૨૨
સ્વતંત્ર તથા પરિપૂર્ણ સ્વીકારે છે. પરદ્રવ્યના પરિણમનમાં મારો હાથ નથી ને મારા પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનો હાથ નથી. આમ માનતાં પરના કર્તાપણાનું અભિમાન સહેજે ટળી જાય છે તેથી અજ્ઞાનભાવે જે અનંતું વીર્ય પરમાં રોકાતું હતું તે સ્વમાં વળ્યું તે જ અનંતો પુરુષાર્થ છે ને તેમાં જ અનંતી શાંતિ છે. — આ દ્રષ્ટિ તે જ દ્રવ્યદ્રષ્ટિ થઈ ને તે જ સમ્યગ્દ્રષ્ટિ થઈ. ૩૩.
જે જીવ પાપકાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યોમાં કંજૂસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ સંસાર કરતાં ધર્મકાર્યોમાં વધારે ઉત્સાહથી વર્તે છે. ૩૪.
જ્ઞાન ને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર એવા સત્સ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્માના આશ્રયે જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થાય ત્યારે તેના અનંત ગુણોનો અંશ — આંશિક શુદ્ધ પરિણમન — પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. તેને શ્રીમદ્ રાજચંદ્ર ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ ને પં૦ ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ‘ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો એકદેશ પ્રગટ થયા છે.’ – એમ કહે છે. તે વાત