [शुद्धचिन्मात्रमूर्तेः] દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થઃ — આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે — રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ — ખ્યાતિ, લાભ, પૂજાદિક — ચાહતો નથી. આ પ્રકારે આચાર્યે ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છેઃ —
ગાથાર્થઃ — આચાર્ય કહે છેઃ હું [ध्रुवाम्] ધ્રુવ, [अचलाम्] અચળ અને [अनौपम्यां] અનુપમ — એ ત્રણ વિશેષણોથી યુક્ત [गतिं] ગતિને [प्राप्तान्] પ્રાપ્ત થયેલ એવા [सर्वसिद्धान्] સર્વ સિદ્ધોને [वन्दित्वा] નમસ્કાર કરી, [अहो] અહો! [श्रुतकेवलिभणितम्] શ્રુતકેવળીઓએ કહેલા [इदं] આ [समयप्राभृतम्] સમયસાર નામના પ્રાભૃતને [वक्ष्यामि] કહીશ.
Page 6 of 642
PDF/HTML Page 37 of 673
single page version
अथ प्रथमत एव स्वभावभावभूततया ध्रुवत्वमवलम्बमानामनादिभावान्तरपरपरिवृत्ति- विश्रान्तिवशेनाचलत्वमुपगतामखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमानौपम्यामपवर्गसंज्ञिकां गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छन्दस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां स्वात्मनि परात्मनि च निधायानादिनिधनश्रुतप्रकाशितत्वेन निखिलार्थसार्थसाक्षात्कारिकेवलिप्रणीत- त्वेन श्रुतकेवलिभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशक स्य प्राभृता- ह्वयस्यार्हत्प्रवचनावयवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते ।
ટીકાઃ — અહીં (સંસ્કૃત ટીકામાં) ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ — એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે, — જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; ‘ધ્રુવ’ વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ — એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી. — આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્હત્પ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્હત્પ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની)ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.
Page 7 of 642
PDF/HTML Page 38 of 673
single page version
ભાવાર્થઃ — ગાથાસૂત્રમાં આચાર્યે ‘वक्ष्यामि’ કહ્યું છે તેનો અર્થ ટીકાકારે ‘वच् परिभाषणे’ ધાતુથી ‘પરિભાષણ’ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાં બાર ‘વસ્તુ’ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’ અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું — પરિભાષાસૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક ‘પરિભાષા’ જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.
આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને ‘સર્વ’ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો અને ‘શુદ્ધ આત્મા એક જ છે’ એવું કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.
આ ગ્રંથનાં અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છેઃ —
Page 8 of 642
PDF/HTML Page 39 of 673
single page version
योऽयं नित्यमेव परिणामात्मनि स्वभावेऽवतिष्ठमानत्वादुत्पादव्ययध्रौव्यैक्यानुभूतिलक्षणया सत्तयानुस्यूतश्चैतन्यस्वरूपत्वान्नित्योदितविशददृशिज्ञप्तिज्योतिरनन्तधर्माधिरूढैकधर्मित्वादुद्योतमानद्रव्यत्वः क्रमाक्रमप्रवृत्तविचित्रभावस्वभावत्वादुत्सङ्गितगुणपर्यायः स्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्व- रूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगतिस्थितिवर्तनानिमित्तत्वरूपित्वाभावादसाधारणचिद्रूपतास्वभाव-
ગાથાર્થઃ — હે ભવ્ય! [जीवः] જે જીવ [चरित्रदर्शनज्ञानस्थितः] દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે [तं] તેને [हि] નિશ્ચયથી [स्वसमयं] સ્વસમય [जानीहि] જાણ; [च] અને જે જીવ [पुद्गलकर्मप्रदेशस्थितं] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [तं] તેને [परसमयं] પરસમય [जानीहि] જાણ.
ટીકાઃ — ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ ‘सम्’ તો ઉપસર્ગ છે, તેનો અર્થ ‘એકપણું’ એવો છે; અને ‘अय् गतौ’ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ્) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું
Page 9 of 642
PDF/HTML Page 40 of 673
single page version
सद्भावाच्चाकाशधर्माधर्मकालपुद्गलेभ्यो भिन्नोऽत्यन्तमनन्तद्रव्यसङ्करेऽपि स्वरूपादप्रच्यवनाट्टङ्कोत्कीर्ण- चित्स्वभावो जीवो नाम पदार्थः स समयः, समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः ।
अयं खलु यदा सकलभावस्वभावभासनसमर्थविद्यासमुत्पादकविवेक ज्योतिरुद्गमना-
त्समस्तपरद्रव्यात्प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपात्मतत्त्वैकत्वगतत्वेन वर्तते तदा दर्शनज्ञान- चारित्रस्थितत्वात्स्वमेकत्वेन युगपज्जानन् गच्छंश्च स्वसमय इति, यदा त्वनाद्यविद्याकन्दलीमूल- कन्दायमानमोहानुवृत्तितन्त्रतया दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपादात्मतत्त्वात्प्रच्युत्य परद्रव्यप्रत्यय- मोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते तदा पुद्गलकर्मप्रदेशस्थितत्वात्परमेकत्वेन युगपज्जानन् गच्छंश्च परसमय इति प्रतीयते । एवं किल समयस्य द्वैविध्यमुद्धावति ।
પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો — અવગાહન-ગતિ-સ્થિતિ- વર્તનાહેતુપણું અને રૂપીપણું — તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ — એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. — આવો જીવ નામનો પદાર્થ સમય છે.
જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય — એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.